Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004862/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સીબવાલોકસમૂહ જૈન સૂત્રોના સારરૂપ ૧૦૧ થોકડાનો સંગ્રહ पाठवण CICCIAL गणं स उवमिज्जद सयय, ટો ધર્મપ્રચારમંડળ,અમદાવાદ જે ગુના g Jain શ્રી ભગવતી સૂ શ્રી પવા આ સંગ્રહ આગમ નીિ સમવાયી - જીવાભિગમ સૂત્ર नही सूभ pro સંગ્રહક-સંપાદક : કાન્તિલાલ જગજીવનદાસ ગાંધી જશવંતલાલ શાંતિલાલ શાહ પ્રકાશક : સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત) tary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યશાળી શ્રુતજ્ઞાન અનુમોદક ભાગ્યશાળી વ્યુત સહયોગી તરફથી સુંદર સહયોગ મળતાં આ પુસ્તક પડતર કિંમત કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરી શક્યા છીએ તે બદલ મંડળ તેઓશ્રીનો ખરા અંતઃકરણ પૂર્વક આભાર માને છે. (૧) ધર્મપ્રેમી શ્રી નવનીતભાઈ ચુનીભાઈ પટેલ તરફથી સપ્રેમ ભેટ પાર્શ્વનાથ કોર્પોરેશન - અમદાવાદ (૨) એક સગૃહસ્થ તરફથી સપ્રેમ ભેટ. (૩) એક સગૃહસ્થ તરફથી સપ્રેમ ભેટ. (૪) એક સદ્ગહસ્થ તરફથી સપ્રેમ ભેટ. (૫) માતૃશ્રી કોકિલાબેન મુગટલાલ ચુડગર તરફથી સપ્રેમ ભેટ - અંધેરી મુંબઈ (૬) શ્રી સર્જનરાજજી નવરત્નરાજજી જેના તરફથી સપ્રેમ ભેટ મુ. પીપાદ સિટી, હાલ સાબરમતી – અમદાવાદ (૭) શ્રી મોહનલાલજી પારસમલજી ભંડારી તરફથી સપ્રેમ ભેટ ! ભિલાડા હાલ સાબરમતી - અમદાવાદ (૮) સ્વ. શ્રી જવાહરમલજી શેષમલજી કોઠારી તરફથી સપ્રેમ ભેટ મુ. રણસી ગૉવ હાલ પાલડી - અમદાવાદ (૯) શ્રી દેવીચંદજી ભંવરલાલજી પુષ્પરાજજી ભંડારી તરફથી સપ્રેમ ભેટ મુ. પાલી Education dietaugl-Plurinatx equise Only www.jainelibrar Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ શીબહદ જૈન થી સંગ્રહ (જેન સૂત્રોના સારરૂપ ૧૦૧ થોકડાનો સંગ્રહ ) ( સંગ્રહક-સંપાદક) કાન્તિલાલ જગજીવનદાસ ગાંધી જશવંતલાલ શાંતિલાલ શાહ ચોથી સુધારેલી આવૃત્તિ પ્રત : ૨૦૦૦ પ્રથમ ત્રણ આવૃત્તિની કુલ પ્રતઃ ૮૦૦૦ વીર સંવત ૨પ૨૫ વિક્રમ સંવત ૨૦૫૫ જાન્યુઆરી ૨૦૦૦ 'પડતર કિંમત રૂા. ૫૫ ' જ્ઞાન પ્રચારાર્થે રૂા. ૩પ CICCIO શૌy : :: : સહન : Her ise 21 PATEICIE : પ્રકાશક: સુધર્મપ્રચારા મંડળો ગુજરાd) c/o. બાયોકેમ ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ, એદુન બિલ્ડીંગ, પેહલી ધોબી તળાવ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૦૮૫૫૩૪, ૨૦૯૬૩૮૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાન્તિલાલ જગજીવનદાસ ગાંધી ૭, નારાયણ નિવાસ, – ૫૨૦ – બી, આર. પી. મસાની રોડ, માટુંગા (સે. ૨.), મુંબઈ - ૪૦૦ ૦૧૯. રે.), (૦૨૨) ૪૧૨ ૬૧ ૩૭ : 2 શ્રી જશવંતલાલ શાંતિલાલ શાહ ૫૮, અવંતિ એપાર્ટમેન્ટ્સ, ફલેન્ક રોડ, મુંબઈ – ૪૦૦ ૦૨૨. (૦૨૨) ૪૦૧ ૪૨ ૨૩, ૪૦૧ ૫૯ ૪૭. શ્રી ભદ્રેશભાઈ ડી. શાહ સંયોજક, સુધર્મ પ્રચાર મંડળ, C/o જૈન ઉપકરણ ભંડાર, ૧૬, પ્રકાશ પાર્ક સોસાયટી, મેવાડા છાત્રાલયની સામે, કોમર્સ કોલેજ છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૯. ૧ : (૦૭૯) ૬૫૬ ૫૪ ૧૬ મુદ્રણ વ્યવસ્થાપક : spb સસ્તું પુતક ભંડાર પુસ્તક પ્રકાશક અને વિક્રેતા લક્ષ્મી સિનેમાની ગલીમાં, સ્ટેશન રોડ, ♦ ભઠ્ઠીની બારીમાં, ગાંધી રોડ પુલ નીચે, નડિયાદ. ફોન : () ૬૬૨૫૮ (ઘર) ૬૪૭૪૩ | અમદાવાદ-૧. ફોનઃ૨૧૧૦૦૬૨, ૨૧૪૭૧૦૧ CAN COMPUTERS D. T. P. Guj./Eng. Aumbai. -: (022) 628 23 41 Page #6 -------------------------------------------------------------------------- ________________ 3 પ્રકાશકનું નિવેદન (ચતુર્થ આવૃત્તિ) આગમનું દોહન અને મંથન કરી આચાર્યોએ મેળવેલું અમૃત એટલે થોક સંગ્રહ (થોકડા). આ થોકડાનો સ્વાધ્યાય અને તેની સમજણ પ્રાપ્તિ કરવી એ જ આપણા સ્થાનકવાસી જૈન ધર્મનાં શ્રાવકો માટે સુંદર સમયનો સદુપયોગ અને મહાન કર્મનિર્જરાનું કારણ છે. આથી જ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહની ત્રણ આવૃત્તિ છપાઈ ગઈ હોવા છતાં ખૂબ જ ટૂંક સમયમાં અલભ્ય થઈ ગઈ. અભ્યાસીઓને પથદર્શક એવા આ પુસ્તકની નવી સુધારેલી આવૃત્તિ છપાવવાનું કાર્ય સુધર્મ પ્રચાર મંડળે હાથ ધર્યું. ખૂબ જ ટૂંકા સમયમાં પુસ્તકમાં રહેલી ત્રુટિઓને સિદ્ધાંતનો આધાર લઈ સુધારી આ નવી આવૃત્તિ પ્રસ્તુત કરતા સુધર્મ પ્રચાર મંડળ આનંદ અનુભવે છે. આજ સુધીમાં ત્રણ આવૃત્તિ રૂપે છપાયેલ આ પુસ્તકની આઠ હજાર પ્રતો અભ્યાસીઓને સ્વાધ્યાય, મનન, ચિંતનમાં સહાયતા કરી રહેલ છે તે એક આનંદનો અને ગૌરવનો વિષય છે. આજના સમયને અનુરૂપ સાદું ગુજરાતી, અઘરાં શબ્દોનાં અર્થો, કંઠસ્થ કરવા માટે મદદરૂપ તેવા કોઠાઓ વિ. થી ખૂબ સહેલાઈથી સમજી શકાય તેવી શૈલીનાં આધારે તૈયાર કરાયેલ આ પુસ્તક Page #7 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસીઓને ઘણું જ અનુકુળ પડશે તથા થોકડાના ભાવો સમજવામાં સુગમતા રહેશે તેવી આશા અને સંપૂર્ણ વિશ્વાસ છે. આ પુસ્તક સહુના જ્ઞાનમાં વૃદ્ધિ કરનારું, કર્મ નિર્જરાનો રાહ બતાવનારું અને ઘટી રહેલા શ્રુતજ્ઞાનને વધારનારું બને તેવી અંતરની ભાવના છે. સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત) સમગ્ર ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ઘણી સુંદર શાસન પ્રભાવનાની પ્રવૃત્તિ કરી રહેલ છે. મંડળનો પ્રવૃત્તિ પરિચય આ પુસ્તકમાં અન્યત્ર આપેલ છે. - પૂ. સાધુ સાધ્વીજીઓ તથા વિદ્વાન શ્રાવકો દ્વારા પુસ્તકમાં રહેલી ક્ષતિઓ માટે આગમિક સુધારા તરફ દોરેલ ધ્યાન માટે તથા તેમણે આપેલ સહકાર બદલ તેમના અમે ઋણી છીએ. આ સંપૂર્ણ પુસ્તકનું પુફ વાંચવામાં તથા સમગ્ર પુસ્તકને તૈયાર કરવામાં શ્રી અતુલભાઈ એમ. ચુડગર તથા શ્રીમતિ નીતિબેન ચુડગરે સતત પરિશ્રમ લીધો છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રુતજ્ઞાન માટે અનુમોદન આપનાર ભાગ્યશાળી દાતાઓને હૃદયના ભાવપૂર્વકના આનંદન. પુસ્તકનાં સુંદર મુદ્રણ માટે શ્રી વિજયભાઈ, સસ્તું પુસ્તક ભંડારવાળાનો આભાર માનીએ છીએ. આ સર્વ કાર્યનું સંચાલન કરનાર સુધમ પ્રચાર મંડળના સંયોજક શ્રી ભદ્રેશભાઈ શાહની સેવા અને લગની પ્રશંસનીય છે. પુસ્તક તૈયાર કરવામાં શક્ય તેટલો ઉપયોગ રાખવા છતાં સ્કૂલના થઈ જવા સંભવ છે. પુસ્તકનો અભ્યાસ કરતાં ભૂલો ધ્યાનમાં આવે તો તરત અમોને લખી જણાવવા વિનંતી છે જેથી નવી આવૃત્તિમાં સુધારો થઈ શકે. સમગ્ર પુસ્તકમાં અજાણતા અલાના રહી જતા જ્ઞાન તથા જ્ઞાનીની આશાતના થઈ હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહીએ છીએ. લિ. શ્રી જશવંતલાલ શાંતિલાલ શાહ સુધર્મ પ્રચાર મંડળ, પ્રમુખ. તા. ૧૫/૧/૨૦૦૦. Page #8 -------------------------------------------------------------------------- ________________ - - પૃષ્ઠ ૦૧ ૦ર ૨૫ ક્રિયા અનુક્રમણિકા ક્રમાંક થોકડાનું નામ ૦૧ શ્રી નવ તત્વ ૨૫ ક્રિયા ૩૯ ૦૩ છકાયના બોલ ૦૪-અ શ્રી પચ્ચીસ બોલ – મોટા – ૦૪ પાંત્રીસ બોલ | ૮૦ ૦પ સિદ્ધ દ્વાર ૯૦ ૦૬ ચોવીસ દંડક છે : ૯૪ ૦૭ ૮ આઠ કર્મની પ્રકૃતિ ૦ ૧ ૨૬ ગતાગતિ ૧૩૯ ૦૯ છ આરાના ભાવ ૧૫૧ 'દશ હરના જીવસ્થાનક ૧૬૫ ૧૦-અ શ્રી ગુણસ્થાન દ્વાર ૧૮૦ ૧૧ Uત તેત્રિસ બોલ ૨૦૬ ૧ર નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન ૨૨૯ ૧૩ ત્રેવીસ પદવી - ૨૫૨ / ૧૪ પાંચ શરીર ૦ ૨૬૨ પાંચ ઇન્દ્રિય | ૨૬૭ ૧૬ રૂપી અરૂપીના બોલ – ૦ ૨૭૨ 'શ્રી મોટો બાસઠીયો ૦ ૨૭૪ ૧૮ બાવન બોલ ૦ ૨૯૦ ૧૦ ક ૧૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૧૯ ૨૦ | ૨૧ . * ૨૨ . ૨૩ ( ૨૪ | ૨૫ ૨૬ ૨૮ ૩૬૪ - 6 થોકડાનું નામ પૃષ્ઠ શ્રોતા અધિકાર ૩૦૦ અઠ્ઠાણું બોલનો અલ્પબદુત્વ', !, ૩૦૭ પુદ્ગલ પરાવર્ત ૩૧૫ જીવોની માર્ગણાના પ૬૩ પ્રશ્નો ૨ ૩૨૩ ચાર કષાય ૩૫૨ શ્વાસોચ્છવાસ ૩૫૩ અસક્ઝાયો ૩૫૫ બત્રીસ સૂત્રોના નામ ૩૫૮ 'અપર્યાપા તથા પર્યાપ્તા દ્વારા ૩૬૦ ગર્ભ વિચાર નક્ષત્ર પરિચય ૩૭૭. પાંચ દેવ ૩૮૦ 'આરાધક વિરાધક | ૩૮૫ 'દેવોત્પાદના ૧૪ બોલ ત્રણ જાગરિકા ૦ ૩૮૬ છકાયના ભવ ૦ ૩૯૦ અવધિ પદ ૩૯૧ ધર્મધ્યાન ૩૯૩ છ વેશ્યા ૦ ૪૦૨ યોનિ પદ આઠ આત્માનો વિચાર ૦ ૪૧૦ 'વ્યવહાર સમકિતના ૬૭ બોલ ૦ ૪૧૩ ૨૯ იიიიიიიიიიიიი იიიიიიი -) ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩િ૬ 5 ४०७ ૩૭ ૩૮ ૩૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૪૨ ૪૪ ક્રમાંક થોકડાનું નામ ૪૦ કાય સ્થિતિ ૪૧૭ ૪૧ યોગોનો અલ્પબદુત્વ ૪૨૭ પુદ્ગલોનો અલ્પબહુત્વ ૪૨૯ ૪૩ આકાશ શ્રેણી ૪૩૩ ' બળનો અલ્પબદુત્વ ૪૩૫ ૪૫ સમકિતના ૧૨ દ્વાર ૪૩૭ ૪૬ ખંડાજોયણ ૪૪૦ ४७ ધર્મની સન્મુખ થવાના ૧૫ કારણ૦ ૪૫૩ 'માર્ગાનુસારીનાં ૩૫ ગુણ ૪૫૪ શ્રાવકના ૨૧ ગુણ ૪૫૫ | ૫૦ 'હેલા મોક્ષ જવાનાં ૨૩ બોલ છે | ૪૫૬ તીર્થ કરનામ બાંધવાના ૨૦ કારણો ૪૫૭ 'પરમ કલ્યાણના ૪૦ બોલ ૦ ૪૫૯ ૫૩ તીર્થંકરના ૩૪ અતિશય ૨ ૪૬૧ ૫૪ 'બ્રહ્મચર્યની ૩૨ ઉપમા ૪૬૨ ૫૫ શ્રમણ નિર્ચથના સુખની તુલ્યતા ૦ ૪૬૪ 'જટૂદ્રવ્ય પ૨ ૩૧ દ્વાર ૪૬૫ આપ૭ ચાર ધ્યાન ४७४ ૫૮ આરાધના પદ ૪૭૮ સંજ્ઞા પદ ૪૮૦ ૬૦ વેદના પદ ૪૮૨ ૬૧ સમુઘાત પદ ૪૮૪ იიიიიიიიიიი ४८ ૪૯ ૫૧ ૫૨ ૫૬ |იიიიიიი પ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ થોકડાનું નામ ઉપયોગ પદ ઉપયોગ – અધિકાર ક્રમાંક ૬૨ ૬૩ ૬૪ ૬૫ હૃદ ૬૭ ૬૮ ૬૯ ૭૦ ૭૧ ૭૨ રાત્રિ પહોર જોવાની રીત ૭૩ ૧૪ પૂર્વનો યંત્ર ૭૪ સમ્યક્ પરાક્રમનાં ૭૩ બોલ ૭૫ ૧૪ ૨ાજલોક ૭૬ નારકી ૭૭ ભવનપતિ દેવ ૭૮ વાણવ્યંતર દેવ ૭૯ જ્યોતિષી દેવ ८० ૮૧ ૮૨ ૮૩ નિયંઠા સંજયા (સંજતિ) અષ્ટપ્રવચન 8 બાવન અનાચાર આહારનાં ૧૦૬ દોષ સાધુ સમાચા૨ી અહોરાત્રિની ઘડીઓનો યંત્ર દિન પહોર માપનો યંત્ર વૈમાનિક દેવ સંખ્યાદિ ૨૧ બોલ અર્થાત્ ડાલાપાલા પ્રમાણ નય ભાષા પદ - . . . પૃષ્ઠ ૪૯૦ ૪૯૩ ૪૯૪ ૫૦૬ ૫૧૬ ૫૧૯ ૫૨૨ ૫૨૯ ૫૩૧ ૫૩૨ ૫૩૩ ૫૩૪ ૫૩૬ ૫૩૯ ૫૪૨ ૫૪૬ ૫૫૦ ૫૫૪ ૫૫૯ ૫૬૫ ૫૬૮ ૫૭૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પૃષ્ઠ ૫૮૪ ૦ ૫૮૫ ૨ ૫૮૭ ૨ ૫૮૬ ૫૮૮ ૨ ૫૮૯ - ૫૯૧ - ૫૯૨ ૮૮ ૮૯ ક્રમાંક થોકડાનું નામ ૮૪ ' આયુષ્યનાં ૧૮૦૦ ભાંગા ૮૫ સોપક્રમ નિરૂપક્રમ ' હિયમાણ વરમાણ ૮૭. સોવચય સાવચય ક્રત સંચય દ્રવ્ય (જીવાજીવ) ૯૦ સંસ્થાન દ્વા૨ ૯૧ સંસ્થાનના ભાંગા ખેતાણવાઈ અવઘણાનો અલ્પબદુત્વ ૯૪ ૨૨મ પદ ચ૨માચ૨મ 'જીવ પરિણામ પદ અજીવ પરિણામ પદ ૯૮ 'બાર પ્રકારના તપ ૯૯ રોહા મુનિનાં પ્રશ્નોત્તર ૧૦૦ | દશ પચ્ચક્ખાણ ૧૦૧ કર્મ પ્રવૃતિઓની સ્થિતિ તથા આબાધાકાળ ચભંગી ૯૩ છે પ૯૮ ૬૦૦ ૬૦૩ ૬૦૪ ૬૦૫ ૨ ૬૦૭ ૦ ૬૧૮ = ૬૨૨ = ૬૩૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ 10 સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત) પ્રવૃત્તિ પરિચય સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત શાખા) ની સ્થાપના તા. ૨-૭૧૯૭૮ ના રોજ અમદાવાદ મુકામે કરવામાં આવી હતી. જૈન શાસનના અર્કને પામી જીવનને સાર્થક બનાવવાનો પ્રયત્ન આ મંડળ કરે છે. મંડળને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા છે આગમપ્રેમી સુશ્રાવકરત્ન શ્રી જશવંતભાઈએ, મંડળની વિવિધ પ્રવૃત્તિઓને સાકાર કરવા સહકાર મળ્યો છે સમસ્ત જૈન સમાજ અને શ્રી સંઘોનો. મંડળમાં પ્રાણ પૂર્યા છે પૂ. ગુરુભગવંતો અને સતીવૃંદે, મંડળને વેગ આપ્યો છે ધર્મપ્રેમી, દાનવીર શ્રેષ્ઠિઓએ. મંડળને સફળતાના સોપાન સર કરાવ્યા છે સંચાલકોએ, મંડળને ગતિશીલ રાખ્યું છે તેમના નિષ્ઠાવાન કાર્યકરો અને સભ્યોએ. પરિણામે શાસનસેવાના કાર્યની મહેક ચારે તરફ પ્રસરી છે. આ મહેકથી ખેંચાઈને સોનામાં સુગંધ ભળે તેમ રાજકોટ શ્રી શામજી વેલજી વીરાણી ટ્રસ્ટ અને પ્રેમ જીનાગમ સમિતિ – ઘાટકોપર, મુંબઈએ પોતાનું કાર્ય મંડળને સોંપેલ. કાર્યકરોમાં નવી શ્રદ્ધા જન્મી અને કાર્ય કરવાની નવી ક્ષિતિજો ખૂલી. સુધર્મ પ્રચાર મંડળના મુખ્ય હેતુઓ (૧) સંસ્કાર, જ્ઞાન અને પ્રશિક્ષણ શિબિરો યોજવી. (૨) ચાતુર્માસ દરમ્યાન પૂ. સાધુ સાધ્વીજીથી વંચિત ક્ષેત્રોમાં પર્યુષણ પર્વ દરમ્યાન વ્યાખ્યાતા ભાઈ/બહેનોને મોકલવા તથા તેમને તૈયાર કરવા, વ્યાખ્યાતા સંમેલનો યોજવા. (3) સમગ્ર ભારતમાં જૈનશાળા તથા મહિલા Page #14 -------------------------------------------------------------------------- ________________ મંડળોની શ્રેણી ૧ થી ૧૬ની પરીક્ષાઓ યોજવી. તેના પપરો કાઢવાથી માંડી ચકાસણી આદિની તમામ વ્યવસ્થા મંડળે સંભાળવી. શ્રેણીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક મેળવનારને પારિતોષિક અર્પણ કરવું. (૪) જૈનશાળાના શિક્ષકોના સંમેલનો યોજવા. (૫) જૈનશાળાઓની પ્રગતિ માટે પ્રયત્નો કરવા અને ચેતનવંતી કરવા ઉપાયો યોજવા. (૬) સમાજના ઉત્કર્ષ માટે જીવન ઉપયોગી આગમિક સાહિત્યનું પ્રકાશન કરવું સુધર્મ પ્રચાર મંડળની છેલ્લા ર૦ વર્ષની સિદ્ધિઓ (૧) ત્રીસ જેટલી જ્ઞાનશિબિરોનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું. (૨) દશ પ્રશિક્ષણ શિબિરો યોજીન વ્યાખ્યાતાઓ તયાર કર્યા. (3) દશ સંસ્કાર શિબિરોમાં નાના બાળકોને સંસ્કાર સિંચન કરવામાં આવ્યું. (૪) દર વર્ષે ૩૦ થી ૩૪ ક્ષેત્રોમાં પર્યુષણ પર્વ દરમ્યાન ૮૦ થી ૯૦ જેટલા વ્યાખ્યાતાઓ મોકલી શાસન પ્રભાવના કરાય છે. (૫) જૈનશાળાઓની "સુધર્મશ્રેણી" પરીક્ષાનું આયોજન અને વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ. (૬) છેલ્લા દસ વર્ષથી જૈનશાળાઓના શિક્ષકોનું સંમેલન, તેમનું બહુમાન તથા યોગ્ય પુરસ્કાર દ્વારા પ્રોત્સાહન. (૭) છેલ્લા ચૌદ વર્ષથી ધાર્મિક સાહિત્યનું પ્રકાશન અને જ્ઞાન પ્રચારાર્થે ઓછા દરે વેચાણ. સુધર્મ પ્રચાર મંડળની વર્તમાન પ્રવૃત્તિઓનો પરિચય (૧) પર્યુષણ પર્વ આરાધના : જેનોનાં મહાન પર્વ પષણ દરમ્યાન સાધુ સાધ્વીજીઓથી વંચિત ક્ષેત્રોમાં ધર્મ આરાધના કરાવવા માટે સ્વાધ્યાયી ભાઈ બહેનોને તૈયાર કરી ભારતભરમાં આ મંડળ મોકલે છે. આ સ્વાધ્યાયીઓ પર્વના આઠ દિવસ સુધી પ્રાર્થના, વ્યાખ્યાન, આગમ વાંચન, બપોરની શિબિર, પ્રતિક્રમણ, ધાર્મિક ચર્ચા તથા વિવિધ Page #15 -------------------------------------------------------------------------- ________________ _12 ધાર્મિક સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ ભવ્ય કાર્ય માટે અનંત ઉપકારી પૂ. સાધુ સાધ્વીજીઓ પણ તેમની પાસે ભણતાં વૈરાગી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરી અજોડ સહકાર આપે છે. દરેક સ્વાધ્યાયી નિસ્વાર્થ સેવાનો લાભ લે છે. તેમનું યોગ્ય બહુમાન તથા તેમના આવવા જવાનો ખર્ચ મંડળ કરે છે. (૨) ધાર્મિક જ્ઞાન સુસંસ્કાર શિબિર : શિબિરના માધ્યમથી ૧૨ વર્ષથી ઉપરના બાળકોને દિવાળી તથા ઉનાળાની રજાઓમાં ધર્મનાં સુસંસ્કારોનું સિંચન કરવા છકાય, ૩૫ બોલ, નવ તત્ત્વ, કર્મ પ્રકૃતિ અને સાથેસાથે વિનય, વૈયાવચ્ચ, વિવેક વગેરેનું જ્ઞાન આપવામાં આવે છે. તેમને ભાડું તથા પ્રોત્સાહન આપવામાં આવે છે તથા જીવન સુધારણા માટે ફરીથી શિબિર ભરવા પ્રેરણા આપવામાં આવે છે. (૩) પ્રશિક્ષણ શિબિર - વ્યાખ્યાતા સંમેલન : આ બન્ને આયોજન વર્ષમાં એક કે બે વાર વ્યાખ્યાન વાંચવા જનાર સ્વાધ્યાયીઓને આગમના મુખ્ય થોકડાઓનું જ્ઞાન તથા વ્યાખ્યાન વાંચવાનો અભ્યાસ કરાવવા માટે થાય છે. આયોજન, ભાડા તથા ઈનામોનો સંપૂર્ણ ખર્ચ મંડળવતી અથવા સંઘોના સહકારથી કરવામાં આવે છે. (૪) જૈનશાળા પ્રવૃત્તિ – ઉત્તેજન તથા પ્રોત્સાહન : સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છની જૈનશાળાઓ માટે શ્રેણી ૧ થી ૧૬ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આશરે ૮૦ ક્ષેત્રોમાંથી ૨૨૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને મહિલા મંડળના બહેનો પરીક્ષા વ્યવસ્થાનો લાભ લઈ જીવનને ઉન્નત બનાવવા સઘન પુરુષાર્થ કરે છે. તેમાં દરેક શ્રેણીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને યોગ્ય ઈનામો તથા પ્રમાણપત્ર થી પુરસ્કૃત કરાય છે. (૫) જેનશાળાના શિક્ષકોનું સંમેલન : ધાર્મિક શિક્ષણ આપતા Page #16 -------------------------------------------------------------------------- ________________ 13 અને જૈનશાળાના વિદ્યાર્થીઓને તૈયાર કરતા શિક્ષકોનું ત્રણ દિવસનું એક સંમેલન યોજવામાં આવે છે. જેમાં શિક્ષકોને જ્ઞાનાભ્યાસ કરાવવામાં આવે છે જે તેમની જૈનશાળાઓના ઉત્કર્ષ માટે સહાયક થાય છે. જૈનશાળાઓની પ્રગતિ માટે સૂચનો આપી યોગ્ય બહુમાન કરાય છે. (૬) આગમિક ધાર્મિક સાહિત્યનું પ્રકાશન : આગમનો આધાર લઈ સ્વ પર પ્રકાશક અને શાસનની શાન વધારે તેવા સાહિત્યનું પ્રકાશન કરી મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે વેચવામાં આવે છે. પ્રેમ જિનાગમ સમિતિના પ્રાપ્ય પુસ્તકોનું વિના મૂલ્યે વેચાણ કરવામાં આવે છે. મંડળનાં દરેક ભગીરથ કાર્યમાં સેવા આપવા બદલ મંડળના દરેક સ્વાધ્યાયીઓનો, સહકાર્યકર્તાઓનો, તેમના માતા-પિતા તથા વિડલોનો, પરમ ઉપકારી દરેક પૂ. સાધુ-સાધ્વીજીઓનો, સંઘના કાર્યકર્તાઓનો તેમ જ શિક્ષક ભાઈ બહેનોનો અમે આભાર માનીએ છીએ. અમે સમસ્ત સમાજને આ સાથે આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે સુધર્મ પ્રચાર મંડળના શાસન પ્રભાવનાના આ મહાન કાર્યમાં આપ પણ સાથ સહકાર આપી શાસનની પ્રવૃત્તિને વેગ આપવા મંડળ ના સક્રિય કાર્યકર બની શકો છો. આપના યોગ્ય સૂચન તથા માર્ગદર્શન આપવા આપને નમ વિનંતી છે. G લિ. સુધર્મ પ્રચાર મંડળ વતી, શ્રી જશવંતભાઈ એસ. શાહ – પ્રમુખ શ્રી ભોગીલાલ બગડીયા – ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ લુખી – મંત્રી શ્રી લાલભાઈ કાચવાલા – મંત્રી શ્રી ભદ્રેશભાઈ ડી. શાહ – સંયોજક. Page #17 -------------------------------------------------------------------------- ________________ 14 14: Page #18 -------------------------------------------------------------------------- ________________ 15 Page #19 -------------------------------------------------------------------------- ________________ 16 મંગળ સ્તોત્રમ્ અહંતો ભગવંત ઈન્દ્ર મહિતા, સિદ્ધાશ્વ સિદ્ધિ સ્થિતા, આચાર્યા જિનશાસનોન્નતિકરા, પૂજ્યા ઉપાધ્યાયકા, શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયાયાધકા, પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિન, કુવૈતુ વો મંગલ || ૧ || બાહ્મી, ચંદનબાલિકા, ભગવતી, રાજેમતી દ્રૌપદી, કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા, સીતા, સુભદ્રા, શિવા, કુંતી, શીલવતી, નલક્ષ્યદયિતા, ચૂલા, પ્રભાવિત્યપિ, પદ્માવત્યપિ, સુંદરી પ્રતિદિન, વો મંગલ / ૨ // વીરાઃ સર્વ સુરાસુરેન્દ્ર માહિતો, વીર બુધા સંશ્રીતા, વીરેણાભિહિત કર્મ નિચયો, વીરાય નિત્ય નમઃ, વીરાત્તીર્થમાં પ્રવૃત્તમતુ લ, વીરસ્ય ઘોર તપો, વીરે શ્રી ધૃતિ કીર્તિકાંતિ નિચય, શ્રી વીરભદ્ર દિશ | ૩ || મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ મંગલ સુધર્મ જંબુ, જેને ધર્મોસ્તુ મંગલ . સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે પ્રધાન સર્વ ધર્માણ, જૈન જયતિ શાસનમ ! Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ 'શી નામફાર કુશ નમો અરિહંતાણ, નમો સિદ્ધાણં, નમો આયરિયાણું, નમો ઉવક્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણા (શ્રી નવ તત્ત્વો . વિવેકી સમષ્ટિ જીવોએ નવ તત્ત્વ જેવા છે તેવાં તથારૂપ બુદ્ધિ પ્રમાણે ગુરુ આમન્યાથી ધારવા. તે નવ તત્ત્વનાં નામ કહે છે. ૧. જીવતત્ત્વ, T૨. અજીવતત્ત્વ, T૩. પુણ્યતત્ત્વ, ૪. પાપતિત્વ, T૫. આશ્રવતત્ત્વ, ૬. સંવતત્ત્વ, ૭. નિર્જરાતત્ત્વ, ૮. બંધતત્ત્વ, 1૯. મોહતત્ત્વ. ) ૧. જીવતત્ત્વ: વ્યવહારનયે કરી જે શુભાશુભ કર્મોનો કર્તા, હર્તા તથા ભોક્તા છે અને નિશ્ચયન કરી જ્ઞાન, દર્શન (તથા ચારિત્ર) રૂપ નિજગુણોનો જ ભોક્તા છે અથવા જ્ઞાનોપયોગ લક્ષણવંત, ચેતના સહિત હોય તે. ૨. અજીવતત્ત્વ : જે ચેતનારહિત, જડસ્વભાવવાળું હોય તે. ૩. પુણ્યતત્વ: જેણે કરી શુભ કર્મનાં પુણ્યનો સંચય તથા ઉદય થવાથી સુખનો અનુભવ થાય છે તે. ૪. પાપતત્ત્વ : જેણે કરી અશુભ કર્મનાં પાપનો સંચય તથા ઉદય થવાથી દુઃખનો અનુભવ થાય છે તે. ૫. આશ્રવતત્ત્વ : જેણે કરી નવાં કર્મની આવક થાય છે, શુભા-શુભ કર્મ ઉપાદાનનાં હેતુ હિંસા આદિ તે. ૬. સંવરતત્ત્વ : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી જે આશ્રવ ૧ કરવાવાળો, ૨ નાશ કરવાવાળો, ૩ ભોગવવાવાળો, Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ નિરોધ કરવો તે. ૭. નિર્જરાતત્ત્વ : જેણે કરી આત્મપ્રદેશમાંથી દેશથકી કર્મ જુદાં થાય છે અથવા પૂર્વે કરેલાં કર્મો જે ક્ષય થાય છે, તપ પ્રમુખે કરી દેશ થકી કર્મનું નિર્જરવું તે. ૮. બંધતત્ત્વ: જે નવાં કર્મોનું ગ્રહણ કરીને તેની સાથે જીવનું બંધન થવું, ક્ષીરનીરની પેઠે મળી જવું તે. ૯. મોક્ષતત્ત્વ: જે આત્મપ્રદેશથકી સર્વથા કર્મોનો ક્ષય થવો તે. આ નવતત્ત્વરૂપ વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ જે પ્રમાણે સિદ્ધાંતોને વિષે કહ્યું છે. સમ્યગ્દષ્ટિ જીવોને એ નવતત્ત્વ તે 'જ્ઞ પરિજ્ઞાએ કરી જાણવા યોગ્ય છે અને કેટલાંક 'પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ કરી છાંડવા યોગ્ય છે. એ નવતત્ત્વ માંહેલા જીવ અને અજીવ એ બે તત્ત્વ માત્ર શેય = જાણવા યોગ્ય છે. પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્ત્વ ઉપાદેય = ગ્રહણ કરવા યોગ્ય છે; પાપ, આશ્રવ અને બંધ એ ત્રણ તત્ત્વ તો સર્વથા સર્વને હેય = ત્યાગ કરવા યોગ્ય જ છે. એ નવતત્ત્વનાં નામ કહ્યાં. અન્યથા સંક્ષેપથી તો જીવ, અજીવ એ બે તત્ત્વ જ શ્રી ઠાણાંગમાંહે બીજા ઠાણે કહ્યાં છે, કેમકે જીવને પુણ્ય તથા પાપનો સંભવ છે તથા કર્મનો બંધ પણ તાદાત્મિક છે અને કર્મ જે છે તે પુદ્ગલ પરિણામ છે અને પુદ્ગલ તે અજીવ છે તથા આશ્રવ જે છે તે પણ મિથ્યાદર્શન આદિ રૂપ ઉપાધિએ કરી જીવનો મલિન સ્વભાવ છે. એ પણ આત્માના પ્રદેશ અને પુદ્ગલ વિના બીજો કોઈ નથી તથા સંવર જે છે તે પણ આશ્રવ નિરોધ લક્ષણ દેશ સર્વ ૧ દૂધમાં પાણીની જેમ એકમેક થઈ જવું. ૨ જ્ઞાનથી જાણવું. ૩ એકરૂપ જેવો. - - - Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ ભેદ આત્માનો નિવૃત્તિરૂપ સ્વભાવ પરિણામ જ્ઞાનાત્મક છે તથા નિર્જરા જે છે તે પણ જીવ અને કર્મને પૃથક ઉપજાવવાને કારણે દધિમંથન ન્યાય કરી કર્મનો પરિપાક છે તથા સર્વ શક્તિએ કરી સકલ કર્મ દુઃખનો ક્ષય નવનીતગત દગ્ધ જલ નિર્મળ ધૃત પ્રગટરૂપ દૃષ્ટાંત ચિદાનંદમય આત્માનું પ્રગટ થવું તે મોક્ષ તત્ત્વ છે, તે માટે જીવ અને અજીવ બે તત્ત્વ જ કહીએ તથા અન્યત્ર મતાંતરે સાત તત્ત્વ પણ છે. કેમકે પુણ્ય અને પાપ એ બે તત્ત્વનો અંતરભાવ આશ્રવ તત્ત્વમાં જ થાય છે. કારણ કે જે શુભ પ્રકૃતિ કર્મ બંધ તે પુણ્ય અને અશુભ પ્રકૃતિ કર્મ બંધ તે પાપતત્ત્વ છે. માટે પુણ્ય પાપ રહિત સાત તત્ત્વ કહીએ. તેમ જ વળી પાંચ તત્ત્વ પણ કહ્યાં છે. ઇત્યાદિક ઘણો વિસ્તાર વિશેષાવશ્યક, તત્ત્વાર્થ સૂત્ર અને લોક પ્રકાશાદિ ગ્રંથો થકી જાણવો. નવતત્ત્વના રૂપી, અરૂપી ભેદોની સંખ્યાનો તથા હય, જ્ઞય અને ઉપાદેયનો કોઠો નીચે પ્રમાણે છે. શેય તો નવ તત્ત્વ છે. ક્રમ તત્ત્વ | રૂપી ભેદ | અરૂપી ભેદ | હેય, શેય, ઉપાદેય) ૧ | જીવ | ૧૪ | સિદ્ધ ! ૨ | અજીવ ૧૦ ૩ | પુણ્ય ઉપાદેય, હેય ૪ { પાપ ૮૨ ૫] આશ્રવ ૦ હેય ૬ | સંવ૨ ઉપાદેય ૭નિર્જરા ઉપાદેય | ૮ | બધ | ૪ | ૦ | ૯ | મોક્ષ ઉપાદેય T જોય ૪ ૪૨ O હિમ | પ૭ ૧ ૨. || 0 | જ | 0 | 0 | 0 | નવનીત . ધૂત = માખણ માં રહેલ પાણીનો અંશ બાળી નિર્મળ ઘી પ્રગટ કરવારૂપ. Page #23 -------------------------------------------------------------------------- ________________ [૪][ી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧ જીવ તત્ત્વITH ચંતન્ય લક્ષણ ક, સદા ઉપયોગી, અસંખ્યાત પ્રદેશી, સુખદુ:ખનો જાણ, સુખદુઃખનો વેદક, અરૂપી હોય તેને જીવ તત્ત્વ કહીએ. જીવના ભેદો વિસ્તારથી કહે છે. જીવનો એક ભેદ છે, સકળ જીવોનું ચૈતન્ય લક્ષણ એક જ પ્રકારે છે તે માટે સંગ્રહાયે કરીને એક ભેદે જીવ કહીએ. બે ભેદે જીવ ૧ ત્રસ, ૨ સ્થાવર તથા ૧ સિદ્ધ, ૨ સંસારી. ત્રણ ભેદે જીવ ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ, ૩ નપુંસકવેદ તથા ૧ ભવ સિદ્ધિયા', ૨ અભવસિદ્ધિયાર, ૩ નો ભવસિદ્ધિયા નોઅભવસિદ્ધિયાર ચાર ભેદે જીવ ૧ નારકી, ર તિર્યંચ ૩ મનુષ્ય, ૪ દેવ તથા ૧ ચક્ષુદર્શની, ૨ અચક્ષુદર્શની, ૩ અવધિદર્શની, ૪ કેવળદર્શની. પાંચ ભેદે જીવ ૧ એકેન્દ્રિય, ૨ બેઇન્દ્રિય, 3 તે ઇન્દ્રિય, ૪ ચૌરેન્દ્રિય, પ પંચેન્દ્રિય તથા ૧ સજોગી, ર મનજોગી, ૩ વચનજોગી, ૪ કાયજોગી, ૫ અજોગી. છ ભેદે જીવ ૧ પૃથ્વીકાય,૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય તથા ૧ સકષાયી, ૨ ક્રોધકષાયી, ૩ માનકષાયી, ૪ માયાકષાયી, ૫ લોભકષાયી, ૬ અકષાયી. સાત ભેદે જીવ ૧ નારકી, ર તિર્યંચ, ૩ તિર્યંચાણી, ૪ મનુષ્ય, ૫ મનુયાણી, ૬ દેવ, ૭ દેવી. આઠ ભેદે જીવ ૧ સલેશી, રે કૃષ્ણલેશી, ૩ નીલલેશી, - જેમ ગોળનો ગુણ મીઠાશ તેમ જીવન ગુણ ચૈતન્ય. જેમ ગોળ અને મીઠાશ એક તેમ જીવ અને ચૈતન્ય એક. ૧ મોક્ષ પામવાની લાયકાતવાળા. ૨ મોક્ષ પામવાની લાયકાત વગરના. ૩ સિદ્ધ ભગવાન. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ ૪ કાપતલેશી, પ તેજોશી, ૬ પદ્મલેશી, ૭ શુક્લલશી, ૮ અલેશી. નવ ભેદે જીવ ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, પવનસ્પતિકાય, ૬ બેઇન્દ્રિય, ૭ તે ઇન્દ્રિય, ૮ ચૌરેન્દ્રિય, ૯ પંચેન્દ્રિય. દશ ભેદે જીવ ૧ એકેન્દ્રિય, ર બેઇન્દ્રિય, ૩ તે ઇન્દ્રિય, ૪ ચૌરેન્દ્રિય, પ પંચેન્દ્રિય, એ પાંચનાં અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી દશ. અગિયાર ભેદે જીવ ૧ એકેન્દ્રિય, ર બેઇન્દ્રિય, ૩ ઇન્દ્રિય, ૪ ચૌરેન્દ્રિય, પ નારકી, ૬ તિર્યંચ, ૭ મનુષ્ય, ૮ ભવનપતિ, ૯ વાણવ્યંતર, ૧૦ જ્યોતિષી, ૧૧ વૈમાનિક, બાર ભેદે જીવ ૧ પૃથ્વીકાય,૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય, એ છના અપર્યાપ્તા અને પર્યાપ્તા. તેર ભેદે જીવ ૧ કૃષ્ણલેશી, ૨ નીલલેશી, ૩ કાપોતલેશી, ૪ તેજોલેશી, ૫ પાલેશી, ૬ શુક્લલશી, એ છના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી બાર ને એક અલેશી મળી કુલ તેર. / જીવના ચૌદ ભેદ – ૧ સૂક્ષ્મ એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ર સૂક્ષ્મ એકેન્દ્રિયનો પર્યાયો, ૩ બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ૪ બાદર એકેન્દ્રિયનો પર્યાપ્ત, પ બેઇન્દ્રિયનો અપર્યાપ્તો, ૬ બેઇન્દ્રિયનો પર્યાયો, ૭ ઇન્દ્રિયનો અપર્યાપ્તો, ૮ તે ઇન્દ્રિયને પર્યાપ્તો, ૯ ચૌરેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૦ ચૌરેન્દ્રિયનો પર્યાપ્તો, ૧૧ અસંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૨, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત, ૧૩, સંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૪, સંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાપ્તો. વ્યવહાર વિસ્તારનવે કરીને જીવના પ૬૩ ભેદ છે. નારકીના ૧૪, તિર્યંચના ૪૮, મનુષ્યના ૩૦૩ અને દેવના ૧૯૮ ભેદ છે. નારકીના ૧૪ ભેદ કહે છે સાત નરકનાં નામ – ૧ ઘમા, ર વંશા, ૩ શિલા ૪ અંજણા, Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ રિકા, ૬ મઘા, ૭ માઘવઇ. હવે તેના ગોત્ર કહે છે. ૧ રત્નપ્રભા, ૨. શર્કરા પ્રભા, ૩ વાલુપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમ્રપ્રભા, ૬ તમપ્રભા ૭ તમસ્તમwભા. એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૧૪ ભેદ નારકીના કહ્યાં. નરકનો વિસ્તાર કહે છે - પહેલી નરકનો પિંડ ૧,૮૦,000 જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૭૮,૦૦૦ જજનની પોલાણ છે. તે પોલાણમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. તે આંતરામાં ઉપરના બે છોડી નીચેના ૧૦ આંતરામાં ભવનપતિ દેવો રહે છે. ૧૩ પાથડા મધ્ય ૩૦ લાખ નરકાવાસા છે. અસંખ્યાતી નારકીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે ચાર બોલ છે. (૧) ૨૦,000 જોજનનો ઘનોદધિ છે, (૨) અસંખ્યાતા જોજનનો ઘનવા છે, (૩) અસંખ્યાતા જોજનનો તનવા છે. (૪) અસંખ્યાતા જોજનનો આકાશ છે. તેની નીચે બીજી નરક છે. બીજી નરકનો પિંડ ૧,૩૨,૦૦૦ જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૩૦,000 જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૧૧ પાથડા અને ૧૦ આંતરા છે. તે પાથડા મળે ૨૫ લાખ નરકાવાસા છે. ૧૦ આંતરા ખાલી છે. અસંખ્યાતી નારકીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે પહેલી નરકમાં કહ્યા તે જ ચાર ૧ તે બીલ્ડીંગમાંના માળના પોલા સ્લેબ સમાન, ભાગ કરનારા. ૨ વચ્ચેની ખાલી જગ્યા. ૩ નક્કર પાણી, બરફ જેવું. ૪ નક્કર થઈ ગયેલો વાયુ. ૫ પાતળો થઈ ગયેલો વાયુ. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ બોલ છે. તેની નીચે ત્રીજી નરક છે. ત્રીજી નરકનો પિંડ ૧,૨૮,OOO જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૨૬,000 જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૯ પાથડા અને ૮ આંતરા છે. તે પાથડા મધ્યે ૧૫ લાખ નરકાવાસા છે. ૮ આંતરા ખાલી છે. અસંખ્યાતી નારીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બોલે છે. તેની નીચે ચોથી નરક છે. ચોથી નરકનો પિંડ ૧,૨૦,000 જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૧૮,૦૦૦ જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૭ પાથડા અને ૬ આંતરા છે. તે પાથડા મધ્યે ૧૦ લાખ નરકાવાસા છે. ૬ આંતરા ખાલી છે. અસંખ્યાતી નારકીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બોલે છે. તેની નીચે પાંચમી નરક છે. પાંચમી નરકનો પિંડ ૧,૧૮,૦૦૦ જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૧૬,૦૦૦ જોજનની પોલાણ છે. તે પોલાણમાં એ પાથડા અને ૪ આંતરા છે. તે પાથડા મળે ૩ લાખ નરકાવાસા છે. ૪ આંતરા ખાલી છે. અસંખ્યાતી નારકીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બોલ છે. તેની નીચે છઠ્ઠી નરક છે. છઠ્ઠી નરકનો પિંડ ૧,૧૬,૦૦૦ જજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ મૂકીએ તેની વચ્ચે ૧,૧૪,૦૦૦ જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૩ પાથડા અને ૨ આંત૨ા છે. તે પાથડા મધ્યે ૧ લાખમાં પાંચ ઓછા (૯૯,૯૯૫) ન૨કાવાસા છે. ૨ આંત૨ા ખાલી છે. અસંખ્યાતી ના૨કીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા ના૨કી છે. તેની નીચે ઉ૫૨ કહેલા ચાર બોલ છે. તેની નીચે સાતમી ન૨ક છે. સાતમી ન૨કનો પિંડ ૧,૦૮,૦૦૦ જોજનનો છે. તેમાંથી ૫૨,૫૦૦ જોજનનો દળ ઉપ૨ મૂકીએ ને ૫૨,૫૦૦ જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૩,૦૦૦ જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૧ પાથડો છે , આંતરું નથી. તે પાથડા મધ્યે પાંચ ન૨કાવાસા છે. અસંખ્યાતી ના૨કીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા ના૨કી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બોલ છે. તેની નીચે અનંતો અલોક છે. ૪૮ ભેદ તિર્યંચના કહે છે. એકેન્દ્રિય (સ્થાવ૨) તિર્યંચના ૨૨ ભેદ ૧. પૃથ્વીકાયના સૂક્ષ્મ, બાદ૨, તેના અપર્યામા, પર્યાપ્તા ૨. અપકાયના સૂક્ષ્મ, બાદર, તેના અપર્યાપ્તા, પર્યાપ્તા ૩. તેઉકાયના સૂક્ષ્મ, બાદર, તેના અપર્યાપ્તા, પર્યામા ૪. વાઉકાયના સૂક્ષ્મ, બાદ૨, તેના અપર્યાપ્તા, પર્યામા ૫. વનસ્પતિકાયના સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ એ ત્રણેના અપર્યામા, પર્યામા ૧. બેઇન્દ્રિય, ૨. તેઇન્દ્રિય, ૩. ચૌરેન્દ્રિય એ ત્રણના અપર્યાપ્તા, પર્યાપ્તા મળીને વિકલેન્દ્રિય તિર્યંચના ૩×૨ ભેદ )૬ તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદ ૧. જળચ૨ના ગર્ભજ, સંમૂર્ચ્છિમ તેના અપર્યામા, પર્યામા ૨. સ્થળચરના ગર્ભજ, સંમૂર્ચ્છિમ તેના અપર્યા., પર્યામા ૪ ܡ + ૪ + ૪ + ૪ + ૬ ૪ + ૪ ܡ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ ૯ + ૪ ૩. ઉ૨પરિસર્પના ગર્ભજ, સંમૂર્ચ્છિમ તેના અપર્યા., પર્યા. ૪. ભુજપરિસર્પના ગર્ભજ, સંમૂર્ચ્છમ તેના અપર્યા., પર્યા. + ૪ ૫. ખેચ૨ના ગર્ભજ, સંમૂર્છિમ તેના અપર્યામા, પર્યાપ્તા + ૪ ૪૮ તિર્યંચના કુલ ભેદ ૨૨ + ૬ + ૨૦ = મનુષ્યના ૩૦૩ ભેદનો વિસ્તાર કહે છે. ૧૫ કર્મભૂમિના મનુષ્ય, ૩૦ અકર્મભૂમિના મનુષ્ય, પદ અંત૨દ્વીપનાં મનુષ્ય એમ ૧૦૧ થાય. તે ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તા તથા પર્યાષ્ઠા એમ ૨૦૨ અને ૧૦૧ ક્ષેત્રના સંમૂર્છિમ મનુષ્યના અપર્યાપ્તા એ સર્વ મળી કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થાય. ૫ કર્મભૂમિ તે કોને કહીએ ? ૧ અસિ (શસ્ત્ર ચલાવવા), ૨ મિસ (કલમ ચલાવવી, વ્યાપા૨ ક૨વો), ૩ કૃષિ (ખેતી ક૨વી), એ ત્રણ પ્રકારના વેપા૨ે કરી જીવે તે. તે કર્મભૂમિના ક્ષેત્ર કેટલા અને ક્યાં છે ? તે કહે છે. ૫ ભરત, ૫ ઈ૨વત અને ૫ મહાવિદેહ એ ૧૫. તે એક લાખ જોજનનો જંબુદ્વીપ છ. (તે થાળીના આકારે છે તથા બાકીના દ્વીપ સમુદ્ર ચૂડીને આકારે છે.) તેમાં ૧ ભરત, ૧ ઈ૨વત અને ૧ મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર કર્મભૂમિનાં જંબુદ્વીપમાં છે તેને ફરતો બે લાખ જોજનનો લવણસમુદ્ર છે, તેને ફરતો ચાર લાખ જોજનનો ધાતકીખંડ દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઈ૨વત અને ૨ મહાવિદેહ છે, તેને ફરતો આઠ લાખ જોજનનો કાળોધિ સમુદ્ર છે, તેને ફરતો આઠ લાખ જોજનનો અર્ધ પુષ્કર દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઈ૨વત અને ૨ મહાવિદેહ છે. એમ સઘળાં મળીને કુલ પંદર કર્મભૂમિના મનુષ્ય છે.. અકર્મભૂમિ તે કોને કહીએ ? ત્રણ કર્મ – વ્યાપારરહિત, દશ પ્રકારનાં કલ્પવૃક્ષે ક૨ી જીવે તે કેટલાં અને ક્યાં છે ? તે કહે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૫ હેમવય, પ હિરણવય, ૫ હરિયાસ, ૫ રમ્યફવાસ, ૫ દેવકુરૂ, ૫ ઉત્તરકુરૂ, એ ત્રીશ અકર્મભૂમિનાં નામ કહ્યાં. ૧ હેમવય, ૧ હિરણવય, ૧ હરિવાસ, ૧ રમ્યફવાસ, ૧ દેવકુરૂ, ૧ ઉત્તરકુરૂ, એ છ ક્ષેત્ર જંબુદ્વીપમાં, ૨ હેમવય, ૨ હિરણવય, ૨ હરિવાસ, ૨ રમ્યફવાસ, ર દેવકુરૂ, ૨ ઉત્તરકુરૂ, એ ૧૨ ક્ષેત્ર ધાતકીખંડ દ્વીપમાં અને ર હેમવય, ૨ હિરણવય, ૨ હરિવાસ, ૨ રમ્યફવાસ, ૨ દેવકુરૂ, ૨ ઉત્તરકુરૂ, એ ૧૨ ક્ષેત્ર અધપુષ્કર દ્વીપમાં છે. એ સઘળાં મળી કુલ ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય કહ્યાં. છપ્પન ભેદે અંતરદ્વીપનાં મનુષ્ય કહે છે. જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની મર્યાદાનો કરણહાર ચુલ હિમવંત નામે પર્વત છે. તે સોના જેવો પીળો છે, સો જોજનનો ઊંચો છે, સો ગાઉનો ઊંડો છે, એક હજાર બાવન જોજનને બાર કળાનો પહોળો છે, ચોવીસ હજાર નવસો બત્રીસ જોજનનો લાંબો છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે ચુલહિમવંત પર્વતની બન્ને બાજુએથી લવણસમુદ્રમાં આંતરે આંતરે ૭ દ્વીપો આવેલા છે. સાતમા અંતરદ્વીપનો છેડો ચલહિમવંત પર્વતના છેડાથી ૮,૪00 યોજન દૂર આવેલો છે. આ રીતે એક પર્વતના ચાર છેડે સાત સાત આંતરે આંતરે દ્વીપો છે. કુલ ૨૮ દ્વીપો છે. બધા દ્વીપ સ્વતંત્ર છે અને જોડાયેલા નથી. તે અંતરદ્વીપ ક્યાં છે? તે કહે છે. જગતના કોટથકી ૩૦૦ જોજન લવણસમુદ્રમાં જઈએ ત્યારે પહેલો અંતરદ્વીપ આવે; તે ૩00 જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૪૦૦ જોજન જઈએ ત્યારે બીજો અંતરદ્વીપ આવે; તે ૪૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૫૦૦ જોજન જઈએ ત્યારે ત્રીજો અંતરદ્વીપ આવે; તે પ00 જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૬૦૦ જોજન જઈએ ત્યારે ચોથો અંતરદ્વીપ આવે; તે ૬૦૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૭00 જોજન જઈએ ત્યારે - પાંચમો અંતરદ્વીપ આવે; તે ૭૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૮) જોજન જઈએ ત્યારે છ અંતરદ્વીપ આવે; તે ૮૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૯00 જોજન જઈએ ત્યારે સાતમો અંતરદ્વીપ આવે; તે ૯૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. એમ બન્ને બાજુ સાત સાત અંતરદ્વીપ આવે, કુલ ચાર તરફ મળી ૨૮ અંતરદ્વીપ જાણવા. આવી જ રીતે ઇરવત ક્ષેત્રની મર્યાદાનો કરણહાર શિખરી નામે પર્વત છે, તે ચુલ હિમવંત સરખો જ જાણવો. ત્યાં પણ ૨૮ અંતરદ્વીપ છે એમ સઘળા મળી કુલ પ૬ અંતરદ્વીપ જાણવા. તેને અંતરદ્વીપનાં મનુષ્ય શા માટે કહીએ ? સમુદ્રની મધ્યમાં દ્વીપોમાં રહેનારા છે માટે અંતરદ્વીપનાં મનુષ્ય કહીએ. સુખ અકર્મભૂમિના જેવું જાણવું. ૧૦૧ ક્ષેત્રનાં સંમુશ્કેિમ મનુષ્ય, ૧૦૧ ગર્ભજ મનુષ્યોની અશુચિના ૧૪ સ્થાનમાં ઉપજે છે. (તે સ્થાન પ્રતિક્રમણના ૧૪ સંમૂર્છાિમના પાઠ પ્રમાણે જાણવા.) દેવના ૧૯૮ ભેદ કહે છે. ૧૦ ભવનપતિનાં નામ :- ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિધુતકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશાકુમાર, ૯ વાયુ (પવન) કુમાર, ૧૦ સ્વનિતકુમાર. ૧૫ પરમાધામીનાં નામ :– ૧ અંબ, ૨ અંબરિસ, ૩ સામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વૈરૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧પ મહાઘોષ. ૧૬ વાણવ્યંતરનાં નામ :- ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, પકિન્નર, ૬ જિંપુરુષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ, ૯ આણપત્રી, ૧૦ પાણ પત્રી, ૧૧ ઇસીવાઈ, ૧૨ ભુ ઈવાઈ, ૧૩ કંદીય, ૧૪ મહામંદિય, ૧૫ કોહંડ, ૧૬ પયંગદેવ. ૧૦ જભકાના નામ :- ૧. આણ જjભકા, ૨ પાણજjભકા, ૩ લયણજભકા, ૪ સયણજjભકા, ૫ વત્થજર્જુભકા, ૬ પુષ્પજjભકા, ૭ ફળજભકા, ૮ બીજાંભકા, ૯ વિજુભકા, ૧૦ અવિયતજભકા. * ૧૦ જ્યોતિષીનાં નામ – ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા, એ પાંચ ચર (ફરતાં) તે અઢીદ્વીપમાં છે અને એ જ નામના બીજા પાંચ સ્થિર તે અઢીદ્વીપ બહાર છે, એમ કુલ ૧૦ ભેદ. * ૧ કિલ્વિષીનાં નામ – ૧ ત્રણ પલીયા, ૨ ત્રણ સાગરીયા, ૩ તેર સાગરીયા. ૯ લોકાંતિકનાં નામ :– ૧ સારસ્વત, ર આદિત્ય, ૩ વન્ડિ, ૪ વરૂણ, ૫ ગઈતોયા, ૬ તોષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગિચ્યા, ૯ રિઠા. ૧૨ દેવલોકનાં નામ:– ૧ સુધર્મા, ૨ ઇશાન, ૩ સનતકુમાર, ૪ માહેંદ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, ૭ મહાશુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આણત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અય્યત. ૯ રૈવેયકનાં નામ – ૧ ભદે, ૨ સુભદું, ૩ સુજાએ, જસુમાણસે, ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણે, ૭ આમોહે, ૮ સુપડિબદ્ધ, ૯ જશોધરે. ૫ અનુત્તર વિમાનનાં નામ – ૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, પ સર્વાર્થસિદ્ધ. આમ ૧ ૧૫+૧૬+૧+૧ +૯+૧+૯+૫ = ૯૯ દેવના અપર્યાપ્તા અને પર્યાપા કુલ મળીને ૧૯૮ ભેદ કહ્યાં. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ - જીવનું લક્ષણ કહે છે. શાન તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન સમ્યક્ત્વ આશ્રી કહ્યા છે. તેની સાથે મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વ આશ્રી છે. તે લેતાં આઠની સંખ્યા થાય છે. એમાનું ગમે તે એક અથવા અધિક જ્ઞાન અથવા અજ્ઞાન જેમાં હોય. વળી દર્શન તે ચક્ષુ, અચકું, અવધિ તથા કેવળ, એ ચાર પ્રકારનાં દર્શનમાંનું ગમે તે એક અથવા અધિક દર્શન જેમાં હોય, તથા ચારિત્ર તે સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસંપ રાય, યથાખ્યાત, દેશવિરતિ તથા અવિરતિ એ સાત પ્રકારના ચારિત્ર કે અચારિત્રમાંથી એક હોય તથા તપ બે પ્રકારનું કહ્યું છે એક બાહ્ય તેના ૬ ભેદ, બીજું આત્યંતર તેના ૬ ભેદ, એમાનું ગમે તે એક અથવા અધિક તપ જેમાં હોય, તેમ જ કરણ તથા લબ્ધિરૂપ અથવા બળ પરાક્રમરૂપ એ બે પ્રકારના વીર્યમાંનું ગમે તે એક અથવા વધારે જેમાં હોય તથા ઉપયોગ તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન તથા ચાર દર્શન એ બાર પ્રકારના સાકાર તથા નિરાકારરૂપ ઉપયોગમાંનો ગમે તે એક અથવા વધારે ઉપયોગ જેમાં હોય, તેને સંસારી જીવ કહીએ. માત્ર જ્ઞાન, દર્શન ગુણ હોય તેને સિદ્ધ જીવ કહીએ. એ ગુણ જીવ વિના બીજા કોઈમાં હોય નહિ. એ જીવનું લક્ષણ જાણવું. ઇતિ જીવતત્ત્વ. FE ૨ અજીવ તત્ત્વ જડ લક્ષણ, ચૈતન્ય રહિત હોય તેને અજીવ તત્ત્વ કહીએ. અજીવતત્ત્વના ૧૪ ભેદ કહે છે :– ૧ ધર્માસ્તિકાયનો સ્કંધ, ૨ દેશ, ૩ પ્રદેશ, ૪ અધર્માસ્તિકાયનો સ્કંધ, ૫ દેશ, ૬ પ્રદેશ, ૭ આકાશાસ્તિકાયનો સ્કંધ, ૮ દેશ, ૯ પ્રદેશ, ૧૦ અદ્ધાસમયકાળ. એ ૧૦ અરૂપી અજીવના ભેદ કહ્યાં. ચાર ભેદ રૂપી અજીવના તે Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૧ પુદ્ગલાસ્તિકાયને સ્કંધ, ૧૨ દેશ, ૧૩ પ્રદેશ ૧૪ પરમાણુ પુદ્ગલ. (ભગવતી શતક ૨, ઉ. ૧૦) વ્યવહાર વિસ્તાર નયે કરી પ૬૦ ભેદ અજીવ તત્ત્વના કહે છે. ધર્માસ્તિકાયના પાંચ : ૧ ધર્માસ્તિકાય દ્રવ્યથકી એક, ર ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, ૩ કાળથકી અનાદિઅનંત, ૪ ભાવથકી અવર્ષે, સ્કંધ, દેશ – પ્રદેશની સમજણ પ્રદેશના સમૂહને અસ્તિકાય કહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોક વ્યાપક અને આકાશાસ્તિકાય લોકાલોક વ્યાપક છે. એ ત્રણે સંપૂર્ણ દ્રવ્યોને સ્કંધ કહેવાય છે. તેથી કાંઈક ઓછો હોય તેને દેશ કહે છે. તેનો નિર્વિભાજ્ય, અવિભાજ્ય ભાગ હોય તે પ્રદેશ કહેવાય છે. ચાર દ્રવ્યોની દૃષ્ટાંતથી સમજણ ૧. જેમ માછલાંને ગતિ કરતાં પાણીનો આધાર અને પાંગળાને લાકડીનો આધાર તેમ જીવ પૂગલને ગતિ પરિણમ્યાને ધર્માસ્તિકાયનો આધાર. ૨. જેમ ઉષ્ણ કાળે તૃષાએ પીડિત પંખીને વૃક્ષની છાયાનો આધાર તેમ સ્થિત પરિણમ્યા જીવ, પુગલને અધર્માસ્તિકાયનો આધાર. ૩. જેમ ઓરડામાં એક દીવાની જ્યોતની પ્રભા પણ સમાય છે અને હજાર દીવાની પ્રભા પણ સમાય. અથવા ભીંતમાં ખીલો પેસે તેનું કારા: આકાશની અવગાહના (જગ્યા) દાન શક્તિ છે. ૪. જેમ કોઈક બાળક જન્મ્યો હોય, તે બાલ્યાવસ્થાવાળો થાય, પછી યુવાન થાય. પછી વૃદ્ધ થાય. જો કે જીવ તો સદાય સરખો છે, પણ બાળ, યુવાન તથા વૃદ્ધાવસ્થાનો કરનાર કાળ છે. પુદ્ગલદ્રવ્યનું પાધિક લક્ષણ કહે છે સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારમાં ગમે તે પ્રકારનો શબ્દ. અંધકાર તથા રત્ન પ્રમુખનો પકાશ તથા ચંદ્રમા પ્રમુખની જ્યોતિ તથા છાયા અને સૂર્ય પ્રમુખનો આતાપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એવા ગુણોવાળો Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ અગંધ, અરસે, અફાસે, અમૂર્તિ (અરૂપી), ૫ ગુણથકી ચલણ સહાય. અધર્માસ્તિકાયના પાંચ : ૬ અધર્માસ્તિકાય દ્રવ્યથકી એક, ૭ ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, ૮ કાળથકી અનાદિઅનંત, ૯ ભાવથકી અવર્ણ, હોય અને જે ચૌદ રાજલોકમાં વ્યાપક, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ તથા અનંત પ્રદેશનો પૂરણ, ગલન સ્વભાવવાન એવા પુદ્ગલના અખંડ દ્રવ્યરૂપ આખા પદાર્થને અથવા અનંતાદિ પરમાણુના મળેલા સમૂહને સ્કંધ કહે છે. સ્કંધનો કેટલોક ભાગ જેનો સ્કંધની સાથે સંબંધ હોય તેને દેશ કહે છે. જેની સ્કંધની સાથે નિર્વિભાજ્ય કલ્પના કરવા છતાં જેનો સ્કંધની સાથે અભિન્ન સંબંધ હોય તેને પ્રદેશ કહે છે. અને તે જ પ્રદેશ જો સ્કંધથી ભિન્ન થાય એવો નિવિભાજ્ય ભાગ એટલે જેના કેવળીની દ્રષ્ટિએ એક ભાગના બે ભાગ થઈ શકે નહિ તેને પરમાણુ કહે છે. એ પુદ્ગલોનું નિશ્ચયપણે લક્ષણ છે. કાળદ્રવ્યના ભેદ દર્શાવે છે. એક ક્રોડ સડસઠ લાખ, સત્યોતે ર હજાર, બસો સોળ (૧,૬૭,૭૭,૨૧૬) આવલિકા એક મુહૂર્તમાં થાય છે. એનો ભાવાર્થ કહે છે. આંખના એક સ્કૂરણમાં અથવા એક ચપટી વગાડવામાં યા જીર્ણ વસ્ત્ર ફાડવાના વખતે એક તંતુથી બીજા તંતુએ જાય, તથા કમળના પાંદડાંના સમૂહને યુવાન પુરુષ ભાલા વડે વીંધતાં એક પાંદડેથી બીજા પાંદડે ભાલો પહોંચે એટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય. એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડવાના આરંભમાં સૂક્ષ્માત સૂક્ષ્મ ક્ષણરૂપ જે કાળ હોય છે, જેનો વિભાગ થઈ શકે નહિ, જેનો ભૂત અને ભવિષ્ય વિષે વિચાર થાય નહિ, એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડતાં પ્રથમ વર્તમાન કાળરૂપે અતિ સૂક્ષ્મ કાળનું ઉલ્લંઘન થઈને તે ક્યારે ભૂતકાળ થયો ? કયો વર્તમાન કાળ છે ? અને કયો ભવિષ્યકાળ થવા યોગ્ય છે ? તેનું અનુમાન થઈ શકે નહિ. તેને સર્વ લઘુ કાળરૂપ સમય કહે છે. એવા અસંખ્યાતા સમયને આવલિકા કહે છે. એવી ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લક ભવ હોય છે. એ કરતાં બીજા કોઈપણ નાના ભવની કલ્પના થઈ શકે નહિ. એવા કાંઈક અધિક સત્તર (૧૭) Page #35 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ) શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ અગંધ, અરસે, અફાસે, અમૂર્તિ (અરૂપી), ૧૦ ગુણ થકી સ્થિરસહાય. આકાશાસ્તિકાયના પાંચ : ૧૧ આકાશાસ્તિકાય દ્રવ્યથકી એક, ૧૨ ક્ષેત્રથકી લોકાલોક પ્રમાણે, ૧૩ કાળથકી અનાદિઅનંત, ૧૪ ભાવથકી અવર્ણ, અગધે, અરસે, અફાસે, અમૂર્તિ (અરૂપી), ૧૫ ગુણ થકી અવગાહનાદાન. કાળના પાંચ : ૧૬ કાળ દ્રવ્યથકી અનંત, ૧૭ ક્ષેત્રથકી ક્ષુલ્લકભવમાં એક શ્વાસોશ્વાસરૂપ પાણની ઉત્પત્તિ હોય છે. એવા સાત પ્રાણોત્પત્તિ કાળને એક સ્તોક કહે છે. એવા સાત સ્તોક સમયે એક લવ થાય છે. સત્યોતેર (૭૭) લવે બે ઘડીરૂપ એક મુહૂર્ત થાય છે. ત્રીશ મુહૂર્ત એક અહોરાત્ર રૂપ દિવસ થાય છે, પંદર અહોરાત્રિએ પખવાડિયું થાય છે, બે પખવાડિયે એક મહિનો થાય છે, બાર મહિને એક વર્ષ થાય છે, તેમજ અસંખ્યાતા વર્ષે એક પલ્યોપમ થાય છે. તેવા દશ ક્રોડાક્રોડી પલ્યોપમે ૧ સાગરોપમ થાય છે. તેવા દશ ક્રોડાક્રોડી સાગરોપમે ૧ ઉત્સર્પિણી અને બીજા દશ ક્રોડાકોડી સાગરોપમ ૧ અવસર્પિણી થાય. એવા અનંત કાળચક્રે એક પુદ્ગલ પરાવર્તન થાય. એ સર્વ મનુષ્યલોકમાં વ્યવહારથી કાળ જાણવો. પૂર્વોક્ત કાળના જે ભેદ કહ્યાં તેથી વળી બીજા પણ કાળના ભેદ ઘણા છે. જેમકે બે માસે એક ઋતુ થાય છે. ત્રણ ઋતુએ એક અયન, બે અયને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, ચોરાશી લાખ વર્ષે એક પૂર્વાગ, તે એક પૂર્વાગને ચોરાશી લાખે ગુણતા એક પૂર્વ થાય છે. ૧ પૂર્વ = ૭૦,૫૬૦ અબજ વર્ષ. વ્યવહાર કાળ તો અઢીદ્વીપમાં ચંદ્ર સૂર્ય ચાલે છે તેથી સમય, ઘડી, પ્રહર વાવ+સાગરોપમ સુધી ગણાય છે. અઢીદ્વીપની બહાર ચંદ્ર, સૂર્ય સ્થિર છે. તેથી ત્યાં રાત્રી, દિવસ વિ. કાંઈ નથી. નરક અને દેવલોકમાં પણ રાત દિવસ નથી. માટે અઢીદ્વીપની બહાર સર્વ સ્થળે કાળનું પરિમાણ નથી. છતાં અઢીદીપનાં કાળની ગણતરી પ્રમાણે જીવ વિ. ની દરેક જગ્યાએ સ્થિતિ બતાવી છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ અઢીદ્વીપ પ્રમાણે, ૧૮ કાળથકી અનાદિઅનંત, ૧૯ ભાવથકી અવર્ણ, અગંધ, અરસે, અફાસે, અમૂર્તિ (અરૂપી), ૨૦ ગુણ થકી વર્તના લક્ષણ. એ ૨૦ અને ઉપર જે અરૂપી અજીવના ૧૦ ભેદ કહ્યા તે મળી કુલ ૩૦ ભેદ અરૂપી અજીવના જાણવા. ૫૩૦ ભેદ રૂપી અજીવના કહે છે. તેમાં વર્ણ પાંચ – ૧ કાળો, ર નીલો, ૩ રાતો, ૪ પીળો, ૫ ધોળો. એકેકા વર્ણમાં વીશ વીશ ભેદ લાભે, તે ૨ ગંધ, પ રસ, પ સંઠાણ, ૮ સ્પર્શ. તેથી ૫ X ૨૦ = ૧૦૦ ભેદ. ગંધ બે – ૧ સુરભિગંધ, ૨ દુરભિગંધ. એકેકી ગંધમાં ૨૩, ૨૩ ભેદ લાભે, તે પ વર્ણ, પ રસ, ૫ સંઠાણ, ૮ સ્પર્શ. તેથી ૨ ૪ ૨૩ = ૪૬ ભેદ. રસ પાંચ – ૧ તીખો, ૨ કડવો, ૩ કસાયેલો, ૪ ખાટો, ૫ મીઠો. એકેકા રસમાં વીશ વીશ ભેદ લાભે, તે ૫ વર્ણ, ૨ ગંધ, પ સંહાણ, ૮ સ્પર્શ. તેથી ૫ x ૩૦ = ૧૦૦ ભેદ. સઠાણ (આકાર) પાંચ - ૧ પરિમંડળ સંહાણ (ચૂડીના આકારે), ૨ વરુ સંહાણ (વર્તુળ લાડવા જેવું), ૩ ત્રસ (ત્રિકોણ), ૪ ચરિંસ (ચોરસ), ૫ આયાત સંઠાણ (લાકડી જેવું). એકેકા સંડાણમાં વીશ વીશ ભેદ લાભે, તે ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ. તેથી ૫ X ૨૦ = ૧૦૦ ભેદ. સ્પર્શ આઠ – ૧ ખરખરો, ર સુંવાળો, ૩ ભારે, ૪ હળવો, પ ટાઢો, ૬ ઉન્હો, ૭ ચોપડયો, ૮ લૂખો. એકેકા સ્પર્શમાં ૨૩ ભેદ લાભ, તે ૫ વર્ણ, ર ગંધ, ૫ રસ, ૫ સંઠાણ, ૬ સ્પર્શ. ખરખરામાં ખરખરોને સુંવાળો બે વર્જવા. એમ બન્ને સ્પર્શ વર્જવા. તેથી ૨૩ x ૮ = ૧૮૪ ભેદ. (જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી) Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ - - - - - - - - - - - --- શ્રી બૃહદ જેન થોક સંગ્રહ આમ, ૧૦૦+૪૬+૧૦૦+૧૦૦+૧૮૪ સર્વ મળીને રૂપી અજીવના પ૩૦ ભેદ થયા. તેમાં ૩૦ ભેદ અરૂપી અજીવના ઉમેરતાં પ૬૦ ભેદ અજીવના જાણવા. ઇતિ અજીવતત્ત્વ. F૩ પુણ્યતત્ત્વ શુભ કમાણીએ કરી, શુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભોગવતાં મીઠાં લાગે તેને પુણ્યતત્ત્વ કહીએ. નવ ભેદે પુણ્ય ઉપરાજે તે કહે છે. ૧ અન્નપુ, ૨. પાણપુને, ૩ લયણપુત્ર, ૪ સયણપુર, પ વFપુ , ૬ મનપુત્ર, ૭ વચનપુણે, ૮ કાયપુત્ર, ૯ નમસ્કારપુ. પુણ્યતત્ત્વના શુભ ફળ ૪૨ ભેદ ભોગવે તે કહે છે. (વંદનીય કર્મનાં ઉદયે ૧ ભેદ) ૧ શાતા વેદનીય – શાતાનો અનુભવ કરાવે. (આયુષ્યકર્મના ઉદયે ૩ ભેદ) ૨ દેવનું આયુષ્ય. ૩ મનુષ્યનું આયુષ્ય. ૪ તિર્યંચનું આયુષ્ય. (નામકર્મના ઉદયે ૩૭ ભેદ) ૫ દેવની ગતિ. ૬. મનુષ્યની ગતિ. ૭ પંચેન્દ્રિયની જાતિ. ૮ ઓદારિક શરી૨ – તે સડી જાય, પડી જાય, વિણસી જાય, કોહી જાય, બગડી જાય, મુવા પછી કલેવર પડી રહે તેને ઔદારિક શરીર કહીએ. ૯ વૈક્રિય શરીર – બે પ્રકારનું છે. અ. ભવ પ્રત્યયિક – તે દેવતા તથા નારકીને ઉત્પન્ન થતાં જ હોય. બ. લબ્ધિ પ્રત્યયિક – તે તિર્યંચ તથા મનુષ્ય લબ્ધિવંતને હોય છે. ૧૦ આહારક શરીર – ચૌદપૂર્વધારી મુનિરાજ તીર્થકરની ઋદ્ધિ પ્રમુખ જવાને અર્થે એક હાથ પ્રમાણ દેહ કરે છે તે. ૧૧ તેજસ શરીર – જેના કારણે શરીરમાં ઉષ્ણતા રહે અને આહારને પચાવે છે. સર્વ સંસારી જીવોને હોય છે. ૧૨ કાર્મણ શરીર – જેમાં બધાં કર્મોના સ્કંધ સંગ્રહિત રહે ૧ સ્થાનક આદિ. ૨ શય્યા, પાટ, પાટલા આદિ. ૩ વસ્ત્ર. Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ ૧૯ છે તે. સર્વ સંસા૨ી જીવોને હોય છે. ૧૩ ઔદારિક શરીર અંગોપાંગ - ઔદારિક શરીરના સઘળા અવયવો પામવા. ૧૪ વૈક્રિય શરીર અંગોપાંગ. ૧૫ આહા૨ક શરીર અંગોપાંગ. ૧૬ વજૠષભના૨ાચ સંઘયણ – જેને વિષે બે હાડકાંઓને બે પડખેથી મર્કટબંધ કરીને બાંધ્યા અને પાટા જેવા હાડકાંએ ક૨ી વીંટ્યા તે ત્રણે હાડકાંને ખીલી જેવા હાડકાંએ ક૨ી સજ્જડ કર્યા હોય તેવા મજબૂત હાડકાંનો સંચય તે. ૧૭ સમચઉÜસ (સમચતુરંસ્ત્ર) સંઠાણ – પલાંઠી વાળી બેસતાં ચારે બાજુ સ૨ખી આકૃતિ થાય અને પોતાના અંગુલ પ્રમાણે ૧૦૮ અંગુલ પ્રમાણ શરીર ભ૨ાય તે. ૧૮ શુભ વર્ણ. ૧૯ શુભ ગંધ. ૨૦ શુભ ૨સ. ૨૧ શુભ સ્પર્શ. ૨૨ શુભ વિહાયગતિ. ૨૩ દેવાનુપૂર્વી – દેવતાની ગતિમાં દોરી જનાર કર્મ. ૨૪ મનુષ્યાનુપૂર્વી – મનુષ્યની ગતિમાં દોરી જનાર કર્મ. ૨૫ અગુરૂલઘુનામ – મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય એટલે લોઢાની પેઠે અતિ ભારે નહિ અને કપાસની પેઠે અતિ હલકું નહિ અને મધ્યમ પરિણામી હોય. ૨૬ ૫૨ાઘાત નામ – બીજા બળવાન જે અતિ દુઃસહનીય છતાં પોતે ગમે તેવા બળીયાને જીતવા સમર્થ થાય એવા બળની પ્રાપ્તિ થાય. ૨૭ ઉચ્છવાસ નામ – શ્વાસોચ્છ્વાસ લઈ શકવાની શક્તિ વિશેષ. ૨૮ આતાપ નામ – સૂર્યના બિંબની જેમ ૫૨ને તાપ ઉત્પન્ન કરવાના હેતુરૂપ તેજયુક્ત શ૨ી૨ની પ્રાપ્તિ થાય. ૨૯ ઉદ્યોત નામ – ચંદ્રબિંબની માફક શીતળ પ્રકાશ આપે. ૩૦ તીર્થંકર નામ. ૩૧ નિર્માણ નામ પોતાના શરીરના સર્વ અવયવો યોગ્ય સ્થળે ગોઠવાયેલાં મળે. ૩૨ ત્રસ નામ. ૩૩ બાદ૨ નામ. ૩૪ પર્યાપ્તા નામ. ૩૫ પ્રત્યેક નામ. ૩૬ સ્થિર નામ. ૩૭ શુભ નામ. ૩૮ સૌભાગ્ય નામ. ૩૯ સુસ્વર નામ. ૪૦ આદેય નામ. ૪૧ જશોકીર્તિ નામ. Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન થોક સંગ્રહ ૨૦ શ્રી બૃહદ્ (ગોત્ર કર્મના ઉદયે ૧ ભેદ) ૪૨ ઊંચ ગોત્ર. ઇતિ પુણ્યતત્ત્વ ૪ પાપતત્ત્વ અશુભ કરણીએ કરી, અશુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભોગવતાં કડવાં લાગે તેને પાપતત્ત્વ કહીએ. અઢાર (૧૮) પ્રકારે પાપ ઉપજે તે કહે છે. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ વૈશુન્ય, ૧૫ ૫૨પરિવાદ, ૧૬ રતિઅતિ, ૧૭ માયામોસો, ૧૮ મિચ્છા દંસણસન્ન. પાપના ફળ બ્યાસી (૮૨) પ્રકારે ભોગવે તે કહે છે. - (જ્ઞાનાવરણીયકર્મના ઉદયે ૫) ૧ મતિજ્ઞાનાવ૨ણીય – પાંચ ઇન્દ્રિય તથા મન દ્વારા જે નિયત વસ્તુનું જ્ઞાન થાય તેવા જ્ઞાનનું આચ્છાદન, એટલે બુદ્ધિ નિર્મળ ન હોય. ૨ શ્રુતજ્ઞાનાવ૨ણીય – શ્રુતજ્ઞાન પામે નહિ. ૩ અવધિજ્ઞાનાવ૨ણીય – ઇન્દ્રિયાદિકની અપેક્ષા વિના આત્મદ્રવ્ય દ્વારા સાક્ષાત્ રૂપી દ્રવ્યોને જણાવનારૂં જે જ્ઞાન તે પામે નહિ. ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય – સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવ જણાવનારૂં જ્ઞાન પામે નહિ. ૫ કેવળજ્ઞાનાવ૨ણીય – પૂર્વોક્ત ચાર જ્ઞાન રહિત જે એકલું નિ૨ાવ૨ણ જ્ઞાન હોય એવું કેવળજ્ઞાન પામે નહિ. (દર્શનાવરણીયકર્મના ઉદયે ૯) ૬ ચક્ષુદર્શનાવરણીય. ૭ અચક્ષુ દર્શનાવ૨ણીય.૮ અવધિદર્શનાવ૨ણીય. ૯ કેવળ દર્શનાવ૨ણીય. ૧૦ નિદ્રા – સુખેથી જાગૃત થાય તેવી ઉંઘ. ૧૧ નિદ્રાનિદ્રા- દુ:ખથી જાગૃત થાય તેવી ઉંઘ. ૧૨ પ્રચલા – ઊઠતાં Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ બેસતાં નિંદ્રા આવે. ૧૩ પચલાપચલા – હરતાં ફરતાં નિંદ્રા આવે. ૧૪ થીણઢિ નિદ્રા - દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રે ઉંઘમાં ને ઉંઘમાં કરી આવે છે. આ નિદ્રાવાળો વાસુદેવના અર્ધ બળયુક્ત હોય છે. (વેદનીય કર્મનાં ઉદયે ૧) ૧૫ અશાતાવેદનીય. (મોહનીયકર્મના ઉદયે ૨૬) ૧૬ અનંતાનુબંધી ક્રોધ – જે સમ્યફ શ્રદ્ધા ન થવા દે, અનંતો સંસાર બંધાવે, જીવન પર્યંત રહે છે. ૧૭ અનંતાનુબંધી માન. ૧૮ અનંતાનુબંધી માયા. ૧૯ અનંતાનુબંધી લોભ. ૨૦ અપત્યાખ્યાની ક્રોધ - જેનાથી શ્રાવકપણાની પ્રાપ્તિ ન થાય તેવો ક્રોધ, એક વર્ષ રહે. ૨૧ અપ્રત્યાખ્યાની માન. ૨૨ અપ્રત્યાખ્યાની માયા. ૨૩ અપ્રત્યાખ્યાની લોભ. ૨૪ પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ – જેનાથી સાધુપણાની પ્રાપ્તિ ન થાય, ચાર માસ રહે છે. ૨૫ પ્રત્યાખ્યાનાવરણીય માન. ૨૬ પ્રત્યાખ્યાનાવરણીય માયા. ૨૭ પ્રત્યાખ્યાનાવરણીય લોભ. ૨૮ સંજ્વલન ક્રોધ – જેનાથી વીતરાગપણાની પ્રાપ્તિ ન થાય, પંદર દિવસ રહે છે. ૨૯ સંજ્વલન માન. ૩૦ સંજવલન માયા. ૩૧ સંજ્વલન લોભ. ૩૨ હાસ્ય. ૩૩ રતિ. ૩૪ અરતિ. ૩પ ભય. ૩૬ શોક. ૩૭ દુર્ગાછા – અણગમો. ૩૮ સ્ત્રીવેદ. ૩૯ પુરુષવેદ. ૪૦ નપુંસકવેદ. ૪૧ મિથ્યાત્વ મોહનીય. (આયુષ્યકર્મના ઉદયે ૧) ૪૨ નારકીનું આયુષ્ય. (નામકર્મના ઉદયે ૩૪) ૪૩ નરક ગતિ. ૪૪ તિર્યંચ ગતિ. ૪૫ એકેન્દ્રિયની જાતિ. ૪૬ બેઈન્દ્રિયની જાતિ. ૪૭ તે ઇન્દ્રિયની જાતિ. ૪૮ ચૌરેન્દ્રિયની જાતિ. ૪૯ ઋષભનારાચ સંઘયણ – બે પડખે મર્કટબંધ અને ઉપર પાટો એ બે હોય તે ૫૦ નારાચ સંઘયણ – મર્કટબંધ હોય છે. પ૧ અર્ધનારા સંઘયણ – એક પડખે મર્કટબંધ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ હોય તે. પ૨. કીલક સંઘયણ – માંહોમાંહે હાડકાં અને ખીલીનો બંધ હોય તે. પ૩ છેવટુ સંઘયણ – ખીલી ન હોય અને હાડકાં એકબીજાને અડીને રહેલા હોય તે. પ૪ ન્યગ્રોધ પરિમંડળ સંઠાણ – વટ વૃક્ષની જેમ નાભિની ઉપર સુલક્ષણયુક્ત. પપ સાદિ સંઠાણ – નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું અંગ નરસું હોય તે. પ૬ વામન સંઠાણ – ઉદર લક્ષણવિહીન અને હાથ, પગ, માથું, કટિ પ્રમાણ રહિત હોય (ઠીંગણું) તે. ૫૭ કુન્જ સંઠાણ – હાથ, પગ, માથું, કટિ પ્રમાણ રહિત અને ઉદર પ્રમુખ હીન હોય છે. ૫૮ હુંડ સંઠાણ –- સર્વ અવયવ અશુભ હોય છે. પ૯ અશુભ વર્ણ. ૬૦ અશુભ ગંધ. ૬૧ અશુભ રસ. ૬૨ અશુભ સ્પર્શ. ૬૩ અશુભ વિહાયગતિ. ૬૪ નરકાનુપૂર્વી. ૬૫ તિર્યંચાનુપૂર્વી. ૬૬ ઉપઘાત નામ–પોતાના અંગોપાંગ પોતાને વાગે. ૬૭ સ્થાવર નામ. ૬૮ સૂક્ષ્મ નામ. ૬૯ અપર્યાપ્ત નામ. ૭૦ સાધારણ નામ. ૭૧ અસ્થિર નામ – જેના દ્વારા શરીરના જીભ, ચામડી, ચરબી આદિ અવયવો અસ્થિર હોય તેવા મળે. ૭ર અશુભ નામ. ૭૩ દુર્ભાગ્ય નામ. ૭૪ દુઃસ્વર નામ. ૭૫ અનાદેય નામ – જે કર્મના ઉદયથી જીવના વચન અનાદરણીય હોય તે. ૭૬ અજશોકીર્તિ નામ. | (ગોત્રકર્મના ઉદયે ૧) ૭૭ નીચ ગોત્ર. (અંતરાયકર્મના ઉદયે ૫) ૭૮ દાનાંતરાય – છતી શક્તિ એ દાન આપી શકે નહિ. ૭૯ લાભાંતરાય – લાભ મેળવી શકે નહિ. ૮૦ ભોગાંતરાય – ભોગ ભોગવી શકે નહિ. ૮૧ ઉપભોગાંતરાય – વારંવાર ભોગવવાની વસ્તુ ભોગવી શકે નહિ. ૮૨ વીઆંતરાય – પોતાનું બળ ફોરવી શકે નહિ. ઇતિ પાપતસ્વ. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ ૫ આશ્રવતત્ત્વ અવત ને અપચ્ચક્ખાણે કરી, વિષય કષાયને સેવવે કરી આત્મારૂપ તળાવને વિષે, ઇન્દ્રિયાદિક ગળનાળે છિદ્ર કરી, કર્મ (પુણ્ય–પાપ) રૂપ જળનો પ્રવાહ આવે, તેને આશ્રવતત્ત્વ કહીએ. આશ્રવતત્ત્વના સામાન્ય પ્રકા૨ે વીશ ભેદ કહે છે. ૧ મિથ્યાત્વ, ૨ અવત, ૩ પ્રમાદ, ૪ કષાય, ૫ અશુભજોગ, ૬ પ્રાણાતિપાત, ૭ મૃષાવાદ, ૮ અદત્તાદાન, ૯ મૈથુન, ૧૦ પરિગ્રહ, ૧૧ શ્રોત્રેન્દ્રિય અસંવરે, ૧૨ ચક્ષુ ઇન્દ્રિય અસંવ૨, ૧૩ ઘાણેન્દ્રિય અસંવ૨, ૧૪ ૨સેન્દ્રિય અસંવ૨, ૧૫ સ્પર્શેન્દ્રિય અસંવરે, ૧૬ મન અસંવરે, ૧૭ વચન અસંવરે, ૧૮ કાય અસંવરે, ૧૯ ભંડ ઉ૫ક૨ણ જેમ તેમ લે મૂકે, ૨૦ શુચિ કુસગ્ગ કરે. (ડાભની, ઘાસની અણી ઉપર પાણી રહે તેટલું પાપ કરે તે.) વિશેષે ૪૨ ભેદ કહે છે. ― -- - (પાંચ અવ્રતના) પાંચ આશ્રવ, ૫ ઇન્દ્રિય મોકળી મૂકે, ૪ કષાય અને ૩ અશુભજોગ એ મળીને ૧૭ તથા ૨૫ ક્રિયા મળી ૪૨ ભેદ. ૨૫ ક્રિયા :– ૧ કાઇયા ક્રિયા – કાયાને અજત્નાએ પ્રવર્તાવે. ૨ અહિગ૨ણિયા – હથિયારોથી જીવનું દમન કરે તે. ૩ પાઉસિયા – જીવ અજીવ ઉપર દ્વેષ રાખવાથી. ૪ પારિતાવીયા – પોતાને તથા ૫૨ને પરિતાપ ઉપજાવવો તે. ૫ પાણાઇવાઇયા – પોતાનાં તથા પ૨નાં પ્રાણ હરે તે. ૬ આરંભિયા જીવ તથા અજીવનાં નિમિત્તે છકાયનો આરંભ કરે તે. ૭ પરિગૃહિયા અજીવનો પરિગ્રહ મેળવી મોહ ક૨વો તે. ૮ માયાવત્તિયા – છળ કપટ તથા કષાયના ઉદયથી લાગે. ૯ અપચ્ચક્ખાણવત્તિયા – કોઈપણ જાતનાં પચ્ચક્ખાણ ન ક૨વાથી લાગે તે. ૧૦ મિચ્છાĒસણ જીવ તથા ૨૩ www Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ વત્તિયા – જિન વચનથી ઓછી, અધિક તથા વિપરીત પ્રરૂપણા કરતાં લાગે તે. ૧૧ દિડ્ડિયા – કુતુહલતાથી જીવ તથા અજીવને જોવું તે. ૧૨ પુઢિયા – રાગ વશ જીવ તથા અજીવને સ્પર્શ ક૨વાથી લાગે તે. ૧૩ પાડુચ્ચિયા જીવ તથા અજીવના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગદ્વેષથી લાગે તે. ૧૪ સામંતોવર્ણિવાઇયા – જીવ તથા અજીવનો સંગ્રહ કરે, પ્રશંસા સાંભળી આનંદ પામે. તથા દૂધ, દહીં, ઘી, તેલનાં વાસણ ઉઘાડાં મૂકવાથી જીવહિંસાથી લાગે તે. ૧૫ સાહત્યિયા – પોતાના હાથે જીવને અંદરોઅંદર લડાવે તથા અજીવને સામસામે અફાળીને તોડે તે. ૧૬ નૈસન્થિયા – જીવ તથા અજીવને અયત્નાથી ફેંકવાથી, શસ્ત્ર કરાવવા, વાવ, કૂવા ખોદાવવાથી લાગે તે. ૧૭ આણવણિયા – જીવ તથા અજીવને આજ્ઞા વગર ગ્રહણ ક૨વાથી લાગે તે. ૧૮ વેદા૨ણિયા – જીવ તથા અજીવને કષાયવશ થઈ કટકાં કરતાં લાગે તે. ૧૯ અણાભોગવત્તિયા – ઉપયોગ વિના કે પૂંજ્યા વગર વસ્તુ લેવા મૂકવાથી લાગે તે. ૨૦ અણુવકંખવત્તિયા – પોતાનાં તથા બીજાનાં હિતની ઉપેક્ષા કરીને હાનિ પહોંચાડવાથી લાગે તે. ૨૧ પેવત્તિયા – ૨ાગવશ માયા તથા લોભ ક૨વાથી લાગે તે. ૨૨ દોસવત્તિયા – દ્વેષવશ ક્રોધ, માન કરવાથી લાગે તે. ૨૩ પ્પઉગ્ગ - – મન, વચન, કાયાનાં યોગ અશુભ કરવાથી લાગે તે. - ૨૪ સામુદાણિયા – આરંભજન્ય કાર્યો ઘણાં જણ સાથે મળીને ક૨તાં લાગે તે. ૨૫ ઇરિયાવહિયા ક્રિયા – વીતરાગીને યોગનાં પ્રવર્તનથી ઇતિ આશ્રવ તત્ત્વ. - લાગે તે. ૬ સંવર તત્ત્વ જીવરૂપ તળાવને વિષે, કર્મરૂપ જળ આવતાં, વ્રત પચ્ચક્ખાણ આદિ દ્વારે કરી રોકીએ તેને સંવર તત્ત્વ કહીએ. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ સંવર તત્ત્વના સામાન્ય પ્રકારે વીશ ભેદ કહે છે. ૧ સમકિત તે સંવ૨, ૨ વત પચ્ચકખાણ, ૩ અપ્રમાદ, ૪ અકષાય, ૫ શુભજોગ, ૬ જીવદયા પાળવી, ૭ સત્ય વચન બોલવું, ૮દાવત ગ્રહણ કરવું. ૯ શિયળ પાળવું, ૧૦ અપરિગ્રહ, ૧૧ થી ૧૮ પાંચ ઇન્દ્રિય અને ૩ જોગનું સંવરવું, ૧૯ ભંડ ઉપકરણ ઉપધિ જતનાએ લે મૂકે, ૨૦ શુચિ કુસગ્ન ન કરે. સંવર તત્ત્વના વિશેષે પ૭ ભેદ કહે છે. આઠ પ્રવચન માતા (૮), બાવીસ પરિષહ (૨૨), દશ યતિધર્મ (૧૦), બાર ભાવના (૧૨), પાંચ ચારિત્ર (પ), કુલ ૫૭ ભેદ થાય. આઠ પ્રવચન માતા – ૧ ઈરિયા સમિતિ – જયણા રાખી, ઉપયોગ સહિત ધુંસરા (સાડાત્રણ હાથ જેટલું) પ્રમાણ જમીન નજરે જોઈ ચાલવું તે. ૨ ભાષા સમિતિ – સમ્યફ પ્રકારે નિરવદ્ય ભાષા બોલવી. ૩ એષણા સમિતિ – સમ્યફ પ્રકારે નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે ભિક્ષાની ગવેષણા કરવી. ૪ આયાણભંડમનિફખેવાયા સમિતિ – ભંડ, ઉપકરણ જતનાએ લેવા મૂકવા તે. ૫ ઉચ્ચાર પાસવણ ખેલ જશ્ન સિંઘાણ પારિઠાવણિયા સમિતિ - પરઠવાની વસ્તુ જતનાથી પરઠવી તે. ૬ મનગુમિ – મન ગોપવવું. ૭ વચનગુપ્તિ – વચન ગોપવવું. ૮ કાયમુર્તિ – કાયાને ગોપવવી. ૨૨ પરિષહ – ૧ સુધાનો – ભૂખનો. ૨ તૃષાનો – તરસનો. ૩ શીતનો – ટાઢનો. ૪ ઉષ્ણનો – તડકાનો. ૫ દસમસનો – ડાંસ, મચ્છર કરડવાનો. ૬ અચેલનો – ફાટેલાં તૂટેલાં વસ્ત્રનો. ૭ અરતિનો - દુઃખનો, કંટાળાનો. ૮ સ્ત્રીનો - સ્ત્રીથી થવાવાળો. ૯ ચર્યાનો – ચાલવાનો. ૧૦ બેસવાનો – ભયજનક સ્થાનમાં બેસવું પડે. ૧૧ સેજાનો -- રહેવાના સ્થાનકનો. ૧૨ આક્રોશવચનનો – આકરાં વચનો Page #45 -------------------------------------------------------------------------- ________________ [૨૬] ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સાંભળવા પડે તેનો. ૧૩ વધનો – માર ખાવો પડે. ૧૪ જાચવાનો – માગવાનો. ૧૫ અલાભનો – કોઈ વસ્તુની ઈચ્છા થતાં તે વસ્તુ ન મળે. ૧૬ રોગનો – રોગ, રોગનાં કારણથી થવાવાળો. ૧૭ તૃણસ્પર્શનો – તણખલાં વગેરેના સ્પર્શથી દુઃખ થાય છે. ૧૮ મેલનો – મેલને દૂર કરવાની ઈચ્છાથી ન્હાવાનો. ૧૯ સત્કાર પુરસ્કારનો – આદર સત્કાર મળવાનો. ૨૦ પ્રજ્ઞાનો – અન્ય કોઈ પ્રશ્ન પૂછે. અને જ્ઞાનની અસ્પષ્ટતાના કારણે સમાધાન આપી ન શકવાથી હીણપતતા લાગે છે. ૨૧ અજ્ઞાનનો – જ્ઞાન ન ચડે તેને. ૨૨ દંસણનો - સમકિત સૂક્ષ્મ વિચાર સાંભળીને ધર્મને વિષે અસણી કરવાનો. દશ પ્રકારનો યતિધર્મ આરાધવો :- ૧ ખંતિ – ક્ષમા (ક્રોધનો અભાવ). ૨ મુત્તિ – નિર્લોભતા, લઘુતા, હળવાપણું, અલ્પઉપધિ. ૩ અવે – સરળતા, કપટ રહિતપણું. ૪ મદવે – માનનો ત્યાગ. ૫ લાઘવે – લઘુતા. ૬ સચ્ચે – સત્ય ભાષણ કરવું. ૭ સંજમે – સત્તર ભેદે સંયમ પાળવો. ૮ તવે – ઈચ્છા નિરોધ, બાર પ્રકારે તપ કરવો. ૯ ચિયાએ અથવા અકિંચણે – સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂચ્છ રહિત થવું. ૧૦ બંભર્ચરવાસે – મૈથુનનો ત્યાગ, એ દશ. બાર ભાવના ભાવવી તે કહે છે. ૧ અનિત્યભાવના – સંસારના સર્વ પદાર્થને અનિત્ય, અસ્થિર જાણવા. ૨ અશરણભાવના –- કોઈ કોઈને શરણ નથી, એક ધર્મનું જ શરણ છે. ૩ સંસારભાવના – સંસારમાં ઘણો કાળ થયો છતાં જીવ રઝળે છે – મા તે સ્ત્રી થાય, સ્ત્રી તે મા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા થાય ઈત્યાદિ ભાવનો અનુભવ કરવો. ૪ એકત્વભાવના – આ જીવ એકલો આવ્યો, એકલો જશે અને એકલો સુખદુઃખ ભોગવે છે પણ તેનું કોઈ સાથી નથી એવી ભાવના. ૫ અન્યત્વભાવના – જીવ કાયાથી જુદો છે અને કર્મ કરી Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ li ૨૭ જુદી જુદી કાયા ધારણ કરે છે. તેમજ ધન તથા સ્વજન આદિ પણ અન્ય છે એવી ભાવના. ૬ અશુચિભાવના – રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજા, વીર્ય, પરૂ તથા આંતરડાં પ્રમુખે કરી આ શરીર બનેલું છે અને જેના નવ દ્વાર સદા વહેતાં રહે છે. એ શરીર કોઈ કાળે પણ પવિત્ર થવાનું નથી એવી ભાવના ભાવવી. ૭ આશ્રવભાવના – પાચ આશ્રવે કરી પાપ બંધાય છે અને તેથી જીવ દુઃખ ભોગવે છે તેનો વિચાર.૮ સંવરભાવના – વ્રત પચ્ચક્ખાણોથી આશ્રવ રોકવો અને સંવર આદરવો. ૯ નિર્જરાભાવના – બાર પ્રકારના તપ કરી કર્મને ખપાવવું અર્થાત્ પૂર્વનાં સંચેલ કર્મને તોડવું તે. ૧૦ લોકભાવના – લોકનું સ્વરૂપ ચિંતવવું જેમકે આ જીવે સર્વ લોક સ્પર્શી મૂક્યો છે. ૧૧ બોધિભાવના - યથાપ્રવૃત્તિ કરણને યોગે કરી, અકામનિર્જરા વડે, પુણ્યના પ્રયોગે મનુષ્યભવ, આર્યદેશ, નિરોગીપણું તથા ધર્મશ્રવણ આદિ પ્રાપ્ત થાય પણ સમ્યકત્વ પ્રાપ્ત થવું દુર્લભ છે તેવી ભાવના કરવી તે. ૧૨ ધર્મભાવના – દુસ્તર સંસાર સમુદ્રમાંથી પ્રવાહણ સમાન તે શ્રી જિનપ્રણીત દશવિધ ક્ષમાદિક શુદ્ધ ધર્મ તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયાત્મક ધર્મ પામવો તે દુર્લભ છે તેમજ તે ધર્મના સાધક અરિહંત આદિ દેવો પામવા તે પણ દુર્લભ છે એવી ભાવના કરવી. - પાંચ પ્રકારના ચારિત્ર – ૧. સામાયિક, ર છેદો પસ્થાપનીય, ૩ પરિહાર વિશુદ્ધ, ૪ સૂક્ષ્મસંપાય, પ યથાખ્યાત ચારિત્ર. ૧ સામાયિક ચારિત્ર – સમ અને આયિક એ બે શબ્દ મળી એક સામાયિક શબ્દ થાય છે. સમ એટલે રાગદ્વેષ રહિતપણાને માટે, આય એટલે ગમન પ્રાપ્ત થાય છે જ્યાં તે સમ કહિએ. તે જ્યાં ઉત્પન્ન થાય છે તેને સામાયિક કહેવાય છે. વળી સમ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેનો આયિક તે લાભ જ્યાં થાય છે, એટલે જેને કરી જ્ઞાન, દર્શન, Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ થાય તેને સર્વ સાવધયોગ ત્યાગરૂપ અને નિરવદ્ય યોગ સેવનરૂપ સામાયિક કહીએ. તેને સમ્યફ ચારિત્ર પણ કહે છે. એ સામાયિક ચારિત્ર જીવને પ્રાપ્ત થયા વિના બીજા ચારિત્રોનો લાભ થાય નહિ માટે એને આદિમાં કહ્યું છે. ર છેદોપસ્થાપનીય ચારિત્ર – પૂર્વોક્ત સર્વવિરતિ સામાયિક ચારિત્રને જે છેદાદિ વિશેષપણે વિશેષીએ તે વારે છેદોપસ્થાપનીય ચારિત્ર થાય, છેદ એટલે પૂર્વ પર્યાયનો છેદ કરવો અને ઉપસ્થાપન એટલે ગણનાયકે આપેલું પંચમહાવતરૂપપણું જે મહાવ્રતને વિષે હોય તેને છેદોપસ્થાપનીય ચારિત્ર કહીએ. જ્યાં નવા પર્યાયોનું સ્થાપન કરવું તથા પાંચ મહાવ્રતનો ઉચ્ચાર કરાવવો. તેના બે ભેદ, ૧ સાતિચાર– તે મૂળ ઘાતિને પ્રાયશ્ચિતરૂપ અને ૨ નિરતિચાર – તે ઇવર સામાયિકવંત નવદીક્ષિત શિષ્યને છજીવણિયા (છકાય જીવનું વર્ણન તે દશવૈકાલિકસૂત્રનું અધ્યયન ચોથું) અધ્યયન ભણ્યા પછી હોય તથા બીજા તીર્થ આશ્રયી તે જેમ પાર્શ્વનાથના તીર્થથી વર્ધમાન સ્વામીના તીર્થે આવી ચાર મહાવતરૂપ ધર્મ ત્યાગીને પંચમહાવતરૂપ ધર્મ આદરે તેને હોય. - ૩ પરિહાર વિશુદ્ધ ચારિત્ર – તપ વિશેષ કરી વિશુદ્ધિ એટલે કર્મની નિર્જરા જે ચારિત્રને વિષે હોય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહીએ. તેના બે ભેદ છે. તેમાં પહેલું જે ચાર જણ વિવક્ષિત (અમુક કહેલ તે) ચારિત્રના આસેવક એ કલ્પમાં પ્રવર્તતા હોય તેનું ચારિત્ર તે નિર્વિશમાનક પરિહર વિશુદ્ધ ચારિત્ર. બીજું જે ચાર જણ તેના અનુચારી હોય તે નિર્વિષ્ટકાયિક પરિહાર વિશુદ્ધ ચારિત્ર. તે આ રીતે –- નવ જણાનો ગચ્છ જુદો નીકળે તે તીર્થંકર પાસે અથવા પૂર્વે જેણે તીર્થંકર પાસેથી એ ચારિત્ર પડિવન્યું હોય, તેની પાસે એ ચારિત્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ (૬) (૨૯ ડિવર્ષે. હવે તે નવ સાધુમાં ચાર જણ પરિહારિક એટલે તપના કરનારા થાય તે નિર્વિશમાન જાણવા અને ચાર તેના વૈયાવચ્ચના ક૨ના૨ા થાય તે નિર્વિષ્ટકાયિક જાણવા તથા એકને વાચનાચાર્ય ગુરુસ્થાનકે ઠરાવે. પછી તે ચાર પરિહારક છ માસ સુધી તપ કરે, તેમાં ઉષ્ણકાળે જઘન્યથી એક ઉપવાસ, મધ્યમથી છઠ્ઠ અને ઉત્કૃષ્ટથી અઠ્ઠમ તપ કરે. શીતકાળે જઘન્યથી છઠ્ઠ ઉપવાસ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટથી ચા૨ તથા વર્ષાકાળે જઘન્યથી અક્રમ, મધ્યમથી ચાર અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ કરે. પારણે આયંબિલ કલ્પસ્થિતપણે નિત્ય કરે. એમ છ મહિના તપ કરે, તે પછી ફરી ચા૨ તપસ્યાના ક૨ના૨ તે વૈયાવચ્ચીયા થાય અને વૈયાવચ્ચ ક૨ના૨ તપસ્વી થાય. તે પણ છમાસ સુધી તપ કરે. ત્યાર પછી ગુરુ વાચનાચાર્ય છમાસ સુધી તપ કરે. આમ અઢાર મહિના સુધી તપ સંપૂર્ણ ક૨ી જિનકલ્પ આદ૨, ગચ્છમાં પાછા ફરે અથવા ફરી તે જ ચારિત્ર આદરે. આ તપ પ્રથમ સંઘયણી, પૂર્વધ૨ લબ્ધિવંત હોય તે પ્રચુ૨ કર્મની નિર્જરા અર્થે અંગીકાર કરે. એ ચારિત્ર પાંચ ભ૨ત, પાંચ ઐરવતમાં અને પહેલા તથા છેલ્લા તીર્થંક૨ના તીર્થમાં હોય. પરિહાર વિશુદ્ધ ચારિત્ર સંક્ષેપથી કહ્યું. ૪ સૂક્ષ્મસંપ૨ાય ચારિત્ર – સૂક્ષ્મ છે કષાય જ્યાં તેને સૂક્ષ્મ સંપ૨ાય ચારિત્ર કહીએ, તે ઉપશમશ્રેણીએ કર્મ ઉપશમાવતાં અથવા ક્ષપકશ્રેણીએ કર્મ ખપાવતાં હોય ત્યાં નવમે ગુણઠાણે લોભના સંખ્યાતા ખંડ કરી તેને જે ઉપશમશ્રેણીવાળો હોય તે ઉપશમાવે તથા જે ક્ષપકશ્રેણીવાળો હોય તે ખપાવે. તે સંખ્યાતા ખંડ માંહેલો જ્યારે છેલ્લો એક ખંડ રહે તેના અસંખ્યાતા સૂક્ષ્મ ખંડ કરીને દશમે ગુણઠાણે ઉપશમાવે અથવા ક્ષય કરે. તે દશમા ગુણઠાણાનું અને ચારિત્રનું બન્નેનું નામ સૂક્ષ્મસંપ૨ાય જાણવું. એ ચારિત્ર બે ભેદ છે. એક શ્રેણી Page #49 -------------------------------------------------------------------------- ________________ -- - -- -- - -- - --- - - - [૩૦] . શ્રી બૃહદ જેન થોક સંગ્રહ ચઢતાને વિશુદ્ધ માનસિક હોય. બીજું ઉપશમ શ્રેણીથી પડતાને સંક્લિષ્ટ માનસિક જાણવું. એ ચારિત્ર એક જીવને આખા સંસારમાં વધુમાં વધુ નવ વાર અને એક ભવમાં વધુમાં વધુ ચાર વાર આવે. ૫ યથાખ્યાત ચારિત્ર – જ્યાં તથાવિધિ કરીને અકષાયપણું અર્થાત જ્યાં સંજ્વલન આદિ કષાયે કરી સર્વથા રહિતપણું હોય તેને યથાખ્યાત ચારિત્ર જાણવું. તેના બે ભેદ છે. એક છઘસ્થિક અને બીજો કેવળિક. ૧. છબસ્થિક તે છબી ઉપસમિકને અગિયારમે ગુણઠાણે હોય અને ક્ષેપકને બારમે ગુણઠાણે હોય. ૨. કેવળીક તે તેરમે અને ચૌદમે ગુણઠાણે હોય. આ ચારિત્ર સમસ્ત જીવલોકને વિષે પ્રસિદ્ધ છે. આ ચારિત્ર આચરીને સુવિહિત સાધુ અજરામર સ્થાન પામે એટલે જન્મ, જરા અને મરણ રહિત એવું જે મોક્ષરૂપ સ્થાન છે તે પામે. ઇતિ સંવરતત્ત્વ. H૭ નિર્જરાતત્ત્વ H આત્માના પ્રદેશથી, બાર ભેદે તપસ્યા કરી, દેશથકી કર્મનું નિર્જરવું, ઝરીને દૂર થવું તેને નિર્જરાતત્ત્વ કહીએ. - નિર્જરા બે પ્રકારે છે. ૧ દ્રવ્ય નિર્જરા, ર ભાવ નિર્જરા. તથા અકામ અને સકામ એવા બે ભેદ પણ છે. પુદ્ગલ કમનું છૂટા પડવું તે દ્રવ્ય નિર્જરા અને આત્માના શુદ્ધ પરિણામે કરી જે કર્મની સ્થિતિ પોતાની મેળે પાકે અથવા બાર પ્રકારનાં તપે કરી જે કર્મ પરમાણુને નીરસ કર્યા તે છૂટા પડે ત્યારે આત્માના જે પરિણામ થાય તે ભાવ નિર્જરા. તિર્યંચાદિકની માફક ઈચ્છા વિના કષ્ટ સહન કરતાં કર્મ પુદ્ગલનું જે ક્ષપન થાય છે, તે દ્રવ્ય અથવા અકામ નિર્જરા. બાર પ્રકારના તપે કરી સંયમી થકા કષ્ટ સહન કર્યાથી જે કર્મ પરમાણુ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ નું ક્ષપન કરવું અથવા છૂટા પાડવું તે ભાવ / સકામ નિર્જરા. આ બને નિર્જરામાં ભાવ સકામ નિર્જરા શ્રેષ્ઠ છે. આ નિર્જરાતત્ત્વ, બાર પ્રકારના તપના ભેદ કરી કહે છે. એટલે બાર પ્રકારના તપ કરવાથી અનાદિ સંબંધવાળા સર્વ કર્મો છૂટા પડે છે તેને નિર્જરાતત્ત્વ કહે છે. બાર પ્રકારના તપથી કર્મોની નિર્જરા થાય છે. તે તપના બે ભેદ છે. (૧) બાહ્ય તપ, (૨) આત્યંતર તપ. છ બાહ્ય તપ કહે છે. ૧ અનશન – આહારનો ત્યાગ. ૨ ઉણોદરી – ન્યૂનતા કરવી, ઉપકરણ અથવા આહાર પાણી જરૂરતથી ઓછાં વાપરવા. ૩ વૃત્તિ સંક્ષેપ – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આજીવિકાનો સંક્ષેપ કરવો એટલે અભિગ્રહ તથા નિયમ આદિ ધારવા. ૪ રસપરિત્યાગ – વિગય આદિ સારા સારા રસનો ત્યાગ કરવો. ૫ કાયકલેશ – તપ, લોચ આદિ શારીરિક કષ્ટનું સહન કરવું. ૬ પ્રતિસંલીનતા – યોગ, કષાય કે ઇન્દ્રિયો આદિનો નિગ્રહ કરે. આ ૬ પ્રકારના બાહ્ય તપ છે. જે તપમાં બાહ્ય કષ્ટો હોય તેને બાહ્ય તપ કહે છે. જે તપમાં બાહ્ય પરિષહો ગૌણરૂપે હોય તથા અંતરંગ શુદ્ધિથી થાય તેને આત્યંતર તપ કહે છે. છ આત્યંતર તપ કહે છે. ૧ પ્રાયશ્ચિત – કરેલા અપરાધની શુદ્ધિ કરવી, કપટરહિતપણે ૧ આત્મશુદ્ધિનાં લક્ષ્ય વિના, સમજ વિના, બાવા જોગી, બાલ તપસ્વી કે એકેન્દ્રિય આદિમાં, સમકિતની હાજરી વિના સહન કરવાથી થતી કર્મ નિર્જરા. ૨ આત્મશુદ્ધિનો આશય પૂર્વક તપ દ્વારા સમજ અને સમભાવ પૂર્વકની સમકિતની હાજરીમાં કષ્ટ સહન કરવાથી થતી કર્મ નિર્જરા સકામ નિર્જરા. Page #51 -------------------------------------------------------------------------- ________________ [૩૨] ) શ્રી બૃહદ જેન થોક સંગ્રહ લાગેલા દોષ ગુરુ આગળ પ્રગટ કરી તેની આલોયણા લેવી. ૨ વિનય - ગુરુ આદિની ભક્તિ કરવી તથા આશાતના ટાળવી. ૩ વૈયાવચ્ચ – અન્ન, પાણી, વસ્ત્ર તથા ઔષધ પ્રમુખે કરી યથાયોગ્ય સેવા ભક્તિ કરવી. ૪ સ્વાધ્યાય – તેના પાંચ ભેદ. ૧ પોતે ભણવું, શિષ્યાદિકને ભણાવવું તથા વાંચવું. ૨ સંદેહ પડવાથી ગુરુ આદિને પૂછવું. ૩ શીખેલું ફરી સંભારવું. ૪ ધારેલું ચિંતવન કરવું. પ ધર્મ સંબંધી કથા કહેવી તથા ઉપદેશ કરવો. ૫ ધ્યાન – આર્ત, રૌદ્ર એ બે ધ્યાન ટાળી ધર્મ અને શુક્લ એ બે ધ્યાન (મનની એકાગ્રતા) ધ્યાવવા. ૬ કાઉસ્સગ્ન- કાયા હલાવવી નહિ, દેહના મમત્વનો ત્યાગ કરવો. તે કાઉસ્સગ્ગ દ્રવ્ય તથા ભાવે એ બે ભેદ છે. એ છ ભેદને સમ્યફ દૃષ્ટિ જીવ તપ કરી માને. એમ બાર પ્રકારના તપે કરી નિર્જરા તત્ત્વ કહ્યું. | ઇતિ નિર્જરાતત્ત્વ. HF ૮ બંધતત્ત્વ આત્માના પ્રદેશોને કર્મ પુદ્ગલનાં દળ ખીર નીરની પેઠે, લોહપિંડ અગ્નિની પેઠે, લોલીભૂત થઈ બંધાય તેને બંધતત્ત્વ કહીએ. બંધતત્ત્વના ચાર ભેદ કહે છે. ૧ પ્રકૃતિબંધ – કર્મનો સ્વભાવ તથા પરિણામ. ૨ સ્થિતિબંધ કર્મની સ્થિતિ. ૩ અનુભાગબંધ – કર્મનો તીવ મંદાદિ રસ પરિણામરૂપ. ૪ પદેશબંધ – કર્મ પુદ્ગલના પ્રદેશ. ચાર પ્રકારના બંધ લાડવાના દષ્ટાંતે કહે છે. ૧પતિ બંધ – સુંઠ, પ્રમુખ પદાર્થ નાખી લાડવો કર્યો હોય તે વાયુ રોગનો નાશ કરે છે. જીરૂ પ્રમુખ ઠંડી વસ્તુ નાખી લાડવો કર્યો હોય તે પિત્તરોગનો નાશ કરે છે, ઇત્યાદિક જે દ્રવ્યના સંયોગે કરી તે લાડવો નીપજ્યો હોય તે દ્રવ્યના ગુણાનુસાર તે લાડવો વાત, પિત્ત Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ તથા કફાદિક રોગનો નાશ કરે છે તે તેનો સ્વભાવ જાણવો. તેમ જ્ઞાનાવરણીય કર્મનો અનંત જ્ઞાન ટાળવાના સ્વભાવ છે. અનંત દર્શન ટાળવાનો દર્શનાવરણીય કર્મનો સ્વભાવ છે. અનંત અવ્યાબાધ સુખને ટાળવાનો વેદનીય કર્મનો સ્વભાવ છે. સમ્યક્ત્વ તથા ચારિત્રને ટાળવાનો મોહનીય કમનો સ્વભાવ છે. અક્ષય સ્થિતિને ટાળવાનો આ... કર્મનો સ્વભાવ છે. અમૂર્તતાને ટાળવાનો નામ કમનો સ્વભાવ છે. અગુરુ લઘુ ગુણને ટાળવાન ગોત્ર કર્મનો સ્વભાવ છે. અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ તથા અનંત વીર્યને એટલે કે અનંતરાય ગુણ ટાળવાનો અંતરાય કર્મનો સ્વભાવ છે. ૨ સ્થિતિ બંધ – જેમ તે જ લાડવો પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ કે ચાર માસ સ્થિતિ સુધી રહી શકે છે, તેમ કોઈ કર્મ અંતર્મુહૂર્ત સુધી, કોઈ કર્મ વરસ સુધી, તો કોઈ કર્મ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ સુધી રહે છે. સ્વભાવ બંધાવાની સાથે જ, તે સ્વભાવથી અમુક સમય સુધી જુદા ન પડવાની મર્યાદા કર્મ પુદ્ગલોમાં નિર્મિત થાય છે તે કાળને સ્થિતિ બંધ કહે છે. - ૩ અનુભાગ બંધ – જેમ લાડવો કોઈ મીઠો હોય, કડવો હોય, કોઈ તીખો હોય તેમજ કોઈક લાડવાનો એકઠાણીઓ રસ હોય, કોઈનો બેઠાણીઓ રસ હોય, ઈત્યાદિ અનેક પ્રકારે અલ્પવિશેષ રસ હોય છે. તેમ કોઈ કર્મનો શુભ, તીવ્ર, મંદ વિપાક હોય છે અને કોઈ કર્મનો અશુભ, તીવ, મંદ વિપાક હોય છે. જેમ શાતાવંદનીયાદિકમાં કોઈકનો અશુભ રસ અલ્પ હોય અને કોઈકનો અશુભ રસ ઘણો હોય, તેને ત્રીજો અનુભાગ બંધ કહીયે. ૪ પ્રદેશ બંધ – તે જ લાડવો અલ્પ દળથી થયો હોય, તો કોઈ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી બ્રહ૬ જૈન થોક સંગ્રહ બહુદળથી થયો હોય અને કોઈ બહુતર દળથી થયો હોય તેમ કોઈ કર્મ પુદ્ગલનાં દળ થોડાં હોય છે તે કોઈના વધારે હોય છે. તેનું પરિમાણ (માપ) તે પ્રદેશ બંધ. આઠ કર્મની પ્રકૃતિ તથા સ્થિતિ ૧. જ્ઞાનાવરણીય કર્મ – આંખના પાટા સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. ૩૦ ક્રોડાકોડી સાગરોપમની. ૨. દર્શનાવરણીય કર્મ – રાજાના પોળીઆ સમાન, તેની નવ પ્રકૃતિ, સ્થિતિ જ. અંતમુહૂર્તની, ઉ. ૩૦ ક્રોડાકોડી સાગરોપમની. ૩. વેદનીય કર્મ – મધે ખરડ્યા ખડગ સમાન, તેની બે પ્રકૃતિ, સ્થિતિ જ. ૨ સમયની, ઉ. ૩૦ ક્રોડાકોડી સાગરોપમની. ૪. મોહનીય કર્મ – મદિરાના નશા સમાન, તેની અઠ્ઠાવીશ પ્રકૃતિ, સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. ૭૦ ક્રોડાકોડી સાગરોપમની. પ. આયુષ્ય કર્મ – હેડ (બેડી) સમાન, તેની ચાર પ્રકૃતિ, સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. ૩૩ સાગરોપમની. ૬. નામ કર્મ – ચિતારા સમાન, તેની એકસો ત્રણ પ્રકૃતિ, સ્થિતિ જ. આઠ મુહૂર્તની, ઉ. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની. ૭. ગોત્ર કર્મ – કુંભારના ચાકડા સમાન, તેની બે પ્રકૃતિ, સ્થિતિ જ. આઠ મુહૂર્તની, ઉ. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની. ૮. અંતરાય કર્મ – રાજાના ભંડારી સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. 30 ક્રોડાક્રોડી સાગરોપમની. ૩. અનુભાગબંધ સંક્ષેપથી બતાવે છે - રાગાદિકગ્રસ્ત જીવ, અભવ્ય જીવની રાશિથી અનંત ગુણા અને સિદ્ધના જીવોની રાશિને અનંતમા ભાગ જેટલા પરમાણુ નિષ્પન્ન કર્મકંધ સમય સમય પ્રત્યે ગ્રહણ કરે છે તે દળીને વિષે પરમાણુ દીઠ કષાયના વશથી સર્વ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ જીવની રાશિથી અનંત ગુણો રસ વિભાગના પરિચ્છેદ હોય, તે રસ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ તથા મંદ, મંદતર, મંદતમાદિ અનેક પ્રકારે હોય. ત્યાં અશુભ ધ્યાશી પાપ પ્રકૃતિનો તીવ્ર રસ સંકલશ પરિણામે કરી બંધાય અને શુભ બંતાલીસ પુણ્ય પ્રકૃતિનો તીવરસ વિશુદ્ધિ કરી બંધાય તથા મંદ રસાનુબંધ તેથી વિપર્યવ હોય તે આવી રીતે – શુભ પ્રકૃતિનો સંદરસ સંકલેશ પરિણામે કરી બંધાય અને અશુભ પ્રકૃતિનો પંદરસ વિશુદ્ધિએ કરી બંધાય. ૪. પ્રદેશબંધ સંક્ષેપથી કહે છે. – તે લોકને વિષે ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તેજસ, પ. ભાષા, ૬. શ્વાસોશ્વાસ, ૭ મન અને ૮ કાર્મણ. એ આઠ જાતની પુદ્ગલની વર્ગણા છે. તે એકેકી વર્ગણા જીવને ગ્રહણ યોગ્ય તથા અગ્રહણ યોગ્ય એવા બે પ્રકારે છે. પ્રથમ બે પ્રદેશથી માંડીને અભવ્યથી અનંત ગુણ અધિક ઔદારિક વર્ગણા તે થોડો પ્રદેશ અને ધૂળ માટે જીવને અગ્રહણ યોગ્ય વર્ગણા જાણવી. બીજી ઔદારિક ગ્રહણ કરવા યોગ્ય તે પણ અનંતી વર્ગણા જાણવી. ત્યારપછી ઘણા પ્રદેશ અને સૂક્ષ્મ પરિણામ માટે ઔદારિકને અગ્રહણ યોગ્ય તથા વૈક્રિયની પણ અગ્રહણ યોગ્ય એમ બેઉને અગ્રહણ યોગ્ય તે પણ અભવ્યથી અનંત ગુણાધિક વર્ગણા જાણવી. ત્યાર પછી વૈક્રિયને ગ્રહણ યોગ્ય વગણા જાણવી. એમ સર્વ આઠ જાતિની વર્ગણા તે વિષે ગ્રહણ યોગ્ય અને અગ્રહણ યોગ્ય વર્ગણા જાણવી. ઇતિ બંધતત્ત્વ. ૯, મોક્ષતત્ત્વ FE સકળ આત્માના પ્રદેશથી, સકળ કર્મનું છૂટવું, સકળ બંધનથી મૂકાવું, સકળ કાર્યની સિદ્ધિ થાય તેને મોક્ષતત્ત્વ કહીએ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૫ ભેદે સિદ્ધ થાય તે કહે છે. ૧. તીર્થ સિદ્ધા – તીર્થંકરે તીર્થ સ્થાપ્યા પછી જે મોક્ષે જાય તે, ગણધર પ્રમુખ. ૨. અતીર્થ સિદ્ધા – તીર્થંકરે તીર્થ સ્થાપ્યા પહેલાં તથા તીર્થ વિચ્છેદ થયા બાદ જે મોક્ષે જાય તે, મરૂદેવી માતા પ્રમુખ. ૩. તીર્થંકર સિદ્ધા – તીર્થંકર પદવી પામીને મોક્ષે જાય તે, ઋષભદેવ ભગવાન આદિ અરિહંત ભગવાન. ૪. અતીર્થંકર સિદ્ઘા – તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઈ મોક્ષે જાય તે. ૫. ગૃહસ્થલિંગ સિદ્ઘા – ગૃહસ્થના વેષે રહ્યા થકા મોક્ષે જાય તે, મરૂદેવી માતા પ્રમુખ. ૬. અન્યલિંગ સિદ્ઘા – યોગી, સંન્યાસી પ્રમુખ તાપસના વેષે મોક્ષે જાય તે, વલ્કલચી૨ી આદિ. ૭. સ્વલિંગ સિદ્રા – સાધુના વેષે મોક્ષે જાય તે, શ્રી જંબુસ્વામી વગેરે સાધુ મુનિરાજો. ૮. સ્ત્રીલિંગ સિદ્ધા – સ્ત્રી લિંગે મોક્ષે જાય તે, ચંદનબાળા આદિ. ૯. પુરુષલિંગ સિંદ્ધા – પુરુષ લિંગે મોક્ષે જાય તે, ગૌતમાદિક. ૧૦. નપુંસકલિંગ સિદ્ધા – નપુંસક લિંગે મોક્ષે જાય તે, ગાંગેય અણગાર પ્રમુખ. ૧૧. પ્રત્યેકબુદ્ધ સિદ્ધા – કોઈ પદાર્થ દેખીને પ્રતિબોધ પામવાથી પોતાની મેળે ચારિત્ર લઈ મોક્ષે જાય તે, ક૨કંડુ પ્રમુખ. ૧૨. સ્વયંબુદ્ધ સિંદ્ધા – ગુરુના ઉપદેશ વિના પોતાની મેળે જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબોધ પામી મોક્ષે જાય તે, કપિલ આદિ. Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવ તત્ત્વ ૧૩. બુદ્ધબોહી સિદ્ધા– ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી મોક્ષે જાય તે ૧૪. એક સિદ્ધ -- એક સમયમાં એક જીવ મોક્ષે જાય તે. ૧૫. અનેક સિદ્ધા – એક સમયમાં ઘણા જીવ મોક્ષે જાય છે, ઋષભદેવ સ્વામી પ્રમુખ. એ પંદર ભેદ સિદ્ધના જાણવા. યદ્યપિ તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ એ બે ભેદમાં બીજા તેર ભેદ આવી જાય છે, છતાં વિશેષ સમજાવવા માટે પંદર ભેદ કહ્યા છે. ચાર કારણે જીવ મોક્ષે જાય તે કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના સંયોજનથી જીવ મોક્ષે જાય. મોક્ષના નવ દ્વાર કહે છે. સત્ત, દબ, ખેર, ફાસ, કાલ, ભાગ, ભાવ ચેવ ! અંતર, અપ્પ, બહુત્ત, એ નવ મોમ્બ દારાણી ! ૧ સત્પદપ્રરૂપણાકાર, ૨ દ્રવ્યવાર, ૩ ક્ષેત્રધાર, ૪ સ્પર્શના દ્વાર, પ કાળદ્વાર, ૬ અંતરદ્વાર, ૭ભાગદ્વાર, ૮ ભાવઠાર, ૯ અલ્પબdદ્વાર. (૧) સત્પદપ્રરૂપણાકાર – મોક્ષ ગતિ પૂર્વ કાળે હતી, હમણાં પણ છે, આવતા કાળ હશે, તની અસ્તિ છે, પણ આકાશના ફૂલની પેરે નાસ્તિ નથી. (૨) દ્રવ્યદ્વાર – સિદ્ધ અનંતા છે, અભવ્ય જીવથી અનંતગુણા અધિક છે. વનસ્પતિ વજીને ૨૩ દંડકથી સિદ્ધના જીવ અનંતગણ અધિક છે. (૩) ક્ષેત્રદ્વાર – તે સિદ્ધશિલા પ્રમાણે છે, સિદ્ધશિલા ૪૫ લાખ જોજનની લાંબી પહોળી છે અને ત્રિગુણી ઝાઝેરી પરિધિ છે. ત્યાંથી એક જોજન ઊંચપણે છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષ (૩૩૩ ધનુષ્યને ઉર આગળ પ્રમાણ ક્ષેત્રમાં) સિદ્ધ રહ્યા છે. (૪) સ્પર્શનાદ્વાર – સિદ્ધક્ષેત્રથી કાંઈક અધિકી સિદ્ધની સ્પર્શના છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ [૩૮] ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૫) કાળદ્વાર – તે એક સિદ્ધ આથી સાદિઅનંત, સર્વ સિદ્ધ આથી અનાદિ અનંત. (૬) અંતરદ્વાર -- તે ફરી સિદ્ધને સંસારમાં આવવું નથી અને એક સિદ્ધ ત્યાં અનંતા સિદ્ધ છે. અનંતા સિદ્ધ ત્યાં એક સિદ્ધ છે એટલે બે સિદ્ધમાં અંતર નથી. (૭) ભાગદ્વાર – ત સિદ્ધના જીવ સઘળા જીવને અનંતમે ભાગે છે, લોકને અસંખ્યાતમે ભાગે છે. (૮) ભાવઢાર – તે સિદ્ધમાં ક્ષાયિકભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમકિત છે અને પરિણામિક ભાવ તે સિદ્ધપણું જાણવું. (૯) અલ્પબહુવૈદ્વાર –- તે સર્વથી થોડા નપુંસક સિદ્ધ, તેથી સ્ત્રી સંખ્યાતગુણી સિદ્ધ, તેથી પુરૂષ સંખ્યાતગુણા સિદ્ધ. એક સમયે નપુંસક ૧૦ સિદ્ધ થાય, સ્ત્રી ર૦ સિદ્ધ થાય, પુરૂષ ૧૦૮ સિદ્ધ થાય. - ૧૯ બોલનો ધણી મોક્ષે જાય તે કહે છે. ૧ –સપણે, ૨ બાદરપણે, ૩ સંજ્ઞીપણે ૪ વજઋષભનારાચ સંઘયણપણે, ૫ શુક્લધ્યાનપણે, ૬ મનુષ્યગતિ, ૭ ક્ષાયિકસમકિત, ૮ યથાવાતચારિત્ર, પંડિતવીર્ય, ૧૦ કેવળજ્ઞાન, ૧૧ કેવળદર્શન, ૧૨ ભવ્યસિદ્ધિક, ૧૩ પરમશુક્લલશી, ૧૪ ચરમ શરીરી, ૧૫ પર્યાપ્ત, ૧૬ અવેદી, ૧૭ અપ્રમાદી, ૧૮ અકષાયી, ૧૯ સ્નાતક. જઘન્ય બે હાથની અવગાહનાવાળો, ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની અવગાહનાવાળો, જઘન્ય નવ વરસનો, ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો, કર્મભૂમિનો મનુષ્ય હોય તે મોલમાં જાય. ઈતિ મોક્ષતત્ત્વ. ઇતિ નવતત્ત્વ સંપૂર્ણ. Page #58 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - શ્રી પચ્ચીસ ક્રિયા ફિ૩િ૯] Sી (૨ પચ્ચીસ ક્રિયા) ) - (દાણાંગસૂત્ર શ. ર, ઉ. ૧, શ. ૫ ઉ. ૨) કર્મબંધની કારણભૂત ચેષ્ટા તે ક્રિયા. જેનાથી કર્મ આવે તે ક્રિયા. ૧. કાઇયા ક્રિયા – તેના બે ભેદ. ૧. અણુવરયકાઈયા તે વ્રત પચ્ચકખાણ દ્વારા જેમણે આશ્રવનો નિરોધ કર્યો નથી તેને લાગે. ૨. દુપત્તિકાઈયા તે વ્રત પચ્ચખાણ કર્યા બાદ પણ આયત્નાએ શરીર પ્રવર્તાવે તેને લાગે. ૨. અહિંગરણિયા ક્રિયા- ૧. સંજોજનાહિગરસિયા તે જે શસ્ત્રો (ચાકૂ છરી, તલવાર ઈ.) અધૂરા હોય તે પૂરાં કરવાં અથવા તૂટેલા હોય તેને સરખાં કરીને આરંભના કાર્યમાં લેવા. ૨. નિવ્રત્તાહિગરણિયા – તે નવાં શસ્ત્રો બનાવી એકઠા કરે અને વચ તેની ક્રિયા લાગે. ૩. પાઉસિયા ક્રિયા -- ૧. જીવ પાઉસિયા તે મનુષ્ય, પશુ આદિ કોઈ પણ જીવ પર ઈર્ષા, દેપ–ક્રોધ આદિ રૂપ અશુભ પરિણામ કરવાં. ૨ અજીવ પાઉસિયા તે વસ્ત્ર, ઘરેણાં, મકાન આદિ અજીવ વસ્તુ પર કરવો. ૪. પારિતાવણિયા ક્રિયા – ૧. સહથ્થ પારિતાવણિયા તે પોતાને હાથે પોતાને તથા પરને મારપીટ કરે. કઠોર વચન કહીને દુઃખી કરે, કષ્ટ આપે. ૨. પરહથ્થ પારિતાવણિયા તે પરના હાથે પોતાને તથા પરને મારપીટ કરી કષ્ટ આપતાં લાગે છે. પ. પાણાઇવાઇયા ક્રિયા -- ૧ સહથ્થ પાણાઈવાઇયા તે પોતાના હાથે પોતાનાં (આપઘાત) તથા પરનાં પ્રાણ હરણ કરે (શિકાર ખેલે). ૨.પરહથ્થ પાણાઇવાઈયા તે પરના હાથે પોતાનાં Page #59 -------------------------------------------------------------------------- ________________ (૪૦) રી_ ૪૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ તથા પરનાં પાણ હરણ કરે. ૬. આરંભિયા ક્રિયા - ૧ જીવ આરંભિયા તે જીવનાં નિમિત્તે છકાયનાં જીવનો આરંભ, હિંસા કરે. ૨. અજીવ આરંભિયા તે કપડાં, મૃત શરીરાદિ અજીવને નષ્ટ કરવા નિમિત્તે આરંભ કરે. ૭. પરિગ્રહિયા ક્રિયા- ૧. જીવ પરિગ્રહિયા તે કુટુંબ, નોકર, ગાય, ભેંસાદિ ત્રસ અને અનાજ, ફળાદિ સ્થાવર જીવોનો પરિચહ મમત્વભાવથી રાખે તેની ક્રિયા લાગે. ૨. અજીવ પરિગ્દહિયા તે વસ્ત્ર, આભૂપણ, મકાન આદિ અજીવનો પરિગ્રહ મમત્વથી રાખે તેની ક્રિયા લાગે છે. ૮. માયાવત્તિયા ક્રિયા – ૧ આયભાવ વંકણયા તે પોતે માયાયુક્ત વિચાર કરે, દગાબાજી કરે અને પોતાના આત્માને જ છેતરે તેની ક્રિયા લાગે. ૨. પરભાવ વંકણયા – બીજાનાં ભાવોને જાણી જોઈને વિકૃતરૂપે રજૂ કરે તે. ૯. અપચ્ચકખાણ વત્તિયા ક્રિયા – ૧ જીવ અપચ્ચકખાણ ક્રિયા તે જીવ જેમ કે મનુષ્ય, પશુ આદિની માલિકીની મર્યાદાનાં કે સર્વથા પચ્ચક્ખાણ ન કરે. ૨. અજીવ અપચ્ચકખાણ ક્રિયા તે સોનું, ચાંદી, મદિરા આદિ અજીવનાં પચ્ચખાણ ન કરે તેની ક્રિયા લાગે છે. ૧૦. મિચ્છાદંસણ વત્તિયા ક્રિયા – ૧ ઉણાઇરિત મિચ્છાદંસણ વરિયા તે જિનશ્વર દેવનાં જ્ઞાનથી ઓછી, અધિક શ્રદ્ધા તથા પ્રરૂપણા કરે. જેમકે જીવ અંગુઠા માત્ર છે કે એક જીવ સર્વ લોક બ્રહ્માંડ માત્રમાં વ્યાપી રહ્યો છે. ૨. તવારિત મિચ્છાદંસણ વત્તિયા તે જિનેશ્વર દેવનાં જ્ઞાનથી વિપરીત પ્રરૂપણા કરે જેમકે આત્મા છે જ નહિ અથવા જીવને અજીવ, અજીવને જીવ માને. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્ચીસ ક્રિયા ૪૧ ૧૧. દિઢિયા ક્રિયા - ૧. જીવ દિક્રિયા તે હાથી, ઘોડા, સરકસ, બગીચા વિ. જોવા જવાથી લાગે. ૨. અજીવ દિક્રિયા તે મહેલ, ચિત્રામણ આદિને (કુતૂહલપૂર્વક) જોવા જવાથી તેની ક્રિયા લાગે તે. ૧૨. પુક્રિયા ક્રિયા – ૧. જીવ પુક્રિયા તે સ્ત્રી, પુરૂષ, પશુ આદિ જીવોનાં અંગોપાંગનાં સ્પર્શથી ઉદ્ભવતી રાગદ્વેષની પરિણતિથી ક્રિયા લાગે. ૨. અજીવ પુક્રિયા તે વસ્ત્ર, આભૂપણ આદિ અજીવનાં સ્પર્શથી થતી રાગદ્વેષની પરિણતિથી ક્રિયા લાગે. ૧૩. પાડુચ્ચિયા ક્રિયા -- ૧. જીવ પાડુચ્ચિયા તે કુટુંબીજનો, શિષ્ય, ગ્રૂ આદિ જીવના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષ કરવાથી લાગે તે.૨. અજીવ પાડુચ્ચિયા તે મકાન, વસ્ત્ર આદિ અજીવ ચીજોના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષ કરવાથી લાગે તે. ૧૪. સામંતોવણિવાઇયા ક્રિયા – ૧ જીવ સામંતોવણિવાઇયા તે નોકર, ઘોડા, હાથી વિ. જીવનો સંગ્રહ કરે, તેની પ્રશંસા સાંભળી આનંદ પામે. ૨. અજીવ સામંતોણિવાઇયા તે મહેલ, વસ્ત્ર, આભૂષણાદિ અજીવનો સંગ્રહ કરે તેની પ્રશંસા સાંભળી આનંદ પામે. (અથવા દૂધ, દહીં, ઘી, તેલ વિ. ના વાસણ ઉઘાડાં રહી જતાં જીવહિંસા થાય તેની ક્રિયા લાગે તેવો અર્થ પણ કરવામાં આવે છે. ૧૫. સાહત્યિયા ક્રિયા – ૧. જીવ સાહત્યિયા તે ફૂંકડાં, સર્પ, હાથી વિ. જીવોને પોતાના હાથે હણે અથવા પરસ્પર લડાવે તથા મનુષ્યોને કુસ્તી કરાવે, ચાડી ફૂગલી કરી ઝઘડાં કરાવે તેની ક્રિયા લાગે તે.૨. અજીવ સાહત્થિયા તે અજીવ વસ્તુને સામસામે અકાળીને તોડે (તલવારથી લાકડી તોડે વિ.) તેની ક્રિયા લાગે તે. ૧૬. નેસન્થિયા ક્રિયા – ૧. જીવ નેસન્થિયા તે જૂ, લીખ, - Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪િ૨ િ| શ્રી બ્રહદ્દ જૈન થોક સંગ્રહ માંકડ જેવા નાના અથવા મોટાં જીવોને ફેકે તેમ જ ફૂવારામાંથી પાણી છોડવાથી, વાવ કૂવા ખોદાવવાથી તેની ક્રિયા લાગે ત. ૨. અજીવ નેસલ્વિયા તે તલવાર, બાણ, લાકડી, પુસ્તક, પેન આદિ અજીવ વસ્તુ યત્નાથી ફેકે તેની ક્રિયા લાગે છે. ૧૭. આણવણિયા ક્રિયા-- ૧. જીવ આણવણિયા તે સજીવ વસ્તુ મંગાવે અથવા આજ્ઞા વગર ગ્રહણ કરે. ૨. અજીવ આણવણિયા તે અજીવ વસ્તુ મંગાવે અથવા આજ્ઞા વગર ગ્રહણ કરે. ૧૮. વેદારણિયા ક્રિયા -- ૧. જીવ વેદારણિયા તે શાક, અનાજ, પશુ આદિ સજીવના ટૂકડા કરવાથી લાગે તે. ૨. અજીવ વેદારણિયા તે મકાન, લાકડાં, વસ્ત્ર, કાગળ આદિ તોડે અથવા કપાયવશ કટકા કરે તેની ક્રિયા લાગે. (જીવ અજીવનાં વ્યવહારમાં બે વ્યક્તિ ને સમજાવી સોદા કરવાથી અથવા કોઈને ઠગવા માટે કોઈ વસ્તુની પ્રશંસા કરવાથી લાગે.) ૧૯. અણાભોગવત્તિયા ક્રિયા – ૧ અણઉત્ત આયણતા તે વસ્ત્ર, પાત્ર આદિને ઉપયોગ રહિત, અસાવધાનપણે, અત્નાએ ગ્રહણ કરવાથી અને પ્રતિલેખન ન કરવાથી, રાખી મૂકવાથી ક્રિયા લાગે. ૨. અણઉત્ત પમwણતા તે ઉપયોગ વિના વસ્ત્ર, પાત્રાદિન પૂજે. અસાવધાનીથી પતિલેખન કરવાથી લાગે. ૨૦. અણ વકંખવત્તિયા ક્રિયા – ૧. આય શરીર અણવકંખવત્તિયા તે પોતાનાં હિતની ઉપેક્ષા કરી શરીર આદિને હાનિ પહોંચાડવાથી લાગે. ૨. પર શરીર અણવતંખવત્તિયા તે બીજાને હાનિ પહોંચાડવાથી લાગે. (આલોક-પરલોકની પરવા ન કરી બન્ને લાક બગડે તેવા કાર્ય કરવાથી કિયા લાગે.) Page #62 -------------------------------------------------------------------------- ________________ બી પચ્ચીસ ક્રિયા ૨૧. પેજવત્તિયા ક્રિયા – ૧. માયાવત્તિયા તે રાગવશ માવા કપટ કરવાથી લાગે. ૨. લોભવત્તિયા તે રાગવશ લોભ કરવાથી લા. ત. ૨૨. દોસવત્તિયા ક્રિયા – ૧. ક્કોહે તે હેપ વશ ક્રોધ કરવાથી લાગે. ૨. માણે તે દ્રષવશ માન કરવાથી લાગે તે. ર૩. Lઉગ ક્રિયા - ૧ મણપ્પીંગ ક્રિયા તે મનના યોગ અશુભ કરવાથી, ૨. વયપ્પઉગ ક્રિયા તે વચનનાં યોગ અશુભ કરવાથી. ૩. કાયuઉગ ક્રિયા તે કાયાનાં યોગ અશુભ કરવાથી. ૨૪. સામુદાણિયા ક્રિયા - એક કામ ઘણો જણ ભેગા મળીને કરે જેમકે વેપાર, જ ના, મહારાજ. નાટક, સિનેમા જવું વિ. પ્રસંગોમાં આ ક્રિયા લાગે. ૧ અનંતર સામુદાણિયા તે અંતર રહિત ક્રિયા લાગે. ૨. પરંપર સામુદાણિયા ત અંતર સહિત ક્રિયા લાગે. ૩. તદુભય સામુદાણિયા ત ત ર સહિત અને અંતર રહિત ક્રિયા લાગે છે. ૨૫. ઇરિયાવહિયા ક્રિયા - કપ રહિત જીવોને (વીતરાગીન) માત્ર યોગને પ્રવર્ત ધી લાગતી ક્રિયા. તેના ત્રણ ભેદ, ૧ ઉપશાંત મોહ વીતરાગ, ૨. ક્ષીણ મોહ વીતરાગ. ૩. સયોગી કેવલી. ઇતિ પચ્ચીસ ક્રિયા સંપૂર્ણ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહદ્ર જૈન થોક સંગ્રહ Sી ૩. છ કાયના બોલ S. શ્રી પન્નવણા સૂત્ર પદ – ૧ છકાયના નામ, ૧. ઇદ્ર સ્થાવર કાય. ૨. બ્રહ્મ સ્થાવર કાય. 3. શિલ્પ સ્થાવર કાય. ૪. સુમતિ સ્થાવર કાય. ૫. પ્રજાપતિ સ્થાવર કાય. ૬. જંગમ કાય. છકાયના ગોત્ર, ૧. પૃથ્વીકાય. ૨. અપકાય. ૩. તેઉકાય. ૪. વાઉકાય છે. વનસ્પતિકાય. ૬. ત્રસકાય. પ્રથમ પૃથ્વીકાયનો વિસ્તાર પૃથ્વીકાયના બે ભેદ:- ૧. સૂક્ષ્મ, ૨. બાદર, ત બના ૧ અપર્યાપ્તા અને ૨. પર્યાપ્તા એમ કુલ ચાર ભેદ. * સૂક્ષ્મ તે આખા લોકમાં ભર્યા છે. હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, અગ્નિમાં બળ નહિ, પાણીમાં ડૂબે નહિ, નજરે દેખાય નહિ, બે ભાન થાય નહિ, ફકત જ્ઞાની જ જાણે અને દેખે તેને સૂક્ષ્મ કહીએ. બાદર પૃથ્વીકાય લોકના દેશ (અમક) ભાગમાં ભર્યા છે. હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળ, પાણીમાં ડૂબ, નજરે દેખાય અથવા ન પણ દેખાય, બે ભાગ થાય, તન બાદર કહીએ. તે બાદર પૃથ્વીના બે ભદ. ૧. સુંવાળી ૨. ખરખરી. ૧. સુંવાળીના સાત ભેદ – ૧ કાળી માટી, ૨ નીલી માટી, 3 રાતી માટી. ૪ પીળી માટી, પ ધોળી માટી, ૬ ગોપીચંદનની માટી, ૭ પરપડી માટી. ૨. ખરખરીના બાવીસ ભેદ – ૧ ખાણની માટી, મરડીયા (વળાંકવાળા) પાપાણીની માટી, 3 મોટી વેળુની માટી, ૪ પથ્થરના કટકાની માટી, ૫ મોટી શિલાઓની માટી, દ ખા રાની માટી, Page #64 -------------------------------------------------------------------------- ________________ A શ્રી છકાયના બોલ વિ૪િ૫] 9 લૂણની માટી, ૮ જસતની માટી, ૯ લોઢાની માટી, ૧૦ સીસાની માટી, ૧૧ ત્રાંબાની માટી, ૧૨ રૂપાની માટી, ૧૩ સોનાની માટી, ૧૪ વજે હીરાની માટી, ૧૫ હરિયાલની માટી, ૧૬ હીંગળકની માટી, ૧૭ મણસીલની માટી ૧૮ પારાની માટી, ૧૯ સરમાની માટી, ૨૦ પવાલાની માટી, ૨૧ અબરખની માટી, ૨૨ અબરખના રજની માટી. અઢાર જાતિનાં રત્ન – ૧ ગોપીચ રત્ન, ર રૂચક રત્ન, ૩ અંક રન, ૪ સ્ફટિક રત્ન, પ લોહિતાક્ષ રત્ન, દ મરકત રત્ન, ૭ મસારગલ રત્ન, ૮ ભૂખૂચક રત્ન, ૯ ઇન્દ્રનીલ રત્ન, ૧૦ ચંદ્રનીલ રત્ન, ૧૧ ગરૂડી રત્ન, ૧૨ હંસગર્ભ રત્ન, ૧૩ પોલાક રત્ન, ૧૪ સૌગંધિક રત્ન, ૧૫ ચંદ્રપ્રભ રત્ન, ૧૬ વૈર્ય રત્ન, ૧૭ જલકાન્ત રત્ન, ૧૮ સૂર્યકાન્ત રત્ન. એ ૭ સુંવાળી + ૨૨ ખરખરી (કાંકરા) + ૧૮ રત્ન એમ ૪૭ જાતની પૃથ્વીકાય સિદ્ધાંતમાં કહી છે. એ ઉપરાંત ઘણી જાતની પૃથ્વીકાય છે. તે પૃથ્વીકાયના એક કટકામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંત કહ્યાં છે. તે પૃથ્વીકાયમાંથી જુવાર તથા પીલ જેટલી પૃથ્વીકાય લઈએ અને તેમાંથી એક એક જીવ નીકળી પારેવા જવડી કાયા કરે તો એક લાખ યોજનનો જંબુદ્વીપ છે તેમાં તે જીવો સમાય નહિ. એક પર્યામની નેશ્રાયે અસંખ્યાત | અપર્યાપ્ત છે. પૃથ્વીકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ જુદું જુદું છે તેની વિગતઃ સુકુમાળ માટીનું આયુષ્ય છે. એક હજાર વર્ષનું, શુદ્ધ માટીનું આયુષ્ય ઉ. બાર હજાર વર્ષનું, * એક જીવ પર્યાપ્ત થાય ત્યારે ત્યાં જ બીજા સાથે અન્ન થયેલા અસંખ્યાતા જીવ અપર્યાપ્ત અવસ્થામાં જ મરે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪િ૬] ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ વેળુ રેતીનું આયુષ્ય ઉ. ચૌદ હજાર વર્ષનું, મણસીલનું આયુષ્ય ઉ. સોળ હજાર વર્ષનું કાંકરાનું આયુષ્ય છે. અઢાર હજાર વર્ષનું, વજ હીરા તથા ધાતુનું આયુષ્ય ઉ. બાવીસ હજાર વર્ષનું છે. કુળ ૧૨ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન (આકાર) મસુરની દાળ જેવું છે. વર્ણ પીળો છે. તેની દયા પાળીએ તો મોક્ષના અનંતા સુખ પામીએ. | ઇતિ પૃથ્વીકાયના ભેદ. - બીજો અપકાયનો વિસ્તાર અપકાય (પાણી) ના બે ભેદ -- સૂક્ષ્મ અને બાદર. તે બન્નેનાં ૧. અપર્યાપ્તા અને ૨. પર્યાપ્તા અમ કુલ ચાર ભેદ, બાદર પાણીનાં ૧૭ ભેદ છે તેના નામ – ૧ ઠારનું પાણી, ૨ હિમનું પાણી, ૩ ધૂયરનું પાણી, ૪ મેઘ રવાનું પાણી, ૫ તૃણ ઉપર જામે તે પાણી, દ કરાનું પાણી, ૭ આકાશનું પાણી, ૮ ટાઢું પાણી, ૯ ઉનું પાણી, ૧૦ ખારું પાણી, ૧૧ ખાટું પાણી, ૧૨ લવણ સમુદ્રનું પાણી, ૧૩ મધુર રસ સરખું પાણી, ૧૪ દૂધ સરખું પાણી, ૧૫ ઘી સરખું પાણી, ૧૬ શેરડીના રસ સરખું પાણી, ૧૭ સર્વ રસદ સરખું પાણી. એ ઉપરાંત અપકાયના ઘણા ભેદ છે. તે પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંતે કહ્યાં છે. તેમાંથી એક એક જીવ નીકળીને સરસવના દાણા જેવડી કાયા કરે તો એક લાખ યોજનનો જંબુદ્વીપ છે તેમાં તે જીવો સમાય નહિ. એક પર્યાયની નેશ્રા અસંખ્યાતા અપર્યાપ્ત છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ 9000 વર્ષનું છે. તેનાં કુળ ૭ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન પાણીનાં પરપોટા જેવું છે. વર્ણ સફેદ છે. તેની દયા પાળીએ તો મોક્ષના અનંતા સુખ પામીએ. ઇતિ અપકાયનો વિસ્તાર. Page #66 -------------------------------------------------------------------------- ________________ - - - - - શ્રી છકાયના બોલ - ત્રીજો તેઉકાયનો વિસ્તાર - તેઉકાય (અગ્નિ) ના બે ભેદ - સૂક્ષ્મ અને બાદર. તે બન્નેના ૧. અપર્યાપ્તા અને ૨. પર્યાપ્તા એમ કુલ ચાર ભદ. બાદર તેઉકાય ફક્ત અઢીદ્વીપમાં છે. તે બાદર અગ્નિકાયનાં ૧૪ ભેદ છે તેના નામ :- ૧ અંગારાની અગ્નિ, ર ભરહાડની અગ્નિ, ૩ તૂટતી જ્વાલાની અગ્નિ, ૪ અખંડ જ્વાલાની અગ્નિ, પ ઉંબાડાને અગ્નિ, ૬ ચકમકની અગ્નિ.૭ વિજળીનો અગ્નિ, ૮ તારાની અગ્નિ, ૯ અરણીનો અગ્નિ, ૧૦ વાંસની અગ્નિ, ૧૧ કાટકાની અગ્નિ, ૧૨ સૂર્ય સામાં ચમા ધરે તેમાંથી ઝરે તે અગ્નિ, ૧૩ દાવાનળની અગ્નિ, ૧૪ નીંભાડાને અગ્રિ. એ ઉપરાંત અગ્નિનાં ઘણાં ભેદ છે. તે એક અગ્નિના તણખામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંતે કહ્યાં છે. તેમાંથી એકેકો જીવ નીકળીને ખસખસના દાણા જેવડી કાયા કરે તો એક લાખ યોજનનો જંબુદ્વીપ છે તેમાં તે જીવો સમાય નહિ. એક પર્યાપ્તની નિશ્રાયે અસંખ્યાત અપર્યાપ્ત છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું , ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિનું છે. તેનાં કુળ ૩ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન (આકાર) સોયના ભારા જેવું છે. વર્ણ લાલ છે. તેની દયા પાળીએ તો મોક્ષના અનંતા સુખ પામીએ. ઇતિ તેઉકાયનો વિસ્તાર. ચોથો વાઉકાયનો વિસ્તાર વાઉકાયના બે ભેદ – સૂક્ષ્મ અને બાદર. તે બન્નેનાં ૧. અપર્યાપ્તા અને ૨. પર્યાપ્તા એમ કુલ ચાર ભેદ. ૧ એવી અગ્નિ કે જેની જ્વાળાઓ એક સરખી લંબાઈની નહોય પણ વચમાં તૂટી પડતી હેય. ૨ લુહારની ભઠ્ઠી. ૩ જંગલમાં ઝાડ ઘસાવાથી ઉત્પન્ન થાય તે. ૪ જ્યાં કુંભાર માટલાને પકાવવા અગ્નિ કરે તે. - - - - - - - - Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ બાદર વાયરાના ૧૩ ભેદ, તેના નામ – ૧ પૂર્વ દિશાના વાયરો, ૨ પશ્ચિમ દિશાનો વાયરો, ૩ ઉત્તર દિશાનો વાયરો, ૪ દક્ષિણ દિશાનો વાયરો. ૫ ઉર્ધ્વ દિશાનો વાયરો, દ અધોદિશાનો વાયરા, ૭ તિર્યફ દિશાને વાયરો, ૮ વિદિશાનો વાયરો, ૯ વાયુ ઝામી વાયરો, ૧૦ ઉકલીયો વાયરો, ૧૧ મંડલીયો વાયરો, ૧૨ ગુંજ વાયરો, ૧૩ મુંઝ વાયરો, ૧૪ સંવર્તક વાયરો, ૧૫ ઘન વાયરો, ૧૬ તનુ (પાતળા) વાયરો, ૧૭ શુદ્ધ વાયરો. એ ઉપરાંત વાયુકાયના ઘણા ભેદ છે. તે વાયુકાયના એક વખત ફરકવામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવતે કહ્યાં છે. તેમાંથી એક એક જીવ નીકળીને વડના બીજ જેવડી કાયા કરે તો એક લાખ યોજનનો જંબુદ્વીપ છે તેમાં તે જીવો સમાય નહિ. એક પર્યાપ્તની નેશ્રાવે અસંખ્યાત અપર્યાપ્ત છે. તે બાદર વાયરો શા થકી હણાય છે ? ઉઘાડે મોઢે બોલતાં, ચપટી વગાડતાં, અત્નાથી ટાંકા વગાડતાં, વિંઝણે (હાથ પંખો) વીંઝતા, રેંટિયો કાંતતા, ફાળકો ફૂંકારતાં, સૂપડું કે કપડું ઝાટકવાથી, ખાંડણિયે ખાંડતાં, ઘંટીએ દળતા, કલબલીયાં વગાડતાં, ઢોલકું વગાડતાં, પીપુડું વગાડતાં. તાળી વગાડવાથી, હિંચકે હિંચકવાથી, એ આદિ લઈને ઘણી જાતનાં શસ્ત્ર કરી વાયરાના અસંખ્યાતા જીવ હણાય છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુર્તનું, ઉત્કૃષ્ટ ઉOCC વર્ષનું છે. તેનાં કુળ ૭ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન ધ્વજા પતાકા જેવું છે. વર્ણ નીલો છે. તેની દયા પાળીએ તે મોક્ષના અનંતા સુખ પામીએ. ઇતિ વાઉકાય. પાંચમો વનસ્પતિકાયનો વિસ્તાર તો વનસ્પતિકાયના બે ભેદ સૂકમ બેન બાદર. તેમાં બાદર વનસ્પતિના બે ભેદ પ્રત્યેક (એક શરારે એક -- - -- Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી છકાયના બોલ ૪િ૯] જીવ હોય તે) અને સાધારણ (એક શરીર અનંત જીવ હોય તે). આમ સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ એ ત્રણનાં અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી વનસ્પતિકાયના ૬ ભેદ, પ્રત્યેક વનસ્પતિના બાર ભેદ – ૧ વૃક્ષ, ૨ ગુચ્છ, ૩ ગુલ્મ, ૪ લતા, પ વેલા, ૬ પાવગ, ૭ તૃણ, ૮ વળીયા, ૯ હરીતકાય, ૧૦ ઔષધિ, ૧૧ જલવૃક્ષ, ૧૨ કોસંડ. ૧ વૃક્ષ – વૃક્ષના બે ભેદ. ૧ એકઅઢિ તે એક ફળમાં એક બીજ હોય. તે ૧ હરડાં, ૨ બેડા, ૩ આંબળાં, ૪ અરીઠાં, ૫ ભીલામાં, ૬ આસોપાલવ, ૭ આંબો, ૮ મીડો, ૯ રાયણ, ૧૦ જાંબુ, ૧૧ બોર, ૧૨ લીંબોળી, એ આદિ એકઅદ્ધિના ઘણાં ભેદ છે. ૨ બહુઅઢિ તે એક ફળમાં વધારે બીજ હોય. તે ૧ જામફળ, ર સીતાફળ, ૩ દાડમ, ૪ બીલાં, ૫ કોઠાં, ૬ કેરાં, ૭ લીંબુ, ૮ વડના ટેટા, ૯ પીપળનાં ટેટા એ આદિ બહુઅદ્ધિના ઘણા ભેદ છે. ૨ ગુચ્છ – તે જે નીચાં ને ગોળ ઝાડ હોય તેને ગુચ્છ કહીએ. તે 1 રીંગણી, ર ભોરીંગણી, ૩ જવાસા, ૪ તુળસી, ૫ આવચીબાવચી, ઈત્યાદિ ગુચ્છના ઘણા ભેદ છે. - ૩ ગુલ્મ – તે ફૂલની જાતને ગુલ્મ કએ.તે ૧ જાઈ, ર જુઈ, ૩ડમરો, ૪મરવો, પતકી, કે કેવડો, એ આદિ ગુલ્મના ઘણા ભેદ છે. - ૪ લતા – ૧ નાગલતા, ૨ અશોકલતા, ૩ ચંપકલતા, ૪ ભઈલતા, ૫ પદ્મલતા એ આદિ લતાના ઘણા ભેદ છે. ૫ વેલા – જે વનસ્પતિના વેલા ચાલે તેને વેલા કહીએ. તે ૧ આરિયાના વેલા, ર તૂરીયાના વેલા, 3 કારેલાના વેલા, ૪ કંકોડાના વેલા, ૫ કોળાનાં વેલા, ૬ કોઠીંબડાના વેલા, ૭ સૂંબડાના વેલા, ૮ દૂધીના વેલા, ૯ ચણક ચીભડીના વેલા, ૧૦ચણોઠીના વેલા, એ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આદિ વેલાના ઘણા ભેદ છે. ૬ પાવગ -- તે ગાંઠાળા ઝાડ હોય તેને પાવગ કહીએ. તે ૧ શેરડી, ૨ એરડી, ૩ સરકડ, ૪ સાંઠો, ૫ નેતર, ૬ વાંસ, એ આદિ પાવગના ઘણા ભેદ છે. - ૭ તૃણ –તૃણ તે ઘાસ. ૧ ડાભડાના તૃણ, ૨ આરાતારાનાં તૃણ, ૩ કડવાળીનાં તૃણ, ૪ ઝેઝવાનાં તૃણ, પ ધરોનાં તૃણ, ૬ કાલીયાનાં તૃણ, એ આદિ તૃણના ઘણા ભેદ છે. ૮ વલીયા – તે ઊંચા ને ગોળ ઝાડ હોય તેને વલીયા કહીએ. તે ૧ સોપારીનાં ઝાડ, ૨ ખારેકનાં ઝાડ, ૩ ખજુરનાં ઝાડ, ૪ કેળનાં ઝાડ, ૫ તજનાં ઝાડ, ૬ એલાયચીનાં ઝાડ, ૭ લવીંગના ઝાડ, ૮ તાડનાં ઝાડ, ૯ તમાલનાં ઝાડ, ૧૦ નાળિયેરીનાં ઝાડ, એ આદિ વલીયાના ઘણા ભેદ છે. ને ? ૯ હરિતકાય – તે ભાજીની જાતિને કહે છે. તે ૧ મૂળાની ભાજી, ૨ મેથીની ભાજી, ૩ તાંદળજાની ભાજી, ૪ સુવાની ભાજી, ૫ લુણીની ભાજી, ૬ અફીણની ભાજી, એ આદિ હરિતકાયના ઘણા ભેદ છે. ૧૦ ઔષધિ છે – તે ચોવીસ જાતિનાં ધાન્યને ઔષધિ કહીએ. તે ધાન્યના બે ભેદ, ૧ લાસા, ૨ કઠોળ. તેમાં લાસા તે ૧ ઘઉં, ૨ જવ, ૩ જુવાર, બાજરી, ૫ ડાંગર, ૬ વરી, ૭ બંટી, ૮ બાવટો, ૯ કાંગ, ૧૦ ચિપ્પોઝિણો, ૧૧ કોદરા, ૧૨ મકાઈ, એ આદિ લાસાના ઘણા ભેદ છે. બીજે કઠોળ તે ૧ મગ, ૨ મઠ, 3 અડદ, ૪ તુવેર, ૫ ઝાલર, ૬ વટાણા, ૭ ચોળા, ૪ ચણા ૯ લાંગ, ૧૦ કળથી, ૧૧ મસુર, ૧ર અળસી એ આદિ કઠોળના ઘણા ભેદ છે. ૧૨ લાસા જે રોગ મટાડે, ભૂખ મટાડે, તે ધાન્યને ઔષધિ કહે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી છકાયના બોલ અને ૧૨ કઠોળ મળીને કુલ ૨૪ જાતિનાં ધાન્ય તને ઔષધિ કહીએ. ૧૧ જલવૃક્ષ –- તે ૧ પોયણા, કમલ પોયણા, ૩ વીતેલા, ૪ સિઘાડા, પ સેવાળ, ૬ કમળકાકડી, એ આદિ જલવૃક્ષના ઘણા ભેદ છે. ૧૨ કોસંડા – ૧ બિલાડીની બલી, ૨ બિલાડીના ટોપ એ આદિ ભૂમિ ભેદી બહાર નીકળે તેવા કોસંડાના ઘણા ભેદ છે. દરેક વનસ્પતિના વૃક્ષ ૧૦ બોલ કરી શોભે છે. ૧. મૂળ, ૨. કંદ, ૩. સ્કંધ (થડ), ૪. ત્વચા (છાલ), ૫. શાખા (ડાળી), ૬. પ્રવાલ (કુણું પાંદડું - કુંપળ), ૭. પત્ર (પાંદડાં), ૮. ફૂલ, ૯. ફળ, ૧૦. બીજ. તે દશેમાં પોતપોતાનો એક જીવ હોય છે અને તેને આશ્રયે ત્રણ પ્રકારના જીવ ભગવાને કહ્યાં છે. સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા. તે પ્રત્યેક વનસ્પતિના ઊગતા, કૂણાં અંકુરામાં, ચક્ર પડે (જેનું શરીર ભાંગતાં સમાન ભંગ થાય તે) તેમાં અનંત જીવ હોય છે. કાચું, જ્યાં જ્યાં લીલાશ છે તેવા અધકચરામાં (કોથમરીનાં પાન, ફણસી આદિ શાકની છાલ) અસંખ્યાતા જીવ હોય છે. પ્રત્યેક પાકામાં સંખ્યાતા જીવ હોય છે. સાધારણ વનસ્પતિના ભેદ કંદમૂળની જાતિને સાધારણ વનસ્પતિ' કહીએ. તે ૧ લસણ, ૨ ડુંગળી, ૩ આદુ, ૪ સૂરણ, પ રતાળુ, ૬ પંડાલુ, ૭ બટેટા, ૮ થેક, ૯ સકરકંદ, ૧૦ મૂળાના કંદ, ૧૧ નીલી હળદર, ૧૨ નીલી ગળી, ૧૩ ગાજર, ૧૪ અંકુરા, ૧૫ ખુરસાણી, ૧૬ કુંવર, ૧૭ મોગ્ય, ૧ જેનું શરીર ભાંગતાં સમાન ભંગ ન થાય તથા જેમાં તાંતણાં કે રેસા હોય તે પ્રત્યેક વનસ્પતિ છે તેમાં સંખ્યાતા કે અસંખ્યાતા જીવ હોય છે. ૨ જેમાં ભાંગતાં સમાન ભંગ થાય તથા તાંતણાં કે રેસા ન હોય તે સાધારણ વનસ્પતિ છે તેમાં અનંતા જીવો હોય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૧૮ અમૃતવેલ, ૧૯ થોહર, ૨૦ બીડ, ૨૧ અડવીના ગાંઠીયા, ૨૨ ગરમર, એ આદિ કંદમૂળના ઘણાં ભેદ છે. તેને સાધારણ વનસ્પતિ કહીએ. કંદમૂળ એક સોયની અગ્ર ઉપર રહે એટલામાં અસંખ્યાતા પ્રતર છે. એકેકા પ્રતરમાં અસંખ્યાતી શ્રેણી છે. એકેકી શ્રેણીમાં અસંખ્યાતા ગોળા છે. એકકા ગોળામાં અસંખ્યાતા શરીર છે. એકેકા શ૨ી૨માં અનંત અનંત જીવ છે એ સાધા૨ણ વનસ્પતિનું (નિગોદનું) આયુષ્ય જ. અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે. પ્રત્યેક વનસ્પતિનું આયુષ્ય જધન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષનું છે. વનસ્પતિકાયનાં કુળ ૨૮ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન વિવિધ પ્રકા૨નું છે. વર્ણ વિવિધ છે. તેની દયા પાળીએ તો મોક્ષના અનંતા સુખ પામીએ. ઇતિ વનસ્પતિકાયનો વિસ્તાર. છઠ્ઠો ત્રસકાયનો વિસ્તાર શકાયઃ— તે જે જીવ પોતાની મેળે હાલીચાલી શકે, તડકેથી છાંયે જાય ને છાંયેથી તડકે જાય તેને ત્રસકાય કહીએ. તેના ચાર ભેદ છે. ૧. બેઇન્દ્રિય, ૨. તેઇન્દ્રિય, ૩. ચૌરેન્દ્રિય, ૪. પંચેન્દ્રિય. ૧. બેઇન્દ્રિય ઃ તેના બે ભેદ – અપર્યાપ્તા અને પર્યાપ્તા. બેઇન્દ્રિય કોને કહીએ ? જેને સ્પર્શેન્દ્રિય (કાયા) અને ૨સેન્દ્રિય (જીભ) હોય શ્વેને બેઇન્દ્રિય કહીએ. તેના જીવ તે : ૧ શંખ, ૨ કોડી, ૩ છીપ, ૪ જળો, ૫ કીડા, ૬ પોરા, ૭ વાળા, ૮ અળસીયાં, ૯ કરમીયાં, ૧૦ ચરમિયાં, ૧૧ કાતરા, ૧૨ ચુડેલ, ૧૩ જળો, ૧૪ એળ, ૧૫ વાંતરા, ૧૬ લાળીયા, એ આદિ બેઇન્દ્રિયના ઘણા ભેદ છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ બાર વર્ષનું. તેનાં કુળ સાત લાખ ક્રોડ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - શ્રી છકાયના બોલ ૨. તે ઇન્દ્રિય તેના બે ભેદ – અપર્યાપ્તા અને પર્યાપ્તા. તે ઇન્દ્રિય કોને કહીએ? જેને સ્પર્શેન્દ્રિય (કાયા), રસેન્દ્રિય (જીભ), ઘાણેન્દ્રિય (નાક) હોય તેને તે ઇન્દ્રિય કહીએ. તેના નામ : ૧. જૂ, ૨. લીંખ, ૩. ચાંચડ, ૪. માંકડ, ૫. કીડી, ૬. કંથવા, ૭. મમોલા, ૮. ધનેડા, ૯. જુવા, ૧૦. સવા, ૧૧. કાનખજૂરા, ૧૨. ઘીમલ, ૧૩. ગયા, ૧૪. મંકોડા, ૧૫. ઊધઈ ૧૬ ભુંડ, ૧૭ ઘોડા, એ આદિ ઘણી જાતના ઇન્દ્રિય જીવ છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ ૪૯ દિવસનું છે. તેનાં કુળ આઠ લાખ ક્રોડ છે. ૩. ચૌરેન્દ્રિય : તેના બે ભેદ – અપર્યાપ્તા અને પર્યાપ્તા. ચૌરેન્દ્રિય કોને કહીએ? જેને સ્પર્શેન્દ્રિય (કાયા), રસેન્દ્રિય (જીભ), ઘાણેન્દ્રિય (નાક), ચક્ષુઈન્દ્રિય (આંખ) હોય તેને ચૌરેન્દ્રિય કહીએ. ( તેના નામ ઃ ૧. વાંદા, ૨ ભમરા, ૩ ભમરી, ૪ વીંછી, ૫ માખી, ૬ તીડ, ૭ પતંગ, ૮ મચ્છર, ૯ મસલાં, ૧૦ ડાંસ, ૧૧ મસ, ૧૨ તમરાં, ૧૩ કરોળિયાં, ૧૪ કંસારી, ૧૫ તીડ, ૧૬ ફૂદાં ૧૭ખપેડી ૧૮ બગાઈ, ૧૯ રૂપલી, એ આદિ ઘણી જાતના ચોરેન્દ્રિય જીવ છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ છ માસનું. તેનાં કુળ નવ લાખ ક્રોડ છે. ૪. પંચેનિય : પંચેન્દ્રિય કોને કહીએ ? જેને સ્પર્શેન્દ્રિય (કાયા), રસેન્દ્રિય (જીભ), ઘાણેન્દ્રિય (નાક), ચક્ષુઇન્દ્રિય (આંખ), શ્રોત્રક્રિય (કાન) હોય તેને પંચેન્દ્રિય કહીએ. તેના ચાર ભેદ -- ૧. નારકી, ૨. તિર્યંચ પંચેન્દ્રિય, ૩. મનુષ્ય, ૪. દેવ. ૧. નારકી * નારકીના સાત મંદ. તે સાત નરકના નામ. ૧. ધ મા, ૨. વંશા, 3. શિલા, ૪. અંજના. ૫. રિટા, ૬. મઘા, ૭. માધવતી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ આ સાત નરકના ગોત્ર. ૧. રત્નપ્રભા, ૨. શર્કરાપ્રભા, ૩. વાલુકાપ્રભા, ૪. પંકપ્રભા, પ. ધૂમ્રપ્રભા, ૬. તમસ્ પ્રભા, ૭. તમઃતમસ્ પ્રભા. એ સાત ન૨કનાં ગૌત્ર ગુણ નિષ્પન્નથી છે તે શું શું ગુણ છે ? તે કહે છે. ૧ રત્નપ્રભામાં રત્નના કુંડ છે. ૨ શર્કરાપ્રભામાં મરડીયા પાણા છે. ૩ વાલુકાપ્રભામાં વેળુ છે. ૪ પંકપ્રભામાં લોહી માંસના કાદવ જેવા પુદ્ગલો છે. ૫ ધૂમ્રપ્રભામાં ધૂમાડો છે. ૬ તમપ્રભામાં અંધકાર છે. ૭ તમ તમસ્ પ્રભામાં અંધકારમાંહિ અંધકાર છે. એ સાત નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને નારકીના કુલ ૧૪ ભેદ થાય. નારકીની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. તેનાં કુળ પચ્ચીશ લાખ ક્રોડ છે. ૨. તિર્યંચ તિર્યંચ પંચેન્દ્રિયના કુલ ૨૦ ભેદ. ૧. જળચ૨, ૨. સ્થળચર, ૩. ઉ૨પરિસર્પ, ૪. ભુજપરિસર્પ, ૫. ખેચ૨. તે પાંચેના બે બે ભેદ છે ૧. ગર્ભજ, ૨. સંમૂર્છિમ, એમ ૧૦ ભેદ. તે ૧૦ ના અપર્યામા અને પર્યાપ્તા મળી કુલ ૨૦ ભેદ. : ૧. જળચ૨ : જે જળમાં (પાણીમાં) ચાલે તેને જળચર કહે છે. તે જીવ, ૧ મચ્છ, ૨ કચ્છ, ૩ મગરમચ્છ, ૪ કાચબા, ૫ ગ્રાહ, ૬ દેડકા, ૭ સુસુમાલ, વિ. જળચરના ઘણા ભેદ છે. તેના કુળ સાડાબાર લાખ ક્રોડ છે. ૨. સ્થળચ૨ : જમીન (સ્થળ) પર ચાલે તેને સ્થળચર કહે છે. તે સ્થળચરના ચાર ભેદ. ૧ એક ખુર, ૨ બે ખૂ, ૩ ગંડીપદ, Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી છકાયના બોલ ૫૫ ૪ શ્વાનપદ. તેમાં એક ખુર તે જેના પગે એક ખરી હોય તે જીવ ૧ ઘોડાં, ૨ ગધેડાં, ૩ ખચ્ચર ગધેડાં ઇત્યાદિ એક ખુ૨ના ઘણા ભેદ છે. બે ખુ૨ તે જેના પગે બે ખરી હોય તેવા જીવ ૧ ગાય, ૨ ભેંસ, ૩ બળદ, ૪ બકરાં, ૫ હરણ, ૬ રોઝ, ૭ સસલાં, ઇત્યાદિ બે પુરના ઘણા ભેદ છે. ગંડીપદ તે જેના પગ ગોળ હોય તેવા જીવ ૧ હાથી, ૨ ગેંડા, ઇત્યાદિ ગંડીપદના ઘણા ભેદ છે. ગ્વાનપદ તે જેના પગ નહોરવાળા હોય તેવા જીવ. ૧ વાઘ, ૨ સિંહ ૩ ચિત્તા, ૪ દીપડા, ૫ કૂતરા, ૬ બિલાડી, ૭ લાલી, ૮ શિયાળ, ૯ જરખ, ૧૦ રીંછ, ૧૧ વાંદરા, ઇત્યાદિ શ્વાનપદના ઘણા ભેદ છે. સ્થળચરના કુળ દશ લાખ ક્રોડ છે. ૩. ઉ૨પરિસર્પ : જે હૈયાભર ચાલે (સર્પની જાત), પેટે ચાલે તેને ઉ૨૫રિસર્પ કહે છે. તેના ચાર ભેદ ૧ અહિ, ૨ અજગ૨, ૩ અશાલિયો, ૪ મહુ૨ગ. પ્રથમ અહિ તે પાંચ વર્ણા સર્પ ૧ કાળો, ૨ નીલો, ૩ ૨ાતો, ૪ પીળો, ૫ ધોળો. બીજે અજગર તે મનુષ્યને ગળી જાય તે. ત્રીજે અશાલિયો તે બે ઘડીમાં ૪૮ ગાઉ લાંબો થાય ચક્રવર્તીની રાજધાની તળે, અથવા નગરની ખાળ નીચે ઉપજે. તેને ભસ્મ નામે દાહ થાય, તે ૪૮ ગાઉની માટી ગળી જાય, તેટલામાં કૂવો પાડે તેને અશાલિયો કહીએ. નિયમથી સંમૂર્ચ્છમ, મિથ્યાત્વી હોય. ચોથે મહુ૨ગ તે, એક હજાર જોજનનો લાંબો સર્પ અઢીદ્વીપ બહા૨ ૨હે તેને મહુ૨ગ કહીએ. ઉપરિસર્પના કુળ દશ લાખ ક્રોડ છે. ૪. ભુજપરિસર્પ : જે ભુજાએ કરી ચાલે તેને ભુજપરિસર્પ કહે છે. તે જીવ ૧ કોળ, ૨ નોળ, ૩ ઉંદર, ૪ ખીસકોલી, પ બ્રાહ્મણી, ૬ ગોળી, ૭ કાકીડો, ૮ ચંદન ઘો, ૯ પાટલા ઘો, ઇત્યાદિ ઘણા Page #75 -------------------------------------------------------------------------- ________________ - પદોષિણી શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ ભેદ છે. ભુજપરિસના કુળ નવ લાખ ક્રોડ છે. ૫. ખેચર : જે જીવ આકાશે ઊંડે તેને ખેચર કહે છે. તે ખેચરના ૪ ભેદ ૧ ચર્મપંખી, ૨ રોગ પંખી, ૩ સમુદ્ગ પંખી, ૪ વીતત પંખી. ૧. ચર્મ પંખી – તે ચામડા સરખી પાંખ હોય તેવા જીવ ૧ વાગોલો, ૨ ચામાચીડિયો (કાનકડીયાં) ઇત્યાદિક ચર્મ પંખીના ઘણા ભેદ છે. ૨. રોમ પંખી – તે સુંવાળી પાંખના પડી હોય તેને રોમ પંખી કહીએ. તે જીવ ૧ મોર, ૨ કબૂતર, ૩ ચકલાં, ૪ કાગડા, ૫ કાબર, ૬ મેના, ૭ પોપટ, ૮ સમળી, ૯ બગલાં, ૧૦ કોયલ, ૧૧ ઢેલ, ૧૨ શકરા, ૧૩ હાલા, ૧૪ શુડા, ૧૫ તેતર, ૧૬ બાજ, ઇત્યાદિ રોમ પંખીના ઘણા ભેદ છે. એ ચર્મ અને રોમ પંખી અઢીદીપની અંદર છે અને બહાર પણ છે. ૩. સમુદ્ગ પંખી - તે ડાબલાની પઠે જેની પાંખ બીડેલ રહે તેવા જીવ. ૪. વિતત પંખી – ત જેની પાંખ પહોળી જ રહે, તેવા પંખી. છેલ્લા બે પંખી અઢીદ્વીપ બાર છે. ખેચરના કુળ બાર લાખ ક્રોડ છે. ' ગર્ભજ તિર્યંચ પચે ની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. સંમૂર્છાિમ નિયંચ પચે.