________________
.. કોઈ ના
છે
造造
જિણાણું-રાગદ્વેષને જીતનારા. જાવયાણું–ઉપદેશ દેવા વડે ભવ્ય પ્રાણીઓને રાગદ્વેષ જીતાડનારા. તિજ્ઞાણુ—ભવસમુદ્ર તરનાર. તારયાણું—ભવ્ય પ્રાણીઓને તારનાર. બુદ્દાણું–જીવાદિ સર્વ તત્ત્વોના જાણકાર. બેયાણું–બીજા જીવોને તત્ત્વને બોધ આપનાર. મુત્તાણું–કર્મબંધનથી મુક્ત થએલ. અગાણું–બીજાઓને તે બંધનથી મુક્ત કરનાર,
સવ્યસ્તૃણું-કેવળજ્ઞાન વડે સઘળું જાણનાર. સāદરિસીણું–કેવળદર્શન વડે સઘળું જેનાર. સિવં–ઉપદ્રવ રહિત. અલં–અચલ. અરૂઅં–રોગરહિત. અણું–અનંત પદાર્થોના જ્ઞાનરવરૂપ. અખિયં–ક્ષય રહિત. અવ્યાબાલં–પીડા રહિત. અપુણરાવિત્તિ-જ્યાં ગયા પછી ફરીથી જન્મ લેવો પડતો નથી એવા. સિદ્ધિગઈનામધેયં-સિદ્ધિગતિ નામના. ઠાણું સંપત્તાણું–નામના રથાનને પ્રાપ્ત થએલા. નમોજિણાણું–જિનેશ્વરોને નમસ્કાર થાઓ. જિઅભયાણું–જીતેલ છે કર્મરૂપી વિરીઓને ભય જેમણે એવા. - આ રીતે સર્વ જિનેશ્વરોને નમસ્કાર કરી ધર્મેન્દ્ર શ્રી વીર પ્રભુને આ પ્રમાણે નમ| સ્કાર કરે છે; તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થકર, આગલા તીર્થકરોએ જેમના થવાની
સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણોવાળા યાવતું જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષા વાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમરકાર થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
Library.org