ની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પૂર્વ ક્રિોડ વર્ષની છે. વિસ્તાર દંડકથી જાણવો. તિર્યંચનાં કુળ પ૩ (સાડા ત્રેપન) લાખ કાંડ છે. ઇતિ તિર્યંચના ભેદ સંપૂર્ણ ૩. મનુષ્ય તેના બે ભેદ. ૧, ગર્ભજ, ૨. સંમૂર્ણિમ. ૧. ગર્ભજ મનુષ્યના ૩ ભદ તે ૧.૧૫ કર્મભૂમિના મનુષ્ય, કોડપૂર્વથી અધિક સ્થિતિવાળાં તમંચ પચે. અને મનુષ્યને જુગલીયા કહે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી છકાયના બોલ ૫૭ ૨. ૩૦ અકર્મભૂમિના મનુષ્ય, ૩. ૫૬ અંતરદ્વીપના મનુષ્ય. તે ૧૦૧ ક્ષેત્રના મનુષ્યના અપર્યાપ્તા અને પર્યાષ્ઠા મળીને ૨૦૨ ભેદ. ૨. સંમૂર્છિમ મનુષ્ય -- ગર્ભજ મનુષ્યના ૧૦૧ ક્ષેત્રમાં ૧૪ અશુચિમાં ઉત્પન્ન થાય તેના અપર્યાપ્તાના ૧૦૧ ભેદ + ૨૦૨ ગર્ભજનાં મળી કુલ ૩૮૩ ભેદ. (સંમૂર્ચ્છિમ મનુષ્ય અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે.) ગર્ભજ મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. સંમૂર્ચ્છિમ મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની. મનુષ્યના કુળ બાર લાખ ક્રોડ. ૪. દેવ દેવના મુખ્ય ચાર ભેદ. ૧. ભવનપતિ, ૨. વાણવ્યંતર, ૩. જ્યોતિષી, ૪. વૈમાનિક, ૧. પ્રથમ ભવનપતિના ૨૫ ભેદ. તે ૧. ૧૦ અસુરકુમા૨ાદિ અને ૨. ૧૫ પરમાધામી. ૧ દશ અસુરકુમારના નામ : ૧ અસુર કુમાર, ૨ નાગ કુમા૨, ૩ સુવર્ણકુમા૨, ૪ વિદ્યુત કુમા૨, ૫ અગ્નિ કુમા૨, ૬ દ્વીપ કુમા૨, ૭ ઉદધિકુમાર, ૮ દિશા કુમાર, ૯ વાયુ કુમાર, ૧૦ સ્તનિત કુમાર. ૨ પંદર પરમાધામીના નામ : ૧ અંબ, ૨ અંબરિસ, ૩ શામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વૈરૂદ્ર, ૭ કાલ, ૮ મહાકાલ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, ૧૫ મહાઘોષ. એવં કુલ પચ્ચીસ જાતિના ભવનપતિ ક્યાં રહે છે ? પહેલી ન૨ક એક લાખ ને અઠોતેર હજાર જોજનની પોલાર છે, તે મધ્યે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ બાર આંતરા છે, તેમાંના નીચેના દશ આંતરામાં ભવનપતિને રહેવાનાં ભવન છે. ૨. બીજે વાણવ્યંતરના ૨૬ ભેદ, તે ૧. ૧૬ વ્યંતર દેવ, ૨. ૧૦ જાંભકા દેવ. ૧. સોળ જાતિના વ્યંતર દેવ, તેના નામ ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ, ૯ આણપત્રી, ૧૦ પાણપત્રી, ૧૧ સીવાઇ, ૧૨ ભૂઇવાઈ, ૧૩ કંદીય, ૧૪ મહાકંદ, ૧૫ કોહંડ, ૧૬ પયંગદેવ. ૨. દશ જાતિના જાંભકા, તે ૧ આણ જાંભકા, ૨ પાણ જjભકા, ૩ લયન જભકા, ૪ શયન જાંભકા, પ વસ્ત્ર જçભકા, ૬ ફૂલ જૉભકા, ૭ ફલ જાંભકા, ૮ બીય છુંભકા, ૯ વિધુત જભકા, ૧૦ અવિયત (ઘરવખરીનાં) જાંભકા. એ ૨૬ જાતિના વાણવ્યંતર ક્યાં રહે છે? પૃથ્વીનું દળ એક હજાર જોજનનું છે. તે મધ્યથી સો જોજનનું દળ નીચે મૂકીએ, સો જોજન દળ ઉપર મૂકીએ, વચ્ચે આઠમેં જોજનની પોલાર છે. તે મળે સોળ જાતિના વ્યંતરના નગર છે. તે નાના ભરતક્ષેત્ર જેવડાં છે. તેથી મોટા મહાવિદેહ ક્ષેત્ર જેવડાં છે. તેથી મોટા જંબુદ્વીપ જેવડાં છે. તે વ્યંતરના નગર જાણવા. જે દશ જાતિનાં જjભકા દેવ છે તે પૃથ્વીનું સો જોજનનું દળ ઉપરનું છે, તેમાં દશ જોજનનું દળ નીચે મૂકીએ દશ જોજન ઉપર મૂકીએ વચ્ચે અંશી જોજનની પોલાર છે તેમાં દશ જાતિનાં જાંભકા દેવ રહે છે. તે જાંભકા સંધ્યાવેળાએ, મધ્ય રાત્રિએ સવારે, બપોરે, અસ્તુ, અસ્તુ કરતા ફરે છે. (જે હસતું હોય તે હસતું રહેજો, રોતું હોય તે રીતું રહેજો, એમ કહે છે, માટે તેવા વખતે જેમતેમ ન બોલવું. પહાડ, પર્વત, ઝાડ ઉપર તથા ઝાડ નીચે Page #78 -------------------------------------------------------------------------- ________________ પિ૯) શ્રી છકાયના બોલ એ આદિ ઘણી સારી મનને ગમે તેવી જગ્યાએ વાણવ્યંતર દેવો નાવ છે તથા વસે છે. ૩. ત્રીજે જ્યોતિષીના ૧૦ ભેદ, તેના નામ ૧ ચંદ્ર, ૨ સૂર્ય, 3 શહ, ૪ નક્ષત્ર, ૫ તારા, એ પાંચ જ્યોતિષી અઢીદીપ માંહી ચર છે. અઢીદ્વીપ બહાર પાંચ સ્થિર છે. તે જ્યોતિષીની ગાથા :તારા, રવિ, ચંદ, રિબ્બા, બુહ, સુકા, જૂવ, મંગલ, સીઆ. સગ સય નેઉઆ, દસ, અસિય ચલ, ચલ કમસો તીયા ચીસો. / અર્થ - પૃથ્વીથી સાતસો નવું (૭૯૦) જોજન ઉંચે જઈએ ત્યારે તારાઓનાં વિમાન આવે. પૃથ્વીથી આઠસો જોજન ઉંચે જઈએ ત્યારે સૂર્યનું વિમાન આવે. પૃથ્વીથી આઠસો અંશી જોજન ઉંચે જઈએ ત્યારે ચંદ્રનું વિમાન આવે. પૃથ્વીથી આઠસો ચોરાશી જોજન ઉંચે જઈએ ત્યારે નક્ષત્રના વિમાન આવે. પૃથ્વીથી આઠસો અઠ્ઠયાશી જોજન ઉંચે જઈએ ત્યારે બુધનો તારો આવે. પૃથ્વીથી આઠસો એકાણું જોજન ઉંચે જઈએ ત્યારે શુકનો તારો આવે. પૃથ્વીથી આઠસો ચોરાણું જજન ઉંચે જઈએ ત્યારે બૃહસ્પતિનો તારો આવે. પૃથ્વીથી આઠસો સત્તાણું જોજન ઉંચે જઈએ ત્યારે મંગળનો તારો આવે. પૃથ્વીથી નવસો જોજન ઉંચે જઈએ ત્યારે શનિશ્વરને તારો આવે. એ રીતે ૧૧૦ જોજન સુધી જ્યોતિષ ચક્ર જાડપણે છે. પાંચ ચર છે. પાંચ સ્થિર છે. પાંચ ચર તે કોને કહીએ ? અઢીદ્વીપ માંહી છે તે ફરે છે. તેને પાંચ ચર કહીએ. પાંચ સ્થિર તે કોને કહીએ? અઢીદ્વીપ બહાર છે તે ફરતા નથી, સ્થિર છે. જ્યાં સૂર્ય ત્યાં સૂર્ય છે. જ્યાં ચંદ્ર ત્યાં ચંદ્ર છે. તેને પાંચ સ્થિર કહીએ. : ૪. વૈમાનિકના ૩૮ ભેદ: ૧ ત્રણ કિલ્વિષી, ર બાર દેવલોક, 3 નવ લોકાંતિક, ૪ નવ ગ્રેવયક, પપાંચ અનુત્તર વિમાન. એવું ૩૮. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧. કિલ્વિપીના ત્રણ ભેદ. ૧. પહેલાં કિલ્વિષી ત્રણ પત્યની સ્થિતિવાળા, પહેલા બીજા દેવલોકમાં નીચે રહે છે. ૨. બીજા કિલ્વિષી ત્રણ સાગરની સ્થિતિવાળા, ત્રીજા ચોથા દેવલોકમાં નીચે રહે છે. ૩. ત્રીજા કિલ્વિષી તેર સાગરની સ્થિતિવાળા છઠ્ઠા દેવલોકમાં નીચે રહે છે. જે દેવ, ગુરૂ, ધર્મની નિંદા કરનાર અને તપ, સંયમની ચોરી કરનારાં હોય તે મરીને કિલ્વિથી દેવ થાય છે. જેમ મનુષ્યમાં નીચ, ચાંડાલ જાતિ હોય છે તેમ દેવોમાં તેઓ કુરૂપ, અશુભ, મિથ્યાત્વી અને અજ્ઞાની હોય છે. ૨. બાર દેવલોક, ૧ સુધર્મા દેવલોક, ર ઇશાન દેવલોક, ૩ સનતકુમાર દેવલોક, ૪ માહેન્દ્ર દેવલોક, ૫ બ્રહ્મ દેવલોક, ૬ લાંતક દેવલોક, ૭મહાશુકદેવલોક, ૮ સહસ્ત્રાર દેવલોક, ૯ આણત દેવલોક, ૧૦ પ્રાણત દેવલોક, ૧૧ આરણ દેવલોક, ૧૨ અશ્રુત દેવલોક. બાર દેવલોક કેટલા ઊંચા, કેવા આકારે ને કેટલાં વિમાન, તેનો વિસ્તાર જ્યોતિષ ચક્ર ઉપર અસંખ્યાતા જોજનની ક્રોડાક્રોડી પ્રમાણે ઊંચે જઈએ ત્યારે પહેલું સુધર્મા ને બીજું ઇશાન એ બે દેવલોક આવે. તે બે છાલકાના આકારે છે. એકેકે અર્ધ ચંદ્રમાને આકારે છે, બન્ને મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. પહેલામાં બત્રીસ લાખ અને બીજામાં અઠ્ઠાવીસ લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાકોડ ઊંચપણે ત્રીજું સનકુમાર અને ચોથું માહેન્દ્ર નામે દેવલોક છે, બે લગડાને આકારે છે, એકેકું અર્ધચંદ્રમાને આકારે છે, બન્ને મળીને પૂર્ણ ચંદ્રમાને આકારે છે, ત્રીજામાં બાર લાખ અને ચોથામાં આઠ લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાકોડ ઊંચપણે પાંચમું બ્રહ્મલોક નામે દેવલોક છે, તે એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ચાર લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાકોડ ઊંચપણે Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી છકાયના બોલ ૬૧ છઠ્ઠું લાંતક નામે દેવલોક છે, તે એકલું પૂર્ણ ચંદ્રમાને આકા૨ે છે, તેમાં પચાસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યાત્તા જોજન ક્રોડાક્રોડ ઊંચપણે સાતમું મહાશુક્ર નામે દેવલોક છે, તે એકલું પૂર્ણ ચંદ્રમાને આકા૨ે છે, તેમાં ચાલીસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડ ઊંચપણે આઠમું સહસ્ત્રાર નામે દેવલોક છે, તે એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં છ હજા૨ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડ ઊંચપણે નવમું આણત અને દશમું પ્રાણત નામે દેવલોક છે, તે લગડાને આકા૨ે છે. એકેકું અર્ધચંદ્રમાને આકા૨ે છે, બન્ને મળીને પૂર્ણ ચંદ્રમાને આકા૨ે છે, જેમાં મળીને ચારસો વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડ ઊંચપણે અગિયારમું આરણ અને બારમું અચ્યુત નામે દેવલોક છે, તે લગડાને આકારે છે. એકેકું અર્ધચંદ્રમાને આકારે છે, બન્ને મળીને પૂર્ણ ચંદ્રમાને આકા૨ે છે, બેમાં મળીને ત્રણસો વિમાન છે. એવં બાર દેવલોકના સર્વ થઈને ૮૪,૯૬,૦૦૦ વિમાન છે. ૩. નવ લોકાંતિક દેવ : તિઓ લોક (ત્રસનાળ)નાં કિના૨ા (અંત) ૫૨ ૨હેતાં હોવાથી લોકાંતિક કહેવાય છે]. પાંચમા દેવલોકનાં ત્રીજા અરિષ્ટ નામે પ્રત૨ની પાસે દક્ષિણ દિશામાં પૃથ્વી પરિણામરૂપ કાળા રંગની અખાડાને આકારે નવ કૃષ્ણરાજ છે. તેમાં ૪ દિશાએ ૪, ૪ વિદિશાએ ૪ અને એક મધ્યમાં એમ નવ વિમાન છે તેમાં નવ લોકાંતિક દેવ રહે છે. તેના નામ ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વન્હિ, ૪ વરૂણ, ૫ ગર્દતોયા, ૬ તોષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગીચ્ચા, ૯ રિા. એ નવ લોકાંતિક દેવતા જ્યારે તીર્થંકર દેવ દીક્ષા લેનાર હોય, ત્યારે આવીને એમ કહે, અહો ! ત્રિલોકનાથ ! તીર્થમાર્ગ પ્રવર્તાવો, મોક્ષ માર્ગ ચાલતો કરો. એવી રીતે કહેવાનો નવ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ લોકાંતિકનો જીત (પરંપરા) વ્યવહાર છે. તેની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ આઠ સાગરની છે, તેઓ સમકિત હોય છે. ૪. નવ ચૈવેયક : ગાયા :- ભદ્દે, સુભદ્દે, સુજાએ, સુમાણસે, પીયદંસણે । સુંદસણે, આમોહે, સુપડિબટ્ટે, જશોધરે । અર્થ - બારમા દેવલોક ઉપર અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડી ઊંચપણે નવ ચૈવેયકની પહેલી ત્રીક આવે. તે ગાગર બેડાનાં આકાર છે. તેના નામ ૧ ભદ્દે, ૨ સુભદ્દે, ૩ સુજાએ, તે પહેલી ત્રિકમાં ૧૧૧ વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જોજન ક્રોડાકોડી ઊંચપણે બીજી ત્રીક આવે. તે ગાગર બેડાનાં આકારે છે. તેના નામ ૪ સુમાણસે, ૫ સુંદસણે, ૬ પિયદંસણે, તે બીજી ત્રીકે ૧૮૭ વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડી ઊંચપણે ત્રીજી ત્રીક આવે. તે ગાગર બેડાનાં આકા૨ે છે. તેના નામ છ આમોહે, ૮ સુપડિબū, ૯ જશોધ. ત્રીજી ત્રિકમાં ૧૦૦ વિમાન છે. ૫. પાંચ અનુત્તર વિમાન ઃ નવમી ત્રૈવેયક ઉપ૨ અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડી ઊંચે જઈએ ત્યારે પાંચ અનુત્તર વિમાન છે, તેનાં નામ ૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત અને ૫ સર્વાર્થસિદ્ધ. એ સર્વ થઈને ૮૪,૯૭,૦૨૩ વિમાન થયાં. એમ દેવતાના ૯૯ ભેદ છે. તે ૯૯ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ કુલ દેવના ૧૯૮ ભેદ થાય. દેવની સ્થિતિ જઘન્ય ૧૦૦૦ વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. દેવનાં કુળ ૨૬ લાખ ક્રોડ છે. સિદ્ધશિલાનું વર્ણન તે સર્વાર્થસિદ્ધ વિમાનની ધ્વજા પતાકાધકી ૧૨ જોજન ઊંચે જઈએ ત્યારે સિદ્ધશિલા આવે. તે ૪૫ લાખ જોજનની લાંબી પહોળી Page #82 -------------------------------------------------------------------------- ________________ િિ ક , શ્રી છકાયના બોલ છે. વચ્ચે આઠ જજન જાડી છે. ઊતરતા છેકે માખીની પાંખ કરતાં પાતળી છે, સાફ સોનાના પતરાથી અધિક ઉજળી, ગાક્ષીર સરખી, શંખ, ચંદ્ર, અંતરત્ન, રૂપાના પટ, મોતીના હાર, ક્ષીરસાગરના પાણી થકી ઘણી ઉજળી છે. તે સિદ્ધશિલાનાં બાર નામ. ૧ ઈષત, ૨ ઈષ પ્રાગુભાર, ૩ તનુ, ૪ તનુ તનુ, પ સિદ્ધિ, ૬ સિદ્ધાલય, ૭ મુક્તિ, ૮ મુક્તાલય, ૯ લોકાચ, ૧૦ લોકસ્તુમિકા, ૧૧ લોકપ્રતિબોધિકા, ૧૨ સર્વ પ્રાણીભૂત જીવસત્ત્વ સૌખ્યાવહિકા. તે સિદ્ધશિલાની ફરતી પરિધિ ૧,૪૨,૩૦,૨૪૯ જોજન, (એક કરોડ, બંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ) છે. ત્યાંથી એક ગાઉ સત્તરસ છાસઠ ધનુષ્ય ઊંચે જઈએ ત્યારે તેના એક છેલ્લા જોજનના (માઠે રે, સીડીનાં આકારે) એક ગાઉના છ ભાગ કરીએ તેમાં પાંચ ભાગ નીચે મૂકીએ, બાકી એક ભાગ રહ્યો, તેમાં સિદ્ધ ભગવંત બિરાજે છે. - પાંચસે ધનુષ્યના સિદ્ધ થયા હોય તે ૩૩૩ ધનુષ્ય ને ૩૨ આગળ ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. ૭ હાથના સિદ્ધ થયા હોય તે ૪ હાથને ૧૬ આંગુલ ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. ર હાથના સિદ્ધ થયા હોય તે ૧ હાથને ૮ આંગુલ ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. તે સિદ્ધ ભગવંત કેવા છે ? અવર્ષે, અગધે, અરસે, અફાસે, જન્મ મરણ રહિત, આત્મિક ગુણે કરી સહિત છે. તેવા સિદ્ધ ભગવંતને મારી સમય સમયની વંદણા હોજો. ઇતિ સિદ્ધશિલાનું વર્ણન. ઇતિ છકાયના બોલ. Page #83 -------------------------------------------------------------------------- ________________ છકાય સ્વરૂપ એક અંતર્મુહૂર્તમાં જઇ. અંતર્મુહૂર્ત જધન્ય ૧ ભવ નામ કુળ દોડ ઉત્કૃષ્ટ આયુષ્ય | વર્ણ સંઠાણ (આકાર) વાયોની | ઉત્કૃષ્ટ જન્મ મરણ પૃથ્વીકાય ૧૨ લાખ ક્રોડ ૨૨,૦૦૦ વર્ષ | પીળો | મસુરની દાળ | ૭ લાખ ૧૨,૮૨૪ અપકાય [૭ લાખ ક્રોડ | ૭,000 વર્ષ સિફેદ | પાણીનો પરપોટો ૭ લાખ ૧૨,૮૨૪ તેઉકાયા ૩ લાખ ક્રોડ | ૩ અહોરાત્ર | લાલ | સોયની ભારી | ૭ લાખ ૧૨,૮૨૪ વાઉકાય ૭ લાખ ક્રોડ , ૩,000 વર્ષ નીલો | ધ્વજા પતાકા | ૭ લાખ | ૧૨,૮૨૪ વનસ્પતિકાય | ૨૮ લાખ કોડી. પ્રત્યેક વન. ૧૦,૦૦૦ વર્ષ | વિવિધ | વિવિધ ૧૦ લાખ ૩૨,૦૦૦ સાધારણ વન. જ.ઉ. અંતર્મુહૂર્ત | વિવિધ | વિવિધ | ૧૪ લાખ ! ૬૫,૫૩૬ ત્રસકાય : બેઇન્દ્રિય | ૭ લાખ ક્રોડ ! ૧૨ વર્ષ | વિવિધ ! વિવિધ ૨ લાખ ૮૦ તે ઇન્દ્રિય | ૮ લાખ ક્રોડ ! ૪૯ દિવસ | વિવિધ | વિવિધ ૨ લાખ ચોરેન્દ્રિય ૯ લાખ કોડ | ૬ માસ વિવિધ | વિવિધ ૨ લાખ ૪૦ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪ લાખ -5 શ્રી છકાયના બોલ : ૪ નારકી | ૨૫ લાખ ક્રોડ | જ. ૧૦,000 વર્ષ વિવિધ | વિવિધ ઉ. ૩૩ સાગરોપમાં તિર્યંચ | ગર્ભજની જ. અંત.વર્ણ | | સંમૐિમની ૪ લાખ | ગર્ભજસિંમૂર્છાિમ ઉત્કૃષ્ટ સ્થિતિ ચિંઠાણ | ઉત્કૃષ્ટ સ્થિતિ તિર્યંચ તિર્યંચ જળચર | ૧૨. લાખ ક્રોડ | પૂર્વ ક્રોડ વર્ષ વિવિધ | પૂર્વક્રોડ વર્ષ ૧ ૨૪. સ્થળચર | ૧૦ લાખ ક્રોડ ત્રણ પલ્ય વિવિધ | ૮૪,૦૦૦ વર્ષ ઉપર | ૧૦ લાખ ક્રોડ પૂર્વ ક્રોડ વર્ષ વિવિધ | પ૩,૦૦૦ વર્ષ ૨૪ ભુજપ૨ | ૯ લાખ ક્રોડ | પૂર્વ ક્રોડ વર્ષ વિવિધ | ૪૨,૦૦૦ વર્ષ ૨૪ ખેચર | ૧૨ લાખ ક્રોડ પલ્યનો અસં. ભાગવિવિધ ! ૭૨,૦૦૦ વર્ષ મનુષ્ય | ૧૨ લાખ ક્રોડ ત્રણ પલ્ય વિવિધ | અંતર્મુહૂર્તની | ૧૪ લાખ દેવતા | ૨૬ લાખ ક્રોડ 1 જ. ૧૦,૦૦૦ વર્ષ વિવિધ | વિવિધ ૪ લાખ | ઉ. ૩૩ સાગરોપમ | ૧૯૭l લાખ ક્રોડ કુળ છે. ૮૪ લાખ જીવાયોનિ છે. ૨.૪ ઇતિ છકાયના બોલ ૬૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬િ૬) િ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૪ અ. શ્રી પચ્ચીસ બોલો ) ૧. પહેલે બોલે – મહાવીર પ્રભુએ એકાકી દીક્ષા લીધી અને મોક્ષ પણ એકલા જ ગયા. ઉર્વીલોકે સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ જોજનનું છે. તીચ્છ લોકે જંબુદ્વીપ એક લાખ જોજનનો છે. અધોલોકે સાતમી નરકનો અપઠાણ નરકાવાસો એક લાખ જોજનનો છે. ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર અને આદ્ર નક્ષત્ર એ ત્રણ નક્ષત્રનો એકેકો તારો કહ્યો છે. ૨. બીજે બોલે – ધર્મકરણી કરતી વખતે બે દિશા સન્મુખ બેસી કરવી તે પૂર્વ અને ઉત્તર. બે પ્રકારે ધર્મ કહ્યો છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ બે પ્રકારે જીવ કહ્યા છે. સિદ્ધ અને સંસારી. બે પ્રકારે દુઃખ કહ્યું છે. શારીરિક અને માનસિક દુઃખ. ચાર નક્ષત્રોના દરેકના બે બે તારા છે, પૂર્વા ફાલ્ગની, ઉત્તરાફાલ્ગની, પૂર્વા ભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ. ૩. ત્રીજે બોલે – શ્રાવક ત્રણ મનોરથ ચિંતવે તે એવી રીતે કે હે ભગવાન ! હું આરંભ અને પરિગ્રહ ક્યારે છાંડીશ ? હે. ભગવાન ! હું પંચમહાવ્રતધારી ક્યારે થઈશ ? હે ભગવાન ! હું આલોયણા કરી સંથારો ક્યારે કરીશ? તે વખતને ધન્ય છે. . ત્રણ પકારના જિન કહ્યા ૧. અવધિજ્ઞાની જિન, ૨. મન:પર્યવજ્ઞાની જિન, ૩. કેવળજ્ઞાની જિન. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્ચીસ બોલ ૬૭ ત્રણ પ્રકારના પાત્ર સાધુને ખપે તે ૧ માટીનું, ૨ તુંબડાનું, ૩ કાષ્ઠનું. સાત નક્ષત્રના ત્રણ ત્રણ તા૨ા કહ્યા છે. મૃગશીર્ષ, પુષ્ય, જયેષ્ઠા, અભિજીત, શ્રવણ, અશ્વિની, ભરણી, એ સાત. ૪. ચોથે બોલે –– શ્રાવકને ચાર વિસામા કહ્યા છે. ભા૨ વહેના૨ને દૃષ્ટાંતે. ૧ એવી રીતે કે ભાર એક ખભેથી બીજે ખભે લે તે એક વિસામો. ૨ કોઈ જગ્યાએ ઓટલે કે ચોતરે બોજો મૂકીને લઘુનીત ક૨વા જાય કે વડીનીત કરવા જાય તે બીજો વિસામો. ૩ ગામ દૂર હોય, રસ્તામાં ધર્મશાળા કે યક્ષનું દેવળ આવે ત્યારે ત્યાં રાતવાસો કરે તે ત્રીજો વિસામો. ૪ પોતાને કે ધણીને ત્યાં ભા૨ મૂકે તે ચોથો વિસામો. હવે એ દૃષ્ટાંત શ્રાવકના ઉપર ઉતારે છે. તે જેમ ભાર લીધો તેમ શ્રાવકને બોજો તે અઢાર પાપ રૂપ. તેના ચા૨ વિસામા નીચે પ્રમાણે, ૧ શ્રાવક આઠમ, પાખી, ઉપવાસ, એકાસણું ક૨ે તે પાપરૂપ બોજો, એક ખાંધેથી બીજે ખાંધે લેવારૂપ તે પહેલો વિસામો. કેમકે ઉપવાસ કર્યો તે પોતાની જાતને માટે ખાવાનું બંધ કર્યું અથવા પાપ બંધ કર્યું પણ બીજાને માટે ક૨વું પડે છે, તેથી પહેલો વિસામો જાણવો. ૨ શ્રાવક એક સામાયિક, બે સામાયિક અથવા દેસાવગાસિક ક૨ે તે બીજો વિસામો જાણવો. કેમકે એટલો વખત પાપમાંથી રોકાયો. ૩ શ્રાવક આઠમ, પાખીના પૌષધ ક૨ે તે ૨ાત ૨હેવારૂપ ત્રીજો વિસામો. ૪ શ્રાવક આલોયણા ક૨ી સંથારો ક૨ે ત્ય ઢારે સર્વ પાપથી નિવો એ ભા૨ ઘે૨ મૂકવારૂપ ચોથો વિસામો. શ્રાવકને ચા૨ પ્રકારનું ભોજન કહ્યું છે તે · ૧ અંધારી જગ્યાએ રાંધે અને અજવાળે ખાય તે અશુદ્ધ, ૨ અજવાળામાં રાંધે અને અંધા૨ી Page #87 -------------------------------------------------------------------------- ________________ | ૬૮ શ્રી બૃહદ જેન થોક સંગ્રહ જગ્યામાં ખાય તે અશુદ્ધ, ૩ અંધારી જગ્યાએ રાંધે અને અંધારી જગ્યાએ ખાય તે અશુદ્ધ, ૪ અજવાળી જગ્યાએ રાંધે અને અજવાળી જગ્યાએ ખાય તે શુદ્ધ. અનુરાધા નક્ષત્ર, પૂર્વાષાઢા નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર, એ ત્રણ નક્ષત્રના ચાર ચાર તારા કહ્યા છે. ૫. પાંચમે બોલે – સમકિતના લક્ષણ પાંચ ૧ સમ, ૨ સંવેગ, ૩ નિર્વેદ, ૪ અનુકંપા, ૫ આસ્થા. સમકિતના પાંચ દૂષણ કહ્યા છે, ૧) શંકા – જિનવચનમાં શંકા કરે. ૨) કંખા – બીજા મતોના આડંબર દેખી તેની વાંછા કરે. ૩) વિતિગિચ્છા – ધર્મકરણીના ફળમાં સંદેહ રાખે. ૪) પરપાખંડીઓની પ્રશંસા કરે. ૫) પરપાખંડીનો હંમેશાં પરિચય કરે. સમકિતના પાંચ ભૂષણ કહે છે, ૧) જૈનશાસનમાં ધૈર્યવાન હોય ને શાસનનાં દરેક કાર્યો પૈર્યતાથી કરે. ૨) જૈનશાસનમાં ભક્તિવાન હોય. ૩) શાસનમાં ક્રિયાવાન હોય. ૪) શાસનમાં ચતુર હોય. શાસનના દરકે કાર્ય એવી ચતુરાઈથી (બુદ્ધિબળથી) કરે કે જેથી નિર્વિઘ્નતાથી પાર પડી જાય. ૫) શાસનમાં ચતુર્વિધ સંઘની ભક્તિ તથા બહુમાન કરવાવાળો હોય. - શરીરમાંથી પાંચ ઠેકાણે થી જીવ નીકળે તે કહે છે. ૧ પગેથી નીકળે તો જીવ નરકગતિમાં જાય છે, ર સાથળેથી નીકળે તો જીવ તિર્યંચગતિમાં જાય છે, ૩ છાતીએથી નીકળે તો જીવ મનુષ્યગતિમાં જાય છે, ૪ મસ્તકેથી નીકળે તો જીવ દેવગતિમાં જાય છે, પસવગેથી નીકળે તો જીવ મોક્ષમાં જાય છે. પાંચ પ્રકારે જીવ ધર્મ ન પામે તે કહે છે, ૧ અહંકારી, ૨ ક્રોધી, ૩ રોગી, ૪ પ્રમાદી અને ૫ આળસુ. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્ચીસ બોલ પાંચ નક્ષત્રના પાંચ પાંચ તારા કહ્યા છે. ૧ રોહિણી, ૨ પુનર્વસુ, ૩ હસ્ત, ૪ વિશાખા, ૫ ધનિષ્ઠા. ૬. છ બોલે – સાધુ છ કારણે આહાર કરે તે કહે છે. ૧ સુધાવેદનીય શમાવવા માટે, ર વૈયાવચ્ચ કરવાને માટે, ૩ ઇયસમિતિ શોધવા માટે, ૪ સંયમના નિર્વાહ માટે, ૫ આયુષ્ય નિભાવવાને માટે, ૬ રાત્રીએ ધર્મ જાગરણ કરવાને માટે. છ ધર્મના દેવ, ગુરુના નામ કહે છે. ૧ જૈન ધર્મમાં દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ, ૨ બૌદ્ધ મતમાં દેવ બુદ્ધ, ગુરુ ફંગી, 3 શીવ મતમાં દેવ રૂદ્ર, ગુરુ યોગી, ૪ દેવી મતમાં દેવી ધર્મ, ગુરુ વૈરાગી, પ ન્યાય મતમાં દેવ જગતકર્તા, ગુરુ સંન્યાસી, ૬ મીમાંસક મતમાં દેવ અલખ, ગુરુ દરવેશ. સમકિતની છ જત્ના કહે છે. ૧ આલાપ – સ્વામી ભાઈઓની સાથે એકવાર બોલે, ૨ સંલાપ – સ્વધર્મી ભાઈઓની સાથે વારંવાર બોલે, ૩ મુનિને દાન દેવું અથવા સ્વધર્મી ભાઈઓની વાત્સલ્યતા કરવી, ૪ આવું વારંવાર પ્રતિદિન કરવું, ૫ ગુણીજનોના ગુણ પ્રગટ કરવા, ૬ તથા વંદન નમસ્કાર બહુમાન કરે. છ વેશ્યાનો વિચાર કહે છે. ૧ કૃષ્ણ લેશ્યાવાળાને જીવહિંસા કરવાની ઈચ્છા હોય, ૨ નીલ લેશ્યાવાળાને ચોરીની ઈચ્છા હોય, ૩ કાપોત લેશ્યાવાળાને મૈથુનની ઈચ્છા હોય, ૪ તેજો વેશ્યાવાળાને તપશ્ચર્યા કરવાની ઈચ્છા હોય, ૫ પદ્મ લેશ્યાવાળાને દાન દેવાની ઈચ્છા હોય, ૬ શુક્લ લેશ્યાવાળાને મોક્ષની ઈચ્છા હોય. કૃતિકા, અશ્લેષા એ બે નક્ષત્રના છ છ તારા છે. ૭. સાતમે બોલે – સાત કારણે છબસ્થ જાણવો. ૧ પ્રાણાતિપાત લગાડે, ર મૃષાવાદ લગાડે, ૩ અદત્તાદાન લગાડે, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦) શ્રી બૃહદ જેન થોક સંગ્રહ ૪ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તેનો સ્વાદ લે, ૫ પૂજા સત્કાર વાંછે, ૬ નિર્વઘ પ્રરૂપે પણ સાવદ્ય લાગે, ૭ જેવું પ્રરૂપે તેવું કરી શકે નહિ. એ સાત વાનાં (વસ્તુ) જેનામાં હોય તેને છબસ્થ જાણવો. આયુષ્ય સાત કારણથી તૂટે છે. ૧ અધ્યવસાય – અતિ હર્ષ, શાક કે ભયથી, ર નિમિત્ત – શસ્ત્ર, દંડ આદિથી, ૩ આહાર – વધારે કે પ્રતિકૂળ આહારથી, ૪ વેદના – જ્વર, રોગ આદિની પ્રાણનાશક પીડાથી, ૫ પરાઘાત – વીજળી પડવી, ખાડામાં પડવું, વૃક્ષ કે મકાન પડવાથી, ૬ સ્પર્શ – સર્પ વિ. ઝેરી પ્રાણીના કરડવાથી, ૭ શ્વાસોચ્છવાસ – તેના રૂંધાવાથી મરે. સાત નય કહે છે. ૧ નૈગમ નય, ૨ સંગ્રહ નય, ૩ વ્યવહાર નય, ૪ ઋજુસૂત્ર નય, પ શબ્દ નય, ૬ સમભિરૂઢ નય, ૭ એવંભૂત નય. મઘા નક્ષત્રના સાત સાત તારા કહ્યા છે. ૮. આઠમે બોલે – આચાર્યની આઠ સંપદા. ૧ આચાર સંપદા, ર શરીર સંપદા, ૩ સૂત્ર સંપદા, ૪ વચન સંપદા, ૫ પ્રયોગ સંપદા, ૬ મતિ સંપદા, ૭ સંગ્રહ સંપદા, ૮ વાચના સંપદા. એકલ વિહારી સાધુ સાધ્વીના અવગુણ ૮ છે. ૧ ક્રોધી, ૨ અહંકારી, ૩ કપટી, ૪ લોભી, ૫ પાપ કરવામાં આસક્ત, ૬ કુતૂહલી મશ્કરી કરનાર, ૭ ધૂતારો અને ૮ નબળા આચારવાળો હોય તે એકલો રહે. આઠ ગુણનો ધણી એકલો રહે. ૧ સંયમના દૃઢ પરિણામનો ધણી ગુરુની આજ્ઞા લઈને એકલો રહે, ર ઘણા સૂત્રનો જાણ એકલો રહે, ૩ જઘન્ય દશ પૂર્વનો ભણેલો, ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વનો ભણેલો એકલો રહે, ૪ ચાર જ્ઞાનનો ધણી એકલો રહે, પ મહાબળનો ધણી એકલો રહે, ૬ કલેશ રહિત હોય તે એકલો રહે, ૭ સંતોષી એકલો . Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્ચીસ બોલ રહે, ૮ ધર્યવંત હોય તે એકલો રહે. મનુષ્યને ઘેલાપણું આઠ પ્રકારે ઉત્પન્ન થાય છે. ૧ નર નારી પરસ્પર વાતો કરે ત્યારે ઘેલા. ૨ બાળકને રમાડતી સમયે ઘેલા. ૩ કલેશ કજિયા કરતી વખતે ઘેલા. ૪ દારૂ, ભાંગ ઈત્યાદિ નશાકારક પદાર્થોનું સેવન કર્યું હોય ત્યારે ઘેલા. ૫ પેચબંધ પાઘડી બાંધીને વટથી ફરે ત્યારે ઘેલા. ૬ અરીસામાં મુખ જોતી વખતે ઘેલા. ૭ શયન સમયે ઘેલા. ૮ હોળીમાં રમતા પુરૂષો ઘેલા, અષાઢી પૂનમે રમતી સ્ત્રીઓ ઘેલી. દેખતા છતાં અંધના નામ તે આઠ છે. ૧ કામાંધ, ૨ ક્રોધોધ, 3 કૃપણાંધ, ૪ માનાંધ, ૫ મદાંધ, ૬ ચોરાંધ, ૭ જુગટાંધ, ૮ યુગલ્યાં. આઠ મહાપાપી કહે છે. ૧ આત્મઘાતી, ર વિશ્વાસઘાતી, ૩ ગુરુ ઓળવનાર ૪ ગુરુ દ્રોહી, ૫ કૂડી સાક્ષી પૂરે, ૬ ખોટી સલાહ આપે, ૭ પચ્ચકખાણ વારંવાર ભાંગે, ૮ હિંસામય ધર્મ પ્રરૂપે તે મહાપાપી. ૯. નવમે બોલે – નવ પ્રકારે શરીરમાં રોગ ઉપજે તે કહે છે. ૧ ઘણું ખાય, ર અજીર્ણમાં ખાય તથા ઘણું બેસી રહે, ૩ ઘણું ઉધે, ૪ ઘણું જાગે, ૫ દિશા રોકે ૬ પેશાબ રોકે, ૭ ઘણું ચાલે, ૮ અણગમતી વસ્તુ ભોગવે, ૯ વારંવાર વિષય સેવે તે રોગ ઉપજે. કે નવ બોલ સમજવાના કહ્યા છે તે કહે છે. ૧ રજપૂતને ક્રોધ ઘણો, ર ક્ષત્રિયને માન ઘણું, ૩ ગણિકાને માયા ઘણી, ૪ બ્રાહ્મણને લોભ ઘણો, પ મિત્રને રાગ ઘણો, ૬ શોકને દ્વેષ ઘણો, ૭ જુગારીને શોચ ઘણો, ૮ ચોરની માતાને ચિંતા ઘણી, ૯ કાયરને ભય ઘણો. ૧૦ દશમે બોલે – નારકીના જીવને દશ પ્રકારની વેદના કહે છે. ૧ અનંતી ભૂખ, ૨ અનંતી તરસ, 3 અનંતી ટાઢ, ૪ અનંતી Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગરમી, ૫ અનંતો દાહ, ૬ અનંતો ભય, ૭ અનંત જ્વર, ૮ અનંતી . ખરજ, ૯ અનંતું પરવશપણું, ૧૦ અનંતો શોક. - દશ પ્રકારે શ્રાવકને પસ્તાવું પડે તે કહે છે. ૧ સાધુની જોગવાઈ હોય અને પ્રશ્નાદિક પૂછે નહિ તો સાધુ વિહાર કરે પછી પસ્તાવું પડે, ૨ વખાણવાણી સાંભળે નહિ તો પસ્તાવું પડે, ૩ સામાયિક પ્રતિક્રમણ કરે નહિ તો પસ્તાવું પડે, ૪ આહાર પાણી અસૂઝતો હોય તો પસ્તાવું પડે, ૫ ભણવાની જોગવાઈ હોય અને ભણે નહિ તો પસ્તાવું પડે, ૬ સ્વધર્મીની ખબર લે નહિ તો પસ્તાવું પડે, ૭ ધર્મ જાગરણ જાગે નહિ તો પસ્તાવું પડે, ૮ સાધુની વિનયભક્તિ કરે નહિ તો પસ્તાવું પડે, ૯ સાધુની સારસંભાળ લે નહિ તો પસ્તાવું પડે, ૧૦ સાધુ વિહાર કરી જાય અને ખબર ન પડે તો પસ્તાવું પડે. દશ પ્રકારે દેવતાનું આયુષ્ય બંધાય. ૧ અલ્પકષાયી હોય. ૨ નિર્મળ સમકિત પાળે. ૩ શ્રાવકનાં વ્રત શુદ્ધ પાળે. ૪ ગત વસ્તુ, ઈષ્ટ વિયોગની ચિંતા કરે. ૫ ધર્માત્માની ભક્તિ કરે. ૬ દયા દાનની વૃદ્ધિ કરે. ૭ જૈન ધર્માનુરાગી હોય. ૮ બાલતપ કરે. ૯ અકામ નિર્જરા કરે. ૧૦ સાધુનાં વત શુદ્ધ પાળે. જ્ઞાનમાં વૃદ્ધિ કરાવનાર નક્ષત્ર ૧૦ છે. ૧ મૃગશીર્ષ, ૨ આદ્ર, પુષ્ય, ૪ પૂર્વા ફાલ્ગની, પ પૂર્વાષાઢા, ૬ પૂર્વાભાદ્રપદ, ૭ મૂળ, ૮ અશ્લેષા, ૯ હસ્ત અને ૧૦ ચિત્રા. એ દશ નક્ષત્રમાં ભણે તો જ્ઞાન વૃદ્ધિ થાય. ૧૧. અગિયારમે બોલે – શ્રી મહાવીર સ્વામીના ૧૧ ગણધરોના નામ. ૧. ઇદ્રભૂતિ. ૨. અગ્નિભૂતિ. ૩. વાયુભૂતિ. ૪. વ્યક્તજી. ૫. સુધર્મા સ્વામી. ૬. મૌર્યપુત્ર. ૭. અકંપિતજી. ૮. મંડિતજી, ૯. અચલભ્રાતા. ૧૦. મેતાર્ય. ૧૧. પ્રભાસ. Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્ચીસ બોલા અગિયાર બોલે જ્ઞાન વધે તે કહે છે. ૧ જ્ઞાન શીખવા માટે ઉદ્યમ કરવાથી જ્ઞાન વધે છે. ૨ ઊંઘ ઘટાડીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૩ ભૂખ કરતાં ઓછું ખાઈને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૪ મૌન રાખીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૫ જ્ઞાની પાસે અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૬ ગુરુનો વિનય કરીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૭ સંસારમાં વૈરાગ્ય સાથે જ્ઞાન શીખવાથી જ્ઞાન વધે છે. ૮ શીખેલું જ્ઞાન વારંવાર ફેરવવાથી જ્ઞાન વધે છે. ૯ પાંચ ઇન્દ્રિયોને વશ કરીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૧૦ બ્રહ્મચર્યનું પાલન કરીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૧૧ કપટરહિત તપ કરવાથી જ્ઞાન વધે છે. મૂળ નક્ષત્રના ૧૧ તારા છે. ' ૧૨ બારમે બોલે – બાર કારણે આત્માનું પરમ કલ્યાણ થાય તે કહે છે. ૧ સમકિત નિર્મળ પાળે તો આત્માનું પરમ કલ્યાણ થાય, શ્રેણિક મહારાજાની જેમ, ૨ નિયાણારહિત કરણી કરે તો પરમ કલ્યાણ થાય, તામલી તાપસની પેર, ૩ મન વચન કાયાના જોગ કબજે રાખે તો પરમ કલ્યાણ થાય, ગજસુકુમાર મુનિની પેરે. ૫ છતી શક્તિ એ ક્ષમા કરે તો પરમ કલ્યાણ થાય, પરદેશી રાજાની પેરે, ૫ પાંચ ઇન્દ્રિયનું દમન કરે તો પરમ કલ્યાણ થાય, ધર્મરૂચિ અણગારની પેરે, ૬ સાધુનો શુદ્ધ આચાર પાળે તો પરમ કલ્યાણ થાય, ધન્ના અણગારની પેરે, ૭ ધર્મ ઉપર શ્રદ્ધા પ્રતીતિ રાખે તો પરમ કલ્યાણ થાય, વરૂણ નાગ નટુઆના મિત્રની પરે, ૮ માયા કપટ છાંડે તો પરમ કલ્યાણ થાય, મલ્લિનાથના છ મિત્રની પરે, ૯ આશ્રવમાં સંવર નીપજાવે તો પરમ કલ્યાણ થાય, સંજતિ રાજાની પરે, ૧૦રોગ આવે હાયવોય ન કરે તો પરમ કલ્યાણ થાય, અનાથી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ નિગ્રંથની પેરે, ૧૧ પરિષહ આવ્યે સમભાવ રાખે તો પ૨મ કલ્યાણ થાય, મેતા૨જ મુનિની પે૨ે, ૧૨ તૃષ્ણા ઉત્પન્ન થઈ એને પાછી વાળે તો ૫૨મ કલ્યાણ થાય, કપિલ કેવળીની પેરે. ૧૩. તે૨મે બોલે – તેર તણખા કહે છે. ૧ જન્મરૂપી રૂ અને મરણરૂપી તણખો, ૨ સંજોગરૂપી રૂ અને વિયોગરૂપી તણખો, ૩. શાતારૂપી રૂ અને અશાતારૂપી તણખો, ૪ સંપદારૂપી રૂ અને આપદારૂપી તણખો, ૫ હ૨ખરૂપી રૂ અને શોકરૂપી તણખો, ૬ શીલરૂપી રૂ અને કુશીલરૂપી તણખો, ૭ જ્ઞાનરૂપી રૂ અને અજ્ઞાનરૂપી તણખો, ૮ સમકિતરૂપી રૂ અને મિથ્યાત્વરૂપી તણખો, ૯ સંજમરૂપી રૂ અને અસંજમરૂપી તણખો, ૧૦ તપસ્યારૂપી રૂ અને ક્રોધરૂપી તણખો, ૧૧ વિવેકરૂપી રૂ અને અભિમાનરૂપી તણખો, ૧૨ સ્નેહરૂપી રૂ અને માયારૂપી તણખો, ૧૩ સંતોષરૂપી રૂ અને લોભરૂપી તણખો. તે૨ કાઠીયા (અંતરાય ઉત્પન્ન કરે તે) કહે છે. ૧ જુગા૨, ૨ આળસ, ૩ શોક, ૪ ભય, ૫ વિકથા, ૬ કૌતુક, ૭ ક્રોધ, ૮ કૃપણ બુદ્ધિ, ૯ અજ્ઞાન, ૧૦ વહેમ, ૧૧ નિદ્રા, ૧૨ મદ, ૧૩ મોહ. ૧૪. ચૌદમે બોલે – વ્યાખ્યાન સાંભળના૨નાં ૧૪ ગુણ કહે છે. ૧ ભક્તિવંત હોય, ૨ મીઠા બોલો હોય, ૩ ગર્વરહિત હોય, ૪ સાંભળ્યા ઉપર રૂચિ હોય, ૫ ચપળતારહિત એકાગ્રચિત્તે સાંભળનાર હોય, ૬ જેવું સાંભળે તેવું પૂછનારને બરાબ૨ કહે, ૭ વાણીને પ્રકાશમાં લાવનાર હોય, ૮ ઘણાં શાસ્ત્ર સાંભળીને તેના રહસ્યનો જાણ હોય, ૯ ધર્મકાર્યમાં આળસ ન કરનાર હોય, ૧૦ ધર્મ સાંભળતાં નિદ્રા ન ક૨ના૨ હોય, ૧૧ બુદ્ધિવંત હોય, ૧૨ દાતાર ગુણ હોય, ૧૩ જેની પાસે ધર્મ સાંભળે તેના ગુણનો ફેલાવો ક૨ના૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્ચીસ બોલ Dિ૭૫) હોય, ૧૪ કોઈની નિંદા ન કરે તેમ જ તેમનો વાદવિવાદ ન કરે. ૧૫. પંદરમે બોલે – વિનીત શિષ્યના પંદર ગુણ કહે છે. ૧ ગુરુથી નીચા આસને બેસવાવાળો હોય, ૨ ચપળપણા રહિત હોય, ૩ માયારહિત હોય, ૪ કુતૂહલરહિત હોય, પ કર્કશ વચનરહિત હોય, ૬ લાંબો પહોંચે તેવો ક્રોધ ન કરનાર હોય, ૭ મિત્ર સાથે મિત્રતા રાખે. ૮ સૂત્ર ભણી મેદ ન કરે. ૯ આચાર્યની નિંદા ન કરે, ૧૦ શિખામણ દેનાર ઉપર ક્રોધ ન કરે, ૧૧ પૂંઠ પાછળ વાલેસરીના ગુણ બોલે, ૧૨ કલેશ, મમતા રહિત હોય, ૧૩ તત્ત્વનો જાણ હોય, ૧૪ વિનયવંત હોય, ૧૫ લજાવંત તથા ઇન્દ્રિયોનો દમનાર હોય. ૧૬. સોળમે બોલે – સોળ પ્રકારનાં વચન જાણવા તે કહે છે. ૧ એક વચન : ઘટ, પટ, વૃક્ષ. ૨ દ્વિવચન : ઘટી, પટો, વૃક્ષો. ૩ બહુવચન ઘટાડ, પટા, વૃક્ષા.૪ સ્ત્રીલિંગે વચન: કુમારી, નગરી, નદી પ પુરૂષ લિંગે વચનઃ દેવ, નર, અરિહંત, સાધુ. ૬ નપુંસકલિંગે વચન : કપર્ટ, કમળ, નેત્ર. ૭ અતીતકાળ વચન (ગયો કાળ) : કરેલું, થયેલું. ૮ અનાગતકાળ વચન (આવતો કાળ) : કરશે, થશે, ભાંગશે. ૯ વર્તમાનકાળ વચન : કરે છે, થાય છે, ભણે છે. ૧૦પરોક્ષ વચન : એ કાર્ય તેણે કર્યું. ૧૧ પ્રત્યક્ષ વચનઃ એમ જ છે. ૧૨ ઉપનીત વચન : એ પુરૂષ રૂપવંત છે. ૧૩ અપનીત વચન : જેમ એ પુરૂષ કુરૂપવંત છે. ૧૪ ઉપનીત અપનીત વચન: જેમ એ રૂપવંત પણ કુશીલીઓ છે. ૧૫ અપનીત ઉપનીત વચન : જેમ એ પુરૂષ કુશીલીઓ પણ રૂપવંત છે. ૧૬ અધ્યાત્મ વચન : ભગ્ન બોલે (તૂટેલું વચન), રૂ વાણીઆની પેરે રૂ પા. ૧૭. સત્તરમે બોલે – સત્તર પ્રકારનો સંયમ કહે છે. ' ૧ પૃથ્વીકાયની , ૨ અપકાયની, ૩ તેઉકાયની, ૪ વાઉકાયની, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૬ ૫ વનસ્પતિકાયની, ૬ બેઇન્દ્રિયની, ૭ તેઇન્દ્રિયની, ૮ ચૌરેન્દ્રિયની, ૯ પંચેન્દ્રિયની, એ નવની દયા પાળવી, ૧૦ અજીવકાય સંયમ, ૧૧ પેહા : જોઈને જમીન ઉ૫૨ બેસે, ૧૨ ઉપેહા : સંયમને વિષે જાગૃત હોય, માધ્યસ્થભાવ રાખે, ૧૩ ૫મણા : પાત્રાદિકને બરાબર પૂંજે, ૧૪ પારિઠાવણિયા : માતૃ આદિ અશુચિને વિધિએ ૫૨ઠે, ૧૫ મન સંયમ, ૧૬ વચન સંયમ, ૧૭ કાય સંયમ. ૧૮. અઢા૨મે બોલે – અઢાર દ્રવ્ય દિશા કહે છે. ૧ પૂર્વ, ૨ પશ્ચિમ, ૩ ઉત્ત૨, ૪ દક્ષિણ, ૫ ઇશાનખૂણો, ૬ અગ્નિખૂણો, ૭ નૈઋત્યખૂણો, ૮ વાયવ્યખૂણો, તે ૮ દિશા અને ૮ વિદિશાના આંત૨ા મળીને સોળ. અઢાર ભાવ દિશા કહે છે. ૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેઉ, ૪ વાયુ, ૫ અચબીયા', ૬ મૂળબીયા, ૭ પોરબીયા, ૮ ખંધબીયાTM, ૯ બેઇન્દ્રિય, ૧૦ તેઇન્દ્રિય, ૧૧ ચૌરેન્દ્રિય, ૧૨ તિર્યંચ પંચેન્દ્રિય, ૧૩ સંમૂર્ચ્છિમ મનુષ્ય, ૧૪ કર્મભૂમિ, ૧૫ અકર્મભૂમિ, ૧૬ છપ્પન અંતરદ્વીપ, ૧૭ દેવતા, ૧૮ ના૨કી. - ૧૯. ઓગણીસમે બોલે – કાઉસ્સગ્ગના ઓગણીસ દોષ કહે છે. ૧ ઢીંચણ ઉપર એક પગ રાખે તો દોષ, ૨ કાયા આઘીપાછી હલાવે, ૩ ઓઠીંગણ દે, ૪ માથું નમાવી ઊભો રહે, ૫ બે હાથ ઊંચા રાખે, ૬ મોઢે, માથે ઓઢે, ૭ પગ ઉપર પગ રાખે, ૮ શરીર વાંકું ૨ાખે, ૯ સાધુની બરાબ૨ ૨હે, ૧૦ ગાડાની ઉધની પે૨ે ઊભો રહે, ૧૧ કેડેથી વાંકો ઊભો રહે, ૧૨ ૨જોહરણ ઊંચો રાખે, ૧૩ એક ૧ જેના અગ્રભાગમાં બી છે તેવા કોટક, એરંડા વિ. ૨ જેના મૂળમાં બી છે તેવા કમળકાકડી વિ. ૪ જેના થડમાં બી છે તેવા વડ, પીપળો. બી છે તેવા શેરડી વિ. ૩ જેના ગાંઠમાં Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્ચીસ બોલ આસને ન રહે, ૧૪ આંખ ઠેકાણે ન રાખે, ૧૫ માથું હલાવે, ૧૬ ખોંખારો કરે, ૧૭ શરીર હલાવે, ૧૮ શરીર મરડે, ૧૯ શૂન્ય ચિત્ત રાખે તો દોષ. ૨૦. વીસમે બોલે – જીવ વીસ પ્રકારે તીર્થકર નામ બાંધે તે કહે છે. ૧ અરિહંતના ગુણગ્રામ કરે તો કર્મની ક્રોડ ખપાવે છે. રસ આવે તો તીર્થંકર નામ બાંધે, ૨ સિદ્ધનાં ગુણગ્રામ કરે, ૩ સિદ્ધાંતના ગુણગ્રામ કરે, ૪ ગુરુનાં ગુણગ્રામ કરે, ૫ સ્થવિરનાં ગુણગ્રામ કરે, ૬ બહુસૂત્રીના ગુણગ્રામ કરે, ૭ તપસ્વીનાં ગુણગ્રામ કરે, ૮ જ્ઞાન ઉપર ઉપયોગ વારંવાર રાખે, ૯ શુદ્ધ સમકિત પાળે, ૧૦ વિનય કરે, ૧૧ બે વખત પ્રતિક્રમણ કરે, ૧૨ વ્રત પચ્ચકખાણ ચોખ્ખાં પાળે, ૧૩ ધર્મધ્યાન, શુક્લધ્યાન ધ્યાવે, ૧૪ બાર ભેદે તપ કરે, ૧૫ સુપાત્રને દાન દે, ૧૬ અપૂર્વ જ્ઞાન ભણે, ૧૭ સર્વ જીવને સુખ ઉપજાવે, ૧૮ વૈયાવચ્ચ કરે, ૧૯ સૂત્રની ભક્તિ કરે, ૨૦ તીર્થકરનો માર્ગ દીપાવે. ૨૧. એકવીસમે બોલે – શ્રાવકના ગુણ ૨૧ : વિસ્તાર માટે જુઓ થોકડો નં. ૪૯ અથવા ૩૫ બોલમાં ૩૫ મો બોલ. ૨૨. બાવીસમે બોલે – બાવીસ જણ સાથે વાદ વિવાદ ન કરવો. ૧ ધનવંત સાથે, ૨ બળવંત સાથે, ૩ ઘણા પરિવાર સાથે, ૪ તપસ્વી સાથે, ૫ હલકા માણસ સાથે, ૬ અહંકારી સાથે, ૭ ગુરુ સાથે, ૮ સ્થવિર સાથે, ૯ ચોર સાથે, ૧૦ જુગારી સાથે, ૧૧ રોગી સાથે, ૧૨ ક્રોધી સાથે ૧૩ જૂઠા બોલા સાથે, ૧૪ કુસંગી સાથે, ૧૫ રાજા સાથે, ૧૬ શીત લેશ્યાવાળા સાથે, ૧૭ તેજો વેશ્યાવાળા સાથે, ૧૮ મોઢે મીઠાબોલા સાથે, ૧૯ દાનેશ્રી સાથે, ૨૦ જ્ઞાની સાથે, ૨૧ ગણિ કા સાથે, ૨૨ બાળક સાથે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૨૩ ત્રેવીસમે બોલે -પાંચ ઇન્દ્રિયના વિષય ૨૩ છે. શ્રોત્રેન્દ્રિયના ૩ વિષય - જીવ શબ્દ, અજીવ શબ્દ, મિશ્ર શબ્દ. ચક્ષુઇન્દ્રિયના ૫ વિષય – કાળો, નીલો, લાલ, પીળો, ધોળો. ઘ્રાણેન્દ્રિયના ૨ વિષય – સુરભિ ગંધ, દુરભિગંધ. ૨સેન્દ્રિયના ૫ વિષય – તીખો, કડવો, કસાયેલો (તૂરો), ખાટો, મીઠો. સ્પર્શેન્દ્રિયના ૮ વિષય – સુંવાળો, ખરખરો, હલકો, ભારે, ઉષ્ણ, ટાઢો, લૂખો (રૂક્ષ), ચોપડયો (સ્નિગ્ધ). ૨૪. ચોવીસમે બોલે – તોટાના પ્રકા૨ ૨૪ છે. ૧ ભણવા ગણવાની આળસ કરે તો જ્ઞાનનો તોટો (બહુત્રીની સાખ), ૨ સાધુ સાધ્વીનાં દર્શન ન કરે તો સમકિતનો તોટો (સોમિલ બ્રાહ્મણની સાખ), ૩ સમયસર પ્રતિક્રમણ ન ક૨ે તો વ્રત પ્રત્યાખ્યાનનો તોટો (ઉત્તરાધ્યન અધ્ય. ૨૫ની સાખ), ૪ સાધુ સાધ્વી ૫૨સ્પ૨ વૈયાવચ્ચ ન કરે તો તીર્થનો તોટો (ઠાણાંગ સૂત્રની સાખ), ૫ તપસ્યાની ને આચારની ચોરી કરે તો દેવતામાં ઊંચી પદવીનો તોટો (દશવૈકાલિક, ભગવતીની સાખ), ૬ કઠણ કલુષ ભાવ રાખે તો શીતળતાનો તોટો (સમવાયાંગની સાખ), ૭ અજતનાથી ચાલે તો જીવદયાનો તોટો (દશવૈકાલિકની સાખ), ૮ રૂપનો ને યૌવનનો મદ ક૨ે તો શુભ કર્મનો તોટો (પન્નવણાની સાખ), ૯ મોટાનો વિનય ન ક૨ે તો તીર્થંકરની આજ્ઞાનો તોટો (વ્યવહા૨સૂત્રની સાખ), ૧૦ માયા કપટ કરે તો જશ, કીર્તિનો તોટો (આચારાંગની સાખ), ૧૧ પાછલી રાતે ધર્મ જાગરિકા ન જાગે તો ધર્મધ્યાનનો તોટો (નિશીથની સાખ), ૧૨ ક્રોધ, કલેશ ક૨ે તો સ્નેહભાવનો તોટો (ચેડા કુણિકની સાખ), ૧૩ મન ઊંચું નીચું કરે તો અક્કલનો તોટો (ભૃગુ પુરોહિતની Page #98 -------------------------------------------------------------------------- ________________ T શ્રી પચ્ચીસ બોલ સાખ), ૧૪ સ્ત્રીના લાલચને બ્રહ્મચર્યનો તોટો (ઉત્તરાધ્યયનની સાખ), ૧૫ સાધુ,સાધ્વી, શ્રાવક, શ્રાવિકા માંહોમાંહી હેત મેળાપ ન રાખે તો જૈન ધર્મનો તોટો (શંખ પોખલીજીની સાખ), ૧૬ સુપાત્રને ઉલ્લાસભાવે દાન ન આપે તો પુણ્ય પ્રકૃતિનો તોટો (કપિલા દાસીની સાખ), ૧૭ સાધુ ગામ, નગર વિહાર ન કરે તો ધર્મકથાનો તોટો (શૈલક રાજઋષિની સાખ), ૧૮ ભણે નહિ તો જિનશાસનનો તોટો (સમાચારીની સાખ), ૧૯ વત પચ્ચખાણની આલોયણા કરે નહિ તો મોક્ષના સુખનો તોટો (પાર્શ્વનાથની રપ૬ સાધ્વીની સાખ), ૨૦ અરિહંત, ધર્મ અને ચારે તીર્થના અવર્ણવાદ બોલે તો સત્ ધર્મનો તોટો (ઠાણાંગની સાખ), ૨૧ સાધુનું વચન માને નહિ તો ઊંચી ગતિનો તોટો (બ્રહ્મદત્તની સાખ), ૨૨ સાધુ સાધ્વી ગુરુ ગુરુણીની આજ્ઞા ઉલ્લંઘે તો આરાધકપણાનો તોટો (સુકુમાલિકાની સાખ તથા અંધકજીની સાખ), ૨૩ ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા ન રાખે તો શુદ્ધ માર્ગનો તોટો (જમાલીની સાખ), ૨૪ ભણેલું વારંવાર સંભારે નહિ તો મેળવેલી વિદ્યાનો તોટો (જવઋષિની સાખ). ૨૫. પચ્ચીસમે બોલે – સાડાપચ્ચીસ આર્ય દેશ તથા તેની નગરીના નામ કહે છે. ૧ મગધ દેશ-રાજગૃહી નગરી, ૨ અંગ દેશ– ચંપા નગરી, ૩ બંગ દેશ- તામ્રલિપ્તી નગરી, ૪ કલિંગ દેશ- કંચનપુર નગરી, ૫ કાશી દેશ- વારાણસી નગરી, ૬ કૌશલ દેશ – સાકેત નગ૨, ૭ કુરૂ દેશ – ગજપુર નગરી, ૮ કુશાવર્ત દેશ – સૌરીપુર નગરી, ૯ પંચાલ દેશ – કંપિલપુર નગરી, ૧૦ જંગલ દેશ – અહિચ્છત્રા નગરી, ૧૧ સોરઠ દેશ – દ્વારકા નગરી, ૧૨ વિદેહ દેશ – મિથિલા Page #99 -------------------------------------------------------------------------- ________________ ८० શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ નગરી, ૧૩ વત્સ દેશ – કૌશાંબી નગરી, ૧૪ સાંડીલ દેશ નંદીપુર નગરી, ૧૫ માળવ દેશ – દ્દિલપુર નગ૨ી, ૧૬ મચ્છ દેશ – વૈરાટનગરી, ૧૭ વ૨ણ દેશ – અચ્છાપુરી નગરી, ૧૮ દશારણ દેશ – મૃગાવતી નગરી, ૧૯ વિદેહ દેશ – શિવાવતી નગરી, ૨૦ સિંધ દેશ – વિત્તભય પાટણ ― નગરી, ૨૧ સુ૨સેન દેશ - મથુ૨ા નગ૨ી, ૨૨ ભંગદેશ - પાવાપુરી નગરી, ૨૩ પુરિવર્ત દેશ માસાપુર નગરી, ૨૪ કુણાલ દેશ – સાવી નગ૨ી, ૨૫ લાઢ દેશ – કોટિવર્ષ નગરી, ૨૫ાા કેકાર્ધ દેશ – શ્વેતાંબિકા નગરી. ઇતિ પચ્ચીસ બોલ સંપૂર્ણ. 今圌分蜜蜜照 分颺照分 ૪. પાંત્રીસ બોલ પહેલે બોલે : ગતિ ચા૨ : ૧. નારકી, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય, ૪. દેવતા. (પન્નવણા પદ ૨૩, ૩. ૨) બીજે બોલે : જાતિ પાંચ : ૧. એકેન્દ્રિય. ૨. બેઇન્દ્રિય. ૩. તેઇન્દ્રિય. ૪. ચૌરેન્દ્રિય. ૫. પંચેન્દ્રિય. (પન્નવણા પદ ૨૩, ૩. ૨) ત્રીજે બોલે : કાય છ : ૧. પૃથ્વીકાય. ૨. અપકાય. ૩. તેઉકાય. ૪. વાઉકાય. ૫. વનસ્પતિકાય. ૬. ત્રસકાય. (ઠાણાંગ ૬, દશવૈકા. ૪) ચોથે બોલે ઃ ઇન્દ્રિય પાંચ : ૧. શ્રોત્રેન્દ્રિય, ૨. ચક્ષુઇન્દ્રિય, ૩. ઘાણેન્દ્રિય, ૪. ૨સેન્દ્રિય, પ. સ્પર્શેન્દ્રિય. (પન્નવણા પદ ૧૫, ઠાણાંગ) Page #100 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - શ્રી પાંત્રીસ બોલ પાંચમે બોલે : પર્યાપ્તિ છ ઃ ૧. આહાર, ૨. શરીર, ૩. ઈન્દ્રિય, ૪. શ્વાસોચ્છવાસ, ૫. ભાષા અને ૬. મન. (ભગવતી શ. ૩ ઉ.૧, પન્નવણા પદ ૨૮) છ બોલે પ્રાણ દશઃ ૧. શ્રોત્રેન્દ્રિય બલપ્રાણ, ૨. ચક્ષુઇન્દ્રિય બલપ્રાણ, ૩. ધ્રાણેન્દ્રિય બલપ્રાણ, ૪. રસેન્દ્રિય બલપ્રાણ, ૫. સ્પર્શેન્દ્રિય બલપ્રાણ, ૬. મન બલપ્રાણ, ૭. વચન બલપ્રાણ, ૮. કાય બલપ્રાણ, ૯. શ્વાસોચ્છવાસ બલપ્રાણ, ૧૦. આયુષ્ય બિલખાણ. (ઠાણાંગ સૂત્ર ૧) સાતમે બોલે ઃ શરીર પાંચ : ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તેજસ, ૫. કામણ. (પન્નવણા પદ ૨૧, ઠાણાંગ સૂત્ર ૫) આઠમે બોલે યોગ પંદર ઃ ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ, ૩. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, ૫. સત્ય વચનયોગ, ૬. અસત્ય વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. ઔદારિક શરીર કાયયોગ, ૧૦. ઔદારિક શરીર મિશ્ર કાયયોગ, ૧૧. વૈક્રિય શરીર કાયયોગ, ૧૨. વૈક્રિય શરીર મિશ્ર કાયયોગ, ૧૩. આહારક શરીર કાયયોગ, ૧૪. આહારક શરીર મિશ્ર કાયયોગ, ૧૫. કાર્પણ શરીર કાયયોગ. (ભગવતી શ. ૨૫ ઉ. ૧, પન્નવણા પદ ૧૬) નવમે બોલે : ઉપયોગ ૧૨ : ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રતઅજ્ઞાન, ૮ વિર્ભાગજ્ઞાન, ૯ ચક્ષુદર્શન, ૧૦ અચક્ષુદર્શન, ૧૧ અવધિદર્શન, ૧૨ કેવળદર્શન. (પન્નવણા પદ ર૯) દશમે બોલે : કર્મ આઠ : ૧. જ્ઞાનાવરણીય, ૨. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ દર્શનાવરણીય, 3. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અંત૨ાય. (પન્નવણા પદ ૨૩, ઉતરા. સૂત્ર અ. ૩૩) અગિયા૨મે બોલે : ગુણસ્થાનક ૧૪ : ૧. મ યા વ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪. અવિરતિ સમ્યક્ દ્રષ્ટિ, ૫. દેશવિરતિ (શ્રાવક), ૬. પ્રમત્ત સંજત્તિ, ૭. અપ્રમત્ત સંજત્તિ, ૮. નિવર્તિ બાદ૨, ૯. અનિવર્તિ બાદ૨, ૧૦. સૂક્ષ્મ સંપ૨ાય, ૧૧. ઉપશાંત મોહનીય, ૧૨. ક્ષીણ મોહનીય, ૧૩. સયોગી કેવળી, ૧૪. અયોગી કેવળી. (સમવાયાંગ સૂત્ર, ૧૪) બારમે બોલે : પાંચ ઇન્દ્રિયના વિષય ૨૩: શ્રોત્રેન્દ્રિયના ૩ વિષય – જીવ શબ્દ, અજીવ શબ્દ, મિશ્ર શબ્દ. ચક્ષુ ઇન્દ્રિયના ૫ વિષય – કાળો, નીલો, લાલ, પીળો, ધોળો. ઘાણેન્દ્રિયના ૨ વિષય – સુરભિ ગંધ, દુરભિગંધ. ૨સેન્દ્રિયના ૫ વિષય – તીખો, કડવો, કસાયેલો (તૂરો), ખાટો, મીઠો. સ્પર્શેન્દ્રિયના ૮ વિષય – સુંવાળો, ખરખો, હલકો, ભારે, ઉષ્ણ, ટાઢો, લૂખો (રૂક્ષ), ચોપડયો (સ્નિગ્ધ). (પન્નવણા પદ ૧૫) તે૨મે બોલે : પચ્ચીસ પ્રકારનું મિથ્યાત્વ ઃ ૧. અભિહિક મિથ્યાત્વ, ૨. અનાભિચહિક મિથ્યાત્વ, ૩. અભિનિવેશિક મિથ્યાત્વ, ૪. સાંશયિક મિથ્યાત્વ, પ. અણાભોગ મિથ્યાત્વ, ૬. લૌકિક મિથ્યાત્વ, ૭. લોકોત્ત૨ મિથ્યાત્વ, ૮. કુપ્રાવચન મિથ્યાત્વ, ૯. જીવને અજીવ પાંચ ઇન્દ્રિયનાં ૨૪૦ વિકાર : શ્રોત્રેન્દ્રિયના ૧૨ : ૩ શબ્દ × ૨ (શુભ, અશુભ) × ૨ (રાગ, દ્વેષ). ચક્ષુઇન્દ્રિયના ૬૦ : ૫ વર્ણ × ૩ (સચેત, અચેત, મિશ્ર) × ૨ (શુભ, અશુભ) × ૨ (રાગ, દ્વેષ). ઘાણેન્દ્રિયના ૧૨ : ગંધ ૨ × ૩ (સચેત, અચેત, મિશ્ર) × ૨ (રાગ, દ્વેષ). રસેન્દ્રિયના ૬૦ : ૫ ૨સ × ૩ (સચેત, અચંત, મિશ્ર) × ૨ (શુભ, અશુભ) × ૨ (રાગ, દ્વેષ). સ્પર્શેન્દ્રિયના ૯૬ : સ્પર્શ ૯ × ૩ (સચેત, અચેત. મિશ્ર) × ૨ (શુભ, અશુભ) × ૨ (રાગ, દ્વેષ). Page #102 -------------------------------------------------------------------------- ________________ 0િ૮૩) શ્રી પાંત્રીસ બોલ શ્રદ્ધ (કહે) તે મિથ્યાત્વ, ૧૦. અજીવને જીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૧. સાધુને કુસાધુ શ્રદ્ધ તે મિથ્યાત્વ, ૧૨. કુસાધુને સાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૩. આઠ કર્મથી મૂકાણા તેને નથી મૂકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૪. આઠ કર્મથી નથી મૂકાણા તેને મૂકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૫. ધર્મને અધર્મ શ્રદ્ધ તે મિથ્યાત્વ, ૧૬. અધર્મને ધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૭. જિનમાર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૮. અન્ય માર્ગને જિનમાર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૯. જિનમાર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૦. જિનમાર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૧. જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૨. અવિનય મિથ્યાત્વ, ૨૩. અકિરિયા મિથ્યાત્વ, ૨૪. અજ્ઞાન મિથ્યાત્વ, ૨૫. આશાતના મિથ્યાત્વ. ચૌદમે બોલે : નવ તત્ત્વના જાણપણાના ૧૧૫ બોલ : જીવના ૧૪ ભેદ – સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય. તે સાતના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૧૪. (સમવાયાંગ ૧૪, ભગ ૨.૨૫ ઉ.૧) અજીવના ૧૪ ભેદ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણેના સ્કંધ, દેશ, પ્રદેશ એમ ૯ તથા ૧૦ મો ભેદ કાળ, પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ ને પરમાણુ એ ૪ મળીને ૧૪. (ઉત્તરાધ્યયન અ. ૩૬) પુણ્યના ૯ ભેદ – ૧. અન્ન પુ, ૨. પાણ પુત્ર, ૩. લયણ પુત્ર, ૪. શયણ પુત્ર, પ. વલ્થ પુત્રે, ૬.મન પુણે, ૭. વચન પુત્ર, ૮કાય પુ, ૯. નમસ્કાર પુત્ર. (ઠાણાંગ ૯). પાપનાં ૧૮ ભેદ – તે અઢાર પાપ સ્થાનક. (ભગ. શ ૧ ઉ. ૯). આશ્રવના ૨૦ ભેદ – ૧. મિથ્યાત્વ, ૨. અવત, ૩. પ્રમાદ, ૪. પાય, પ. અશુભયોગ, ૬. પ્રાણાતિપાત, ૭. મૃષાવાદ, ૮:અદત્તાદાન, ૯. મૈથુન, ૧૦. પરિગ્રહ, ૧૧. શ્રોત્રન્દ્રિય, ૧૨. ચક્ષુઇન્દ્રિય, ૧૩. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮િ૪] 1 શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ ધ્રાણેન્દ્રિય, ૧૪. રસેન્દ્રિય, ૧૫. સ્પર્શેન્દ્રિય, ૧૬. મન, ૧૭. વચન, ૧૮. કાયા તે ૮ ને (૧૧ થી ૧૮) મોકળા મૂકવા, ૧૯. ભંડ ઉપકરણની અયના કરે, ૨૦. શુચિ કુસગ્ન કરે. (સમવાયાંગ ૫, ઠાણાંગ ૫). સંવરના ૨૦ ભેદ – ૧. સમકિત, ૨. પ્રત્યાખ્યાન, ૩. અપ્રમાદ, ૪. અકષાય, ૫. શુભયોગ, ૬, જીવદયા, ૭. સત્ય વચન, ૮. અદત્તાદાન ત્યાગ, ૯. બ્રહ્મચર્ય, ૧૦. અપરિગ્રહ, ૧૧ થી ૧૮ પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગનું સંવરવું, ૧૯. ભંડ ઉપકરણની યતા કરે, ૨૦. શુચિ કુસગ્ન ન કરે. (પ્રશ્નવ્યાકરણ, ઠાણાંગ ૧૦). નિર્જરાના ૧૨ ભેદ – ૧. અણસણ, ૨. ઉણોદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસપરિત્યાગ, પ. કાયકલેશ, ૬. પ્રતિસલીનતા, ૭. પ્રાયશ્ચિત, ૮. વિનય, ૯. વૈયાવચ્ચ, ૧૦. સક્ઝાય, ૧૧. ધ્યાન, ૧૨. કાઉસ્સગ્ન. (ભગવતી શતક ૨૫ ઉ. ૭, ઉત્તરા. ૩૦). બંધના ૪ ભેદ – પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ. (ઠાણાંગ ૪). મોક્ષના ૪ ભેદ – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. (ઠાણાંગ ૯). - પંદરમે બોલે આત્મા ૮: દ્રવ્ય આત્મા, કષાય આત્મા, યોગ આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, વીર્ય આત્મા. (ભગવતી શ. ૧૨ ઉ. ૧૦) સોળમે બોલેઃ દંડક ૨૪: સાત નરકનો ૧; ૧૦ ભવનપતિના તે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર,વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, અનિતકુમાર; પાંચ સ્થાવરના તે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય; ૩ વિકસેન્દ્રિયના તે બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય; ૧ તિર્યંચ પચેન્દ્રિયનો, ૧ મનુષ્યનો, ૧ વાણવ્યંતર દેવનો, ૧ જ્યોતિષી દેવનો, ૧ વૈમાનિક દેવનો. (ઠાણાંગ ૧, ભગવતી શ. ૨૪) Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંત્રીસ બોલ ૮૫ સત્ત૨મે બોલે : લેશ્યા છ : ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. કાપોત, ૪. તેજો, ૫. પદ્મ, ૬. શુક્લ. (પક્ષવણા પદ ૧૭, ઉત્તરા. ૩૪) :: અઢારમે બોલે : દૃષ્ટિ ત્રણ : ૧. સમકિત સૃષ્ટિ, ૨. મિથ્યાત્વ દૃષ્ટિ, ૩. સમામિથ્યાત્વ (મિશ્ર) દૃષ્ટિ. (ઠાણાંગ ૩, પન્નવણા પદ ૧૯) ઓગણીસમે બોલે : ધ્યાન ચાર : આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન. (ભગવતી શ. ૨૫ ૩. ૭, ઠાણાંગ ૪.) વીસમે બોલે : છ દ્રવ્યના ત્રીશ બોલ : ધર્માસ્તિકાયના પાંચ : ધર્માસ્તિકાય દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ચલણસહાય. અધર્માસ્તિકાયના પાંચ : અધર્માસ્તિકાય દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી સ્થિ૨સહાય, આકાશાસ્તિકાયના પાંચ ઃ આકાશાસ્તિકાય દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી લોકાલોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી અવગાહનાદાન. કાળના પાંચ ઃ કાળ દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી વર્તવાનો ગુણ. પુદ્ગલના પાંચ ઃ પુદ્ગલ દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી રૂપી, ગુણથકી ગળે ને મળે. જીવના પાંચ : જીવ દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ચૈતન્યગુણ. (ઠાણાંગ પ, ઉત્તરા. ૨૮) એકવીસમે બોલે : રાશિ બે : જીવરાશિ, અજીવરાશિ. (ઠાણાંગ ૨, સમવાયાંગ ૨, ઉત્તરાધ્યયન ૩૬) બાવીસમે બોલે : શ્રાવકના વ્રત ૧૨. તેના ભાંગા ૪૯. (ભગવતી શ. ૮ ૩. પ, હરિભદ્રિય આવશ્યક અ. ૧) Page #105 -------------------------------------------------------------------------- ________________ (૪૬) િશ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ આંક એક અગિયારનો, એટલે એક કરણ ને એક યોગે કરી એક કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૧૪૧ = ૧). તેના ભાંગા ૯ : અમુક દોષકારી સ્થાનક – જેના પ્રત્યાખ્યાન કરું છું તે ૧ કરૂં નહિ મને કરી, ૨ કરૂં નહિ વચને કરી, ૩ કરૂં નહિ કાયાએ કરી, ૪ કરાવું નહિ મને કરી, ૫ કરાવું નહિ વચને કરી, ૬ કરાવું નહિ કાયાએ કરી, ૭ કરતાંને અનુમોદું નહિ મને કરી, ૮ કરતાને અનુમોદું નહિ વચને કરી, ૯ કરતાને અનુમોદું નહિ કાયાએ કરી. એવં ૯ ભાંગા થયા. આંક એક બારનો, એટલે એક કરણ ને બે યોગે કરી બે કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૧૪૨ = ૨) તેના ભાંગા નવ તે, ૧ કરૂં નહિ મને કરી, વચને કરી, ર કરૂં નહિ મને કરી, કાયાએ કરી, ૩ કરૂં નહિ વચને કરીકાયાએ કરી, ૪ કરાવું નહિ મને કરી, વચને કરી, ૫ કરાવું નહિ મને કરી કાયાએ કરી, ૬ કરાવું નહિ વચને કરી, કાયાએ કરી, ૭ કરતાને અનુમોદું નહિ મને કરી, વચને કરી, ૮ કરતાને અનુમોટું નહિ મને કરી, કાયાએ કરી, ૯ કરતાંને અનુમોદું નહિ વચને કરી, કાયાએ કરી. એવં ૧૮ ભાંગા થયા. આંક એક તેરનો, એટલે એક કરણ ને ત્રણ યોગ કરી ત્રણ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૧૪૩ = 3). તેના ભાંગા ૩, ૧ કરૂં નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી, ર કરાવું નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી, ૩ કરતાં પ્રત્યે અનુમો નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી. એવં ૨૧ ભાંગા. આંક એક એકવીસનો, એટલે બે કરણ ને એક યોગે કરી, બે કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૨૪૧ = ૨) Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંત્રીસ બોલ ८७ તેના ભાંગા ૯ તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, મને ક૨ી, ૨ કરૂં નહિ, કરાવું નહિ, વચને કરી, ૩ કરૂં નહિ, કરાવું નહિ, કાયાએ કરી, ૪ કરૂં નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, પ કરૂં નહિ, અનુમોદું નહિ, વચને કરી, ૬ કરૂં નહિ, અનુમોદું નહિ, કાયાએ ક૨ી, ૭ કરાવું નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, ૮ કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, ૯ કરાવું નહિ, અનુમોદું નહિ, કાયાએ કરી. આંક એક બાવીસનો એટલે બે કરણ, ને બે યોગે કરી ચાર કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૨×૨ = ૪) તેના ભાંગા નવ તે, ૧ કરૂં નહિ, ક૨ાવું નહિ, મને ક૨ી, વચને ક૨ી, ૨ કરૂં નહિ, કરાવું નહિ, મને ક૨ી, કાયાએ ક૨ી, ૩ કરૂં નહિ, કાવું નહિ, વચને ક૨ી, કાયાએ ક૨ી, ૪ કરૂં નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, વચને ક૨ી, ૫ કરૂં નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, કાયાએ કરી, ૬ કરૂં નહિ, અનુમોદું નહિ, વચને ક૨ી, કાયાએ ક૨ી, ૭ કરાવું નહિ અનુમોદું નહિ, મને ક૨ી, વચને કરી, ૮ ક૨ાવું નહિ અનુમોદું નહિ, મને ક૨ી, કાયાએ કરી, ૯ કરાવું નહિ અનુમોદું નહિ, વચને કરી, કાયાએ કરી. એવં ૩૯ ભાંગા. આંક એક ત્રેવીસનો એટલે બે ક૨ણ, ને ત્રણ યોગે કરી, છ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૨૪૩ તેના ભાંગા ત્રણ તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, મને ક૨ી, વચને ક૨ી, કાયાએ કરી, ૨ કરૂં નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, વચને કરી, કાયાએ ક૨ી, ૩ ક૨ાવું નહિ, અનુમોદું નહિ, મને ક૨ી, વચને કરી, કાયાએ કરી. એવં ૪૨ ભાંગા. આંક એક એકત્રીસનો એટલે ત્રણ કરણ ને એક યોગે કરી ત્રણ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૩×૧ = ૩) - ૬) Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮િ૮)ીિ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ તેના ભાંગા ત્રણ તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, ૨ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, ૩ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, કાયાએ કરી. એવં ૪૫ ભાંગા. આંક એક બત્રીસનો એટલે ત્રણ કરણ અને બે યોગે કરી છે કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૩૪૨ = ૬) તેના ભાગા – ૧ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, વચને કરી, ૨ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, કાયાએ કરી, ૩ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, કાયાએ કરી. એવં ૪૮ ભાંગા. આંક એક તેત્રીસનો, એટલે ત્રણ કરણ ને ત્રણ યોગે કરી નવ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૩૪૩ = ૯) તેનો ભાંગે એક તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી. એવું ૪૯ ભાંગા સંપૂર્ણ ત્રેવીસમે બોલેઃ સાધુના પાંચ મહાવ્રત. તેના ભાંગા પર, (દશવૈકાલિક અધ્યયન ૪, ઠાણાંગ ૫) ચોવીસમે બોલે : પ્રમાણ ચાર : પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન. (અયોગદ્વાર સૂત્ર) જે પ્રથમ મહાવતના ભાંગા ૮૧ પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એ નવમી નવકોટિએ દયા પાળવી તે ૯ X ૯ = ૮૧. બીજા મહાવતના ભાંગા ૩૬ : ક્રોધ, લોભ, ભય, હાસ્ય, એ ૪ મૃષાવાદ નવ કોટિએ ન બોલે તે ૪ ૯ = ૩૬. ત્રીજા મહાવતના ભાંગા પ૪: અલ્પ, બહુ, સૂક્ષ્મ, સ્થૂલ, સચેત, અચેત એ ૬ અદત્તાદાન ન લે. ૯ કોટિએ તે ૬ * ૯ = ૫૪. ચોથા મહાવતના ભાંગા ૨૭: દેવતા, મનુષ્ય, તિર્યંચ સાથે નવકોટિએ મૈથુન ન સેવે તે ૩૪ ૯ = ૨૭. પાંચમા મહાવતના ભાંગા પ૪: અલ્પ, બહુ, સૂક્ષ્મ, સ્કૂલ, સચેત, અચેત એ ૬ પરિગ્રહન કરે નવકોટિએ ૬ X ૯ = ૫૪. તે લ મળીને ૮૧ + ૩૮ + ૫૪ + ર૭ + ૪ = ૨પર. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંત્રીસ બોલ પચ્ચીસમે બોલે : ચારિત્ર પાંચ : ૧. સામાયિક ચારિત્ર, ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર, ૩. પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, પ. યથાખ્યાત ચારિત્ર. (ઠાણાંગ સૂત્ર ૫) છવ્વીસમે બોલે : સાત નય : ૧. નૈગમન, ૨. સંગ્રહનય, ૩. વ્યવહાર નય, ૪. ઋજુસૂત્રનય, ૫. શબ્દનય, ૬. સમભિરૂઢનય, ૭. એવંભૂતનય. (સમવાયાંગ સૂત્ર૭) સત્તાવીસમે બોલેઃ નિક્ષેપા ચાર : નામ નિપા, સ્થાપના નિક્ષેપા, દ્રવ્ય નિક્ષેપા અને ભાવ નિક્ષેપા. (અનુયોગદ્વાર સૂત્ર) અઠ્ઠાવીસમે બોલે : સમકિત પાંચ : ૧. ઉપશમ સમકિત, ૨. ક્ષયોપશમ સમકિત, ૩. ક્ષાયિક સમકિત, ૪. સાસ્વાદન સમકિત, ૫. વેદક સમકિત. - - - - - ઓગણત્રીસમે બોલે : ૨સ નવ: ૧. શૃંગારરસ, ૨. વીરરસ, ૩. કરૂણ રસ, ૪. હાસ્યરસ, પ. રૌદ્રરસ, દ. ભયાનક રસ, ૭. અદ્ભુતરસ, ૮. બિભત્સ રસ, ૯. શાંતરસ. ત્રીસમે બોલે : ભાવના બાર : ૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. સંસાર ભાવના, ૪. એકત્વ ભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચિ ભાવના, ૭. આશ્રવ ભાવના, ૮. સંવર ભાવના, ૯. નિર્જરા ભાવના, ૧૦. લોકસ્વરૂપ ભાવના, ૧૧. બોધિ ભાવના, ૧૨. ધર્મ ભાવના. એકત્રીશમે બોલે : અનુયોગ ચાર : ૧. દ્રવ્યાનુયોગ, ૨. ગણિતાનુયોગ, ૩. ચરણકરણાનુયોગ, ૪. ધર્મકથાનુયોગ. બત્રીશમે બોલેઃ તત્ત્વ ૩: દેવ, ગુરુ અને ધર્મ. તેત્રીશમે બોલ : સમવાય પાંચ : ૧. કાળ, ૨. સ્વભાવ, 3. નિયત, ૪. પૂર્વકૃત (કર્મ), ૫. પુરુષાકાર (ઉદ્યમ). Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯િ૦) બૃહદ જૈન થોક સંગ્રહ ચોત્રીશમે બોલે પાખંડીના ૩૬૩ ભેદ ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, વિનયવાદીના ૩૨, અજ્ઞાનવાદીના ૬૭. પાંત્રીશમે બોલે શ્રાવકના ગુણ ૨૧: ૧. અશુદ્ર, (તુચ્છવૃત્તિ નહીં તે) ૨. યશવંત, ૩. સૌમ્ય પ્રકૃતિવાળો, ૪. લોકપ્રિય, ૫. અક્રૂર, ૬. પાપભીરૂ, ૭. શ્રદ્ધાવંત, ૮. ચતુરાઈયુક્ત, ૯. લજાવાન, ૧૦. દયાવંત, ૧૧. માધ્યસ્થ દ્રષ્ટિ, ૧૨. ગંભીર, ૧૩. ગુણાનુરાગી, ૧૪. ધર્મોપદેશ કરનાર, ૧૫. ન્યાયપક્ષી. ૧૬. શુદ્ધ વિચારક, ૧૭. મર્યાદાયુક્ત વ્યવહાર કરનાર, ૧૮. વિનયશીલ, ૧૯. કૃતજ્ઞ, ૨૦. પરોપકારી, ૨૧. સત્કાર્યમાં સદા સાવધાન. ઇતિ શ્રી પાંત્રીસ બોલ. 公圈圈圈圈强盛会盛今 - - - - - - - - Sી (૫. સિદ્ધ ધારી ) (પન્નવણા પદ ૨૦) નીચેના બોલમાંથી નીકળેલા એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા જીવ સિદ્ધ થાય ? તે બતાવે છે. ક્રમબોલનું નામ જઘન્ય સિદ્ધાં ઉત્કૃષ્ટ સિદ્ધ ૦૧ પહેલી નરકના નીકળેલા | બીજી નરકના નીકળેલા ૦૩] ત્રીજી ૪ચોથી ૪ ૦૫ ભવનપતિના નીકળેલ - -- - - - -- -- -- - - - - - - - - ૧ ) Page #110 -------------------------------------------------------------------------- ________________ می می می می ö ö ö ö ö nous می می می می می શ્રી સિદ્ધ દ્વાર ક્રમ બોલનું નામ જઘન્ય સિદ્ધ [ઉત્કૃષ્ટ સિદ્ધ ૦૨ ભવનપતિની દેવીના નીકળેલા પૃથ્વીકાયના નીકળેલ અપકાયના નીકળેલા વનસ્પતિકાયના નીકળેલા ૧૦| તિર્યંચ ગર્ભજના નીકળેલ ૧૧ તિર્યંચાણીના " ૧૨ મનુષ્ય ગર્ભજના " ૧૩ મનુષ્યાણીના ૧૪ વાણવ્યંતરના " ૧૫ વાણવ્યંતરની દેવીના " ૧૬ જ્યોતિષીના " જ્યોતિષીની દેવીના " વૈમાનિકના (કિલ્વિષી સિવાય) ૧૯ વૈમાનિકની દેવીના " ૨૦ સ્વલિંગી ૨૧ અન્યલિંગી ૧૦ ૨૨ ગૃહસ્થલિંગી ૨૩ સ્ત્રીલિંગી ૨૪ પુરુષલિંગી ૨૫ નપુંસકલિંગી ર૬ ઉર્ધ્વલોકમાં ર૦ અધોલોકમાં می می می o o ö می می ૨૦ می ૧૦૮ می می می می می می می ૨૦. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ક્રમ બોલનું નામ ૨૮ તિ૨ર્કાલોકમાં ૨૯ ધન્ય અવગાહનાના ૩૦ મધ્યમ અવગાહનાના ૩૧ ઉત્કૃષ્ટ અવગાહનાના ૩૨ સમુદ્રમાંહી ૩૩ નદી પ્રમુખ જલમાંહી ૩૪ તીર્થ સિદ્ધ થાય તો ૩૫ અતીર્થ સિદ્ધ થાય તો ૩૬ તીર્થંકર સિદ્ધ થાય તો ૩૭ અતીર્થંકર સિદ્ધ થાય તો ૩૮ સ્વયંબુદ્ધ સિદ્ધ થાય તો ૩૯ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ થાય તો ૪૦ બુદ્ધબોહી સિદ્ધ થાય તો ૪૧ એક સિદ્ધ "" ૪૨ અનેક સિદ્ધ ૪૩ વિજય વિજય પ્રતિ ૪૪ ભદ્રશાલ વનમાં ૪૫ નંદનવનમાં ૪૬ સોમનસવનમાં ૪૭ પંડગવનમાં ૪૮ અકર્મભૂમિમાં ૪૯ કર્મભૂમિમાં ૫૦ પહેલે આરે 11 શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ જઘન્ય સિદ્ધ ઉત્કૃષ્ટ સિદ્ધ ૧ ૧૦૮ ૧ ૪ ૧૦૮ ર ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ v m ♠ ♠ ♠ ♠ ♠ - ≥ 0 ! ૪ ૪ ૪ ૪ ૪ ૨ ૧૦ ૧૦૮ ૧૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધ દ્વાર ૫૧ બીજે આરે ૫૨ ત્રીજે આરે ૫૩ ચોથે આરે ૫૪ પાંચમે આરે ૧૦ ૧૦૮ ૧૦૮ ૨૦ (ચોથા આરાનો જન્મેલો) ૧ ૧૦ ૧ ૧૦૮ ૧૦૮ ૧ ૧૦૮ એ ૫૮ બોલ અંતર સહિત, એક સમયે જઘન્ય ઉત્કૃષ્ટ સિદ્ધ થાય તે કહ્યાં. હવે અંતર રહિત આઠ સમય સુધી, સિદ્ધ થાય તો કેટલા સિદ્ધ થાય તે કહે છે. ૫૫ છઠ્ઠ આરે ૫૬ અવસર્પિણીમાં ૯૩ ૫૭ ઉત્સર્પિણીમાં ૫૮ નોઉત્સર્પિણી નોઅવસર્પિણી એક સમય સુધી જધન્ય ૧૦૩ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. બે સમય સુધી જઘન્ય ૯૭ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ત્રણ સમય સુધી જઘન્ય ૮૫ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ચાર સમય સુધી જધન્ય ૭૩ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. પાંચ સમય સુધી જઘન્ય ૬૧ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૭૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. છ સમય સુધી જઘન્ય ૪૯ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ઘ થાય પછી નિયમા અંતર પડે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ સાત સમય સુધી જઘન્ય ૩૩ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ૪૮ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. આઠ સમય સુધી જઘન્ય ૧ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ૩૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. (પંચ સંગ્રહ) બીજી માન્યતા મુજબ દરેક સમયે જઘન્ય ૧-૨-૩ થી ઉત્કૃષ્ટ જેટલા હોય તેટલા આવી પણ માન્યતા છે. આઠ સમય પછી અંતર પડ્યા વિના સિદ્ધ થાય નહિ. ઇતિ સિદ્ધ દ્વાર. 園内服服的服务 ૬. ચોવીસ દંડક (લઘુ દંડક) ચોવીસ દંડક શ્રી જીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ ૧ મધ્યે છે તેની ગાથા. સ૨ી૨ો ગાહણ સંઘયણ સંઠાણું, કસાયતહહુતિ સન્નાઓ । લેસિદિય સમુગ્ધાએ, સશિ વેદેય પત્તિ ||૧|| દિદ્ધિ દંસણ નાણઅનાણે, જોગુવઓગે તહા કિમાહા૨ે | ઉવવાય ઠિઇ સમુગ્ધાએ, ચવણ ગઇ આગઇ ચેવ. IITI સમુચ્ચય ચોવીસ દ્વા૨ના નામ અને વર્ણન ૧. શરીર દ્વાર, ૨. અવગાહના દ્વા૨, ૩. સંઘયજ્ઞ (સંહનન) દ્વાર, ૪. સંઠાણ દ્વાર, ૫. કષાય દ્વાર, ૬. સંજ્ઞા દ્વાર, ૭. લેશ્યા દ્વા૨, ૮. ઇન્દ્રિય દ્વા૨, ૯. સમુદ્દાત દ્વાર, ૧૦. સંશી દ્વાર, ૧૧. વેદ દ્વા૨, ૧૨. પર્યાપ્તિ દ્વા૨, ૧૩. દૃષ્ટિ દ્વા૨, ૧૪. દર્શન Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક દ્વાર, ૧૫. જ્ઞાન દ્વાર, ૧૬. યોગ દ્વાર, ૧૭. ઉપયોગ દ્વાર, ૧૮. આહાર દ્વાર, ૧૯. ઉપજવાનો દ્વા૨, ૨૦. સ્થિતિ દ્વાર, ૨૧. મરણ દ્વાર, ૨૨.ચવણ દ્વાર, ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર. ૧. શરીર દ્વાર: શરીર પાંચ, ૧ ઔદારિક શરીર, ર વૈક્રિય શરીર, ૩ આહારક શરીર, ૪ તેજસ શરીર, ૫ કાર્મણ શરીર. તેનાં લક્ષણ કહે છે. ૧. ઔદારિક શરીર : ઉદાર પ્રધાન તે સ્થૂળ પુદ્ગલોથી બનેલું શરીર. તે સડી જાય, પડી જાય, વિણસી જાય, કહી જાય, બગડી જાય, મુવા પછી કલેવર પડી રહે તેને ઔદારિક શરીર કહીએ. ૨. વૈક્રિયા શરીર તે સડે નહિ, પડે નહિ, વિણસે નહિ, બગડે નહિ, મુવા પછી કલેવર વિસરાલ (કપુરની ગોટીની માફક) થાય, તેને વૈક્રિય શરીર કહીએ. અથવા જે શરીરથી વિવિધ ક્રિયાઓ થાય જેમકે એક સ્વરૂપ કે અનેક સ્વરૂપધારી શરીર, નાનું કે મોટું શરીર, દૃશ્ય કે અદશ્ય શરીર, આકાશમાં કે ભૂમિ પર ચાલવા યોગ્ય શરીર, તેને વૈક્રિય શરીર કહે છે. ૩. આહારક શરીર ઃ તે ચૌદ પૂર્વધર મહાત્માને તપશ્ચર્યાદિક યોગે કરી લબ્ધિ ઉપજે, તે તીર્થંકર દેવાધિદેવની ઋદ્ધિ દેખવા, મનની અંદર ઉત્પન્ન થયેલ સંશયને ટાળવા વિ. કારણોથી ઉત્તમ પુગલોનો આહાર લઈને કોઈ ન દેખે તેવું અથવા દેખે તેવું સ્ફટિક સમાન સફેદ શરીર બનાવે તે આહારક શરીર કહીએ. આવું શરીર ફોરવ્યા પછી આલોયણા લે તો આરાધક અને ન લે તો વિરાધક. ૪. તેજસ શરીર – જેના કારણે શરીરમાં ઉષ્ણતા રહે અને આહારને પચાવે તેને તેજસ શરીર કહીએ. ૫. કાર્પણ શરીર – જેમાં બધાં કર્મોનાં રૂંધ સંગ્રહિત રહે છે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯િ૬]Hી શ્રી બૃહદ જૈન શોક સંગ્રહ તેને કાશ્મણ શરીર કહીએ. તૈજસ અને કાર્પણ શરીર સર્વ સંસારી જીવોને હોય છે. ૨. અવગાહના (ઊંચાઈ) 4 દ્વાર : જીવનું શરીર જેટલા આકાશ પ્રદેશને અવગાહ (રોકે) તેને અવગાહના કહે છે. સમુચ્ચય જીવમાં અવગાહના જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર જોજન ઝાઝેરી. દારિક શરીરની અવગાહના, જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર જોજન ઝાઝેરી – વનસ્પતિ આશ્રી. વૈક્રિય શરીરની અવગાહના ભવધારણી વૈક્રિયની જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની. ઉત્તર વૈક્રિયની જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની (વાયુકાય આશ્રી), ઉત્કૃષ્ટ લાખ જોજન ઝાઝેરી. આહારક શરીરની અવગાહના જઘન્ય મૂંઢા હાથની, ઉત્કૃષ્ટ એક હાથની. તેજસ, કાર્મણ શરીરની અવગાહના જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ચૌદ રાજલોક પ્રમાણે તથા પોતપોતાના શરીર પ્રમાણે. ૩. સંઘયણ દ્વાર : (હાડકાંની વિશેષ રચના.) સંઘયણ છે છે. ૧. વજઋષભનારા સંઘયણ, ૨. ઋષભનારાચ સંઘયણ, ૩. નારા સંઘયણ, ૪. અર્ધનારાચ સંઘયણ, ૫. કીલક સંઘયણ, * ૧. ઉત્સધ આંગુલ - અવસર્પિણી કાળના પાંચમા આરાના ૧૦,૫૦૦ વર્ષ પછીના મનુષ્યનાં આંગુલનું માપ તે ઉત્સધ આંગલ. દ્રક શરીરની અવગાહના ઉત્સધ આંગુલથી સમજવી. અથવા ભગવાન મહાવીરના આત્મ ગુલથી અર્ધ ગુલ હોય તે ઉત્સધ આંગુલ. ૨. આત્મ ગુલ – ભરત વગેરે ક્ષેત્રના પ્રમાણયુક્ત મનુષ્યોનાં આંગુલને આત્મ આંગુલ કહે છે. ૩. પ્રમાણ આંગુલ - ઉત્સધ આંગુલથી હજારગુણ મોટો પ્રમાણ આંગુલ હોય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક ૬. સેવાર્ત (છેવટુ) સંઘયણ. ૧. વજઋષભનારા સંઘયણ-- તેવજ કહેતાં ખીલી, ઋષભ કહેતાં પાટો વીંટવાનો, નારાચ કહેતાં બે પડખે મર્કટબંધ, સંહનન કહેતાં હાડકાંનો સંચય જેને વિષે બે હાડકાંઓને બે પડખેથી મર્કટબંધે કરીને બાંધ્યા અને પાટા જેવા હાડકાએ કરી વીંટયા તે ત્રણે હાડકાંને વજ કીલક નામના ખીલી જેવા હાડકાએ કરી સજ્જડ કર્યા હોય તેવા મજબૂત હાડકાંના સંચયને વજઋષભનારા સંઘયણ કહે છે. ૨. ઋષભનારા સંઘયણ– તે ઉપર પ્રમાણે પણ ફક્ત ખીલી નહિ, આમાં મર્કટબંધી અને તેની ઉપર પાટો એ બે હોય છે. ૩. નારા સંઘયણ– જેમાં બે પડખે માત્ર મર્કટબંધ જ હોય છે. ૪. અર્ધનારાચ સંઘયણ– જેમાં એક પડખે મર્કટબંધ અને બીજે પડખે માત્ર ખીલી લગાડેલી હોય છે. ૫. કીલક (કીલિકા) સંઘયણ– જેમાં બંને હાડકાં એકબીજાને પરસ્પર સીધા જોડાયેલા હોય છે અને તેના ઉપર માત્ર ખીલી હોય છે. ૬. છેવટુ (સેવા) સંઘયણ– તે હાડકે હાડકાં અડીને રહેલ હોય છે. ૪. સંસ્થાન દ્વાર : (શરીરની શુભાશુભ આકૃતિ.) સંસ્થાન છ છે. ૧. સમચતુરંત્ર સંસ્થાન, ૨. ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, ૩. સાદિ સંસ્થાન, ૪. વામન સંસ્થાન, ૫. કુન્જ સંસ્થાન, ૬. હૂડ સંસ્થાન. ૧. સમચતુરંગ સંસ્થાન- તે પગથી તે માથા સુધી શોભાયમાન હોય. પલાંઠી વાળી બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય. ૨. ન્યગ્રોધ (નિગોહ) પરિમંડળ સંસ્થાન – તે કેડથી માથા સુધીનો ભાગ શોભાયમાન હોય. 3. સાદિ સંઠાણ – પગથી તે કેડ સુધી શોભાયમાન હોય. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮. શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૪. વામન સંડાણ – ઉદર લક્ષણોપેત અને હાથ, પગ, માથું, કટિ પ્રમાણ રહિત હોય (ઠીંગણું) તે. ૫. કુજ સંઠાણ – તે હાથ, પગ, મસ્તક, ગ્રીવા ઓછાં અધિક હોય, બીજા (શેષ) અવયવ સુંદર હોય. ૬. હૂંડ સંહાણ – સર્વ અવયવ અશુભ હોય છે. રૂઢ, મૂઢ, મૃગાપુત્ર લોઢિયાની જેમ. ૫. કષાય દ્વાર : કષાય ચાર : ૧ ક્રોધ, ર માન, ૩ માયા, ૪ લોભ. ૬. સંજ્ઞા દ્વાર : સંજ્ઞા ચાર : ૧ આહાર સંજ્ઞા, ૨ ભય સંજ્ઞા, ૩ મૈથુન સંજ્ઞા, ૪પરિગ્રહ સંજ્ઞા ૭. વેશ્યા દ્વાર : વેશ્યા છે : ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ ગ્લેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજો વેશ્યા, ૫ પદ્મ લેશ્યા, ૬ શુક્લ શ્યા. ૮. ઇન્દ્રિય દ્વાર : ઇન્દ્રિય પાંચ : ૧ શ્રોત્રેન્દ્રિય, ૨ ચક્ષુઇન્દ્રિય, ૩ ઘાણેન્દ્રિય, ૪ રસેન્દ્રિય, પ સ્પર્શેન્દ્રિય. ૯. સમુદ્યાત દ્વાર : સમુદ્દાત સાતઃ ૧ વેદનીય સમુદ્રઘાત, ૨ કષાય સમુદ્યાત, ૩ મારણાંતિક સમુદ્ધાત, ૪ વૈક્રિય સમુદૂધાત, પ તૈજસ સમુદ્યાત, ૬ આહારક સમુઠ્ઠાત, ૭ કેવળ સમુદ્ધાત. ૧૦. સંજી અસંશી દ્વાર : ૧. સંજ્ઞી તે જેનામાં મન (વિચાર કરવાની શક્તિ) છે. ૨. અસંજ્ઞી તે જેનામાં મન નથી તે. ૧૧. વેદ દ્વાર : વેદ ત્રણ : ૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદ, # મૂળ શરીરને છોડ્યા વિના એકાગ્રતાપૂર્વક, પ્રબળતા સાથે અનંતાનંત કર્મપુદ્ગલોથી વ્યક્તિ પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢીને કર્મ પુગલોની નિર્જરા કરવાની પ્રક્રિયાને સમુઘાત કહે છે. ( વ્યાખ્યા આદિ વિશેષ વિસ્તાર માટે જુઓ સમુદ્રઘાત પદ, થોકડો ૬૧) Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક ૩ નપુંસક વેદ. ૧૨. પર્યાતિ દ્વારા પર્યાપ્ત છે : ૧ આહાર પર્યાપ્તિ, ર શરીર પર્યામિ, ૩ ઇન્દ્રિય પર્યામિ, ૪ શ્વાસોચ્છવાસ પર્યામિ, ૫ ભાષા પર્યામિ, ૬ મન પર્યાપ્તિ. ૧૩. દષ્ટિ દ્વાર : દૃષ્ટિ ત્રણ : ૧ સમકિત દૃષ્ટિ, ૨ મિથ્યાત્વ દષ્ટિ, ૩ સમામિથ્યાત્વ દૃષ્ટિ. ૧૪. દર્શન દ્વાર: દર્શન ચાર : ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવળદર્શન. ૧૫. જ્ઞાન કાર : જ્ઞાન પાંચ : ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન. અજ્ઞાન ત્રણ ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન. ૧૬. યોગ દ્વાર : (વ્યાપાર, ક્રિયા) યોગ પંદર : ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ, ૩. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, ૫. સત્ય વચનયોગ, ૬, અસત્ય વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. ઔદારિક શરીર કાયયોગ, ૧૦. ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૧૧. વૈક્રિય શરીર કાયયોગ, ૧૨. વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, ૧૩. આહારક શરીર કાયયોગ, ૧૪. આહારક મિશ્ર શરીર કાયયોગ, ૧૫. કાર્પણ શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વાર ઉપયોગ બાર : ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન. ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતઅજ્ઞાન, ૮ વિર્ભાગજ્ઞાન, ૯ ચક્ષુદર્શન, ૧૦ અચક્ષુદર્શન, ૧૧ અવધિદર્શન, ૧૨ કેવળદર્શન. - ૧૮. આહાર દ્વારઃ આહાર ત્રણ પ્રકારનો ૧ ઓજ આહાર, ૨ રોમ આહાર, ૩ કવળ આહાર. તે ૧ સચિત આહાર, ૨ અચિત Page #119 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ આહાર ૩ મિશ્ર આહાર. ૧૯. ઉપજવાનો દ્વારા આવા પૂર્વ ભવમાંથી આપના થાય તેને "ઉપજવું" કહે છે. તેનું પરિમાણ એક સમયમાં . ૨. ? થાવત્ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત છે. ૨૦. સ્થિતિ દ્વાર : સ્થિતિ જઘન્ય બતમુહુર્તની ત્રીસ સાગરોપમની. ૨૧. મરણ દ્વાર : ૧ સમોતિયા મરણ .. જે ઇલિકા ગત સમુદ્ધાત કરે, એળની પદે ચાલ અટલે કે જીવના પ્રદેશ ધીરે ધીરે નીકળે તે. અર્થાત્ સમુદ્યાત અવસ્થામાં મરણ થવું. ૨ અસમોતિયા મરણ - ડીની પઠે ચાલ અશાત બંકન ગોળીની જેમ જીવના પ્રદેશ એક સાથે નીકળે તે. ૨૨. ચવણ દ્વાર . જીવો વર્તમાન ભવને છોડીને અન્ય ભવની પર્યાયને ધારણ કરે તને "પન" કહે છે. તેનું પરિમાણ એક સમયમાં ૧, ૨, ૩ વાવત સંખ્યાતા. અસંખ્યાતા અને મનના છે. ૨૩. આગતિ દ્વાર : તે ચાર ગતિમાંથી આવ. ૧ નારકોની ગતિમાંથી, ર તિર્યંચની ગતિમાંથી, ૩ મનુષ્યની ગતિમાંથી, ૪ દેવની ગતિમાંથી. તે ચોવીસ કંડકનો આવ. સાત નરકના ૧; ૧૦ ભવનપતિના તે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર,વિધુતકુમાર, અગ્રિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર. સ્વનિતકુમાર; પાંચ સ્થાવરના તે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય; 3 વિકલેન્દ્રિયના તે બંઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય; ૧ તિર્યંચ પંચેન્દ્રિયનો, ૧ મનુષ્યનો, ૧ વાણવ્યંતર દેવના, ( ૧ જ્યોતિષી દેવનો, વ વૈમાનિક દેવનો. ૨૪. ગતિ તાર : તે પાંચ ગતિમાં જાય. ૧ નારકીની ગતિમાં, Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક લિ૦૧ ર તિર્યંચની ગતિમાં, 3 મનુષ્યની ગતિમાં. ૪ દેવની ગતિમાં, ૫ સિદ્ધની ગતિમાં. ચોવીસ દંડકમાં જાય તે પૂર્વે કહ્યા તે. ૨૪ દ્વારને દંડક ઉપર ઊતારે છે ક ક નારકીનો ૧ તથા દેવના ૧૩ દંડક એમ - વક્રિયના ૧૪ દંડક સાથે ૧ શરીર દ્વાર : નારકીમાં અને દેવમાં શરીર ત્રણ, ૧ વૈક્રિય, રે તૈજસ, 3 કામણ. ૨. અવગાહના દ્વાર : નારકીની અવગાહના જઘન્ય અવગાહના | ઉત્કૃષ્ટ અવગાહના ૧ પહેલી નરકે આંગુલના પોણાઆઠ ધનુષ્ય ને અસંખ્યાતમા ભાગની છ આંગુલની ર બીજી નરકે આંગુલના () | સાડાપાર ધનુષ્ય ને અસંખ્યાતમા ભાગની ! બાર આંગુલની 3 ત્રીજી નરકે | નાં અસં. ભાગની સવાએકત્રીસ ધનુષ્યની ૪ ચોથી નરકે આંનાં અસં. ભાગની | સાડી બાસઠ ધનુષ્યની પ પાંચમી નરકે | આં.નાં અસં. ભાગની | સવાસો ધનુષ્યની ૬ છકી નરકે આં.નાં અસં. ભાગની | અઢીસો ધનુષ્યની ૭ સાતમી નરકેT આં.નાં અસં. ભાગની | પાંચસો ધનુષ્યની '' ' ઉત્તર ક્રિય કરે તો જઘન્ય આંગુલના સંખ્યામાં ભાગની, ઉત્કૃષ્ટ કામ બમણી (જે જે નરકે ઉત્કૃષ્ટ અવગાહના કહી છે તેથી બમણી) યાવત્ સાતમી નરકે ૧૦૦૦ ધનુષ્યની જાણવી. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન લોક સંગ્રહ દેવની અવગાહના જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના ૧ ભવનપતિના દેવ, દેવીની આંગુલના સાત હાથની અસંખ્યાતમા ભાગની ૨ વાણવ્યંતર દેવ, દેવીની સાત હાથની ૩ જ્યોતિષીના દેવ, દેવીની સાત હાથની ૪ વૈમાનિક દેવની જુદી જુદી ૧, ૨ દેવલોકના આંગુલના અસં. દેવ, દેવીની મા ભાગની | સાત હાથની ૩, ૪ દેવલોકના | આંગુલના અસ | છ હાથની દેવ, દેવીની | મા ભાગની ૫, ૬ દેવલોકના દેવની પાંચ હાથની ૭, ૮ દેવલોકના દેવની ચાર હાથની ૯ થી ૧૨ દેવલોકના દેવની ત્રણ હાથની ૯ વયકના દેવની બે હાથની ૫ અનુત્તરના દેવની એક હાથની ભવનપતિથી બાર દેવલોક સુધીના દેવ ઉત્તર વૈક્રિય કરે તો, જઘન્ય આંગુલના સંખ્યામા ભાગની, ઉત્કૃષ્ટ લાખ જોજનની અવગાહના. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોને ઉત્તર ક્રિય કરવાની શક્તિ છે પણ ઉત્તર વૈક્રિય કરવાપણું નથી. ૩. સંઘયણ (સંહનન) દ્વાર: નારકી અસંઘયણી, દેવ અસંઘયણી. ૪. સંસ્થાન દ્વાર : નારકીમાં હૂંડ સંસ્થાન, દેવમાં સમચતુસ્ત્ર સંસ્થાન. - - - - - - - - - - Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક હિં ૧૦૩] ૫. કષાય દ્વાર : નારકીમાં ચાર કષાય, દેવમાં ચાર કષાય. ૬. સંજ્ઞા દ્વાર : નારકીમાં સંજ્ઞા ચાર, દેવમાં સંજ્ઞા ચાર. ૭. વેશ્યા દ્વાર : નારકીમાં લશ્યા ત્રણ. પહેલી, બીજી નરકે કાપીત વેશ્યા. ત્રીજી નરકે કાપોતવાળા ઘણા ને નીલ વેશ્યાવાળા થોડા. ચોથી નરકે નીલ વેશ્યા. પાંચમી નરકે નીલ વેશ્યાવાળા ઘણા ને કૃષ્ણવાળા થોડા. છઠ્ઠી નરકે કૃષ્ણ વેશ્યા, સાતમી નરકે મહાકૃષ્ણ વેશ્યા. દેવતામાં વેશ્યા ૧. ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણવ્યંતર અને ૧૦ જાંભકા એ ૫૧ જાતિના દેવમાં વેશ્યા પ્રથમની ચાર તે ૧ કૃષ્ણ, ર નીલ, ૩ કાપીત, ૪ તેજો. ૨. ૧૦જ્યોતિષી, પહેલું, બીજું દેવલોક અને પહેલા કિલ્વિષી એ ૧૩ જાતિના દેવના ભેદમાં એક તેજો વેશ્યા. ૩. ત્રીજું, ચોથું, પાંચમું દેવલોક, ૯ લોકાંતિક અને બીજા કિલ્વિષી એ ૧૩ દેવના ભેદમાં એક પદ લેશ્યા. ૪. છઠ્ઠા દેવલોકથી નવ ચૈવયક સુધી તથા ત્રીજા કિલ્પિષી એ ૧૭ દેવના ભેદમાં એક શુક્લ શ્યા. ૫. પાંચ અનુત્તર વિમાનમાં એક પરમ શુક્લ લેશ્યા. ૮. ઇન્દ્રિય દ્વારઃ નારકીમાં અને દેવતામાં ઇન્દ્રિય પાંચ ૯. સમુઘાત દ્વાર નારકીમાં ચાર સમુદ્ધાત, ૧. વેદનીય, * ૨. કષાય, ૩. મારણાંતિક, ૪. વૈક્રિય. દેવમાં પાંચ સમુદ્યાત, ૧. વેદનીય, ૨. કષાય, ૩. મારણાંતિક, Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૪. વૈક્રિય, ૫. તેજસ. ભવનપતિથી બારમા દેવલોક સુધી પાંચ સમુદ્ધાત. નવ રૈવેયક થી પાંચ અનુત્તર વિમાન સુધી પ્રથમ ત્રણ સમુદ્ધાત. (લબ્ધિ પાંચની છે પણ ફોરેવેતો નથી) ૧૦. સંસી દ્વારા નરકમાં પહેલી નરકમાં સંજ્ઞી ને અસંજ્ઞીજ, બીજી નરકથી સાતમી નરક સુધી, સંજ્ઞી.. દેવમાં : ભવનપતિ ને વાણવ્યંતરમાં સંજ્ઞી ને અસંજ્ઞી , જ્યોતિષીથી પાંચ અનુત્તર વિમાન સુધી, સંજ્ઞી. ૧૧. વેદ દ્વાર : નારકીમાં એક નપુંસક વેદ. દેવમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, પહેલા બીજા દેવલોક સુધી બે વેદ તે ૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદ. ત્રીજા દેવલોકથી અનુત્તર વિમાન સુધી એક પુરૂપ દ. ૧૨. પર્યાપ્તિ જે દ્વાર : નારકમાં પર્યાપ્તિ પાંચ અને અપર્યાપ્તિ પાંચ. દેવમાં પર્યાપ્તિ પાંચ અને અપર્યાપ્તિ પાંચ. (ભાષા અને મન બે સાથે પૂર્ણ કરે છે) ૧૩. દૃષ્ટિ દ્વાર : નારકીમાં દૃષ્ટિ ત્રણ, દેવમાં ભવનપતિથી નવ રૈવેયક સુધી દષ્ટિ ત્રણ. પાંચ અનુત્તર વિમાનમાં એક સમકિત દૃષ્ટિ. ૧૪. દર્શન દ્વાર : નારકીમાં દર્શન ત્રણ : ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન. દેવમાં દર્શન ત્રણ : ૧ ચક્ષુદર્શન, ર અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન. * અસંજ્ઞી તિર્યંચ મરીને આ ગતિમાં ઉપજે છે તે અપર્યાપ્ત દશામાં અસંજ્ઞી જ હોય છે. પર્યાપ્તા થયા બાદ અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ઉપજે છે. તે અપેક્ષા લેવી. જે પર્યાપ્તિ એટલે શક્તિ વિશેપ. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક ૧૫. જ્ઞાન દ્વાર : નારકીમાં પ્રથમના ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. દેવમાં : ભવનપતિથી નવ રૈવેયક સુધી ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. પાંચ અનુત્તર વિમાનમાં ત્રણ જ્ઞાન. ૧૬. યોગ દ્વાર : નારકીમાં યોગ ૧૧. અને દેવમાં યોગ ૧૧. તેના નામ : ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ. 3. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, ૫. સત્ય વચનયોગ, ૬. અસતા વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. વૈદિકરા શરીર કાયયોગ, ૧૦. વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, ૧૧. કામા શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વાર: નાર કીમાં નવ ઉપયોગ, દેવમાં ભવનપતિથી નવ રૈવેયક સુધી ૯ ઉપયોગ. તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતજ્ઞાન, ૬ વિભાગજ્ઞાન, ૭ ચક્ષુદર્શન, ૮ અચક્ષુદર્શન, ૯ અવધિદર્શન. પાંચ અનુત્તર વિમાનમાં છે ઉપયોગ, તે ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, ૧૮. આહાર દ્વાર : નારકી, દેવમાં બે પ્રકારના આહાર ૧ ઓજ, ર રોમ. છ દિશાના આહાર લ. કર એક પ્રકારનાં. નાને કી ચિત્ત કરે પણ અશુભ કરે. દેવ અંચિત કરે પણ શુભ કાર ૧૯. ઉપજવાનો દ્વાર : નાર કી તથા ભવનપાનથી આમ વિલાક સુધી એક સમયમાં જઘન્ય ૧, ૨, ૩યાવતીના ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉત્પન્ન થાય. નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી છે. 1. ૨, ૩ યાવત્ ઉત્કૃષ્ટ સંપાતા ઉત્પન્ન થાય. * * ૨૨. ચવણ દ્વાર : નારકી તથા ભવનપતિથી આઠમા દલાક સુધી એક સમયમાં જધન્ય ૧, ૨, ૩ વાવત સંખ્યાના ઉત્કૃષ્ટ અસંખ્યાતા ત્પન્ન ધાય. નવમાં દવલાકથી વાર્થસિદ્ધ વિમા સધી છે. ૧, ૨, Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહ૬ જૈન થોક સંગ્રહ 3 વાવ ઉત્કૃષ્ટ સંખ્યાતા પ્રશ્ન થાય. ૨૦. સ્થિતિ કાર : --- ૧ વ નારકીની સ્થિતિ જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ) પહેલી નરકના નારકી ૧૦,૦૦૦ વર્ષ | ૧ સાગરોપમ બીજી નરક " ૧ સાગર ૩ સાગરોપમ ત્રીજી નરક " 3 સાગર ૭ સાગરોપમ ચોથી નરક " ૭ સાગર ૧૦ સાગરોપમ પાંચમી નરક " ૧૦ સાગર ૧૭ સાગરોપમ છઠ્ઠી નરક " ૧૭ સાગર | ૨૨ સાગરોપમ સાતમી નરક " ૨૨ સાગર | ૩૩ સાગરોપમ) દેવતાની સ્થિતિ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ | દક્ષિણ દિશાના અસુરકુમારના દેવની, ૧૦.000 વર્ષ ! ૧ સાગરોપમ તેની દેવીની ૧૦,૦૦૦ વર્ષ સાડા ત્રણ પત્યની તેના ૯ ભવનપતિ દેવની/૧૦000 વર્ષ |દોઢ પલ્યની તેની દેવીની ૧૦.000 વર્ષ | પોણા પલ્યની ઉત્તર દિશાના અસુરકુમાર દેવની ૧૦.000 વર્ષ | ૧ સાગર ઝાઝેરી તેની દેવીની ૧૦.૦૦ વર્ષ | સાડાચાર પલ્યની તેના ૯ ભવનપતિ દેવની ૧૦૦૦ વર્ષ | બે પલ્યમાં દેશ ઓછી તેની દેવીની | ૧૦૦ વર્ષ | ૧ પલ્યમાં દેશ ઓછી વાણવ્યંતરના દેવની વર્ષ એક પલ્યની વાવ્યતરની દેવીની ૧૦.00 વર્ષ |અર્ધ પત્યની ચંદ્રના દેવની પા પલ્યની | ૧ પલ્યને ૧ લાખ વર્ષની Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક (ચંદ્રની દેવીની પા પલ્યની અર્ધ પત્યને ૫૦000 વર્ષ ) સૂર્યના દેવની |પા પલ્યની એક પત્યને એક હજાર વર્ષ સૂર્યની દેવીની પા પલ્યની અર્ધ પલ્યને પાંચસો વર્ષ ગ્રહના દેવની પા પલ્યની એક પત્યની ગ્રહની દેવીની પા પલ્યની અર્ધ પત્યની નક્ષત્રના દેવની પા પલ્યની અર્ધ પલ્યની નક્ષત્રની દેવીની પા પલ્ય પા પલ્ય ઝાઝેરી તારાના દેવની પલ્યનો ૮મો ભાગ પા પલ્ય. તારાની દેવીની પલ્યનો ૮મો ભાગ | પત્યનો ૮મો ભાગ ઝાઝેરી પહેલા દેવલોકના દેવની | એક પલ્ય | બે સાગર તેની પરિગ્રહિતા દેવીની | એક પત્યની સાત પત્યની તેની અપરિગ્રહિતા દેવીની એક પલ્યની | ૫૦ પલ્યની બીજા દેવલોકના દેવની | ૧ પલ્ય ઝાઝેરી બે સાગર ઝાઝેરી તેની પરિગ્રહિતા દેવીની | ૧ પલ્ય ઝાઝેરી નવ પલ્યની તેની અપરિગ્રહિતા દેવીની ૧ પલ્ય ઝાઝેરી પપ પત્યની ત્રીજા દેવલોકના દેવની | ૨ સાગર ૭ સાગર ચોથા દેવલોકના દેવની ૨ સાગર 9 સાગર પાંચમા દેવલોકના દેવની ! ૭ સાગર ૧૦ સાગર ૯ લોકાંતિક દેવની ૮ સાગર ૮ સાગર છઠ્ઠા દેવલોકના દેવની ૧૦ સાગર ૧૪ સાગર સાતમા દેવલોકના દેવની ૧૪ સાગર ૧૭ સાગર આઠમા દેવલોકના દેવની ૧૭ સાગર ૧૮ સાગર નવમા દેવલોકના દેવની | ૧૮ સાગર ૧૯ સાગર દશમા દવલકના દેવની | ૧૯ સાગર ૨૦ સાગર Page #127 -------------------------------------------------------------------------- ________________ - શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૧૧ મા દેવલોકના દેવની ર૦ સાગર | ૨૧ સાગર ૧૨ મા દેવલોકના દેવની ૨૧ સાગર ૨૨ સાગર પહલી એવયકના દેવની રે સાર ૨૩ સાગર બી ગેયકના દેવની ૨૩ સાગર | ૨૪ સાગર બીજી વાયકના દવની ૨૪ સાગર ૨૫ સાગર ચાથી ગેવકના દેવની ૨૫ સાગર | રદ સારવાર પાંચમી વવકના દેવની રદ સાગર | ૨૩ સાગર છઠ્ઠી વ દેવની રડ સાગર | ૨૮ સાગર સાતમી વયના દેવની ૨૮ સાગર આદમ વયકના દેવની (૨૯ સાગર [ 30 સાગર નવમી નવકના દેવની | 30 તાર I ૩૧ સાકાર ચાર અનુત્તર વિમાનના દેવની ૩૧ સાગર | ૩૩ સાગર પાંચમ નુર વિમાનના દેવનું કે સાગર | 33 સાગર ૨૧. મરણ દ્વાર : ત સમાહિયા મ ર ન મળની પેઠે ચાલે. અસમાવિયા જ ર ત ની પદે ચાલ. ૨૩. આગતિ દ્વાર : ૨૪. ગતિ દ્વાર. પાલી નરકથી છકી નર ક સુધી ન આવે, તે મનુષ્ય ન નિયં. દાય બે ગતિમાં તે મનુષ્ય ન તિયંગમાં. સાતમી નરકમાં બે ગતિના આવે. તે મનુષ્ય ન તિર્યંચ. એ એક તિર્યંચ ગતિમાં. પહેલી નરકથી માંડીને છેકી નર , સધીમાં મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય એ બે દંડકનો આવે, ય બે દંડકમાં ને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, સાતમી નરકમાં બે દંડકનો આવે તે મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય, જાય એક દંડકમાં તે તિર્યંચ પંચેન્દ્રિય. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી ન પહેલા બીજા દેવલોક Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક વિ૦િ૯) સુધી તિર્યંચ પંચન્દ્રિય અને મનુષ્ય બે દંડકમાંથી આવ. પાંચ દંડકમાં જાય - ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ વનસ્પતિકાય, ૪ તિર્યંચ પંચેન્દ્રિય અને ૫ મનુષ્ય. ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધી બે દંડકનો આવે, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જાય બે દંડકમાં તે તિર્યંચ પંચન્દ્રિય અને મનુષ્ય નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી ૧ દંડકનો આવે તે ૧ મનુષ્યનો અને જાય એક દંડકમાં તે મનુષ્યમાં. ભવનપતિ. વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, આઠમા દેવલોક સુધી બે ગતિનો આવે, તે મનુષ્ય ને તિર્યંચ. જાય બે ગતિમાં મનુષ્ય ને તિયંગમાં. નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી અક મનુષ્ય ગતિન આવ ને જાય મનુષ્ય ગતિમાં. ઇતિ નારકી અને દેવતાના થઈને વૈક્રિય શરીરના૧૪ દંડક સંપૂર્ણ. હવે ઔદારિકના ૧૦ દંડકનો વિસ્તાર કહે છે - પાંચ એકેન્દ્રિયના પાંચ દંડક ૧. શરીર દ્વાર : પાંચ અકન્દ્રિયમાં વાયુકાય વિના ચાર એકન્દ્રિયમાં શરીર ત્રણ તે ૧ દારિક, ૨ તેજસ, 3 કામણ. વાયુકામાં શરીર ચાર તે ૧ દારિક, ર ક્રિય, તેજસ, ૪ કામણ. ૨. અવગાહના દ્વાર પૃથ્વી, અપ, ત૬, વાયુ એ ચાર એકેન્દ્રિયની અવગાહના જઘન્ય ગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ ગુલના અસંખ્યાતમાં ભાગની. પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગણું છે). વાયુકાયની ઉત્તરે વૈક્રિય કરે તો જ. 3. આલના અસં યાતમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ભાગની. વનસ્પતિની અવગાહના જઘન્ય આંગુલના અસં.મા ભાગની, ઉ. એક હજાર જોજન ઝાઝે૨ી, લવણસમુદ્રના કમલ પોયણા આશ્રી. ૩. સંઘયણ (સંહનન) દ્વા૨ : પાંચ એકેન્દ્રિયમાં એક છેવટુ સંઘયણ. ૪. સંઠાણ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં એક હૂડ સંસ્થાન ૫. કષાય દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં કષાય ચાર. ૬. સંજ્ઞા દ્વાર ઃ પાંચ એકેન્દ્રિયમાં સંજ્ઞા ચાર. ૭. લેશ્યા દ્વા૨ : પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ બાદ૨ એકેન્દ્રિયનાં અપર્યાપ્તામાં લેશ્યા ચાર, તે ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત, ૪ તેજો. પૂર્યામામાં પહેલી ત્રણ લેશ્યા. તેઉ, વાઉ એ બે માં ત્રણ લેશ્યા પ્રથમની. ૮. ઇન્દ્રિય દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં એક ઇન્દ્રિય તે સ્પર્શેન્દ્રિય. ૯. સમુદ્ઘાત દ્વા૨ : પાંચ એકેન્દ્રિયમાં વાયુકાય વર્જીને બાકી ચાર એકેન્દ્રિયમાં ત્રણ સમુદ્દાત તે ૧ વેદનીય, ૨ કષાય, ૩ મા૨ણાંતિક. 11 વાયુકાયમાં ચાર સમુદ્દાત. ૧ વેદનીય, ૨ કષાય, ૩ મા૨ણાંતિક, ૪ વૈક્રિય. (વાયુના ૪ ભેદમાંથી બાદ૨ પર્યા. વાયુમાં) ૧૦. સંશી દ્વા૨ : પાંચે એકેન્દ્રિય અસંશી. ૧૧. વેદ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં નપુંસક વેદ. ૧૨. પર્યાપ્તિ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં પર્યાપ્તિ ચાર અને અપર્યાપ્તિ પહેલી ચાર. ૧૩, દૃષ્ટિ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં એક મિથ્યાસૃષ્ટિ. ૧૪. દર્શન દ્વા૨ : પાંચ એકેન્દ્રિયમાં એક અચક્ષુદર્શન. ૧૫. જ્ઞાન દ્વા૨ : પાંચ એકેન્દ્રિયમાં બે અજ્ઞાન, તે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન. ૧૬. યોગ દ્વા૨ : વાયુકાંય વર્જીને બાકીના ચાર એકેન્દ્રિયમાં યોગ ત્રણ, ૧ ઔદારિક શરી૨ કાયયોગ, ૨ ઔદારિક મિશ્ર શરીર Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક કાયયોગ, 3 કામણ શરીર કાયયોગ. વાયુકામાં યોગ પાંચ, ઉપરના ૩ અને ૪ વૈક્રિય શરીર કાયયોગ, પ વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વાર : પાંચ એકેન્દ્રિયમાં ઉપયોગ ત્રણ, ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ અચક્ષુદર્શન. ૧૮. આહાર દ્વાર : પાંચ એકેન્દ્રિય ત્રણ દિશાનો, ચાર દિશાનો, પાંચ દિશાનો આહાર લે, ને વ્યાઘાત ન પડે તો છ દિશાનો આહાર લે. બે પ્રકારનો આહાર લે, તે ૧ ઓજ, ૨ રોમ. તે ૧ સચિત, ર અચિત્ત ૩ મિશ્ર આહાર લે. ૧૯. ઉપજવાનો દ્વાર : વનસ્પતિ વર્જીને બાકી ચાર સ્થાવરમાં જો પાંચ સ્થાવરના જીવ ઉપજે તો પ્રતિ સમય નિરંતર અસંખ્યાતા ઉપજે, જો ત્રસ જીવ ઉપજે તો એક સમયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાત ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉપજે. વનસ્પતિકાયમાં જો ચાર સ્થાવરના જીવો આવીને ઉપજે તો પ્રતિ સમય અસંખ્યાતા ઉપજે, વનસ્પતિના જીવો આવી ઉપજે તો અનંત ઉપજે, જો ત્રસ જીવ ઉપજે તો એક સમયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાત ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉપજે. ૨૦. સ્થિતિ દ્વાર : | એકેજિયનું નામ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | ૧ પૃથ્વીકાય અંતર્મુહૂર્તની ૨૨,૦૦૦ વર્ષની ૨ અપકાય અંતર્મુહૂર્તની ૭,૦૦૦ વર્ષની ૩ તેઉકાય અંતર્મુહૂર્તની ત્રણ અહોરાત્રિની ૪ વાઉકાય અંતર્મુહૂર્તની ૩,૦૦૦ વર્ષની ૫ વનસ્પતિકાય અંતર્મુહૂર્તની ! ૧૦,૦૦૦ વર્ષની ૨૧. મરણ દ્વાર : તેમાં સોહિયા તે એળની પેઠે ચાલે. અસમોહિયા તે દડીની પેઠે ચાલે. کم سن سعی | - - - - - - - - - - - Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૨. ચવણ દ્વાર : જે પ્રકારે ઉપજવાના દ્વારા ૧૯માં બનાવ્યું તે પ્રમાણે ચવણ દ્વારમાં પણ સમજવું. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ એકેન્દ્રિયમાં ત્રણ ગતિનો આવે. ૧ મનુષ્ય, ર તિયચ, ૩ દેવનો. જાય બે ગતિમાં ૧ મનુષ્ય, ર તિર્યંચ એ બે માં જાય. તેઉકાય, વાઉકાય એ બે એકેન્દ્રિયમાં બે ગતિને આવે ૧ મનુષ્ય, ૧ તિર્યંચ. જાય એક ગતિમાં તે તિર્યંચમાં. પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ એકેન્દ્રિયમાં ત્રેવીસ દંડકનો આવે, તે એક નારકીનો વજીને જાય દશ દંડકમાં તે, પાંચ એકેન્દ્રિય, 3 વિકેન્દ્રિય, એ આઠ, મનુષ્ય, તિર્યંચ એ બે મળી હશમાં જાય. તેઉકાય, વાઉકાય એ બે એકેન્દ્રિયમાં દશ દંડકનો આવે, તે પાંચ એકેન્દ્રિય, ૩ વિકલેન્દ્રિય, એક મનુષ્ય, એક તિર્યંચ પંચેન્દ્રિય એમ દશા જાય નવ દંડકમાં તે પાંચ એકેન્દ્રિય, 3 વિકલન્દ્રિય, એક તિર્યંચ પંચેન્દ્રિય એમ ૯. ઇતિ પાંચ એકેન્દ્રિયના પાંચ દંડક સંપૂર્ણ. - ક ક . બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય (વિકલેન્દ્રિય)ના ૩ દંડક તથા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય (સંમષ્ઠિમ)નો વિસ્તાર ૧. શરીર દ્વાર : ઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌદ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં શરીર ત્રણ ૧ દારિક, ૨ તૈજસ, ૩ કાર્પણ. ૨. અવગાહના દ્વાર : બધાની અવગાહના જુદી જુદી નીચે મુજબ. જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના બેઇન્દ્રિયની આંગુલનો અસં. ભાગ બાર (૧૨) જોજનની Page #132 -------------------------------------------------------------------------- ________________ ' . .. - - - શ્રી ચોવીસ દંડક તેન્દ્રિયની આંગુલનો અસં. ભાગ ત્રણ (૩) ગાઉની ચૌરેન્દ્રિયની આંગુલનો અસં. ભાગ ચાર (૪) ગાઉની અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહનાની ગાથાઃ જોયણ સહસ્સ, ગાઉએ પુહત્ત તત્તો જોયણ પુહુર્ત ! દોહ તું ધણહ, પુડ્ડાં સમુચ્છિમેં હોઈ ઉચ્ચત્ત જલચરની | આંગુલનો અસં. ભાગ એક હજાર જોજનની સ્થળચરની | આંગુલનો અસં. ભાગ પથ (૨ થી ૯) ગાઉની | ઉરપરિસર્પની આંગુલનો અસં. ભાગ પૃથફ (રથી૯) યોજનની ભુજપરિસર્પની આંગુલનો અસં. ભાગ પૃથફ (૨થી૯) ધનુષ્યની ખેચરની | આંગુલનો અસં. ભાગ પૃથફ (રથ૯) ધનુષ્યની ૩. સંઘયણ (સંહનન) દ્વાર : ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચે.માં સંહનન એક છેવટુ ૪. સંઠાણ દ્વાર : ત્રણ વિકલેન્દ્રિય અને અસં. તિર્યંચ પંચે.માં સંઠાણ એકતે હૂડ સંસ્થાન. ૫. કષાય દ્વારઃ તેમાં ચાર કષાય. ૬. સંજ્ઞા દ્વાર : તેમાં સંજ્ઞા ચાર. ૭. વેશ્યા તાર તેમાં વેશ્યા ત્રણ, ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપત. ૮. ઈન્દ્રિય દ્વાર : બેઈન્દ્રિયમાં બે, તે ઇન્દ્રિયમાં ત્રણ, ચૌરેન્દ્રિયમાં ચાર, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં પાંચ. ૯. સમુદ્રઘાત દ્વારઃ તેમાં સમુદ્યાત ત્રણ. ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક. ૧૦. સંક્ષી દ્વારા ત્રણ વિકલે. તથા અસંજ્ઞી તિર્યંચ પંચે. બધા અસંજ્ઞી. ૧૧. વેદ દ્વાર તેમાં એક વેદ તે નપુંસકવેદ, ૧૨. પર્યામિ દ્વાર તેમાં પર્યાપ્તિ પાંચ. ૧ આહાર પર્યામિ, ર શરીર 1-8 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ પર્યાપ્તિ, ૩ ઇન્દ્રિય પર્યાપ્તિ, ૪ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ, ૫ ભાષા પર્યાપ્તિ. ૧૩. દૃષ્ટિ દ્વાર : તેમના અપર્યાપ્તામાં સૃષ્ટિ બે. ૧ સમકિત દૃષ્ટિ, ૨ મિથ્યાત્વ દૃષ્ટિ. પર્યાપ્તામાં એક મિથ્યાત્વ સૃષ્ટિ. ૧૪. દર્શન દ્વા૨ : બેઇન્દ્રિય, તેઇન્દ્રિયમાં દર્શન એક તે અચક્ષુદર્શન. ચૌરેન્દ્રિય અને અસં. તિ. પંચે. માં દર્શન બે તે ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન. 2lq ૧૫. જ્ઞાન દ્વા૨ : તેમના અપર્યાપ્તામાં બે જ્ઞાન, ૧ મતિ જ્ઞાન, ૨ શ્રુત જ્ઞાન, અજ્ઞાન બે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન. પર્યાપ્તામાં અજ્ઞાન બે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન. ૧૬. યોગ દ્વાર : તેમાં યોગ ચાર. ૧ વ્યવહાર વચનયોગ, ૨ ઔદારિક શરીર કાયયોગ, ૩ ઔદારિક મિશ્ર શ૨ી૨ કાયયોગ, ૪ કાર્મણ શ૨ી૨ કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વાર : બેઇન્દ્રિય, તેઇન્દ્રિયના અપર્યાપ્તામાં પાંચ ઉપયોગ. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન, ૫ અચક્ષુદર્શન. પર્યાપ્તામાં ૩ ઉપયોગ તે બે અજ્ઞાન ને એક અચક્ષુદર્શન. ચૌરેન્દ્રિયને અસંશી તિર્યંચ પંચે.ના અપર્યાપ્તામાં છ ઉપયોગ. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન, ૫ ચક્ષુદર્શન, ૬ અચક્ષુદર્શન. પર્યાપ્તામાં ચાર ઉપયોગ. બે અજ્ઞાન, બે દર્શન. ૧૮. આહાર દ્વાર : આહાર છ દિશાનો લે, ત્રણ પ્રકારે કરે તે ૧ ઓજ, ૨ રોમ, ૩ કવલ તે ૧ સચિત્ત, ૨ અચિત્ત અને મિશ્ર કરે. ૧૯. ઉ૫જવાનો દ્વા૨, ૨૨. ચવણ દ્વા૨ : ત્રણ વિકલેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં એક સમયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાત ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉપજે અને તે જ પ્રમાણે ચ્યવે. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક ૨૦. સ્થિતિ દ્વા૨ : જળચર સ્થળચર ઉરપરિસર્પ ભુજપરિસર્પ ખેચર જઘન્યસ્થિતિ અંતર્મુહૂત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત બેઇન્દ્રિય પેઇન્દ્રિય ફોરેન્દ્રિય છ માસની અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની જુદી જુદી નીચે મુજબ, તેની ગાથા ઃ પુવ્વ ક્રોડ ચઉ૨ાશી, તેપન, બાયાલીસ બહુત્તેર, સહસાઈ વાસાઇ, સમુચ્છિમે આઉયં હોઇ. {') પૂર્વક્રોડ વર્ષની ચોરાશી હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર વર્ષની ૪૯ દિવસની અંતમુહૂત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧૧૫ ત્રેપન હજાર વર્ષની બેંતાળીશ હજાર વર્ષની બહોંતેર હજા૨ વર્ષની અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૨૧. મ૨ણ દ્વા૨ : સમોહિયા મ૨ણ તે એળની પેઠે ચાલે. અસમોહિયા મરણ તે દડીની પેઠે ચાલે. ૨૩. આગતિ દ્વા૨, ૨૪. ગતિ દ્વાર : બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં બે ગતિનો આવે તે ૧ મનુષ્ય, ૨ તિર્યંચ. જાય બે ગતિમાં ૧ મનુષ્ય, ૨ તિર્યંચ. અસંશી તિર્યંચ પંચે.માં બે ગતિનો આવે તે ૧ મનુષ્ય, ૨ તિર્યંચ. જાય ચાર ગતિમાં તે ૧ ના૨કી, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય, ૪ દેવ. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એ ત્રણમાં દશ ઔદારિકનો આવે, તે પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય, મનુષ્ય અને તિર્યંચનો. ને જાય પણ તે જ દશમાં. અસંજ્ઞી તિર્યંચ પંચે.માં દશ ઔદારિકનો Page #135 -------------------------------------------------------------------------- ________________ I - શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આવે તે ઉપર મુજબ દશ કહ્યા તે, જાય બાવીશ દંડકમાં તે જ્યોતિષી ને વૈમાનિક એ બે વિનાના બાવીસ દંડકમાં જાય. ઇતિ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય (વિકલેન્દ્રિય) ના ૩ દંડક તથા અસંશી તિર્યંચ પંચેન્દ્રિય (સંમૂર્છાિમ)નો વિસ્તાર. - - * - - - - - સંશી તિર્યંચ (ગર્ભજ) પંચેન્દ્રિયનો એક દંડક ૧. શરીર દ્વાર : તિર્યંચ ગર્ભજ પંચેન્દ્રિયમાં શરીર ચાર ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ર તૈજસ, ૪ કામણ. ૨. અવગાહના દ્વાર : ગાથાઃ જોયણ સહસ્સે છ ગાઉ, આઈ તતો જોયણ સહસ્સે, ગાઉ પુરં ભુજએ, ધણહ પુહરં ચ પફખીસુ. જઘન્ય અવગાહના | ઉત્કૃષ્ટ અવગાહના જલચરની આંગુલનો અસંખ્યાતમો ભાગ એક હજાર જોજનની ! સ્થળચરની છ ગાઉની ઉરપરિસર્પની એક હજાર જોજનની ભુજપરિસર્પની પૃથક(૨થી૯) ગાઉની ખેચરની પૃથક ધનુષ્યની પાંચેય ઉત્તર વૈક્રિય કરે તો જધન્ય Jક્તદળ, સંખ્યામાં ભાગની, ઉત્કૃષ્ટ ૯૦૦ જજનની. ૩. સંઘયણ (સંહનન) દ્વાર તેમાં સંઘયણ છે. ૪. સંડાણ દ્વાર : તેમાં સંસ્થાન છે. ૫. કષાય દ્વાર : તેમાં કષાય ચાર. ૬. સંશા દ્વાર : તેમાં સંજ્ઞા ચાર. ૭. વેશ્યા દ્વાર : તેમાં લેગ્યા છે. - Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક ૮. ઇન્દ્રિય દ્વાર તેમાં ઇન્દ્રિય પાંચ. ૯. સમુદ્રઘાત દ્વાર તેમાં સમુદ્યાત પાંચ તે, ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક, ૪ વૈક્રિય, પ તૈજસ. ૧૦. સંજી દ્વાર : તે સંજ્ઞી. ૧૧. વેદ દ્વાર તેમાં વેદ ત્રણે ત્રણ. ૧૨. પર્યામિ દ્વાર તેમાં પર્યાપ્તિ છને અપર્યાપ્ત છે. ૧૩. દષ્ટિ દ્વાર : તેમાં દૃષ્ટિ ત્રણ. ૧૪. દર્શન દ્વાર તેમાં દર્શન ત્રણ તે ન ચક્ષુદર્શન, ર અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન. ૧૫. જ્ઞાન દ્વાર : તેમાં જ્ઞાન ત્રણ તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન. અજ્ઞાન ત્રણ તે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન. ૧૬. યોગ દ્વાર : તેમાં યોગ તેર તે ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ, ૩. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, ૫. સત્ય વચનયોગ, ૬. અસત્ય વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. ઔદારિક શરીર કાયયોગ, ૧૦. ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૧૧. વૈક્રિય શરીર કાયયોગ, ૧૨. વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, ૧૩. કામણ શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વાર : તેમાં ઉપયોગ ૯ છે. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિભંગજ્ઞાન, ૭ ચક્ષુદર્શન, ૮ અચક્ષુદર્શન, ૯ અવધિદર્શન. ૧૮. આહાર દ્વાર : તેમાં આહાર ત્રણે પ્રકારનો. ૧૯. ઉપજવાનો દ્વાર, ૨૨. ચવણ દ્વાર : સર્વ તિર્યંચ પંચેન્દ્રિયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાત ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉપજે તથા ચવે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧] ) - - - - શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૦. સ્થિતિ દ્વાર : જઘન્ય સ્થિતિ | | ઉત્કૃષ્ટ સ્થિતિ જલચરની અંતર્મુહૂર્તની પૂર્વ ક્રોડ વર્ષની સ્થળચરની |અંતર્મુહૂર્તની ત્રણ પત્યની ઉરપરિસર્પની અંતર્મુહૂર્તની પૂર્વ ક્રિોડ વર્ષની ભુજપરિસર્પની અંતર્મુહૂર્તની પૂર્વ ક્રિોડ વર્ષની ખેચરની | | અંતર્મુહૂર્તની | પલ્યના અસંખ્યાતમા ભાગની ૨૧. મરણ દ્વાર : સમોહિયા મરણ તે એળની પેઠે ચાલે. અસમોહિયા મરણ તે દડીની પેઠે ચાલે. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : ચાર ગતિનો આવે. ચાર ગતિમાં જાય. ચોવીસ દંડકનો આવે અને જાય ચોવીસ દંડકમાં. ઈતિ સંશી તિર્યંચ (ગર્ભજ) પંચેનિયનો એક દંડક સંપૂર્ણ. મનુષ્ય ગર્ભજ પંચેન્દ્રિયનો એક દંડક ૧. શરીર દ્વારા મનુષ્ય ગર્ભમાં શરીર પાંચ. ૨. અવગાહના દ્વાર : જઘન્ય અવગાહના આંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ અવગાહના જુદી જુદી નીચે મુજબ: અવસર્પિણી કાળમાં (ભરત, ઈરવતક્ષેત્રમાં) પહેલો આરો બેસતાં ત્રણ ગાઉની, પહેલો આરો ઊતરતાં તથા બીજો આરો બેસતાં બે ગાઉની, બીજો આરો ઊતરતાં તથા ત્રીજો આરો બેસતાં એક ગાઉની, ત્રીજો આરો ઊતરતાં તથા ચોથો આરો બેસતાં પાંચસો ધનુષ્યની, ચોથો આરો ઊતરતાં તથા પાંચમો આરો બેસતાં સાત હાથની, પાંચમો આરો ઊતરતાં તથા છઠ્ઠો આરો બેસતાં એક હાથની, Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક The 193 છઠ્ઠો આરો ઉતરતાં મૂંઢા હાથની. ઉત્સર્પિણી કાળમાં (ભરત, ઈરવતક્ષેત્રમાં) પહેલો આરો બેસતાં મૂંઢા હાથની, પહેલો આરો ઊતરતાં તથા બીજો આરો બેસતાં એક હાથની, બીજો આરો ઊતરતાં તથા ત્રીજો આરો બેસતાં સાત હાથની, ત્રીજો આરો ઊતરતાં તથા ચોથો આરો બેસતાં પાંચસો ધનુષ્યની, ચોથો આરો ઊતરતાં તથા પાંચમો આરો બેસતાં એક ગાઉની, પાંચમો આરો ઊતરતાં તથા છઠ્ઠો આરો બેસતાં બે ગાઉની, છઠ્ઠો આરો ઊતરતાં ત્રણ ગાઉની. મહાવિદેહ ક્ષેત્રમાં જ. આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉ. ૫૦૦ ધનુષ્ય. મનુષ્ય વૈક્રિય કરે તો જઘન્ય આંગુલનો સંખ્યારમો ભાગ ઉત્કૃષ્ટ લાખ યોજન અધિક. ૩. સંઘયણ (સંહનન) દ્વાર : તેમાં સંઘયણ છે. ૪. સંડાણ દ્વાર : તેમાં સંઠાણ છે. ૫. કષાય દ્વાર : તેમાં કષાય ચાર તથા અકષાયી. ૬. સંજ્ઞા દ્વાર : તેમાં સંજ્ઞા ચાર તથા નોસંજ્ઞોપયુક્ત ૭. વેશ્યા તાર : તેમાં વેશ્યા છે. તથા અલેશી. ૮. ઇન્દ્રિય દ્વાર : તેમાં ઇન્દ્રિય પાંચ તથા અણિન્દ્રિય. ૯. સમુદ્દઘાત દ્વાર તેમાં સમુદ્દાત સાત. - ૧૦. સંશી દ્વાર : તેમાં સંજ્ઞી તથા નોશી નોઅસંજ્ઞી. ૧૧. વેદ દ્વાર : તેમાં વેદ ત્રણ તથા અવેદી. ૧૨. પર્યાધિ દ્વાર તેમાં પર્યામિ , અપર્યામિ છે. ૧૩. દષ્ટિ દ્વાર તેમાં દૃષ્ટિ ત્રણ. ૧૪. દર્શન દ્વાર : તેમાં દર્શન ચાર, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૦ ૧૫. જ્ઞાન દ્વાર : તેમાં જ્ઞાન પાંચ, અજ્ઞાન ત્રણ. ૧૬. યોગ દ્વાર : તેમાં યોગ પંદર, તથા અયોગી. ૧૭. ઉપયોગ દ્વા૨ : તેમાં ઉપયોગ બાર. શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૮. આહાર દ્વાર : તેમાં આહાર ત્રણ પ્રકા૨નો તથા અણાહારક. ૧૯. ઉ૫જવાનો દ્વા૨, ૨૨. ચવણ દ્વાર : એક સમયમાં જ. ૧,૨,૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે અને ચવે. ૨૦. સ્થિતિ દ્વા૨ : અવસર્પિણી કાળમાં (ભરત, ઈ૨વતક્ષેત્રમાં) પહેલો આરો બેસતાં ત્રણ પલ્યની, બે પલ્યની, પહેલો આરો ઊતરતાં તથા બીજો આ૨ો બેસતાં બીજો આ૨ો ઊતરતાં તથા ત્રીજો આરો બેસતાં ત્રીજો આરો ઊતરતાં તથા ચોથો આ૨ો બેસતાં ચોથો આરો ઊતરતાં, પાંચમો આરો બેસતાં પાંચમો આરો ઊતરતાં તથા છઠ્ઠો આ૨ો બેસતાં એક પલ્યની, ક્રોડપૂર્વની, બસો વર્ષમાં ઊણી, બ) રી વીસ વર્ષની, સોળ વર્ષની. છઠ્ઠો આરો ઊતરતાં ઉત્સર્પિણી કાળમાં (ભ૨ત, ઈરવતક્ષેત્રમાં) પહેલો આરો બેસતાં પહેલો આરો ઊતરતાં તથા બીજો આરો બેસતાં બીજો આ૨ો ઊતરતાં તથા ત્રીજો આરો બેસતાં બસો વર્ષમાં ઊણી, ત્રીજો આરો ઊતરતાં તથા ચોથો આરો બેસતાં ચોથો આરો ઊતરતાં, પાંચમો આ૨ો બેસતાં પાંચમો આરો ઊતરતાં તથા છઠ્ઠો આરો બેસતાં બે પલ્યની, છઠ્ઠો આરો ઊતરતાં ત્રણ પલ્યની. મહાવિદેહ ક્ષેત્રમાં જ. અંતર્મુહૂર્તની, ઉ. એક ક્રોડ પૂર્વ વર્ષની. જુગલિક કાળ વર્જીને બધે સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત જાણવી. સોળ વર્ષની, વીસ વર્ષની, એક ક્રોડપૂર્વની, એક પલ્યની, Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક ૨૧. મરણ દ્વાર : મરણ બે સંમોહિયા અને અસમોહિયા. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : ચાર ગતિનો આવે. ચારે ગતિ તથા પાંચમી મોક્ષ ગતિમાં જાય. બાવીસ દંડકનો આવે તે તેઉકાય અને વાયુકાયુના દંડક વર્જીને જાય ચોવીસ દંડકમાં. ઇતિ મનુષ્ય ગર્ભજનો દેડક સંપૂર્ણ * * * ( મનુષ્ય સંમષ્ઠિમનો વિસ્તાર ૧. શરીર દ્વાર : શરીર ૩ તે ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ. ૨. અવગાહના દ્વાર : જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગની. ૩. સંઘયણ (સંહનન) દ્વાર: તેમાં સંઘયણ એક તે છેવટુ (સેવા). ૪. સંઠાણ દ્વાર : તેમાં સંડાણ એક તે હૂંડ. ૫. કષાય દ્વાર : તેમાં કષાય ચાર. ૬. સંશા દ્વાર : તેમાં સંજ્ઞા ચાર. ૭. વેશ્યા દ્વાર : તેમાં વેશ્યા ત્રણ તે ૧ કૃષ્ણ, ર નીલ, ૩ કાપોત. ૮. ઇન્દ્રિય દ્વાર : તેમાં ઇન્દ્રિય પાંચ. - ૯. સમુદ્દાત દ્વાર : તેમાં સમુદ્ધાત પ્રથમની ત્રણ. ૧૦. સંજ્ઞી દ્વાર : તેમાં અસંજ્ઞી. ૧૧. વેદ દ્વાર : તેમાં વેદ એક તે નપુંસક વેદ. ૧૨. પર્યાપિ દ્વાર : તેમાં ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરે, અપર્યાપ્તિ ચાર. અસંજ્ઞી મનુ. ચોથી પર્યાપ્તિનો અપર્યાપ્તો રહેતો થકો મૃત્યુ પામે છે. ૧૩. દષ્ટિ દ્વાર : તેમાં દૃષ્ટિ એક ૧ મિથ્યાત્વ દૃષ્ટિ. ૧૪. દર્શન દ્વાર તેમાં દર્શન બે, ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન. ૧૫. જ્ઞાન દ્વાર : તેમાં જ્ઞાન નથી. અજ્ઞાન છે તે ૧ મતિઅજ્ઞાન, Page #141 -------------------------------------------------------------------------- ________________ જ જs 8 ક સંજક ૨ શ્રતઅજ્ઞાન. 2૬ થી શ્રટ. તે સેસ ટે સ્ટે ટસ્ટમ્સ ૨ ઓદારિક મિશ્ર શરીર કાયયોગ, ૩ કાર્મણ શરીર કાયયોગ. ૧૭. ઉપયોગ દ્વારા ઉપયોગ ચાર, ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ ચક્ષુદર્શન, ૪ અચક્ષુદર્શન. ૧૮. આહાર દ્વાર : આહાર બે પ્રકારનો ૧ ઓજ, ૨ રોમ, તે સચિત્ત, ૨ અચિત્ત, ૩ મિશ્ર. ૧૯. ઉપજવાનો દ્વાર, ૨૨. ચવણ દ્વાર : એક સમયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાતા ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉપજે અને ચવે. ૨૦. સ્થિતિ દ્વારા તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત. ૨૧. મરણ દ્વાર : મરણ છે. ૧ સમોહિયા, ર અસમોહિયા મરણ. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : તેમાં બે ગતિનો આવે, ૧ મનુષ્ય, ૨ તિર્યંચ. જાય છે ગતિમાં, ૧ મનુષ્ય, ર તિર્યચ. તેમાં આઠ દંડકનો આવે, તે પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રણ વિકેન્દ્રિય, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય. એ દશ દંડકમાં જાય તે પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય, મનુષ્ય અને તિર્યચ. ઇતિ સંમૂર્છાિમ મનુષ્યનો વિસ્તાર સંપૂર્ણ. ( જુગલીયા મનુષ્યનો વિસ્તાર ) ૧. શરીર દ્વાર : ત્રણ શરીર, ૧ ઔદારિક, ર તેજસ, ૩ કાર્પણ. ૨. અવગાહના દ્વાર : હેમવય, હિરણ્યવયમાં જ. આંગુલના અસંખ્યાતમા ભાગની, ' ઉ. એક ગાઉની. હરિવાસ, રમકવાસમાં જ. આંગુલના અસં. ભાગની, ઉ. બે ગાઉની. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવીસ દંડક દેવકુરૂ, ઉત્તરકુરૂમાં જ. આં.ના અસં. ભાગની, ઉ. ત્રણ ગાઉની ૫૬ અંતરદ્વીપમાં જ. આં.ના અસં. ભાગની, ઉ. ૮૦૦ ધનુષ્યની ૭. સંઘયણ દ્વાર : સંઘયણ એક તે ૧ વજઋષભનારાચ સંઘયણ. 1. સંડાણ દ્વાર : સંઠાણ એક તે ૧ સમચતુરંત્ર સંડાણ. ૫. કયાય દ્વાર : કષાય ચાર. * સંજ્ઞા દ્વાર : સંજ્ઞા ચાર. ૭. લેયા દ્વાર: તે ચાર. ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપીત, ૪ તેજો. ૮. ઇન્દ્રિય દ્વાર : ઇન્દ્રિય પાંચ. ૯. સમુદ્રઘાત દ્વાર : સમુદ્યાત ત્રણ તે ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક. ૧૦. સંસી દ્વાર : ૮૬ જુગલિયા સંજ્ઞી. ૧૧. વેદ દ્વાર તેમાં વેદ બે તે ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ. ૧૨. પર્યાતિ દ્વાર તેમાં પર્યાપ્તિ છ ને અપર્યાપ્ત છે. ૧૩. દષ્ટિ કેર : ત્રીસ અકર્મભૂમિમાં દૃષ્ટિ બે તે, ૧ સમકિત દૃષ્ટિ, ર મિથ્યાત્વ દૃષ્ટિ. પ૬ અંતરદ્વીપમાં એક તે મિથ્યાત્વ દૃષ્ટિ. ૧૪. દર્શન દ્વાર : સર્વમાં દર્શન બે તે ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન. ૧૫. જ્ઞાન દ્વાર : ત્રીસ અકર્મભૂમિમાં બે જ્ઞાન તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન તથા અજ્ઞાન છે તે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન. ૫૬ અંતરદ્વીપમાં બે અજ્ઞાન તે ૧ મતિઅજ્ઞાન, ર શ્રતઅજ્ઞાન. ૬. યોગ દ્વાર : સર્વમાં યોગ અગિયાર તે ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ, ૩. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, " સત્ય વચનયોગ, ૬. અસત્ય વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. ઔદારિક શરીર કાયયોગ, ૧૦. દારિક મિશ્ર શરીર કાયયોગ, ૧૧. કામણ શરીર કાયયોગ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૭. ઉપયોગ દ્વારા ત્રીસ અકર્મભૂમિમાં ઉપયોગ ૬ તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતજ્ઞાન, ૫ ચક્ષુદર્શન, ૬ અચક્ષુદર્શન. પ૬ અંતરદ્વીપમાં ઉપયોગ ચાર તે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ ચક્ષુદર્શન, ૪ અચક્ષુદર્શન. ૧૮. આહાર દ્વાર : જુગલીયામાં આહાર ત્રણે પ્રકારનો. ૧૯. ઉપજવાનો દ્વાર, ૨૨. ચવણ દ્વાર : જ. ૧,૨,૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે અને ચવે. ૨૦. સ્થિતિ દ્વાર : | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | હેમવય, હિરણ્યવય એક પત્યમાં દેશ ઊણી | એક પલ્યની હરિવાસ, રમકવાસ બે પલ્યમાં દેશ ઊણી | બે પલ્યની દેવકુર, ઉત્તરકુર ત્રણ પલ્યમાં દેશ ઊણી ત્રણ પલ્યની પ૬ અંતરદ્વીપ પલ્યના અસંખ્યાતમા | પલ્યના અસં.મા ભાગમાં દેશ ઊણી | ભાગની ૨૧. મરણ દ્વાર : મરણ બે ૧ સમોહિયા, ૨ અસમોહિયા મરણ. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : બે ગતિનો આવે તે ૧ મનુષ્ય, ર તિર્યચ. એક દેવ ગતિમાં જાય. ત્રીસ અકર્મભૂમિમાં બે દંડકનો આવે તે ૧ મનુષ્ય, ર તિર્યચ. જાય તેર દંડકમાં તે ૧૦ ભવનપતિના દંડક, ૧૧ વાણવ્યંતર, ૧૨ જ્યોતિષી, ૧૩ વૈમાનિક એ ૧૩. પ૬ અંતરદ્વીપમાં બે દંડકનો આવે ૧ મનુષ્યનો, ૨ તિર્યંચનો. જાય ૧૧ દંડકમાં ૧૦ ભવનપતિના દંડક, ૧૧ વાણવ્યંતર એ ૧૧. ઇતિ જુગલીયાનો વિસ્તાર સંપૂર્ણ ઈતિ મનુષ્યનો દંડક સંપૂર્ણ. Page #144 -------------------------------------------------------------------------- ________________ રિપો શ્રી ચોવીસ દંડક ( સિદ્ધનો વિસ્તાર ) ૧. શરીર દ્વાર : સિદ્ધમાં શરીર નથી. ૨. અવગાહના દ્વાર : પાંચસો ધનુષ્યના સિદ્ધ થયા હોય તો તેની અવગાહના ત્રણસો તેત્રીસ ધનુષ્ય ને બત્રીસ આંગુલની. સાત હાથના સિદ્ધ થયા હોય તો તેની ચાર હાથ ને સોળ આંગુલ. બે હાથના સિદ્ધ થયા હોય તો તેની એક હાથ ને આઠ આંગુલ. ૩. સંઘયણ દ્વાર : સિદ્ધ અસંઘયણી. ૪. સંડાણ દ્વાર : સિદ્ધ અસંસ્થાની. ૫. કષાય દ્વાર : સિદ્ધને કષાય નથી. ૬. સંજ્ઞા દ્વાર : સિદ્ધને સંજ્ઞા નથી. ૭. લેયા દ્વાર : સિદ્ધ અલેશી. ૮. ઇન્દ્રિય દ્વાર : સિદ્ધમાં ઇન્દ્રિય નથી. ૯. સમુદ્દાત દ્વાર : સિદ્ધને સમુદ્ધાત નથી. ૧૦. સંશી દ્વાર : સિદ્ધ સંજ્ઞી નથી, અસંજ્ઞી નથી. ૧૧. વેદ દ્વાર : સિદ્ધને વેદ નથી. ૧૨. પર્યાતિ દ્વાર : સિદ્ધને પર્યાપ્તિ નથી અપર્યાપ્તિ નથી. ૧૩. દૃષ્ટિ દ્વાર : સિદ્ધમાં સમકિત દૃષ્ટિ ૧૪. દર્શન દ્વાર : સિદ્ધમાં કેવલદર્શન. ૧૫. જ્ઞાન દ્વાર : સિદ્ધમાં કેવળજ્ઞાન. ૧૬. યોગ દ્વાર : સિદ્ધને યોગ નથી. ૧૭. ઉપયોગ દ્વાર: સિદ્ધને ઉપયોગ બે, 1 કેવલજ્ઞાન, ર કેવલદર્શન. ૧૮. આહાર દ્વાર : સિદ્ધને આહાર નથી. ૧૯. ઉપજવાનો દ્વાર : સિદ્ધમાં જવું નથી ૨૦. સ્થિતિ દ્વાર : એક સિદ્ધ અપેક્ષા સિદ્ધને આદિ છે પણ અંત Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૧૨૬ (છેડો) નથી. સર્વ સિદ્ધ અપેક્ષા અનાદિ અનંત. ૨૧. મ૨ણ દ્વાર : મ૨ણ એક પણ નથી. ૨૨. ચવણ દ્વાર : સિદ્ઘને ચવવું નથી. ૨૩. આગતિ દ્વાર : આવે એક મનુષ્ય ગતિનો. ૨૪. ગતિ દ્વા૨ : સિદ્ધને ગતિ નથી. એવા સિદ્ધ ભગવંતજીને મા૨ા, તમારા ત્રણે કાળ નમસ્કાર હો. ઇતિ લઘુ દંડક. 參图图图图图图图 ૭. આઠ કર્મની પ્રકૃતિ પક્ષવણા પદ ૨૩, ઉ. ૧ કર્મ :- જે કાર્પણ વર્ગણાનાં પુદ્ગલો (ચૌસ્પર્શી) મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને જોગનાં કારણે આત્મા સાથે બંધાય તેને કર્મ કહે છે. આઠ કર્મના નામ ઃ— ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંત૨ાય. આઠ કર્મનાં લક્ષણ ૧ પહેલું જ્ઞાનાવ૨ણીય કર્મ તે આંખના પાટા સમાન. ૨ બીજું દર્શનાવ૨ણીય કર્મ તે રાજાના પોળીઆ સમાન. ૩ ત્રીજું વેદનીય કર્મ તે મધે ખરડયા ખડગ સમાન. ૪ ચોથું મોહનીય કર્મ તે મદિરાપાન સમાન. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી આઠ કર્મની પ્રકૃતિ વિરો ૫ પાંચમું આયુષ્ય કર્મ તે સમાન. ૬ છઠું નામ કર્મ તે ચિતારા સમાન. ૭ સાતમું ગોત્ર કર્મ તે કુંભારનાં ચાકડા સમાન. ૮ આઠમું અંતરાય કર્મ તે રાજાના ભંડારી સમાન. ૧ જ્ઞાનાવરણીય કર્મ અનંત જ્ઞાન ગુણ ઢાંક્યો છે. ૨ દર્શનાવરણીય કર્મે અનંત દર્શનગુણ ઢાંક્યો છે. ૩ વેદનીય કર્મ અનંત અવ્યાબાધ આત્મિક ગુણ રોક્યો છે. ૪ મોહનીય કર્મે વીતરાગતા ગુણ રોક્યો છે. ૫ આયુષ્ય કર્મ અક્ષય સ્થિતિ ગુણ રોક્યો છે. ૬ નામ કર્મે અમૂર્તિ ગુણ રોક્યો છે. ૭ ગોત્ર કર્મે અગુરુલઘુ ગુણ રોક્યો છે. ૮ અંતરાય કર્મે અનંતરાય ગુણ રોક્યો છે. આઠ કર્મની પ્રકૃતિ, આઠ કર્મ કેટલા પ્રકારે બાંધે ? કેટલા પ્રકારે ભોગવે ? આઠ કર્મની સ્થિતિ, એ સર્વનો વિસ્તાર ૧. જ્ઞાનાવરણીય કર્મનો વિસ્તાર. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ, ૧ મતિ જ્ઞાનાવરણીય, ૨ શ્રુત જ્ઞાનાવરણીય, ૩ અવધિ જ્ઞાનાવરણીય, ૪ મન:પર્યવ જ્ઞાનાવરણીય, ૫ કેવલ જ્ઞાનાવરણીય. જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે,. ૧ નાણ પડિણિયાએ – તે જ્ઞાનના તથા જ્ઞાનીના અવર્ણવાદે બોલે. ૨ નાણ નિcવણિયાએ – તે જ્ઞાન પમાડનારનાં ઉપકાર ઓળવે. ૩ના અંતરાયણ – તે જ્ઞાનની અંતરાય પાડે તે. ૪નાણ પઓએણે – તે જ્ઞાન કે જ્ઞાની ઉપર ટૅપ કરે. ૫ નાણ આસાયણાએ – તે જ્ઞાનની તથા જ્ઞાનીની આશાતના કરે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૬ નાણુ વિસંવાયણાજોગેણું – તે જ્ઞાની સાથે ખોટો વિવાદ કરે. જ્ઞાનાવરણીય કર્મ દશ પ્રકારે ભોગવે. ૧ શ્રોત્ર આવ૨ણ, ૨ શ્રોત્રવિજ્ઞાન આવ૨ણ, ૩ નેત્ર આવ૨ણ, ૪ નેત્રવિજ્ઞાન આવરણ, ૫ ઘાણ આવ૨ણ, ૬ ઘાણવિજ્ઞાન આવ૨ણ, ૭ ૨સ આવરણ, ૮ ૨સવિજ્ઞાન આવ૨ણ, ૯ સ્પર્શ આવ૨ણ, ૧૦ સ્પર્શવિજ્ઞાન આવ૨ણ. જ્ઞાનાવ૨ણીય કર્મની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતર્મુહૂર્ત, ઉ. ત્રણ હજાર વર્ષનો. ૨. દર્શનાવરણીય કર્મનો વિસ્તાર. દર્શનાવ૨ણીય કર્મની નવ પ્રકૃતિ ૧ નિદ્રા – તે સુખે ઉંધે, સુખે જાગે. ૨ નિદ્રા નિદ્રા – તે દુ:ખે ઉંધે, દુઃખે જાગે. = ૩ પ્રચલા – તે બેઠા બેઠા ઉંધે. - ૪ પ્રચલા પ્રચલા – તે બોલતાં બોલતાં, ખાતાં ખાતાં ઉંઘે. ૫ થીશુદ્ધિ (સ્યાનáિ) નિદ્રા – તે ઉંઘને વિષે અર્ધ વાસુદેવનું બળ આવે, ત્યારે ઉંઘમાં ને ઉંઘમાં ઉઠે, ઉઠીને પટારો છાડે, ઉઘાડીને તેમાંથી ઘરેણાંનો ડાબલો લે અને લૂગડાંનો બાચકો બાંધીને તે લઈને નદીએ જાય, તે ઘરેણાંનો ડાબલો હજાર મણની શિલા ઊંચી કડી તેની નીચે દાટે ને લૂગડાં ધોઈને ઘે૨ આવે, સવારે જાગે પણ ખબર ન પડે. ઘરેણાંનો ડાબલો શોધે પણ જડે નહિ. એવી નિદ્રા ફરીથી છ મહિને આવે ત્યારે ઘરેણાંનો ડાબલો દાટ્યો હોય ત્યાંથી લઈને આવે, ને જ્યાં હોય ત્યાં મૂકે, ત્યારપછી કાળ કરે આવી ઉંઘમાં જો આયુષ્યનો બંધ ક૨ે તો મ૨ીને ૨કે જાય, તેને થીણદ્ધિ નિદ્રા કહિએ. આ વાત ઉત્કૃષ્ટ બળની છે. જઘન્ય અને મધ્યમ બળ પણ હોઈ શકે અને તો તે કોઈપણ ગતિમાં જઈ શકે. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી આઠ કર્મની પ્રકૃતિ ૧૨૯ ૬ ચક્ષુ દર્શનાવ૨ણીય, ૭ અચક્ષુ દર્શનાવરણીય, ૮ અધિ દર્શનાવ૨ણીય, ૯ કેવલ દર્શનાવ૨ણીય. દર્શનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે. ૧ દંસણ પડિણિયાએ તે ચક્ષુ આદિ ચાર દર્શનનાં કે તે દર્શનોના ધા૨કના અવર્ણવાદ (વાંકા) બોલે. ૨ દંસણ નિન્દ્વવણિયાએ – તે દર્શન અને દર્શનીના ઉપકાર ઓળવે. ૩ દસણ અંતરાયણ – તે દર્શન અને દર્શનનાં સાધનોમાં અંતરાય પાડે. ૪ દંસણ પઓસેણું - તે દર્શન અને દર્શનીની ઉપર દ્વેષ કરે. ૫ દંસણ આસાયણાએ – તે દર્શન અને દર્શનીની આશાતના કરે. ૬ દંસણ વિસંવાયણાજોગેણું – તે દર્શની સાથે ખોટાં ઝગડા કરે. દર્શનાવ૨ણીય કર્મ નવ પ્રકારે ભોગવે. ૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, પ થીણગ્નિ નિદ્રા, ૬ ચક્ષુ દર્શનાવરણીય, ૭ અચક્ષુ દર્શનાવરણીય, ૮ અધિ દર્શનાવરણીય, ૯ કેવળ દર્શનાવરણીય. દર્શનાવરણીય કર્મની સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતર્મુહૂર્તનો, ઉ. ત્રણ હજા૨ વર્ષનો. ૩. વેદનીય કર્મનો વિસ્તાર, વેદનીય કર્મના બે ભેદ ૧ શાતા વેદનીય, ૨ અશાતા વેદનીય. વેદનીય કર્મની સોળ પ્રકૃતિ, તેમાં શાતા વેદનીયની આઠ પ્રકૃતિ ને અશાતા વેદનીયની આઠ પ્રકૃતિ. શાતાવેદનીય કર્મની આઠ પ્રકૃતિ ઃ ૧ મનોજ્ઞ શબ્દ, ૨ મનોજ્ઞ રૂપ, ૩ મનોજ્ઞ ગંધ, જં મનોજ્ઞ ૨સ, ૫ મનોજ્ઞ સ્પર્શ, ૬ મન સૌષ્ય, ૭ વચન સૌષ્ય, ૮ કાય સૌખ્ય. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અશાતાદનીય કર્મની આઠ પ્રકૃતિ : ૧ અમનોજ્ઞ શબ્દ, ૨ અમનોજ્ઞ રૂપ, ૩ અમનોજ્ઞ ગંધ, ૪ અમનોજ્ઞ રસ, ૫ અમનોજ્ઞ સ્પર્શ, ૬ મન દુ:ખ, ૭ વચન દુઃખ, ૮ કાય દુઃખ. વેદનીય કર્મ ૨૨ પ્રકારે બાંધે તેમાં શાતા વેદનીય દશ પ્રકારે બાંધે. ૧. પાણાણુકંપયાએ (પ્રાણી અનુકંપા) - વિકસેન્દ્રિયના જીવો પર અનુકંપા / દયા. ૨. ભૂયાણ કંપયાએ (ભૂત અનુકંપા) – વનસ્પતિના જીવો પર અનુકંપા / દયા. ૩. જીવાણુકંપયાએ (જીવની અનુકંપા) - પંચેન્દ્રિય જીવો પર અનુકંપા દયા. ૪. સત્તાણુકંપયાએ (સત્ત્વની અનુકંપા) – ચાર સ્થાવર (પૃ. અતે વા.) જીવો પર અનુકંપા દયા. બહૂર્ણ પાણાનું ભૂયાણ જીવાણું સત્તાણું – ઘણાં છકાયના જીવોને, ૫. અદુખણયાએ – દુઃખ ન દે. ૬. અસોયણયાએ – શોક કરાવે નહિ. ૭. અઝરણયાએ – તરફડાવે નહિઝૂરણા કે વિયોગ કરાવે નહિ. ૮. અટિપ્પણયાએ – અશ્રપાત કરાવવો નહિ | ટપક ટપક આંસું પડાવવા નહિ. ૯. અપિટ્ટણયાએ – મારવા નહિ. ૧૦. અપરિયાવણયાએ – પરિતાપ કે ત્રાસ ઉપજાવવો નહિ. અશાતાવેદનીય કર્મ ૧૨ પ્રકારે બાંધે. ૧.પરદુકખણયાએ – કોઈ એક પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વને દુઃખ આપવું. ૨.પરસોયણયાએ – તેને (છકાયને) શોક કરાવવો. ૩. પરરણયાએ – તેને તરફડાવે ઝૂરણા કે વિયોગ કરાવે. ૪. પરટિપ્પણયાએ – તેને રડાવે / અશ્રપાત કરાવે / ટપક ટપક આંસું પડાવે. ૫. પરપિકણિયાએ – તેને મારે | પીટે. . ૬, પરંપરિયાવણયાએ – તેને પરિતાપ કે ત્રાસ ઉપજાવે. બહૂર્ણ પાણાણે ભૂયાણ જીવાણું સત્તાણું – ઘણાં છકાયના જીવોને, ૭. દુખણયાએ – દુઃખ આપે. ૮. સોયણયાએ – શોક કરાવે. Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી આઠ કર્મની પ્રકૃતિ શિ૩િ૧ (૯. કૂરણયાએ – તરફડાવ | ઝૂરણા કે વિયોગ કરાવે. ૧૦. ટીપ્પણયાએ – રડાવે, અપાત કરાવે ટપક ટપક આંસુ પડાવે. ૧૧. પિટ્ટણયાએ – મારે ! પીટે. ૧૨. પરિયાવણયાએ – પરિતાપ કે ત્રાસ ઉપજાવે. વેદનીય કર્મ સોળ પ્રકારે ભોગવે તે સોળ પ્રકૃતિ ઉપર કહી તે પ્રમાણે. વેદનીય કર્મની સ્થિતિ–શાતા વેદનીય કર્મની જ. બે સમયની 3. ૧૫ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંત. ઉ. દોઢ હજાર વર્ષનો. અશાતા વેદનીય કર્મની સ્થિતિ જ. એક સાગરના સાત ભાગ કરીએ તે માંહેના ત્રણ ભાગને એક પલ્યને અસંખ્યાતમે ભાગ ઊણી, ઉ. ત્રીસ ક્રોડાકોડી સાગરોપમ ની. અબાધાકાળ જ. અંત. ઉ. ત્રણ હજાર વર્ષને. ૪. મોહનીય કર્મનો વિસ્તાર. મોહનીય કર્મના બે ભેદ, ૧ દર્શન મોહનીય, ૨ ચારિત્ર મોહનીય. ૧ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ, ૧ સમ્યકત્વ મોહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, ૩ સમામિથ્યાત્વ મોહનીય. ૨ ચારિત્ર મોહનીયની બે પ્રકૃતિ, ૧ કષાયચારિત્ર મોહનીય, ૨ નોકષાય ચારિત્ર મોહનીય. ૧ કષાય ચારિત્ર મોહનીયની સોળ પ્રકૃતિ, ૨ નોકષાય ચારિત્ર મોહનીયની નવ પ્રકૃતિ. ૧ કષાય ચારિત્ર મોહનીયની સોળ પ્રકૃતિ : ૧ અનંતાનુબંધી ક્રોધ – તે પર્વત ફાટ્યાં સમાન. ૨ અનંતાનુબંધી માન – તે પથ્થરના સ્તંભ સમાન. Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જેને થોક સંગ્રહ ૩ અનંતાનુબંધી માયા – તે વાંસના મૂળ સમાન. ૪ અનંતાનુબંધી લોભ – તે કીરમજીના રંગ સમાન. એ ચારે ગતિ નરકની કરે, સ્થિતિ જાવજીવની, ઘાત કરે સમકિતની. ૫ અપત્યાખ્યાની ક્રોધ – તે તળાવની તિરાડ સમાન. ૬ અપ્રત્યાખ્યાની માન - તે હાડકાંનાં સ્તંભ સમાન. ૭ અપત્યાખ્યાની માયા – તે ઘેટાંનાં શીંગડા સમાન. ૮ અપ્રત્યાખ્યાની લોભ – તે નગરની ગટરનાં કાદવ સમાન. એ ચારે ગતિ તિર્યંચની કરે, સ્થિતિ એક વર્ષની કરે, વાત કરે દેશ વતની. ૯ પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ – તે વેળુ મધ્યે લીટી સમાન. ૧૦ પ્રત્યાખ્યાનાવરણીય માન - તે લાકડાના સ્તંભ સમાન. ૧૧ પ્રત્યાખ્યાનાવરણીય માયા – તે ગૌમૂત્રિકા સમાન. ૧૨ પ્રત્યાખ્યાનાવરણીય લોભ – તે ગાડાનાં ખંજન સમાન. - તે ચારે ગતિ મનુષ્યની કરે, સ્થિતિ ચાર માસની કરે, ઘાત કરે સાધુપણાની. ૧૩ સંજ્વલનનો ક્રોધ – તે ભરતીથી થતાં પાણી મળે લીંટી સમાન. ૧૪ સંજ્વલનનું માન - તે નેતરના સ્તંભ સમાન. ૧૫ સંજ્વલનની માયા - તે વાંસની છોઈ સમાન. ૧૬ સંજ્વલનનો લોભ – તે પતંગ તથા હલદરના રંગ સમાન. એ ચારે ગતિ દેવની કરે, સ્થિતિ પંદર દિવસની કરે, ઘાત કરે યથાખ્યાત ચારિત્રની. નોકષાય ચારિત્ર મોહનીયની નવ પ્રકૃતિ છે. ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ, ૪. ભય, ૫. શોક, ૬. દુગંછા, ૭. સ્ત્રીવેદ, Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી આઠ કર્મની પ્રકૃતિ ૧૩૩ ૮. પુરૂષવેદ, ૯. નપુંસકવેદ, કુલ ૧૬ + ૯ = ૨૫ ને દર્શન મોહનીયની ૩ પ્રકૃતિ મળી કુલ ૨૮ પ્રકૃતિ થઈ. મોહનીય કર્મ છ પ્રકારે બાંધે. ૧ તીવ્ર ક્રોધ, ૨ તીવ્ર માન, ૩ તીવ્ર માયા, ૪ તીવ્ર લોભ, ૫ તીવ્ર દર્શન મોહનીય, ૬ તીવ્ર ચારિત્ર મોહનીય. મોહનીય કર્મ પાંચ પ્રકારે ભોગવે. ૧ સમ્યક્ત્વ મોહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, ૩ સમ્યક્ત્વ મિથ્યાત્વ મોહનીય, ૪ કષાય ચારિત્ર મોહનીય, ૫ નોકષાય ચારિત્ર મોહનીય. મોહનીય કર્મની સ્થિતિ જ. અંતર્મુહૂર્તની ઉં. ૭૦ ક્રોડાકોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંત. ઉ. સાત હજાર વર્ષનો. આયુષ્ય કર્મનો વિસ્તાર. ૫. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ તે, ૧ ના૨કીનું આયુષ્ય, ૨ તિર્યંચનું આયુષ્ય, ૩ મનુષ્યનું આયુષ્ય, ૪ દેવનું આયુષ્ય. આયુષ્ય કર્મ સોળ પ્રકારે બાંધે છે. ન૨કનું આયુષ્ય ચાર પ્રકા૨ે બાંધે - ૧ મહા આરંભ, ૨ મહા પરિગ્રહ, ૩ કુણિમ આહા૨ (મઘ માંસનું સેવન), ૪. પંચેન્દ્રિય જીવોનો વધ. તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે – ૧ માયા સહિત અલિક (જૂઠ), ૨ નિવડ માયા અલિક, ૩ અલિક વચન, ૪ ખોટાં તોલ ખોટાં માપ. મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે – ૧ ભદ્ર પ્રકૃતિ, ૨ વિનય પ્રકૃતિ, ૩ સાનુક્રોશ, ૪ અમત્સર.’ # દેવતાનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે – ૧ સરાગ સંયમ, ૨ સંયમાસંયમ, ૩ બાલ તપકર્મ, ૪ અકામ નિર્જરાં. એવં કુલ સોળ. આયુષ્ય કર્મ ચાર પ્રકારે ભોગવે. ૧ ના૨કી, ના૨કીનું ભોગવે, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૨ તિર્યંચ, તિર્યંચનું ભોગવે, ૩ મનુષ્ય, મનુષ્યનું ભોગવે, ૪ દેવ, દેવનું ભોગવે. આયુષ્ય કર્મની સ્થિતિ : નારકી અને દેવની સ્થિતિ જ. દશ હજાર વર્ષ, ઉ. ૩૩ સાગ૨ ને પૂર્વ ક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક. મનુષ્ય અને તિર્યંચની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત . ૩ પલ્યને પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક. દ. નામ કર્મનો વિસ્તાર. નામ કર્મના બે ભેદ, ૧ શુભ નામ, ૨ અશુભ નામ. શુભ નામ કર્મની ૯૩ પ્રકૃતિ, તેના થોક ૪૨. ૧ ગતિ નામ, ૨ જાતિ નામ, ૩ શરીર નામ, ૪ શરીર અંગોપાંગ નામ, ૫ શરીર બંધન નામ, ૬ શ૨ી૨ સંઘાતન નામ, ૭ સંઘયણ નામ, ૮ સંસ્થાન નામ, ૯ વર્ણ નામ, ૧૦ ગંધ નામ, ૧૧ ૨સ નામ, ૧૨ સ્પર્શ નામ, ૧૩ અનુપૂર્વી નામ, ૧૪ વિહાયગતિ નામ, ૧૫ અગુરુલઘુ નામ, ૧૬ ઉપઘાત નામ, ૧૭ ૫૨ાઘાત નામ, ૧૮ ઉચ્છવાસ નામ, ૧૯ ઉદ્યોત નામ, ૨૦ આતાપ નામ, ૨૧ તીર્થંક૨ નામ, ૨૨ નિર્માણ નામ, ૨૩ ત્રસ નામ, ૨૪ બાદ૨ નામ, ૨૫ પર્યાપ્ત નામ, ૨૬ પ્રત્યેક નામ, ૨૭ સ્થિર નામ, ૨૮ શુભ નામ, ૨૯ સૌભાગ્ય નામ, ૩૦ સુસ્વર નામ, ૩૧ આદેય નામ, ૩૨ યશોકીર્તિ નામ, ૩૩ સ્થાવર નામ, ૩૪ સૂક્ષ્મ નામ, ૩૫ અપર્યાપ્ત નામ, ૩૬ સાધારણ નામ, ૩૭ અસ્થિર નામ, ૩૮ અશુભ નામ, ૩૯ દુર્ભાગ્ય નામ, ૪૦ દુ:સ્વ૨ નામ, ૪૧ અનાદેય નામ, ૪૨ અયશોકીર્તિ નામ. ૪૨ થોકની ૯૩ પ્રકૃતિ ૧ ગતિ નામના ચાર ભેદ ૧ નરકની ગતિ, ૨ તિર્યંચની Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી આઠ કર્મની પ્રકૃતિ પર વરૂપો ગતિ, ૩ મનુષ્યની ગતિ, ૪ દેવની ગતિ. (૪) ર જાતિ નામના પાંચ ભેદ -- ૧ એકેન્દ્રિયની જાતિ, ર બેઇન્દ્રિયની જાતિ, ૩ તે ઇન્દ્રિયની જાતિ, ૪ ચૌરેન્દ્રિયની જાતિ, ૫ પંચેન્દ્રિયની જાતિ. (૯) 3 શરીર નામના પાંચ ભેદ – ૧ દારિક શરીર, ર વૈક્રિય શરીર, ૩ આહારક શરીર, ૪ તેજસ શરીર, ૫ કાર્પણ શરીર. (૧૪) ૪ શરીર અંગોપાંગના ત્રણ ભેદ – ૧ ઔદારિક શરીર અંગોપાંગ, ૨ વૈક્રિય શરીર અંગોપાંગ, ૩ આહારક શરીર અંગોપાંગ. (૧૭) ૫ શરીર બંધન નામના પાંચ ભેદ – ૧ ઔદારિક શરીર બંધન, ર વૈક્રિય શરીર બંધન, ૩ આહારક શરીર બંધન, ૪ તૈજસ શરીર બંધન, ૫ કાર્પણ શરીર બંધન. (૨૨) ૬ શરીર સંઘાતન નામના પાંચ ભેદ – ૧ ઔદારિક શરીર સંઘાતન, ૨ વૈક્રિય શરીર સંઘાતન, ૩ આહારક શરીર સંઘાતન, ૪ તેજસ શરીર સંઘાતન, પ કાર્મણ શરીર સંઘાતન. (૨૭) - ૭ સંઘયણ (સંહનન) નામના છ ભેદ – ૧ વજઋષભનારાચ સંઘયણ, ર ઋષભનારા સંઘયણ, ૩ નારાજી સંઘયણ, ૪ અર્ધનારાચ સંઘયણ, ૫ કીલિકા સંઘયણ, ૬ સેવાર્તા સંઘયણ. (૩૩) ૮ સંસ્થાન નામના છ ભેદ – ૧ સમચતુસ્ત્ર સંસ્થાન, ર ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન, ૩ સાદિ સંસ્થાન, ૪ કુજ સંસ્થાન, ૫ વામન સંસ્થાન, દ હૂંડ સંસ્થાન. (૩૯). ૯ વર્ણના પાંચ ભેદ – ૧ કાળો, ર નીલ, ૩રાત, ૪ પીળો, ૫ ધોળો. (૪૪). Page #155 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૧૩૬ પિશ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૦ ગંધના બે ભેદ – ૧ સુરભિ ગંધ, ર દુરભિગંધ. (૪૬) ૧૧ રસના પાંચ ભેદ – ૧ તીખો, ૨ કડવો, ૩ તૂરો, ૪ ખાટો, ૫ મીઠો. (૫૧) ૧૨ સ્પર્શના આઠ ભેદ – ૧ સુંવાળો, ૨ કર્કશ, ૩ હળવો, ૪ ભારે, ૫ ઉન્હો, ૬ ટાઢો, ૭ લુખો, ૮ ચોપડયો. (૫૯). ૧૩ અનુપૂર્વીના ચાર ભેદ – ૧ નારકીની અનુપૂવી. ર તિર્યંચની અનુપૂર્વી. ૩ મનુષ્યની અનુપૂર્વી. ૪ દેવની અનુપૂર્વી. (૬૩). ૧૪ વિહાય ગતિ નામના બે ભેદ – ૧ પ્રશસ્ત વિહાયગતિ તે ગંધ હસ્તીની પેઠે શુભ ચાલવાની ગતિ, ર અપ્રશસ્ત વિહાય ગતિ – તે ઊંટની પેઠે અશુભ ચાલવાની ગતિ .(૬૫) ૬૬ અગુરુલઘુ નામ, ૬૭ ઉપઘાત નામ, ૬૮ પરાઘાત નામ, ૬૯ ઉચ્છવાસ નામ, ૭૦ ઉદ્યોત નામ, ૭૧ આતાપ નામ, ૭૨ તીર્થકર નામ, ૭૩ નિર્માણ નામ, ૪ ત્રસ નામ, ૭૫ બાદર નામ, ૭૬ પર્યાપ્ત નામ, 9 પ્રત્યેક નામ, કૃ૮ સ્થિર નામ, ૭૯ શુભ નામ, ૮૦ સૌભાગ્ય નામ, ૮૧ સુસ્વર નામ, ૮૨ આદેય નામ, ૮૩ યશકીર્તિ નામ, ૮૪ સ્થાવર નામ, ૮૫ સૂક્ષ્મ નામ, ૮૬ અપર્યાપ્ત નામ, ૮૭ સાધારણ નામ, ૮૮ અસ્થિર નામ, ૮૯ અશુભ નામ ૯૦ દુર્ભાગ્ય નામ, ૯૧ દુઃસ્વર નામ, ૯૨ અનાદેય નામ, ૯૩ અશોકીર્તિ નામ. ૯૩ પ્રકૃતિ સંપૂર્ણ. નામ કર્મ આઠ પ્રકારે બાંધે. શુભ નામ કર્મ ચાર પ્રકારે બાંધે. ૧. કાયાની સરલતા તે કાયાના યોગ સારા પ્રવર્તાવ, ૨ ભાષાની સરલતા તે વચનના યોગ સારા પ્રવર્તાવે, 3 ભાવની સરલતા તે મનના યોગ સારા પ્રવર્તાવ, . ૮ ( Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી આઠ કર્મની પ્રકૃતિ ૪ અકલેશકારી પ્રવર્તન તે ખોટા ઝગડા, વિવાદ ન કરે. અશુભનામ કર્મ ચાર પ્રકારે બાંધે. ૧ કાયાની વક્રતા, ૨ ભાષાની વક્રતા, 3 ભાવની વક્રતા, ૪ કલેશકારી પ્રવર્તન. નામ કર્મ ૨૮ પ્રકારે ભોગવે. શુભ નામ કર્મ ૧૪ પ્રકારે ભોગવે અને અશુભનામ કર્મ ૧૪ પ્રકારે ભોગવે. શુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવે. ૧ ઈષ્ટ શબ્દ, ૨ ઈષ્ટ રૂપ, ૩ ઈષ્ટ ગંધ, ૪ ઈષ્ટ રસ, ૫ ઈષ્ટ સ્પર્શ, ૬ ઈષ્ટ ગતિ, ૭ ઈષ્ટ સ્થિતિ, ૮ ઈષ્ટ લાવણ્ય, ૯ ઈષ્ટ યશકીર્તિ, ૧૦ ઈષ્ટ ઉત્થાન, કર્મ, બલવીર્ય, પુરૂષાકાર પરાક્રમ, ૧૧ ઈષ્ટ સ્વર, ૧૨ કાંત સ્વર, ૧૩ પ્રિય સ્વર, ૧૪ મનોજ્ઞ સ્વર. અશુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવે. ૧ અનિષ્ટ શબ્દ, ૨ અનિષ્ટ રૂપ, ૩ અનિષ્ટ ગંધ, ૪ અનિષ્ટ રસ, ૫ અનિષ્ટ સ્પર્શ, દ અનિષ્ટ ગતિ, ૭ અનિષ્ટ સ્થિતિ, ૮ અનિષ્ટ લાવણ્ય, ૯ અનિષ્ટ યશકીર્તિ, ૧૦ અનિષ્ટ ઉત્થાન, કર્મ, બલવીર્ય, પુરૂષાકાર પરાક્રમ, ૧૧ હીણ સ્વર, ૧ર દીન સ્વર, ૧૩ અનિષ્ટ સ્વર, ૧૪ અકાન્ત સ્વર. નામ કર્મની સ્થિતિ જ. આઠ મુહૂર્ત, ઉ. ૨૦ ક્રોડાકોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતમુહૂર્ત, 3. બે હજાર વર્ષનો. ૭ ગોત્ર કર્મનો વિસ્તાર ગોત્ર કર્મના બે ભેદ, ૧ ઊંચ ગોત્ર, ૨ નીચ ગોત્ર. ગોત્ર કર્મની સોળ પ્રકૃતિ, તેમાં ઊંચ ગોત્રની આઠ પ્રકૃતિ, નીચ ગોત્રની આઠ પ્રકૃતિ. ઊંચ ગોત્રની આઠ પ્રકૃતિ: ૧ જાતિ વિશિષ્ટ, ર કુળ વિશિષ્ટ, ૩ બળ વિશિષ્ટ, ૪ રૂપ વિશિષ્ટ, પ તપ વિશિષ્ટ, ૬ સૂત્ર વિશિષ્ટ, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮) િશ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૭ લાભ વિશિષ્ટ, ૮ ઐશ્ચર્ય વિશિષ્ટ. - નીચ ગોત્રની આઠ પ્રકૃતિ: ૧ જાતિ વિહીન, ૨ કુળ વિહીન, ૩ બળ વિહીન, ૪ રૂપ વિહીન, ૫ તપ વિહીન, ૬ સૂત્ર વિહીન, ૭ લાભ વિહીન, ૮ એશ્ચર્ય વિહીન. ગોત્ર કર્મ સોળ પ્રકારે બાંધે. તેમાં ઊંચ ગોત્ર આઠ પ્રકારે અને નીચ ગોત્ર આઠ પ્રકારે બાંધે. ઊંચ ગોત્ર આઠ પ્રકારે બાંધે. ૧ જાતિ અમદ, ૨ કુળ અમદ, ૩ બળ અમદ, ૪ રૂ૫ અમદ, પ તપ અમદ, ૬ સૂત્ર અમદ, ૭ લાભ અમદ, ૮ ઐશ્ચર્ય અમદ. - નીચ ગોત્ર આઠ પ્રકારે બાંધે. ૧ જાતિમદ, ૨ કુળમદ,3 બળ મદ, ૪ રૂપમદ, ૫ તપમદ, ૬ સૂત્રમદ, ૭ લાભમદ, ૮ ઐશ્ચર્યમદ. ગોત્ર કર્મ સોળ પ્રકારે ભોગવે, તેમાં ઊંચ ગોત્ર આઠ પ્રકારે અને નીચ ગોત્ર આઠ પ્રકારે ભોગવે. તે જે પ્રમાણે ઊંચ ગોત્ર તથા નીચ ગોત્રની આઠ આઠ પ્રકૃતિ છે તે જ આઠ આઠ પ્રકારે ભોગવે. ગોત્ર કર્મની સ્થિતિ જ. આઠ મુહૂર્ત, ઉ. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતર્મુહૂર્ત, ઉ. બે હજાર વર્ષનો. ૮. અંતરાય કર્મનો વિસ્તાર. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ: ૧ દાનાંતરાય, ર લાભાંતરાય, ૩ ભોગાંતરાય, ૪ ઉપભોગાંતરાય, ૫ વીયતરાય. અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધે, પાંચ પ્રકારે ભોગવે તે ઉપર પ્રમાણે. અંતરાય ર્મની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. ૩૦ ક્રોડાકોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતર્મુહૂર્ત, ઉ. ત્રણ હજાર વર્ષનો. * ઇતિ શ્રી આંઠ કર્મની પ્રકૃતિ. Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગતાગતિ - - - - ( ૩િ . ગતાગતિ) પન્નવણા પદ ૬ ગાથા બારસ, ચકવીસાઈ, સંતર એગસમય કત્તા ય ! વિટ્ટણ, પરભવ આઉર્ય, ચ અ વ આગરિસા આઠ દ્વારના નામ : ૧ બારસ કાર, ૨ ચઉવીસ દ્વાર, ૩ સદંતર નિરંતર દ્વાર, ૪ એક સમય દ્વાર (ઉપજે, ચવે), ૫ કત્તા (ક્યાંથી આવે ?) દ્વાર, ૬ ઉદ્વર્તન દ્વાર (ચવીને ક્યાં જાય ?), ૭ આયુષ્ય દ્વાર, ૮ આકર્ષ દ્વાર. ૧. બારસ દ્વાર – નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ, એ ચાર ગતિમાં ઉત્પન્ન થવાનું તથા ચવવાનું અંતર પડે તો જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનું અંતર પડે. સિદ્ધગતિમાં અંતર પડે તો જિઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસનું. ત્યાંથી ચવવાનું નથી. ૨ ચકવીસ દ્વાર તથા વિરહ પદ – | વિરહ પદનું નામ | જઘન્ય વિરહ ! ઉત્કૃષ્ટ વિરહ | પહેલી નરકે અંતર પડે તો ૧ સમય ૨૪ મુહૂર્તનું - બીજી નરકે ૧ સમય ૭ દિવસનું ત્રીજી નરકે ૧ સમય ૧૫ દિવસનું ચોથી નરકે ૧ સમય એક માસનું પાંચમી નરકે ૧ સમય બે માસનું છઠ્ઠી નરકે ૧ સમય ચાર માસનું સાતમી નરકે : " ૧ સમય | છ માસનું Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - શ્રી બ્રહઃ જૈન થોક સંગ્રહ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, ૧, ૨ દેવલોકસુધી અંતર પડે તો ૧ સમય | ૨૪ મુહુર્તનું ત્રીજે દેવલોક અંતર પડે .. ૧ સમય ૯ દિવસ, ૨૦ મુહૂર્તનું ચોથે દેવલોકે " ૧ સમય ૧૨ દિવસ, ૧૦ મુહૂર્તનું પાંચમે દેવલોકે " ૧ સમય સાડી બાવીસ દિવસનું છકે દેવલોકે " ૧ સમય ૪૫ દિવસનું સાતમે દેવલોકે " ૧ સમય ૮૦ દિવસનું આઠમે દેવલોકે " ૧ સમય ૧૦૦ દિવસનું નવમે દસમે દેવલોકે " ૧ સમય સંખ્યાતા માસનું (એક વર્ષની અંદરનું) ૧૧, ૧૨ મે દેવલોક " ૧૧ સમય સંખ્યાતા વર્ષનું (સો વર્ષની અંદર) રૈવેયક પ્રથમ ત્રિકમાં " | સમય [ સંખ્યાતા સો વર્ષનું એક હજાર વર્ષની અંદર) રૈવેયક બીજી ત્રિકમાં " ૧ સમય | સંખ્યાતા હજાર વર્ષનું (એક લાખ વર્ષની અંદર) રૈવેયક ત્રીજી ત્રિકમાં " |૧ સમય | સંખ્યાતા લાખ વર્ષનું (પલ્યના અસં.મા ભાગની અંદર) ચાર અનુત્તર વિમાને " |૧ સમય | પલ્યના અસં.મા ભાગનું (પત્યના સામા ભાગની અંદર) પાંચમાં અનુત્તર વિમાને " ૧ સમય પલ્યના સં.મા ભાગનું પાંચે એકેન્દ્રિયમાં અંતર નથી. ત્રણ વિકસેન્દ્રિય ને તિર્યંચા, સંમૂર્છાિમમાં અંતર પડે તો ૧ સમય | અંતર્મુહૂર્તનું For Private & Personal use only . Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગતાગતિ તિર્યંચ ગર્ભજ અને મનુષ્ય ગર્ભજમાં અંત૨ પડે તો મનુષ્ય સંમૂર્છિમમાં ૧ સમય ૧ સમય ૧ સમય ૬ માસનું સિદ્ધમાં અંતર પડે તો એમ જ સિદ્ધ વર્જીને ચવવાનું ઉત્પન્ન વિરહની જેમ જાણવું. વિશેષ વિરહ પદનાં આધારે – ભરત ક્ષેત્રમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનો વિ૨હ પડે તો જ. ૬૩,૦૦૦ વર્ષનો, અરિહંતનો ૪.૮૪,૦૦૦ વર્ષનો, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવનો જ. ૨,૫૨,૦૦૦ વર્ષનો, ઉત્કૃષ્ટ દેશે ઊણો ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમનો વિરહ પડે. સમ્યક્ત્વીનો ઉ. ૭ દિવસનો, નવીન શ્રાવકનો ઉ. ૧૨ દિવસનો, નવીન સાધુનો ઉ. ૧૫ દિવસનો. ઇતિ બીજો દ્વાર. ૩. સઅંતર નિરંતર દ્વા૨ – સઅંતર કહેતાં અંતર સહિત, નિરંતર કહેતાં અંતર રહિત ઉપજે તે. પાંચ એકેન્દ્રિયના પાંચ દંડક વર્જીને, બાકી ૧૯ દંડક તથા સિદ્ધમાં સઅંતર તથા નિરંતર ઉપજે. પાંચ એકેન્દ્રિયના પાંચ દંડકમાં નિરંતર ઉપજે. એમજ ઉર્તન (ચવવાનું) પણ સિદ્ધને વર્જી સર્વને જાણવું. ઇતિ ત્રીજો દ્વાર. ૪. એક સમયમાં જે બોલમાં જેટલા ઉપજે તથા ચવે તે દ્વાર '' ૧૪૧ બાર મુહૂર્તનું ૨૪ મુહૂર્તનું સાત ના૨કી (૭), દશ ભવનપતિ (૧૭), વાણવ્યંતર (૧૮), જયોતિષી (૧૯), પહેલાથી આઠ દેવલોક (૨૭), ત્રણ વિકલેન્દ્રિય (૩૦), તિર્યંચ સંમૂર્ચ્છમ (૩૧), તિર્યંચ ગર્ભજ (૩૨), મનુષ્ય સંમૂર્ચ્છમ (૩૩). એ તેત્રીસ બોલમાં એક સમયમાં જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ ઉપજે તો સંખ્યાતા તથા અસંખ્યાતા ઉપજે. નવ થી બાર દેવલોક (૪), નવ ગૈવેયક (૧૩), પાંચ અનુત્તર Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ વિમાન (૧૮), મનુષ્ય ગર્ભજ (૧૯), એ ૧૯ બોલમાં જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, એ ચાર એકેન્દ્રિયમાં સમયે સમયે અસંખ્યાતા ઉપજે. વનસ્પતિમાં, સમયે સમયે સંખ્યાતા, અસંખ્યાતા અને (યથાસ્થાને) અનંતા ઉપજે. સિદ્ધમાં એક સમયે જ. ૧, ૨, ૩, ૩. ૧૦૮ ઉત્પન્ન થાય. એમ જ ઉર્તન પણ સિદ્ધ વર્જી સર્વને જાણવું. ઇતિ એક સમયમાં ઉત્પન્ન થવાનો તથા ચવવાનો ચોથો દ્વા૨ સંપૂર્ણ. ૫. કત્તા (ક્યાંથી આવે? – આગતિ), છઠ્ઠો ઉર્તન (ચવીને ક્યાં જાય? – ગતિ), તે બન્ને દ્વાર ભેગા – ૫૬૩ માંહેના જે જે બોલનો આવીને ઉત્પન્ન થાય તે. ૧. પહેલી ન૨કે – આગતિ ૨૫ બોલની – ૧૫ કર્મભૂમિ, પાંચ સંશી તિર્યંચ, પાંચ અસંજ્ઞી તિર્યંચના પર્યાપ્તાની. ગતિ ૪૦ બોલની – ૧૫ કર્મભૂમિ, પાંચ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૪૦ બોલની. ૨. બીજી ન૨૩ – આગતિ ૨૦ બોલની – ૧૫ કર્મભૂમિ, પાંચ સંજ્ઞી તિર્યંચના પર્યાપ્તાની. ગતિ ૪૦ બોલની ા પહેલી નરક પ્રમાણે. ૩. ત્રીજી નરકે – આગતિ ૧૯ બોલની – બીજી ન૨કમાં જે વીસ બોલની આગતિ છે તેમાંથી એક ભુજપરિસર્પનો વર્જીને ૧૯ બોલની. ગતિ ૪૦ બોલની પહેલી નરક પ્રમાણે. * ના૨કી અને દેવતા કાળ ક૨ીને મનુષ્ય કે તિર્યંચમાં જન્મે છે તે અપર્યાપ્ત અવસ્થામાં મરતા નથી. તે અપેક્ષાએ કોઈ માત્ર પર્યાપ્તાના ૨૦ બોલની જ માને છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગતાગતિ ED૧૪૩ ૪. ચોથી નરકે – આગતિ ૧૮ બોલની –- બીજી નરકમાં જે વીસ બોલની આગતિ છે તેમાંથી ૧ ભુજપરિસર્પ, ર ખેચ રનો વજીને ૧૮ બોલની. ગતિ ૪૦ બોલની પહેલી નરક પ્રમાણે. - પ. પાંચમી નરકે – આગતિ ૧૭ બોલની – બીજી નરકમાં જે વીસ બોલની આગતિ છે તેમાંથી ૧ ભુજપરિસર્પ, ૨ ખેચર, ૩ સ્થળચર એ ત્રણ વર્જીને ૧૭ બોલની. ગતિ ૪૦ બોલની પહેલી નરક પ્રમાણે. ૬. છઠ્ઠી નરકે – આગતિ ૧૬ બોલની – બીજી નરકમાં જે વીસ બોલની આગતિ છે તેમાંથી ૧ ભુજપરિસર્પ, ૨ ખેચર, 3 સ્થળચર, ૪ ઉરપરિસર્પ એ ચાર વજીને ૧૬ બોલની. ગતિ ૪૦ બોલની પહેલી નરક પ્રમાણે. ૭. સાતમી નરકે– આગતિ ૧૬ બોલની – ૧૫ કર્મભૂમિના અને ૧ જળચરના પર્યાપ્તા (સ્ત્રી વજીને). ગતિ ૧૦ બોલની – પાંચ સંજ્ઞી તિર્યંચના અપ. અને પર્યાની. ૮. ૨૫ ભવનપતિ, ૨૬ વાણવ્યંતર (પ૧ જાતિના દેવ) – આગતિ ૧૧૧ બોલની – ૧૦૧ સંજ્ઞી મનુષ્ય, પ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૫ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય તે ૧૧૧ ના પર્યાપ્તાની. ગતિ ૪૬ બોલની – ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૨૧ બાદર પૃથ્વી, ૨૨ બાદર પાણી અને ૨૩ પ્રત્યેક વનસ્પતિ એમ ૨૩ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ૪૬ ની. ૯. જ્યોતિષી અને પહેલા દેવલોકે – આગતિ ૫૦ બોલની - ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ એવં ૫૦ ના પર્યાપ્તાની. ગતિ ૪૬ બોલની -- તે ભવનપતિ પ્રમાણે. ૧૦. બીજા દેવલોકે – આગતિ ૪૦ ભેદની – ૧૫ કર્મભૂમિ, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૫ સંજ્ઞી તિર્યંચ, ૨૦ અકર્મભૂમિ (૫ હેમવય, ૫ હિરણ્યવય વર્જીને) ના પર્યાપ્તા એ ૪૦ ની. ગતિ ૪૬ ભેદની – તે ભવનપતિ પ્રમાણે. ૧૧. પ્રથમ કિલ્વિષીદેવમાં -- આગતિ ૩૦ બોલની -- ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, ૫ દેવકુરૂ, ૫ ઉત્ત૨ કુરૂ એ ત્રીસના પર્યાપ્તાની. ગતિ ૪૬ બોલની તે ભવનપતિ પ્રમાણે. ૧૨. ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધીના, નવ જાતિના લોકાંતિકના, બીજા ત્રીજા કિલ્વિષીના દેવમાં – આગતિ ૨૦ બોલની -- ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચના પર્યામાની. ગતિ ૪૦ બોલની તે ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ ના અપર્યામા અને પર્યાપ્તાની. ૧૩. ૯ થી ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર વિમાન એ ૧૮ દેવની – આગતિ ૧૫ બોલની તે ૧૫ કર્મભૂમિના પર્યાપ્તાની. ગતિ ૩૦ બોલની, તે ૧૫ કર્મભૂમિના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૧૪. પૃથ્વી, પાણી, વનસ્પતિ – આગતિ ૨૪૩ બોલની. ૧૦૧ સંમૂર્છિમ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ કર્મભૂમિના મનુષ્યના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૩૦, તિર્યંચના ૪૮, ૬૪ જાતિના દેવતા (૨૫ ભવનપતિ, ૨૬ વાણવ્યંત૨, ૧૦ જ્યોતિષી, પહેલું કિલ્વિષી, પહેલું, બીજું દેવલોક)ના પર્યાપ્તા એમ ૨૪૩. ગતિ ૧૭૯ બોલની ૧૦૧ અસંજ્ઞી સંમૂર્ચ્છમ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ કર્મભૂમિના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ ૩૦, ૪૮ જાતિના તિર્યંચ એવું ૧૭૯ બોલની.(આ ૧૭૯ બોલને લટ કહે છે) ૧૫. તેઉ, વાયુની – આગતિ ૧૭૯ બોલની તે ઉ૫૨ પ્રમાણે. ગતિ ૪૮ બોલની, તે ૪૮ જાતિના તિર્યંચની. ૧૬. ત્રણ વિકલેન્દ્રિયની – આગતિ અને ગતિ બંને ૧૭૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ કિમી ૧૪૫ શ્રી ગતાગતિ બોલની ઉપર પ્રમાણે છે. ૧૭. અસંશી તિર્યંચની – આગતિ ૧૭૯ બોલની – ૧૦૧ સંમૂર્છાિમ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ કર્મભૂમિના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ ૩૦, ૪૮ તિર્યચ. ગતિ ૩૯૫ બોલની – પદ અંતરદ્વીપ, ૫૧ જાતિના દેવ, પહેલી નરક એમ ૧૦૮ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૨૧૬ તથા૧૭૯ ઉપર કહ્યા છે તે મળીને ૩૯૫. ૧૮. સંશી તિર્યંચ – આગતિ ૨૬૭ ભેદની. ૯૯ જાતિના દેવમાંથી નવ થી બાર દેવલોક, એ ૪, ૯ નૈવેયક, પાંચ અનુત્તર વિમાનના ૧૮ વર્જીને ૮૧ના પર્યાપ્તા, ૧૭૯ બોલ ઉપર પ્રમાણે, ૭ નરકના પર્યાપ્તા. એમ ૨૬૭. ગતિ પાંચેની જુદી જુદી. ૧. જળચરની પ૨૭ બોલની - તે પ૬૩ ભેદમાંથી નવમા દેવલોકથી પાંચમા અનુ. વિમાન સુધીના ૧૮ જાતિના દેવતા અપર્યાપ્ત અને પર્યાપ્ત એવું ૩૬ બોલ બાદ કરતાં બાકીના પર૭ બોલની. ૨. ઉરપરિસર્પની પર૩ બોલની – ઉપર પર૭ કહ્યા તેમાંથી છઠ્ઠી અને સાતમી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્યા બાદ કરતા પર૩. ૩. સ્થળચરની પર૧ બોલની – ઉપર પ૨૩ કહ્યા તેમાંથી પાંચમી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ બે બાદ કરતાં પર૧ની. ૪. ખેચરની ૫૧૯ બોલની – પર૧ માંથી ચોથી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્યા બાદ કરતા પ૧૯ બોલની. - પ. ભુજપરિસર્પની પ૧૭ બોલની – ૫૧૯ બોલમાંથી ત્રીજી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્યા બાદ કરતા ૫૧૭ બોલની. ૧૯. અસંશી (સંમૂચ્છિમ) મનુષ્યની – આગતિ ૧૭૧ બોલની -- તે ૧૭૯ બોલ ઉપર કહ્યા છે તેમાંથી તેલું, વાયુના ૮ વર્જીને ૧૭૧ ની. -10. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ગતિ ૧૭૯ બોલની તે ઉ૫૨ કહ્યા છે તે પ્રમાણે ૧૭૯ ની. ૨૦. પંદર કર્મભૂમિના સંશી મનુષ્યની - આગતિ ૨૭૬ બોલની – તે ૧૭૯ બોલ ઉપર કહ્યા છે તેમાંથી તેઉ, વાયુના ૮ વર્જીને ૧૭૧, ૯૯ જાતિના દેવ તથા ૧ થી ૬ ન૨ક સુધી, એવં ૨૭૬ ની. ગતિ ૫૬૩ બોલની તથા મોક્ષની. ૨૧. ત્રીસ અકર્મભૂમિના સંશી મનુષ્યની – આગતિ ૨૦ બોલની તે ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ પર્યાપ્તાની. ગતિ જુદી જુદી તે નીચે પ્રમાણે ૧. પાંચ દેવકુરૂ, પાંચ ઉત્ત૨કુરૂ, એ દશ ક્ષેત્રના જુગલીયાની ૧૨૮ બોલની, તે ૬૪ જાતિના દેવના અપર્યાપ્તા ને પર્યાપ્તા ૧૨૮ની. ૨. પાંચ હરિવાસ, પાંચ રમ્યાસ, એ દશ ક્ષેત્રના જુગલીયાની ૧૨૬ બોલની, તે ઉ૫૨ના ૧૨૮ બોલમાંથી પહેલા કિલ્ટિષીના અપર્યાપ્તા ને પર્યાપ્તા બાદ ક૨ીને ૧૨૬ ની. ૩. પાંચ હેમવય, પાંચ હિરણ્યવય, એ દશ ક્ષેત્રના જુગલીયાની ૧૨૪ બોલની, તે ઉ૫૨ના ૧૨૬ બોલમાંથી બીજા દેવલોકના અપર્યાપ્તા ને પર્યાપ્તા બાદ ક૨ીને ૧૨૪ ની. – ૨૨. છપ્પન અંતરદ્વીપનાં જુગલીયા – આગતિ ૨૫ બોલની – ૧૫ કર્મભૂમિ, ૫ સંશી તિર્યંચ અને ૫ અસંશી તિર્યંચ એમ ૨૫ પર્યાપ્તાની. ગતિ ૧૦૨ બોલની તે ૨૫ ભવનપતિ, ૨૬ વાણવ્યંત૨ એ ૫૧ જાતિના દેવોના અપર્યાપ્તા, પર્યાપ્તા ૧૦૨ બોલની. એ ૨૨ બોલ સંપૂર્ણ. એ ૨૨ બોલમાં ૨૪ દંડકની ગતાગતિ કહી. 5 Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગતાગતિ ૧૪૭ ૯ ઉત્તમ પદવીધ૨,૧ મિથ્યાત્વી, ૩ વેદ એ ૧૩ બોલની ગતાગતિ ૧. તીર્થંકર – આગતિ ૩૮ બોલની – તે વૈમાનિકના ૩૫ ww ભેદ અને પહેલેથી ત્રણ નરક એ ૩૮ ના પર્યાપ્તાની. ગતિ એક મોક્ષની. । ૨. ચક્રવર્તીની આગતિ ૮૨ બોલની – ૯૯ જાતિના દેવમાંથી ૧૫ ૫૨માધામી, ૩ કિલ્વિષી એ ૧૮ બાદ કરતાં બાકીની ૮૧ ને પહેલી ન૨ક, કુલ ૮૨ ના પર્યાપ્તાની. - ગતિ ૧૪ બોલની – તે સાત ન૨કના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ ૧૪ ની. (જો તે દીક્ષા લે તો દેવની કે મોક્ષની). { ૩. વાસુદેવની – આગતિ ૩૨ બોલની – તે ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ ત્રૈવેયક, ને પહેલી, બીજી ન૨ક કુલ, ૩૨ ના પર્યામાની. ગતિ ૧૪ બોલની, તે સાત નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ૧૪. ૪. બળદેવની – આગતિ ૮૩ બોલની – ૮૧ જાતિના દેવ (૧૫ ૫૨માધામી, ૩ કિલ્વિષી વર્જીને), પ્રથમ બે નરકના પર્યાપ્તા એ ૮૩. ગતિ ૭૦ બોલની – ૩૫ વૈમાનિક દેવના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ૭૦ બોલની અથવા મોક્ષની. (સાધુની ગત પ્રમાણે) - - ૫. કેવળીની – આગતિ ૧૦૮ બોલની – ૯૯ જાતિના દેવતામાંથી ૧૫ ૫૨માધામી અને ૩ કિલ્વેિષી વર્જીને ૮૧, ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, પ્રથમ ૪ ના૨કી, પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ૧૦૮ ના પર્યાપ્તાની. ગતિ મોક્ષની. ૬. સાધુની– આગતિ ૨૭૫ બોલની - ૧૭૯ ની લટમાંથી તેઉ, વાયુના ૮ વર્ઝને ૧૭૧, ૯૯ દેવના પર્યાપ્તા, પ્રથમની પાંચ નરકના પર્યાપ્તા મળીને ૨૭૫. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગતિ ૭૦ બોલની – ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ રૈવયક, ૫ અનુત્તર વિમાન એ ૩૫ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ૭૦ બોલની અથવા મોક્ષની. ૭. શ્રાવકની – આગતિ ૨૭૬ બોલની - તે સાધુની ૨૭૫ ની કહી છે તે, ને છઠ્ઠી નરકના પર્યાપ્તા, એવં ૨૭૬. ગતિ ૪૨ બોલની – ૧૨ દેવલોક અને ૯ લોકાંતિક એ ૨૧ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા ૪ર બોલની. 2 nિબલ ટે ૮. સમ્યકત્વ દ્રષ્ટિની – આગતિ ૩૬૩ બોલની – ૯૯ દેવના પર્યાપ્તા, ૧૦૧ સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા, ૧૦૧ સંમૂર્છાિમ મનુષ્યના અપર્યાપ્તા તથા ૧૫ કર્મભૂમિના મનુષ્યના અપર્યાપ્તા, તિપંચના ૪૮ માંથી તફ, વાયુના ૮ વર્જીને ૪૦, ૭ નરકના પર્યાપ્તા. રેમ ૩૬૩. ગતિ ૨૮૨ બોલની છે તે ૮૧ જાતિના દેવ (૯૯ દેવમાંથી ૧૫ પરમાધામી અને 3 કિલ્વિષી વર્જીને), ૧૫ કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ તથા ૬ નારકી એ ૧૩૭ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા ૨૭૪ તથા ૩ વિકલન્દ્રિય અને અસંસી તિર્યંચના અપર્યાપ્તા એવં ૨૮૨ ભેદની. ૯. માંડલિક રાજાની – આગતિ ૨૭૬ બોલની – શ્રાવકની આગતિ પ્રમાણે. ગતિ પ૩૫ બોલની – પ૬૩ ભેદમાંથી ૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન એ ૧૪ ના અપર્યા. અને પર્યા. ૨૮ બાદ કરતાં ૫૩૫ બોલની. ૧૦. મિથ્યાત્વ દૃષ્ટિની – આગતિ ૩૭૧ બોલની – ૯૯ છે મતાંતરથી ૨૫૮ ભેદની મનાય છે. ૨૮૨ માંથી અકર્મભૂમિનાં ૬૦ બાદ કરી ૧૫ પરમાધામી તથા ૩ કિલ્વિષીના ૩૬ ઉમેરી રમત થાય. પરંતુ ૨૮૨ ની ગણના યોગ્ય લાગે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગતાગતિ ૧૪ જાતિના દેવના પર્યાપ્તા, ૧૭૯ બોલ આગળ કહેલ છે તે, એવું ર૭૮, ૭ નરકના પર્યાપ્તા, ૮૬ જાતિના જુગલીયાના પર્યાપ્તા એવું ૩૭૧ ની. (ત ૧૯ર અમર વર્જીન). ગતિ પપ૩ બોલની – પ૬૩ બોલમાંથી પાંચ અનુત્તર વિમાનના અપર્યાપ્ત ને પર્યાપ્તા એ ૧૦ વર્જીને ૫૫૩ બોલની. ૧૧. સ્ત્રી વેદની – આગતિ ૩૭૧ બોલની – મિથ્યા દૃષ્ટિ પ્રમાણે. ગતિ પ૬૧ બોલની. તે પ૬૩ માંથી ૭મી નરકના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ બે ભેદ વજીને પદ૧ બોલની. ૧૨. પુરુષ વેદની – આગતિ ૩૭૧ બોલની – મિથ્યા દૃષ્ટિ પ્રમાણે. ગતિ પ૬૩ ની. ૧૩. નપુંસક વેદની - આગતિ ૨૮૫ બોલની – ૧૭૯ બોલ આગળ કહ્યા તે, ૯૯ જાતિના દેવતાના પર્યાપ્તા અને નરકના પર્યાપ્તા એમ ૨૮૫ ભેદ, ગતિ પ૬૩ ની. ઇતિ પાંચમો, છઠ્ઠો દ્વાર ૭. આયુષ્ય દ્વાર - આ ભવના આયુષ્યના કેટલાયે ભાગે પરભવના આયુષ્યનો બંધ પડે તે બતાવે છે. દશ દારિકના દંડક સાપક્રમી અને નિરૂપક્રમી જાણવા. નારકીનો એક દંડક ને દેવના ૧૩ દંડક, એ ૧૪ દંડક નિરૂપક્રમી જાણ વા. દશ દારિકના દંડક છે, તેમાં જેઓને અસંખ્યાત વર્ષના આયુષ્ય છે, તે નિરૂપક્રમી છે, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા છે તેમાં સોપક્રમી અને નિરૂપક્રમી બન્ને છે. નિરૂપક્રમી તે, નિશ્ચય આયુષ્યને ત્રીજે ભાગે પરભવનું આયુષ્ય Page #169 -------------------------------------------------------------------------- ________________ વિપાસી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ બાંધે. અસંખ્યાત વર્ષના મનુષ્ય, તિર્યંચ તથા નારકી, દેવ, નિરૂપક્રમી છે. તેઓ નિશ્ચય આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધ. સોપક્રમી તે, આયુષ્યને ત્રીજો ભાગે, તેને ત્રીજે ભાગે, છેવટે અંતર્મુહૂર્ત રહે ત્યારે પણ પરભવનું આયુષ્ય બાંધે. પરભવ જતાં જીવ છ બોલ સાથે આયુષ્ય નિદ્રત કરે છે. ૧ જાતિ, ૨ ગતિ, ૩ સ્થિતિ, ૪ અવગાહના, ૫ પ્રદેશ, અને ૬ અનુભાગ. ઈતિ સાતમો દ્વાર ૮આકર્ષ દ્વાર – આકર્ષત તથાવિધ પ્રયત્ન કરી કર્મ પુદ્ગલનું ગ્રહવું, ખેંચવું. જેમ ગાય પાણી પીતાં ભયથી પાછું જુએ, વળી પીએ, તેમ જીવ જાતિ નિદ્ધતાદિ આયુષ્યને જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ આઠ આકર્ષ કરી બાંધે. તે આકર્ષનો અલ્પબદુત્વ. સર્વથી થોડા જીવ આઠ આકર્ષ કરી જાતિ નિદ્ધત્ત આયુષ્યને બાંધનારા, તેથી સાતે કરી બાંધનાર સંખ્યાતગુણા, તેથી છ થી બાંધનાર સંખ્યાતગુણા, તેથી પાંચથી બાંધનાર સંખ્યાતગુણા, તેથી ચારથી બાંધનાર સંખ્યાતગુણા, તેથી ત્રણથી બાંધનાર સંખ્યાતગુણા, તેથી બેથી બાંધનાર સંખ્યાતગુણા, તેથી એકથી બાંધનાર સંખ્યાતગુણા. ઇતિ આઠમો દ્વાર ઇતિ ગતાગતિ. S Ds Eલ દક જ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી છ આ૨ાના ભાવ IST In 11 ણિ ૧૫૧ ૯. છ આરાના ભાવ) જંબુદ્વીપ પન્નતિ વૃક્ષકાર – ૨ દશ ક્રોડાક્રોડી સાગરોપમના છ આરા જાણવા પહેલો આરો પહેલો આરો ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો, સુષમ સુષમ નામે એટલે અતિશય સુંદર જાણવો. એ આરાને વિષે ૩ ગાઉનું શરીર અને ૩પલ્યોપમનું આયુષ્ય જાણવું. ઊતરતા આરે ર ગાઉનું શરીર અને ૨ પલ્યોપમનું આયુષ્ય જાણવું. એ આરાને વિષે શરીરમાં ૨૫૬ પાંસળીઓ અને ઊતરતા આરે ૧૨૮ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે વજઋષભનારા સંઘયણ, ને સમચતુરસ્ત્ર સંસ્થાન જાણવું. એ આરાના વિષે અઠ્ઠમભક્ત (ત્રણ દિવસે) આહારની ઇચ્છા થાય, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ (રસ) સાકર સરખી જાણવી. ઊતરતે આરે જમીનની સરસાઈ (રસ) ખાંડ સરખી જાણવી. એ આરાને વિષે દશ પ્રકારના કલ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે, તે દશ પ્રકારના કલ્પવૃક્ષ પાસે જે ફળ છે તે જ આપે છે. એટલે દશે કલ્પવૃક્ષ મળીને દશ વસ્તુ આપે છે પણ જે મનમાં ચિંતવે તે આપવા સમર્થ નથી. કલ્પવૃક્ષના નામની ગાથા : માંગાય લિંગા, તુડીયગા દીવ જોઈ ચિત્ત ગા ! ચિત્તરસા મણવેગા, ગિહગારા અણિયગણાઉં ! અર્થ:-(૧) મતંગા કહેતા, મધુર રસવાળા ફળનાં કલ્પવૃક્ષ. (૨) ભિંગા કહેતા, રત્નજડાવ ભાજનનાં કલ્પવૃક્ષ. (૩) તુડીયેગા કહેતા, ૪૯ જાતિનાં વાજિંત્રનાં કલ્પવૃક્ષ. (૪) દીવ્ર કહેતા, Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ રત્નજડાવ દીવાનાં કલ્પવૃક્ષ. (૫) જોઈ કહેતા, રત્નજડાવ સૂર્યની જ્યોતિનાં કલ્પવૃક્ષ. (૬) ચિત્તમા કહેતા, ચિત્રામણ સહિત ફૂલની માળાનાં કલ્પવૃક્ષ (૭) ચિત્તરસા કહેતા, ચિત્તને ગમે તેવાં રસવંતા ભોજનનાં કલ્પવૃક્ષ. (૮) મણવેગા કહેતા, રત્નજડાવ આભારણનાં કલ્પવૃક્ષ. (૯) ગિહગારા કહેતા, ૪૨ ભોમિયા આવાસનાં કલ્પવૃક્ષ. (૧૦) અણિયગણાઉ કહેતા, નાકને વાયરે ઊડે એવાં ઝીણાં રત્નજડાવ વસ્ત્રનાં કલ્પવૃક્ષ, એ દશ પ્રકારનાં કલ્પવૃક્ષ જુગલીયાને સુખ આપે. એ આરાને વિષે જુગલીયાને આયુષ્યના છ માસ બાકી રહે તે વખતે જુગલીયા પરભવનું આયુષ્ય બાંધે. ત્યારે જુગલાણી એક જોડું પ્રસવે. તે જોવાની પ્રતિપાલના (આસનાવાસના) ૪૯ દિવસ કરે. જુગલ જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તેમને છીંક, બગાસું કે ઓડકાર આવે ત્યારે મારીને દેવગતિમાં જાય. ગતિ એક દેવની. એ આરાને વિષે ઝેર નહિ, વેર નહિ, ઈર્ષ્યા નહિ, જરા (ઘડપણ) નહિ, રોગ નહિ, કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ ઉપાંગને વિષે સુખ ભોગવે. તે પૂર્વનાં દાન પુણ્યનાં ફળ જાણવાં. પહેલા આરાના ભાવ સંપૂર્ણ. બીજો આરોપ પહેલો આરો ઊતરીને બીજો આરો બેસતાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત ઓછા થાય. બીજો આરો ત્રણ ક્રોડાક્રોડી ૧ જુગલીયાનાં ક્ષેત્રમાં ભૂમિની સ્નિગ્ધતા–સરસતાને કારણે શરીર ગળી જાય છે અથવા ભારણ્ય વિ. પક્ષી ઉઠાવીને સમુદ્ર વગેરેમાં ફેંકી દે છે તેવી ધારણા છે. મરણક્રિયા દેવ કરે છે તે આગમિક નથી. ૨ જુગલીયાનું જેટલું આયુષ્ય મનુષ્ય ગતિમાં હોય છે તેટલું અથવા તેથી થોડુંક ઓછું આયુષ્ય દેવગતિમાં પામે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી છઆરાના ભાવ સાગરોપમનો, એ આરો સુષમ નામે એટલે સુંદર જાણવો. એ આરાને વિષે ર ગાઉનું શરીર અને ૨ પલ્યોપમનું આયુષ્ય જાણવું. ઊતરતા આરે ૧ ગાઉનું શરીર અને ૧ પલ્યોપમનું આયુષ્ય જાણવું. એ આરાને વિષે વજઋષભનારા સંઘયણ, ને સમચતુરસ્ત્ર સંસ્થાન જાણવું. એ આરાને વિષે શરીરમાં ૧૨૮ પાંસળીઓ અને ઊતરતા આરે ૬૪ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે છઠ્ઠ ભક્ત બે દિવસે) આહારની ઇચ્છા થાય, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ ખાંડ સરખી જાણવી. ઊતરતે આરે જમીનની સરસાઈ ગોળ સરખી જાણવી. એ આરાને વિષે દશ પ્રકારના કલ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે, તે ઉપર પહેલા આરામાં કહ્યાં છે તે પ્રમાણે જાણવા. એ આરાને વિષે જુગલીયાને આયુષ્યના છ માસ બાકી રહે તે વખતે જુગલીયા પરભવનું આયુષ્ય બાંધે. ત્યારે જુગલાણી એક જોડું પ્રસવે. તે જોડાની પ્રતિપાલના (આસનાવાસના) ૬૪ દિવસ કરે. જુગલ જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તમને છીંક, બગાસું કે ઓડકાર આવે ત્યારે મરીને દેવગતિમાં જાય. ગતિ એક દેવની. એ આરાને વિષે ઝેર નહિ, વેર નહિ, ઈર્ષ્યા નહિ, જરા (ઘડપણ) નહિ, રોગ નહિ, કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ ઉપાંગને વિષે સુખ ભોગવે. તે પૂર્વનાં દાન પુણ્યનાં ફળ જાણવા. બીજા આરાના ભાવ સંપૂર્ણ ત્રીજો આરો બીજો આરો ઊતરીને ત્રીજો આરો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હણા થાય. ત્રીજો આરો બે કોડાંકોડી સાગરોપમનો, સુષમ દુપમ નામ એટલે સુંદરતા ઘણી અને વિષમતા થોડી. એ આરાને વિષે ૧ ગાઉનું શરીર અને ૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ પલ્યોપમનું આયુષ્ય જાણવું. ઊતરતા આરે પાંચસે ધનુષ્યનું શરીર અને ક્રોડ પૂર્વનું આયુષ્ય જાણવું. એ આ૨ાને વિષે વજ્રૠષભનારાચ સંઘયણ, ને સમચતુરસ્ત સંસ્થાન જાણવું અને ઊતરતે આરે છ સંઘયણ, છ સંસ્થાન જાણવા. એ આરાને વિષે શરીરમાં ૬૪ પાંસળીઓ અને ઊતરતા આરે ૩૨ પાંસળીઓ જાણવી. એ આરાના વિષે ચઉથભક્તે (એક દિવસે) આહારની ઇચ્છા થાય, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ ગોળ સરખી જાણવી. ઊતરતે આરે જમીનની સરસાઈ સારી જાણવી. એ આરાને વિષે દશ પ્રકારના કલ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે, તે ઉપર પહેલા આરામાં કહ્યાં છે તે પ્રમાણે જાણવા. એ આ૨ાને વિષે જુગલીયાને આયુષ્યના છ માસ બાકી રહે તે વખતે જુગલીયા ૫૨ભવનું આયુષ્ય બાંધે. ત્યારે જુગલાણી એક જોડું પ્રસવે. તે જોડાની પ્રતિપાલના (આસનાવાસના) ૭૯ દિવસ કરે. જુગલ જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તેમને છીંક, બગાસું કે ઓડકાર આવે ત્યા૨ે મ૨ીને દેવગતિમાં જાય. એ ત્રણ આ૨૫ જુગલીયાના જાણવા. એકલો જુગલ ધર્મ જાણવો. એ ત્રીજા આ૨ામાં જુગલીયા સુધી ગતિ એક દેવની જાણવી. એ આ૨ાને વિષે જુગલીયા ધર્મ સુધી ઝેર નહિ, વે૨ નહિ, ઈર્ષ્યા નહિ, જ૨ા નહિ, રોગ નહિ, કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ ઉપાંગને વિષે સુખ ભોગવે તે પૂર્વનાં દાન,પુણ્યના ફળ જાણવાં. જુગલીયા ધર્મ સંપૂર્ણ. ત્રીજા આરાના જતાં શેષ ૮૪ લાખ પૂર્વ, ૩ વર્ષ અને ૮॥ માસ બાકી રહ્યાં ત્યારે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય ભોગવીને ત્યાંથી ચવીને, વનિતા નગ૨ીને વિષે, નાભિકલક૨ રાજાને ઘેર, મરૂદેવી માતાની કુક્ષિમાં શ્રી ઋષભદેવ સ્વામી ઉપજ્યા. ન Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાના ભાવ 0િ૧૫૫ પછી સવા નવ મારો જન્મ થયો. માતાએ પ્રથમ ઋષભનું સ્વપ્ન દીઠું માટે ઋષભદેવ નામ પાડયું. તે ઋષભદેવ સ્વામીએ જુગલીયા ધર્મ નિવારીને (કાઢી નાખી) ૧ અસિ, ૨ મસિ, ૩ કૃષિ આદિ ૭૨ કળા પુરુષને શીખવી. સ્ત્રીઓને ૬૪ કળા શીખવી. અનુકંપા નિમિત્તે વીસ લાખ પૂર્વ સુધી કુંવરપણે રહ્યા અને ૬૩ લાખ પૂર્વ રાજ્ય પાળ્યું. પછી પોતાના પુત્ર ભરતને રાજ્ય સોંપી પોતે ૪OOO પુરુષ સાથે દીક્ષા લીધી. સંયમ લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉપર્યું. એમ છબસ્થપણું તથા કેવળપણું મળીને એક લાખ પૂર્વનો સંયમ પાળીને, અષ્ટાપદ પર્વત ઉપર, પદ્માસને બેસીને દશ હજાર સાધુ સહિત, ભગવત મોક્ષ પધાર્યા. તે સ્વામીજીના પાંચ કલ્યાણીક, ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા.( તે ૧ પહેલે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને મરૂદેવી રાણીની કૂક્ષમાં ઉપજ્યા. ર બીજે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો. ૩ ત્રીજે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાસને બિરાજ્યા. ૪ ચોથે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લીધી. ૫ પાંચમે કલ્યાણીકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા અને અભિજિત નક્ષત્રમાં પ્રભુજી મોક્ષ પધાર્યા. જુગલીયા ધર્મ નિવાર્યા પછી ગતિ પાંચ જાણવી. ત્રીજા આરાના ભાવ સંપૂર્ણ ચોથો આરો ત્રીજો આરો ઊતરીને ચોથો આરો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હણા થાય. ચોથો આરો એક કોંડાક્રોડી સાગરોપમમાં ૪૨,૦૦૦ વર્ષ ઓછો. એ આરોં દુઃષમ 'સુષમ નામ એટલે વિષમતા ઘણી અને સુંદરતા થોડી. એ આરાને Page #175 -------------------------------------------------------------------------- ________________ પિકિ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ વિષે પાંચસો ધનુષ્યનું શરીર અને ક્રોડ પૂર્વનું આયુષ્ય જાણવું. ઊતરતા આરે સાત હાથનું શરીર અને બસો વર્ષમાં ઊણું આયુષ્ય જાણવું. એ આરાને વિષે શરીરમાં રૂરૂ પાંસળીઓ અને ઊતરતા આરે ૧૬ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે છ સંઘયણ, છ સંસ્થાન જાણવા. એ આરાને વિષે દિન દિન પ્રત્યે આહારની ઇચ્છા થાય, ત્યારે પુરુષ ૩૨ કવલનો અને સ્ત્રી ૨૮ કવલનો આહાર કરે. જમીનની સરસાઈ સારી જાણવી. ઊતરતે આરે જમીનની સરસાઈ તેથી ઓછી જાણવી. છે ? તને -- =>> એ આરાને વિષે શેષ ૭૫ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે દેશમાં પ્રાણત દેવલોકે વીસ સાગરોપમનું આયુષ્ય ભોગવી, અવીને માહણકુંડ (બ્રાહ્મણકુંડ) નગરીને વિષે ઋષભદત્ત બ્રાહ્મણના ઘેર, દેવાનંદા બ્રાહ્મણીની કક્ષામાં શ્રી મહાવીર સ્વામી ઉપજ્યા, ત્યાં સ્વામી ૮૨ રાત્રી રહ્યાં. ૮૩ મી રાત્રીએ શક્રેન્દ્રનું આસન ચળ્યું. ત્યારે શકેન્દ્ર ઉપયોગ મૂકીને જોયું કે શ્રી મહાવીર સ્વામી ભિક્ષુકને કુળે ઉપજ્યા છે એમ જાણ્યું, એ અનંતકાળે આશ્ચર્ય થયું. તે વારે શકેન્દ્ર હરિણગમેથી દેવને બોલાવીને કહ્યું, "તમે જાઓ, જઈને શ્રી મહાવીર સ્વામીનો ગર્ભ ક્ષત્રિયકુંડ નગરને વિષે. સિદ્ધાર્થ રાજાને ઘેર, ત્રિશલાદેવી રાણીની કુક્ષીએ મૂકો. ત્રિશલાદેવી રાણીની કુક્ષીએ પત્રીપણે ગર્ભ છે, તે દેવાનંદી બ્રાહ્મણીની કુક્ષીમાં મૂકો." ત્યારે તે હરિણગમેલી દેવે ત્યાં તથંતિ (કહો છો તેમ કરીશ) એમ કહીને તે જ વખતે તે માહણ કુંડ આવ્યો ને ત્યાં ભગવંતને નમસ્કાર કરીને કહ્યું, "હે સ્વામી! તમે સારું જાણશો, હું તમારો ગર્ભ સાહરૂ છું." તે વખતે દેવાનંદા બ્રાહ્મણીને અવસ્થાપિની નિદ્રા મૂકીને ગર્ભ સાર્યો, તે લઈ ક્ષત્રિયકુંડ નગરને વિષે, સિદ્ધાર્થ રાજાને ઘેર, Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાના ભાવ gિ 0૧૫૭ ત્રિશલાદેવી રાણીની કૂલમાં મૂક્યો, અને ત્રિશલાદેવી રાણીની કુક્ષીમાં પુત્રીનો જે ગર્ભ હતો, તે દેવાનંદા બ્રાહ્મણીની કૂક્ષીમાં મૂકી દીધો. પછી સર્વ થઈ સવા નવ માસે ભગવંતનો જન્મ થયો. પછી દિવસે દિવસે વધવા લાગ્યા. અનુક્રમે યૌવનાવસ્થા પામ્યા ત્યારે યશોદા નામે સ્ત્રી પરણ્યા. સાંસારિક સુખ ભોગવતાં એક પુત્રી થઈ, તેનું નામ પ્રિયદર્શના પાડ્યું. ત્રીસ વર્ષ સંસારમાં રહ્યા. માતાપિતા મૃત્યુ પામ્યા પછી, એકાકીપણે સંયમ લીધો. સંયમ લઈને સાડાબાર વર્ષ ને એક પખવાડીયા લગી સખત જપ, તપ, ધ્યાન ધરીને ભગવંતને ઉનાળાનો બીજો માસ, ચોથો પક્ષ, તે વૈશાખ સુદી દશમ, તે સુવર્ત નામા દિવસે, વિજય નામા મુહૂર્ત, ઉત્તરાફાલ્યુની નક્ષત્ર, ચંદ્ર શુભ આબે, પૂર્વ દિશે જતાં છાયાએ વીયંતા નામ પાછલી પોરસીએ, જૈભિયા નગરની બહાર, ઋજુવાલિકા નદીને ઉત્તર દિશાને તટે, સામાધિક ગાથાપતિ કૃષ્ણીના ક્ષેત્રને વિષે વૈયાવૃત્યી યક્ષના સ્થાનકના ઈશાન ખૂણે, ત્યાં શાલ વૃક્ષની નજીક, કિડું અને ગોધૂમ આસને તડકાની આતાપના લેતાં થકો, એને શુભ પ્રકારે પાણી પીવા રહિત, ચઉવિહારો છ8 ભક્ત કરે. શ્રી મહાવીર ઊંચા ઢીંચણ, નીચું મસ્તક, એવી રીતે ધર્મધ્યાનમાંહી પ્રવર્તતાં ધ્યાનરૂપ કોઠાને વિર્ષ પહંચ્યાં છતે, શુક્લ ધ્યાનના ૪ ભેદ છે તેણે અંતરાલે (વચ્ચે) વર્તતા થકાં આઠ કર્મ મળે ૧ મોહનીય, ર જ્ઞાનાવરણીય, ૩ દર્શનાવરણીય, ૪ અંતરાય એ ચાર ઘનઘાતી કર્મ અરિ કહેતાં શત્રુ સમાન, વૈરી સમાન, ઝોટીંગ સમાન તેને હણી, ક્ષય કરી, દૂર કરીને મહાપ્રકાશ કરે એવું કેવળ જ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કર્યું. ઓગણત્રીસ વર્ષ ને સાડાપાંચ મહિના સુધી કેવળજ્ઞાનપણે વિચર્યા. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ એવં સર્વ થઈને બહોંતેર વર્ષનું આયુષ્ય ભોગવીને ચોથા આરાના શેષ જતાં ત્રણ વર્ષ ને સાડાઆઠ મહિના બાકી રહ્યા, ત્યારે આસો વદ અમાસને દિને (આગમિક ભાષામાં કાર્તિક વદી અમાસ) પાવાપુરી નગ૨ીને વિષે, એકાકીપણે સ્વામી નિર્વાણ (મોક્ષ) પધાર્યા. તે ભગવંતના પાંચ કલ્યાણીક ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયા. તે ૧ પહેલે કલ્યાણીકે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દશમા પ્રાણત દેવલોકથી આવીને દેવાનંદાની કૂક્ષીએ ઉત્પન્ન થયા. ૨ બીજે કલ્યાણીકે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગર્ભનું સાહરણ થયું. ૩ ત્રીજે કલ્યાણીકે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મ થયો. ૪ ચોથે કલ્યાણીકે, દીક્ષા લીધી. ૫ પાંચમે કલ્યાણીકે, કેવળજ્ઞાન પામ્યા. સ્વાતિ નક્ષત્રમાં ભગવંત મોક્ષ નિર્વાણ પામ્યા, એ આરાને વિષે ગતિ પાંચ જાણવી. શ્રી મહાવીર દેવ નિર્વાણ પધાર્યા, તે જ વખતે શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન ઉપજ્યું. તે શ્રી ગૌતમ સ્વામી ૧૨ વર્ષ કેવળ પ્રવજ્યા પાળી મોક્ષ પધાર્યા, તે જ વખતે શ્રી સુધર્મા સ્વામીને કેવળજ્ઞાન ઉપજ્યું. તે સુધર્મા સ્વામી ૮ વર્ષ કેવળ પ્રવજ્યા પાળી મોક્ષ પધાર્યા, તે જ વખતે શ્રી જંબૂ સ્વામીને કેવળજ્ઞાન ઉપજ્યું. તે જંબૂ સ્વામી ૪૪ વર્ષ કેવળ પ્રવજ્યા પાળી મોક્ષ પધાર્યા. એવં સર્વ થઈને શ્રી મહાવી૨ દેવ મોક્ષ પધાર્યા પછી ૬૪ વર્ષ સુધી કેવળજ્ઞાન રહ્યું, પછી વિચ્છેદ ગયું. (નષ્ટ થયું.) એ આરાને વિષે જન્મેલ હોય, તે પાંચમા આરામાં મોક્ષે જાય પરંતુ પાંચમા આરાનો જન્મેલ હોય તે પાંચમા આરામાં મોક્ષે જાય નહિ. જંબુસ્વામીજી મોક્ષ પધાર્યા પછી દશ બોલ વિચ્છેદ ગયા. ૧ ૫૨મ અવધિજ્ઞાન, ૨ મનઃપર્યવજ્ઞાન, ૩ કેવળજ્ઞાન, ૪ પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૫ સૂક્ષ્મ સંપ૨ાય ચારિત્ર, ૬ યથાખ્યાત ચારિત્ર, ૭ પુલાક લબ્ધિ, ' Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી છઆરાના ભાવ ૮ લપક, ઉપશમ શ્રેણી, ૯ આહારક શરીર, ૧૦ જિનકલ્પી સાધુ. એ દશ બોલ વિચ્છેદ ગયા (નષ્ટ થયા). ચોથા આરાના ભાવ સંપૂર્ણ. પાંચમો આરો ચોથો આરો ઊતરીને પાંચમો આરો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હીણા થાય. પાંચમો આરો ૨૧૦૦૦ વર્ષનો. એ આરો દુઃષમ નામે એટલે એકલી વિષમતા જાણવી. એ આરાને વિષે સાત હાથનું શરીર અને બસો વર્ષમાં ઊણું આયુષ્ય જાણવું. ઊતરતા આરે એક હાથનું શરીર અને વીસ વર્ષનું આયુષ્ય જાણવું. એ આરાને વિષે શરીરમાં ૧૬ પાંસળીઓ અને ઊતરતા આરે ૮ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે છ સંઘયણ, છ સંસ્થાન જાણવા. ઊતરતે આરે છેવટુ (સેવાર્ત) સંઘયણ અને હૂંડ સંસ્થાન જાણવું. એ આરાના વિષે દિન દિન પ્રત્યે આહારની ઇચ્છા થાય, ત્યારે પોતાના શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ થોડી એટલે કાંઈક સારી જાણવી, ઊતરતે આરે કુંભારના નાભાડાની છાર સરખી જાણવી. એ આરાને વિષે ગતિ ચાર જાણવી. (પાચમી મોક્ષ ગતિમાં ન જાય.) પાંચમા આરાના લક્ષણના ૩૨ બોલ નીચે પ્રમાણે – ૧) મોટાં નગર તે ગામડાં સરખા થશે. ૨) ગામડાં તે સ્મશાન સરખાં થશે. ૩) ભલા (ઊંચા) કૂળનાં સંતાનો તે દાસ, દાસી સરખા (નીચા કૂળના) થશે. ૪) પ્રધાનો લાલચુ થશે. ૫) રાજાઓ યમદંડ સરખા થશે. ૬) સારા કૂળની સ્ત્રી તે લજ્જારહિત થશે. Page #179 -------------------------------------------------------------------------- ________________ દિશિ. શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૭) સારા કૂળની સ્ત્રી તે વેશ્યા સરખી થશે. ૮) પુત્રો પોતાના છંદે, મરજી મુજબ, સ્વતંત્ર ચાલશે. ૯) શિષ્ય ગુરુના અપવાદ બોલશે. ૧૦) દુર્જન લોક સુખી થશે. ૧૧) સન લોકો દુઃખી થશે. ૧૨) દુર્ભિક્ષ દુકાળ ઘણા પડશે. ૧૩) ઉંદર, સર્પાદિની દાઢ ઘણી થશે. ૧૪) બ્રાહ્મણો અર્થના લોભી થશે. ૧૫) હિંસાએ ધર્મ પ્રવર્તાવનાર ઘણા થશે. ૧૬) એક ધર્મના ઘણા ભેદ થશે. ૧૭) મિથ્યાત્વી દેવ ઘણા થશે. ૧૮) મિથ્યાત્વી લોકો ઘણા થશે. ૧૯) માણસને દેવદર્શન દુર્લભ થશે. ૨૦) વિદ્યાધરના વિદ્યાપ્રભાવ થોડાં રહેશે. ૨૧) ગોરસ (દૂધ, દહીં, ઘી) માં સરસાઈ થોડી રહેશે. ૨૨) બળદ પ્રમુખનાં બળ, આયુષ્ય થોડાં રહેશે. ૨૩) સાધુ, સાધ્વીને માસ કલ્પ તથા ચોમાસું કર્યા જવા ક્ષેત્ર થોડાં રહેશે. ૨૪) શ્રાવકની અગિયાર પ્રતિમા તથા સાધુની બાર પ્રતિમા વિચ્છેદ જશે. (આ ૧૧ પ્રતિમાનો વિચ્છેદ કોઈ માનતા નથી.) ૨૫) ગુરુ શિષ્યને ભણાવશે નહિ. ૨૬) શિષ્ય અવિનીત, કલેશી થશે. ર૭) અધમ, કલેશી, ઝગડાખોર, કુમાણસ ઘણાં થશે, ને સુમાણસ થોડા થશે. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી છઆરાના ભાવ ૧૬૧ ૨૮) આચાર્ય પોતપોતાના ગચ્છની પરંપરા, સમાચા૨ી જુદી જુદી પ્રવર્તાવશે તથા મૂઢ, મૂર્ખ માણસને મોહ, મિથ્યાત્વના પાશમાં નાંખશે, ઉત્સૂત્ર ભાખશે, નિંદનીક, કુબુદ્ઘિક ઘણા થશે, પોતપોતાની પરંપરામાં રાચશે. ૨૯) સ૨૯, ભદ્રિક, ન્યાયી, પ્રામાણિક પુરૂષ થોડાં રહેશે. ૩૦) મ્લેચ્છનાં રાજ્ય ઘણાં થશે. ૩૧) હિંદુના રાજ્ય અલ્પઋદ્ધિવાળા અને થોડાં રહેશે. ૩૨) મોટા કુળના રાજા તે નીચ કામ ક૨શે. અન્યાય, અધર્મ તથા કુવ્યસનમાં ઘણાં રાચશે. એ ૩૨ બોલ સંપૂર્ણ. એ આ૨ાને વિષે ધન સર્વ વિચ્છેદ જશે. લોઢાની ધાતુ રહેશે. ચામડાની મહોરો ચાલશે, તે ધનવંત કહેવાશે. એ આરાને વિષે એક ઉપવાસ, તે માસક્ષમણ સરખો લાગશે. એ આરાને વિષે જ્ઞાન સર્વ વિચ્છેદ જશે. ફક્ત દશવૈકાલિક સૂત્રના પહેલા ચાર અધ્યયન રહેશે (કોઈ માને છે કે ૧ દશવૈકાલિક, ૨ ઉત્તરાધ્યયન, ૩ આચારાંગ, ૪ આવશ્યક, એ ચાર સૂત્ર રહેશે. તે ઉપર ચાર જીવ એકાવતા૨ી થશે. તે ચાર જીવનાં નામ, ૧ દુપસહ નામે આચાર્ય, ૨ ફાલ્ગુની નામે સાધ્વી, ૩ જિનદાસ નામે શ્રાવક, ૪ નાગશ્રી નામે શ્રાવિકા. એ સર્વ થઈને ૨૦૦૪ પાંચમા આરાના છેડા સુધી શ્રી મહાવી૨ સ્વામીના યુગંધ૨ જાણવા.) નોટ : કૌંસમાં લખેલી વાત સિદ્ધાંતમાં નથી, ગ્રંથની છે અને ચર્ચાસ્પદ છે. અષાઢ સુદી પૂનમ (૧૫) ને દિને શક્રેન્દ્રનું આસન ચળશે, ત્યારે શક્રેન્દ્ર ઉપયોગ મૂકીને જોશે કે આજે પાંચમો આરો ઊત૨ીને કાલે છઠ્ઠો આરો બેસશે. તેઓ આવીને ૪ જીવને કહેશે કે કાલે છઠ્ઠો આરો બેસશે, માટે આલોવી, પડિક્કમિ, નિંદી, નિઃશલ્ય થાઓ. તેથી -11 ' Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ તે ચાર જીવો તે પ્રમાણે કરી સર્વને ખમાવી, નિઃશલ્ય થઈ સંથારો કરશે, તે વખતે સંવર્તક, મહાસંવર્તક નામે વાયરો થશે. તેણે કરી પહાડ, પર્વત, ગઢ, બેટ, કૂવા, વાવ, સર્વ સ્થાનક વિસરાલ (નાશ) થશે. માત્ર ૧) વૈતાઢ્ય પર્વત, ૨) ગંગા નદી, 3) સિંધુ નદી, ૪) ઋષભ કૂટ, ૫) લવણની ખાડી, એ પાંચ સ્થાનક રહેશે. બીજા સર્વ સ્થાનક તૂટી પડશે. તે ચાર જીવ સમાધિ પરિણામે કાળ કરીને પહેલા દેવલોકે જશે ત્યારે ચાર બોલ વિચ્છેદ જશે. ૧) પહલે પ્રહરે જૈન ધર્મ વિચ્છેદ જશે, ૨) બીજે પ્રહરે મિથ્યાત્વીનો ધર્મ વિચ્છેદ જશે, ૩) ત્રીજે પ્રહરે રાજનીતિ વિચ્છેદ જશે, ૪) ચોથે પ્રહરે બાદર અગ્નિ વિચ્છેદ જશે. એ પાંચમા આરાના છેડા સુધી ચાર ગતિમાં જીવ જાય, એક પાંચમી મોક્ષ ગતિમાં ન જાય. પાંચમા આરાના ભાવ સંપૂર્ણ છઠ્ઠો આરો પાંચમો આરો ઊતરીને છઠ્ઠો આરો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હીણા થાય. એ આરો ર૧,000 વર્ષનો જાણવો. એ આરો દુઃષમ દુઃષમ નામે જાણવો. એટલે એ આરો ઘણો ભયંકર – ઘણો ત્રાસદાયક જાણવો. એક હાથનું શરીર, ૨૦ વર્ષનું આયુષ્ય, ઊતરતે આરે મૂંઢા હાથનું શરીર, ૧૬ વર્ષનું આયુષ્ય, એ આરાને વિષે આઠ પાંસળી અને ઊતરતે આરે ચાર પાંસળી, છેવટુ સંઘયણ અને હૂંડ સંસ્થાન, ઊતરતે આરે એમ જ જાણવું. છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે. તે કાળાં, કુદર્શની, રોગી, રિસાળ, નખ અને કેશ ઘણાં એવાં છોકરાં પ્રસવશે. તે કૂતરીની પેઠે પરિવાર સાથે ફેરવશે. એ આરાને વિષે ગંગા અને સિંધુ નદીમાં વૈતાઢય પર્વતના મૂળે ૭ર બીદ્ધ હશે. તેમાં મનુષ્ય, તિર્યંચ, પક્ષી Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી છઆરાના ભાવ બીજ માત્ર હશે. તે નદીનો પટ ૬૨યોજનાનો છે તેમાં રથના ચીલા પ્રમાણે પહોળું અને ગાડાની ધરી ડૂબે એટલું જ ઊંડુ પાણી રહેશે. તેમાં મચ્છ, કચ્છ ઘણાં થશે. તે ૭૨ બીલના મનુષ્યો સાંજે અને સવારે મચ્છ કચ્છ કાઢીને વેળુમાં ભારશે (રેતીમાં તપાવશે | શકશે). સૂર્ય ઘણો તપશે, ટાઢ ઘણી પડશે, તેથી સીઝવાઈ રહેશે અને તેનો મનુષ્ય આહાર કરશે. તેનાં હાડકાં, ચામડાં તિર્યંચ ચાટીને રહેશે. મનુષ્યના માથાની ખોપરીમાં પાણી લાવીને પીશે. એ રીતે એકવીસ હજાર વર્ષ પૂરાં કરશે. જે માણસ દાન, પુણ્ય રહિત તેમજ નમક્કાર (નમસ્કાર) રહિત, પ્રત્યાખ્યાન રહિત, સમકિત વિનાનો હશે, તે આવા આરાને વિષે આવીને ઉપજશે. એવું જાણી જે કોઈ મનુષ્ય જૈન ધર્મ પાળશે અથવા જૈનધર્મની આસ્થા રાખશે તે જીવ આ ભવાબ્ધિમાંથી તરીને પરમ સુખ પામશે. છઠ્ઠા આરાના ભાવ સંપૂર્ણ. [આ રીતે અવસર્પિણી કાળનાં ૧૦ ક્રોડાકોડી સાગરના છે આરા થાય છે. તે જ પ્રમાણે ઉત્સર્પિણી કાળનાં છ આરા હોય છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી મળીને કુલ વીસ ક્રોડાકોડી સાગરનું એક કાલચક્ર થાય છે. અવસર્પિણી કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘયણ, સંઠાણ આદિ ક્રમશઃ હીન થાય છે. ઉત્સર્પિણી કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘયણ, સંડાણ આદિની ક્રમશઃ વૃદ્ધિ થાય છે. ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો અવસર્પિણી કાળના છઠ્ઠા આરા જેવો હોય છે. તે જ પ્રમાણે ઉત્સર્પિણી કાળનો બીજો, ત્રીજે, ચોથો, પાંચમો, છઠ્ઠો આરો અવસર્પિણી કાળના પાંચમા, ચોથા, ત્રીજા, બીજા, પ્રથમ આરા જેવો હોય છે. વિશેષતા એટલી કે ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો પૂર્ણ થયા પછી બીજા આરાનાં પ્રારંભમાં ૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ દિવસ સુધી પુષ્ક૨ વ૨સાદ પડે છે. પછી ૭ દિવસ વર્ષા બંધ રહે છે. એમ અનુક્રમે ૭–૭ દિવસ દૂધ, ઘી, અમૃત રસનો વરસાદ વ૨સે છે. જેનાથી ઉત્સર્પિણી કાળના પ્રથમ આરાનાં અશુભ ભાવ, રૂક્ષતા, ઉષ્ણતા, આદિ નષ્ટ થઈ શુભ વર્ણ આદિની ઉત્પત્તિ થાય છે. પૃથ્વીમાં ફળદ્રુપતા ઉત્પન્ન થાય છે. ફળફૂલ, વૃક્ષોથી પૃથ્વી છવાઈ જાય છે. ત્યારે બિલમાં રહેલાં માનવો બહાર નીકળી વનસ્પતિ જોઈ માંસાહાર ન જ ક૨વાનો નિયમ કરે છે. ઉત્સર્પિણીનાં ત્રીજા આરામાં ૩ વર્ષને ૮૫ (સાડાઆઠ) મહિના વીત્યા બાદ પહેલા તીર્થંક૨નો જન્મ થશે. તે પ્રથમ તીર્થંકરનું આયુષ્ય ૭૨ વર્ષનું (ભગવાન મહાવીર જેટલું) હશે. ત્યારબાદ ૨૨ તીર્થંકરો ક્રમથી થશે. ચોથા આરામાં ૩ વર્ષને ૮।। (સાડાઆઠ) મહિના વીત્યા બાદ ૨૪ મા તીર્થંક૨નો જન્મ થશે. તે તીર્થંક૨નું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું ( ભગવાન ઋષભદેવ જેટલું) હશે. ૨૪ મા તીર્થંકર શિલ્પકળા આદિ શિક્ષા આપશે નહિ કારણકે તે શિક્ષા આગળથી ચાલી આવતી હશે. તેમનાં મોક્ષ ગયા પછી રાજધર્મ અને ચારિત્રધર્મ વિચ્છેદ જશે. પછી અકર્મભૂમિ જેવો વ્યવહા૨ (જુગલીયા કાળ) રહેશે. અકર્મભૂમિનાં દેવકુરૂ, ઉત્તરકુરૂ એ બે ક્ષેત્રમાં અવસર્પિણી કાળના બેસતાં પહેલા આ૨ા જેવા ભાવો, હરિવાસ, ૨મ્યવાસમાં બેસતાં બીજા આરા જેવા ભાવો, હેમવય, હિ૨ણ્યવયમાં બેસતાં ત્રીજા આરાના જેવા ભાવો, ૫૬ અંતરદ્વીપમાં ઊતરતા ત્રીજા આરા જેવા (જુગલકાળ જેવા, કર્મભૂમિ જેવા નહિ) ભાવો, મહાવિદેહક્ષેત્ર માં ચોથા આ૨ા જેવા ભાવો સદાકાળ વર્તે છે. એટલે કે તે ક્ષેત્રોમાં છઆરા, કાળચક્ર નથી.] ઇતિ છ આરાના ભાવ. 外國照 分蜜蜜照分噩噩 Page #184 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી દશ દ્વા૨ના જીવસ્થાનક Sત ૧૦ દશ દ્વારના જીવસ્થાનો સમવાયાંગ સૂત્ર – ૧૪ જીવઠાણ નામ લકખણ ઠિઇ, કિરિયા કમ્મસત્તાએ ! બંધ ઉદીરણા ઉદય, નિરા છ ભાવ, દસ દારાએ છે. અર્થ - દશ દ્વારનાં નામ : ૧. જીવસ્થાનકના નામનો દ્વાર, ૨. લક્ષણહાર, ૩. સ્થિતિ દ્વાર ૪. ક્રિયા દ્વાર, પ. કર્મસત્તા દ્વાર, ૬. કર્મ બંધ દ્વાર, ૭. કર્મ ઉદીરણા દ્વાર, ૮. કર્મ ઉદય દ્વાર, ૯. કર્મ નિર્જરા દ્વાર, ૧૦. છ ભાવ દ્વાર. ૧. નામ ધાર :- ૧. મિથ્યાત્વ જીવસ્થાનક, ૨. સાસ્વાદન જીવસ્થાનક, ૩. સમમિથ્યાત્વ જીવસ્થાનક, ૪. અવતી સમદષ્ટિ જીવસ્થાનક, ૫. દેશવતી જીવસ્થાનક, ૬. પ્રમત્ત સંયતિ જીવસ્થાનક, ૭. અપ્રમત્ત સંયતિ જીવસ્થાનક, ૮. નિવર્તિ બાદર જીવસ્થાનક, ૯. અનિવર્તિ બાદર જીવસ્થાનક, ૧૦. સૂક્ષ્મ સંપરાય જીવસ્થાનક, ૧૧. ઉપશાંત મોહનીય જીવસ્થાનક, ૧૨. ક્ષીણ મોહનીય જીવસ્થાનક, ૧૩. સયોગી કેવળી જીવસ્થાનક, ૧૪. અયોગી કેવળી જીવસ્થાનક. ૨. લક્ષણ દ્વા૨ – ૧ મિથ્યાત્વ દષ્ટિ જીવસ્થાનકનું લક્ષણ, તે મિથ્યાત્વના બે ભેદ: ૧ ઉણાઈરિત, ૨ તવાઈરિત. ૧. ઉસાઇરિત, તે ઓછું, અધિકું સદંહ તથા પ્રરૂપે. ૨. તવારિત, તે વિપરીત સઈ તથા પ્રરૂપે. મિથ્યાત્વના ચાર ભેદઃ ૧. એક મૂળથી જ વીતરાગનાં વચન સઈ નહિ, ૩૬૩ પાખંડીવત, શાખ સૂયગડાંગ સૂત્રની. . ૨. એક કાંઈક સઈ કાંઈક ન સર્દહ, જમાલી પ્રમુખ સાત નિcવવતુ, શાખ સૂત્ર ઉવવા તથા ઠાણાંગ સૂત્રના સાતમે ઠાણે. Page #185 -------------------------------------------------------------------------- ________________ વિ૬૬) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩. એક આઘું પાછું ઓછું અધિકું સદ, ઉદકપેઢાલ પુત્રવત, શાખ સૂયગડાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૨, અધ્યયન ૭.. ૪. એક જ્ઞાનાતરાદિક તેર બોલને વિષે શંકા, કંખા વેદે તે. ૧ જ્ઞાનાંતર, ૨ દર્શનાંતર, ૩ ચારિત્રાતર, ૪ લિંગાંતર, ૫ પ્રવચનાંતર, ૬ પ્રવચનાંતર, ૭ કલ્પાંતર, ૮ માતર, ૯ મતાંતર, ૧૦ ભંગાંતર, ૧૧ નયાંતર, ૧૨ નિયમાંતર, ૧૩ પ્રમાણાંતર. તેની શાખ ભગવતી સૂત્ર શતક ૧, ઉ. ૩. ૨. સાસ્વાદન સમદષ્ટિ જીવસ્થાનકનું લક્ષણ, જે સમક્તિ વમતો વમતો છેડ, પરાસ માત્ર રહે. બેઇન્દ્રિયાદિક ને અપર્યાપ્ત વખતે હોય, પર્યાપ્ત થયા પછી મટી જાય, સંજ્ઞી પંચેન્દ્રિય ને પર્યાપ્ત થયા પછી પણ હોય, તેને સાસ્વાદન સમદષ્ટિ જીવસ્થાનક કહીએ. શાખ સૂત્ર જીવાભિગમ, દંડકને આધારે. ૩. સમમિથ્યાત્વ દષ્ટિ જીવસ્થાનનું લક્ષણ જે મિથ્યાત્વમાંથી નીકળ્યો પણ સમતિ પામ્યો નથી એવે અંતરાલે અધ્યવસાયને રસે કરી પ્રવર્તતો થકો આયુષ્ય કર્મ બાંધે નહિ, કાળ પણ કરે નહિ, શાથી? જે થોડા કાળ માટે, અનિશ્ચયપણા માટે ત્રીજેથી પડીને પહેલે આવે અથવા ત્યાંથી ચોથા આદિ અવસ્થાનકે જાય, ત્યારે આયુષ્ય બાંધે, કાળ પણ કરે, શાખ સૂત્ર ભગવતી, શતક ૩૦ અને ૨૬. ૪. અવતી સમદષ્ટિ જીવસ્થાનકનું લક્ષણ, જે શંકા, કાંક્ષા રહિતપણે વીતરાગના વચન શુદ્ધ ભાવે સર્દો તથા પ્રતિતી આણી રોચવે. લોક મધ્ય હિલનીક, નિંદનીક કહેવાય તેવા આચરણ પ્રાયઃ કરીને કરે નહિ. * ૫. દેશવતી જીવસ્થાનનું લક્ષણ, જે યથાતથ્ય સમતિ સહિત, વિજ્ઞાન વિવેક સહિત, દેશથકી વ્રત આદરે, તે જઘન્ય એક નોકારસી Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશ દ્વા૨ના જીવસ્થાનક પ્રત્યાખ્યાન તથા એક જીવને હણવાનાં પ્રત્યાખ્યાન ઉત્કૃષ્ટ ૧૧ શ્રાવકોની પ્રતિમા આદરે તેને દેશવતી જીવસ્થાનક કહિએ. ૬. પ્રમત્ત સંયતિ જીવસ્થાનકનું લક્ષણ, જે સમકિત સહિત સર્વ વ્રત આદરે, પ્રમત્તનો અર્થ છે (અપ્રમત્ત જીવસ્થાનકે સંજ્વલનના ચાર કષાય છે તે થકી) પ કહેતાં વિશેષ, મત્ત કહેતા માતો, છે. સંજ્વલનનો ક્રોધ, માન, માયા, લોભ તેને પ્રમત્ત સંયતિ જીવસ્થાનક કહીએ પણ પ્રમાદી ન કહીએ. ૭. અપ્રમત્ત સંયતિ જીવસ્થાનકનું લક્ષણ, જે અ કહેતાં નથી, પ કહેતાં વિશેષ, મત્ત કહેતાં માતો, સંજ્વલનનો ક્રોધ, માન, માયા, લોભ એટલે છઠ્ઠાથી કાંઈક પાતળો છે, તેને અપ્રમત્ત સંયતિ જીવસ્થાનક કહિએ. ૮. નિવર્તિ બાદર જીવસ્થાનકનું લક્ષણ, જે નિવર્તિ કહેતાં નિવર્યો છે, સંજ્વલનના ક્રોધ અને માન થકી તેને નિવર્તિ બાદર જીવસ્થાનક કહિએ. ૯. અનિવર્તિ બાદર જીવસ્થાનકનું લક્ષણ, જે અનિવર્તિ કહેતાં, નથી નિવર્યો, સંજ્વલનના લોભ થકી તેને અનિવર્તિ બાદર જીવસ્થાનક કહિએ. ૧૦. સૂક્ષ્મ સંપ રાય જીવસ્થાનકનું લક્ષણ, જે થોડોક સંજ્વલનના લોભનો ઉદય છે, તેને સૂક્ષ્મ સંપરાય જીવસ્થાનક કહિએ. ૧૧. ઉપશાંત મોહનીય જીવસ્થાનકનું લક્ષણ, જે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ઉપશમાવી છે તેને ઉપશાંત મોહનીય જીવ.કહિએ. ૧૨. ક્ષીણ મોહનીય જીવસ્થાનનું લક્ષણ, જે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ક્ષય કરી છે તેને ક્ષીણ મોહનીય જીવસ્થાનક કહિએ. ૧૩. સયોગી કેવળી જીવસ્થાનકનું લક્ષણ, જે મન, વચન, કાયાના શુભ યોગ સહિત, કેવળજ્ઞાન, કેવળદર્શનપણે પ્રવર્તે તને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬ િ ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સયાગી કેવળી જીવસ્થાનક કહિએ. ૧૪. અયોગી કેવળી જીવસ્થાનકનું લક્ષણ, જે શરીર સહિત, મન, વચન, કાયાના યોગ રૂંધીને કેવળજ્ઞાન, કેવળદર્શનપણે પ્રવર્તે, તેને અયોગી કેવળી જીવસ્થાનક કહિએ. ઇતિ બીજો લક્ષણ દ્વારા ૩. સ્થિતિ દ્વાર : પહેલા મિથ્યાત્વ જીવસ્થાનકની સ્થિતિ ત્રણ પ્રકારની. ૧. અનાદિ અપર્યવસિત, તે મિથ્યાત્વની આદિ નથી અને અંત (છેડો) નથી, તે અભવ્ય જીવોનું મિથ્યાત્વ જાણવું. ૨. અનાદિ સપર્યવસિત, તે મિથ્યાત્વની આદિ નથી અને અંત (છે) છે, તે ભવ્ય જીવોનું મિથ્યાત્વ જાણવું. ૩. સાદિ સપર્યવસિત, તે મિથ્યાત્વની આદિ છે અને અંત પણ છે. અનાદિકાળનું જીવને મિથ્યાત્વ હતું તે ભવ્ય જીવ કોઈકવારે સમકિત પામ્યો તેમાંથી સંસાર પરિભ્રમણ યોગ કર્મને વિશેષે કરી, સમકિતથી પડ્યો ને મિથ્યાત્વ પામ્યો. તે ભવ્ય જીવ સમદષ્ટિ પડિવાઈ આશ્રી જાણવું. તે મિથ્યાત્વની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં દેશ ન્યૂન, તે જીવ નિશ્ચયથી સમકિત પામી મોક્ષે જાય. પ્રથમ મિથ્યાત્વ જીવસ્થાનકની સ્થિતિ કહી, તેની શાખ, સૂત્ર જીવાભિગમ નવમી પ્રતિપત્તિને અધિકારે. બીજા જીવસ્થાનકની સ્થિતિ જ. ૧ સમય, ઉ. ૬ આવલિકાની. ત્રીજા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત. ચોથા જીવસ્થાનકની સ્થિતિ જ. અંત,ઉ. ૬૬ સાગરોપમઝાઝેરી. પાંચમા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. કોડ પૂર્વ વર્ષમાં દેશ ન્યૂન. Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશ દ્વારના જીવસ્થાનક ૧૬૯ છઠ્ઠા જીવસ્થાનકની સ્થિતિ પરિણામ આશ્રી જ. એક સમય, ૩. ક્રોડ પૂર્વ વર્ષમાં દેશ ન્યૂન. પ્રવર્તન આશ્રી, જ. અંતર્મુહૂર્તની, ઉ. ક્રોડ પૂર્વ વર્ષમાં દેશ ન્યૂન. તે ધર્મદેવ આશ્રી, તેની શાખ સૂત્ર ભગવતી શતક ૧૨, ૩. ૯. સાતમા, આઠમા, નવમા, દશમા, અગિયારમા એ પાંચ જીવસ્થાનકની સ્થિતિ જ. એક સમય, ઉ. અંતર્મુહૂર્તની. શાખ સૂત્ર ભગવતી શતક ૧૨ ૩. ૯. બારમા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત. તે૨મા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. ક્રોડ પૂર્વ વર્ષમાં દેશ ન્યૂન. ચૌદમા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત. તે અંતર્મુહૂર્ત કેવું ? પાંચ લઘુ અક્ષર (અ, ઇ, ઉ, ૠ, લૂ) ઉચ્ચારે, એટલા વખતનો જે કાળ થાય તેટલો કાળ. ઇતિ ત્રીજો સ્થિતિ દ્વાર ૪. ક્રિયા દ્વા૨ : ક્રિયા પચ્ચીસ છે તે કાઇયા આદિ (નવતત્ત્વમાં બતાવેલ છે). તેમાંની જે ક્રિયા જે જે જીવસ્થાનકે જેટલી જે જે કા૨ણે લાગે તેનો વિસ્તાર. કર્મ આઠ છે, તેમાં એક ચોથું મોહનીય કર્મ સ૨દા૨ છે. તે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે. તે ૨૮ પ્રકૃતિનો વિસ્તા૨ કર્મપ્રકૃતિના થોકડા મધ્યે લખેલ છે. તે મોહનીય કર્મની સત્તા, ઉદય, ક્ષયોપશમ, ક્ષયને લીધે જે જે ક્રિયા લાગે, અને જે જે ક્રિયા ન લાગે તે કહીએ છીએ. પહેલે મિથ્યાત્વ જીવસ્થાનકે, જે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે, તેમાંથી અભવ્યને છવ્વીસ પ્રકૃતિની સત્તા છે, તે ૧ સમકિત મોહનીય, ૨ સમમિથ્યાત્વ મોહનીય, એ બે વર્જીને. કેટલાક ભવ્ય જીવને ૨૮ પ્રકૃતિની સત્તા છે, તેમાં મિથ્યાત્વનું બળ વિશેષ છે, તેમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭] ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ બેનું ખરું ને ત્રણનો વાદ, બેનું ખરૂં તે ૧ સમકિત મોહનીય, ૨ સમમિથ્યાત્વ મોહનીય, એ બેનું ખરૂં. ત્રણનો વાદ છે, ૧ અક્રિયાવાદી, ૨ અજ્ઞાનવાદી, ૩ વિનયવાદી, એ ત્રણનો વાદ. તેણે કરી ૨૪ સંપરાય ક્રિયા લાગે. બીજે સાસ્વાદન જીવસ્થાનકે મોહનીયની ૨૮ પ્રકૃતિમાંની ૨૮ ની સત્તા હોય છે, તેમાં સાસ્વાદનનું બળ વિશેષ છે. તેમાં બેનું ખરું ને બેનો વાદ. બેનું ખરૂં તે ૧ મિથ્યાત્વ મોહનીય, ૨ સમમિથ્યાત્વ મોહનીય, એ બેનું ખરું ને એનો વાદ તે ૧ અક્રિયાવાદી, ૨ અજ્ઞાનવાદી એ બેનો વાદ. તેણે કરીને ૨૩ સંપરાય ક્રિયા લાગે. ત્રીજે સમમિથ્યાત્વ દૃષ્ટિ જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૨૮ નો ઉદય. તેમાં સમમિથ્યાત્વનું બળ વિશેષ છે, તેમાં બેનું ખરું ને બેનો વાદ, બેનું ખરું તે સમતિ મોહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, એ બેનું ખરૂં, બેનો વાદ તે ૧ અજ્ઞાનવાદી, ૨ વિનયવાદી. એ બેનો વાદ તેણે કરીને ૨૩ સપરાય ક્રિયા લાગે. ચોથે અવતી સમદષ્ટિ જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની સાતનો ક્ષયોપશમ, ૨૧ નો ઉદય. સાતનો ક્ષયોપશમ તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને સમમિથ્યાત્વ મોહનીય, એ સાતનો ક્ષયોપશમ. ર૧ નો ઉદય તે ઉપર જે સાત બોલ કહ્યા તે વર્યા. સાતના ક્ષયોપશમ માટે એક મિથ્યાદર્શનવત્તિયા ક્રિયા ન લાગે. એકવીસના ઉદય માટે ૨૩ સપરાય ક્રિયા લાગે. પાંચમે દેશવતી જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧૧નો ક્ષયોપશમ, ૧૭નો ઉદય. ૧૧નો ક્ષયોપશમ તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ શ્રી દશ દ્વારના જીવસ્થાનક મોહનીય, સમમિથ્યાત્વ મોહનીય, અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ એ ૧૧નો ક્ષયોપશમ. ૧૭નો ઉદય તે જે ઉ૫૨ ૧૧ બોલ કહ્યા તે વર્જ્ય શેષ ૧૭નો ઉદય. ૧૧ના ક્ષયોપશમ માટે મિથ્યાદર્શનવત્તિયા ક્રિયા, અપ્રત્યાખ્યાન ક્રિયા એ બે ક્રિયા ન લાગે. ૧૭ના ઉદય માટે ૨૨ સં૫રાય ક્રિયા લાગે. છન્ને પ્રમત્ત સંયતિ જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧પનો ક્ષયોપશમ, ૧૩નો ઉદય. ૧૫નો ક્ષયોપશમ તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, સમમિથ્યાત્વ મોહનીય, અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભ એ ૧૫નો ક્ષયોપશમ. ૧૩નો ઉદય તે ઉપર કહ્યા તે ૧૫ વર્ષ્યા શેષ ૧૩નો ઉદય. ૧૫ના ક્ષયોપશમ માટે ત્રણ સં૫૨ાય ક્રિયા ન લાભ. ૧૩ના ઉદય માટે ૨૨ માંથી પરિગ્રહિકી વર્જીને ૨૧ ક્રિયા લાગે. છઠ્ઠું જીવસ્થાનકે આરંભ કરે નહિ પણ ધૃતના કુંભવત્. સાતમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧૫ નો ક્ષયોપશમ, ૧૩ નો ઉદય, ઉપ૨ કહ્યા તે ૧૫ ક્ષયોપશમ માટે ૯ સં૫રાય ક્રિયા ન લાગે. ૧૩ ના ઉદય માટે ૨૧ માંની કાયિકી આદિ પાંચ તથા આરંભિયા એ ૬ વર્ઝને ૧૫ લાગે. તે ૭ માથી ૧૦ મા જીવસ્થાનક સુધી જાણવું. આઠમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૭ નો ઉપશમ અથવા ક્ષય, ૮ નો ક્ષયોપશમ, ૧૩ નો ઉદય. ૭ નો ઉપશમ અથવા ક્ષય થાય તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, સમમિથ્યાત્વ મોહનીય એ સાતનો ઉપશમ અથવા ક્ષય. ૮ નો ક્ષયોપશમ તે અપ્રત્યાખ્યાની Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભ એ ૮ નો ક્ષયોપશમ. ૧૩ નો ઉદય તે નોકષાયના ૯, સંજ્વલનનો ક્રોધ, માન, માયા, લોભ એ ૧૩ નો ઉદય. ૮ ના ક્ષયોપશમ માટે ત્રેવીસ સંપ૨ાય ક્રિયા ન લાગે. ૧૩ ના ઉદય માટે એક માયાવત્તિયા ક્રિયા લાગે. (પાંચ ક્રિયામાંથી). નવમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧૬ નો ઉપશમ અથવા ક્ષય, ૧૧ નો ક્ષયોપશમ, એક નો ઉદય. તેમાં ૧૬ નો ઉપશમ અથવા ક્ષય, તે અનંતાનુબંધીના ચાર, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, સમમિથ્યાત્વ મોહનીય, ત્રણ વેદ અને હાસ્યાદિ ૬ નો ઉપશમ અથવા ક્ષય. ૧૧ નો ક્ષયોપશમ તે અપ્રત્યાખ્યાની ચાર, પ્રત્યાખ્યાનાવ૨ણીય ચાર, સંજ્વલનનો ક્રોધ, માન, માયા એ ૧૧ નો ક્ષયોપશમ. નવમાના અંતે ૧ નો ઉદય તે સંજ્વલનનો લોભ. ૧૧ ના ક્ષયોપશમ માટે ૨૩ સંપરાય ક્રિયા ન લાગે, એકના ઉદય માટે એક માયાવત્તિયા ક્રિયા લાગે. (પાંચ ક્રિયામાંથી). દશમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૨૭ નો ઉપશમ અથવા ક્ષય, એક થોડા સંજ્વલનના લોભનો ઉદય. ૨૭ ના ઉપશમ અથવા ક્ષયે ક૨ી ૨૩સંપ૨ાય ક્રિયા ન લાગે. એક સંજ્વલનના લોભને ઉદયે ક૨ી, ૧ માયાવત્તિયા ક્રિયા લાગે. (પાંચ ક્રિયામાંથી). અગિયા૨મે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ તે સર્વે ઉપશમાવી છે. તેણે ક૨ીને ૨૪ સંપ૨ાય ક્રિયા ન લાગે પણ સાત કર્મનો ઉદય છે, તેણે ક૨ીને એક ઇરિયાવહિયા ક્રિયા લાગે. બારમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે તે સર્વે ખપાવી છે માટે ૨૪ સંપ૨ાય ક્રિયા ન લાગે પણ સાત કર્મનો ઉદય Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશ દ્વારના જીવસ્થાનક 0િ૧૭૩ છે તેણે કરીને ઇરિયાવહિયા ક્રિયા લાગે. તેરમે જીવસ્થાનકે, ચાર ઘાતી કર્મ ખપાવ્યાં છે, તેણે કરીને ૨૪ સંપરાય ક્રિયા ન લાગે પણ ચાર અઘાતી કર્મના ઉદયે કરી ઇરિયાવહિયા ક્રિયા લાગે. - ચૌદમે જીવસ્થાનકે, ચાર ઘાતી કર્મ ખપાવ્યાં છે. ચારનો ઉદય તેમાં પણ વેદનીય કર્મનું બળ હતું. તે ભાંગ્યું તે ભણી ત્યાં એક પણ ક્રિયા ન લાગે. ઇતિ ચોથો ક્રિયા દ્વાર ૫. કર્મની સત્તાનો દ્વાર : પહેલેથી માંડીને નિરંતર ૧૧ મા વસ્થાનક પયંત આઠે કર્મની સત્તા. બારમે જીવસ્થાનકે સાત કર્મની સત્તા, મોહનીય ન હોય. તેરમે ને ચૌદમે જીવસ્થાનકે ચાર અઘાતી કર્મની સત્તા તે વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ ઈતિ પાંચમો કર્મની સત્તાનો દ્વાર ૬. કર્મના બંધનો દ્વાર: પહેલાથી સાતમા જીવસ્થાનકે ત્રીજું જીવસ્થાનક વજીને સાત તથા આઠ કર્મ બાંધે, સાત બાંધે તો આયુષ્ય કર્મ વર્જીને સાત બાંધે. ત્રીજા આઠમ, નવમા વસ્થાનકે સાત કર્મ બાંધે આયુષ્ય કર્મ વજીને. દશમે જીવસ્થાનકે છ કર્મ બાંધે તે આયુષ્ય અને મોહનીય એ બે વર્જીને. અગિયારમે, બારમે, તેરમે જીવસ્થાનકે એક કર્મ બાંધે તે શાતા વેદનીય. ચૌદમે જીવસ્થાનકે એકપણ કર્મ ન બાંધે. ઇતિ છઠ્ઠો કર્મના બંધનો દ્વાર ૭. કર્મની ઉદીરણાનો દ્વાર : પહેલે, બીજે, ચોથે, પાંચમ અને છેકે જીવસ્થાનકે ૬ અથવા ૭ અથવા ૮ કર્મની ઉદીરણા કરે, સાતની કરે તો આયુષ્ય વર્જીને, છ ની કરેતે આયુષ્ય, વેદનીય વર્જીને. ત્રીજા જીવસ્થાનકે આઠ અથવા સાત કર્મની ઉદીરણા, સાતની કરે તે આયુષ્ય વજીને. સાતમે, આઠમે અને નવમે જીવસ્થાનકે છે Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ કર્મની ઉદીરણા કરે તે આયુષ્ય અને વેદનીય વર્જીને. દશમે જીવસ્થાનકે છે અથવા પાંચ કર્મની ઉદીરણા કરે, છની કરે તો આયુષ્ય અને વેદનીય વર્જીને, પાંચની કરે તો આયુષ્ય, વેદનીય અને મોહનીય વર્જીન. અગીયારમે જીવસ્થાનકે પાંચની ઉદીરણા કરે. બારમે પાંચની અથવા બેની ઉદીરણા કરે. બેની કરે તો નામ તથા ગોત્રની. તેરમે જીવસ્થાનકે બેની ઉદીરણા કરે તે નામ અને ગોત્રની. ચૌદમે ઉદીરણા ન કરે. ઇતિ સાતમો ઉદીરણા દ્વાર ૮. કર્મ ઉદય અને ૯. કર્મ નિર્જરાનો દ્વાર : પહેલેથી માંડીને નિરંતર દશમા જીવસ્થાનક સુધી આઠ કર્મનો ઉદય ને આઠ કર્મની નિર્જરા. અગિયારમે, બારમે જીવસ્થાનકે મોહનીય વજીને સાતનો ઉદય અને સાતની નિર્જરા. તેરમે, ચૌદમે જીવસ્થાનકે, ચાર કર્મનો ઉદય ને ચાર કર્મની નિર્જરા. તે વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર. ઈતિ ૮. કર્મ ઉદય અને ૯. કર્મ નિર્જરાનો દ્વાર ૧૦. છ ભાવનો દ્વાર (અનુયોગ દ્વાર સૂત્ર) : છ ભાવનાં નામ : ૧ ઔદયિક, ૨ ઔપશમિક, 3 ક્ષાયિક, ૪ ક્ષયપશામિક, ૫ પારિણામિક, ૬ સાન્નિપાતિક. છ ભાવનાં ભેદ : ૧. ઔદયિક ભાવનાં બે ભેદ. ૧. જીવ ઔદયિક. ૨. અજીવ ઔદયિક. ૧. જીવ ઔદયિકના બે ભેદઃ ૧ ઔદયિક – જેમાં આઠ કર્મનો ઉદય છે તે. ૨ ઔદયિક નિષ્પન્ન – આઠ કર્મના ઉદય થકી જે જે પદાર્થ નીપજે છે. તે આઠ કર્મના ઉદય થકી શા શા પદાર્થ નીપજે તે ગાથા અર્થે કરીને બત્રીસ બોલ જેમ છે તેમ કહિએ. ગાથા ગઈ, કાય, કસાય, વેદ, લેમ્સ, મિચ્છાદિદ્રિ, અગિરિએ . * અસન્ની, અનાણી, આહારે, છ ઉમલ્થ, સજગી, સંસારત્યઅસિદ્ધય Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશ દ્વારના જીવસ્થાનક અર્થ:- ચાર ગતિ, છ કાય (૧૦), ચાર કષાય (૧૪), ત્રણ વેદ (૧૭), છ લેશ્યા (૨૩), મિથ્યાષ્ટિપણું ૨૪, અવતીપણું ૨૫, અસંજ્ઞીપણું ર૬, અજ્ઞાન ૨૭, આહારકપણું ૨૮, છમસ્થપણું ૨૯, સજોગીપણું 30, સંસારમાં રહેવાપણું ૩૧, અસિદ્ધપણું ૩૨ એ ૩૨ બોલ જીવ ઔદયિકથી પામે. એ જીવ ઔદયિકના ભેદ કહ્યા. ૨. અજીવ ઔદયિકના ચૌદ ભેદ : ૧ ઔદારિક શરીર, ર ઔદારિક શરીરે જે જે પગલ પરિણમે, ૩ વૈક્રિય શરીર, ૪ વૈક્રિય શરીરે જે જે પુદ્ગલ પરિણમે, ૨ આહારક શરીર, ૬ આહારક શરીરે જે જે પુદ્ગલ પરિણમે, ૭ તેજસ શરીર, ૮ તૈજસ શરીરે જે જે પુલ પરિણમે, ૯ કાશ્મણ શરીર, ૧૦ કામણ શરીરે જે જે પુદ્ગલ પરિણમે, ૧૧ વર્ણ, ૧૨ ગંધ, ૧૩ રસ, ૧૪ સ્પર્શ એ અજીવ ઔદયિકના ૧૪ ભેદ. (૫ વર્ણ, ર ગંધ, પ રસ અને ૮ સ્પર્શ લેતાં ૩૦ બોલ પણ થાય છે). ૨. ઔપથમિક ભાવના બે ભેદ : ૧ ઔપશમિક – તે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ઉપશમાવી છે તે. ૨ ઓપશમિક નિષ્પન્ન - મોહનીય કર્મના ઉપશમ થકી જે જે પદાર્થ નીપજે તે. ઉપશમથી શા શા પદાર્થ નીપજે તેની ગાથા તથા અર્થ કસાય પેજદોસે, દંસણમોહણી જે ચરિત્તમોહણી જે ! સમ્મર ચરિત્ત લદ્ધિ, છઉમ વીયરગે ય | અર્થ - ચાર કષાય, ૫ રાગ, દ્વેષ, ૭ દર્શન મોહનીય, ૮ ચારિત્ર મોહનીય, એ આઠની ઉપશમતા. ૯ ઉવસમિયા દંસણ લદ્ધિ, ૧૦ ઉવસમિયા ચરિત્તલદ્ધિ, ૧૧ ઉવસમિયા અકષાય છ૩મત્ય વીતરાગ લદ્ધિ. એ ૧૧ બોલ પશમિક નિષ્પન્નથી પામે. ૩. ક્ષાયિક ભાવના બે ભેદ : ૧ ક્ષાયિક – તે આઠ કર્મને Page #195 -------------------------------------------------------------------------- ________________ ૭િ૬)E ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ખપાવે તે. ૨ લાયિક નિષ્પક્ષ – તે આઠ કર્મ ખપાવ્યા પછી જે જે પદાર્થ નીપજે તે. ક્ષાયિક નિષ્પક્ષના આઠ ભેદ કહે છે. ૧ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે ત્યારે કેવળજ્ઞાન પામે. ૨ દર્શનાવરણીય કર્મ ખપાવે ત્યારે કેવળદર્શન પામે. ૩ વેદનીય કર્મ ખપાવે ત્યારે નિરાબાદપણું પામે. ૪ મોહનીય કર્મ ખપાવે તો ક્ષાયિક સમકિત પામે. પ આયુષ્ય કર્મ ખપાવે ત્યારે અક્ષયપણું પામે. ૬ નામ કર્મ ખપાવે ત્યારે અરૂપીપણું પામે. 9 ગોત્ર કર્મ ખપાવે ત્યારે અગુરુલઘુપણું પામે. ૮ અંતરાય કર્મ ખપાવે ત્યારે વીર્યપણું પામે. ૪. લાયોપથમિક ભાવના બે ભેદ – ૧ સાયોપથમિક – તે ઉદય આવ્યાં કર્મને ખપાવે ને ઉદય નથી આવ્યાં તેને ઉપશમાવે તે. ૨ સાયોપથમિક નિષ્પન્ન –- તે ક્ષયોપશમમાંથી જે જે પદાર્થ નીપજે તે. ક્ષાયોપથમિકથી શા શા પદાર્થ નીપજે તેની ગાથા તથા અર્થ દશ ઉવઉગ તિદિઢિ, ચઉ ચરિત, ચરિત્તાચરિતે ! દાણાઈ પંચ લહિ, વરિયતિ પંચ ઇંદિએ / ૧ / દુવાલસ અંગધરે, નવ પુત્રિ જાવ ચઉદશ પુલ્વેિએ ઉવસમ, ગણી પડિમાએ, ઇ ઈ ખઉસમ નીફભે || ૨ || અર્થ : ૧૦ ઉપયોગ છબસ્થના, ૩ દૃષ્ટિ (૧૩), ૪ પ્રથમના ચારિત્ર (૧૭), શ્રાવકપણું (૧૮), દાનાદિક પાંચલબ્ધિ (૨૩), ૩ વીર્ય (૨૬), ૫ ઇન્દ્રિય (૩૧), ૧૨ અંગનું ધરવું (૪૩), નવ પૂર્વનું યાવત ચૌદ પૂર્વનું ભણવું (૪૪), ઉપશમ (૪૫), આચાર્યની પ્રતિમા (૪૬), એ ૪૬ બોલ ક્ષાયોપથમિક નિષ્પન્નથી નીપજે. ૫. પારિણામિક ભાવના બે ભેદ : ૧ સાદિ પારિણામિક, ૨ અનાદિ પારિણામિક. તેમાં પ્રથમ અનાદિ પારિણામિકના દશ ભેદ, ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, 3 આકાશાસ્તિકાય, Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશ દ્વા૨ના જીવસ્થાનક ૪ જીવાસ્તિકાય, ૫ પગલાસ્તિકાય, ૬ અદ્ધાકાળ, ૭ ભવ્ય, ૮ અભવ્ય, ૯. લોક, ૧૦ અલોક. એ દશ સર્વદા છે. સાદિ પારિણામિકના ઘણા ભેદ છે તે માટે ગાથા : જુના સુરા, જુના ગુલા, જુના ધિયું, જુના તંદુલ ચેવ ! અભયં, અભયરૂખા, સંદ્ધ ગંધવ નગરા ||૧ ઉક્કાવાએ દિસિદાહ, ગજીએ વિદુએ, સિગ્યાએ | જુવએ જમ્નાલિત્તએ ઘુમિત્તા મહીતા રજોઘાએ રા ચંદોવરાગા, સરોવરાગા, ચંદીપડિસા સુરોપડિસા ! પડિચંદાપડિસુરા, ઈદધણુઉદગ, મછા, કવિહંસા અમોહે કાા વાસા, વાસહરાચેવ, ગામ ઘ૨ ણ ગરા ! પયલ પાયાલ ભવણા અ, નિરઆ પાસાએ ૪ો. પુઢવિસા કમ્પોબાર, ગેવિજય અણુ રૂ.૨ સિદ્ધિ ! પમ્માણ પોગ્ગલદોમ્પએસી, જાવ અસંત પએસી ખંધે પા અર્થ : ૧ જુનો દારૂ, ૨ જુનો ગોળ, ૩ જુનું ધૃત (ઘી), ૪જુના ચોખા, ૫ વાદળાં, ૬ વાદળાંની રેખા, ૭ સંધ્યાનો વર્ણ, ૮ ગંધર્વનાં ચિહ્ન, ૯ નગરનાં ચિહ્ન, // ૧ || ૧ ઉલ્કાપાત, ર દિશિદાહ, ૩ ગર્જના, ૪ વિજળી, ૫ નિર્ધાત (કાટકો), ૬ શુક્લપક્ષનો બાલચંદ્રમાં, ૭ આકાશે જક્ષના ચિલ, ૮ ધૂયર કાલી, ૯ ધૂયર ઉજળી, ૧૦ રજાઘાત રા ૧ ચંદ્રનું ગ્રહણ, ૨ સૂર્યનું ગ્રહણ, ૩ ચંદ્ર જળકુંડ, ૪ સૂર્ય જળ કુંડે, પ એકી વખતે બે ચંદ્ર – બે સૂર્ય દેખાય, ૬ ઈન્દ્ર ધનુષ્ય પાણી ભર્યા વાદળાં, ૭ મચ્છના ચિહ્ન, ૮ વાંદરાના ચિહ્ન, ૯ હંસનાં ચિહ્ન, ૧૦ બાણનાં ચિહ્ન // ૩ / ૧ ક્ષેત્ર વર્ષધર પર્વત, ૨ ગ્રામ, ૩ ઘર, ૪ નગર, ૫ પ્રાસાદ T -12. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૭િ૮) િ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (મહેલ), ૬ પાતાળ કળશ, ૭ ભવનપતિનાં ભવન, ૮ નરકાવાસા | ૪ || ૧ સાત પૃથ્વી, ૨ કલ્પ (દેવલોક) બાર, ૩ નવ રૈવેયક, ૪ પાંચ અનુત્તર વિમાન, ૫ સિદ્ધશિલા, ૬ પરમાણુ પુદ્ગલ, ૭ બે પ્રદેશ સ્કંધ, યાવત્ ૮ અનંતપદેશી સ્કંધ ૫ | એ ઉપર બોલ કહ્યા તેમાં પુદ્ગલ જાય તથા આવે, ગળે તથા મળે, તેને સાદિ પારિણામિક કહીએ. ૬. સાન્નિપાતિક ભાવ: તેના ૨૬ ભાંગા છે. બે સંયોગીના ૧૦, ત્રણ સંયોગીના ૧૦, ચાર સંયોગીના પ, પાંચ સંયોગીનો ૧. તે નીચે મુજબ છે. બે સંયોગીના ૧૦ ભાંગા ૧. ઉદય, ઉપશમ. ૬. ઉપશમ, ક્ષયોપશમ. ૨. ઉદય, ક્ષાયિક. ૭. ઉપશમ, પારિણામિક. ૩. ઉદય, ક્ષયોપશમ. ૮. ક્ષાયિક, ક્ષયોપશમ. ૪. ઉદય, પારિણામિક ૯. ક્ષાયિક, પારિણામિક. ૫. ઉપશમ, ક્ષાયિક. ૧૦. ક્ષયોપશમ, પારિણામિક. નવમો ભાંગો સિદ્ધને લાભે. તે પરિણામિક ભાવ જીવનો અને ક્ષાયિકભાવ જ્ઞાન, દર્શન આદિ. ત્રણ સંયોગીના દશ ભાંગા ૧. ઉદય, ઉપશમ, ક્ષાયિક. ૬. ઉદય, ક્ષયોપશમ, પારિણામિક. ૨. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ. ૭. ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ. ૩. ઉદય, ઉપશમ, પારિણામિક. ૮. ઉપશમ, ક્ષાયિક, પારિણામિક. ૪. ઉદય, ક્ષાયિક, ક્ષયોપશમ ૯. ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક. ૫. ઉદય, ક્ષાયિક, પારિણામિક. ૧૦. ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક. પાંચમો ભાંગો ૧૩મા તથા ૧૪માં ગુણસ્થાનકમાં લાભે. ઉદય મનુષ્ય ગતિનો, ક્ષાયિક જ્ઞાન, દર્શન આદિ, પારિણામિક જીવ ભાવ. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશ દ્વા૨ના જીવસ્થાનક ૧૭૯ છઠ્ઠો ભાંગો ચારે ગતિમાં (પ્રથમ સાત ગુણ. સુધી) લાભે. ઉદય ગતિનો, ક્ષયોપશમ ઇન્દ્રિયાદિનો, પારિણામિક જીવ ભાવ. ચાર સંયોગીના પાંચ ભાંગા ૧. ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ. ૨. ઉદય, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક. ૩. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક. ૪. ઉદય, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક, ૫. ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક, ત્રીજો ભાંગો ચાર ગતિ તથા ૧૧ મા ગુણસ્થાનકમાં લાભે. ઉદય ગતિ આદિનો, ઉપશમ મિથ્યાત્વનો, ક્ષયોપશમ ઇન્દ્રિયાદિનો, પારિણામિક જીવ ભાવ. ચોથો ભાંગો ચાર ગતિ તથા ૧૨ મા ગુણસ્થાનકમાં લાભે. ઉદય ગતિ આદિનો, ક્ષાયિક સમક્તિ, ક્ષયોપશમ ઇન્દ્રિયાદિનો, પારિણામિક જીવ ભાવ. પાંચ સંયોગીનો એક ભાંગો ૧. ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક. ક્ષાયિક સમકિતિ જીવ ઉપશમ શ્રેણી માંડે ત્યારે આ ભાંગો લાભે. ઉદય ગતિનો, ઉપશમ ચારિત્ર મોહનીયનો, ક્ષાયિક સમકિત, ક્ષયોપશમ ઇન્દ્રિયોનો, પારિણામિક જીવ ભાવ. એ છઠ્ઠા સાન્નિપાતિક ભાવના ભાંગા કહ્યા. એ છવ્વીસ ભાંગામાં ૬ ભાંગા પારિણામિક છે, બાકીના ૨૦ ભાંગા અપારિણામિક છે. એ છઠ્ઠા સાન્નિપાતિક ભાવના છવ્વીસ ભાંગા સંપૂર્ણ. ઇતિ છ ભાવનો દ્વાર. ઇતિ શ્રી જીવસ્થાનક. 分离照分蜜蜜蜜 蜜蜜 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૦ અ. શ્રી ગુણસ્થાન દ્વારા ગાથા : નામ, લખણ, ગુણ, ઠિઇ, કિરિયા, સત્તા, બંધ, વેદેય ! ઉદય, ઉદિરણા ચેવ, નિરા, ભાવ, કારણ + ૧ || પરિસહ, મગ્ન, આયાય, જીવાય ભેદ, જોગ, ઉવિઊગ, લેસ્સા, ચરણ, સમ્મત્ત, અપ્પાબહુચ્ચ, ગુણઠાણેહિ | ૨ || પહેલો નામ દ્વાર : ગુણસ્થાનક ૧૪ તેના નામ : ૧ મિથ્યાત્વ ગુણસ્થાનક, ૨ સાસ્વાદન ગુણ, ૩ સમમિથ્યાત્વ ગુણ. ૪ અવિરતિ સમ્યગુ દૃષ્ટિ ગુણ.,પદેશવિરતિ, ગુણ, ૬ પ્રમત્ત સંજત્તિ ગુણ, ૭ અપ્રમત્ત સંજતિ ગુણ, ૮ નિયદિ બાદર ગુણ, ૯ અનિયદિ બાદર ગુણ, ૧૦ સૂક્ષ્મ સંપરાય ગુણ, ૧૧ ઉપશાંત મોહનીય ગુણ, ૧૨ ક્ષીણ મોહનીય ગુણ, ૧૩ સયોગી કેવળી ગુણ., ૧૪ અયોગી કેવળી ગુણ. બીજો લક્ષણગુણ તાર. પહેલા મિથ્યાત્વ ગુણઠાણાનાં લક્ષણ – શ્રી વીતરાગની વાણીથી ઓછું, અધિક, વિપરીત સર્દહ, પ્રરૂપે, ફરસે, તેને મિથ્યાત્વ કહિયે. ૧. ઓછી પરૂપણો તે કોને કહિયે? જેમ કોઈ કહે કે જીવ અંગુઠા માત્ર છે, તંદુલ માત્ર છે, શામા માત્ર છે, દીપક માત્ર છે, તેને ઓછી પ્રરૂપણા કહિયે. ૨. અધિકી પ્રરૂપણા તે કોને કહિયે? એક જીવ સર્વ લોક બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે તેને અધિક પ્રરૂપણા કહિયે ૩. વિપરીત પ્રરૂપણા તે કોને કહીએ ? કોઈ કહે કે પંચ ભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ) થકી જીવ ઉપજ્યાં છે અને એને વિનાશે જીવ પણ વિણસે છે, તે જડ છે તે થકી ચૈતન્ય ઉપજે Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વાર વિવિ૮૧ વિણસે, એમ કહે તેને વિપરીત પ્રરૂપણા કહીએ. એમ નવ તત્ત્વનું વિપરીતપણું સર્દહ, પ્રરૂપે, ફરસે, તેને મિથ્યાત્વ કહીએ. જૈન માર્ગે આત્મા અકૃત્રિમ, અખંડ, અવિનાશી, નિત્ય છે, શરીર માત્ર વ્યાપક છે. ત્યારે ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછયું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, તે જીવરૂપ દડી કર્મરૂપ ગેડીએ કરી ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ જીવાયોનિમાંહિ વારંવાર પરિભ્રમણ કરે પણ સંસારનો પાર પામે નહિ. બીજા સાસ્વાદન ગુણઠાણાનાં લક્ષણ -૧. જેમ કોઈ પુરૂષ ખીરખાંડનું ભોજન જમ્યો, ત્યારપછી વમન કર્યું ત્યારે કોઈક પુરૂષ પુછયું, ભાઈ, કાંઈ સ્વાદ રહ્યો ? ત્યારે કહે કે થોડો સ્વાદ રહ્યો. તે સમાન સમકિત અને વમ્યો તે સમાન મિથ્યાત્વ. ૨. જેવો ઘંટાનો નાદ પહેલો ગહેર ગંભીર, પછી રણકો રહી ગયો, ગહેર ગંભીર સમાન સમકિત ગયું ને રણકો રહી ગયો તે સમાન સાસ્વાદન. ૩. જીવરૂપ આંબાના ઝાડની પરિણામરૂપ ડાળથી, સમકિતરૂપ ફળ મોહરૂપ વાયરે કરી તૂટ્યું. મિથ્યાત્વરૂપ ધરતીએ આવીને પડ્યું નથી, વચમાં છે, ત્યાં સુધી સાસ્વાદન સમકિત કહીએ અને જ્યારે ધરતીએ આવી પડ્યું, ત્યારે મિથ્યાત્વ. ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, દેશે ઉણું અર્ધ પુગલ સંસાર ભોગવવો રહ્યો. જેમ કોઈ પુરૂષને માથે લાખ ક્રોડનું દેણું હતું તે પરદેશ જઈને કમાઈ આવ્યો, દેણું દેતાં એક અલીનું ઘણું ઓછું) દેણું રહ્યું તેનું વ્યાજ થયું, તેટલો સંસાર ભોગવવો રહ્યો. આવું સાસ્વાદન સમકિત ૧ નિયમા આવે જ એવું નહિ. કોઈને એક—બે વાર આવે કે ન પણ આવે. ઉપશમ સમકિતમાં પણ તેમ જ સમજવું. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પાંચ વાર આવે. (ઉપશમ સમકિતથી પડનાર જ આ ગુણસ્થાનને સ્પર્શે છે.) ત્રીજા મિશ્ર ગુણઠાણાનાં લક્ષણ – જેમ શ્રીખંડ ખાટા અને મીઠા સ્વાદવાળો હોય તેમ સમકિત અને મિથ્યાત્વના મિશ્ર પરિણામ હોય. નાલિકેર દ્વીપના મનુષ્યના દૃષ્ટાંત. જે દ્વીપમાં ખાવા માટે ફક્ત નાળીયેર જ હોય છે, તેને નાલિકેર દ્વીપ કહે છે. ત્યાંના મનુષ્યોએ અન્ય અન્નને જોયું જ નથી, સાંભળ્યું જ નથી તેથી તેમને અન્નમાં રૂચિ પણ નથી હોતી અને દ્વેષ પણ નથી હોતો. આ જ રીતે જ્યારે મિશ્ર મોહનીયનો ઉદય હોય છે ત્યારે જીવને જૈન ધર્મમાં પ્રીતિ પણ નથી હોતી અને અપ્રીતિ પણ નથી હોતી. અર્થાત્ શ્રી વીતરાગ પ્રભુએ જે ધર્મ કહ્યો છે તે જ સાચો છે, આ પ્રકારે એકાંત શ્રદ્ધારૂપ પ્રેમ નથી હોતો અને ધર્મ ખોટો છે, અવિશ્વાસપાત્ર છે આ પ્રકારે અરૂચિ રૂપ ષ પણ નથી હોતો. અર્થાત જે સર્વજ્ઞના માર્ગ માટે તેમજ અન્ય માર્ગ માટે અનિર્ણિત અવસ્થામાં હોય તે ત્રીજા મિશ્ર ગુણસ્થાનવાળો છે. તે સર્વ દેવ, સર્વ ગુરુ, સર્વધર્મ અને સર્વ શાસ્ત્રને સમાન માને છે. અથવા સમ્યક્ત્વ અને મિથ્યાત્વમાં તટસ્થ વૃત્તિ. મિશ્ર ગુણસ્થાનવાળો જીવ અનાદિ કાળથી ઉલટો હતો તે ૧ અનાદિનો મિથ્યાત્વી જીવ ત્રીજે ગુણસ્થાનકે આવી શકતો નથી. ભૂતકાળમાં જેણે સમકિતની સ્પર્શના કરી હોય ને વર્તમાને મિથ્યાત્વમાંથી ચોથે ગુણસ્થાનકે જતો હોય અથવા ચોથે ગુણસ્થાનકથી મિથ્યાત્વમાં જતો હોય ત્યારે જ જીવ ત્રીજે ગુણસ્થાનકે આવી શકે છે. ત્રીજે ગુણસ્થાનકે બતાવેલા ગુણો ચોથા ગુણસ્થાનકે પ્રાપ્ત થયેલા છે પરંતુ પડીને અહીં આવેલો હોવાથી તે ગુણો અહીં ચાલુ રહેલા છે. આ ગુણો ત્રીજે ગુણસ્થાનકે પ્રાપ્ત કરતો નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ રા. શ્રી ગુણસ્થાન દ્વાર સુલટો થયો, કાળા અડદ પરનું કાળાપણું હટાવીને મગની દાળ જેવો ઉજળો થયો, કૃષ્ણપક્ષી ટળીને શુક્લપક્ષી થયો. ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, જેમ કોઈ મનુષ્યને ૧ ક્રોડ રૂપિયાનું દેણું હતું તે ઘટીને અડધા રૂપિયા (પચાસ પૈસા)થી પણ ઓછું થઈ ગયું તેમ થોડો જ સંસાર પરિભ્રમણ કરવાનો બાકી રહ્યો. ઉત્કૃષ્ટો દેશ ઉણો અર્ધ પુલ પરાવર્તનમાં સંસારનો પાર પામશે. ચોથા અવિરતિ સમ્યગુદૃષ્ટિ ગુણઠાણાનાં લક્ષણ - ૭ પ્રકૃતિને ક્ષયોપશમાવે, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય એ ૭ પ્રકૃતિને કાંઈક ઉદય આવે તેને ક્ષય કરે અને સત્તામાં દલ છે તેને ઉપશમાવે તેને ક્ષયોપશમ સમકિત કહીએ. તે સમ્યત્વ અસંખ્યાતીવાર આવે. ૭ પ્રકૃતિના દલને સર્વથા ઉપશમાવે ઢાંકે તેને ઉપશમ સમકિત કહીએ. તે સમકિત પાંચવાર આવે. ૭ પ્રકૃતિના દલને સર્વથા ક્ષય કરે તેને લાયક સમકિત કહીએ. તે સમકિત ૧ વાર આવે. ચોથે ગુણઠાણે આવ્યો થકો જીવ, જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાલથકી, ભાવથકી, નોકારશી આદિ છમાસી તપ જાણે, સર્દહ, પ્રરૂપે પણ ફરસી શકે નહી, ત્યારે ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવતે કહ્યું, ગૌતમ ! તે જીવ સમકિત વ્યવહારપણે શુદ્ધ પ્રવર્તતો જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ પંદર ભવે મોક્ષે જાય (જો આ ગુણ. માં આયુષ્યનો બંધ કરે તે જ) અથવા દેશે ઊણું અર્ધ પુગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે જાય. વેદક સમકિત એક વાર આવે, તેની સ્થિતિ ન સમયની. પૂર્વે જો આયુષ્યનો બંધ પડ્યો ન હોય તો તે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ જીવ ૭ બોલમાં બંધ પાડે નહિ. ૧. નરકનું આયુષ્ય, ૨. ભવનપતિનું આયુષ્ય, ૩. તિર્યંચનું આયુષ્ય, ૪. વાણવ્યતરનું આયુષ્ય, ૫. જ્યોતિષનું આયુષ્ય, ૬. સ્ત્રીવેદ, ૭. નપુંસકવેદ. તે જીવ સમકિતના આઠ આચાર * આરાધી ચતુર્વિધ સંઘની વાત્સલ્યપૂર્વક, ઉત્સાહભેર, પરમહર્ષ ભક્તિ કરતો થકો જઘન્ય પહેલ દેવલોક ઉપજે, ઉત્. બારમે દેવલોકે ઉપજે. પન્નવણાની શાખે. પૂર્વ કર્મને ઉદયે કરીને વ્રત પચ્ચકખાણ કરી ન શકે પણ અનેક વર્ષના શ્રાવકધર્મના પાલક કહીએ. દશાશ્રુતસ્કંધે શ્રાવક કહ્યા છે તે માટે દર્શન શ્રાવકને અવિરતિ સમ્યગ્દષ્ટિ કહિએ. પાંચમા દેશવિરતિ ગુણઠાણાનું લક્ષણ – ૭ પ્રકૃતિ પૂર્વે સમકિત : ૧. ઉપશમ સમકિત : ૭ પ્રકૃતિનાં પ્રદેશોદય તથા વિપાકોદયને સર્વથા ઢાંકે ઉત્કૃષ્ટ અંત. સુધી. ૨. ક્ષયોપશમ સમકિત અનંતાનુબંધી કષાયનો વિસંયોજનરૂપી ક્ષય (સર્વથા નહિ), દર્શનત્રીકનો વિપાકોદય નહિ. પ્રદેશ ઉદય હોય તે. ૩. ક્ષાયિક સમકિત : ૭ પ્રકૃતિનો સર્વથા ક્ષય. ૪. સાસ્વાદન સમકિત : અનંતાનુબંધી કષાયનો વિપાકોદય તથા દર્શનત્રીકનો ઉપશમ. ૫. વેદક સમકિત : ક્ષાયિકનો પ્રથમ સમય, ક્ષયોપશમનો છેલ્લો સમય. (કર્મગ્રંથ-૩) *સમકિતના આઠ આચાર : (ઉતરાધ્યયન સૂત્ર અધ્ય. ૨૮) ૧. નિશંકિત – જિન પ્રવચનમાં કોઈપણ પ્રકારની શંકા ન કરવી. ૨. નિકાંક્ષિત – અસત્ય મતો તથા સાંસારિક સુખોની ઈચ્છા ન કરવી. ૩. નિર્વિચિકિત્સય – ધર્મનાં ફળમાં સંદેહ રહિત થવું. ૪. અમૂઢ દષ્ટિ : ઘણાં મતમતાંતરોનાં વિવાદાસ્પદ વિચારોને જોઈને દિમૂઢ ન થવું, પરંતુ પોતાની શ્રદ્ધા મજબૂત કરી રાખવી. ૫. ઉપબુહા – ગુણી પુરૂષોને જોઈને તેમની પ્રશંસા કરવી તથા પોતાનામાં એવા ગુણો આવે તેવો પ્રયત્ન કરવો. ૬. સ્થિરીકરણ – ધર્મથી વિમુખ થતાં જીવોને ધર્મમાં સ્થિર કરવા. ૭. વાત્સલ્ય - સ્વધર્મનું હિત કરવું અને સ્વધર્મીઓ પ્રત્યે પ્રેમ રાખવો, તેમની ભોજન વિ. થી ભક્તિ કરવી. ૮. પ્રભાવના - સત્ય ધર્મની પ્રભાવના, ઉન્નતિ અને પ્રચાર કરવો. Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વાર કહી તેનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરી, અપત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ એ ૪ મળી કુલ ૧૧ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે ત્યારે દેશવિરતિ ગુણસ્થાનકે આવે. પાંચમે ગુણઠાણે આવ્યો થકો જીવ જીવાદિક પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી નોકારશીથી લઈને છમાસી તપ જાણે, સદહે, પ્રરૂપે, શક્તિ પ્રમાણે સ્પર્શ. એક પચ્ચકખાણથી લઈને શ્રાવકના ૧૨ વ્રત, શ્રાવકની ૧૧ પડિમા આદરે, યાવત્ સંખના સુધી અણસણ કરી આરાધે. ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ! તે જીવ જ. ત્રીજે ભવે, ઉ. ૧૫ ભવે મોક્ષે જાય. જ. પહેલે દેવલોક ઉપજે, ઉ. બારમે દેવલોકે ઉપજે. તેને સાધુના વતની અપેક્ષાએ દેશવિરતિ કહીએ પણ પરિણામથી અવતની ક્રિયા ઊતરી ગઈ છે. અલ્પ ઈચ્છા, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહી, સુશીલ, સુવતી, ધર્મિષ્ટ, ધર્મવૃત્તિ, કલ્પઉગ્રવિહારી, મહાસંગવિહારીજ, ઉદાસી, વૈરાગ્યવંત, એકાંત આર્ય, સમ્યમાર્ગી, સુસાધુ, સુપાત્ર, ઉત્તમ ક્રિયાવાદી, આસ્તિક, આરાધક, જૈન માર્ગ પ્રભાવક, અરિહંતના શિષ્ય વર્ણવ્યા છે, ગીતાર્થ જાણે છે. સિદ્ધાંતની શાખ છે. શ્રાવકપણું એક ભવમાં પ્રત્યેક (૨ થી ૯) હજારવાર આવે. છઠ્ઠા પ્રમત્તસંજતિ ગુણઠાણાનાં લક્ષણ – પૂર્વની સાત પ્રકૃતિ કહી તેનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરે અને અપત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભ એ ૮ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે ત્યારે છઠ્ઠ ગુણ પ્રાપ્ત કરે. ગૌતમ સ્વામીએ વંદના * શ્રાવકનાં કલ્પ (નિયમોને) યથાતથ્ય પાળવાવાળા. જે મોક્ષ તરફનાં મહાન સંવેગવાળા. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬) ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ ! તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જીવાદિક નવ તત્ત્વ તથા નૌકાદશીથી લઈને છમાસી તપ જાણે, સર્દહ, પ્રરૂપે, શક્તિ પ્રમાણે સ્પર્શે. સાધુપણું એક ભવમાં પ્રત્યેક (૨ થી ૯) સો વાર આવે. તે જીવ જ. તે જ ભવે, ઉ. ૧૫ ભવે મોક્ષ જાય. આરાધક જીવ જ. પહેલે દેવલોક, ઉ. પાંચ અનુત્તર વિમાનમાં ઉપજે. ૧૭ ભેદે સંયમ નિર્મળ પાળે, ૧૨ ભેદે તપશ્ચર્યા કરે, પણ યોગ ચપળ, કષાય ચપળ, વચન ચપળ અને દૃષ્ટિમાં ચપળતાનો અંશ છે. તેણે કરીને યધપિ ઉત્તમ અપ્રમાદિ થકા રહે છે તો પણ પ્રમાદ રહે છે, માટે પ્રમાદપણે કરી તથા કૃષ્ણ આદિ વેશ્યા, અશુભયોગ, કોઈક કાળે પરિણમે છે. માટે કષાય પ્રકૃષ્ટમત્ત જ થઈ જાય છે તેને પ્રમત્તસંજતિ ગુણઠાણું કહિએ. સાતમા અપ્રમત્તસંજતિ ગુણઠાણાનાં લક્ષણ –- પાંચ પ્રમાદ છોડે ત્યારે સાતમે ગુણઠાણે આવે. તે પાંચ પ્રમાદનાં નામ : મધ, વિષય, કષાય, નિદ્રા, વિકહા, પંચમાં ભણિયા ! એ એ પંચ પમાયા, જીવા પાડતિ સંસારે || એ પાંચ પ્રમાદને છોડે તેને શું ગુણ નિપજ્યા ? તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જીવાદિક નવ તત્ત્વ તથા નોકારશીથી લઈને છમાસી તપ, ધ્યાન જુગતપણે (બંને સાથે) જાણે, સદ, પ્રરૂપે, સ્પર્શે. તે જીવું જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ પંદરમે ભવે મોક્ષ જાય. ગતિ તો પ્રાયઃ કલ્પાતીત (૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન) ની થાય. ધ્યાન તથા અનુષ્ઠાનને વિષે અપ્રમત્ત જ રહે છે તથા શુભ જ મજબૂત થઈ જવું. * જેની આદત પડી જાય તેવું કેફી પીણું. (ચા, કોફી, મદિરા). Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વાર લેશ્યામાં રહે છે. તેથી જ્યાં પ્રમાદરૂપ કષાય નથી તેને અપ્રમત્તસંજતિ ગુણસ્થાન કહેવાય છે. આઠમા નિયદિબાકર ગુણઠાણાનાં લક્ષણ – ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ ! તે જીવ પરિણામધારા, અપૂર્વકરણ જે કોઈ કાળે જીવને, કોઈ દિને આવ્યું નથી, તે શ્રેણી જુગત (સાથે) જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાળથકી, ભાવથકી, નૌકારશી આદિ છમાસી તપ જાણે, સર્દહ, પ્રરૂપે, સ્પર્શે. તે જીવ જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. અહીંથી શ્રેણી બે કરે. ૧. ઉપશમ શ્રેણી ને ૨. ક્ષપક શ્રેણી. ૧. ઉપશમ શ્રેણીવાળો જીવ તે મોહનીય કર્મની પ્રકૃતિના દલને ઉપશમાવતો ૧૧મા ગુણસ્થાનક સુધી જાય. પછી ત્યાંથી પડિવાઈ જ થાય. હિયમાન (ઊતરતા) પરિણામ પરિણમે અને ૨. ક્ષપક શ્રેણીવાળો જીવ મોહનીય કર્મની પ્રકૃતિના દળને ખપાવતો શુદ્ધ મૂળ માંથી નિર્જરા કરતો નવમે, દશમે ગુણઠાણે થઈને બારમે ગુણઠાણે જાય. અપડિવાઈ જ હોય. વર્ધમાન પરિણામ જ પરિણમે. " નિયષ્ટિ બાદરનો અર્થ તે નિવર્યો છે બોદરે કષાયથી, બાદર સંપરાય (કષાય) ક્રિયાથી. આત્યંતર પરિણામમાં અધ્યવસાય સ્થિર થવાથી, શ્રેણી કરી, બાદર ચપળતાથી નિવર્તે છે માટે નિયષ્ટિ બાદર ગુણઠાણું કહીએ તથા બીજું નામઅપૂર્વકરણ ગુણઠાણું કહીએ. જે કોઈ કાળે જીવે પૂર્વે એ શ્રેણી કરી ન હતી અને આ ગુણઠાણે પહેલું જ કરણ તે પંડિતવીર્યના આવરણને ક્ષય કરવા રૂપ કરણપરિણામ * જે ભવમાં જીવને ઉપશમ શ્રેણી હોય છે તે ભવમાં તે ક્ષપક શ્રેણી નથી કરતા. (ભગવતી સૂત્ર શ. ૯, ૧. ૩૧) કર્મગ્રંથની માન્યતા અલગ છે. - Page #207 -------------------------------------------------------------------------- ________________ વિ૮ટોનિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ધારા વર્ધનરૂપ શ્રેણી કરે તેને અપૂર્વકરણ ગુણઠાણું કહીએ આઠમાં ગુણસ્થાનકના છેડે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, એ છે પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય કરતા કુલ મોહનીયની ૨૧ પ્રકૃતિ જાય છે. નવમા અનિયદિબાકર ગુણઠાણાના લક્ષણ – તે ૨૧ ઉપર કહી તે અને સંવલનનો ક્રોધ, માન, માયા, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસક વેદ એમ ૨૭ પ્રકૃતિનો ક્ષય કરે અથવા ઉપશમ કરે. ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછયું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવતે કહ્યું, ગૌતમ ! તે જીવ જીવાદિક નવ તત્ત્વ તથા નૌકાદશી આદિ છમાસી તપ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાળથકી, ભાવથકી, નિર્વિકાર, અમાયી, વિષય નિવછાપણે (અનાશક્તપણે) જાણે, સર્દહ, પ્રરૂપે, સ્પર્શે તે જીવ તે જ ભવે મોક્ષે જાય, ઉ. ત્રીજે ભવે મોક્ષે જાય. તે સર્વથા પ્રકારે નિર્વત્યો નથી, અંશ માત્ર હજી બાદર સંપરાય ક્રિયા રહી છે માટે અનિયઢિબાદર ગુણ. કહીએ. આઠમ, નવમા ગુણઠાણાના શબ્દાર્થ ઘણા ગંભીર છે, તે અન્ય પંચસંગ્રહાદિક ગ્રંથ તથા સિદ્ધાંતથી સમજવા. દશમા સૂક્ષ્મસંપરાય ગુણઠાણાના લક્ષણ – તે ૨૭ પ્રકૃતિનો ક્ષય કરે અથવા ઉપશમ કરે અને ફક્ત એક સંજ્વલનના લોભનો ઉદય રહે છે. ગૌતમ સ્વામીએ હાથ જોડી, માન મોડી શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ!તે જીવ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાળથકી, ભાવથકી, જીવાદિક નવ તત્ત્વ તથા નકારશી આદિ છમાસી તપ, નિરાભિલાષ, નિર્વછક, અવેદકતાપણે, નિરાશી, અવ્યામોહ, અવિભ્રમપણે, ૧ વેદ રહિતપણું. ૩ જેનો મોહ નાશ પામ્યો છે. ૨ આશારહિત. ૪ ભ્રમરહિત. Page #208 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રી ગુણસ્થાન દ્વાર િિ 0૧૮૯] જાણે, સર્દહ, પ્રરૂપે, સ્પર્શ. તે જીવ જઘ. તે જ ભવે મોક્ષે જાય, ઉ. ત્રીજે ભવે મોક્ષે જાય. સૂક્ષ્મ, થોડીક, પાતલીશી સંપરાય ક્રિયા રહી છે તેથી તેને સૂક્ષ્મ સપરાય ગુણ. કહીએ. અગિયારમા ઉપશાંત મોહ ગુણઠાણાના લક્ષણ - તે ૨૭ પ્રકૃતિ ઉપર કહી તે અને ૧ સંજ્વલનનો લોભ તે ૨૮ પ્રકૃતિનો ઉપશમ કરે. સર્વથા ઢાંકે, રાખથી ઢાંક્યા અગ્નિની જેમ. ગૌતમ સ્વામીએ હાથ જોડી, માન મોડી શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ ! તે જીવ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાળથકી, ભાવથકી, જીવાદિક નવ તત્ત્વ તથા નૌકારશી આદિ છમાસી તપ વીતરાગ ભાવે, યથાખ્યાત ચારિત્રપણે જાણે, સદહે, પ્રરૂપે, સ્પર્શે. ત્યારે જો કાળ કરે તો અનુત્તર વિમાને (ચોથા ગુણસ્થાનકે) જાય. પછી મનુષ્ય થઈ મોક્ષે જાય અથવા ૧૧ મા ગુણની સ્થિતિ પૂરી થતાં દશમે આવે ત્યાં પહેલા જ સમયે સૂક્ષ્મ લોભનો ઉદય થાય. દશમાંથી પડે તો ઠેઠ પહેલા ગુણ. સુધી પણ જઈ શકે. પણ અગિયારમેથી ચડવું તો નથી જ. ઉપશાંત એટલે? ઉપશમ્યો છે મોહ, જળ દ્વારા સંપૂર્ણ અગ્નિ બુઝાવ્યાની જેમ નહિ, પણ રાખ વડેઢાંકેલા અગ્નિની જેમ, માટે ઉપશાંત મેહ ગુણ કહીએ. બારમા ક્ષીણમોહ ગુણઠાણાના લક્ષણ – તે મોહનીયની સર્વ ૨૮ પ્રકૃતિનો સર્વથા ક્ષય કરે | ખપાવે. ક્ષપકશ્રેણી, લાયકભાવ, ક્ષાયક સમકિત, લાયક યથાખ્યાતચારિત્ર, કરણ સત્ય', જોંગ સત્ય, ભાવ સત્ય, અમાયી, અકષાયી, વીતરાગી, ભાવનિર્ચથ, સંપૂર્ણ સંવુડે, સંપૂર્ણ ભાવિતાત્મા, મહા તપસ્વી, મહાસુશીલ, ૧ ઉપદેશ અને આચરણ બંને સત્ય, ૨ મન, વચન, કાયાના જોગને સત્ય પરિણમા, ૩ ભાવની વિશુદ્ધિ કરે તે, ૪ સર્વ દોષરહિત, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ અમોહી, અવિકારી, મહાજ્ઞાની, મહાધ્યાની, વર્ધમાન પરિણામી, અપડિવાઈ થઈ અંતર્મુહૂર્ત રહે. એ ગુણઠાણે કાળ થતો નથી. પુનર્ભવ છે નહિ. બા૨માનાં છેલ્લે સમયે પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, પાંચ અંતરાય કર્મની પ્રકૃતિ ક્ષય કરી તે૨મા ગુણઠાણાના પ્રથમ સમયે કેવળ જ્યોત પ્રગટે. મોહ સર્વથા જે ગુણઠાણે ક્ષય કર્યો છે તેને ક્ષીણ મોહ ગુણસ્થાન કહીએ. 2 C તે૨મા સયોગી કેવળી ગુણઠાણાના લક્ષણ – તે ૧૦ બોલ સહિત તે૨મે ગુણઠાણે વિચરે. સજોગી, સશ૨ી૨ી, સલેશી, શુક્લલેશી, યથાખ્યાત ચારિત્રી, ક્ષાયક સમકિત, પંડિત વીર્ય, શુક્લધ્યાન, કેવળ જ્ઞાન, કેવળદર્શન એ ૧૦ બોલ સહિત જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત. દેશે ઊણા પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે. ઘણા જીવોને તારી, પ્રતિબોધિ નિહાલ ક૨ીને, બીજા ત્રીજા શુક્લધ્યાનના પાયાને ધ્યાઈને, ચૌદમે જાય. સજોગી એટલે શુભ મન, વચન, કાયાના જોગ સહિત છે. બાહ્ય ચલો૫ક૨ણ * છે. ગમનાગમનાદિક ચેષ્ટા શુભ સહિત છે. કેવળજ્ઞાન, કેવળદર્શન ઉપયોગ સમયાતર અવિચ્છિન્નપણે શુદ્ધ પરિણમે માટે સજોગી કેવળી ગુણસ્થાનક કહીએ. ચૌદમા અયોગી કેવળી ગુણઠાણાના લક્ષણ - શુક્લ ધ્યાનનો ચોથો પાયો, સમુચ્છિશક્રિયા, અનંતર અપ્રતિપાતિ, અનિવૃત્તિધ્યાતા, મન જોગ રૂંધી, વચન જોગ રૂંધી, કાય જોગ રૂંધી, આન પ્રાણૐ નિરોધ કરી, (૧૩મે ગુણસ્થાનકને છેડે આ ક્રિયા થાય છે) રૂપાતીત ૫૨મ શુક્લ ધ્યાન ધ્યાતા, ૭ બોલ સહિત વિચરે. * સાધુના જે ઉપકરણ લઈ, મૂકી શકાય તે વસ્ત્ર, પાત્રાદિ. ૧ સર્વ ક્રિયા રહિત. ૨ શુક્લધ્યાનનો ચોથો પાયો જેમાંથી પાછા ફ૨વાનું નથી તેવું ધ્યાન. ૩ શ્વાસોશ્વાસ. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વાર ૧૯૧ ', ટનાનJ તે૨મે ૧૦ બોલ કહ્યાં તેમાંથી સજોગી, સલેશી, શુક્લ લેશી, એ ત્રણ વર્જીને શેષ સાત બોલ સહિત સકલગિરિનો રાજા મેરૂ તેની જેમ અડોલ, અચલ, સ્થિર અવસ્થાને પામે. શૈલેશીપણે` રહી, પંચ લઘુ અક્ષર (અ, ઇ, ઉ, ૠ, લૂ) ઉચ્ચાર કાલ પ્રમાણ રહી, શેષ વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર એ ૪ કર્મ ક્ષીણ ક૨ીને મુક્તિપદ્ પામે. શરીર ઔદારિક, તૈજસ, કાર્પણ, સર્વથા છોડીને સૈમશ્રેણી, ઋજુગતિ, અન્ય આકાશપ્રદેશને ન અવગાહતો, ન સ્પર્શતો, એક સમય માત્રમાં ઉર્ધ્વગતિ અવિગ્રહગતિએ ત્યાં જાય. એરંડબીજ બંધન મુક્તવત્, નિર્લેપ તુંબીવત્, કાઁદડ મુક્ત બાણવત્, કોદંડ મુક્ત બાણવત્, ઇંધનવન્તિ મુક્ત ધુમ્રવત્, ત્યાં સિદ્ધ ક્ષેત્રે જઈ, સાકાર ઉપયોગે સિદ્ધ થાય, બુદ્ઘ થાય, પારંગત થાય, પરંપરાગત થાય, સકલ કાર્ય અર્થ સાધી કૃતકૃતાર્થ, નિષ્ઠિતાર્થૐ અતુલ સુખમાં નિમગ્ન, સાદિ અનંત ભાંગે સિદ્ઘ થાય. જોગ રહિત, કેવળ સહિત વિચરે માટે અોગી કેવલી ગુણસ્થાનક કહીએ. એ સિદ્ઘ પદનું ભાવસ્મરણ, ચિંતન, મનન સદા કાળે મુજને હોજો. તે ઘડી, પળ ધન્ય, સફળ થશે. ઇતિ બીજો દ્વાર ત્રીજો સ્થિતિ દ્વાર પહેલા ગુણ.ની સ્થિતિ ૩ પ્રકારની (અ) અણાદિયા અપવસિયા – તે જે મિથ્યાત્વની આદિ નથી ને અંત પણ નથી તે અભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રી. (બ) અણાદિયા સપ૬વસિયા – તે જે મિથ્યાત્વની આદિ નથી પણ અંત છે, તે ભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રી. (ક) સાદિયા સપસિયા – તે જે મિથ્યાત્વની આદિ પણ છે અને અંત પણ છે, પડિવાઈ સમસૃષ્ટિના મિથ્યાત્વ આશ્રી. – તેની ૧ પર્વતની જેમ નિશ્ચલ, ૩ હવે કાંઈજ કરવાનું બાકી નથી. ૨ સંપૂર્ણ કાર્યની સિદ્ધિ. Page #211 -------------------------------------------------------------------------- ________________ - - 3. : *, ? લિ૯૨)ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સ્થિતિ જ. અંતર્મુહૂર્તની ઉ. અર્ધપુદ્ગલ પરાવર્તનથી થોડી ઊણી. પછી સમકિત પામીને અવશ્ય મોક્ષે જાય. બીજા ગુણ ની સ્થિતિ જ. ૧ સમય ઉ. ૬ આવલિકાની. ત્રીજા ગુણ. ની સ્થિતિ જ. અંત. ની ઉ. અંતર્મુહૂર્તની. ચોથા ગુણ ની જ. અંતર્મુહૂર્તની ઉ. ૩૩ સાગરોપમ ઝાઝેરી. પાંચમાની તથા તેરમાની જ. અંત, છઠ્ઠા ગુણ. ની જ. ૧ સમયની, ત્રણેની ઉ. દેશ ઊણી તે સાડા આઠ વર્ષ ઓછી પૂર્વ ક્રિોડા વર્ષની. ૭મા થી ૧૧મા ગુણ. ની જ. ૧ સમયની છે. અંતર્મુહૂર્તની. ૧૨ મા ગુણ ની જ. અંત. ઉ. અંત.ની. ૧૪માં ગુણ. ની પાંચ દસ્થ અક્ષરો (અ, ઇ, ઉં, &, લુ) ના ઉચ્ચારણમાં લાગતા સમય પ્રમાણેની. ઇતિ ત્રીજો દ્વાર ચોથો ક્રિયા દ્વાર પહેલે, બીજ, ત્રીજે ગુણઠાણે ર૪ ક્રિયા લાભે તે ઇરિયાવહિયા વર્જીને. ચોથે ગુણ. ૨૩ ક્રિયા લાભે તે ઈરિયાવહિયા, મિચ્છાદંસણ વત્તિયા એ બે વર્જીને. પાંચમે ગુણ. ૨૨ ક્રિયા લાભે તે ઉપરની બે તથા અપચ્ચકખાણ વરિયા એ ૩ વર્જીને. છ ગુણ. ૨૨ માંથી પારિગ્રહિયા વર્જીને ૨૧ ક્રિયા લાભે. સાતમાં ગુણ થી દશમા ગુણ. સુધી ૨૧ માંથી કાઇયા આદિ પાંચ અને આરંભીયા એ ૬ વર્જીને ૧૫ ક્રિયા લાભ. ૧૧,૧૨,૧૩ મે ગુણ. ૧ ઇરિયાવહિયા ક્રિયા લાભે. ૧૪ મે ગુણ. કોઈ ક્રિયા લાભે નહી. ઇતિ ચોથો ક્રિયા દ્વાર ચંદ્રમહર્ષિ રચિત પંચસંગ્રહમાં ચોથા ગુણ. ની ૩૩ સાગરની સ્થિતિ બતાવી છે તે વધારે ઉચિત જણાય છે. ક્ષયોપશમ સમકિતની સ્થિતિ ૬૬ સાગર ઝાઝેરી છે. ચોથા ગુણ. ની સ્થિતિ પૂર્ણ થવા પર ચોથું ગુણ. છોડીને જીવ સાધુ કે શ્રાવક થઈને ક્ષયોપશમ સમકિતની સ્થિતિ પૂર્ણ કરી શકે છે. ૩૩ સાગર પૂરા કરવા અનુત્તર વિમાનમાં જ ઉપજે તેમ ન માનવું પરંતુ બીજા દેવલોકોમાં ઉત્પન્ન થઈને પણ ૩૩ સાગર પૂર્ણ થઈ શકે છે. , Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વારા પાંચમો સત્તા દ્વાર પહેલા ગુણઠાણાથી તે અગિયારમા ગુણઠાણા સુધી આઠ કર્મની સત્તા. બારમે ગુણઠાણે કર્મની સત્તા તે ૧ મોહનીય વર્જીન. રમે, ચિદમ ગુણઠાણે ૪ કર્મની સત્તા તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. ઇતિ પાંચમો સત્તા દ્વાર છઠ્ઠો બંધ દ્વારા પહેલા ગુણઠાણાથી તે સાતમા ગુણ. સુધી ત્રીજું ગુણઠાણું વર્જીને 9 અથવા ૮ કર્મ બાંધે અને જે સાત બાંધે તો આયુષ્ય વર્જીને. ત્રીજે, આઠમે નવમ ગુણ. ૭ કર્મ બાંધે તે આયુષ્ય વજીને. દશમે ગુણ. ૬ કર્મ બાંધે તે આયુષ્ય અને મોહનીય વર્જીને. અગિયારમે, બારમે, તેરમે ગુણ. ૧ સાતા વેદનીય બાંધે. ચૌદમે ગુણ. અબંધ. ઇતિ છઠ્ઠો બંધ દ્વાર સાતમો વેદ અને આઠમો ઉદય દ્વાર પહેલા થી દશમા ગુણ. સુધી ૮ કર્મ વેદે ને 4 કર્મનો ઉદય. અગિયારમે, બારમે ગુણ. ૭ કર્મ વેદે ને ૭ નો ઉદય મોહનીય વને તેરમે, ચૌદમે ૪ કર્મ વેદે ને ૪ નો ઉદય તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. ઈતિ સાતમો વેદ, આઠમો ઉદય દ્વાર નવમો ઉદિરના દ્વાર પહેલા ગુણ. થી છઠ્ઠા ગુણ. સુધી છ-સાત કે આઠ કર્મની ઉદિરણા. છ ની કરે તો આયુષ્ય, વેદનીય વર્જીને. સાતની કરે તો આયુષ્ય વર્જીને. સાતમે, આઠમે તથા નવમે છ કર્મની ઉદિરણા થાય તે આયુષ્ય અને વેદનીય વર્જીને. દશમે છે અથવા પાંચની ઉરિણા થાય, છ ની થાય તો આયુષ્ય ને વેદનીય વજીને અથવા પાંચ કર્મની ઉરિણા આયુષ્ય, વેદનીય ને મોહનીય વર્જીને. અગિયારમે પાંચ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ કર્મની ઉદિરણા થાય. બારમે ગુણ. પાંચ અથવા બે કર્મની ઉદિરણા, બે ની કરે તો નામ ને ગોત્રની. તેરમે બે કર્મની ફરિણા તે નામ ને ગોત્રની. ચૌદમે કોઈ કર્મની ઉદિરણા નથી. ઇતિ નવમો દ્વારા દશમો નિર્જર દ્વારા પહેલાથી દશમા ગુણ. સુધી આઠ કર્મની નિર્જરા. અગિયારમે તથા બારમે સાત કર્મની નિર્જરા તે મોહનીય વર્જીને. તેરમે, ચૌદમે ૪ કર્મની નિર્જરા તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. ઈતિ દશમો નિર્જરા દ્વારા અગિયારમો ભાવ દ્વાર ભાવ છ છે. ૧) ઉદયભાવ, ૨) ઉપશમભાવ, ૩) ક્ષાયિકભાવ, ૪) ક્ષયોપશમભાવ, ૫) પારિમિકભાવ, દ) સન્નિવાઇભાવ. પહેલે, બીજે અને ત્રીજે ગુણ, 3 ભાવ તે ઉદય, ક્ષયોપશમ અને પરિણામિક. ચોથાથી અગિયારમા ગુણ. સુધી ઉપશમ ૧) ઉદયભાવ - જ્ઞાનાવરણીય આદિ ૮ કોના વિપાક (ફળ) ને અનુભવ કરવો તેને ઉદય કહે છે. આવા ઉદયને અથવા તેની પર્યાયને ઉદયભાવ કહે છે. જેમકે ક્રોધ આદિ. ૨) ઉપશમભાવ – સત્તામાં રહેવા છતાં કર્મોનું ઉદયમાં ન આવવું એટલે કે પ્રદેશ અને વિપાક બન્ને પ્રકારના કર્મોદય અટકી જવાથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે ઉપશમભાવ છે. જેમકે ઉપશમ સમકિત. ૩) સાયિકભાવ - કર્મોનો નાશ થવો તેને ક્ષય કહે છે. આવા ક્ષયથી જ ભાવ ઉત્પન્ન થાય છે તે ક્ષાયિકભાવ છે. જેમકે કેવળજ્ઞાન. ૪) લયોપશમભાવ - ઉદય પામ કર્મનો ક્ષય અને અનુદય પ્રાપ્ત કર્મનો ઉપશમ થવાથી જે ફળ ઉત્પન્ન થાય તે ક્ષયોપશમ ભાવ. જેમકે મતિજ્ઞાન. ૫) પારિશામિકભાવ -- જેના કારણે મૂળ વસ્તુમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન થાય એટલે કે વસ્તુ પોતાના સ્વભાવમાં જ પરિણત થતી રહે છે તેને પરિણામિકભાવે કહે છે. પારિવામિકભાવના કારણે જે દ્રવ્યને જે સ્વભાવ છે તે જ રૂપમાં તેનું પરિણમન થાય છે. જેમકે જીવત્વ, ભવ્યત્વ. ૬) સંન્નિવાઈભાવ – ઉપરોક્ત પાંચ ભાવોમાંથી કોઈપણ બે, ત્રણ આદિ ભાવોનું ભંગા થવું સન્નિપાત છે તેનાથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે સન્નિવાઈભાવ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વારા રિલિ૯૫ શ્રેણીવાળાને પાંચ ભાવ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ અને પારિણામિક ચોથાથી માંડી બારમા સુધી પક શ્રેણીવાળાને ચાર ભાવ ઉદય, ક્ષાયિક, ક્ષયોપશમ અને પરિણામિક. તેરમે, ચૌદમે ત્રણ ભાવ ઉદય, ક્ષાયિક અને પરિણામિક. સિદ્ધમાં ૨ ભાવ તે સાયિક અને પારિણામિક. ઇતિ અગિયારમો ભાવ દ્વાર બારમો કારણ દ્વાર કર્મબંધનનાં કારણ પાંચ તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાય અને જોગ. પહેલે, ત્રીજે ગુણ. ૫ કારણ લાભે. બીજે, ચોથે ૪ કારણ લાભ, મિથ્યાત્વ વર્જીને. પાંચમે, છ ગુણ. ૩ કારણ લાભ, મિથ્યાત્વ, અવિરતિ બે વર્જીને. સાતમાથી દશમા ગુણ સુધી બે કારણ લાભે તે કષાય અને જોગ એ બે. અગિયારમે, બારમે, તેરમે ૧ કારણ લાભ તે જોગ. ચૌદમે કોઈ કારણ નથી. ઇતિ બારમો કારણ દ્વાર તેરમો પરિષહ દ્વાર . ચાર કર્મના ઉદયે ૨૨ પરિષહ લાભ. ૧. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે બે પરિષહ – (૨૦) પ્રજ્ઞા અને (૨૧) અજ્ઞાન. હન ૨. વેદની કર્મના ઉદયુથી ૧૧ પરિષહ – (૧) ઉંધા (૨) તે (૩) શીત, (૪) ઉષ્ણ(૫) દેશસિંગે, (૯) ચિલી, (૧૧) સેક, (૧૩) વધ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મેલ. ૩. મોહનીય કર્મના ઉદયે ૮ પરિષહ – તેમાં દર્શન મોહનીયના ઉદયે એક (૨૨) દંસણને ચારિત્રમોહનીયના ઉદયથી ૭ પરિષહ – (૬) અચલ, (૭) અરતિ, (૮) સ્ત્રી, (૧૦) બેસવાનો, (૧૨) આક્રોશવચન, (૧૪) યાચના, (૧૯) સત્કાર પુરસ્કાર. ૪. અંતરાય કર્મના ઉદયે એક પરિષહ તે (૧૫) અલાભ. પહલેથી ચોથા ગુણ. સુધી યદ્યપિ ૨૨ પરિપત લાભ પણ તે Hica Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ દુઃખરૂપ છે. નિર્જરા રૂપ પરિણમે નહિ. ૫, ૬, ૭ ગુણ. ૨૨ પરિષહ લાભ. એક સમયે ૨૦ વેદે. ટાઢનો ત્યાં તાપનો નહિ તાપનો ત્યાં ટાઢ નો નહિ. ચાલવાનો ત્યાં બેસવાનો નહિ અને બેસવાનો ત્યાં ચાલવાનો નહિ. આઠમે ગુણ. ૨૧ પરિપત લાભે તે દંસણનો વજીને. નવમે ગુણઠાણે ૧૮ પરિષહ લાભે તે અચેલ, અરતિ અને બેસવાનો એ ત્રણ વર્જીને. દશમ, અગિયારમે, બારમે ગુણઠાણે ૧૪ પરિષહ લાભે તે સ્ત્રી, આક્રોશવચન, યાચના અને સત્કાર પુરસ્કાર એ ચાર વજીને એક સમયે ૧૨ વેદે. તેરમે, ચૌદમે ૧૧ પરિષહ લાભે તે ઉપરના ૧૪ માંથી પ્રજ્ઞા અને અજ્ઞાન તે બે જ્ઞાનાવરણીયકર્મના ઉદયે હતા અને એક અલાભનો અંતરાય કર્મના ઉદય હતો તે ત્રણ વર્જીને ૧૧ લાભે. એક સમયે ૯ વેદ, ટાઢનો ત્યાં તાપનો નહિ અને તાપનો ત્યાં ટાઢનો નહિ. ચાલવાનો ત્યાં સેજાનો નહિ અને સેક્વાનો ત્યાં ચાલવાનો નહિ. ઈતિ તેરમો પરિષદ દ્વાર - ચૌદમો માર્ગણા દ્વારા પહેલે ગુણઠાણે માર્ગણા ૪, ચડીને ત્રીજે, ચોથ, પાંચમે અને સાતમે જાય. બીજે ગુણ. માગણા ૧, પડીને પહેલ આવે પણ ચડવું નથી. ત્રીજે માર્ગણા ૪, પડે તો પહેલે આવે અને ચડે તો ચોથે, પાંચમે અને સાતમે જાય. ચોથે માર્ગણા પાંચ પડે તો પહેલે, બીજે, ત્રીજે આવે અને ચડે તો પાંચમે, સાતમે જાય. પાંચમે માર્ગણા ૫, પડે તો પહેલે, બીજ, ત્રીજે, ચોથે આવે અને ચડે તો સાતમે જાય. છટ્ટ માર્ગણા ૬, પડે તો પહેલે, બીજે, ત્રીજે, ચોથે, પાંચમે આવે અને ચડે તો સાતમે જાય. સાતમે માર્ગણા ૩, પડે તો છ, ચોથે આવે અને # સાતમા ગુણ થી આગળના ગુણ. કે પડે તો ચોથે ની જે માર્ગણા બતાવી છે તે તે ગુણ માં કાળ કરીને દેવ થાય તે આશ્રી જાણવી. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વા૨ El 169 ચડે તો આઠમે જાય. આઠમે માર્ગણા ૩, પડે તો સાતમે, ચોથે આવે અને ચડે તો નવમે જાય. નવમે માર્ગણા ૩, પડે તો આઠમે, ચોથે આવે અને ચડે તો દશમે જાય. દશમે માર્ગણા ૪, પડે તો નવમે, ચોથે આવે અને ચડે તો અગિયારમે, બારમે જાય. અગિયારમે માર્ગણા ૨, કાળ કરે તો (અનુત્તર વિમાને) ચોથે જાય, પડે તો દશમે આવે પણ ચડવું નથી. બારમે માર્ગણા ૧, તેરમે જાય, પડવું નથી. તેરમે માર્ગણા ૧, તે ચૌદમે જાય, પડવું નથી. ચૌદમે માર્ગણા નથી મોક્ષે જાય. ઇતિ ચૌદમો માર્ગણા તાર પંદરમો આત્મા દ્વાર આત્મા ૮ છે. ૧ દ્રવ્યઆત્મા, ૨ કષાયઆત્મા, ૩ યોગઆત્મા, ૪ ઉપયોગઆત્મા, ૫ જ્ઞાનઆત્મા, ૬ દર્શનઆત્મા, ચારિત્ર આત્મા, ૮ વીર્યઆત્મા. પહેલે, ત્રીજે ગુણ. ૬ આત્મા, જ્ઞાન અને ચારિત્ર એ બે વર્જીને. બીજે, ચોથે ગુણ. ૭ આત્મા, ચારિત્ર વર્જીને પાંચમે ગુણ. પણ ૭ આત્મા, દેશથી ચરિત્ર છે. છથી દશમા ગુણ. સુધી ૮ આત્મા. અગિયારમે, બારમે, તેરમે ગુણ. ૭ આત્મા તે કષાય વર્જીને. ચૌદમે ગુણ. ૬ આત્મા તે કષાય ને જોગ વર્જીને સિદ્ધમાં ૪ આત્મા તે જ્ઞાન, દર્શન, દ્રવ્ય અને ઉપયોગઆત્મા. ઇતિ પંદરમો દ્વાર સોળમો જીવ ભેદ દ્વારા પહેલે ગુણ. ૧૪ ભેદ લાભે. બીજે ગુણ. ૬ ભેદ લાભ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય એ ચારના અપર્યાપ્તા ને સંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો, પર્યાપ્તો એમ ૬. ત્રીજે ગુણ. એક સંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાયો લાભે. ચોથે ગુણ. બે ભેદ લાભે તે સંજ્ઞા પંચેન્દ્રિયનો અપર્યાપ્ત, પર્યાપ્તો એ છે. પાંચમાથી તે ચૌદમા ગુણ. સુધી એક સંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાયો લાભે. ઇતિ સોળમો દ્વારા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮]ી . શ્રી બહ૬ જૈન થોક સંગ્રહ સત્તરમો જોગ દ્વાર પહેલે, બીજે અને ચોથે ગુણ. જોગ ૧૩ લાભે તે બે આહારકના વર્જીને. ત્રીજે ગુણ. ૧૦ જોગ લાભે તે જ મનના, ૪ વચનના, ૧ દારિક, ૧ વૈક્રિયનો એ ૧૦. પાંચમે ગુણ. ૧૨ જોગ લાભ તે આહારકના બે અને કાર્મણનો એક છોડીને ૧૨. છ ગુણ. ૧૪ જગ લાભે તે ૧ કામણનો વર્જીને. સાતમથી બારમા ગુણ સુધી ૯ જોગ તે જ મનના, ૪ વચનના, ૧ ઔદારિકનો. તેરમે ગુણ. ૭ જોગ લાભે તે ર મનના, ર વચનના, ૧ ઔદારિક, ૧ ઔદારિક મિશ્ર, ૧ કાર્પણ કાયયોગ તે ૭ અથવા પાંચ જોગ લાભે તે ર મનના, ર વચનના, ૧ ઔદારિકનો. ચૌદમે ગુણ. જોગ નથી (અજોગી). ઇતિ સત્તરમો દ્વાર અઢારમો ઉપયોગ દ્વાર પહેલે ને ત્રીજે ગુણ. ૬ ઉપયોગ લાભે તે ૩ અજ્ઞાન ને ૩ દર્શન એ ૬. બીજે, ચોથે, પાંચમ ગુણ. ૬ ઉપયોગ તે ૩ જ્ઞાન ને ૩ દર્શન એ ૬. છઠ્ઠાથી તે બારમા ગુણ. સુધી ઉપયોગ ૭ લાભે તે ૪ જ્ઞાન ને ૩ દર્શન એ ૭. (દશમા ગુણ. ઉપયોગ ૭ તે લબ્ધિની અપેક્ષાએ પરંતુ ફક્ત સાકાર ઉપયોગ હોવાથી ૪ ઉપયોગ તે ૧ સાતમ ગુણ. ૧૧ જોગ હોવાની પણ ધારણા છે તે ઉત્તર વૈક્રિય અથવા આહારક શરીર છ ગુણ. બનાવ્યું હોય અને અલ્પકાળ માટે સાતમું ગુણ. સ્પર્શી જાય તો ૧૧ જોગ લાભ. (ઉપર પ્રમાણે ૯ જોગ તથા વૈક્રિયના બે મળીને ૧૧ અથવા આહારકના બે મળીને ૧૧). ૨ મિશ્ર યોગનો ઉપયોગ એક શરીરમાંથી બીજા શરીરમાં જતી વખતે કરે પણ અહીં ૧૩મે ગુણ. કેવળ સમુદ્ધાત કરે માટે. ૩ ૧૩મે ગુણ. ધૂળસમુઘાત ન કરે તો પાંચ જોગ અને કરે તો ૭ જોગ. Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વાર ફિલિ૯૭ જ્ઞાનના.) તે રમે, ચૌદમે ગુણ. તથા સિદ્ધમાં બે ઉપયોગ તે કેવળજ્ઞાન અને કેવળદર્શન. ઇતિ અઢારમો દ્વારા ઓગણીસમો વેશ્યા દ્વાર પહેલાથી છઠ્ઠા ગુણ સુધી ૬ વેશ્યા લાભે. સાતમે ગુણ ઉપલી ત્રણ શુભ લેશ્યા. આઠમેથી બારમાં ગુણ. સુધી ૧ શુક્લ લેશ્યા. તેરમે ગુણ ૧ પરમ શુક્લ લેગ્યા. ચૌદમે ગુણ. વેશ્યા નથી (અલેશી). ઈતિ ઓગણીસમો દ્વાર વીસમો ચારિત્ર દ્વાર પહલથી તે ચોથા ગુણ. સુધી કોઈ ચારિત્ર નથી. પાંચમ ગુણ. દેશથી સામાયિક ચારિત્ર છે. છઠ્ઠ, સાતમે ગુણ. ૩ ચારિત્ર લાભે તે સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર. આઠમે, નવ ગુણ. ૨ ચારિત્ર લાભે તે સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર. દશમે ગુણ. ૧ સૂક્ષ્મસંપરા ચારિત્ર લાભે. અગિયારમેથી ચૌદમા ગુણ. સુધી ૧ યથાવાત ચારિત્ર લાભ. ઇતિ વીસમો દ્વાર એકવીસમો દ્વાર - [ પહલ, ત્રીજે ગુણ. સમકિત નથી. બીજે ગુણ. સાસ્વાદાન સમકિત. ચોથ, પાંચમે, છટ્ટ અને સાતમે ગુણ. ઉપશમ, ક્ષયોપશમ, વેદક અને ક્ષાયિક એ ચાર સમકિત લાભ. આઠમ, નવમે. દશમે, અગિયારમે ગુણ. રસમતિ તે ઉપશમ અને ક્ષાયિકા બારમે, તેરમે, ચૌદમે ગુણ તથા સિદ્ધમાં ૧ ક્ષાયિક સમકિત. ઇતિ ૨૧ મો દ્વારા બાવીસમો અલ્પબદુત્વ દ્વાર સર્વથી થોડા અગિયારમા ગુણઠાણાવાળા, એક સમયે ઉપશમશ્રેણીવાળા ૫૪ જીવ લાભ માટે. તેથી બારમા દાણાવાળા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કિમી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સંખ્યાતગુણા, એક સમયે કાપક શ્રેણીવાળા ૧ બદ જુવ લાભ માટે. તથી આઠમ, નવમી, દશમા ગુણદાણાવાળા સંગાનગુણા, તે જ. બસો છે. નવસો લાભ માટે. તેથી તેરમાં ગુણઠાણાવાળા સંખ્યાતગુણા, જ. બે ક્રોડી ઉ. નવ કોડી લાભ માટે, તેથી સાતમાં ગુણઠાણાવાળા સંખ્યાતગુણા, જ. બસ કાડી . નવસો કોડી લાભ માટે તેથી છઠ્ઠા ગુણઠાણાવાળા સંખ્યાતગુણા. જ. બે હજાર કોડી ઉ. નવ હજાર કોડી લાર્ભ માટે, તેથી પાંચમા ગુણદાણાવાળા અસંખ્યાતગુણા, તિર્યંચ શ્રાવક ભળ્યા માટે. તેથી બીજા ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા, ૪ ગતિમાં લાભ માટે, તેથી ત્રીજા ગુણદાણાવાળા અસંખ્યાતગુણા, ૪ ગતિમાં વિશેષ છે માટે, તેથી ચોથા ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા, સ્થિતિ ઘણી છે માટે. તેથી ચોદમાં ગુણઠાણાવાળા ને સિદ્ધ ભગવંતજી અનંતગુણા. તેથી પહેલા ગુણદાણાવાળા અનંતગુણા, અકેન્દ્રિય પ્રમુખ સર્વ મિથ્યાષ્ટિ છે માટે. ઇતિ બાવીસમો દ્વાર * * ઈતિ ગુણસ્થાનકના ૨૨ દ્વાર સંપૂર્ણ ક છ વન દ્વાર (અનુયાગ વાર સૂત્ર) છ ભાવનાં નામ: ૧ ઉદયભાવ, ર ઉપશમભાવ, કે ક્ષાયિકભાવ, ૪ યાપથમિકભાવ, ૫ પારિામિકભાવ, ૬ સમિવાભાવ. ૧. ઉદયભાવના બે ભેદ – ૧. જીવ ઉદય નિષ્પન્ન અને ૨ અજીવ ઉદય નિષ્પન્ન. જીવ ઉદય નિષ્પન્નમાં ૩૩ બોલ પામે. ચાર ગતિ (૪), છ કાય (10), ચાર કપાય (૧૪), ત્રણ વૈદ (૧૭), છે લડ્યા (૨૩), મિથ્યાષ્ટિપણું (૨૪), અવનીપણું (૨૫), અસંતીપણું (રદ). અજ્ઞાન (૨૭), આહારકપણું (૨ ), છદ્મસ્થપણું (ર૯), સગીપણું (32), સંસાપરિયડ્રણા (ઉ), અસિદ્ધપણું Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વાર રિ૦૧] (૩ર), અકેવળી (૩૩) એમ 3 બોલ જીવ ઔદયિકથી પામે. એ જીવ દયિકના ભેદ કહ્યા. ૨. અજીવ ઉદય નિષ્પન્નમાં ત્રીસ . બોલ પામે. ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ, ૫ શરીર. ૫ શરીરના વ્યાપાર એ ૩૦.આમ બન્નેના મળીને ૩૩ - ૩૦ = ૬૩ બોલ ઉદયભાવના કહ્યા. ૨. ઉપશમ ભાવના ૧૧ બોલ ૪ કપાય, પ રાગ, ૬ ષ, ૭ દર્શન મોહનીય, ૮ ચારિત્ર મોહનીય, એ આઠનો ઉપશમ, ૯ ઉવસમિયા દંસણ લદ્ધિ૧, ૧૦ ઉવસમિયા ચરિત્તલદ્ધિ, ૧૧ ઉવસમિયા અકપાય છઉમત્ય વીતરાગ લદ્ધિ એમ ૧૧. ૩. ક્ષાયિક ભાવના ૩૭ બોલ : ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ર વેદનીયની, ૧ રાગની, ૧ ટૅપની ૪ કપાયની, ૧ દર્શનમોહનીયની, ૧ ચારિત્રમોહનીયની, ૪ આયુષ્યની, ર નામની, ૨ ગોત્રની, ૫ અંતરાયની એમ 39 પ્રકૃતિનો ક્ષય કરે તેને લાયકભાવ કહીએ. ત૮ બોલ પામે ક્ષાયિક સમકિત, ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન, કેવળદર્શન અને ક્ષાયિક દાનાદિ પાંચ લબ્ધિ એમ ૯. ૪. ક્ષયોપશમ ભાવે ૩૦ બોલ : ૪ જ્ઞાન પ્રથમના, ૩ અજ્ઞાન. ૩ દર્શન, 3 દૃષ્ટિ, ૪ પ્રથમના ચારિત્ર, ૧ ચરિત્તાચરિત્ત તે શ્રાવકપણું, ૧ આચાર્યગણિની પદવી, ૧ ચૌદ પૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ, પ ઇન્દ્રિયની પાંચલબ્ધિ, ૫ દાનાદિ લબ્ધિ એ ૩૦ બોલ. છું? ૨. પારિવામિક ભાવના બે ભેદ : ૧ સાદિ પરિણામિક, ૨ અનાદિ પારિણામિક. સાદિ વિણસે, અનાદિ વિણસે નહિ. ૧. સાદિ પારિણામિકના અનેક ભેદ છે તે જુની સુરા, મદિરા, જુનો ૧ ઉપશમ સમકિતની પ્રાપ્તિ, ૨ ઉપશમ ભાવનાં ચારિત્રની પ્રાપ્તિ, ૩ અગિયારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગોળ, તંદુલ એ આદિ ૭૩ બોલ ભગવતીની શાખે છે. ર, અનાદિ પરિણામિકના દશ બોલ. ૧ ધર્માસ્તિકાય, ર અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ જીવાસ્તિકાય, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ કાળ, ૭ લોક, ૮ અલોક ૯ ભવ્ય, ૧૦ અભવ્ય. ૬. સન્નિવાઈ ભાવના ૨૬ ભાંગા: બે સંયોગીના ૧૦, ત્રણ સંયોગીના ૧૦, ચાર સંયોગીના ૫, પાંચ સંયોગીનો ૧. તેનો વિસ્તાર શ્રી અનુયોગ દ્વારથી જાણવો. (વિસ્તાર તથા સમજણ માટે અવશ્ય જુઓ થોકડો નં. ૧૦ જીવસ્થાનક પાનું ૧૭૮.) ઇતિ છ ભાવનો દ્વાર ૧૪ ગુણસ્થાનક ઉપર ૯ ક્ષેપક દ્વાર. પ્રથમ હેતુ દ્વાર : કર્મબંધનના મૂળ હેતુ ૧ મિથ્યાત્વ, ર અવત, ૩ કષાય, ૪ જોગ એ ચાર છે. ઉત્તર હેતુ ૫૭ છે તે ૫ મિથ્યાત્વ, ૧૨ અવત (૬ કાય, પ ઇન્દ્રિય, ૧ મિન), ૨૫ કષાય અને ૧૫ જોગ. પહેલે ગુણ. પપ હેતુ તે આરકના બે વર્જીને. બીજે ગુણ. ૫૦ હેતુ તે ૧૨ અવત, ૨૫ કષાય અને ૧૩ જોગ (પ મિથ્યાત્વના વર્જીને). ત્રીજે ગુણ. ૪૩ હેતુ તે ૧૨ અવત, ૨૧ કષાય (અનંતાનુબંધીના ૪ વર્જીન), અને ૧૦ જોગ (ચાર મનના, ચાર વચનના, ૧ ઓદારિક, ૧ વક્રિયનો). ચોથે ગુણ.૪૬ હેતુ તે ૧૨ અવત, ૨૧ કષાય અને ૧૩ જોગ (આહારકના બે વર્જીન). પાંચમે ગુણ. ૪૦ હેતુ તે ૧૧ અવંત (ત્રસકાય વજીને), ૧૭ કપાય (૪ અનંતાનુબંધી અને ૪ અપ્રત્યાખ્યાની વર્જીને).J2 402 } 2 zz કે તે નg ને વA Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વાર છ ગુણ. ૨૭ હેતુ તે ૧૩ કપાય (સંજ્વલનનો ચોક અને ૯ નોકષાય) અને ૧૪ જોગ (૧ કાશ્મણ વર્જીને). સાતમે ગુણ. ૨૪ હેતુ તે ૧૩ કષાય (સંજ્વલનનો ચોક અને ૯ નોકષાય) અને ૧૧ જોગ (૪ મનનાં, ૪ વચનના, ૧ ઔદારિક, ૧ વૈક્રિય, ૧ આહારક). આઠમે ગુણ. ૨૨ હેતુ ૧૩ કષાય (સંજ્વલનનો ચોક અને ૯ નોકષાય) અને ૯ જોગ (૪ મનનાં, ૪ વચનનાં, ૧ ઔદારિક). નવમે ગુણ, ૧૬ હેતુ તે ૭ કપાય (૪ સંજ્વલનના અને ૩ વેદ) અને ૯ જોગ ઉપર મુજબ દશમે ગુણ. ૧૦ હેતુ તે ૧ સંજ્વલનનો લોભ અને ૯ જોગ. અગિયારમે તથા બારમે ગુણ. ૯ હેતુ તે ૯ જોગ. તેરમે ગુણ. ૭ હેતુ તે ૭ જોગ (૨ મનનાં, ૨ વચનનાં, ૧ દારિક, ૧ ઔદારિક મિશ્ર, ૧ કાર્પણ કાયયોગ). ચૌદમે ગુણ. હેતુ નથી. અબંધક. ઈતિ પ્રથમ હેતુ દ્વાર બીજો દંડક દ્વાર : પહેલે ગુણ. ૨૪ દંડક. બીજે ગુણ. ૧૯ દંડક તે પ સ્થાવરના વર્જીને. ત્રીજે, ચોથે ગુણ. ૧૬ દંડક તે ૧૯ માંથી 3 વિકલેરિયના વર્જીને. પાંચમે ગુણ. ૨ દંડક, સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચનો. છઠ્ઠાથી તે ચૌદમા ગુણ. સુધી ૧ મનુષ્યનો દંડક. ઈતિ બીજો દંડક દ્વાર ત્રીજો છવાયોનિ દ્વાર: પહેલે ગુણ, ૮૪ લાખ જીવાયોનિ, બીજે ગુણ. ૩૨ લાખ જીવાયોનિ તે એકેન્દ્રિયની પર લાખ વર્જીને. ત્રીજે, ચોથે ગુણ. ર૬ લાખ જીવાયોનિ તે ઉપરમાંથી ૬ લાખ વિકલેજિયની વર્જીને પાંચમે ગુણ. ૧૮ લાખ જીવાયોનિ તે ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિયની અને ૧૪ લાખ મનુષ્યની. છઠ્ઠાથી તે ચૌદમા Page #223 -------------------------------------------------------------------------- ________________ રિ૦ 0િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગુણ. સુધી ૧૪ લાખ જીવાયોનિ તે મનુષ્યની. ઈતિ ત્રીજો જીવાયોનિ દ્વાર - ચોથો અંતર દ્વાર : પહેલે ગુણ. જ. અંતર્મુહૂર્ત ઉ. ૬૬ સાગર ઝાઝેરાનું. બીજા ગુણ. નું અંતર જ. પલ્યનો અસંખ્યાતમાં ભાગ લે. દેશે ઊણું અર્ધપુદ્ગલ પરાવર્તન. ત્રીજાથી અગિયારમા ગુણ. નું અંતર જ. અંતર્મુહૂર્તનું ઉ. અર્ધપુદ્ગલમાં દેશે ઊણું. બારમે, તેરમે ને ચૌદમે ગુણ. આંતરૂં નથી. એ એક જીવ આશ્રી. ઇતિ ચોથો અંતર દ્વાર પાંચમો ધ્યાન દ્વાર : પહેલે, બીજ, ત્રીજે ગુણ. પ્રથમના બે ધ્યાન. ચોથ, પાંચમે ગુણ. પ્રથમના ત્રણ ધ્યાન. છ ગુણ. બે ધ્યાન તે આર્તધ્યાન અને ધર્મધ્યાન. સાતમે ગુણ. ૧ ધર્મધ્યાન. આઠમે થી ચૌદમે ગુણ સુધી ૧ શુક્લધ્યાન. ઈતિ પાંચમો ધ્યાન દ્વાર છઠ્ઠો સ્પર્શના દ્વાર : પહેલું ગુણ. ૧૪ રાજલોક સ્પર્શ. બીજું ગુણ હેઠું પંડગવનથી તે છઠ્ઠી નરક સુધી સ્પર્શ તથા ઊંચુ અધોગામની વિજયથી તે ૯ ગ્રેવેયક સુધી સ્પર્શ. ત્રીજું ગુણ. લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે. ચોથું ગુણ અધોગામની વિજયથી બારમા દેવલોક સુધી સ્પર્શ અથવા પંડગવનથી છઠ્ઠી નરક સુધી સ્પર્શે. પાંચમું ગુણ. અધોગામની વિજયથી બારમા દેવલોક સુધી સ્પર્શ. છઠ્ઠ ગુણ. અધોગામની વિજયથી પાંચ અનુત્તર વિમાન સુધી સ્પર્શ. સાતમાથી બારમું ગુણ. લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શે. તેરમું ગુણ. સર્વલોક સ્પર્શે તે કેવળ સમુદ્યાત અપેક્ષા ચૌદમું ગુણ, લોકનો અસંખ્યાતમાં, ભાગ સ્પર્શ. ઇતિ છઠ્ઠો સ્પર્શના દ્વાર * સાતમો દ્વાર : (૧) વાટે વહેતા જીવના ગુણસ્થાનક ત્રણ તે ૧, ૨, ૪. Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુણસ્થાન દ્વા૨ ૨૦૫ ૮. (૨) અપડિવાઇ ગુણસ્થાનક ત્રણ તે ૧૨, ૧૩, ૧૪. (૩) અમર ગુણસ્થાનક ત્રણ તે ૩, ૧૨, ૧૩. (૪) તીર્થંક૨નામ ગોત્ર પ ગુણસ્થાનકે બાંધે ૪, ૫, ૬, ૭, (૫) તીર્થંક૨ પાંચ ગુણ. ન સ્પર્શે તે ૧, ૨, ૩, ૫, ૧૧. (૬) શાશ્વતા ગુણ. ૧, ૪, ૫, ૬, ૧૩. ', (૭) અનાહારક ગુણ. પાંચ તે ૧, ૨, ૪, ૧૩, ૧૪. (૮) તદ્ભવ મોક્ષગામી જીવ ૧૩ ગુણ. સ્પર્શે. તે ૧૧ મું ખાા લખ વર્જીને બધા સ્પર્શે. કોઈ અંતકૃત જીવ ૧-૨-૩-૫-૬-૧૧ વર્જીને આઠ ગુણ. ઇતિ સાતમો દ્વા૨ આઠમો સંઘયણ દ્વાર : ગુણસ્થાનક ૧ થી ૭ સુધીમાં ૬ સંઘયણ લાભ. ગુણસ્થાનક ૮ થી ૧૧ સુધી ઉપશમ શ્રેણી વાળાને પહેલા ૩ સંઘયણ લાભે. ગુણ. ૮ થી ૧૪ સુધી ક્ષપક શ્રેણી વાળાને સંઘયણ એક વજઋષભનારાચ સંધયણ લાભે. ઇતિ આઠમો દ્વાર નવમો સાહરણ દ્વાર યોજી અવેર્ધર પરિહાર વિશુદ્ધ ચારિત્રવંત, પુલાક લબ્ધિવંત, અપ્રમત્ત સાધુ, ૧૪ પૂર્વી સાધુ, આહારક શરીર અને કેવળીનું કોઇ દેવતા સાહરણ કરી શકે નહિ. ઇતિ નવમો સાહ૨ણ દ્વાર . ઇતિ નવ ક્ષેપક દ્વાર. વિ ઇતિ ગુણસ્થાનક દ્વા૨. 國開關關图图图图诊 Page #225 -------------------------------------------------------------------------- ________________ રિ૦૬ 0િ શ્રી બહ૬ જૈન થોક સંગ્રહ Sતો ૧૧. તેત્રીસ બોલ] SS) આવશ્યક સૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૧ ૧. એક પ્રકારે અસંયમ : સર્વ આશ્રવથી નહિ નિવર્તવું તે. ૨. બે પ્રકારે બંધ: ૧ રાગબંધ, ૨ દ્રષબંધ. ૩. ત્રણ પ્રકારે દંડ: ૧ મનદંડ, ર વચનદંડ, ૩ કાયદંડ. ત્રણ પ્રકારે ગુપ્તિ : ૧ મનગુપ્તિ, ૨ વચનગુપ્તિ, ૩ કાયગુપ્તિ. ત્રણ પ્રકારે શલ્ય : ૧ માયા શલ્ય, ૨ નિદાન શલ્ય, ૩ મિથ્યાદર્શન શલ્ય. ત્રણ પ્રકારે ગર્વ : ૧ ઋદ્ધિગર્વ, ૨ રસગર્વ, ૩ શાતા ગર્વ. ત્રણ પ્રકારે વિરાધના : ૧ જ્ઞાન વિરાધના, ૨ દર્શન વિરાધના, ૩ ચારિત્ર વિરાધના. ૪. ચાર પ્રકારે કષાય : ૧ ક્રોધ કષાય, ૨ માન કષાય, ૩ માયા કપાય, ૪ લોભ કષાય. ચાર પ્રકારે સંજ્ઞા : ૧ આહાર સંજ્ઞા, ૨ ભય સંજ્ઞા, ૩ મૈથુન સંજ્ઞા, ૪ પરિગ્રહ સંજ્ઞા. ચાર પ્રકારે કથાઃ ૧ સ્ત્રી કથા, ૨ ભત્ત કથા, ૩ દેશ કથા, ૪ રાજકથા. ચાર પ્રકારે ધ્યાન: ૧ આર્ત ધ્યાન, ર રૌદ્ર ધ્યાન, ૩ ધર્મ ધ્યાન, ૪ શુક્લ ધ્યાન. ૫. પાંચ પ્રકારે ક્રિયા: ૧ કાયિકી ક્રિયા, ૨ અધિકરણની ક્રિયા, ૩ પ્રાપિકી ક્રિયા, ૪ પારિતાપનિકી ક્રિયા, ૫ પ્રાણાતિપાતિકી ક્રિયા. પાંચ પ્રકારે કામ ગુણ : ૧ શબ્દ, ૨ રૂ૫, ૩ ગંધ, ૪ રસ, ૫ સ્પર્શ. પાંચ પ્રકારે મહાવત : ૧ સર્વ પ્રાણાતિપાતથી વિરામ. ર સર્વ મૃષાવાદથી વિરામ, ૩ સર્વ અદત્તથી વિરામ, ૪ સર્વ મૈથુનથી વિરામ, ૫ સર્વ પરિગ્રહથી વિરામ. પાંચ પ્રકારે સમિતિ : ૧ ઇયાં સમિતિ, ૨ ભાષા સમિતિ, 3 અષણા સમિતિ, ૪ આદાન બંડમત્ત નિસાણા સમિતિ, ૫ ઉચ્ચાર પ્રસવણ ખેલ જદ્ધ શ્લેખ વગરને Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેત્રીસ બોલ ૨૦૭ પરઠવાની સમિતિ. પાંચ પ્રકારે પ્રમાદ : ૧ મદ્ય, ૨ વિષય, ૩ કષાય, ૪ નિંદ્રા, ૫ વિકથા: ૬. છ પ્રકાર જીવનિકાય : ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય, ૬ ત્રસકાય. છ પ્રકા૨ે લેશ્યા : ૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલલેશ્યા, ૩ કાપોતલેશ્યા, ૪ તેજોલેશ્યા, પ પદ્મલેશ્યા, ૬ શુક્લ લેશ્યા. ૭. સાત પ્રકારે ભય : ૧ આલોક ભય – મનુષ્યને મનુષ્યથી ભય થાય છે તે. ૨ ૫૨લોક ભય – દેવ, તિર્યંચથી ભય થાય તે, ૩ આદાન ભય ધનથી ભય થાય તે. ૪ અકસ્માત ભય — છાયાદિ દેખી ભય થાય તે. ૫ આજીવિકા ભય – દુકાળ આદિમાં આજીવિકા માટે ભય થાય તે. ૬ મ૨ણ ભય – મૃત્યુથી ભય થાય તે. ૭ અપયશ ભય – અપકીર્તિથી ભય થાય તે. ૮. આઠ પ્રકારે મદ – ૧ જાતિમદ, ૨ કુળમદ, ૩ બળમદ, ૪ રૂપમદ, પ તપમદ, ૬ શ્રુતમદ, ૭ લાભમદ, ૮ ઐશ્ચર્યમદ. ૯. નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ : ૧ સ્ત્રી, પુરૂષ, નપુંસક રહિત આલય (સ્થાનક) માં રહેવું, ઉંદર બિલાડીના દૃષ્ટાંતે. ૨ મનને આનંદ આપે તેવી અને કામ, રાગને વૃદ્ધિ કરે તેવી સ્ત્રી સાથે કથા વાર્તા ન ક૨વી, લીંબુ–૨સના (જીભ) ને દૃષ્ટાંતે.૩ સ્ત્રીના આસને બેસવું નહિ તેમ જ સ્ત્રી સાથે સહવાસ ક૨વો નહિ, કોળાની ગંધે કણિકનો વક જાય તે દૃષ્ટાંતે. ૪ સ્ત્રીના અંગ, અવયવ તેમ તેની સુ૨ચનાને તેનું બોલવું, નિરીક્ષણ વગેરેને વિષય-રાગ દૃષ્ટિથી જોવું નહિ, સૂર્ય ચક્ષુના દૃષ્ટાંતે. ૫ સ્ત્રી સંબંધી કૃજિત, રૂદન, ગીત, હાસ્ય, આક્રંદ વગેરે સંભળાય તે ભીંત કે દિવાલના અંતરે નિવાસ ક૨વો નહિ, લાખ–અગ્નિના દૃષ્ટાંત. ૬ પૂર્વગત સ્ત્રી સંબંધી ક્રીડા, Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ હાસ્ય, રતિ, દર્પ, સ્નાન, સાથે જમવું વગેરે યાદ કરવું નહિ, સર્પના ઝેરના દૃષ્ટાંતે. ૭ સ્વાદિષ્ટ તેમ જ મજબૂત પ્રણિત આહાર કરવો નહિ, ત્રિદોષીને ધૃતના દૃષ્ટાંતે. ૮ મર્યાદાકાળે ધર્મયાત્રા નિમિત્તે જોઈએ તેથી વધારે આહાર કરવા નહિ, કાગળની કોથળીમાં નાણાંને દૃષ્ટાંતે. ૯ શરીર સુંદર ને વિભૂષિત લાગે તેવી શૃંગાર, શોભા કરવી નહિ, ગરીબનાં રત્નને દૃષ્ટાંત. ૧૦. દશ પ્રકારે શ્રમણધર્મ : ૧ ખંતિ – ક્ષમા (સહન કરતા શીખવું). ૨ મુત્તિ – નિર્લોભતા, લઘુતા, હળવાપણું, અલ્પપધિ રાખવી. ૩ અવે -- સરળતા, કપટ રહિતપણું. ૪ મદ્દવે - કોમળ વિનય બુદ્ધિ રાખવી, અહંકારનો ત્યાગ. ૫ લાઘવે - લઘુતા, થોડા ઉપકરણ, સાધનો રાખવા. ૬ સચ્ચે – સત્યતાથી વર્તવું. ૭ સંજમે ― – ૧૭ ભેદે સંયમ પાળવો, શરીર ઇન્દ્રિયો વગે૨ે નિયમમાં રાખવા. ૮ તવે - ઈચ્છા નિરોધ, બાર પકારું તપ કરવો. ૯ ચિયાએ અથવા અકિંચ – સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂર્છા રહિત થવું. ૧૦ બંભચે ૨વાસે – મૈથુનનો ત્યાગ, શુદ્ધ આચારની વૃત્તિમાં રહેવું. દશ પ્રકારે સમાચા૨ી : ૧ આવશ્ય -- સ્થાનકથી બહાર જવું હોય ત્યારે ગુરૂ કે ઉપરીને કહેવું કે મારે આવશ્યક જવું છે. ૨ નિષેષિક - સ્થાનકમાં આવવું હોય ત્યારે કહેવું કે નિશ્ચિત કાર્ય કરીને હું આવ્યો છું. ૩ આપુચ્છના – પોતાનું કાર્ય કરવું હોય તો ગુરૂને પૂછવું. ૪ પ્રતિપુચ્છના -- બીજા સાધુનું કાર્ય હોય ત્યારે વારંવાર ગુરૂને જણાવવા પૂછવું. પ છંદના – ગુરૂ કે વડાને પોતાની પાસેની વસ્તુ આમંત્રણ ક૨વી. ૬ ઇચ્છાકાર - ગુરૂ કે વડાને કહેવું ''હૈ પૂજ્ય ! આપની ઈચ્છા છે, સૂત્રાર્થ જ્ઞાન આપશો ?'' ૭ મિથ્યાકાર પાપ લાગ્યું હોય તો ગુરૂ પાસે મિથ્યા કહી માફ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેત્રીસ બોલ ૨૦૯ કહેવું. ૮ તથ્યકાર – ગુરૂ કથન પ્રતિ કહે કે આપ કહો છો તેમ કરીશ. ૯ અભ્યુત્થાન -- ગુરૂ કે વડા આવતાં સાત આઠ ડગલાં સામા જવું તેવી જ રીતે જતાં ૭–૮ ડગલાં મૂકવા જવું. ૧૦ ઉપસંપદા -- ગુર્વાદિ પાસે સૂત્રાર્થ લક્ષ્મી પામવા હંમેશાં તત્પર રહેવું. ન ૧૧ અગિયાર પ્રકારે શ્રાવક પ્રતિમા : ૧ દર્શન પ્રતિમા – તે એક માસની. તેમાં શુદ્ધ, સત્ય, ધર્મરૂચિ હોય, નિર્મળ સમકિત પાળે, પણ નાના વ્રત ઉપવાસાદિ અવશ્ય કરવાનો તે શ્રાવકને નિયમ ન હોય. ૨ વ્રત પ્રતિમા – તે બે માસની. તેમાં સત્ય ધર્મની રૂચિ સાથે વિવિધ શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસાદિ ક૨ે પણ સામાયિક, દેસાવગાસિક વ્રત ક૨વાનો નિયમ ન હોય. ૩ સામાયિક પ્રતિમા તે ત્રણ માસની. તેમાં ઉપર પ્રમાણે ઉપરાંત સામાયિક આદિ ક૨ે પણ અષ્ટમી, ચતુર્દશી, અમાવસ્યા, પૂર્ણમાસી વગે૨ે પર્વમાં પૌષધોપવાસ ક૨વાનો નિયમ ન હોય. ૪ પૌષધ પ્રતિમા – તે ચાર માસની. તેમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસ અષ્ટમી આદિ સર્વ પર્વમાં કરે. ૫ નિયમ પ્રતિમા – તે પાંચ માસની. તેમાં પૂર્વોક્ત સર્વ કરે, વિશેષ એક રાત્રિમાં કાયોત્સર્ગ કરે. પાંચ પ્રકારના નિયમ પાળે ૧ સ્નાન ન કરે, ૨ રાત્રીભોજન ન કરે, ૩ કાછડી ન વાળે, ૪ દિવસે બ્રહ્મચર્ય સાચવે, ૫ ૨ાત્રીમાં બ્રહ્મચર્યનું પરિમાણ કરે. ૬ બ્રહ્મચર્ય પ્રતિમા – તે છ માસની. તેમાં પૂર્વોક્ત ઉપ૨ાંત સર્વ વખતે બ્રહ્મચર્ય સાચવે. ૭ સચિત્ત પરિત્યાગ પ્રતિમા – જઘન્ય એક દિવસથી ઉત્કૃષ્ટ સાત માસની. તેમાં સચિત્ત આહાર જમે નહિ પણ પોતાને આરંભ ત્યાગ કરવાનો નિયમ ન હોય. ૮ અણારંભ પ્રતિમા – જઘન્ય એક દિવસથી ઉત્કૃષ્ટ આઠ માસની. તેમાં છકાયનો સ્વયં આરંભ કરે નહિ. ૯ પ્રેષ્યારંભ પ્રતિમા – તે ઉત્કૃષ્ટ નવ ૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ રિ૧ર્ષિો શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ માસની. આરંભ ન કરે અને અન્ય પાસે ન કરાવવાનો નિયમ કરે. ૧૦ ઉદિષ્ટ ભક્ત પ્રતિમા – તે ઉત્કૃષ્ટ દશ માસની. તેમાં પૂર્વોક્ત સાથે આરંભ કરીને આપ તે ન લેવાનો નિયમ કરે. ઉપરાંત શિરમુંડન કરાવે અથવા શિખા રાખે. કોઈએ એકવાર પૂછયાં થકા તથા વારંવાર પૂછયાં થકા બે જ ભાષા બોલાવી કહ્યું, જાણે તો હા પાડવી કહ્યું અને ન જાણે તો ના પાડવી કલ્પ. ૧૧ સમણભૂય પ્રતિમા – તે ઉત્કૃષ્ટ અગિયાર માસની. તેમાં શિરમુંડન કરાવે, કે કેશ લોચ કરાવે, સાધુ શ્રમણ સમાન ઉપકરણ, પાત્ર, રજોહરણ વગેરે ધરે, સ્વજ્ઞાતિમાં ગોચરી અર્થે ભ્રમણ કરે, કહે કે હું પ્રતિમધારી શ્રાવક છું, ભિક્ષા આપશો? સાધુ માફક ઉપદેશ આપે. સાડા પાંચ વર્ષ અગિયાર પ્રતિમામાં જાય છે. ૧૨ ભિક્ષની પ્રતિમા – ૧ પહેલી પ્રતિમા એક માસની. એકદાતિ આહારની, એકદાતિ પાણીની લેવી કલ્પ. તે શરીર ઉપર મમતા સ્નેહભાવ ન રાખે. શરીરની શુશ્રુષા ન કરે, જે કોઈ મનુષ્ય, તિર્યચ, દેવનો પરિષહ ઉત્પન્ન થાય તે સમ પરિણામે સહન કરે. ૨. તે આહાર શુદ્ધ નિર્દોષ, કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, રાંક પ્રમુખ દ્વિપદ તથા ચતુષ્પદને અતંરાય ન પડે તેમ. વળી એક માણસ જમતો હોય અને એમને માટે રાંધ્યું હોય તે લે, બે જમતામાંથી આપે તો ન લે, ત્રણ, ચાર, પાંચ વગેરે જમવા બેઠા હોય તેમાંથી આપે તો ન લે, ગર્ભવતી માટે નીપજાવ્યો હોય તે ન લે, તથા નવપ્રસૂતિનો આહાર ન લે, બાળકને દૂધ પાતાં હોય તેનો આહાર ન લે, વળી એક પગ ઉંબરામાં અને એક પગ ઉંબરાની બહાર એમ પગ રાખી વહોરાવે તો લે, નહિ તો ન લે. Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેત્રીસ બોલ Dિર૧૧] ૩ પ્રતિમધારી સાધુને ત્રણ કાળ ગોચરીના કહ્યા છે. આદિમ, મધ્યમ, ચરિમ. એટલે એક દિવસના ત્રણ ભાગ કરે, પહેલામાં ગોચરી જાય તો બીજામાં ન જાય એમ ત્રણ ભાગમાં સમજવું. ૪ પ્રતિમાધારી સાધુને છ પ્રકારે ગોચરી કરવી કહી છે. ૧ પેટીને આકારે (ચૌખૂણી). ૨ અર્ધ પેટીને આકારે (બેખૂણી). ૩ બળદના મૂત્રના આકારે. ૪ પતંગ, ટીડ ઉડે તે માફક અંતરે અંતરે કરે. ૫ શંખના આવર્તનની પેરે ગોચરી કરે. ૬ જાતા તથા વળતાં ગોચરી કરે. ૫ પ્રતિમાધારી સાધુ જે ગામમાં જાય ત્યાં જાણે કે આ પ્રતિમાધારી સાધુ છે તો એક રાત્રિ રહે ને ન જાણે તો બે રાત્રિ રહે, તે ઉપરાંત રહે તો છેદ તથા પરિવાર તપ જેટલી રાત્રિ રહે તો તેટલા દિનનું પ્રાયશ્ચિત પામે.. ૬ પ્રતિમધારી સાધુ ચાર પ્રકારે બોલે. ૧ યાચના કરે ત્યારે, ૨ પંથ પ્રમુખ પૂછતાં, ૩ આજ્ઞા માંગતાં, ૪ પ્રશ્નાદિકનો ઉત્તર આપતાં. ૭ પ્રતિમાધારી સાધુને ત્રણ પ્રકારનાં સ્થાનક જોવાં, પ્રતિલખવા કલ્પ. ૧ આરામરૂપ ધર, ર છત્રીના આકારે, ૩ ઝાડ તળે. ૮ પ્રતિમધારી સાધુ એ ત્રણ સ્થાનકને યાચે, માંગે. ૯ એ ત્રણ પ્રકારના સ્થાનકને વિષે રહેવું કરે. ૧૦ પ્રતિમધારી સાધુને ત્રણ પ્રકારની શપ્યા જોવી કલ્પે. ૧ પૃથ્વીરૂપ, ૨ શિલારૂપ, ૩ કાષ્ટરૂપ. ૧૧ એ ત્રણ પ્રકારની શય્યા યાચના કરવી કલ્પ. ૧૨ એ ત્રણ પ્રકારની શય્યા ભોગવવી કહ્યું. ૧૩ પતિમાધારી સાધુ જે સ્થાનકમાં રહ્યા હોય ત્યાં કોઈ સ્ત્રી Page #231 -------------------------------------------------------------------------- ________________ ર૧રોલિસી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ્રમુખ આવે તો તે સ્ત્રી પ્રમુખના ભયે કરી બહાર નીકળે નહીં તથા બહાર હાથ ઝાલી કાઢે તો ઇર્ષા સમિતિ શોધમાં નીકળે. ૧૪ પ્રતિમાધારી સાધુ જે ઘરમાં રહ્યાં હોય ત્યાં કોઈ અગ્નિ લગાડે તો તેના ભયે કરી બહાર નીકળે નહિ. કોઈ બળાત્કાર કાઢે તો ઇર્ષા સમિતિ શોધમાં નીકળે. ૧૫ પ્રતિમાધારી સાધુને પગને વિષે કાંટો પ્રમુખ વાગે તો તેને કાઢવો ન કલ્પે. ૧૬ પ્રતિમાધારી સાધુને આંખમાં નાના જીવ તથા નાના બીજ તથા રજ પ્રમુખ પેસે તો કાઢવા ન કલ્પ, ઇર્યાએ ચાલવું કહ્યું. ૧૭ પ્રતિમધારી સાધુને જ્યાં સૂર્ય આથમે ત્યાંથી એક પગ માત્ર પણ પછી ચાલવું ન કહ્યું. એટલે પ્રતિલેખનની વેળા સુધી વિહાર કરે. ૧૮ પ્રતિમાધારી સાધુને સચિત્ત પૃથ્વી પર સૂવું, બેસવું કે થોડી નિદ્રા પણ કરવી ન કલ્પ, પૂર્વે જોયેલા સ્થાનકે ઉચ્ચાર પ્રમુખ પાઠવવું કહ્યું. ૧૯ સચિત્ત રજુ કરી પગ પ્રમુખ ખરડાયેલા હોય તેવા શરીરે ગૃહસ્થનાં ઘરે ગોચરી જવું ન કલ્પે. ૨૦ પ્રતિમાધારી સાધુને પ્રાસુક, શીતળ તથા ઉષ્ણ પાણીએ કરી હાથ, પગ, નાક, કાન, આખ પ્રમુખ એકવાર ધોવું કે વારંવાર ધોવું ન કલ્પ, અશુચિનો લેપ લાગ્યો હોય તે તથા ભોજનથી ખરડાયેલ હોય તે ધોવું કલ્પ. ૨૧ પ્રતિમાધારી સાધુ ઘોડો, હાથી, બળદ, પાડો, વરાહ (સ્વર), શ્વાન, વાઘ ઈત્યાદિક દુષ્ટ જીવ સામાં આવતાં હોય તો તેના ભયે કરી પગ માત્ર પાછો લે નહિ પણ સુંવાળો જીવ સામો Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેત્રીસ બોલ 0િરિ૧૩ આવતો હોય તો તેની દયાને કારણે યત્ના માટે પાછા ઓસરે. ૨૨ પ્રતિમધારી સાધુ વિહાર કરતાં તડકેથી છાંયે ન જાય, છાયેથી તડકે ન જાય. ટાઢ, તાપ સમપરિણામે સહન કરે. બીજી પ્રતિમા એક માસની તેમાં બે દાતિ આહાર અને બે દાતિ પાણીની લેવી કલ્પ. ત્રીજી પ્રતિમા એક માસની તેમાં ત્રણ દાતિ આહાર અને ત્રણ દાતિ પાણીની લેવી કલ્પ. ચોથી પ્રતિમા એક માસની તેમાં ચાર દાતિ આહાર અને ચાર દાતિ પાણીની લેવી કલ્ય. પાંચમી પ્રતિમા એક માસની તેમાં પાંચ દાતિ આહાર અને પાંચ દાતિ પાણીની લેવી કલ્પ. છઠ્ઠી પ્રતિમા એક માસની તેમાં છ દાતિ આહાર અને છ દાતિ પાણીની લેવી કલ્પ. સાતમી પ્રતિમા એક માસની તેમાં સાત દાતિ આહાર અને સાત દાતિ પાણીની લેવી કલ્પ. આઠમી પ્રતિમા સાત રાત્રિ દિવસની, તેમાં પાણી વિના એકાંતર ઉપવાસ કરે, ગ્રામ, નગર, રાજધાની વગેરેની બહાર સ્થાનક કરે, ત્રણ આસનો વાળે, ચત્તા સૂવે, પાસું વાળી સૂવે અને પલાંઠીવાળી સૂવે, કોઈપણ પરિષહથી ડરે નહિ. નવમી પ્રતિમા સાત રાત્રિ દિવસની, તેમાં ઉપર પ્રમાણે વિશેષ ત્રણમાંથી એક આસન કરે. દંડ આસન, લગડ આસન અને ઉત્કટ આસન. દશમી પ્રતિમા સાત રાત્રિ દિવસની, તેમાં ઉપર પ્રમાણે વિશેષ ત્રણમાંથી એક આસન કરે, ગોદૂહ આસન, વીરાસન અને અબુઝુજ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આસન. અગિયારમી પ્રતિમા એક અહોરાત્રિની. પાણી વિના છઠ્ઠ ભક્ત કરે, ગામ બહાર બે પગ સંકોચી હસ્ત લાંબા કરી કાયોત્સર્ગ કરે. બારમી પ્રતિમા એક અહોરાત્રિની. પાણી વિના અઠ્ઠમ ભક્ત કરે. ગામ, નગર બહાર શરીર ત્યજીને અણમિલા લોચને એક પુદ્ગલ ઉપર સ્થિર દૃષ્ટિ કરી તમામ ઇન્દ્રિયો ગુપ્ત કરી બન્ને પગ એકત્ર કરી, બે હસ્ત લંબાવી દઢાસને રહે. તેવા વખતે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપસર્ગ થાય તે સહે. સમ્યફ પ્રકારે આરાધના થાય તો અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. જો અહિત થાય તો ઉન્માદ પામે, દીર્ઘ કાલિક રોગ થાય ને કેવળી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય. એ બાર પ્રતિમામાં કુલ મળીને આઠ માસ થાય છે. ૧૩. તેર ક્રિયાસ્થાનક: ૧. અર્થ દંડ – પોતાના માટે હિંસા કરે. ૨. અનર્થ દંડ – પરને માટે હિંસા કરે. ૩ હિંસા દંડ – તે મને હણે છે, હણ્યો હતો કે હણશે એમ સંકલ્પીને હણે. ૪. અકસ્માતુ દંડ – એકને મારવા જતાં વચમાં બીજાની હિંસા થાય. ૫. દષ્ટિવિપર્યાસ દંડ – દુશ્મન ધારીને મિત્રને હણે. ૬. મૃષાવાદ દંડ- અસત્ય બોલીને દંડ ૭. અદત્તાદાન દંડ – ચોરી કરી દંડાય. ૮. અભ્યસ્થ દંડ - મનમાં દુષ્ટ, અનિષ્ટ કલ્પનાઓ કરે. ૯. માન દંડ – અભિમાન કરે. Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેત્રીસ બોલ ૧૦. મિત્રદોષ દંડ-માતા, પિતા મિત્રવર્ગને નજીવા અપરાધે ભારે દંડ કરે. ૧૧. માયા દંડ – કપટ કરે. ૧૨. લોભ દંડ – લાલચ, તૃષ્ણા કરે. ૧૩. ઈર્યાપથિક દંડ- સયોગી વીતરાગીને લાગવાવાળી ક્રિયા. ૧૪. ચૌદ પ્રકારે જીવ : ૧ સૂક્ષ્મ એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ર સૂક્ષ્મ એકેન્દ્રિયનો પર્યાપ્તો, ૩ બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ૪ બાદર એકેન્દ્રિયનો પર્યાપ્તો, પ બેઇન્દ્રિયનો અપર્યાપ્ત, ૬ બેઇન્દ્રિયનો પર્યાપ્તો, ૭ ઇન્દ્રિયનો અપર્યાપ્ત, ૮ તે ઇન્દ્રિયનો પર્યાપ્ત, ૯ ચૌરેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૦ ચૌરેન્દ્રિયનો પર્યાપ્તો, ૧૧ અસંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્ત, ૧૨, અસંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાપ્ત, ૧૩, સંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો, ૧૪, સંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાયો. ૧૫. પંદર પ્રકારે પરમાધામી દેવ: ૧ અંબ, ૨ અંબરિસ, ૩ શામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વૈરૂદ્ર, ૭ કાલ, ૮ મહાકાલ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, ૧૫ મહાઘોષ. ૧૬. સોળમે સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અધ્યયન : ૧ સ્વસમય પરસમય, ર વૈદારિક, ૩ ઉપસર્ગ પ્રજ્ઞા, ૪ સ્ત્રી પ્રજ્ઞા, ૫ નરક વિભક્તિ, ૬ વીર સ્તુતિ, ૭ કુશીલ પરિભાષા, ૮ વીર્યાધ્યયન, ૯ ધર્મધ્યાન, ૧૦ સમાધિ, ૧૧ મોક્ષમાર્ગ, ૧૨ સમવસરણ, ૧૩ યથાતથ્ય, ૧૪ ગ્રંથી, ૧૫ યમતિથિ, ૧૬ ગાથા. ૧૭. સત્તર પ્રકારે સંયમ : ૧ પૃથ્વીકાય સંયમ, ૨ અપકાય સંયમ, ૩ તેઉકાય સંયમ, ૪ વાઉકાય સંયમ, પ વનસ્પતિકાય સંયમ, ૬ બેઇન્દ્રિય સંયમ, ૭ ઇન્દ્રિય સંયમ, ૮ ચૌરેન્દ્રિય સંયમ, ૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પંચેન્દ્રિય સંયમ, એ નવની દયા પાળવી, ૧૦ અજીવકાય સંયમ, ૧૧ પેહા : જોઈને જમીન ઉપર બેસે, પ્રતિલેખના કરે. ૧૨ ઉપેહાઃ સંયમને વિષે જાગૃત હોય, માધ્યસ્થભાવ રાખે, ૧૩ ૫મણા : પાત્રાદિકને બરાબર પૂંજે, ૧૪ પારિઠાવણિયા : માતૃ આદિને વિધિએ ૫૨ઠે, ૧૫ મન સંયમ, ૧૬ વચન સંયમ, ૧૭ કાય સંયમ. ૧૮. અઢાર પ્રકારે બ્રહ્મચર્ય : ઔદારિક શરીર સંબંધી ભોગ ૧ મનથી, ૨ વચનથી, ૩ કાયાથી, ૧ સેવે નહિ, ૨ સેવ૨ાવે નહિ, ૩ સેવતાં પ્રતિ અનુમોદન આપે નહિ (૩×૩ =૯). એમ વૈક્રિય શ૨ી૨ સંબંધી ૯ પ્રકારે ત્યજે. 2 ૧૯. ઓગણીસ પ્રકા૨ે જ્ઞાતા સૂત્રનાં અધ્યયન : ૧ ઉત્સિમ – મેઘકુમા૨નું. ૨ ધન્ના સાર્થવાહ ને વિજય ચોરનું. ૩ મયૂરના ઇંડાનું. ૪ કૂર્મનું (કાચબા). ૫ શૈલક રાજર્ષિનું. ૬ તુંબડાનું. ૭ ધન્ય સાર્થવાહ ને ચા૨ વહુનું. ૮ મલ્લી ભગવતીનું. ૯ જિનપાલ જિનરક્ષિતનું. ૧૦ ચંદ્રની કલાનું. ૧૧ દાવાનલનું. ૧૨ જિતશત્રુ રાજા ને સુબુદ્ધિ પ્રધાનનું. ૧૩ નંદમણિયારનું. ૧૪ તેતલિપુત્ર પ્રધાન ને પોટ્ટીલા – સોનાર પુત્રીનું. ૧૫ નંદિફળનું. ૧૬ અમ૨કંકાનું. ૧૭ સમુદ્ર અશ્વનું. ૧૮ સુસીમા દારિકાનું. ૧૯ પુંડરિક કુંડરિકનું. ૨૦. વીસ પ્રકારે અસમાધિ સ્થાનક : ૧ ઉતાવળે ઉતાવળે ચાલે તે. ૨ પૂંજ્યા વિના ચાલે તે. ૩ દુષ્ટ રીતે પૂંજે તે. ૪ પાટ, પાટલા, શય્યા વગેરે વધા૨ે ૨ાખે તે. ૫ રત્નાધિક (વડા) સામું બોલે તે. ૬ સ્થવિ૨, વૃદ્ધ, ગુરૂ, આચાર્યજીનો ઉપઘાત (નાશ) કરે તે. ૭ એકેન્દ્રિયાદિ જીવને શાતા, ૨સ, વિભૂષા નિમિત્તે હણે તે. ૮ ક્ષણ ક્ષણ પ્રતિ ક્રોધ કરે તે. ૯ ક્રોધમાં હંમેશાં પ્રદીપ્ત રહે તે. ૧૦ પૃષ્ટમાંસ ખાય તે. (અન્યના પાછળથી અવર્ણ, નિંદા બોલે તે.) ૧૧ નિશ્ચયવાળી Page #236 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૭ શ્રી તેત્રીસ બોલ ભાષા બોલે છે. ૧૨ નવો કલેશ ઉત્પન્ન કરે તે. ૧૩ ઉપશાંત થયેલ ફલશને ફરીથી જાગૃત કરે તે. ૧૪ અકાળે સ્વાધ્યાય કરે તે. ૧૫ સચિત્ત પૃથ્વીથી હસ્ત, પગ ખરડાયેલાં હોય ને આહારાદિ લેવા જાય તે. ૧૬ શાંતિ વખતે કે પ્રહર રાત્રિ ગયા પછીથી ગાઢ અવાજ કરે તે. ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે તે. ૧૮ ગચ્છમાં કલેશ ઉત્પન્ન કરી માંહોમાંહે દુઃખ ઉત્પન્ન કરે તે. ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ ભોજન લીધાં કરે તે. ૨૦ અષણિક, અપાશુક આહાર લે તે. ૨૧. એકવીસ પ્રકારે શબલ કર્મ – ૧ હસ્તકર્મ કરે તે. ૨ મૈથુન સેવે તે. ૩ રાત્રિભોજન જમે તે. ૪ આધાકર્મી ભોગવે છે. ૫ રાજપિંડ ભોગવે છે. ૬ પાંચ બોલ સેવે તે, ૧ વેચાતું લાવીને આપે ને લે તે, ર ઉછીનું લાવીને આપે ને લે તે, ૩ બળાત્કાર આપે ને લે તે, ૪ સહઆરીની આજ્ઞા વિના આપે ને લે તે, ૫ સ્થાનકમાં સામું આણી આપે ને લે તે. ૭ વારંવાર પ્રત્યાખ્યાન કરીને ભાંગે તે. ૮ મહીનાની અંદર ત્રણ ઉદક લેપ કરે તે. ૯ છ માસમાં એક ગણથી બીજા ગણમાં જાય છે. ૧૦ એક માસની અંદર ત્રણ માયાના સ્થાન ભોગવે છે. ૧૧ શધ્યાંતરનો આહાર જમે તે. ૧૨ ઈરાદાપૂર્વક હિંસા કરે તે. ૧૩ ઇરાદાપૂર્વક અસત્ય બોલે તે. ૧૪ ઇરાદાપૂર્વક ચોરી કરે તે. ૧૫ ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વી ઉપર સ્થાનક, શય્યા ને બેઠક કરે તે. ૧૬ ઇરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી ઉપર શય્યાદિક કરે તે. ૧૭ સચિત્ત શિલા, પથ્થર, ઝીણાં જીવો રહે તેવાં કાષ્ટ તથા જીવ સહિત અંડ, પ્રાણી, બીજ, હરિત વગેરે જીવવાળા સ્થાન ઉપર આશ્રય, બેઠક, પથારી કરે તે. ૧૮ ઇરાદાપૂર્વક ૧ મૂળ, ૨ કંદ, ૩ સ્કંધ, ૪ ત્વચા, ૫ શાખા, ૬ પ્રશાખા, ૭ પત્ર, ૮ પુષ્પ, ૯ ફળ, ૧૦ બીજ, એ દશ સચિત્તનો આહાર જમે તે. ૧૯ એક વર્ષની અંદર દશ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ઉદક લેપ કરે તે, એક વર્ષની અંદ૨ દશ માયાના સ્થાન સેવે તે. ૨૦ જળથી ભીનાં હસ્ત, પાત્ર, ભાજન વગેરે કરીને અશનાદિ આપે તે લઈને ઇ૨ાદાપૂર્વક ભોગવે તે. ૨૨. બાવીસ પ્રકારે પરિષહ : ૧ ક્ષુધાનો, ૨ તૃષાનો. ૩ શીતનો. ૪ ઉષ્ણનો. ૫ દંસમસનો. ૬ અચેલનો. ૭ અરતિનો. ૮ સ્ત્રીનો. ૯ ચાલવાનો. ૧૦ બેસવાનો. ૧૧ સેજાનો, સ્થાનકનો. ૧૨ આક્રોશવચનનો. ૧૩ વધનો. ૧૪ જાચવાનો. ૧૫ અલાભનો. ૧૬ રોગનો. ૧૭ તૃણસ્પર્શનો. ૧૮ મેલનો. ૧૯ સત્કાર પુરસ્કારનો. ૨૦ પ્રજ્ઞાનો. ૨૧ અજ્ઞાનનો. ૨૨ હંસણનો. ૨૩. ત્રેવીસ પ્રકારે સૂત્રકૃતાંગ સૂત્રનાં અધ્યયન : તેમાં ૧૬ અધ્યયન સોળમા બોલમાં કહ્યા છે, ને બાકીના સાત નીચે મુજબ. ૧ પુંડરીક કમળ, ૨ ક્રિયાસ્થાનક, ૩ આહાર પ્રતિજ્ઞા, ૪ પ્રત્યાખ્યાન ક્રિયા, ૫ અણગાર સુત્ત, ૬ આર્દ્રકુમાર, ૭ ઉદક (પેઢાલપુત્ર). ૨૪. ચોવીસ પ્રકા૨ના દેવઃ ૧૦ ભવનપતિ, ૮ વાણવ્યંત૨, ૫ જ્યોતિષી, ૧ વૈમાનિક, ૨૫. પચ્ચીસ પ્રકારે પાંચ મહાવ્રતની ભાવના : પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના : ૧ ઇર્યાસમિતિ ભાવના. ૨ મનસમિતિ ભાવના. ૩ વચનસમિતિ ભાવના. ૪ એષણાસમિતિ ભાવના. ૫ આદાન-ભંડ-મત્ત નિક્ષેપના સમિતિ ભાવના. બીજા મહાવ્રતની પાંચ ભાવના : ૧ વિચાર્યા વિના બોલવું નહિ. ૨ ક્રોધથી બોલવું નહિ.૩ લોભથી બોલવું નહિ. ૪ ભયથી બોલવું નહિ. પ હાસ્યથી બોલવું નહિ. ત્રીજા મહાવતની પાંચ ભાવના : ૧ નિર્દોષ સ્થાનક યાચી લેવું. ૨ તૃણ પ્રમુખ યાચી લેવું, 3 સ્થાનક આદિ સુધારવું (સમારકામ) . Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેત્રીસ બોલ નહિ. ૪ સ્વધર્મનું અદત્ત લેવું નહિ. પ સ્વધર્મીની વૈયાવચ્ચ કરવી. ચોથા મહાવતની પાંચ ભાવનાઃ ૧ સ્ત્રી, પશુ, નપુસકવાળા સ્થાનકને સેવવું નહિ. ર સ્ત્રી સાથે વિષય સંબંધી કથા વાર્તા કરવી નહિ. ૩ વિષય કે રાગદૃષ્ટિથી સ્ત્રીનાં અંગ, અવયવ નીરખવા નહિ. ૪ પૂર્વગત સુખ ક્રીડા સંભારવા નહિ. પ સ્વાદિષ્ટ, બળવર્ધક આહાર જમવો નહિ. પાંચમા મહાવતની પાંચ ભાવના : ૧ સારા શબ્દ ઉપર રાગ ને માઠા શબ્દો ઉપર દ્વેષ કરવો નહિ. ર સારા રૂપ ઉપર રાગ ને માઠા રૂપ ઉપર દ્વેષ કરવો નહિ. ૩ સારી ગંધ ઉપર રાગ ને માઠી ગંધ ઉપર દ્વેષ કરવો નહિ. ૪ સારા રસ ઉપર રાગ ને માઠા રસ ઉપર ટૅપ કરવો નહિ. ૫ સારા સ્પર્શ ઉપર રાગ ને માઠા સ્પર્શ ઉપર લેપ કરવો નહિ. ૨૬. છવ્વીસ પ્રકારે દશાશ્રુતસ્કંધના, બૃહત્કલ્પના ને વ્યવહાર સૂત્રનાં અધ્યયન. દશાશ્રુતસ્કંધના ૧૦, બૃહકલ્પના ૬, વ્યવહારનાં ૧૦ અધ્યયન છે. કુલ ૨૬ અધ્યયન છે. ૨૭. સત્તાવીસ પ્રકારે અણગારના ગુણ : ૧ સર્વ પ્રાણાતિપાતથી વિરામ, ર સર્વ મૃષાવાદથી વિરામ, ૩ સર્વ અદત્તાદાનથી વિરામ, ૪ સર્વ મૈથુનથી વિરામ, પ સર્વ પરિગ્રહથી વિરામ, ૬ શ્રોત્રેન્દ્રિય નિગ્રહ, ૭ ચક્ષુ ઇન્દ્રિય નિગ્રહ, ૮ ઘાણેન્દ્રિય નિગ્રહ, ૯ રસેન્દ્રિય નિગ્રહ, ૧૦ સ્પશેન્દ્રિય નિગ્રહ, ૧૧ ક્રોધવિજય, ૧૨ માનવિજય, ૧૩ માયાવિજય, ૧૪ લોભવિજય, ૧૫ ભાવસત્ય, ૧૬ કરણ સત્ય, ૧૭ યોગસત્ય, ૧૮ ક્ષમા, ૧૯ વૈરાગ્ય, ૨૦ મનસમાધારણતા, ર૧ વચનસમાધારણતા, ૨૨ કાયસમાધારણતા, ૨૩ જ્ઞાન, ૨૪ દર્શન, ૨૫ ચારિત્ર, ર૬ વેદના Page #239 -------------------------------------------------------------------------- ________________ રિ૨૦ થી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સહિષ્ણુતા, ૨૭ મરણ સહિષ્ણુતા. ૨૮. અઠ્ઠાવીસ પ્રકારે આચારકલ્પ : ૧ માસ પ્રાયશ્ચિત. ૨ એક માસને પાંચ દિવસ. ૩ એક માસ ને દશ દિવસ. ૪ એક માસ ને પંદર દિવસ. ૫ એક માસ ને વીસ દિવસ. ૬ એક માસ ને પચ્ચીસ દિવસ. ૭ બે માસ. ૮ બે માસ ને પાંચ દિવસ. ૯ બે માસ ને દશ દિવસ. ૧૦ બે માસ ને પંદર દિવસ. ૧૧ બે માસ ને વીસ દિવસ. ૧૨ બે માસ ને પચ્ચીસ દિવસ. ૧૩ ત્રણ માસ. ૧૪ ત્રણ માસ ને પાંચ દિવસ. ૧૫ ત્રણ માસ ને દશ દિવસ. ૧૬ ત્રણ માસ ને પંદર દિવસ. ૧૭ ત્રણ માસ ને વીસ દિવસ. ૧૮ ત્રણ માસ ને પચ્ચીસ દિવસ. ૧૯ ચાર માસ. ૨૦ ચાર માસ ને પાંચ દિવસ. ૨૧ ચાર માસ ને દશ દિવસ. ૨૨ ચાર માસ ને પંદર દિવસ.૨૩ ચાર માસ ને વીસ દિવસ. ૨૪ ચાર માસ ને પચ્ચીસ દિવસ. ૨૫ પાંચ માસ. એ ૨૫ ઉપઘાતક (ઉપભોગ્ય પ્રાયશ્ચિતને અધું કરીને આપવું તે) છે. ૨૬ અનુપઘાતિકારોપણ (પ્રાયશ્ચિત પુરેપુરું આપવું તે). ૨૭ કૃત્ન (જેટલો અપરાધ હોય તે પ્રમાણે તેટલા જ પ્રાયશ્ચિત દેવા ત). ૨૮ અકૃત્ન (અનેક અપરાધો માટે છ મહિનાનું સંપૂર્ણ પ્રાયશ્ચિત કરાવવું તે). - ૨૯. ઓગણત્રીસ પ્રકારે પાપસૂત્રઃ ૧ ભૂમિકંપ શાસ્ત્ર - ધરતીકંપ આદિના જ્ઞાનના શાસ્ત્ર. ૨ ઉત્પાત શાસ્ત્ર – પોતાની મેળે થવાવાળી રૂધિર, અસ્થિ આદિ વૃષ્ટિનું ફળ બતાવતું શાસ્ત્ર. ૩ સ્વપ્ન શાસ્ત્ર.૪ અંતરીક્ષ શોત્ર – જેમાં આકાશના ચિહ્નો આદિનું વર્ણન છે. ૫ અંગ શાસ્ત્ર – શરીરનાં અંગ ફરકવાનાં ફળ બતાવતું શાસ્ત્ર. ૬ સ્વર શાસ્ત્ર – જીવોનાં ચંદ્ર સ્વર, સૂર્યસ્વર આદિ સ્વરનું ફળ બતાવતા શાસ્ત્ર. ૭ વ્યંજન શાસ્ત્ર – શરીર પરના મસા, તલ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેત્રીસ બોલ ૨૨૧ વગેરેનાં ફળ બતાવતા શાસ્ત્ર. ૮ લક્ષણ શાસ્ત્ર – સ્ત્રી, પુરૂષનાં શરીરનાં ચિહ્નોના ફળ બતાવે. એ આઠ સૂત્રથી (મૂળ પાઠ), આઠ વૃત્તિથી (ટીકાથી), અને આઠ વાર્તિકથી (વિસ્તાર) એમ કુલ ૨૪. ૨૫ વિકથા અનુયોગ – અર્થ અને કામના ઉપાયો બતાવતા શાસ્ત્ર. ૨૬ વિધા અનુયોગ – રોહિણી આદિ વિધાની સિદ્ધિના ઉપાયો બતાવતા શાસ્ત્ર. ૨૭ મંત્ર અનુયોગ. ૨૮ યોગ અનુયોગ વશીક૨ણ આદિ યોગ બતાવતા શાસ્ત્ર. ૨૯ અન્ય તીર્થિક પ્રવૃત્ત અનુયોગ – અન્યતીર્થિક દ્વા૨ા હિંસા પ્રધાન આચારશાસ્ત્ર આદિ. ૩૦. ત્રીસ પ્રકારે મહામોહનીયનાં સ્થાનક : ૧. સ્ત્રી, પુરૂષ, નપુંસકે અથવા કોઈ ત્રસ પ્રાણીને જળમાં પેસારીને જળરૂપ શસ્ત્ર ક૨ીને મા૨ે તે મહામોહનીય કર્મ બાંધે. ૨. હાથે ક૨ી પ્રાણીના મુખ, પ્રમુખ બાંધી, શ્વાસ રૂંધી જીવને મારે તો મહામોહનીય કર્મ બાંધે. ૩. અગ્નિ પ્રજાળી, વાડાદિકમાં પ્રાણી રોકી, ધૂમાડે ક૨ી આકુળ વ્યાકૂળ ક૨ી મારે તો મહામોહનીય કર્મ બાંધે. ૪. ઉત્તમાંગ, જે મસ્તક તેને ખડ્ગાદિકે કરી ભેદે છેદે ફોડે તો મહામોહનીય કર્મ બાંધે. ૫. ચામડા પ્રમુખની વાઘરીએ કરી મસ્તકાદિ શ૨ી૨ને તાણી બાંધી વારંવાર અશુભ પરિણામે ક૨ી કદર્થના ક૨ે તો મહામોહનીય કર્મ બાંધે. ૬. વિશ્વાસકા૨ી વેષે કરી માર્ગ પ્રમુખને વિષે જીવને હણે તે લોકમાં ઉપહાસ્ય થાય તેવી રીતે તથા પોતે કર્તવ્ય કરી આનંદ માને તે મહામોહનીય કર્મ બાંધે. ૭. કપટે કરી પોતાનો દુષ્ટ આચાર ગોપવે તથા પોતાની Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ માયાએ ક૨ી અન્યને પણ પાશમાં નાંખે તથા શુદ્ધ સૂત્રાર્થ ગોપવે તો મહામોહનીય કર્મ બાંધે. ૮. પોતે અનેક ચોરી, બાળઘાત (અન્યાય) પ્રમુખ કર્મ કીધાં હોય તે દોષ નિર્દોષી પુરૂષ ઉપર નાંખે તથા યશસ્વીનો યશ ઘટાડવા માટે અછતું આળ આપે તો મહામોહનીય કર્મ બાંધે. ૯. પ૨ને રૂડું મનાવવા માટે દ્રવ્ય, ભાવથી ઝગડાં (કલેશ) વધા૨વા માટે, જાણતો થકો સભા મધ્યે સત્યમૃષા (મિશ્ર) ભાષા બોલે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૦. રાજાનો ભંડા૨ી પ્રમુખ તે રાજા, પ્રધાન તથા સમર્થ કોઈ પુરૂષની લક્ષ્મી પ્રમુખ લેવા ચાહે તથા તેની સ્ત્રી વિણસાડે તથા તેના રાગી પુરૂષોનાં મન ફે૨વે તથા રાજાને રાજ્ય કર્તવ્યથી બહા૨ ક૨ે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૧. સ્ત્રીઓને વિષે ગૃદ્ધ થઈ ૫૨ણ્યા છતાં કુમા૨પણાનું (હું કુંવારો છું) બિરૂદ ધ૨ાવે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૨. ગાયોની મધ્યે ગદર્ભ માફક સ્ત્રીના વિષય વિષે ગૃદ્ઘ થકો આત્માનું અહિત કરનાર માયાતૃષા બોલે. અબ્રહ્મચારી છતાં બ્રહ્મચારીનું બિરૂદ ધરાવે તો મહામોહનીય કર્મ બાંધે. (લોકમાં ધર્મનો અવિશ્વાસ થાય, ધર્મી ઉ૫૨ પ્રતીતિ ન રહે તે માટે). તે ૧૩. જેની નિશ્રાએ આજીવિકા કરે છે તેની લક્ષ્મીને વિષે લુબ્ધ થઈ તેની લક્ષ્મીને લૂંટે તથા ૫૨ પાસે લૂંટાવે તો મહામોહનીય કર્મ બાંધે. ચિલાતી ચોરવત્. ૧૪. જેણે દરિદ્રપણું (નિર્ધનપણું) મટાડી, માપદા૨ (હોદ્દાદા૨) કર્યો, તે મહદ્ધિપણું પામ્યા પછી, ઇર્ષા દોષે ક૨ી, કલુષિત્ત ચિત્ત કરી, તે ઉપકા૨ી પુરૂષને વિપત્તિ આપે તથા ધન પ્રમુખ આપવાની અંતરાય Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેત્રીસ બોલ પાડે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૫. પોતાનું ભરણપોષણ કરનાર રાજા, પ્રધાન, પ્રમુખ તથા જ્ઞાન પ્રમુખના અભ્યાસ કરાવનાર ગુર્નાદિકને હણે તો મહામોહનીય કર્મ બાંધે. સર્પણી જેમ ઈડાને હણે તેમ. ૧૬. દેશનો રાજા તથા વાણિયાના વૃંદનો પ્રવર્તાવક (વ્યવહારીઓ) તથા નગરશેઠ એ ત્રણ ઘણા યશના ધણી છે તેને હણે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૭. જે ઘણા જનને આધારભૂત સમુદ્રમાં દ્વીપ સમાન) છે તેમને હણે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૮. સંયમ લેવા સાવધાન થયો છે તેને તથા સંયમ લીધેલો છે તેને ધર્મથી ભ્રષ્ટ કરે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૯. અનંતજ્ઞાની તથા અનંતદર્શી એવા તીર્થંકરદેવના અવર્ણવાદ બોલે તો મહામોહનીય કર્મ બાંધે. * ૨૦. તીર્થકર દેવના પ્રરૂપિત ન્યાયમાર્ગનો દેશી થઈ અવર્ણવાદ બોલે, નિંદા કરે ને શુદ્ધ માર્ગથી લોકોના મન ફેરવે તો મહામોહનીય કર્મ બાંધે. ૨૧. આચાર્ય, ઉપાધ્યાય જે સ્ત્ર પ્રમુખ વિનયને શીખવે છે, ભણાવે છે તેવા પુરૂષને હીલ, નિંદે, ખીએ તો મહામોહનીય કર્મ બાંધે. ૨૨. આચાર્ય, ઉપાધ્યાયને સાચા મને આરાધે નહિ તથા અહંકારી થકો ભક્તિ ન કરે તો મહામોહનીય કર્મ બાંધે. ૨૩. અબહુશ્રુત (અલ્પસૂત્રી) થકો શાસ્ત્ર કરી પોતાની શ્લાઘા કરે તથા સ્વાધ્યાયનો વાદ કરે તો મહામોહનીય કર્મ બાંધે. ૨૪. અતપસ્વી થકો તપસ્વીનું બિરૂદ ધરાવે (લોકોને છેતરવા Page #243 -------------------------------------------------------------------------- ________________ રિ૨૪)(ર) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ માટે) તો મહામોહનીય કર્મ બાંધે. ૨૫. ઉપકારને અર્થે ગુર્નાદિનો તથા સ્થવિર ગ્લાના પ્રમુખનો છતી શક્તિએ વિનય વૈયાવચ્ચ ન કરે (કહે છે મારી સેવા એણે પૂર્વે કરી નહોતી એમ તે ધૂર્ત, માયાવી, મલિન ચિત્તનો ધણી પોતાના બોધિબીજનો નાશ કરનાર અનુકંપા રહિત હોય) તો મહામોહનીય કર્મ બાંધે. ૨૬. ચાર તીર્થનો ભેદ કરે એવી કથા, વાર્તા પ્રમુખ (કલેશરૂપ, શાસ્ત્રાદિક) નો પ્રયોગ કરે તો મહામોહનીય કર્મ બાંધે. ૨૭. પોતાની શ્લાઘા વધારવા તથા બીજા સાથે મિત્રતા કરવા અધર્મયોગ એવા વશીકરણ, નિમિત્ત મંત્ર પ્રમુખ પ્રયોજે તો મહામોહનીય કર્મ બાંધે. ૨૮. જે કોઈ મનુષ્ય સંબંધી ભોગ તથા દેવ સંબંધી ભોગને અતૃપ્તપણે ગાઢ પરિણામથી આસક્ત થઈ આસ્વાદાન કરે તો મહામોહનીય કર્મ બાંધે. ૨૯. મહર્દિક, મહાજ્યોતિવાનું, મહાયશસ્વી દેવાના બળ, વીર્ય પ્રમુખને અવર્ણવાદ બોલે તો મહામોહનીય કર્મ બાંધે. ૩૦. અજ્ઞાની થકો લોકમાં પૂજા (શ્લાઘા)નો અથ વૈમાનિક વ્યતર પ્રમુખ દેવને નહિ દેખતો થકો કહે જે હું દેખું છું, તેવું કહે તો મહામોહનીય કર્મ બાંધે. ૩૧. એકત્રીસ પ્રકારે સિદ્ધના ગુણ : આઠ કર્મની એકત્રીસ પ્રકૃતિના વિજયથી એકત્રીસ ગુણ પ્રાપ્ત કરે તે પ્રકૃતિ નીચે મુજબ. ૧. જ્ઞાનાવરણીય કર્મની પાંચ : ૧ મતિજ્ઞાનાવરણીય. ૨ શ્રુતજ્ઞાનાવરણીય. ૩ અવધિજ્ઞાનાવરણીય. ૪ મન:પર્યવ જ્ઞાનાવરણીય. ૫ કેવળજ્ઞાનાવરણીય. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેત્રીસ બોલ ૨૨૫ ૨. દર્શનાવ૨ણીય કર્મની નવ પ્રકૃતિ ઃ ૧ નિદ્રા, ૨ નિદ્રાનિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલાપ્રચલા, પ થીણદ્ધિ નિદ્રા, ૬ ચક્ષુ દર્શનાવરણીય, ૭ અચક્ષુ દર્શનાવરણીય, ૮ અવધિ દર્શનાવ૨ણીય, ૯ કેવળ દર્શનાવરણીય. ૩. વેદનીય કર્મની બે પ્રકૃતિ ઃ ૧ શાતા વેદનીય, ૨ અશાતા વેદનીય. ૪. મોહનીય કર્મની બે પ્રકૃતિ ઃ ૧ દર્શન મોહનીય, ૨ ચારિત્ર મોહનીય. ૫. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ : ૧૧૨૬ આયુષ્ય, ૨ તિર્યંચ આયુષ્ય, ૩ મનુષ્ય આયુષ્ય, ૪ દેવ આયુષ્ય. : ૬. નામ કર્મની બે પ્રકૃતિ : ૧ શુભ નામ, ૨ અશુભ નામ. ૭. ગોત્ર કર્મની બે પ્રકૃતિ ઃ ૧ ઊચ્ચ ગોત્ર, ૨ નીચ ગોત્ર. ૮. અંતરાય કર્મની પાંચ પકૃતિ : ૧ દાનાંતરાય, ૨ લાભાંત૨ાય, ૩ ભૌગાંતરાય, ૪ ઉપભોગાંતરાય ૫ વીર્યંતરાય. ૩૨. બત્રીસ પ્રકારે યોગ સંગ્રહ : ૧. આલોચના - જે કાંઈ પાપ લાગ્યું હોય તેનું ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવાનો સંગ્રહ કરવો. ૨. નિરપલાપ – ગુરુ પાસે કોઈ જે કાંઈ પ્રાયશ્ચિત લે તે બીજાને નહિ કહેવાનો સંગ્રહ કરવો. ૩. દૃઢ ધર્મતા : આપત્તિ, વિપત્તિ આવ્યે ધર્મ વિષે દૃઢ રહેવા સંગ્રહ કરવો. ૪. અનિશ્રિતોપધાન નિશ્રારહિત તપ (નિર્જરા માટે અથવા ફળની આશા વિના) ક૨વાનો સંગ્રહ કરવો. ૫. શિક્ષા -- સૂત્રાર્થ ગ્રહણ ક૨વો તથા પ્રતિલેખનાદિ ક્રિયા યોગ્ય સમયે નિરતિચાર કરવી. ૬. નિષ્પતિકર્મતા શારીરિક શુશ્રુષા ટાળવાનો સંગ્રહ કરવો તે. ૭. અજ્ઞાતતા અજ્ઞાત કુળની ગોચરી કરવાનો સંગ્રહ કરવો. ૮. અલોભ -- -15 Page #245 -------------------------------------------------------------------------- ________________ રિ૨૬) િ શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ નિર્લોભી થવાનો સંગ્રહ કરવો. ૯. તિતિક્ષા – બાવીસ પરિપહ અને ઉપસર્ગ સહન કરવાનો સંગ્રહ કરવો. ૧૦. આર્જવ -- સરળ, નિખાલસ સ્વભાવ રાખવાને સંગ્રહ કરવો. ૧૧. શુચિ – સત્ય સંયમ રાખવાનો સંગ્રહ કરવો. ૧૨. સમ્યગૃષ્ટિ – સમ્યકત્વ નિર્મળ રાખવાનો સંગ્રહ કરવો. ૧૩. સમાધિ - સમાધિથી રહેવાનો સંગ્રહ કરવો. ૧૪. આચારપગત – પંચ આચાર કપટ રહિત પાળવાનો સંગ્રહ કરવો. ૧૫. વિનયોપગત – વિનય કરવાનો સંગ્રહ કરવો. ૧૬. ધૃતિમતિ – ધીરજ, સંતાપ રાખવાનો સંગ્રહ કરવો. ૧૭. સંવેગ - વૈરાગ્ય રાખવાનો સંગ્રહ કરવો. ૧૮. પ્રસિધિ – શરીરને સ્થિર રાખવાનો સંગ્રહ કરવો. ૧૯. સુવિધિ - સુવિધિ, સારા અનુષ્ઠાનનો સંગ્રહ કરવો. ૨૦. સંવર –- આશ્રવ રોકવાનો સંગ્રહ કરવો. ૨૧. આત્મદોષો પસંહાર – આત્માના દોષો ટાળવાનો સંગ્રહ કરવો. ૨૨. સર્વકામ વિરક્તતા- સર્વ વિષયોથી વિમુખ રહેવાનો સંગ્રહ કરવો. ૨૩. પ્રત્યાખ્યાન-મૂલગુણ સંબંધી પ્રત્યાખ્યાન કરવાનો સંગ્રહ કરવો. ૨૪. પ્રત્યાખ્યાન – ઉત્તરગુણ સંબંધી પ્રત્યાખ્યાન કરવાનો સંગ્રહ કરવો. (દ્રવ્યથી ઉપાધિ ત્યાગ, ભાવથી ગર્વ આદિનો ત્યાગ કરવો.) ૨૫. વ્યુત્સર્ગ – દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ કાયોત્સર્ગ કરવાનો સંગ્રહ કરવો. ૨૬. અપમાદ - પ્રમાદનો ત્યાગ કરવાનો સંગ્રહ કરવો. ૨૭. લવાલવ – કાળકાળે ક્રિયા કરવાનો સંગ્રહ કરવો. ૨૮. ધ્યાનરૂપ સંવરણ યોગ – મન, વચન, કાયા રૂપ યોગોનું સંવરણ કરવું. (ધર્મધ્યાનનો સંગ્રહ કરવો.) ૨૯. મારણાંતિક ઉદય – મરણ, આતંક (રોગ) ઉપજ્ય મનને ક્ષોભ ન કરવાનો સંગ્રહ કરવો. ૩૦. સંગપરિજ્ઞાત – સ્વજનાદિકનો, પરિવહનો ત્યાગ કરવાનો સંગ્રહ કરવો. Page #246 -------------------------------------------------------------------------- ________________ નિરિ૨૭) શ્રી તેત્રીસ બોલ ૩૧. પ્રાયશ્ચિત્તકરણ –- પ્રાયશ્ચિત્ત લીધું હોય તે કરવાનો સંગ્રહ કરવો. ૩૨. મારણાંતિક આરાધના – આરાધક પંડિત મૃત્યુ થાય તેમ આરાધના કરવાનો સંગ્રહ કરવો. ૩૩. તેત્રીસ પ્રકારે આશાતના: ૧. શિષ્ય રત્નાધિક (વડા, ગુરુ) ની આગળ અવિનયપણે ચાલે તે આશાતના. ૨. શિષ્ય વડાની બરાબર (સાથે) અવિનયપણે ચાલે તો આશાતના. ૩. શિષ્ય વડાની પાછળ, શરીર ઘસાય, અડે તેમ ચાલે તો આશાતના. ૪, ૫, ૬. એ પ્રમાણે વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયપણે ઊભો રહે તો આશાતના. ૭, ૮, ૯. એ પ્રમાણે વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયપણે બેસે તો આશાતના. ૧૦. શિષ્ય વડાની સાથે બહિર ભૂમિ જાય ને વડા પહેલા શુચિ કરી આગળ આવે તે. ૧૧. વડા સાથે વિહાર ભૂમિ જઈ આવી ઈરિયાવહિયા પહેલા પ્રતિક્રમે તે. ૧૨. કોઈ પુરૂષ આવે તે વડાને બોલાવવા યોગ્ય છે તેવું જાણીને પહેલા પોતે બોલે અને પછી વડાને બોલાવે. ૧૩. રાત્રિએ વડા બોલાવે કે અહો આર્ય ! કોણ નિદ્રામાં છે અને કોણ જાગૃત છે? તેવું બોલતાં સાંભળીને જાગતો હોવા છતાં ઉત્તર ન આપે તે. ૧૪. અશનાદિ વહોરી લાવીને પ્રથમ અન્ય શિષ્યાદિની આગળ આલોચના કરે પછી વડા પાસે કરે તે. ૧૫. અશનાદિ વહોરી લાવીને પ્રથમ અન્ય શિષ્યાદિને બતાવે પછી વડાને બતાવે. ૧૬. અશનાદિ વહોરી લાવીને પ્રથમ અન્ય શિષ્યાદિને આમંત્રણ કરે પછી વડાને આમંત્રણ કરે તે. ૧૭. વડા સાથે અથવા અન્ય સાધુ સાથે અન્નાદિ વહોરી લાવી વડાને કે વૃદ્ધ સાધુને પૂછયા વિના પોતાનો જેના ઉપર પ્રેમ છે તેઓને થોડું થોડું વહેંચી આપે છે. ૧૮. વડા સાથે જમતાં ત્યાં સાદું - પત્ર, શાક, રસરહિત, મનોજ્ઞ ઉતાવળથી જમે તો આશાતના. ૧૯. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ (ક) શ્રી बृह६ જૈન થોક સંગ્રહ વડાના બોલાવ્યાં છતાં સાંભળીને મૌન રહે તે. ૨૦. વડાના બોલાવ્યાં છતાં પોતાના આસને ૨હી હા કહે, પરંતુ કામ બતાવશે તેવા ભયથી વડા પાસે જાય નહિ તે. ૨૧. વડાના બોલાવ્યાથી આવે ને કહે કે શું કહો છો ? એવું મોટા સાદે અવિનયથી કહે તે. ૨૨. વડા કહે કે આ કાર્ય તમે કરો તમને લાભ થશે. ત્યારે શિષ્ય વડાને કહે કે તમે જ ક૨ોને તમને લાભ થશે. ૨૩. શિષ્ય વડા પ્રત્યે કઠોર, કર્કશ ભાષા વાપરે તે. ૨૪. શિષ્ય વડાને જેમ વડા શબ્દો વાપરે તેના જ શબ્દો, તેવી રીતે વાપરે તે. ૨૫. વડા ધર્મ વ્યાખ્યાન આપતા હોય ત્યારે સભામાં જઈ બોલે કે તમો કહો છો તે ક્યાં છે ? એમ કહે તે. ૨૬. વડા ધર્મ વ્યાખ્યાન કહેતાં શિષ્ય કહે કે તમો તદ્દન ભૂલી ગયા છો તે. ૨૭. વડા ધર્મ વ્યાખ્યાન આપતાં શિષ્ય પોતે સારૂં ન જાણી ખુશી ન ૨હે તે. ૨૮. વડા ધર્મ વ્યાખ્યાન આપતાં સભામાં ભેદ થાય તેમ અવાજ કરી બોલી ઉઠે કે વખત થઈ ગયો છે, આહારાદિ લેવા જવાનું છે વગે૨ે, કહી ભંગ કરે તે. ૨૯. વડા ધર્મ વ્યાખ્યાન આપતાં શ્રોતાઓના મનને નાખુશી ઉત્પન્ન કરે તે. ૩૦. વડાનું ધર્મ વ્યાખ્યાન બંધ થયું ન હોય તેટલામાં શિષ્ય પોતે વ્યાખ્યાન શરૂ કરે તે. ૩૧. વડાની શય્યા, પથા૨ીને પગે ક૨ી ઘસે, હાથે કરી આસ્ફાલન કરે તે. ૩૨. વડાની શય્યા, પથારી ઉપર ઊભો રહે, બેસે, સૂવે તે. ૩૩. વડાથી ઉચ્ચ આસને કે બ૨ાબ૨ આસને બેસવું, ઊભા રહેવું, સૂવું વગેરે કરે તે. ઇતિ તેત્રીસ બોલ. [3] તુ દિલ દિ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન કિપીરિ૨૯) ૧૨. નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન) ૧ શેય, ૨ જ્ઞાન, ૩ જ્ઞાની. તેના અર્થ. ૧. શેય જાણવા યોગ્ય તે સામો પદાર્થ. ૨. જ્ઞાન તે જીવનો ઉપયોગ, જીવનું લક્ષણ, જીવના જાણપણાનો ગુણ તે. ૩. જ્ઞાની તે જાણે તે જાણવાવાળો જીવ, અસંખ્યાત પ્રદેશી આત્મા. જ્ઞાન શબ્દનો વિશેષ અર્થ ૧. જેણે કરી વસ્તુને જાણીએ તે જ્ઞાન. ૨. જે થકી વસ્તુને જાણીએ તે જ્ઞાન. ૩. જેને વિષે વસ્તુને જાણીએ તે જ્ઞાન. ૪. જાણવું તે જ્ઞાન. . એ ચાર અર્થ કહ્યા. જ્ઞાનના ભેદ જ્ઞાનના ભેદ પાંચ છે. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન. ૧. મતિજ્ઞાનઃ તેના બે ભેદ : ૧ સામાન્ય, ર વિશેષ. ૧. સામાન્ય પ્રકારે તે મતિ કહીએ. ૨. વિશેષ પ્રકારે તે મતિ જ્ઞાન તથા મતિ અજ્ઞાન કહીએ. સમ્યફ દૃષ્ટિની મતિ તે મતિ જ્ઞાન. મિથ્યા દૃષ્ટિની મતિ તે મતિ અજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન : તેના બે ભેદ. ૧ સામાન્ય, ૨ વિશેષ. ૧. સામાન્ય પ્રકારે તે શ્રુત કહીએ. ૨. વિશેષ પ્રકારે તે શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાન કહીએ. સમ્યફ દૃષ્ટિનું શ્રુત તે શ્રુત જ્ઞાન. Page #249 -------------------------------------------------------------------------- ________________ રિ૩) 0િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ મિથ્યા દૃષ્ટિનું શ્રુત તે શ્રુત અજ્ઞાન. ૧. મતિ જ્ઞાન, શ્રત જ્ઞાન, એ બે જ્ઞાન અન્યોઅન્ય પરસ્પર મહામહિ ક્ષીરનીરની પર મળી રહે છે, જીવ અને આત્યંતર શરીરની પેરે છે. જ્યારે બે શાન સાથે હોય ત્યારે પણ પહેલાં મતિ પછી શ્રત હોય છે. અહીં બે જ્ઞાનને વિષે આચાર્ય વિશેષે કરી સમજાવે છે. જીવ મતિએ કરી જાણે તે મતિ જ્ઞાન, શ્રુતે કરી જાણે તે શ્રુત જ્ઞાન... ૧. મતિ જ્ઞાનનું વર્ણન મતિ જ્ઞાનના બે ભેદ. ૧. શ્રુતનિશ્રિત – તે સાંભળ્યા વચનને અનુસાર મતિ વિસ્તરે. ૨. અશ્રુતનિશ્રિત – તે નહિ સાંભળ્યું, નહિ જોયું, તો પણ તેમાં મતિ વિસ્તરે. અશ્રુત નિશ્રિતના ચાર ભેદ ઃ ૧. ઔત્પાતિકા, ૨. વૈનાયિકા, ૩. કાર્મિકા, ૪. પારિણામિકા. ૧. ઔત્પાતિકા બુદ્ધિ – તે પૂર્વે જોયેલું ન હોય કે સાંભળેલું ન હોય છતાં એકદમ વિશુદ્ધ અર્થગ્રાહી બુદ્ધિ ઉત્પન્ન થાય અને તે બુદ્ધિ ફળને ઉત્પન્ન કરે તેને ઓત્પાતિકા બુદ્ધિ કહીએ. ૨.વૈનાયિકા બુદ્ધિ – તે ગુરુ વડીલનો વિનય ભક્તિ કરવાથી જે બુદ્ધિની ઉત્પત્તિ થાય, શાસ્ત્રના અર્થ રહસ્ય સમજે તેને વૈનયિકા બુદ્ધિ કહીએ. ૩. કાર્મિકા (કામિયા) બુદ્ધિ – તે જોતાં, લખતાં, વાંચતાં, ચિતરતાં, ભણતાં, સાંભળતાં, દેખતાં, વણતાં, સીવતાં ઈત્યાદિ અનેક શિલ્પકળા વગેરેનો અભ્યાસ કરતા તેમાં કુશળ થાય તે કાર્મિકા (કામિયા) બુદ્ધિ કહીએ. ૪. પરિણામિકા બુદ્ધિ – તે જેમ જેમ વય પરિણમે તેમ તેમ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન ૨૩૧ બુદ્ધિ પરિણમે તથા બહુસૂત્રી, સ્થવિર, પ્રત્યેકબુદ્ધ આદિ પ્રમુખને આલોચના કરતાં બુદ્ધિમાં વૃદ્ધિ થાય, તેને પારિણામિકા બુદ્ધિ કહીએ. શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના ચાર ભેદ : ૧. અવગ્રહ (ગ્રહણ કરવું), ૨ ઇહા (વિચારવું), ૩ અવાય (નિર્ણય ક૨વો), ૪ ધા૨ણા (જ્ઞાનને ધારણ કરવું). ૧. અવગ્રહના બે ભેદ : (૧) વ્યંજનાવગ્રહ, અને (૨) અર્થાવગ્રહ. (૧) વ્યંજનાવગ્રહ -- તે પુદ્ગલો ઇન્દ્રિયોને વિષે સામાં આવી પડે, ને ઇન્દ્રિયો તે પુદ્ગલોને ચહે. સરાવલાને દૃષ્ટાંતે, તેને વ્યંજનાવગ્રહ કહીએ. ચક્ષુ ઇન્દ્રિય ને મન તે રૂપાદિ પુદ્ગલની સામાં જઈને તેમને ગ્રહે છે માટે ચક્ષુઇન્દ્રિય અને મન એ બેને વ્યંજનાવગ્રહ નથી ને શેષ ચાર ઇન્દ્રિયોને વ્યંજનાવગ્રહ છે. માટે વ્યંજનાવગ્રહના ચાર ભેદ છે. ૧. શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ - કાને કરી શબ્દના પુદ્ગલને ગ્રહે. ૨. ઘાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ – નાસિકાથી ગંધના પુદ્ગલને ગ્રહે. ૩. ૨સેન્દ્રિય વ્યંજનાવગ્રહ – જીભથી ૨સ સ્વાદના પુદ્ગલને ચહે. ૪. સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ – શરીરે કરી સ્પર્શના પુદ્ગલને ચહે. વ્યંજનાવગ્રહને સમજવાને – ૧ પડિબોહગદિશ્ચંતેણં, ૨ મલ્લગદિôતેણં, આ બે દૃષ્ટાંત આપે છે. ૧ પડિબોહગદિöતેણું – પ્રતિબોધક (જગાડવાનું) દૃષ્ટાંત. જેમ કોઈ પુરૂષ સૂતો છે તેને બીજા કોઈ પુરૂષે બોલાવ્યો, 'હે દેવદત્ત' ત્યારે તેણે સાંભળીને જાગીને 'હું' ઉત્તર આપ્યો. ત્યારે શિષ્ય સમજવાને શંકાથી પૂછે છે; 'હે સ્વામિન્ ! તે પુરૂષે હુંકારો આપ્યો તે શું તેણે એક સમયના કે બે સમયના કે ત્રણ સમયના કે ચાર સમયના Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ કે યાવત્ સંખ્યાત સમયના કે અસંખ્યાત સમયના પ્રવેશ્યા શબ્દ પુદ્ગલને ગ્રહ્યા?' ગુરુ કહે છે 'એક સમયના નહિ, બે–ત્રણ, ચાર યાવત્ સંખ્યાત સમયના નહિ, પણ અસંખ્યાત સમયના પ્રવેશ્યા શબ્દ પુદ્ગલને ચહ્યા.' એમ ગુરુના કહેવાથી પણ શિષ્યને સમજણ પડી નહિ ત્યારે **** ૨. બીજું મક્ષક (સ૨ાવલાનું) દૃષ્ટાંત કહે છે. જેમ, કુંભારના નીંભાડામાંથી તુરંતનું લાવેલું કોરું સ૨ાવલું હોય ને તેમાં એક જળ બિંદુ મૂકે પણ તે જળબિંદુ જણાય નહિ. એમ બે,ત્રણ,ચાર, ઘણાં જળબિંદુ મૂકે પણ તે સ૨ાવલું બરાબર ભીંજાય નહિ. પણ ઘણાં જળબિંદુથી ભીંજાય પછી જળબિંદુ એક ઠરે ને એમ કરતાં વધતાં વધતાં પા સરાવલું થાય, પછી અર્ધ સરાવલું થાય ને ઘણી વખતે પૂર્ણ ભરાય પછી તે સ૨ાવલું ઊભરાય. તેમ કાનમાં એક સમયના પ્રવેશ્યા (પેઠા) પુદ્ગલને ગ્રહી શકે નિહ. જેમ એક જળબિંદુ સ૨ાવલામાં જણાય નહિ એમ બે, ત્રણ, ચાર, સંખ્યાત સમયના પણ પુદ્ગલને ગ્રહી શકે નહિ. અર્થને પકડી શકે, સમજી શકે તેમાં અસંખ્યાત સમય જોઈએ ને તે અસંખ્યાત સમયના પ્રવેશ્યા પુદ્ગલ જ્યારે કાનમાં ભ૨ાય અને ઉભરાઈ જાય ત્યારે 'હું' એમ કહી શકે પણ સમજે નહિ જે એ કોનો શબ્દ, એ વ્યંજનાવગ્રહ, (૨) અર્થાવગ્રહના છ ભેદ : છ ૧. શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ – તે કર્ણે ક૨ી શબ્દના અર્થને ગ્રહે . ૨. ચક્ષુઇન્દ્રિય અર્થાવગ્રહ - તે ચક્ષુએ ક૨ી રૂપના અર્થને ગ્રહે. ૩. ધાણેન્દ્રિય અર્થાવગ્રહ -- તે નાસિકાએ કરી ગંધના અર્થને રહે. ૪. ૨સેન્દ્રિય અર્થાવગ્રહ -- તે જીભે કરી રસ સ્વાદના અર્થને ચહે ૫. સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ – તે શરીરે કરી સ્પર્શના અર્થને ગ્રહે. - Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન ૬. નોઇન્દ્રિય અર્થાવગ્રહ – તે મન દ્વારા દરેક પદાર્થના અર્થને ગ્રહ. વ્યંજનાવગ્રહના ચાર ભેદ અને અર્થાવગ્રહના છ ભેદ મળી અવગ્રહના દશ ભેદ છે. અવગ્રહ કરી સામાન્ય પ્રકાર અને ગ્રહે પણ જાણે નહિ, જે એ કોનો શબ્દ કે ગંધ પ્રમુખ છે. પછી ત્યાંથી ઈહા મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. ઈહા તે વિચારે જે અમુક શબ્દ કે ગંધ પ્રમુખ છે પણ નિશ્ચય થાય નહિ. પછી અવાય મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. અવાય તે નિશ્ચય કરવો, જે એ અમુકનો જ શબ્દ કે ગંધ પ્રમુખ છે. પછી ધારણા મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. ધારણા તે ધારી રાખે, જે અમુક શબ્દ કે ગંધ પ્રમુખ આ પ્રકારે હતો. એમ ઈહાના છ ભેદ તે શ્રોત્રેન્દ્રિય ઈહા યાવતુ નોઈદ્રિય ઈહા. એમ અવાયના છ ભેદ તે શ્રોત્રેન્દ્રિય અવાય યાવતુ નોઈદ્રિય અવાય. એમ ધારણાના છ ભેદ તે શ્રોત્રેન્દ્રિય ધારણા યાવતુ નોઈદ્રિય ધારણા. તેમનો કાળ કહે છે. અવચહનો કાળ એક સમયથી અસંખ્યાત સમયના પ્રવેશ્યા પુગલને છેલ્લા સમયે જાણે, જે મને કોઈ બોલાવે છે. ઈહાનો કાળ અંતર્મુહૂર્ત, તે વિચાર ચાલ્યા કરે, કે જે મને કોઈક બોલાવે છે તે આ હશે કે એ? અવાયનો કાળ અંતર્મુહૂર્ત – નિશ્ચય કરવાનો, જે મને અમુક જ બોલાવ્યો છે, શબ્દ ઉપર નિશ્ચય કરે. ધારણાનો કાળ સંખ્યાતા વર્ષ અથવા અસંખ્યાતા વર્ષ સુધી ધારી રાખે, જે અમુક વેળાએ અમુકનો શબ્દ સાંભળ્યો હતો તે આ પ્રકારે હતો. એ અવગ્રહના ૧૦ ભેદ, ઈહાના ૬ ભેદ, અવાયના Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૬ ભેદ, ધા૨ણાના ૬ ભેદ, સર્વ મળી શ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ૨૮ ભેદ. મતિજ્ઞાન સમુચ્ચય ચાર પ્રકારે : ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી. ૧ દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્યથી ઉપદેશ ક૨ી સર્વ દ્રવ્ય જાણે પણ ન દેખે. ૨. ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્યથી ઉપદેશે ક૨ી સર્વ ક્ષેત્રની વાત જાણે પણ ન દેખે. ૩. કાળથી મતિજ્ઞાની સામાન્યથી ઉપદેશે કરી સર્વ કાળની વાત જાણે પણ ન દુખે. ૪. ભાવથી સામાન્યથી ઉપદેશ કરી સર્વ ભાવની વાત જાણે પણ ન દેખે. નહીં દેખવાનું કારણ મતિજ્ઞાનને દર્શન નથી. ભગવતી સૂત્રમાં (શ.૮ ઉ.૨) 'પાસઇ' પાઠ છે તે પણ શ્રદ્ધા વિષે છે પણ જોવું તેમ નથી. (કારણકે મતિજ્ઞાન તે પરોક્ષ જ્ઞાન છે ઇતિ મતિ જ્ઞાન ૨. શ્રુતજ્ઞાનનું વર્ણન શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ છે. ૧. અક્ષ૨ શ્રુત, ૨. અનક્ષર શ્રુત, ૩. સંશી શ્રુત, ૪. અસંશી શ્રુત, પ. સમ્યક્ શ્રુત, ૬. મિથ્યા શ્રુત, ૭. સાદિ શ્રુત, ૮. અનાદિ શ્રુત, ૯. સપર્યવસિત શ્રુત, ૧૦. અપર્યવસિત શ્રુત, ૧૧. ગમિક શ્રુત, ૧૨. અગમિક શ્રુત, ૧૩. અંગ પ્રવિષ્ટ શ્રુત, ૧૪. અનંગ પ્રવિષ્ટ શ્રુત. (અંગબાહિ૨) (૧) અક્ષર શ્રુત તેના ત્રણ પ્રકાર છે. ૧. સંજ્ઞા અક્ષર ૨. વ્યંજન અક્ષર, ૩. લબ્ધિ અક્ષર. ૧. સંજ્ઞા અક્ષર શ્રુત તે અક્ષરના આકારનું જ્ઞાન; ઉદા. ક, ખ, ગ પ્રમુખ સર્વ અક્ષરની સંજ્ઞાનું જ્ઞાન. ક અક્ષરનો ઘાટ દેખી કહે જે એ ખ નહિં, ગ નહિ, એમ સર્વ અક્ષ૨ની ના કહીને કહે કે એ તો ક જ છે. એમ સંસ્કૃત, પ્રાકૃત, ગોડી, ફારસી, દ્રાવિડી, હિંદી આદિ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન રિ૩૫] અનેક પ્રકારની લિપિમાં અનેક પ્રકારના અક્ષરના ઘાટ છે તેનું જે જ્ઞાન તે સંજ્ઞા અક્ષર શ્રુતજ્ઞાન. ૨. વ્યંજન અક્ષર શ્રુત તે હ્રસ્વ, દીર્ઘ, કાનો, માત્રા, અનુસ્વાર પ્રમુખની યોજનાએ કરી બોલવું તે વ્યંજન અક્ષર શ્રત. ૩. લબ્ધિ અક્ષર શ્રુત - ઇઢિયાર્થના જાણ પણાની લબ્ધિથી અક્ષરનું જ્ઞાન થાય છે. તેના છ ભેદ. ૧. શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત તે કાને ભેરી પ્રમુખનો શબ્દ સાંભળી કહે, જે એ ભેરી પ્રમુખનો શબ્દ છે, તો ભેરી પ્રમુખ અક્ષરનું જ્ઞાન શ્રોત્રેન્દ્રિય લબ્ધિથી થયું તે માટે શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ. ૨. ચક્ષુઈન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત તે આંખ આંબા પ્રમુખનું રૂપ દેખીને કહે છે આ આંબા પ્રમુખનું રૂપ છે, તો આંબા પ્રમુખ અક્ષરનું જ્ઞાન ચક્ષુ ઇન્દ્રિય લબ્ધિથી થયું, તે માટે ચક્ષુઈન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ ૩. ઘાણેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત તે નાસિકાએ કેતકી પ્રમુખની ગંધ લઈને જાણે કે એ કેતકી પ્રમુખની ગંધ છે, તે ઘાણેન્દ્રિય લબ્ધિથી કેતકી પ્રમુખ અક્ષરનું જ્ઞાન થયું, માટે ઘાણેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત કહીએ. ૪. રસેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત તે જીલ્લાએ કરી સાકર પ્રમુખનો સ્વાદ જાણીને એ સાકર પ્રમુખનો સ્વાદ છે, એ અક્ષરનું જ્ઞાન રસેન્દ્રિય લબ્ધિથી થયું, માટે રસેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ. ૫. સ્પર્શનિય લબ્ધિ અક્ષર શ્રુત તે શીત, ઉષ્ણ આદિ સ્પર્શ થવાથી જાણે જે એ શીત કે ઉષ્ણ છે, માટે તે અક્ષરનું જ્ઞાન સ્પર્શેન્દ્રિય લબ્ધિથી થયું, માટે સ્પર્શેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રત કહીએ. Page #255 -------------------------------------------------------------------------- ________________ રિ૩૬]E ) શ્રી બૃહદ જૈન શોક સંગ્રહ ૬. નોઈદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત તે મને કરી ચિંતવતાં, વિચારતાં સ્મરણ થયું જે મેં અમુક ચિંતવ્યું તો તે સ્મરણના અક્ષરનું જ્ઞાન મનથી – નઇન્દ્રિયથી થયું માટે નઇન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ. એ લબ્ધિ અક્ષર શ્રતના છ ભેદ સંપૂર્ણ. | ઇતિ અક્ષર શ્રુતના ભેદ. (૨) અનક્ષર શ્રત – તે અનેક પ્રકારે છે. તે અક્ષરના ઉચ્ચાર કર્યા વિના છીંક, શબ્દ, ઉધરસ, ઉચ્છવાસ, નિઃશ્વાસ, બગાસાં, નાક નિષીકવું તથા નગારાં પ્રમુખનો શબ્દ, અનક્ષ રી વાણી માટે તેને અનક્ષ ૨ શ્રુત કહીએ. (૩) સંશી શ્રત – તેના ૩ ભેદ : ૧. સંશી કાલિકોપદેશ -- તે શ્રુત સાંભળીને વિચારે તે ૧. વિચારવું, ૨. નિશ્ચય કરવું, ૩. સમુચ્ચય અર્થનું ગષવું, ૪. વિશેષ અર્થનું ગષવું, ૫. ચિંતવવું, ૬. નિશ્ચય કરી વળી વિચારવું. એ છ બોલ સંજ્ઞી જીવને હોય તે સંજ્ઞી કાલિકોપદેશ શ્રત. ૨. સંશી હેતુપદેશ શ્રત – તે સંજ્ઞી ધારી રાખે. ૩. સંસી દૃષ્ટિવાદોપદેશ – તે ક્ષયોપશમ ભાવે સાંભળે, એટલે કે સંશી શ્રુત શાસ્ત્રને હેતુ સહિત, દ્રવ્ય અર્થ સહિત, કારણ યુક્તિ સહિત, ઉપયોગ સહિત, પૂર્વાપર વિચાર સહિત ભણે, ભણાવે, સાંભળે તે માટે સંજ્ઞી શ્રુત કહીએ. (૪) અસંશી શ્રત – તેના ત્રણ ભેદ : ૧. અસંશી કાલિકોપદેશ, ૨. અસંજ્ઞી હતુપદેશ, ૩. અસંજ્ઞી દૃષ્ટિવાદોપદેશ. ૧. અસંશી કાલિકોપદેશ શ્રુત- તે સાંભળે પણ વિચાર નહિ. સંજ્ઞીને છ બોલ છે તે અસંજ્ઞી ને નથી. ૨. અસંશી હેતુપદેશ શ્રત – તે સાંભળી ને ધારી રાખે નહિ. Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન િિીરિ૩] ૩. અસંશી દૃષ્ટિવાદોપદેશ શ્રત – તે ક્ષયોપશમ ભાવે ન સાંભળે. તે ત્રણ બોલ અસંજ્ઞી આશ્રી કહ્યા. એટલે કે અસંજ્ઞી શ્રત તે ભાવાર્થ રહિત, વિચાર અને ઉપયોગ શૂન્ય, પૂર્વાપર આલોચના રહિત, નિર્ણય રહિત, ઓઘ સંજ્ઞાએ ભણે તથા ભણાવે કે સાંભળે તે માટે અસંજ્ઞી શ્રુત કહીએ. (૫) સમ્યક કૃત – શ્રી અરિહંત, તીર્થ કર, કેવળજ્ઞાની, કેવળદર્શની, બાર ગુણે કરી સહિત, અઢાર દોષ રહિત, ચોત્રીસ અતિશય પ્રમુખ અનંત ગુણના ધારક, તેમના પ્રરૂપેલા બાર અંગસૂત્ર, અર્થરૂપ આગમ, તથા ગણધર પુરૂષોએ-શ્રુતરૂપ-(મૂલરૂ૫) બાર આગમ ગુંથ્યા તે તથા ચૌદપૂર્વીએ, તેર પૂર્વીએ, બાર પૂર્વીએ, અગિયાર પૂર્વીએ તથા દશપૂર્વીએ, જે શ્રત તથા અર્થરૂપ વાણી પ્રકાશી તે "સમ્યફ શ્રત". દશમા પૂર્વમાં ન્યૂન જેને જ્ઞાન હોય, તેમનાં પ્રકાશેલાં સમશ્રત હોય અથવા મિથ્યાશ્રુત હોય. (૬) મિથ્યા શ્રુત - જે પૂર્વોક્ત ગુણ રહિત, રાગ દ્વેષસહિત પુરૂષોએ પોતાની મતિ, કલ્પનાએ કરી, મિથ્યાત્વ દૃષ્ટિએ કરી જે શાસ્ત્ર રચ્યાં જેવાં કે મહા ભારત, રામાયણ, વૈધક, જ્યોતિષ તથા ર૯ જાતિનાં પાપશાસ્ત્ર પ્રમુખ ગ્રંથ તે મિથ્થામૃત. તે મિથ્યાત્વ દૃષ્ટિને મિથ્યાશ્રુતપણે પરિણમે. (સાચા કરી ભણે માટે). પણ જો સમ્યક્રુતની સાથે મેળવતાં જૂઠાં જાણી ત્યજે તો સમ્યકુશ્રુત પરિણમે. તે જ મિથ્યાશ્રુત સમ્યકત્વવાન પુરૂષને સમ્યક્ બુદ્ધિએ કરી વાંચતા સમ્યફત્વના રસે કરી પરિણમે તે બુદ્ધિનો પ્રભાવ જાણવી. વળી આચારાંગાદિ સમ્યફ શાસ્ત્ર તે પણ સમ્યવાન પુરૂષને સમ્યફ થઈ પરિણમે ને મિથ્યાત્વ દૃષ્ટિવાનું પુરૂષને તેજ શાસ્ત્ર મિથ્યાત્વપણે પરિણમે એ રહસ્ય છે. (૭) સાદિક કૃત (૮) અનાદિક શ્રત, (૯) સપર્યવસિત શ્રુત, Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ (૧૦) અપર્યવસિત શ્રુત. એ ચાર પ્રકારના શ્રુતને ભાવાર્થ સાથે કહે છે. બાર અંગ વિચ્છેદ થયાં આશ્રી આદિ અંત સહિત અને વિચ્છેદ ન થયાં આશ્રી આદિ અંત રહિત, તે શ્રુત સમુચ્ચય ચાર પ્રકારે છે. અ. દ્રવ્યથી એક પુરૂષ ભણવા માંડ્યું તેને સાદિક સપર્યવસિત કહીએ. ને ઘણાં પુરૂષ પરંપ૨ા આશ્રી ભણે તે અનાદિક અપર્યવસિત કહીએ. બ. ક્ષેત્રથી પાંચ ભરત, પાંચ ઈરવત, દશ ક્ષેત્ર આશ્રી સાદિ સપર્યવસિત, પાંચ મહાવિદેહ આશ્રી અનાદિક અપર્યવસિત. ક. કાળથી ઉત્સર્પિણી અવસર્પિણી આશ્રી સાદિક સપર્યવસિત. નોઉત્સર્પિણી નોઅવસર્પિણી આશ્રી અનાદિક અપર્યવસિત. ડ. ભાવથી તીર્થંકરોએ ભાવ પ્રકાશ્યા તે આશ્રી સાદિક સપર્યવસિત. ક્ષયોપશમભાવ આશ્રી અનાદિક અપર્યવસિત અથવા ભવ્યનું શ્રુત તે આદિક અંતસહિત. અભવ્યનું શ્રુત તે અનાદિક અંતરહિત તે ઉપર દૃષ્ટાંત છે. સર્વ આકાશના અનંત પ્રદેશ છે. તે એકેક આકાશ પ્રદેશમાં અનંત પર્યાય છે. તે સર્વ પર્યાયથી અનંત ગુણે અધિક એક અગુરૂલઘુ પર્યાય અક્ષ૨ થાય. અક્ષ૨ કેવળ સંપૂર્ણ જ્ઞાન જાણવું. તેમાંથી સર્વ જીવને સર્વ પ્રદેશે અક્ષરના અનંતમા ભાગે જાણપણું સદાકાળ ઉઘાડું રહે છે. શિષ્ય પૂછે છે કે સ્વામિન્ ! જો તેટલું જાણપણું ઢંકાય તો શું થાય ? ત્યારે ગુરુ કહે છે, 'જો તેટલું જાણપણું ઢંકાય તો જીવપણું મટીને અજીવ થાય, અને ચૈતન્ય મટીને જડપણું થાય, માટે હે શિષ્ય ! જીવના સર્વ પ્રદેશે અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન સદા ઉઘાડું છે. જેમ વર્ષાકાળે કરી ચંદ્ર તથા સૂર્ય ઢાંક્યા થકા પણ સર્વથા ચંદ્ર તથા સૂર્યની પ્રભા ઢંકાઈ જતી નથી, તેમ અનંત જ્ઞાનાવ૨ણીય કર્મના Page #258 -------------------------------------------------------------------------- ________________ કિ ર૩૯) શ્રી પાંચ જ્ઞાન આવરણનો ઉદય થયા છતાં પણ ચૈતન્યપણું સર્વથા આવરાતું (ઢંકાતું) નથી. નિગોદના જીવને પણ અક્ષ રના અનંતમા ભાગે સદાજ્ઞાન ઉઘાડું રહે છે.' (૧૧) ગમિક શ્રત તે બારમું અંગ દૃષ્ટિવાદ, ઘણીવાર સરખા પાઠ આવે માટે. (૧૨) અગમિક શ્રુત તે કાલિક શ્રુત, ૧૧ અંગ, આચારાંગ પ્રમુખ. (૧૩) અંગ પ્રવિષ્ટ શ્રુત– બાર અંગ (આચારાંગ થી દૃષ્ટિવાદ સુધી) સૂત્રમાં તેનો વિસ્તાર ઘણો છે, ત્યાંથી જોવું. (૧૪) અનંગ પ્રવિષ્ટ ચુત – સમુચ્ચય બે પ્રકારે ૧. આવશ્યક. ૨. આવશ્યક વ્યતિરિક્ત. ૧. આવશ્યકના છ અધ્યયન સામાયિક પ્રમુખ. ૨. આવશ્યક વ્યતિરિક્તના બે ભેદ : ૧ કાલિક શ્રુત, ૨. ઉત્કાલિક મૃત. ૧. કાલિક શ્રુતજ – તેના અનેક પ્રકાર છે. તે ઉત્તરાધ્યયન દશા શ્રુતસ્કંધ, બૃહતકલ્પ, વ્યવહાર પ્રમુખ એકત્રીસ સૂત્ર કાલિકનાં નામ નંદીસૂત્ર મધ્યે આપ્યાં છે તથા જે જે તીર્થકરના જેટલા શિષ્ય તેટલા પઇન્ના સિદ્ધાંત જાણવા. જેમ ઋષભદેવના ૭૪,000 પત્રા તથા મધ્ય ૨૨ તીર્થંકરના સંખ્યાતા હજાર પાંત્રા તથા મહાવીર સ્વામીના ૧૪,૦૦૦ પન્ના તથા સર્વ ગણધરના કર્યા તથા પ્રત્યેક બુદ્ધના કર્યા પઇન્ના તે સર્વ કાલિક જાણવા. તે કાલિક શ્રત. ૨. ઉત્કાલિક શ્રુત” – તે અનેક પ્રકારનાં છે. તે દશવૈકાલિક ૧ અથવા સમુચ્ચય બે પ્રકારે શ્રુત કહ્યાં છે. તે અંગપવિઠંચ (અંગપ્રવિષ્ટ) તથા અંગબાહિર (અનંગપ્રવિષ્ટ). ગમિક તથા અગમિકના ભેદમાં સમાવેશ સૂત્રકારે કર્યો છે. મૂળનાં નામ પણ જૂદાં આપ્યાં છે. ૨ પહેલે પહોરે તથા ચોથે પહોરે સ્વાધ્યાય થાય તે કાલિક શ્રુત. ૩ ભગવાનનાં ચાર બુદ્ધિવાળાં શિષ્યોની બનાવેલ રચના. ૪ અસ્વાધ્યાયનો સમય વર્જી ચારે પહર સ્વાધ્યાય થાય તે ઉત્કાલિક શ્રત. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ પ્રમુખ ૨૯ પ્રકા૨ના શાસ્ત્રનાં નામ નંદીસૂત્રમાં આપ્યાં છે તે આદિ દઈને અનેક પ્રકારનાં શાસ્ત્ર છે, પણ વર્તમાનમાં ઘણાં વિચ્છેદ છે. દ્વાદશાંગી સિદ્ધાંત આચાર્યની પેટી સમાન, અતીત કાલે અનંત જીવો આજ્ઞાએ આ૨ાધીને સંસાર દુઃખથી મુક્ત થયા. વર્તમાનમાં સંખ્યાતા જીવો દુઃખથી મુક્ત થાય છે. અનાગત કાલે આજ્ઞાએ આરાધી, અનંત જીવો દુઃખથી મુક્ત થશે. અને સૂત્ર વિરાધકને માટે ત્રણે કાળ આશ્રી સંસારમાં રખડવા વિષે જાણવું. શ્રુતજ્ઞાન (દ્વાદશાંગરૂપ) લોક આશ્રી સદાકાળ છે. શ્રુતજ્ઞાન – સમુચ્ચય ચાર પ્રકારે છે. ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ૧. દ્રવ્યથી – શ્રુતજ્ઞાની ઉપયોગે ક૨ી સર્વ દ્રવ્ય જાણે દેખે, તે શ્રદ્ધાએ ક૨ી તથા સ્વરૂપ આલેખવે કરી. ૨. ક્ષેત્રથી – શ્રુતજ્ઞાની ઉપયોગે કરી, સર્વ ક્ષેત્રની વાત જાણે, દેખે, પૂર્વવત્. ૩. કાળથી – શ્રુતજ્ઞાની ઉપયોગે કરી, સર્વ કાળની વાત જાણે, દેખે. ૪. ભાવથી – શ્રુતજ્ઞાની ઉપયોગે કરી, સર્વ ભાવ જાણે, દેખે. ઇતિ શ્રુતજ્ઞાનનું વર્ણન ૩. અવધિજ્ઞાનનું વર્ણન અવધિજ્ઞાનના મુખ્ય બે ભેદ : ૧. ભવપ્રત્યયિક, ૨. ક્ષાયોપશમિક. ૧. ભવપ્રત્યયિકના બે ભેદ : ૧ નારકીને, ૨ દેવ (ચારે પ્રકારના) ને હોય, તે ભવ સંબંધી જ્યારથી ઉત્પન્ન થાય તે ભવના અંત સુધી હોય. ૨. ક્ષાયોપશમિકના ભે બેદ : ૧ સંશી મનુષ્યને, ૨. સંશી તિર્યંચ પંચેન્દ્રિયને; ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થાય તે, અથવા ક્ષમાદિક ગુણે કરી સહિત અણગારને ઉત્પન્ન થાય. અવધિજ્ઞાનના છ પ્રકાર સંક્ષેપથી કહ્યા છે તેના નામ ઃ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન (૨૪૧) (૧) અનુગામિક, (૨) અનાનુગામિક, (૩)વર્ધમાનક, (૪) હિયમાનક, (૫) પ્રતિપાતિ, (૬) અપ્રતિપાતિ. (૧) અનુગામિક – જ્યાં જ્યાં જાય ત્યાં તે સાથે આવે. તે બે પ્રકારનું છે. ૧. અંતઃગત, ૨. મધ્યગત. ૧. અંતઃગત અવધિજ્ઞાન – તેના ત્રણ પ્રકાર. અ. પુરતઃ અંતઃગત – (પુ૨ઓ અંતગત) તે શ૨ી૨ના આગલા ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. આ. માર્ગતઃ અંતઃગત – (મર્ગીઓ અંતગત) તે શ૨ી૨ના પૃષ્ટ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. ઇ. પાશ્વર્તઃ અંતઃગત – (પાસઓ અંતગત) તે શરીરના બે પાર્શ્વ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. અંતઃગત અવિધ ઉ૫૨ દૃષ્ટાંત છે. જેમ કોઈ પુરૂષ દીપ પ્રમુખ ઉપર અગ્નિનું ભાજન તથા મણિપ્રમુખ હાથમાં લઈને આગળ કરી ચાલતો જાય તો આગળ દેખે. જો પુંઠે રાખે તો પુંઠે દેખે, તેમ બે પડખે રાખી ચાલેતો બે પડખે દેખે. જે ત૨ફ રાખે તે તરફ દેખે, બીજી બાજુ ન દેખે. એ રહસ્ય છે વળી જે બાજુ ત૨ફ જાણે દેખે તે બાજુ તરફ સંખ્યાતા અસંખ્યાતા યોજન લગી જાણે દેખે. ૨. મધ્યગત અવધિજ્ઞાન – તે સર્વ દિશી તથા વિદિશી ત૨ફ (ચૌત૨ફ) સંખ્યાતા, અસંખ્યાતા યોજન લગી જાણે દેખે. પૂર્વોક્ત દીપ પ્રમુખ ભાજન માથે મૂકીને ચાલે તો તે ચૌતરફ દેખે તેમ. (૨) અન્નાનુગામિક અવધિજ્ઞાન – તે જે સ્થાનમાં અવધિજ્ઞાન ઉપજ્યું હોય તે સ્થાને રહીને જાણે દેખે. અન્યત્ર તે પુરૂષ જાય તો ન જાણે દેખે. તે ચારે દિશાએ સંખ્યાતા, અસંખ્યાતા યોજન સંલગ્ન તથા અસંલગ્નપણે જાણે દેખે. જેમ કોઈ પુરૂષે દીવી પ્રમુખ અગ્નિનું ભાજન -16 Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ તથા મણિ પ્રમુખ કોઈપણ સ્થાન પ્રતિ મૂક્યું હોય તે સ્થાન પ્રતિ ચૌતરફ દેખે પણ અન્યત્ર ન દેખે તેને અનાનુગામિક અવધિજ્ઞાન જાણવું. (૩) વર્ધમાનક અવધિજ્ઞાન - તે પ્રશસ્ત લશ્યાના અધ્યવસાયે કરી તથા વિશુદ્ધ ચારિત્રના પરિણામે કરી, સર્વ પ્રકારે અવધિજ્ઞાનની વૃદ્ધિ થાય તેને વર્ધમાનક અવધિજ્ઞાન કહીએ. તે જઘન્યથી સૂક્ષ્મ નિગોદિઆ જીવે ત્રણ સમય ઉત્પન્ન થયામાં શરીરની જે અવગાહના બાંધી હોય તેટલું ક્ષેત્ર જાણે, ઉત્કૃષ્ટથી સર્વ અગ્નિના જીવ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એ ચાર જાતિના તે પણ જે સમયે ઉત્કૃષ્ટ હોય તે અગ્નિના જીવ, એકેક આકાશ પ્રદેશ અંતરરહિત મૂકતાં જેટલા અલોકમાં લોક જેવડાં અસંખ્યાતા ખંડ (ભાગ, વિકલ્પ) ભરાય તેટલું ક્ષેત્ર સર્વ દિશી વિદિશીએ દેખે. અવધિજ્ઞાન રૂપી પદાર્થ દેખે એ રહસ્ય છે. મધ્યમ અનેક ભેદે છે તે કહે છે. વૃદ્ધિ ચાર પ્રકારે થાય. ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, 3. કાળથી, ૪ ભાવથી. તે આ પ્રમાણે : * ૧. કાળથી જાણપણું વધે ત્યારે શેષ ત્રણ બોલનું જાણપણું વધે. ૨. ક્ષેત્રથી જાણપણું વધે ત્યારે કાળની ભજના તથા દ્રવ્ય, ભાવના જાણપણાની વૃદ્ધિ થાય. ૩. દ્રવ્યથી જાણપણું વધે ત્યારે કાળની તથા ક્ષેત્રની ભજના, ભાવની વૃદ્ધિ. - ૪. ભાવથી જાણપણું વધે ત્યારે શેષ ત્રણ બોલની ભજના. તે વિસ્તારથી સમજાવે છે. સર્વ વસ્તુમાં કાળનું જાણપણું સૂક્ષ્મ છે. જેમ કોઈ ચોથા આરાનો જભ્યો, નિરોગી બલિષ્ટ શરીર ને વજઋષભનારાચ સંહનનવાળો ઓગણપચાસ પાનની બીડી લઈને તે ઉપર સારા લોહની સોઈ હોય તેણે કરીને વિંધે, એ વિંધતાં એક પાનથી બીજા પાનમાં સોઈ પહોંચતાં અસંખ્યાતા સમય થઈ જાય છે, Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન ીિરિ૪૩] કાળ એટલો સૂક્ષ્મ છે. ૧. તેથી ક્ષેત્ર અસંખ્યાતાગણું સૂક્ષ્મ છે. જેમ એક આંગુલ પ્રમાણે ક્ષેત્રમાં અસંખ્યાતી શ્રેણી છે. એ કેકી શ્રેણીમાં અસંખ્યાતા આકાશ પ્રદેશ છે. સમય સમય પ્રતિ એક એક આકાશ પ્રદેશ જો અપહરાય તો તેટલામાં અસંખ્યાતા કાળચક્ર વહી જાય તો પણ એક શ્રેણી પૂર્ણ થાય નહી એવું ક્ષેત્ર સૂક્ષ્મ છે. ૨. તેથી દ્રવ્ય અનંતગુણ સૂક્ષ્મ છે. એક આંગુલ પ્રમાણે ક્ષેત્રમાં અસંખ્યાત શ્રેણી લઈએ. આંગુલ પ્રમાણે લાંબી ને એક પ્રદેશ પ્રમાણે પહોળી તેમાં અસંખ્યાતા આકાશ પ્રદેશ છે. એકેક આકાશ પ્રદેશ ઉપર અનંત પરમાણુઓ તથા દ્વિપ્રદેશી, ત્રિપદેશી યાવત અનંતપ્રદેશી સ્કંધ પ્રમુખ પ્રદેશો છે. તે દ્રવ્યમાંથી સમય સમય પ્રતિ એકેક દ્રવ્ય અપહરતાં અનંત કાળચક્ર થાય તો પણ ખૂટે નહિ, એવું દ્રવ્ય, ક્ષેત્રથી સૂક્ષ્મ છે. ૩ દ્રવ્યથી ભાવ અનંતગુણ સૂક્ષ્મ છે. પૂર્વોક્ત શ્રેણીમાં જે દ્રવ્યો કહ્યા છે તે દ્રવ્યોમાં એકેક દ્રવ્યમાં અનંત પર્યવ (ભાવ) છે. તે જેમ એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ છે. તેમાં એક વર્ણમાં અનંત પર્યવ છે. તે એક ગુણ કાળો, દ્વિગુણ કાળો, ત્રિગુણ કાળો યાવત્ અનંતગુણ કાળો છે. એમ પાંચે બોલમાં અનંત પર્યવ છે. એમ પાંચે વર્ણમાં, બે ગંધમાં, પાંચ રસમાં અને આઠ સ્પર્શમાં અનંત પર્યવ છે. ક્રિપ્રદેશી સ્કંધમાં ૨ વર્ણ, ૨ ગંધ, ૨ રસ, ૪ સ્પર્શ છે. એ દશ ભેદમાં પણ પૂર્વોક્ત રીતિએ અનંત પર્યવ છે. એમ સર્વ દ્રવ્યમાં પર્યવની ભાવના કરવી. એમ સર્વ દ્રવ્યના પર્યવ એકઠાં કરીએ પછી સમય સમય પ્રતિ એકેક પર્યવને અપહરતાં અનંત કાળચક્ર થાય ત્યારે પરમાણુ દ્રવ્યના પર્યવ પૂરા થાય એમ દ્વિપદેશી ઢંધોના પર્યવ, ત્રિપ્રદેશી ઢંધોના પર્યવ યાવત અનંત પ્રદેશ સ્કંધોના પર્યવ અપહરતાં Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અનંત અનંત કાળચક્ર જાય તો પણ પૂર્ણ થાય નહિ (ખૂટે નહિ). એવો દ્રવ્યથી ભાવ સૂક્ષ્મ છે. ૧. કાળને ચણાની ઉપમા. ૨. ક્ષેત્રને જારની ઉપમા. ૩. દ્રવ્યને તલની ઉપમા. ૪. ભાવને ખસખસની ઉપમા સમજવાને આપી છે. પૂર્વે ચાર પ્રકારની વૃદ્ધિની રીત કહી તેમાં ક્ષેત્રથી અને કાળથી કેવી રીતે જ્ઞાન વર્ધમાન થાય તે કહે છે.. ૧. ક્ષેત્રથી આંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે દેખે તે કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગની વાત અતીત, અનાગત જાણે દેખે. ૨. ક્ષેત્રથી આંગુલનો સંખ્યાતમો ભાગ જાણે દેખે તે કાળથી આવલિકાના સંખ્યાતમા ભાગની વાત અતીત, અનાગત જાણે દેખે. ૩. ક્ષેત્રથી એક આંગુલ માત્ર ક્ષેત્ર જાણે દેખે, તે કાળથી આવલિકામાં કાંઈક ન્યૂન જાણે દેખે. ૪. ક્ષેત્રથી પૃથક (બે થી નવ) આંગુલની વાત જાણે દેખે તે કાળથી આવલિકા સંપૂર્ણ કાળની વાત અતીત, અનાગત જાણે દેખે. ૫. ક્ષેત્રથી એક હાથે પ્રમાણે જાણે દેખે, તે કાળથી અંતર્મુહૂર્ત (મુહૂર્તમાં ન્યૂન) કાળની વાત અતીત, અનાગત જાણે દેખે. ૬. ક્ષેત્રથી ધનુષ્ય પ્રમાણે ક્ષેત્ર જાણે દેખે, તે કાળથી પ્રત્યેક મુહૂર્તની વાત જાણે દેખે. ૭. ક્ષેત્રથી ગાઉ પ્રમાણ ક્ષેત્ર જાણે દેખે, તે કાળથી એક દિવસમાં કાંઈક ન્યૂન વાત જાણે દેખે. ૮. ક્ષેત્રથી એક યોજન પ્રમાણ ક્ષેત્ર જાણે દેખે, તે કાળથી પ્રત્યેક દિવસની વાત જાણે દેખે. ૯. ક્ષેત્રથી પચ્ચીસ યોજના ક્ષેત્રના ભાવ જાણે દેખે, તે કાળથી પક્ષમાં ન્યૂનની વાત જાણે દેખે. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન નિરિ૪૫] ૧૦. ક્ષેત્રથી ભરત ક્ષેત્ર પ્રમાણે ક્ષેત્રના ભાવ જાણે દેખે, તે કાળથી પક્ષ (અર્ધ માસ) પૂર્ણની વાત જાણે દેખે. ૧૧. ક્ષેત્રથી જંબુદ્વીપ પ્રમાણ ક્ષેત્રની વાત જાણે દેખે, તે કાળથી એક માસ ઝાઝેરાની વાત જાણે દેખે. ૧૨. ક્ષેત્રથી અઢીદ્વીપની વાત જાણે દેખે, તે કાળથી એક વર્ષની વાત જાણે દેખે. ૧૩. ક્ષેત્રથી પંદરમા રૂચક દ્વીપ સુધી જાણે દેખે, તે કાળથી પૃથક વર્ષની વાત જાણે દેખે. ૧૪. ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે દેખે, તે કાળથી સંખ્યાતા કાળની વાત જાણે દેખે. ૧૫. ક્ષેત્રથી સંખ્યાતા તથા અસંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે દેખે, તે કાળથી અસંખ્યાતા કાળની વાત જાણે દેખે. એ પ્રમાણે ઉર્ધ્વલોક, અધોલોક, તિર્યલોક એ ત્રણે લોકમાં વધતાં વર્ધમાન પરિણામે અલોકમાં અસંખ્યાતા લોક પ્રમાણે ખંડો જાણવાની શક્તિ પ્રગટ થાય. એ વર્ધમાનક અવધિજ્ઞાન. (૪) હિયમાનક અવધિજ્ઞાન- તે અપ્રશસ્ત લશ્યાના પરિણામે કરી અશુભ ધ્યાને કરી અવિશુદ્ધ ચારિત્રના પરિણામથી (ચારિત્રના મલિનપણાથી) અવધિજ્ઞાનની હાનિ થાય, થોડે થોડે ઘટતું જાય તેને હિયમાનક અવધિજ્ઞાન કહીએ. (૫) પ્રતિપાતિ અવધિજ્ઞાન – જે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે તે એક વખતે જ નાશ પામે તે જઘન્ય ૧. આંગુલનો અસંખ્યાતમો ભાગ, ૨. આંગુલની સંખ્યાતમો ભાગ, ૩. વાલાગ, ૪. પૃથફ વાલાગ, ૫ સિંખ, ૬ પૃથફ લિંખ, ઘૂંકા (જ), ૮. પૃથફ જૂ. ૯. જવ, ૧૦. પૃથફ જવ, ૧૧. આંગુલ, ૧૨. પૃથફ આંગુલ, ૧૩. પગ, ૧૪. પૃથફ પગ, Page #265 -------------------------------------------------------------------------- ________________ રિ૪૬)હિસી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૫. વહંત, ૧૬. પૃથફ વહેત, ૧૭. હાથ, ૧૮. પૃથફ હાથ, ૧૯. કૂક્ષિ (બે હાથ), ૨૦. પૃથફ કૃષિ, ૨૧. ધનુષ્ય, ૨૨. પૃથફ ધનુષ્ય, ૨૩. ગાઉં, ૨૪. પૃથફ ગાઉ, ૨૫. યોજન, ૨૬. પૃથફ યોજન, ૨૭. સો યોજન, ૨૮. પૃથફ સો યોજન, ૨૯. સહસ્ત્ર યોજન, ૩૦. પૃથફ સહસ્ત્ર યોજન, ૩૧. લક્ષ યોજન, ૩૨. પૃથફ લક્ષ યોજન, ૩૩. ક્રોડ યોજન, ૩૪. પૃથફ કોડ યોજન, ૩પ. ક્રોડા ક્રોડ યોજન, ૩૬. પૃથફ ક્રોડા ક્રોડ યોજન. એ પ્રમાણે ક્ષેત્ર અવધિજ્ઞાનથી જુએ, પછી નાશ પામે. ઉત્કૃષ્ટ લોક પ્રમાણ ક્ષેત્ર જુએ પછી નાશ પામે. દીવો જેમ પવનને યોગે કરી ઓલવાઇ જાય તેમ. (૬) અપ્રતિપાતિ (અપડિવાઈ) અવધિજ્ઞાન– તે આવેલું જાય નહિં તે સંપૂર્ણ ચૌદ રાજલોક જાણે દેખે, ને અલોકમાં એક આકાશ પ્રદેશ માત્ર ક્ષેત્રની વાત જાણે દેખે તો પણ પડે નહિ. એમ બે પ્રદેશ, ત્રણ પ્રદેશ યાવત લોક પ્રમાણ અસંખ્યાત ખંડ જાણવાની શક્તિ થાય (શક્તિ છે પણ અલોકમાં ખંડ–રૂપી પદાર્થ નથી તેથી દેખાતા નથી.) તેને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય. અલોકમાં રૂપી પદાર્થ નથી જો ત્યાં રૂપી પદાર્થ હોત તો દેખત, એટલે એટલી જાણવાની શક્તિ છે. એ જ્ઞાન તીર્થંકર પ્રમુખને જન્મથી જ હોય. કેવળજ્ઞાન પામ્યા પછી એ ઉપયોગ ન હોય. એ છ ભેદ અવધિજ્ઞાનના કહ્યા. સમુચ્ચય અવધિજ્ઞાનના ચાર પકાર છે. ૧. દ્રવ્યથી અવધિજ્ઞાની જઘન્ય અનંત રૂપી દ્રવ્ય જાણે દેખે. ઉત્કૃષ્ટ સર્વ રૂપી દ્રવ્ય જાણે દેખે. ૨. ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ ક્ષેત્રથી જાણે દેખે, ઉત્કૃષ્ટ લોક જેવડા અસંખ્યાત ખંડો અલોકમાં દેખે. ૩. કાળથી અવધિજ્ઞાની જઘન્ય અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી, અતીત, અનાગત કાળની વાત જાણે દેખે. ૪. ભાવથી Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન જઘન્ય અનંત ભાવને જાણે દેખે. ઉત્કૃષ્ટ સર્વ ભાવના અનંતમાં ભાગને જાણે દેખે. (વર્ણાદિક પર્યાયને). અવધિજ્ઞાનના સંસ્થાન (દેખવાના આકાર)– ૧. નારકીને ત્રાપાંને આકારે, ૨. ભવનપતિને પાલાને આકારે, ૩. મનુષ્ય અને તિર્યંચને અનેક પ્રકારે, ૪. વ્યંતરને પટલ વાજિંત્રને આકાર, પ. જ્યોતિષીને ઝાલરને આકારે, ૬. બાર દેવલોકના દેવોને ઉર્ધ્વ મૃદંગને આકારે, ૭. નવ રૈવેયકને ફૂલની ચંગેરીને (ટોપલી,ગુચ્છો) આકારે, ૮. પાંચ અનુત્તર વિમાનના દેવને કંચુકીને આકારે છે. નારકી, દેવને અવધિજ્ઞાન – ૧ અનુગામિક, ર અપ્રતિપાતિ અને ૩ અવસ્થિત , એ ત્રણ પ્રકારનું છે. મનુષ્ય, તિર્યંચને અવધિજ્ઞાન–૧ અનુગામિક, ૨ અનાનુગામિક, ૩વર્ધમાનક, ૪ હિયમાનક, ૫ પ્રતિપાતિ, ૬ અપ્રતિપાતિ, ૭ અવસ્થિત, ૮ અનવસ્થિત, છે. એ વિષય દ્વાર પ્રમુખ પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ મા પદથી લખ્યો છે. નંદીસૂત્ર મધ્ય સંક્ષેપમાં છે. અવધિજ્ઞાનનો વિષય (દેખવાની શક્તિ) નો કોઠો અવધિજ્ઞાની | જઘન્ય ક્ષેત્ર દેખે ઉત્કૃષ્ટ ક્ષેત્ર દેખે રત્નપ્રભાના નારકી | ૩|| ગાઉ ૪ ગાઉ શર્કરામભાના નારકી | ૩ ગાઉ 3 ગાઉ વાલુકાપ્રભાના નારકી) રો ગાઉ 3 ગાઉ પંકપ્રભાના નારકી | ૨ ગાઉ રા ગાઉ ધૂમ્રપ્રભાના નારકી ! ના ગાઉ ૨ ગાઉ તમપ્રભાના નારકી | ૧ ગાઉ ! ૧} ગાઉ | તમ તમ પ્રભાના ના. ! ૦ાા ગાઉ | ૧ ગાઉ Page #267 -------------------------------------------------------------------------- ________________ રિ૪૮] ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અસુરકુમાર દેવ ૨૫ યોજન અસંખ્યાતાદ્વીપ સમુદ્ર ૯ નિકાયના દેવો જ રપ યોજન સંખ્યાતા દીપ સમુદ્ર વાણવ્યંતરના દેવો રિપ યોજના સિંખ્યાતા દ્વીપ સમુદ્ર જ્યોતિષી દેવો આંગુલનો અસં.ભાગ સંખ્યાતા દ્વીપ સમુદ્ર ૧-૨ દેવલોકના દેવો આંગુલનો અસં.ભાગ રત્નપ્રભાનો હેઠલો ચરમાંત ૩–૪ દેવલોકના દેવા આંગુલનો અસં ભાગ શર્કરાપભાનો હેઠલો ચરમાંત ૫-૬ દેવલોકના દેવો આંગુલનો અસં.ભાગ ત્રીજી નરકનો હેઠલો ચરમાંત ૭-૮ દેવલોકના દેવો આંગુલનો અસં.ભાગ ચોથી નરકનો હેઠલો ચરમાંત ૯–૧૦–૧૧–૧૨ આંગુલનો અસં.ભાગ પાંચમી નરકનો દેવલોકના દેવો હેઠલો ચરમાંત ૧-૬ રૈવેયકના દેવા આંગુલનો અસં.ભાગ છઠ્ઠી નરકનો હેઠલો ચરમાંત ૭–૯ રૈવેયકના દેવો અંગુલનો અસં.ભાગ સાતમી નરકનો હેઠલો ચરમાંત ૫ અનુત્તરના દેવો જ. ઉ. ૧૪ રાજલોકમાં કાંઈક ઓછું દેખે. સંજ્ઞી તિર્યંચ પંચે. આંગુલનો અસં.ભાગ | અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સંજ્ઞી મનુષ્ય આંગુલનો અસં.ભાગ અલોકમાં અસંખ્યાતા ખંડ જુએ અસુરકુમાર- નવ નિકાય (૯ ભવનપતિ દેવો) – વાણવ્યંતરમાં જે ૨૫ યોજન છે તે જઘન્ય સ્થિતિના દેવા માટે ઉત્કૃષ્ટ Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન રિ૪૭ વિષય સમજવો, તેઓ જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ જુએ. * વૈમાનિક દેવો ઊંચુ પોતપોતાના વિમાનની ધ્વજા સુધી દેખે. ત્રિછાલોકમાં પલ્યોપમનાં આયુષ્યવાળા દેવો સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે અને સાગરોપમના આયુષ્યવાળા દેવો અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. સામેના કોઠામાં અધોલોક આશ્રી કહ્યું છે. ઈતિ વિષય દ્વાર. અવધિજ્ઞાન આત્યંતર-બાહ્ય દ્વાર, દેશથી–સર્વથી દ્વાર :અવધિજ્ઞાન | આત્યંતર બાહ્ય | દેશથી સર્વથી ના૨કીમાં લાભ લાભ દેવતામાં લાભ લાભ તિયચમાં લાભ | લાભ | મનુષ્યમાં | લાભે | લાભે ! લાભે | લાભ ઈતિ અવધિજ્ઞાનનું વર્ણન. ૪. મન:પર્યવ જ્ઞાનનો વિસ્તાર અત્રે મનના ચાર પ્રકાર જાણવા. ૧. લબ્ધિ મન : મન પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનયોગમાં પ્રવર્તાવવાની, મનન કરવાની શક્તિ તે લબ્ધિ મન. ૨. સંશા મન : જે મનથી તે જીવને સંજ્ઞી કહેવામાં આવે. તે મનની પાછળ તેનું નામ સંજ્ઞી પડે તે સંજ્ઞા મન. ૩. વર્ગણા મન : મનયોગમાં પ્રવર્તાવવા માટે જે મનોદ્રવ્યની વર્ગણા (પુદ્ગલો) ગ્રહણ કરવામાં આવે તે વર્ગણ મન. ૪. પર્યાય મન મનો વર્ગણાના પુદ્ગલોને મનયોગમાં પ્રવર્તાવવું તે પર્યાય મન. ચારે ગતિમાં રહેલ સંજ્ઞી જીવોને ચારે પ્રકારના મન હોય છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ મનઃપર્યવજ્ઞાન કોને ઉત્પન્ન થાય ? ૧ મનુષ્ય, ૨ સંશી, ૩ કર્મભૂમિના, ૪ સંખ્યાતા વર્ષનાં આયુષ્યવાળા, પ પર્યાપ્ત, ૬ સમદષ્ટિ, ૭ સંયતિ, ૮ અપ્રમત્ત સંયતિ, ૯ લબ્ધિવાનને જ ઉત્પન્ન થાય. અમનુષ્ય, અસંશી, અકર્મભૂમિના, અસંખ્યાતા વર્ષનાં આયુષ્યવાળાને, અપર્યાપ્ત, મિથ્યાદૃષ્ટિ, સમામિથ્યા– દૃષ્ટિ, અવતી, દેશવિરતિ, પ્રમત્ત સંયતિ, અલબ્ધિવાળાને ઉત્પન્ન ન થાય. મન:પર્યવ જ્ઞાન બે પ્રકારે છે. : ૨૫૦ ૧ ૠજુમતિ મન:પર્યવજ્ઞાન, ૨ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. ૠજુમતિ તે સામાન્યપણે જાણે, વિપુલમતિ તે વિશેષપણે જાણે. મન:પર્યવજ્ઞાન ચાર પ્રકારે છે. ૧ દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ૧. દ્રવ્યથી ૠજુમતિ અનંત અનંત પ્રદેશી સ્કંધ જાણે દેખે તે સામાન્યથી. વિપુલમતિ તેથી અધિક સ્પષ્ટપણે નિર્ણય સહિત જાણે દેખે. ૨. ક્ષેત્રથી ઋજુમતિ જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ નીચે રત્નપ્રભાના પ્રથમ કાંડનો ઉપ૨નો નાનો પ્રતર તેના હેઠલા તળ સુધી, એટલે સમભૂતળ પૃથ્વીથી ૧૦૦૦ યોજન નીચે દેખે. ઉર્ધ્વ જ્યોતિષીના ઉ૫૨ના તળ સુધી દેખે, એટલે સમભૂતળથી ૯૦૦ યોજન ઊંચું દેખે. ત્રિળું દેખે તો મનુષ્ય ક્ષેત્રમાં અઢીદ્વીપ તથા બે સમુદ્રને વિષે સંશી પંચેન્દ્રિય પર્યાપ્તના મનોગત ભાવ જાણે દેખે. વિપુલમતિ (ૠજુમતિથી)થી અઢી આંગુલ અધિક વિશેષ સ્પષ્ટ નિર્ણય સહિત જાણે દેખે. ૩. કાળથી ઋજુમતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગની વાત જાણે દેખે, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અતીત Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચ જ્ઞાન ૨૫૧ અનાગત કાળની વાત જાણે દેખે. વિપુલમતિ તે (ઋજુમતિ) થી વિશેષ સ્પષ્ટ નિર્ણય સહિત નિર્મળ જાણે દેખે.. ૪. ભાવથી ઋજુમતિ તે જઘન્ય અનંત દ્રવ્યના ભાવ (વર્ણાદિ પર્યાય) ને જાણે દેખે, ઉત્કૃષ્ટ સર્વ ભાવોના અનંતમે ભાગે જાણે દેખે. વિપુલમતિ તેથી સ્પષ્ટ નિર્ણય સહિત વિશેષ અધિક જાણે દેખે. મન:પર્યવજ્ઞાની અઢીદ્વીપમાં રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવને જાણે છે. અનુમાનથી જેમ ધૂમાડો દેખી અગ્નિનો નિશ્ચય થાય તેમ મનોગત ભાવથી દેખે છે. ઇતિ મન:પર્યવજ્ઞાન ૫. કેવળજ્ઞાનનું વર્ણન કેવળજ્ઞાનના બે ભેદ : ૧. ભવસ્થ કેવળજ્ઞાન, ૨. સિદ્ધ કેવળજ્ઞાન. ૧. ભવસ્થ કેવળજ્ઞાન – તેનાં બે પ્રભેદ છે. અ. સયોગી ભવસ્થ કેવળજ્ઞાન, આ. અયોગી ભવસ્થ કેવળજ્ઞાન વગેરે. તેનો વિસ્તાર સૂત્રથી જાણવો. ૧ ૨. સિદ્ધ કેવળ જ્ઞાન – તેનાં બે ભેદ છે. અ. અનંત૨ સિદ્ધ કેવળજ્ઞાન, આ. ૫૨૫૨ સિદ્ધ કેવળજ્ઞાન. તેનો વિસ્તાર સૂત્રથી જાણવો. તે કેવળજ્ઞાન સમુચ્ચય ચાર પ્રકારે છે. ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી. દેખે. ૧. દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વ રૂપી અરૂપી દ્રવ્ય જાણે દેખે. ૨. ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્ર (લોકાલોક) ની વાત જાણે ૩. કાળથી કેવળજ્ઞાની સર્વ કાળની ભૂત, ભવિષ્ય, વર્તમાન ૧ પ્રથમ સમયના સિદ્ધ. ૨ બીજા સમયથી અનંતા સમય સુધીના સિદ્ધ Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ એ ત્રણકાળની વાત જાણે દેખે. ૪. ભાવથી કેવળજ્ઞાની સર્વ રૂપી અરૂપી દ્રવ્યના ભાવને સર્વ પ્રકારે જાણે દેખે. કેવળજ્ઞાન આવરણ રહિત, વિશુદ્ધ, લોકાલોક પ્રકાશક, એક જ પ્રકારે સર્વ કેવળીને હોય. ઇતિ કેવળજ્ઞાનનું વર્ણન. ઈતિ પાંચ જ્ઞાનનું વિવેચન.. * દલ દિહ શ લ ઈડ ઈડ ઈક છ લ G % Sો ૧૩. ત્રેવીસ પદવીતો જંબુદ્વીપ પન્નત્તિ, પૃ. ૩ તથા પન્નવણા પદ – ૧ નવ ઉત્તમ પદવી, સાત એકેન્દ્રિય રત્નની પદવી, સાત પંચેન્દ્રિય રત્નની પદવી. એમ મળી કુલ ત્રેવીસ પદવી. નવ ઉત્તમ પદવીના નામ : ૧. તીર્થંકરની પદવી, ૨. ચક્રવર્તીની પદવી, ૩. વાસુદેવની પદવી, ૪. બળદેવની પદવી, ૫. માંડલિકની પદવી, ૬. કેવળીની પદવી, ૭ સાધુની પદવી, ૮ શ્રાવકની પદવી, ૯ સમકિતની પદવી. સાત એકેન્દ્રિય રત્નનાં નામ : ૧. ચક્ર ૨ન, ૨. છત્ર રત્ન, ૩. ચર્મ રત્ન, ૪. દંડ રત્ન, ૫. ખગ રત્ન, ૬. મણિ રત્ન, ૭. કાકય રત્ન. Page #272 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસ પદવી Dર૫૩] સાત પંચેન્દ્રિય રત્નનાં નામ : . ૧. સેનાપતિ રત્ન, ૨. ગાથાપતિ રત્ન, ૩. વાર્ષિક રત્ન, ૪. પુરોહિત રત્ન, ૫. સ્ત્રી રત્ન, ૬. ગજ રત્ન, ૭. અશ્વ રત્ન. એ ૧૪ રત્ન ચક્રવર્તીને હોય. સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્ન એમ ૧૪ રત્ન ચક્રવતીનું જે જે કાર્ય કરે છે તે સંબંધી વિવેચન : સાત એકેન્દ્રિય રત્ન : ૧. ચક્ર રત્ન – છ ખંડ સાધવાનો માર્ગ દેખાડે. ૨. છત્ર રત્ન - ૪૮ ગાઉ સુધી છાયા કરે. ૩. ચર્મ રત્ન - નદી વગેરે જળાશય ઉપર નાવ માફક કામ કરે. ૪. દંડ ૨7 – ગુફાના દરવાજા ઉઘાડે. ૫. ખગ રત્ન – શત્રુને હશે. ૬. મણિરત્ન – હસ્તી રત્નના કપાળ પર બાંધવાથી પ્રકાશ આપે. ૭. કાકશ્ય રત્ન – ગુફામાં યોજન યોજના અંતરે વર્તુલાકારે ઘસવાથી સૂર્યમંડળ સમાન પ્રકાશ આપે. સાત પંચેન્દ્રિય રત્ન ઃ ૧. સેનાપતિ રત્ન – દેશ ઉપર વિજય મેળવે. ૨. ગાથાપતિ રત્ન – ચોવીસ જાતિના ધાન્ય ઉપજાવે. ૩. વાર્ષિક રત્ન – બેંતાલીસ ભૂમિના આવાસ, પૂલ વગેરે બનાવે. ૪. પુરોહિત રત્ન – વાગ્યા ઘા રૂઝવે, વિપ્ન ટાળે, શાંતિ કર્મ કરે. ધર્મ કથા સંભળાવે. ૫. સ્ત્રી રત્ન – વિષયના ઉપભોગમાં આવે. ૬. ગજ રત્ન, ૭. અશ્વ રત્ન – એ બે બેસવાને કામ આવે. ચૌદ રત્ન ક્યાં જન્મ લે છે? ૧. ચક્ર રત્ન, ૨. છત્ર રત્ન, ૩. દંડ રત્ન, ૪. ખગ રત્ન, એ ચાર રત્ન ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય. ૧. ચર્મ રત્ન, ૨. મણિ રત્ન, ૩. કાકય રત્ન, એ ત્રણે લક્ષ્મીના ભંડારમાં ઉત્પન્ન થાય. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧ સેનાપતિ રત્ન, ૨ ગાથાપતિ રત્ન, ૩ વાર્ષિક રત્ન, ૪ પુરોહિત રત્ન, એ ચાર ચક્રવર્તીના નગરમાં ઉત્પન્ન થાય. ૧ સ્ત્રી રત્ન વિધાધરની શ્રેણીમાં ઉત્પન્ન થાય. ૧ ગજ રત્ન, ૨ અશ્વ રત્ન, એ બે વૈતાય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય. ચૌદ રત્નની અવગાહનાનું પ્રમાણ : ૧ ચક્ર રત્ન, ૨ છત્ર રત્ન, ૩ દંડ રત્ન, એ ત્રણ રત્ન એક ધનુષ્ય પ્રમાણે હોય. ચર્મ રત્ન બે હાથનું હોય. ખગ રત્ન પચાસ આંગુલ લાંબું, સોળ આંગુલ પહોળું, અર્ધ આંગુલ જાડું હોય ને ચાર આંગુલની મુષ્ટિ હોય. મણિ રત્ન ચાર આંગુળ લાંબુ, બે આંગુલ પહોળું ને તેને ત્રણ ખૂણા હોય. કાકણ્ય રત્ન છે એ બાજુથી ચાર આંગુલ લાંબું, ચાર આંગુલ પહોળું, ચાર આંગુલ ઊંચું, તેને છ તલ (તળીયા), આઠ ખૂણા, બાર હસ્યો, સોનીની એરણને આકારે ' હોય. આઠ સોનૈયા જેટલું ભારે હોય છે. સાત પંચેન્દ્રિય રત્નનું પ્રમાણ ૧ સેનાપતિ, ૨ ગાથાપતિ, ૩ વાર્ષિક,૪પુરોહિત એ ચાર રત્ન ચક્રવર્તીની અવગાહના પ્રમાણે હોય. સ્ત્રી રત્ન ચક્રવર્તીથી ચાર આંગુલ નીચી હોય. ગજ રત્ન ચક્રવર્તીથી બમણો ઊંચો હોય. અશ્વ રત્ન કાનથી પૂછ લગી એકસો આઠ આંગુલ લાંબો હોય, તેને નવ્વાણું આંગુલની પરિધિ (ઘેરાવો) છે, તે જમીનથી એસી આંગુલ ઊંચો, સોળ આંગુલની જંઘા, ૨૦ આંગુલની ભુજા, ૪ આંગુલના ઢીંચણ, ચાર આંગુલની ખરી, ચાર આંગુલના કાન, બત્રીસ આંગુલનું મુખ હોય છે. ' એ ત્રેવીસ પદવીના નામ તથા ચક્રવતીના ચૌદ રત્નનું વિવેચન Page #274 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસ પદવી કહ્યું. નરકાદિ ચાર ગતિમાંથી નીકળી જીવો ત્રેવીસ પદવીમાં કેટલી ને કઈ પદવી પામે ? તેના પંદર બોલ. ૧.પહેલી નરકથી નીકળી જીવ ત્રેવીસ પદવીમાંથી સોળ પદવી પામે. તેમાં સાત એકેન્દ્રિય રત્ન નહિ. ૨. બીજી નરકથી નીકળી જીવ ત્રેવીસ પદવીમાંથી પંદર પદવી પામે. તેમાં સાત એકેન્દ્રિય રત્ન અને ચક્રવર્તી એ આઠ નહિ. ૩. ત્રીજી નરકથી નીકળી જીવ તેર પદવી પામે. તેમાં સાત એકેન્દ્રિય રત્ન, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ નહિ. ૪. ચોથી નરકથી નીકળી જીવ બાર પદવી પામે. તેમાં સાત એકેન્દ્રિય રત્ન, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, તીર્થકર નહિ. ૫. પાંચમી નરકથી નીકળી જીવ અગિયાર પદવી પામે. તેમાં ઉપરની અગિયાર ને કેવળી એ બાર નહિ. ૬. છઠ્ઠી નરકથી નીકળી જીવ દશ પદવી પામે. તેમાં ઉપરની બાર ને સાધુ એ તેર નહિ. ૭. સાતમી નરકથી નીકળી જીવ ત્રણ પદવી પામે. તે ૧ ગજ, ૨ અશ્વ અને ૩ સમકિત એ ત્રણ પામે. સમકિત પામે તો તિર્યંચમાં. પણ મનુષ્ય તો થાય જ નહિ. ૮. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષીથી નીકળી જીવ એક્વીસ પદવી પામે. તે તીર્થકર, વાસુદેવ એ બે નહિ. ૯. પહેલા, બીજા દેવલોકથી નીકળી જીવ ત્રેવીસ પદવી પામે. ૧૦. ત્રીજાથી આઠમા સુધીના દેવલોકથી નીકળી જીવ સોળ ' પદવી પામે, તેમાં સાત એકેન્દ્રિય રત્ન નહિ. ૧૧. નવમા દેવલોકથી તે નવમી રૈવેયક સુધીથી નીકળી જીવ Page #275 -------------------------------------------------------------------------- ________________ રિપ૬) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ચૌદ પદવી પામે. તે સાત એકેન્દ્રિય રત્ન, ગજ, અશ્વ એ નવ નહિ. ૧૨. પાંચ અનુત્તર વિમાનથી નીકળી જીવ આઠ પદવી પામે. તે સાત એકેન્દ્રિય રત્ન, સાત પંચેન્દ્રિય રત્નને વાસુદેવ એ પંદર નહિ. ૧૩. પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય, તિર્યંચ-પંચેન્દ્રિયથી નીકળી જીવ ઓગણીસ પદવી પામે. તે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ એ ચાર નહિ. ૧૪. તેલ, વાયુથી નીકળી જીવ નવ પદવી પામે. તે સાત એકેન્દ્રિય, ગજ અને અશ્વ એ નવ પામે. ૧૫. ત્રણ વિકસેન્દ્રિયથી નીકળી જીવ અઢાર પદવી પામે. તે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, કેવળી એ પાંચ નહિ. એ નરકાદિક ગતિથી આવ્યો જીવ જેટલી પદવી પામે તે કહ્યું. કઈ કઈ પદવીવાળો જીવ નરકાદિ ચાર ગતિમાં જાય છે. : ૧. પહેલી, બીજી, ત્રીજી, ચોથી એ ચાર નરકમાં અગિયાર પદવીનો જાય. તે સાત પંચેન્દ્રિય રત્ન, ૮ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૧૦ સમકિત દૃષ્ટિ, ૧૧ માંડલિક રાજા એ અગિયાર. ૨. પાંચમી, છઠ્ઠી નરકમાં નવ પદવીનો જાય. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી ગજ અને અશ્વ એ બે વિના શેષ ૫, ૬ ચક્રવર્તી, ૭ વાસુદેવ, ૮ સમકિતી, ૯ માંડલિક રાજા એ નવ. ૩. સાતમી નરકમાં સાત પદવીન જાય. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી ગજ, અશ્વ, સ્ત્રી એ ત્રણ વિના શેષ ૪, ૫ ચક્રવર્તી, ૬ વાસુદેવ, ૭ માંડલિક રાજા એ સાત. - ૪. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી ને પહેલાથી આઠમા દેવલોકમાં દશ પદવીનો જાય. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ત્રેવીસ પદવી વિના શેષ ૬, ૭ સાધુ, ૮ શ્રાવક, ૯ સમકિતી, ૧૦ માંડલિક રાજા એ દશ. ૫. નવમાથી બા૨મા દેવલોક સુધીમાં આઠ પદવીનો જાય. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી, ગજ, અશ્વ એ ત્રણ વિના શેષ ૪, ૫ સાધુ, ૬ શ્રાવક, ૭ સમકિતી, ૮ માંડલિક રાજા એ આઠ. ૬. નવ ચૈવેયકમાં બે પદવીનો જાય. તે સાધુ ને સમકિતી બે. ૭. પાંચ અનુત્તર વિમાનમાં બે પદવીનો જાય સાધુ ને સમકિતી એ બે. ૮. પાંચ સ્થાવરમાં ચૌદ પદવીનો જાય. તે સાત એકેન્દ્રિય રત્ન અને સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી વિના શેષ ૬ એ ૧૩ ને એક માંડલિક રાજા એમ ચૌદ. ૯. ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય એટલામાં પંદ૨ પદવીનો જાય. તે ઉ૫૨ની ચૌદ ને ૧ સમકિત સૃષ્ટિ એ પંદર. સંશી અસંશી, તીર્થંક૨, ચક્રવર્તી વગેરેમાં ત્રેવીસ પદવીમાંથી જે જે પદવી લાભે તેના ૫૫ બોલ. ૧. સંજ્ઞીમાં ૧૫ પદવી લાભ. તે સાત એકેન્દ્રિય રત્ન અને કેવળી એ આઠ નહિ. ૨. અસંજ્ઞીમાં ૮ પદવી લાભે. સાત એકેન્દ્રિય રત્ન ને સમકિત. ૩. તીર્થંક૨માં ૬ પદવી લાભે. તે ૧ તીર્થંકર, ૨ ચક્રવર્તી, ૩ કેવળી, ૪ સાધુ, ૫ સમકિત, ૬ માંડલિક એ છ લાભે. ૪. ચક્રવર્તીમાં ૬ પદવી લાભે. તે તીર્થંકર પ્રમાણે. ૫. વાસુદેવમાં ૩ પદવી લાભ. તે ૧ વાસુદેવ, ૨ માંડલિક, ૐ સમકિત એ ત્રણ. ૬. બળદેવમાં ૫ પદવી લામ. તે ૧ બળદેવ, ૨ કેવળી, -17 Page #277 -------------------------------------------------------------------------- ________________ R શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩ સાધુ, ૪ સમકિત, ૫ માંડલિક એ પાંચ. ૭. માંડલિકમાં ૯ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવી. ૮. મનુષ્યમાં ૧૩ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવી ને ૧૦ સેનાપતિ, ૧૧ ગાથાપતિ, ૧૨ વાર્ષિક, ૧૩ પુરોહિત એ ૧૩. ૯. મનુષ્યાણીમાં ૫ પદવી લાભે. તે ૧ સ્ત્રી રત્ન, ૨ શ્રાવક શ્રાવિકા, ૩ સમકિત, ૪ સાધ્વી, ૫ કેવળી એ પાંચ. ૧૦. તિર્યંચમાં ૧૧ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, ૮ ગજ, ૯ અશ્વ, ૧૦ શ્રાવક, ૧૧ સમકિત એ ૧૧. ૧૧. તિર્યંચાણીમાં ર પદવી લાભ. ૧ સમકિત, ૨ શ્રાવિકા. ૧૨. સદીમાં ૨૨ પદવી લાભે. તે કેવળી નહિ. ૧૩. સ્ત્રી વેદમાં ૪ પદવી લાભે. તે ૧ સ્ત્રી રત્ન, ૨ શ્રાવિકા, ૩ સમકિત, ૪ સાધ્વી એ ચાર. ૧૪. પુરૂષ વેદમાં ૧૪ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, કેવળી અને સ્ત્રી રત્ન એ નવ નહિ. ૧૫. અવેદીમાં ૪ પદવી લાભ. તે ૧ તીર્થકર, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત એ ચાર. ૧૬. નરક ગતિમાં એક પદવી લાભે. તે સમકિતની. ૧૭. તિર્યંચ ગતિમાં ૧૧ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, ૮ ગજ, ૯ અશ્વ, ૧૦ શ્રાવક, ૧૧ સમકિત એ ૧૧. ૧૮. મનુષ્ય ગતિમાં ૧૪ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવી ને સાત પંચેન્દ્રિય રત્નમાંથી ગજ, અશ્વ એ બે વિના ચૌદ. ૧૯. દેવગતિમાં એક પદવી લાભ. તે સમકિતની. ૨૦. આઠ કર્મ વેદકમાં ૨૧ પદવી લાભ. ૧ તીર્થંકર, ૨ કેવળી એ બે નહિ. Page #278 -------------------------------------------------------------------------- ________________ ર૫] ત્રેવીસ પદવી ૨૧. સાત કર્મ વેદકમાં ૨ પદવી લાભે. તે સાધુ અને સમકિત. ૨૨. ચાર કર્મ વેદકમાં ચાર પદવી લાભ. ૧ તીર્થકર, ૨ કેવળી, 1 સાધુ, ૪ સમકિત, એ ચાર. ૨૩. જઘન્ય અવગાહનામાં એક પદવી લાભે. તે સમકિતની. ૨૪. મધ્યમ અવગાહનામાં ૨૩ પદવી લાભે. ૨૫. ઉત્કૃષ્ટ અવગાહનામાં એક પદવી લાભે. તે સમકિતની. ૨૬. અઢીદ્વિીપમાં ૨૩ પદવી લાભે. ર૭. અઢીદ્વીપ બહાર ૪ પદવી લાભે. તે ૧ કેવળી, ૨ સાધુ, 3 શ્રાવક, ૪ સમકિત, એ ચાર. ૨૮. ભરતક્ષેત્રમાં મધ્યમ ૮ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, સાત પંચેન્દ્રિય રત્ન અને ચક્રવર્તી એ પંદર વર્જીને આઠ. ૨૯. ભરતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ૨૧ પદવી લાભે. તે ૧ વાસુદેવ, ૨ બળદેવ એ બે નહિ. - ૩૦. ઉર્ધ્વલોકમાં ૫ પદવી લાભે. તે ૧ કેવળી, ર સાધુ, ૩ શ્રાવક, ૪ સમકિત, પ માંડલિક એ પાંચ. ૩૧. અધોલોક તથા ત્રીછાલોકમાં ૨૩ પદવી લાભે. ૩૨. સ્વલિંગમાં ૪ પદવી. તે ૧ તીર્થકર, ર કેવળી, ૩ સાધુ, ૪ સમકિત, એ ચાર. ૩૩. અન્યલિંગમાં ૪ પદવી લાભે. તે ૧ કેવળી, ર સાધુ, ૩ શ્રાવક, ૪ સમકિત, એ ચાર. ૩૪. ગૃહસ્થલિંગ મનુષ્યમાં ૧૪ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવી, સાત પંચેન્દ્રિય રત્નમાંથી ૧ ગજ અને ર અશ્વ બે વર્જીને પાંચ, એમ ચૌદ. * ૩૫. સંમૂર્છાિમમાં ૮ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન ને Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સકિત એ આઠ. શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૩૬. ગર્ભજમાં ૧૬ પદવી લાભે. ત્રેવીસમાંથી સાત એકેન્દ્રિય રત્ન નહિ. ૩૭. નોગર્ભજમાં ૮ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન ને સમકિત એ આઠ. ૩૮. એકેન્દ્રિયમાં ૭ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન. ૩૯. ત્રણ વિકલેન્દ્રિયમાં ૧ પદવી લાભે. તે સમકિત. ૪૦. પંચેન્દ્રિયમાં ૧૫ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્નને ૧ કેવળી એ આઠ વિના પંદર. ૪૧. અનિન્દ્રિયમાં ૪ પદવી લાભે. તે ૧ તીર્થંક૨, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત, એ ચાર. ૪૨. સંયતિમાં ૪ પદવી લાભે. તે અનિન્દ્રિય પ્રમાણે. ૪૩. અસંયતિમાં ૨૦ પદવી લાભે. તે ૧ કેવળી, ૨ સાધુ, ૩ શ્રાવક, એ ત્રણ વિના. ૪૪. સંયતાસંયતિમાં ૧૦ પદવી લાભે. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી રત્ન વિના ૬, ૭ બળદેવ, ૮ શ્રાવક, ૯ સમકિત, ૧૦ માંડલિક, એ દશ. ૪૫. સમકિત દૃષ્ટિમાં ૧૫ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન ને સ્ત્રી રત્ન વિના પંદ૨. ૪૬. મિથ્યા દૃષ્ટિમાં ૧૭ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, સાત પંચેન્દ્રિય રત્ન એ ૧૪, ૧૫ ચક્રવર્તી, ૧૬ વાસુદેવ, ૧૭ માંડલિક, એ સત્તર. ૪૭. મતિ, શ્રુત ને અવધિજ્ઞાનમાં ૧૪ પદવી લાભ. તે નવ ઉત્તમ પદવીમાંથી કેવળી વિના ૮, સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી Page #280 -------------------------------------------------------------------------- ________________ ર્ષિક ૬૧ ત્રેવીસ પદવી વિના ૬, એ ચૌદ. ૪૮, મન:પર્યવજ્ઞાનમાં ૩ પદવી લાભે. તે ૧ તીર્થકર, ર સાધુ, 3 સમકિત, એ ત્રણ. ૪૯. કેવળજ્ઞાન, કેવળદર્શનમાં ૪ પદવી લાભે. તે ૧ તીર્થકર, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત, એ ચાર. ૫૦. મતિ, શ્રુત અજ્ઞાનમાં ૧૭ પદવી લાભે તે સાત એકેન્દ્રિય રત્ન, સાત પંચેન્દ્રિય રત્ન એ ૧૪, ૧૫ ચક્રવર્તી, ૧૬ વાસુદેવ, ૧૭ માંડલિક, એ સત્તર. ૫૧. વિભંગ જ્ઞાનમાં ૯ પદવી લાભે. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી રત્ન વિના ૬, ૭ ચક્રવર્તી, ૮ વાસુદેવ, ૯ માંડલિક, એ નવ. પર. ચક્ષુદર્શનમાં ૧૫ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવીમાંથી કેવળી વિના ૮ ને સાત પંચેન્દ્રિય રત્ન એ પંદર. ૫૩. અચક્ષુદર્શનમાં ૨૨ પદવી લાભ. ૨૩ માંથી કેવળી વર્જી. ૫૪. અવધિદર્શનમાં ૧૪ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવીમાંથી કેવળી વિના ૮ ને સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી રત્ન વિના ૬, એ ચૌદ. પપ. નપુંસક લિંગમાં ૫ પદવી લાભે. તે ૧ કેવળી, ૨ સાધુ, ૩ શ્રાવક, ૪ સમકિત, પ માંડલિક, એ પાંચ. ઈતિ ત્રેવીસ પદવી. Page #281 -------------------------------------------------------------------------- ________________ રિદ0િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ જી (૧૪. પાંચ શરી) : શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ ૨૧ સોળ દ્વારના નામઃ ૧ નામ દ્વાર, ૨ અર્થ દ્વાર, ૩ સંસ્થાન દ્વાર, ૪ સ્વામી દ્વાર, ૫ અવગાહના દ્વાર, ૬ પુદ્ગલ ચયન દ્વાર, ૭ સંયોજન દ્વાર, ૮ દ્રવ્યાર્થક દ્વાર, ૯ પ્રદેશાર્થક કાર, ૧૦ દ્રવ્યાર્થક પ્રદેશાર્થક દ્વાર, ૧૧ સૂક્ષ્મ દ્વાર, ૧૨ અવગાહના અલ્પબદુત્વ દ્વાર, ૧૩ પ્રયોજન દ્વા૨, ૧૪ વિષય દ્વાર, ૧૫ સ્થિતિ દ્વાર, ૧૬ અંતર દ્વાર. ૧. નામ દ્વાર : ૧ ઔદારિક શરીર, ર વૈક્રિય શરીર, ૩ આહારક શરીર, ૪ તૈજસ શરીર, ૫ કાર્પણ શરીર, ૨. અર્થ દ્વાર: જે આત્મ પ્રદેશોને અવગાહીને રહે તે શરીર. (૧) ઔદારિક શરીર – ઉદાર તે સર્વ શરીરથી પ્રધાન, તીર્થકર, ગણધર આદિ પુરૂષોને મુક્તિપદ મેળવવામાં સહાય કરે છે અને ઉદાર કહેતાં સહસ્ત્ર યોજનમાન શરીર. (૨) વૈક્રિય શરીર – તે રૂપ પરાવર્તન કરવાની શક્તિ તથા એક, અનેક, નાના, મોટા, ખેચર, ભૂચર, દૃશ્ય, અદશ્ય, આદિ વિવિધ રૂપ, વિવિધ ક્રિયાથી બનાવે. તે વૈક્રિય શરીર બે પ્રકારે છે. અ. ભવ પ્રત્યયિક – તે દેવતા તથા નારકીને સ્વાભાવિક જ હોય છે. બ. લબ્ધિ પ્રયિક – તે તિર્યંચ તથા મનુષ્ય લબ્ધિવંતને હોય છે. (૩) આહારક શરીર – તે ચૌદપૂર્વધર મહાત્માને તપશ્ચર્યાદિક યોગે કરી લબ્ધિ ઉપજે, તે (૧) તીર્થકર દેવાધિદેવની ઋદ્ધિ દેખવા, (૨) મનની અંદર ઉત્પન્ન થયેલ સંશયને ટાળવા, (૩) જીવદયા માટે તથા (૪) ચૌદપૂર્વનું અધૂરું જ્ઞાન પૂર્ણ કરવા Page #282 -------------------------------------------------------------------------- ________________ પાંચ શરીર ૨૬૩ માટે, ઉત્તમ પુદ્ગલોનો આહાર લઈને જઘન્ય હાથ ન્યૂન, ઉત્કૃષ્ટ ૧ હાથનું સ્ફટિક સમાન સફેદ કોઈ ન દેખે તેવું શ૨ી૨ બનાવે તે. (૪) તેજસ શ૨ી૨ – જેના કા૨ણે શ૨ી૨માં ઉષ્ણતા રહે અને આહારને પચાવે. તે સર્વ સંસારી જીવોને હોય છે. (૫) કાર્મણ શ૨ી૨ – જેમાં બધાં કર્મોનાં સ્કંધ સંગ્રહિત રહે છે તે. સર્વ સંસા૨ી જીવોને હોય છે. ૩. સંસ્થાન દ્વા૨ : ૧. ઔદારિક શરીરમાં સંસ્થાન ૬. ૨. વૈક્રિય શરીરમાં ભવ પ્રયિકમાં દેવને સમચતુરુંસ્ત્ર સંસ્થાન, ઉત્તર વૈક્રિયમાં વિવિધ સંસ્થાન. ના૨કીને હુંડ સંસ્થાન. લબ્ધિ પ્રત્યયિકમાં મનુષ્ય, તિર્યંચમાં સમચતુરસ્ત સંસ્થાન આદિ છ સંસ્થાન. વાયુમાં હૂંડ સંસ્થાન. ૩. આહા૨કમાં એક સમચતુરસ્ત્ર સંસ્થાન. ૪ - ૫. તૈજસ ને કાર્યણમાં છ સંસ્થાન. ૪. સ્વામી દ્વાર : ૧. ઔદારિક શ૨ી૨ના સ્વામી મનુષ્ય અને તિર્યંચ છે. ૨. વૈક્રિય શરીરના સ્વામી ચારે ગતિના જીવ છે. ૩. આહા૨ક શરીરના સ્વામી ચૌદ પૂર્વધારી સાધુ છે. ૪ – ૫. તેજસ ને કાર્યણ શ૨ી૨ના સ્વામી સર્વ સંસા૨ી જીવ. ૫. અવગાહના દ્વા૨ : ૧. ઔદારિક શરીરની અવગાહના જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ હજાર યોજન ઝાઝેરી. ૨. વૈક્રિય શ૨ી૨ની અવગાહના જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્ય. ઉત્તર વૈક્રિય કરે તો જઘન્ય આંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ એક લાખ યોજન અધિક. બાદર વાયુકાયના પર્યાપ્તાને જ. આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉં. આંગુલનો Page #283 -------------------------------------------------------------------------- ________________ - - રિ૬૪મિ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ અસંખ્યાતમો ભાગ. ૩. આહારક શરીરની અવગાહના જઘન્ય ૧ હાથ ન્યૂન, ઉત્કૃષ્ટ એક હાથ. ૪–૫. તૈજસ – કાશ્મણ શરીરની અવગાહના જઘન્ય આંગુલને અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ચૌદ રાજલોક પ્રમાણે. ૬. પુદ્ગલચયન (આહાર કેટલી દિશાનો લે?) દ્વાર : ઔદારિક, તેજસ ને કાર્પણ શરીરવાળા ત્રણ, ચાર, પાંચ અને છ દિશાનો આહાર લે. વૈક્રિય ને આહારક શરીરવાળા છે દિશાનો આહાર લે. ૭. સંયોજન દ્વાર : ૧. ઔદારિક શરીરમાં આહારક, વૈક્રિયની ભજના હોય કે ન હોય), તૈજસ, કાર્મણની નિયમા (હોય જ). ૨. વૈક્રિય શરીરમાં ઔદારિકની ભજના, આહારક ન હોય, તૈજસ, કાર્મણની નિયમા. ૩. આહારક શરીરમાં વૈક્રિય ન હોય, ઔદારિક, તેજસ, કાર્મણ નિયમા હોય. ૪. તૈજસ શરીરમાં દારિક, વૈક્રિય, આહારકની ભજના. કાર્પણની નિયમા. ૫. કાર્પણ શરીરમાં દારિક, વૈક્રિય, આહારકની ભજના, તેજસની નિયમા. ૮. દ્રવ્યાર્થક દ્વાર : ૧ સર્વથી થોડા આહારકના દ્રવ્યર્થ તે જઘન્ય, ૧-૨-૩, ઉત્કૃષ્ટ પૃથફ હજાર. તેથી, વૈક્રિયના દ્રવ્યર્થ અસંખ્યાત ગુણ, તેથી 3 દારિકના દ્રવ્યર્થ અસંખ્યાત ગુણ. તેથી ૪–પ તૈજસ, કામણ ના Page #284 -------------------------------------------------------------------------- ________________ પાંચ શરીર દ્રવ્યર્થ બે પરસ્પર સરખા ને ઔદારિકથી અનંત ગુણ અધિક. ૯. પ્રદેશાર્થક દ્વાર : ૧ સર્વથી થોડા આહારકના પ્રદેશ. તેથી ર વૈક્રિયના પ્રદેશ અસંખ્યાત ગુણ. તેથી ૩ દારિકના અસંખ્યાત ગુણ. તેથી ૪ તૈજસના અનંતગુણ. તેથી પ કામણના અનંતગુણ. ૧૦. દ્રવ્યાર્થક ને પ્રદેશાર્થક દ્વાર : ૧ સર્વથી થોડા આહારકના દ્રવ્યાર્થ, તેથી ર વૈક્રિયના દ્રવ્યાર્થ અસંખ્યાત ગુણ. તેથી 3 ઔદારિકના દ્રવ્યર્થ અસંખ્યાત ગુણ. તેથી ૪ આહારકના પ્રદેશ અનંત ગુણ. તેથી પ વૈક્રિયના પ્રદેશ અસંખ્યાત ગુણ. તેથી ૬ દારિકના પ્રદેશ અસંખ્યાત ગુણ. તેથી ૭-૮ તૈજસ, કાર્પણ એ એના દ્રવ્યાર્થ પરસ્પર સરખા ને ઉપરથી અનંત ગુણ અધિક. તેથી ૯ તૈજસના પ્રદેશ અનંત ગુણ અધિક તેથી ૧૦ કામણના પ્રદેશ અનંત ગુણ અધિક. ૧૧. સૂકમ દ્વાર : * ૧ સર્વથી સ્થૂલ (જાડા) ઔદારિક શરીરના પુદ્ગલ, તેથી ૨ વૈક્રિય શરીરના પુદ્ગલ સૂક્ષ્મ, તેથી 3 આહારક શરીરના પુગલ સૂક્ષ્મ, તેથી જ તૈજસ શરીરના પુદ્ગલ સૂક્ષ્મ, તેથી પ કાર્મણ શરીરના પુદ્ગલ સૂક્ષ્મ. ૧૨. અવગાહનાનો અલ્પબદુત્વ દ્વાર : ૧ સર્વથી થોડી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના તેથી -3 તેજસ-કાશ્મણની જઘન્ય અવગાહના માંહો–મહે સરખી ને ઉપરથી વિશેષ. ૪ તેથી વૈક્રિયની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી. ૫ તેથી આહારકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી. ૬ તેથી આહારકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષ. ૭ તેથી ઔદારિકની Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાત ગુણી. ૮ તેથી વૈક્રિયની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાત ગુણી. ૯-૧૦ તેથી તૈજસ-કાર્પણની ઉત્કૃષ્ટ અવગાહના માંહોમાંહે સરખી ને ઉપરથી અસંખ્યાત ગુણી. ૧૩. પ્રયોજન દ્વાર : ૧ ઔદારિક શરીરનું પ્રયોજન મોક્ષને સાધ્ય કરવાનું. ર વૈક્રિય શરીરનું પ્રયોજન વિવિધ રૂપ કરવાનું ૩ આહારક શરીરનું પ્રયોજન સંશય ટાળવાનું ૪ તૈજસ શરીરનું પ્રયોજન પુદ્ગલને પાચન કરવાનું. ૫ કામણ શરીરનું પ્રયોજન આહાર અને કર્મને આકર્ષવાનું. ૧૪. વિષય (શક્તિ) દ્વાર : ૧ ઔદારિક શરીરનો વિષય પંદરમાં રૂચક દ્વીપ સુધી જવાનો. ૨ વૈક્રિય શરીરનો વિષય અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાનો. ૩ આહારક શરીરનો વિષય અઢીદ્વીપ સમુદ્ર સુધી જવાનો. ૪-૫ તૈજસ, કામણનો વિષય સર્વ લોકમાં જવાનો. ૧૫. સ્થિતિ દ્વાર : ૧ ઔદારિક શરીરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની. ર વૈક્રિય શરીરની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૩ સાગરની, ૩ આહારક શરીરની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્તની. ૪-૫ તૈજસ, કાર્મણ શરીરની સ્થિતિ બે પ્રકારે છે, તે અભવ્ય આશ્રી આદિ નથી ને અંત પણ નથી, ૨ મુક્તગામી આશ્રી, આદિ નથી પણ અંત છે. ૧૬. અંતર દ્વાર : ૧ ઔદારિક શરીરને મૂકી ફરીથી ઔદારિક શરીર લેતાં અંતર પડે (વખત જાય) તો જ. અંતર્મુહૂર્ત, ઉ. ૩૩ સાગર. ર વૈક્રિયા Page #286 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇંદ્રિય શરીર મૂકી વૈક્રિય શરીર લેતાં અંતર પડે તો જ. અંતર્મુહૂર્ત ઉ. અનંતકાળ. ૩ આહારક શરીરને અંતર પડે તો જ. અંતર્મુહૂર્ત ઉ. અર્ધ પુદ્ગલ પરાવર્તનથી કાંઈ થોડું. ૪-૫ તેજસ, કાર્મણ શરીરને અંતર નથી. અંતરદ્વારનો બીજો અર્થ – આહારક શરીર વજીને ચાર શરીર લોકમાં સદા લાભે. આહારક શરીર હોય કે ન હોય. ન હોય તો ઉત્કૃષ્ટ છ માસ સુધી અંતર પડે. (આહારક શરીર એક ભવમાં બે વાર, આખા સંસાર આશ્રી ચાર વખત આવી શકે) ઈતિ પાંચ શરીર, છે. ૧૫. પાંચ ઇંદ્રિયો ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, પદ ૧૫, ઉ. ૧ અગિયાર દ્વારના નામની ગાથા : iઠાણ, બાહુદ્ધ, પોહd, કઈપીએસ, ઓગાઢ | અખબહુ, પુટ્ટ, પવિદે, વિષય, અણગાર, આહારે I ૧૫ ૧૧ દ્વારના નામ : ૧ સંસ્થાન દ્વાર, ૨ બાહુલ્ય દ્વાર, ૩ પૃત્વ દ્વાર, ૪ પ્રદેશ દ્વા૨, ૫ અવગાહ દ્વા૨, ૬ અલ્પબદુત્વ દ્વાર, ૭ સ્પષ્ટ દ્વાર, ૮ પવિષ્ટ દ્વાર, ૯ વિષય દ્વાર ૧૦ અનાકાર દ્વાર, ૧૧ આહાર દ્વાર. પાંચ ઇંદ્રિય : ૧ શ્રોત્રેન્દ્રિય, ૨ ચક્ષુ ઇન્દ્રિય, ૩ ઘાણેન્દ્રિય, ૪ રસેન્દ્રિય, પ સ્પર્શેન્દ્રિય. Page #287 -------------------------------------------------------------------------- ________________ " . ૨૬૮ શ્રી બૃહદ જેન થોક સંગ્રહ ૧. સંસ્થાન (આકાર) દ્વાર : ૧ શ્રોત્રેન્દ્રિયનું સંસ્થાન કદંબ વૃક્ષનાં ફૂલ જેવું. ર ચક્ષુઇન્દ્રિયનું સંસ્થાન મસુરની દાળ જેવું. ૩ ઘાણેન્દ્રિયનું સંસ્થાન ધમણ જેવું. ૪ રસેન્દ્રિયનું સંસ્થાન અસ્ત્રાની ધાર જેવું. ૫ સ્પર્શેન્દ્રિયનું સંસ્થાન વિવિધ પ્રકારનું. ૨. બાહુલ્ય (જાડાપણું) દ્વાર: પાંચે ઈદ્રિયનું જાડપણું જઘન્ય ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગનું. ૩. પૃથુત્વ (લાંબાણું) દ્વાર : ૧ શ્રોત્ર, ૨ ચક્ષુ, ને ૩ ઘાણ એ ત્રણ ઈદ્રિયનું લાંબપણું જઘન્ય ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમાં ભાગનું ૪ રસેન્દ્રિયનું લાંબપણું જઘન્ય આંગુલના અસંખ્યાતમાં ભાગનું, ઉત્કૃષ્ટ પૃથફ (૨ થી ૯) આંગુલનું પસ્પર્શેન્દ્રિયનું લાંબપણું જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગનું ઉત્કૃષ્ટ હજાર યોજનથી કાંઈક વિશેષ. ૪. પ્રદેશ દ્વાર : પાંચ ઇંદ્રિયના અનંત પ્રદેશ છે. ૫. અવગાહ દ્વારા પાંચ ઇંદ્રિય છે તેમાં દરેક ઇઢિયે અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહ્યા છે. દરેક ઇંદ્રિયના અનંત અનંત કર્કશ અને ભારે સ્પર્શ છે, તેમ અનંત અનંત હલકા ને મૃદુ સ્પર્શ છે. ૬. અલ્પબદુત્વ દ્વાર : પ્રદેશનો અલ્પબદુત્વ – ૧ સર્વથી થોડા ચક્ષુઇન્દ્રિયના પ્રદેશ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૩ ઘાણેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૪ રસેન્દ્રિયના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી ૫ સ્પર્શેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા. આકાશ પ્રદેશ અવગાહનાનો અલ્પબદુત્વ – ૧ સર્વથી થોડા ચક્ષુ ઇન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાતગુણા, તેથી Page #288 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇંદ્રિય ર૬૯) ૩ ઘાણેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૪ રસેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી પ સ્પર્શેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાતગુણા. પ્રદેશ અને અવગાહ્યા એ બે નો સાથે અલ્પબદુત્વ સર્વથી થોડા ૧ ચક્ષુઇન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના અવગાહ્યા સંખ્યાતગુણા, તેથી ૩ ઘાણેન્દ્રિયના અવગાહ્ય સંખ્યાતગુણા, તેથી ૪ રસેન્દ્રિયના અવગાહ્યા અસંખ્યાતગુણા, તેથી પ સ્પર્શેન્દ્રિયના અવગાહ્યા સંખ્યાતગુણા, તેથી ૬ ચક્ષુઇન્દ્રિયના પ્રદેશ અનંતગુણા,તેથી ૭ શ્રેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૮ ઘાણેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૯ રસેન્દ્રિયના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી ૧૦ સ્પર્શેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા. કર્કશ અને ભારે સ્પર્શનો અલ્પબદુત્વ – ૧ સર્વથી થોડા ૧ ચહ્યુઇન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના અનંત ગુણ, તેથી ૩ ઘાણેન્દ્રિયના અનંત ગુણ, તેથી ૪ રસેન્દ્રિયના અનંત ગુણ, તેથી પ સ્પર્શેન્દ્રિયના અનંત ગુણ. હલકા (લઘુ) અને મૃદુ (સુંવાળા) સ્પર્શનો અલ્પબદુત્વ – સર્વથી થોડા ૧ સ્પર્શેન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ, તેથી ર રસેન્દ્રિયના અનંત ગુણ, તેથી ૩ ઘાણેન્દ્રિયના અનંત ગુણ, તેથી ૪ શ્રોત્રેન્દ્રિયના અનંત ગુણ, તેથી પ ચક્ષુઇન્દ્રિયના અનંત ગુણ. કર્કશ અને ભારે તથા હલકા અને મૃદુ સ્પર્શનો સાથે અલ્પબદુત્વ – સર્વથી થોડા ૧ ચક્ષુઇન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગુણ, તેથી ૩ ઘાણેન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગુણ, તેથી ૪ રસેન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ અનંત ગણ, તેથી પ સ્પર્શેન્દ્રિયના કર્કશ ભારે સ્પર્શ Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અનંત ગુણ, તેથી ૬ સ્પર્શેન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંતગુણ, તેથી ૭ રસેન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૮ ઘાણેન્દ્રિયના - હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૯ શ્રોત્રેન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ, તેથી ૧૦ ચક્ષુઇન્દ્રિયના હલકા મૃદુ સ્પર્શ અનંત ગુણ. ૭. સ્પષ્ટ દ્વાર : ઇન્દ્રિયોને જે પુદ્ગલો આવી સ્પર્શ તે પુદ્ગલોને ઇન્દ્રિયો ગ્રહે તે. પાંચ ઇન્દ્રિયમાં ચક્ષુ ઇન્દ્રિય વિના ચાર ઇન્દ્રિયોને પગલો આવી સ્પર્શે છે. ચક્ષુ ઇન્દ્રિયને આવી સ્પર્શતા નથી. ૮. પ્રવિષ્ટ દ્વારઃ જે ઇન્દ્રિયોને વિષે અભિમુખ (સામાં) પુદ્ગલો આવીને પ્રવેશ કરે તેને પ્રવિષ્ટ કહીએ. પાંચ ઇન્દ્રિયમાં ચક્ષુ ઇન્દ્રિય વિના ચાર ઇન્દ્રિય પ્રવિષ્ટ છે, ને ચક્ષુ ઇન્દ્રિય અપ્રવિષ્ટ છે. ૯. વિષય (શક્તિ) દ્વાર : ચક્ષુઈન્દ્રિય સિવાયની દરેક ઇન્દ્રિયનો વિષય જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ચક્ષુઇન્દ્રિયનો જ. આંગુલનો સંખ્યાતમો ભાગ. ચક્ષુનો વિષય ઉત્સધઆંગુલથી અને બાકીના સર્વને આત્મ આંગુલથી સમજવા. ઉત્કૃષ્ટ વિષય યંત્ર પ્રમાણે. જાતિ શ્રોત્રેન્દ્રિય ચહ્યુઇન્દ્રિય ઘાણેન્દ્રિય રસેન્દ્રિય સ્પર્શેન્દ્રિય | એકેન્દ્રિય | 0 | 0 0 ૦ 0 ૦ ૦૦ ધનુ બેઈન્દ્રિય ૦ ૬૪ ધનુ. ૮૦૦ ધનુ તે ઇન્દ્રિય | ૦ | ૦ / ૧૦૦ ધનુ૧૨૮ ધનુ૧૬૦૦" ચૌરેન્દ્રિય! ૦ ર૯૫૪ યો.૨૦૦” રપ૬ " ૩૨૦૦" અસં. પંચે. ૧ યોજ, પ૯૦૮ યોજ00" ૫૧૨ " | ૪00" સંજ્ઞી પંચે. ૧ર ધો. ૧ લાખ યો૯િ યોજન લ યોજન ૯ યોજન ઝાઝેરી . . - - - - - - Page #290 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇંદ્રિય ૨૭૧ ૧૦. અનાકા૨ (ઉપયોગ) દ્વાર : જઘન્ય ઉપયોગ કાળનો અલ્પબહુત્વ –– સર્વથી થોડો ૧ ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયનો જધન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૩ ઘાણેન્દ્રિયનો જધન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૪ ૨સેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી પ સ્પર્શેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ. ઉત્કૃષ્ટ ઉપયોગ કાળનો અલ્પબહુત્વ – - સર્વથી થોડો ૧ ચક્ષુઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૩ ઘાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૪ ૨સેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૫ સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ. જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપયોગકાળનો સાથે અલ્પબહુત્વ – સર્વથી થોડો ૧ ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયનો જધન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૩ ઘાણેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૪ ૨સેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૫ સ્પર્શેન્દ્રિયનો જધન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૬ ચક્ષુન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૭ શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૮ ઘાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૯ ૨સેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ, તેથી ૧૦ સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાળ વિશેષ. ૧૧ આહાર દ્વાર : શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાંથી જાણવો. ઇતિ પાંચ ઇંદ્રિય. 全國開關懷的服务图全 Page #291 -------------------------------------------------------------------------- ________________ રિ૭૨ કિમી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૬. રૂપી અરૂપીના બોકિ. ભગવતી સૂત્ર શતક ૧૨, ૩. ૫ કમ્મઠ પાવઠાણાય, મણ વય જોગા ય કમ્મુ-દેહે ! સુહુમ પૂએ સિ ખંધે, એ સવ્વ ચઉ ફાસા / ૧ || અર્થ : કર્મ ૮ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય) પાપસ્થાનક ૧૮, (૧ પ્રાણાતિપાત, ર મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ ૫, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય, ૧૫ પર પરિવાદ, ૧૬ રતિઅરતિ, ૧૭ માયામોસો, ૧૮ મિચ્છા દંસણસલ્લ.)(૨૬), ૨૭. મન યોગ, ૨૮. વચન યોગ, ૨૯. કાર્પણ શરીર, ૩૦. પગલાસ્તિકાયનો એક સૂક્ષ્મ પ્રદેશી ઢંધ . એ સર્વે ત્રીસ બોલ રૂપી ચલસ્પર્શી છે તેમાં એક એકમાં સોળ સોળ બોલ લાભે. તે પાંચ વર્ણ (તે ૧ કાળો, ૨ નીલો, ૩ રાતો, ૪ પીળો, ૫ ધોળો), બે ગંધ (તે ૬ સુરભી ગંધ, ૭ દુરભી ગંધ), પાંચ રસ (ત ૮ તીખો, ૯ કડવો, ૧૦ કસાયેલો, ૧૧ ખાટો, ૧૨ મીઠો), ચાર સ્પર્શ (તે ૧૩ શીત, ૧૪ ઉષ્ણ, ૧૫ લુખો, ૧૬ સ્નિગ્ધ.) || ૧ || ઘણ તણ વાય, ઘનોદહિ, પુઢવીસત્તેવ સતનિરીયાણ ! અસંખેજ દિવ સમુદા, કપ્પા, ગેવિજા અણુતરા સિદ્ધિ II ૨ | અર્થ : ૧ ઘનવાત, ૨ તનુવાત, ૩–૧૦ સાત નરકની સાત ઘનોદધિ પૃથ્વી, ૧૧ અસંખ્યાત દ્વીપ, ૧૨ અસંખ્યાત સમુદ્ર, ૧૩–૨૪ બાર દેવલોક, ૨૫-૩૩ નવ રૈવેયક, ૩૪-૩૮ પાંચ અનુત્તર વિમાન, ૩૯ સિદ્ધશિલા. || ૨ || Page #292 -------------------------------------------------------------------------- ________________ રૂપી અરૂપીના બોલ રિ૭૩૩ ઉરાલીયા ચઉદેહા, પોગલ કાય, છ દબૂ લેસ્સા યT તહેવ કાય જોગેણં, એ સવૅણ અટ્ટ ફાસા | ૩ | અર્થ: ૪૦ ઔદારિક શરીર, ૪૧ વૈક્રિય શરીર, ૪૨ આહારક શરીર, ૪૩ તેજસ શરીર, ૪૪ પુદ્ગલાસ્તિકાયનો બાદર સકંધ, ૪૫–૫૦ છ દ્રવ્ય લેશ્યા (૧ કૃષ્ણ, ર નીલ, ૩ કાપોત, ૪ તેજો, ૫ પ%, ૬ શુક્લ), પ૧ કાય યોગ. એ સઘળા પ૧ બોલ રૂપી આઠ સ્પર્શી છે. તેમાં વીસ વીસ બોલ લાભે, તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ (૧૩ શીત, ૧૪ ઉષ્ણ, ૧૫ લુખો, ૧૬ સ્નિગ્ધ, ૧૭ ભારે, ૧૮ હળવો, ૧૯ ખરખરો, ૨૦ સુંવાળો). || ૩ ||. પાવ ઠાણા વિરઇ, ચઉ ચઉ બુદ્ધિ ઉગ્નહે ! સન્ના ધમ્મસ્થી પંચ ઉઠાણું, ભાવ લેસાત્તિ દિઠ્ઠીય ||૪|| અર્થ : ૧૮ પાપસ્થાનકથી વિરતિ – નિવર્તવું, ૪ બુદ્ધિ તે ૧૯ ઔત્પાતિકા, ૨૦ વૈનાયિકા, ૨૧ કાર્મિકા, ૨૨ પરિણામિકા, ચાર મતિ તે ૨૩ અવગ્રહ, ૨૪ ઇહા, ૨૫ અવાય, ૨૬ ધારણા, ચાર સંજ્ઞા તે ૨૭ આહાર સંજ્ઞા, ૨૮ ભય સંજ્ઞા, ૨૯ મૈથુન સંજ્ઞા, ૩૦ પરિગ્રહ સંજ્ઞા, ૩૧ ધર્માસ્તિકાય, ૩૨ અધર્માસ્તિકાય, ૩૩ આકાશાસ્તિકાય, ૩૪ કાળ, રૂપ જીવાસ્તિકાય, પાંચ ઉઠાણ તે ૩૬ ઉત્થાન, ૩૭ કર્મ, ૩૮ વીર્ય, ૩૯ બળ, ૪૦ પુરૂષાકાર પરાક્રમ, ૪૧-૪૬ છ ભાવ વેશ્યા, ત્રણ દૃષ્ટિ તે ૪૭ સમકિત દૃષ્ટિ, ૪૮ મિથ્યા દૃષ્ટિ, ૪૯ મિશ્ર દૃષ્ટિ. ૪ || દસણ નાણ સાગરા, અણાગાર ચઉવીસે દંડગા જીવ ! એ સવ્વ અવસા, અરૂવી અફાસગા ચેવ ૫ || અર્થ : દર્શન ચાર તે ૫૦ ચક્ષુદર્શન, ૫૧ અચક્ષુદર્શન, પર અવધિદર્શન, પ૩ કેવળદર્શન, જ્ઞાન પાંચ તે પ૪ મતિજ્ઞાન, 18 Jain Educdon International Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહક જૈન થોક સંગ્રહ પપ શ્રુતજ્ઞાન, પ૬ અવધિજ્ઞાન, ૫૭ મન:પર્યવજ્ઞાન, ૫૮ કેવળજ્ઞાન, પ૯ જ્ઞાનનો ઉપયોગ તે સાકાર ઉપયોગ, ૬૦ દર્શનનો ઉપયોગ તે અનાકાર ઉપયોગ, ૬૧ ચોવીસે દંડકના જીવ. ૫ // એ સઘળા ૬૧ બોલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ ન લાભે કારણ કે એ સર્વ બોલ અરૂપીના છે. ઇતિ રૂપી અરૂપીના બોલ. D D & D D D PG Dલ છ ૧૭. શ્રી મોટો બાસઠીયોરિડો પન્નવણા સૂત્ર પદ ૩ ગાથા – અનુરુપવૃત્ત જીવ, ગઇ, ઇંદિય, કાએ, જોગ, વેદ, કસાય, લેસ્સા ! સમ્મત્ત, નાણ, દંસણ, સંજય, ઉવઓગ, આહારે / ૧ ભાગ, પરિણ, પતિ, સુહુમ સત્રિ, ભવત્યિ, ચરિમેય | જય ખેત્ત બંધ, પુગ્ગલએ મહાદંડએ ચેવ | ૨ || દ્વારના નામ : ૧ જીવ દ્વાર, ૨ ગતિ દ્વાર, ૩ ઇંદ્રિય ધાર, ૪ કાય કાર, ૫ જોગ દ્વાર, ૬ વેદ દ્વાર, ૭ કષાય દ્વાર, ૮ વેશ્યા દ્વાર, ૯ સમકિત દ્વાર, ૧૦ શાન દ્વાર, ૧૧ દર્શન દ્વાર, ૧૨ સંજય દ્વાર ૧૩ ઉપયોગ દ્વાર, ૧૪ આહાર દ્વાર, ૧૫ ભાષગ દ્વાર, ૧૬ પરિત્ત દ્વાર, ૧૭ પર્યાપ્તા દ્વાર, ૧૮ સૂક્ષ્મ દ્વાર, ૧૯ સંસી દ્વાર, ૨૦ ભવ્યઅભવ્ય દ્વા૨, ૨૧ ચરમ દ્વાર. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોટો બાસઠીયો ]િરિ૭૫) ૧. જીવ દ્વાર ૧: સમુચ્ચય જીવમાં જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬, અલ્પબહુત્વ ૧ એવં કુલ ૬૨. ૨. ગતિ દ્વાર : ૧. નરક ગતિમાં જીવના ભેદ ૩ તે ૧ સંશીનો અપર્યાપ્તો, ૨ સંજ્ઞીનો પર્યાપ્તો, ૩ અસંજ્ઞીનો અપર્યાપ્તો, ગુણઠાણા પ્રથમ ૪, જોગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૧ વૈક્રિય, ૧ વૈક્રિય મિશ્ર, ૧ કાર્પણ કાયયોગ. ઉપયોગ ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૩ પ્રથમ. ૨. તિર્યંચ ગતિમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૫ પ્રથમ, જોગ ૧૩ તે આહારકના બે વર્જીને, ઉપ. ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન લેશ્યા ૬. - ૩. તિર્યંચાણીમાં : જીવના ભેદ ૨, સંજ્ઞીનો અપર્યાપ્તો ને પર્યાપ્યો. ગુણ. પ્રથમ ૫, જોગ ૧૩ તે આહારકના બે વર્જીને, ઉ૫. ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. ૪. મનુષ્યની ગતિમાં જીવના ભેદ ૩, ૧ સંજ્ઞીનો અપર્યાપો, ૨ સંજ્ઞીને પર્યાપ્તો, ૩ અસંજ્ઞીનો અપર્યાપ્યો. ગુણ. ૧૪, જગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૫. મનુષ્પાણીમાં : જીવના ભેદ ર સંજ્ઞીના, ગુ. ૧૪, જોગ ૧૩ આહારકના બે વર્જીન, ઉપયોગ ૧૨, વેશ્યા ૬. ૬. દેવતાની ગતિમાં જીવના ભેદ ૩, ૧ સંજ્ઞીનો અપર્યાપ્તો, ૨ સંજ્ઞીનો પર્યાયો, ૩ અસંજ્ઞીને અપર્યાપ્તો, ગુણ. ૪ પ્રથમ, જોગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૧ વૈક્રિય; ૧ વૈક્રિય મિશ્ર, વ કાર્મણ કાયયોગ, ઉપયોગ ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, 3 દર્શન, વેશ્યા ૬. Page #295 -------------------------------------------------------------------------- ________________ - - રિ૭૬] ] શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૭. દેવાંગનામાં જીવના ભેદ ૨, સંજ્ઞીના. ગુણ. ૪ પ્રથમ, જોગ ૧૧, ઉપયોગ ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૪. ૮. સિદ્ધ ગતિમાં : જીવના ભેદ નથી, ગુણઠાણા નથી, જોગ નથી, ઉપયોગ બે, કેવળજ્ઞાન ને કેવળદર્શન, લેગ્યા નથી. એ આઠ ભેદનો અલ્પબદુત્વઃ સર્વથી થોડી મનુષ્યાણા ૧, તેથી મનુષ્ય (સંમૂર્છાિમ ભળતાં) અસંખેગુણા ૨, તેથી નારકી અસંખwગુણા ૩, તેથી તિર્યંચાણી અસંખેગુણા ૪, તેથી દેવતા અસંખેશ્વગુણા ૫, તેથી દેવી સંખwગુણી ૬, તેથી સિદ્ધભગવંત અનંતગુણા ૭, તેથી તિર્યંચ અનંતગુણા ૮. ઇતિ ગતિ દ્વાર ૨. ઇંદ્રિય દ્વાર : ૧. સોંદિયામાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ તે કેવળજ્ઞાન, કેવળદર્શન વજીને, વેશ્યા ૬. ૨. એકેન્દ્રિયમાં : જીવના ભેદ ૪, ૧ સૂક્ષ્મ એકેન્દ્રિયનો 'અપર્યાપ્ત ને ૨ પર્યા, ૩બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તોને પર્યાપ્તો, ગુણ. ૧ પ્રથમ, જોગ ૫, ૧ ઔદારિક, ર ઔદારિક મિશ્ર, ૩ વૈક્રિય, ૪ વૈક્રિય મિશ્ર, ૫ કાર્પણ કાયયોગ, ઉપયોગ ૩, ૨ અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન. લેગ્યા ૪ પ્રથમ. - ૩,૪,૫. બેઈજિય, તે ઈન્દ્રિય, ચૌરેનિયમાં જીવના ભેદ ર તે પોતપોતાના અપર્યાપ્ત ને પર્યાપ્તા. ગુણ. ૨ પ્રથમ, જોગ ૪, ૨ ઔદારિકના, ૧ કાશ્મણનો, ૧ વ્યવહાર વચનયોગ. ઉપયોગ બેઈન્દ્રિય, ઇન્દ્રિયમાં ૫, ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન અને ચૌરેન્દ્રિયમાં ૬ તે ૧ ચક્ષુદર્શન વધ્યું. વેશ્યા ૩. ૬. પંચેન્દ્રિયમાં: જીવના ભેદ ૪, ૧ સંજ્ઞીનો અપર્યાપ્ત ને ૨ પર્યાપ્તો, ૩ અસંજ્ઞીનો અપર્યાપ્તો, ૪ પર્યાપ્તો, ગુણ. ૧૨ પ્રથમ, Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોટો બાસઠીયો પિરિ૭૭) જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળજ્ઞાન, કેવળદર્શન વર્જીને, વેશ્યા ૬. ૭. અહિંદિયામાં જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાયો, ગુણ. ૨, તેરમુંને ચૌદમું જોગ ૭, ૨ મનના, ૨ વચનના મળી ૪, ૫ દારિક, ૬ ઔદારિક મિશ્ર, ૭ વ્યવહાર વચન, ઉપયોગ ૨, કેવળજ્ઞાન, કેવળદર્શન, વેશ્યા ૧ શુક્લ. * એનો અલ્પબદુત્વઃ સર્વથી ર્થોડા પંચેન્દ્રિય ૧, તેથી ચૌરેન્દ્રિય વિશેષાહિયા ૨, તેથી તે ઇન્દ્રિય વિશેષાહિયા ૩, તેથી બેઈન્દ્રિય વિશેષાહિયા ૪, તેથી અણિદિયા અનંતગુણા ૫, તેથી એકેન્દ્રિય અનંતગુણા ૬, તેથી સઇન્દ્રિય વિશેષાહિયા ૭. ઇતિ ઇંદ્રિય દ્વાર ૪ કાય કાર : ૧. સકાયમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૬. ૨. પૃથ્વીકાય, ૩ અપકાય, ૪ વનસ્પતિકાયમાં : એ ત્રણમાં જીવના ભેદ ૪, ગુણ: ૧ પ્રથમ, જોગ ૩, ઉપયોગ ૩, વેશ્યા ૪. પતેઉકાય, ૬ વાઉકાય એ બેમાં જીવના ભેદ ૪, ગુણ. ૧, જોગ તેમાં ૩ ને વાઉમાં ૫ તે વૈક્રિયના બે વધ્યા, ઉપયોગ ૩, લેશ્યા ૩. - ત્રસકાયમાં : જીવના ભેદ ૧૦ તે ૪ એકેન્દ્રિયના વર્યા, ગુણ. ૧૪ જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૬. ૮. અકાયમાં જીવના ભેદ નથી, ગુણઠાણા નથી, જોગ નથી, # વિશેષાહિયા – વિશેષ અધિકા : બમણાં કરતાં ઓછાં. દા.ત. સંખ્યા ૧૦0 તેના બમણા ૨૦૦ માટે ૧૦૧ થી ૧૯૯ ને વિશેષાહિયા અને ૨૦૦ને સંખ્યાતગણી અને તેથી વધુને પણ સંખ્યાતગણા ગણવા. Page #297 -------------------------------------------------------------------------- ________________ રિ૭૮૩ાિ ની શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ ઉપયોગ ૨, લેશ્યા નથી. એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા ત્રસકાય ૧, તેથી તેઉકાય અસંખેગુણા ૨, તેથી પૃથ્વીકાય વિશેષાહિયા ૩, તેથી અપકાય વિશેષાહિયા ૪, તેથી વાઉકાય વિશેષાહિયા ૫, તેથી અકાયા અનંતગુણા ૬, તેથી વનસ્પતિકાય અનંતગુણા ૭, તેથી સકાયા વિશેષાહિયા ૮. ૫. જોગ દ્વાર : ૧. સજોગીમાં : જીવના ભેદ ૧૪, ગુણ, ૧૩, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૨. મનજોગીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞ પર્યાપ્યો. ગુણ. ૧૩, જોગ ૧૪ એક કામણનો વજીને. ઉપયાગ ૧૧. લશ્યા ૬. ૩. વચનજોગીમાં : જીવના ભેદ ૫, ૧ બંઇન્દ્રિય, ૨ ઇન્દ્રિય, ૩ ચૌરેન્દ્રિય, ૪ અસંજ્ઞી પંચેન્દ્રિય, પ સંજ્ઞી પંચેન્દ્રિય એ પાંચના પર્યાપ્તા, ગુણ. ૧૩, જોગ ૧૪ તે કામણ વર્જીને, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૪. કાયજોગીમાં : જીવના ભેદ ૧૪, ગુણ, ૧૩, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૫. અજોગીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્ત, ગુણ. ૧ ચૌદમું, જોગ નથી, ઉપયોગ ર કેવળજ્ઞાન, કેવળદર્શન, વેશ્યા નથી. એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા મનજોગી ૧, તેથી વચનગી અસંખેગુણા ૨, તેથી અજોગી અનંતગુણા ૩, તેથી કાયજોગી અનંતગુણા ૪, તેથી સજોગી વિશેષાહિયા પ. ૬. વેદ દ્વાર : ૧. સદીમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૯ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળજ્ઞાન, કેવળદર્શન વજીને, વેશ્યા ૬. Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોટો બાસઠીયો ૨- ૩. સ્ત્રી વેદ, પુરૂષવેદમાં : એ બેમાં જીવના ભેદ ૨, સંજ્ઞીના, ગુણ. ૯, જગ પુરૂષદમાં ૧૫, સ્ત્રીવેદમાં ૧૩ તે આહારકના બે વર્જીને, ઉપયોગ ૧૦, વેશ્યા દ. ૪. નપુંસકવેદમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૯, જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળજ્ઞાન, કેવળદર્શન વર્જીને, લશ્યા દ. ૫. અવેદીમાં : જીવના ભેદ ૧ સંજ્ઞાનો પર્યાપ્તો, ગુણ, દ તે ૯ થી ૧૪, જગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના, ૧ કામણનો ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, વેશ્યા ૧ શુક્લ. એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા પુરૂષવેદી ૧, તેથી સ્ત્રી વેદી સંખેશ્વગુણા ૨, તેથી અવેદી અનંતગુણા ૩, તેથી નપુંસક વેદી અનંતણા ૪, તેથી સવેદી વિશેષાહિયા ૫. ૭ કષાય દ્વાર : ૧. સકષાયીમાં : જીવના ભેદ ૧૪, ગુણ, ૧૦પથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, કેવળજ્ઞાન, કેવળદર્શન વર્જીને, વેશ્યા દ. - ૨, ૩, ૪. ક્રોધ, માન, માયા કષાય એ ત્રણમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૯, જગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬. ૫. લોભ કષાયમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૦ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬. ૬. અકષાયીમાં જીવનો ભેદ ૧, સંજ્ઞીનો પર્યાયો. ગુણ. ૪ તે ૧૧ થી ૧૪, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના, ૧ કામણનો, ઉપયોગ ૯, ૫ જ્ઞાન, ૪ દર્શન, વેશ્યા ૧ શુક્લ. એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા અકષાયી ૧, તેથી માનકષાયી અનંતગુણા ૨, તેથી ક્રોધકષાયી વિશેષાહિયા ૩, તેથી માયાકષાયી વિશેષાહિયા ૪, તેથી લોભષાથી વિશેષાહિયા ૫, તેથી સકષાયી Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ વિશેષાહિયા ૬. ૮. વેશ્યા દ્વાર : - ૧. સલેશીમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૩, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લશ્યા ૬. ૨, ૩, ૪. કૃષ્ણ, નીલ, કાપોત લેશીમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૬ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ બે કેવળના વર્જીને, વેશ્યા પોતપોતાની. ૫. તેજલેશીમાં જીવના ભેદ ૩, સંજ્ઞીનો અપર્યાપ્ત, પર્યાપ્યો અને બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ગુણ. ૭ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૧ તેજો. ૬. પા લેશીમાં જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૭ પ્રથમ, જગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૧ પા. ૭. શુક્લ લેશીમાં જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૧૩ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૧ શુક્લ. ૮. અલેશીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણ. ૧ ચૌદમું, જોગ નથી, ઉપયોગ ૨, કેવળજ્ઞાન ને કેવળદર્શન, વેશ્યા નથી.. એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા શુક્લલશી ૧, તેથી પમલેશી સંખેગુણા ૨, તેથી તેજોલેશી સંખેગુણા ૩, તેથી અલેશી અનંતગુણા ૪, તેથી કાપોતલેશી અનંતગુણા ૫, તેથી નીલલેશી વિશેષાહિયા ૬, તેથી કૃષ્ણલેશી વિશેષાહિયા ૭, તેથી સલેશી વિશેષાહિયા ૮. ૯. સમાકત દ્વાર : ૧. સમુચ્ચય સમકિતિમાં : જીવના ભેદ ૬, ૧ બેઇન્દ્રિય, ૨ " Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોટો બાસઠીયો ૨૦૧ તેઇન્દ્રિય, ૩ ચૌરેન્દ્રિય, ૪ અસંશી પંચેન્દ્રિય એ ૪ ના અપર્યાપ્તા અને ૫ સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તા અને ૬ પર્યાપ્તા, ગુણ. ૧૨, પહેલું ને ત્રીજું વર્જીને, જોગ ૧૫, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, લેશ્યા ૬. ૨. સાસ્વાદન સમકિતિમાં : જીવના ભેદ ૬, ગુણ. બીજું, જોગ ૧૩ આહા૨કના બે વર્જીને, ઉપયોગ ૬ તે ૩ જ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૩. ઉપશમ સમકિતિમાં : જીવના ભેદ ૨ સંશીના, ગુણ. આઠ તે ચોથાથી અગિયા૨મા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૭ તે ૪ જ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૪.૫. ક્ષયોપશમ અને વેદક સમકિતિમાં : જીવના ભેદ ૨ સંશીના, ગુણ. ક્ષયોપશમમાં ૪ થી ૭ સુધી અને વૈદકમાં ૪ થી ૭ સુધી, જોગ ૧૫, ઉપયોગ ૭ તે ૪ જ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. : ૬. ક્ષાયિક સમકિતિમાં : જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૧૧ તે ચોથાથી ચૌદમા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૯ તે ૩ અજ્ઞાન વર્જીને, લેશ્યા ૬. ૭. મિથ્યાત્વદૃષ્ટિમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૬ પ્રથમ, જોગ ૧૩, આહારકના બે વર્જીને, ઉપયોગ ૬ તે ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૮. સામિથ્યાત્વ સૃષ્ટિમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યા., ગુણ. ૧ તે ત્રીજું, જોગ ૧૦, ૪ મનના, ૪ વચનના, ૧ ઔદારિકનો, ૧ વૈક્રિયના, ઉપયોગ ૬, લેશ્યા ૬ એનો અલ્પબહુત્વ : સર્વથી થોડા સાસ્વાદન સમિતિ ૧, તેથી ઉપશન સમકિતિ સંખેâગુણા ૨, તેથી મિશ્રદૃષ્ટિ અસંખâગુણા Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨િ૮૨ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩, તેથી ક્ષયોપશમ અને વેદક સમકિતિ માંહોમાંહે તુલ્ય અને અસંખેશ્વગુણા ૫, તેથી ક્ષાયિક સમકિતિ અનંતગુણા ૬, તેથી સમુચ્ચય સમકિતિ વિશેષાહિયા ૭. તેથી મિથ્યાત્વ દૃષ્ટિ અનંતગુણા ૮. ૧૦જાનું દ્વાર : ૧. સમુચ્ચય જ્ઞાનીમાં : જીવના ભેદ ૬, ૧ બેઇન્દ્રિય, ૨ ઇન્દ્રિય, ૩ ચૌરેન્દ્રિય, ૪ અસંજ્ઞી પંચેન્દ્રિય એ ૪ ના અપર્યાપ્તા અને ૫ સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તા અને ૬ પર્યાપ્તા. ગુણ. ૧૨, પહેલું ને ત્રીજું વર્જીને, જગ ૧૫, ઉપયોગ ૯, 3 અજ્ઞાન વર્જીને, લેશ્યા દ. - ૨, ૩ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની : જીવના ભેદ ૬, ગુણ. ૧૦, પહેલું, ત્રીજું, તેરમું, ચૌદમું વર્જીને, જગ ૧૫, ઉપયોગ ૭, લડ્યા ૬. ૪. અવધિજ્ઞાનીમાં જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૧૦ તે ૪ થી ૧૨, જોગ ૧૫, ઉપયોગ ૭, વેશ્યા ૬. ૫. મન:પર્યવશાનીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીના પયા, ગુણ. ૭, છઠ્ઠાથી બારમા સુધી, જગ ૧૪ કામણનો વજીને, ઉપયોગ ૭, વેશ્યા ૬. ૬. કેવળજ્ઞાનીમાં જીવનો ભેદ ૧ સંજ્ઞાનો પર્યાપ્તા, ગુણ. ૨, ૧૩મું ને ૧૪મું, જોગ ૭, ઉપયોગ ર, વેશ્યા ૧ પરમશુક્લ. ૭. અજ્ઞાનીમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૨, પહેલું ન ત્રીજું, જગ ૧૩ આહારકના બે વર્જીને, ઉપયોગ ૬ તે 3 અજ્ઞાન, 3 દર્શન, લેશ્યા ૬. - ૮, ૯. મતિઅજ્ઞાની, ચુતઅજ્ઞાનમાં જીવના ભેદ ૧૪, ગુણ. ર, પહેલું ને ત્રીજું, જંગ ૧૩, ઉપયોગ દ, લશ્યા દ. ' ૧૦. વિભંગશાનીમાં : જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ, ૨, Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોટો બાસઠીયો ર૮૩ પહેલું ને ત્રીજું, જોગ ૧૩, ઉપયોગ ૬, વેશ્યા ૬ એનો અલ્પબહુત્વ : સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની ૧, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા ૨-૩, તેથી મતિજ્ઞાની ને શ્રુતજ્ઞાની માંહોમાંહી તુલ્ય ને વિશેષાહિયા ૪, તેથી વિલંગજ્ઞાની અસંખ્યાતગુણા ૫, તેથી કેવળજ્ઞાની અનંતગુણા ૬, તેથી સમુચ્ચય જ્ઞાની વિશેષાહિયા ૭, તેથી મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની તથા અજ્ઞાની માંહોમાંહી તુલ્ય અને અનંતગુણા ૯., ૧૧. દર્શન દ્વાર: ૧. ચક્ષુદર્શનીમાં જીવના ભેદ ૬, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય ને સંજ્ઞી પંચેન્દ્રિય એ ત્રણના અપર્યાપ્તા ને પર્યાપ્તા, ગુણ. ૧૨ પ્રથમ, જોગ ૧૪ કાર્પણનો વજીને, ઉપયોગ ૧૦ તે બે કેવળના વર્જીને, લેશ્યા ૬. ૨. અચક્ષુદર્શનીમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, લેણ્ય ૬. ૩. અવધિદર્શનીમાં : જીવના ભેદ ર સંજ્ઞીના, ગુણ. ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬, ૪. કેવળદર્શનીમાં જીવનો ભેદ ૧, ગુણ, ર તેરમું ને ચૌદમું, જોગ ૭, ઉપયોગ ર, વેશ્યા ૧. એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા અવધિદર્શની ૧, તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા ૨, તેથી કેવળદર્શની અનંતગુણા ૩, તેથી અચક્ષુદર્શની અનંતગુણા ૪. ૧૨. સંજય દ્વાર : ૧. સંજતિમાં જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યા, ગુણ. ૯ તંદ થી ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૯ તે 3 અજ્ઞાન વજીને, વેશ્યા ૬. ' Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨, ૩. સામાયિક, છેદોપસ્થાપનીય ચારિત્રીમાં : જીવન ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણ. ૪ તે ૬ થી ૯, જગ ૧૪ કાર્પણનો વર્જીને, ઉપયોગ ૭ તે ૪ જ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. ૪. પરિહારવિશુદ્ધ ચારિત્રીમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્તો, ગુણ. ર તે ૬ ને ૭, જોગ ૯, ૪ મનના, ૪ વચનના, ૧ દારિકનો, ઉપયોગ ૭, વેશ્યા ૩ ઉપલી શુભ. ૫. સૂક્ષ્મસંપરાય ચારિત્રીમાં : જીવનો ભેદ ૧, ગુણ. ૧ તે દશમું, જોગ ૯, ઉપયોગ ૭ (લબ્ધિ અપેક્ષાએ તથા ફક્ત સાકાર ઉપયોગ હોવાથી ઉપયોગ ૪), વેશ્યા ૧ શુક્લ. ૬. યથાવાત ચારિત્રીમાં જીવનો ભેદ ૧, ગુણ. ૪ તે ૧૧ થી ૧૪, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ર ઔદારિકના, ૧ કામણનો, ઉપયોગ ૯, વેશ્યા ૧. ૭. સંજતાસંજતિમાં જીવનો ભેદ ૧, ગુણ. ૧ પાંચમું, જોગ ૧૨, ૨ આહારક ને ૧ કામણનો વર્જીને, ઉપયોગ ૬ તે ૩ જ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. ( ૮. અસંજતિમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૪ પ્રથમ, જોગ ૧૩, ૨ આહારક વર્જીને, ઉપયોગ ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. ૯. નોસંજતિ નોઅસંજતિ, નોસંજતાસંજતિમાં : જીવના ભેદ ૦, ગુણ. ૦, જોગ ૦, ઉપયોગ ૨, લેગ્યા નથી. એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા સૂક્ષ્મસંપ રાય ચારિત્રી ૧, તેથી પરિહારવિશુદ્ધ ચારિત્રી સંખે ગુણા ૨, તેથી યથાખ્યાત ચારિત્રી સંખેગુણા ૩, તેથી છેદપસ્થાપનીય ચારિત્રી સંખેગુણા ૪, તેથી સામાયિક ચારિત્રી સંખેણા ૫, તેથી Page #304 -------------------------------------------------------------------------- ________________ IT શ્રી મોટો બાસઠીયો શોરિ૮૫ સંજતિ વિશેષાહિયા ૬, તેથી સંજતાસંજતિ અસંખ્યાતગુણા ૭, તેથી નોસંજતિ નોઅસંજતિ, નોસંજતાસંજતિ અનંતગુણા ૮, તેથી અસંજતિ અનંતગુણા ૯. ૧૩. ઉપયોગ દ્વાર : ૧. સાગારોવઉત્તામાં (સાકાર ઉપયોગમાં): જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૬. ૨. અણાગારોવઉત્તામાં (અનાકાર ઉપયોગમાં) : જીવના ભેદ ૧૪, ગુણ. ૧૩ દશમું વર્જીને, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬. એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા અણાગારોવઉત્તા ૧, તેથી સાગારોવઉત્તા સંખેશ્વગુણા ૨. ૧૪. આહાર દ્વાર : ૧. આહા૨કમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૩ પ્રથમ, જોગ ૧૪ તે કામણ વર્જીને ઉપયોગ ૧૨, લેગ્યા ૬. - ૨. અણાહારકમાં જીવના ભેદ ૮, સાત અપર્યાપ્તા ને સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણ, ૫, પહેલું, બીજું, ચોથું, તેરમું, ચૌદમું, જોગ ૧ તે કામણનો, ઉપયોગ ૧૦, મન:પર્યવજ્ઞાન ને ચક્ષુદર્શન બે વર્જીને. લેશ્યા ૬. એનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા અણાહારક ૧, તેથી આહારક અસંખેગુણા ૨. ૧૫. ભાષગ દ્વાર: ૧. ભાષગામાં : જીવના ભેદ ૫, બેઇન્દ્રિય ૧, ઇન્દ્રિય ૨, ચૌરેન્દ્રિય ૩, અસંજ્ઞી પંચેન્દ્રિય ૪, સંજ્ઞી પંચેન્દ્રિય ૫ એ પાંચનાં પર્યાપ્તા, ગુણ. ૧૩ પ્રથમ, જોગ ૧૪ તે કામણનો વર્જીન, ઉપયોગ ૧૨, વેશ્યા ૬. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૨. અભાષગામાં : જીવના ભેદ ૧૦, ૧ બેઇન્દ્રિય, ૨ તેઇન્દ્રિય, ૩ ચૌરેન્દ્રિય, ૪ અસંજ્ઞી પંચેન્દ્રિય એ ચારનાં પર્યાપ્તા વર્જીને, ગુણ. પ, તે પહેલું, બીજું, ચોથું, તેરમું, ચૌદમું, જોગ ૫, ૨ ઔદારિક, ૨ વૈક્રિય, ૧ કાર્મણનો, ઉપયોગ ૧૧ તે મન:પર્યવજ્ઞાન વર્જી, લેશ્યા ૬. એનો અલ્પબહુત્વ : સર્વથી થોડા ભાષગા ૧, તેથી અભાષગા અનંતગણા ૨. ૧૬, પરિત્ત દ્વાર : ૧. પરિત્તસંસારીમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૨. અપરિત્તસંસારીમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૧ પહેલું, જોગ ૧૩ આહા૨કના બે વર્જીને, ઉપયોગ ૬, ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૩. નોપરિત્ત નોઅપરિત્તમાં : જીવના ભેદ ૦, ગુણ. ૦, જોગ ૦, ઉપયોગ ૨, લૈશ્યા નથી. પ શખ એનો અલ્પબહુત્વ : સર્વથી થોડા પરિત્ત ૧, તેથી નોપરિત્ત નોઅપરિત્ત અનંતગુણા ૨, તેથી અપરિત્ત અનંતગુણા ૩. ૧૭. પર્યામા દ્વાર : ૧. પર્યાપ્તામાં : જીવના ભેદ ૭, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૨. અપર્યાપ્તામાં : જીવના ભેદ ૭, ગુણ. ૩, પહેલું, બીજું, ચોથું, જોગ ૫, ૨ ઔદારિકના, ૨ વૈક્રિયના, ૧ કાર્મણનો, ઉપયોગ ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૩. નોપર્યાપ્તા નોઅપર્યાપ્તામાં : જીવના ભેદ ૦, ગુણ. ૦, જોગ ૦, ઉપયોગ ૨, લેશ્યા નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ ક!] શ્રી મોટો બાસઠીયો એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા નો પર્યાપ્તા નો અપર્યાપ્તા ૧, તેનાથી અપર્યાપ્તા અનંતગુણા ૨, તેથી પર્યાપ્તા સંખેશ્વગુણા ૧૮. સૂક્ષ્મ દ્વાર : ૧. સૂક્ષ્મમાં જીવના ભેદ ૨, સૂક્ષ્મ એકેન્દ્રિયનો અપર્યાપ્તો ને પર્યાપ્તો, ગુણ. ૧ પ્રથમ, જોગ ૩, ૨ દારિકના, ૧ કાશ્મણનો, ઉપયોગ ૩, બે અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન, વેશ્યા ૩ પ્રથમ. ૨. બાદરમાં : જીવના ભેદ ૧૨, સૂક્ષ્મના બે વર્જીને, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૬. ૩. નોસૂક્ષ્મ નો બાદર : જીવના ભેદ ૦, ણ. ૦, જોગ છે, ઉપયોગ ૨, લશ્યા નથી. એનો અલ્પબહુત્વઃ સર્વથી થોડા નોસૂક્ષ્મ નો બાદર ૧, તેથી બાદર અનંતગુણા ૨, તેથી સૂક્ષ્મ અસંખેગુણા ૩. ૧૯. સંશી દ્વાર : ૧. સંસીમાં : જીવના ભેદ ૨, ગુણ. ૧૨ પહેલાં, જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળના બે વર્જીને, વેશ્યા ૬. ૨. અસંશીમાં જીવના ભેદ ૧૨, સંજ્ઞાના બે વર્જીને, ગુણ. ૨ પ્રથમ, જોગ ૬, ર ઔદારિકના, ૨ વૈક્રિયના, ૧ કામણનો, ૧ વ્યવહાર વચનનો એ ૬, ઉપયોગ ૬, ૨ જ્ઞાન, ર અજ્ઞાન, ર દર્શન, લેશ્યા ૪ પ્રથમ, ૩. નોસંસી નોઅસંજ્ઞીમાં જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાયો, ગુણ. ૨ તેરમું, ચૌદમું, જોગ ૭, ઉપયોગ ૨, લેશ્યા ૧ પરમશુક્લ. એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા સંજ્ઞી ૧, તેથી નોસંજ્ઞા નોઅસંજ્ઞી અનંતગુણા ૨, તેથી અસંજ્ઞી અનંતગુણા ૩. Page #307 -------------------------------------------------------------------------- ________________ ર૮ કિ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૦. ભવ્ય દ્વાર : 1. ૧. ભવ્યમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬. ૨. અભવ્યમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧ પ્રથમ, જોગ ૧૩ આહારકના બે વર્જીને, ઉપયોગ ૬, ૩ અજ્ઞાન, 3 દર્શન, વેશ્યા ૬. ૩. નો ભવ્ય નોઅભવ્યમાં : જીવના ભેદ ૦, ગુણ. ૦, જોગ ૦, ઉપયોગ ર, વેશ્યા નથી. એનો અલ્પબદુત્વ : સવેથી થોડા અભવ્ય ૧, તેથી નાભવ્ય નોઅભવ્ય અનંતગુણા ૨, તેથી ભવ્ય અનંતગુણા ૩. ૨૧. ચરમ દ્વાર: ૧.ચરમમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬. & s (રમા)નો અcવાન છે તે તો. ૨. અચરમમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧ પ્રથમ, જોગ ૧૩, આહારકના બે વર્જીને, ઉપયોગ ૮, ૩ અજ્ઞાન, ૩દર્શન (અભવ્યને), તથા કેવળજ્ઞાન, કેવળદર્શન (સિદ્ધને), લેશ્યા ૬. એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા અચરમ ૧, તેથી ચરમ અનંતગુણા ૨. ૧. સમુચ્ચય કેવળીમાં : જીવના ભેદ ર સંજ્ઞીના, ગુણ. ૧૧, જોગ ૧૫, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, વેશ્યા ૬. ૨. વીતરાગીમાં : જીવનો ભેદ ૧, ગુણ. ૪ તે ૧૧ થી ૧૪, ૧ ચરમ એટલે જેનો છેડો આવી શકે તેવા ભવ્ય જીવો. અચરમ એટલે જેનો છેડો આવે નહિ તે અભવી તથા સિદ્ધ ભગવંત. ૨ સમકિત પ્રવર્તતું હોય તેવાં જીવો જે ભવિષ્યમાં કેવળી થશે. પરંતુ પડિવાઈ સમ્યક્દૃષ્ટિ નહીં. ૪ થી ૧૪માં ગુણસ્થાનકવર્તી જીવો. • Page #308 -------------------------------------------------------------------------- ________________ રિ૮૯) શ્રી મોટો બાસઠીયો જોગ ૧૧, ઉપયોગ ૯, વેશ્યા દ. ૩. જુગલીયામાં જીવના ભેદ ૨/૩ સંજ્ઞીના, ગુણ. ૨ પહેલું ને ચોથું, જોગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના, ૧ કાર્મણનો, ઉપયોગ ૬, બે શાન, બે અજ્ઞાન, બે દર્શન, વેશ્યા ૪ પ્રથમ. . ૪. અસંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં: જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૨ પ્રથમ, જોગ ૪, તે ર ઔદારિકના, ૧ કાશ્મણનો, ૧ વ્યવહાર વચનયોગ, ઉપયોગ ૬, બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન, વેશ્યા ૩ પ્રથમ. ૫. સંમક્કિમ મનુષ્યમાં : જીવન ભેદ ૧, ગુણ. ૧ પહેલું, જગ ૩, ૨ ઔદારિકના, ૧ કામણનો ઉપયોગ ૪, ૨ અજ્ઞાન, ૨ દર્શન, વેશ્યા ૩ પ્રથમ. - એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા જુગલીયા ૧, તેથી - સંમૂર્છાિમ મનુષ્ય અસંખેગુણા ૨, તેથી અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અસંખwગુણા ૩, તેથી વીતરાગી અનંતગુણા ૪, તેથી સમુચ્ચય કેવળી વિશેષાહિયા ૫. ૧. ઔદારિક શરીરમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૨. વેકિય શરીરમાં જીવના ભેદ ૪, ૨ સંજ્ઞીના, ૩ અસંજ્ઞીનો અપર્યાપ્યો અને ૪ બાદર વાઉકાયનો પર્યાપ્તો એ ૪, ગુણ. ૬ પ્રથમ (મતાંતરથી ૭ પણ મનાય છે), જોગ ૧૨, ૨ આહારકના ને ૧ ૧ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પહેલી નરકે તથા પ૧ જાતિના દેવતામાં ઉપજે છે ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં અસંજ્ઞી જ હોય છે. તે અપેક્ષાએ વૈક્રિય શરીરમાં અસંજ્ઞીના અપર્યાપ્યાનો ભેદ ગણેલ છે. 19 Page #309 -------------------------------------------------------------------------- ________________ રિ૯ િ શ્રી બૃહજૈન થોક સંગ્રહ કામણનો વર્જીને, ઉપયોગ ૧૦, કેવળના બે વર્જીને, લશ્યા ૬. ૩. આહારક શરીરમાં : જીવના ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપો, ગુણ. ૨, છછું ને સાતમું, જોગ ૧૨ તે બે વૈક્રિયના ને ૧ કાશ્મણનો વજીને, ઉપયોગ ૭, ૪ જ્ઞાન ને ૩ દર્શન, વેશ્યા ૬, ૪, ૫. તેજસ, કાર્મણ શરીરમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬ એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા આહારક શરીર ૧, તેથી વૈક્રિય શરીર અસંખ્યાતગુણા ૨, તેથી ઔદારિક શરીર અસંખ્યાતગુણા ૩, તેથી તેજસ–કાશ્મણ શરીર માંહોમાંહી તુલ્યને અનંતગુણા ૫. ઇતિ મોટો બાસઠીયો સમાપ્ત. Eલ D E R S E Es & Mિી (૧૮. બાવન બોલ) વિડી પહેલો દ્વાર: સમુચ્ચય જીવનો. ૧. સમુચ્ચય જીવમાં ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨, કુલ પર. ભાવ ૫ તે ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક. આત્મા ૮: દ્રવ્ય આત્મા, કષાય આત્મા, યોગ આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, વીર્ય આત્મા. લબ્ધિ ૫ તે ક્ષયોપશમ, વિશુદ્ધ, દેશના, પ્રકરણ, પ્રયોગ. વીર્ય ૩ તે ૧. બાલ વીર્ય (૧ થી ૪ ગુણ.), ૨. બાલ પંડિત વીર્ય (પણું ગુણ.), ૩. પંડિત વીર્ય (૬ થી ૧૪ ગુણ.). Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી બાવન બોલ પક્ષ ૨ તે ૧ શુક્લપક્ષ ને ૨ કૃષ્ણપક્ષ. બીજો ગતિ દ્વાર : ૧. નારકીમાં ૨. તિર્યંચમાં ૩. તિર્યંચાણીમાં ૪. મનુષ્યમાં ૫. મનુષ્યાણીમાં ૬. દેવતામાં ૭. દેવાંગનામાં ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૫ ૫ ૧ ૩ ૨ ૧ ૨ ૫ ૨ ૩ ૨ (૯ ૨ ૫ ૧ ૫ ૧ ર ૫ ૧ ૨ ૧૩ ૨ ૧૩ ૨ ८ سکی ૧ m す ૩ ૧ ૧ ૭ p ܩ ૩ m ૩ p ૨ ૪ ૧ ૭ ૭ ૮. સિદ્ધ ગતિમાં ૧. ના૨કીમાં :ચારિત્રઆત્મા વર્ઝને ૭, વીર્ય બાલવીર્ય. દંડક નારકીનો. ૨. તિર્યંચમાં : ચારિત્રઆત્મા વર્જીને ૭, વીર્ય બાલવીર્ય ને બાલપંડિત વીર્ય. દંડક ૫ સ્થાવ૨, ૩ વિકલેન્દ્રિય, ૧ તિર્યંચ પંચેન્દ્રિય એ ૯. ૩. તિર્યંચાણીમાં : ચારિત્રઆત્મા વર્જીને ૭. દંડક તિર્યંચનો. ૬, ૭ દેવતા દેવીમાં : ચારિત્રઆત્મા વર્જી, વીર્ય બાલવીર્ય, દંડક દેવના. ૮. સિદ્ધગતિમાં : ભાવ બે તે ક્ષાયિક, પારિણામિક, આત્મા ૪ દ્રવ્ય, જ્ઞાન, દર્શન, ઉપયોગ. દૃષ્ટિ ૧ સમકિત સૃષ્ટિ. ત્રીજો ઇંદ્રિય દ્વાર ઃ ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સઇદ્રિયમાં ૫ ८ ૫ ૩ ૩ ૨ ૨૪૨ ૨. એકેન્દ્રિયમાં ૩ ૬ ૫ ૧ ૧ ર ૫ ૨ ૩. બેઇન્દ્રિયમાં ૧ ર ર ૨ ૪. તેઇન્દ્રિયમાં ૫. ચૌરેન્દ્રિયમાં ૨ ' ૨ ૨ ૨ ' ૨ ૨૯૧ - ' .. Page #311 -------------------------------------------------------------------------- ________________ I -1 શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૬. પંચેન્દ્રિયમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૬ ૨ ૭. અનિંદ્રિયમાં ૩ ૭ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧. એકેન્દ્રિયમાં ઉદય, ક્ષયોપશમ, પારિણામિક ૩ ભાવ. આત્મા જ્ઞાન ને ચારિત્ર વર્જીન ૬. વીર્ય બાલવીર્ય દૃષ્ટિ મિથ્યાત્વ દૃષ્ટિ, ૩,૪,૫. બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં ઉદય, ક્ષયોપશમ, પારિણામિક ૩ ભાવ. ચારિત્ર આત્મા વર્જીને ૭. વીર્ય બાલવીર્ય. - દૃષ્ટિ સમકિત દૃષ્ટિ ને મિથ્યાત્વ દૃષ્ટિ. દંડક ૧ પોતપોતાનો. ૬. પંચેન્દ્રિયમાં ૧૩ દેવ, ૧ નારકી, ૧ મનુષ્ય, ૧ તિર્યંચ એ ૧૬ દંડક. ૭. અનિદ્રિયમાં કષાયઆત્મા વર્જીને ૭, વીર્ય પંડિતવીર્ય, દૃષ્ટિ સમકિત દૃષ્ટિ. ભવ્ય ૧, દંડક મનુષ્યનો, પક્ષ શુક્લપક્ષ. ચોથો કાય દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સકાયમાં પ ૮ ૫ ૩ ૩ ૨ ૨૪ ૨ ૨ થી ૬. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાં ૩ ૬ ૫ ૧ ૧ ૨ ૧ ૨ ૭. ત્રસકાયમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૯ ૨ ૮. અકાયમાં ૨ ૪ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૨ થી ૬. પૃથ્વી થી વન. માં ભાવ ૩ ઉદય, ક્ષયો, પારિ., જ્ઞાન ને ચારિત્ર આત્મા વર્જીને ૬,બાલવીર્ય, મિથ્યાત્વ દૃષ્ટિ દંડક પોતપોતાનો. ૭. ત્રસકાયમાં દંડક એકેન્દ્રિયના પાંચ વર્જીને ૧૯ દંડક. ૮. અકાયમાં : ૮ મી સિદ્ધગતિના બોલની જેમ જાણવું. પાંચમો જોગ દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સજોગીમાં ૫ ૮ ૨ ૩ ૩ : ૨ ૨૪ ૨ ૨. મનનગીમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૬ ૨ * Page #312 -------------------------------------------------------------------------- ________________ પિકીરિ૯૩ - - શ્રી બાવન બોલ ૩. વચન જોગીમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૯ ૨ ૪. કાયજોગીમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૨૪ ૨. ૫. અજોગીમાં ૩ ૬ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૨. મનજોગીમાં દંડક ૫ સ્થાવર, ૩ વિકસેન્દ્રિયના એ ૮ વર્જીને ૧૬. ૩. વચન જોગીમાં દંડક પ સ્થાવરના વજીને ૧૯ દંડક. ૪. અજોગીમાં કષાય ને જોગ આ વર્જી ૬, બાકી અનિંદ્રિયની જેમ. છઠ્ઠો વેદ દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સવેદમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૨૪ ૨ ૨,૩ સ્ત્રીવેદ, પુરૂષવેદપ ૮ ૫ ૩ ૩ ૨ ૧૫ ૨ ૪. નપુંસકવેદમાં ૫ ૮ ૫ ૩ ૩ ૨ ૧૧ ર ૫. અવેદમાં ૫ ૮ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૨,૩. સ્ત્રીવેદ, પુરૂષવદ : ૫ સ્થાવર, ૩ વિલે, ૧ નરકનો દંડક વર્જી ૧૫. ૪. નપુંસકવેદમાં દેવતાના ૧૩ દંડક વર્જીને ૧૧ દંડક. ૫. અવેદમાં વીર્યથી બધા બોલ અનિંદ્રિયની જેમ સમજવા. સાતમો કષાય દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સકષાયમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૨૪ ૨ ૨ થી પ. ક્રોધ, માન, માયા, લોભ કષાયમાં પ ૮ ૫ ૩ ૩ ૨ ૨૪ ૨ ૬. અકષાયમાં ૫ ૭ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૬. અકષાયના બોલ અનિંદ્રિયની જેમ સમજવા. આઠમો વેશ્યા દ્વાર: ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સલેશીમાં ૫ ૮ ૫ ૩ ૩ ૨ ર૪ ર ૨,૩,૪. કૃષણ, નીલ, • - કાપોતલેશ્યામાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૨૨ ૨ . Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૫. તેજલેશ્યામાં ૫ ૮ ૫ ૩ ૩ ૨ ૧૮ ૨ ૬,૭.પા, શુક્લલે. ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૩ ૨ ૮. અલેશીમાં ૩ ૬ ૫ ૧ ૧ ૧ ૧ ૧ રથી ૪. કૃષ્ણ થી કાપતમાં દંડકમાં જ્યોતિષ, વૈમાનિકના વર્જીને. ૫. તેજો લેગ્યામાં : ૧૩ દેવ, ૧ મનુષ્ય, ૧ તિર્યંચ પંચે., ૧ પૃથ્વી, ૧ પાણી, ૧ વનસ્પતિનો એમ કુલ ૧૮ દંડક. ૬,૭. પદ્મ, શુક્લલશ્યામાં વૈમાનિક, મનુષ્ય, તિર્યંચ પંચે. એ ૩ દંડક. ૮. અલેશીમાં : અજોગીની જેમ સમજવું. નવમો સમકિત દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સમદષ્ટિમાં ૫ ૮ ૨ ૩ ૧ ૧ ૧૯ ૧ ૨. સાસ્વાદન સમ.માં ૩ ૭ ૧ ૧ ૧ ૧ ૧૯ ૧ ૩. ઉપશમ સમદષ્ટિમાં ૪ ૮ ૫ ૩ ૧ ૧ ૧૬ ૧ ૪. ક્ષયોપશમ સમ.માં ૩ ૪ ૫ ૩ ૧ ૧ ૧૬ ૧ ૫. લાયક સમદષ્ટિમાં ૪ ૮ ૫ ૩ ૧ ૧ ૧૬ ૧ ૬. મિથ્યાત્વ દૃષ્ટિમાં ૩ ૬ ૫ ૧ ૧ ૨ ૨૪ ૨ ૭. સમમિથ્યાત્વ દૃષ્ટિ ૩ ૬ ૫ ૧ ૧ ૧ ૧૬ ૧ ૧. સમદૃષ્ટિમાં : દંડક પાંચ એકેન્દ્રિયના વજીને ૧૯. પક્ષ શુક્લ. ૨. સાસ્વાદનમાં: ઉદય, ક્ષયોપશમ, પારિણામિક ભાવ. ચારિત્ર આત્મા વર્જી ૭ આત્મા. બાલવીર્ય ૧. સમકિત ૧, ભવ્ય ૧, પક્ષ શુક્લ. ૩. ઉપશમમાં ક્ષાયકભાવ વર્જીને ૪. દંડક પ સ્થા, ૩ વિકલે. વર્જીને ૧૬. ૫. ક્ષાયક સમ. માં ઉપશમભાવ વર્જીને ૪. દંડક ઉપશમ પ્રમાણે ૧૬. ૬. મિથ્યાત્વ : ભાવ સાસ્વા. પ્રમાણે 3. જ્ઞાન, ચારિ.આત્મા વજીને ૬. ૭. સમમિથ્યાત્વ : દૃષ્ટિ મિશ્ર, ભાવ, આત્મા, દંડક ઉપશમ પ્રમાણે. Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી બાવન બોલ દશમો જ્ઞાન દ્વાર : ૩) ૨૯૫ ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૮ ૫ 3 ૧ ૧ ૧૯ ૧ ८ ૩ ૧ ૧ ૧૯ ૧ ૧ ૧ ૧૬ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧. સમુચ્ચય જ્ઞાનમાં ૫ ૨,૩ મતિ,શ્રુતજ્ઞાનમાં ૫ ૪. અવધિજ્ઞાનમાં ૫. મન:પર્યવજ્ઞાનમાં ૫ ૬. કેવળજ્ઞાનમાં પ્ ८ 3 ৩ ૧ ૭ થી ૯. સમુચ્ચય અજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન ૧૦. વિભંગશાન ૧ ૨ ૨૪ ૨ 3 ૬ ૫ ૩ ૬ ૫ ૧ ૧ ૨ ૧૬ ૨ ૧,૨,૩ સમુ., મતિ, શ્રુત : સૃષ્ટિ સમકિત, ૫ સ્થાવરના દંડક વર્ઝને ૧૯ દંડક. ભાવ ૩ ઉદય, ક્ષાયિક, પારિણામિક, ૪. અવધિજ્ઞાનમાં : ભવ્ય ૧, દંડક પ સ્થાવર ૩ વિક. વર્જીને. શુક્લપક્ષ. ૬. કેવળજ્ઞાનમાં : ભાવ ઉદય, ક્ષાયક, પારિણામિક 3. ૭ આત્મામાં ચારિત્ર વર્જીને, પંડિતવીર્ય, સમકિતિ, ભવ્ય, ૧ દંડક મનુષ્ય, શુક્લપક્ષ. ૭ થી ૯ માં : જ્ઞાન, ચારિત્ર વર્જીને ૬ આત્મા. ૧ દંડક મનુષ્યનો. ૧૦. વિભંગજ્ઞાન : ભાવ ઉદય, ક્ષયોપશમ, પારિણામિક ૩, બાલવીર્ય ૧. દૃષ્ટિ ૨, મિથ્યાત્વ ને મિશ્ર. દંડક પ સ્થાવર ૩ વિક, વર્ઝને ૧૬. ૧૧. દર્શન દ્વા૨ :ભાવ આત્મા લબ્ધિ વીર્ય સૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. ચક્ષુ દર્શનમાં ८ ૫ 3 3 ર ૧૭ ૨ ८ ૫ ૩ ૩ ૨ ૨૪૨ ૨. અચક્ષુદર્શનમાં ૩. અવધિદર્શનમાં ૪. કેવળદર્શનમાં ૮. ૫ ૩ 3 ૨ ૧૬ ૨ 3 ૭ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૪. કેવળદર્શનમાં : અનિદ્રિયની જેમ સમજવું, ૫ ૫ ૫ • Page #315 -------------------------------------------------------------------------- ________________ રિટરો શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ બારમો સંયતિ દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ . ૧. સંયતિમાં ૫ ૮ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૨. થી ૫. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂવમ સંપ. ચારિત્રમાં ૫ ૮ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૬. યથાખ્યાત ચારિત્ર ૫ ૭ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૭. અસંયતિમાં ૫ ૭ ૧ ૧ ૩ ૨ ૨૪ ૨ ૮. સંયતાસંયતિમાં ૫ ૭ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૯. નોસંયતિ નોઅસંયતિ નોસંયતાસંયતિમાં ૨ ૪ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૧થી ૫: પંડિતવીર્ય, સમતિ દૃષ્ટિ, ભવ્ય ૧, દંડક ૧ મનુ, પક્ષ શુક્લ. ૬. યથાખ્યાતમાં કષાયઆત્મા વજીને ૭. પંડિતવીર્ય, સમકિત દૃષ્ટિ, ભવ્ય ૧, દંડક ૧ મનુષ્યનો, પક્ષ શુક્લ. ૭. અસંયતિમાં ચારિત્રઆત્મા વજીને ૭. બાળવાર્ય ૧. ૮. સંયતાસંયતિમાં બાળપંડિતવીર્ય, દંડક મનુષ્ય અને તિર્યંચ પંચે.. ૯. નોસંયતિ ... : સિદ્ધગતિની જેમ ભેદ સમજવા. તેરમો ઉપયોગ દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સાકાર ઉપયોગમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૨૪ ૨ ૨. અનાકાર ઉપયોગ ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૨૪ ૨ ચૌદમો આહા૨ક દ્વાર : ૧. આહારકમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૨૪ ૨. અનાહારકમાં ૫ ૮ ૨ ૨ ૨ ૨ ૨૪ ૨ ૨. અનાહારકમાં : બાળવીર્ય અને પંડિતવીર્ય. Page #316 -------------------------------------------------------------------------- ________________ પરિ૯૭ શ્રી બાવન બોલ પંદરમો ભાષક દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. ભાષકમાં ૫ ૮ ૫ ૩ ૩ ૨ ૧૯ ર ૨. અભાષકમાં ૫ ૮ ૨ ૩ ૨ ૨ ૨૪ ૨ સોળમો પરિત્ત દ્વાર : ૧. પરિત્તમાં ૫ ૮ ૫ ૩ ૩ ૧ ૨૪ ૧ ૨. અપરિસમાં ૩ ૬ ૫ ૧ ૧ ૨ ૨૪૧ ૩. નોપરિત્તનોઅપરિત ૨ ૪ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૧. પરિત્તમાં : ભવ્ય ૧, શુક્લપક્ષ ૧. ૨. અપરિત્ત જ્ઞાન ને ચારિત્ર આત્મા વર્જીને ૬. બાલવીર્ય, કૃષ્ણપક્ષ ૩. નોપરિત્ત નોઅપરિત્ત સિદ્ધગતિની જેમ ભેદ સમજવા. સત્તરમો પર્યાપ્તા દ્વાર : ૧. પર્યાપ્તામાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૨૪ ૨ ૨. અપર્યાપ્તામાં ૫ ૭ ૧ ૧ ૨ ૨ ૨૪ ૨ ૩. નો પર્યા. નોઅપ.માં ર ૪ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૨. અપર્યાપ્તામાં ચારિત્ર આત્મા વર્જીને ૭, બાળવાર્ય ૧. ૩. નો પર્યા. નોઅપ.માં ક્ષાયકને પરિણામિક ભાવ. દૃષ્ટિ સમકિત. અઢારમો સૂક્ષ્મ દ્વા૨ : ૧. સૂક્ષ્મમાં ૩ ૬ ૫ ૧ ૧ ૨ પ ર ૨. બાદરમાં ૫ ૮ ૫ ૩ ૩ ૨ ૨૪ ૨ ૩. નોસૂક્ષ્મ નો બાદ૨ ૨ ૪ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૧. સૂક્ષ્મમાં : બાળવાર્ય, મિથ્યાત્વ દૃષ્ટિ, દંડક પાંચ સ્થાવરના. 3. નોસૂક્ષ્મ બાદરમાં સિદ્ધગતિની જેમ ભેદ સમજવા. Page #317 -------------------------------------------------------------------------- ________________ રિ૯૮) િશ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ઓગણીસમો સંક્ષી દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સંશમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૬ ૨ ૨. અiણીમાં ૩ ૭ ૫ ૧ ૨ ૨ ૨૨ ર ૩. નોસંજ્ઞી નોઅસંશી ૩ ૭ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧. સંજ્ઞીમાં : દંડક પાંચ સ્થાવરને ત્રણ વિકલેન્દ્રિયના વજીને ૧૬. ૨. અસંજ્ઞીમાં ચારિત્રઆત્મા વર્જીને ૭. બાળવીર્ય, જ્યોતિષી, વૈમાનિક વજીને દંડક ૨૨. ૩. નોસંજ્ઞી નોઅસંજ્ઞી : કેવળજ્ઞાનની જેમ ભેદ સમજવા. વીસમો ભવ્ય દ્વાર : ૧. ભવ્યમાં ૫ ૮ ૨ ૩ ૩ ૧ ૨૪ ૨ ૨. અભવ્યમાં ૩ ૬ ૫ ૧ ૧ ૧ ૨૪૧ ૩. નો ભવ્ય નો અભવ્ય ર ૪ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૨. અભવ્યમાં : બાલવીર્ય, મિથ્યાત્વ દૃષ્ટિ, અભવ્ય, કૃષ્ણપક્ષ. એકવીસમો ચરમ દ્વાર : ૧. ચરમમાં ૫ ૮ ૫ ૩ ૩ ૧ ૨૪ ૨ ૨. અચરમમાં ૪ ૭ ૧ ૧ ૨ ૧ ૨૪ ૧ ૨. અચરમમાં ઉપશમભાવ વર્જીને ૪, ચારિત્ર આત્મા વર્જીને સાત, બાલવીર્ય, સમકિત ને મિથ્યાત્વ દૃષ્ટિ ૨, અભવ્ય, કૃષ્ણ પક્ષ. શરીરના પાંચ ભેદ: ૧. ઔદારિકમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૦ ૨ ૨. વૈક્રિયમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૭ ૨ ૩. આહારકમાં ૫ ૮ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૪,૫ તેજસ, કાર્મણમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૨૪ ૨ Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી બાવન બોલ ૨. વૈક્રિયમાં: ૧૩ દેવ, ૧ નારકી, ૧ મનુષ્ય, ૧ તિર્યંચ, ૧ વાઉનો દંડક. ગુણસ્થાનક દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. મિથ્યાત્વ ગુણ. ૩ ૬ ૫ ૧ ૧ ૨ ૨૪ ૨ ૨. સાસ્વાદન ગુણ. ૩ ૭ ૧ ૧ ૧ ૧ ૧૯ ૧ ૩. મિશ્ર ગુણ. ૩ ૬ ૫ ૧ ૧ ૧ ૧૬ ૧ ૪. અવતિ સમ્યફદષ્ટિ ૫ ૭ ૧ ૧ ૧ ૧ ૧૬ ૧ ૫. દેશવિરતિ ગુણ. ૫ ૭ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૬ થી ૧૦. પ્રમત્તસંજતિ ગુણ, અપ્રમત્ત સંજતિ ગુણ, નિયદિ બાદર ગુણ., અનિયદિ બાદર ગુણ. તથા સૂમસંપાય ગુણ. પ ૮ ૫ ૧ ૧ ૧ ૧૧ ૧૧. ઉપશાંત મોહ ગુ. ૫ ૭ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧૨. ક્ષીણ મોહ ગુણ. ૪ ૦ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૧૩. સજોગી કેવી ૩ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૧૪. અજોગી કેવળી ૩ ૬ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૧. મિથ્યાત્વ ગુણ. : ઉદય, ક્ષયોપશમ, પરિણામિક, એ ત્રણ ભાવ. જ્ઞાન અને ચારિત્ર આત્મા વર્જીને ૬, બાળવાર્ય ૧, મિથ્યાત્વ દૃષ્ટિ ૧. ૨. સાસ્વાદન ગુણ. : ચારિત્ર આત્મા વર્જીને ૭ આત્મા, બાળવાર્ય, સમક્તિ દૃષ્ટિ, ભવ્ય ૧, દંડક એકેન્દ્રિયના પાંચ વર્જીને, શુક્લપક્ષ ૧. ૩. મિશ્ર ગુણ. : જ્ઞાન અને ચારિત્ર આત્મા વજીને ૬, બળવીર્ય, મિશ્ર દૃષ્ટિ, ભવ્ય, દંડક પ એકેન્દ્રિય, ૩ વિકલે.ના વર્જીને, શુક્લપક્ષ ૧. ૪. અવતિ સમ્ય. ગુણ. ચારિત્ર આત્મા વર્જીને ૭, બાકી ઉપરની જેમ. ૫. દેશવિરતિ ગુણ. : દેશથી ચારિત્ર છે, બાળપંડિતવીર્ય, સમકિત દૃષ્ટિ, ભવ્ય ૧, દંડક મનુષ્ય અને તિર્યંચ પંચે.નો ૨, શુક્લપક્ષ ૧. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી બૃહદ જેન થોક સંગ્રહ દથી૧૦: પંડિતવીર્ય, સમકિત દૃષ્ટિ, ભવ્ય, દંડક મનુષ્યનો, શુક્લપક્ષ. ૧૧. ઉપશાંત મોહ : કષાય આત્મા વજીને ૭, બાકી ઉપરની જેમ. ૧૨. ક્ષીણ મોહ : ઉપશમ વજીને ૪ ભાવ, બાકી ઉપરની જેમ. ૧૩. સજોગી કેવળી : ઉદય, ક્ષાયિક ને પારિણામિક ભાવ. ૧૪. અજોગી કેવળી : ઉદય, ક્ષાયિક ને પારિણામિક ભાવ, કષાય અને જોગઆત્મા વર્જીને ૬. પંડિતવીર્ય, સમતિ દ્રષ્ટિ, શેષ ઉપરવતુ. ઇતિ બાવન બોલ. %E S૩ % S S S S ઈs Eછે જ ૧૯. શ્રોતા અધિકાર દિન શ્રોતા અધિકાર શ્રી નંદીસૂત્રમાં છે તેથી ગાથા : સેલ ઘણ કુડગ ચાલણી, પરિપુણગ હંસ મહિસ મેસે યા મસગ જગ વિરાલી, જાહગ ગો ભેર આભીરી / ૧ / ચૌદ પ્રકારના શ્રોતા છે. ૧. સેલgણ : તે પત્થર ઉપર જેમ મેઘ વરસે પણ પત્થર પાણીથી ભીંજાય નહિ, તેમ એકેક શ્રાતા વ્યાખ્યાનાદિક સાંભળે પણ સમ્ય જ્ઞાન પામે નહિ, બુદ્ધ થાય નહિ. દૃષ્ટાંત : કુશિષ્ય રૂપી પત્થર, સક્રૂરૂપી મેઘ અને બોધ રૂપી પાણી. મુંગશેલીઆ તથા પુષ્પરાવર્ત મઘનું દૃષ્ટાંત. જેમ પુષ્પરાવર્ત મેઘના પાણીથી મુંગશેલીઓ (પત્થર) પલળ્યો નહિ તેમ એકેક કુશિષ્ય મહાન સંવેગાદિક ગુણયુક્ત આચાર્યના પ્રતિબોધ્યા પણ સમજે નહિ, વૈરાગ્ય રંગ પામે નહિ. માટે તે શ્રોતા છાંડવા યોગ્ય છે એ અવિનીતનું Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રોતા અધિકાર દૃષ્ટાંત જાણવું. જેમ કાળી ભૂમિને વિષે મેઘ વરસે તો તે ઘણી ભીંજે તથા પાણી પણ ૨ાખે તથા ગોમાદિક (ઘઉં પ્રમુખ) ની ઘણી નિષ્પત્તિ ક૨ે તેમ વિનીત સુશિષ્ય પણ ગુરૂની ઉપદેશરૂપ વાણી સાંભળી હૃદયમાં ધારી રાખે, વૈરાગ્યે ક૨ી ભીંજાય અને અનેક બીજા ભવ્ય જીવને વિનય ધર્મ વિષે પ્રવર્તાવે માટે તે શ્રોતા આદ૨વા યોગ્ય છે. ૩૦૧ ૨. કુંડગ : કુંભનું દૃષ્ટાંત. તે કુંભના આઠ ભેદ છે. તેમાં ૧. પ્રથમ ઘડો સંપૂર્ણ ઘડાના ગુણે ક૨ી વ્યાપ્ત છે તેના ત્રણ ગુણ. ૧. તે મધ્યે પાણી ભર્યા થકા કિંચિત્ બહા૨ જાય નહિ, ૨. પોતે શીતળ છે માટે બીજાની પણ તૃષા ઉપશમાવે – શીતલ કરે, ૩. ૫૨ની મલિનતા પણ પાણીથી દૂર કરે. તેમ એકેક શ્રોતા વિનયાદિ ગુણે ક૨ી સંપૂર્ણ ભર્યા છે તે ત્રણ ગુણ કરે. ૧ ગુર્વાદિકનો ઉપદેશ સર્વ ધારી રાખે – કિંચિત વિસ૨ે નહિ. ૨. પોતે જ્ઞાન પામી શીતલ દશા પામ્યા છે અને ભવ્ય જીવને ત્રિવિધ તાપ શમાવી શીતળ કરે. ૩ ભવ્ય જીવની સંદેહરૂપી મલિનતા ટાળે. એ શ્રોતા આદરવા યોગ્ય છે. ૨. એક ઘડો પડખે કાણો છે તેમાં પાણી ભરે તો અડધું પાણી રહે ને અડધું પાણી વહી જાય. તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તો અડધું ધારી રાખે – અડધું વિસરી જાય. ૩. એક ઘડો હેઠે કાણો છે તેમાં પાણી ભરે તો સર્વ પાણી વહી જાય પણ રહે નહિ તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તો સર્વ વિસારે પણ ધારે નહિ. ૪. એક ઘડો નવો છે તેમાં પાણી ભરે તો થોડે થોડે ઝમીને ખાલી થાય, તેમ એકેક શ્રોતા જ્ઞાનાદિ અભ્યાસ કરે પણ થોડે થોડે જ્ઞાન વિસારે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ( શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૫. એક ઘડો દુર્ગંધ વાસિત છે, તેમાં પાણી ભરે તો એ પાણીના ગુણને બગાડે તેમ એકેક શ્રોતા મિથ્યાત્વાદિક દુર્ગંધે ક૨ી વાસિત છે તેમને સૂત્રાદિક ભણાવતાં જ્ઞાનના ગુણને વિણસાડે. ૬. એક ઘડો સુગંધે ક૨ી વાસિત છે તેમાં પાણી ભરે તો ગુણને વધારે તેમ એકેક શ્રોતા સમકિતાદિક સુગંધે ક૨ી વાસિત છે તેમને સૂત્રાદિક ભણાવતાં જ્ઞાનના ગુણને દીપાવે. ૭. એક ઘડો કાચો છે તેમાં પાણી ભરે તો તે ઘડો ભીંજાઈ વિણસી જાય, તેમ એકેક શ્રોતા અલ્પ બુદ્ધિવાળાને સૂત્રાદિકનું જ્ઞાન આપતાં તે નયપ્રમુખને નહિ જાણવાથી તે જ્ઞાનથી તથા માર્ગથી ભ્રષ્ટ થાય. ૮. એક ઘડો ખાલી છે તે ઉપર બુઝારૂં ઢાંકી વર્ષાકાળે નેવાં હેઠે પાણી ઝીલવા મૂક્યું પણ પાણી અંદર આવે નહિ ને તળે (નીચે) પાણી ઘણું થવાથી ઉપર તરે ને વાય૨ાદિકે ક૨ી ભીંત પ્રમુખે અથડાઈને ફૂટી જાય. તેમ એકેક શ્રોતા સદ્ગુરૂની સભામાં વ્યાખ્યાન સાંભળવા બેસે પણ ઉંઘ પ્રમુખના યોગે કરી જ્ઞાનરૂપ પાણી હૃદયમાં આવે નહિ ને ઘણી ઉંઘના પ્રભાવે ક૨ી ખોટા ડોળરૂપ વાય૨ ક૨ી અથડાય છે તો સભાથી અપમાન પ્રમુખ પામે તથા ઉંઘમાં પડવાથી પોતાના શ૨ી૨ને નુકસાન થાય. ઇતિ આઠ ઘડાના દૃષ્ટાંતરૂપ કુડગ શ્રોતાનું સ્વરૂપ. ૩. ચાલણી : એકેક શ્રોતા ચાલણી સમાન છે, ચાલણીના બે પ્રકાર. એક પ્રકાર એવો છે કે ચાલણી પાણીમાં મૂકે ત્યારે પાણીથી સંપૂર્ણ ભ૨ી દેખાય અને ઉપાડી લઈએ ત્યા૨ે ખાલી દેખાય. તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સભામાં સાંભળવા બેસે ત્યારે વૈરાગ્યાદિ ભાવનાએ ક૨ી સંપૂર્ણ ભર્યા દેખાય અને સભામાંથી ઊઠી બહાર જાય ત્યારે વૈરાગ્ય રૂપ પાણી કિંચિત્ પણ દેખાય નહિ. એ શ્રોતા છાંડવા યોગ્ય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રોતા અધિકાર ૩૦૩ બીજો પ્રકાર – ચાલણીએ ઘઉં પ્રમુખનો લોટ ચાળવા માંડયો, ત્યારે લોટ નીકળી જાય ને કાંકરા પ્રમુખકચરો ગ્રહી રાખે તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળતાં ઉપદેશ તથા સૂત્રના ગુણ જાવા દે અને અલના પ્રમુખ અવગુણરૂપ કચરો ગ્રહી રાખે, માટે તે છાંડવા યોગ્ય ૪. પરિપુણગ: તે સુઘરી પક્ષીના માળાનું દૃષ્ટાંત. સુઘરી પક્ષીના માળાથી ધૃત (ઘી) ગાળતાં ધૃત ધૃત નીકળી જાય અને કીટી પ્રમુખ કચરો ગ્રહી રાખે, તેમ એકેક શ્રોતા આચાર્ય પ્રમુખના ગુણ ત્યાગ કરી અવગુણ ગ્રહણ કરે, એ શ્રોતા છાંડવા યોગ્ય છે. ૫. હિંસઃ હંસને દૂધ પાણી એકઠાં કરી પીવા માટે આપ્યાં હોય તો તે પોતાની ચાંચમાં ખટાશના ગુણે કરી દૂધ પીએ ને પાણી ન પીએ. તેમ વિનિત શ્રોતા ગુર્નાદિકના ગુણ ગ્રહ ને અવગુણ ન લે એ 'આદરણીય છે. * ૬. મહિષ : ભેંસો જેમ પાણી પીવા માટે જલાશયમાં જાય, પાણી પીવા જળમાં પ્રવેશ કરે, પછી મસ્તક પ્રમુખે કરી પાણી ડોહળે ને મળ મૂત્ર કરી પછી પોતે પીવે, પણ શુદ્ધ જળ પોતે ન પીએ, અન્ય યૂથને પણ ન પીવા દે. તેમ કુશિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિકમાં કલેશરૂપ પ્રશ્નાદિક કરી વ્યાખ્યાન ડોહળે, પોતે શાંતપણે સાંભળે નહિ ને અન્ય સભાજનોને શાંત રસથી સાંભળવા ન દે એ છોડવા યોગ્ય છે. ૭. મેષ: બકરાં જેમ પાણી પીવા જલસ્થાનકે નદી પ્રમુખમાં જાય, ત્યારે કાંઠે રહી પગ નીચા નમાવી પાણી પીએ, ડોહળે નહિ, ને અન્ય યૂથને પણ નિર્મળું પીવા દે, તેમ વિનિત શિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિક નમ્રતા તથા શાંત રસથી સાંભળે, અન્ય સભાજનોને સાંભળવા દે, એ આદરણીય છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૮. મસગ ઃ તેના બે પ્રકાર પ્રથમ મસગ તે ચામડાની કોથળી તેમાં વાય૨ો ભ૨ાય ત્યારે અત્યંત ફૂલેલી દેખાય પણ તૃષા શમાવે નહિ, વાયરો નીકળી જાય ત્યારે ખાલી થાય. તેમ એકેક શ્રોતા અભિમાનરૂપ વાયરે કરી શુષ્ક જ્ઞાનીવત્ તડાકા મારે પણ પોતાના તથા અન્યના આત્માને શાંત રસ પમાડે નહિ, એ છાંડવા યોગ્ય છે. બીજો પ્રકાર : મસગ તે મચ્છર નામે જંતુ અન્યને ચટકા મારી પરિતાપ ઉપજાવે પણ ગુણ ન કરે અને ખણજ ઉત્પન્ન કરે, તેમ એકેક કુશ્રોતા ગુર્વાદિકને, જ્ઞાન અભ્યાસ કરાવતાં ઘણો પરિશ્રમ આપે તથા કુવચનરૂપ ચટકા મારે પણ ગુણ તે વૈયાવચ્ચ પ્રમુખ કાંઈ પણ ન કરે, ચિત્તમાં અસમાધિ ઉપજાવે, એ છોડવા યોગ્ય છે. ૯. જલુગ ઃ તેના બે પ્રકા૨ પ્રથમ પ્રકાર જલો નામે જંતુ ગાય પ્રમુખના સ્તનમાં વળગે ત્યારે લોહી પીએ પણ દૂધ ના પીએ, તેમ એકેક અવિનિત કુશિષ્ય શ્રોતા આચાર્યાદિકના સાથે રહ્યા થકા તેમના છિદ્રો ગવેષે પણ ક્ષમાદિક ગુણ ન ગ્રહણ કરે, માટે છાંડવા યોગ્ય છે. બીજો પ્રકાર – જળો નામે જંતુ ગુમડા ઉપર મૂકીએ ત્યારે ચટકો મારે ને દુ:ખ ઉપજાવે અને મુડદાલ (બગડેલું) લોહી પીએ ને પછી શાંતિ કરે, તેમ એકેક વિનીત શિષ્ય, શ્રોતા આચાર્યાદિક સાથે રહ્યા થકા પ્રથમ વચનરૂપ ચટકો ભરે–કાલે, અકાલે બહુ અભ્યાસ કરતાં મહેનત કરાવે, પછી સંદેહ રૂપી બગાડ કાઢી ગુર્વાદિકને શાંતિ ઉપજાવે, પરદેશી રાજાવત એ આદરવા યોગ્ય છે. wide ૧૦. બિરાલી : બિલાડી દૂધનું ભાજન સીંકાથી ભોંયપર નીચું નાંખીને રજકણ સહિત દૂધ પીએ, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસે સૂત્રાદિક અભ્યાસ કરતાં અવિનય બહુ કરું, તથા પર પાસે પ્રશ્ન પૂછાવી સૂત્રાર્થ ધા૨ે પણ પોતે વિનય કરી ધારે નહિ, માટે તે શ્રોતા Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રોતા અધિકાર છાંડવા યોગ્ય છે. ૧૧, જાહગ : સંહલો તે તિર્યંચની જાત વિશેષ, તે પ્રથમ પોતાની માતાનું દૂધ થોડે થોડે પીએ ને તે પાચન થયા પછી વળી થોડું પીએ, એમ થોડે થોડે દૂધથી પોતાના શ૨ી૨ને પુષ્ટ કરે, પછી મોટા ભુજંગનાં માન મર્દન કરે, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાળે કાળે થોડે થોડે સૂત્રાદિ અભ્યાસ કરે, અભ્યાસ કરતાં ગુર્વાદિકને અત્યંત સંતોષ ઉપજાવે, કેમકે આપેલો પાઠ બરાબર અસ્ખલિત ક૨ે ને તે કર્યા પછી વળી બીજીવાર અને ત્રીજીવાર એમ થોડે થોડે લે ને પછી બહુશ્રુત થઈ મિથ્યાત્વી લોકોના માન મર્દન કરે, એ આદ૨વા યોગ્ય છે. ૩૦૫ ૧૨. ગો : તે ગાય ના બે પ્રકાર. પ્રથમ પ્રકાર – જેમ દૂધવતી ગાયને કોઈ એક શેઠ પાડોશીને ત્યાં આપી ગામ જાય, પણ તે પાડોશી ઘાસ પાણી પ્રમુખ બરાબર ગાયને નહિ આપવાથી ગાય ભૂખે, તૃષાએ ... પીડાતી થકી દૂધમાં સૂકાય ને દુ:ખી થાય, તેમ એકેક અવિનીત શ્રોતા એ ગુર્વાદિકનો આહાર પાણી પ્રમુખે વૈયાવચ્ચ નહિ ક૨વાથી તેમનો દેહ ગ્લાનિ પામે ને સૂત્રાદિકમાં ઘટાડો થાય ને અપયશ પામે. બીજો પ્રકાર – એક શેઠ પાડોશીને દૂઝણી ગાય સોંપી ગામ ગયો. પાડોશીએ ઘાસ, પાણી પ્રમુખ રૂડે પ્રકા૨ે આપવાથી દૂધમાં વધારો થયો ને તે કીર્તિને પામ્યો, તેમ એકેક વિનીત શ્રોતા (શિષ્ય) ગુર્વાદિકનો આહાર પાણી પ્રમુખ વૈયાવૃત્યની વિધિએ કરી ગુર્વાદિકને શાતા ઉપજાવે તો તેમને જ્ઞાનમાં વધારો થાય ને તે કીર્તિને પામે એ શ્રોતા આદ૨વા યોગ્ય છે. ૧૩. ભે૨ી : તેના બે પ્રકાર. પ્રથમ પ્રકાર એ છે જે, ભેરીનો વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે તો રાજા ખુશ -20 Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩િ૦૬ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ થઈ તેને પુષ્કળ દ્રવ્ય આપે, તેમ વિનીત શિષ્ય તીર્થકર તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય તથા ધ્યાન પ્રમુખ અંગિકાર કરે તો કર્મરૂપ રોગ મટે અને સિદ્ધ ગતિરૂપ અનંત લક્ષ્મી પામે એ આદરવા યોગ્ય છે. બીજો પ્રકાર – જેમ ભેરી વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણ ભેરી વગાડે નહિ તો રાજા કોપાયમાન થઈ દ્રવ્ય આપે નહિ તેમ અવિનીત શિષ્ય તીર્થંકરની તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય ધ્યાન કરે નહિ, તો તેમને કર્મરૂપ રોગ મટે નહિ અને સિદ્ધ ગતિનું સુખ પામે નહિ એ છાંડવા યોગ્ય છે. ૧૪. આભીરી : પ્રથમ પ્રકાર – આભીર સ્ત્રી, પુરૂષ એક ગામથી પાસેના શહેરમાં ગાડામાં ધૂત ભરી વેચવા ગયાં, ત્યાં બજારમાં ઉતારતાં ધૃત ભાજન, વાસણ ફૂટી ગયું. ધૂત ઢળી ગયું. પુરૂષે સ્ત્રીને ઘણા ઠપકાંવાળા કુવચનો કહ્યાં. ત્યારે સ્ત્રીએ પણ તે ભર્તારને સામાં કુવચનો કહ્યાં, આખરે ધૃત બધું ઢોળાઈ ગયું ને બન્ને બહુ શોક કરવા લાગ્યાં. જમીન પરનું ધૃત પાછળથી લુછી લીધું ને વંચ્યું. કીંમત મળી, તે લઈ સાંજે ગામ જતાં ચારોએ લૂંટી લીધી. બહુ નિરાશ થયાં. લોકોએ પૂછવાથી સર્વ વૃત્તાંત કહ્યો, લોકોએ ઠપકો દીધો. તેમ ગુરૂએ વ્યાખ્યાન ઉપદેશમાં આપેલ સાર, ધૃતને લડાઈ ઝગડો કરી ઢોળી નાંખે ને છેવટે કલેશ કરી દુર્ગતિ પામે તેમ આ શ્રોતા છાંડવા યોગ્ય છે. બીજો પ્રકાર – ધૂત ભરી શહેરમાં જતાં બજારમાં ઉતરતાં વાસણ ફૂટ્યું કે તરત જ એકદમ મળી ભેગાં થઈ તે ધૃત ભરી લીધું પણ બહુ નુકશાન થવા દીધું નહિ. તે ધૃતને વેંચી પૈસા મેળવી સારા સંગાથ સાથે ગામમાં સુખે સુખે જેમ અન્ય સુજ્ઞ પુરૂષો તેમ પહોચી ગયા, તેમ વિનીત શિષ્ય શ્રોતા ગુરૂ પાસેથી દંડાણી સાંભળી શક Page #326 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાણું બોલનો અલ્પબદુત્વ ઉ૦૭ ભાવપૂર્વક તે અર્થ, સૂત્રને ધારી રાખે, સાચવે, અસ્મલિત ન કરે. વિસ્મૃતિ થાય તો ગુરૂ પાસે ફરી ફરી માફી માંગી, ધારે, પૂછે, પણ કકળાટ ઝગડો કરે નહિ, જે ઉપર ગુરૂ પ્રસન્ન થાય. સંયમ જ્ઞાનની વૃદ્ધિ થાય, પરિણામે સદ્ગતિ મળે. આવા શ્રોતા આદરણીય છે. ઇતિ શ્રોતા અધિકાર. Es & જ આ દઉં ! દિલ છ ENG D ૨૦. અઠ્ઠાણું બોલનો અલ્પબદુત્વ $ = = = શ્રી પન્નવણા સૂત્ર પદ ત્રીજું જીવ ગુણ | ઉપ ના સ્થા યો યો કે અઠ્ઠાણું બોલનો અલ્પબદુત્વ ભેદ ન ગ | ગયા મહાદંડક [૧૪ [૧૪ ૧૫ ૧૨ ૬ ૦૧ ગર્ભજ મનુષ્ય સર્વથી થોડા. ૨ ૧૪ ૧૫ ૧૨ ૬ ૦૨ મનુષ્યાણી સંખ્યાતગુણ. ૨ ૧૪ ૧૩ ૧૨ ૬ ૦૩ બાદર તેજસ્કાય પર્યાપ્તા અસંખ્યાત ગુણ. ૧ ૧ ૧ ૩ ૩ ૦૪ પાંચ અનુત્તર વિમાનના દેવ અસંખ્યાત ગુણ. ૨ ૧ ૧૧ ૬ ૧ ૦૫ ઉપલી ત્રિકના દેવ સંખ્યાતગુણ ૨ ૪ ૧૧ ૯ ૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ = = = = ૩૦૮] ] શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૦૬ મધ્ય ત્રિકના દેવ સંખ્યાતગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ ૦૭ નીચલી ત્રિકના દેવ સંખ્યા ગુણ ર ૪ ૧૧ ૯ ૧ ૦૮ બારમા દેવલોકના દેવ સંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ O૯ અગિયારમા દેવલોકના દેવ સંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ ૧૦ દશમા દેવલોકના દેવ સંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ ૧૧ નવમા દેવલોકના દેવ સંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ ૧૨ સાતમી નરકના નારકી અસંખ્યાત ગુણ. - ૨ ૪ ૧૧ ૯ ૧ ૧૩ છઠ્ઠી નરકના નારકી અસંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ ૧૪ આઠમા દેવલોકના દેવ અસંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ ૧૫ સાતમા દેવલોકના દેવ અસંખ્યાત ગુણ. - ૨ ૪ ૧૧ ૯ ૧ ૧૬ પાંચમી નરકના નારકી અસંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૨ ૧૭ છઠ્ઠા દેવલોકના દેવ અસંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ ૧૮ ચોથી નરકના નારકી અસંખ્યાત ગુણ . ૨ ૪ ૧૧ ૯ ૧ = = = = = = Page #328 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાણું બોલનો અલ્પબહુત્વ ૧૯ પાંચમા દેવલોકના દેવ અસંખ્યાત ગુણ. ૨૦ ત્રીજી ન૨કના નારકી અસંખ્યાત ગુણ. ૨૧. ચોથા દેવલોકના દેવ અસંખ્યાત ગુણ. ૨૨ ત્રીજા દેવલોકના દેવ અસંખ્યાત ગુણ. ૨૩ બીજી ન૨કના ના૨કી અસંખ્યાત ગુણ. ૨૪ સંમૂર્ચ્છિમ મનુષ્ય અસંખ્યાત ગુણ. ૨૫ બીજા દેવલોકના દેવ અસંખ્યાત ગુણ. ૨૬ બીજા દેવલોકના દેવી અસંખ્યાત ગુણ. ૨૭ પહેલા દેવલોકના દેવ અસંખ્યાત ગુણ. ૨૮ પહેલા દેવલોકની દેવી સંખ્યાત ગુણ. ૨૯ ભવનપતિના દેવ અસંખ્યાત ગુણ. ૩૦ ભવનપતિની દેવી સંખ્યાત ગુણ. ૨ ૨ ૨ ૨ ૨ ૪ ૨ ૨ ૨ ૪ ૨ 3 ૪ ૪ * ૪ ૧ ૧ ૩ ૪ ૪ ૪ ૪ ૪ ૨ ૪ ૩૦૯ ૧૧. ૯ ૧૧ ૯ ૧૧ ૯ ૧૧ ૯ ૧૧ ૯ ૧૧ ૯ ૧૧ ૯ ૧ ૧૧ ૯ ૧૧ ૯ ૧૧ ૯ ૧ ૧૧ ૯ ૨ ૧. ૧ ૧ ૧ ૧ ૪ ૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ 399 € શ્રી બ્રહ૬ જૈન થોક સંગ્રહ ૩૧ પહેલી નરકના નારકી અસંખ્યાત ગુણ. ૩ ૪ ૧૧ ૯ ૧ ૩૨ ખેચર પુરૂષ તિર્યંચયોની અસંખ્યાત ગુણ. ૩૩ ખેચરની સ્ત્રી સંખ્યાત ગુણ. ૨ ૫ ૧૩ ૯ ૬ ૩૪ સ્થલચર પુરૂષ સંખ્યાત ગુણ. ર ૫ ૧૩ ૯ ૬ ઉપ સ્થલચરની સ્ત્રી સંખ્યાત ગુણ. ૨ ૫ ૧૩ ૯ ૬ ૩૬ જળચર પુરૂષ સંખ્યાત ગુણ. ૨ ૫ ૧૩ ૯ ૬ ૩૭ જળચરની સ્ત્રી સંખ્યાત ગુણ. ર ૫ ૧૩ ૯ ૬ ૩૮ વાણવ્યતરના દેવ સંખ્યાત ગુણ ૩ ૪ ૧૧ ૯ ૪ ૩૯ વાણવ્યંતરની દેવી સંખ્યાત ગુણ ૨ ૪ ૧૧ ૯ ૪૦ જ્યોતિષી દેવ સંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ ૪૧ જ્યોતિષીની દેવી સંખ્યાત ગુણ. ૨ ૪ ૧૧ ૯ ૧ ૪૨ ખેચર નપુંસક (ગર્ભજ) તિર્યંચયોની સંખ્યાત ગુણ. ર ૫ ૧૩ ૯ ૬ ૪૩ સ્થલચર નપું. (ગર્ભજ) સ.ગુણ. ર ૫ ૧૩ ૯ ૬ ૪૪ જળચર નપું. (ગર્ભજ) સં.ગુણ. ર ૫ ૧૩ ૯ ૬ ૪૫ ચૌરેન્દ્રિય પર્યાપ્ત સંખ્યાત ગુણ. ૧ ૧ ૨ ૪ ૩ ૪૬ પંચેન્દ્રિય પર્યાપ્ત વિશેષાધિક. ૨ ૧૨ ૧૪ ૧૦ ૬ ૪૭ બેઈન્દ્રિય પર્યાપ્ત વિશેષાધિક. ૧ ૧ ૨ ૩ ૩ ૪૮ ઇન્દ્રિય પર્યાપ્ત વિશેષાધિક. ૧ ૧ ૨ ૩ ૩ ૪૯ પંચેન્દ્રિય અપર્યાપ્ત ૨ ૩ ૫ ૮૯ ૬ અસંખ્યાત ગુણ. મનુ, દેના. ૫૦ ચોરેન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક ૧ ૨ ૩ ૬ ૩ w w w w w x xoa Page #330 -------------------------------------------------------------------------- ________________ ا لن لنا به અઠ્ઠાણું બોલનો અલ્પબદુત્વ નિ 0૩૧૧ ૫૧ ઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાર્થિક ૧ ૨ ''3 ‘પ 3 પર બેઇન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક. ૧ ૨ ૩ ૫ ૩ ૫ ૩ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ કાય પર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૧ ૩ ૩ પ૪ બાદર નિગોદ પર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૧ ૨ ૩ પ૫ બાદર પૃથ્વીકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૧ ૩ ૩ પ૬ બાદર અપકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણ. પ૭ બાદર વાઉકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૪ ૩ ૩ ૫૮ બાદ તેઉકાય અપર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૧ ૩ ૩ ૫૯ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ કાય અપર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૨ ૩ ૪ ૬૦ બાદર નિગોદ અપર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૩ ૩ ૩ ૬૧ બાદર પૃથ્વીકાય અપર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૩ ૩ ૪ દર બાદર અપકાય અપર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૨ ૩ ૪ ૬૩ બાદર વાયુકાય અપર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૩ ૩ ૩ do Page #331 -------------------------------------------------------------------------- ________________ ا به ઉ૧૨IEી શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ ૬૪ સૂક્ષ્મ તેજસ્કાય અપર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૩ ૩ ૧૩ ૬૫ સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્ત વિશેષાધિક. ૧ ૧ ૩ ૩ ૩ ૬૬ સૂક્ષ્મ અપકાય અપર્યાપ્ત વિશેષાધિક. ૬૭ સૂક્ષ્મ વાયુકાય અપર્યાપ્ત વિશેષાધિક. ૧ ૧ ૩ ૩ ૩ ૬૮ સૂક્ષ્મ તેજસકાય પર્યાપ્ત સંખ્યાતગુણા. ૧ ૧ ૧ ૩ ૩ ૬૯ સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્ત વિશેષાધિકા ૧ ૧ ૧ ૩ ૩ ૭૦ સૂક્ષ્મ અપકાય પર્યાપ્ત * વિશેષાધિક. ૭૧ સૂક્ષ્મ વાયુકાય પર્યાપ્ત વિશેષાધિક. ૧ ૧ ૧ ૩ ૩ ૭૨ સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત શરીર અસંખ્યાત ગુણ. ૧ ૧ ૩ ૩ ૩ ૭૩ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તનાં શરીર અસંખ્યાત ગુણ. ૧ ૧ ૧ ૩ ૩ ૭૪ અભવ્ય જીવ અનંતગુણ. ૧૪ ૧ ૧૩ ૬ ૬ ૭૫ સમ્યફ દૃષ્ટિ પ્રતિપાતી. અનંતગુણ (પૂર્વપર્યાય અપેક્ષા) ૧૪ ૧ ૧૩ ૬ ૬ (વર્તમાન પર્યાય અપેક્ષાએ) ૧૪ ર ૧૩ ૬ ૬ ; Page #332 -------------------------------------------------------------------------- ________________ અઢાણું બોલનો અલ્પબદુત્વ ૩િ૧૩ ૭૬ સિદ્ધ અનંતગુણ. ૦ ૦ ૦ ૨ ૦ ૭૭ બાર વનસ્પતિકાય પર્યાપ્ત અનંતગુણ. ૧ ૧ ૧ ૨ ૩ ૭૮ બાદર જીવ પર્યાપ્ત (સાધારણ અને પ્રત્યેક) વિશેષાધિક. ૬ ૧૪ ૧૫ ૧૨ ૬ ૭૯ બાદર વનસ્પતિકાય અપર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૩ ૩ ૪ ૮૦ બાદર જીવ અપર્યાપ્ત વિશેષાધિક. ૮૧ સમુચ્ચય બાદર જીવ વિશેષાધિકા ૧૨ ૧૪ ૧૫ ૧૨ ૬ ૮૨ સૂક્ષ્મ વનસ્પતિકાય અપર્યાપ્ત અસંખ્યાત ગુણ. ૧ ૧ ૩ ૩ ૩ ૮૩ સૂક્ષ્મ જીવ અપર્યાપ્ત વિશેષાધિક ૧ ૧ ૩ ૩ ૩ ૮૪ સૂક્ષ્મ વનસ્પતિકાય પર્યાપ્ત સંખ્યાત ગુણ. ૧ ૧ ૧ ૩ ૩ ૮૫ સૂક્ષ્મ જીવ પર્યાપ્ત વિશેષાધિક. ૧ ૧ ૧ ૨ ૩ સમુચ્ચય સૂક્ષ્મ જીવ વિશેષાધિક. ૨ ૧ ૩ ૩ ૩ ૮િ૭ ભવ્ય સિદ્ધિ જીવ વિશેષાધિકા ૧૪ ૧૪ ૧૫ ૧૨ દ ૮૮ નિગોદના જીવ વિશેષાધિક. ૪ ૧ ૩ ૩ ૩ ૮૯ સમુચ્ચય વનસ્પતિકાયના * જીવ વિશેષાધિક. ૪ ૧ ૨ ૩ ૪ ૯૦ એકેન્દ્રિય જીવ વિશેષાધિક. ૪ ૧ ૨ ૩ ૪ , لا لن U Page #333 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૪ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૯૧ તિર્યંચ યોનિનો જીવ વિશેષાધિક, ૧૪ ૫ ૧૩ ૯ ૬ ૯૨ મિથ્યાત્વ દૃષ્ટિ જીવ વિશેષાધિક. ૧૪ ૧ ૧૩ ૬ ૬ ૯૩ અવિરતિ જીવ વિશેષાધિક. ૧૪ ૪ ૧૩ ૯ ૬ ૯૪ સકષાયી જીવ વિશેષાધિક. ૧૪ ૧૦ ૧૫ ૧૦ ૬ ૯૫ છદ્મસ્થ જીવ વિશેષાધિક. ૧૪ ૧૨ ૧૫ ૧૦ ૬ ૯૬ સયોગી જીવ વિશેષાધિક. ૧૪ ૧૩ ૧૫ ૧૨ ૬ ૯૭ સંસારસ્થ જીવ વિશેષાધિક. ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૬ ૯૮ સર્વ જીવ વિશેષાધિક. ૧૪ ૧૪ ૧૫ ૧૨ ૬ ઇતિ ૯૮ બોલનો અલ્પબહુત. જ છa S છa Dલ Sલ Page #334 -------------------------------------------------------------------------- ________________ પુગલ પરાવર્ત ઉ૧૫] Sોરિ૧. પુગલ પરાવર્તીદિની ભગવતી સૂત્ર શતક ૧૨, ઉદ્દેશો ૪ નામ ગુણ સિંખ્ત, ત્તિ ઠાણે કાલે કાલોવમં ચ | કાલઅપ્પબહુ પુગ્ગલ મજ્જ પુગ્ગલ, પુગ્ગલકરણ અપ્પબહુ (આ ગાથા મૂળ પાઠમાં નથી, ટીકામાં છે) પુદ્ગલ પરાવર્ત એ વિષય સમજવાને ૯ દ્વારે કરી સ્પષ્ટીકરણ કરી કહે છે. ૧. નામ તાર: ૧ ઔદારિક પુદ્ગલ પરાવર્ત, ૨ વૈક્રિય પુગલ પરાવર્ત, ૩ તેજસ પુગલ પરાવર્ત, ૪ કાર્મણ પુદ્ગલ પરાવર્ત, ૫ મનો પુદ્ગલ પરાવર્ત, ૬ વચન પુદ્ગલ પરાવર્ત, ૭ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત. ૨. ગુણ દ્વાર : પુદ્ગલ પરાવર્ત એટલે શું? તે કેમ કેટલા પ્રકારે ? ને તે શી રીતે સમજવું? એ સહજ પ્રશ્ન શિષ્ય બુદ્ધિથી થાય છે ત્યારે ગુરુ એમ સમજાવે છે કે જીવે આ જગત – વિશ્વમાં જેટલા પુદ્ગલો છે તે સર્વને લઈ લઈને મૂક્યા છે. મૂકી મૂકીને ફરી ફરી લીધાં છે. એટલે કે પુદ્ગલ પરાવર્તનો અર્થ એ છે કે પુલ ઝીણામાં ઝીણાં રજકણથી માંડીને સ્કૂલમાં ધૂલ જે પુદ્ગલ તે સર્વમાં અગર તે સર્વથી જીવે પરાવર્ત સમગ્ર પ્રકારે ફરવું કર્યું, સર્વમાં ભ્રમણ કર્યું ને તે પુદ્ગલો દારિકપણે (દારિક શરીરમાં રહી દારિક યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે તે) વૈક્રિયપણે (વૈક્રિય શરીરમાં રહી વૈક્રિય યોગ્ય પુગલ ગ્રહણ કરે તે) તૈજસપણે, ઉપર કહ્યા એ સાતપણે, જીવે લીધા છે ને મૂક્યા છે. તે પણ સૂક્ષ્મપણે ને બાદરપણે લીધા છે ને મૂક્યા છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એમ ચારે પ્રકા૨ે જીવે પુદ્ગલ પરાવર્ત્ત કર્યા છે, તે સ્પષ્ટ નીચે પ્રમાણે છે. પુદ્ગલ પ૨ાવર્ત્તના બે ભેદ : ૧ બાદ૨ ને ૨ સૂક્ષ્મ, તે બન્નેના ચાર ભેદ : ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી. ૧. દ્રવ્યથી બાદર પુદ્ગલ પ૨ાવર્ત્ત : તે જગતમાંના સર્વ પુદ્ગલો ઔદારિકપણે, વૈક્રિયપણે, એમ સાતે પ્રકારે પુદ્ગલો પૂરા ક૨ે પણ અનુક્રમે નહિ, એટલે કે ઔદારિકપણે પુદ્ગલો પૂરા કર્યા પહેલાં વૈક્રિયપણે લે, અથવા તૈજસપણે લે, ગમે તે પુદ્ગલ ૫૨ાવર્ત્તપણે વચમાં લઈ પછી ફ૨ી ઔદારિકપણાના લીધા પુદ્ગલો પૂરા કરે, એમ સાતે પ્રકારે અવળા સવળા જગતના સર્વ પુદ્ગલોને પૂર્ણ કરે, તેને દ્રવ્ય બાદ૨ પુદ્ગલ પ૨ાવર્ત્ત કહીએ. ૨. દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ ૫૨ાવર્ત્ત : તે જગતમાંના સર્વ પુદ્ગલોને ઔદારિકપણે પૂર્ણ કરે પછી વૈક્રિયપણે, પછી તૈજસપણે, એમ એક પછી એક અનુક્રમે ક૨ી સાતે પુદ્ગલ પરાવર્ત્તપણે પૂર્ણ ક૨ે તેને દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ ૫૨ાવર્ત્ત કહીએ. ૩. ક્ષેત્રથી બાદર પુદ્ગલ પરાવર્ત્ત : તે ચૌદ રાજલોકના જેટલા આકાશપ્રદેશ છે, તે સર્વ આકાશપ્રદેશને દરેક પ્રદેશે મરી મ૨ીને અનુક્રમ વિના ગમે તેમ કરી પૂર્ણ કરે. ૪. ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગલ પ૨ાવર્ત્ત : તે ચૌદ રાજલોકના આકાશપ્રદેશને અનુક્રમે એક પછી એક ૧-૨-૩-૪-૫ -૬-૭-૮-૯-૧૦ એમ દરેક પ્રદેશમાં મરીને પૂર્ણ કરે. તેમાં પહેલાં પ્રદેશે મ૨ીને ત્રીજા પ્રદેશે મરે અથવા પાંચમા, આઠમા ગમે તે પ્રદેશે મરું, તે પુદ્ગલ પરાવર્ત્ત ક૨વામાં ન ગણાય. અનુક્રમે દરેક પ્રદેશે મરી સમસ્ત લોક પૂર્ણ કરે. Page #336 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ પરાવર્ત ૩૧૭ ૫. કાળથી બાદર પુદ્ગલ પરાવર્ત્ત : તે એક કાળચક્ર (જેમાં ઉત્સર્પિણીને અવસર્પિણી સમાય) તેના જે જે સમય છે તે તે બધા સમયને મૃત્યુ દ્વા૨ા એકવાર સ્પર્શવામાં જેટલો કાળ થાય તે કાળને કાળથી બાદર પુદ્ગલ ૫૨ાવર્ત્ત કહે છે. ૬. કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત્ત : એટલે કે ઉત્સર્પિણીનો પ્રથમ સમય હોય ત્યારે મૃત્યુ થાય પછી ગમે ત્યારે ઉત્સર્પિણીનો બીજો સમય હોય ત્યારે મૃત્યુ થાય પછી ગમે ત્યારે ઉત્સર્પિણીનો ત્રીજો સમય હોય ત્યારે મૃત્યુ થાય. આવી રીતે ઉત્સર્પિણીના બધા સમય તથા અવસર્પિણીના બધા સમય અનુક્રમથી મૃત્યુ દ્વારા સ્પર્શતા જેટલો કાળ લાગે તેને કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પ૨ાવર્ત્ત કહે છે. : ૭. ભાવથી બાદર પુદ્ગલ પરાવર્ત્ત તે જીવનાં અનુભાગબંધ સ્થાન લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલાં છે. તે બધા અનુભાગબંધ સ્થાનોને ક્રમથી કે ક્રમ વિના મરણ કરીને પૂરાં કરે ત્યારે બાદર ભાવ પુદ્ગલ પ૨ાવર્ત્ત થાય. ૮. ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પ૨ાવર્ત્ત : ઉપ૨ોક્ત અનુભાગબંધ સ્થાનમાં સૌથી જઘન્ય અનુભાગબંધ સ્થાનમાં કોઈ જીવ મરે ત્યા૨ પછી બીજા સ્થાન પછી ત્રીજા સ્થાન એમ ક્રમની ગણતરી કરી (વચ્ચેના ગમે તેટલા મ૨ણને ગણતરીમાં લીધા વગર) બધાં સ્થાનોને સ્પર્શ કરી મરતાં જેટલો કાળ થાય તેને ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ ૫૨ાવર્ત્ત કહેવાય. ઇતિ ગુણ દ્વાર ૩. ત્રિસંખ્યા દ્વાર : ૧. પુદ્ગલ પરાવર્ત્ત સર્વ જીવે કેટલા કર્યા ? ૨. એક વચને એક જીવે ૨૪ દંડકમાં કેટલા પુદ્ગલ પરાવર્ત્ત કર્યા ? ૩. બહુવચને સર્વ જીવે ૨૪ દંડકે કેટલા પુદ્ગલ પરાવર્ત કર્યા ? ૧. સર્વ જીવે ઔદારિક પુદ્ગલ પરાવર્ત્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત્ત, Page #337 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૮) િશ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ તૈજસ પુદ્ગલ પરાવર્ત એ સાતે પુદ્ગલ પરાવર્ત અનંત અનંત વાર કર્યા. તેના ૭ પ્રશ્ન થાય છે. ૨. એકવચને – તે એક જીવે, એક નારકી જીવે, ઔદારિક પુદ્ગલ પરાવર્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત એ સાતે પુદ્ગલ પરાવર્ત અતિત (ગયા) કાળે અનંત અનંત વાર કર્યા. ભવિષ્ય કાળે કોઈ પુદ્ગલ પરાવર્ત કરશે નહિ (મોક્ષ જશે તે), કોઈ કરશે. જે કરશે તે જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અનંત પુદ્ગલ પરાવર્ત કરશે. એમ ભવનપતિ વગેરે ૨૪ દંડકનાં એક એક જીવે સાત પુલ પરાવર્ત ગયા કાળે અનંત કર્યા, કેટલાક ભવિષ્ય કાળે કરશે નહિ (મોક્ષ જશે માટે), જે કરશે તે ૧-૨-૩, ઉત્કૃષ્ટ અનંત કરશે. સાત પુદ્ગલ પરાવર્ત, ૨૪ દંડક સાથે ગણતાં ૧૬૮ પ્રશ્ન થાય. ૩. બહુવચને તે સર્વ જીવે, સર્વ નારક જીવે પૂર્વ કાળે ઔદારિક પુદ્ગલ પરાવર્ત એ સાતે પુદ્ગલ પરાવર્ત અનંત અનંત કર્યા. ભવિષ્યકાળે ઘણાઓ અનંત કરશે. એમ ૨૪ દંડકના બહુ જીવોએ અનંત પુદ્ગલ પરાવર્ત કર્યાને ભવિષ્યકાળમાં કરશે. તેના પણ ૧૬૮ પશ્ન થાય છે. એમ કુલ ૭+૧૬૮+૧૬૮ = ૩૪૩ પ્રશ્ન થાય છે. ૪. ત્રિસ્થાનક દ્વાર : ૧. એક જીવે કયા કયા સ્થાને, કયા કયા પુદ્ગલ પરાવર્ત કર્યા? કયા કયા પુદ્ગલ પરાવર્ત કરશે? ૨. બહુ જીવે કયા કયા સ્થાને પુદ્ગલ પરાવર્ત કર્યા, કરશે?૩. સર્વ જીવે કયા કયા દંડકમાં કયા કયા પુદ્ગલ પરાવર્ત કર્યા? ૧. એક વચને : તે એક જીવે નારકપણે ઔદારિક પુદગલ પરાવર્ત કર્યું નથી, કરશે નહિ. વૈક્રિય પુગલ પરાવર્ત કર્યું છે, કરશે. જે કરશે તે જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અનંત કરશે. એમ તૈજસ પુદ્ગલ પરાવર્ત, કાર્મણ પુદ્ગલ પરાવર્ત યાવત્ શ્વાસોચ્છવાસ પુલ Page #338 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પુગલ પરાવર્ત Dિઉ૧e) પરાવર્ત કર્યા ને હવે કરશે. તે ઉપર પ્રમાણે. એમ અસુરકુમારપણે, પૃથ્વીપણે યાવત્ વૈમાનિકપણે પૂર્વે દારિક પુલ પરાવર્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્તયાવત્ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત ક્યને કરશે (તમાં સમજવાનું એમ છે કે જે દંડકમાં જે જે પુદ્ગલ પરાવર્ત કર્યા હોય તે કરે, ન હોય તે ન કરે). એક નરયિકજીવે ૨૪ દંડકમાં રહી સાત સાત (હોય તો હા, નહિ તો ના) પુદ્ગલ પરાવર્ત કર્યા તે ૨૪ x ૭ = ૧૬૮ થયા. એમ ૨૪ દંડકનો જીવ ૨૪ દંડકમાં રહી સાત સાત પુદ્ગલ પરાવર્ત કરે. તે ૧૬૮૦ x ૨૪ = ૪૦૩૨ પ્રશ્ન પુદ્ગલ પરાવર્તન થાય છે. ૨. બહુ વચને તે સર્વ જીવ નૈરયિકપણે ઔદારિક પુદ્ગલ પરાવર્ત નથી કર્યું, કરશે નહિ. વૈક્રિય પુદ્ગલ પરાવર્ત યાવત્ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત કર્યા કરશે. એમ જ અસુરકુમારપણે, પૃથ્વીપણે યાવતુ વૈમાનિકપણે, જે જે ઘટે તે તે પુદ્ગલ પરાવર્ત કર્યા ને કરશે એમ ૨૪ દંડકમાં બહુ જીવે પુદ્ગલ પરાવર્ત સાત સાત કર્યા કરશે, પૂર્વ પ્રમાણે આના પણ ૪૦૩૨ પ્રશ્ન થાય છે. ૩. ક્યા કયા દંડકમાં પુગલ પરાવર્ત કર્યા? તે સર્વ જીવે પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકેલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય ને મનુષ્ય, એ દશ દંડકમાં દારિક પુદ્ગલ પરાવર્ત અનંત અનંત વાર કર્યા. ૧ નૈરયિક, ૧૦ ભવનપતિ, ૧૨ વાયુકાય પર્યાપ્ત, ૧૩ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત, ૧૪ સંજ્ઞી મનુષ્ય પર્યાપ્ત, ૧૫ વાણવ્યંતર, ૧૬ જ્યોતિષી, ૧૭ વૈમાનિક, એ ૧૭ દંડકમાં સર્વ જીવ ક્રિય પુદ્ગલ પરાવર્ત અનંત અનંત વાર કર્યા. ૨૪ દંડકમાં તેજસ પુદ્ગલ પરાવર્ત, કાર્મણ પુદ્ગલ પરાવર્ત, શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત, સર્વ જીવે અનંત અનંત વાર કર્યા. ૧ નરયિક, ૧૩ દેવના દંડક, ૧ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સંશી મનુષ્ય, એ ૧૬ દંડકમાં સર્વ જીવે મન પુદ્ગલ પ૨ાવર્ત્ત અનંત અનંત વા૨ કર્યા. : પાંચ એકેન્દ્રિય વિના ૧૯ દંડકમાં સર્વ જીવે વચન પુદ્ગલ પરાવર્ત્ત અનંતવાર કર્યા. એ ૧૩૩ પ્રશ્ન થાય છે. ત્રણે સ્થાનકના ૮,૧૯૮ પ્રશ્નો થાય છે. ઇતિ ત્રિસ્થાનક દ્વાર ૫. કાળ દ્વાર : અનંત ઉત્સર્પિણી અનંત અવસર્પિણી જાય ત્યારે એક ઔદારિક પુદ્ગલ પ૨ાવર્ત્ત થાય. એમ વૈક્રિય પુદ્ગલ ૫૨ાવર્ત્ત એટલો કાળ જતાં થાય છે. સાતે પુદ્ગલ પરાવર્તમાં અનંત અનંત કાળચક્ર વહી જાય છે. ઇતિ કાળ દ્વાર ૬. કાળની ઉપમા ઃ કાળ (વખત) સમજવાને દૃષ્ટાંત આપે છે. તેમાં પ્રથમ પરમાણુથી શરૂ કરે છે. પરમાણુ તે ઝીણામાં ઝીણો રજકણ, જે રજકણ અતીન્દ્રિય (ઇન્દ્રિયને અગમ્ય) છે. જેનો ભાગ, ખંડ કે કટકો કોઈ પણ શસ્ત્રથી કે કોઈ પણ રીતે થઈ શકે નહિ. ઘણો જ ઝીણો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવો જે ભાગ તે પરમાણુ. ૧ અનંત સૂક્ષ્મ ૫૨માણુએ એક વ્યવહાર પરમાણુ થાય. ૨ અનંત વ્યવહાર પરમાણુએ એક ઉષ્ણ સ્નિગ્ધ ૫૨માણુ થાય. ૩ અનંત ઉષ્ણ સ્નિગ્ધ ૫૨માણુએ એક શીત સ્નિગ્ધ પરમાણુ થાય. ૪ આઠ શીત સ્નિગ્ધ ૫૨માણુએ એક ઉર્ધ્વરેણુ થાય. ૫ આઠ ઉર્ધ્વરેણુએ એક ત્રસ રેણુ થાય. ૬ આઠ ત્રસરેણુએ એક રથ રેણુ થાય. ૭ તે આઠ ૨થણુએ દેવકુરૂ, ઉત્તરકુરૂ મનુષ્યનો એક વાલાગ્ર થાય. ૮. તે આઠ વાલાગે હરિ, રમ્યવર્ષના મનુષ્યનો એક વાલાગ્ર થાય. ૯. તે આઠ વાલાચે હેમવય, હિરણ્યવય મનુષ્યનો એક વાલાગ્ર થાય. ૧૦. તે આઠ વાલા પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ મનુષ્યનો એક વાલાચ થાય. ૧૧. તે આઠ વાલાગે ભ૨ત, ઐ૨વત મનુષ્યનો એક વાલાચ થાય. ૧૨. તે આઠ Page #340 -------------------------------------------------------------------------- ________________ -- - - -- પુદ્ગલ પરાવર્ત ૩િ૨૧] વાલાગે એક લીંખ. ૧૩. આઠ લખે એક જૂ. ૧૪. આઠ જૂ એ એક અર્ધજવ. ૧૫. આઠ અર્ધજવે એક ઉત્સધ આંગુલ. ૧૬. છ ઉત્સધ ગુલે એક પગનું પહોળપણું. ૧૭. બે પગ પહોળપણે એક વેંત. ૧૮. બે વેંતે એક હાથ, બે હાથે એક કૃક્ષિ. ૧૯. બે કૃષિએ એક ધનુષ્ય. ૨૦. બે હજાર ધનુષ્ય એક ગાઉ. ૨૧. તે ચાર ગાઉએ એક યોજન. ૨૨. તે એક યોજનનો કૂવો લાંબો, પહોળો ને ઉડો જાણે કે હોય તેમ કલ્પીએ, ને તેમાં દેવકુરૂ, ઉત્તરકુરૂના જુગલીયા મનુષ્યના વાળ – એક એક વાળના અસંખ્ય ખંડ કરીએ, એ અસંખ્ય ખંડવાળા વાળોથી તળીએથી તે ઉપર સુધી સજડ – ગાઢ, ઠાંસીને તે કૂવો ભર્યો હોય, કે જેના પરથી ચક્રવર્તીનું લશ્કર ચાલ્યું જાય, પણ એક વાળ નમે નહિ. નદીનો પ્રવાહ ધોધમાર ચાલ્યો જાય પણ અંદર પાણી ઉતરી શકે નહિ. કદાચ અગ્નિ પણ તે ઉપર લાગે તો અંદર જઈ શકે નહિ. તેવા કૂવામાંથી સો સો વર્ષે એક એક વાળ ખંડ કાઢે ને સો સો વર્ષે એક ખંડ કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય, તેટલામાં જેટલો વખત જાય તેને શાસ્ત્રકાર એક પલ્ય કહે છે. ને તેવા દશ ક્રોડાકોડ પત્યે એક સાગર થાય છે. વીસ ક્રોડાકોડ સાગર સમાય તેટલા વખતે એક કાળચક્ર થાય છે. ઇતિ કાળ ઉપમા દ્વાર ૭. કાળ અલ્પ બહુત્વ દ્વાર : ૧. અનંત કાળચક્ર જાય ત્યારે એક કાર્પણ પુગલ પરાવર્ત થાય. ૨. અનંત કાર્મણ પુગલ પરાવર્ત જાય ત્યારે એક તૈજસ પુદ્ગલ પરાવર્ત થાય. ૩. અનંત તૈજસ પુદ્ગલ પરાવર્ત જાય ત્યારે એક ઔદારિક પુગલ પરાવર્ત થાય. ૪. અનંત દારિક પુદ્ગલ પરાવર્ત જાય ત્યારે એક શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત થાય. ૫. અનંત શ્વાસોચ્છવાસ પુદગલ પરાવર્ત જાય ત્યારે એક મન પુલ પરાવર્ત થાય. ૬. અનંત મન પુદ્ગલ પરાવર્ત જાય -21 Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ત્યારે એક વચન પુદ્ગલ પરાવર્ત્ત થાય. ૭. અનંત વચન પુદ્ગલ ૫૨ાવર્ત્ત જાય ત્યા૨ે એક વૈક્રિય પુદ્ગલ પરાવર્ત્ત થાય. : ઇતિ કાળ અલ્પબહુત્વ દ્વા૨. ૮. પુદ્ગલ મધ્યે પુદ્ગલ ૫૨ાવર્ત્ત જાય તે ઃ ૧. એક કાર્મણ પુદ્ગલ પરાવર્ત્તમાં અનંત કાળચક્ર જાય. ૨. એક તૈજસ પુદ્ગલ પરાવર્ત્તમાં અનંત કાર્યણ પુદ્ગલ ૫૨ાવર્ત્ત જાય. ૩. એક ઔદારિક પુદ્ગલ પરાવર્ત્તમાં અનંત તૈજસ પુદ્ગલ પ૨ાવત્તું જાય. ૪. એક શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પ૨ાવર્ત્તમાં અનંત ઔદારિક પુદ્ગલ ૫૨ાવર્ત્ત જાય. ૫. એક મન પુદ્ગલ ૫૨ાવર્ત્તમાં અનંત શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ ૫૨ાવત્તું જાય. ૬. એક વચન પુદ્ગલ પરાવર્ત્તમાં અનંત મન પુદ્ગલ પરા ń જાય. ૭. એક વૈક્રિય પુદ્ગલ ૫૨ાવર્તમાં અનંત વચન પુદ્ગલ ૫૨। પત્તું જાય. ઇતિ આઠમો દ્વાર. ૯. પુદ્ગલ પ૨ાવર્ત્ત કર્યા તેનો અલ્પબહુત્વ : ૧ સર્વ જીવે, સર્વથી થોડા વૈક્રિય પુદ્ગલ ૫૨ાવર્ત્ત કર્યા. ૨. તેથી વચન પુદ્ગલ પરાવર્ત્ત અનંત ગુણ અધિક કર્યા. ૩. તેથી મન પુદ્ગલ પરાવર્ત અનંત ગુણ અધિક કર્યા. ૪. તેથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવ અનંત ગુણ અધિક કર્યા. ૫. તેથી ઔદારિક પુદ્ગલ પ૨ાવર્ત્ત અનંત ગુણ અધિક કર્યા. ૬. તેથી તૈજસ પુદ્ગલ પ૨ાવર્ત્ત અનંત ગુણ અધિક કર્યા. ૭. તેથી કાર્મણ પુદ્ગલ ૫૨ાવર્ત્ત અનંત ગુણ અધિક કર્યા. ઇતિ પુદ્ગલ ક૨ણ અલ્પબહુત્વ. ઇતિ પુદ્ગલ પરાવર્ત્ત. 全國國小陶服服务 图服务 Page #342 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના ૫૬૩ પ્રશ્નો ૨૨. જીવોની માર્ગણાના ૫૬૩ પ્રશ્નો અ $ મ ૧. કયા કયા સ્થાન પર જીવના કેટલા ભેદ મળે છે ? તેની માર્ગણાના પ્રશ્નો : અધોલોકમાં કેવળીમાં જીવના ભેદ કેટલા ? નિશ્ચય એકાવતારીમાં તેજોલેશી એકેન્દ્રિયમાં નર તિર્યં મનુ દેવતા કના ચના ષ્યના ના ૧૪|૪૮૧૩૦૩, ૧૯૮ ભેદ ભેદ ભેદ ભેદ ૦ ૧ O O ૨. ૩. ૪.. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. એકાંત સમ્યક્ દૃષ્ટિમાં ૧૧. વચનયોગી ચક્ષુઇન્દ્રિય તિર્યંચમાં ૦ ૧૨. અધોલોકના ગર્ભજમાં O ૧૩. વચનયોગી તિર્યંચમાં ૧૪. અધોલોકનાં વચનયોગી ઔદારિક શરીરમાં ૧૫. કેવળીમાં પૃથ્વીકાયમાં મિશ્ર સૃષ્ટિ તિર્યંચમાં ઉર્ધ્વલોકની દેવીમાં નરકના પર્યાપ્તામાં બે યોગવાળા તિર્યંચમાં ઉર્ધ્વલોક નોગર્ભજ તેજોલેશ્યામાં ૦ ૭ O O ૪ ૧૧ ૧૦ ૨ ૧૩ ૦ ૧૩ ૧ For Private & Personal'Use Only ૩૨૩ ૧૫ O ૦ ૦ ૦ ૦ ૧૦ O Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪) ૧૬. ઉર્ધ્વલોક પંચેન્દ્રિય તેજોલેશ્યામાં ૦ ૧૭. સમ્યક્દષ્ટિ ઘાણેન્દ્રિય તિર્યંચમાં ૧૮. સમ્યક્દૃષ્ટિ તિર્યંચમાં ૧૯. ઉર્ધ્વલોકનાં તેજોલેશ્યામાં ૨૦. મિશ્રષ્ટિ ગર્ભજમાં ૨૧. ઔદારિક શરીરમાંથી વૈક્રિય ક૨વાવાળામાં ૨૨. એકેન્દ્રિય જીવોમાં ૨૩. અધોલોકના મિશ્ર સૃષ્ટિમાં ૨૪. ઘાણેન્દ્રિય તિર્યંચમાં ૦ ૨૫. અધોલોકના વચનયોગી દેવોમાં ૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૦ ૦ ૬ ૧૭ ૦ ૧૮ ૦ ૧૩ ૫ ૨૬. ત્રસ તિર્યંચમાં ૨૭. ઉર્ધ્વલોક શુક્લલેશી અભાષક ૨૮. બાદ૨ તિર્યંચ એક સંહનનવાળામાં ૨૯. અધોલોક ત્રસ ઔદારિકમાં ૩૦. એકાંત મિથ્યાત્વી તિર્યંચમાં ૩૧. અધોલોક પુરુષવેદ ભાષકમાં ૩૨. પદ્મલેશી મિશ્ર સૃષ્ટિમાં ૭ O 1, ૨૪ ૨૨ ૦ ૫ ܘ ૨૬ ૫ ૧૫ ૧૫ ૦ سی ૧ ૦ 0 O 0 ૨૮ ૦ ૨૬ ૩ ૩૦ ૦ ૧ ૧૫ ૧૫ ૫ ૩૩. પદ્મલેશી વચનયોગીમાં ૫ ૨૮ ૦ ૫ 30 ૩૪. ઉર્ધ્વલોકમાં એકાંત મિથ્યાત્વીમાં ૦ ૩૫. અવધિદર્શન ઔદારિક શરીરમાં ૦ ૩૬. ઉર્ધ્વલોક એકાંત નપુંસકમાં ૩૭. અધોલોક પંચેન્દ્રિય નપુંસકમાં ૦ ૩૬ ૦ ૧૪ ૨૦ 3 d ૧૦ ૨૫ ૦ ૨૨ G O ૨૫ ૧૨ ૧૩ દ C Page #344 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ જીવોની માર્ગણાના પ૬૩ ૩૮. અધોલોક મનયોગીમાં ૭ ૫ ૧ ૨૫ ૩૯. અધોલોક એકાંત અસંજ્ઞીમાં ૦ ૩૮ ૧ ૦ ૪૦. ઔદારિક શુક્લલશીમાં ૦ ૧૦ ૩૦ ૦ ૪૧. ઉર્વલોકમાં તિર્યંચ શાશ્વતા ૪ ૦ ૪૧ ૦ ૦ ૪૨. શુક્લલશી વચનયોગીમાં ૦ ૫ ૧૫ ૨૨ ૪૩. ઉર્ધ્વલોકમાં મનયોગીમાં ૦ ૦ ૩૮ ૪૪. શુક્લલશી દેવતાઓમાં ૦ ૦ ૪૫. કર્મભૂમિ મનુષ્યોમાં ૦ ૦ ૪૫ ૦ ૪૬. અલોક વચનયોગીમાં ૭ ૧૩ ૧ ૪૭. શશી ઉર્ધ્વલોકમાં અવધિજ્ઞાની ૦ ૫ ૦ ૪૨ ૪૮. અપોલોકમાં ત્રણ અભાપક ૭ ૧૩ ૩ ૨૫ ૪૯. ઉર્ધ્વલોક શુક્લલશી અવધિદર્શની ૦ ૫ ૦ ૪૪ ૫૦. જ્યોતિષીની આગતિમાં ૦ ૫ ૪૫ ૦ ૫૧. અધોલોકમાં ઔદારિક શરીરીમાં ૦ ૪૮ ૩ ૦. પર. ઉદ્ગલોક શુક્લલશી સમ્યફદૃષ્ટિ ૦ ૧૦ ૦ ૪૨ ૫૩. અપોલોકમાં એકાંત નપુંસકવેદમાં ૧૪ ૩૮ ૧ ૦ ૫૪. ઉર્ધ્વલોક શુક્લલશીમાં ૦ ૧૦ ૦ ૪૪ ૫૫. અધોલાક બાદર નપુંસકમાં ૧૪ ૩૮ ૩ ૦ પદ. તિછલોક મિશ્ર દૃષ્ટિમાં ૦ ૫ ૧૫ ૩૬ જ શાશ્વતા એટલે જે થાળામાં જે જગ્યાએ જીવો હોય તે થાળું કદાપિ ખાલી ન થાય. એક જીવ ત્યાંથી મરી જાય તો બીજો જીવ ત્યાં આવી જાય તે. નરકનાં પર્યાપ્તા+૪૩ તિર્યંચ (સંજ્ઞી પંચે. ના અપર્યાપા વર્જીન) +૯૯ દેવના પર્યાય - ૧૦૧ મનુષ્યના ગર્ભજ = ૨૫૦ ભંદ શાશ્વતાનાં. Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ৩ ૨૪ ૧ ૭ ૨૪ ૨ ૩૨૬ ૫૭. અધોલોક પર્યાપ્તામાં ૫૮. અધોલોક અપર્યાપ્તામાં ૫૯. કૃષ્ણલેશી મિશ્ર સૃષ્ટિમાં ૬૦. અકર્મભૂમિ સંશી મનુષ્યમાં ૬૧. ઉર્ધ્વલોક અણાહા૨કમાં ૬૨. અધોલોક એકાંત મિથ્યાત્વીમાં ૬૩. ઉર્ધ્વ-અધોલોક દેવો મરવાવાળામાં ૬૪. પદ્મલેશી સભ્યષ્ટિમાં ૬૫. અધોલોક તેજોલેશીમાં ૬૬. પદ્મલેશીમાં ૬૭. અધોલોકના નોગર્ભુજ પ્રત્યેક શરીરી મરવાવાળામાં ૬૮. તેજોલેશી મિશ્ર સૃષ્ટિમાં ૬૯. ઉર્ધ્વલોક બાદ૨ શાશ્વતામાં ૭૦. અધોલોકમાં અભાષકમાં ૭૧. અધોલોકમાં અવધિદર્શનમાં ૭૨. તીર્થાલોકમાં દેવતામાં ૭૩. અપોલોકમાં બાદ૨ મરવાવાળા ૭૪. તિર્ક્યુલોક નોગર્ભજ શાશ્વતા ૭૫. ઉર્ધ્વલોકમાં અવધિજ્ઞાનમાં ૭૬. ઉર્ધ્વલોકમાં દેવતાઓમાં ૭૭. અધોલોકમાં ચક્ષુઇન્દ્રિય નોગર્ભજમાં O ૧ ૦ ૦ ૨ ૦ ૨૩ ૦ ૩૦ ૧ ૧૫ ૬૦ ૧૦ ૩૦ ૧૩ ૨ ૧૦ ૩૦ ૭ 0 ૩૪ ૧ ૨૫ ૫ ૪૮ ૩૧ ૦ ૩૮ ૭ ૩૫ ૩ ૨૫ ૧૪ ૫ ૨ ૫૦ ૭૨ ૨૫ ૩૬ ૭૦ ૭૬ ૧૫ ૭ ૭ ૩૮ ૩ ૦ ૩૮ ૦ ૧૪ ૧૨ ૧ ૨૫ ૨૫ ૩૬ ૭ ૩૮ ૩૦ ૬૩ ૨૪ ૫૦ ૨૬ ૫૦ Page #346 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના ૫૬૩ પ્રશ્નો – ૩૨૭ ૭૮. ઉર્ધ્વલોક નોગર્ભજ સમ્યષ્ટિમાં ૦ ૮ ৩০ ૭૯. ઉર્ધ્વલોકમાં શાશ્વતામાં ° ૩૮ ૮૦. ધાતકીખંડમાં ત્રસમાં ૮૧. સમ્યક્ દૃષ્ટિ દેવતાના પર્યાપ્તામાં ૦ ૦ ૮૨. શુક્લલેશી સમ્યક્ દૃષ્ટિમાં ૮૩. અધોલોકમાં મરવાવાળામાં ૮૪. શુક્લલેશી જીવોમાં ૮૫. અધોલોક કૃષ્ણલેશી ત્રસમાં ૮૬. ઉર્ધ્વલોકમાં પુરૂષવેદમાં ૮૭. ઉર્ધ્વલોક ઘ્રાણેન્દ્રિય સમ્યક્ દૃષ્ટિમાં ૮૮. ઉર્ધ્વલોકમાં સમ્યક્ દૃષ્ટિમાં ૮૯. અધોલોકમાં ચક્ષુઇન્દ્રિયમાં ૯૦. મનુષ્ય સમ્યક્ દૃષ્ટિમાં ૯૧. અધોલોકમાં ઘાણેન્દ્રિયમાં ૯૨. ઉર્ધ્વલોકમાં ત્રસ મિથ્યાત્વમાં ૯૩. અધોલોકમાં ત્રસમાં ૯૪. દેવતા મિથ્યાત્વી પર્યાપ્તમાં ૯૫. નોગર્ભજ અભાષક સમ્યક્ દૃષ્ટિમાં ૯૬. ઉર્ધ્વલોકમાં પંચેન્દ્રિયમાં 6 ૬ ૭ ૧૭ ૦ O ૧૮ ૦ ૧૪ ૨૨ ૩ O ૪૧ ૦ ૨૬ ૫૪ છ ૦ ૧૦ ૩૦ ૪૮ ૩ ૧૦ ૩૦ ૨૬ ૩ ૧૦ ૦ ૯૭. અધોલોકમાં કૃષ્ણલેશી બાદરમાં ૬ ૯૮. ધાતકીખંડમાં પ્રત્યેક શરીરીમાં ૭ ૯૯. વચનયોગી દેવતાઓમાં ૭ ૧૪ ૨૪ ૩ ૦ ૨૬ ૦ ૧૪ ૨૬ 3 ૦ 02 ૭ . ૨૦ ૦ ૩૮ ૩ ૪૪ ૫૪ ૮૧ ૪૨ ૨૫ ૪૪ ૫૦ ૭૬ ૭૦ ૭૦ ૫૦ ♦ ૫૦ ૬૬ ૫૦ ૯૪ ૮૧ ૭૬ ૫૦ ૦ ૯૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ૧૦૦, ઉર્ધ્વલોક પ્રત્યેક શરીરી બાદ૨ મિથ્યાત્વીમાં શ્રી ૧૦૧. વચનયોગી મનુષ્યોમાં ૧૦૨, ઉર્ધ્વલોકમાં ત્રસમાં ૧૦૩, અધોલોકમાં નોગર્ભજમાં ૧૦૪. એકાંત મિથ્યાત્વ શાશ્વતામાં બૃહદ્દ ૬ ૧૦૫. અધોલોકમાં બાદરમાં ૧૦૬. મનયોગી ગર્ભજમાં ૧૦૭. અધોલોકમાં કૃષ્ણલેશીમાં ૧૦૮. ઔદારિક શરીર સમ્યગ્દષ્ટિમાં ૦ ૧૦૯. કૃષ્ણલેશી વૈક્રિયશરીર નોગર્ભજમાં જૈન થોક સંગ્રહ દ ૧૧૦. ઉર્ધ્વલોક બાદર પ્રત્યેકશરીરમાં ૦ ૧૧૧, અધોલોકમાં પ્રત્યેક શરીરમાં ૧૧૨. ઉર્ધ્વલોકમાં મિથ્યાત્વીમાં ૧૧૩. વચનયોગી ઘાણેન્દ્રિય ઔદારિકમાં ૧૧૪, ઔદારિક વચનયોગીમાં ૧૧૫. અધોલોકમાં ૧૧૬, મનુષ્ય અપર્યાપ્તા મરવાવાળામાં ૦ ૧૧૭. ક્રિયાવાદી સમોસરણ નોપકર્મી ૩૪ ૦ ૧૪ ૩૮ ૭ ૧૪ ૩૮ ૩ પ્ ૪૮ ૩ ૧૮ ૯૦ O ૧૦૧ ૦ ૨૬ ૦ ૧ ૩૦ ૫૬ ૧ ૭ ૩૪ ૦ ૧૪ ૪૪ ૩ ૦. ૪૬ ૦ ૬૬ ૭૬ ૫૦ ૧૮ ૫૦ ૧૦૧ ૦ ૫૦ ૧૦૨ ૭૬ ૫૦ ૬૬ ૧૨ ૧૦૧ ૦ ૦ ૧૩ ૧૦૧ ૦ ૧૪ ૪૮ .૩ ૫૦ ૦ ૧૧૬ ૦ આયુષ્ય અમરમાં દુ ૩૦ ૮૧ * અપર્યાપ્ત અવસ્થામાં ન મરે તેને અમરે ભેદમાં ગણાય છે. ૭ નરકનાં અપર્યાપ્તા + ૯૯ દેવના અપર્યાપ્તા + ૮૬ જુગલીયા અપર્યામા =૧૯૨ અમર ભેદ છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના પ૬૩ પ્રશ્નો ૧૧૮. ઉર્ધ્વલોક પ્રત્યેકશરીરમાં ૦ ૪૨ ૦ ૭૬ ૧૧૯. ઘાણેન્દ્રિય મિશ્રયોગ શાશ્વતામાં ૭ ૧૨ ૧૫ ૮૫ ૧૨૦. એકાંત અસંજ્ઞી અપર્યાપ્તમાં ૦ ૧૯ ૧૦૧ ૦ ૧૨૧. વિર્ભાગજ્ઞાન મરવાવાળામાં ૭ ૫ ૧૫ ૯૪ ૧૨૨. કૃષ્ણલેશી વૈક્રિય શરીર ત્રીવેદમાં ૦ ૫ ૧૫ ૧૦૨ ૧૨૩. ત્રણ શરીર ઔદારિક શાશ્વતા ૦ ૩૭ ૮૬ ૦ ૧૨૪. લવણસમુદ્રમાં ઘાણેન્દ્રિય અપર્યા. ૦ ૧૨ ૧૧૨ ૦ ૧૨૫. લવણસમુદ્રમાં તેજોલેશીમાં ૦ ૧૩ ૧૧૨ ૦ ૧૨૬. મરવાવાળા ગર્ભજ જીવોમાં ૦ ૧૦ ૧૧૬ ૦ ૧૨૭. વૈક્રિયશરીર મરવાવાળામાં ૭ ૬ ૧૫ ૯૯ ૧૨૮. દેવીમાં ૦ ૦ ૦ ૧૨૮ ૧૨૯. એકાંત અસંજ્ઞી બાદરમાં ૦ ૨૮ ૧૦૧ ૦ ૧૩૦. લવણસમુદ્ર ત્રસ મિશ્રયોગમાં ૦ ૧૮ ૧૧૨ ૦ ૧૩૧. મનુષ્ય નપુંસક વેદમાં ૦ ૦ ૧૩૧ ૦ ૧૩૨. શાશ્વતા મિશ્રયોગમાં ૭ ૨૫ ૧૫ ૮૫ ૧૩૩. મનયોગી સમ્યફ દૃષ્ટિ અસંખ્યાત ભવવાળામાં ૭ ૫ ૪૫ ૭૬ ૧૩૪. બાદર ઔદારિક શાશ્વતામાં ૦ ૩૩ ૧૦૧ ૦ ૧૩પ. પ્રત્યેક શરીર એકાંત અસંજ્ઞીમાં ૦ ૩૪ ૧૦૧ ૦ ૧૩૬. ત્રણ લેશી ઔદારિક શરીરમાં ૦ ૩૫ ૧૦૧ ૦ ૧૩૭. ક્રિયાવાદી અશાશ્વતમાં ૬ ૫ ૪૫ ૮૧ ૧૩૮. મનયોગી સભ્ય દૃષ્ટિમાં ૭ ૫ ૪૫ ૮૧ ૧ મિશ્ર યોગ – અપર્યાયામાં નિયમા હોય, પર્યાપ્તામાં વૈક્રિય કે આહારક શરીર કરવાવાળામાં હોય. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ૧૩૯. ઔદારિક શ૨ી૨ નોગર્ભજમાં ૧૪૦. કૃષ્ણલેશી અમ૨માં ૧૪૧. એકાંત નપુંસક પ્રત્યેક શરીર બાદરમાં શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ O ૩૮ ૧૦૧ ૦ O ૧૪૨, પંચેન્દ્રિય સમ્યક્દષ્ટિ અપર્યા.માં ૧૪૩. એકાંત નપુંસક બાદ૨માં ૧૪૪. નોગર્ભજ શાશ્વતામાં ૧૪૫. અપર્યાપ્ત સમ્યક્ દૃષ્ટિમાં ૧૪૬. ત્રસ નોગર્ભજ એકાંત મિથ્યાત્વી ૧૪૭. લવણસમુદ્રના અભાષકમાં ૧૪૮. સ્ત્રીવેદ વૈક્રિય શરીરમાં ૧૪૯. સંશી એકાંત મિથ્યાત્વીમાં ૧૫૦. તિńલોક વચનયોગીમાં ૧૫૧. તિńલોક પંચેન્દ્રિય નપુંસકમાં ૧૫૨. તિńલોક પંચેન્દ્રિય શાશ્વતામાં ૧૫૩. એકાંત નપુંસક વેદમાં ૧૫૪. તિńલોક ચક્ષુઇન્દ્રિય શાશ્ર્વતા ૧૫૫. તિર્થાલોકમાં પ્રત્યેક બાદર પર્યાપ્તામાં ૧૫૬. તિર્કાલોક બાદર પર્યાપ્તામાં ૧૪ ૨૬ ૧૦૧ ૦ ૧૦ ૪૫ ૮૧ ૧૪ ૨૮ ૧૦૧ ૦ ૩૮ ૦ ૯૯ ૧૩ ૪૫ ૮૧ ८ ૧૦૧ ૩૬ ૩૫ ૧૧૨ ૦ ૫ ૧૫ ૧૨૮ 0 ૧૧૨ ૩૬ ૧૩ ૧૦૧ ૩૬ ૨૦ ૧૩૧ ૦ ૧૫ ૧૦૧ ૩૬ ૧૪ ૩૮ ૧૦૧ ૦ ૧૭ ૧૦૧ ૩૬ ૬ ૦ O ૧૫૭. મનુષ્ય એકાંત મિથ્યાત્વી અપર્યા. ૦ ૧૫૮. નોગર્ભજ એકાંત મિથ્યા દૃષ્ટિ ૮૬ ૫૧ બાદરમાં ૧૫૯. તિર્કાલોક પ્રત્યેક શરીરી પર્યાપ્તા ૦ ૧૮ ૧૦૧ ૩૬ ૧૯ ૧૦૧ ૩૬ 0 ૧૫૭ ૦ ૨૦ ૧૦૧ ૩૬ ૨૨ ૧૦૧ ૩૬ Page #350 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના પ૬૩ પ્રશ્નો Jિઉ૩૧). ૧૬૦. તિછલોક કૃષ્ણલેશી સમ્યદૃષ્ટિમાં ૦ ૧૮ ૯૦ પર ૧૬૧. તિર્થીલોકમાં પર્યાપ્તામાં ૦ ૨૪ ૧૦૧ ૩૬ ૧૬૨. દેવતા સમ્યમ્ દૃષ્ટિમાં ૦ ૦ ૦ ૧૬૨ ૧૬૩. સ્ત્રીવેદ અવધિ દર્શનમાં ૦ ૫ ૩૦ ૧૨૮ ૧૬૪. પ્રત્યેક શરીરી નોગર્ભજ એકાંત મિથ્યાત્વ દૃષ્ટિમાં " ૧ ૨૬ ૧૦૧ ૩૬ ૧૬૫. પંચેન્દ્રિય નપુંસક વેદમાં ૧૪ ૨૦ ૧૩૧ ૦ ૧૬૬. અભાષક મરવાવાળામાં ૦ ૩૫ ૧૩૧ ૦ ૧૬૭. કૃષ્ણલેશી ઘાણેન્દ્રિય વચનયોગી ૩ ૧૨ ૧૦૧ પ૧ ૧૬૮. કૃષ્ણલેશી વચનયોગીમાં ૩ ૧૩ ૧૦૧ પ૧ ૧૬૯. તિછલોકમાં નોગર્ભજ કૃષ્ણલેશી ત્રસમાં ' ૦ ૧૬ ૧૦૧ પર ૧૭૦. તેજોલેશી વચનયોગીમાં ૦ ૫ ૧૦૧ ૬૪ ૧૭૧. નોગર્ભજ કૃષ્ણલેશી ત્રસ મરવાવાળામાં ૩ ૧૬ ૧૦૧ ૫૧ ૧૭૨. કૃષ્ણલેશી સ્ત્રીવેદ સમ્યગૃષ્ટિમાં ૦ ૧૦ ૯૦ ૭ર ૧૭૩. તેજોલેશી અભાષકમાં ૦ ૮ ૧૦૧ ૬૪ ૧૭૪. નોગર્ભજ કૃષ્ણલેશી અપર્યાપ્તામાં ૩ ૧૯ ૧૦૧ ૫૧ ૧૭૫. દારિક શરીર ચાર લેશીમાં ૦ ૩ ૧૭ર ૦ ૧૭૬. લવણસમુદ્ર ત્રસ એકાંત મિથ્યાત્વીમાં ૦ ૮ ૧૬૮ ૦ ૧૭૭. તિછલોકમાં પંચેન્દ્રિય " સમ્ય દૃષ્ટિમાં ૦ ૧૫ ૯૦ ૭ર Page #351 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૨) િશ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૭૮. તિછલોકમાં ચક્ષુઇન્દ્રિય સમ્ય દૃષ્ટિમાં ૦ ૧૬ ૯૦ ૭ર ૧૭૯. તિછલોકમાં સમુચ્ચય નપુંસક વેદમાં ૦ ૪૮ ૧.૩૧ ૦ ૧૮૦. તિર્થીલોકમાં સમ્યમ્ દૃષ્ટિમાં ૦ ૧૮ ૯૦ ૭૨ ૧૮૧. નોગર્ભજ ચહ્યુઇન્દ્રિય સમ્યગ્ દૃષ્ટિમાં ૧૩ ૬ ૦ ૧૬૨ ૧૮૨. નોગર્ભજ ઘાણેન્દ્રિય સમ્ય દૃષ્ટિમાં ૧૩ ૭ ૦ ૧૬૨ ૧૮૩. નોગર્ભજ સમ્યગુ દૃષ્ટિમાં ૧૩ ૮ ૦ ૧૬૨ ૧૮૪. મિશ્રયોગી દેવ વૈક્રિય શરીરીમાં ૦ ૦ ૦ ૧૮૪ ૧૮૫. કૃષ્ણલેશી સમ્યગુ દૃષ્ટિમાં ૫ ૧૮ ૯૦ ૭ર ૧૮૬. નીલશી સમ્યમ્ દૃષ્ટિમાં ૬ ૧૮ ૯૦ ૭ર ૧૮૭. અભાષક મનુષ્ય એક સંસ્થાનીમાં ૦ ૦ ૧૮૭ ૦ ૧૮૮. વિર્ભાગજ્ઞાની દેવતાઓમાં ૦ ૦ ૦ ૧૮૮ ૧૮૯. તિછલોક નોગર્ભજ ત્રસમાં ૦ ૧૬ ૧૦૧ ૭ર ૧૯૦. લવણસમુદ્રમાં ચક્ષુઇન્દ્રિયમાં ૦ ૨૨ ૧૬૮ ૦ ૧૯૧. તિછલોક કૃષ્ણલશી નોગર્ભજમાં ૦ ૩૮ ૧૦૧ પર ૧૯૨. લવણસમુદ્રમાં ઘાણેન્દ્રિયમાં ૦ ૨૪ ૧૬૮ ૦ ૧૯૩. સમુચ્ચય નપુંસક વેદમાં ૧૪ ૪૮ ૧૩૧ ૦ ૧૯૪. લવણસમુદ્રમાં ત્રસજીવોમાં ૦ ૨૬ ૧૬૮ ૦ ૧૫. સમ્યમ્ દૃષ્ટિ વૈક્રિય શરીરમાં ૧૩ ૫ ૧૫ ૧૬૨ ૧૯૬. તેજલેશીમાં સન્ દૃષ્ટિમાં ૦ ૧૦ ૯૦ ૯૬ ૧૯૭. એક વેદી ચક્ષુઇન્દ્રિયમાં ૧૪ ૧૨ ૧૦૧ ૩૦ Page #352 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના પ૬૩ પ્રશ્નો ૧૯૮. એકાંત મિથ્યાત્વી અભાષકમાં ૧ ૨૨ ૧૫૭ ૧૮ ૧૯૯, નગર્ભજ વૈક્રિય મિશ્રયોગીમાં ૧૪ ૧ ૦ ૧૮૪ ર૦૦. વચનયોગી ત્રણ શરીરમાં ૭ ૮ ૮૬ ૯૯ ૨૦૧. એક વેદી ત્રસમાં ૧૪ ૧૬ ૧૦૧ ૭૦ ૨૦૨. નોગર્ભજ વિર્ભાગજ્ઞાનીમાં ૧૪ ૦ ૦ ૧૮૮ ૨૦૩. નોગર્ભજ વૈક્રિય શરીરી મિથ્યાત્વીમાં ૧૪ ૧ ૦ ૧૮૮ ર૦૪. એકાંત મિથ્યાત્વ દૃષ્ટિ ત્રણ શરીરી મરવાવાળામાં ૦ ૨૯ ૧૫૭ ૧૮ ૨૦૫. એકાંત મિથ્યાત્વદૃષ્ટિ મરવાવાળા ૦ ૩૦ ૧૫૭ ૧૮ ૨૦૬. લવણસમુદ્રમાં બાદરમાં ૦ ૩૮ ૧૬૮ ૦ ૨૦૭. મનયોગી મિથ્યાત્વીમાં ૭ ૫ ૧૦૧ ૯૪ ૨૦૮. ઘણા ભાવવાળા અવધિજ્ઞાનમાં ૧૩ ૫ ૩૦ ૧૬૦ ૨૦૯. સમુચ્ચય સંખ્યાત કાળના ત્રસ મરવાવાળામાં ૧ ૨૬ ૧૩૧ પ૧ ૨૧૦. અવધિજ્ઞાનીમાં ૧૩ ૫ ૩૦ ૧૬૨ ૨૧૧. તિછલોકમાં નો ગર્ભમાં ૦ ૩૮ ૧૦૧ ૭૨ ૨૧૨. મનયોગી જીવોમાં ૭ ૫ ૧૦૧ ૯૯ ૨૧૩. એકાંત મિથ્યાત્વી મનુષ્યોમાં ૦ ૦ ૨૧૩ ૦ ૨૧૪. મિથ્યાત્વી વૈક્રિય મિશ્રયોગમાં ૧૪ ૬ ૧૫ ૧૭૯ ૨૧૫. ઔદારિક તેજોલેક્ષામાં ૦ ૧૩ ૨૦૨ ૦ ૨૧૬. લવણસમુદ્રમાં ૦ ૪૮ ૧૬૮ ૦ ૨૧૭. વચનયોગી પંચેન્દ્રિયમાં ' ૭ ૧૦ ૧૦૧ ૯૯ ૨૧૮. ત્રસ વૈક્રિય મિશ્રમાં ૧૪ ૫ ૧૫ ૧૮૪ Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જેન થોક સંગ્રહ ૨૧૯. વૈક્રિય મિશ્રમાં ૧૪ ૬ ૧૫ ૧૮૪ ૨૨૦. વચનયોગીમાં ૭ ૧૩ ૧૦૧ ૯૯ ૨૨૧. અચરમ બાદર પર્યાપ્તમાં ૭ ૧૯ ૧૦૧ ૯૪ ૨૨૨. પંચેન્દ્રિય શાશ્વતમાં ૭ ૧૫ ૧૦૧ ૯૯ ૨૨૩. વૈક્રિય મિથ્યાત્વીમાં ૧૪ ૬ ૧૫ ૧૮૮ ૨૨૪. ચક્ષુઇન્દ્રિય શાશ્વતામાં ૭ ૧૭ ૧૦૧ ૯૯. ૨૨૫. પ્રત્યેક શરીર બાદર પર્યાપ્તામાં ૭ ૧૮ ૧૦૧ ૯૯ ૨૨૬. ઔદારિક શરીરી અપર્યાપ્તામાં ૦ ૨૪ ૨૦૨ ૦ ૨૨૭. નોગર્ભજ બાદર અભાષકમાં ૭ ૨૦ ૧૦૧ ૯૯ ૨૨૮. ત્રસ શાશ્વતામાં ૭ ૨૧ ૧૦૧ ૯૯ ૨૨૯. પ્રત્યેક શરીરી પર્યાપ્તામાં ૭ ૨૨ ૧૦૧ ૯૯ ૨૩૦. ત્રસ દારિક શરીરી અભાષક ૦ ૧૩ ૨૧૭ 0 ૨૩૧. પર્યાપ્ત જીવોમાં ૭ ૨૪ ૧૦૧ ૯૯ ૨૩૨. પંચેન્દ્રિય ઔદારિક મિશ્રયોગમાં ૦ ૧૫ ૨૧૭ ૦ ૨૩૩. વૈક્રિય શરીરમાં ૧૪ ૬ ૧૫ ૧૯૮ ૨૩૪. ઔદારિક મિશ્રયોગીમાં ઘાણેન્દ્રિયમાં 0 ૧૭ ૨૧૭ ૦ ૨૩પ. ઔદારિક મિશ્રયોગી ત્રસમાં ૦ ૧૮ ર૧૭ ૦ ૨૩૬. મનુષ્યની આગતિ નોગર્ભજમાં ૬ ૩૦ ૧૦૧ ૯૯ ૨૩૭. ઔદારિક શરીરી પંચેન્દ્રિય મરવાવાળામાં ૦ ૨૦ ૨૧૭ ૦ ૨૩૮. પ્રત્યેક શરીરી બાદર શાશ્વતમાં ૭ ૩૧ ૧૦૧ ૯૯ ૨૩૯, સમંદૃષ્ટિ મિશ્રયોગમાં ૧૩ ૧૮ ૬૦ ૧૪૮ ૨૪૦. શાશ્વત બાદરમાં ૭ ૩૩ ૧૦૧ ૯૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના ૫૬૩ પ્રશ્નો ઉ૩૫) ૨૪૧. પ્રત્યેક શરીર નોગર્ભજ મરનારામાં ૭ ૩૪ ૧૦૧ ૯૯ ર૪ર. બાદર ઔદારિક મિશ્રયોગમાં ૦ ૨૫ ૨૧૭ ૦ ૨૪૩. ઔદારિક એકાંત મિથ્યાત્વીમાં ૦ ૩૦ ૨૧૩ ૦ ૨૪૪. ત્રણ શરીર નોગર્ભજ મરનારામાં ૭ ૩૭ ૧૦૧ ૯૯ ૨૪૫. સમુચ્ચય અસંજ્ઞી ત્રસમાં ૧ ૨૧ ૧૭ર પ૧ ૨૪૬. પ્રત્યેક શરીરી શાશ્વતામાં ૭ ૩૯ ૧૦૧ ૯૯ ૨૪૭. અવધિદર્શનમાં ૧૪ ૫ ૩૦ ૧૯૮ ૨૪૮. તિર્યફ પંચેન્દ્રિય અપર્યાપ્તામાં ૦ ૧૦ ૨૦૨ ૩૬ ૨૪૯. તિર્યફ ચક્ષુ ઇન્દ્રિય અપર્યાપ્તામાં ૦ ૧૧ ૨૦૨ ૩૬ ૨૫૦. ભવ્ય સિદ્ધિ શાશ્વતમાં ૭ ૪૩ ૧૦૧ ૯૯ ૨પ૧. તિર્યફ ત્રસ અપર્યાપ્તામાં ૦ ૧૩ ૨૦૨ ૩૬ રપર. ઔદારિક અભાષકમાં ૦ ૩૫ ૨૧૭ ૦ ૨૫૩. મિશ્રયોગી મરનારામાં ૭ ૩૦ ૧૩૧ ૮૫ ૨પ૪. સ્ત્રીવેદ મિશ્રયોગમાં ૦ ૧૦ ૧૧૬ ૧૨૮ ૨૫૫. પંચેન્દ્રિય એકાંત મિથ્યાત્વીમાં ૧ ૫ ૨૧૩ ૩૬ ૨પ૬. ચક્ષુઇન્દ્રિય એકાંત મિથ્યાત્વીમાં ૧ ૬ ૨૧૩ ૩૬ ૨૫૭. ઘાણેન્દ્રિય એકાંત મિથ્યાત્વીમાં ૧ ૭ ૨૧૩ ૩૬ ૨૫૮. ત્રસ એકાંત મિથ્યાત્વીમાં ૧ ૨૧૩ ૩૬ ૨પ૯. ધર્મદેવની આગતિના ઘાણેન્દ્રિયમાં ૫ ૨૪ ૧૩૧ ૯૯ ર૬૦. પંચેન્દ્રિય ત્રણ શરીરી સમ્યફ દૃષ્ટિમાં ૧૩ ૧૦ ૫ ૧૬ર Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ર૬૧. કૃષ્ણલેશી અશાશ્વતામાં ૩ ૫ ૨૦૨ ૫૧ ૨૬૨. પુરૂષવેદી સમ્યક દૃષ્ટિમાં ૦ ૧૦ ૯૦ ૧૬૨ ૨૬૩. પ્રત્યે. શરીરી સમુચ્ચ. અસંજ્ઞીમાં ૧ ૩૯ ૧૭૨ ૫૧ ર૬૪. તિર્યફ કૃષ્ણલેશી સ્ત્રીવેદમાં ૦ ૧૦ ૨૦૨ પર ર૬પ. ઔદારિક શરીર મરનારામાં ૦ ૪૮ ૨૧૭ ૦. ર૬૬. પંચેન્દ્રિય કૃષ્ણલેશી અનાહારીમાં ૩ ૧૦ ૨૦૨ ૫૧ ર૬૭. ચક્ષુન્દ્રિય કૃષ્ણલેશી અનાહારીમાં ૩ ૧૧ ૨૦૨ ૫૧ ર૬૮. એક દૃષ્ટિ ત્રસકાયમાં ૧ ૮ ૨૧૩ ૪૬ ર૬૯. તિર્યફ કૃષ્ણલેશી ત્રસ મરનારામાં ૦ ર૬ ૨૧૭ ૨૬ ર૭૦. બાદર એકાંત મિથ્યાત્વીમાં ૧ ૨૦ ૨૧૩ ૩૬ ૨૭૧. મનુષ્ય આગતિના મિથ્યાત્વીમાં ૬ ૪૦ ૧૩૧ ૯૪ ર૭ર. મનુષ્યની આગતિ પ્ર. શરીરીમાં ૬ ૨૬ ૧૩૧ ૯૯ ૨૭૩. નીલેશી એકાંત મિથ્યાત્વીમાં ૦ ૩૦ ૨૧૩ 30 ૨૭૪. કૃષ્ણલેશી એકાંત મિથ્યાત્વીમાં ૧ ૩૦ ૨૧.૩ ૩૦ ર૭૫. ક્રિયાવાદી સમોસરણમાં ૧૩ ૧૦ ૯૦ ૧૬૨ ૨૭૬, મનુષ્યની આગતિમાં ૬ ૪૦ ૧૩૧ ૯૯ ૨૭૭. ચાર લેશ્યાવાળામાં ૦ ૩ ૧૭૨ ૧૦૨ ર૭૮. તિર્યફ બાદર અભાષકમાં ૦ ૨૫ ૨૧૭ ૩૬ ૨૭૯. ચક્ષુઇન્દ્રિય સમ્યમ્ દષ્ટિ ઘણા ભવવાળામાં ૧૩ ૧૬ ૯૦ ૧૬૦ ૨૮૦. પંચેન્દ્રિય સમ્યમ્ દૃષ્ટિમાં ૧૩ ૧૫ ૯૦ ૧૬૨ ૨૮૧. ચક્ષુઈન્દ્રિય " " ૧૩ ૧૬ ૯૦ ૧૬૨ ૨૮૨. ઘાણેન્દ્રિય " " ૧૩ ૧૭ ૯૦ ૧૬૨ ૨૮૩. ત્રસકાય " " ૧૩ ૧૮ ૯૦ ૧૬૨. Page #356 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના પ૬૩ પ્રશ્નો Uિહ૩૭ ૨૮૪. તિર્યફ લોકના પુરૂષદમાં ૦ ૧૦ ૨૦૨ ૭૨ ૨૮૫. ચક્ષુઈ. એક સંસ્થાન ઔદારિકમાં ૦ ૧૨ ૨૭૩ ૦ ૨૮૬. એક દૃષ્ટિવાળા પ્રત્યેક શરીરમાં ૧ ૨૬ ૨૧૩ ૪૬ ૨૮૭. તિર્યક તેજોલેશીમાં ૦ ૧૩ ૨૦૨ ૭૨ ૨૮૮. ત્રણ શરીરી મનુષ્યમાં ૦ ૦ ૨૮૮ ૦ ૨૮૯. ત્રસ એક સંસ્થાન ઔદારિકમાં ૦ ૧૬ ૨૭૩ ૦ ૧૦. એક દૃષ્ટિવાળા જીવોમાં ૧ ૩૦ ૨૧૩ ૪૬ - ૯૧. તિર્યફ કૃષ્ણલેશી મરનારામાં ૦ ૪૮ ૨૧૭ ૨૬ ૨૯૨. જ. અંત. ઉ. ૨ સાગર એક iઠાણ મરનારામાં ૨ ૩૮ ૧૮૭ ૬૫ ૨૯૩. ચક્ષુ છે. કૃષ્ણલેશી મરનારામાં ૩ ૨૨ ૨૧૭ પ૧ ર૯૪. નોગર્ભજની આગતિમાં કૃષ્ણલેશી ત્રસમાં ૦ ૨૬ ૨૧૭ પ૧ ૨૫. ઘાણેન્દ્રિય કૃષ્ણલેશી મરનારામાં ૩ ૨૪ ૨૧૭ ૫૧ ૨૯૬. એકાંત સંજ્ઞીમાં ૧૩ ૫ ૧૩૧ ૧૪૭ ર૯૭. ત્રસ કૃષ્ણલેશી મરનારામાં ૩ ૨૬ ૨૧૭ ૫૧ ર૯૮. પંચેન્દ્રિય અપર્યા. એક સંસ્થાની ૭ ૫ ૧૮૭ ૯૯ ૨૯૯. ચક્ષુઇ. અપર્યા. એક સંસ્થાનીમાં ૭ ૬ ૧૮૭ ૯૯ 300. સ્ત્રીવદ એક સંસ્થાની ૦ ૦ ૧૭૨ ૧૨૮ 30૧. એક સંસ્થાની દારિક બાદરમાં ૦ ૨૮ ૨૭૩ ૦. 30૨. ઘાણેન્દ્રિય એક સંસ્થાની અચરમ મરનારામાં ૭ ૧૪ ૧૮૭ ૯૪ 30૩. મનુષ્યમાં * * * ૦ ૦ ૩૦૩ ૦ ૩૦૪. નોગર્ભજ પંચેન્દ્રિય મિશ્રયોગીમાં ૧૪ ૫ ૧૦૧ ૧૮૪ -22 Page #357 -------------------------------------------------------------------------- ________________ ویج ઉ૩૮] ] શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩૦૫. સમ્યગૂ દૃષ્ટિ આગતિ - કૃષ્ણ લેશી બાદરમાં ૩ ૩૪ ૨૧૭ પ૧ ૩૦૬. તિર્યફ ઘાણેન્દ્રિય મિશ્રયોગમાં ૦ ૧૭ ૨૧૭ ૭ર ૩૦૭. તિર્યફ ત્રસ મિયોગીમાં ૦ ૧૮ ૨૧૭૭૨ ૩૦૮. અશાશ્વતા મિથ્યાત્વીમાં ૭ ૫ ૨૦૨ ૯૪ ઉ૦૯. સમ્યફ દૃષ્ટિ આગતિ એક સંસ્થાની ત્રસમાં ૭ ૧૬ ૧૮૭ ૯૯ ૩૧૦. ઔદારિક ત્રણ શરીરી એક સંસ્થાનીમાં ૦ ૩૭ ૩૧૧. ઔદારિક એક સંસ્થાનીમાં ૦ ૩૮ ૨૭૩ ૦ ૩૧૨. નોગર્ભજની આગતિ કૃષ્ણ લેશી - પ્રત્યેક શરીરી ૦ ૪૪ ૨૧૭ પ૧ ૩૧૩. અશાશ્વતામાં ૭ ૫ ૨૦૨ ૯૯ ૩૧૪. કૃષ્ણલેશી સ્ત્રીવેદમાં ૦ ૧૦ ૨૦૨ ૧૦૨ ૩૧૫. પ્ર. શરીરી કૃષ્ણલેશી મરનારમાં ૩ ૪૪ ૨૧૭ ૫૧ ૩૧૬. ત્રસ અનાહારી અચરમમાં ૭ ૧૩ ૨૦૨ ૯૪ ૩૧૭. નોગર્ભજ ઘાણેન્દ્રિય મિથ્યાત્વીમાં ૧૪ ૧૪ ૧૦૧ ૧૮૮ ૩૧૮. શ્રોત્રેન્દ્રિય અપર્યાપ્તામાં ૭ ૧૦ ૨૦૨ ૯૯ ૩૧૯. કૃષ્ણલેશી મરનારમાં ૩ ૪૮ ૨૧૭ પ૧ ૩૨૦. ત્રણ શરીરી સ્ત્રીવેદમાં ૦ ૫ ૧૮૭ ૧૨૮ ૩૨૧. ત્રણ અપર્યાપ્તામાં ૭ ૧૩ ૨૦૨ ૯૯ ૩૨૨. બાદર અનાહારી અચરમમાં ૭ ૧૯ ૨૦૨ ૯૪ * ૩૨૩. નોગર્ભજ પંચેન્દ્રિયમાં ૧૪ ૧૦ ૧૦૧ ૧૯૮ Page #358 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના પ૬૩ પ્રશ્નો ઉ૩૯) ૩૨૪. ત્રણ શરીરી ત્રસ મિથ્યાત્વી મરનારામાં ૭ ૨૧ ૨૦૨ ૯૪ ૩૨૫. ઔદારિક ચક્ષુઇન્દ્રિયમાં ૦ ૨૨ ૩૦૩ ૦. ૩૨૬. મિથ્યાત્વી એક સંસ્થાની મરનાર ૭ ૩૮ ૧૮૭ ૯૪ ૩ર૭. નોગર્ભજ ઘાણેન્દ્રિયમાં ૧૪ ૧૪ ૧૦૧ ૧૯૮ ૩૨૮. બાદર અભાષક અચરમમાં ૭ ૨૫ ૨૦૨ ૯૪ ૩૨૯. ઔદારિક ત્રસમાં ૦ ૨૬ ૩૦૩ ૦ ૩૩૦. ઔદારિક એકાંત ભવધારણી દેહમાં ૦ ૪૨ ૨૮૮ ૦ ૩૩૧. નોગર્ભજ બાદર મિથ્યાત્વીમાં ૧૪ ૨૮ ૧૦૧ ૧૮૮ ૩૩૨. ત્રસ મિથ્યાત્વી એકાંત સંખ્યાતાકાળની સ્થિતિવાળા ૭ ૨૪ ૨૦૭ ૯૪ ૩૩૩. ચક્ષુઈન્દ્રિય એકાંત સંખ્યાતા કાળની સ્થિતિવાળા ૭ ૨૦ ૨૦૭ ૩૩૪. તિફ અધોલોકની સ્ત્રીમાં ૦ ૧૦ ૨૦૨ ૧૨૨ ૩૩૫. ઘાણેન્દ્રિય એકાંત સંખ્યાતાકાળની સ્થિતિવાળા ૭ ૨૨ ૨૦૭ ૯૯ ૩૩૬. કાર્પણ યોગ ત્રસમાં ૭ ૧૩ ૨૧૭ ૯૯ ૩૩૭. નોગર્ભજ પ્ર. શરીરી અચરમમાં ૧૪ ૩૪ ૧૦૧ ૧૮૮ ૩૩૮. અભાષક અચરમમાં ૭ ૩૫ ૨૦૨ ૯૪ ૩૩૯. ઉર્ધ્વ તિર્યકરના મરનારામાં ૦ ૪૮ ૨૧૭ ૭૪ ૩૪૦. નોગર્ભજ બાદર ત્રણ શરીરમાં ૧૪ ૨૭ ૧૦૧ ૧૯૮ ૩૪૧. ઔદારિક બાદરમાં ૦ ૩૮ ૩૦૩ ૦ ૩૪૨. ઘાણેન્દ્રિયમાં મિથ્યા. મરનારમાં ૭ ૨૪ ૨૧૭ ૯૪ Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉ૪Eી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩૪૩. તેજો લેશ્યાવાળા જીવોમાં ૦ ૧૩ ૨૦૨ ૧૨૮ ૩૪૪. ત્રસ મિથ્યા. મરનારમાં ૭ ૨૬ ૨૧૭ ૯૪ ૩૪૫. ત્રણ શરીરી મિથ્યા. મરનારમાં ૭ ૪ર ર૦ર ૯૪ ૩૪૬. પ્રત્યેક શરીરી જ. એ. ઉ. ૧૬ સાગર સ્થિતિ મરનારામાં ૫ ૪૪ ૨૧૭ ૮૦ ૩૪૭. અનાહારક જીવોમાં ૭ ૨૪ ૨૧૭ ૯૯ - ૩૪૮. બાદર અભાષકમાં ૭ ૨૫ ૨૧૭ ૯૯ ૩૪૯. સપણે મરનારમાં ૭ ૨૬ ૨૧૭ ૯૯ ૩૫૦. નોગર્ભજ ત્રણ શરીરમાં ૧૪ ૩૭ ૧૦૧ ૧૯૮ ૩૫૧. દારિક શરીરમાં ૦ ૪૮ ૩૦૩ ૦ ૩પર. જ. અં. ઉ. ૧૭ સાગરની સ્થિતિના મરનારમાં ૬ ૪૮ ૨૧૭ ૮૧ ૩૫૩. નોગર્ભજની ગતિના ત્રણ ત્રણ શરીરમાં ૨ ૨૧ ૨૨૮ ૧૦૨ ૩૫૪. મિથ્યા. એકાંત સંખ્યા સ્થિતિમાં ૭ ૪૬ ૨૦૭ ૯૪ ૩૫૫. તિર્યફ લોક પંચે. એક સંસ્થાનીમાં ૦ ૧૦ ૨૭૩ ૭ર ૩પ૬. બાદર મિથ્યા. મરનારમાં ૭ ૩૮ ૨૧૭ ૯૪ ૩પ૭. સય. આગતિના બાદરમાં ૭ ૩૪ ૨૧૭ ૯૯ ૩૫૮. અભાષકમાં ૭ ૩૫ ૨૧૭ ૯૯ ૩૫૯. તિર્યફ ઘાણેન્દ્રિય એક સંસ્થાનીમાં ૦ ૧૪ ૨૭૩ ૭ર ૩૬૦. ઉર્ધ્વલોક તિર્યક પુરૂષવેદમાં ૦ ૧૦ ૨૦૨ ૧૪૮ ૩૬૧. તિર્યફ ત્રસ એક સંસ્થાનીમાં ૦ ૧૬ ૨૭૩ ૭૨ ૩૬૨.પ્ર. શરીરી મિથ્યા. મરનારામાં ૭ ૪૪ ૨૧૭ ૯૪ ૩૩. સમ્ય. આગતિમાં ૭ ૪૦ ૨૧૭ ૯૯ Page #360 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના ૫૬૩ પ્રશ્નો ઉ૪૧ ૩૬૪. નાગર્ભજન ગતિના બાદ૨ ત્રણ શરીરીમાં ૩૬૫. ૪. અં. ૩. ૨૯ સાગરની સ્થિતિએ મરનારામાં ૩૬૬. મિથ્યાત્વમાં મરનારામાં ૩૬૭. પ્રત્યેક શરીરી મરનારામાં O ૭ ૧૭૨ ૧૯૬ ૩૬૮. પુરૂષ એક સંસ્થાની ઘણા ભવવાળામાં ૩૬૯. અધોલોક તિર્થક્ ચક્ષુ. મિશ્રયોગી ૧૪ ૧૬ ૨૧૭ ૧૨૨ ૩૭૦. કૃષ્ણલેશી સંખ્યા. સ્થિતિવાળામાં ૩૭૧. સમુચ્ચય મરનારામાં ૩૭૨. તિર્યક્ કૃષ્ણલેશી ત્રણ ૩ ૪૮ ૨૧૭ ૧૦૨ ૭ ૪૮ ૨૧૭ ૯૯ શ૨ી૨ી બાદરમાં ૩૭૩. તિર્યક્ બાદર એક સંસ્થાનીમાં ૩૭૪ બાદ૨ કૃષ્ણ. એકાંત ભવધારણી દેહમાં ૩૭૫. તિર્યક્ પંચેન્દ્રિય કૃષ્ણલેશીમાં ૩૭૬. એક સંસ્થાની મિશ્રયોગી પંચેન્દ્રિય અનેરિયામાં ર ૭ ૩ ૭ ૩૨ ૨૮૮ પર ૦ ૨૮ ૨૭૩ ૭૨ ૩૭૭. તિર્યક્ ચક્ષુ. કૃષ્ણલેશીમાં ૩૭૮. ભુજ૫૨ની ગતના પંચે. સંશીમાં ૩૭૯. તિર્યક્ ઘાણેન્દ્રિય કૃષ્ણલેશીમાં ૩૮૦. પુરૂષ ત્રણ શરી૨ી અંચરમમાં . ભવધા૨ણી -- વૈક્રિય લબ્ધિ નફોરવું તે. ૩૨ ૨૨૮ ૧૦૨ ૦ ૪ ૪૮ ૨૧૭ ૯૩ ૪૮ ૨૧૭ ૯૪ ૪૪ ૨૧૭ ૯૯ ૩૨ ૨૮૮ ૫૧ ૨૦ ૩૦૩ પર ૫ ૧૮૭ ૧૮૪ ૨૨ ૩૦૩ પર ૧૦ ૨૦૨ ૧૬૨ ૨૪ ૩૦૩ પર ૭ ૦ ૫ ૧૮૭ ૧૮૮ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩૮૧. તિર્યકુ ત્રસ કૃષ્ણલેશીમાં ૦ ૨૬ ૩૦૩ પર ૩૮૨. તિર્યફ ત્રણ શરીરી કૃષ્ણલેશીમાં ૦ ૪૨ ૨૮૮ પર ૩૮૩. તિર્યફ એક સંસ્થાનીમાં ૦ ૩૮ ૨૭૩ ૭ર ૩૮૪. સંજ્ઞી " " ૧૪ ૦ ૧૭૨ ૧૯૮ ૩૮૫. નોગર્ભજની ગતના બાદરમાં ૨ ૩૮ ૨૪૩ ૧૦૨ ૩૮૬. અધોલોક તિર્યફ બાદર પ્રત્યેક ભવધારણી અવગાહના ૭ ૩૦ ૨૮૮ ૬૧ ૩૮૭. ઉર્ધ્વલોક તિર્યક્ ત્રસ મિથ્યા એકાંત ભવધારણી દેહમાં ૦ ૨૧ ૨૮૮ ૭૮ ૩૮૮. અધોલોકમાં તિર્યફ એકાંત ભવધારણી દેહ બાદરમાં ૭ ૩૨ ૨૮૮ ૬૧ ૩૮૯. સંજ્ઞી અભવ્ય ત્રણ શરીરી અતિર્યંચમાં ૧૪ ૦ ૧૮૭ ૧૮૮ ૩૯૦. પુરૂષવેદ ત્રણ શરીરમાં ૦ ૫ ૧૮૭ ૧૯૮ ૩૯૧. પંચેન્દ્રિય કૃષ્ણ. એક સંસ્થાની ૬ ૧૦ ૨૭૩ ૧૦૨ ૩૯૨. તિફ બાદર ત્રણ શરીરમાં ૦ ૩૨ ૨૮૮ ૭૨ ૩૯૩. તિફ બાદર કૃષ્ણલેશીમાં ૦ ૩૮ ૩૦૩ પર ૩૯૪. સંજ્ઞી અભવ્ય ત્રણ શરીરમાં ૧૪ ૫ ૧૮૭ ૧૮૮ ૩૯૫. તિર્યફ પંચેન્દ્રિયમાં ૦ ૨૦ ૩૦૩ ૭ર ૩૯૬. પુરૂષવેદીમાં મિથ્યાષ્ટિ જ. અં. ઉ. ૨૮ સાગરની સ્થિતિમાં ૦ ૧૦ ૨૦૨ ૧૮૪ ૩૯૭. તિર્યફ ચક્ષુઈન્દ્રિયમાં ૦ ૨૨ ૩૦૩ ૭૨ ૩૯૮. અધોલોકમાં તિર્યફ એકાંત ભવધારી દેહમાં ૭ ૪૨ ૨૮૮ ૬૧ Page #362 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના ૫૬૩ પ્રશ્નો હાઉ૪૩) ૩૯૯. તિર્યકુ ઘાણેન્દ્રિયમાં ૦ ૨૪ ૩૦૩ ૭૨ ૪00. અભવ્ય પુરૂષ વેદમાં ૦ ૧૦ ૨૦૨ ૧૮૮ ૪૦૧. તિર્યફ ત્રસ જીવોમાં ૦ ૨૬ ૩૦૩ ૭ર ૪૦૨. તિર્યફ ત્રણ શરીરી ૦ ૪૨ ૨૮૮ ૭ર ૪૦૩. તિર્યફ કૃષ્ણલેશીમાં ૦ ૪૮ ૩૦૩ પર ૪૦૪. સમુ. સંજ્ઞી અસં. ભવવાળા અતિર્યંચમાં ૧૪ ૦ ૨૦૨ ૧૮૮ ૪૦૫. ઉપરની ગતના ચક્ષુઇન્દ્રિય મિશ્રયોગમાં ૧૦ ૧૭ ૨૧૭ ૧૬૨ ૪૦૬. ઉપરની ગતના ઘાણેન્દ્રિય મિશ્રયોગમાં ૧૦ ૧૬ ૨૧૭ ૧૬૨ ૪૦૭. બાદર પ્ર. કૃષ્ણ એક સંસ્થાનીમાં ૬ ૨૬ ૨૭૩ ૧૦૨ ૪૦૮, તિર્યફ એકાંત છદ્મસ્થમાં ૦ ૪૮ ૨૮૮ ૭ર ૪૦૯, બાદર કૃષ્ણ એક સંસ્થાનીમાં ૬ ૨૮ ૨૭૩ ૧૦૨ ૪૧૦. પુરૂષવેદમાં ૦ ૧૦ ૨૦૨ ૧૯૮ ૪૧૧. તિર્યફ પ્ર. શરીરી બાદરમાં ૦ ૩૬ ૩૦૩ ૭ર ૪૧ર. સ્ત્રીની ગતના, સંજ્ઞી મિથ્યા.માં ૧૨ ૧૦ ૨૦૨ ૧૮૮ ૪૧૩. પ્રશસ્ત લેશ્યામાં ૦ ૧૩ ૨૦૨ ૧૯૮ ૪૧૪. સંજ્ઞી મિથ્યાત્વીમાં ૧૪ ૧૦ ૨૦૨ ૧૮૮ ૪૧૫. પ્ર. શરીરી કૃષ્ણ. એક સંસ્થાની ૬ ૩૪ ૨૭૩ ૧૦૨ ૪૧૬. અપ્રશસ્તલેશી ત્રણ શરીરી બા. એક સંસ્થાનીમાં ૧૪ ૨૭૩ ૧૦૨ ૪૧૭. સ્ત્રીની ગત કૃષ્ણ. એક સંસ્થાની ૪ ૩૮ ૨૭૩ ૧૦૨ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ૪૧૮, પ્ર. બાદ૨ એક સંસ્થા. એકાંત ભવ ધારણી દેહમાં શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૪૧૯. કૃષ્ણલેશ્યા એક સંસ્થાનીમાં ૪૨૦. મિશ્રયોગી બાદર એકાંત અસંયમમાં ૪૨૮. કૃષ્ણ, બાદર ત્રણ શ૨ી૨ીમાં ૪૨૯. કૃષ્ણ. બાદ૨ એકાંત અસંયમમાં ૪૩૦. સ્ત્રીની ગતના ત્રસ મિશ્ર દૃષ્ટિ ૪૨૧. સ્ત્રીની ગતના અપ્રશસ્ત લેશી પ્ર. શરીર એક સંસ્થાનીમાં ૪૨૨. સ્ત્રીની ગતના સંશીમાં ૪૨૩. પ્ર. શરીરી મિશ્રયોગી એકાંત અસંયમમાં ૧૪ ૨૩ ૨૦૨ ૧૮૪ ૪૨૪. સમુચ્ચય સંશીમાં ૧૪ ૧૦ ૨૦૨ ૧૯૮ ૪૨૫. મિશ્રયોગી એકાંત અપચ્ચક્રૃખાણી ૧૪૨૫ ૨૦૨ ૧૮૪ ૪૨૬. કૃષ્ણલેશી બાદ૨ પ્ર. ત્રણ શ૨ી૨ી ૬ ૩૦ ૨૮૮ ૧૦૨ ૪૨૭. અપ્રશસ્ત લેશી એક સંસ્થાનીમાં ૧૪ ૩૮ ૨૭૩ ૧૦૨ દ ૩૨ ૨૮૮ ૧૦૨ ૬ ૩૩ ૨૮૮ ૧૦૨ ઘણા ભવવાળા ૪૩૧. સ્ત્રીની ગતના ત્રસ મિશ્ર ૪૩૨. ત્રસ મિશ્રયોગી સંખ્યા. ભવવાળા ૪૩૩. ત્રસ મિશ્રયોગી ૨૫ ૨૭૩ ૧૧૩ ૩૮ ૨૭૩ ૧૦૨ ૪૩૪. કૃષ્ણ પ્ર, ત્રણ શ૨ી૨ીમાં ૪૩૫. મિશ્રયોગી બાદર મિથ્યાત્વી ૪૩૬. બા. ત્રણ શરીરી અપશસ્તલેશી ૧૪ ૨૦ ૨૦૨ ૧૮૪ ૧૨ ૩૪ ૨૭૩ ૧૦૨ ૧૨ ૧૦ ૨૦૨ ૧૯૮ ૧૨ ૧૮ ૨૧૭ ૧૮૩ ૧૨ ૧૮ ૨૧૭ ૧૮૪ ૧૪ ૧૮ ૨૧૭ ૧૮૩ ૧૪ ૧૮ ૨૧૭ ૧૮૪ દ ૩૮ ૨૮૮ ૧૦૨ ૧૪ ૨૫ ૨૧૭ ૧૭૯ ૧૪ ૩૨ ૨૮૮ ૧૦૨ Page #364 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના પ૬૩ પ્રશ્નો 0િ8૪૫] ૪૩૭. બાદર એકાંત અપચ્ચક્ખાણી અપ્રશસ્તલેશીમાં ૧૪ ૩૩ ૨૮૮ ૧૦૨ ૪૩૮. કૃષ્ણવેશી ત્રણ શરીરમાં ૬ ૪૨ ૨૮૮ ૧૦૨ ૪૩૯. કૃષ્ણશી એકાંત અપચ્ચકખાણી ૬ ૪૩ ૨૮૮ ૧૦૨ ૪૪૦ મિશ્રયોગ બાદરમાં ૧૪ ૨૫ ૨૧૭ ૧૮૪ ૪૪૧. અધોલોક તિર્યના ચક્ષુઈન્દ્રિય ત્રણ શરીરી ૧૪ ૧૭ ૨૮૮ ૧૨૨ ૪૪૨. પ્ર. ત્રણ શરીરી અપ્રશ.લેશીમાં ૧૪ ૩૮ ૨૮૮ ૧૦૨ ૪૪૩. પ્ર. મિશ્ર યોગીમાં ૧૪ ૩૮ ૨૮૮ ૧૦૨ ૪૪૪. પ્રત્યેક એકાંત ભવધારણી દેહ ઘણા ભવવાળા ૭ ૩૮ ૨૮૮ ૧૧૧ ૪૪૫. અધો. તિ. ત્રણ શરીરી ત્રસમાં ૧૪ ૨૧ ૨૮૮ ૧૨૨ ૪૪૬. અપ્ર. લેશ્યા ત્રણ શરીરી ૧૪ ૪૨ ૨૮૮ ૧૦૨ ૪૪૭. એકાંત અસંયમ અપ્રશસ્તલેશી ૧૪ ૪૩ ૨૮૮ ૧૦૨ ૪૪૮. એકાંત ભવ. દેહ ઘણા ભવવાળા ૭ ૪૨ ૨૮૮ ૧૧૧ ૪૪૯. સ્ત્રીગતિના એકાંત ભવધા. દેહ ૬ ૪૨ ૨૮૮ ૧૧૩ ૪૫૦. ભવસિદ્ધિ એકાંત " " ૭ ૪ર ૨૮૮ ૧૧૩ ૪૫૧. ઉપરની ગત કૃષ્ણ. પ્ર. શરીરી ૨ ૪૪ ૩૦૩ ૧૦૨ ૪પર. ભુજપરની ગતના અધો. તિર્યક પ્રત્યેક ત્રણ શરીરી ૪ ૩૮ ૨૮૮ ૧૨૨ ૪૫૩. સ્ત્રીની ગત કૃષ્ણ પ્રત્યેક શરીરી ૪ ૪૪ ૩૦૩ ૧૦૨ ૪૫૪. ઉર્ધ્વ તિર્યફ એકાંત છદ્મસ્થ 'પંચેન્દ્રિય ઘણા ભવમાં ૦ ૨૦ ૨૮૮ ૧૪૬ ૪૫૫. કૃષ્ણલેશી પ્રત્યેક શરીરી ૬ ૪૪ ૩૦૩ ૧૦૨ Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉ૪)ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૪પ૬. અધો. તિ. ત્રણ શરીરી બાદર ૧૪ ૩૨ ૨૮૮ ૧૨૨ ૪૫૭. અપ્રસ્તલેશી બાદર ૧૪ ૩૮ ૩૦૩ ૧૦૨ ૪૫૮. ઉર્ધ્વ તિ ના એકાંત છદ્મસ્થ ચક્ષુ. ૦ ૨૨ ૨૮૮ ૧૪૮ ૪૫૯. ઉર્ધ્વ તિર્યકના એક સંસ્થાનીમાં ૦ ૩૮ ૨૭૩ ૧૪૮ ૪૬૦. ઉર્ધ્વ તિર્યફ એકાંત છબસ્થ ઘાણ. ૦ ૨૪ ૨૮૮ ૧૪૮ ૪૬૧. અધોલોક તિ. ના ચક્ષુ ઇન્દ્રિયમાં ૧૪ ૨૨ ૩૦૩ ૧૨૨ ૪૬૨. " " બાદર એકાંત છદ્મસ્થ ૧૪ ૩૮ ૨૮૮ ૧૨૨ ૪૬૩. " " ઘાણેન્દ્રિયમાં ૧૪ ૨૪ ૩૦૩ ૧૨૨ ૪૬૪. સ્ત્રીગતિના અધોલોક તિર્યક ત્રણ શરીરી ૧૨ ૪૨ ૨૮૮ ૧૨૨ ૪૬૫. અધો. તિર્યકના ત્રણ ૧૪ ૨૬ ૩૦૩ ૧૨૨ ૪૬૬. અધો. તિ. ત્રણ શરીરી ૧૪ ૪૨ ૨૮૮ ૧૨૨ ૪૬૭. અપ્રશસ્ત લેશ્યામાં ૧૪ ૪૮ ૩૦૩ ૧૦૨ ૪૬૮, ઉર્ધ્વ. તિ. ત્રણ શરીરી બાદર ૦ ૩૨ ૨૮૮ ૧૪૮ ૪૬૯, " " એકાંત અસંયમ બાદ૨ ૦ ૩૩ ૨૮૮ ૧૪૮ ૪૭૦. અધો. "" છબસ્થ સ્ત્રી ગતિમાં ૧૨ ૪૮ ૨૮૮ ૧૨૨ ૪૭૧. ઉર્ધ્વ. " પંચેન્દ્રિયમાં ૦ ૨૦ ૩૦૩ ૧૪૮ ૪૭૨. અધો. તિ. એકાંત છવસ્થ ૧૪ ૪૮ ૨૮૮ ૧૨૨ ૪૭૩. ઉર્ધ્વ. તિ. ચક્ષુ ઇન્દ્રિયમાં ૦ ૨૨ ૩૦૩ ૧૪૮ ૪૭૪. ઉર્ધ્વ તિ. એકાંત છબસ્થ બાદર ૦ ૩૮ ૨૮૮ ૧૪૮ ૪૭પ. ઉર્ધ્વ. તિ. ઘાણેન્દ્રિયમાં ૦ ૨૪ ૩૦૩ ૧૪૮ ૪૭૬. " તિ.ત્રણ શરીરી ઘણાભવવાળા ૦ ૪ર ૨૮૮ ૧૪૬ ૪૭૭. ઉર્ધ્વ, તિર્યફ ત્રસમાં ૧ ૦ ૨૬ ૩૦૩ ૧૪૮ ૪૭૮. ઉર્ધ્વ તિર્યફ ત્રણ શરીરમાં ૦ ૪૨ ૨૮૮ ૧૪૮ Page #366 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના ૫૬૩ પ્રશ્નો ની ઉ૪૭ ૪૭૯. ઉર્ધ્વ તિર્યક્ એકાંત અસંયમમાં O ૪૩ ૨૮૮ ૧૪૮ #1 # ૪૮૦. એકાંત છદ્મસ્થ પ્ર. શરીરી O ૪૪ ૨૮૮ ૧૪૮ ૪૮૧. સ્ત્રીની ગતના અધો તિર્યક્ પ્રત્યેક શરીરીમાં ૪૮૨. ઉર્ધ્વ તિń એકાંત છદ્મસ્થ ઘણા ભવવાળા ૪૮૩. અધો તિર્ણ પ્રત્યેક શરીરીમાં ૪૮૪, ઉર્ધ્વ તિń એકાંત છદ્મસ્થમાં ૪૮૫. સ્ત્રીની ગતના અધો તિર્યક્માં ૪૮૬. ભુજપ૨ની ગતના ત્રણ શ૨ી૨ી બાદ૨ ૪૮૭. અધો તિń લોકમાં ૪૮૮. ખેચ૨ની ગતના ત્રણ શ૨ી૨ી બાદ૨માં ૪૮૯. ઉર્ધ્વ તિń બાદરમાં ૪૯૦. સ્થળચરની ગતના ત્રણ શરી૨ી બાદ૨ ૪૯૧, ખેચરની ગતના પંચેન્દ્રિયમાં ૪૯૨. ઉ૨૫૨ની ગતના ત્રણ શરીરી બાદર ૪૯૩, ઉર્ધ્વ તિń પ્રત્યેક શરીરી ઘણા ભવવાળા ૪૯૪. ખેચરની ગતના પ્રત્યેક ત્રણ શરીરીમાં ૧૨ ૪૪ ૩૦૩ ૧૨૨ O ૪૮ ૨૮૮ ૧૪૬ ૧૪ ૪૪ ૩૦૩ ૧૨૨ 0 ૪૮ ૨૮૮ ૧૪૮ ૧૨ ૪૮ ૩૦૩ ૧૨૨ ૪ ૩૨ ૨૮૮ ૧૬૨ ૧૪ ૪૮ ૩૦૩ ૧૨૨ ૬ ૩૨ ૨૮૮ ૧૬૨ ૦ ૩૮ ૩૦૩ ૧૪૮ ८ ૬ ૩૨ ૨૮૮ ૧૬૨ ૨૦ ૩૦૩ ૧૬૨ ૧૦ ૩૨ ૨૮૮ ૧૬૨ ૪૪ ૩૦૩ ૧૪૬ ૩૮ ૨૮૮ ૧૬૨ Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૪૯૫. ઉર્ધ્વ તિર્જા પ્રત્યેક શરીરીમાં ૦ ૪૪ ૩૦૩ ૧૪૮ ૪૯૬. ભૂજપરની ગતના 3 શરીરીમાં ૪ ૪૨ ૨૮૮ ૧૬૨ ૪૯૭. ખેચરની ગતના ત્રસમાં ૬ ૨૬ ૩૦૩ ૧૬ર ૪૯૮. ખેચરની ગતના ત્રણ શરીરમાં ૬ ૪૨ ૨૮૮ ૧૬૨ ૪૯૯. ઉર્ધ્વ તિછ લોકમાં ૦ ૪૮ ૩૦૩ ૧૪૮ ૫૦૦. સ્થળચરની ગતના ૩ શરીરીમાં ૮ ૪૨ ૨૮૮ ૧૬૨ ૫૦૧. ત્રસ એક સંસ્થાનીમાં ૧૪ ૧૬ ૨૭૩ ૧૯૮ ૫૦૨. ઉપરની ગતના ૩ શરીરમાં ૧૦ ૪૨ ૨૮૮ ૧૬૨ ૫૦૩. સંજ્ઞી તિર્યંચની ગતના ઘાણે.માં ૧૪ ૨૪ ૩૦૩ ૧૬૨ ૫૦૪. ખેચરની ગતના એકાંત છઘ.માં ૬ ૪૮ ૨૮૮ ૧૬૨ ૫૦૫. સંજ્ઞી તિર્યંચની ગતના ત્રસમાં ૧૪ ર૬ ૩૦૩ ૧૬૨ ૫૦૬. સંજ્ઞી તિર્ય.ની ગતના ૩ શરીરી ૧૪ ૪૨ ૨૮૮ ૧૬૨ ૫૦૭. અંતરદ્વીપના પર્યાપ્તાના અલદ્ધિયા (વજીને) માં ૧૪ ૪૮ ૨૪૭ ૧૯૮ ૫૦૮. ઉરપર તિર્યંચની ગતના એકાંત સકષાયીમાં ૧૦ ૪૮ ૨૮૮ ૧૬૨ ૫૦૯. સ્થળચર તિર્યંચની ગતના પ્રત્યેક શરીરી બાદરમાં ૮ ૩૦૩ ૧૬૨ ૫૧૦. તિર્યંચાણીની ગતના એકાંત સયોગી ૧૨ ૪૮ ૨૮૮ ૧૬ર. પ૧૧. એક સંસ્થાની પ્ર. શરીરી બાદર ૧૪ ર૬ ૨૭૩ ૧૯૮ ૫૧૨. તિર્યંચની ગત એકાંત સયોગીમાં ૧૪ ૪૮ ૨૮૮ ૧દર પ૧૩. એક સંસ્થાની મિથ્યાત્વીમાં ૧૪ ૧૮ ૨૭૩ ૧૮૮ Page #368 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના પ૩ પ્રશ્નો | RDઉ૪૯) ૫૧૪. મધ્ય જીવોને સ્પર્શનારા એકાંત છદ્મસ્થ ચક્ષુઇન્દ્રિયમાં ૧૪ ૨૨ ૨૮૮ ૧૯૦ ૫૧૫. તિર્યંચાણીની ગતના બાદરમાં ૧૨ ૩૮ ૩૦૩ ૧૬૨ ૫૧૬, મધ્ય જીવોને સ્પર્શનારા એકાંત છધસ્થ ઘાણેન્દ્રિયમાં ૧૪ ૨૪ ૨૮૮ ૧૯૦ ૫૧૭. એક સંસ્થાન સ્ત્રીની ગતના પ્રત્યેક શરીરમાં ૧૨ ૩૪ ૨૭૩ ૧૯૮ ૫૧૮, પંચેન્દ્રિયમાં એકાંત છદ્મસ્થ ઘણા ભવવાળા ૧૪ ૨૦ ૨૮૮ ૧૯૬ ૫૧૯. ઘાણેન્દ્રિય એકાંત છદ્મસ્થ અસંયમમાં ૧૪ ૧૯ ૨૮૮ ૧૯૮ પર૦. પંચેન્દ્રિય એકાંત છદ્મસ્થમાં ૧૪ ૨૦ ૨૮૮ ૧૯૮ પર૧. એક સંસ્થાની ઘણા ભવવાળામાં ૧૪ ૩૮ ૨૭૩ ૧૯૬ પર૨. એકાંત સકષાય ચક્ષુ ઇન્દ્રિયમાં ૧૪ ૨૨ ૨૮૮ ૧૯૮ પર૩. એક સંસ્થાનીમાં ૧૪ ૩૮ ૨૭૩ ૧૯૮ પર૪. એકાંત સકષાયી ઘાણેન્દ્રિયમાં ૧૪ ૨૪ ૨૮૮ ૧૯૮ પરપ. પંચેન્દ્રિય મિથ્યાત્વીમાં ૧૪ ૨૦ ૩૦૩ ૧૮૮ પર૬. એકાંત સકષાય ત્રસમાં ૧૪ ૨૬ ૨૮૮ ૧૯૮ પર૭. તિર્યંચની ગતમાં ૧૪ ૪૮ ૩૦૩ ૧૬૨ પ૨૮, એકાંત છદ્મસ્થ બાદર મિથ્યાત્વી ૧૪ ૩૮ ૨૮૮ ૧૮૮ પ૨૯, સ્ત્રીની ગતના ત્રસ મિથ્યાત્વીમાં ૧૨ ૨૬ ૩૦૩ ૧૮૮ પ૩૦. સ્ત્રીની ગતના ત્રણ શરીરી બાદર એકાંત સકષાયીમાં ૧૨ ૨૮૮ ૧૯૮ Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉપ0િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ૩૧. સ્ત્રીની ગતના પંચેન્દ્રિય સંખ્યાતા ભવવાળામાં ૧૨ ૨૦ ૩૦૩ ૧૯૬ પ૩૨. ત્રણ શરીરી બાદરમાં ૧૪ ૩૨ ૨૮૮ ૧૯૮ પ૩૩. એકાંત અસંયમ બાદરમાં ૧૪ ૩૩ ૨૮૮ ૧૯૮ પ૩૪. એકાંત છદ્મ. અભવ્ય પ્ર. શરીરી ૧૪ ૪૪ ૨૮૮ ૧૮૮ પ૩૫. પંચેન્દ્રિય જીવોમાં ૧૪ ૨૦ ૩૦૩ ૧૯૮ પ૩૬. સ્ત્રીની ગતના બાદર એકાંત સકષાયીમાં ૧૨ ૩૮ ૨૮૮ ૧૯૮ પ૩૭. સ્ત્રીની ગતના ઘાણેન્દ્રિયમાં ૧૨ ૨૪ ૩૦૩ ૧૯૮ પ૩૮. એકાંત છદ્મસ્થ બાદરમાં ૧૪ ૩૮ ૨૮૮ ૧૯૮ પ૩૯, ઘાણેન્દ્રિયમાં ૧૪ ૨૪ ૩૦૩ ૧૯૮ પ૪૦. સ્ત્રીની ગતના ત્રણ શરીરમાં ૧૨ ૪૨ ૨૮૮ ૧૯૮ પ૪૧. ત્રસ જીવોમાં ૧૪ ૨૬ ૩૦૩ ૧૯૮ પ૪૨. ત્રણ શરીર એકાંત છદ્મસ્થ ૧૪ ૪૨ ૨૮૮ ૧૯૮ ૫૪૩. એકાંત અસંયમમાં ૧૪ ૪૩ ૨૮૮ ૧૯૮ પ૪૪. પ્રત્યેક શરીરી એકાંત છપ્રસ્થમાં ૧૪ ૪૪ ૨૮૮ ૧૯૮ પ૪૫. સમ્ય. તિર્યંચના અલદ્ધિયામાં ૧૪ ૩૦ ૩૦૩ ૧૯૮ પ૪૬, એકાંત છદ્મસ્થ ઘણા ભવવાળામાં ૧૪ ૪૮ ૨૮૮ ૧૯૬ પ૪૭. સ્ત્રીની ગત પ્ર. શરીરી મિથ્યાત્વી ૧૨ ૪૪ ૩૦૩ ૧૮૮ પ૪૮. એકાંત છદ્મસ્થમાં ૧૪ ૪૮ ૨૮૮ ૧૯૮ પ૪૯. મિથ્યાત્વી પ્રત્યેક શરીરીમાં ૧૪ ૪૪ ૩૦૩ ૧૮૮ ૫૫૦. સમકિતિ નારકીના અલક્રિયામાં ૧ ૪૮ ૩૦૩ ૧૯૮ 'પપ૧. સ્ત્રીની ગતના મિથ્યાત્વી * ૧ર ૪૮ ૩૮૩ ૧૯૮ પપર. એકેન્દ્રિય પર્યાપ્તના અલદ્ધિયા ૧૪ ૩૭ ૩૦૩ ૧૯૮ Page #370 -------------------------------------------------------------------------- ________________ જીવોની માર્ગણાના ૫૬૩ પ્રશ્નો ઉપ૧) ૫૫૩. મિથ્યાત્વી ૧૪ ૪૮ ૩૦૩ ૧૮૮ પપ૪. નવ રૈવેયકના પર્યા. અલયિામાં ૧૪ ૪૮ ૩૦૩ ૧૮૯ પપપ. જીવોના મધ્યભેદ સ્પર્શનારા ૧૪ ૪૮ ૩૦૩ ૧૯૦ પપ૬. નરક પર્યાપ્તના અલદ્ધિયામાં ૭ ૪૮ ૩૦૩ ૧૯૮ ૫૫૭. સ્ત્રીની ગતના પ્રત્યેક શરીરમાં ૧૨ ૪૪ ૩૦૩ ૧૯૮ પ૫૮. તિર્યંચ પંચે. વૈક્રિયના અલદ્ધિયા ૧૪ ૪૩ ૩૦૩ ૧૯૮ પપ૯. પ્રત્યેક શરીરમાં ૧૪ ૪૪ ૩૦૩ ૧૯૮ પ૬૦. તેજોશી એકેન્દ્રિયના અલદ્ધિયા ૧૪ ૪૫ ૩૦૩ ૧૯૮ પ૬૧. ઘણા ભવવાળા જીવોમાં ૧૪ ૪૮ ૩૦૩ ૧૯૬ પ૬૨. એકે. વૈક્રિય શરીરી અલદ્ધિયા ૧૪ ૪૭ ૩૦૩ ૧૯૮ પ૬૩. સર્વ સંસારી જીવોમાં ૧૪ ૪૮ ૩૦૩ ૧૯૮ | ઇતિ જીવોની માર્ગણાના પ૬૩ પ્રશ્નો. & SS S SS SS S૩ ૬ E3 જ નોંધ : Page #371 -------------------------------------------------------------------------- ________________ ઉપ૨) િશ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૩. ચા૨ કષાયજી પન્નવણા પદ – ૧૪ શ્રી ગૌતમ સ્વામીએ વીર ભગવાનને પૂછ્યું કે, "હે ભગવાન! કષાય કેટલા પ્રકારે કહ્યા છે ?" ભગવાને કહ્યું, "હે ગૌતમ ! કષાય ૧૬ પ્રકારે કહ્યા છે. ૧. પોતાને માટે, ૨. પરને માટે, ૩. તદુભાયા કહેતા બન્ને માટે, ૪. ખેત્ત કહેતાં ઉઘાડી જમીનને માટે, ૫. વલ્થ કહેતાં ઢાંકી જમીનને માટે, ૬. શરીર માટે, ૭. ઉપધિને માટે, ૮. નિરર્થક, ૯. જાણતાં, ૧૦. અજાણતાં, ૧૧. ઉપશાંતપણે ૧, ૧૨. અણુપશાંતપણે, ૧૩. અનંતાનુબંધી ક્રોધ, ૧૪. અપ્રત્યાખ્યાની ક્રોધ, ૧૫. પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, ૧૬. સંજ્વલનનો ક્રોધ." તે ૧૬ સમુચ્ચય જીવ ૧, અને ૨૪ દંડક આશ્રી એમ કુલ ૨૫ x ૧૬ = ૪૦૦ ભાંગા થાય. હવે કષાયના દળીયા કહે છે. ચણીયા, ઉપચણીયા, બાંધ્યા, વેધા, ઉદીરીયા, નિર્જર્યા એમ ૬. તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આશ્રી એમ ૬ x ૩ = ૧૮ થાય. તે ૧૮ એક જીવ આશ્રી અને ૧૮ બહુ જીવ આશ્રી એવં ૩૬ થાય. તે સમુચ્ચય જીવ આશ્રી અને ર૪ દંડક આશ્રી એમ ૨૫ x ૩૬ = ૯૦૦ ભાંગા થયા. તેમાં ઉપર બતાવ્યા તે ૪00 ભાંગા ઉમેરતાં કુલ ૧૩૦૦ ભાંગ ક્રોધના થયા. તે જ પ્રમાણે ૧૩૦૦માનના, ૧૩૦ માયાના, ૧૩૦૦ ૧ ઉદય અવસ્થાને નહીં પ્રાપ્ત થયેલ. ૨ ઉદય અવસ્થાને પ્રાપ્ત થયેલ. ૩ ચણીયા – કર્મ પુદ્ગલોનું આવવું. ઉપચણીયા -- તેને વધુ પુષ્ટ કરવાં. બાંધ્યા -- નિદ્રત કે નિકાચિત બંધ કરવો. વેદ્યા -- દર્દ આદિ દુઃખનું વદન કરવું તે. ઉદરીયા – તપ આદિથી ઉદીરણા કરવી. નિર્ચર્યા – આત્માથી કર્મદલિકોને જુદા કરવા. Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્વાસોચ્છ્વાસ ૬) ૩૫૩ લોભના મળીને કુલ ચાર કષાયના ૫૨૦૦ ભાંગા થાય. ઇતિ ચાર કષાય. 全图图全图图图图图图 冬 : ૨૪. શ્વાસોચ્છવાસ પદ્મવણા પદ ૭ શ્રી ગૌતમ સ્વામીએ વી૨ ભગવાનને પૂછ્યું કે, "હે ભગવાન ! ના૨કી, દેવતા, તિર્યંચ અને મનુષ્ય કેવી રીતે શ્વાસોચ્છ્વાસ લે છે ?' ભગવાને કહ્યું, ''હે ગૌતમ ! નારકીના જીવ નિરંતર ધમણની જેમ શ્વાસોચ્છ્વાસ લે છે. દેવતાના શ્વાસોચ્છ્વાસનો કાળ બતાવવા માટે નીચે કોઠો આપ્યો છે.' દેવતાનું નામ અસુરકુમા૨ના દેવ વાણવ્યંતર, ૯ નિકાય જ્યોતિષી પહેલે દેવલોકે બીજે દેવલોકે ઉત્કૃષ્ટ કાળ એક પક્ષ ઝાઝેરે. પ્રત્યેક મુહૂર્તે. પ્રત્યેક મુહૂર્તે. જઘન્ય કાળ સાત થોક સાત થોક પ્રત્યેક મુહૂર્તે. પ્રત્યેક મુહૂર્તે. પ્રત્યેક મુહૂર્ત ઝાઝેરૂં | બે પક્ષ ઝાઝેરે. બે પક્ષ. ♦ બીજી એક ધા૨ણા પ્રમાણે કષાયના ૬ દળિયાને (ચણિયા આદિ) ૩ કાળ સાથે ગુણતાં ૬ × ૩ = ૧૮ થાય. તેને ૧ સમુચ્ચય જીવ તથા ૨૪ દંડક એ ૨૫ સાથે ગુણતાં ૧૮ × ૨૫ = ૪૫૦ થાય. તેમાં પ્રથમ બતાવેલા ૪૦૦ ભાંગા ઉમેરતાં ૪૫૦ + ૪૦૦ = ૮૫૦ ભાંગા ક્રોધના, તેવી જ રીતે ૮૫૦ માનના, ૮૫૦ માયાના, ૮૫૦ લોભના એમ સર્વ મળીને કુલ ૩૪૦૦ ભાંગા પણ થાય છે. તત્ત્વ કેવળી ગમ્ય. -23 Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ત્રીજે દેવલોકે ચોથે દેવલોકે પાંચમે દેવલોકે છઠ્ઠ દેવલોકે સાતમે દેવલોકે આઠમે દેવલોકે નવમે દેવલોકે દશમે દેવલોકે અગિયા૨મે દેવલોકે બારમે દેવલોકે પહેલી ત્રૈવેયકમાં બીજી ત્રૈવેયકમાં ત્રીજી ત્રૈવેયકમાં ચોથી શૈવેયકમાં પાંચમી ત્રૈવેયકમાં છઠ્ઠી શૈવેયકમાં સાતમી ત્રૈવેયકમાં આઠમી શૈવેયકમાં નવમી ત્રૈવેયકમાં શ્રી બૃહદ્દ બે પક્ષે બે પક્ષ ઝાઝેરે સાત પક્ષે દશ પક્ષે ચૌદ પક્ષે સત્તર પક્ષે અઢાર પક્ષે ઓગણીસ પક્ષે વીસ પક્ષે એકવીસ પક્ષે બાવીસ પક્ષે ત્રેવીસ પક્ષે ચોવીસ પક્ષે પચ્ચીસ પક્ષે છવ્વીસ પક્ષે સત્તાવીસ પક્ષે અઠ્ઠાવીસ પક્ષે ઓગણત્રીસ પક્ષે ત્રીસ પક્ષે એકત્રીસ પક્ષે ચાર અનુત્તર વિમાન સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ પક્ષે જૈન થોક સંગ્રહ સાત પક્ષે. સાત પક્ષ ઝાઝેરે. દશ પક્ષે. ચૌદ પક્ષે. સત્તર પક્ષે. અઢાર પક્ષે. ઓગણીસ પક્ષે. વીસ પક્ષે. એકવીસ પક્ષે. બાવીસ પક્ષે. ત્રેવીસ પક્ષે. ચોવીસ પક્ષે. પચ્ચીસ પક્ષે. છવ્વીસ પક્ષે. સત્તાવીસ પક્ષે. અઠ્ઠાવીસ પક્ષે. ઓગણત્રીસ પક્ષે. ત્રીસ પક્ષે. એકત્રીસ પક્ષે. તેત્રીસ પક્ષે. તેત્રીસ પક્ષે. સર્વ તિર્યંચ અને મનુષ્યનાં બધાં જીવો વિમાત્રાથી—અનિયતકાળ (બે શ્વાસોચ્છ્વાસ વચ્ચેનો કાળ નક્કી નથી) શ્ર્વાસોચ્છ્વાસ લે છે. ઇતિ શ્વાસોચ્છ્વાસનો થોકડો. પ ો પોલ Page #374 -------------------------------------------------------------------------- ________________ અસજ્ઝાયો ૨૫. અસાયો ઠાણાંગ સૂત્ર ૪, ઠાણાંગ સૂત્ર ૧૦ તથા નિશીથ સૂત્ર ઉ. ૧૯ અંતરીક્ષ (આકાશ) સંબંધી ૧૦ અસજ્ઝાય અર્થ નામ ૧. ઉલ્કાપાત – તારો આકાશેથી ખરે તો ૨. દિગ્દાહ – દિશા દાહ ૩. ગર્જિત – મેઘગર્જના થાય તો ૪. વિદ્યુત – વીજળી ચમકે તો ૫. નિર્થાત – કડાકા જેવો અવાજ ૨ ૬. યૂપક – બાલાચંદ્રની, શુક્લપક્ષની એકમ, બીજ, ત્રીજની રાત્રિએ ૭. યજ્ઞાદીમ - વીજળી ચમકવાથી યક્ષનું ચિહ્ન જેવું દેખાય ૮. ધૂમિકા -- ધુમ્મસ (ધૂમાડા જેવી ધૂળ) ૯. મિહિકા – કરા (ઝાકળ) પડે તો ૧૦. ૨૪ઉદ્દાત – ૨જુ (ધૂળ) વ૨સે તો ૩૫૫ કાળ મર્યાદા ૧ પ્રહર જ્યાં સુધી ૨હે ૨ પ્રહર ૧ પ્રહર ૮ પ્રહર પ્રથમ પ્રહર સુધી જ્યાં સુધી દેખાય જ્યાં સુધી ૨હે જ્યાં સુધી ૨હે જ્યાં સુધી વ૨સે ૧ આકાશમાં કોઈપણ દિશામાં નગર બળતું હોય કે અગ્નિની જ્વાળા ઉડતી હોય એવું દેખાય. જ્યાં ઉપર પ્રકાશ નીચે અંધારૂં હોય તે દિશા–દાહ. ૨ મેઘ ગર્જનાદિમાં સ્વાધ્યાયકાળ, આર્દ્રા નક્ષત્રથી, સ્વાતિ નક્ષત્રનો માનવો. ૩ કારતક થી મહા મહિના સુધીનો સમય વર્ષા માટેનો ગર્ભ કાળ ગણાય છે. ત્યા૨ે આવી ધૂમિકા પડે છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ ઔદારિક શરીર સંબંધી ૧૦ અસક્ઝાય ૧૧-૧૩, અસ્થિ, માંસ, શોણિત- હાડકાં, માંસ, લોહી પડવાં હોય તો. * ૧૪. અશુચિસામન્ત– અશુચિની દુર્ગધ આવે અથવા દેખાય – ત્યાં સુધી. ૧૫. શમશાનસામન્ત – સ્મશાન ભૂમિ સો હાથથી વધુ નજીક હોય તો. ૧૬. ચંદ્રોપરાગ – ચંદ્રગ્રહણ – અલ્પગ્રાસમાં ૪ પ્રહર, ખંડગ્રહણમાં ૮ પ્રહર, પૂર્ણ હોય તો ૧૨ પ્રહર. (ગ્રહણના પ્રારંભથી અસ્વાધ્યાયનો કાળ ગણવો.) ૧૭. સૂર્યોપરાગ – સૂર્ય ગ્રહણ – અલ્પગ્રાસમાં ૮ પ્રહર, ખંડ ગ્રહણમાં ૧૨ પ્રહર, પૂર્ણ હોય તો ૧૬ પ્રહર. ૧૮. પતન (રાજમરણ) – રાજાનું અવસાન થતાં નવો રાજા ઘોષિત ન થાય ત્યાં સુધી. ૧૯. રાજવ્યુફ્ટહ – યુદ્ધ સ્થાનથી નજીક, યુદ્ધ ચાલે ત્યાં સુધી. ૨૦. ઉપાશ્રયસ્યાન્ત ઔદારિક શરીર – ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર (તિર્યંચનું ૬૦ અને મનુષ્યનું ૧૦૦ હાથમાં) પડ્યું હોય ત્યાં સુધી. * મનુષ્યનાં હાડ, માંસ, લોહી, ૧૦૦ હાથની અંદર હોય, તિર્યંચના ૬૦ હાથની અંદર હોય તો. હાડકું બળી કે ગળી ગયું ન હોય તો બાર વર્ષ સુધી. મૃત કે ભાંગેલું ઇડુ હોય તો ૩ પ્રહર સુધી. ૭ ઘર સુધી ક્ષેત્રમાં બાળક જન્મ વખતે ૭ કે ૮ દિવસ સુધી. Page #376 -------------------------------------------------------------------------- ________________ અસઝાયો ઉપS કાળ સંબંધી ૧૪ અસક્ઝાય ૨૧- ૩૦. અષાઢ, ભાદરવો, આસો, કારતક અને ચૈત્ર મહિનાની સુદ પૂનમ અને આ પૂનમ પછીની વદ એકમની દિવસ, રાત્રીની. ૩૧- ૩૪. પ્રભાત, મધ્યાહ્ન, સંધ્યા, મધ્યરાત્રી એ ચાર સંધિકાળમાં ૧–૧ મુહૂર્તની. આ અસક્ઝાય ટાળીને સ્વાધ્યાય કરવો જોઈએ, ખુલ્લે મોઢે ના બોલવું જોઈએ તથા લાઈટના કે દિવાના અજવાળામાં ન વાંચવું જોઈએ. કોઈકોઈ હુતાશની પ્રગટે ત્યારે તથા ધૂળેટીનાં દિવસની અસક્ઝાય પણ માને છે. ઇતિ અસઝાય. 分露露勿露露露露公路路分 ૧ અષાઢ આદિની પૂનમમાં દેવતા તિચ્છલોકમાં ઉત્સવ (ઇન્દ્ર, કાર્તિકેય, યક્ષ, ભૂત મહોત્સવ ઇ.) ઉજવવા આવે છે અને એકમે પાછા ફરે છે. તે દિવસો દરમ્યાન સૂત્ર અશુદ્ધિ થાય તો દેવ ઉપદ્રવ કરી શકે છે માટે. ૨ મધ્યાહ્ન એટલે દિવસ અને રાત્રીનો મધ્ય ભાગ. તે મધ્ય ભાગની એક ઘડી પહેલા અને એક ઘડી પછી. તે જ પ્રમાણે મધ્યરાત્રી ગણવી. તેમ જ પ્રભાતમાં સૂર્યોદય પહેલા ૩૬ મિનિટ, પછી ૧૨ મિનિટ તથા સંધ્યામાં સૂર્યાસ્ત પહેલા ૧૨ મિનિટ, પછી ૩૬ મિનિટ. Page #377 -------------------------------------------------------------------------- ________________ ઉપ0 કી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ રિ૬. બત્રીસ સૂત્રોનાં નામ ક્રમ સૂત્રનું નામ અંગ/ ગાથા |કાલિક ઉપાંગસૂત્ર(હાલ)ઉત્કાલિક ૦૧. આચારાંગ સૂત્ર અંગ 1રપ00 | કાલિક ૦૨. સૂત્રકૃતાંગ સૂત્ર અંગ |૨૧00 કાલિક ૦૩. સ્થાનાંગ સૂત્ર અંગ |૩૭૭૦ કાલિક ૦૪. સમવાયાંગ સૂત્ર અંગ ૧૬૬૭ કાલિક ૦૫. ભગવતી (વિવાહ પ્રજ્ઞપ્તિ) અંગ |૧પ૭પર | કાલિક ૦૬. જ્ઞાતા ધર્મ કથાગ સૂત્ર અંગ ૫૫૦૦ કાલિક ૦૭. ઉપાસક દશાંગ સૂત્ર અંગ ૮૧૨ કાલિક ૦૮. અન્નકૃતાંગ સૂત્ર અંગ I coo | કાલિક ૦૯. અનુત્તરોપપાતિક સૂત્ર અંગ |૨૯૨ કાલિક ૧૦. પશ્ન વ્યાકરણ સૂત્ર અંગ ૧૨૫૦ | કાલિક ૧૧. વિપાક સૂત્ર અંગ ૧૨૧૬ | કાલિક ૧૨. ઉપપાતિક (ઉવવાઈ) સૂત્ર ઉપાંગ ૧૧૬૭ ઉત્કાલિક ૧૩. રાજપશ્રીય સૂત્ર ઉપાંગર૦૦૮ ઉત્કાલિક ૧૪. જીવાજીવાભિગમ સૂત્ર ઉપાંગ ૪૭૦૦ ઉત્કાલિક ૧૫. પ્રજ્ઞાપના સૂત્ર ઉપાંગ ૭૭૮૭ ઉત્કાલિક ૧૬. જંબુદ્વિીપ પ્રશપ્તિ સુત્ર ઉપાંગ ૪િ૧૪૬ કાલિક ૧૭. ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપાંગ ૨૨૦૦ કાલિક | ૧૮. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપાંગ ૨૨૦૦ | ઉત્કાલિક Page #378 -------------------------------------------------------------------------- ________________ બત્રીસ સૂત્રોના નામ કિપ ૧૯. નિરયાવલિકા સૂત્ર ઉપાંગ કાલિક ૨૦. કલ્પવતંસિકા સૂત્ર ઉપાંગા કાલિક ૨૧. પુષ્પિકા સૂત્ર ઉપાંગ - ૧૧૦૯ કાલિક ૨૨. પુષ્પચૂલિકા સૂત્ર ઉપાંગ કાલિક ૨૩. વૃષ્ણિદશા સૂત્ર ઉપાંગ કાલિક ૨૪. દશવૈકાલિક સૂત્ર મૂળ | 800 ઉત્કાલિક ૨૫. ઉત્તરાધ્યયન સૂત્ર મૂળ | ૨૧ કાલિક ૨૬. નંદી સૂત્ર મૂળ | ૭૦૦ ઉત્કાલિક ૨૭. અનુયોગદ્વાર સૂત્ર મૂળ ૧૮૯૯ ઉત્કાલિક ૨૮. બૃહત્કલ્પ સૂત્ર છેદ ૪૭૩ કાલિક ૨૯. વ્યવહાર સૂત્ર છેદ | ૬૦૦ કાલિક ૩૦. નિશીથ સૂત્ર છેદ |૮૧૫ કાલિક ૩૧. દશાશ્રુતસ્કંધ સૂત્ર | છેદ ૧૮૩૦ | કાલિક ૩૨. આવશ્યક સૂત્ર (નોકાલિક, નોઉત્કાલિક) ૧૦) ૧૧ અંગ સૂત્ર – ગાથા ૩૫૭૫૯ કાલિક સૂત્ર સંખ્યા ૨૩ ૧૨ ઉપાંગ સૂત્ર – " ૨૫૩૮૭ ઉત્કાલિક સૂત્ર " ૮ ૪ મૂળ સૂત્ર - " પ૩૯૯ નોકાલિક, નોઉત્કાલિક ૧ ૪ છેદ સૂત્ર - " ૩૭૧૮ ૧ આવશ્યક સૂત્ર –" ૧00 ૩૨ સૂત્ર કુલ ગાથા – ૭૦,૩૬૩ સુત્તાગમ પ્રમાણે ૭૨,૦૦૦ ગાથા થાય છે. | ઇતિ બત્રીસ સુત્રના નામ. Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૩૬૦ ૨૭. અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર પક્ષવણાસૂત્ર પદ - ૨૮ શિષ્ય વિનયપૂર્વક નમન કરીને પૂછે છે, '' હે ગુરુ ! જીવ તત્ત્વનો બોધ આપતી વખતે આપે કહ્યું હતું કે જીવ ઉપજતી વખતે અપર્યાપ્તો તથા પર્યાપ્તો કહેવાય છે, તો તે શી રીતે કહેવાય છે, તે કૃપા કરી કહો.'' ગુરુ – 'હે શિષ્ય ! જીવને આહા૨, શરીર, ઇંદ્રિય, શ્ર્વાસોચ્છ્વાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ છે. અને તે ચારે ગતિના જીવોને લાગુ ૨હેવાથી ૫૬૩ ભેદ ગણી શકાય છે. તેમાં પહેલી આહાર પર્યાપ્તિ લાગુ થાય છે. તે એવી રીતે કે જે જીવનું આયુષ્ય પુરૂં થાય, ત્યારે તે શરીર છોડીને નવી ગતિની યોનિમાં ઉપજવા જાય છે. તેમાં અવિગ્રહ ગતિ એટલે સીધી ને સ૨ળ બાંધી આવ્યો હોય, તે જીવ જે સમયે ચવેલો હોય, તે જ સમયમાં આવી ઉપજે છે. તે જીવને આહા૨નું આંતરૂં પડતું નથી, તેવા બંધનવાળો જીવ સદા 'આહારક' કહેવાય છે, એવો ભગવતીનો ન્યાય છે. હવે બીજો પ્રકાર વિગ્રહ ગતિનો બંધ બાંધી આવના૨ા જીવોનો કહેવાય છે, તેના ત્રણ પ્રકાર છે તેમાં કેટલાક જીવો શ૨ી૨ છોડ્યા પછી એક સમયને આંતરે, કેટલાક બે સમયને આંતરે ને કેટલાંક ત્રણ સમયને આંતરું એટલે ચોથે સમયે ઉપજવા પામે છે. એમ ચારે રીતે સંસારી જીવો ઉપજી શકે છે. આ બીજી વિગ્રહ ગતિ એટલે વિષમ ગતિ કરી ઉપજવા જના૨ા જીવોને એક, બે, ત્રણ સમય ઉપજતાં આંતરૂં પડે છે. તેનું કારણ જીવનું ગમન સીધી શ્રેણીમાં જ થાય છે એટલા માટે ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચતાં વચ્ચે ૦–૧-૨ કે ૩ વળાંક લેવા પડે છે. તેથી ઉપજવામાં ૧-૨-૩ કે ૪ સમય લાગે છે. તેનું વિવેચન ગુરુગમથી જાણવું. તેવા જીવ જેટલો સમય વાટે રોકાય, તેટલો સમય આહાર Page #380 -------------------------------------------------------------------------- ________________ અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર Oિઉ૬૧) વગરના 'અનાહારક' કહેવાય છે. તે જીવ બાંધેલી યોનિસ્થાનમાં પ્રવેશ કરી ઉપજે (વાસ કરે) તે જ સમયે તે યોનિસ્થાન જે પુદ્ગલના બંધારણથી બંધાયા હોય, તે જ પુદ્ગલનો આહાર, તાવડામાં નાંખેલા વડાની રીતે કરે છે. તેને ઓજ આહાર કર્યો કહેવાય છે, અને તે જીંદગીમાં એક જ વાર કરે છે. તેવો આહાર ખેંચી પરિણમાવતા એક સમય લાગે છે ત્યારે આહાર પર્યાપ્તિ પૂરી થાય છે. (૧) તે પરિણમાવેલા આહારના રસનો એવો ગણ છે, કે તેનાં રજકણો એકઠાં થવાથી સાત ધાતુરૂપે સ્થૂળ શરીરની આકૃતિ બને છે. મૂળ ધાતુઓ જીંદગી સુધી સ્થૂળ શરીરને ટકાવી રાખે છે. એવા શરીરમાં જેમ ફૂલમાં સુગંધ તે રીતે જીવ રહી શકે છે. તે બીજી શરીર પર્યામિ કહેવાય છે. તેવી આકૃતિ બંધાતાં એક અંતર્મુહૂર્ત લાગે છે. ત્યારે શરીર પર્યાપ્તિ પૂરી થાય છે. ત્યાં સુધીના આહારને ઓજ આહાર કહેવાય છે, ત્યારપછી રોમ આહાર ચાલુ થાય છે. (૨) તે શરીરની મજબૂતી થતાં જ તેમાં ઈદ્રિયોના અવયવો પ્રગટ થાય છે. તેમ થતાં અંતર્મુહૂર્તનો વખત લાગે છે. તે ત્રીજી ઇંદ્રિય પર્યાપ્તિ કહેવાય છે. (૩) ઉપર મુજબ શરીર અને ઇન્દ્રિય મજબૂત થયા પછી સૂક્ષ્મ રીતે એક અંતર્મુહૂર્તમાં શ્વાસ લેવા મૂકવાની શક્તિ પ્રાપ્ત થાય છે તે ચોથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. (૪) તે પછી એક અંતર્મુહૂર્તમાં ભાષાના પુદ્ગલો ગ્રહણ કરવાની શક્તિ પેદા થાય છે તેનું નામ પાંચમી ભાષા પર્યામિ કહેવાય છે. (૫) એક અંતર્મુહૂર્તમાં મનના પુદ્ગલો લેવાની શક્તિ પેદા થાય છે તેને મન પર્યાપ્તિ કહે છે. (૬) ઉપરની રીતે એક સમય અને પાંચ અંતર્મુહૂર્ત છે પર્યાપ્તિ બંધાય છે." " આ શબ્દ શ્રવણ કરતાં જ શિષ્ય શંકા કરે છે કે શાસ્ત્રકારો છે પર્યાપ્તિ બાંધવાના વખતને એક અંતર્મુહૂર્ત કહે છે તેનું કેમ ? Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગુરુ – હે વત્સ ! મુહૂર્ત પૂરી બે ઘડીને કહે છે. તેનો એકજ ભેદ છે. પણ અંતર્મુહૂર્તમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ છે. તેમાં બે સમયથી લઈને નવ સમય સુધીનું જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય છે. (૧) તે પછીનું અંતર્મુહૂર્ત દશ સમયનું, અગિયાર સમયનું, એમ એકેક સમય ગણતાં મધ્યમ અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ થાય છે. (૨) બે ઘડીમાં એક સમય બાકી રહે તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય છે. (૩) આહાર પર્યાપ્તિ બાંધતાં ૧ સમય અને બાકીની પાંચ માટે દરેકને એક એક અંતર્મુહૂર્તનો સમય લાગે છે. તે જઘન્ય તથા મધ્યમ અંતર્મુહૂર્ત ગણવા અને છેવટે છ પર્યાપ્તિ એક અંતર્મુહૂર્તની કહેવામાં આવી છે, તે ઉત્કૃષ્ટ સમજવી. ઉપરની છ પર્યાપ્તિમાંથી એકેન્દ્રિયને પહેલી ચાર હોય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચે.ને પાંચ તથા સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યામિ પૂર્ણ હોય છે. એ પર્યાપ્તાનો અર્થ કહ્યો. હવે અપર્યાપ્તાનો અર્થ કહે છે. અપર્યાપ્તાના બે ભેદ છે. ૧.કરણ અપર્યાપો, ૨. લબ્ધિ અપર્યાપ્તો. ૧. કરણ અપર્યાપ્તો – તેના બે ભેદ છે. ૧. ત્રીજી ઇંદ્રિય પર્યામિ બાંધી ન રહે ત્યાં સુધી કરણ અપર્યાપ્યો. ૨. અને બંધાઈ રહે ત્યારે કરણ પર્યાપ્ત કહેવાય છે. ૨. લબ્ધિ અપર્યાપ્તો – તેના બે ભેદ છે. ૧. એકેન્દ્રિય વિગેરેથી પંચેન્દ્રિય સુધીમાં, જેને જેટલી પર્યામિ કહી છે તેને તેટલીમાંથી એકેકી અધૂરી રહે ત્યાં સુધી લબ્ધિ અપર્યાતો કહે છે. ૨. પોતાની જાતિની હદ સુધી પૂરી પર્યાતિ બંધાઈ રહે ત્યારે તેને લબ્ધિ પર્યાતો કહે છે. * શિષ્ય – હે ગુરુ ! જે જીવ મરણ પામે છે તે અપર્યાપ્તામાં કે પર્યાપ્તામાં ? Page #382 -------------------------------------------------------------------------- ________________ અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર ૩૬૩ ગુરુ – હે શિષ્ય ! જ્યારે ત્રીજી ઇંદ્રિય પર્યામિ બાંધીને જીવ કરણ પર્યાપ્તો થાય છે ત્યારે મરણ નીપજી શકે છે. એ ન્યાયથી ક૨ણ પર્યાપ્તો થઈ મરણ પામે છે. પણ ક૨ણ અપર્યાપ્તાપણે કોઈ જીવ મ૨ણ પામે નહિ. તેમજ બીજી રીતે અપર્યાપ્તાપણે મ૨ણ કહેવામાં આવે છે. તે લબ્ધિ અપર્યાપ્તાનું મરણ સમજવું. તે એમ કે ચારવાળો ત્રીજી, પાંચવાળો ત્રીજી, ચોથી, અને છ વાળો ત્રીજી, ચોથી ને પાંચમી પર્યાતિ પૂરી બાંધે પછી મરણ પામે છે. હવે બીજી રીતે અપર્યાપ્તો અને પર્યાપ્તો એને કહેવાય છે કે જેને જેટલી પર્યાપ્તિ પ્રાપ્ત થઈ અર્થાત્ બંધાઈ ગઈ હોય તેને તેટલીનો પર્યાપ્તો કહેવાય છે અને હવે પછી બાંધવાની છે તેનો અપર્યાપ્તો, એટલે તેવી પર્યાપ્તિની પ્રાપ્તિ થઈ શકી નથી એમ પણ કહેવાય છે. ઉપર બતાવેલા અપર્યામા તથા પર્યાપ્તાના ભેદનો અર્થ સમજી, ગર્ભજ, નોગર્ભજ અને એકેન્દ્રિય વગેરે અસંજ્ઞી પંચેન્દ્રિયવાળા જીવોને તે ભેદ લાગુ કરવાથી જીવ તત્ત્વના ૫૬૩ ભેદ વ્યવહાર નયથી ગણાય છે. અને તે સર્વ કર્મ વિપાકનાં ફળ છે. તેમાં ચોરાસી લાખ યોનિનો સમાવેશ થાય છે. તેવી યોનિમાં ફરી ફરીને ઉપજવું, જન્મવું, અને મરણને આધીન થવું, તેવા જન્મ મરણને સંસાર સમુદ્ર કહેવાય છે. અને તે સર્વ સમુદ્રથી અનંતગુણો મોટો છે, તેનો કિનારો પામવા માટે ધર્મરૂપી નૌકા છે, તે નૌકાના ચલાવનાર જ્ઞાની ગુરુ છે. તેનું શરણ લઈ આજ્ઞા મુજબ વિચ૨ી, પ્રવર્તન ક૨ના૨ો ભાવિક ભવ્ય, સલામતી સાથે, પ્રાપ્ત થયેલી જીંદગીનું સાર્થક હાંસલ ક૨ી શકે છે, તેમજ સર્વ કોઈએ તે ક૨વું યોગ્ય છે. ઇતિ અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર. 图图 图图图图图图 Page #383 -------------------------------------------------------------------------- ________________ ઉ૬૪ િશ્રી બૃહદ જેન થોક સંગ્રહ જો (૨૮. ગર્ભવિચાર) ભગવતી સૂત્ર શતક ૧, ઉ. ૭ સર્વ જન્મ મરણનાં દુઃખોનું કારણ મોહનીય કર્મના ઉદયમાં ભળવાથી મોહ થાય છે તે છે. ચારગતિરૂપ સંસારમાં જીવ જન્મ મરણરૂપ ભયંકર દુઃખ ભોગવ્યા કરે છે. નરક અને દેવગતિને વર્જીને બાકીની બે તિર્યંચ અને મનુષ્ય ગતિમાં જીવને જન્મવા માટે ગર્ભવાસ મળે છે. તે ગર્ભવાસમાં ગર્ભસ્થાનમાં ઉપજનારા જીવની ગતિ, સ્થિતિ, અંગોપાંગ, આહાર, શ્વાસોશ્વાસ વિ.દરેક પરિસ્થિતિનું અહીં વર્ણન કરવામાં આવશે. એક ગતિમાંથી બીજી ગતિમાં જતો જીવ દ્રવ્યઇન્દ્રિયોથી રહિત અને ભાવઈન્દ્રિયો સહિત ઉત્પન્ન થાય છે. પુદ્ગલની રચના વિશેષ (બાહ્ય આકૃતિ) તે દ્રવ્યેન્દ્રિય છે. જે શક્તિ દ્વારા જીવ જ્ઞાન પ્રાપ્ત કરવા સમર્થ હોય તે ભાવેન્દ્રિય છે. ગર્ભમાં આવેલો જીવ તૈજસ અને કામણ શરીર સહિત આવે છે તથા ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર રહિત આવે છે. ઉપજનારાની સ્થિતિનું તથા ગર્ભસ્થાનનું વિવેચન - શિષ્ય – હે ગુરુ ! ગર્ભસ્થાનમાં આવી ઉપજનારો જીવ, ત્યાં કેટલા દિવસ? કેટલી રાત્રી, કેટલા મુહૂર્ત રહે? ગુરુ – હે શિષ્ય ! ઉપજનારો જીવ બસોને સાડી સત્યોતેર અહોરાત્રી રહે છે. વાસ્તવિક રીતે જોતાં એટલો જ ગર્ભને કાળ છે. તે જીવ આઠ હજાર ત્રણસોને પચ્ચીસ મુહૂર્ત ગર્ભસ્થાનમાં રહે છે. ગર્ભસ્થાનને માટે સમજવાનું કે માતાના નાભિમંડળ નીચે ફૂલને આકારે બે નાડી છે તે બેની નીચે ઊંધા કમળને આકારે એક ત્રીજી Page #384 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ વિચાર ૩૬૫ નાડી છે તે યોનિ નાડી કહેવાય છે. તેમાં યોનિ જામે છે, તે યોનિ જીવને ઉપજવાનું ઠેકાણું છે. તે ઠેકાણામાં પિતા તથા માતાના પુદ્ગલોનું મિશ્રણ થાય છે. તે યોનિરૂપ ફૂલની નીચે આંબાની માંજ૨ને આકારે એક માંસની પેશી હોય છે, તે પેશી દરેક મહિને પ્રવાહિત થવાથી સ્ત્રી ઋતુધર્મમાં આવે છે. તે રૂધીર ઉ૫૨ની યોનિ નાડીમાં જા આવ કરે છે, કેમકે તે નાડી ખૂલેલી જ હોય છે. ચોથે દિવસે ઋતુસ્ત્રાવ બંધ પડે છે પણ આપ્યંત૨માં સૂક્ષ્મ સ્ત્રાવ ચાલુ રહે છે. પાંચમે દિવસે યોનિ નાડીમાં સૂક્ષ્મ રૂધી૨નો જોગ હોય છે તે જ વખતે વીર્ય બિંદુની પ્રાપ્તિ થઈ હોય તો તેટલા વખતને મિશ્ર યોનિ કહેવાય છે, અને તે ફળ પ્રાપ્ત થવાને યોગ્ય ગણાય છે. મનુષ્ય અને તિર્યંચનું વીર્ય ૧ મુહૂર્ત સુધી યોનિભૂત ગણાય છે એટલે કે તે સચેત રહે છે. તેમાં એક, બે અને ત્રણ વગે૨ે નવ લાખ સુધી જીવ ઉપજે છે. તેઓનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધીનું હોય છે. તે જીવનો પિતા એક જ હોય છે પણ બીજી અપેક્ષાએ જોતાં છેવટ નવસો પિતા સુધી શાસ્ત્ર કહે છે. તે સંયોગથી નહિ પણ નદીના પ્રવાહ સામે બેસી સ્નાન ક૨વા વખતે ઉપરવાડેથી ખેંચાઈ આવતાં પુરૂષના બિંદુમાં સેંકડો રજકણો સ્ત્રીના શરીરમાં પિચકારીના આકર્ષણની રીતે આવી ભરાય છે. કર્મ જોગે તેનો કવચિત્ ગર્ભ જામી જાય છે. તેમાં જેટલા પુરૂષના રજકણો આવેલા હોય તે સર્વ તેના પિતા સ્વરૂપે ગણાય છે. એકી સાથે દશહજાર સુધી ગર્ભ પાકે છે, તે મચ્છી તથા સર્પની માતાને ન્યાયે છે. મનુષ્યને ત્રણ સુધી પાકે છે. બાકી મરણ પામે છે. એક જ વખત નવ લાખ ઉપજી મરણ પામ્યા હોય તો તે સ્ત્રી જન્મ વાંઝણી રહે છે. બીજી રીતે જે સ્ત્રી કામાંધ થઈને અનિયમિત રીતે વિષય સેવે અથવા વ્યભિચારિણી બનીને હદ ઉપરાંત પરપુરૂષ સેવે તે સ્ત્રી વાંઝણી Page #385 -------------------------------------------------------------------------- ________________ ઉદાસી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ થાય છે. એવા બીજકનો નાશ થાય છે. તેનાં શરીરમાં ઝેરી જીવો ઉપજે છે, તેના ડંખથી વિકાર વધે છે. તેથી તે સ્ત્રી દેવ, ગુરુ, ધર્મ, કુળ ની મર્યાદા તથા શિયળવતને લાયક રહી શકતી નથી. તેવી બીજકભંગ સ્ત્રીનો સ્વભાવ નિર્દય અને અસત્યવાદી હોય છે. - જે સ્ત્રી દયાળુ અને સત્યવાદી હોય તે સ્ત્રી કામવાસનાને કજો રાખે છે. તે સ્ત્રી પુત્ર, પુત્રીનું સારૂં ફળ પામે છે. એકલા રૂધીરથી કે એકલા બિંદુથી પ્રજા પ્રાપ્ત થતી નથી, તેમ જ ઋતુના રૂધીર સિવાય બીજા રૂધીર, પ્રજા પ્રાપ્તિને કામે આવતાં નથી. એક ગ્રંથકાર કહે છે કે સૂક્ષ્મ રીતે સોળ દિવસ ઋતુસ્ત્રાવ રહે છે. તે રોગીને નહિ પણ નિરોગી શરીરવાળી સ્ત્રીને તેમ થાય છે અને તે પ્રજાપ્રાપ્તિને લાયક કહેવાય છે. તે સોળમાંથી પહેલા ત્રણ દિવસને ગ્રંથકારો નિષેધે છે, તેવો નીતિ માર્ગનો ન્યાય છે અને તે ન્યાય પુણ્યાત્મા જીવો કબૂલ રાખે છે. બીજે મતે ચાર દિવસનો નિષેધ છે કારણકે, ચોથે દિવસે ઉગેલો જીવ થોડા જ વખતમાં મરે છે. તે જીવે તો શક્તિહીન થાય અને માબાપને બોજારૂપ નીવડે છે. પાંચમાથી સોળમા સુધીના દિવસો નીતિશાસ્ત્રના ન્યાય મુજબ ગર્ભાધાન સંસ્કારના ગણાય છે. તેમાંનું એક પછી એક બાળ બીજક પડતા ચડતું, બળિયાવર, રૂપમાં, તેજમાં, બુદ્ધિમાં વગેરે સર્વ સંસ્કારોમાં શ્રેષ્ઠ તથા દીર્ધાયુષ્યવાળું અને કુટુંબપાલક નીવડે છે. પાંચથી સોળમી સુધીની અગિયાર રાત્રી છે તેમાંથી છઠ્ઠી, આઠમી, દશમી, બારમી અને ચૌદમી એ પાંચ બેકીની રાત્રીનો બીજક બહુવચને પુત્રીરૂપ ફળ આપે છે. તેમાં વિશેષ એ છે કે પાંચમી રાત્રીમાં ઉપજેલી પુત્રી જન્મવા પછી ઘણી પુત્રીઓની માતા થાય છે. પાંચમી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી અને પંદરમી એ એકીની રાત્રીનો બીજક બદ્ધચને પુત્રરૂપે જન્મીને બહાર આવે છે અને તે ઉપર કહેલા Page #386 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ વિચાર ગુણવાળું નીવડે છે. દિવસનો બીજક શાસ્ત્રથી નિષેધ છે. તેમ છતાં થાય તો કુટુંબની અને વ્યવહારિક સુખની તથા ધર્મની હાનિ કરનાર નીવડે છે. બીજકની રીત – બિંદુનાં રજકણો વધારે અને રૂધીરનાં થોડાં હોય તો પુત્રરૂપ ફળ નીપજે છે. રૂધીર વધારે અને બિંદુ થોડું હોય તો પુત્રીરૂપી ફળ નીપજે છે. બે સરખાં હોય તો નપુંસકરૂપ ફળ નીપજે છે. બીજકનું ઠેકાણું – માતાની જમણી કૂખે પુત્ર, ડાબી કૂખે પુત્રી અને બે કૂખની વચ્ચે નપુંસક પાકે છે. તે ગર્ભની સ્થિતિ – "કાય ભવસ્થ" – તે માતાના ઉદરમાં રહેવું તે ''કાય" અને તેમાં ઉત્પન્ન થવું તે "કાય ભવ" છે. તેમાં જ ફરીથી જે જન્મ લે તેને "કાય ભવસ્થ" કહે છે. જેમકે કોઈ જીવ માતાના ઉદરમાં ગર્ભ રૂપે આવ્યો. તે માતાના ઉદરમાં ૧૨ વર્ષ રહીને મૃત્યુ પામી જાય અને પાછો તે માતાના શરીરમાં નવા શુક્રરૂધિરથી ઉત્પન્ન થઈને ૧૨ વર્ષ સુધી રહે તો તે જીવ ઉત્કૃષ્ટ ૨૪ વર્ષ સુધી "કાય ભવસ્થ" રૂપે રહી શકે છે. આવો જીવ પોતાના જ મૃત શરીરમાં ઉત્પન્ન થઈ શકતો નથી. તે તો નવું શુક્રરૂધિર ગ્રહણ કરીને નવું શરીર જ નિર્માણ કરે છે. તિર્યંચાણીનો ગર્ભ જ. અંતર્મુહૂર્ત અને ઉ. ૮ વર્ષ સુધી તથા મનુષ્યાણીનો ગર્ભ જ. અંતર્મુહૂર્ત અને ઉ. ૧૨ વર્ષ સુધી ગર્ભરૂપ રહે છે. ગર્ભસ્થ જીવના આહારનું વિવેચન : ગર્ભમાં પહોંચવાના પ્રથમ સમયે જીવ માતાનું રૂધિર તથા પિતાના વીર્યથી મિશ્રિત પુદ્ગલનો આહાર કરે છે. એક "માતૃજીવ રસહરણી" (નાભિકા નાળ) નામની નાડી હોય છે તે નાડી માતાની સાથે ગાઢરૂપથી બંધાયેલી હોય છે અને ગર્ભ સાથે જોડાયેલી હોય છે. તે નાળ દ્વારા ગર્ભસ્થ જીવ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ માતા જે આહા૨ ક૨ે છે તેનો એક ભાગ આહાર લે છે અને પરિણમાવે છે. બીજી એક "પુત્રજીવ ૨સહરણી'' નામની નાડી હોય છે. જે પુત્ર સાથે ગાઢરૂપથી અને માતા સાથે જોડાયેલી હોય છે. એ નાડી દ્વારા ગર્ભસ્થ જીવ આહા૨નો ચય, ઉપચય કરીને પુષ્ટિ પામે છે. સાત ધાતુ નીપજાવે છે રસી, લોહી, માંસ, હાડ, હાડની મજ્જા, ચર્મ, વીર્ય -- નસાજાળ. એ સાતે મળીને બીજી શ૨ી૨ પર્યાપ્તિ બંધાય છે. પછી તે આહા૨ શ્રોત્રેન્દ્રિય આદિ રૂપમાં પરિણમે છે તેથી ગર્ભગત જીવને મળ, મૂત્ર, કફ, નાકનો મેલ, વમન, પિત્ત, ઉધરસ, છીંક, બગાસું, ઓડકાર વગે૨ે હોતા નથી. તે કવળ આહાર કરતો નથી પરંતુ સર્વાત્મ રૂપથી (સર્વ શ૨ી૨થી) આહાર ક૨ે છે, સર્વ આત્મથી પરિણમાવે છે. સર્વ આત્મથી ઉચ્છવાસ લે છે, સર્વ આત્મથી નિઃશ્વાસ લે છે. વારંવાર આહાર કરે છે, વારંવાર આહાર પરિણમાવે છે. વારંવાર ઉચ્છવાસ લે છે, વારંવા૨ નિઃશ્વાસ લે છે. આમ છ પર્યાપ્તિ બંધાયા પછી તે બીજક સાત દિવસમાં ચોખાના ધોવાણ જેવો તોલદા૨, ચૌદમા દિવસ સુધીમાં પાણીના ૫૨પોટા જેવો, એકવીસમા દિવસ સુધીમાં નાકના શ્લેષ્મ જેવો અને અઠ્ઠાવીસમા દિવસ સુધીમાં અડતાલીસ માસા જેટલો વજનદાર થાય છે. પૂર્વે મહિને બોરના ઠળીયા જેવડો અથવા નાની કેરીની ગોટલી જેવડો થાય છે. તેનું વજન એક કરખણ ઉણો એક પળનું થાય છે. તે પળ એને કહેવાય છે કે, સોળ માસાનું એક કરખણ, તેવા ચાર કખણના તોલને એક પળ કહેવાય છે. બીજે માસે કાચી કેરી જેવો અને ત્રીજે માસે પાકી કેરી જેવો થાય છે. તે વખતથી ગર્ભ પ્રમાણે માતાને ડહોળા (દોહદ-ભાવ) થાય છે. અર્થાત્ સા૨ા ગર્ભથી ઊંચા અને નરસા ગર્ભથી નીચા મનોરથ થાય છે અને તે કર્મ પ્રમાણે ફળે છે. તે ઉ૫૨થી સારા નરસા ગર્ભની Page #388 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ વિચાર ૩૬૯ પરીક્ષા થાય છે. ચોથે માસે કણકના પીંડા જેવો થાય, તેથી માતાનું શરીર પુષ્ટિ પામે છે. પાંચમે માસે પાંચ અંકુરા ફૂટે છે. તેમાં બે હાથ, બે પગ, મસ્તક, છઠ્ઠ માસે રૂધીર તથા રોમ, નખ ને કેશની વૃદ્ધિ થાય છે. તેમાં સાડાત્રણ ક્રોડ રોમ છે. તેમાંથી બે ક્રોડને એકાવન લાખ ગળાં ઉ૫૨ અને નવ્વાણું લાખ ગળા નીચે છે. બીજે મતે તેટલી સંખ્યાનાં રોમ ગાડ૨નાં કહેવાય છે, તે વિચાર જોતાં વ્યાજબી લાગે છે. એકેકા રોમને ઊગવા જેટલી જગામાં પોણાબેથી કાંઈક વધારે રોગ ભરેલા છે. તેનો સરવાળો ગણતાં છ ક્રોડ બાર લાખ પચાસ હજાર રોગ થાય છે અને તે પુણ્યના ઉદયથી ઢંકાયેલા રહે છે. અહીંથી રોમ આહારની શરૂઆત થવાનો સંભવ છે. તત્ત્વ ત સર્વજ્ઞગમ્યું. સાતમે માસે સાતસો શી૨ા એટલે ૨સહરણી નાડીઓ બંધાય છે, તે દ્વારા શ૨ી૨નું પોષણ થાય છે. તેમાંથી સ્ત્રીને છસો ને સિત્તેર, નપુંસકને છસો ને એંશી, અને પુરૂષને સાતસો પૂરી હોય છે. પાંચસો માંસની પેશીઓ બંધાય છે તેમાંથી સ્ત્રીને ત્રીસ અને નપુંસકને વીસ ઓછી હોય છે. તે પેશી વડે હાડકાં ઢંકાયેલા હોય છે, તે હાડકામાં સર્વ મળીને ૩૬૦ સાંધા છે. એકેકા સાંધા ઉપર આઠ આઠ મર્મના ઠેકાણાં છે. તે મર્મસ્થાન ઉપર એક ટકોર વાગતાં મરણ પામે છે. બીજે મતે ૧૦૮ સંધિ અને ૧૭૦ મર્મના સ્થાનક કહેવાય છે. ઉપરાંત સર્વજ્ઞગમ્ય. ગર્ભસ્થ જીવના અંગાદિનુ વિવેચન : તે ગર્ભસ્થ જીવના શરીરમાં છ અંગ હોય છે. તેમાંથી માંસ, લોહી અને મસ્તકની મજ્જા (ભેજું) એ ત્રણ અંગ માતાનાં છે, તેમજ હાડ, હાડની મજ્જા અને નખ-કેશ-રોમ એ ત્રણ અંગ પિતાનાં છે. શેષ અંગો માતા અને પિતા બન્નેના પુદ્ગલથી બને છે. આઠમે માસે સર્વ અંગ ઉપાંગ પૂર્ણ નીપજી રહે છે. જયાં સુધી સંતાનનું ભવધા૨ણીય શ૨ી૨ રહે છે ત્યાં 1-24 Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ સુધી માતાપિતાના પુદ્ગલ તે શ૨ી૨માં ૨હે છે. સમય સમય પર તે પુદ્ગલ હીન થાય છે અને જયારે તે સમાપ્ત થાય છે ત્યા૨ે સંતાનનું ભવધા૨ણીય શ૨ી૨ સમાપ્ત થાય છે. આથી આ શરીર પર માતાપિતાનો ઘણો ઉપકાર છે તે ઉપકારને ભૂલવો જોઈએ નહીં. પુરૂષને બે કાન, બે ચક્ષુ, બે નાસિકા, મુખ, લઘુનીત અને વડીનીત એ નવ દ્વા૨ અપવિત્ર અને સદાકાળ વહેતાં રહે છે. સ્ત્રીને બે થાન અને ગર્ભ દ્વાર એ ત્રણ ઉમેરીને બાર દ્વા૨ સદાકાળ વહેતાં રહે છે. તે ગર્ભસ્થ શરીરમાં અઢાર પૃષ્ટ દંડક નામની પાંસળીઓ છે. તે વાંસની ક૨ોડ સાથે જોડાયેલી છે. તે સિવાય બે પાસાની બાર કડક પાંસળીઓ છે, તે ઉ૫૨ સાત પડ ચામડીનાં મઢાયેલાં છે, છાતીના પડદામાં બે કાળજાં છે, તેમાં એક પડદા સાથે જડાયેલોને બીજો કાંઈક લટકતો છે. પેટના પડદામાં બે અંતસ (નળ) કહ્યા છે, તેમાં પહેલો સ્થૂળ છે, તે મળસ્થાન અને બીજો સૂક્ષ્મ છે, તે લઘુનીત સ્થાન કહેવાય છે. વળી બે પ્રણવસ્થાન એટલે ભોજન પાન પ્રગમવાની જગા છે. દક્ષિણ (જમણે પાસે) પ્રગમે તો દુઃખ ઉપજે છે, વામ (ડાબે પાસે) પ્રગમે તો સુખ ઉપજે છે. સોળ આંતરા છે. ચાર આંગળીની ગ્રીવા (ડોક) છે. ચાર પળની જીભ છે. બે પળની આંખો છે. ચાર પળનું મસ્તક છે. નવ આંગળની જીભ છે. જે બીજે મતે સાત આંગળ ની કહેવાય છે. આઠ પળનું હૃદય છે. પચ્ચીસ પળનું કાળજું છે. સાત ધાતુના પ્રમાણ માપ તે શરીરમાં એક આઢો રૂધીરનો અને એક આઢો માંસનો હોય છે. એક પાથો માથાનો ભેજો, એક આઢો લઘુનીત, એક પાથો વડીનીતનો છે. કફ, પિત્ત ને શ્લેષ્મ એ ત્રણનો એકેકો કલવ અને અર્ધો કલવ વીર્યનો હોય છે. એ સર્વને મૂળ ધાતુ કહેવાય છે. એ ધાતુ ઉપ૨ શ૨ી૨નો ટકાવ છે. એ સાતે ધાતુ - - Page #390 -------------------------------------------------------------------------- ________________ - - ગર્ભ વિચાર પોતાના વજન પ્રમાણે રહે ત્યાં સુધી શરીર નિરોગી અને પ્રકાશવાળું રહે છે. તેમાં વધઘટ થવાથી શરીર, રોગને આધીન થાય છે. નાડીનું વિવેચન - તે શરીરમાં યોગશાસ્ત્રને ન્યાયે બોંતેર હજાર નાડી છે. તેમાંથી નવસૅ નાડી મોટી છે. તેમાંથી નવ નાડી ધમણી ને મોટી છે. તેના થડકારા ઉપરથી રોગની તથા સચેત શરીરની પરીક્ષા થાય છે. તે બે પગની ઘૂંટી નીચે બે, એક નાભીની, એક હૃદયની, એક તાળવાની, બે લમણાની અને બે હાથની એ નવ, એ સર્વ નાડીઓની મૂળ રાજ્યધાની નાભિ છે. તેની વિગત એ છે કે નાભિથી એકસોને સાઠ નાડી, પેટ તથા હૃદય ઉપર પથરાઈને ઠેઠ ઊંચે મસ્તક સુધી પહોંચી છે. તેના બંધનથી મસ્તક સ્થિર રહે છે. તે નાડીઓ મસ્તકને નિયમ મુજબ રસ પહોંચાડે છે, તેથી મસ્તક સતેજ આરોગ્ય ને તર રહે છે. તે નાડીઓમાં નુકશાન હોય ત્યારે આંખ, નાક, કાન અને જીભ એ સર્વ કમજોર થાય છે, રોગીષ્ટ બને છે, શૂળ, ઝામર વગેરે વ્યાધિઓનો પ્રકોપ થાય છે. નાભિથી બીજી એકસો ને સાઠ નાડી નીચી ચાલે છે, તે પગનાં તળીયાં સુધી પહોંચે છે. તેના આકર્ષણથી ગમનાગમન કરવાનું, ઊભુ રહેવાનું તથા બેસવાનું બને છે. તે નાડીઓ ત્યાં સુધી રસ પહોંચાડી આરોગ્ય રાખે છે અને નાડીમાં નુકશાન થવાથી સંધિવા, પક્ષઘાત, સાથળના ચસકા, કળતર, તોડ, ફાટ, માથાના ભેજાનો દુઃખાવો અને આધાશીશી વગેરે રોગનો પ્રકોપ થાય છે. નાભિથી ત્રીજી એકસો ને સાંઠ નાડી તિચ્છ ચાલીને બે હાથની આંગળીઓ સુધી પહોંચે છે. તેટલો ભાગ તેનાથી મજબૂત રહે છે. તેને નુકશાન થવાથી પાસાશૂળ, પેટનાં અનેક દર્દો, મુખપાકનાં, દાંતનાં દર્દો વગેરે અનેક રોગનો પ્રકોપ થાય છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ નાભિથી ચોથી એકસો ને સાંઠ નાડી નીચી મર્મસ્થાન ઉપર પથરાઈને, અપાન દ્વાર સુધી પહોંચી છે. તેની શક્તિ વડે બંધેજ રહી શકે છે. તેને નુકશાન થવાથી લઘુનીત, વડીનીતની કબજીયાત અથવા અનિયમિત છૂટ થઈ પડે છે. તેમજ વાયુ, કૃમિપ્રકોપ, ઉદર વિકાર, હ૨સ, ચાંદી, પ્રમેહ, પવનરોધ, પાંડુરોગ, જળોદર, કઠોદ૨, ભગંદ૨, સંગ્રહણી વગેરેનો પ્રકોપ થાય છે. નાભિથી પચ્ચીસ નાડી ઉપડીને ઊંચી શ્લેષ્મ દ્વાર સુધી પહોંચી છે તે શ્લેષ્મની ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકશાનીથી શ્લેષ્મ, પીનસનો રોગ થાય છે. તેમજ બીજી પચ્ચીસ નાડી તે તરફ આવીને પિત્ત ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકશાનીથી પિત્તનો પ્રકોપ અને જ્વરાદિક રોગ થાય છે. તેમજ ત્રીજી દશ નાડી વીર્ય ધારણ કરનારી છે, તે વીર્યને પુષ્ટિ આપે છે. તેમાં નુકશાન થવાથી સ્વપ્ર ધાતુ, મુખલાળ, ખરાબ પેશાબ વગે૨ેથી નબળાઈમાં વધા૨ો થાય છે. એ સર્વે મળીને સાતસો નાડી ૨સ ખેંચી પુષ્ટિ આપે છે અને તે શરીરને ટકાવી રાખનારી છે. તે નિયમિત રીતે ચાલવાથી નિરોગ અને નિયમભંગ થવાથી રોગ થાય છે. તે સિવાયની બસો નાડી ગુપ્ત અને જાહે૨ રીતે શ૨ી૨નું પોષણ કરે છે, તેથી નવસોં નાડી કહેવાય છે. ઉપરની રીતે નવમા માસ સુધીમાં સર્વ અવયવ સાથે શરીર મજબૂત થઈ જાય છે. જ્યા૨થી ગર્ભનું બીજક રોપાયાની ખબર પડે ત્યારથી જે સ્ત્રી બ્રહ્મચારિણી રહે છે તેનો ગર્ભ ઘણો ભાગ્યશાળી, મજબૂત બાંધાનો તથા બળીયાવર અને સ્વરૂપવાન થાય છે. ન્યાય, નીતિવાળો અને ધર્મ નીવડે છે, તે ઉભયના કૂળનો ઉદ્ઘાર કરી, માતા પિતાને યશ આપે છે અને પાંચે ઇંદ્રિયો ચોક્ખી પામે છે. જે સ્ત્રી ગર્ભ રહ્યો તેમ જાણે છે છતાં જન્મવાના છેલ્લા દિવસ સુધી, નિર્દય બુદ્ધિ Page #392 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ વિચાર રાખી કુશીલ સેવ્યાં કરે, તેમાં જો પુત્રી ગર્ભમાં હોય તો તેના માતાપિતા દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી, રો રૌ નરકના અધિકારી થાય છે. તેમજ તેનો ગર્ભ મરણ પામે છે. અને જો જીવતો રહે તો કાણા, કુબડા, કોઢીયા, તુલા, પાંગળા, બાબડા, મૂંગાઇંદ્રિયવિહોણા, કુરૂપ, દુબળા, શક્તિહીણ બાંધાના તથા ઘાટ વગરના થઈ જાય છે. ક્રોધી, રસાળ, કલેશી, પ્રપંચી અને ખોટી ચાલે ચાલનારા નીવડે છે. વિશેષમાં ઉપર બતાવેલા ગર્ભવાસના સ્થાનકમાં મહાકષ્ટ ને પીડા ભોગવવી પડે છે. તેનું દૃષ્ટાંત એ છે કે જેમ કોઈ પુરૂષનું શરીર કોઢ તથા પતના રોગથી નીંગળતું હોય, તેને સાડાત્રણ ક્રોડ સોય, અગ્નિમાં ધખાવી તેના સાડાત્રણ ક્રોડ રૂંવાડામાં પરોવ, તેનાં ઉપર ખાર અને ચૂનાનું પાણી છાંટે, તે પછી આળા ચામડાથી મઢીને તડકે નાંખે, અને દડાની જેમ અથડાવે, તે વખતની પીડાનું પ્રમાણ કેટલું ભયંકર છે ? તે તો ભોગવનારો તથા સર્વજ્ઞ પરમાત્મા જાણે દેખે છે. એવી ગર્ભ વંદના પહેલે મહિને ભોગવવી પડે છે. તેથી બીજે મહિને બમણી, ત્રીજે મહિને ત્રણ ગણી એમ ચડતાં ચડતાં નવમે મહિને નવ ગણી પીડા થાય છે. અથવા દરેક રૂંવાડ નવનવ સોય પરોવવાના ન્યાયની પીડા સમજવી. ગર્ભવાસની જગા નાની છે અને ગર્ભનું સ્થળ મોટું છે. તેથી સડ ભીંસાઈને કેરીની માફક ઊંધે માથે લટકીને રહેવું પડે છે. તે વખતે બે ઢીંચણ છાતીમાં ભરાવેલા અને બે હાથની મુઠ્ઠી આંખો આડી દીધેલી હોય છે. કર્મ જાગે બીજો ને ત્રીજો ગર્ભ જડ હોય તો તે વખતની સંકડાશનું અને મુંઝવણનું માપ કરી શકાતું નથી. બેઠેલી માતા ઊભી થાય તે વખતે ગર્ભ જાણે છે કે હું આસમાનમાં ફેંકાઈ ગયો છું. હેઠે બેસતી વખતે જાણે છે કે હું પાતાળમાં પટકાઈ ગયો છું. ચાલતી વખત જાણે છે કે હું મસકમાં ભરેલા દહીંની માફક Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ડહોળાઉં છું. ૨સોઈ ક૨વા વખતે જાણે છે કે હું ઇંટની ભઠ્ઠીમાં ભરાઈ બળું છું. ઘંટીએ બેસતી વખતે જાણે છે કે હું કુંભારને ચાકડે ચડ્યો છું. માતા ચત્તી સૂવે ત્યા૨ે ગર્ભ જાણે છે કે મારી છાતી ઉપર સવા મણની શિલા પડી છે. કુશીલ સમયમાં ગર્ભને ઉખળ મુસળનો ન્યાય મળે છે. એવી રીતે માતાપિતાના કરેલા તથા ગર્ભસ્થાનથી મળેલા એવા બે જાતના દુઃખોથી પીડાયેલા, કુટાયેલા, ખંડાયેલા અને અશુચિથી તરબોળ થયેલા દુ:ખી જીવની દયા શીયળવંતી ધર્માત્મા માતાપિતા વિના કોણ રાખી શકે ? અર્થાત્ પાપી સ્ત્રી પુરૂષોમાંથી કોઈ નહિ. ગર્ભસ્થ જીવની ગતિનું વિવેચન : જેવા સ્વભાવવાળી માતા હોય તેવા સ્વભાવની છાયા ગર્ભમાં પડે છે. ગર્ભમાંથી બહાર આવ્યા પછી તે પુત્ર, પુત્રીના આચાર, વિચાર, આહાર, વ્યવહાર વગેરે સર્વ માતાના સ્વભાવ મુજબ નિવડે છે. તે ઉ૫૨થી માતા પિતાના ઊચ્ચ નીચ બિજકની તથા જશ, અપજશ વગેરેની પ૨ીક્ષા, પ્રજારૂપ ચિત્ર ઉપરથી વિવેકી સ્ત્રી પુરૂષો કરી શકે છે. કેમકે તે ચિત્ર માતાપિતાની પ્રકૃતિના આધારે ચિત્રાયેલું છે. શું ગર્ભમાં રહેલો જીવ મ૨ીને નરક, દેવ આદિ ગતિમાં જાય છે ? ગર્ભમાં રહેલો કોઈ જીવ રાજવંશ આદિથી ગર્ભમાં આવ્યો હોય અને સંજોગોવશાત્ તેનો કોઈ શત્રુ રાજા તેના રાજયને જીતી લેવા સૈન્ય લઈને ચડી આવે તો તે ગર્ભસ્થ જીવને પોતાના રાજયની રક્ષા કરવાની, તેના ધન, રાજય અને કામભોગોની લાલસાની તીવ્રતા ઉત્પન્ન થાય છે. ગર્ભમાં રહેલો સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પર્યાતિથી પર્યાપ્તો જીવ, વીર્ય લબ્ધિ દ્વારા, વૈક્રિય લબ્ધિ દ્વારા પોતાના આત્મ પ્રદેશોને ગર્ભમાંથી બહાર કાઢીને વૈક્રિય સમુદ્દાત કરે છે. તે વૈક્રિય સમુદ્દાત ક૨ીને હાથી, ઘોડા, ૨થ અને પાયદળરૂપી ચતુરંગિણી સેના બનાવીને શત્રુ સેના સાથે લડાઇ Page #394 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ વિચાર ૩૭૫ ક૨ે છે. શત્રુ રાજાને મારી નાખું અને મારું રાજય બચાવી લઉં તેવી ભાવના ગર્ભસ્થ જીવમાં હોય છે અને આવા સમયે જો તેનું મૃત્યુ થાય તો તે મ૨ીને ન૨કમાં જાય છે. પરંતુ તેથી વિપરીત તે ગર્ભસ્થ જીવ જો આગમાનુસાર વ્રતનું પાલન ક૨વાવાળા સાધુ અથવા દેશવ્રતના ધા૨ક શ્રાવકની પાસે ધાર્મિક વચનો સાંભળીને, તેને હૃદયમાં ધા૨ણ કરીને, ધર્મમાં શ્રદ્ધા કરે છે. તે સંવેગને પ્રાપ્ત કરી ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મોક્ષની ઇચ્છાવાળો બની તેમાં લય બની જાય છે ત્યારે આવા સમયે શુભ અધ્યવસાયમાં જો તેનું મૃત્યુ થાય તો તે મરીને દેવલોકમાં જાય છે. માતા મહા કપટમાં જોડાઈ હોય અને તે વખતે જો ગર્ભનું મરણ થાય તો તે તિર્યંચમાં જાય છે. માતા મહાભદ્રિક અને પ્રપંચ વિનાના વિચા૨માં જોડાઈ હોય તો તે વખતે ગર્ભ મ૨ે તો તે મનુષ્યમાં જાય છે. એમ ગર્ભનો જીવ ચારે ગતિમાં જઈ શકે છે. ગર્ભકાળ પૂરો થાય ત્યારે માતા તથા ગર્ભની નાભિની વિંટાયેલી રસહરણી નાડી ઉખડી જાય છે. ત્યારે જન્મ થવાની તૈયારી થાય છે. તેમાં માતા તથા ગર્ભના પુણ્યનું તથા આયુષ્યનું બળ હોય તો સીધે રસ્તે જન્મ થઈ શકે છે. તે વખતે કેટલાક માથા ત૨ફથી તો કેટલાક પગ ત૨ફથી જન્મે છે. પણ જો બન્ને ભારે કર્મી હોય તો ગર્ભ આડો પડી જાય છે તેથી બેઉ મરણ પામે છે. અથવા માતાને બચાવવા માટે પાપી ગર્ભના જીવને છ૨ીથી ખંડોખંડ ક૨ી મૃત કરાય છે. તેનો કોઈને સોગ, સંતાપ થતો નથી. સીધે ૨સ્તે જન્મ લેના૨ાઓ સોના રૂપાના તાર જેવા છે. માતાનું શરીર જત૨ડો છે. જેમ સોની તા૨ ખેંચે તેમ ગર્ભ ખેંચાઈને કોટિ કરે બહાર આવે છે. અર્થાત્ નવમે મહિને થતી પીડા ઉપર કહી છે તેને ક્રોડ ગણી કરતાં જે પીડા થાય છે તે દુઃખ જન્મ વખતે થાય છે. મરતી વખતે તે પીડા દુઃખને ક્રોડાકોડ ગણું Page #395 -------------------------------------------------------------------------- ________________ ઉ૭૬) િશ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ કરતાં જે દુઃખ થાય છે તેવું બેહદ દુઃખ થાય છે. તે સર્વ પોતાના કરેલાં પુણ્ય પાપનાં ફળ છે અને તે ઉદયકાળમાં ભોગવાય છે. એ સર્વ મોહનીય કર્મનો સંતાપ છે. ગર્ભના જીવની સ્થિતિ : જે જીવે પૂર્વમાં શુભ કર્મ ઉપાર્જન કર્યા છે તે આ જન્મ સ્વરૂપવાન હોય છે, સુવર્ણ, સુગંધ, સુરત અને સુસ્પર્શવાળો હોય છે. ઈષ્ટ, કાંત, પ્રિય, શુભ અને મનોજ્ઞ હોય છે. આદેય વચનવાળો હોય છે. તેથી વિપરીત જેણે પૂર્વ ભવમાં અશુભ કર્મ ઉપાર્જન કર્યા છે તે કુરૂપ, કુવર્ણ, દુર્ગધ, દુઃરસ અને દુઃસ્પર્શવાળો થાય છે. તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ અને અમનોશ હોય છે. તે હીનસ્વર, દીનસ્વરવાળો અને અનાદેય વચનવાળો હોય છે. મૈથુન સેવનમાં કયા પ્રકારનો અસંયમ હોય છે? જેમ કોઈ વાંસ આદિની નળીમાં રૂ અથવા બૂરની વનસ્પતિ ભરી હોય, તેમાં કોઈ પુરુષ ગરમ કરેલી લોખંડની સોય નાખે તો નળીમાં રહેલું રૂ અથવા બૂર બળીને ભસ્મ થઈ જાય છે તેમ મૈથુન સેવનમાં યોનિમાં રહેલા જીવોનો નાશ થઈ જાય છે. તે જીવ પંચેન્દ્રિય હોય છે. તેમનો વિનાશ થાય છે. જન્મવા પછી ભંગીયાણીનો દરજ્જો લઈ માતાએ ઘણી સંભાળથી ઉછેરી પુખ્ત ઉંમરનો કીધો છે. તે પ્રજાની આશામાં માતાનું જોબન લુંટાયું છે, વ્યવહારિક સુખ પર તિલાંજલી કરી છે, તે સર્વને તથા ગર્ભવાસના અને જન્મવા વખતનાં દુઃખોને ભૂલી જઈ જોબન મદમાં છકેલાં પુત્ર, પુત્રીઓ, મહા ઉપકારી માતાને તિરસ્કારની દૃષ્ટિ વડે ધિક્કાર આપી, અનાદર કરે છે. હવે બીજા પક્ષમાં વિવેકી, ધર્માત્મા તથા શિયળવત ધારણ કરનારી સગર્ભા માતાના પુત્ર પુત્રીઓ જન્મી ઉછરે છે, તેઓની Page #396 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્ર પરિચય ૩૭૭૦ જન્મ ક્રિયા પણ તેવી જ છે, પણ માત્ર સ્વભાવની છાયા પડવામાં ફે૨ છે. તેવી માતાઓના પુત્ર, પુત્રીઓ પણ, પોતપોતાના પુણ્યના ઉદય મુજબ સર્વ વૈભવનો ઉપભોગ કરે છે તેમ છતાં પોતાના માતાપિતા સાથે સદ્ વિનયથી વર્તી શકે છે. ગુરુજનોમાં ભક્તિપ૨ાયણ નીવડે છે. લજ્જા, દયા, ક્ષમાદિ ગુણોમાં અને પ્રભુ પ્રાર્થનામાં આગળ વધે છે. અભિમાનથી વિમુખ રહી, મૈત્રી ભાવની સન્મુખ થાય છે. જીંદગીમાં સાર્થક, યોગ્ય, સત્સંગ, કરી જ્ઞાન મેળવે છે, અને શ૨ી૨ સંપત્તિ વગેરેથી ઉદાસ રહી આત્મસ્મરણમાં જીંદગી પૂર્ણ કરે છે. સર્વ કોઈ વિવેક દૃષ્ટિવાળા સ્ત્રી પુરૂષોએ આ અશુચિથી પ્રાપ્ત થયેલા ગંદા શ૨ી૨ની નીપજ ઉપર ધ્યાન રાખી મમતા ઘટાડવી જોઈએ. મિથ્યાભિમાનથી પાછા હટવું જોઈએ, મળેલી જીંદગીને સાર્થક ક૨વા યોગ્ય કાર્ય કરવામાં ઉદ્યમ ક૨વો જોઈએ, જેથી ક૨ીને ઉ૫૨ કહેલા ગર્ભવાસના દુઃખને આધીન થવું ન પડે. ઇતિ ગર્ભ વિચાર. 分蜜照分蜜蜜蜜蜜 分睹照分 ૨૯. નક્ષત્ર પરિચય જંબુદ્વિપ પન્નતિ વક્ષકા૨ ૭ નભચક્રમાં તારાનાં કેટલાંક ઝૂમખાં એવાં છે કે તે સર્વદા એક સરખાં આકારનાં અને માંહોમાંહેના અંત૨ના ન્યૂનાધિકતા ન થાય તેવા છે. તેથી તે નક્ષત્ર કહેવાય છે. એવા નક્ષત્રો કુલ ૨૮ છે. દરેક નક્ષત્રનો ચંદ્રમા સાથેનો યોગ લગભગ સાઠ ઘડીનો હોય છે. પણ Page #397 -------------------------------------------------------------------------- ________________ 0 0 ૩૭૮) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અભિજિત (અભિચ) નક્ષત્ર ૧૯ ઘડીનું છે તેથી તેની પહેલાનું ઉત્તરાષાઢા ૪પ ઘડીનું હોવાથી તેમાં તેની ૧૫ ઘડી અને અભિચ પછીનું શ્રવણ નક્ષત્ર પદ ઘડીનું હોવાથી તેમાં તેની ચાર ઘડી ભેળવી અભિજિતને જુદું નક્ષત્ર કેટલાંક ગણતા નથી. આ રીતે ૨૭ નક્ષત્રોની બાર રાશિઓ ગણવામાં આવે છે. દરેક રાશિમાં સવા બે નક્ષત્ર હોય છે. નીચે નક્ષત્રના નામ, આકાર તથા તારાની સંખ્યા દર્શાવતો કોઠો આપ્યો છે. (ક્રમ નામ આકા૨ તારાની સંખ્યા) ૦૧ | અભિજિત ગાયના મસ્તક જેવો ૦૨ | શ્રવણ કાવડના જેવો ૦૩, ઘનિષ્ઠા પોપટના પાંજરા જેવો ૦૪શતભિષા વિખરાયેલાં ફૂલ જેવો ૦૫ પૂર્વા ભાદ્રપદ અર્ધ વાવડી જેવો ૦૬ [ઉત્તરા ભાદ્રપદ અર્ધ વાવડી જેવો ૦૭ રેવતી વહાણ જેવો ૦૮ અશ્વિની ઘોડાની ખૂંધ જેવો ૦૯ભરણી સ્ત્રીના મર્મસ્થાન જેવો ૧૦ કૃતિકા હજામની કોથળી જેવો ૧૧| રોહિણી ગાડાના ઊંટડા જેવો ૧૨ મૃગશીર્ષ મૃગલાના મુખ જેવો ૧૩ આદ્ર લોહીબિંદુ જેવો ૧૪ પુનર્વસુ ત્રાજવાં જેવો ૧૫ પુષ્ય બે જોડેલાં રામપાત્ર જેવો ૩ ૮ ૧૦) ૦ ૦ છ દ 6 - 2 Page #398 -------------------------------------------------------------------------- ________________ - - - -- - m | ૦ ૦ ૦ ૨ – – ર જ છ ૧૧ , નક્ષત્ર પરિચય કિ ઉ૭૯) (૧૬ આશ્લેષા ધ્વજા જેવો ૧૭ મઘા પડેલા ગઢની દીવાલ જેવો ૧૮ |પૂર્વા ફાલ્યુની | અર્ધા પલંગ જેવો ૧૯ઉત્તરા ફાલ્ગની અર્ધા પલંગ જેવો ૨૦| હસ્ત હાથના પંજા જેવો ૨૧ ચિત્રા ખીલેલા પુષ્પ જેવો સ્વાતિ નાગફણી (ખીલા) જેવો (વિશાખા ઘોડાની દામણી જેવો અનુરાધા એકાવળી હાર જેવો ૨૫ જયેષ્ઠા હાથીદાંત જેવો ૨૬ મૂળ વીંછી જેવો ૨૭ પૂર્વાષાઢા હાથીની ચાલનાં પગલા જેવો ૪ ૨૮ ઉત્તરાષાઢા | બેઠેલા સિંહ જેવો ઉપર મુજબ નક્ષત્રોના આકાર અને તારાની સંખ્યા ઉપરથી નક્ષત્ર ઓળખવાં સુગમ પડે છે. છતાં ગુરુગમથી જાણી લેવાં. ચંદ્રમાની ગતિ મંદ અને નક્ષત્રની ગતિ શીધ્ર હોવાથી રોજ રોજ એક એક નક્ષત્ર બદલાતું રહે છે. આથી તે દૈનિક નક્ષત્ર કહેવાય છે. સૂર્યની ગતિ ચંદ્રના કરતાં શીઘ પણ નક્ષત્રના કરતાં મંદ હોવાથી ચંદ્રમાના કરતાં સૂર્ય સાથે તે નક્ષત્રો વધારે વખત (અમુક દિવસો) સુધી રહે છે તે સૂર્ય નક્ષત્ર કહેવાય છે. ઋતુઓના પરિવર્તન આ સૂર્ય નક્ષત્ર ઉપર અવલંબે છે. ઘણું કરીને દરેક મહિનાની પૂર્ણિમાએ જે નક્ષત્ર ચંદ્ર સાથે રહી રાત પૂરતું હોય છે તે નક્ષત્રના નામ ઉપરથી મહિનાનાં નામ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ પડેલા છે. જેમકે કૃતિકા ઉ૫૨થી કાર્તિક, મૃગશીર્ષ ઉપરથી માગશર યાવત્ અશ્વિની ઉપ૨થી અશ્વિન. (આસો) શ્રી ઠાણાંગ સૂત્રના દશમે ઠાણે નીચેનાં દશ નક્ષત્રો જ્ઞાન વૃદ્ધિ કારક કહ્યાં છે. ૧ મૃગશીર્ષ, ૨ આદ્રા, ૩ પુષ્ય, ૪,૫,૬ ત્રણે પૂર્વા, ૭ મૂળ, ૮ આશ્લેષા, ૯ હસ્ત, ૧૦ ચિત્રા. ઇતિ નક્ષત્ર પરિચય. 園内膠廠的廠小图图 ૩૦. પાંચ દેવ ભગવતી સૂત્ર શતક ૧૨, ઉ. ૯ 台 ગાથા નામ ગુણ ઉવવાએ, ઠી વીયુ ચવણ સંચિઠણા | અંતર અપ્પાં બહુયં ચ, નવ ભેએ દેવ દારાએ 11 દ્વા૨ના નામ ઃ ૧. નામ દ્વાર, ૨. ગુણ દ્વાર, ૩. ઉવવાય દ્વા૨, ૪. સ્થિતિ દ્વા૨, ૫. રૂઢિ તથા વિક્રુવણા દ્વાર, ૬. ચવણ દ્વાર, ૭. સંચિઠ્ઠણા દ્વાર, ૮. અવગાહના દ્વાર, ૯. અંતર દ્વાર, ૧૦. અલ્પ બહુત્વ દ્વાર. એ દશ દ્વાર, પાંચ દેવ પર ઉતારે છે. ૧. નામ દ્વા૨ : ૧. ભવિય દ્રવ્યદેવ, ૨. ન૨દેવ, ૩. ધર્મદેવ, ૪. દેવાધિદેવ, ૫. ભાવદેવ. ૨. ગુણ દ્વા૨ : ૧. મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય જેને દેવતામાં ઉપજવું છે તેને ભવિય દ્રવ્યદેવ કહીએ. ૨. ન૨દેવ : ચક્રવર્તીની રિદ્ધિ ભોગવે તેને નરદેવ કહીએ. તે ચક્રવર્તીની રિદ્ધિનું વર્ણન : નવનિધાન, ચૌદ રત્ન, ચોરાસી લાખ હાથી, ચોરાસી લાખ ઘોડા, ચોરાસી લાખ રથ, છન્નુ ક્રોડ પાયદળ, Page #400 -------------------------------------------------------------------------- ________________ પાંચ દેવ ૩૮૧ છ ખંડનો સ્વામી તથા બત્રીસ હજાર મુકુટબંધી રાજા જેની આજ્ઞામાં છે, બત્રીસ હજાર સામાનિક રાજા, સોળ હજાર દેવતા ચાકરી કરે, ચોસઠ હજા૨ સ્ત્રી, ત્રણસો સાઠ રસોઈયા, વીસ હજાર સોનાના આગાર વિ. ' ૩. ધર્મદેવ : આઠ પ્રવચન માતાના સેવનાર, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર, દશવિધ યતિધર્મના પાલણહાર, બાર ભેદે તપસ્યાના કરનાર, સત્તર ભેદે સંયમના પાળનાર, બાવીસ પરિષહના સહનાર, સાધુના સત્તાવીસ ગુણે ક૨ી સહિત, તંત્રીસ આશાતનાના ટાળણહાર, છત્રુ દોષરહિત આહાર પાણીના લેનાર જે છે તેને ધર્મદેવ કહીએ. ૪. દેવાધિદેવ : ચોત્રીસ અતિશયે ક૨ી બિરાજમાન, પાંત્રીસ વચન વાણીના ગુણે ક૨ી સહિત, ચોસઠ ઇદ્રના પૂજનીક, એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણના ધણી, અઢાર દોષ રહિત અને બાર ગુણે કરી સહિત હોય, તે બાર ગુણ, ૧ જ્યાં જ્યાં ભગવંત ઊભા રહે, બેસે, સમોસરે ત્યાં ત્યાં દશ બોલ સહિત તે ભગવંતથી બા૨ગુણો ઊંચો તત્કાળ અશોકવૃક્ષ થઈ આવે ને સ્વામીને છાંયો કરે. ૨ ભગવંત જ્યાં જ્યાં સમોસરે ત્યાં ત્યાં પાંચવર્ણા અચેત ફૂલની વૃષ્ટિ થાય ને ઢીંચણ પ્રમાણે ઢગલા થાય. ૩ ભગવંતની જોજન પ્રમાણે વાણી વિસ્તરે ને સહુનાં મનનો સંશય હરે. ૪ ભગવંતને ચોવીસ જોડ ચામર વીંઝાય. ૫ સ્ફટિક રત્નમય પાદપીઠ સહિત સિંહાસન સ્વામીની આગળ થાય. ૬ ભામંડળ અંબોડાને ઠેકાણે તેજમંડળ બિરાજે, દિશોદિશના અંધકાર ટળે. ૭ આકાશે સાડાબાર ક્રોડ ગેબી વાજાં વાગે. ૮ ભગવંતની ઉપર ત્રણ છત્ર ઉપરાઉપરી બિરાજે. ૯ અનંત જ્ઞાન અતિશય. ૧૦ અનંત અર્ચા અતિશય - ૫૨મપૂજ્યપણું. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩િ૮૨ Hિી શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૧ અનંત વચન અતિશય, ૧૨ અનંત અપાયાગમ અતિશય તે સર્વ દોષ રહિતપણું. (૧ થી ૮ અતિશય છે અને ૯ થી ૧૨ ગુણ છે.) અઢાર દોષ રહિત તે ૧ અજ્ઞાન, ૨ ક્રોધ, ૩ મદ, ૪ માન, ૫ માયા, ૬ લોભ, ૭ રતિ, ૮ અરતિ, ૯ નિદ્રા, ૧૦ શોક, ૧૧ અસત્ય, ૧૨ ચોરી, ૧૩ મત્સર, ૧૪ ભય, ૧૫ પ્રાણીવધ, ૧૬ પ્રેમ, ૧૭ ક્રીડા પ્રસંગ, ૧૮ હાસ્ય. તેને દેવાધિદેવ કહીએ. ૫. ભાવદેવ: ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર જાતિના દેવતાને ભાવે પ્રવર્તે છે તેને ભાવદેવ કહીએ. ૩. ઉવવાય દ્વાર : ૧. ભવિય દ્રવ્યદેવમાં ૧૭૯ની લટ, ૭ નારકી, સર્વાર્થસિદ્ધ છોડી ૯૮ દેવનાં પર્યાપ્ત મળી ૨૮૪ બોલનાં આવે. ૨. નરદેવ પ્રથમ નરક, ૧૦ ભવનપતિ, ૨૬ વાણવ્યંતર, ૧૦ જ્યોતિષી, ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ રૈવેયક, ૫ અનુ. વિમાનનાં પર્યાપ્તા મળીને ૮૨ બોલના આવે. ૩. ધર્મદેવ : ૧૭૧ ની લટ (તેલ, વાઉના વર્જીને), ૯૯ દેવ, પાંચ નરકનાં પર્યાપ્ત મળી ર૭પ બોલના આવે. ૪. દેવાધિદેવ : ૧૨ વલોક, ૯ લોકાંતિક, ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન, પ્રથમ ત્રણ નરક એ ૩૮ ના પર્યાપ્તા આવે. ૫. ભાવદેવ: ૧૦૧ સંજ્ઞી મનુષ્ય, પ સંજ્ઞી તિર્યચ, ૫ અસંજ્ઞા તિર્યંચ પંચે. એ સર્વ ૧૧૧ ના પર્યાપા આવીને ઉપજે. ૪. સ્થિતિ દ્વાર : " ૧. ભવિય દ્રવ્યદેવની જ. અંતર્મુહૂર્ત ઉ. ત્રણ પલ્ય. ૨. નરદેવની જ. સાતસો વર્ષ ઉ. ચોરાસી લાખ પૂર્વ. ૩. ધર્મદેવની જ. અંતર્મુહૂર્ત ઉ. દેશે ઊણી પૂર્વેક્રોડ વર્ષ. Page #402 -------------------------------------------------------------------------- ________________ પાંચ દેવ ૪. દેવાધિદેવની જ. ૭૨ વર્ષ ૩. ૮૪ લાખ પૂર્વ. ૫. ભાવદેવની જ. દશ હજાર વર્ષ ઉ. ૩૩ સાગ૨ની. ૩૮૩ ૫. રૂદ્ધિ તથા વિક્રુવણા દ્વાર ઃ ભવિય દ્રવ્યદેવ તથા ધર્મદેવમાં જેને વૈક્રિય લબ્ધિ ઉપજી હોય તેને, તથા નરદેવ, ભાવદેવને તો હોય જ. એ ચાર વૈક્રિય રૂપ કરે તો જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા રૂપ કરે. શક્તિ તો અસંખ્યાતા રૂપ ક૨વાની છે, પણ કરે નહિ. દેવાધિદેવની શક્તિ અનંત છે, પણ કરે નહિ. ૬. ચવણ દ્વાર : ૧. ભવિય દ્રવ્યદેવ ચવીને ૧૯૮ ભેદનાં દેવ થાય. ૨. નરદેવની ગતિ ૧૪ ભેદ ૭ ન૨કના અયúમાને પર્યાપ્તા. ૩. ધર્મદેવ ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, ૯ લોકાંતિક, ૫ અનુત્તર વિમાન એ ૩૫ ભેદ વૈમાનિકના અપર્યાપ્તા ને પર્યાપ્તા એમ ૭૦ ભેદમાં જાય. ૪. દેવાધિદેવ મોક્ષમાં જાય. ૫. ભાવદેવ ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ૨૩ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ૪૬ ભેદમાં જાય. ૭. સંચિઠ્ઠણા દ્વાર : સંચિણા એટલે દેવના દેવપણે કેટલો વખત રહે તે. ૧. ભવિય દ્રવ્યદેવની સંચિઠ્ઠણા જ. અંતર્મુહૂર્ત . ૩ પલ્યોપમની. ૨. નરદેવની જ. ૭૦ વર્ષ ૩. ૮૪ લાખ પૂર્વની. ૩. ધર્મદેવની પરિણામ આશ્રી એક સમય, પ્રવર્તન આશ્રી જ. અંતર્મુહૂર્ત ઉ. દેશે ઊણી પૂર્વક્રોડ વર્ષની. ૪. દેવાધિદેવની જ. ૭૨ વર્ષ ૩. ૮૪ લાખ પૂર્વની. ૫. ભાવદેવની જ. દશહજાર વર્ષ ઉ. ૩૩ સાગરોપમની, Page #403 -------------------------------------------------------------------------- ________________ | શ્રી બ્રહ૬ જૈન થોક સંગ્રહ ૮. અવગાહના દ્વાર : જઘન્ય અવ. ઉત્કૃષ્ટ અવ. ૧. ભવિય દ્રવ્યદેવની આંગુલનો અસં.મો ભાગ ૧000 યોજના ૨. નરદેવની સાત ધનુષ્ય ૫૦૦ ધનુષ્ય. 3. ધર્મદેવની બે હાથ ૫૦૦ ધનુષ્ય. ૪. દેવાધિદેવની સાત હાથ ૫૦૦ ધનુષ્ય. ૫. ભાવદેવની એક હાથ સાત હાથ. ૯. અંતર દ્વારઃ ૧. ભવિય દ્રવ્યદેવનું આંતરું પડે તો જ. દશ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક ઉ. અનંતકાળનું. ૨. નરદેવનું જ. એક સાગર ઝાઝેરું ઉ. અર્ધ પુદ્ગલ પરાવર્તન દેશે ઊણું. ૩. ધર્મદેવનું જ. બે પલ્ય ઝાઝેરું ઉ. અર્ધપુદ્ગલ પરાવર્તન દેશે ઊણું. ૪. દેવાધિદેવ નું આંતરૂં નથી. ૫. ભાવદેવનું જ. અંતર્મુહૂર્ત ઉ. અનંતકાળનું. ૧૦. અલ્પબદુત્વ દ્વાર : સર્વથી થોડા નરદેવ ૧. તેથી દેવાધિદેવ સંખ્યાત ગુણા ૨. તેથી ધર્મદેવ સંખ્યાત ગુણા 3. તેથી ભવિય દ્રવ્યદેવ અસંખ્યાત ગુણા ૪. તેથી ભાવદેવ અસંખ્યાત ગુણા પ. ઇતિ અલ્પ બહુત આદિ ૧૦ દ્વાર ઇતિ પાંચ દેવનો થોકડો. Dj Dj $ 3 $ $ $ $ % નોંધ : Page #404 -------------------------------------------------------------------------- ________________ આરાધક વિરાધક ૩૮૫ ૩૧. આ૨ાધક-વિરાધક તથા દેવોત્પાતનાં ૧૪ બોલ શ્રી ભગવતી સૂત્ર શતક ૧, ઉદ્દેશો ૨ તથા પન્નવણા સૂત્ર પદ ૨૦ જઘન્ય જાય ઉત્કૃષ્ટ જાય બોલનું નામ ૧. અસંજતિ ભવિય દ્રવ્ય દેવ ભવનપતિ નવ ચૈવેયક (સ્વલિંગી, અન્યલિંગી – ૧ થી ૪ ગુણસ્થાનકવાળા જીવો) પહેલું દેવલોક ભવનપતિ સર્વાર્થસિદ્ધ વિમાન પહેલું દેવલોક બારમું દેવલોક જ્યોતિષી ૨. આરાધક સાધુ ૩. વિ૨ાધક સાધુ ૪. આરાધક શ્રાવક ૫. વિરાધક શ્રાવક ૬. અસંશી તિર્યંચ પહેલું દેવલોક ભવનપતિ ભવનપતિ વાણવ્યંતર ભવનપતિ જ્યોતિષી ૭. તાપસના મતવાળા (કંદમૂળ ભક્ષક આદિ) ૮. કંદર્પિયા સાધુ (હાંસી મજાક કરનારા) ૯. ચ૨ક પરિવાજક મતવાળા (અંબડ સંન્યાસીના મતવાળા) ૧૦. કિક્વિષિકો (જમાલીના મતવાળા) ૧૧. સંશી તિર્યંચ ૧૨. આજીવિકા મતવાળા (ગોશાળાના મતવાળા) ચિત્રપટ આદિ બતાવીને પોતાની આજીવિકા કરનારા ભવનપતિ | પહેલું દેવલોક ભવનપતિ પાંચમું દેવલોક ભવનપતિ | છઠ્ઠું દેવલોક ભવનપતિ | આઠમું દેવલોક ભવનપતિ | બા૨મું દેવલોક -25 Page #405 -------------------------------------------------------------------------- ________________ ઉ૮૬) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૩. આભિયોગીકો ભવનપતિ | બારમું દેવલોક (મંત્રતંત્ર કરનારા) ૧૪. દર્શન વિરાધક સ્વલિંગી સાધુ ભવનપતિ | નવ રૈવેયક ઇતિ આરાધક – વિરાધક તથા દેવોત્પાતનાં ૧૪ બોલ. જી (૩૨. ત્રણ જાગરિકા) ભગવતી સૂર શતક ૧૨, ઉદ્દેશો ૧ શ્રી વીર ભગવાનને ગૌતમસ્વામી પૂછતા હતા કે હે ભગવાન ! જાગરિકા કેટલા પ્રકારે કહી છે? ભગવાને કહ્યું : હે ગૌતમ ! જાગરિકા ત્રણ પ્રકારની કહી છે. ૧. ધર્મ જાગરિકા, ૨. અધર્મ જાગરિકા, ૩. સુદખુ જાગરિકા. [૧] ધર્મ જાગરિકા: તેના ચાર ભેદ : ૧) આચાર ધર્મ, ૨) ક્રિયા ધર્મ, ૩) દયા ધર્મ, ૪) સ્વભાવ ધર્મ. ૧) આચાર ધર્મનાં પાંચ ભેદઃ ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર અને પ. વીર્યાચાર. તેમાં જ્ઞાનાચારના ૮ ભેદ, દર્શનાચારના ૮ ભેદ, ચારિત્રાચારના ૮ ભેદ, તપાચારના ૧૨ ભેદ, વીર્યાચારના ૩ ભેદ, એમ કુલ ૩૯ ભેદ થાય. ૧. જ્ઞાનાચારના ૮ ભેદ : ૧. જ્ઞાન ભણવાના વખતે જ્ઞાન ભણવું, ૨. જ્ઞાન લેતાં વિનય કરવો, ૩. જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન કરવું, ૪. જ્ઞાન ભણતાં યથાશક્તિ તપ કરવું, ૫. અર્થ તથા ગુરુને ગોપવવા નહિ, ૬, અક્ષર શુદ્ધ, ૭. અર્થ શુદ્ધ, ૮. અક્ષર અને અર્થ બન્ને શુદ્ધ ભણે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ત્રણ જાગરિકા (૬) ૩૮૭ ૨. દર્શનાચા૨ના ૮ ભેદ : ૧. જૈન ધર્મમાં શંકારહિતપણું, ૨. પાખંડી ધર્મની વાંછારહિતપણુ, ૩. કરણીના ફળનું સંદેહરહિતપણું, ૪. પાખંડીના આડંબર દેખી મુંઝાય નહિ, ૫. સ્વધર્મની પ્રશંસા કરે, ૬. ધર્મથી પડતાને સ્થિર કરે, ૭. સ્વધર્મની ભક્તિ કરે, ૮. જૈન ધર્મને અનેક રીતે દીપાવે, કૃષ્ણ મહારાજા કે શ્રેણિક રાજાની જેમ. લોકે ૩. ચારિત્રાચારનો ૮ ભેદ : ૧. ઇર્યા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આયાણભંડમત્તનિખેવણયા સમિતિ, ૫. ઉચ્ચાર પાસવણ ખેલ, જલ, સિંઘાણ પારિઠાવણિયા સમિતિ, ૬. મન ગુપ્તિ, ૭. વચન ગુપ્તિ, ૮. કાય ગુપ્તિ. 25 ના ૪) - ૪. તપાચારના ૧૨ ભેદ : છ બાહ્ય તપ અને છ આવ્યંતર તપ એમ ૧૨ તપ. છ બાહ્ય તપના નામ – ૧. અણસણ, ૨. ઉણોદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. ૨સપરિત્યાગ, પ. કાયકલેશ, ૬. પ્રતિસંલીનતા. આત્યંત૨ તપના છ ભેદ – ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. સજ્ઝાય, ૫. ધ્યાન, ૬. કાયોત્સર્ગ. એમ ૧૨ ભેદ તપાચા૨ના જાણવા. તેમાં ઈહલોક, ૫૨લોકના સુખની વાંછા૨હિત તપ કરે અથવા આજીવિકારહિત તપ કરે એ તપના બાર આચાર જાણવા. ૫. વીર્યાચારના ત્રણ ભેદ : ૧. બળ, વીર્ય, ધર્મનાં કામમાં ગોપવે નહિ. ૨. પૂર્વોક્ત ૩૬ બોલમાં ઉદ્યમ કરે. ૩. શક્તિ અનુસાર કામ કરે. ઇતિ આચારધર્મના ૩૯ ભેદ ૨) ક્રિયાધર્મ : કરણસિત્તેરીના ૭૦ ભેદ : ૪ પ્રકારે પિંડવિશુદ્ધિ', ૫ સમિતિ, ૧૨ ભાવના, સાધુની ૧૨ પડિયા, પાંચ ૧ પિંડ એટલે આહાર માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી. વિશુદ્ધિ એટલે પ્રાસુક આદિ સૂઝતા દ્રવ્ય લેવા. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ઇંદ્રિયોનો નિરોધ તે ૫, ૨૫ પ્રકારની પડિલેહણા; 3 ગુપ્તિ, ૪ અભિગ્રહ. . - = ચ૨ણસિત્તેરીના ૭૦ ભેદ : ૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ પ્રકા૨નો સંયમ, ૧૦ પ્રકા૨ની વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યની વાડ, ૩ રત્ન (જ્ઞાન, દર્શન, ચારિત્ર), ૧૨ તપ, ૪ કષાયનો નિગ્રહ તે ૭૦. ૩) દયાધર્મ : તેના ૮ ભેદ : ૧. સ્વદયા` - તે પોતાના આત્માને પાપથી બચાવે તે. ૨. પરદયા – તે બીજા જીવોની રક્ષા કરે તે. ૩. દ્રવ્ય દયા – દેખાદેખીથી અથવા શરમથી જીવોની રક્ષા કરે અથવા કૂળઆચારે દયા પાળે તે. ૪. ભાવદયા – જ્ઞાનના માધ્યમથી જીવને જીવાત્મા જાણીને તે ઉ૫૨ અનુકંપા લાવી જીવ બચાવવો તે. ૫. વ્યવહા૨ દયા – જેવી શ્રાવકને દયા પાળવી કહી છે તે સાચવે તે, ઘ૨નાં અનેક કામકાજ કરતાં જતના રાખવી તે. ૬. નિશ્ચય દયા તે આપણાં આત્માને કર્મબંધથી છોડાવવો, તેનો ખુલાસો એ છે કે પુદ્ગલ ૫૨વસ્તુ છે. તેના ઉ૫૨થી મમતા ઉતારીને, તેનો પરિચય છાંડીને, આપણા આત્માના ગુણમાં ૨મણ કરવું, જીવનું કર્મરહિત શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું. તે નિશ્ચય દયા ચૌદમા ગુણસ્થાનકને અંતે સંપૂર્ણ લાભે. ૭. સ્વરૂપ દયા – તે કોઈ જીવને મારવાને ભાવે, પહેલાં તે જીવને સા૨ી ૨ીતે ખવ૨ાવે અને શરીરે માતો કરે, સાર સંભાળ લે, એ દયા ઉ૫૨થી દેખાવ માત્ર છે, પરંતુ પાછળથી તે જીવને મા૨વાના પરિણામ છે, તે ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયને બોકડાના અધિકા૨થી સમજવું. ૮. અનુબંધ દયા – તે જીવને ત્રાસ પમાડે પણ અંત૨થી તેને શાતા દેવાના કામી છે. તે, જેમકે માતા પુત્રને રોગ મટાડવાને અર્થે કડવું ઔષધ પાય પણ ૧ સ્વદયામાં ૫૨દયાની નિયમા અને પરદયામાં સ્વદયાની ભજના. Page #408 -------------------------------------------------------------------------- ________________ ત્રણ જાગરિકા ૩િ૮૭ અંતરથી તેનું ભલું ઇચ્છે છે તથા જેમ પિતા પુત્રને ભલી શિખામણ આપવા માટે ઉપરથી તર્જના કરે, મારે, પણ અંતરથી તેના ગુણ વધારવા માટે ભલું ઇચ્છે છે. ૪) સ્વભાવ ધર્મ : તે જે વસ્તુ જીવ અથવા અજીવ તેની જે પરિણતિ છે તે. તેના બે ભેદ તેમાં એક શુદ્ધ સ્વભાવથી અને બીજો કર્મના સંજોગથી અશુદ્ધ પરિણતિ છે તે જીવને વિષય કષાયના સંજોગથી વિભાવ થાય છે. હવે જીવ અને પુદ્ગલને વિભાવ છે. તેને દૂર કરીને જીવ પોતાના જ્ઞાનાદિક ગુણમાં રમણ કરે, તે સ્વભાવ ધર્મ અને પુદ્ગલનો એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શમાં રમણ થાય તે પુદ્ગલને શુદ્ધ સ્વભાવ ધર્મ જાણવો. એ સિવાય બીજા ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યમાં સ્વભાવ ધર્મ છે, પણ વિભાવ ધર્મ નથી. તે ચલણ ગુણ, સ્થિર ગુણ, અવકાશ ગુણ, વર્તના ગુણ, તે પોતપોતાના સ્વભાવને છોડતા નથી તે માટે શુદ્ધ સ્વભાવ ધર્મ છે. એ ચાર પ્રકારની ધર્મ જાગરિકા કહી. | [૨] અધર્મ જાગરિકા તે સંસારમાં ધન, કુટુંબ, પરિવારનો સંજોગ મેળવવો, તેને માટે આરંભાદિક કરવા, તેની રક્ષા કરવી, તેના ઉપર દૃષ્ટિ રાખવી, તે અધર્મ જાગરિકા જાણવી. [૩] સુખ જાગરિકા: તે સુ કહેતાં ભલી અને દખુ કહેતાં ચતુરાઈવાળી જાગરિકા, એ જાગરિકા શ્રાવકને હોય છે, કેમકે સમ્યફ જ્ઞાન, દર્શન સહિત ધન – કુટુંબાદિક તથા વિષય કષાયને ખોટા જાણે છે, દેશથી નિવર્યા છે, ઉદય ભાવથી ઉદાસીનપણે રહે છે, ત્રણ મનોરથ ચિંતવે છે. તે સુદખ જાગરિકા જાણવી. ઇતિ ત્રણ જાગરિકા. ' જ SSS S SS S S SS S Page #409 -------------------------------------------------------------------------- ________________ - - - - ઉ0 શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ Sી (૩૩. છકાયના ભવો. શ્રી ગૌતમ સ્વામી વીર ભગવાનને વંદણા નમસ્કાર કરીને પૂછતા હતા કે, હે ભગવાન ! છકાયના જીવ અંતર્મુહૂર્તમાં કેટલા ભવ કરે ? વીર ભગવાને કહ્યું હે ગૌતમ ! તે નીચે મુજબ છે. છકાયનું નામ જઘન્ય ભવ ઉત્કૃષ્ટ ભવ ૧. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ૧૨,૮૨૪ ૨. પ્રત્યેક વનસ્પતિ ૩૨,000 ૩. સાધારણ વનસ્પતિ ૬૫,૫૩૬ ૪. બેઇન્દ્રિય ૫. ઇિન્દ્રિય ૬. ચૌરેન્દ્રિય ૭. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ૮. સંશી તિર્યંચ, સંશી મનુષ્ય (૯. સંમૂર્છાિમ મનુષ્ય એક મુહૂર્ત (બે ઘડી) ની ૧,૬૭,૭૭,૨૧૬ (એક કરોડ, સડસઠ લાખ, સત્યોતેર હજાર, બસોને સોળ) આવલિકા થાય. અને એક સુલક ભવ (નાનામાં નાનો ભવ) ૨૫૬ આવલિકાથી નાન ન હોય. - - - - - - - - - - - - - - ઇતિ છકાયના ભવ. . Page #410 -------------------------------------------------------------------------- ________________ : અવધિ પદ ફિ૯૧) ૩૪. અવધિ પદો પન્નવણા સૂત્ર પદ ૩૩ દશ દ્વારના નામઃ ૧. ભેદ દ્વાર, ૨. વિષય દ્વાર, ૩. સંડાણ દ્વાર, ૪. આત્યંતર અને બાહ્ય દ્વાર, પ.દેશ થકી અને સર્વ થકી, ૬. અણુગામી, ૭. હિયમાન અને વર્ધમાન, ૮. અવઢીયા, ૯. પડિવાઇ, ૧૦. અપડિવાઈ. ૧. ભેદ દ્વાર : તેમાં નારકી અને દેવતા ભવ પ્રત્યે દેખે એટલે ઉપજતી વખતે સાથે અવધિજ્ઞાન હોય છે. તિર્યંચ અને મનુષ્ય ક્ષયોપશમ પ્રમાણે દેખે. ૨. વિષય દ્વાર : પ્રથમ નરકના નારકી જઘન્ય સાડાત્રણ ગાઉ, દેખે ઉત્કૃષ્ટ ચાર ગાઉ દેખે. બીજી નરકનાં નારકી જ. ત્રણ ગાઉ, ઉ. સાડા ત્રણ ગાઉ દેખે. ત્રીજી નરકના નારકી જ. અઢી ગાલ, ઉ. ત્રણ ગાઉ દેખે. ચોથી નરકના નારકી જ. બે ગાઉ, ઉ. અઢી ગાઉ દેખે. પાંચમી નરકના નારકી જ. દોઢ ગાઉ, ઉ. બે ગાઉ દેખે. છઠ્ઠી નરકના નારકી જ. એક ગાઉ, ઉ. દોઢ ગાઉ દેખે. સાતમી નરકના નારકી જ. અડધો ગાઉ, ઉત્કૃષ્ટ એક ગાઉ દેખે. અસુરકુમાર (ભવનપતિ) જ. ૨૫ જોજન સુધી દેખે, ઉ. ત્રણ પ્રકારનું દેખે. ઊંચું પહેલા બીજા દેવલોક સુધી, નીચું ત્રીજી નરકના તળા સુધી, અને ત્રીજું પત્યના આયુષ્યવાળા સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે અને સાગરના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. નવ નિકાયના દેવો તથા વાણવ્યંતર દેવો જ. ૨૫ જોજન, ઉ. ત્રણ પ્રકારનું દેખે. ઊંચું પહેલા દેવલોક સુધી, નીચું પાતાળ કળશા સુધી, ત્રીજું સંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી દેખે. જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકના દેવતા જ. આંગુલનો Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨J શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અસંખ્યાતમો ભાગ, ઉ. ત્રણ પ્રકારનું દેખે. ઊંચું પોતાના વિમાનની ધ્વજા સુધી, નીચું પહેલી નરકના તળા સુધી, ત્રીજું પલ્યના આયુષ્યવાળા સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે અને સાગરના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. ત્રીજા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા ઊંચું પોતપોતાના વિમાનની ધ્વજા સુધી દેખે. ત્રીજું અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. નીચું ત્રીજા ચોથા દેવલોકના દેવો બીજી નરકના તળા સુધી, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો ત્રીજી નરકના તળા સુધી, સાતમા આઠમા દેવલોકના દેવો ચોથી નરકના તળા સુધી, નવથી બાર દેવલોકના દેવો પાંચમી નરકના તળા સુધી, નવ રૈવેયકના દેવો છઠ્ઠી નરકના તળા સુધી, પ્રથમ ચાર અનુત્તર વિમાનના દેવો સાતમી નરકના તાળા સુધી અને સર્વાર્થસિદ્ધના દેવતા દેશે ઊણી લોકનાલિકા (૧૪ રાજલોકો સુધી દેખે. તિર્યંચ જ. આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉ. અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. મનુષ્યને જ. આંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉ. આખા લોક અને અલોકમાં લોક જેવડા અસંખ્યાતા ખંડ જોવાની શક્તિ છે. ૩. સંડાણ દ્વાર : નારકી, ત્રાપાને આકારે દેખે. ભવનપતિ, પાલાને આકારે દેખે. વાણવ્યંતર પડહને આકારે દેખે. જ્યોતિષી, ઝાલરને આકારે દેખે. બાર દેવલોકના દેવતા, મૃદંગને આકાર દેખે. નવ રૈવેયકના દેવતા ફૂલની ચંગેરીના આકારે દેખે. અનુત્તર વિમાનના દેવતા, કુંવારી કન્યાના કંચવાને આકારે દેખે. ૪. આત્યંતર અને બાહ્ય દ્વાર : નારકી દેવતા આત્યંતર દેખે, તિર્યંચ બાહ્ય દેખે, મનુષ્ય આત્યંતર અને બાહ્ય દેખે, કારણ કે તીર્થંકર દેવને અવધિજ્ઞાન સાથે જ હોય છે. ૫. દેશ અને સર્વથકી ઠાર : નારકી, તિર્યંચ અને દેવતા દેશ Page #412 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ધ્યાન 0િ૩૩) થકી અને મનુષ્ય દેશથી તથા સર્વથી દેખે. ૬. અણુગામી અને અરાણુગામી દ્વાર : નારકી, દેવતાને અણુગામી કહેતાં, સાથે જનારૂં અવધિજ્ઞાન હોય. મનુષ્ય, તિર્યંચને અણુગામી અને અણાણુગામી બન્ને હોય. ૭-૮, હિયમાન, વર્ધમાન અને અવક્રિયા દ્વાર : નારકી, દેવતાને અવઢિયા (અવસ્થિત) હોય તેટલું અવધિજ્ઞાન રહે. મનુષ્ય, તિર્યંચને હિયમાન, વર્ધમાન અને અવઢિયા એ ત્રણ પ્રકારનું હોય. ૯-૧૦. પડિવાઈ અને અપડિવાઈ દ્વાર: નારકી અને દેવતાને અપડિવાઈ અવધિજ્ઞાન હોય. મનુષ્ય અને તિર્યંચને પડિવાઈ અને અપડિવાઈ બન્ને અવધિજ્ઞાન હોય. ઇતિ અવધિ પદ. Es a & Be a Ba Se . જો ૩૫. ધર્મધ્યાન તો ઉવવાઈ સૂત્રનો પાઠ સે કિં તે ધમ્મક્ઝાણે ?ચઉવ્યિો, ઉપડિયારે પન્નત્તે તં જહા : ૧ આણાવિજએ, ૨ અવાયવિજએ, ૩ વિવાગવિજએ, ૪ સંડાણવિજએ. ધમ્મસ્મણંઝાણસ્સ ચારિ લખણા પન્નત્તા તંજહા, ૧ આણારૂઇ, ૨ નિસગ્નરૂઇ, ૩ સુત્તરૂધ, ૪ ઉવએસરૂ. ધમ્મસબંઝાણસ્મ ચત્તારિ આલંબણા પન્નત્તા તં જહા, ૧ વાયણા, ૨ પુચ્છણા, 3 પરિયટ્ટણા, ૪ ધમ્મકહા. ધમ્મસબંન્ઝાણસ્સ ચત્તાર અણુપેહા પન્નત્તા તંજહા, ૧ એગચ્યાણખેડા, ૨ અણિચ્યાણપહા, 3 અસરણાણુષ્પહા, ૪ સંસારાણુપેહા. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ આ ધર્મધ્યાનનો સૂત્ર પાઠ કહ્યો, હવે તેનો અર્થ કહે છે. ધર્મધ્યાનના ૪ ભેદ છે. (૧) આણાવિજએ, (૨) અવાયવિજએ, (૩) વિવાગવિજએ, (૪) સંઠાણવિજએ. પહેલો ભેદ : આણાવિજએ : આણાવિજએ એટલે વીતરાગ દેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એ છે કે સમકિત સહિત શ્રાવકનાં ૧૨ વ્રત, ૧૧ પડિમા, સાધુજીના ૫ મહાવ્રત તથા ૧૨ ભિખ્ખુની પડિમા, શુભ ધ્યાન, શુભ યોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ને છકાય જીવની રક્ષા એ વીતરાગ દેવની આજ્ઞાને આ૨ાધવી. તેમાં સમય માત્રનો પ્રમાદ ન ક૨વો. ચતુર્વિધ સંઘનાં ગુણ કીર્તન કરવા. આ ધર્મધ્યાનનો પહેલો ભેદ કહ્યો. બીજો ભેદ : અવાયવિજએ : અવાયવિજએ કહેતાં – જીવ સંસારમાં દુઃખ શા થકી ભોગવે છે ? તેનો વિચા૨ ચિંતવવો. તેનો વિચાર એ છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, અઢાર પાપસ્થાનક અને છકાય જીવની હિંસા આનાથી જીવ દુઃખ પામે છે. માટે એવું દુઃખનું કારણ જાણી એવો આશ્રવ માર્ગ છોડી, સંવ૨ માર્ગ આદ૨વો જેથી જીવ દુઃખ ન પામે. આ ધર્મધ્યાનનો બીજો ભેદ ક્યો. ત્રીજો ભેદ : વિવાગવિજએ : વિવાવિજએ એટલે જીવ સંસારમાં સુખ અને દુ:ખ શા થકી ભોગવે છે, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે, જીવે જેવા ૨સથી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્જન કર્યા છે, તેવાં શુભાશુભ કર્મના ઉદયથી, જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતાં થકા કોઈ ઉ૫૨ રાગદ્વેષ ન આંણી, સમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત જૈન ધર્મમાં પ્રવર્તે તો નિરાબાધ Page #414 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન B૯૫) પરમ સુખ પામે. આ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો. ચોથો ભેદ : સંઠાણવિજએ સંઠાણ વિજએ કહેતાં ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈડીક સાવલાના આકારે છે. લોક જીવ – અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્યભાગે અસંખ્યાતા યોજન પ્રમાણે તિલોક છે. તેમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાતા વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાતા જયોતિષીનાં વિમાનો છે. અસંખ્યાતી દેવતાની રાજધાનીઓ છે. તેને મધ્યભાગે અઢીદ્વિીપ છે. તેમાં જઘન્ય તીર્થકર ૨૦ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ અથવા ૧૭૦, જઘન્ય બે ક્રોડ કેવલી અને ઉત્કૃષ્ટ હોય તો નવ ક્રોડ કેવલી, જઘન્ય બે હજાર ક્રોડ સાધુ સાધ્વીજી અને ઉત્કૃષ્ટ હોય તો નવ હજાર ક્રોડ સાધુ સાધ્વીજી હોય તેમને વંદામિ, નમસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણ, મંગલ, દેવયં, ચેઈયું, પવાસામિ. તેમ જ તિચ્છલોકમાં અસંખ્યાતા શ્રાવક શ્રાવિકાઓ છે તેમના ગુણગ્રામ કરવા. તિજીંલોકથી અસંખ્યાત ગુણો અધિક (મોટો) ઉર્ધ્વલોક છે. તેમાં ૧૨ દેવલોક, ૯ રૈવેયક, અને ૫ અનુત્તર વિમાન છે. તે સર્વ મળીને કુલ ચોરાશી લાખ, સત્તાણું હજાર, ત્રેવશ (૮૪,૯૭,૦૨૩) વિમાનો છે. તે ઉપર સિદ્ધશિલા છે. તેની ઉપર (લોકા) સિદ્ધક્ષેત્ર છે. ત્યાં સિદ્ધ ભગવંતજી બિરાજી રહ્યાં છે તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણે, મંગલ, દેવય, ચેઈય, પપુવાસામિ. તે ઉર્ધ્વલોકથી કાંઈક વિશેષ અધિક (મોટો) અપોલોક છે. તેમાં સાત નરકના ચોરાશી લાખ નારકાવાસા છે. સાત કરોડ બહોંતેર લાખ ભવનપતિના ભવનો છે. એવા ત્રણે લોકના સર્વ સ્થાનો (પાંચ અનુત્તર વિમાનના દેવો Page #415 -------------------------------------------------------------------------- ________________ ઉ૬] ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સિવાય) સમકિત રહિત કરણી કરીને, આ જીવે અનંતીવાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. તો પણ આ જીવનો પાર આવ્યો નહિ. એવું જાણી સમકિત સહિત શ્રુત (જ્ઞાન, દર્શન) અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર, અમર, નિરાબાધ, પરમસુખને પામીએ. આ ધર્મધ્યાનનો ચોથો ભેદ કહ્યો. ધર્મધ્યાનના ચાર લસણ પહેલું લક્ષણ – અણારૂઈ કહેતાં વીતરાગની આજ્ઞા અંગીકાર કરવાની રૂચિ ઉપજે તે. બીજું લક્ષણ – નિસગ્નરૂઈ કહેતાં જીવને સ્વભાવે જ તથા જાતિસ્મરણાદિક જ્ઞાને કરી શ્રુતસહિત ચારિત્ર ધર્મ કરવાની રૂચિ ઉપજે તે. - ત્રીજું લક્ષણ – સુત્તરૂઈ કહેતાં સૂત્રના બે ભેદ. અંગપવિઠ અને અંગબાહિર. અંગપવિઠ તે આચારાંગાદિ ૧૨ અંગ તેમાં ૧૧ કાલિક અને બારમું અંગ દૃષ્ટિવાદ તે ઉત્કાલિક અંગ બાહિરના બે ભેદ, આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. આવશ્યક તે સામાયિકાદિ છ અધ્યયન તે ઉત્કાલિક તથા ઉત્તરાધ્યયનાદિ કાલિકસૂત્ર તથા ઉવવા પ્રમુખ ઉત્કાલિક સૂત્ર, સાંભળવા તથા ભણવાની રૂચિ ઉપજે તેને સૂત્રરૂચિ કહીએ. ચોથું લક્ષણ - ઉવએસરૂએ કહેતાં અજ્ઞાને કરી ઉપામ્યાં કર્મ તે શાને કરી ખપાવીએ, જ્ઞાન કરી નવા કર્મ ન બાંધીએ. મિથ્યાત્વે કરી ઉપાજ્ય કર્મ તે સમકિતે કરી ખપાવીએ. સમકિત કરી નવા કર્મ ન બાંધીએ. અવતે કરી ઉપાજ્ય કર્મ તે વતે કરી ખપાવીએ, વત કરી નવાં કર્મ ન બાંધીએ, પ્રમાદે કરી ઉપાજ્ય કર્મ તે અપ્રમાદે કરી ખપાવીએ. અપ્રમાદે કરી નવા કર્મ ન બાંધીએ, કષાયે કરી ઉપાજ્ય કર્મ તે કષાયને અણકરવે કરીને ખપાવીએ. કષાયને Page #416 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન અણ કરવે કરીને નવા કર્મ ન બાંધીએ. અશુભ યોગે કરી ઉપાજ્ય કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ. શુભયોગે કરી નવા કર્મ ન બાંધીએ. પાંચ ઇન્દ્રિયના સ્વાદરૂપ આશ્રવે કરી ઉપાજ્ય કર્મ તે તપરૂપ સંવરે કરી ખપાવીએ. કપરૂપ સંવરે કરી નવા કર્મ ન બાંધીએ. માટે અજ્ઞાનાદિક આશ્રવ માર્ગ છોડીને જ્ઞાનાદિ સંવર માર્ગ આદરવો એવો તીર્થકરનો ઉપદેશ સાંભળવાની રૂચિ ઉપજે, તેને ઉપદેશ રૂચિ કહીએ. એ ધર્મધ્યાનનું ચોથું લક્ષણ છે. હવે ધર્મધ્યાનના ચાર આલંબન કહે છે. પહેલું આલંબન વાયણા કહે છે. વાયણા તે કોને કહીએ ? વિનય સહિત જ્ઞાન તથા નિર્જરાને અર્થે સૂત્ર -- અર્થના જાણ ગુર્વાદિક સમીપે સૂત્ર તથા અર્થની વહેચણી લેવી, તેને વાયણા કહીએ. બીજું આલંબન પુચ્છણા કહે છે. પુચ્છણા તે કોને કહીએ? અપૂર્વજ્ઞાન પામવાને અર્થે તથા જૈનમત દીપાવવાને અર્થે તથા સંદેહ નિવારવાને અર્થે તથા પરની પરીક્ષા લેવાને અર્થે યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પુચ્છણા કહીએ. ત્રીજું આલંબન પરિયડ્રણા કહે છે. પરિયટ્ટણા તે કોને કહીએ? પૂર્વે જે જિનભાષિત સૂત્ર અર્થ ભણ્યા છે તે અસ્મલિત કરવાને અર્થે તથા નિર્જરાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્ર અર્થની વારંવાર સક્ઝાય કરે તેને પરિપટ્ટણા કહીએ. ચોથું આલંબન ધર્મકથા કહે છે. ધર્મકથા તે કોને કહીએ ? વીતરાગે જે ભાવ જેવા પ્રરૂપ્યા છે તે ભાવ પોતે ગ્રહીને વિશેષ નિશ્ચય કરીને શંકા, કંખા, વિતિગિચ્છા રહિતપણે પોતાની નિર્જરાને અર્થ પરના ઉપકારને અર્થ સભા મળે તે ભાવ તેવા જ પ્રરૂપીએ તેને ધર્મકથા કહીએ. એવી ધર્મકથા કહેતાં થકાં અને સાંભળીને સહતા Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ થકાં તે બન્ને વીતરાગની આજ્ઞાના આરાધક હોય તે ધર્મકથા – સંવરરૂપી વૃક્ષ સેવીએ, તેથી મનવાંછિત સુખ પામીએ. તે સંવરરૂપી વૃક્ષ વખાણીએ છીએ. તે સંવરરૂપી વૃક્ષ કેવું છે ? જેનું વિશુદ્ધ સમકિતરૂપ મૂળ છે. ધર્મ રૂપ કંદ છે. વિનયરૂપ વેદિકા છે. તીર્થંકર તથા ચાર તીર્થના ગુણ કીર્તનરૂપ થડ છે. પાંચ મહાવતરૂપ મોટી શાખા છે. પચ્ચીસ ભાવનારૂપ ત્વચા છે. શુભધ્યાનને શુભયોગરૂપ પ્રધાન પલ્લવ પત્ર છે. ગુણરૂપ ફૂલ છે, શીયળરૂપ સુગંધ છે, આનંદરૂપ રસ છે, મોક્ષરૂપ પ્રધાન ફળ છે. મેરૂ ગિરિના શિખર ઉપર જેમ ચૂલિકા બિરાજે છે. તેમ સમકિતિના હૃદયમાં સંવરરૂપી વૃક્ષ બિરાજે છે. એવી સંવરરૂપી શીતળ છાંયા જેને પરિણામે તેના ભવોભવનાં પાપ ટળે ને તે પરમ અતલ સુખ પામે. ઇત્યાદિ ચાર પ્રકારની કથા. સંવેગણી, નિર્વેદણી, વિક્ષેપણી, આપણી. એ ચાર કથા વિસ્તારપણે કહે તેને ધર્મકથા કહીએ એ ધર્મ ધ્યાનનું ચોથું આલંબન કહ્યું. આપણી પ્રમુખ ૪ કથાનો વિસ્તાર ઠાણાંગ સૂત્રનાં ચોથે ઠાણે બીજે ઉદેશે સૂત્ર ૫૮ મળે છે. હવે ધર્મધ્યાનની ચાર અણુપેહા કહે છે. અણુપેહા તે કોને કહીએ? જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તેનો સ્વભાવ સ્વરૂપ જાણવાને અર્થ સૂત્રના અર્થ વિસ્તારે ચિંતવીએ તેને અણુપ્રેહા કહીએ. પહેલી અશુપેહા કહે છે. એગચ્યાણુપેહા તે કોને કહીએ? જીવ અસંખ્યાત પ્રદેશી, અરૂપી, સદા ઉપયોગી તે ચૈતન્યરૂપ એવો એક મારો આત્મા નિશ્ચયનયે છે. તેમ સર્વ આત્મા નિશ્ચયનયે એવા જ છે. અને વ્યવહારનયે આત્મા અનાદિકાળનો અચૈતન્ય, જડ, વર્ણાદિ ૨૦ રૂપ સહિત પુદ્ગલનો સંયોગી થકો ત્રસ ને સ્થાવર રૂપ લઈને, નૃત્યકાર નટુવાની પેરે અનેકરૂપે અનેક છંદે પ્રવર્તે છે. તે Page #418 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૩૯૯ ત્રસનો ત્રસરૂપે પ્રવર્તે તો જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ બે હજાર સાગ૨ ઝાઝેરા સુધી રહે અને સ્થાવરનો સ્થાવ૨૫ણે પ્રવર્તે તો જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતા લોક પ્રમાણ અલોકના આકાશ પ્રદેશ થાય, તેટલા કાળચક્ર ઉત્સર્પિણી અવસર્પિણી જાણવી. તેના અસંખ્યાતા પુદ્ગલ પ૨ાવર્તન થાય. આંગુલને અસંખ્યાતમે ભાગે આકાશ પ્રદેશ આવે તેટલા અસંખ્યાતા પુદ્ગલ ૫૨ાવર્તન થાય. સ્થાવર મધ્યે પુદ્ગલ લઈ ખેલ્યો એ વ્યવહા૨ નયથી જીવ જાણીએ. વળી ત્રસ સ્થાવ૨ મધ્યે રહ્યો થકો સ્ત્રી, પુરૂષ, નપુંસક વેદે પુદ્ગલને સંયોગે ખેલ્યો, પ્રવર્તો, અનેક રૂપો ધા૨ણ કર્યાં, તે કહે છે. કોઈક પ્રસ્તાવે દેવીપણે ભવનપતિ આદિથી ઇશાન દેવલોક સુધી ઇંદ્રની ઇંદ્રાણી સુરૂપવંતી અપ્સ૨ા થઈ. જઘન્ય ૧૦ હજા૨ વર્ષ ઉત્કૃષ્ટ ૫૫ પલ્યોપમ, દેવાંગનાને રૂપે અનંતીવા૨ જીવ ખેલ્યો. દેવતાપણે ભવનપતિ આદિથી નવ ચૈવેયક સુધી મહર્ધિક દેવપણે મહાશક્તિવંત ઇંદ્રાદિક લોકપાળ પ્રમુખપણે રૂપવંત દેદીપ્યમાન વાંછિતભોગ સંયોગપણે પ્રવો. જઘન્ય ૧૦ હજા૨ વર્ષ ઉત્કૃષ્ટ ૩૧ સાગ૨ોપમ એમ અનંતીવાર ભોગી થયો. ઇંદ્ર મહારાજે એક ભવમાંહિ ૭ પલ્યોપમની દેવી, બાવીસ ક્રોડાક્રોડ, પંચ્યાસી લાખ ક્રોડ, એકોતેર હજા૨ ક્રોડ, ચારસો અઠ્ઠાવીસ ક્રોડ, સત્તાવન લાખ ચૌદ હજા૨ બસો ને અડ્ડાસી ઉ૫૨ પાંચ એટલી દેવી ભોગવી તો પણ તૃપ્તિ ન પામ્યો. મનુષ્ય મધ્યે સ્ત્રી પુરૂષપણે થયો. દેવકુરૂ, ઉત્તરકુરૂ મધ્યે યુગલયુગલાણી થયો. ત્યાં મહા મનોહ૨રૂપ મનવાંછિત સુખ ભોગવ્યાં. ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષથી મનવાંછિત સુખ ભોગવ્યાં. સ્ત્રી પુરૂષને ક્ષણમાત્રનો વિયોગ ન પડે. ૩ પલ્યોપમ સુધી નિરંતર સુખ વિલસ્યાં. Page #419 -------------------------------------------------------------------------- ________________ જ009ણિી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ હરિવાસ, રમ્યફવાસ મળે ૨ પલ્યોપમ અને હેમવયક્ષેત્ર, હિરણ્યવયક્ષેત્ર મધ્યે ૧ પલ્ય સુધી, છપ્પન અંતરદ્વીપ મળે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, યુગલયુગલાણી પણે અનંતીવાર સ્ત્રી પુરૂષનાં રૂપ લઈ ખેલ્યો પણ આત્મા તૃપ્તિ ન પામ્યો. વળી ચક્રવર્તીના ઘરે સ્ત્રી રત્નપણે લક્ષ્મી સરીખા રૂપ અનંતીવાર જીવ લઈ ખેલ્યો પણ તૃપ્તિ ન પામ્યો. વાસુદેવ, માંડલિક રાજા, પ્રધાન, વ્યવહારીયાને ઘરે સ્ત્રી પણે મનોજ્ઞ સુખોમાં પૂર્વક્રોડાદિના આયુષ્યપણે પ્રવર્યો. વળી તે જ જીવ મનુષ્ય મળે કુરૂપવાન, દુર્ભાગી, નીચ કુળ, દરિદ્રી ભર્તારની સ્ત્રીપણે, અલછરૂપ દુર્ભાગીપણે, નટવાપણે પ્રવર્યો. છતાં મનુષ્યપણે સ્ત્રી પુરૂષના અવતાર પૂરાં ન થયા. વળી તિર્યંચ પંચેન્દ્રિય જળચરાદિ મધ્ય સ્ત્રી વેદ, પુરૂષ વેદે પ્રવર્યો. વળી તે જીવ સાત નરકમાં, પાંચ એકેન્દ્રિયમાં, ત્રણ વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી તિર્યંચ અને અસંજ્ઞી મનુષ્ય મધ્યે નિયમો નપુંસક વેદે અને સંજ્ઞી તિર્યચ, મનુષ્ય મધ્ય પણ નપુંસક હોય તે સર્વે નપુંસક વેદે જીવ પ્રવર્યો. સ્ત્રી વેદે પ્રવર્યો, તે ઉત્કૃષ્ટ ૧૧૦ પલ્ય અને પૃથફ પૂર્વ ક્રોડ સુધી સ્ત્રી વેદે ખેલ્યો, જઘન્ય આયુષ્ય ભોગવ્યા આશ્રી અંતર્મુહૂર્ત, પુરૂષવેદે ઉત્કૃષ્ટ પૃથક સો સાગર ઝાઝેરા સુધી પુરૂષ વેદ મધ્ય ખેલ્યો. જઘન્ય આઉષ્ય ભોગવ્યા આશ્રી અંતર્મુહૂર્ત, નપુંસકવેદે ઉત્કૃષ્ટ અનંતા કાળચક્ર, અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન સુધી નપુંસક વેદે ખેલ્યો. જ્યાં ગયો ત્યાં એકલો પુદ્ગલને સંયોગે અનેક રૂપ પરાવર્તન કીધાં. એ સર્વ વ્યવહાર નય જીવને વિષે જાણવો. એવા પરિભ્રમણનો મિટાવણહાર શ્રી જૈનધર્મને વિષે શુદ્ધ Page #420 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાન ૦૧] સદ્દતણા સહિત શુદ્ધ ઉધમ પરાક્રમનું ફોરવવું થાય ત્યારે જ આત્માનું સાધન થાય. તે વારે સિદ્ધપણું પામે. તેમાં એકલો જ નિશ્ચયનયા આત્મા જાણવો. જ્યારે શુદ્ધ વ્યવહારે પ્રવર્ત ને અશુદ્ધ વ્યવહાર મટાડે તે વારે સિદ્ધ હોય એવો મારો એક આત્મા છે. જે ભણી અપર પરિવાર તે સ્વાર્થરૂપી છે. અને પઉગસા, વિસસાર, અને મીસીસા પુદ્ગલ તે પર્યવે કરી જેને સ્વભાવે છે, તેવે સ્વભાવ ન રહે તે પણ અશાશ્વતા છે, તે માટે એક મારો પોતાનો આત્મા પોતાના કાર્યનો સાધક શાશ્વતો જાણીને પોતાના આત્માનું સાધન કરીએ. એ ધર્મધ્યાનની પહેલી અણુપેહા કહી. બીજી અશુપેહા કહે છે. અણિચ્ચાણુપેહા તે કોને કહીએ? રૂપી પુદ્ગલની અનેક પ્રકારે યતના કરીએ. તે પણ અનિત્ય છે. નિત્ય એક શ્રી જૈનધર્મ પરમ સુખદાયક છે. પોતાના આત્માને નિત્ય જાણીને સમકિતાદિ સંવરે કરીને પુષ્ટ કરીએ એ ધર્મધ્યાનની બીજી અણુપેહા કહી. ત્રીજી અણુપેહા કહે છે. અસરથાણુપેહા તે કોને કહીયે ? આ ભવને વિષે અને પરભવ પહોંચતાં જીવને એક સમકિતપૂર્વક જૈનધર્મ વિના જન્મ જરા મરણનાં દુઃખ નિવારવા બીજો કોઈ શરણ સમર્થ નથી, એમ જાણી શ્રી જૈનધર્મનું શરણ કરીએ, જેથી પરમ સુખ ઉપજે. એ ધર્મધ્યાનની ત્રીજી અણુપેહા કહી. હવે ચોથી અણુપેહા કહે છે. સંસારણુપેહા તે કોને કહીયે? સ્વાર્થરૂપ સંસાર સમુદ્રમાંહે જન્મ, જરા, મરણ, સંયોગ, વિયોગ, શારીરિક માનસિક દુઃખ, કષાય, મિથ્યાત્વ, તૃષ્ણારૂપ ઘણા જળ ૧ પ્રયોગથી બનાવેલ પુદ્ગલ, ૨ કુદરતી બનતાં પુદ્ગલ, ૩ બન્નેના મિશ્રણથી બનેલા પુદ્ગલ. 26 Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ કિલ્લોલાદિકની લહેરે કરી ચાર ગતિ, ચોવીસ દંડકને વિષે પરિભ્રમણ કરતાં જગત જીવને શ્રી જૈન ધર્મરૂપ દ્વીપનો આધાર છે. તથા સંજમરૂપ નાવાનો શુદ્ધ સમકિતરૂપ નિર્ધામક નાવનો ખેવણહાર છે. એવી નાવાએ કરી જીવ સિદ્ધિ રૂપ મહાનગરને વિષે પહોંચે. ત્યાં અનંત અતુલ વિમલ સિદ્ધનાં સુખ, જીવ પામે એ ધર્મધ્યાનની ચોથી અણુપેહા કહી. એવા ધર્મધ્યાનના ગુણ જાણીને સદા ધર્મધ્યાન ધ્યાઈયે જેથી પરમ સુખ પામીએ. ઇતિ ધર્મધ્યાન. છa S « E SH G . (૩૬. છ વેશ્યા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૪ નામાઈ વરણ રસ ગંધ ફાસ પરિણામલકખરું ઠાણ ઠિઈ ગઈ ચાઉ, લેસાણ તું સુણે હ મે / ૨ / લેશ્યાના અગિયાર દ્વાર કહે છે. ૧ નામ, ર વર્ણ, ૩ રસ, ૪ ગંધ, ૫ સ્પર્શ, ૬ પરિણામ, ૭ લક્ષણ, ૮ સ્થાનક, ૯ સ્થિતિ ૧૦ ગતિ અને ૧૧ ચ્યવન દ્વાર. ૧. નામ દ્વાર : ૧. કૃષ્ણ વેશ્યા, ૨. નીલ વેશ્યા, ૩. કાપો લેશ્યા, ૪. તેજો વેશ્યા, ૫. પદ્મ લેશ્યા અને ૬. શુક્લ લેશ્યા. ૨. વર્ણ દ્વાર : ૧. કૃષ્ણ વેશ્યાનો વર્ણ – જેવો પાણી સહિત મેઘ કાળો, જેવાં પાડાનાં શીંગડાં કાળાં, જેવા અરીઠાનાં બીજ, જેવું ગાડાનું ખંજન, આંખની કીકી એ કરતાં અનંત ગુણો કાળો વર્ણ છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ | દિoa] છ વેશ્યા ૨. નીલ લશ્યાનો વર્ણ – જેવો અશોકવૃક્ષ નીલો, જેવી ચાસ પક્ષીની પાંખ, વૈડુર્ય રત્ન એથી અનંત ગુણો નીલ વેશ્યાનો નીલો વર્ણ છે. ૩. કાપોત વેશ્યાનો વર્ણ – જેવાં અળશીનાં ફૂલ, જેવી કોયલની પાંખ, જેવી પારેવાની ડોક કાંઈક રાતી કાંઈક કાળી, એ કરતાં અનંતગુણો અધિક વર્ણ કાપાત લેશ્યાનો છે. ' ૪. તેજો વેશ્યાનો વર્ણ – જેવો ઉગતો સૂર્ય રાતો, જેવી સુડાની ચાંચ, જેવી દીવાની શીખા એ કરતાં અનંતગુણો અધિક રાતો. - પ. પદ્મ લેશ્યાનો વર્ણ – જેવી હરતાળ, જેવી હળદર, જેવાં શણનાં ફૂલ, એ કરતાં અનંતગુણો અધિક પીળો. ૬. શુક્લ લશ્યાનો વર્ણ – જેવો શંખ, જેવું અંતરત્ન, જેવું મોગરાનું ફૂલ, જેવું ગાયનું દૂધ, જેવો રૂપાનો હાર એ કરતાં અનંત ગુણો અધિક શ્વેત વર્ણ છે. ૩. રસનો દ્વાર : ૧. કૃષ્ણ વેશ્યાનો રસ – જેવું કડવું તુંબડું, જેવો કડવો લીંબડાનો રસ, જેવો રોહિણી નામે વનસ્પતિનો રસ, એથી અનંતગુણો અધિક કડવો રસ. ૨. નીલ લશ્યાનો રસ – જેવો સૂંઠનો તીખો રસ, જેવો પીપર, મરીનો રસ, એથી અનંતગુણો અધિક તીખો રસ. ૩. કાપોત લેશ્યાનો રસ – જેવો કૂણી કાચી કેરીનો રસ, જેવી કાચા કોઠાંનો રસ, એથી અનંતગુણો અધિક ખાટો રસ. ૪. તેજો વેશ્યાનો રસ – જેવો પાકા આંબાનો રસ, જેવો પાકા કોઠાનો રસ, એથી અનંતગુણો કાંઈક ખાટો ને કાંઈક મીઠો રસ. ૫. પદ્મ લેશ્યાનો રસ – જેવો વારૂણીનો રસ, જેવો આસવ (દ્રાક્ષાસવ) નો રસ, જેવો મધુનો રસ એથી અનંતગુણો અધિક મધુરો રસ. ૬. શુક્લ લશ્યાનો રસ – જેવો ખજુરનો રસ, જેવો Page #423 -------------------------------------------------------------------------- ________________ ૦૪]ી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ દ્રાક્ષનો રસ, જેવો દૂધનો રસ, જેવો સાકરનો રસ, એથી અનંતગુણો અધિક મીઠો રસ. ૪. ગંધ દ્વાર : ૧. જેવી ગાયના મડાની (મૃત કલેવરની), કૂતરાના મડાની, સર્પના મડાની એથી અનંતગુણી અધિક અપ્રશસ્ત, પ્રથમ ત્રણ માઠી વેશ્યાની ગંધ જાણવી. જેવો કપુર, કેવડો, પ્રમુખ સુગંધી પદાર્થ વાટતાં (ઘુંટતાં) જેવી સુગંધ નીકળે તે કરતાં અનંતગુણી અધિક પ્રશસ્ત ત્રણ સારી લેશ્યાની ગંધ જાણવી. ૫. સ્પર્શ દ્વાર : જેવી કરવતની ધાર, જેવી ગાયની જીભ, જેવું મુંઝનું તથા વાંસનું પાન તે કરતાં અનંત ગુણો માઠો અપ્રશસ્ત લેશ્યાનો કર્કશ સ્પર્શ જાણવો. જેવી બુર નામે વનસ્પતિ, જેવું માખણ, જેવાં સરસવના ફૂલ, જેવું મખમલ, એ કરતાં અનંત ગુણો અધિક પ્રશસ્ત લશ્યાનો સ્પર્શ સુંવાળો જાણવો. ૬. પરિણામ દ્વાર : વેશ્યા ત્રણ પ્રકારે પરિણમે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ તથા નવ પ્રકારે પરિણમે. તે ઉપર ત્રણ કહી તેના એકેકના ત્રણ ભેદ થાય. જેમકે જઘન્યનો જઘન્ય, જઘન્યનો મધ્યમ, જઘન્યનો ઉત્કૃષ્ટ એ રીતે દરેકના ત્રણ ત્રણ ભેદ કરતા નવ ભેદ થાય. એમ નવના સત્તાવીસ ભેદ થાય, સત્તાવીસના એકાસી અને એકાસીના બસો ને તેંતાલીસ ભેદ થાય એટલા ભેદે વેશ્યા પરિણમે. ૭. લક્ષણ દ્વાર : ૧. કૃષ્ણ વેશ્યાનું લક્ષણ - પાંચ આશ્રવનો સેવનાર, ત્રણ અગુપ્તિવંત, છકાય જીવનો હિંસક, આરંભનો તીવ્ર પરિણામી તથા ષી, પાપ કરવામાં સાહસિક, કઠોર પરિણામી, જીવહિંસા સુગ રહિત કરનાર, અજીતેન્દ્રિય એવા જોગે કરી સહિત હોય. ૨: નીલ લેગ્યાનું લક્ષણ – ઈષ્યવંત (કદાગ્રહી), મૂર્નવંત, તપ રહિત, માયાવી, પાપ કરતાં લાજે નહીં, વૃદ્ધ, ધૂતારો, પ્રમાદી, Page #424 -------------------------------------------------------------------------- ________________ છ લેશ્યા ૪૦૫ ૨સનો લોલુપી, માયાનો ગવેષ, આરંભનો અત્યાગી, પાપને વિષે સાહિસક હોય. ૩. કાપોત લેશ્યાના લક્ષણ – વાંકાબોલો, વાંકા કામ કરનાર, માયા ક૨ીને હરખાય, સ૨ળપણા રહિત, મોઢે જુદો અને પૂંઠે જુદો, મિથ્યા ખોટા વચનનો બોલનાર, ચોરી, મત્સરનો ક૨ના૨ હોય. ૪. તેજો લેશ્યાના લક્ષણ – મર્યાદાવંત, માયા રહિત, ચપળપણા રહિત, કુતૂહલ રહિત, વિનયવંત, દમિતેન્દ્રિય, શુભ જોગવંત, ઉપધાન તપ સહિત, દૃઢ ધર્મા, પ્રિય ધર્મો, પાપ થકી બીએ. ૫. પદ્મ લેશ્યાના લક્ષણ – ક્રોધ, માન, માયા, લોભ પાતળા કર્યા છે, પ્રશાંત ચિત્ત, આત્માનો દમણહાર, યોગ ઉપધાન સહિત હોય, થોડા બોલો, ઉપશાંત, જીતેન્દ્રિય. ૬. શુક્લ લેશ્યાના લક્ષણ અતિ આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાનથી રહિત હોય, ધર્મધ્યાન, શુક્લધ્યાન સહિત દશ પ્રકારની ચિત્ત સમાધિએ કરી સહિત, આત્માનો દમણહાર ઇત્યાદિ. ૮. સ્થાનક દ્વાર : અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણીના જેટલા સમય થાય તથા અસંખ્યાતા લોકના જેટલા આકાશ પ્રદેશ થાય, એટલા લેશ્યાનાં સ્થાનક જાણવા. ૯. સ્થિતિ દ્વા૨ : સમુચ્ચય છ એ લેશ્માની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની, નીચે ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. ૧. કૃષ્ણ લેશ્યા – ૩૩ સાગરોપમને અંતર્મુહૂર્ત અધિક. - ૨. નીલ લેશ્યા – ૧૦ સાગરને પલ્યનો અસંખ્યાતમો ભાગ અધિક, ૩. કાપોત લેશ્યા – ૩ સાગ૨ને પલ્યનો અસંખ્યાતમો ભાગ અધિક. ૪. તેજો લેશ્યા – બે સાગરને પલ્યનો અસંખ્યાતમો ભાગ અધિક. ૫. પદ્મ લેશ્યા – ૧૦ સાગરોપમને અંતર્મુહૂર્ત અધિક. ૬. શુક્લ લેશ્યા – ૩૩ સાગરોપમને અંતર્મુહૂર્ત અધિક. - Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ હવે ચાર ગતિની લેશ્યાની સ્થિતિ બતાવવામાં આવે છે. ૧. ના૨કીમાં : કાપોત વેશ્યા ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ સાગરને પલ્યનો અસંખ્યાતમો ભાગ નીલ લેશ્યા ૩ સાગ૨ને પલ્યનો ૧૦ સાગરને પલ્યનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતમો ભાગ કૃષ્ણ લેશ્યા ૧૦ સાગ૨ને પથ્યનો | ૩૩ સાગ૨ને અંતર્મુહૂર્ત અસંખ્યાતમો ભાગ અધિક ૨. મનુષ્ય તિર્યંચ છદ્મસ્થ આશ્રી છ એ લેશ્યા જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત. સજોગી કેવળી આશ્રી શુક્લ લેશ્યાની જ. અંતર્મુહૂર્ત, ઉ. દેશે ઊણી પૂર્વક્રોડ વર્ષની. ઉત્કૃષ્ટ સ્થિતિ ૩. દેવતામાં : જઘન્ય સ્થિતિ ભવનપતિ, વાણવ્યંતર આશ્રી કૃષ્ણ લેફ્સા |૧૦,૦00 વર્ષ નીલ વેશ્યા કૃષ્ણ લેશ્યાની ઉં. સ્થિતિ થી ૧ સમય અધિક કાપોત લેશ્યા નીલ લેશ્યાની ઉં. સ્થિતિ પલ્યના અસં.મા ભાગની થી ૧ સમય અધિક ૪૦૬ જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ ભવનપતિમાં તેજો લેશ્યા ૧૦,૦૦૦ વર્ષ વાણવ્યંતરમાં તેજો લેશ્યા ૧૦,૦૦૦ વર્ષ જ્યોતિષીમાં તેજો લેશ્યા પલ્યના અસં.મા ભાગની પલ્યના અસં.મા ભાગની એક સાગર ઝાઝેરી એક પલ્ય પક્ષનો આઠમો ભાગ એક પલ્પને એક લાખ વર્ષ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૦િ૭) - - - - - - - - - - - છ લેશ્યા/યોનિ પદ વૈમાનિકમાં તેજો લેશ્યા | એક પત્ય બે સાગર ઝાઝેરી પદ્મ લેશ્યા ! બે સાગર દશ સાગર શુક્લ લેગ્યા | દશ સાગર ૩૩ સાગરને અંત.અધિક ૧૦. ગતિ દ્વાર : કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ અપ્રશસ્ત, અધમ લેશ્યા તેણે કરી જીવ દુર્ગતિએ જાય. તેજો, પદ્મ, શુક્લ એ ત્રણ ધર્મ વેશ્યા, તેણે કરીને જીવ ગતિએ જાય. ૧૧. અવન દ્વાર : સઘળી વેશ્યા પ્રથમ પરિણમતી વખતે કોઈ જીવને ઉપજવું કે ચવવું નથી તથા લેગ્યાના છેલ્લા સમયે કોઈ જીવને ઉપજવું કે ચવવું નથી. પરભવને વિષે કેમ ચવે તે કહે છે – લેશ્યા પરભવની આવી થકી અંતર્મુહૂર્ત ગયા પછી શેષ અંતર્મુહૂર્ત આયુષ્ય આડા રહે થકે જીવ પરલોકને વિષે જાય. ઇતિ શ્રી લેયાનો થોકડો. - Dલ ર % દ D & જ દિલ દિલ છ છે ૩૭. યોનિ પદ) દિ: પન્નવણા સૂત્ર પદ – ૯ યોનિ ત્રણ પ્રકારની છે: ૧. શીતયોનિ, ૨. ઉણયોનિ, ૩. શીતોષ્ણ યોનિ. છે તેનો વિસ્તાર: પહેલી નરકથી ત્રીજી નરક સુધી શીતયોનિયા, (તેથી તે નારકીઓને ઉષ્ણ વેદના હોય. આમ દરેક જગ્યાએ જે Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ યોનિ છે તેથી વિરૂદ્ધ પ્રકારની વેદના હોય તેમ સમજવું.) ચોથી નરકે શીતયોનિયા ઘણા અને ઉષ્ણયોનિયા થોડા, પાંચમી નરકે ઉષ્ણયોનિયા ઘણા અને શીતયોનિયા થોડા, છઠ્ઠી નરકે ઉષ્ણુયોનિયા, સાતમી નરકે મહા ઉષ્ણયોનિયા. અગ્નિ વર્જીને ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યમાં ત્રણ યોનિ પામે. તેઉકાયમાં એક ઉષ્ણુયોનિ. સંજ્ઞી તિર્યંચ, સંજ્ઞી મનુષ્ય અને દેવતામાં યોનિ એક શીતોષ્ણ યોનિ. તેનો અલ્પબદુત્વ કહે છે. સર્વથી થોડા શીતોષ્ણયોનિયા, તેથી ઉષ્ણયોનિયા અસંખ્યાત ગુણા, તેથી અયોનિયા સિદ્ધ ભગવંત અનંત ગુણા, તેની શીતયોનિયા અનંતગુણા. યોનિ ત્રણ પ્રકારની કહી છે. ૧. સચેત, ૨. અચેત, ૩. મિશ્ર. નારકી અને દેવતામાં એક અચેત યોનિ. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંમૂર્શિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યમાં યોનિ ત્રણ પામે. સંજ્ઞી તિર્યચ, સંજ્ઞી મનુષ્યમાં યોનિ એક મિશ્ર. તેનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા મિશ્ર યોનિયા, તેથી અચેત યોનિયા અસંખ્યાત ગુણા, તેથી અયોનિયા અનંતગુણા, તેથી સચેત યોનિયા અનંતગુણા. - યોનિ ત્રણ પ્રકારની કહી છે. ૧. સંવડા, ૨. વિયડા, ૩. સંવડાવિયડા. સંવડા કહેતાં ઢાંકી, વિયડા કહેતાં ઉઘાડી, સંવડાવિયડા કહેતાં કાંઈક ઢાંકી અને કાંઈક ઉઘાડી. પાંચ સ્થાવર, દેવતા અને નારકીમાં યોનિ એક સંવડા. ત્રણ વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યમાં યોનિ એક વિયડા. સંજ્ઞી તિર્યંચ, સંજ્ઞી મનુષ્યમાં યોનિ એક સંવડાવિયડા. તેનો અલ્પબદુત્વ : સર્વથી થોડા સંવડાવિયડા, તેથી Page #428 -------------------------------------------------------------------------- ________________ દિoe) યોનિ પદ વિયડાયોનિયા અસંખ્યાતગુણા, તેથી અયોનિયા અનંતગુણા, તેથી સંવડા યોનિયા અનંતગુણા. યોનિ ત્રણ પ્રકારની કહી છે. ૧. શંખા – શંખને આકારે, ૨. કચ્છા – કાચબાની પીઠના આકારે, ૩. વંશપતા – વાંસના પાંદડાને આકારે. ચક્રવર્તીની સ્ત્રીરત્નની યોનિ શંખને આકારે. તે યોનિ વાળી સ્ત્રીને સંતાન ન થાય. પ૪ શલાકા પુરૂષની (૯ પ્રતિવાસુદેવ વજીને) માતાની યોનિ કાચબાને આકારે હોય અને સર્વ સંસારી જીવોની માતાને યોનિ વાંસના પાંદડાને આકારે હોય. ઇતિ યોનિ પદ. | નોંધ : - - - - - - - - - - - - - - - - - - - - - - - - - Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ીિ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩૮. આઠ આત્માનો વિચાર ભગવતી શતક ૧૨, ઉ. ૧૦ શિષ્ય પૂછે છે કે હે ભગવાન ! સંગ્રહનયને મતે આત્મા એક જ સ્વરૂપી કહેવામાં આવ્યો છે, તેમ છતાં બીજે મતે તો આત્માના ભિન્ન ભિન્ન પ્રકાર કહેવાય છે, તો શું આત્માના જુદા જુદા ભેદ છે? જો હોય તો તે કેટલા છે? ગુરુ જવાબમાં કહે છે, હે શિષ્ય ! ભગવતીજીનો અભિપ્રાય જોતાં આત્મા તે તો આત્મા જ છે. તે આત્મા સ્વશક્તિએ કરીને એક જ રીતે એક જ સ્વરૂપી છે. સમાન પ્રદેશ અને સમાન ગુણી છે. તેથી નિશ્ચયે એક જ ભેદ કહેવાય છે. પણ વ્યવહારનયની અપેક્ષા કેટલાક કારણોને લઈને આઠ આત્મા કહેવાય છે. ૧. દ્રવ્ય આત્મા, ૨. કષાય આત્મા, ૩. જોગ આત્મા, ૪. ઉપયોગ આત્મા, ૫. જ્ઞાન આત્મા, ૬. દર્શન આત્મા, ૭. ચારિત્ર આત્મા, ૮. વીર્યાત્મા. એ આઠ ગુણે કરી આઠ નામ કહેવાય છે. તે રીતે એક બીજા સાથે મળી જવાથી તેના અનેક વિકલ્પ ભેદ થાય છે, તે યંત્રથી જણાશે. સામે આપેલ કોઠામાં ભજનાનો અર્થ હોય અથવા ન હોય, નિયમાનો અર્થ નિશ્ચયથી હોય તે. અલ્પબદુત્વઃ સર્વથી થોડા ચારિત્ર આત્મા, તેથી જ્ઞાન આત્મા અનંતગુણા, તેથી કષાય આત્મા અનંતગુણા, તેથી જોગ આત્મા વિશેષાહિયા, તેથી વીર્ય આત્મા વિશેષાહિયા, તેથી દ્રવ્ય આત્મા અને ઉપયોગ આત્મા તથા દર્શન આત્મા માંહોમાંહે તુલ્ય ને તેથી વિશેષાહિયા. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૧. એક એક આત્મામાં બીજા કયા કયા આત્મા લાભી શકે ? તે સમજાવતો કોઠો. ર. ૪. દ્રવ્ય આત્મામા કષાય આત્મામાં કપાય આત્માની દ્રવ્ય આત્માની નિયમા ૩. જોગ આત્મામાં દ્રવ્ય આત્માની નિયમા ૫. ઉપયોગ આ.માં જ્ઞાન આત્મામાં દર્શન આત્મામાં દ્રવ્ય આત્માની દ્રવ્ય આત્માની નિયમા નિયમા €. દ્રવ્ય આત્માની નિયમા ૭. .. ચારિત્ર આ. માં વીર્ય આત્મામાં દ્રવ્ય આત્માની દ્રવ્ય આત્માની નિયમા નિયમા ભજના. જોગ આત્માની | જોગ આત્માની કષાય આત્માની કષાય આત્માની કષાય આત્માની | કષાય આત્માની કષાય આત્માની કષાય આત્માની ભજના નિયમા ભજના ભજના ભજના ભજના ભજના ભજના ની નિયમા ભજના ભજના ભજના ભજના ઉપયોગ આત્મા ઉપયોગ આત્મા ઉપયોગ આત્મા જોગ આત્માની |જોગ આત્માની જોગ આત્માની |જોગ આત્માની જોગ આત્માની ની નિયમા ની નિયમા જ્ઞાન આત્માની જ્ઞાન આત્માની | જ્ઞાન આત્માની જ્ઞાન આત્માની ઉપયોગ આત્મા ની નિયમા ભજના ભજના ભજના ભજના ઉપયોગ આત્મા ઉપયોગ આત્મા ની નિયમા ની નિયમા દર્શન આત્માની દર્શન આત્માની દર્શન આત્માની દર્શન આત્માની દર્શન આત્માની જ્ઞાન આત્માની નિયમા જ્ઞાન આત્માની નિયમા ભજના નિયમા |ચારિત્ર આત્મા ની ભજના ચારિત્ર આત્મા ચારિત્ર આત્મા નિયમા ચારિત્ર આત્મા ની ભજના નિયમા |ચારિત્ર આત્મા ની ભજના નિયમા દર્શન આત્માની દર્શન આત્માની ની ભજના ની ભજના નિયમા નિયમા વીર્ય આત્માની | વીર્ય આત્માની વીર્ય આત્માની વીર્ય આત્માની વીર્ય આત્માની વીર્ય આત્માની વીર્ય આત્માની નિયમા ચારિત્ર આત્મા ની ભજના ભજના નિયમા નિયમા ભજના ભજના ભજના "ચારિત્ર આત્મા ની ભજના ભજના ઉપયગો આત્મા ની નિયમા જ્ઞાન આત્માની ભજના ૪૧૧ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ Page #431 -------------------------------------------------------------------------- ________________ આઠ આત્માનો વિચાર આઠ આત્મામાં જીવના ૧૪ ભેદમાંથી, ૧૪ ગુણઠાણામાંથી, ૧૫ જોગમાંથી, ૧૨ ઉપયોગમાંથી, ૬ વેશ્યામાંથી કેટલા કેટલા ભેદ લાભે ? તે બતાવતો યંત્ર, આત્માનું નામ | જીવના ૧૪ ભેદ | ૧૪ ગુણઠાણા | ૧૫ જોગ ૧૨ ઉપયોગી વેશ્યા ૧. દ્રવ્ય આત્મામાં | |૧૪ ભેદ લાભે | |૧૪ ગુણઠાણા લાભ | ૧૫ | ૧૨ ઉપયોગ ૬ ૨. કષાય આત્મામાં |૧૪ ભેદ લાભે |૧ થી ૧૦ ગુણ. | ૧૫ | કેવળ જ્ઞાન, કેવળ| ૬ દર્શન વર્જીને ૧૦ ૩. જોગ આત્મામાં |૧૪ ભેદ લાભ ૧થી ૧૩ ગુણ. [ ૧૫ | ૧૨ ઉપયોગ ૪. ઉપયોગ આત્મામાં ૧૪ ભેદ લાભ ૧૪ ગુણઠાણા લાભ | ૧૫ | ૧૨ ઉપયોગ પ. શાન આત્મામાં ૩ વિકલે., ૧ અસંજ્ઞીનો પહેલું ને ત્રીજું વર્જીને ૧૫ | ૩ અજ્ઞાન વર્જીને અપ, સંજ્ઞીના બે એ ૬/૧૨ ગુણઠાણા લાભ | ૯ ઉપયોગ ૬. દાન આત્મામાં |૧૪ ભદ લાભ (૧૪ ગુણઠાણા લાભ ૧૫ [૧૨ ઉપયોગ ૭. ચારિત્ર આત્મામાં ૧ સંજ્ઞીનો પર્યા. લાભે ૬ થી ૧૪ ગુણ. લાભ ૧૫ ૩ અજ્ઞાન વજીને | ૬ ૯ ઉપયોગ ૮. વીર્ય આત્મામાં ૧૪ ભેદ લાભ ૧૪ ગુણઠાણા લાભ ૧૫ | ૧૨ ઉપયોગ II ૪િ૧૨ Page #432 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સમકિતના ૬૭ બોલ શિક હપ ૩િ૯. વ્યવહાર સમકિતના છે. ૬૭ બોલ છે? ૬૭ બોલના ૧૨ દ્વાર કહે છે. ૧. સદ્દતણા ચાર, ૨. લિંગ ત્રણ, ૩. વિનય દશ, ૪. શુદ્ધતા ત્રણ, ૫. લક્ષણ પાંચ, ૬. ભૂષણ પાંચ, ૭. દૂષણ પાંચ, ૮. પ્રભાવના આઠ, ૯. આગાર છે, ૧૦. જયણા છે, ૧૧. સ્થાનક છે, ૧૨. ભાવના છે. હવે તેનો વિસ્તાર કહે છે. ૧. સદ્દતણા ચાર : ૧) પરમત્ય સંથવો–પરમાર્થનો પરિચય કરવો, સર્વજ્ઞ કથિત તત્ત્વના ભાવોને જાણવા. ૨) પરમાર્થના જાણવાવાળા સર્વજ્ઞ ગીતાર્થની ઉપાસના કરવી. ૩) પોતાના મતના પાસસ્થા, ઉસન્ના અને કુલિંગી તથા શ્રદ્ધાભ્રષ્ટ આદિની સોબત ન કરે. ૪) પરતીર્થીનો અધિક પરિચય ન કરે. અધર્મી પાખંડીઓની પ્રશંસા ન કરે. ૨. લિંગ ત્રણ: ૧) જેમ યુવાન પુરુષ રંગરાગમાં રાચે તેમ ભવ્યાત્મા શ્રી જૈન શાસન પર રાચે. ૨) જેમ સુધાવાન પુરુષ ખીરખાંડનાં ભોજનને પ્રેમ સહિત આદર કરે તેમ વીતરાગની વાણીનો આદર કરે. ૩) જેમ વ્યવહારિક જ્ઞાન શીખવાની તીવ્ર ઈચ્છા હોય અને શીખવનાર મળી જાય તો શીખીને આ લોકમાં સુખી થાય. તેમ વીતરાગનાં કહેલાં સૂત્રોનું સૂક્ષ્માર્થ ન્યાયવાળું જ્ઞાન શીખીને પરમ સુખી થાય. ૧ જેનો આચાર શિથિલ છે. ૨ જે સંયમથી થાકી ગયેલ છે. ૩ જેનો વેષ જૈન સાધુથી વિપરીત છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ files of કૂહ #ન થોક સંગ્રહ ૩, વિનયના દશ ભેદ : ૧) અરિહંતનો વિનય કરે. ૨) સિદ્ધનો વિનય કરે. ૩) આચાર્યનો વિનય કરે. ૪) ઉપાધ્યાયનો વિનય કરે. ૫) સ્થવિરનો વિનય કરે. ૬) ગણ (એક આચાર્યના શિષ્યનો સમૂહ) નો વિનય કરે. ૭) મૂળ (બહુ આચાર્યોના શિષ્યનો સમૂહ નો વિનય કરે.૮) સ્વધર્મીનો વિનય કરે. ૯) સંઘનો વિનય કરે. ૧૦) સંભોગીનો વિનય કરે. એ દશનો બહુમાનપૂર્વક વિનય કરે. જૈનશાસનમાં વિનય ધર્મનું મૂળ કહેવાય છે. વિનય કરવાથી અનેક સગુણોની પ્રાપ્તિ થાય છે. ૪. શુદ્ધતા ત્રણ : ૧) મન શુદ્ધતા – મનથી અરિહંત દેવ કે જે ૩૪ અતિશય, ૩પ વાણી, ૮ મહાપ્રતિહાર્ય સહિત, ૧૮દૂષણ રહિત, ૧૨ ગુણ સહિત એવા જે દેવ છે તે જ સાચા દેવ છે. એના સિવાય હજારો કષ્ટ પડે તો પણ બીજા સરાગી દેવોનું મનથી પણ સ્મરણ ન કરે. ૨) વચન શુદ્ધતા - વચનથી અરિહંતના ગુણ કીર્તન કરે. બીજા સરાગી દેવાના ન કરે. ૩) કાય શુદ્ધતા - કાયાથી અરિહંત સિવાયના બીજા સરાગી દેવોને નમસ્કાર ન કરે. ૫. લક્ષણ પાંચ : ૧) સમ – શત્રુ મિત્ર ઉપર સમભાવ રાખવો. ૨) સંવેગ – વૈરાગ્ય ભાવ રાખવો. સંસાર અસાર છે, વિષય અને કષાયથી અનંતકાળ જીવ ભવભ્રમણ કરે છે. આ ભવમાં સારી સામગ્રી મળી છે તો ધર્મ આરાધવો. ઈત્યાદિ વિચાર કરવો. ૩) નિર્વેદ – શરીર અથવા સંસારના અનિત્યપણાનું ચિંતન કરવું. બને ત્યાં સુધી આ મોહમય જગતથી અલગ રહેવું અથવા જગતારક જિનરાજની દીક્ષા લઈ કર્મ શત્રુઓને જીતી લઈ સિદ્ધ પદને પ્રાપ્ત કરવાની અભિલાષા (ભાવના) રાખવી. ૪) અનુકંપા – પોતાની તથા પરના આત્માની અનુકંપા કરવી. દુઃખી જીવોને સુખી કરવા. Page #434 -------------------------------------------------------------------------- ________________ વ્યવહા૨ સમકિતના ૬૭ બોલ Uિ૪૧૫) ૫) આસ્થા – ત્રિલોક પૂજનીય શ્રી વીતરાગ દેવનાં વચનો ઉપર દૃઢ શ્રદ્ધા રાખવી ને હિતાહિતનો વિચાર કરવો. ૬. ભૂષણ પાંચ – ૧) જૈનશાસનમાં ધર્યવાન હોય ને શાસનનાં દરેક કાર્યો ધર્યતાથી કરે. ૨) જૈનશાસનમાં ભક્તિવાન હોય. ૩) શાસનમાં ક્રિયાવાન હોય. ૪) શાસનમાં ચતુર હોય. શાસનના દરેક કાર્ય એવી ચતુરાઈથી બુદ્ધિબળથી) કરે કે જેથી નિર્વિઘ્નતાથી પાર પડી જાય. ૫) શાસનમાં ચતુર્વિધ સંઘની ભક્તિ તથા બહુમાન કરવાવાળો હોય. આ પાંચ ભૂષણોથી શાસનની શોભા વધે છે. ૭. દૂષણ પાંચ : ૧) શંકા – જિનવચનમાં શંકા કરે. ૨) કંપા – બીજા મતોના આડંબર દેખી તેની વાંછા કરે. ૩) વિતિગિચ્છા – ધર્મકરણીના ફળમાં સંદેહ રાખે કે આનું ફળ હશે કે નહિ? અત્યારે વર્તમાનમાં તો કાંઈ દેખાતું નથી. એવો સંદેહ કરે. ૪) પરપાખંડી ઓની પ્રશંસા કરે. ૫) પરપાખંડીનો હંમેશાં પરિચય કરે. આ પાંચ દૂષણો ટાળવા. ૮. પ્રભાવના આઠ: ૧) જે કાળમાં જેટલા સૂત્રાદિ હોય તેને ગુરુગમથી જાણે એ શાસનનો પ્રભાવક બને છે. ૨) મોટા આડંબરથી "ધર્મ-કથા વ્યાખ્યાન કરીને શાસનના જ્ઞાનની પ્રભાવના કરે. ૩) મહાન વિકટ તપશ્ચર્યા કરીને શાસનની પ્રભાવના કરે. ૪) ત્રણ કાળ અથવા ત્રણ મતનો જાણનાર હોય. ૫) તર્ક, વિતર્ક, હેતુ, વાદ, યુક્તિ, ન્યાય, તથા વિદ્યાદિ બળથી વાદિઓનો શાસ્ત્રાર્થથી પરાજય કરીને શાસનની પ્રભાવના કરે. ૬) પુરુષાર્થવાળો પુરુષ દીક્ષા લઈને શાસનની પ્રભાવના કરે. ૭) કવિતા કરવાની શક્તિ હોય તો કવિતા કરી શાસનની પ્રભાવના કરે. ૮) બ્રહ્મચર્ય આદિ મોટા વ્રત પ્રગટ રીતે ઘણા માણસોની ઉપસ્થિતિમાં છે, કારણ કે એથી લોકોને શાસન Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૬ D શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પર શ્રદ્ધા અથવા વ્રતાદિ લેવાની રૂચી વધે છે. અથવા દુર્બળ સ્વધર્મી ભાઈઓને સહાયતા કરવી એ પણ પ્રભાવના છે. ૯. આગાર છે : સમકિતની અંદર છ પ્રકારના આગાર છે. ૧) રાજાનો, ૨) દેવતાનો, ૩) ન્યાતનો, ૪) માતા પિતા અને ગુરુનો, ૫) બળાત્કારનો, ) દુષ્કાળમાં સુખથી આજીવિકા ન ચાલે તો. એ છ પ્રકારના આગારોથી સમકિતમાં કોઈ અનુચિત કાર્ય કરવું પડે તો સમકિતનો ભંગ થતો નથી. ૧૦. જયણા છ : ૧) આલાપ – સ્વધર્મી ભાઈઓની સાથે એકવાર બોલે, ૨) સંલાપ – સ્વધર્મી ભાઈઓની સાથે વારંવાર બોલે, ૩) મુનિને દાન દેવું અથવા સ્વધર્મી ભાઈઓની વાત્સલ્યતા કરવી, ૪) આવું વારંવાર પ્રતિદિન કરવું, ૫) ગુણીજનોના ગુણ પ્રગટ કરવા, ૬) તથા વંદન, નમસ્કાર, બહુમાન કરવું. ૧૧. સ્થાન છે: ૧) ધર્મરૂપી નગર તથા સમકિતરૂપી દરવાજો, ૨) ધર્મરૂપી વૃક્ષ તથા સમકિતરૂપી થડ, ૩) ધર્મરૂપી પ્રાસાદ તથા સમકિતરૂપી પાયો, ૪) ધર્મરૂપી ભોજન તથા સમકિતરૂપી થાળ, ૫) ધર્મરૂપી માલ તથા સમકિતરૂપી દુકાન, ૬) ધર્મરૂપી રત્ન તથા સમકિતરૂપી તિજોરી. / ૧૨. ભાવના છ : ૧) જીવ ચૈતન્ય લક્ષણયુક્ત, અસંખ્યાત પ્રદેશી, અમૂર્તિ છે. ૨) અનાદિકાળથી જીવ અને કર્મોને સંયોગ છે. જેમ દૂધમાં ધૃત, તલમાં તેલ, ધૂળમાં ધાતુ, ફૂલમાં સુગંધ, ચંદ્રની કાંતિમાં અમૃત, છે તે પ્રમાણે અનાદિ સંયોગ છે. ૩) જીવ સુખ દુખને કર્તા છે અને ભોક્તા છે. નિશ્ચય નયથી કર્મનો કર્તા સકર્મક જીવ છે અને વ્યવહાર નથી જીવ છે. ૪) જીવ, દ્રવ્ય, ગુણ, પર્યાય, પ્રાણ અને ગુણસ્થાનક સહિત છે. ૫) ભવ્ય જીવનો મોક્ષ થાય છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ કાય સ્થિતિ ૪૧૭ ૬) જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષનો ઉપાય છે. આ થોકડાને કંઠસ્થ કરી વિચાર કરો કે આ ૬૭ બોલ વ્યવહાર સમકિતના છે. એમાંથી મા૨ામાં કેટલા છે ? અને પછી અધૂરાં હોય તેમાં આગળ વધવાનો પ્રયાસ કરો અને પુરુષાર્થ દ્વારા તેને પ્રાપ્ત કરો. ઇતિ વ્યવહાર સમકિતના ૬૭ બોલ. II I II 今照照分 ૪૦. કાય સ્થિતિ પક્ષવણા સૂત્ર પદ ૧૮ સ્થિતિ બે પ્રકા૨ની છે. ૧) ભવ સ્થિતિ – એક જીવ એક ભવમાં જેટલો કાળ ૨હે તેટલો કાળ તે ભવસ્થિતિ. જેમ કે પૃથ્વીકાયના એક જીવની ભવસ્થિતિ જ. અંત. ઉ. ૨૨ હજાર વર્ષની. ૨) કાય સ્થિતિ – પૃથ્વીકાય આદિ એક જ કાયના જીવ તે જ કાયમાં વારંવાર જન્મ મરણ કરતા રહે અને બીજી કાય (અપકાય, તેઉકાય વિ.) માં ન ઉપજે ત્યાં સુધીની સ્થિતિ. ંબાદર કાળ (અસંખ્યાતો કાળ) - દ્રવ્યથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ. ક્ષેત્રથી આંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ. કાળથી અસંખ્યાતો કાળ. ભાવથી બાદર કાળ. પુઢવી કાળ (અસંખ્યાતો કાળ) – દ્રવ્યથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ. ક્ષેત્રથી અસંખ્યાત લોકનાં આકાશપ્રદેશ ■-27 Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ખાલી થાય તેટલો કાળ. કાળથી અસંખ્યાતો કાળ. ભાવથી આંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશની સંખ્યા જેટલા લોક, તેટલા લોકના આકાશ પ્રદેશ પ્રમાણ. અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ (અનંતો કાળ) – દ્રવ્યથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી અનંતા લોક, કાળથી અનંતો કાળ. ભાવથી અર્ધપુદ્ગલ ૫૨ાવર્તન. વનસ્પતિકાળ (અનંતો કાળ) – દ્રવ્યથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી અનંતા લોક. કાળથી અનંતો કાળ. ભાવથી અસંખ્યાત પુદ્ગલ પ૨ાવર્તન. તે આવલિકાનાં અસંખ્યાતમા ભાગમાં જેટલા અસંખ્યાતા સમય જાય તેટલાં પુદ્ગલ પરાવર્તન. ટૂંકા શબ્દ પ્રયોગનો અર્થ – અ.અ. – અનાદિ અનંત. અ.સાં. - અનાદિ સાંત. સા.સાં. ~ સાદિ સાંત. અંત.- અંતર્મુહૂર્ત. સં.–સંખ્યાતા. અસં.- અસંખ્યાતા. - કાય સ્થિતિના દ્વાર બતાવતી ગાથા જીવ ગઈ ઈન્દ્રિય કાએ જોગે, વેદે કસાય લેસ્સા ય । સમ્મત્ત નાણુ દેસણ, સંજય ઉવઓગ આહા૨ે || ૧ || ભાસગ પરિત્ત પદ્મત્ત સુહુમ, સન્ની ભવઽત્હિ ચરિમેય । એએસિં તુ પયાણું, કાયઠિઈ હોઈ નાયવ્વા || ૨ || કાય સ્થિતિના દ્વારના નામઃ ૧) જીવ, ૨) ગતિ, ૩) ઇન્દ્રિય, ૪) કાય, ૫) યોગ, ૬) વેદ, ૭) કષાય, ૮) લેશ્યા, ૯) સમ્યક્ત્વ, ૧૦) જ્ઞાન, ૧૧) દર્શન, ૧૨) સંયત, ૧૩) ઉપયોગ, ૧૪) આહા૨, ૧૫) ભાષક, ૧૯) પરિત્ત, ૧૭) પર્યાપ્ત, ૧૮) સૂક્ષ્મ, ૧૯) સંશી, ૨૦) ભવસિદ્ધિક, ૨૧) અસ્તિકાય, ૨૨) ૨૨મ. Page #438 -------------------------------------------------------------------------- ________________ કાય સ્થિતિ શિ૪૧૭ | ક્રમ માર્ગણા જિઘન્ય કાયસ્થિતિ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૧. જીવ દ્વાર :૧ સમુચ્ચય જીવ શાશ્વતા શાશ્વતા ૨.ગતિ દ્વાર :૨ નારકી ૧૦ હજાર વર્ષ ૩૩ સાગરોપમ ૩ દેવતા | ૧૦ હજાર વર્ષ ૩૩ સાગરોપમ ૪ દેવી ૧૦ હજાર વર્ષ પપ પલ્યની પ તિર્યંચ (નપુંસક) અંતર્મુહૂર્ત અનંતકાળ (વનસ્પતિ) ૬ તિર્યંચાણી, અંતર્મુહૂર્ત ૩ પલ્ય ને પ્રત્યેક કોડ પૂર્વ તિર્યંચ પુરુષ ૭ મનુષ્ય | |અંતર્મુહૂર્ત ૩ પલ્ય ને પ્રત્યેક ક્રોડ પૂર્વ ૮ મનુષ્યાણી |અંતર્મુહૂર્ત ૩ પલ્ય ને પ્રત્યેક કોડ પૂર્વ ૯ સિદ્ધ ભગવાન સાદિ અનંત (શાશ્વતા). ૧૦ થી ૧૬. અપર્યાપ્તા નારકી, અપર્યાપ્તા દેવતા, અપર્યાપ્તા દેવી, અપર્યાપ્ત તિર્યચ, અપર્યાપ્તા તિર્યંચાણી – તિર્યંચ પુરુષ, અપર્યાપ્ત મનુષ્ય, અપર્યાપ્ત મનુષ્યાણી, | એ સાતેની કાયસ્થિતિ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧૭ પર્યાપ્તા નારકી ૧૦ હજાર વર્ષમાં ૩૩ સાગરમાં અંત. ઊણી |અંતર્મુહૂર્ત ઊણી ૧૮પર્યાપા દેવ ૧૦ હજાર વર્ષમાં ૩૩ સાગરમાં અંત. ઊણી અંતર્મુહૂર્ત ઊણી ૧૯ પર્યાપ્તા દેવી |૧૦ હજાર વર્ષમાં પપ પત્યમાં અંત. ઊણી | | અંતર્મુહૂર્ત ઊણી | ૨૦ પર્યાપ્તા તિર્યંચ અંતર્મુહૂર્ત 13 પત્યમાં અંત, ઊણી Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ૨૧ પર્યાપ્તા તિર્યંચાણી અંતર્મુહૂર્ત ૨૨ પર્યાપ્તા મનુષ્ય ૨૩ પર્યામા મનુષ્યાણી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૩. ઇન્દ્રિય દ્વાર : ૨૪ સઇન્દ્રિય ૨૫ એકેન્દ્રિય ૨૬ બેઇન્દ્રિય ૨૭ તેઇન્દ્રિય ૨૮ ચૌરેન્દ્રિય ૨૯ પંચેન્દ્રિય ૩૦ અનિન્દ્રિય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૪. કાય કાર : ૩૧ સકાયી ૩૨ પૃથ્વીકાય ૩૩ અપકાય ૩૪ તેઉકાય ૩૫ વાઉકાય ૩૬ વનસ્પતિકાય | અંતર્મુહૂર્ત ૩૭ ત્રસકાય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત '' શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩ પલ્યમાં અંત. ઊણી ૩ પલ્પમાં અંત. ઊણી ૩ પલ્યમાં અંત. ઊણી અ. અ., અ. સાં. અનંતકાળ (વનસ્પતિ.) સંખ્યાતો કાળ સંખ્યાતો કાળ સંખ્યાતો કાળ ૧૦૦૦ સાગર સાધિક સાદિ અનંત અનાદિ અનંત, અનાદિ સાંત અસંખ્યાતો કાળ—પુઢવી કાળ .. "" '' અનંતકાળ (વનસ્પતિ.) ર∞ સાગરને સંખ્યાત વર્ષ અધિક ૩૮ અકાય સાદિ અનંત ૩૯ થી ૪૫ સકાયી થી ત્રસકાયના (ક્રમ ૩૧ થી ૩૭ના) અપર્યાપ્તાની અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૪૬ સકાયી પર્યાપ્તા પ્રત્યેક સો સાગ૨ સાધિક Page #440 -------------------------------------------------------------------------- ________________ કાય સ્થિતિ ૪૭ પૃથ્વીકાય પર્યામા | અંતર્મુહૂર્ત ૪૮ અપકાય પર્યામા | અંતર્મુહૂર્ત ૪૯ તેઉકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત ૫૦ વાઉકાય પર્યાપ્તા | અંતર્મુહૂર્ત ૫૧ વનસ્પતિ. પર્યાપ્તા | અંતર્મુહૂર્ત ૫૨ ત્રસકાય પર્યામા | અંતર્મુહૂર્ત ૫૩ સમુચ્ચય બાદર અંતર્મુહૂર્ત ૫૪ બાદ૨ વનસ્પતિ | અંતર્મુહૂર્ત ૫૫ સમુચ્ચય નિગોદ | અંતર્મુહૂર્ત | અનંતો કાળ ૪૨૧ | સંખ્યાતા હજા૨ વર્ષ | સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા દિવસની સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા હજાર વર્ષ | | પ્રત્યેક સો સાગર સાધિક અસંખ્યાતો કાળ (બાદ૨) | અસંખ્યાતો કાળ (બાદ૨) (અઢી ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન) ૫૬ બાદર ત્રસકાય અંતર્મુહૂર્ત | ૨૦૦૦ સાગર ઝાઝેરી ૫૭ થી ૬૨ બાદ૨ પૃ, બા.અપ, બા.તેઉ, બા.વાઉ, પ્રત્યેક વનસ્પતિ, બાદ૨ નિગોદની | અંતર્મુહૂર્ત | ૭૦ ક્રોડાક્રોડી સાગર ૬૩ થી ૬૯ સમુચ્ચય સૂક્ષ્મ, સૂ. પ્, સૂ. અપ, સૂ. તેઉ, સૂ. વાઉ, સૂ. વન., સૂ. નિગોદની | અંતર્મુહૂર્ત | અસંખ્યાતોકાળ(પુઢવીકાળ) ૭૦ થી ૮૬ માં ક્રમ ૫૩ થી ૬૯ ના અપર્યાપ્તા (સમુ. બાદ૨ થી સૂક્ષ્મ નિગોદ સુધી) અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત ૮૭ થી ૯૩ સમુચ્ચય સૂક્ષ્મ, સૂ. પ્, સૂ. અપ, સૂ. તેઉ, સૂ. વાઉ, સૂ. વન., સૂ. નિગોદના પર્યાપ્તાની અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત ૯૪ થી ૯૭ બાદ૨ પુથ્વી, બા. અપ, બા. વાઉ અને પ્રત્યેક બાદર વનસ્પતિ પર્યાપ્તાની | અંતર્મુહૂર્ત | સંખ્યાતા હજાર વર્ષ ૯૮ બાદર તેઉકાયના પર્યાપ્તા સંખ્યાતી અહોરાત્રી Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ૯૯ સમુચ્ચય બાદ૨ પર્યાપ્તા ૧૦૦ સમુચ્ચય નિગોદ પર્યામા ૫. યોગ દ્વાર ઃ– ૧૦૨ સયોગી ૧૦૧ બાદ૨ નિગોદના પર્યાપ્તા | અંતર્મુહૂર્ત ૭. કાય ાર ૧૧૨ સકષાયી ૧૦૩ મન યોગ ૧ સમય ૧૦૪ વચન યોગ | ૧ સમય ૧૦૫ કાય યોગ | અંતર્મુહૂર્ત ૧૦૬ અયોગ ૬. વેદ દ્વાર :૧૦૭ સવેદી અંતર્મુહૂર્ત સવેદી સા.સાં. અંતર્મુહૂર્ત |૧ સમય ૧૦૮ સ્ત્રી વેદ ૧૦૯ પુરુષ વેદ અંતર્મુહૂર્ત ૧૧૦ નપુંસક વેદ |૧ સમય ૧૧૧ અવેદી અવેદી સા.સાં ૧ સમય ૧૧૩ ક્રોધ કષાય શ્રી સકષાયી સા.સાં અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત બૃહદ્દ જૈન થોક સંગ્રહ પ્રત્યેક સો સાગર સાધિક અ.સ., અ.સાં. અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અનંતકાળ વનસ્પતિ કાળ સાદિ અનંત અ.સ., અ.સાં., સા.સાં. દેશેઊભું અર્ધપુદ્ગલ ૫૨ાવર્તન ૧૧૦ પલ્ય, પ્રત્યેક ક્રોડ પૂર્વ અધિક પ્રત્યેક સો સાગર સાધિક અનંતકાળ (વનસ્પતિકાળ) સા.સાં., સા.અ. અંતર્મુહૂર્ત અ.સ., અ.સાં., સા.સાં. દેશઊણા અર્ધ અંતર્મુહૂર્ત પુદ્ગલ Page #442 -------------------------------------------------------------------------- ________________ કાય સ્થિતિ ૧૧૪ માન કષાય અંતર્મુહૂર્ત ૧૧૫ માયા કષાય | અંતર્મુહૂર્ત ૧૧૬ લોભ કષાય ૧ સમય ૧૧૭ અકષાયી અકષાયી સા.સાં. ૧ સમય ૮. વેશ્યા દ્વાર – ૧૧૮ સલેશી ૧૧૯ કૃષ્ણલેશ્યા | અંતર્મુહૂર્ત ૧૨૦ નીલલેશ્યા | અંતર્મુહૂર્ત ૧૨૧ કાપોતલેશ્યા | અંતર્મુહૂર્ત ૧૨૨ તેજોલેશ્યા અંતર્મુહૂર્ત ૧૨૩ પદ્મલેશ્યા | અંતર્મુહૂર્ત ૧૨૪ શુક્લલેશ્યા | અંતર્મુહૂર્ત ૧૨૫ અલેશી ૯. સમ્યક્ત્વ દ્વારઃ ૧૨૬ સમ્યક્ત્વ દૃષ્ટિ 11 "I ' સા.સાં. અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સા.અ., સા.સાં. અંતર્મુહૂર્ત અ.સ., અ.સાં. ૩૩ સાગ૨, અંતર્મુહૂર્ત અધિક ૧૦ સાગર,પથનોઅર્સ ભાગ અધિક ૩સાગર, પલ્યનો અસં ભાગ અધિક ૨ સાગર, પલ્યનો અસં ભાગ અધિક ૧૦ સાગરોપમ ને અંત. અધિક ૩૩ સાગરોપમ ને અંત. અધિક સાદિ અનંત ૪૨૩ સા.અ., સા.સાં. ૬૬ સાગ૨ અધિક સાદિ અનંત ૧૨૭ ક્ષાયક સમ્યક્ત્વ ૧૨૮ ક્ષયોપશમ સમ. અંતર્મુહૂર્ત ૬૬ સાગર અધિક ૧૨૯ સાસ્વાદન સમ. ૧ સમય ૬ આવલિકા ૧૩૦ ઉપશમ સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧ સમય ૬૬ સાગર અધિક ૧૩૧ વેદક સમ્યક્ત્વ ૧૩૨ મિથ્યા દૃષ્ટિ અ.અ.(અભવ્ય),અ.સા.,સા.સાં ૧૩૩ મિથ્યા " સા.સાં અંતર્મુહૂર્ત દેશેણું અર્ધ પુદ્ગલ ૫૨ાવર્તન Page #443 -------------------------------------------------------------------------- ________________ કરશા ી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૩૪ મિશ્ર દૃષ્ટિ ! અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧૦. શાન તાર :૧૩પ સનાણી સા.અ., સા.સાં. ૧૩૬ મતિ જ્ઞાન સા.અ., સા.સાં. ૧૩૭ શ્રુત જ્ઞાન સા.અ., સા.સાં. ત્રણેનાં સા.સાં. અંતર્મુહૂર્ત ૬૬ સાગર સાધિક ૧૩૮ અવધિ જ્ઞાન ૧ સમય ૬૬ સાગર સાધિક ૧૩૯ મન:પર્યવ જ્ઞાનવ સમય દેશ ઊણા પૂર્વ ક્રિોડ વર્ષ ૧૪૦ કેવળ જ્ઞાન સાદિ અનંત ૧૪૧ અજ્ઞાન અ.અ., અ.સ., સા.સાં. ૧૪૨ મતિ અજ્ઞાન અ.અઅ.સાં, સા.સાં. ૧૪૩ શ્રુત અજ્ઞાન અ.અ. અ.સાં, સા.સાં. ત્રણેનાં સા.સાં. દેશઊણું અર્ધ પુદ્. પરાવર્તન ૧૪૪ વિભંગ જ્ઞાન |૧ સમય ૩૩ સાગરને દેશઊણું પૂર્વક્રોડ અધિક ૧૧. દર્શન દ્વાર :| ૧૪૫ ચક્ષુ દર્શન અંતર્મુહૂર્ત |૧ હજાર સાગર અધિક ૧૪૬ અચક્ષુ દર્શન અ.અ., અ.સાં. ૧૪૭ અવધિ દર્શન | સમય T૧૩૨ સાગર અધિક ૧૪૮ કેવળ દર્શન |----- સાદિ અનંત ૧૨. સંયત દ્વાર :૧૪૯ સંયત ૧ સમય દેશે ઊણું પૂર્વ ક્રિોડ વર્ષ ૧૫૦ અસંયત ---- અ.અ., અ.સાં સા.સાં. ૧૫૧ અસંયત સા.સા.અંતર્મુહૂર્ત દેશે ઊણું અર્ધ પુપરાવર્તન છે. આ સાં ]અંતર્ગત દિશ૩ અ૨૩ - - - - Page #444 -------------------------------------------------------------------------- ________________ કાય સ્થિતિ ૪૨૫ ૧૫૨ સંયતાસંયત | અંતર્મુહૂર્ત / દેશે ઊણું પૂર્વ ક્રોડ વર્ષ ૧૫૩ નોસંયત નોઅસંયત નોસંયતાસંયત સાદિ અનંત ૧૫૪ થી ૧૫૭ / સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર ૧ સમય | દેશે ઊભું પૂર્વ ક્રોડ વર્ષ ૧૫૮ સૂક્ષ્મસંપ. ચારિત્ર ૧ સમય અંતર્મુહૂર્ત ૧૩. ઉપયોગ દ્વાર ઃ– ૧૫૯ સાકાર ઉપયોગ | અંતર્મુહૂર્ત ૧૬૦ અનાકાર ઉપયોગ અંતર્મુહૂર્ત ૧૪. આહાર દ્વાર ઃ– ૧૬૧ આહા૨ક છદ્મસ્થ |૨ સમય ન્યૂન એક ક્ષુલ્લક ભવ ૧૬૨ આહા૨ક કેવળી અંતર્મુહૂર્ત ૧૬૩ અણાહારી વૃદ્મસ્થ ૧ સમય ૧૬૪ ભવસ્થ સયોગી કેવળી અણાહાર ૧૬૫ ભવસ્થ અયોગી કેવળી અણાહા૨ ૧૬૬ સિદ્ઘ અણાહારક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અસંખ્યાતો કાળ બાદ૨કાળ દેશે ઊણું પૂર્વક્રોડ વર્ષ ૩ સમય અજઘન્ય અનુભૃષ્ટ ૩ સમય પાંચ હ્રસ્વ અક્ષર ઉચ્ચારણ કાળ સાદિ અનંત કાય પરિત એટલે પ્રત્યેક શ૨ી૨ી જીવ. સંસાર પરિત એટલે જેણે સમ્યક્ત્વ દ્વારા પોતાના ભવભ્રમણને પરિમિત કરી લીધેલ છે તે. કાય અપરિત એટલે નિગોદના જીવ (સાધારણ શ૨ી૨ી), સંસાર અપરિત એટલે અનાદિના મિથ્યાત્વી જીવો. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨૬) િ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૫. ભાષક તાર :૧૬૭ ભાષક ૧ સમય અંતર્મુહૂર્ત ૧૬૮ અભાષક સિદ્ધ સાદિ અનંત ૧૬૯ અભાષક સંસારી અંતર્મુહૂર્ત | અનંતકાળ–વનસ્પતિકાળ ૧૬. પરિત દ્વાર :૧૭૦ કાય પરિત | અંતર્મુહૂર્ત | અસંખ્યાત કાળ—પઢવીકાળ ૧૭૧ સંસાર પરિત | અંતર્મુહૂર્ત દેશઊણું અર્ધ. પુદ્. પરા. ૧૭૨ કાય અપરિત | અંતર્મુહૂર્ત | અનંતકાળ (વનસ્પતિકાળ) ૧૭૩ સંસાર અપરિત | --- | અ.અ., અ.સાં. ૧૭૪ નોપરિત નોઅપરિત –-- | સાદિ અનંત ૧૭. પર્યાપ્તા દ્વાર - ૧૭૫ પર્યાપ્તા અંતર્મુહૂર્ત પ્રત્યેકસો સાગર સાધિક ૧૭૬ અપર્યાપ્તા | અંતર્મુહૂતી અંતર્મુહૂર્ત ૧૭૭ નો પર્યાપ્તા નો અપર્યાપ્તા –-- ! સાદિ અનંત ૧૮. સમ તાર :૧૭૮ સૂક્ષ્મ અંતર્મુહૂર્ત અસંખ્યાતો કાળ—પઢવીકાળ ૧૭૯ બાદર અંતર્મુહૂર્ત અસંખ્યાતો કાળ/બાદરકાળ ૧૮૦ નોસૂક્ષ્મ નો બાદર – સાદિ અનંત ૧૯. સંશી કાર - ૧૮૧ સંજ્ઞી અંતર્મુહૂર્ત | પ્રત્યેક સો સાગર સાધિક ૧૮૨ અસંશી | અંતર્મુહૂર્ત | વનસ્પતિકાળ ૧૮૩ નોસંજ્ઞી નોઅસંશી ૦ સાદિ અનંત ૨૦. ભવ સિલિક તાર – * | ૧૮૪ ભવ સિદ્ધિય અનાદિ સાંત Page #446 -------------------------------------------------------------------------- ________________ _કાય સ્થિતિ ૧૮૫ અભવ સિદ્ધિયા અનાદિ અનંત ૧૮૬ નોભવ સિદ્ધિયા નોઅભવ સિદ્ધિયા | સાદિ અનંત ૨૧. અસ્તિકાય દ્વાર :૧૮૭ થી ૧૯૧ પાંચ અસ્તિકાય (ધર્મ, અધર્મ,આકાશ,કાળ,પુદ્ગલ). સર્વકાળ ૨૨. ચરમ તાર :૧૯ર ચરમ (ભવી જીવો) | ૦ અનાદિ સાંત ૧૯૩ અચરમ | ૦ )અનાદિ અનંત, સાદિ અનંત (અભવી અને સિદ્ધના જીવો). ઇતિ કાય સ્થિતિ. 今期跑少鹽路聯盟今舉部分 (૪૧. યોગોનો અલ્પાબહત્વ) - શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ઉ. ૧ જીવના આત્મપ્રદેશોમાં અધ્યવસાય ઉપજે છે. અધ્યવસાયથી જીવ શુભાશુભ કર્મ (પુદ્ગલો) ને ગ્રહણ કરે છે તે પરિણામ એ સૂક્ષ્મ છે. પરિણામોની પ્રેરણાથી લેશ્યા થાય છે અને વેશ્યાની પ્રેરણાથી મન, વચન, કાયાના યોગ થાય છે. યોગ બે પ્રકારના છે. ૧ જઘન્ય યોગ = ૧૪ જીવોના ભેદમાં સામાન્ય યોગ સંચાર, ૨ ઉત્કૃષ્ટ યોગ, તરતમતા મુજબ. તેનો અલ્પબદુત્વ નીચે મુજબ છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ = = = ના ૪૨૮૩ીિ . શ્રી બૃહદ જેન થોક સંગ્રહ (૦૧) સૌથી થોડા સૂક્ષ્મ એકેન્દ્રિયના અપર્યાપ્તાનો જઘન્ય યોગ તેથી (૦૨) બાદર એકેન્દ્રિયના અપર્યાપ્તાના જઘન્ય યોગ અસં. ગુણા " (૦૩) બેઈન્દ્રિયના (૦૪) ઈન્દ્રિયના (૦૫) ચૌરેન્દ્રિયના (૦૬) અસંજ્ઞી પંચેન્દ્રિયના "" (૦૭) સંજ્ઞી પંચેન્દ્રિયના " (૦૮) સૂક્ષ્મ એકેન્દ્રિયના પર્યાયાનો (૦૯) બાદર એકેન્દ્રિયના પર્યાપ્તાનો (૧૦) સૂક્ષ્મ એકેન્દ્રિયના અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ (૧૧) બાદર એકેન્દ્રિયના અપર્યાપ્તાનો " (૧૨) સૂક્ષ્મ એકેન્દ્રિયના પર્યાપ્તાનો " - (૧૩) બાદર એકેન્દ્રિયના પર્યાપ્તાનો (૧૪) બેઈન્દ્રિયના " જઘન્ય યોગ (૧૫) તે ઇન્દ્રિયના " (૧૬) ચૌરેન્દ્રિયના (૧૭) અસંજ્ઞી પંચેન્દ્રિયના " (૧૮) સંજ્ઞી " " (૧૯) બેઇન્દ્રિયના અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ (૨૦) તે ઇન્દ્રિયના અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ (૨૧) ચૌરેન્દ્રિયના અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ (૨૨) અસંજ્ઞી પંચેન્દ્રિયના " (૨૩) સંજ્ઞી પંચેન્દ્રિયના " (૨૪) બેઇન્દ્રિય પર્યાપ્તાનો " Page #448 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલનો અલ્પબહુત્વ (૨૫) તેઇન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ (૨૬) ચૌરેન્દ્રિય '' (૨૭) અસંજ્ઞી પંચે.ના પર્યા. નો (૨૮) સંજ્ઞી પંચે.ના પર્યા. નો "" ?? ઇતિ યોગોનો અલ્પબહુ. ૪૨૯ ૪૨. પુદ્ગલનો અલ્પબહુત્વ 1:4 11 .. ## '' .. '' 分照照 分瘫蹤暖暖 分噩 શ્રી પક્ષવણા સૂત્ર પદ ૩ પુદ્ગલ ૫૨માણુ, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અને અનંત પ્રદેશી પુદ્ગલના સ્કંધનો દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય પ્રદેશનો અલ્પબહુત્વ કહે છે. પુદ્ગલનો દ્રવ્ય અપેક્ષા અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા અનંતપ્રદેશી પુદ્ગલના સ્કંધના દ્રવ્ય, તેથી (૨) ૫૨માણુ પુદ્ગલના દ્રવ્ય અનંતગુણા તેથી, (૩) સંખ્યાત પ્રદેશી કંધના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાત પ્રદેશી કંધના દ્રવ્ય અસંખ્યાતગુણા. પુદ્ગલનો પ્રદેશ અપેક્ષા અલ્પબહુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના અલ્પબહુત્વવત્. દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા અનંતપ્રદેશી કંધના દ્રવ્ય, તેથી (૨) અનંતપ્રદેશી સંખ્યાત પ્રદેશી કે અસંખ્યાત પ્રદેશી પુદ્ગલને નજરે જોઈ શકાતા નથી. બાદર સ્વભાવી, અનંત પ્રદેશી પુદ્ગલને જ જોઈ શકાય છે. તેમાં પણ બધા અનંત પ્રદેશી પુદ્ગલને ન જોઈ શકાય. Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સ્કંધના પ્રદેશ અનંતગુણા, તેથી (૩) પરમાણુ પુદ્ગલના દ્રવ્ય અને પ્રદેશ અનંતગુણા, તેથી (૪) સંખ્યાત પ્રદેશી સ્કંધના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૫) સંખ્યાત પ્રદેશ સ્કંધના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૬) અસંખ્યાત પ્રદેશ સ્કંધના દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૭) અસંખ્યાત પ્રદેશી સ્કંધના પ્રદેશ અસંખ્યાતગુણા. ક્ષેત્ર અપેક્ષાએ એક આકાશ પ્રદેશ એવગાહ્યા, સંખ્યાત પ્રદેશ અવગાહ્યા અને અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુગલનો દ્રવ્યથી અલ્પબદુત્વઃ (૧) સૌથી થોડા એક આકાશ પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય, તેથી (૨) સંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા. પદેશ અપેક્ષા અલ્પબદુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના અલ્પબદુત્વવતું. દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબદુત્વ : (૧) સૌથી થોડા એક પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય અને પ્રદેશ, તેથી (૨) સંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) સંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૫) અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા ૫ગલ દ્રવ્યના પ્રદેશ અસંખ્યાતગુણા. કાળ અપેક્ષા એક સમયની સ્થિતિવાળા, સંખ્યાત સમયની સ્થિતિવાળા અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલનો દ્રવ્યથી અલ્પબદુત્વઃ (૧) સૌથી થોડા એક સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય, તેથી (૨) સંખ્યાત સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતણા, તેથી (૩) અસંખ્યાત સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા. પદેશ અપેક્ષા અલ્પબદુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના Page #450 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલનો અલ્પબહુત્વ ૪૩૧ અલ્પબહુત્વવત્. દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા એક સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય અને પ્રદેશ, તેથી (૨) સંખ્યાત સમયની સ્થિતિના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) સંખ્યાત સમયની સ્થિતિના દ્રવ્યના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાત સમયની સ્થિતિના દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૫) અસંખ્યાત સમયની સ્થિતિના દ્રવ્યના પ્રદેશ અસંખ્યાતગુણા. : ભાવ અપેક્ષા એકગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણ અને અનંતગુણ કાળા પુદ્ગલના દ્રવ્યનો અલ્પબહુત્વ ઃ (૧) સૌથી થોડા અનંતગુણ કાળા પુદ્ગલોના દ્રવ્ય, તેથી (૨) એકગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય અનંતગુણા, તેથી (૩) સંખ્યાતગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય . સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાતગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા. પ્રદેશ અપેક્ષા અલ્પબહુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના અલ્પબહુત્વવત્. દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા અનંતગુણ કાળા પુદ્ગલોના દ્રવ્ય, તેથી (૨) અનંતગુણ કાળા પુદ્ગલોના પ્રદેશ અનંતગુણ, તેથી (૩) એકગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય અને પ્રદેશ અનંતગુણા, તેથી (૪) સંખ્યાતગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૫) સંખ્યાતગુણ કાળા પુદ્ગલના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૬) અસંખ્યાતગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૭) અસંખ્યાતગુણ કાળા પુદ્ગલના પ્રદેશ અસંખ્યાતગુણા. એમ ૫ વર્ણ, ૨ ગંધ, ૫ ૨સ, ૪ સ્પર્શ (શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ) એ ૧૬ બોલનો વિસ્તાર કાળા વર્ણની જેમ દ્રવ્ય, પ્રદેશ તથા દ્રવ્ય પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ કહેવા. તેથી ૧૬ × ૩= ૪૮ અલ્પબહુત્વ થાય. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્યનો અલ્પબહુત્વ ઃ (૧) સૌથી થોડા એક ગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય, તેથી (૨) સંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) અસંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૪) અનંતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અનંતગુણા. કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશનો અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા એક ગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ, તેથી (૨) સંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૩) અસંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી (૪) અનંતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ અનંતગુણા. કર્કશ સ્પર્શ દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા એક ગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અને પ્રદેશ, તેથી (૨) સંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) સંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૫) અસંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી (૬) અનંતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અનંતગુણા, તેથી (૭) અનંતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ અનંતગુણા. એમ મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શના દ્રવ્ય, પ્રદેશ તથા દ્રવ્ય પ્રદેશના ભેગા અલ્પબહુત્વ . (૪ × ૩ = ૧૨) સમજવા. આમ કુલ દ્રવ્યના ૩, ક્ષેત્રના ૩, કાળના ૩ અને ભાવના ૪૮ + ૧૨ = ૬૦ મળીને ૬૯ અલ્પબહુત્વ થાય. ઇતિ પુદ્ગલનો અલ્પબહુત્વ. 图图图图图图 Page #452 -------------------------------------------------------------------------- ________________ આકાશ શ્રેણી ૪૩૩ ૪૩. આકાશ શ્રેણી) િ શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ૩. ૩ જ્યાં જીવ અને પુદ્ગલોની ગતિ હોય છે, એ આકાશપ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે. સમુચ્ચય આકાશ પ્રદેશની દ્રવ્યાપેક્ષા શ્રેણી અનંતી છે. પૂર્વાદિ છ દિશાની અને અલોકાકાશની શ્રેણી અનંતી છે. દ્રવ્યાપેક્ષા લોકાકાશની તથા છયે દિશાની શ્રેણી અસંખ્યાતી છે. દ્રવ્યાપેક્ષા અલોકાકાશની તથા છયે દિશાની શ્રેણી અનંતી છે. પ્રદેશાપેક્ષા સમુચ્ચય આકાશ પ્રદેશની તથા છયે દિશાની શ્રેણી અનંતી છે. પ્રદેશાપેક્ષા લોકાકાશ આકાશ પ્રદેશની તથા યે દિશાની શ્રેણી અસં. છે. અલોકાકાશની શ્રેણી સ્યાત્ સંખ્યાતી, સ્થાત્ અસંખ્યાતી, સાત્ અનંતી છે. તેમ જ ઊંચી, નીચી, દિશામાં પણ ત્રણ પ્રકાર હોય છે. પૂર્વ આદિ ચાર દિશામાં શ્રેણી અનંતી છે. સમુચ્ચય શ્રેણી તથા છયે દિશાની શ્રેણી અનાદિ અનંત છે. લોકાકાશની શ્રેણી તથા છયે દિશાની શ્રેણી સાદિસાંત છે. અલોકાકાશની શ્રેણી સ્યાત્ સાદિસાંત છે, સ્થાત્ સાદિ અનંત છે, સ્યાત્ અનાદિ સાંત છે, અને સ્યાત્ અનાદિ અનંત છે. (૧) સાદિ સાંત લોકના વ્યાઘાતમાં. (૨) સાદિ અનંત લોકના અંતમાં અલોકની આદિ છે પણ અંત નથી. (૩) અનાદિ સાંત -- અલોક અનાદિ છે પણ લોક પાસે અંત છે. (૪) અનાદિ અનંત -- જ્યાં લોકનો વ્યાઘાત ન પડે ત્યાં. ચાર દિશામાં સાદિસાંત સિવાયના ત્રણ ભાંગા. ઊંચી, નીચી દિશામાં ચાર ભાંગા. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩)ીિ . - શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ શ્રેણી ચાર છે. ૧. કડજુમ્મા', ૨. ત્રિયોગા, ૩. દાવ રજુમ્મા , ૪. કલયોગા દ્રવ્યાપેક્ષા શ્રેણી કાજુમ્મા છે. છ દિશામાં અને દ્રવ્યાપેક્ષા લોકાકાશની શ્રેણી, છ દિશાની શ્રેણી અને અલોકાકાશની શ્રેણી પણ એ જ. પ્રદેશાપેક્ષા આકાશ શ્રેણી તથા છ દિશામાં શ્રેણી કડજુમ્મા છે. પ્રદેશાપેક્ષા-લોકાકાશની શ્રેણી સાત્ કાજુમ્મા છે, સ્યાત્ દાવરજુમ્મા છે. પૂર્વાદિ ચાર દિશામાં અને ઊંચી નીચી દિશાપેક્ષા કાજુમ્મા છે. પ્રદેશાપેક્ષા અલોકાકાશની શ્રેણી સ્યાત્ કાજુમ્મા જાવ સ્યાત્ કલયોગા છે. એવં ચાર દિશાની શ્રેણી, પરંતુ ઊંચી નીચી દિશામાં કલયોગા સિવાયની ત્રણ શ્રેણી છે. શ્રેણી ૭ પ્રકારે પણ છે. ૧. ઋજુ (–), . એક વક્રા (L), ૩. ઊભય વક્રા (Z[), ૪. એક ખૂણાવાળી (L), ૫. બે ખૂણાવાળી (Z), ૬. ચક્રવાલ (O) , ૭. અર્ધ ચક્રવાલ (U). જીવ અનુશ્રેણી (સમ) ગતિ કરે, વિશ્રેણી ગતિ ન કરે, પુદ્ગલો પણ અનુશ્રેણી ગતિ જ કરે, વિશ્રેણી ગતિ ન કરે. ઇતિ આકાશ શ્રેણી. • ૧ કડજુમ્મા : જે સંખ્યાને ૪ વડે ભાગતાં ૪ શેષ બાકી રહે તે સંખ્યા. જેમકે ૪, ૮, ૧૨, ૧૬ ર ત્રિયોગા : જે સંખ્યાને ૪ વડે ભાગતાં ૩ શેષ બાકી રહે તે સંખ્યા. જેમકે ૭, ૧૧, ૧૫, ૧૯ ૩ દાવ રજુમા : જે સંખ્યાને ૪ વડે ભાગતાં ૨ શેષ બાકી રહે તે સંખ્યા. જેમકે ૬, ૧૦, ૧૪, ૧૮ ....... ૪ કલયોગા : જે સંખ્યાને ૪ વડે ભાગતાં ૧ શેષ બાકી રહે તે સંખ્યા. જેમકે ૧, ૫૯, ૧૩ ........ Page #454 -------------------------------------------------------------------------- ________________ બળનો અલ્પબદુત્વ D૪૩૫ ( ૪૪. બળનો અલ્પબહુત્વ પૂર્વાચાર્યોની પ્રાચીન પ્રતના આધારે (૧) સૌથી થોડું સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાનું બળ તેથી, (૨) બાદર નિગોદના અપર્યાપ્તાનું બળ અસંખ્યાતગણું તેથી (૩) સૂક્ષ્મ નિગોદના પર્યાપ્તાનું " " (૪) બાદર નિગોદના " " (૫) સૂક્ષ્મ પૃથ્વીકાયના અપર્યાપ્તાનું (૬) સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાપ્તાનું " (૭) બાદર " અપર્યાપ્તાનું " (૮) બાદર " પર્યાપ્તાનું (૯) બાદર વનસ્પતિકાયના અપર્યાપ્તાનું (૧૦) " " " પર્યાપ્તાનું (૧૧) તનુવાયુના પર્યાપ્તાનું (૧૨) ઘનોદધિના પર્યાપ્તાનું (૧૩) ઘનવાયુના પર્યાપ્તાનું (૧૪) કુંથવાનું બળ (૧૫) લીંખનું બળ પાંચગણું (૧૬) જૂનું (૧૭) કીડી મકોડાનું (૧૮) માખીનું પાંચગણું (૧૯) ડાંસમચ્છરનું દશગણું (૨૦) ભમરાનું વિશગણું (૨૧) તીડનું પચાસગણું દશગણું વીસગણું Page #455 -------------------------------------------------------------------------- ________________ સોગણું ૪૩૬)શિ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૨૨) ચકલીનું બળ સાઠગણું (૨૩) પારેવાનું પંદરગણું (૨૪) કાગડાનું (૨૫) કુકડાનું સોગણું (૨૬) સાપનું હજારગણું (૨૭) મોરનું પાંચસોગણું (૨૮) વાંદરાનું હજારગણું (૨૯) ઘેટાનું સોગણું (૩૦) મેંઢાનું હજારગણું (૩૧) પુરૂષ (મનુષ્ય) નું સોગણું (૩૨) વૃષભનું બારગણું (૩૩) અશ્વનું દશગણું (૩૪) પાડાનું બારગણું (૩૫) હાથીનું પાંચસોગણું (૩૬) સિંહનું પાંચસોગણું (૩૭) અષ્ટાપદનું બે હજારગણું (૩૮) બળદેવનું દશ હજારગણું (૩૯) વાસુદેવનું બે હજારગણું (૪૦) ચક્રવર્તીનું બે હજારગણું (૪૧) વ્યંતરદેવનું ક્રોડ હજારગણું (૪૨) નાગાદિ ભવનપતિનું " અસંખ્યગણું (૪૩) અસુરકુમાર દેવોનું ", (૪૪) તારા (૪૫) નક્ષત્ર Page #456 -------------------------------------------------------------------------- ________________ હિ૩૭) સમકિતના ૧૨ દ્વા૨ (૪૬) ગ્રહના દેવોનું બળ અસંખ્યગણું (૪૭) વ્યંતર ઇંદ્રનું " (૪૮) નાગાદિ દેવોના ઇદ્રનું બળ (૪૯) અસુર દેવોના ઇદ્રનું બળ (૫૦) જ્યોતિષી દેવોના ઇદ્રનું બળ (૫૧) વૈમાનિક દેવોનું બળ (પર) વૈમાનિક દેવોના ઈદ્રનું બળ (૫૩) ત્રણે કાળના ઇદ્રોથી પણ તીર્થંકરની કનિષ્ઠ (ટચલી) આંગળીનું બળ અનંતગણું છે. (તત્ત્વ કેવળી ગમ્ય) ઇતિ બળનો અલ્પબદુત્વ. જઈ દલ & Eલ ઈs Dલ છ છ ક દ » (૪૫. સમકિતના ૧૨ દ્વાર) દ્વારના નામ: ૧. નામ, ૨. લક્ષણ, ૩. આવણ, ૪. પાવણ, ૫. પરિમાણ, ૬. ઉચ્છદ, ૭. સ્થિતિ, ૮. અંતર, ૯. નિરંતર, ૧૦. આશરેશ, ૧૧. ક્ષેત્રસ્પર્શના, ૧૨. અલ્પબહુત દ્વાર. ૧. નામ દ્વાર : સમકિતના ચાર પ્રકાર. ૧. ક્ષાયક સમકિત, ૨. ઉપશમ સમકિત, ૩. ક્ષયોપશમ સમકિત, ૪. વેદક સમકિત. ૨. લક્ષણ દ્વાર : ' (૧) ચાર અનંતાનુબંધીનો ક્ષય કરે અને ત્રણને ઉપશમાવે તે ક્ષયોપશમ સમકિત. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪િ૩૮][ ] શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૨) પાંચ પ્રકૃતિનો ક્ષય કરે અને એને ઉપશમાવે તે ક્ષયોપશમ સમકિત. (૩) છ પ્રકૃતિનો ક્ષય કરે અને એકને ઉપશમાવે તે ક્ષયોપશમ સમકિત. (૪) ચાર પ્રકૃતિનો ક્ષય કરે, બેને ઉપશમાવે અને એકને વેદે તે ક્ષયોપશમ વેદક સમકિત. (૫) પાંચ પ્રકૃતિઓનો ક્ષય કરે, એકને ઉપશમાવે અને એકને વેદે તે ક્ષયોપશમ વેદક સમકિત. (૬) છ પ્રકૃતિઓને ઉપશમાવે અને એકને વેદે તે ઉપશમ વેદક સમકિત. (૭) સાતેય પ્રકૃતિઓને ઉપશમાવે તે ઉપશમ સમકિત. (૮) છ પ્રકૃતિઓનો ક્ષય કરે અને એકને વેદે તે ક્ષાયિક વેદક સમકિત. (૯) સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરે તે ક્ષાયિક સમકિત. ૩. આવણ દ્વાર : લાયક સમ્યકત્વ માત્ર મનુષ્યભવમાં આવે શેષ ત્રણ સમ્યકત્વ ચાર ગતિમાં આવે. ૪. પાવણ દ્વાર: ચારેય સભ્યત્વ ચારેય ગતિમાં પાવે–હોય. પ. પરિમાણ દ્વાર : લાયક સમ્યકત્વ અનંતા (સિદ્ધ આશ્રી). શેષ ત્રણ સભ્યત્વવાળા અસંખ્યાતા જીવ. ૬. ઉચ્છેદ દ્વાર : લાયક સમ્યક્ત્વનો ઉચ્છેદ કદિ ન થાય શેષ ત્રણનો ઉચ્છેદ થાય. ૭. સ્થિતિ દ્વાર : લાયક સમ્યક્ત્વ સાદિ અનંત. ઉપશમ સમ્યત્વ જ. ઉં. અંતમુહૂર્ત. ક્ષયોપશમ સમ્યક્ત્વની સ્થિતિ જ. અંત. 3. ૬૬ સાગર ઝાઝેરી. વેદક સમ. ની સ્થિતિ જ. ૧ સમય ઉ. ૬૬ સાગર ઝાઝેરી. ૮. અંતર દ્વાર : લાયક સમ્યક્ત્વને આંતરો ન પડે. શેષ ત્રણ નો આંતરો પડે તો જ. અંત. 3. અનંતકાળ યાવત દેશ ઊણા Page #458 -------------------------------------------------------------------------- ________________ સમકિતના ૧૨ દ્વા૨ કિશોર૩૯) અર્ધ પુલ પરાવર્તન. ૯. નિરંતર દ્વાર : ક્ષાયક સમકિત નિરંતર આઠ સમય સુધી આવે. શેષ ત્રણ સમ્યક્ત્વ આવલિકાના અસંખ્યાતમો ભાગ જેટલો સમય નિરંતર આવે. ૧૦. આશરેશ દ્વાર : (કેટલી વખત આવે ?) લાયક સમ્યકત્વ એક વાર જ આવે. ઉપશમ સમ્યક્ત્વ એક ભવમાં જ. ૧ વાર ઉ. ૨ વાર આવે. ઘણા ભવ આશ્રી જ. ૨ વાર ઉ. ૫ વાર આવે. શેષ ૨ સમ્યકત્વ એક ભવ આશ્રી જ. ૧ વાર છે. પ્રત્યેક હજાર વાર આવે અને ઘણા ભવ આશ્રી જ. ૨ વાર ઉ. અસંખ્યાતી વાર આવે. ૧૧. ક્ષેત્ર સ્પર્શના દ્વાર : લાયક સમ્યક્ત્વ આખો લોક સ્પર્શ (કેવળી સમુદ્ધાત આશ્રી). શેષ ત્રણ સમ્યકત્વ દેશ ઊણા સાત રાજલોક સ્પર્શ. (મારણાંતિક સમુદ્યાત આશ્રી). ૧૨. અલ્પબદુત્વ દ્વાર : સૌથી થોડા ઉપશમ સમકિતી, તેથી ક્ષયોપશમ સમકિતી અસંખ્યાતગુણા, તેથી વેદક સમકિતી વિશેષાધિક (ક્ષાયિક વે, ક્ષયોપશમ વે, ઉપશમ વે.), તેથી ક્ષાયિક સમકિતી અનંતગુણા (સિદ્ધ અપેક્ષા), તેથી સમુચ્ચય સમકિતી વિશેષાધિક. ઇતિ સમકિતના બાર દ્વાર. જ દીલ દીવ લ » Eલ દઉં જ હ દ નોંધ : Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ િશ્રી બૃહદ જૈન થોક સંગ્રહ Sો ૪૬. ખંડા જોયણ) Sો જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનો અધિકાર ખંડા જોયણ વાસા, પવ્યય કૂડા તિર્થી સેઢીઓ / વિજય દહ સલિલાઓ, પિંડએ હોઈ સંગહણી || એક લાખ યોજન લાંબા પહોળા જંબુદ્વિીપમાં (જેમાં આપણે રહીએ છીએ તે) ૧ ખંડ, ૨ યોજન, ૩ વાસ, ૪ પર્વત, ૫ ફૂટ (પર્વત ઉપરના), ૬ તીર્થ, ૭ તીર્થ શ્રેણી, ૮ વિજય, ૯ દ્રહ, ૧૦ નદીઓ કેટલી છે ? તે આ ૧૦ ધારથી બતાવવામાં આવશે. જંબુદ્વીપ ઘંટીના પડ જેવો ગોળ છે. તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩ll આંગળ, ૧ જવ, ૧ જૂ, ૧ લીંખ, ૬ વાલાગ્ર અને ૧ વ્યવ પરમાણુ જેટલી છે. તેને ફરતો કોટ (જગતિ) છે. ૧ પદ્મવર વેદિકા, ૧ વનખંડ અને ૪ દરવાજાથી સુશોભિત છે. (૧) ખંડ દ્વાર: દક્ષિણ ઉત્તર ભરત જેવડા ખંડ કરીએ તો જંબુદ્વીપના ૧૯૦ ખંડ થઈ શકે. (૧૯ કળા = ૧ યોજન) ક્રમ ક્ષેત્રનું નામ ખંડ યોજન-કળા ૦૧ ભરતક્ષેત્ર પર૬-૬ ૦૨ ચલહિમવંત પર્વત ૧૦૫૨–૧ ૨ ૦૩ હેમવય ક્ષેત્ર ૨૧૦૫–૫ ૦૪ મહહમવંત પર્વત ૪૨૧૦–૧૦ ૦૫ હરવાસ ક્ષેત્ર ૮૪૨૧–૧ ૦૬ નિષિધ પર્વત ૧૬૮૪૨-૨ ૦૭ મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪-૪ ૦ ૦ ૧ ૧ – U m Page #460 -------------------------------------------------------------------------- ________________ ખંડા જોયણ ૦૮ નિલવંત પર્વત ૦૯ ૨મ્યાસ ક્ષેત્ર ૧૦ રૂપ્પી (રુક્મી) પર્વત ૧૧ હિ૨ણવય ક્ષેત્ર ૧૨ શિખરી પર્વત ૧૩ એ૨વત ક્ષેત્ર ક્રમ ક્ષેત્રના નામ ૦૧ | મેરૂપર્વતની પહોળાઈ ૦૨ | પૂર્વ ભદ્રશાલ વન ૦૩| પૂર્વ આઠ વિજય ૦૪| પૂર્વ ચાર વસ્તાર પર્વત ૦૫ પૂર્વ ત્રણ અંતર નદી ૦૬| સીતામુખ વન પશ્ચિમ ભદ્રશાલ વન 60 ०८ પશ્ચિમ વિજય 20 ૩૨ ૧૬ ૧૯૦ પૂર્વ પશ્ચિમના ૧ લાખ યોજનનું માપ યોજન ८ ૪ ૨ ૨,૯૨૩ ૨૨,૦૦૦ ૧૭,૭૦૨ ૨,૦૦૦ ૩૭૫ ૨,૯૨૩ ૧,૦૦,૦૦૦ (૨) યોજન દ્વા૨ : ૧ લાખ યોજનના લાંબા પહોળા જંબુદ્વીપના જો ૧ યોજન સમચોરસ જેવડા ખંડ ક૨ે તો ૭,૯૦,૫૬,૭૪,૧૫૦ ખંડ (સાત અબજ, નેવું ક્રોડ, છપ્પન લાખ, ચુમ્મોતેર હજાર, એકસો ૧૦ પશ્ચિમ ત્રણ અંતર નદી ૧૧ પશ્ચિમ સીતામુખ વન પશ્ચિમ ચા૨ વસ્તાર પર્વત ૧૬૮૪૨-૨ ૮૪૨૧-૧ ૪૨૧૦-૧૦ ૨૧૦૫–૫ ૧૦૫૨-૧૨ ૫૨૬-૬ ૧,૦૦,૦૦૦ ૪૪૧ ૧૦,૦૦૦ ૨૨,૦૦૦ ૧૭,૭૦૨ ૨,૦૦૦ ૩૭૫ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ પચાસ) થતાં ૩૫૧૫ ધનુષ્ય અને ૬૦ આંગળ ક્ષેત્ર વધે. (૩) વાસા દ્વાર : મનુષ્યને રહેવાના વાસ ૭ તથા ૧૦ છે. કર્મભૂમિના મનુષ્યોના ૩ ક્ષેત્ર – ભ૨ત, ઐ૨વત અને મહાવિદેહ. અકર્મભૂમિના મનુષ્યોના ૪ ક્ષેત્ર હેમવય, હિ૨ણવય, હરિવાસ, ૨મ્યાસ એમ ૭. જો દશ ગણવા હોય તો મહાવિદેહ ક્ષેત્રના ૪ ભાગ ક૨વાથી ૧૦થશે. (૧) પૂર્વ મહાવિદેહ, (૨) પશ્ચિમ મહાવિદેહ, (૩) દેવકુરૂ અને (૪) ઉત્તરકુરૂ. એમ ૧૦ થાય. જગતિ (કોટ) ૮ જોજન ઊંચો છે અને મૂળમાં ૧૨, મધ્યમાં ૮ અને ઉ૫૨ ૪ યોજનનો પહોળો છે. બધો વજ્ર રત્નમય છે. જગતિની એક બાજુ ઝરુખાની લાઈન છે. તે ૦।। યોજન ઊંચી, પ૦૦ ધનુષ્ય પહોળી છે. કોષીશા અને કાંગરા રત્નમય છે. શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ જગતિ ઉ૫૨ મધ્યમાં પદ્મવ૨ વેદિકા છે. તે ૦।। યોજન ઊંચી, ૫૦૦ ધનુષ્ય પહોળી છે. તેની બન્ને બાજુ નીલા, પન્નાના સ્તંભ અને તે ઉ૫૨ સુંદ૨ પુતળીઓ અને મોતીની માળાઓ છે. મધ્ય ભાગમાં પદ્મવર વેદિકાઓને લીધે બે વિભાગ થયેલ છે. (૧) અંદરના વિભાગમાં અનેક જાતના વૃક્ષવાળું વનખંડ છે. તેમાં પાંચ વર્ણનું રત્નમય તૃણ છે. વાયુના સંચારે તેમાં છ રાગ અને ૩૬ રાગિણી નીકળે છે. તેમાં બીજી વાવો અને પર્વતો છે. અનેક આસનો છે. ત્યાં વ્યંત૨ દેવદેવીઓ ક્રીડા કરે છે. (૨) બહારના વિભાગમાં તૃણ નથી. બાકીની રચના અંદરના વિભાગ જેવી છે. મેરૂ પર્વતથી ચારે દિશામાં ૪૫-૪૫ હજાર યોજન પર ચાર દરવાજા છે. પૂર્વે વિજય, દક્ષિણે વિજયંત, પશ્ચિમે જયંત અને ઉત્તરે અપરાજિત નામે છે. દરેક દ૨વાજો ૮ યોજન ઊંચો, ૪ યોજન પહોળો છે. દ૨વાજા ઉપર નવભૂમિ અને સફેદ ઘુમ્મટ, છત્ર, ચામર, Page #462 -------------------------------------------------------------------------- ________________ ખંડા જોયણ ૪૪૩ ધ્વજા અને ૮-૮ માંગલિક છે. દ૨વાજાની બન્ને ત૨ફ બબ્બે ચોતરા છે. તેની ઉપર પ્રાસાદ, તોરણ, ચંદનકળશા, ઝારી, થાળ, ધૂપકડછા અને મનોહર પુતળીઓથી શોભે છે. ક્ષેત્રોનો વિસ્તાર (૧) ભરત ક્ષેત્ર : મેરૂની દક્ષિણે અર્ધચંદ્રાકારે છે. મધ્યમાં વૈતાઢ્ય પર્વત આવવાથી ભરતના બે ભાગ થાય છે. ઉત્ત૨ ભરત અને દક્ષિણ ભરત. ભરતની મર્યાદા કરનાર ફૂલહિમવંત પર્વત ૫૨ પદ્મદ્રહ છે. તેમાંથી ગંગા અને સિંધુ નદી નીકળીને તમા ગુફા અને ખંડપ્રભા ગુફાની નીચે વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણ સમુદ્રને મળે છે. આથી ભ૨તના છ ખંડ થાય છે. દક્ષિણ ભ૨ત ૨૩૮ જોજન ૩ કલાનું છે. તેમાં ૩ ખંડ છે. મધ્ય ખંડમાં ૧૪ હજાર દેશ છે. મધ્ય ભાગમાં કોશલ દેશ, વિનતા (અયોધ્યા) નગ૨ી છે. તે ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી છે. પૂર્વમાં ૧ હજાર અને પશ્ચિમમાં ૧ હજા૨ દેશ છે. કુલ દક્ષિણ ભરતમાં ૧૬ હજા૨ દેશ છે. એવાજ ૧૬,૦૦૦ દેશ ઉત્તર ભરતમાં છે. આ ભ૨તમાં કાળચક્રનો પ્રભાવ છે. (છ આરા વત્). (૨) ઐ૨વત ક્ષેત્ર – મેરૂની છેક ઉત્તરે શીખરી પર્વતથી આગળ ઐરવત ક્ષેત્ર છે. (૩) મહાવિદેહ ક્ષેત્ર – નિષિધ અને નીલવંત પર્વતની વચ્ચે છે. પલંગને સંઠાણે છે. ૩૨ વિજય છે. મધ્યમાં ૧૦ હજાર યોજનના વિસ્તારવાળો મેરૂ છે. પૂર્વ પશ્ચિમ બન્ને ત૨ફ ૨૨-૨૨ હજાર યોજન ભદ્રશાલ વન છે. બન્ને તરફ ૧૬-૧૬ વિજય છે. મેરૂની ઉત્તરે અને દક્ષિણે ૨૫૦-૨૫૦ યોજનના ભદ્રશાલ વન છે. દક્ષિણમાં નિષિધ સુધી દેવકુરૂ અને ઉત્તરમાં નીલવંત સુધી Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ઉત્તરકુરૂ છે. એ બન્ને ક્ષેત્રો બળે ગજદૂતે કરીને અર્ધ ચંદ્રાકાર છે. આ ક્ષેત્રોમાં યુગલ મનુષ્ય ૩ ગાઉની અવઘણાવાળા (ઉસેધ આંગુલથી) અને ૩ પલ્યના આયુવાળા વસે છે. દેવકુરૂમાં કુડશામલી વૃક્ષ, ચિત્રવિચિત્ર (ચિત્ત વિચિત્ત) પર્વત, ૧૦૦ કંચનગિરિ પર્વત અને પ દ્રહ છે. એમ જ ઉત્તરકુરૂમાં પણ છે, પણ તેમાં જંબુ સુદર્શન વૃક્ષ છે. નિષિધ અને મહાદેમવંત પર્વતો વચ્ચે હરવાસ ક્ષેત્ર છે તથા નીલવંત અને રૂપ્પી પર્વતો વચ્ચે રમ્યવાસ ક્ષેત્ર છે. એ બન્ને ક્ષેત્રોમાં ૨ ગાઉની અવધેણા અને ૨ પલ્યની સ્થિતિવાળા યુગલ મનુષ્યો રહે છે. મહા હેમવત અને ચલ હેમવત પર્વતની વચ્ચે હેમવય ક્ષેત્ર અને રૂપી તથા શિખરી પર્વતની વચ્ચે હિરણવય ક્ષેત્ર છે. એ બન્ને ક્ષેત્રોમાં ૧ ગાઉની અવઘણા અને ૧ પત્યના આયુવાળા યુગલ મનુષ્યો છે. ક્ષેત્ર દક્ષિણ ઉત્તર બાહુ | જીવા | ધનુષ્ય પીઠ| પહોળાઈ | યોજ.કળા યોજન-કળા | યોજન-કળા દક્ષિણ ભારત | ૨૩૮-૩ | O૦૦ ૯૭૪૮-૧૨ ૯૭૬૬-૧ ઉત્તર ભારત | ૨૩૮-૩ /૧૮૯૨–૭/૧૪૪૭૧-૬ ૧૪૫૨૮-૧૧ હેમવય ૨૧૦૫–૫ ૬૭પપ-3 ૩િ૭૬૭૪–૧૬/૩૮૭૪૦–૧૦ હરિયાસ ૮૪૨૧–૧ /૧૩૩૬૧-૨|૩૩૯૦૧–૧૭૮૪૦૧૬-૪ મહાવિદેહ ૩૩૬૮૪-૪૩૩૭૬૭-૭૧૦0000 ૧પ૮૧૧૩-૧૬ દેવકુરૂ ૧૧૮૪૨-૨ ૦૦૦ પ૩૦૦૦ ૦૪૧૮-૧૨ ઉત્તરકુરૂ ૧૧૮૪૨-૨| 000 | 3000 દિ૦૪૧૮–૧૨ રમ્યફવાસ | ૮૪ર૧–૧ /૧૩૩૬૧-૬/૦૩૯૦૧-૧૮૪૦૧૬-૪ હિરણવય | ૨૧૦૫-૫ દિ૭૫૫-૩ ૩૭૬૭૪- ૧૬/૩૮૭૪૦-૧૦ દક્ષિણ ઐરાવત ર ૩૮--- ૩ /૧૮૯૨-૭/૧૪૪૭૧-૬ ૧૪૫ ૨૮-૧૧ ઉત્તર ઐરવત | ર૩૮-3 | O૦૦ ]૯૭૪૮ ૧૨ ૭૬૬- ૧ | Page #464 -------------------------------------------------------------------------- ________________ ખંડા જોયણ (૪) પવ્યય (પર્વત) દ્વારઃ ૨૬૯ પર્વત શાશ્વતા છે. દેવફરૂમાં પદ્રહ છે. તેના બન્ને તટ પર દશ દશ કંચનગિરિ પર્વતો સર્વ સુવર્ણમય છે. દશ તટ પર ૧૦૦ (૧૦×૧૦) પર્વત છે. એવા જ ૧૦૦ કંચનગિરિ ઉત્તરકુરૂમાં છે તથા ૩૪ દીર્ઘ વૈતાય, ૧૬ વઆર પર્વત, ૬ વર્ષધર પર્વત, ૪ ગજદંતા પર્વત, ૪ વૃત્તવૈતાઢ્ય પર્વત, ૪ ચિત્તવિચિત્તાદિ અને ૧ મેરૂ પર્વત એમ ૨૬૯ પર્વત છે. તે સર્વ પર્વતો ક્યાં આવેલા છે ? તે બતાવે છે. ૩૪ દીર્ઘવૈતાદ્રય પર્વતો – ૩૨ વિજય, ૧ ભરત અને ૧ એરવતના મધ્યભાગમાં છે. ૧૬ વસ્તાર પર્વત – ૧૬, ૧૬ વિજયમાં સીતા સીતાદા નદીથી ૮-૮ વિજયના ૪ ભાગ થયા છે. તેના ૭ અંતર છે. તેમાં ૪ વઆર પર્વત અને ૩ અંતર નદી છે. એક એક વિભાગમાં ૪ વઆર પર્વત એવું ૪ વિભાગમાં મળીને કુલ ૧૬ વઆર પર્વત છે. તેનાં નામ – ચિત્ર, વિચિત્ર, નલિન, એકશૈલ, ત્રિકુટ, વૈશ્રમણ, અંજન, મર્યાજન, અંકવાઈ, પવમાવાઈ, આશીવિષ, સુહાવહ, ચંદ્ર, સૂર્ય, નાગ અને દેવ. ૬ વર્ષધર પર્વત – ૭ મનુષ્ય ક્ષેત્રની વચ્ચે વચ્ચે છે. તેના નામ: ચુલ હેમવંત, મહા હેમવંત, નિષિધ, નીલવંત, રૂપ્પી અને શિખરી. ૪ ગજાંતા પર્વત – દેવકુરૂ, ઉત્તરકુર અને મહાવિદેહની વિજય વચ્ચે આવેલ છે. તેના નામ : ગંધમર્દન, માલવંત, વિધુત્વભા અને સુમાનસ. ૪ વૃત્ત વૈતાઢ્ય પર્વત – હેમવય, હિરણવય, હરિ વાસ, રમ્યફવાસની વચ્ચે છે. તેના નામ : સદાવાઈ, વાયડાવાઈ, ગંધાવાઈ, માલવંતા. ૪ ચિત્તવિચિત્તાદિ પર્વત – નિષિધ પર્વત પાસે સીતા નદીના બે Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ તટ ૫૨ ચિત્ત અને વિચિત્ત પર્વત છે, તથા નીલવંત પાસે સીતોદાના બે તટ ૫૨ જમગ અને સમગ બે પર્વતો છે. ૧ મેરૂપર્વત, જંબુદ્વીપની બરાબર મધ્યમાં છે. ઊંડાઈ ઊંચાઈ વિસ્તાર ૨૫ યોજન પર્વતના નામ ૨૦૦ કંચનગિરિ ૩૪ દીર્ઘ વૈતાઢ્ય ૨૫ ગાઉ ૧૬ વસ્તા૨ પર્વતો ૫૦૦ ગાઉ ચુલ હેમવંત શિખ૨ી ૨૫ યોજન મહા હેમવંત/રૂપ્પી | ૫૦ યોજન ૧૦૦ યોજન ૧૦૦ યોજન ૨૫ યોજન ૫૦ યોજન ૫૦૦ યોજન ૫૦૦ યોજન ૧૦૦ યોજન ૧૦૫૨–૧૨ |૨૦૦ યોજન ૪૨૧૦-૧૦ નિષિધ ને નીલવંત ૧૦૦ યોજન |૪૦૦ યોજન ૧૬૮૪૨-૨ ૧૨૫ યોજન ૫૦૦ યોજન|૩૦૨૦૯-૬ ૨૫૦ યોજન |૧૦૦૦ યો. ૧૦૦૦ યોજન ૪ ગજદંતા પર્વતો ૪ વૃત્ત વૈતાઢ્ય ચિત્ત, વિચિત્ત, જમગ, સમગ પર્વત ૨૫૦ યોજન ૧૦૦૦ યો. ૧૦૦૦ યોજન મેરૂ પર્વત ૧૦૦૦ યો. |૯૯૦૦૦ યો. ૧૦૮૯૦ યો. મેરૂ પર્વત ૫૨ ૪ વન છે. ભદ્રશાલવન, નંદનવન, સુમાનસવન અને પંડકવન. - (૧) ભદ્રશાલ વન – પૂર્વ, પશ્ચિમ ૨૨,૦૦૦ યોજન, ઉત્ત૨, દક્ષિણ ૨૫૦ યોજન વિસ્તાર છે. મેરૂથી ૫૦ યોજન દૂર ચા૨ે દિશામાં ૪ સિદ્ધાયતન છે. તેમાં યક્ષ પ્રતિમાઓ છે. મેરૂથી ઈશાનમાં ૪ પુષ્ક૨ણી (વાવ) છે. ૫૦ યોજન લાંબી, ૨૫ યોજન પહોળી, ૧૦ યોજન ઊંડી છે. વેદિકા, વનખંડ, તોરણાદિથી યુક્ત છે. ચાર વાવની મધ્યે ઇશાનેન્દ્રનો મહેલ છે. ૫૦૦ યોજન ઊંચો, ૨૫૦ યોજન વિસ્તારવાળો છે. એવી જ રીતની રચનાવાળી Page #466 -------------------------------------------------------------------------- ________________ ખેડા જોયણ કિજ અગ્નિકોણમાં ૪ વાવ છે. ઉત્પલા, ગુમ્મા, નિલના અને ઉજવલા. તેની મધ્યે શક્રેન્દ્રનો મહેલ છે. વાયુકોણમાં ૪ વાવ છે. લિગા, લીંગનામ, અંજના, અંજનપ્રભા. તેની મધ્યે શક્રેન્દ્રના મહેલ છે. નૈઋત્યકોણમાં ૪ વાવ છે. શ્રીક્રન્તા, શ્રીચંદા, શ્રીમહિતા, શ્રીનલીતા. તેની મધ્યે ઈશાનેન્દ્રના મહેલ છે. આઠ વિદિશામાં ૮ હસ્તિકૂટ પર્વતો છે. પદ્યુત્તર, નીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પોલાશ, વિઢિસ અને રોયણગિરિ પર્વત. તે દરેક પર્વત ૧૨૫ યોજના ધરતીમાં, ૫00 યોજન ઊંચા, મૂળમાં ૫યોજન, મધે ૩૭પ યોજન અને ઉપર ૨૫૦ યોજન વિસ્તારવાળા છે. અનેક વૃક્ષ, ગુચ્છા, ગુલ્મ, વેલી, તૃણથી શોભે છે. વિદ્યાધરો અને દેવોનું ક્રિડા સ્થાન છે. (૨) નંદન વન – ભદ્રશાલથી ૫00 યો. ઊંચે મેરૂ પર્વત પર વલયાકારે છે. પ00 યોજન વિસ્તાર છે. વેદિકા, વનખંડ, ૪ સિદ્ધાયતન, ૧૬ વાવ, ૪ પ્રાસાદ પૂર્વવત્ છે. ૯ ફૂટ છે. નંદનવનકૂટ, મેરૂકૂટ, નિષિધટ, હેમવંતકૂટ, રજીતકૂટ, રૂચિતટ, સાગરચિત, વજી અને બલટ. ૮ ફૂટ ૫૦૦ યો. ઊંચા છે. આઠેય પર ૧ પલ્યવાળી દિશાકુમારીઓના ભુવન છે. તેના નામ : મેઘંકરા, મેઘવતી, સુમેઘા, હેમમાલિની, સુવરચ્છા, વરચ્છમિત્રા, વજસેના, બલતકા દેવી. બલકૂટ ૧૦૦૦ યો. ઊંચો મૂળમાં ૧૦૦૦ ચો., મધે ૭૫૦ ચો., ઉપર ૫૦૦ યો. વિસ્તાર છે. બલ દેવતાના મહેલ છે. શેષ ભદ્રશાલવન જેવી સુંદરતા અને વિસ્તાર છે. - (૩) સુમાનસ વન – નંદનવનથી ૬૨૫૦૦ લો. ઊંચે છે. ૫૦૦યો. વિસ્તારવાળું મેરૂની ચોતરફ વલયાકારે છે. વેદિકા, વનખંડ, Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી બૃહદ જેન થોક સંગ્રહ ૧૬ વાવ, ૪ સિદ્ધાયતન, શક્રેન્દ્ર, ઇશાનેન્દ્રના ૪ મહેલો આદિ પૂર્વવત્. (૪) પંડક વન – સુમાનસ વનથી ૩૬,000 યો. ઊંચે મેરૂ શિખર પર છે. ૪૯૪ યો. ચુડી આકારે છે. મેરૂની ૧૨યો.ની ચૂલિકાને ચોતરફ વિંટાયેલ છે. વેદિકા, વનખંડ, ૪ સિદ્ધાયતન, ૧૬ વાવ, મધ્ય ૪ મહેલ સર્વ પૂર્વવત જાણવું. મધ્યની મેરૂ યુલિકા મૂળમાં ૧૨ યો, મળે ૮ યોજન, ઉપર ૪ યો. ના વિસ્તારવાળી ૪૦ યો. ઊંચી છે. વૈર્થ રત્નમય છે. ૧ વેદિકા વનખંડથી વિંટાયેલ છે. મધ્યે ૧ સિદ્ધાયતન છે. પંડક વનની ૪ દિશામાં ૪ શિલાઓ છે. પાંડૂ, પાંડૂબલ, રક્ત અને રત્નકંબલ. દરેક શિલા ૫OO યો. લાંબી, ૨૫૦ યો. પહોળી, ૪ યોજન જાડી, અર્ધચંદ્રાકારે છે. પૂર્વ પશ્ચિમ શિલાઓ પર બબ્બે સિંહાસન છે. ત્યાં મહાવિદેહના તીર્થકરોનો જન્માભિષેક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો કરે છે. ઉત્તરદક્ષિણે એક એક સિંહાસન છે. ત્યાં ભરત, ઐરવતના તીર્થકરોનો અભિષેક ૪ પ્રકારના દેવો કરે છે. મેરૂ પર્વતના ૩ કરંડ છે. હેઠલો ૧૦૦૦ યો. ધરતીમાં, મધ્યનો ૬૩,000 યો. ધરતી પર અને ઉપલો ૩૬,૦૦૦ યો. નો એમ કુલ ૧ લાખ યોજનનો શાશ્વતો મેરૂ છે. (૫) કૂટ દ્વારઃ ૪૬૭ કૂટ પર્વતોની ઉપર અને પ૮ ફૂટ ક્ષેત્રોમાં કૂટ | ઊંચા મૂળમાં ઊંચે (ટોચ સંખ્યા યોજન વિસ્તાર પર)વિસ્તાર ચૂલ હેમવંત પર ૫૦૦ | ૫૦૦ ૨૫૦ મહા હેમવત પર ૫૦૦ | ૫૦૦ રપ૦ નિષિધ પર્વત પર ૯ " | પ00 | પ૦૦ નીલવંત પર્વત પર ૯ | પ00 | ૨પ૦ ૧૧ ૨૫) ૫૦૦ Page #468 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૫૦૦ ૨પ૦ ૨૫) ખંડા જોયણ શિ૪૯ રૂપી પર્વત પર | ૮૦ ૫00 1પ00 | ૨પ૦ શિખરી પર્વત પર ૧૧ ૧૫૦૦ ૫૦૦ ૨૫૦ વૈતાદ્ય ૩૪૮૯ =2 | ૩૦૬ | ૨૫ ગાઉ| ૨૫ ગાઉ૧૨ા ગાઉ વસ્કાર ૧૬૪૪ =૬૪ રિપ૦ વિધુતપ્રભા ગજાંતા પર ૯ ૨૫૦ માલવંતા ગજદંતા પર | ૯ ૨૫૦ સુમાનસ ગજદતા પર ૨૫૦ ગંધમાલ ગજાંતા પર | ૭. મેરૂના નંદનવનમાં પર્વતો ઉપર ભદ્રશાલના વનમાં ૮ ૧૫૦૦ ૫૦૦ ૨૫૦ દેવકુરૂમાં ૮ | યો. ૧૮ યો. _|૪ યો. ઉત્તરકુરૂમાં ૮ ૧૮ યો. ૮ યો. ૪ યો. ચક્રવર્તીના વિજયમાં ૩૪ ૮ યો. ૮િ યો. ૪ યો. પ૨૫ (જમીન પર ૫૮+૪૬૭ પર્વતના) ગજદતાના ર અને નંદનવનના ૧ કૂટને ૧,૦૦૦ યો. ઊંચા, ૧,OOO યો. મૂળમાં અને ઊંચે પ00 યોજનનો વિસ્તાર સમજવો. ૭૬ કૂટો (૧૬ વસ્મર, ૮ દેવકુરૂ, ૮ ઉત્તરકુરૂ, ૩૪ વૈતાઢ્ય) પર યક્ષ ગૃહો છે. શેષ કૂટો પર દેવદેવીના મહેલો છે. ૪ વનમાં ચાર – ચાર (૧૬), મેરૂચૂલાપર ૧, જંબુ વૃક્ષ પર ૧, સામલી વૃક્ષ પર ૧, યક્ષ ગૃહ ; એમ કુલ ૫ શાશ્વતા સિદ્ધાયતન છે. (૬) તીર્થ દ્વારઃ ૩૪ વિજય (૩ર મહાવિદેહના, ૧ ભરત, ૧ ઐરાવત) માં દરેકમાં ત્રણ ત્રણ લૌકિક તીર્થ છે. મગધ, વરદામ T-29 Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫Oા ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અને પ્રભાસ. જ્યારે ચક્રવર્તીઓ ખંડ સાધવા જાય ત્યારે ત્યાં રોકાય છે. અઠ્ઠમ કરે છે. તીર્થકરોના જન્માભિષેક માટે પણ એ તીર્થોનું જળ અને ઔષધિ દેવો લાવે છે. (૭) શ્રેણી દ્વા૨ : વિદ્યાધરોની તથા દેવોની ૧૩૬ શ્રેણી છે. વૈતાય પર ૧૦યો. ઊંચે વિદ્યાધરોની શ્રેણી છે. દક્ષિણ શ્રેણીમાં ૫૦ અને ઉત્તર શ્રેણીમાં ૬૦ નગરો છે. ત્યાંથી ૧૦ યો. ઊંચે અભિયોગ દેવોની બે શ્રેણી (ઉત્તર, દક્ષિણની) છે. એમ ૩૪ વૈતાઢ્ય પર ચાર ચાર શ્રેણી છે. કુલ ૩૪૮૪ = ૧૩૬ શ્રેણીઓ છે. (૮) વિજય દ્વાર : કુલ ૩૪ વિજય છે. જ્યાં ચક્રવર્તી છ ખંડનું એક છત્ર રાજ્ય કરી શકે છે. તેમાંથી ૩૨ વિજય મહાવિદેહ ક્ષેત્રમાં છે. તેના નામ નીચે મુજબ - પૂર્વ વિદેહ સીતા નદી પશ્ચિમ વિદેહ સીસોદા નદી | ઉત્તર કિનારે૮ દક્ષિણ કિનારે ઉત્તર કિનારે૮ દક્ષિણ કિનારે ૮ કચ્છ વિજય વિચ્છ વિજય પદ્મ વિજય વિપ્રા વિજય સુકચ્છ વિજય સુવચ્છ વિજય સુપા વિજય સુવિપ્રા વિજય મહાકચ્છ વિજયા મહાવચ્છ વિજય મહાપદ્મ વિજય મહાવિપ્રા વિજય કરછવતી વિજય વચ્છવતી વિજય પદ્માવતી વિજયવિરાવતી વિજય આવતા વિજય રમા વિજય સંખા વિજય વિષ્ણુ વિજય મંગળા વિજય |રમક વિજય કુમુદા વિજય સુવષ્ણુ વિજય પુરકલા વિજય રમણિક વિજય નિલીના વિજય ગિન્ધીલા વિજય પુષ્કલાવતી " મંગલાવતી " સલીલાવતી " |ગન્ધીલાવતી " પ્રત્યેક વિજય ૧૬૫૯૨ ધો. ૨ કળા દક્ષિણોત્તર લાંબી અને ૨૨ યોજના પૂર્વ પશ્ચિમમાં પહોળી છે. એ ૩૨ તથા ૧ ભરતક્ષેત્ર, Page #470 -------------------------------------------------------------------------- ________________ ખંડા જોયણ ૪૫૧ ૧ ઐરવત ક્ષેત્ર, એમ ૩૪ વિજયમાં ચક્રવર્તી થઈ શકે છે. આ ૩૪ વિજયોમાં, ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વત, ૩૪ તમસ્ ગુફા, ૩૪ ખંડ પ્રભા ગુફા, ૩૪ રાજધાની, ૩૪ નગરી, ૩૪ કૃતમાલી દેવ, ૩૪ નટમાલી દેવ, ૩૪ ક્ષભકૂટ, ૩૪ ગંગા નદી, ૩૪ સિંધુ નદી, એ બધા શાશ્વત છે. (૯) દ્રહ દ્વાર : ૬ વર્ષધર પર્વતો ૫૨ છ દ્રહ છે. પ દેવકુરૂમાં અને ૫ ઉત્તરકુરૂમાં છે. દ્રહના નામ કયા પર્વત લંબાઈ પહોળાઈઊંડાઈ દેવી કમળ (કુંડ) ઉપ૨ છે. યોજન યોજન યોજન પદ્મ હ ચુલહેમવંત ૧૦૦૦ | ૫૦૦ ૧૦ શ્રીદેવી ૧૨૦૫૦૧૨૦ મહાપદ્મ દ્રહ મહાહેમવંત ૨૦૦૦ ૧૦૦૦ ૧૦ |લક્ષ્મી ૨૪૧૦૦૨૪૦ તીગચ્છ દ્રહ નિષિધ ૪૦૦૦ | ૨૦૦૦ | ૧૦ કૃતિ ૪૮૨૦૦૪૮૦ નીલવંત ૪૦૦૦ ૨૦૦૦ ૧૦ બુદ્ધિ ૪૮૨૦૦૪૮૦ ૨૦૦૦ ૧૦૦૦ ૧૦ |તી ૨૪૧૦૦૨૪૦ ૧૦૦૦ | ૫૦૦ ૧૦ કીર્તિ ૧૨૦૫૦૧૨૦ ૧૦ ૧૦દેવ ૨૪૧૦૦૨૪૦ કેશરી દ્રષ્ટ મહાપુંડરીક રૂપ્પી પુંડરીક દ્રહ શિખરી ૧૦ ૪ જમીન ૫૨ ૧૦૦૦ | ૫૦૦ કુલ - ૧૯,૨૮,૦૧,૯૨૦ દેવકુરૂના ૫ દ્રહ — નિષેધ દ્રહ, દેવકુરૂ દ્રહ, સૂર્ય દ્રહ, ફૂલસ દ્રહ અને વિદ્યુતપ્રભ દ્રહ. ઉત્તરકુરૂના ૫ દ્રહ – નીલવંત દ્રહ, ઉત્ત૨ફુરૂ દ્રહ, ચંદ્ર દ્રષ, ઐ૨વત દ્રહ અને માલવંત દ્રહ. (૧૦) નદી દ્વાર : ૧૪,૭૦,૦૦૦ નદીઓ છે. નીચેના યંત્રથી વિગત જાણવી. ની. ઊં. = નીકળતાં ઊંડી, પ્ર. ઊં. = સમુદ્રમાં પ્રવેશતાં ઊંડી ની. વિ. = નીકળતાં વિસ્તાર, પ્ર. વિ. = સમુદ્રમાં પ્રવેશતાં વિસ્તાર Page #471 -------------------------------------------------------------------------- ________________ . રિપએ હિંદી | | " ૧૪૦૦૦ હરિકતા " શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ નદી પર્વતથી |કુંડથી ની.ઊં. ન.વિ. ... પ. વિ. | પરિવાર . નદીઓનો ગંગા ચિલમવંતપ% oilગાઉ દા યો. ૧. યોદરા યો. ૧૪૦૦૦ સિંધુ | " રોહિતા " " ૧ ગાઉ|૧૨ાયોર | યોn૨૫ યો ર૮000 રોહિસા મહામ.મહાપદ્મ "|"I" | " ર૮000 " ર ગાઉ રપ યો|પ યો ૨૫૦ થી પ૬૦00 હરિ– નિષિધ |તીગચ્છી " |" " " પદ000 સલીલા, સીતા | " | " I૪ ગાઉ૫૦ ૧૦ ૫૦૦ થી ૩૨000 સીતોદા, નીલવંત કેશરી | " " " | " ધ૩૨000 નરકંતાઈ " . " ર ગાઉ ૨૫ યો પ થી ર૫૦ યો|પ૬૦૦૦ નારીકતા રૂપ્પી મહાપુંડરીક "|"|" | " |પદ000 રૂપકુલા " | " ૧ ગાઉ વરાયો રા યો ૧૨૫યો ૨૮000 સુવર્ણકુલા શિખરી પુંડરિક " | " " " ર૮000 રક્તા " | " biાગાલા યો. ૧ યો. ય ૧૪000 ૨ક્તોદા !" . " , " , " . " | " I૧૪000 વિદેહની કુંડોથી ધરતી પર " | " " " ૧૪000 ૬૪ નદી | કુલ ૭૮ નદીઓનો પરિવાર– ૧૪,૭૦,૦૦૦ દરેક નદી, ઉપર બતાવેલ પર્વત ઉપરના કુંડથી નીકળીને આગળ વહેતા ગંગાપ્રભાસ, સિંધુપ્રભાસ, આદિ કુંડમાં ધોધ રૂપે પડે છે. ત્યાંથી આગળ જતાં અર્ધા પરિવાર જેટલી નદીઓ મળે છે. તે સાથે વચ્ચે આવતા પહાડની નીચેથી આગળ વહે છે. ત્યાં અર્ધા પરિવારની નદીઓ મળે છે. તે સાથે વહીને જંબુદ્વીપની જગતિથી બહાર લવણસમુદ્રને મળે છે. ગંગાપ્રભાસ આદિ કુંડોમાં ગંગાદ્વીપ આદિ નામના એકેક દ્વીપ છે. તેમાં એ જ નામની એકેક દેવી સપરિવાર રહે છે. આ કુંડ, દ્વીપ Page #472 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી સન્મુખ થવાના ૧૫ કારણ આપ૩ અને દેવીઓ નદીના જેવાં નામે છે. એ નામ શાશ્વતા છે. યંત્રમાં બતાવ્યા મુજબ ૭૮ મૂળ નદીઓ અને તેના પરિવારની (મળનારી) ૧૪,૭૦,૦૦૦ નદીઓ છે. એ ઉપરાંત મહાવિદેહના ૩૨ વિજયોના ૨૮ અંતર છે. તેમાં ૧૬ વસ્તાર પર્વત પહેલા લખ્યા છે અને શેષ ૧૨ અંતરમાં, ૧૨ અંતરનદીઓ છે. તેના નામ : ગૃહવંતી, દ્રવંતી, પંકવંતી, તંતજલા, મંતજલા, ઉગમજલા, ક્ષીરોદા, સિંહસોતા, અંતાબહની, ઉપમાલની, ફેનમાલની અને ગંભીરમાલની. આ દરેક નદી ૧૨૫ યો. પહોળી, રા યો. ઊંડી અને ૧૬૫૯૨ યો. ૨ કળાની લાંબી છે. એવું કુલ નદીઓ ૧૪,૭૦,000 છે. વધુ વિસ્તાર જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રથી જાણવો. ઇતિ ખંડા જોયણ. $ DGES SS SS SS S૩ જ ( ૪૭. ધર્મથી સન્મુખ થવાના ૧૫ કારણ) (૧) નીતિમાન હોય કારણ કે નીતિ ધર્મની માતા છે. (૨) હિંમતવાન ને બહાદુર હોય કારણકે કાયરોથી ધર્મ બની શકે નહિ. (૩) ધર્યવાન હોય કારણ કે દરેક કાર્યોમાં આતુરતા (સાહસ) ન કરે. (૪) બુદ્ધિમાન હોય કારણ કે દરેક કાર્ય પોતાની મતિએ વિચારીને કરે. (૫) અસત્યને ધિક્કારી કાઢનાર હોય અને સત્ય વચન બોલનાર હોય. (૬) નિષ્કપટી હોય, હૃદય સાફ, સ્ફટિક રત્ન માફક હોય. (૭) વિનયવાન હોય, મધુર ભાષાનો બોલનાર હોય. Page #473 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - કપાકિસી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૮) ગુણ ગ્રાહી હોય અને સ્વ આત્મશ્લાઘા ન કરે. (પોતે પોતાના 1 ગુણ બીજા તરફથી માન પામવા માટે ન કહે.) (૯) પ્રતિજ્ઞાનો પાલક હોય એટલે જે નિયમો કર્યા હોય તેને બરાબર પાળે. (૧૦) દયાવાન હોય એટલે પરોપકારની બુદ્ધિ હોય. (૧૧) સત્ય ધર્મનો અર્થી હોય ને સત્યનો જ પક્ષ કરનાર હોય. (૧૨) જીતેન્દ્રિય હોય ને કષાયની મંદતા હોય. (૧૩) આત્મકલ્યાણની દ્રઢ ઇચ્છાવાળો હોય. (૧૪) તત્ત્વ વિચારમાં નિપુણ હોય ને તત્ત્વમાં જ રમણતા કરે. (૧૫) જેની પાસે ધર્મ પામ્યો હોય તેનો ઉપકાર કોઈ વખત ભૂલે નહિ અને વખત આવે પાછો ઉપકારી ઉપર સામો ઉપકાર કરનાર હોય. ઇતિ ધર્મથી સન્મુખ થવાના ૧૫ કારણ. ૪૮. માર્ગાનુસારીના ૩૫ ગુણ (૧) ન્યાય સંપન્ન દ્રવ્ય મેળવે. (૨) સાત કુવ્યસનનો ત્યાગી. (૩) અભક્ષ્યનો ત્યાગી. (૪) ગુણપરીક્ષાથી લગ્ન સંબંધ જોડે. (૫) પાપભીરૂ. (૬) દેશહિતકર વર્તનવાળો. (૭) પરનિંદાનો ત્યાગી. (૮) અતિપ્રગટ, અતિગુપ્ત કે ઘણા ધારવાળા મકાનમાં ન. રહે. (૯) સદ્ગુણીની સોબત કરે. (૧૦) બુદ્ધિમાન. (૧૧) કદાચવી ન હોય (સરળ હોય). (૧૨) સેવાભાવી (પોષ્ય વર્ગનો પોષક) Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના ૨૧ ગુણ હોય. (૧૩) વિનયી. (૧૪) ભયસ્થાન ત્યાગે. (૧૫) આયવ્યય (આવક–ખર્ચનો હિસાબ રાખે. (૧૬) ઉચિત સભ્ય વસ્ત્રાભૂષણપહેરે. (૧૭) સ્વાધ્યાય કરે. (રોજ નિયમિત ધાર્મિક વાંચન, શ્રવણ કરે.)(૧૮) અજીર્ણમાં ભોજન ન કરે. (૧૯) યોગ્ય વખતે – ભૂખ લાગે ત્યારે મિત મર્યાદામાં), પથ્ય (પચે તેટલું) અને નિયમિત ભોજન કરે. (૨૦) સમયનો સદુપયોગ કરે. (૨૧) ત્રણ પુરૂષાર્થ (ધર્મ, અર્થ, કામ)માં વિવેકી. (૨૨) સમયજ્ઞ (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો જાણ) હોય. (૨૩) શાંત પ્રકૃતિવાળો. (૨૪) બ્રહ્મચર્યના ધ્યેય સમજનારો. (૨૫) સત્ય વ્રતધારી. (૨૬) દીર્ઘદશી. (૨૭) દયાળુ. (૨૮) પરોપકારી. (૨૯) કૃતઘ્ન ન થતાં કૃતજ્ઞ (અપકારી પર પણ ઉપકાર કરે) હોય. (૩૦) આત્મપ્રશંસા ન ઇચ્છે, ન કરે, ન કરાવે. (૩૧) વિવેકી (યોગ્ય અયોગ્યનો ભેદ સમજનારી હોય). (૩૨) લજ્જાવાન હોય. (૩૩) ધર્યવાન હોય. (૩૪) પરિપુ (ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ) નો નાશ કરવાનો કામી હોય. (૩૫) જીતેન્દ્રિય હોય. એ ૩૫ ગુણધારી હોય તે નૈતિક, ધાર્મિક, જૈન જીવનને યોગ્ય થઈ શકે. ઈતિ માર્ગાનુસારીના ૩૫ ગુણ. ડિ૪િ૯. શ્રાવકના ૨૧ ગુણ) (૧) અદ્ર – ઉદાર હૃદયી હોય, તુચ્છવૃત્તિ નહીં તે. (૨) યશવંત, રૂપવંત હોય. * (૩) સોમ્ય પ્રકૃતિવાળો હોય. (૪) લોકપ્રિય હોય. (૫) અક્રૂર હોય, (૬) પાપભીરૂ હોય, Page #475 -------------------------------------------------------------------------- ________________ પU0િ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૭) ધર્મ શ્રદ્ધાવંત હોય, (૮) ચતુરાઈ (દાક્ષિણ્ય) યુક્ત હોય, (૯) લજ્જાવાન હોય, (૧૦) દયાવંત હોય, (૧૧) માધ્યસ્થ દ્રષ્ટિ હોય, (૧૨) ગંભીર, સહિષ્ણુ, વિવેકી હોય, (૧૩) ગુણાનુરાગી હોય, (૧૪) ધર્મોપદેશ કરનાર હોય, (૧૫) ન્યાયપક્ષી હોય, (૧૬) શુદ્ધ વિચારક હોય, (૧૭) મર્યાદાયુક્ત વ્યવહાર કરનાર, (૧૮) વિનયશીલ હોય, (૧૯) કૃતજ્ઞ (ઉપકારનો જાણ) હોય, (૨૦) પરોપકારી હોય, (૨૧) સત્કાર્યમાં સદા સાવધાન હોય. ઇતિ શ્રાવકના ૨૧ ગુણ. ફ ઈs D & D D D & D G % Sી ૫૦. વહેલા મોક્ષ ) જવાના ૨૩ બોલ, (૧) મોક્ષની અભિલાષા રાખવાથી, (૨) ઉગ્ર તપશ્ચર્યા કરવાથી, (૩) ગુરુમુખે સૂત્ર સિદ્ધાંત સાંભળવાથી, (૪) આગમ સાંભળી તેવી પ્રવૃત્તિ કરવાથી, (૫) પાંચેય ઇન્દ્રિય વશ કરવાથી, (૬) છકાય જીવોની રક્ષા કરવાથી, (૭) ભોજન સમયે સાધુ સાધ્વીની ભાવના ભાવવાથી, (૮) સદ્ જ્ઞાન ભણવા-ભણાવવાથી, (૯) નિયાણારહિત એક કોટિથી વ્રતમાં રહેતો થકો નવ કોટિએ વ્રત પચ્ચકખાણ કરવાથી, (૧૦) દશ પ્રકારની વૈયાવચ્ચ કરવાથી, (૧૧) કષાયને પાતળા પાડી નિર્મળ કરવાથી, (૧૨) છતી શક્તિએ ક્ષમા કરવાથી, (૧૩) લાગેલ પાપોની તરત આલોચના કરવાથી, (૧૪) લીધેલ વતો નિર્મળ રીતે પાળવાથી, (૧૫) અભયદાન -- Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૫) સ્થવિર (વૃદ્ધ) મુનિના ગુણકીર્તન કરવાથી, (૬) બહુશ્રુતના ગુણ કીર્તન કરવાથી, (૭) તપસ્વીના ગુણકીર્તન કરવાથી, (૮) ભણેલા જ્ઞાનને વારંવાર ચિંતવવાથી, (૯) સમકિત નિર્મળ પાલન કરવાથી, (૧૦) વિનય કરવાથી, (૭–૧૦–૧૩૪ પ્રકારનો વિનય), (૧૧) ઉભયકાળ આવશ્યક – પ્રતિક્રમણ કરવાથી, (૧૨) લીધેલ વ્રત પચ્ચખાણ નિર્મળ પાળવાથી, (૧૩) શુભ ધ્યાન ધ્યાવવાથી, ધર્મ અને શુક્લધ્યાન), (૧૪) બાર પ્રકારના તપથી નિર્જરા કરવાથી, (૧૫) દાન દેવાથી, (અભયદાન, સુપાત્રદાન), (૧૬) વૈયાવચ્ચ કરવાથી, (૧૦ પ્રકારની સેવા), (૧૭) ચતુર્વિધ સંઘને સમાધિ (સેવા, શોભા) દેવાથી, (૧૮) નવું નવું અપૂર્વ તત્ત્વજ્ઞાન ભણવાથી, (૧૯) સૂત્ર સિદ્ધાંતની ભક્તિ (સેવા) કરવાથી, (૨૦) મિથ્યાત્વ નાશ અને સમકિત ઉદ્યોત કરવાથી (પ્રવચનની પ્રભાવના કરવાથી). જીવ અનંતાનંત કર્મોને ખપાવે છે. એ સત્કાર્યો કરતાં ઉત્કૃષ્ટ રસાયણ (ભાવના) આવે તો તીર્થકર નામ કર્મ બંધાય. ઇતિ તીર્થકર નામ બાંધવાના ૨૦ કારણો. છ છ છ % છલ છલ છલ છલ $ $ $ Page #477 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર નામ બાંધવાના કા૨ણો ૪૫૭ સુપાત્રદાન દેવાથી, (૧૬) શુદ્ધ મનથી શીયળ (બ્રહ્મચર્ય) પાળવાથી, (૧૭) નિર્વધ (પાપરહિત) મધુર વચન બોલવાથી, (૧૮) લીધેલ સંયમભા૨ને અખંડ પાળવાથી, (૧૯) ધર્મ – શુક્લ ધ્યાન ધ્યાવવાથી, (૨૦) દર માસે છ છ પૌષધ ક૨વાથી, (૨૧) ઉભયકાળ આવશ્યક ક૨વાથી, (૨૨) પાછલી રાત્રે ધર્મ જાગ૨ણ કરી, ત્રણ મનો૨થ આદિ ચિંતવવાથી, (૨૩) મરણાંતે આલોચનાદિથી શુદ્ધ થઈ સમાધિ પંડિત મ૨ણ મરવાથી. આ ૨૩ બોલને સમ્યક્ પ્રકારે જાણીને સેવન ક૨વાથી જીવ વહેલો મોક્ષે જાય. ઇતિ વહેલા મોક્ષ જવાના ૨૩ બોલ. 國開 關图图图图 ૫૧. તીર્થંકર નામ બાંધવાના ૨૦ કારણો શ્રી જ્ઞાતાસૂત્ર અધ્યયન ૮ (૧) શ્રી અરિહંત ભગવાનના ગુણકીર્તન ક૨વાથી, (૨) શ્રી સિદ્ધ ભગવાનના ગુણકીર્તન ક૨વાથી, (૩) આઠ પ્રવચન માતાનું આરાધન કરવાથી, (૫ સમિતિ, ૩ ગુપ્તિ), (૪) ગુણવંત ગુરુના ગુણકીર્તન કરવાથી, ઠાણાંગ સૂત્રના ત્રીજે ઠાણે ત્રણ મનોરથનું ચિંતન મહાનિર્જરાનું કારણ બતાવેલ છે (૧) હું ક્યારે અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી બનીશ. (૨) હું ક્યારે આ દુઃખરૂપ અને પાપરૂપ સંસારનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરીશ. (૩) હું ક્યારે સંથારો લઇ, પંડિત મરણે મરીશ. તે દિવસ મારો ધન્ય બનશે. Page #478 -------------------------------------------------------------------------- ________________ કપ Sિો પરમ કલ્યાણના ૪૦ બોલ (પ૨. પરમ કલ્યાણના ૪૦ બોલ) નીચેના ૪૦ બોલમાંથી એક અથવા અનેક બોલનું સેવન, આરાધન કરવાથી જીવનું પરમ કલ્યાણ થાય છે. ક્રમ ગુણT દાતા સત્રની સાક્ષી ૦૧ સમકિત નિર્મળ પાળવાથી | શ્રેણિક મહારાજા | ઠાણાંગ સૂત્ર ૦૨ નિયાણા રહિત તપશ્ચર્યાથી | તાલી તાપસ ભગવતી સૂત્ર ૦૩ ત્રણ યોગો નિશ્ચળ કરવાથી ( ગજસુકુમાળ મુનિ [ અંતગડ સૂત્ર ૦૪સમભાવે ક્ષમા કરવાથી | અર્જુનમાળી | અંતગડ સૂત્ર ૦૫૫ મહાવ્રત નિર્મળ પાળવાથી | ગૌતમસ્વામી | ભગવતી સૂત્ર ૦૬/પ્રમાદ છોડી અપ્રમાદી થવાથી | શૈલક રાજર્ષિ | જ્ઞાતાધર્મકથા સૂત્ર ૦૭ ઇન્દ્રિય દમન કરવાથી | હરિકેશી મુનિ | ઉત્તરાધ્યયન સૂત્ર ૦૮ મિત્રોમાં માયા-કપટ ન " | મલ્લિનાથના મિત્રો જ્ઞાતાધર્મકથા સૂત્ર ૦૯/ધર્મ ચર્ચા કરવાથી કેશી -- ગૌતમ | ઉત્તરાધ્યયન સૂત્ર ૧૦ સત્ય ધર્મ પર શ્રદ્ધા કરવાથી | વરૂણનાગ ભગવતી સૂત્ર | નટુઆના મિત્ર ૧૧ જીવાપર કરૂણા કરવાથી મઘકુમાર-હાથીભવે જ્ઞાતાધર્મકથા સૂત્ર ૧૨ સત્યવાત નિઃશંકપણે કહેવાથી | આનંદ શ્રાવક ઉપાશક દશાંગ ૧૩|કષ્ટમાં પણ વાતોમાં દૃઢતાથી |અંબડ ને ૭૦૦ શિષ્ય ઉવવાઈ સૂત્ર ૧૪શુદ્ધ મને શીયળ પાળવાથી | સુદર્શન શેઠ | સુદર્શન ચરિત્ર ૧પ/પરિગ્રહની મમતા છોડવાથી | કપિલ બ્રાહ્મણ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૬ઉદારભાવે સુપાત્ર દાન દેવાથી સુમુખ ગાથાપતિ વિપાક સૂત્ર ૧૭ વ્રતથી ડગતાને સ્થિર કરવાથી રાજમતી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮|ઉગ્ર તપસ્યા કરવાથી ધન્નામુનિ અનુત્તરોવવાઈ ૧૯ અગ્લાનપણે વૈયાવચ્ચ " | પંથકમુનિ જ્ઞાતાધર્મકથા સૂત્ર ૨૦ દેવ અનિત્યભાવના ભાવતા | ભરત ચક્રવર્તી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૨૧અશુભ પરિણામો રોકવાથી પ્રસન્નચંદ્ર રાજર્ષિ શ્રેણિકચરિત્ર ૨૨ સત્યજ્ઞાન પર શ્રદ્ધા રાખવાથી, અન્નક શ્રાવક | જ્ઞાતાધર્મકથા સૂત્ર Page #479 -------------------------------------------------------------------------- ________________ --- -- -- - શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૩ ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચથી સનતકુમાર ચક્રવર્તી ભગવતી સૂત્ર પૂર્વ ભવે ૨૪| ચડતે ભાવે મુનિસેવા કરવાથી બાહુબલી પૂર્વ ભવે | ઋષભદેવ ચરિત્ર ૨૫શુદ્ધ અભિગ્રહ કરવાથી ] પાંચ પાંડવ | જ્ઞાતાધર્મકથા સૂત્ર ૨૬ | ધર્મદલાલી કરવાથી શ્રીકૃષ્ણ વાસુદેવ ! અંતગડ સૂત્ર ૨૭. સૂત્રજ્ઞાનની ભક્તિ કરવાથી ઉદાયન રાજા ભગવતી સૂત્ર જીવદયા પાલન કરવાથી ધર્મરૂચિ અણગાર જ્ઞાતાધર્મકથા સૂત્ર ૨૯ વતથી પડતાં જ સાવચેત થાય અરણિક મુનિ આવશ્યક સૂત્ર ૩૦] આપત્તિ આવ્ય ધર્ય |અંધક ઋષિના |ભગવતી સૂત્ર રાખવાથી પ૦૦ શિષ્ય 31 | જિનરાજની ભક્તિ કરવાથી પ્રભાવતી રાણી ગ્રંથમાંથી ૩૨ પ્રાણની પરવા મૂકી દયા પાળે મેઘરથ રાજા | શાંતિનાથ ચરિત્ર ૩૩) છતી શક્તિએ ક્ષમા કરવાથી પરદેશી રાજા રાયપશ્રીય સૂત્ર સગા ભાઈનો પણ ૬૩ સલાકા | મોહ છોડવાથી | રામ-બળદેવ પુરૂષ ચરિત્ર દેવાદિના ઉપસર્ગ સહેવાથી | કામદેવ શ્રાવક ઉપાશક દશાગ દેવ ગુરુ વંદનમાં નિર્ભિક થવાથી સુદર્શન શેઠ અંતગડ સૂત્ર ચર્ચાથી વાદીઓને જીતવાથી મિંડુક શ્રાવક ભગવતી સૂત્ર | મળેલા નિમિત્ત પર શુભ ભાવનાથી આદ્રકુમાર | સૂત્રકૃતાંગ સૂત્ર 3 | એકત્વ ભાવના ભાવવાથી નમિ રાજર્ષિ ઉત્તરાધ્યયન સૂત્ર ૪૦| વિષય સુખમાં વૃદ્ધ ન થવાથી જિનરક્ષ-જિનપાલ | જ્ઞાતાધર્મકથા સૂત્ર ઇતિ પરમ કલ્યાણના ૪૦ બોલ. - Ed E % દલ દ લ ઈ શ દલ દે છે Page #480 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરના ૩૪ અતિશય ૫૩. તીર્થંક૨ના ૩૪ અતિશય ૪૬૧ સમવાયાંગ સૂત્ર ૩૪ (૧) તીર્થંક૨ના કેશ, નખ ન વધે, સુશોભિત ૨હે. (૨) શરીર નિરોગી રહે. (૩) લોહીમાંસ ગોક્ષી૨ (મીઠા દૂધ) જેવા હોય. (૪) શ્વાસોશ્વાસ પદ્મકમળ જેવો સુગંધી હોય. (૫) આહાર નિહાર અદૃશ્ય હોય. (૬) આકાશમાં ધર્મચક્ર ચાલે. (૭) આકાશમાં ત્રણ છત્ર ધરાય. (૮) બે ચામર વિંઝાય. (૯) આકાશે પાદપીઠ સહિત સિંહાસન ચાલે. (૧૦) આકાશમાં ઇન્દ્રધ્વજ ચાલે. (૧૧) તીર્થંક૨ની અવગાહનાથી ૧૨ ગણું ઊંચું અશોકવૃક્ષ ૨હે. (૧૨) ભામંડળ હોય. (૧૩) વિષમ ભૂમિ સમ થાય. (૧૪) કાંટા ઊંધા થઈ જાય. (૧૫) છયે ઋતુ અનુકૂળ થાય. (૧૬) અનુકૂળ વાયુ વાય. (૧૭) પાંચ વર્ણના અચેત ફૂલની દેવતા વૃષ્ટિ કરે. (૧૮) અશુભ પુદ્ગલોનો નાશ થાય. (૧૯) સુગંધી વર્ષાથી ભૂમિ છંટાય. (૨૦) શુભ પુદ્ગલ પ્રગટે. (૨૧) યોજનગામી વાણીની ધ્વનિ હોય. (૨૨) અર્ધમાગધી ભાષામાં દેશના દે. (૨૩) સર્વ સભા પોતાની ભાષામાં સમજે. (૨૪) જન્મ વે૨, જાતિ વેર શાંત થાય. (૨૫) અન્ય મતિ પણ દેશના સાંભળે અને વિનય કરે. (૨૬) પ્રતિવાદી નિરૂત્તર બને. પચ્ચીસ યોજન સુધી નીચે પ્રમાણે કોઈ જાતના ઉપદ્રવ ન થાય. (૨૭) મહામા૨ી (પ્લેગ) ન થાય. (૨૮) તીડ, મચ્છર વિ. કોઈ ઉપદ્રવ ન થાય. (૨૯) સ્વચક્રનો ભય ન હોય. (૩૦) ૫૨લશ્કરનો ભય ન હોય. (૩૧) અતિવૃષ્ટિ ન થાય. (૩૨) અનાવૃષ્ટિ ન થાય. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૩૩) દુકાળ ન પડે. (૩૪) પહેલાં થયેલ ઉપદ્રવ શાંત થાય. ૨-૩-૪-૫ અતિશય જન્મથી હોય, ૧૨મું તથા ૨૧ થી ૩૪ સુધીનાં ૧૫ અતિશય કેવળજ્ઞાન થયા પછી પ્રગટે અને બાકીના ૧૫ અતિશય દેવકૃત હોય છે. ઇતિ તીર્થંકરના ૩૪ અતિશય. 分暖 分睹照照 分 ૫૪. બ્રહ્મચર્યની ૩૨ ઉપમા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રના અધ્યયન ૯ ના આધારે ૧ સૌ જ્યોતિષી સમૂહમાં ચંદ્રમાં તેમ સૌ વ્રતોમાં બ્રહ્મચર્ય મોટું, કિંમતી અને પ્રધાન. ૨ સૌ ખાણોમાં સોનાની ખાણ કિંમતી તેમ ૩ સૌ ૨ત્નોમાં વૈર્ય રત્ન પ્રધાન તેમ ૪ સૌ આભૂષણોમાં મુગટ પ્રધાન તેમ ૫ સૌ વસ્ત્રોમાં ક્ષેમયુગલ* પ્રધાન તેમ ૬ સૌ ચંદનમાં ગોશીર્ષ ચંદન પ્રધાન તેમ ૭ સૌ ફૂલોમાં અરવિંદકમળ પ્રધાન તેમ ૮ સૌ ઔષધીશ્વ૨માં ફૂલહેમવંત પર્વત પ્રધાન તેમ" ૯ સૌ નદીઓમાં સીતા, સીતોદા પ્રધાન તેમ ૧૦ સૌ સમુદ્રોમાં સ્વયંભુ૨મણુ પ્રધાન તેમ ૧૧ સૌ પર્વતોમાં મેરૂ ઊંચો ને પ્રધાન તેમ .. "" ** ?? 11 11 11 1. 11 દરેક જિનને (તીર્થંકરને) ઇન્દ્રએ આપેલ દેવદૃષ્ય વસ્ત્ર. Page #482 -------------------------------------------------------------------------- ________________ 0િ ) બ્રહ્મચર્યની ૩૨ ઉપમા ૧૨ સૌ હાથીઓમાં ઐરાવત પ્રધાન તેમ ૧૩ સૌ ચતુષ્પદોમાં કેશરીસિંહ " ૧૪ સૌ ભવનપતિમાં ધરણેન્દ્ર " ૧૫ સુવર્ણકુમાર દેવમાં વેણુદેવેન્દ્ર" ૧૬ દેવલોકમાં બ્રહ્મલોક મોટું ને " ૧૭ સૌ સભાઓમાં સૌધર્મ સભા મોટાને પ્રધાન " ૧૮ સૌ સ્થિતિના દેવોમાં સર્વાર્થસિદ્ધ –વિમાનના દેવોની સ્થિતિ પ્રધાન તેમ " ૧૯ સૌ દાનોમાં અભયદાન મોટું ને પ્રધાન તેમ " ૨૦ સૌ રંગોમાં કિરમજી રંગ પ્રધાન તેમ " ૨૧ સૌ સંસ્થાનોમાં સમચરિત્ર પ્રધાન તેમ " ૨૨ સૌ સંવનનમાં વજઋષભનારા પ્રધાન તેમ " ૨૩ સૌ લેગ્યામાં શુક્લ લેગ્યા મોટી ને પ્રધાન તેમ " ૨૪ સૌ ધ્યાનોમાં શુક્લ ધ્યાન મોટું ને પ્રધાન તેમ " રપ સૌ જ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રધાન તેમ ૨૬ સૌ ક્ષેત્રોમાં મહાવિદેહક્ષેત્ર પ્રધાન તેમ ૨૭ સૌ સાધુઓમાં તીર્થકર પ્રધાન તેમ ૨૮ સૌ ગોળ પર્વતોમાં રૂચક પર્વત પ્રધાન તેમ ૨૯ સૌ વૃક્ષોમાં સુદર્શનવૃક્ષ પ્રધાન તેમ ૩૦ સૌ વનોમાં નંદનવન પ્રધાન તેમ ૩૧ સૌ ઋતિમાં ચક્રવર્તી ની ઋદ્ધિ પ્રધાન તેમ ૩ર સૌ મોઢામાં વાસુદેવ પ્રધાન તેમ ઇતિ બ્રહ્મચર્યની ૩૨ ઉપમા. Page #483 -------------------------------------------------------------------------- ________________ I -III 0િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પિપ. શ્રમણ નિગ્રંથના સુખની તુલ્યતા ) ભગવતી શતક ૧૪, ૩, ૯ એક માસ નિર્મળ સંયમ પાળવાથી વાણવ્યંતરના દેવનું સુખ ઉલ્લંઘી જાય. બે માસ નિર્મળ સંયમ પાળવાથી નવનિકાયના (અસુરકુમાર સિવાયના ૯ ભવનપતિ) દેવનું સુખ ઉલ્લંઘી જાય. ત્રણ માસ નિર્મળ સંયમ પાળવાથી અસુરકુમારના દેવનું સુખ ઉલ્લંઘી જાય. ચાર માસ નિર્મળ સંયમ પાળવાથી ગ્રહ-નક્ષત્ર-તારાના દેવનું સુખ ઉલ્લંઘી જાય. પાંચ માસ નિર્મળ સંયમ પાળવાથી ચંદ્ર-સૂર્યના દેવનું સુખ ઉલ્લંઘી જાય. છ માસ નિર્મળ સંયમ પાળવાથી ૧-૨ જા દેવલોકના દેવલોકના દેવનું સુખ ઉલ્લંઘી જાય. સાત માસ નિર્મળ સંયમ પાળવાથી ૩-૪ થા દેવલોકના દેવનું સુખ ઉદ્ધઘી જાય. આઠ માસ નિર્મળ સંયમ પાળવાથી પ-૬ ઠ્ઠા દેવલોકના દેવનું સુખ ઉદ્ધઘી જાય. નવ માસ નિર્મળ સંયમ પાળવાથી ૭-૮ મા દેવલોકના દેવનું સુખ ઉલ્લંઘી જાય. દશ માસ નિર્મળ સંયમ પાળવાથી ૯ થી ૧૨ મા દેવલોકના દેવનું સુખ ઉદ્ધઘી જાય. Page #484 -------------------------------------------------------------------------- ________________ પટુ દ્રવ્ય ૫૨ ૩૧ દ્વાર અગિયાર માસ નિર્મળ સંયમ પાળવાથી નવ રૈવેયકના દેવનું સુખ ઉલ્લંઘી જાય. બાર માસ નિર્મળ સંયમ પાળવાથી પાંચ અત્તર વિમાનવાસી દેવોનું સુખ ઉલ્લંઘી જાય. એ પછી શુદ્ધ શુદ્ધતર પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખો અંત કરે છે. ઇતિ શ્રમણ નિર્ચથના સુખની તુલ્યતા. % 3 E3 E3 E3 E3 8 % Dલ દઉં છ પિ૬. ષટુ દ્રવ્ય ૫૨ ૩૧ દ્વા૨ ભગવતી સૂત્ર શતક ૧૩, ઉ.૪, ફક્ત દ્વાર ૨૮ અને ૩૦ માટે તથા પન્નવણા પદ ૩, ફક્ત દ્વાર ૩૧ માટે ૩૧ ધારના નામ ઃ ૧. નામ દ્વા૨, ૨. આદિ, ૩. સંડાણ, ૪. દ્રવ્ય, ૫. ક્ષેત્ર, ૬. કાળ, ૭. ભાવ, ૮. સામાન્ય-વિશેષ, ૯. નિશ્ચય, ૧૦. નય, ૧૧. નિક્ષેપ, ૧૨ ગુણ, ૧૩. પર્યાય, ૧૪. સાધારણ, ૧૫. સાધમ, ૧૬. પરિણામિક, ૧૭. જીવ, ૧૮. મૂર્ત, ૧૯. પ્રદેશ, ૨૦. એક, ૨૧. ક્ષેત્રક્ષેત્રી, ૨૨. ક્રિયા, ૨૩. નિત્ય, ૨૪. કારણ, ૨૫. કર્તા, ૨૬. ગતિ, ૨૭. પ્રવેશ, ૨૮. પૃચ્છા, ૨૯. સ્પર્શના, ૩૦. પદે શસ્પર્શના, અને ૩૧. અલ્પબદુત્વ દ્વાર. ૧. નામ દ્વાર : ૧ ધર્મ, ૨ અધર્મ, 3 આકાશ, ૪ જીવ, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ કાળ દ્રવ્ય 30 Page #485 -------------------------------------------------------------------------- ________________ ? ૧. ૪૬][B ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨. આદિ દ્વાર : દ્રવ્યાપેક્ષા બધા દ્રવ્ય અનાદિ છે. ક્ષેત્રાપેક્ષા પુદ્ગલ, જીવ, ધર્મ, અધર્મ, લોક વ્યાપક છે, તે માટે સાદિ છે. માત્ર આકાશ અનાદિ છે. કાળાપેક્ષા પ દ્રવ્ય અનાદિ છે. ભાવાપેક્ષા પં દ્રવ્યમાં ઉત્પાદ વ્યય અપેક્ષાએ સાદિસાત્ત છે. ૩. સંડાણ દ્વાર : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સંઠાણ ગાંડાના ઓઘણ જેવું, આકાશસ્તિકાયનું સંડાણ લોકમાં ડોકના દાગીના જેવું, અલોકમાં ઘણાકાર. જીવ તથા પુદ્ગલના સંઠાણ અનેક પ્રકારનાં અને કાળને આકાર નથી, પ્રદેશ નથી માટે. ૪. દ્રવ્ય દ્વાર : ગુણ પર્યાયના સમૂયુક્ત હોય તેને દ્રવ્ય કહે છે. દરેક દ્રવ્યના મૂળ છ સ્વભાવ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશ7. ઉત્તર સ્વભાવ અનંત છે. યથા નાસ્તિત્વ, નિત્ય, અનિત્ય, એક, અનેક ભેદ, અભેદ, ભવ્ય, અભવ્ય, આ રીતે વધતા લોકાન્ત સુધી અસંખ્ય પ્રદેશ છે. (ગાડાના ઓઘણનો આકાર) ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨ અસ્તિત્વ (સતત્ત્વ): જે શક્તિના કારણે દ્રવ્યનો કદિ નાશ ન થાય તે. દ્રવ્યનું સદા રહેવું પડે તે. વસ્તુત્વ : જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થ ક્રિયા હોય છે. જેમ કે ઘડાની અર્થ ક્રિયા જળને ધારણ કરવું તે. દ્રવ્યત્વ : જે શક્તિના કારણથી દ્રવ્ય સદાએ સરખા ન રહે અને જેની પર્યાયો હંમેશાં બદલાતી રહે છે. પ્રમેયત્વ: જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય તે. અગુરૂ લઘુત્વ : જે શક્તિના કારણથી એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક અથવા અનંત ગુણ વીખરાઈને જુદા જુદા ન થઈ જાય તે. પ્રદેશત્વ : જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય જ. 0 0 0 0 0 ' , , , , , , , , , Page #486 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય પર ૩૧ દ્વાર વકતવ્ય, પરમ ઇત્યાદિ. ધર્મ, અધર્મ, આકાશ એક એક દ્રવ્ય છે. 'જીવ, પુદ્ગલ, કાળ અનંત છે. વિશેષ સ્વભાવ પોતપોતાના ગુણ છે જેમાં છ દ્રવ્યો અરસપરસ ભિન્નતા ધરાવે છે. ૫. ક્ષેત્ર દ્વાર : ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલ લોક વ્યાપક છે. આકાશ લોકાલોક વ્યાપક છે અને કાળ અદ્રીદ્વીપમાં પ્રવર્તનરૂપ છે અને ઉત્પાદ વ્યય રૂપે લોકાલોક વ્યાપક છે. ૬. કાળ દ્વાર : ધર્મ, અધર્મ, આકાશ અને જીવ દ્રવ્યાપેક્ષા અનાદિ અનંત છે. ઉત્પાદ વ્યય (ક્રિયાપેક્ષા) અપેક્ષા સાદિસાંત છે. પુદ્ગલ દ્રવ્ય અપેક્ષા અનાદિ અનંત, પ્રદેશાપેક્ષા સાદિ સાંત છે. કાળ દ્રવ્ય અપેક્ષા અનાદિઅનંત, સમયાપેક્ષા સાદિસાત છે. ૭. ભાવ દ્વાર : પુદ્ગલ રૂપી છે. શેષ પ દ્રવ્યો અરૂપી છે. ૮. સામાન્ય – વિશેષ દ્વાર: સામાન્યથી વિશેષ બળવાન છે. જેમ સામાન્યત: દ્રવ્ય ૧ છે, વિશેષ છે. ધર્માસ્તિકાયનો વિશેષ ગુણ ચલણ સહાય છે, અધર્માસ્તિકાયનો સ્થિર સહાય, આકાશાસ્તિકાયનો અવગાહનાદાન, કાળનો વર્તના ગુણ, જીવાસ્તિકાયનો ચૈતન્ય ગુણ, પુદ્ગલાસ્તિકાયનો પૂરણ, ગલન, વિધ્વંસન ગુણ અને સામાન્ય ગુણો છે કે દ્રવ્યોના અનંત અનંત છે. ૯. નિશ્ચય વ્યવહાર દ્વાર – નિશ્ચયથી દરેક દ્રવ્ય પોતપોતાના ગુણોમાં પ્રવર્તે છે. વ્યવહારમાં અન્ય દ્રવ્યોને પોતાના ગુણની સહાયતા આપે છે. જેમ, લોકાકાશમાં બધાં દ્રવ્યો રહે છે તો તેને આકાશ અવગાહનામાં સહાયક થાય છે. પણ અલોકમાં અન્ય દ્રવ્યો નથી એટલે અવગાહનામાં સહાયતા નથી દેતા. છતાં અવગાહન ગુણમાં પણ હાનિ વૃદ્ધિ સદા થર્યો કરે છે. એવી જ રીતે બધા દ્રવ્યો માટે જાણવું. ૧૦. નય દ્વાર : નય એટલે પદાથના અંશને ગ્રહણ કરે તે. Page #487 -------------------------------------------------------------------------- ________________ જિકJાકર શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ નય ૭ છે. ૧. નૈગમનય, ૨. સંગ્રહનય, ૩. વ્યવહારનય, ૪. ઋજુસૂત્રનય, ૫. શબ્દનય, ૬. સમભિરૂઢનય, ૭. એવંભૂત નય. એ સાતે નયવાળાની માન્યતા કેવી છે ? એ જાણવા માટે જીવ દ્રવ્ય પર સાત નય ઉતારે છે. ૧) નૈગમ નયવાળો જીવ, નામના બધાંને ગ્રહણ કરે છે. ૨) સંગ્રહ નયવાળો જીવ કહેવાથી જીવનમાં અસંખ્ય પ્રદેશો ગ્રહણ કરે. ૩) વ્યવહાર નયવાળો-જીવ કહેવાથી ત્રસ સ્થાવર જીવોને ગ્રહણ કરે. ૪) જુત્ર નયવાળો જીવ કહેવાથી સુખદુઃખ ભોગવતાં જીવને ગ્રહણ કરે છે. ૫) શબ્દ નયવાળો જીવ કહેવાથી જીવના ભાવપ્રાણોને ગ્રહણ કરે. ૬) સમભિરૂઢ નયવાળાજીવ કહેવાથી કેવળજ્ઞાનીને (લાયક સમકિતી) ગ્રહણ કરે છે. ૭) એવંભૂત નયવાળો જીવ કહેવાથી સિદ્ધ અવસ્થાને (લાયક સમકિતી) ગ્રહણ કરે છે. એ રીતે સાતેય નય બધા દ્રવ્યો પર ઉતારી શકાય. ૧૧. નિપા દ્વાર : નિક્ષેપ ચાર છે. ૧. નામ-દ્રવ્યના નામ માત્રને "નામ નિક્ષેપ" કહે છે. ૨. સ્થાપના –- દ્રવ્યની સદશ કે* અસદશ સ્થાપના (આકૃતિ) ને "સ્થાપના નિક્ષેપ" કહે છે. ૩. દ્રવ્ય - દ્રવ્યની ભૂત કે ભવિષ્ય પર્યાયને વર્તમાનમાં કહેવી તે "દ્રવ્ય નિક્ષેપ" છે. ૪. ભાવ - દ્રવ્યની મૂળ ગુણયુક્ત દશા તે "ભાવ નિક્ષેપ" છે. પદ્રવ્ય પર એ ચારેય નિક્ષેપ ઉતારીને પણ બોધ કરી શકાય. ૧૨. ગુણ દ્વાર : પ્રત્યેક દ્રવ્યમાં ચાર ચાર ગુણો છે. ધર્માસ્તિકાયમાં અરૂપી, અચેતન, અક્રિય અને ચલનસહાય એ જ ગુણ અધર્માસ્તિકાયમાં " " " અને સ્થિર સહાય એ ૪. Page #488 -------------------------------------------------------------------------- ________________ - - - - - 4 +211 2 15 ષટુ દ્રવ્ય પ૨ ૩૧ દ્વાર આકાશાસ્તિકાયમાં અરૂપી, અચેતન, અક્રિય અને અવગાહનાદાન, ૪. જીવાસ્તિકાયમાં અરૂપી, ચૈતન્ય, સક્રિય અને ઉપયોગ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ જ ગુણ. કાળદ્રવ્યમાં અરૂપી, અચેતન, અક્રિય અને વર્તનાગુણ એ ૪ ગુણ. પુદ્ગલાસ્તિકાયમ રૂપી, અચેતન, સક્રિય અને પૂરણગલન એ ૪. ૧૩. પર્યાય દ્વાર પ્રત્યેક દ્રવ્યની ચાર ચાર પર્યાય છે. ધર્માસ્તિકાયની સ્કંધ, દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ જ પર્યાય. અધર્મસ્તિકાયની સ્કંધ, દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ જ પર્યાય. આકાશાસ્તિકાયની સ્કંધ, દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ જ પર્યાય. જીવાસ્તિકાયની અવ્યાબાધ, અનાવગાહ, અમૂર્ત અને અગુરુલઘુ, ૪. પુદ્ગલાસ્તિકાયની વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ જ પર્યાય. કાળદ્રવ્યની ભૂત, ભવિષ્ય, વર્તમાન અને અગુરુલઘુ એ જ પર્યાય. ૧૪. સાધારણ દ્વાર : સાધારણ ધર્મ જે અન્ય દ્રવ્યમાં પણ લાભે, જેમ કે ધર્માસ્તિકાયમાં અગુરુલઘુ. અસાધારણ ધર્મ જે અન્ય દ્રવ્યમાં ન લાભે, જેમ કે ધર્માસ્તિકાયમાં ચલનસહાય ઇત્યાદિ. ૧૫. સાધર્મી દ્વાર: દ્રવ્યોમાં પ્રતિસમય ઉત્પાદ વ્યયપણું છે, કેમકે અગુરુલઘુ પર્યાયમાં પર્ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે તે છે કે દ્રવ્યોમાં સમાન છે. ૧૬. પારિણામિક દ્વાર – નિશ્ચય નયથી છ યે દ્રવ્યો પોતપોતાના ગુણોમાં પરિણમે છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ અન્યાન્ય સ્વભાવમાં પરિણમે છે. જેમ જીવ મનુષ્ય આદિ રૂપે અને પુદ્ગલ બે પ્રદેશ યાવત્ અનંત પ્રદેશ સ્કંધ રૂપે પરિણમે છે. ૧૭. જીવ દ્વાર : જીવાસ્તિકાય જીવ છે. શેષ પ દ્રવ્ય અજીવ છે. ૧૮. મૂર્ત દ્વાર : પુદ્ગલ રૂપી છે. શેષ અરૂપી છે. કર્મ સંગે Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ જીવ પણ રૂપી છે. ૧૯. પ્રદેશ દ્વાર : પાંચ દ્રવ્ય પ્રદેશ છે. કાળ દ્રવ્ય અપ્રદેશી છે. ધર્મ અધર્મ અસંખ્ય પ્રદેશ છે. આકાશ (લોકાલોક અપેક્ષા) અનંત પ્રદેશ છે. એકેક જીવ અસંખ્ય પ્રદેશ છે. અનંત જીવોના અનંત પ્રદેશ છે. પુદ્ગલ પરમાણુ એક પ્રદેશો છે. પરંતુ પુદ્ગલ દ્રવ્ય અનંત પ્રદેશ છે. ૨૦. એક દ્વાર : ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. શેષ ત્રણ દ્રવ્ય અનંત છે. + ૨૧. હૈત્રક્ષેત્રી દ્વાર : આકાશ ક્ષેત્ર છે. બાકીના પાંચ ક્ષેત્રી છે. એટલે કે પ્રત્યેક લોકાકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્ય પોતપોતાની ક્રિયા કરવા છતાં એકબીજામાં મળી જતાં નથી. ૨૨. ક્રિયા દ્વાર :- નિશ્ચયથી બધા દ્રવ્યો પોતપોતાની ક્રિયા કરે છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ ક્રિયા કરે છે. શેષ અક્રિય છે. ૨૩. નિત્ય દ્વાર : દ્રવ્યાસ્તિક નયથી બધા દ્રવ્ય નિત્ય છે. પર્યાયાસ્તિક નયથી બધા અનિત્ય છે. વ્યવહાર નથી જીવ, પુદ્ગલ અનિત્ય છે. શેષ ચાર દ્રવ્ય નિત્ય છે. ૨૪. કારણ દ્વાર : પાંચેય દ્રવ્ય જીવને કારણ છે પણ જીવ કોઈ કારણ નથી. જેમ જીવ કર્તા અને ધર્માસ્તિકાય કારણ મળવાથી જીવન ચલન કાર્યની પ્રાપ્તિ થઈ. એમ જ બીજા દ્રવ્યો સમજવા. ૨૫. કર્તા દ્વાર :- નિશ્ચયથી બધા દ્રવ્ય પોતપોતાના સ્વભાવ કાર્યના કર્તા છે, વ્યવહારથી જીવ અને પુદ્ગલ કર્તા છે. શેષ અકર્તા છે. ૨૬. ગતિ દ્વાર :- આકાશની ગતિ (વ્યાપકતા) લોકાલોકમાં છે. શેપ લાકમાં છે. * જગ્યા આપે તે ક્ષત્ર. તેનો ઉપયોગ કરે તે ક્ષેત્રી.. Page #490 -------------------------------------------------------------------------- ________________ ષટ્ દ્રવ્ય ૫૨ ૩૧ દ્વાર ૪૭૧ ૮ ૨૭. પ્રવેશ દ્વાર ઃ– એક એક આકાશપ્રદેશ પર પાંચેય દ્રવ્યોનો પ્રવેશ છે. તેઓ પોતપોતાની ક્રિયા કર્ય જાય છે. છતાં એક બીજામાં ભળી જતાં નથી જેમ એક નગરમાં પાંચ માણસ પોતપોતાના કાર્ય કરતા રહે પણ એકરૂપ ન થાય. ૨૮. પૃચ્છા દ્વા૨ : શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવી૨ સ્વામીને સવિનયે આ પ્રમાણેના પ્રશ્નો પૂછે છે અને શ્રી મહાવી૨ પ્રભુ તેના ઉત્તર આપે છે. ૫ ૧. ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહેવાય ? જ. નહિ. (એવંભૂતનય અપેક્ષાએ) ધર્માસ્તિકાયના ૧-૨-૩ જાવ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશ, જેમાં ધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ બાકી હોય ત્યાં સુધી ધર્માસ્તિકાય ન કહેવાય. સંપૂર્ણ પ્રદેશ યુક્તને જ ધર્માસ્તિકાય કહે છે. ૫ ૨. કેવી રીતે ? જ. એવંભૂત નયવાળો થોડા પણ તૂટેલા અપૂર્ણ પદાર્થને પદાર્થ ન માને. અખંડિત દ્રવ્ય ને જ દ્રવ્ય કહે. તેમ બધાં દ્રવ્યો માટે સમજવું. ૫ ૩. લોકનો મધ્યપ્રદેશ ક્યાં છે ? રત્નપ્રભા ૧,૮૦,૦૦૦ યોજનની છે. તેની નીચે ૨૦,૦૦૦ યોજન ઘનોદિધ છે. તેની નીચે અસંખ્ય યોજન ઘનવાયુ, અસંખ્ય યોજન તનવાયુ, અસંખ્ય યોજન આકાશ છે. તે આકાશના અસંખ્યાતમા ભાગમાં લોકનો મધ્યભાગ છે. ૫ ૪. અધોલોકનો મધ્યપ્રદેશ ક્યાં છે ? જ. તે પંકપ્રભાની નીચેના આકાશપ્રદેશ સાધિકમાં છે. પ્ર ૫. ઉર્ધ્વલોકનો મધ્યપ્રદેશ ક્યાં છે ? જ. બ્રહ્મ દેવલોકનાં ત્રીજા રિષ્ટ પ્રતરમાં છે. . Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨) રિશી. શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૫ ૬. તિચ્છ લોકનો મધ્યપ્રદેશ ક્યાં છે ? જ. મેરૂ પર્વતના આઠ રૂચક પ્રદેશમાં છે. આ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશના પ્રશ્નોત્તર સમજવા. જીવનો મધ્યપ્રદેશ આઠ રૂચક પ્રદેશોમાં છે. કાળનો મધ્ય પ્રદેશ વર્તમાન સમય છે. ) ૨૯. સ્પર્શના દ્વાર : ધર્માસ્તિકાય તે એક દ્રવ્ય અધર્માસ્તિકાય, લોકાકાશ, જીવ અને પુદ્ગલ એ ચાર દ્રવ્યને સંપૂર્ણ સ્પર્શે. કાળને ક્યાંક સ્પર્શે ક્યાંક ને સ્પર્શે. તેવી જ રીતે શેષ ચાર અસ્તિકાય સ્પર્શ. કાળ દ્રવ્ય અઢીદ્વિીપમાં બધા દ્રવ્યોને સ્પર્શ અન્ય ક્ષેત્રમાં નહિ. ૩૦. પ્રદેશ સ્પર્શના દ્વાર : ૫. ધર્માસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે? જ. ધર્માસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના જઘન્ય (જ.) ૩ અને ઉત્કૃષ્ટ (ઉ.) ૬ પ્રદેશને સ્પર્શે. આ જ પ્રમાણે અન્ય પક્ષો જેમકે ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અધર્મના, આકાશના, જીવના, પુદ્ગલના કે કાળના કેટલા પ્રદેશને સ્પર્શે ? અધર્મનો એક પ્રદેશ ધર્મ, અધર્મ, આકાશ આદિના કેટલા પ્રદેશને સ્પર્શે ? તે નીચેના કોઠાથી સમજવું. દ્રવ્યનું ધર્મને અધર્મને આકાશજીવને પુદગલ કાળને નામ જ.ઉ.જ.) ઉ.જ.) ૧. સ્પર્શ ને સ્પર્શ સ્પર્શ ધર્મનો ૧૩ | |૪| 9 | | |અનંત અનંત સ્યાત્ ન સ્પર્શે પ્રદેશો ! પ્રદેશો સાત અનંત પ્રદેશ અધર્મ "૪ | |૩| દ 1919 | " આકાશનો ૧ પ્રદેશ ધર્મ, અધર્મ, જીવ, પુદ્ગલ તથા કાળને સ્યાત્ સ્પર્શ સ્થાત્ ન સ્પર્શ, જો સ્પર્શે તો – | |૧| 9 | | | અનંત | અનંત સ્વાતુ ન સ્પર્શ ઉપદેશો | પ્રદેશો યાતુ અનંત પદેશ પદેશ Page #492 -------------------------------------------------------------------------- ________________ ક્કિ રીક૭૩] ષટુ દ્રવ્ય પર ૩૧ દ્વાર ધર્મને અધર્મને આકાશજીવને પુદ્ગલ કાળને જીવ નો |૪ ૭૪ ૭૫ ૭) અનંત અનંત સ્વાતુ ન સ્પર્શ ૧ પ્રદેશ પ્રદેશો પ્રદેશ યાતુ અનંત પ્રદેશ પુદ્ગલનો ૧ પ્રદેશ |૪ ૭૪ ૭.૦ ૭ { " | " પુદ્ગલાસ્તિકાયના ર પ્રદેશ ધર્માસ્તિકાયના જ. બમણાથી બે અધિક (૨૪૨ =૪+૨) એટલે કે ૬ પ્રદેશને સ્પર્શે. ઉ. પાંચ ગણાથી બે અધિક (૨૪૫ =૧૦+૨) એટલે કે૧૨ પ્રદેશને સ્પર્શે. તેવી જ રીતે પુલાસ્તિકાયના ૩ પ્રદેશ ધર્માસ્તિકાયના જ. બમણાથી બે અધિક (૩૪૨ =૬+૨) એટલે કે પ્રદેશને સ્પર્શે. ઉ. પાંચ ગણાથી બે અધિક (૩૪૫ =૧૫+૨) એટલે કે ૧૭ પ્રદેશને સ્પર્શે. તેવી જ રીતે ૪,૫,૬ થી અનંત પ્રદેશી પુદ્ગલ જ. બમણાથી બે અધિક અને ઉ. પાંચ ગણાથી બે અધિક પ્રદેશને સ્પર્શે (જુઓ વિશેષ સમજણ) કાળદ્રવ્યનો એક સમય ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યના પ્રદેશને સાત્ સ્પર્શ, સ્યાત્ ન સ્પર્શ. - . . વિશેષ સમજણ – અહિં એ પ્રશ્ન ઊભો થાય છે કે ધર્માસ્તિકાયના પ્રદેશ તો સમગ્ર લોકમાં અસંખ્યાતા જ છે તો પુલાસ્તિકાયના અનંત પ્રદેશ ધર્માસ્તિકાયના અનંત પ્રદેશને (ઉપર પદ્ધતિ બતાવી તે પ્રમાણે ગણવાથી) કેવી રીતે સ્પર્શે? સમાધાન - ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે તેથી પુદ્ગલ તેના અસંખ્ય પ્રદેશને જ સ્પર્શ પણ જો કદાચિત્ ધર્માસ્તિકાયના અનંત પ્રદેશ હોત તો ઉપર બતાવેલ પદ્ધતિ પ્રમાણે પુદ્ગલ તેના અનંત પ્રદેશને જરૂરથી સ્પર્શે. તે બતાવવા માટે પુદ્ગલના અનંત પ્રદેશની સ્પર્શના બતાવી છે. જો કે તેવું બન્યું નથી અને બનશે પણ નહિ. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪)(E ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩૧. અલ્પબહુત દ્વાર : દ્રવ્ય અપેક્ષા - ધર્મ, અધર્મ, આકાશ પરસ્પર તુલ્ય છે. તેથી જીવ દ્રવ્ય અનંતગુણા, તેથી પુદ્ગલ દ્રવ્ય અનંતગુણા, તેથી કાળ અનંતો છે. પ્રદેશ અપેક્ષા અલ્પબદુત્વ – સર્વથી થોડા ધર્મ, અધર્મના પ્રદેશ. તેથી જીવના પ્રદેશ અનંતગુણા, તેથી પુદ્ગલના પ્રદેશ અનંતગુણો, તેથી કાળ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા, તેથી આકાશના પ્રદેશ અનંતગુણા. દ્રવ્ય અને પ્રદેશનો સાથે અલ્પબદુત્વ - સૌથી થોડા ધર્મ, અધર્મ, આકાશના (પરસ્પર તુલ્ય) દ્રવ્ય, તેથી ધર્મ, અધર્મના પ્રદેશ અસંખ્યાતગુણા (પરસ્પર તુલ્ય), તેથી જીવ દ્રવ્ય અનંતગુણા, તેથી જીવના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી પુદ્ગલના દ્રવ્ય અનંતગુણા, તેથી પુદ્ગલના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી કાળના દ્રવ્ય અને પ્રદેશ (પરસ્પર તુલ્ય) અનંતગુણા, તેથી આકાશના પ્રદેશ અનંતગુણા. ઇતિ પદ્રવ્ય પર ૩૧ દ્વાર સંપૂર્ણ. SિE (પ૭. ચાર ધ્યાન) જિલી ઠાણાંગ સૂત્ર ૪, ઉ. ૧ તથા ઉવવાઈ સૂત્ર કોઈપણ એક જ વિષય પર મનની એકાગ્રતા કરવી તેને ધ્યાન કહે છે. ધ્યાનનાં ૪ પ્રકાર છે. ૧. આર્તધ્યાન, ૨. રૌદ્રધ્યાન, 3. ધર્મધ્યાન અને ૪. શુક્લધ્યાન. Page #494 -------------------------------------------------------------------------- ________________ ચાર ધ્યાન આધ્યાન આર્તધ્યાનનાં ચાર પાયા – ૧. મનોજ્ઞ વસ્તુની અભિલાષા કરવી. ૨. અમનોજ્ઞ વસ્તુને દૂર કરવાની અભિલાષા કરવી. 3. રોગાદિ અનિષ્ટોનો વિયોગ ચિંતવવો. ૪. ભોગોમાં આસક્ત બની તેનો વિયોગ ન થાય તેમ ચિંતવવું. આર્તધ્યાનના ચાર લક્ષણો - ૧. ક્રન્દન – શબ્દ સાથે અશ્રપાત કરવો. ૨. શોચન – સતત ચિંતા | શોક કરવાં, દીનતા બતાવવી. ૩. તિપ્પન – અવાજ વિના અશ્રપાત કરવો. ૪. વિલપન – વિલાપ કરતાં કરતાં વારંવાર પૂર્વે કરેલાં કર્મોનું ચિંતવન કરી કલેશ યુક્ત બોલવું. રૌદ્રધ્યાન રૌદ્રધ્યાનના ચાર પાયા – ૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચોરી, ૪. પરિગ્રહ કે ભોગપભોગનું ચિંતન. આ ચારેમાં આનંદ માનવો. રૌદ્રધ્યાનના લક્ષણો – ૧. ઉસન્ન દોષ – હિંસાદિ કોઈ એક પાપમાં પ્રવૃત્ત રહેવું. ૨. બહુ દોષ – હિંસાદિ સર્વ પાપમાં પ્રવૃત્ત રહેવું. ૩. અજ્ઞાન દોષ – મિથ્યા શાસ્ત્રોનાં સંસ્કારોથી હિંસાદિ ધર્મ વિમુખ કાર્યમાં પ્રવૃત્ત રહેવું. ૪. આમરણાંત દોષ – મરણપથારીએ પણ પશ્ચાતાપ ન કરે. આખી જીંદગી પર્યત દ્વેષ રાખે. ધર્મધ્યાન ધર્મધ્યાનનાં ચાર પાયા – ૧. આણાવિજએ – વીતરાગદેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો. ૨. અવાયવિજએ – કર્મ દુઃખ આવવાના કારણને વિચારવા. ૩. વિવાગવિજએ – શુભાશુભ કર્મ વિપાકને (ફળ) વિચારવું. ૪. સંડાણવિજએ --- ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ધર્મધ્યાનનાં ૪ લક્ષણ – ૧. આશા રૂચિ – વીતરાગની આજ્ઞાની રૂચિ. ૨. નિસર્ગ રૂચિ – જ્ઞાનાદિ ઉપજવાથી થયેલી રૂચિ. ૩. ઉપદેશ રૂચિ – ધર્મ સાંભળવાની રૂચિ. ૪. સૂત્ર રૂચિ – સિદ્ધાંત | આગમ ભણવાની રૂચિ. ધર્મધ્યાનનાં ચાર આલંબન – ૧. વાંચના, ૨. પૃચ્છના, ૩. પરિપટ્ટણા અને ૪. ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા – ૧. એગચ્યાણુપેહા – જીવ એકલો આવ્યો છે ને એકલી જશે. તેનો વિચાર કરવો. ૨. અણિચ્ચાણુપેહા – સંસારની અનિત્યતાનો વિચાર કરવો. ૩. અસરણાણુપેહા – સંસારમાં કોઈ કોઈનું શરણ નથી તેનો વિચાર કરવો. ૪. સંસારાકુખેહા – સંસારની સ્થિતિ દશા નો વિચાર કરવો. શુક્લધ્યાન શુક્લધ્યાનનાં ચાર પાયા – ૧. પૃથકત્વ-વિતર્ક-સવિચાર : એક એક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન અનેક પર્યાય (ઉપવા, વિહેવા, ધુવા) ભાવનો વિચાર કરવો. ૨. એકત્વ-વિતર્ક-નિર્વિચાર : અનેક દ્રવ્યોમાં એક ભાવ (અગુરુલઘુ આદિ) નો વિચાર ચિંતવવો. ૩. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ: તેરમા ગુણસ્થાનકના અંતમાં આયુષ્ય અંતર્મુહૂર્ત રહે ત્યારે અચળ અવસ્થામાં ત્રણે યોગોનું નિરૂદ્ધપણું વિચારે. આ અવસ્થાથી પાછા ફરવું નથી. ૪. સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ – ચૌદમા ગુણસ્થાનની શ્વાસ ઉચ્છવાસ આદિ સૂક્ષ્મ ક્રિયાથી પણ નિવર્તવાનું ચિંતવવું. શુક્લધ્યાનનાં ચાર લક્ષણ – ૧. વિવેક - 'શરીર અને આત્મા ભિન્ન છે' એમ ચિંતવવું. ૨. વ્યુત્સર્ગ – શરીરને અનિત્ય Page #496 -------------------------------------------------------------------------- ________________ ચા૨ ધ્યાન કિ૭૭) સમજી અને પુદ્ગલને પર-પદાર્થ જાણીને તેનો ત્યાગ કરવો. ૩. અવ્યય – દેવાદિના ઉપસર્ગથી ચલિત ન થવું. ૪. અસંમોહ– સૂક્ષ્મ ભાવ (ધર્મની ઝીણવટ) સાંભળીને ગ્લાનિ ન લાવવી. શુક્લધ્યાનનાં ચાર અવલંબન – ૧. ક્ષમા, ૨. નિર્લોભતા, ૩. નિષ્કપટતા, ૪. મદ રહિતતા. શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા-૧. અપાયાનુપ્રેક્ષા – આત્મા દ્વારા કરાયેલ રાગ દ્વેષરૂપી કર્મોને કારણે આ જીવે અનંતવાર સંસારભ્રમણ કર્યું છે એમ વિચારવું. ૨. અશુભાનુપ્રેક્ષા – સંસાર, દેહ અને ભોગોની અશુભતાનો વિચાર કરવો. ૩. અનંતવૃત્તિતાનુપ્રેક્ષા – અનંત સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ શુભાશુભ કર્મ છે એમ વિચારવું. ૪. વિપરિણામોનુપેક્ષા – વસ્તુઓના વિવિધ પરિણામોનો વિચાર કરવો. શુભ પુદ્ગલ અશુભરૂપે અને અશુભ પુદ્ગલ શુભરૂપે પરિણમે છે તેમ વિચારવું. આવા વિચારોમાં તન્મય (એકરૂપ) થઈ જવાય તે શુક્લધ્યાન. આ ચારે ધ્યાન જોય એટલે કે જાણવા યોગ્ય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં આયુષ્યનો બંધ પડે તો જીવ તિર્યંચ અથવા નરક ગતિમાં જઈ શકે છે. કર્મબંધનાં કારણ હોવાથી તે બન્ને હેય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન જીવને મહાન કર્મનિર્જરા કરાવી સુગતિમાં લઈ જઈ પરંપરાએ મોક્ષ અપાવે છે. આ બંન્ને ધ્યાન ઉપાદેય છે. ઇતિ ચાર ધ્યાન. જ થa a દ da ER ઇ ઈ ઉ જ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮)ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૫૮. આરાધના પદ શ્રી ભગવતી સૂત્ર શતક ૮, ઉ. ૧૦ આરાધના ત્રણ પ્રકારની જ્ઞાનની, દર્શન (સમકિત) ની અને ચારિત્રની. શાન આરાધના: ઉ. ૧૪ પૂર્વનું જ્ઞાન, મધ્યમ ૧૧ અંગનું જ્ઞાન, જ. ૮ પ્રવચન માતાનું જ્ઞાન. દર્શન આરાધના: ઉ. ક્ષાયક સમકિત, મધ્યમ ક્ષયોપશમ સમ. તથા ઉપશમ સમકિત, જ. સાસ્વાદાન સમકિત. ચારિત્ર આરાધના : ઉ. યથાખ્યાત ચારિત્ર, મધ્યમ સૂક્ષ્મ સંપરાય તથા પરિહાર વિશુદ્ધ ચારિત્ર, જ. સામાયિક તથા છેદોપસ્થાપનીય ચારિત્ર. (ઉપરનું વર્ણન ટીકામાં જોવા મળે છે. મૂળ પાઠમાં નથી. એક માન્યતા એમ પણ છે કે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય આરાધના કરવાની તમન્ના અને પુરુષાર્થ જ અહિં લઈ શકાય અને તો જ હવે પછીનું વર્ણન યથાર્થ ઠરે છે. તત્ત્વ કેવળી ગમ્ય). ઉ. જ્ઞાન આરાધનામાં દર્શન આરાધના બે (ઉત્કૃષ્ટ અને મધ્યમ). ઉ. જ્ઞાન આરાધનામાં ચારિત્ર આરાધના બે ઉત્કૃષ્ટ અને મધ્યમ). ઉ. દર્શન આરાધનામાં ચારિત્ર આ. ત્રણ (જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ). ૧. દર્શન આરાધનામાં જ્ઞાન આ. ત્રણ (જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ). ઉ. ચારિત્ર આરાધનામાં જ્ઞાન આ. ત્રણ (જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ). ૩. ચારિત્ર આરાધનામાં દર્શન આરાધના નિયમા ઉત્કૃષ્ટ ૧. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાવાળા જઘન્ય ૧ ભવ, ઉત્કૃષ્ટ ર ભવ કરે. મધ્યમ જ્ઞાન આરાધનાવાળા જઘન્ય ર ભવ, ઉત્કૃષ્ટ ૩ ભવ કરે. Page #498 -------------------------------------------------------------------------- ________________ આરાધના પદ ૪૭૯ જઘન્ય જ્ઞાન આરાધનાવાળા જઘન્ય ૩ ભવ, ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરે. દર્શન અને ચારિત્રની આરાધના પણ ઉપ૨ માફક, જીવોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય રીતે થઈ શકે છે. તેના કુલ ૨૭ ભાંગા (પ્રકાર) થાય છે. તેમાંથી ૧૦ ભાંગા બનતા નથી તેને આ X] નિશાની જમણી ત૨ફ ક૨ીને બતાવેલ છે અને બાકીના ૧૭ ભાંગા બને છે. (૩ = ઉત્કૃષ્ટ, ૨ = મધ્યમ, ૧ = જઘન્ય આરાધના સમજવી.) જ્ઞાન,દર્શ.,ચા. જ્ઞાન,દર્શ.,ચા.| જ્ઞાન,દર્શ.,ચા. જ્ઞાન,દર્શ.,ચા. ૨ ૩–૧–૩[૪] ૨-૨-૩૪] ૧-૩-૧ ૩-૧-૨[૪] ૨-૨-૨ ૩-૧-૧[૪] ૨૨-૧ ૧-૨-૨ ૨-૩-૩ ૨-૧૩૪] ૧-૨૦૧ ૨-૩-૨ ૨–૩–૧ 3-3-3 ૩-૩-૨ ૩૩–૧૪] ૩-૨-૩[૪] ૩-૨-૨ ૩-૨-૧૪] નોંધ : ૨-૧-૨ ૨૧-૧ 9-3-3 ૧-૩-૨ ઇતિ આ૨ાધના પદ. ૧-૨-૩[૪] ૧-૧-૩[૪] ૧-૧-૨ ૧-૧-૧ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ડી (પ૯. સંજ્ઞા પદ :) શ્રી પન્નવણા સૂત્ર પદ ૮ સંશા – જીવોની ઇચ્છા. સંજ્ઞા ૧૦ પ્રકારની છે. ૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, પ. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯. લોક અને ૧૦. ઓઘ સંજ્ઞા. ૧. આહાર સંશા ૪ કારણથી ઉપજે: ૧. પેટ ખાલી થવાથી, ૨ સુધા વેદનીયના ઉદયથી, ૩. આહાર દેખવાથી, ૪. આહારની ચિંતવન કરવાથી. (આહાર સંજ્ઞા વેદનીય કર્મના ઉદયથી) ૨. ભય સંજ્ઞા ૪ કારણથી ઉપજે : ૧. અધર્ય રાખવાથી, ર. ભયમોહના ઉદયથી, ૩. ભય ઉપજાવનારા પદાર્થ જોવાથી, ૪. ભયની ચિંતવન કરવાથી. ૩. મૈથુન સંજ્ઞા ૪ કારણથી ઉપજે : ૧. શરીર પુષ્ટ બનાવવાથી, ૨. વેદમોહના કર્મોદયથી, ૩. સ્ત્રી આદિને દેખવાથી, ૪. કામભોગની ચિંતવના કરવાથી. ૪. પરિચય સંજ્ઞા ૪ કારણથી ઉપજે: ૧. મમત્વ વધારવાથી, ૨. લોભમોહના ઉદયથી, ૩. ધનમાલ જોવાથી, ૪. ધન પરિગ્રહની ચિંતવના કરવાથી. ૫–૮. ક્રોધ, માન, માયા, લોભ સંશા ૪ કારણથી ઉપજે: ૧. ક્ષેત્ર (ખુલ્લી જમીન) માટે, ૨. વધુ (ઢાંકેલા-મકાન આદિ) માટે, ૩. શરીર – ઉપધિ માટે, ૪. ધનધાન્ય આદિ ઔષધિ માટે. * વેદનીય અને મોહનીયના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થવાવાળી અનેક પ્રકારની આહારાદિની પ્રાપ્તિની ઇચ્છાને સંશા કહે છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા પદ િિી ૪૮૧ ભયસંજ્ઞા થી લોભસંજ્ઞા (૨ થી ૮) મોહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. લોક સંજ્ઞા : અન્ય લોકોને દેખીને પોતે એવું કામ કરવું. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી). ઓઘ સંજ્ઞા : શૂન્ય ચિત્તે વિલાપ કરે, ખંજોળ, ઘાસ તોડે, ધરતી ખોતરે છે. કરે. (જ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી). નરકાદિ ૨૪ દંડકમાં દશ દશ સંજ્ઞા હોય છે. કોઈમાં સામગ્રી અધિક મળવાથી પ્રવૃત્તિરૂપે હોય છે. કોઈમાં સત્તારૂપે હોય છે. સંજ્ઞાનું અસ્તિત્વ છઠ્ઠા ગુણસ્થાન સુધી રહે છે. હવે તેનો અલ્પબદુત્વ કહે છે. ચાર ગતિમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાનો અલ્પબદુત્વ (૧) (૨) (૩) (૪) નારકીમાં સૌથી થોડી મૈથુન સંજ્ઞા તેથી આહાર સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી પરિગ્રહ સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી ભય સંજ્ઞા સંખ્યાત ગણી. (૩,૧,૪,૨) તિર્યંચમાં સૌથી થોડી પરિગ્રહ સંજ્ઞા, તેથી મૈથુન સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી ભય સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી આહાર સંજ્ઞા સંખ્યાત ગણી. (૪,૩,૨,૧) મનુષ્યમાં સૌથી થોડી ભય સંજ્ઞા, તેથી આહાર સંજ્ઞા સંખ્યાત ગણી, પરિગ્રહ સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી મૈથુન સંજ્ઞા સંખ્યાત ગણી. (૨,૧,૪,૩) દેવતામાં સૌથી થોડી આહાર સંજ્ઞા, તેથી ભય સં. સંખ્યાત ગણી, તેથી મૈથુન સં. સંખ્યાત ગણી, તેથી પરિગ્રહ સંજ્ઞા સંખ્યાત ગણી. (૧,૨,૪,૩). Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪િ૮૨ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ચાર ગતિમાં ક્રોધ, માન, માયા, લોભ સંજ્ઞાનો અલ્પબદુત્વઃ (૧) (૨) (૩) (૪) નારકીમાં સૌથી થોડો લોભ, તેથી માયા સંખ્યાત ગણી, તેથી માન સંખ્યાત ગણું, તેથી ક્રોધ સંખ્યાત ગણો. (૪,૩,૨,૧) તિર્યંચમાં સૌથી થોડું માન, તેથી ક્રોધ વિશેષાધિક, તેથી લોભ વિશેષાધિક, તેથી માયા વિશેષાધિક. (૨,૧૪,૩) મનુષ્યમાં સૌથી થોડી માયા, તેથી લોભ વિશેષાધિક, તેથી ક્રોધ વિશેષાધિક, તેથી માન વિશેષાધિક. (૩,૪,૧,૨) દેવતામાં સૌથી થોડો ક્રોધ, તેથી માન સંખ્યાત ગણું, તેથી માયા સંખ્યાત ગણી, તેથી લોભ સંખ્યાત ગણો. (૧,૨,૩,૪) ઇતિ સંશા પદ. દ Dલ ક દ દલ દિલ લઈલ ઈડ Sજો૬િ૦. વેદના પદ) શ્રી પન્નવણા સૂત્ર પદ ૩પ જીવ ૭ પ્રકારે વેદના વેદે. ૧. શીત, ૨. દ્રવ્ય, ૩. શરીર, ૪. શાતાં, પ. દુઃખ, ૬. અભૂગમિયા, અને ૭. નિદા દ્વાર. હવે એ ૭ ધારનો વિસ્તાર કરે છે. ૧. વેદના ૩ પ્રકારે : શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. સમુચ્ચય જીવ ૩ પ્રકારની વેદના વેદ. ૧-૨૩ નારકીમાં ઉષ્ણ વેદના વેદે (કારણ નેરઇયા શીત યોનિના છે). ચોથી નારકીમાં બે વેદના, ઉષ્ણ વેદના વેદનારા ઘણા, શીત વેદનાવાળા થોડા. પાંચમી નારકીમાં બે વેદના, ઉષ્ણ વેદના વેદનારા થોડા, શીત વેદનાવાળા ઘણા. છઠ્ઠી Page #502 -------------------------------------------------------------------------- ________________ વેદના પદ ૪૮૩ નારકીમાં શીત વેદના અને સાતમી નરકમાં મહાશીત વેદના છે. શેષ ૨૩ દંડકમાં ત્રણેય પ્રકારની વેદના વેદાય છે. ૨. વેદના ૪ પ્રકારની : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં ચાર પ્રકારની વેદના વેદાય છે. દ્રવ્ય વેદના = ઇષ્ટ અનિષ્ટ પુદ્ગલોની વેદના. ક્ષેત્ર વેદના = ના૨કાદિ શુભાશુભ ક્ષેત્રની વેદના. કાળ વેદના = શીત, ઉષ્ણ કાળની વેદના. ભાવ વેદના = મંદતીવ્ર ૨સ (અનુભાગ) ની વેદના. ૩. વેદના ૩ પ્રકારે : શારીરિક, માનસિક અને શ૨ી૨મનની સાથે. સમુચ્ચય જીવમાં ૩ પ્રકા૨ની વેદના વેદે. સંશીના ૧૬ દંડકમાં ૩ પ્રકાર. ૫ સ્થાવર, ૩ વિકલેન્દ્રિયમાં ૧ શારીરિક વેદના. ૪. વેદના ૩ પ્રકારે : શાતા, અશાતા અને શાતા—અશાતા સાથે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં ત્રણેય પ્રકા૨ની વેદના છે. ૫. વેદના ૩ પ્રકારે : સુખ, દુઃખ અને સુખદુ:ખ, સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં ત્રણેય પ્રકારની વેદના વેદાય. ૬. વેદના ૨ પ્રકારે : ૧ ઉદીરણાજન્ય (લોચ, તપશ્ચર્યાદિથી), ૨ ઉદયજન્ય (કર્મ ઉદય આવવાથી). તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં બન્ને પ્રકા૨ની વેદના, શેષ ૨૨ દંડકમાં ઉદયજન્ય વેદના હોય. ૭. વેદના ૨ પ્રકારે : નિદા અને અનિદા. ૧ ના૨કી, ૧૦ ભવનપતિ અને ૧ વ્યંતર એ ૧૨ દંડકમાં બે વેદના. સંજ્ઞી નિદા વેદે, અસંશી અનિદા વેદે. (સંશી મનુષ્ય, અસંશી મનુષ્ય, તિર્યંચમાંથી મ૨ીને આવ્યા તે અપેક્ષા સમજવી.) પાંચ સ્થાવ૨, ત્રણ વિકલેન્દ્રિય અનિદા વેદના વેદે. (અસંજ્ઞી હોવાથી). તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં બન્ને પ્રકારની વેદના. જ્યોતિષી અને વૈમાનિકમાં બન્ને પ્રકા૨ની વેદના છે, કારણકે બે Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮JIBી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ્રકારના દેવતા છે. ૧. અમારી સમ્યફ દૃષ્ટિ – નિદા વેદના (મનના જાણપણા સહિત વેદે છે) ૨. માયી મિથ્યા દૃષ્ટિ – અનિદા વેદના (મનના જાણપણા રહિત) વેદે છે. ઇતિ વેદના પદ. જ જ શિવ લ ક દ દd a Dલ દ ૬િ૧. સમુદ્રઘાત પદ) - શ્રી પન્નવણા સૂત્ર પદ ૩૬ મૂળ શરીરને છોડ્યા વિના એકાગ્રતાપૂર્વક, પ્રબળતા સાથે અનંતાનંત કર્મયુગલોથી વ્યાપ્ત પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢીને કર્મ પુદ્ગલોની નિર્જરા કરવાની પ્રક્રિયા તે સમુદ્યાત. (૧) નામ દ્વાર : વેદનીય, કષાય, મારણાંતિકવૈક્રિય, તૈજસ, આહારક અને કેવળી સમુદ્ધાત. એ સાત સમુદ્દાત ને ૨૪ દંડક ઉપર ઉતારે છે. ૧. વેદનીય સમુ.– અશાતાવેદનીય કર્મને કારણે આત્મપ્રદેશોમાં સ્પંદન થઈને અમુક આત્મપ્રદેશોનું શરીરથી બહાર આવવું તે. તેના દ્વારા ઉદય પ્રાપ્ત અશાતા વેદનીય કર્મનો નાશ થાય છે. શાતા વેદનીયકર્મની સમુદ્યાત થતી નથી. ૨. કષાય સમુ. – તીવ્ર ક્રોધાદિ કષાયને કારણે આત્મપ્રદેશોમાં સ્પંદન થઈને અમુક આત્મપ્રદેશોનું શરીરથી બહાર આવવું તે. ચારે કષાયોની સમુદ્ધાત થઈ શકે છે. તેના દ્વારા ઉદય પ્રાપ્ત કષાય મોહનીયનો નાશ થાય છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રઘાત પદ સમુચ્ચય જીવોમાં ૭ સમુ, નારકીમાં ૪ સમુ. પ્રથમની, દેવતાના ૧૩ દંડકમાં પ સમુ. પ્રથમની, વાયુમાં ૪ સમુ. પ્રથમની, ૪ સ્થાવર, ૩ વિકલ. માં ૩ સમુ. પ્રથમની, તિર્યંચ પંચે. માં સમુ. ૫ પ્રથમની, મનુષ્યમાં ૭ સમુ. લાભે. (૨) કાળ દ્વાર : છ સમુ. નો કાળ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધીનો અને કેવળી સમુ. નો કાળ ૮ સમયનો છે. (૩) ૨૪ દંડક એકેક જીવની અપેક્ષા : વેદનીય, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુ. ર૪ દંડકના એક એક જીવે ભૂતકાળમાં અનંતી કરી અને ભવિષ્યમાં કોઈ કરશે, કોઈ નહિ કરે, કરે તો ૧-૨-૩ જાવ સંખ્યાત, અસંખ્યાત, અનંત કરે. ૩. મારણાંતિક સમુ. – મૃત્યુના અંતર્મુહૂર્ત પહેલા ઉત્પત્તિના સ્થાન સુધી આત્મપ્રદેશોને ફેલાવવા તે. ૪. વૈક્રિય સમુ. – વૈક્રિયરૂપનું નિર્માણ કરવાના હેતુથી વૈક્રિય વર્ગણાના પુગલોને ગ્રહણ કરવા માટે આત્મપ્રદેશોને દિશા અથવા વિદિશામાં સંખ્યાત યોજન સુધી ફેલાવવા તે. ૫. તૈજસ સમુ.– શીત અથવા ઉષ્ણ તેજલેશ્યાનો ઉપયોગ કરવાના હેતુથી આત્મપ્રદેશોને દિશા અથવા વિદિશામાં સંખ્યાત યોજન સુધી ફેલાવવા તે. ૬. આહારક સમુ. – આહારકનું પૂતળું બનાવવા આત્મપ્રદેશને દિશા અથવા વિદિશામાં સંખ્યાત યોજન સુધી ફેલાવવા તે. ૭. કેવળ સમુ. – આયુષ્ય સિવાયના ૩ અઘાતી કર્મોને ખપાવવા માટે ૪ સમયમાં આત્મ પ્રદેશોને સમગ્ર લોકમાં ફેલાવવા તથા ૪ સમયમાં તેને સંકોચી લેવા તે. કેવળ સમુ. ના અંતર્મુહૂર્ત બાદ અવશ્ય મોક્ષ થઈ જાય છે. જેમનું આયુષ્ય ૬ મહિના અથવા તેથી ઓછું બાકી હોય અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તો તેવા કેવળીમાંથી જેમનું આયુષ્ય ઓછું , અને વેદનીય આદિ કર્મની સ્થિતિ વધારે હોય તેને સમ કરવા માટે કેવળ સાત કરાય છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ કિ. શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આહારક સમુદ્યાત ૨૩ દંડકના એકેક જીવે ભૂતકાળમાં સ્યાત કરી, સાત ન કરી. જો કરી છે તો ૧-૨-૩ વાર, ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩-૪ વાર કરશે. મનુષ્ય દંડકના એકેક જીવે ભૂતકાળ માં તો ૧-૨-૩-૪ વાર કરી શેષ પૂર્વવત. કેવળી સમુદ્યાત ૨૩ દંડકના એકેક જીવોએ ભૂતકાળમાં નથી કરી. ભવિષ્યમાં કરે તો ૧ વાર કરશે. મનુષ્યમાં કરી હોય તો ભૂતમાં ૧ વાર, ભવિષ્યમાં પણ ૧ વાર કરશે. (૪) ઘણા જીવ અપેક્ષા ૨૪ દંડક પાંચ (પ્રથમની) સમુદ્યાત ૨૪ દંડકના ઘણા જીવોએ ભૂતકાળમાં અનંતી કરી ભવિષ્યમાં અનંતી કરશે. આહારક સમુદ્યાત ૨૨ દંડકના ઘણા જીવો આશ્રી ભૂતકાળ માં અસંખ્યાતી કરી અને ભવિષ્યમાં અસંખ્યાતી કરશે. વનસ્પતિમાં ભૂત – ભવિષ્યની અનંતી કહેવી. મનુષ્યમાં ભૂત ભવિષ્યની સ્યાત સંખ્યાતી, સ્યાત અસંખ્યાતી કહેવી. કેવળી સમુદ્ધાત ૨૨ દંડકમાં ભૂતમાં નથી કરી. ભવિષ્યમાં અસંખ્યાત કરશે. વનસ્પતિમાં ભૂતમાં નથી કરી, ભવિષ્યમાં અનંત કરશે. મનુષ્યના ઘણા જીવે ભૂતમાં કરી હોય તો જ. ૧-૨-૩ ઉ. પ્રત્યેક સો ભવિષ્યમાં સ્યાત સંખ્યાતી યાત્ અસંખ્યાતી કરશે. (૫) પરસ્પરની અપેક્ષા ૨૪ દંડકઃ એક એક નારકીએ ભૂતકાળમાં નારકીપણે અનંતી વેદનીય સમુદ્ધાત કરી, ભવિષ્યમાં કોઈ કરશે, કોઈ નહિ કરે, જો કરે તો ૧-૨-૩ સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરે. એવી એકેક નારકીની અસુરકુમારપણે યાવત્ વૈમાનિક દેવપણે કહેવી. એકેક અસુરકુમારે નારકીપણે વેદનીય સમુદદ્દાત ભૂતમાં Page #506 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રઘાત પદ [E ]૪૮૭ અનંતી કરી, ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. અસુરકુમારે અસુરકુમારપણે વેદનીય સમુદ્દાત ભૂતમાં અનંત કરી, ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એમ વૈમાનિક સુધી કહેવી. એમ ૨૪ દંડકમાં સમજવી. કષાય સમુદ્યાત એકેક નારકીએ નારકીપણે ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એકેક નારકીએ અસુરકુમારપણે ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં કરે તો સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. એમ જ વ્યંતર, જ્યોતિષી, વૈમાનિકપણે ભવિષ્યમાં કરે તો અસંખ્યાતી, અનંતી કરશે. ઔદારિકના ૧૦ દંડકમાં ભૂતકાળ અનંતી કરી, ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એવં ભવનપતિ પણ કહેવા. એકેક પૃથ્વીકાયી જીવે નારકીપણે કષાય સમુદ્દાત ભૂતમાં અનંતી કરી, અને ભવિષ્યમાં કરશે તો સ્યાત્ સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. એવું ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક પણ ભવિષ્યમાં સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. ઔદારિકના ૧૦દંડકમાં ભવિષ્યમાં સ્માત ૧-૨-૩ જાવ સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. એમ ઔદારિકના ૧૦ દંડક, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, અસુરકુમારની માફક જાણવા. એકેક નારકીએ નારકીપણે મારણાંતિક સમુદ્દાત ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩, સંખ્યાતી જાવ અનંતી કરશે. એવં ૨૪ દંડક કહેવા. પણ સ્વસ્થાન પરસ્થાન સર્વત્ર ૧-૨-૩ કહેવી, કારણ મારણાંતિક સમુદ્ધાત એક ભવમાં એક જ વાર થાય છે. એકેક નારકીએ નારકીપણે વૈક્રિય સમુદ્દાત ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એમ Page #507 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૪િ૮૮૩ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ચોવીસે દંડક, ૧૭ દંડકપણે કષાય સમુદ્ધાત જેમ કરે. સાત દંડક (૪ સ્થાવર, ૩ વિકસેન્દ્રિય) માં વૈક્રિય સમુદ્યાત નથી. એકેક નારકીએ નારકીપણે તૈજસ સમુદ્દાત ભૂતમાં નથી કરી, ભવિષ્યમાં નહિ કરે. એકેક નારકીએ અસુરકુમારપણે ભૂતકાળમાં તૈજસ સમુદ્ધાત અનંતી કરી અને ભવિષ્યમાં કરશે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એમ તૈજસ સમુદ્યાત ૧૫ દંડકમાં મારણાંતિક માફક. આહારક સમુ. મનુષ્ય સિવાયના ૨૩ દંડકના જીવોએ પોતાના કે અન્ય ૨૩ દંડકપણે નથી કરી અને કરશે પણ નહિ. એકેક ૨૩ દંડકના જીવે મનુષ્યપણે આહારક સમુદઘાત જો કરી હોય તો ૧-૨-૩ અને ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩-૪ વાર કરશે. કેવળી સમુદ્યાત મનુષ્ય સિવાયના ૨૩ દંડકના જીવોએ પોતાના કે અન્ય ૨૩ દંડકપણે ભૂતકાળમાં નથી કરી અને ભવિષ્યમાં કરશે નહિ. મનુષ્યપણે ભૂતકાળમાં નથી કરી અને ભવિષ્યમાં કરશે તો એકવાર કરશે. એકેક મનુષ્ય ૨૩ દંડકપણે કેવળી સમુદ્ધાત કરી નથી અને કરશે પણ નહિ. એકેક મનુષ્ય મનુષ્યપણે કેવળી સમુદ્ધાત કરી હોય તો ૧ વાર અને કરશે તો પણ ૧ વાર. (૬) ઘણા જીવો પરસ્પર ઘણા નારકીએ ઘણા નારકીપણે વેદનીય સમુદ્યાત ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં અનંતી કરશે, એમ ચોવીસે દંડક માટે પણ સમજવું. શેષ ૨૩ દંડકમાં પણ નારકીવતું વેદનીય માફક જ કષાય, મારણાંતિક, વૈક્રિય અને તેજસ સમુદ્ધાતનું સમજવું. પણ વૈક્રિય સમુદ્ધાત ૧૭ દંડકમાં અને તેજસ સમુદ્ધાત ૧૫ દંડકમાં કહેવું. ઘણા નારકીએ ૨૩ દંડક (મનુષ્ય સિવાયના) પણે આહારક Page #508 -------------------------------------------------------------------------- ________________ સમુદ્દાત પદ ૪૮૯ સમુદ્દાત ન કરી, ન ક૨શે. મનુષ્યપણે ભૂતમાં અસંખ્યાતી ક૨ી ભવિષ્યમાં અસંખ્યાતી ક૨શે, એવું ૨૩ દંડક (વનસ્પતિ સિવાયના) પણે સમજવું. વનસ્પતિમાં અનંતી કહેવી. ઘણા મનુષ્ય ૨૩ દંડકપણે આહા૨ક સમુદ્દાત કરી નથી અને ક૨શે પણ નહિ. મનુષ્યપણે ભૂતમાં સ્યાત્ સંખ્યાતી, સ્વાત્ અસંખ્યાતી ક૨ી અને ભવિષ્યમાં પણ કરે તો સ્યાત્ સંખ્યાતી સ્યાત્ અસંખ્યાતી કરશે. ઘણા ના૨કાદિ ૨૩ દંડકના જીવોએ ઘણા નકાદિ ૨૩ દંડકપણે કેવળી સમુદ્દાત કરી નથી અને ક૨શે પણ નહિ. મનુષ્યપણે ક૨ી નથી. જો ક૨ે તો સંખ્યાતી, અસંખ્યાતી ક૨શે. ઘણા મનુષ્ય ૨૩ દંડકપણે કેવળી સમુદ્દાત ક૨ી નથી. ક૨શે પણ નહિ. મનુષ્યપણે ક૨ી હોય તો સંખ્યાતી ક૨ી. ભવિષ્યમાં ક૨શે તો સ્માર્ સંખ્યાતી સ્યાત્ અસંખ્યાતી ક૨શે. (૭) અલ્પબહુત્વ : સમુચ્ચય અલ્પબહુત્વ ૧. સૌથી થોડા આહા૨ક સમુદ્દાતવાળા ૨. તેથી કેવળ સમુદ્દાતવાળા સંખ્યાત ગણા. ૩. તેથી તૈજસ સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા. ૪. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા. ૫. તેથી મા૨ણાંતિક સમુદ્દાતવાળા અનંત ગણા. તેથી કષાય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા. ૬. ૭. તેથી વેદનીય સમુદ્દાતવાળા વિશેષાધિક. ૮. તેથી અસમોહિયા (સમુદ્દાત નહિ કરનારા) સંખ્યાત ગણા. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ મનુષ્યનો અલ્પબહુત્વ – ૧. સૌથી થોડા આહારક સમુદ્દાતવાળા ૨. તેથી કેવળી સમુદ્ધાતવાળા સંખ્યાત ગણા, ૩. તેથી તૈજસ સમુદ્ધાતવાળા સંખ્યાત ગણા, ૪. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૫. તેથી મા૨ણાંતિક સમુદ્ધાતવાળા અસંખ્યાત ગણા, તેથી વેદનીય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૭. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૮. તેથી અસમોહિયા સંખ્યાત ગણા, ૬. દેવતાનો અલ્પબહુત્વ – ૧. સૌથી થોડા તૈજસ સમુદ્દાતવાળા ૨. તેથી મા૨ણાંતિક સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૩. તેથી વેદનીય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૪. તેથી કષાય સમુદ્ધાતવાળા સંખ્યાત ગણા, ૫. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાતગણા, ૬. તેથી અસમોહિયા સંખ્યાત ગણા, ના૨કીનો અલ્પબહુત્વ – - ૧. સૌથી થોડા મા૨ણાંતિક સમુદ્ધાતવાળા, ૨. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૩. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૪. તેથી વેદનીય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૫. તેથી અસમોહિયા સંખ્યાત ગણા, તિર્યંચ પંચેન્દ્રિયનો અલ્પબહુત્વ – ૧. સૌથી થોડા તૈજસ સમુદ્ધાતવાળા Page #510 -------------------------------------------------------------------------- ________________ સમુદ્દાત પદ ૫. ૨. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૩. તેથી મા૨ણાંતિક સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૪. તેથી વેદનીય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૬. તેથી અસમોહિયા સંખ્યાત ગણા, પૃથ્વી આદિ ચાર સ્થાવ૨નો અલ્પબહુત્વ – ૧. સૌથી થોડા મા૨ણાંતિક સમુદ્દાતવાળા, ૨. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૩. તેથી વેદનીય સમુદ્દાતવાળા વિશેષાહિયા, ૪. તેથી અસમોહિયા અસંખ્યાત ગણા. વાયુકાયનો અલ્પબહુત્વ – ૧. સૌથી થોડા વૈક્રિય સમુદ્દાતવાળા, ૨. તેથી મા૨ણાંતિક સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૩. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૪. તેથી વેદનીય સમુદ્દાતવાળા વિશેષાધિક, પ. તેથી અસમોહિયા અસંખ્યાત ગણા. વિકલેન્દ્રિયનો અલ્પબહુત્વ – ૧. સૌથી થોડા મા૨ણાંતિક સમુદ્દાતવાળા ૨. તેથી વેદનીય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, 3. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૪. તેથી અસમોહિયા અસંખ્યાત ગણા. ઇતિ સમૃદ્દાત પદ. 全图图图图图图图 Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪િ૯૨૩ Sિ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૬૨. ઉપયોગ પદ) શ્રી પન્નવણા સૂત્ર પદ ૨૯ ઉપયોગ બે પ્રકારના છે. ૧. સાકાર ઉપયોગ (જ્ઞાનનો) અને ૨. અનાકાર ઉપયોગ (દર્શનનો). સાકાર ઉપયોગ આઠ પ્રકારનો છે. પાંચ જ્ઞાન તે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન. ત્રણ અજ્ઞાન તે મતિ, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન). અનાકાર ઉપયોગ ૪ પ્રકારનો છે. ચક્ષુ, અચકું, અવધિ અને કેવળદર્શન. હવે ર૪ દંડકમાં કેટકેટલા ઉપયોગ લાભે છે તે કહે છે. | દંડક | નામ | ઉપયોગી સાકાર | અનાકાર | સમુચ્ચય જીવમાં નારકી દેવતા સ્થાવર બેઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય \ ܩ n ܩ m ܧ ૦ ܩ જ ન જ ܩ܂ ܩܢ ܩܢ ܩܢ m | \ ઇતિ ઉપયોગ પદ, * છ છ છ EN ES SG G $ $ $ જ Page #512 -------------------------------------------------------------------------- ________________ --- ઉપયોગ અધિકાર ૪િ૯૩ ૬૩. ઉપયોગ અધિકાર છે શ્રી ભગવતી સૂત્ર શતક ૧૩, ઉ. ૧/૨ ઉપયોગ ૧૨ છે. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન. એ ૧૨ ઉપયોગમાંથી જીવ કઈ ગતિમાં કેટલા ઉપયોગ સાથે લઈ જાય છે ? કેટલા ઉપયોગ સાથે લઈને નીકળે છે ? એ અહિં બતાવાશે. (૧) ૧-૨-૩ નરકમાં જતી વખતે ૮ ઉપયોગ [૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન (અચક્ષુ અને અવધિ)] લઈને આવે અને ૭ ઉપયોગ (ચક્ષુ દર્શન, વિભંગ જ્ઞાન વર્જીને) લઈને નીકળે. [૮૭] ૪–-૬ નરકમાં ૮ ઉપયોગ ઉપરવત્ લઈને આવે અને પ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. [૮૫] ૭મી નરકમાં ૫ ઉપયોગ (૩ અજ્ઞાન, ર દર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ (ર અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. [૩] (૨) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ર દર્શન) લઈને આવે અને પ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. [૮૫] ૧૨ દેવલોક, ૯ રૈવેયકમાં ૮ ઉપયોગ લઈને આવે અને ૭ ઉપયોગ (વિર્ભાગજ્ઞાન વર્જીને) લઈને નીકળે. [૮૭] અનુત્તર વિમાનમાં પ ઉપયોગ (૩ જ્ઞાન, ર દર્શન) લઈને આવે અને એ જ પ ઉપયોગ લઈને નીકળે. [૫૫] (૩) ૫ સ્થાવરમાં ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ લઈને નીકળે. [૩૩] ત્રણ વિકલેન્દ્રિયમાં ૫ ઉપયોગ (ર જ્ઞાન, ર અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ (ર અજ્ઞાન, ૧ દર્શન) Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ લઈને નીકળે. [૫૩] તિર્યંચ પંચેન્દ્રિયમાં ૫ ઉપયોગ લઈને આવે અને ૮ ઉપયોગ લઈને નીકળે. [૫૮] મનુષ્યમાં ૭ ઉપયોગ (૩ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૮ ઉપ. લઈને નીકળે. [૭૮] સિદ્ધમાં કેવળજ્ઞાન, કેવળદર્શન લઈને આવે અને અનંતકાળ સુધી આનંદઘન રૂપે શાશ્વતા બિ૨ાજે. ઇતિ ઉપયોગ અધિકાર. 關關珍 懷的小团服务 ૬૪. નિયંઠા શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ગાથા । પણવણ વેદ રાગે કપ્પ, ચરિત્ત પડિસેવણા ણાણે | નિત્ય લિંગ સરીરે ખત્તે, કાલ ગતિ સંજમ નિકાસે ॥ ૧ ॥ જોગુવઓગ કસાએ લેસ્સા, પરિણામ બંધ વેદે ય કમ્મોદી૨ણ ઉવસંપજહણ, સન્ના ૫ આહારે ॥ ૨ ॥ ભવ આગરિસે કાલંતરે ય, સમુગ્ધાય ખત્ત ફુસણા ય | ભાવે પરિમાણે ખલુ, અલ્પાબહુયં નિયંઠાણું ॥ ૩ ॥ નિગ્રંથોનાં ૩૬ દ્વા૨ના નામ – ૧. પક્ષવણા (પ્રરૂપણા), ૨. વેદ, ૩. રાગ, ૪. કલ્પ, ૫. ચારિત્ર, ૬. પડિસેવણા, ૭. જ્ઞાન, ૮. તીર્થ, ૯. લિંગ, ૧૦. શ૨ી૨, ૧૧. ક્ષેત્ર, ૧૨. કાળ, ૧૩. ગતિ, ૧૪. સંયમ સ્થાન, ૧૫, નિકાસે (ચારિત્ર પર્યાય), ૧૬. યોગ, ૧૭. ઉપયોગ, ૧૮. કષાય, ૧૯. લેશ્યા, ૨૦. પરિણામ, ઉ. ૬ ધ Page #514 -------------------------------------------------------------------------- ________________ નિયંઠા ૨૧. બંધ, ર૨. વેદ, ૨૩. ઉદિરણા, ૨૪. ઉપસંપઝાણ (ક્યાં જાય ?), ૨૫. સગાબડુત્તા, ૨૬. આહાર, ૨૭, ભવ, ૨૮. આગરેસ, ૨૯. કાળ–સ્થિતિ, ૩૦. આંતરો, ૩૧. સમુદ્યાત, ૩૨. ક્ષેત્ર વિસ્તાર, ૩૩. સ્પર્શના, ૩૪. ભાવ, ૩૫. પરિમાણ, ૩૬. અલ્પબદુત્વકાર. ૧. પન્નવણા (પ્રરૂપણા) દ્વાર – નિગ્રંથ (સાધુ) છ પ્રકારના પ્રરૂપ્યા છે. (1) મુલાક, (2) બકુશ, (3) ડિસે વણા, (4) કષાયકુશીલ, (5) નિર્ગથ, (6) સ્નાતક. (1) પુલાક – શાળ (ચોખા) ના પૂળા જેવા. જેમાં સાર વસ્તુ ઓછી અને ઘાસ માટી વધુ હોય. પુલાકના બે ભેદ છે. (અ) લબ્ધિ પુલાક – કોઈ ચક્રવર્તી આદિ કોઈ જૈન મુનિની કે જૈન શાસન આદિની આશાતના કરે તો તેની સેના આદિને સજા કરવા ચકચૂર કરવા માટે લબ્ધિનો પ્રયોગ કરે તે. (બ) પ્રતિસેવના પુલાક-તેના પાંચ પ્રકાર છે. (૧) જ્ઞાનપુલાક (૨) દર્શન પુલાક (૩) ચારિત્રપુલાક (૪) લિંગપુલાક (અકારણ વેશ બદલે) (૫) અહાસુહુમપુલાક – જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લિંગ એ ચારમાંથી કોઈ બે, ત્રણ કે ચાર ભેદોમાં થોડી થોડી વિરાધના કરે. (2) બકુશ – બકુશ નિગ્રંથ તે ખળામાં પડેલી શાળવતુ. બકુશના પાંચ પ્રકાર છે. (i) આભોગબકુશ – જાણીને દોષ લગાડે, (ii) અનાભોગ બકુશ – અજાણતાં દોષ સેવે તે. (ii) સંવડા બકુશ– છાનાં દોષ લગાડે. (iv) અસંવુડા બકુશ–પ્રગટ દોષ લગાડે. (v) અહાસુહુમ બકુશ– હાથ, મોં ધોવે, આંખ આંજે ઈત્યાદિ કરે. * (3) ડિસેવણા કુશીલ - શાળના ઊપણેલા ખળા જેવા. તેના પાંચ પ્રકાર. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લિંગ નિમિત્તે દોષ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬) ની શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ લગાડનાર હોય તેને ક્રમશઃ (૧) જ્ઞાનપડિસેવણા કુશીલ, (૨) દર્શનપડિસેવણા કુશીલ, (૩) ચારિત્રપતિસેવણા કુશીલ, (૪) લિંગપડિસેવણા કુશીલ કહે છે. (૫) તપના ફળની ઈચ્છા કરે અને દેવાદિપદની ઈચ્છા કરે તે અહાસુહુમ પડિસેવણા કુશીલ છે. (4) કષાયકુશીલ – ફોતરાંવાળી, કચરા વિનાની શાળ જેવા. ફક્ત સંજવલનના કષાયને કારણે જેનું ચારિત્ર દૂષિત છે તેને કષાયકુશીલ કહે છે. તેના પાંચ ભેદ છે. (૧) જ્ઞાન, (૨) દર્શન અને (૩) ચારિત્રમાં કષાય કરે, (૪) કષાય કરીને લિંગ બદલે, (૫) તપ કરીને કષાય કરે. (5) નિર્ગથ – ફોતરાં કાઢેલી – ખાંડેલી શાળ જેવા. તેના પાંચ ભેદ છે. (૧) પ્રથમ સમય નિગ્રંથ – દસમે ગુણસ્થાનકેથી ૧૧ કે ૧૨ મા ગુણસ્થાનકે ચડતાં પ્રથમ સમયના. (૨) અપ્રથમ સમય નિગ્રંથ – ૧૧ કે ૧૨ ગુણસ્થાનકમાં એક સમયથી વધુ સમય થયો હોય તે. (૩) ચરમ સમય નિગ્રંથ – ૧ સમયનું નિર્ચથપણું જેને બાકી હોય. (૪) અચરમ સમય નિર્ચથ – એક સમયથી વધારે નિગ્રંથપણું જેને બાકી હોય. (૫) અહાસુહુમ નિર્ગથ – ઉપરોક્ત પ્રકારના અને સર્વ પ્રકારના નિર્ચથી. (6) સ્નાતક – શુદ્ધ, અખંડ એવં સુગંધિત ચોખા જેવા. તેના પાંચ ભેદ (૧) અચ્છવી – યોગ નિરોધને કારણે જેમાં છવિ (શરીર) ભાવ બિલકુલ ન હોય તે. (૨) અસબલે –૨૧ સબલા દોષ રહિત છે, જેમાં અતિચારરૂપ મેલ જરાપણ ન હોય. (૩) અકર્મો – ઘાતિ કર્મથી રહિત. (૪) સંશુદ્ધ – વિશુદ્ધ કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક એવા કેવળી, અરિહંત આદિ. (૫) અપરિસ્સવી – કર્મબંધના પ્રવાહથી રહિત એવા અબંધક. Page #516 -------------------------------------------------------------------------- ________________ નિયંઠા ૨. વેદ દ્વાર – (૧) પુલાક પુરુષવેદી અને પુરુષ નપુંસક વેદી હોય. (૨-૩) બકુશ, પ્રતિસેવના ત્રણે ત્રણ વેદી. (૪) કષાયકુશીલ ત્રણ વેદી અથવા અવેદી (ઉપશાંત કે ક્ષીણ). (૫) નિગ્રંથ અવેદી (ઉપશાંત કે ક્ષીણ). (૬) સ્નાતક ક્ષીણ અવેદી હોય. ૩. રાગ દ્વાર – પ્રથમ ચાર નિયંઠા સુરાગી, પાંચમો નિગ્રંથ નિયંઠો વિતરાગી (ઉપશાંત કે ક્ષીણ), સ્નાતક ક્ષીણ વિતરાગી હોય. ૪. કલ્પ દ્વાર – કલ્પ એટલે નિયમ. તેના પાંચ પ્રકાર છે. ૧ સ્થિતકલ્પ, ૨ અસ્થિતકલ્પ, ૩ સ્થવિરકલ્પ, ૪ જિનકલ્પ અને પ કલ્પાતીત. તેમ જ બીજી રીતે કલ્પ દશ પ્રકારના છે. ૧. અચલ', ૨. ઉદ્દેશી, ૩. રાજપિંડ, ૪. સેજતર, ૫. માસકલ્પ, ૬. ચૌમાસી કલ્પ, ૭. વત, ૮. પ્રતિક્રમણ, ૯. કૃતિકર્મ (કીર્તિધર્મ):, ૧૦. પુરુષ જયેષ્ઠ. ૧. સ્થિતકલ્પ, ૨. અસ્થિતકલ્પ – ૨૪ તીર્થંકરનાં દરેકના શાસનમાં જેનું પાલન અવશ્ય કરવામાં આવે છે તે સ્થિતકલ્પ. ઉપરના ૧૦ કલ્પમાંથી ૪. સેક્ઝાંતર, ૭. વત, ૯. કૃતિકર્મ, ૧૦. પુરુષ યેષ્ઠ એ ચાર સ્થિતકલ્પ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં સાધુ સાધ્વીજીને ૧૦ કલ્પનું પાલન ફરજિયાત હોય છે. મધ્યના ૨૨ તીર્થકરના અને મહાવિદેહના સાધુઓને ૪, ૭, ૯, ૧૦ એ ચાર કલ્પ ફરજિયાત અને શેષ છ ની ભજન હોય છે. ૧–૨–૩–પ૬-૮ એ છ અસ્થિતકલ્પ છે. ૧. અચેલ – અલ્પ વસ્ત્ર અથવા અલ્પ કિંમતના વસ્ત્ર. ૨. માસિકલ્પ – સાધુને ર૯ દિવસ તથા સાધ્વીજીને પ૮ દિવસ. ૩. કૃતિકર્મ – નાની દીક્ષા પર્યાયવાળા મોટી દીક્ષા પર્યાયવાળાને વંદન કરે તે વ્યવહાર. 1-32 Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮][ ] શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ ૩. સ્થવિરકલ્પ – જે સંઘ કે સમૂહમાં, ઉપાશ્રયમાં રહે છે, શિષ્ય આદિ બનાવે છે, શાસ્ત્રોક્ત મર્યાદાનુસાર વસ્ત્ર – પાત્રાદિ રાખે છે. ૪. જિનકલ્પ - જે સંઘ કે સમૂહમાં રહેતા નથી, ગુફા આદિમાં રહે છે. જઘન્ય ર અને ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખે છે. ૫. કલ્પાતીત - કેવળજ્ઞાની, છદ્મસ્થ તીર્થકર, અરિહંત તથા વીતરાગી. (૧) પુલાક – સ્થિત, અસ્થિત અને વિકલ્પી હોય. (૨,૩) બકુશ અને પડિલેવણામાં સ્થિત, અસ્થિત, સ્થવિર, જિનકલ્પ એમ ૪ કલ્પ હોય. (૪) કષાયકુશીલમાં પાંચ કલ્પ હોય (પાંચમો કલ્પ છમસ્થ તીર્થંકર આદિ અપેક્ષા). (૫૬) નિગ્રંથ અને સ્નાતકમાં - સ્થિત, અસ્થિત અને કલ્પાતીત એ ત્રણ કલ્પ હોય. ૫. ચારિત્ર દ્વાર – ચારિત્ર પાંચ છે. ૧. સામાયિક ચારિત્ર, ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર, ૩. પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, પ. યથાખ્યાત ચારિત્ર. પુલાક, બકુશ, પડિલેવણામાં સામાયિક અને છેદોપસ્થાપનીય બે ચારિત્ર. કષાયકુશીલમાં ૪ ચારિત્ર તે સામા, છેદો, પરિ વિ. અને સૂક્ષ્મસંપરાય. નિગ્રંથ અને સ્નાતકમાં એક યથાખ્યાત ચારિત્ર હોય. ૬પડિલેવાણા દ્વાર – મૂળગુણ પ્રતિસવી (મહાવતમાં દોષ લગાડે) અને ઉત્તરગુણ પ્રતિસવી (અનાગત આદિ ૧૦પચ્ચકખાણ વિ. ઉત્તરગુણમાં દોષ લગાડે). પુલાક અને પડિસેવણા મૂળગુણ ૧ ૧) અનાગત, ૨) અતિક્રાન્ત, ૩) કોટિસહિત, ૪) નિયંત્રિત, ૫) સાગાર, ૬) અનાગાર, ૭) પરિમાણ કૃત, ૮) નિરવિશેષ, ૯) સાંકેતિક, અને ૧૦) અદ્ધા પચ્ચકખાણ. Page #518 -------------------------------------------------------------------------- ________________ નિયંઠા ૪૯૯ - અને ઉત્ત૨ગુણ પ્રતિસેવી. બકુશ મૂળગુણ અપ્રતિસેવી, ઉત્ત૨ગુણ પ્રતિસેવી. શેષ ત્રણ નિયંઠા અપ્રતિસેવી (વ્રતોમાં દોષ ન લગાડે). ૭. જ્ઞાન દ્વાર – પુલાક, બકુશ, પડિસેવણા નિયંઠામાં બે જ્ઞાન (મતિ, શ્રુત) અથવા ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, અવિધ). કાયકુશીલ અને નિગ્રંથમાં બે જ્ઞાન (મતિ, શ્રુત) અથવા ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, અવિધ) અથવા ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, મન:પર્યવ) અથવા ચાર જ્ઞાન (મતિ, શ્રુત, અધિ, મન:પર્યવ). સ્નાતકમાં એક કેવળજ્ઞાન. પુલાક શ્રુતજ્ઞાન આશ્રી જઘન્ય ૯ મા પૂર્વની ત્રીજી આચા૨વત્યુ, ઉત્કૃષ્ટ ૯ પૂર્વ પૂર્ણ. બકુશ અને ડિસેવણાને જ. અષ્ટ પ્રવચન માતા, ઉ. ૧૦ પૂર્વ. કષાયકુશીલ અને નિગ્રંથ જ. અષ્ટ પ્રવચન માતા, ઉ. ૧૪ પૂર્વ. સ્નાતક સૂત્ર(શ્રુત) વ્યતિરિક્ત છે. ૮. તીર્થ દ્વાર – પુલાક, બકુશ, પડિસેવણા તીર્થમાં હોય. શેષ ત્રણ તીર્થ અને અતીર્થ બન્નેમાં હોય. અતીર્થમાં તીર્થંકર તથા પ્રત્યેક બુદ્ધ આદિ હોય. ૯. લિંગ દ્વાર – છ એ નિયંઠા દ્રવ્યલિંગ અપેક્ષા સ્વલિંગ, છ અન્યલિંગ અથવા ગૃહસ્થલિંગમાં હોય. ભાવ અપેક્ષા સ્વલિંગમાં જ હોય. ૧૦. શરીર દ્વાર – પુલાક, નિગ્રંથ અને સ્નાતકમાં ૩ શરીર (ઔ., તૈ., કા.). બકુશ, ડિસેવણામાં ૪ શરીર (ઔ., વૈ., તૈ., કા.). કાયકુશીલમાં પાંચ શરીર. ૧૧. ક્ષેત્ર દ્વાર – છ નિયંઠા જન્મ અપેક્ષાએ ૧૫ કર્મભૂમિમાં હોય. સંહરણ અપેક્ષાએ પાંચ નિયંઠા પુલાક સિવાયના કર્મભૂમિ અને અકર્મભૂમિમાં હોય. (પ્રસંગોપાત) પુલાક લબ્ધિ સાધુ, આહા૨ક શ૨ી૨ી, અવેદી, પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા, ચૌદપૂર્વધ૨, સાધ્વી, અપ્રમાદી, ઉપશમ શ્રેણીવાળા, ક્ષપક શ્રેણીવાળા તથા કેવળી થયા Page #519 -------------------------------------------------------------------------- ________________ પશિ ) શ્રી બૃહદ જેને થોક સંગ્રહ બાદ સંહરણ થતું નથી. ૧૨. કાળ દ્વાર – પલાક, નિર્ગથ અને સ્નાતક અવસર્પિણી કાળમાં ૩-૪થે આરે જન્મ અને ૩-૪-૫ મા આરામાં પ્રવર્તે. ઉત્સર્પિણી કાળમાં ૨–૩–૪ થા આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે. પુલાકનું સાહરણ ન થાય પણ નિર્ગથ અને સ્નાતક સાહરણ અપેક્ષાએ બીજા કાળમાં પણ હોય. બકુશ, પડિસેવણા અને કષાયકુશીલ અવસર્પિણી કાળમાં ૩–૪–૫ મે આરે જન્મ અને ૩-૪-૫ મા આરામાં પ્રવર્તે. ઉત્સર્પિણી કાળમાં ૨-૩-૪ થા આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે. છ એ નિયંઠા મહાવિદેહ ક્ષેત્રમાં સદા હોય. ૧૩. ગતિ દ્વાર – ૫ ગતિ સ્થિતિ પામે | નિયંઠો | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | પુલાક સુધર્મ દેવલોક સહસ્ત્રાર દેવલોક પ્રત્યેક પલ્ય ૧૮ સાગર બકુશ સુધર્મ દેવલોક અશ્રુત દેવલોક પ્રત્યેક પલ્યર સાગર પડિલેહણા સુધર્મ દેવલોકઅય્યત દેવલોક પ્રત્યેક પલ્યર સાગર કષાયકુશીલ સુધર્મ દેવલોક અનુત્તર વિમાન | પ્રત્યેક પલ્ય૩૩ સાગર ઉપશાંત નિર્ચથી પાંચ અનુત્તર વિમાન | ૩૩ સાગર ૩૩ સાગર ક્ષણ નિગ્રંથ મોક્ષ સાદિ અનંત મોક્ષ સાદિ અનંત દેવતામાં પદવી પાંચ છે. ૧. ઇન્દ્ર ૨. લોકપાલ, ૩. ત્રાયન્ટિંશક, ૪. સામાનિક, ૫. અહેમેન્દ્ર. પુલાક, બકુશ, પડિસેવણા પ્રથમ ૪ પદવીમાંની કોઈપણ ૧ પદવી પામે. કષાયકુશીલ પાંચમાંથી ૧ પદવી પામે. નિગ્રંથ અહમેન્દ્ર જ થાય. સ્નાતક મોક્ષે જાય. જઘન્ય વિરાધક હોય તો ૪ પદવીમાંથી એક પદવી પામે, ઉત્કૃષ્ટ વિરાધક હોય તો ૨૪ દંડકમાં અથવા અન્ય ગતિઓમાં ભ્રમણ કરે. સ્નાતક Page #520 -------------------------------------------------------------------------- ________________ નિયંઠા ૧૪. સંયમ સ્થાન દ્વા૨ – સંયમ સ્થાન = કષાયની મંદતા, તરતમતા. સંયમ સ્થાન અસંખ્યાતા છે. પ્રથમ ચાર નિયંઠામાં અસંખ્યાતા સંયમ સ્થાન છે. નિગ્રંથ અને સ્નાતકમાં સંયમાન એક જ હોય. અલ્પબદુત્વ – સૌથી થોડા નિગ્રંથ અને સ્નાતકનાં સંયમસ્થાન. તેથી મુલાકના સંયમસ્થાન અસંખ્યાતગણા. તેથી બકુશના સંયમસ્થાન અસંખ્યાતગણી. તેથી પડિસેવણાના સંયમસ્થાન અસંખ્યાતગણા. તેથી કષાયકુશીલના સંયમસ્થાન અસંખ્યાતગણા. ૧૫. નિકાસે (સંયમના પર્યવ) દ્વાર – પર્યવ = આત્મ શુદ્ધિ. બધાના ચારિત્ર પર્યવ અનંતા અનંતા. પુલાકથી પુલાકના ચારિત્ર પર્યવ પરસ્પર છઠ્ઠાણવડિયા. તેમાં છ સ્થાન હીનાધિકતા આ પ્રમાણે છે. ૧. અનંતભાગહીન, ૨. અસંખ્યાતભાગહીન, 3. સંખ્યાતભાગહીન, ૪. સંખ્યાતગુણહીન, ૫. અસંખ્યાતગુણહીન, ૬. અનંતગુણહીન. છ સ્થાન અધિક (વૃદ્ધિ), ૧. અનંતભાગવૃદ્ધિ, ૨. અસંખ્યાતભાગવૃદ્ધિ, ૩ સંખ્યાતભાગવૃદ્ધિ, ૪. સંખ્યાતગુણવૃદ્ધિ, ૫. અસંખ્યાતગુણવૃદ્ધિ, ૬. અનંતગુણવૃદ્ધિ. (૧) પુલાક નિયંઠા – બકુશ અને પડિલેવણાથી અનંતગણ હીન. કષાયકુશીલથી છઠ્ઠાણવડિયા. નિગ્રંથ, સ્નાતકથી અનંતગુણહીન. (૨) બકુશ નિયંઠા – પુલાકથી અનંતગુણવૃદ્ધિ. બકુશ બકુશથી છઠ્ઠાણવડિયા. પડિસેવણા, કપાયકુશીલથી છઠ્ઠાણવડિયા. નિગ્રંથ, સ્નાતકથી અનંતગુણહીન. (૩) ડિસેવણા નિયંઠા બકુશની જેમ સમજવા. (૪) કષાયકુશીલ નિયંઠા પ્રથમ ચાર નિયંઠાથી છઠ્ઠાણવડિયા. નિગ્રંથ, સ્નાતકથી અનંતગુણહીન. (૫) નિગ્રંથ નિયંઠા પ્રથમ ચાર નિયંઠાથી અનંતગણ અધિક નિગ્રંથ, સ્નાતકથી સમતુલ્ય. Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૬) સ્નાતકને નિગ્રંથની માફક (ઉપરવતું) જાણવા. સંયમ પર્યવનો અલ્પબદુત્વ – પુલાક અને કષાયકુશીલના જઘન્ય ચારિત્ર પર્યવ પરસ્પર તુલ્ય. તેથી પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનંતગણા. તેથી બકુશ અને પડિસેવણાના જ. ચારિત્ર પર્યવ પરસ્પર તુલ્ય અને અનંતગણો. તેથી બકુશના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનંતગણા. તેથી પડિસેવણાના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનંતગણા. તેથી કપાયકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનંતગણા. તેથી નિગ્રંથ અને સ્નાતકના ચારિત્ર પર્યવ (પરસ્પર તુલ્ય) અને અનંતગણા. ૧૬. યોગ દ્વાર – પ્રથમ પાંચ નિયંઠા સયોગી. સ્નાતક સયોગી તથા અયોગી. ૧૭. ઉપયોગ દ્વાર – છ નિયંઠામાં સાકાર, નિરાકાર બન્ને ઉપ. ૧૮. કષાય દ્વાર – પ્રથમ ૩ નિયંઠામાં સંવલન કષાય હોવાથી સકષાયી. કષાયકુશીલમાં સંજ્વલન કષાય ૪–૩–૨–૧. નિગ્રંથ અકષાયી (ઉપશાંત કે ક્ષીણ). સ્નાતક ક્ષીણ અકષાયી. ૧૯. વેશ્યા દ્વાર – પ્રથમ ત્રણ નિયંઠામાં ત્રણ શુભ લેશ્યા. કષાયકુશીલમાં ૬ લેશ્યા. નિગ્રંથમાં શુક્લ વેશ્યા. સ્નાતકમાં શુક્લ લેશ્યા અથવા અલેશી. ૨૦. પરિણામ દ્વાર – પ્રથમ ચાર નિયંઠામાં ત્રણ પરિણામ હિયમાન (ઘટતા), વર્ધમાન (વધતા), અવસ્થિત (સમાન). તેમાં હિયમાન, વર્ધમાનની સ્થિતિ જ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્તની. અવસ્થિતની સ્થિતિ જ. ૧ સમય, ઉ. ૭ સમયની. નિગ્રંથમાં બે પરિણામ વર્ધમાન અને અવસ્થિત. વર્ધમાનની સ્થિતિ જ. ઉ. * આ સ્થિતિ ફક્ત સરાગી જીવો માટે છે પરંતુ વીતરાગીને તો અવસ્થિત પરિણામ જ હોય, તેને ૭ સમયનું બંધન ન હોય. Page #522 -------------------------------------------------------------------------- ________________ નિયંઠા ૫૦૩ અંતર્મુહૂર્તની, અવસ્થિતની જ. ૧ સમય ઉ. અંતર્મુહૂર્ત. સ્નાતકમાં બે પરિણામ વર્ધમાન અને અવસ્થિત. વર્ધમાનની સ્થિતિ જ. અંત. ઉ. અંત. અને અવસ્થિતની સ્થિતિ જ. અંત. ઉ દેશે ઉણી પૂર્વ ક્રોડ વર્ષ. ૨૧. બંધ દ્વાર – પુલાક ૭ કર્મ (આયુષ્ય સિવાય) બાંધે. બકુશ અને ડિસેવણા ૭ – ૮ કર્મ બાંધે. કષાયકુશીલ ૭-૮-૬ (આયુષ્ય, મોહનીય સિવાય) કર્મ બાંધે. નિગ્રંથ ૧ શાતાવેદનીય બાંધે. સ્નાતક શાતાવેદનીય બાંધે અથવા અબંધક. - ૨૨. વેદે દ્વાર – પ્રથમ ૪ નિયંઠા ૮ કર્મ વેદે. નિથ મોહનીય છોડીને ૭ કર્મ વેદ. સ્નાતક ચાર અઘાતિ કર્મ વેદે. ૭ ૨૩. ઉદિ૨ણા દ્વાર – પુલાક છ કર્મની (આયુષ્ય, વેદનીય વર્જી) ઉદિરણા કરે. બકુશ, પડિસેવણા ૬/૭ કે ૮ કર્મની ઉદિ૨ણા કરે. કષાયકુશીલ ૭,૮,૬,૫ કર્મની ઉદિ૨ણા કરે. (પ ની કરે તો આયુષ્ય, વેદનીય, મોહનીય વર્જીને). નિગ્રંથ ૫ કે ૨ (નામ, ગોત્ર) કર્મની ઉદિરણા કરે. સ્નાતક નામ, ગોત્રની ઉદિ૨ણા કરે અથવા અનુદિક. ૨૪. ઉપસંપઝાણું દ્વાર - (તે સ્થાનને છોડી ક્યું સ્થાન સ્વીકારે?) – પુલાક, પુલાકપણાને છોડીને કષાયકુશીલમાં કે અસંયમમાં જાય. બકુશ બકુશપણાને છોડીને પડિસેવણામાં, કષાયકુશીલમાં, અસંયમમાં કે સંયમાસંયમમાં જાય. પડિસેવણાવાળો બકુશ, ક.કુ.માં, અસંયમમાં કે સંયમાસંયમમાં એ ૪ માં જાય. કષાયકુશીલ - પુ., બ., ડિ., અસ., સંય.માં કે નિગ્રંથમાં જાય. નિગ્રંથ – કષાયકુશીલ, સ્નાતક કે અસંયમમાં જાય. સ્નાતક મોક્ષમાં જાય. ૨૫. સંજ્ઞા દ્વાર -- પુલાક, નિગ્રંથ અને સ્નાતક નોસંજ્ઞાબહુત્તા હોય. બકુશ, ડિસેવણા અને કષાયકુશીલ સંજ્ઞાબહુત્તા અને Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ નોસંજ્ઞાબહ્ત્તા હોય. ૨૬. આહાર દ્વાર – પ્રથમ પાંચ નિયંઠા આહારક અને સ્નાતક આહારક, અણ્ણાહારક બન્ને. ૨૭. ભવ દ્વાર – પુલાક અને નિગ્રંથ ભવ કરે જઘન્ય ૧, ઉત્કૃષ્ટ ૩ (મનુષ્યના). બકુશ, ડિસેવણા, કાયકુશીલ જ. ૧, ૩. ૮ ભવ કરું. સ્નાતક તે જ ભવે મોક્ષે જાય. ૨૮. આગરેશ (આકર્ષ) દ્વાર – (સંયમ કેટલી વાર આવે ?) પુલાકપણું એક ભવમાં જ. ૧, ૩. ૩ વાર આવે. ઘણાં ભવ આશ્રી જ. ૨, ૩. ૭ વાર આવે. બકુશ, પડિ. અને કાયકુશીલપણું જ. ૧, ઉ. પ્રત્યેક સૌ વાર આવે. ઘણાં ભવ આશ્રી જ.૨, ઉ.પ્રત્યેક હજા૨વા૨(૭૨૦૦ વખત). નિગ્રંથપણું એક ભવ આશ્રી જ. ૧, ઉ. ૨ વાર આવે. ઘણાં ભવ આશ્રી જ. ૨, ઉ. ૫ વાર આવે. સ્નાતકપણું ૧ વાર જ આવે. ૨૯. કાળ દ્વા૨ · પુલાક એક જીવ અપેક્ષા જ. અંત., ઉ. અંત. ઘણાં જીવ અપેક્ષા જ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્ત. બકુશ, પડિસેવણા, કષાય કુશીલ એ ત્રણમાં એક જીવ અપેક્ષા જ. ૧ સમય, ઉ. દેશણા ક્રોડપૂર્વ વર્ષ. ઘણા જીવ અપેક્ષા શાશ્વતા. નિગ્રંથ એક તથા ઘણા જીવ અપેક્ષા જ. ૧ સમય, ઉ. અંત. સ્નાતક એક જીવ અપેક્ષા જ. અંત. ૩. દેશણા ક્રોડપૂર્વ વર્ષ. ઘણા જીવ અપેક્ષા શાશ્વતા. ૩૦. અંતર દ્વાર – પ્રથમ પાંચ િયંઠાને અંત૨ પડે તો એક - જીવ આશ્રી જ. અંત., ઉ. દેશઊણા અર્ધપુદ્ગલ ૫૨ાવર્તન કાળ -- ૧ અપ્રમત્ત હોવાથી આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ ન હોય તેવા. ભવદ્વારમાં ભવની સંખ્યા તેવા સાધુપણાનાં જ જે ભવ કરે તે જ ગણતરીમાં લીધેલ છે. બાકીનાં ગણ્યા નથી. Page #524 -------------------------------------------------------------------------- ________________ નિયંઠા પિપિ૦૫) સુધી. સ્નાતકને એક જીવ અપેક્ષા કોઈ અંતર ન પડે. ઘણા જીવ અપેક્ષા અંતર પડે તો પુલાકને જ. ૧ સમય, ઉ. સંખ્યાતા વર્ષ. નિગ્રંથને જ. ૧ સમય ઉ. ૬ માસનું. શેષ ૪ નિયંઠાને અંતર ન પડે. ૩૧. સમુદ્રઘાત દ્વાર – પુલોકમાં સમુ. ૩ વંદનીય, કષાય, મારણાંતિક. બકુશમાં તથા પડિવણામાં (વે, ક., મા., વૈ., તે.) પ સમુ. કષાયકુશીલમાં કેવળ સમુ. વર્જીને ૬ સમુ. નિગ્રંથમાં એક પણ સમુ. નથી. સ્નાતકમાં જો હોય તો કેવળ સમુદ્યાત એક જ હોય. - ૩૨. ક્ષેત્ર દ્વાર – પ્રથમ પાંચ નિયંઠા લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય. સ્નાતક લોકના અસંખ્યાતમા ભાગમાં, ઘણાં અસંખ્યાતા ભાગોમાં અથવા સર્વલોકમાં (કેવળ સમુદ્યાત અપેક્ષા) હોય. ૩૩. સ્પર્શના દ્વાર – અવગાઢ ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક અધિક જાણવી. ૩૪. ભાવ દ્વાર - પ્રથમ ૪ નિયંઠા ક્ષયોપશમ ભાવમાં હોય. નિગ્રંથ ઉપશમ કે ક્ષાયિક ભાવમાં હોય. સ્નાતક ક્ષાયિક ભાવમાં હોય. ૩પ. પરિમાણ દ્વાર – (સંખ્યા) વર્તમાન પર્યાય અપેક્ષા | પૂર્વ પર્યાય અપેક્ષા જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય ઉત્કૃષ્ટ પુલાક હોયતો |૧,૨,૩, પ્રત્યેક સે | ૧, ૨, ૩, પ્રત્યેક હજાર (૨૦૦ થી ૯૦૦) 1 (ર થી ૯ હજાર) બકુશ ૧, ૨, ૩, પ્રત્યેક સો | --- પ્રત્યેક સો ક્રોડ નિયમો (૨૦) થી 300 ક્રોડ) પરિસંવણા ૧,૨,૩, પ્રત્યેક સી || ----- પ્રત્યેક સો કોડ નિયમો (૪૦ થી ૬૦૦ ક્રોડ) કપાયકુશીલ ૧,૨ ૩. પ્રત્યેક હજાર ---- પ્રત્યક હજાર કોડ નિયમા ! (C) થી ૮10 ક્રોડ) Page #525 -------------------------------------------------------------------------- ________________ પિo૬) ) - - શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ નિગ્રંથ હોયતો | ૧,૨,૩, ૧૬૨ ૧, ૨, ૩, | પ્રત્યક સો સ્નાતક નિયમ ૧, ૨, ૩, ૧૦૮ ---] પ્રત્યેક કોડ ૩૬. અલ્પબદુત્વ દ્વાર –સૌથી થોડા નિગ્રંથ નિયંઠા, તેનાથી પુલાક સંખ્યાતગુણા, તેનાથી સ્નાતક સંખ્યાતગુણા, તેનાથી બકુશ સંખ્યાતગુણા, તેનાથી પડિલેહણા સંખ્યાતગુણા, તેનાથી કષાયકુશીલના જીવ સંખ્યાતગુણા. ઇતિ નિયંઠા સંપૂર્ણ. Sિી ૬િ૫. સંજયા (સંયતિ) નો શ્રી ભગવતીજી સૂત્ર શતક ૨૫, ઉ. ૭ સંજયાના ૩૬ કાર અને તેની ગાથા નિયંઠા માફક જાણવા. ૧.પન્નવણા દ્વાર – સંયતિ પાંચ પ્રકારના– (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરા ચારિત્ર, (૫) યથાવાત ચારિત્ર. ૧. સામાયિક ચારિત્ર – તેના બે ભેદ. (અ) ઇત્વરીક (સ્વલ્પકાળના) – પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓના શાસનમાં આ ચારિત્ર હોય છે. પરંપરાથી જઘન્ય ૭ દિવસ, મધ્યમ ૪ માસ અને ઉત્કૃષ્ટ ૬ માસ સુધીની કાચી દીક્ષાવાળાને હોય. (બ) યાવન્કથિક (જાવજીવના) – મધ્યના ૨૨ તીર્થકરના અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને જાવજીવનું સામાયિક ચારિત્ર હોય છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ સંજયા ૫૦૭ ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર – (જે ચારિત્રમાં પૂર્વપર્યાયનો છેદ કરી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે.) તેના બે ભેદ. (અ) સાતિચાર – પૂર્વ સંયમમાં દોષ લાગવાથી નવી દીક્ષા લે તે. (બ) નિરતિચાર – શાસન કે સંપ્રદાય બદલીને ફ૨ી દીક્ષા લે. જેમ પાર્શ્વનાથના શાસનના સાધુ મહાવીર પ્રભુના શાસનમાં દીક્ષા લે. તેમજ ઈત્વરિક સામાયિક ચારિત્રી સાધુને (નવ દીક્ષિતને) જે મહાવ્રતોનું આરોપણ ક૨ાય છે તે નિરતિચાર હોય છે. ૩. પરિહારવિશુદ્ધ ચારિત્ર – ૯ – ૯ વર્ષના ૯ જણ દીક્ષા લે, ૨૦ વર્ષ ગુરુ કુલવાસ ક૨ીને જ. ૯ પૂર્વની ત્રીજી આચાર વત્યુ, ૩. ૧૦ પૂર્વ ભણે. પછી ગુરુઆજ્ઞાએ વિશેષ ગુણ પ્રાપ્તિ માટે નવેય સાધુઓ પરિહારવિશુદ્ધ ચારિત્ર લે. તેમાં છ માસ સુધી ૪ મુનિ તપ કરે, ૪ મુનિ વૈયાવચ્ચ કરે, ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. બીજા છ માસમાં ૪ વૈયાવચ્ચી મુનિ તપ કરે, ૪ તપ કરનારા વૈયાવચ્ચ કરે, ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. ત્રીજા છ માસમાં ૧ વ્યાખ્યાન વાંચનાર તપ કરે, ૧ વ્યાખ્યાન વાંચે અને ૭ મુનિ વૈયાવચ્ચ કરે. તપશ્ચર્યામાં ઉનાળે ૧-૨-૩ ઉપવાસ, શિયાળે ૨-૩-૪ ઉપવાસ, ચોમાસે ૩-૪-૫ ઉપવાસ કરે. એમ ૧૮ માસ તપ કરીને જીનકલ્પી થાય અથવા ફરી ગુરુકુલવાસ સ્વીકારે અથવા પરિહાર વિશુદ્ધ કલ્પ ફરી ચાલુ કરે. આ ચારિત્ર છંદોપસ્થાપનીય વાળાને જ હોય. તેના બે ભેદ. (i) નિર્વિશ માનક તપ કરનારા, (ii) નિર્વિશ કાયિક – વૈયાવચ્ચ કરનારા. ૪. સૂક્ષ્મસંપ૨ાય ચારિત્ર- તેના ૨ ભેદ. (અ) સંકલેશ પરિણામ – તે ઉપશમ શ્રેણીથી પડનારા, --- Page #527 -------------------------------------------------------------------------- ________________ પિ૦૮)ણિી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (બ) વિશુદ્ધ પરિણામ – તે ઉપશમ અને ક્ષપક શ્રેણી પર ચડનારા. ૫. યથાખ્યાત ચારિત્ર – તેના ૨ ભેદ – (અ) છદ્મસ્થ અને (બ) કેવળી. (અ) છદ્મસ્થ ના બે ભેદ, (i) ઉપશાંત વીતરાગી (૧૧મું ગુણ.) અને (ii) ક્ષીણ વીતરાગી (૧૨મું ગુણ.). (બ) કેવળીના બે ભેદ, (i) સયોગી કેવળી (૧૩મું ગુણ.) અને (ii) અયોગી કેવળી (૧૪મું ગુણ.). ૨. વેદ દ્વાર – સામા, છેદો. ચારિત્રી સવેદી (૩ વેદ) તથા અવેદી (૯ મા ગુણ. અપેક્ષા). પરિહાર વિશુદ્ધ ચારિત્રી પુરુષવેદી કે પુરુષ નપુંસક વેદી. સૂક્ષ્મ સંપરા ચારિત્રી તથા યથાખ્યાત ચારિત્રી અવેદી. ૩. રાગ દ્વાર – પ્રથમ ચાર સંયતિ સરાગી. યથાખ્યાત ચારિત્રી વીતરાગી. ૪. કલ્પ દ્વાર – કલ્પ એટલે નિયમ. તેના પાંચ પ્રકાર છે. સ્થિતકલ્પ, અસ્થિતકલ્પ, સ્થવિરકલ્પ, જિનકલ્પ અને કલ્પાતીત. તેમ જ બીજી રીતે કલ્પ દશ પ્રકારના છે. ૧. અચેલ, ૨. ઉદ્દેશી, 3. રાજપિંડ, ૪. સેજાંતર, ૫. માસકલ્પ, ૬. ચોમાસી કલ્પ, ૭. વ્રત, ૮. પ્રતિક્રમણ, ૯. કૃતિકર્મ, ૧૦. પુરુષ જયેષ્ઠ. ૧. સ્થિતકલ્પ, ૨. અસ્થિતકલ્પ – ૨૪ તીર્થંકરનાં દરેકના શાસનમાં જેનું પાલન અવશ્ય કરવામાં આવે છે તે સ્થિતકલ્પ. ઉપરના ૧૦ કલ્પમાંથી ૪. સેક્ઝાંતર, ૭. વત, ૯. કૃતિકર્મ, ૧૦. પુરુષ જયેષ્ઠ એ ચાર સ્થિતકલ્પ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં સાધુ સાધ્વીજીને ૧૦ કલ્પનું પાલન ફરજિયાત હોય છે. મધ્યના રર Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ સંજયા તીર્થંકરના અને મહાવિદેહના સાધુઓને ૪, ૭, ૯, ૧૦ એ ચાર કલ્પ ફરજિયાત અને શેષ છ ની ભજના હોય છે. 9-2-3-4૬-૮ એ છ અસ્થિતકલ્પ છે. ૩. સ્થવિ૨કલ્પ – જે સંઘ કે સમૂહમાં, ઉપાશ્રયમાં રહે છે, શિષ્ય આદિ બનાવે છે, શાસ્ત્રોક્ત મર્યાદાનુસા૨ વસ્ત્ર -- પાત્રાદિ રાખે તે. ૪. જિનકલ્પ – જે સંઘ કે સમૂહમાં રહેતા નથી, ગુફા આદિમાં રહે છે. જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખે છે. ૫. કલ્પાતીત – કેવળજ્ઞાની, છદ્મસ્થ તીર્થંકર, અરિહંત તથા વીતરાગી. સામાયિક સંયતિમાં પાંચ કલ્પ. છેદો. અને પરિવિ. માં ૩ કલ્પ (સ્થિત, સ્થવિર, જિનકલ્પ). સૂક્ષ્મ. અને યથા. માં ૩ કલ્પ (સ્થિત, અસ્થિત, કલ્પાતીત). ૫. નિયંઠા દ્વાર સામા. તથા છેદો. ચારિત્રમાં ચાર નિયંઠા.(પુલાક, બકુશ, ડિસેવણા અને કષાયકુશીલ.) પરિ. વિ. અને સૂક્ષ્મ. માં એક કષાયકુશીલ નિયંઠો. યથાખ્યાતમાં ૨ નિયંઠા (નિર્ગથ અને સ્નાતક). -- ૬. પડિસેવણા દ્વાર – સામાયિક, છંદોપસ્થાપનીયમાં મૂળ ગુણ પ્રતિસેવી (પાંચ મહાવ્રતમાં દોષ લગાડે) કે અપ્રતિસેવી (દોષ ન લગાડે) તથા ઉત્ત૨ગુણ પ્રતિસેવી કે અપ્રતિસેવી. રોય ૩ ચારિત્રી અપ્રતિસેવી. - ૭. જ્ઞાન દ્વાર · પ્રથમ ચાર સંસ્કૃતિના ચાર (૨૩-૩-૪ જ્ઞાનની અને યથાખ્યાતમાં ૫ જ્ઞાનનો બજના, શ્રુતજ્ઞાન અભ્યાસની અપેક્ષાએ સામા., છેદો., સુક્ષ્મ. માં જ અ૫વચન, ૩. ૧૪ પૂર્વ Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સુધી. પરિ. વિશુ. માં જ. ૯ માં પૂર્વની ત્રીજી આચારવત્યુ સુધી ઉ. ૧૦ પૂર્વમાં ન્યૂન. યથા. ચા. માં જ. અષ્ટપ્રવચન, ઉ. ૧૪ પૂર્વ સુધી (છબસ્થ અવસ્થામાં) અથવા સૂત્ર (શ્રુત) વ્યતિરિક્ત (ક્વળજ્ઞાન આશ્રી). ૮. તીર્થ દ્વાર – સામા., સૂક્ષ્મ, યથા. ચારિત્રી તીર્થ અને અતીર્થ બન્નેમાં હોય (અતીર્થમાં છદ્મસ્થ તીર્થકર અને પ્રત્યેક બુદ્ધ અપેક્ષા). છેદો. તથા પરિ. વિ. ચારિત્રી તીર્થમાં જ હોય. ૯. લિંગ દ્વાર – પરિ. વિ. ચારિત્રી દ્રવ્ય – ભાવથી સ્વલિંગી હોય છે. શેષ ચાર સંયતિ દ્રવ્યથી સ્વલિંગી, અન્યલિંગી કે ગૃહસ્થલિંગી હોય પણ ભાવથી સ્વલિંગી હોય. ૧૦. શરીર દ્વાર - સામા, છેદો. માં ૩–૪–૫ શરીર. શેષ ત્રણમાં ૩ શરીર હોય. ૧૧. ક્ષેત્ર દ્વાર – સામા., સૂક્ષ્મ, યથા. ૧૫ કર્મભૂમિમાં હોય. છેદો, પરિ.વિ. ફક્ત ૫ ભરત, ૫ ઈરવતમાં જ હોય. તે ચારે સાહરણ અપેક્ષાએ અકર્મભૂમિમાં હોય. પરિ વિ. સંયતિનું સાહરણ ન થાય. ૧૨. કાળ દ્વાર – સામા. ચારિત્રી અવસર્પિણી કાળના ૩–૪–૫ મા આરામાં જન્મ અને ૩-૪-૫ મા આરામાં વિચરે. ઉત્સર્પિણી કાળના ર-૩–૪ થા આરામાં જન્મ અને ૩–૪ થા આરામાં પ્રવર્તે. મહાવિદેહમાં સદા હોય. સાહરણ અપેક્ષા અન્ય ક્ષેત્ર (૩૦ અકર્મભૂમિ) માં પણ હોય. છેદો. ચારિત્રી મહાવિદેહમાં ન હોય, શેષ ઉપરવતું. પરિ.વિ. અવસર્પિણી કાળના ૩–૪ થા આરામાં જન્મ અને ૩–૪–૫ મા આરામાં વિચરે. ઉત્સ. ના ૨–૩–૪ થા આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે, મહાવિદેહમાં ન હોય, સાહરણ ન થાય. સૂક્ષ્મ., યથા. ચારિત્રી : અવસર્પિણી કાળના ૩–૪ થા આરામાં જન્મ અને ૩–૪–૫ મા Page #530 -------------------------------------------------------------------------- ________________ સંજયા Eોપિ૧૧] આરામાં વિચરે. ઉત્સ. ના ર–૩–૪ થા આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે, મહાવિદેહમાં પણ હોય. સંહરણ પણ થાય. ૧૩. ગતિ દ્વાર – | ગતિ | સ્થિતિ પામે | સંયત | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક |સૌધર્મ કલ્પ પાંચ અનુ. વિમાન ૨ પલ્ય ( ૩૩ સાગર છેદો પસ્થાપની સૌધર્મ કલ્પ પાંચ અનુ. વિમાન ૨ પલ્ય ૩૩ સાગર પરિહાર વિ. સૌધર્મ કલ્પ સહસ્ત્રાર દેવલોકર પલ્ય ] ૧૮ સાગર સૂક્ષ્મ સંપરાય પાંચ અનુત્તર વિમાન | ૩૩ સાગર ૩૩ સાગર ઉપશાંત યથા. પાંચ અનુત્તર વિમાન ૩૩ સાગર ૩૩ સાગર ક્ષીણ યથાખ્યા. મોક્ષ સાદિ અનંત દેવતામાં પાંચ પદવી છે. ઇન્દ્ર સામાનિક, ત્રાયશ્ચિંશક, લોકપાલ અને અહમેન્દ્ર સામા. છેદો. બન્ને આરાધક હોય તો આ પાંચમાંથી કોઈપણ એક પદવી પામે. પરિ. પ્રથમ ૪ માંથી ૧ પદવી પામે. સૂક્ષ્મ, યથા. (ઉપશાંત મોહી) અહમેન્દ્ર પદ પામે. જ. વિરાધક હોય તો ૪ પ્રકારના દેવમાં ઉપજે અને ઉ. વિરાધક હોય તો ર૪ દંડકમાં – અન્ય ગતિઓમાં સંસાર પરિભ્રમણ કરે. ૧૪. સંયમ સ્થાન દ્વાર – સામા, છેદો, પરિ. માં અસંખ્ય સંયમ સ્થાન હોય. સૂક્ષ્મ. માં અંતર્મુહૂર્તના સમય જેટલા અસંખ્ય અને યથા. નું સંયમ સ્થાન એક જ છે. અલ્પબદુત્વ – સૌથી થોડા યથાખ્યાત ચારિત્રીના સંયમ સ્થાન, તેથી સૂક્ષ્મસંપરા ચારિત્રીના સંયમ સ્થાન અસંખ્યાતગણી, તેથી પરિવાર વિશુદ્ધ ચારિત્રીના સંયમ સ્થાન અસંખ્યાતગણા, તેથી સામા, છેદો. ના સંયમ સ્થાન અસંખ્યાતગણા (પરસ્પર તુલ્ય). ૧૫. નિકાસે દ્વાર – એકેક સંયમના પર્યવ (પwવા) અનંત અનંત છે. સૂક્ષ્મ સંપ. અને યથાખ્યાતથી પ્રથમ 3 સંયમના સંયમ Page #531 -------------------------------------------------------------------------- ________________ = = ૫૧૨૩ કિલો શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પર્યવ અનંતગણ ન્યૂન છે. સૂક્ષ્મ. ના ત્રણેયથી અનંતગણા અધિક છે. પરસ્પર પણ હાનિ વૃદ્ધિ અને યથાખ્યાતથી અનંતગણ ન્યૂન છે. યથાખ્યાતના ચારેયથી અનંતગણ અધિક છે. પરસ્પર તુલ્ય છે. તે સંયમપર્યવનો અલ્પબદુત્વ નીચે મુજબ છે. (૧) સૌથી થોડા સામા. છેદો, ના જ. સંયમ પર્યવ (પરસ્પરતુલ્ય) તેથી (૨) પરિહારવિશુદ્ધના જઘન્ય " અનંતગણા (૩) " " ઉત્કૃષ્ટ " (૪) સામા. છેદો. ના ઉત્કૃષ્ટ (૫) સૂક્ષ્મ સંપ રાયના જઘન્ય સંયમ પર્યવ અનંતગણો તેથી (૬) " " ઉત્કૃષ્ટ " (૭) યથાખ્યાત ચારિત્રના ઉત્કૃષ્ટ સંયમ પર્યવ અનંતગણા પરસ્પર તુલ્ય ૧૬. યોગ દ્વાર – પ્રથમ ૪ સંયતિ સયોગી. યથાખ્યાત સંયતિ સયોગી અને અયોગી બન્ને. ૧૭. ઉપયોગ દ્વાર – સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં એક સાકાર ઉપયોગ. શેષ ૪ ચારિત્રમાં સાકાર, નિરાકાર બન્ને ઉપયોગ. ૧૮. કષાય દ્વાર – સામા., છેદો. માં સંજ્વલનના ૪–૩–૨ કષાય હોય. પરિ. વિ. માં સંજ્વલનનો ચોક. સૂક્ષ્મ સં. ચા. માં ફક્ત સંજ્વલનનો લોભ. યથા. અકષાયી (ઉપશાંત કે ક્ષીણ) હોય. ૧૯. લેયા દ્વાર – સામાયિક, છેદો. માં છે વેશ્યા. પરિહાર વિશુદ્ધમાં ૩ શુભ લેશ્યા. સૂક્ષ્મસંપાયમાં ૧ શુક્લ લેશ્યા. યથાખ્યાત ચારિત્રમાં ૧ શુક્લ લેશ્યા અથવા અલેશી. ૨૦. પરિણામ દ્વાર – સામાયિક, છેદો, પરિહાર વિશુદ્ધમાં ૩ પરિણામ. હિયમાન અને વર્ધમાનની સ્થિતિ જ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્ત. અવસ્થિતની જ. ૧ સમય, ઉ. ૭ સમયની. સૂક્ષ્મપરાય ચારિત્રમાં બે પરિણામ હિમાન (શ્રેણીથી પડતા) અને વર્ધમાન Page #532 -------------------------------------------------------------------------- ________________ ૧૩) સંજયા (શ્રેણી ચડતા) બન્નેની સ્થિતિ જ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્ત યથાખ્યાત ચારિત્રમાં બે પરિણામ વર્ધમાન (જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત), અને અવસ્થિત (જ. ૧ સમયની છે. દેશઉણા પૂર્વક્રોડ વર્ષની). ૨૧. બંધ દ્વાર– પ્રથમ ત્રણ સંયતિ ૭-૮ કર્મનો બંધ કરે. સૂક્ષ્મ. ૬ કર્મ બાંધે (મોહ, આયુ. વર્જીને). યથા. ચા. કર્મ બાંધે તો શાતા વેદનીય અથવા અબંધ. ૨૨. વેદે દ્વાર – પ્રથમ ચાર સંયતિ ૮ કર્મ વેદ, યથા. સંયતિ ૭ કર્મ વદે તો મોહનીય વર્જીને અથવા ૪ અઘાતિ કર્મ વેદે. ૨૩. ઉદિરણા દ્વાર- સામાયિક, છેદો, પરિહાર વિશુદ્ધમાં ૭-૮-૬ કર્મની ઉદિરણા કરે. (સાતની કરે તો આયુ. વર્જી, છ ની કરે તો આયુ. વેદ. બે વર્જી). સૂક્ષ્મસંપરામાં ૬-૫ કર્મની ઉદિરણા કરે. (છ ની કરે તો આયુ. વેદ. બે વર્જી, પાંચની કરે તો આયુ. વેદ. મેહ વર્જીને). યથા.માં ૫ કર્મ અથવા ર કર્મની (નામ, ગોત્ર કર્મ) ઉદિરણા કરે અથવા ઉદિરણા ન કરે. ૨૪. ઉપસંપઝાણું દ્વાર – (તે સ્થાનને છોડી કયું સ્થાન સ્વીકારે ?) – સામા. ચારિત્રી સામા, છોડે તો ૪ ઠેકાણે (છેદો , સૂક્ષ્મ, સંયમસંયમ, અસંયમમાં) જાય. છેદો. વાળા છોડે તો પઠેકાણે (સામા. , પરિ, સૂક્ષ્મ, સંયમસંયમ કે અસંયમમાં) જાય. પરિ. વાળા છોડે તો ૨ ઠેકાણે (છેદો, કે અસંયમમાં) જાય. સૂક્ષ્મ વાળા છોડે તો ૪ ઠેકાણે (સામા., છેદો, યથા. કે અસંયમમાં) જાય. યથા.વાળા છોડે તો ૩ ઠેકાણે (સૂક્ષ્મ, અસંયમ કે મોક્ષમાં) જાય. ૨૫. સંજ્ઞા દ્વાર – પ્રથમ ત્રણ ચારિત્રમાં ચાર સંજ્ઞાની ભજના. (હોય કે ન હોય) સૂક્ષ્મ. તથા યથા. ચારિત્રી નોસંજ્ઞાબદુત્તા હોય છે. ૨૬. આહાર દ્વા૨ – પ્રથમનાં ચાર ચારિત્ર આહારક અને -33 Page #533 -------------------------------------------------------------------------- ________________ પિ૧૪ોપિક ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ યથા. ચારિત્રી આહારક, અણાહારક બને. ૨૭. ભવ દ્વાર – સામાયિક અને છેદો. ના જ. ૧, ૩. ૮ ભવ કરે. પરિ. તથા સૂક્ષ્મ. ના જ. ૧, ઉ. ૩ ભવ કરે. યથા. જ. ૧, ઉ. ૩ ભવ કરીને કે તે જ ભવે મોક્ષે જાય. ૨૮. આગરેશ દ્વાર – (સંયમ કેટલી વાર આવે ?) | એક ભવ અપેક્ષા | ઘણા ભવ અપેક્ષા ચારિત્ર | જઘન્યા ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક [ ૧ વાર પ્રત્યેક સો વાર ! બે વાર પ્રત્યેક હજાર વાર (૭૨૦૦ વખત) છેદોપસ્થા. | ૧ વાર પ્રત્યેક વીસ વાર બે વાર ૯૦૦ વારથી અધિક (૧૨૦ વાર) | (૯૬૦ વાર) પરિ. વિ. | ૧ વાર | ૩ વાર બે વાર ૭ વાર સૂક્ષ્મ સંપરા ૧ વાર | ૪ વાર | બે વાર ૯ વાર | યથાખ્યાત. 11 વાર | ૨ વાર I ! બે વાર ૫ વાર ૨૯. સ્થિતિ દ્વાર – (સંયમ કેટલો વખત રહે ?) ચારિત્ર | એક જીવ અપેક્ષાએ ! ઘણા જીવ અપેક્ષાએ સામાયિક જ. ૧ સમય, શાશ્વતા ચારિત્ર [ઉ. દેશઉણા ક્રોડપૂર્વ વર્ષ છેદોપસ્યા. જિ. ૧ સમય, જ. ૨૫૦ વર્ષ ચારિત્ર |G. દેશઉણા ક્રોડપૂર્વ વર્ષ | ઉ. ૫૦ લાખ ક્રોડ સાગર વર્ષ પરિ. વિશુદ્ધ જ. ૧ સમય, ઉ. ૨૯ વર્ષ | જ. દેશ ણા ૨૦ વર્ષ (૧૪૨) ચારિત્ર | ઉણા ક્રોડપૂર્વ વર્ષ ! ઉ. ૨ ક્રોડપૂર્વમાં પ૮ વર્ષ ઓછા સૂકમ સંપરા.જિ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્ત જ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્ત યથાખ્યાત. જિ. ૧ સમય, શાશ્વતા ચારિત્ર [ઉ. દેશણા ક્રોડપર્વ વર્ષ * સૂક્ષ્મ. માં કુલ ત્રણ ભવ જ થાય. ચાર વખત ઉપશમ શ્રેણી માંડે તો પણ બે ભવમાં જ માંડે, ત્રીજા ભવે ક્ષપક શ્રેણી થાય. Page #534 -------------------------------------------------------------------------- ________________ સંજયા ૩૦. અંતર દ્વાર - એક જીવ અપેક્ષા પાંચ સંયતિનું અંતર જ. અંત, ઉ. દેશઉણા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ. ઘણા જીવ અપેક્ષા સામાયિક, યથા.નું અંતર ન પડે. કારણ કે બન્ને ચારિત્ર શાશ્વતા છે. ઘણા જીવ અપેક્ષા છેદો. નું જ. ૬૩,000 વર્ષ, પરિહારનું જ. ૮૪,૦૦૦ વર્ષનું અને બન્નેનું છે. દેશઉણા ૧૮ ક્રોડાક્રોડ સાગરનું. ઘણા જીવ અપેક્ષા સૂક્ષ્મ.માં જ. ૧ સમયનું, ઉ. ૬ માસનું અંતર પડે. ૩૧. સમુદ્રઘાત દ્વાર – સામા., છેદો. માં છ સમુદ્યાત (કેવળ વર્જીને). પરિ. વિ.માં પ્રથમ ૩ સમુ. સૂક્ષ્મ. સં૫. માં એક પણ નહિ. યથા. માં હોય તો ૧ કેવળ સમુ. ૩૨. ક્ષેત્ર દ્વાર – પ્રથમ ચાર સંયતિ લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય. યથા. સંયતિ લોકના અસંખ્યાતમા ભાગમાં, ઘણાં અસંખ્યાતા ભાગોમાં અથવા સર્વલોકમાં (કવળ સમુદ્ધાત અપેક્ષા) હોય. ૩૩. સ્પર્શના દ્વાર – અવગાઢ ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક અધિક જાણવી. ૩૪. ભાવ દ્વાર – પ્રથમ ૪ સંયતિ એક ક્ષયોપશમ ભાવમાં હોય. યથા. સંયતિ ઉપશમ કે ક્ષાયિક ભાવમાં હોય. ૩પ. પરિમાણ દ્વાર – પાંચેય ચારિત્રવાળા કેટલી સંખ્યામાં હોય ? વર્તમાન અપેક્ષા પૂર્વ પર્યાય અપેક્ષા | | ચારિત્ર | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક ચા. ૧-૨-૩ પ્રત્યેક હજાર નિયમા પ્રત્યેક હજાર ક્રોડ છેદોપસ્થા. ચા.૧-૨-૩/પ્રત્યેક સો | જો હોય તો નિયમા પ્રત્યેક સો કોડ પરિહાર. ચા.૧-૨-૩ પ્રત્યેક સો !" " ૧,૨,૩ પ્રત્યેક હજાર સૂક્ષ્મ સં. ચા. ૧-૨-૩ ૧૬૨ (૧૦૮) ૧-૨-૩ પ્રત્યેક સો | Hપક, ૫૪ ઉપશમ) યથા.ચા.હોય તો ૧-૨-૩ ૧દ૨ (") | નિયમ પ્રત્યેક ક્રોડ (કેવળી) Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ ૩૬. અલ્પબદુત્વ દ્વાર – સૌથી થોડા સૂક્ષ્મ સંપરાય ચારિત્રવાળા, તેથી પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા સંખ્યાતગુણા, તેથી યથાખ્યાત ચારિત્રવાળા સંખ્યાતગુણા, તેથી છેદોપસ્થાપનીય ચારિત્રવાળા સંખ્યાતગુણા, તેથી સામાયિક ચારિત્રવાળા સંખ્યાતગુણા. ઇતિ સંજયા (સંયતિ). S૩ 3 % S SS S છે ૬૬. અષ્ટપ્રવચન (પ સમિતિ, ૩ પ્તિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૪ પાંચ સમિતિઃ ૧. ઇરિયા સમિતિ (રસ્તામાં ચાલવાની વિધિ), ૨. ભાષા સમિતિ (બોલવાની), ૩. એષણા સમિતિ (ગોચરીની), ૪. નિક્ષેપણા સમિતિ (આદાન ભંડમત્ત–વસ્ત્રપાત્રાદિ લેવા મૂકવાની) અને ૫. ઉચ્ચાર, પાસવણ, ખેલ, જલ, સિંઘાણ પારિદ્રાવણિયા સમિતિ (વડીનીત, લઘુનીત, બળખા, લીંટ આદિ પરઠવાની). ત્રણ ગુતિઃ (ગોપવવું) ૧. મન ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૩. કાય ગુપ્તિ. ૧. ઈરિયા સમિતિ : ના ૪ ભેદ (૧) આલંબન – જ્ઞાન, દર્શન, ચારિત્રનું. (૨) કાળ – દિવસનો. (૩) માર્ગ – કુમાર્ગ છોડીને સુમાર્ગે ચાલવું. (૪) યત્ના (જયણા-સાવધાની) ના ૪ ભેદ-- દ્રિવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્યથી છકાય જીવોની યત્ન કરી ચાલે. * રાત્રે ચક્ષુનો વિષય ન હોવાને કારણે અત્યંત જરૂરી કારણ સિવાય ગમન કરવાની તીર્થકરની આજ્ઞા નથી છતાં ચાલવું પડે તો પૂજીને ચાલે. Page #536 -------------------------------------------------------------------------- ________________ અષ્ટ પ્રવચન ક્ષેત્રથી ધુંસરી (3| હાથ) પ્રમાણ જમીન આગળ જતાં ચાલે, કાળથી દિવસે અને ભાવથી રસ્તે ચાલતાં ૧૦ બોલ વર્જીને ચાલે તે વાંચન, પૂછવું, પર્યણા, અનુપ્રેક્ષા, ધર્મકથા આદિ ન કરે. તેમજ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શાદિ વિષયમાં ધ્યાન ન દે. ૨. ભાષા સમિતિ : ના ૪ ભેદ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. (૧) દ્રવ્યથી ૮ પ્રકારની ભાષા (કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, માર્મિક, મૃષા, સાવધ, નિશ્ચયકારી) ન બોલે. (૨) ક્ષેત્રથી રસ્તે ચાલતા ન બોલે. (૩) કાળથી રાત્રે ૧ પહોર વિત્યા બાદ જોરથી ન બોલે. (૪) ભાવથી રાગદ્વેષ યુક્ત ભાષા ન બોલે. ૩. એષણા સમિતિ : ના ૪ ભેદ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. (૧) દ્રવ્યથી – ૪૨ (૧૬ ઉદ્ગમના, ૧૬ ઉત્પાદન, ૧૦ એષણાના) તથા ૯૬ દોષ ટાળીને નિર્દોષ આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, મકાનાદિ યાચે (ગ્રહ). (૨) ક્ષેત્રથી – ૨ ગાઉ ઉપરાંત જઈને આહાર પાણી ન ભોગવે. (૩) કાળથી – પહેલા પહોરના આહાર પાણી ચોથા પહોરમાં ન ભોગવે. (૪) ભાવથી – માંડલાના પાંચ દોષ ટાળીને અનાશક્ત પણે ભોગવે. ૪. આદાન ભંડ મત્ત નિફખેવણિયા સમિતિ : મુનિઓના ઉપકરણ આ પ્રકારે ૧ મુહપત્તિ, ૧ ગુચ્છો, ૧ રજોહરણ, ૧ ચોલપટો ૧ એષણા ત્રણ પ્રકારની – (૧) આહારાદિ ગ્રહણ કરતાં પહેલાં શદ્ધિ અશુદ્ધિ જોવી તે ગવૈષણેષણા. (૨) આહારાદિ ગ્રહણ કરતી વખતે શુદ્ધિ અશુદ્ધિની સાવધાની રાખવી તે ગ્રહણ ષણા. (૩) આહારાદિ ભોગવતી વખતે શુદ્ધિ અશુદ્ધિનું ધ્યાન રાખે તે પરિભોગેષણા. ૨ . ૧. સંયોગ -- સ્વાદ ખાતર બીજી વસ્તુ ભેળવવી તે. ૨. અંગાલ -- વખાણ કરીને ખાવું. ૩. ધૂમ - વખોડીને આવું. ૪. પરિમાણ – ભૂખથી વધુ ખાવું. ૫. કારણ – ભૂખ વગર ખાવું. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ (૫ હાથ), ૩ ચાદર (પછેડી, સાધ્વી ૪ પછેડી રાખે), કાષ્ટ, તુંબી કે માટીનાં પાત્ર, ૧ આસન, ૧ સંસ્તા૨ક (૨॥ હાથ લાંબું બિછાવવાનું કપડું) તથા જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ નિમિત્તે જરૂ૨ી વસ્તુઓ. (ક્રમશઃ અનુક્રમથી પ્રતિલેખન કરે). (૧) દ્રવ્યથી ઉ૫૨નાં ઉપકરણો યત્નાથી લે, મૂકે અને વાપરે. (૨) ક્ષેત્રથી વ્યવસ્થિત રાખે, જ્યાં ત્યાં વીંખણ પીંખણ ન રાખે. (૩) કાળથી બન્ને વખત (૧લા અને ૪થા પહોરમાં) પડિલેહણ, પુંજન કરે. પહેલા પહોરના ચોથા ભાગે અને ચોથા પહોરના છેલ્લા ચોથા ભાગે કરે. (૪) ભાવથી મમતા રહિત સંયમ સાધન સમજીને ભોગવે. (૫) ઉચ્ચાર પાસવણ ખેલ જલ્ર સિંઘાણ પારિજ્ઞાવણિયા સમિતિ : ના ૪ ભેદ. (૧) દ્રવ્યથી મળમૂત્રાદિ ૧૦ પ્રકારના સ્થાન ૫૨ ૫૨ઠે નહિ ૧ માણસોની આવજા થતી હોય ત્યાં, ૨ જીવની ઘાત થાય ત્યાં, ૩ વિષમ ઊંચી નીચી ભૂમિ૫૨, ૪ પોલી ભૂમિ૫૨, ૫ સચિત્ત ભૂમિ૫૨, ૬ સાંકડી (વિશાળ નહિ) ભૂમિમાં, ૭ ત૨તની અચિત્ત ભૂમિપર, ૮ નગરગામની નજીકમાં, ૯ લીલ ફૂગ હોય ત્યાં, ૧૦ જીવોનાં બીલ (દ૨) હોય ત્યાં ન ૫૨ઠે. (૨) ક્ષેત્રથી વસ્તીને દુર્ગંછા થાય ત્યાં કે જાહે૨ રસ્તા પર ન ૫૨ઠે. (૩) કાળથી ૫૨ઠણ ભૂમિને કાળોકાળ પડિલેહિ, પૂંજીને ૫૨ઠે. (૪) ભાવથી ૫૨ઠવા નીકળે ત્યારે 'આવસહી' ૩ વાર કહે. પરઠતાં પહેલાં શક્રેન્દ્ર મહા૨ાજની આજ્ઞા માગે. ચાર આંગુલ ઉ૫૨થી યત્નાપૂર્વક ૫૨ઠે. ૫૨ઠતાં 'વોસિરે' ૩ વા૨ કહે. ૫૨ઠીને આવતાં 'નિસ્સહી' ૩ વાર કહે. જલ્દી સૂકાઈ જાય તેમ ૫૨હે. હવે ત્રણ ગુપ્તિના ચાર ચાર ભેદ કહે છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૧ બાવન અનાચાર (૧) મન ગુપ્તિ તેના ૪ ભેદ. (૧) દ્રવ્યથી આરંભ સમારંભમાં મન ન પ્રવર્તાવે. (૨) ક્ષેત્રથી આખા લોકમાં. (૩) કાળથી જાવજીવ સુધી. (૪) ભાવથી વિષયકષાય, આર્ત, રૌદ્ર, રાગદ્વેષમાં મન ન પ્રવર્તાવે. (૨) વચન ગુપ્તિ તેના ૪ ભેદ. (૧) દ્રવ્યથી ચાર વિકથા ન કરે. (૨) ક્ષેત્રથી આખા લોકમાં. (૩) કાળથી જાવજીવ સુધી. (૪) ભાવથી સાવદ્ય (રાગ દ્વેષ, વિષયકષાય યુક્ત) વચન ન બોલે. (૩) કાય ગુપ્તિ તેના જ ભેદ. (૧) દ્રવ્યથી શરીરની શુશ્રુષા (શોભા) ન કરે. (૨) ક્ષેત્રથી આખા લોકમાં. (૩) કાળથી જાવજીવ સુધી. (૪) ભાવથી સાવદ્ય યોગ (પાપકારી કાર્યો ન પ્રવર્તાવે (ન સેવન કરે). ઇતિ અષ્ટ પ્રવચન. ૩ ૩ % S SS « ઈ છે જ ૬૭. બાવન અનાચારી શ્રી દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૩ (૧) મુનિને માટે જ તૈયાર થયેલ આહાર, વસ્ત્ર, પાત્ર કે મકાન ભોગવે તો અનાચાર. (૨) મુનિને માટે જ ખરીદેલ આહાર વસ્ત્ર, પાત્ર કે મકાન ભોગવે તો. (૩) હંમેશાં એક ઘરનો આહાર ભોગવે તો. (૪) સામે લાવેલો આહાર ભોગવે તો. (૫) રાત્રિભોજન કરે તો. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૬) દેશ સ્નાન કે સર્વ સ્નાન (શરીર લૂછીને કે પૂરી રીતે ન્હાવું તે) કરે તો. (૭) સચિત્ત અચિત્ત પદાર્થોની સુગંધ લે તો. (૮) ફૂલ વગેરેની માળા પહેરે તો. (૯) પંખા, વીંજણાથી પવન ઢોળે (હવા ખાય) તો. (૧૦) તેલ, ઘી આદિ આહા૨નો સંગ્રહ કરે તો. (૧૧) ગૃહસ્થના વાસણમાં ભોજન ક૨ે તો. (૧૨) રાજપીંડ (બલિષ્ટ–રાજા માટે બનાવેલ) આહાર લે તો. (૧૩) દાનશાળામાંથી આહારાદિ લાવે તો. (૧૪) શ૨ી૨નું વિનાકા૨ણ મર્દન કરે, કરાવે તો. (૧૫) વિના કા૨ણે આંગળીથી દાંત ધૂએ તો. (૧૬) ગૃહસ્થોને સુખશાતા પૂછી ખુશામત કરે તો. (૧૭) દર્પણ (કાચ) માં અંગોપાંગ ની૨ખે તો. (૧૮) ચોપાટ, શતરંજ આદિ ૨મત ૨મે તો, જુગાર કે સટ્ટો કરે તો. (૧૯) ટાઢતડકા માટે છત્ર (છત્રી આદિ) રાખે તો. (૨૦) રોગનો સાવધ ઈલાજ કરે તો. (૨૧) પગરખાં, મોજાં આદિ પગમાં પહેરે તો. (૨૨) અગ્નિકાય આદિનો આરંભ (તાપ આદિ) ક૨ે તો. (૨૩) મકાનની આજ્ઞા દેનાર(શય્યાન્ત૨)ને ત્યાંથી વહો૨ે તો. (૨૪) ગૃહસ્થોને ત્યાં પલંગ, ગાદી-તકીયાદિ આસને બેસે તો. (૨૫) ગૃહસ્થોને ત્યાં પલંગ, ખાટ આદિ ૫૨ બેસે તો. (૨૬) વિના કા૨ણે ગૃહસ્થોને ત્યાં બેસીને કથાદિ કરે તો. (૨૭) વિના કા૨ણે શરીર પીઠી, માલિસ આદિ ક૨ે તો. (૨૮) ગૃહસ્થ લોકોની વૈયાવચ્ચ, સેવા કરે તો. । Page #540 -------------------------------------------------------------------------- ________________ પિ૨૧ બાવન અનાચાર (૨૯) પોતાની જાતિ, કૂળ આદિ બતાવીને આજીવિકા કરે તો. (૩૦) પૂર્ણ રીતે પકવેલું નથી તેવાં અન્ન કે પાણી ભોગવે તો. (૩૧) શરીરમાં રોગાદિ થયે ગૃહસ્થોની સહાયતા લે તો. (૩૨) સચિત્ત મૂળા આદિ લીલોત્રી, (૩૩) સ. આદુ, (૩૪) શેરડી, (૩૫) કન્દ, (૩૬) મૂળ, (૩૭) ફળફૂલ, (૩૮) બીજ આદિ, (૩૯) સચિત્ત મીઠું, (૪૦) સિંધાલુણ, (૪૧) સાંભરલુણ, (૪) ધૂડ ખારાનું લુણ, (૪૩) સમુદ્રનું લુણ, (૪૪) કાળું લુણ (સંચળ આદિ), ભોગવે (વાપરે–ખાય) તો અનાચાર લાગે. (૫) કપડાંને ધૂપ આદિથી સુગંધી બનાવે તો અનાચાર લાગે. (૪૬) ભોજન કરીને વમન કરે તો અનાચાર લાગે. (૪૭) વગર કારણે એનીમા લે તો અનાચાર લાગે. (૪૮) વગર કારણે રેચ (જૂલાબ) આદિ લે તો અનાચાર લાગે. (૪૯) આંખમાં આંજણ, સૂરમો લગાડે તો અનાચાર લાગે. (૫૦) વિના કારણે દાતણ આદિથી દાંત સાફ કરે તો અનાચાર લાગે. (૫૧) શરીરને તેલ આદિ લગાડીને સુંદર બનાવે તો. (પ) શરીરની શુશ્રુષા (શોભા) અર્થ વાળ, નખાદિ ઉતારે તો અનાચાર લાગે. એ બાવન અનાચાર (દોષ) ટાળીને સાધુજી સદા નિર્મળ ચારિત્ર પાળે. ઇતિ બાવન અનાચા૨: Page #541 -------------------------------------------------------------------------- ________________ - શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૬૮. આહારના ૧૦૬ દોષો મુનિ ૧૦૬ દોષ ટાળીને ગોચરી કરે. તે જુદા જુદા સૂત્રોના આધારે જાણવા. આચારાંગ, સૂયગડાંગ તથા નિશીથ સૂત્રના આધારે ૪ર દોષ કહે છે. (૧) આધાકર્મી = મુનિ નિમિત્તે છકાયનો આરંભ કરી બનાવેલ. (૨) ઉદેશિક = બીજા સાધુને માટે બનેલો આધાકર્મી આહાર. (૩) પૂતિકર્મ = નિર્વધ આહારમાં આધાકમ અંશ માત્ર મળેલો હોય તે અથવા રસોઈમાં સાધુ માટે થોડું વધારે કર્યું હોય તે. (૪) મિશ્રદોષ = કંઈક ગૃહસ્થને માટે, કંઈક સાધુ નિમિત્તે બનેલો મિશ્ર આહાર. (૫) ઠવણદોષ = સાધુ માટે રાખી મૂકેલ આહાર હોય તે. (૬) પાડિય = મહેમાન માટે બનાવેલ હોય (સાધુ નિમિત્તે " મહેમાનોની તિથિ ફેરફાર થઈ હોય તો.) (૭) પાવર = જ્યાં અંધારૂં પડતું હોય ત્યાં સાધુ નિમિત્તે બારી કરાવી દે તો. (૮) ક્રિય = સાધુ માટે વેચાતો લાવી આપેલ હોય તે. (૯) પામિચ્ચે = સાધુ માટે ઉધાર લાવી આપેલ હોય તે. (૧૦) પરિયડે = સાધુ માટે વસ્તુ બદલે વસ્તુ આપીને લાવીને આપે છે. (૧૧) અભિહડ = અન્ય સ્થાનથી સામે લાવીને આપે તે. (૧૨) ભિન્ન = ઝાંપો, કમાડ આદિ ઉઘાડીને આપે છે. (૧૩) માલોડ = મેડા (માળ) ઉપરથી મુશ્કેલીથી ઉતારી શકાય તેવો. (૧૪) અચ્છીજે = નિર્બળ પર દબાણ કરીને સબળને અપાવે તે. (૧૫) અણિસિ = ભાગીદારીની ચીજ હોઈ તેમાં કોઈ દેવા ઈચ્છે Page #542 -------------------------------------------------------------------------- ________________ આહા૨ના ૧૦૬ દોષ અને કોઈ દેવા ન ઈચ્છે તેવી વસ્તુ. (૧૬) અwોયર = ગૃહસ્થ સાધુ નિમિત્તે પોતાનો આહાર વધુ બનાવ્યો હોય તે. (૧૭) ધોઈ દોષ = ગૃહસ્થોનાં બચ્ચાને રમાડીને લીધો હોય તે. (૧૮) દુઈ દોષ = દુતિપણું (સમાચાર લાવવા લઈ જવા) કરીને લીધેલ હોય તે. (૧૯) નિમિત્ત = ભૂત ભવિષ્યના નિમિત્ત (જોષ) કહીને લીધેલ હોય તે. (૨૦) આજીવ = જાતિ, કૂળ આદિનું ગૌરવ બતાવીને લીધો હોય તે. (૨૧) વાણીમગ્ન = ભિખારી માફક દીનપણે યાચીને લીધો હોય તે. (૨૨) તિગિષ્ઠ = ઔષધિ (દવા) આદિ બતાવીને લીધો હોય તે. (૨૩) કહે = ક્રોધ કરીને , (૨૪) માણે = માન કરીને, (૨૫) માયા = કપટ કરીને, (૨૬) લોહ = લોભ કરીને લીધેલ હોય તે. (૨૭) પુત્ર પચ્છ સથવ = પહેલાં કે પછી દાતારની સ્તુતિ કરીને લે તે. (૨૮) વિજા = ગૃહસ્થોને વિદ્યા બતાવીને લે તે. (૨૯) મંત્ત = મંત્ર, તંત્રાદિ બતાવીને લે તે. (૩૦) ચૂત્ર = એક બીજા પદાર્થો મેળવવાથી થતી વસ્તુઓ શીખવીને લે તે. (૩૧) જોગે = લેપ, વશીકરણ આદિ બતાવીને લે તે. (૩૨) ભૂલકમે = ગર્ભપાત આદિની દવા બતાવીને લે તે. - ઉપરમાંના પ્રથમ ૧૬ દોષ 'ઉદ્ગમન' એટલે ભદ્રિક શ્રાવકો ભક્તિને નામે અજ્ઞાનતાથી સાધુઓને લગાડે છે. પછીના ૧૬ દોષ Page #543 -------------------------------------------------------------------------- ________________ પરીણિી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ 'ઉત્પાત' છે. તે મુનિઓ સ્વયં લગાડે છે. હવે ૧૦દોષ સાધુ અને ગૃહસ્થ બન્નેના પ્રયોગે લાગે તે કહે છે. (૩૩) સંકિએ = જેમાં સાધુ કે ગૃહસ્થને શુદ્ધતા (નિર્દોષતા) ની શંકા હોય તે. (૩૪) મંખિએ = વહોરાવનારના હાથની રેખા કે વાળ સચિત્તથી ભીંજાયેલ હોય તો. (૩૫) નિખિતે = સચિત્ત વસ્તુ પર અચિત્ત આહાર મૂકેલો હોય તે. (૩૬) પહિયે = અચિત્ત વસ્તુ સચિત્ત વસ્તુથી ઢાંકેલ હોય તે. (૩૭) મિસીયે = સચિત્ત – અચિત્ત વસ્તુ ભેગી હોય તે. (૩૮) અપરિણીયે = પૂરો અચિત્ત આહાર ન થયો હોય તે. (૩૯) સતારિયે = એક વાસણથી બીજા (ન વાપરવાના) વાસણમાં લઈને દે તે. (૪૦) દાયગો = અંગોપાંગથી હીન હોય એવા ગૃહસ્થથી લે કે જેથી તેને હરતાંફરતાં દુ:ખ થતું હોય. (૪૧) લીર = તરતનું લીપેલ આંગણું હોય ત્યાંથી લે તે. (૪૨) ઇંડિયે = વહોરાવતાં વસ્તુ નીચે પડતી, ટપકતી હોય તો. આવશ્યક સૂત્રમાં બતાવેલા પાંચ દોષ (શ્રમણ સૂત્ર) (૧) ગૃહસ્થોના દરવાજા, કમાડ ઉઘડાવીને લે તે. (૨) ગાય, કૂતરા આદિ માટે ઉતારેલ રોટલી પ્રમુખ લે તો. (૩) દેવ, દેવીના નૈવેદ્ય, બલિદાન માટે બનેલી ચીજ લે તે. (૪) વિના દેખી ચીજ – વસ્તુ લે તે. (૫) પહેલાં નિરસ આહાર પૂરતો આવ્યો હોય, ફરીથી સરસ આહાર માટે નિમંત્રણ થાય ત્યારે રસલોલુપતાથી સરસ આહાર લઈ લે તો. Page #544 -------------------------------------------------------------------------- ________________ આહારના ૧૦૬ દોષ પિર૫] શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવેલ બે દોષ (૧) અન્ય કૂળમાંથી ગોચરી ન કરતાં પોતાના સ્વજન સંબંધીઓને ત્યાંથી જ ગોચરી કરે તે. (૨) વિના કારણ આહાર લે નહિ અને વિના કારણ આહાર ત્યાગે નહિ. (૨૬ મું અધ્યયન). છ કારણે આહાર લે: ૧. સુધાવેદનીય સહન ન થાય તો, ૨. આચાર્યાદિની વૈયાવચ્ચ હેતુથી, ૩. ઇર્ષા સમિતિના પાલન માટે, ૪. સંયમ નિર્વાહ માટે, ૫. જીવોની રક્ષા કરવા નિમિત્તે, ૬. ધર્મ કથાદિ કરવા માટે. છ કારણથી આહાર છોડે : ૧. રોગાદિ થવાથી, ૨. ઉપસર્ગ આવવાથી, ૩. બ્રહ્મચર્ય ન પળાય તો, ૪. જીવોની રક્ષા માટે, ૫. તપશ્ચર્યા માટે, ૬. અનશન (સંથારો) કરવા માટે. - શ્રી દશવૈકાલિક સૂત્રમાં બતાવેલા ૨૩ દોષ (૧) નીચા દરવાજામાં થઈ જવાતું હોય તો ત્યાં ગોચરી કરવાથી (૨) અંધારૂં પડતું હોય એને ઠેકાણે ગોચરી કરવાથી. (૩) ગૃહસ્થોનાં દ્વાર પર (ખડકી આગળ) બેઠેલ બકરા, બકરી, (૪) બચ્ચા બચ્ચી, (૫) કૂતરાં, (૬) વાછડી આદિને ઓળંગી (ટપી) ને જાય તો. (૭) અન્ય કોઈ પ્રાણીને ઓળંગી (ટપી) ને જાય તો. (૮) સાધુને આવતા જાણી ગૃહસ્થ સંઘટ્ટાની (સચિત્તાદિ) ચીજો આઘી પાછી કરી હોય ત્યાંથી ગોચરી લે તો. (૯) દાન માટે બનાવેલ (૧૦) પુણ્ય માટે બનાવેલ લે તો. (૧૧) રાંક ભિખાર માટે બનાવેલ (૧૨) બાવા સાધુઓ માટે બનાવેલ આહાર લે તો. Page #545 -------------------------------------------------------------------------- ________________ પરદા શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૧૩) રાજપિંડ (રાજાને જમવાનો બલિષ્ટ) આહાર લે તો. (૧૪) શધ્યાંતર પિંડ – મકાનદાતાને ત્યાંથી આહાર લે તો. (૧૫) નિત્ય પિંડ – રોજ એક જ ઘરેથી આહાર લે તો. (૧૬) પૃથ્વી આદિ સચિત્ત ચીજોને લાગેલો (અડેલો) આહાર લે તો. (૧૭) ઇચ્છા પૂરનારી દાનશાળાનો આહાર લે તો. (૧૮) તુચ્છ વસ્તુ (થોડી ખવાય, વધુ પરઠવી પડે તેવી) ગોચરીમાં લે તો. (૧૯) આહાર દેતાં પહેલાં સચિત્ત પાણીથી હાથ ધોયા હોય કે વહોરાવ્યા પછી સચિત્ત પાણીથી હાથ ધોવે એવો આહાર લે તો. (૨૦) નિષિદ્ધ કૂળ (મધ, માંસાદિ અભક્ષ્ય ભોજી) નો આહાર લે તો. (૨૧) અપ્રતિતકારી (સ્ત્રી, પુરૂષો દુરાચારી હોય તેવા કૂળનો) આહાર લે તો. (૨૨) ગૃહસ્થ પોતાને ઘરે આવવાની ના કહી હોય તેવા ઘરથી આહાર લે તો. (૨૩) મદિરાદિ કેફી વસ્તુની ગોચરી કરે તે મહાદોષ. શ્રી આચારાંગ સૂત્રમાં બતાવેલા ૮ દોષ (૧) મહેમાન માટે બનાવેલ આહાર, તેમના જમ્યા પહેલાં લે તો. (૨) ત્રસ જીવોનું માંસ સર્વથા નિષિદ્ધ છે તે લે તો મહાદોષ. (૩) પુણ્યાર્થ ધન, ધાન્યમાંથી બનાવેલ આહાર લે તો. (૪) જમણવાર (ઘણાં માટે ન્યાત ભોજન આદિ)માંથી આહાર લે તો. (૫) જ્યાં બહુ ભિખારી, ભોજનાથ ભેગા થયા હોય તે ઘરમાંથી આહાર લે તો. (૬) ભૂમિગ્રહ (ભોંયરા, ઊંડા ભંડકીયા)માંથી આહાર કાઢીને આપે તે લે તો. Jaiń Education International Page #546 -------------------------------------------------------------------------- ________________ આહા૨ના ૧૦૬ દોષ (૭) ગરમ આહારને ફૂંક દઈને વહોરાવે તેવો આહાર લે તો. (૮) વીંજણાદિથી ઠંડો કરેલો આહાર લે તો દોષ લાગે. શ્રી ભગવતી સૂત્રમાં બતાવેલા ૧૨ દોષ (૧) સંયોગ દોષ – નિરસ આહારને મનોજ્ઞ બનાવવા બીજી ચીજો મેળવે તો. (જેમ દૂધ મોળું છે તેમાં સાકર આદિ). (૨) દ્વેષ દોષ- નિરસ આહાર મળવાથી નફરત (ચીડ) લાવે તે. (૩) રાગ દોષ – સરસ આહાર મળવાથી ખુશી (ગૃદ્ધિ) લાવે તો. (૪) અધિક પ્રમાણમાં (ઠાંસીને) આહાર કરે તો. (૫) કાલાતિક્રમ દોષ – પહેલા પહોરનો (સવારમાં) લાવેલ આહાર ચોથા પહોરે (સાંજે) આહાર કરે તો. (૬) માર્ગીતિક્રમ દોષ – બે ગાઉથી (૭ કિ.મી.) દૂર લઈ જઈને આહાર કરે તો. (૭) સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી આહાર કરે તો. (૮) દુષ્કાળ કે અટવીમાં દાનશાળાનો આહાર લે તો. (૯) દુષ્કાળમાં ગરીબો માટે કરેલો આહાર લે તો. (૧૦) ગ્લાન રોગી પ્રમુખ માટે કરેલો આહાર લે તો. (૧૧) અનાથો માટે બનાવેલો આહાર લે તો. . (૧૨) ગૃહસ્થના આમંત્રણથી તેને ઘેર જઈને આહાર લે તો દોષ. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં બતાવેલા પાંચ દોષ (૧) મુક્તિ માટે આહારનું રૂપાંતર કરીને દે તેવો આહાર લે તો. (જેમ બુંદીના લાડવા વાળીને આપે). (૨) મુનિ માટે આહારનો પર્યાય પલટીને આહાર લે તો. * (જેમ દહીંનું રાઈતું કે છાશ કરીને આપે). (૩) ગૃહસ્થોને ત્યાંથી પોતાને હાથે આહાર લે તો. Page #547 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૪) મુનિને માટે ઓરડા આદિની અંદરથી લાવીને આપેલો આહાર લે તો. (૫) મધુર મધુર (ખુશામતી) વચનો બોલીને આહારની યાચના કરે તો. શ્રી નિશીથ સૂત્રમાં બતાવેલા ૬ દોષ (૧) ગૃહસ્થોને ત્યાં જઈને આ વાસણમાં શું છે?' એમ પૂછીને યાચના કરે તે. (૨) અનાથ, મજૂર પાસેથી યાચીને દીનતાથી આહાર લે તો. (૩) અન્યતીર્થી (બાવા સાધુ)ની ભિક્ષામાંથી યાચીને આહાર લે તો. (૪) પાસસ્થા (શિથિલાચારી) પાસેથી યાચીને આહાર લે તો. (૫) જૈન મુનિઓની દુર્ગછા કરનાર કૂળમાંથી યાચીને આહાર લે તો. (૬) મકાનની આજ્ઞા દેનાર (શધ્યાંતર) ને સાથે લઈ, તેની દલાલીથી આહાર લે તો. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં બતાવેલા ર દોષ (૧) બાળક માટે બનાવેલ આહાર લે તો. (૨) ગર્ભવતી માટે બનાવેલ આહાર લે તો. શ્રી બૃહતકલ્પ સૂત્રમાં બતાવેલ ૧ દોષ (૧) ચાર પ્રકારનો આહાર રાત્રે વાસી રાખીને બીજે દિવસે ભોગવે તો દોષ. એવું ૪૨ + ૫ + ૨ + ૨ ૩ + ૮ + ૧૨ + ૫ + ૬ + ૨ + ૧ = ૧૦૬. તેમાં પ માંડલાના અને ૧૦૧ ગોચરીના દોષ જાણવા. ઇતિ આહારના ૧૦૬ દોષ. Page #548 -------------------------------------------------------------------------- ________________ સાધુ સમાચારી ૬૯. સાધુ સમાચારી તથા સાધુઓના Sી દિનકૃત્ય અને રાત્રિકૃત્ય : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬ ના આધારે સમાચારી ૧૦ પકારની છે. (૧) આવસિય, (૨) નિસિહિય, (૩) આપુચ્છણા, (૪) પરિપુચ્છણા, (૫) છંદણા, (૬) ઇચ્છાકાર, (૭) મિચ્છાકાર, (૮) તહક્કાર, (૯) અભુટ્ટણા, (૧૦) ઉપસંપયા. સમાચારી અને તેની સમજણ. (૧) આવસિય - સાધુ આવશ્યક, જરૂરી (આહાર, નિહાર, વિહાર) કારણે ઉપાશ્રય (મકાન)થી બહાર જાય ત્યારે 'આવસિય' શબ્દ બોલીને બહાર નીકળે. (૨) નિસિદિય – કાર્ય પૂરું કરી, નિવર્તિ ને પાછા ઉપાશ્રય, સ્વસ્થાનમાં આવે ત્યારે 'નિસિહિ' શબ્દ બોલતાં આવે. (૩) આપુચ્છણા – ગોચરી, પડિલેહણ આદિ પોતાના સર્વ કાર્ય ગુરૂની આજ્ઞા લઈને કરે. (૪) પડિપુચ્છણા- અન્ય સાધુઓનાં દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને કરે. (૫) છંદણા – આહાર પાણી ગુરુની આજ્ઞા મુજબ વહેંચી આપે અને પોતાના ભાગે આવેલ આહાર પણ મોટાને આમંત્રીને પછી ખાય. (૬) ઇચ્છાકાર – (પાત્રલેપાદિ) દરેક કાર્યમાં ગુરુની ઇચ્છા પૂછીને કરે. -34 Page #549 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૭) મિચ્છાકાર – યત્કિંચિત્ અપરાધ માટે ગુરુ સમક્ષ આત્મનિંદા કરી "મિચ્છામિ દુક્કડ" દે. (૮) તહક્કાર – ગુરુના વચનને સદા તહત્ત' (પ્રમાણ) કહીને પ્રસન્નતાથી કાર્ય કરે. (૯) અભુટ્ટણા – ગુરુ, રોગી, તપસ્વી આદિની અગ્લાન પણે વૈયાવચ્ચ કરે. (૧૦) ઉપસંપયા – જીવન પર્યત ગુરુકૂળવાસ કરવો. (ગુરુ આજ્ઞા મુજબ વિચરે). દિનકૃત્ય : ચાર પહોર દિવસના અને ચાર પહોર રાત્રિના હોય છે. દિનના કે રાતના ચોથા ભાગને પ્રહર કહેવો (તની સમજણ આગળના યંત્રથી જાણવી.) (૧) દિવસ ઉગતાં જ પહેલા પહોરના પહેલા ચોથા ભાગમાં બધા ઉપકરણોનું પડિલેહણ કરવું. (૨) ત્યારબાદ ગુરુને પૂછે કે વૈયાવચ્ચ કરું કે સક્ઝાય? ગુરુ આજ્ઞા આપે તેમ ૧ પહોર પૂરો થાય ત્યાં સુધી કરે. (૩) બીજા પહોરમાં ધ્યાન (કરેલ સ્વાધ્યાયની ચિંતવના) કરે. (૪) ત્રીજા પહોરે ગોચરી કરે. પ્રાસુક આહાર લાવીને ગુરુને બતાવી, સંવિભાગ કરી, મોટેરાને આમંત્રીને આહાર કરે. (૫) ચોથા પ્રહરના ત્રણ ભાગ સુધી સ્વાધ્યાય કરે અને (૬) ચોથા પહોરના ચોથા ભાગમાં ઉપકરણોનું પડિલેહણ કરે તથા પરઠવાની ભૂમિ પણ પડિલેહે ત્યારબાદ, (૭) દેવસી પ્રતિક્રમણ કરે. (છ આવશ્યક કરે.) • રાત્રિત્યા દેવસિ પ્રતિક્રમણ કર્યા બાદ પહેલે પહોરે અસક્ઝાય ટાળીને Page #550 -------------------------------------------------------------------------- ________________ અહોરાત્રિની ઘડીઓનો યંત્ર દિન ૩૧. સ્વાધ્યાય કરે. બીજે પહોરે ધ્યાન કરે. સ્વાધ્યાયના અર્થ ચિંતવે, ત્યારબાદ નિદ્રા આવે તો ત્રીજે પહોરે સવિધિ યત્નાપૂર્વક સંથારો સંતરીને સ્વલ્પ નિદ્રા લે. ૧ પહોરની નિદ્રા લઈને ચોથા પહોરની શરૂઆતમાં ઊઠવું, નિદ્રાના દોષ ટાળવા કાઉસ્સગ્ન કરવો. પોણા પહોર સુધી સ્વાધ્યાય (સક્ઝાય) કરવી. છેલ્લા (ચોથા) પહોરમાં ચોથા (અંતિમ) ભાગમાં રાજય પ્રતિક્રમણ કરવું પછી ગુરુવંદન કરી પચ્ચકખાણ કરવા. ઇતિ સાધુ સમાચારી. છે G G $ G $ G G (૭૦. અહોરાત્રિની રે, ઘડીઓનો યંત્ર) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬ ના આધારે ૭ શ્વાસોચ્છવાસનો ૧ થોક, ૭ થોકનો ૧ લવ, ૩૮ લવની ૧ ઘડી (૨૪ મિનિટ), પ્રતિદિન રા લવને રાથોક દિવસે વધે ઘટે તેનો યંગમ કેટલી ઘડીની વદ વદ - - - - - - - - - - - સાતમ . દિવસ કેટલી ઘડીના? | રાત્રિ કેટલી ઘડીની? માસ વદ વદ | સુદ | પૂર્ણિ વદ | વદ સુદ પુનમે સાતમે અમાસે સાતમે, માએ, સાતમે,અમાસે સાતમે અષાઢ ૩૪૩૫ [૩૫] [૩૬૨પા ૨૫ | ૨૪ / ૨૪ | શ્રાવણ | ૩પ,૩૫ ૩૪ ૩૪ | ૨૪ ૨૫ ૨૫ ૨૬ | ભાદ્રપદ ૩૩૩૩ ]૩૨|૩૨ | ર૬| ર૭ | ર૭ા | ૨૮ | આસો ૩૧.૩૧ |30| ૩૦ | ૨૮ ૨૯ | ૨૯ | ૩૦ કાર્તિક | ૨૯ ૨૯ ૨૮૨૮ | ૩૦ ૩૧ ૩૧ ૩૨ : Page #551 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ રકા ૩૩ ] ૩૩| શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ માર્ગશીર્ષ ૨ ૨૬ | ૩૦ | પોષ | ૨પા|૨૫ | ૨૪૨૪ ૩૪, ૩૫ રૂપા માઘ ૨૪/૨૫ | ૨૫ ૨૬ રૂપા! ૩૫ ૩૪ ફાલ્ગન | ૨૬ ૨૭ ૨૭ ૨૮ | ૩૩ ] ૩૩ | ૩૨ ચૈત્ર | ૨૮ ૨૯ | ૨૯૩૦ / ૩૧ | (૩૧ | ૩૦ ૩૦. ૩૧.૩ર | ૨૦ | ૨૯ | ૨૮ જ્યેષ્ઠ ૩૨ ૩૩ ૩૩૩૪ વૈશાખ ૨૭માં | ૨૬ો. ઈતિ અહોરાત્રિની ઘડીઓનો યંત્ર. (૭૧. દિન પહો૨ માપનો યંત્ર) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬ ના આધારે દિવસમાં પ્રથમ બે પહોરમાં માપ ઉત્તર તરફ મોં રાખીને લેવું અને પાછલા બે પહોરમાં માપ દક્ષિણ તરફ મહીં રાખીને લેવું. જમણા પગના ઢીંચણ સુધીનો પડછાયો પડે તે પોતાના પગલાં અને આંગળથી માપવો. એ રીતે પોરસી તથા પોણી પોરસીનું માપ પગલાં અને આગળ (પ..) બતાવનારો યંત્ર. | ૧ લી અને ૪ થી ૧ પારસી પોણી પોરસી માસ વદ વદ | સુદ પૂર્ણિ | વદ | વદ | સુદ પુનમે સાતમે અમાસે સાતમે માએ સાતમે અમાસે ! સાતમે ૫. પ.. ૫.આં.પિ..પિ.... પ.. | ૫.આં. અષાઢ ૨-૩ર-૨ /૨–૧ ૨-૦૨-૯ ૨-૮૨–૭ | -૬ શ્રાવણ | ૨-૧|ર-૨ ૨-૩ ૨-૪ - 9 ૨-૮ [૨-૯ ]૨–૧૦ ભાદ્રપદ ર–પર-૬ /૨-૭] ર-૮ ૩–૧ ૩–૨ 13--૩ ૩–૪: | આસો | ર–૯ ર–૧ ૨–૧૧ ૩–૦ ૩૫ ૩-૬ ૩–૭ |–૮ | કાર્તિક | ૩–૧૨–૨ ૧૩-૩ી ૩-૪ ૩-૯ી ૩–૧) ૩–૧ ૧૪-૦. જે બાપ | Page #552 -------------------------------------------------------------------------- ________________ = 0 રાત્રિ પહોર જોવાની રીત માર્ગશીર્ષ ૩-૫ ૩-૬ ૩–૭] ૩-૮૪–૩૪-૪ ૪-૫ ૪-૬ પોષ |૩–૯ ૩–૧૦૩–૧૧ ૪-૦૫૪–૭૪-૮ ૪–૯ ૪–૧૦ માઘ [૩–૧૧–૧૦૩–૯ [૩-૮૪-૯૪-૮ (૪–૭ ૪-૬ ફાલ્ગન |૩–૭ |–૬ |૩–૫૩-૪૪-૩૪-૪–૧ ૪-૦ ચૈત્ર ૩-૩ ૩–૨ [૩–૧ ૩િ-૦૩–૧૧૩-૧૩–૯ ૩-૮ વૈશાખ |ર-૧૧ર-૧૦|-૯ ] ૨-૮ ૩–૭ |3-૬ |૩-૫ ૩-૪ જ્યેષ્ઠ ૨-૭-૬ |ર–પ | ૨-૪૩–૧૩-૦૨-૧૧-૧૦ ઢીંચણને બદલે વેંતથી માપ કરવું હોય તો ઉપરથી અડધું સમજવું. ઇતિ દિન પહોર માપનો યંત્ર. (૭૨. રાત્રિ પહો૨ જોવાની રીત) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬ ના આધારે જે કાળને વિષે જે જે નક્ષત્ર આખી રાત્રિ પૂર્ણ કરતા હોય તે નક્ષત્ર રાત્રિના ચોથા ભાગને વિષે આવે, તે વારે પોરસી આવી જાણવી. રાત્રિની ચોથી પોરસી છેલ્લા ચોથા ભાગને (બે ઘડી રાત્રિનો) પાઉસ (પ્રભાત) કાળ કહે છે. એ વખતે સક્ઝાયથી નિવર્તિને પ્રતિક્રમણ કરવું. નક્ષત્રો નીચે મુજબ રહે છે. શ્રાવણમાં ૧૪ રોજ ઉત્તરાષાઢા, ૭ રોજ અભિચ, ૮ રોજ શ્રવણ, ૧ રોજ ઘનિષ્ઠા, ભાદ્રપદમાં ૧૪ રોજ ઘનિષ્ઠા, ૭ રોજ શતભિષા, ૮ રોજ પૂર્વ ભાદ્રપદ, ૧ રોજ ઉત્તરા ભાદ્રપદ. આસોમાં ૧૪ રોજ ઉત્તરા ભાદ્રપદ, ૧૫ રોજ રેવતી, ૧ રોજ અશ્વિની. કાર્તિકમાં ૧૪ રોજ અશ્વિની, ૧૫ રોજ ભરણી, ૧ રોજ કૃતિકા. Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ માગશરમાં ૧૪ રોજ કૃતિકા, ૧૫ રોજ રોહિણી, ૧ રોજ મૃગશર. પોષમાં ૧૪ રોજ મૃગશર, ૮ રોજ આર્કા, ૭ રોજ પુનર્વસુ, ૧ રોજ પુષ્ય. માઘમાં ૧૪ રોજ પુષ્ય, ૧૫ રોજ અશ્લેષા, ૧ રોજ મઘા. ફાલ્યુનમાં ૧૪ રોજ મઘા, ૧૫ રોજ પૂર્વાફાલ્ગની, ૧ રોજ ઉ. ફા. ચૈત્રમાં ૧૪ રોજ ઉત્તરા ફાલ્ગની, ૧૫ રોજ હસ્ત, ૧ રોજ ચિત્રા. વૈશાખમાં ૧૪ રોજ ચિત્રા, ૧૫ રોજ સ્વાતિ, ૧ રોજ વિશાખા. જ્યેષ્ઠમાં ૧૪ રોજ વિશાખા, ૧૫ રોજ અનુરાધા, ૧ રોજ જ્યષ્ઠા. અષાઢમાં ૧૪ રોજ યેષ્ઠા, ૧૫ રોજ મૂળ, ૧ રોજ પૂર્વાષાઢા. છેલ્લો એકેક રોજ લખ્યો તે નક્ષત્ર પૂર્ણિમાએ હોય તે મહિનાનો છેલ્લો દિવસ સમજવો. આ મહિના વદ ૧ થી શરૂ થાય છે. વદમાં ગુજરાતી માસથી આગળનો સમજવો. સુદમાં સાથે છે. | ઇતિ રાત્રિ પહોર જોવાની રીત સંપૂર્ણ. * ૩ કે ૪ ૩ ૩ ૬ % S S « ડિ૭િ૩. ૧૪ પૂર્વનો યંત્ર) :) શ્રી નંદી સૂત્ર તથા શ્રી સમવાયાંગ સૂત્ર તીર્થ પ્રવર્તન કરવાના સમયે તીર્થંકર ભગવાન ગણધરોને જે અર્થનો સર્વ પ્રથમ ઉપદેશ આપે છે અથવા ગણધરો જે અર્થને સૂત્રરૂપમાં પ્રથમ ગૂંથન કરે છે તેને પૂર્વ કહે છે. ૧૪ પૂર્વના કર્તા પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી છે. વલ્થ – અધ્યયન. ચલવત્યુ – વત્યુનાં પેટા ભેદ (અંતરભેદ). Page #554 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પૂર્વનો યંત્ર ૧૪ પૂર્વનાં નામ ઉત્પાદ પૂર્વ ૧ ક્રોડ '' પૂર્વ જ્ઞાન પ્રવાદ પૂર્વ પદ સંખ્યા અગ્રણીય ૯૬ લાખ ૧૪ ૭૦ લાખ ૧૮ વીર્ય પૂર્વ અસ્તિનાસ્તિ ૬૦ લાખ ૧૮ પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ વિદ્યા પ્રવાદ સત્ય પ્રવાદ પૂર્વ ૬ લાખ આત્મા પ્રવાદ ૨૬ ક્રોડ પૂર્વ કર્મ પ્રવાદ પૂર્વ ૧ કોડમાં ૧૨ ૧ ઓછી ૧ ક્રોડ વત્યુ ચુલ શાહી | વિષય વર્ણન વત્યુ હસ્તિ ૪. ૧ ૩ ૧ ક્રાફ ૧૦ પૂર્વ ૧૦ લાખ અવંધ્ય પૂર્વ | ૨૬ ક્રોડ ૧ ક્રોડ પ્રાણાવાય પૂર્વ ૫૬ લાખ ક્રિયા વિશાલ ૯ ક્રોડ લોકબિંદુસા૨ ૧૨ ક્રોડ ૫૦ લાખ ૧ ક્રોડ રે ૮૦ લાખ ૮૪ લાખ |૨૦ ૭ ૧૫ ૧૨૩૨ ૪ ૧૦૧૮ '' ૧૨ ૧૩ છ O ૧૬ ૭ 30 ૨૫ L ૩૦ G () છે O 0 સર્વ દ્રવ્ય ગુણ ૫.નું જાણપણું જીવોના વીર્યનું વર્ણન અસ્તિ નાસ્તિનું સ્વરૂપ અને સ્યાદવાદ પાંચ જ્ઞાનનું વિવેચન સત્ય સંયમનું વિવેચન નય, પ્રમાણ, દર્શન સહિત આત્મસ્વરૂપ ૧૨૮ કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, મૂળ ઉત્તર પ્રકૃતિ ૨૫૬ પ્રત્યાખ્યાનનું પ્રતિપાદન ૫૧૨ વિદ્યાના અતિશયોનું વર્ણન ૧૬ ૩૨ ૬૪ થી ૫૩૫ સર્વ દ્રવ્ય ગુણ પર્યાયનું ઉત્પન્ન અને નાશ ૧૦૨૪ શુભાશુભ ફળનું વર્ણન ૨૦૪૮ ભેદ સહિત પ્રાણના વિષયનું વર્ણન ૭ ૪૦૯૬ ક્રિયાનું વ્યાખ્યાન, વિવેચન ૮૧૯૨ બિંદુમાં લોકસ્વરૂપ, સર્વ અક્ષર સન્નિપાત પૂર્વ ૧ મતાંત૨થી પદ સંખ્યા ૨ ક્રોડ ની છે. ૨ મતાંત૨થી પદ સંખ્યા ૧ ક્રોડ ૮૦ હજાર છે. ૩ મતાંત૨થી પદ સંખ્યા ૧ ક્રોડ ૧૦ હજાર છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અંબાડી સહિત હાથીના જેટલા શાહીના ઢગલાથી ૧ પૂર્વ લખાય, એમ ૧૪ પૂર્વ લખવા માટે કુલ ૧૬,૩૮૩ હાથી પ્રમાણ શાહી જોઈએ. એટલી શાહીએ લખી શકાય એટલા જ્ઞાનને ૧૪ પૂર્વનું જ્ઞાન કહેવું. પૂર્વનું જ્ઞાન કોઈએ લખ્યું નથી અને લખાશે નહીં. ઇતિ ૧૪ પૂર્વનો યંત્ર. જ છG G $ $ $ $ $ ૭િ૪. સમ્યફ પરાક્રમનો ૭૩ બોલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ (૧) સંવેગ – વૈરાગ્ય તે મોક્ષ પહોંચવાની અભિલાષા. (૨) નિર્વેદ– વિષય ઉપર અભિલાષા રહિતપણું. (૩) ધર્મશ્રદ્ધા – ધર્મ કરવાની શ્રદ્ધા. (૪) ગુરૂ સ્વધર્મીની સેવા ભક્તિ કરવી. (૫) આલોચના – પોતે કરેલા પાપની આલોચના કરવી. (૬) આત્મનિંદા – આત્મદોષોની આત્મસાક્ષીએ નિંદા કરે. (૭) આત્મ ગહ – ગુરુ સમીપે પાપની નિંદા કરે. (૮) સામાયિક – સાવધ યોગોથી નિવૃત્તિ કરે. (૯) ચઉવીસત્યો – તીર્થકરોની સ્તુતિ કરે. (૧૦) વંદના - ગુરુને વંદન કરે. (૧૧) પ્રતિક્રમણ – પાપથી નિવૃત્ત થવા માટે પ્રતિક્રમણ કરે. (૧૨) કાઉસ્સગ્ન – કાઉસ્સગ્ન (કાયોત્સર્ગ) કરે. (૧૩) પચ્ચકખાણ – વ્રત પ્રત્યાખ્યાન કરે. (૧૪) સ્તવસ્તુતિ મંગલ -- પ્રતિક્રમણ કરીને નમોણે કરે, સ્તુતિ Page #556 -------------------------------------------------------------------------- ________________ સમ્યફ પ્રરાક્રમના ૭૩ બોલ મંગળ કરે. (૧૫) કાળ પ્રતિલેખના – સ્વાધ્યાયનો કાળ પ્રતિલેખે. (૧૬) પ્રાયશ્ચિત – ગુરુ સમીપે પ્રાયશ્ચિત લે. (૧૭) ક્ષમાપના – પોતે કરેલા દોષોની માફી માંગે. ખમાવે. (૧૮) સ્વાધ્યાય – કાળોકાળ સ્વાધ્યાય કરે. (૧૯) વાંચના – સૂત્ર સિદ્ધાંતની વહેચણી દે. (૨૦) પતિપૂચ્છના – સૂત્ર અને અર્થમાં સંદેહ પડતાં પ્રશ્ન પૂછે. (૨૧) પરિયણા – વારંવાર સૂત્રજ્ઞાન ફેરવે. (૨૨) અનુપેક્ષા – સૂત્રાર્થનું ચિંતન કરે. (૨૩) ધર્મકથા – ધર્મકથા (ધર્મ ઉપદેશ) કહે. (૨૪) શ્રત આરાધના – સૂત્ર સિદ્ધાંતની આરાધના કરે. (૨૫) મનની એકાગ્રતા – એકાગ્ર શુભ મનની સ્થાપના કરે. (૨૬) સંયમ – સત્તર ભેદે સંયમ પાળે. (૨૭) તપ – બાર ભેદે તપ કરે. (૨૮) વ્યવદાન – પૂર્વકૃત કર્મોનો ક્ષય કરે. કર્મ ટાળે. (૨૯) સુખશાતા – વિષયસુખને ટાળે. (૩૦) અપ્રતિબદ્ધતા – વિષયસુખમાં આસક્તિનો ત્યાગ. અપ્રતિબદ્ધ પણું કરે. (૩૧) વિવિક્ત શયનાસન – સ્ત્રી, પશુ, પંડગ (નપુંસક) રહિત ભોગવે. (૩૨) વિનિવર્તના – વિશેષે કરી વિષયથી નિવર્તે. (૩૩) સંભોગ પચ્ચકખાણ – પોતાના તથા બીજાનો લાવેલ આહાર, વસ્ત્રાદિ ભેગા કરી વહેંચી લે તે સંભોગ. તેનું પચ્ચખાણ કરે. (૩૪) ઉપધિ પચ્ચકખાણ –- ઉપકરણના પચ્ચકખાણ કરે. Page #557 -------------------------------------------------------------------------- ________________ પડટોીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૩૫) આહાર પચ્ચકખાણ – સદોષ આહાર લેવાના પચ્ચકખાણ કરે. (૩૬) કષાય પચ્ચકખાણ – ચાર કષાયના પચ્ચખાણ કરે. (૩૭) જોગ પચ્ચકખાણ – અશુભ યોગના પચ્ચક્ખાણ કરે. (૩૮) શરીર પચ્ચખાણ – શરીર શુશ્રષાના પચ્ચકખાણ કરે. (૩૯) સહાય પચ્ચકખાણ – બીજા સાધુ, શિષ્યોની સહાય ન લેવી. (૪૦) ભત્ત પચ્ચકખાણ – આહાર લેવાના પચ્ચક્ખાણ કરે. (૪૧) સદ્ભાવ પચ્ચકખાણ – દિશારૂપ અનાદિ સ્વભાવના પચ્ચખાણ કરે. (પ્રવૃત્તિમાત્રનો ત્યાગ કરે). (૪૨) પ્રતિરૂપતા – કપટાઈ રહિત યતિના વેશે અને અનાચારે પ્રવર્તે. (૪૩) વૈયાવચ્ચ – ગુણવંત સાધુની સેવા કરે. (૪૪) સર્વ ગુણ સંપન્ન – જ્ઞાનાદિ સર્વ ગુણ સંપન્ન હોય. (૪૫) વીતરાગતા – રાગ દ્વેષ રહિત પ્રવર્તે. (૪૬) ખંતિ – ક્ષમા સહિત પ્રવર્તે. (૪૭) મુક્તિ – લોભ રહિત પ્રવર્તે. (૪૮) આર્જવતા – અહંકાર રહિત પ્રવર્તે. (૪૯) મૃદુતા – સરળ (નિષ્કપટ) પણે પ્રવર્તે. (૫૦) ભાવ સત્ય – શુદ્ધ અંતઃકરણ (સત્યતા)થી પ્રવર્તે. (૫૧) કરણ સત્ય – (સવિધિ) ક્રિયા કરતા પ્રવર્તે (૫૨) યોગ સત્ય – મન, વચન, કાયા જોગ સત્ય પ્રવર્તે. (૫૩) મન ગુપ્તિ- પાપથી મન નિવારીને મન ગુપ્તિપણે પ્રવર્તાવે. (૫૪) વચન ગુપ્તિ - વચન ગુપ્તિપણે પ્રવર્તાવે. (૫૫) કાય ગુમિ - કાયાને ગુપ્તિપણે પ્રવર્તાવે. (૫૬) મન સમાધારણા – મનને સત્યભાવે સ્થાપવાપણે પ્રવર્તાવે. Page #558 -------------------------------------------------------------------------- ________________ સમ્યક પરાક્રમના ૭૩ બોલ Hિીપ૩૯) (૫૭) વચન સમાધારણા- વચનને (સ્વાધ્યાયાદિ પર) સત્યભાવે પ્રવર્તાવે. (૫૮) કાય સમાધારણા – કાયાને સત્યભાવે પ્રવર્તાવે. (૫૯) જ્ઞાન સંપન્નતા – શ્રુત જ્ઞાનાદિથી સંપન્ન હોય. (૬૦) દર્શન સંપન્નતા – સમ્યકત્વ સહિત હોય. (૬૧) ચારિત્ર સંપન્નતો – સમ્યફ ચારિત્ર સહિત હોય. (૬૨-૬૬) શ્રોસેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય એ પાંચનો નિગ્રહ કરે. (૬૭–૭૦) ક્રોધ, માન, માયા અને લોભને જીતે. (૭૧) રાગ, દ્વેષ અને મિથ્યાત્વને જીતે. (૭૨) મન, વચન, કાયાના યોગને રૂંધીને શેલેષી અવસ્થા ધારણ કરે. (૭૩) કર્મો રહિત થઈને મોક્ષે પહોંચે. એમ આત્મા ૭૩ બોલે કરીને ક્રમશઃ મોક્ષ પહોંચીને શીતલીભૂત થાય. ઇતિ સમ્યફ પરાક્રમના ૭૩ બોલ. જs 3 % S S « DEવું જ Sત (૭૫. ૧૪ રાજલોકો તો લોક અસંખ્યાત ક્રોડાકોડી યોજનાના વિસ્તારમાં છે. એમાંજ પંચાસ્તિકાય ભરેલી છે. અલોકમાં આકાશ સિવાય કંઈ નથી. લોકનું પ્રમાણ બતાવવાને 'રાજ' એવી માપની સંજ્ઞા છે. * એક 'રાજ' (રાજુ) એટલે શું ? ૩,૮૧,૧૨,૯૭૦ મણનો ૧ ભાર, એવા ૧૦૦૦ ભાર વજનના એક ગોળાને ઊંચેથી ફેંકે તે ૬ Page #559 -------------------------------------------------------------------------- ________________ પ૪૦Dિ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ માસ, ૬ દિન, ૬ પ્રહર, ૬ ઘડી, ૬ પળમાં જેટલો નીચે આવે, તેટલા ક્ષેત્રને ૧ રાજુ કહે છે. એવા ૧૪ રાજુ લાંબો (ઊંચો) આ લોક છે. (ગ્રંથના આધારે). વળી 'રાજના ૪ પ્રકાર છે. (૧) ઘનરાજ – લંબાઈ, પહોળાઈ, જાડાઈ એકેક રાજુ. (૨) પરતરરાજ – ઘનરાજનો ચોથો ભાગ. (૩) સૂચિરાજ – પરતરરાજનો ચોથો ભાગ અને (૪) ખંડરાજ - સૂચિરાજનો ચોથો ભાગ. અધોલોક ૭ રાજુ ઝાઝેરો જાડપણે છે. તેમાં એકેક રાજુની જાડી એવી ૭ નરક છે. નરક નામ | જાડી પહોળી ઘનરાજપરતરરાજાસૂચિરાજખંડરાજ રાજુ રાજુ રાજુ | રાજુ | રાજુ રાજુ રત્નપ્રભા ૧૧ [૧ ૧ | ૪ /૧૬ ૬૪ શર્કરાપભા ૧ | રા | ૬ો. ર૫ ૧OO ૪૦૦ વાલુપ્રભા ૪] ૧૬ | ૬૪ ૨૫૬ ૧૦૨૪ પંકપ્રભા ૧|પ | ૨૫ | ૧૦૦ ૪૦૦ ૧૬૦૦ ધૂમ્રપ્રભા ૩૬ [ ૧૪૪ પ૭૬ ર૩૦૪ તમાભા | ૧ ૬ો | જરા | ૧૭૯ ૬૭૬ ૨૭૦૪ તમતમાપભા| ૧ | ૭ ૪૯ ૧૯૬ ૭૮૪ ઉ૧૩૬ T૭૩૨ ૧૭પા | ૭૦૨ ૨૮૦૮ /૧૧૨૩૨૨ અધોલોકમાં કુલ ૧૭પી ઘનરાજ, ૭૦૨ પરતરરાજ, ૨૮૦૮ સૂચિરાજ, ૧૧,૨૩૨ ખંડરાજ હોય છે. ૧૮૦૦ યોજન જાગપણે ૧રાજ વિસ્તારવાળો તિર્થાલોક છે. તેમાં અસંખ્યાત દીપ સમુદ્રો (મનુષ્ય તિર્યંચના સ્થાન) અને જ્યોતિષી દેવો છે. તિર્થો અને ઉર્ધ્વલોક મળીને ૭ રાજુ આછેરો છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ પ૪૧ પણું o ( ૦ ૧૪ રાજલોક સમભૂમિથી ૧૫ રાજુ ઊંચે પહેલું બીજું દેવલોક છે. ત્યાંથી ૧ રાજુ ઊંચે ત્રીજું ચોથું દેવલોક છે. ત્યાંથી વણા રાજ ઊંચે બ્રહ્મ દેવલોક છે. Oા રાજ ઊંચે લાંતક દેવલોક, ત્યાંથી જ રાજ ઊંચે સાતમું, વી રાજ ઊંચે આઠમું, વો રાજ ઊંચે ૯-૧૦મું દેવલોક, વો રાજ ઊંચે ૧૧-૧૨મું દેવલોક, ૧ રાજ ઊંચે ૯ રૈવેયક, ૧ રાજ ઊંચે પ અનુ. વિમાન આવે છે. તેનો ક્રમશ: વધતા ઘટતા વિસ્તાર માટે યંત્ર સ્થાન જાડ વિસ્તારઘનરાજ પરત સૂચિ ખંડ રાજ રાજ રાજ સમભૂમિથી T૦|| ૧ | Jર | ૮ | ૩૨ ત્યાંથી ૧} {૧ ૧૬૮ ૪ll ત્યાંથી ૧-૨ દેવલોકથી ૨L |૧|| ૧૧ | ત્યાંથી ૩ ૪ | |૧૮ ૩–૪ દેવલોક ૧૨૮ ૫૧૨ પમા દેવલોક ૧૮. ૩૦૦૧૨૦૦ છઠ્ઠા દેવલોક ૧૦૦ ૪૦૦ ૭ મા દેવલોક | ૬૪ ! ૨૫૬ ૮ મા દેવલોક ૨પ૬ ૯-૧૦ દેવલોક ૧૮ ૧૧–૧૨ દેવ. || રાા ૩૧૮ ત્યાંથી ૨ll ||| ૧ ૧૬ દા ૯ રૈવેયક ૨ | ૩ /૧૨ ત્યાંથી ૧૫ | ૧ ૧૮ ૪ ૫ અનુ. વિમાન || ૧ વિ રિ | ૮ ૧OO છે ૭૨ ૨૮૮ જ 에 이 이 이 이 이 이 이 이 이에 이 ૨ ૨ જ જ ૬૪ ઇ ૪l. ૨૮૮ ૦ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ કુલ ઉર્ધ્વલોકના ૬૩॥ઘનરાજ થયા અને આખા લોકના ૨૩૯ ઘનરાજ. ઇતિ ૧૪ રાજલોક. 台 ૭૬. નારકી પક્ષવણા સૂત્ર પદ ૨ નારકીનાં ૨૧ દ્વા૨ : ૧. નામ, ૨. ગોત્ર, ૩. જાડપણું, ૪. પહોળાઈ, ૫. પૃથ્વીપિંડ, ૬. કરડ, ૭. પાથડા, ૮. આંતરા, ૯. પાથડે પાઘડાનો આંતરો, ૧૦. ઘનોષિ, ૧૧. ઘનવાયુ, ૧૨. તનવાયુ, ૧૩. આકાશ, ૧૪. ન૨ક ન૨કનું અંતર, ૧૫. ન૨કાવાસા, ૧૬. અલોક અંતર, ૧૭. વલીયા, ૧૮. ક્ષેત્રવેદના, ૧૯. દેવ વેદના, ૨૦. વૈક્રિય, ૨૧. અલ્પબહુત્વ દ્વાર, તેનો વિસ્તાર. ૧. નામ દ્વાર : ૧ ઘમા, ૨ વંશા, ૩ શીલા, ૪ અંજના, ૫ રીડ્ડા, ૬ મઘા, ૭ માઘવઈ. ૨. ગોત્ર દ્વા૨ : ૧ રત્નપ્રભા, ૨ શર્કરાપ્રભા, ૩ વાલુપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમ્રપ્રભા, ૬ તમઃપ્રભા, ૭ તમઃતમા (મહાતમ) પ્રભા. ૩. જાડપણા દ્વાર : પ્રત્યેક ન૨ક એકેક રાજુ જાડી છે. ૪. પહોળાઈ દ્વાર : પહેલી ન૨ક ૧ ૨ાજ પહોળી, બીજી ૨॥ રાજ, ત્રીજી ૪ રાજ, ચોથી ૫ રાજ, પાંચમી ૬ રાજ, છઠ્ઠી ૭ રાજ અને સાતમી ન૨ક ૭ રાજુ વિસ્તારે પહોળી છે. પણ નેરીયા ૧ ૨ાજુ વિસ્તારે (ત્રસનાળ પ્રમાણે) જ છે. ૫. પૃથ્વી પિંડ દ્વાર : પ્રત્યેક નરક અસંખ્ય યોજનની છે. પણ પૃથ્વીપિંડ પહેલી નરકનો ૧,૮૦,૦૦૦ યોજન, બીજીનો ૧,૩૨,૦૦૦ Page #562 -------------------------------------------------------------------------- ________________ ના૨કી. ૪િ૩ યોજન, ત્રીજીનો ૧,૨૮,૦૦૦ યોજન, ચોથીનો ૧,૨૦,000 યોજન, પાંચમીનો ૧,૧૮,૦૦૦ યોજન, છઠ્ઠીને ૧,૧૬,૦00 યોજન અને સાતમીનો ૧,૦૮,000 યોજનાનો પૃથ્વીપિંડ છે. ૬. કરંડ દ્વાર : પહેલી નરકમાં ૩ કરંડ છે. (૧) ખરકાંડ – ૧૬ જાતના રત્નમય ૧૬ હજાર યોજનનો. (૨) આયુલબહુ – પાણીમય ૮૦ હજાર યોજનનો, (૩) પંકબહુલ – કર્દમમય ૮૪ હજાર યોજનનો. કુલ ૧,૮૦,000 યોજન છે. શેષ ૬ નરકમાં કરંડ નથી. ૭–૮. પાથડા, આંતરદ્વાર: પૃથ્વી પિંડમાંથી ૧૦00 યોજન ઉપર અને ૧૦00 યોજન નીચે છોડીને બાકીની પોલારમાં આંતરા અને પાથડા છે. ફક્ત ૭મી નર્કમાં પ૨,૫00 યોજન ઉપર, પર,૫૦૦ યોજન નીચે છોડીને 3000 યોજનાનો ૧ પાથડે છે. પહેલી નર્કમાં ૧૩ પાથડા, ૧૨ આંતરા છે. બીજી નર્કમાં ૧૧ પાથડા, ૧૦ આંતરા છે. ત્રીજી નર્કમાં ૯ પાથડા, ૮ આંતરા છે. ચોથી નર્કમાં ૭ પાથડા, ૬ આંતરા છે. પાંચમી નર્કમાં ૫ પાથડા, ૪ આંતરા છે. છઠ્ઠી નરકમાં ૩ પાથડા, ૨ આંતરા છે. સાતમી નરકમાં ૧ પાથડો છે. આંતરો નથી. પહેલી નર્કના ૧૨ આંતરામાંથી ૨ ઉપરના છોડીને શેષ ૧૦ આંતરામાં દશ જાતના ભવનપતિ દેવો વસે છે. શેષ નરકોનાં આંતરામાં ભવનપતિ દેવોનો વાસ નથી. દરેક પાથડો 3000 યોજનનો છે. તેમાં 1000 યોજન ઉપર, ૧000 યોજન નીચે છોડીને, મધ્યના ૧000 યોજનમાં નારકીને ઉપજવાની કુંભીઓ હોય છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૯. પાથડે પાથડાનું અંતર ઃ પહેલી નર્કમાં ૧૧,૫૮૩ ૧/૩ યોજન; બીજીમાં ૯,૭૦૦ યો., ત્રીજીમાં ૧૨,૭૫૦ યો, ચોથીમાં ૧૬,૧૬૬ ૨/૩ યો., પાંચમીમાં ૨૫,૨૫૦ યો., છઠ્ઠીમાં ૫૨,૫૦૦ યો.નું અંત૨ (છેટું) છે, સાતમીમાં એક પાથડો હોવાથી અંતર નથી. ૧૦. ઘનોદધિ દ્વાર : પ્રત્યેક નરકના નીચે ૨૦ હજાર યોજનનો ઘનોધિ છે. ૧૧. ઘનવાયુ દ્વાર : પ્રત્યેક નરકના ઘનોદધિ નીચે અસંખ્ય યોજનનો ઘનવાયુ છે. ૧૨. તનવાયુ દ્વા૨ : પ્રત્યેક નરકના ઘનવાયુ નીચે અસંખ્ય યોજનનો તનવાયુ છે. ૧૩. આકાશ દ્વાર : પ્રત્યેક નરકના તનવાયુ નીચે અસંખ્ય યોજનનો આકાશ છે. ૧૪. ન૨૭–ન૨કનું અંતર : બે ન૨ક વચ્ચે અસંખ્ય અસંખ્ય યોજનનું અંતર છે. ૧૫. ન૨કાવાસા દ્વા૨ : પહેલી નરકમાં ૩૦ લાખ, બીજીમાં ૨૫ લાખ, ત્રીજીમાં ૧૫ લાખ, ચોથીમાં ૧૦ લાખ, પાંચમીમાં ૩ લાખ, છઠ્ઠીમાં ૯૯,૯૯૫ અને સાતમી નર્કમાં ૫ ન૨કાવાસા છે. એમ ૮૪ લાખ નરકાવાસામાં ૪/૫ ભાગ (૬૭,૨૦,૦૦0) નરકાવાસા અસંખ્યાતા યોજનનાં લાંબા પહોળા છે તથા ૧/૫ ભાગ (૧૬,૮૦,૦૦૦) સંખ્યાતા યોજનનાં લાંબા પહોળા છે. ત્રણ ચપટી વગાડતાં જંબુદ્વીપની ૨૧ વાર પ્રદક્ષિણા ક૨વાની ગતિવાળા દેવને જ. ૧-૨-૩ દિન, ઉ. ૬ માસ લાગે. કેટલાકનો છેડો આવે અને કેટલાકનો ન આવે, એવા અસંખ્ય યોજનના વિસ્તારવાળા કોઈ કોઈ ન૨કાવાસા છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ નારકી ૬ ૨/૩ હિપ૪૫ ૧૬. અલોક અંતર, ૧૭. વલીયા દ્વાર : અલોક અને નારકીને અંતર છે. તેમાં ઘનોદધિ, ઘનવાયુ અને તનવાયુના ત્રણ વલય (ચડી આકાર) છે. તે નીચે મુજબ : નારક અલોક | વલયTઘનોદધિ ઘનવાત તનવાત અંતર | સંખ્યા યોજન યોજન યોજના રત્નપ્રભા |૧૨ યો. ૩ ૬િ યો. ૪. યો. ૧ યો. શર્કરાપભા ૧૨૨ ૩ ૩ |૬૧૩ ૪ યો. ૧ી ૧/૧૨ વાલુપ્રભા ૧૩૧૩ ૩ પ યો. [૧] ૨/૧૨ પંકપ્રભા ૧૪ યો. ૩ ૭ યો. પા યો. [૧યો. ધૂમ્રપ્રભા | |૧૪૨૩ ૩ ૭૧૩ પા યો. [૧] ૧/૧૨ તમપ્રભા ૧૫૧/૩ ૩ ૭૨ ૩ પો યો. Tલાઈ ૨૧૨ તમતમાકભા|૧૬ યો.. ૩ ૧૮ યો. દ યો. રિયો. ૧૮. ક્ષેત્રવેદના દ્વાર : ૧૦ પ્રકારની છે. અનંત ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દાહ, જ્વર, ડર, ચિંતા, ખુજલી અને પરાધીનતા. એકથી બીજીમાં બીજીથી ત્રીજીમાં એમ અનંતગણી વેદના સાતમી નરક સુધી છે. નરકમાં નામ પ્રમાણેના પદાર્થોની પણ અનંતી વેદના છે. ૧૯. દેવકૃત વેદના : ૧-૨-૩ નરકમાં પરમાધામી દેવો પૂર્વકૃત પાપો યાદ કરાવી કરાવીને વિવિધ પ્રકારે માર, દુઃખ દે છે. શેષ નારકી જીવો પરસ્પર લડીને કપાય છે. ૨૦. વૈક્રિય ઠાર : નારકી વૈક્રિય શરીર દ્વારા ખરાબ (તીક્ષ્ણ) શસ્ત્ર જેવાં રૂપ બનાવે છે અથવા વજ મુખ કીડારૂપ થઈને બીજા નારકીના શરીરમાં પ્રવેશે છે. અંદર ગયા બાદ મોટું રૂપ બનાવીને શરીરના ટૂકડે ટૂકડા કરે છે. ૨૧. અલ્પબદુત્વ દ્વાર: સૌથી થોડા સાતમી નરકના નેઈયા. -35 Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ તેથી ઉ૫૨ના અસંખ્યાતગણા ને૨ઈયા જાણવા. શેષ વિસ્તાર ૨૪ દંડકાદિ થોકડામાંથી જાણવો. ઇતિ નારકી. 園内關廠關廠小内内 ૭૭. ભવનપતિ દેવ પક્ષવણા સૂત્ર પદ ૨ તથા જીવાભિગમ સૂત્ર ભવનપતિ દેવોના ૨૧ દ્વા૨ :– ૧. નામ, ૨. વાસા, ૩. રાજધાની, ૪. સભા, ૫. ભવનસંખ્યા, ૬. વર્ણ, ૭. વસ્ત્ર, ૮. ચિહ્ન, ૯. ઇન્દ્ર, ૧૦. સામાનિક, ૧૧. લોકપાલ, ૧૨. ત્રાયસ્પ્રિંશ, ૧૩. આત્મ૨ક્ષક, ૧૪. અનીકા, ૧૫. દેવી, ૧૬. પરિષદા, ૧૭. પરિચારણા, ૧૮, વૈક્રિય, ૧૯. અવધિ, ૨૦. સિદ્ધ, ૨૧. ઉત્પન્ન દ્વાર. ૧. નામ દ્વા૨ : ૧૦ ભવનપતિનાં નામ ઃ– ૧ અસુ૨કુમા૨, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમા૨, ૪ વિદ્યુતકુમા૨, ૫ અગ્નિકુમા૨, ૬ દ્વીપકુમા૨, ૭ ઉધિકુમા૨, ૮ દિશાકુમા૨, ૯ વાયુ (પવન) કુમાર, ૧૦ સ્તનિતકુમા૨, ૧૫ ૫૨માધામીનાં નામ ઃ— ૧ અંબ, ૨ અંબરિસ, ૩ સામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વૈરૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, ૧૫ મહાઘોષ. ૨. વાસા દ્વા૨ : ૧લી નરકમાં આવેલા ૧૨ આંતરા પૈકીના નીચેના ૧૦ આંતરામાં દશ જાતિના ભવનપતિ દેવો છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ દેવ પિ૪૭) ૩. રાજધાની કાર : ભવનપતિની રાજધાની તિર્થાલોકના અરૂણવર દ્વીપ – સમુદ્રોમાં ઉત્તર દિશામાં અમરચંચા બલેન્દ્રની રાજધાની છે અને બીજા નવનિકાયના દેવોની પણ રાજધાનીઓ છે. દક્ષિણ દિશામાં ચમચંચા ચમરેન્દ્રની અને નવનિકાયના દેવોની પણ રાજધાનીઓ છે. ૪. સભા દ્વાર : એકેક ઇન્દ્રને પાંચ પાંચ સભા છે. (૧) ઉત્પાત સભા (દેવ ઉપજવાના સ્થાન), (૨) અભિષેક સભા (ઈન્દ્રના રાજ્યાભિષેકનું સ્થાન), (૩) અલંકાર સભા (દેવોને વસ્ત્રાભૂષણ, અલંકાર સજવાનું સ્થાન), (૪) વ્યવસાય સભા (દેવ યોગ્ય ધર્મ, નીતિનાં પુસ્તકોનું સ્થાન) અને (૫) સૌધર્મ સભા (ન્યાય, ઇન્સાફ કરવાનું સ્થાન). ૫. ભવન સંખ્યા : કુલ ભવન ૭,૭૨,૦૦,૦૦૦ છે. તેમાં ૪ ક્રોડ, ૬ લાખ ભવન દક્ષિણમાં અને ૩ ક્રોડ, ૬૬ લાખ ભવન ઉત્તર દિશામાં છે. વિસ્તાર યંત્રથી જાણવો. ૬. વર્ણ, ૭. વસ્ત્ર, ૮. ચિન્હ, ૯. ઈન્દ્ર દ્વાર : યંત્રથી વિસ્તાર જાણવો. ભવન(લાખ) ધ્વજા ઉત્તરાદક્ષિ, વર્ણ વસ્ત્ર પર ઉત્તરના દક્ષિણના માં ણમાં વર્ણ ચિનહ | ઇન્દ્ર ! ઈન્દ્ર અસુરકુમાર| ૩૦ | ૩૪ કાળો રાતા ચૂડામણિ બિલેન્દ્ર અમરેન્દ્ર નાગકુમાર ૪૦ | ૪૪ ધોળો નીલા નાગફેણ ભૂતેન્દ્ર ધરણેન્દ્ર સુવર્ણકુમાર ૩૪ સુવર્ણ ધોળા ગરૂડ વેણુદાલી વેણુદેવ વિધુતકુમાર. ૩૬ ૪૦|રાતો નીલા વજ હરિસિંહ હરિકત અગ્નિકુમાર ૩૬ ૪ |રાતો નીલા કલશ અગ્નિ |અગ્નિ માનવ સિંહ દ્વીપકુમાર | ૨૬ | |રાતો નીલા સિહ વિશિષ્ટ પૂર્ણ નામ IT Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ઉદપિકુમાર ૩૬ [૪૦] સુવર્ણ સફેદ ગજ | અમૃત | અમૃત વાહન | ગતિ. દિશાકુમાર [૩૬ [૪૦] પાંડૂરનીલા અશ્વ ! | જલપ્રભ | જલકત વાયુકુમાર ૪૬ ૫૦| શ્યામ પંચવર્ણીમગર | પ્રભંજન વેલવ સ્વનિતકુમાર ૩૬ [૪૦] સુવર્ણ સફેદ વર્ધમાન મહાઘોષ ઘોષ ૧૦. સામાનિક દેવઃ (ઇંદ્રના ઉમરાવ જેવા દેવો). અમરેન્દ્રના ૬૪,૦૦૦, બલેન્દ્રના ૬૦,૦૦૦ અને શેષ ૧૮ ઇદ્રોના છ છ હજાર સામાનિક દેવો છે. ૧૧. લોકપાલ દેવ: (કોટવાલ જેવાં) દરેક ઇન્દ્રોને ચાર ચાર લોકપાલ દેવો છે. ૧૨. ત્રાયઅિંશ દેવ: (રાજગુરુ જેવા) દરેક ઇન્દ્રોન તેત્રીસ તેત્રીસ ત્રાયશ્ચિંશ દેવો છે. ૧૩. આત્મરક્ષક દેવ: અમરેન્દ્રને ૨,૫૬,૦૦૦ દેવ, બલેન્દ્રને ૨,૪૦,000 દેવ અને શેષ ઇન્દ્રોને ૨૪–૨૪ હજાર દેવો છે. ૧૪. અનીકા દ્વાર (સેના) : હાથી, ઘોડા, રથ, મહેલ, પાયદળ, ગંધર્વ, નૃત્યકાર એવં ૭ પ્રકારની અનીકા હોય છે. પ્રત્યેક અનીકાની દેવ સંખ્યા ચમરેન્દ્રને ૮૧,૨૮,૦૦૦, બલેન્દ્રને ૭૬,૨૦,૦૦૦ અને ૧૮ ઇંદ્રને ૩૫,૫૬,૦૦૦ દેવો હોય છે. ૧૫. દેવી દ્વારઃ ચમરેન્દ્રની તથા બલેન્દ્રની ૫-૫ અગમહિષી (પટરાણી) છે. પ્રત્યેક પટરાણીને આઠ હજાર દેવીઓનો પરિવાર છે. એકેક દેવી આઠ હજાર વૈક્રિય કરે એટલે ૩૨ ક્રોડ વૈક્રિય રૂપો થાય. શેષ ૧૮ ઇદ્રોની છ છ અગમહિપી, એકેકને છ છ હજાર દેવીના પરિવાર અને બધી છ છ હજાર વૈક્રિય કરે, એમ ૨૧ કોડ દ0 લાખ વૈક્રિય રૂ૫ થાય. ૧૬. પરિષદા દ્વાર : પરિષદા (સભા) ત્રણ પકારની છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ દેવ ૫૪૯ ૧. આત્યંતર સભા : સલાહ યોગ્ય વડેરાની સભા, જે માનપૂર્વક બોલાવ્યેથી આવે. ૨. મધ્યમ સભા : સામાન્ય વિચા૨વાળા દેવોની સભા, જે બોલાવ્યેથી આવે, વિના મોકલે જાય. ģ ૩. બાહ્ય સભા : જેને હુકમ દઈ શકાય એવા દેવોની સભા, વિના બોલાવ્યે આવે ને જાય. આત્યંતર સભા મધ્ય સભા બાહ્ય સભા ઇન્દ્રો ચમરેન્દ્ર દેવ સંખ્ય સ્થિતિ દિવ સંખ્યા સ્થિતિ દેવ સંખ્યા સ્થિતિ ૨૪૦૦૦૦૨૭ પલ્ય | ૨૮૦૦૦/ ૨ પલ્યા ૩૨૦૦૦૨ ૧|| પલ્ય ૨૦૦૦૦|૩|| પલ્ય | ૨૪૦૦૦/૩૫૨૮૦૦૦૨ ૨૧ પલ્ય દક્ષિણના ૯ ૬૦000|0ll''અષિ ૭૦૦૦૦/ બલેન્દ્ર ૮૦૦૦૦ |0|| "ન્યૂન ૭૦૦૦૦| ૦ પલ્ય |ઉત્ત૨ના ૯ |૫૦૦૦૦ ૧ પલ્ય ઇન્દ્રો માં ન્યૂન આત્યંતર સભા દેવીસંખ્ય સ્થિતિ | દેવીસંખ્ય સ્થિતિ દેવીસંખ્યા સ્થિતિ FOO0|0|| '' અધિક મધ્ય સભા બાહ્ય સભા ૧૧ પલ્ય ૩૫૦ 300 ૧ પલ્ય ૨૫૦ ા પલ્ય ૨૩૧ પલ્ય ४०० ૩૫૦ |૧|| પલ્ય || પથ ૧૫૦ ૧૨૫ ા પલ્ય ઇન્દ્રો ચમરેન્દ્ર બલેન્દ્ર ૪૫૨ દક્ષિણના ૯ ૧૭૫ ઇન્દ્રો |ઉત્ત૨ના ૯ ૨૨૫ ઇન્દ્રો ન્યૂન ા પક્ષ ૨૦૦ '' ૨ પલ્ય ot '' અધિક ૦ પલ્યાં ૧૭૫ પલ્ય ન્યૂન અધિક ૧૭. પરિચારણા દ્વાર : (મૈથુન) પાંચ પ્રકારે : મન, રૂપ, શબ્દ, સ્પર્શ અને કાય પરિચારણા (મનુષ્યવત્ દેવી સાથે ભોગ). ૧૮. વૈક્રિય દ્વા૨ : વૈક્રિય રૂપ કરે તો – ચમરેન્દ્ર, દેવ-દેવીથી આખો જંબુદ્વીપ ભરે, અસંખ્ય દ્વીપ ભરવાની શક્તિ છે, પણ ભરે નહિ. બલેન્દ્ર દેવ -દેવીથી સાધિક જંબુદ્ધીપ ભરે, અસંખ્ય દ્વીપ ભ૨વાની Page #569 -------------------------------------------------------------------------- ________________ પિપા થી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ શક્તિ છે, પણ ભરે નહિ. શેપ ૧૮ ઇન્દ્ર દેવ-દેવીથી આખો જંબુદ્વીપ ભરે, સખ્યાતા દીપ ભરવાની શક્તિ છે, પણ ભરે નહિ. લોકપાલ દેવીની શક્તિ સંખ્યાત દ્વીપ ભરવાની. બાકી સૌના સામાનિક, ત્રાયન્ટિંશ દેવ દેવી અને લોકપાલ દેવની વૈક્રિય શક્તિ પોતાના ઇન્દ્રવતુ. વૈક્રિયનો કાળ ૧૫ દિવસનો જાણવો. ૧૯. અવધિ દ્વાર : અસુરકુમાર દેવો જ. ૨૫ યોજન, ઉ. ઊંચે ઉર્ધ્વ સૌધર્મ દેવલોક, નીચે ત્રીજી નરક, તિછ અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જાણે દેખે. શેષ ૯ જાતના ભવનપતિ દેવો જ. રપ યો. ઉ. ઊંચે જ્યોતિષીનું ઉપરનું તળું, નીચે પહેલી નરક, તિછ સંખ્યાતા દ્વીપ સમુદ્રો સુધી જાણે દેખે. ૨૦. સિદ્ધ દ્વાર : ભવનપતિમાંથી નીકળેલ દેવો મનુષ્ય થઈ ૧ સમયમાં ૧૦ જીવ મોક્ષ જઈ શકે. ભવનપતિ દેવીઓના નીકળીને મનુષ્ય થઈ ૧ સમયમાં પ જીવ મોક્ષ જઈ શકે. ૨૧. ઉત્પન્ન કાર : સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્વ, ભવનપતિ દેવ દેવીપણે અનંતવાર ઉપજ્યાં પણ સત્ય જ્ઞાન વિના ગરજ સરી નહિ. શેષ વિસ્તાર લદંડક આદિ થોકડાથી જાણવો. ઇતિ ભવનપતિ દેવ. D D D D Dલ % જો ૭૮. વાણવ્યંતર દેવી શ્રી જીવાભિગમ સૂત્ર વાણવ્યંતર દેવોના ૨૧ દ્વાર – ૧. નામ, ૨. વાસા, ૩. નગ૨, ૪. રાજધાની, ૫. સભા, ૬. વર્ણ, ૭. વસ્ત્ર, ૮. ચિહ્ન, Page #570 -------------------------------------------------------------------------- ________________ વાણવ્યંતર દેવ ૫૫૧ ૯. ઇન્દ્ર, ૧૦. સામાનિક, ૧૧. આત્મરક્ષક, ૧૨. પરિષદા, ૧૩. દેવી, ૧૪. અનીકા, ૧૫. વૈક્રિય, ૧૬. અવધિ, ૧૭. પરિચા૨ણા, ૧૮. સુખ, ૧૯. સિદ્ધ, ૨૦. ભવ, અને ૨૧. ઉત્પન્ન દ્વાર. ૧. નામ દ્વા૨ : ૧૬ વાણવ્યંત૨નાં નામ :- ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિંપુરૂષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ, ૯ આણપન્ની, ૧૦ પાણપક્ષી, ૧૧ ઇસીવાઈ, ૧૨ ભુઈવાઈ, ૧૩ કંદીય, ૧૪ મહાકંદિય, ૧૫ કોદંડ, ૧૬ પયંગદેવ. ૧૦ ભકાના નામ :- ૧ આણભકા, ૨ પાણભકા, ૩ લયણાંભકા, ૪ સયણભકા, ૫ વત્થભકા, ૬ પુષ્પભ્રંભકા, ૭ ફળભકા, ૮ બીયભકા, ૯ વિજ્રજભકા, ૧૦ અવિયતશૃંભકા. ૨. વાસા દ્વાર : રત્નપ્રભા નર્કનો ઉપલો ૧ હજાર યોજનનો જે પિંડ છે તેમાં ૧૦૦ યો. ઉ૫૨, ૧૦૦ યો. નીચે છોડીને ૮૦૦ યો. માં ૮ જાતિના વ્યંતર દેવો રહે છે. અને ઉપરના ૧૦૦ યો. પિંડમાં ૧૦ યો. ઉપ૨, ૧૦ યો. નીચે છોડીને ૮૦ યો. માં ૯ થી ૧૬ જાતિના વાણવ્યંતર દેવો રહે છે. (એક માન્યતા એમ કહે છે કે ૮૦૦ યો. માં ૧૬ જાતિના વ્યંતર દેવો અને ૮૦ યો.માં ૧૮ જાતિના વૃંભક દેવો વસે છે.) ૩. નગર દ્વાર : ઉપ૨ના વાસામાં વાણવ્યંતર દેવોના અસંખ્યાતા નગર છે તે સંખ્યાતા સંખ્યાતા યોજનના વિસ્તારવાળા અને રત્નમય છે. ૪. રાજધાની દ્વા૨ : ભવનપતિથી થોડા વિસ્તારવાળી પ્રાયઃ ૧૨ હજાર યોજનની તિÁ લોકના દ્વીપસમુદ્રોમાં રત્નમય રાજધાની વાણવ્યંતર દેવોની છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ પિપ૨)િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૫. સભા દ્વારા એકેક ઇન્દ્રને પ–પ સભાઓ છે, ભવનપતિવ. ૬. વર્ણ, ૭. વસ્ત્ર, ૮. ચિન્હ અને ૯. ઇન્દ્ર દ્વાર : દરેક વાણવ્યંતરની જાતના બે બે ઇન્દ્ર છે. વર્ણ | વસ્ત્ર ધ્વજા પરદક્ષિણના ઉત્તરના નામ | વર્ણ | ચિન્હ | ઇન્દ્ર | ઇન્દ્ર ૧ પિશાચ શ્યામ નીલા કદંબ વૃક્ષ |કાલેન્દ્ર |મહાકાલેન્દ્ર ૨ ભૂત કાળો નીલા સુલક્ષ વૃક્ષ સુરૂપેન્દ્ર પ્રતિરૂપેન્દ્ર 3 યક્ષ શ્યામ પીળા વડ વૃક્ષ પૂણેન્દ્ર મણિભદ્ર ૪ રાક્ષસ ધોળો નીલા ખટંક ઉપકરભીમ |મહાભીમ ૫ કિન્નર ધોળો પીળા અશોક વૃક્ષ કિન્નર કિંપુરૂષ ૬ કિંપુરૂષ ધોળો પીળા ચંપક વૃક્ષ સાપુરૂષ મહાપુરૂષ ૭ મહોરગ શ્યામ શ્યામ નાગ વૃક્ષ અતિકાય મહાકાય ૮ ગંધર્વ શ્યામ શ્યામ તુંબરૂ વૃક્ષ ગતિરતિ |ગતિયશ ૯ આણપત્રી શ્યામ નીલા કદંબ વૃક્ષ સનિહિ સામાની ૧૦ પાણપત્રી કાળો નીલા સુલક્ષ વૃક્ષ ધાઈ વિધાઈ ૧૧ ઇસીવાઈ |શ્યામ પીળા વડ વૃક્ષ ઋષિ | ઋષિપાલ ૧૨ ભુઈવાઈ ધોળો નીલા ખટંક ઉપકર ઇશ્વર | મહેશ્વર ૧૩ કંદિય ધળો પીળા અશોક વૃક્ષ સુવિચ્છ | વિશાળ ૧૪ મહાકંદિયાળો પીળા ચંપક વૃક્ષ હાસ્ય હાસ્યરતિ ૧૫ કોહંડ શ્યામ શ્યામ નાગ વૃક્ષ શ્વેત |મહાશ્વેત ૧૬ પયંગદેવ શ્યામ શ્યામ તુંબરૂ વૃક્ષ પતંગ પતંગપતિ ૧૦. સામાનિક દ્વાર : બધા ઇન્દ્રોને ૪-૪ હજાર સામાનિક દેવો છે. ૧૧. આત્મરક્ષક દ્વાર : બધા ઇન્દ્રોને સોળ સોળ હજાર આત્મરક્ષક દેવો છે. - ગંધર્વ નાલા કદંબ વૃક્ષ ઘાઈ વિધા Page #572 -------------------------------------------------------------------------- ________________ પિપ૩] વાણ વ્યંતર દેવ ૧૨. પરિષદા દ્વાર : ભવનપતિ જેવી જ ત્રણ પ્રકારની સભા છે. [ પરિષદા દેવ સંખ્યા સ્થિતિ | દેવી સંખ્યા સ્થિતિ | ૧ આત્યંતર ૮,000 | પલ્ય |૧૦૦ ગ પલ્ય ઝાઝેરી ર મધ્યમ સભા૧૦,000 | " ન્યૂન |૧૦૦ 0 પલ્ય ૩ બાહ્ય સભા ૧૨,૦૦૦ o" ઝાઝેરી/ ૧૦૦ 0 પલ્ય ન્યૂન ૧૩. દેવી દ્વારા પ્રત્યેક ઇન્દ્રને ચાર ચાર દેવી, એક એક હજારના પરિવાર સહિત, બધી દેવીઓ હજાર હજાર વૈક્રિય રૂપ કરી શકે છે. ૧૪. અનીકા (સેના) દ્વાર : હાથી, ઘોડા આદિ ૭ પ્રકારની અનીકામાં પ્રત્યેકમાં પ,૦૮,૦OO દેવ હોય છે. ૧૫. વૈક્રિય દ્વાર : જંબુદ્વીપ ભરીને રૂપો બનાવે, સંખ્યાત દ્વીપ ભરવાની શક્તિ છે. ૧૬. અવધિ દ્વાર : જ. ૨પ યો.. 3. ઊંચે જ્યોતિષીનું તળું, નીચે પહેલી નરક અને તિર્જી સંખ્યાતા દ્વીપ સમુદ્રો જાણે દેખે. ૧૭. પરિચારણા દ્વાર : પાંચ પ્રકારે ભવનપતિવતું. ૧૮. સુખ દ્વાર : અબાધિત માનુષી સુખોથી અનંત ગણા સુખ છે. ૧૯. સિદ્ધ દ્વાર : વાણવ્યંતર દેવોમાંથી નીકળેલા મનુષ્ય થઈને ૧ સમયમાં ૧૦ સિદ્ધ અને દેવીમાંથી નીકળેલા પ સિદ્ધ થાય. ૨૦. ભવ દ્વાર: સંસાર ભ્રમણ કરે તો ૧-૨-૩ જાવ અનંત ભવ કરે. ૨૧. ઉત્પન્ન દ્વાર : સર્વ જીવો અનંતી વાર વાણવ્યંતરમાં ઉત્પન્ન થઈ આવ્યા, પણ એ પૌલિક સુખથી સિદ્ધિ થઈ નહિ. - ઇતિ વાણવ્યંતર દેવ. Page #573 -------------------------------------------------------------------------- ________________ પપ૪ કી ૫૫ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ Sો ૭૯. જ્યોતિષી દેવીનો શ્રી પન્નવણા સૂત્ર પદ ૨ તથા જીવાભિગમ સૂત્ર જ્યોતિષી દેવ અઢીદ્વીપમાં ચર (ફરનાર) છે અને અઢીદ્વીપની બહાર સ્થિર છે. તે પાકી ઇંટના સંસ્થાને છે. સૂર્ય–સૂર્યને અને ચંદ્ર-ચંદ્રને એકેક લાખ યોજનનું અંતર છે. ચર જ્યોતિષીથી અચર (સ્થિર) જ્યોતિષી અડધી કાંતિવાળા છે. ચંદ્ર સાથે અભિચ નક્ષત્ર અને સૂર્ય સાથે પુષ્ય નક્ષત્રનો સદા યોગ છે. માનુષોત્તર પર્વતથી આગળ અને અલોકથી ૧૧૧૧ યો. આ બાજુ તેની વચ્ચે સ્થિર જ્યોતિષી દેવના વિમાનો છે. પરિવાર ચર જ્યોતિષીની માફક જાણવો. જ્યોતિષીના ૩૧ દ્વાર : ૧ નામ, ૨ વાસા, ૩ રાજધાની, ૪ સભા, ૫ વર્ણ, ૬ વસ્ત્ર, ૭ ચિન્હ, ૮ વિમાન પહોળાઈ, ૯ વિમાન જાડાઈ, ૧૦ વિમાનવાહક, ૧૧ માંડલા, ૧૨ ગતિ, ૧૩ તાપક્ષેત્ર, ૧૪ અંતર, ૧૫ સંખ્યા, ૧૬ પરિવાર, ૧૭ ઈન્દ્ર, ૧૮ સામાનિક, ૧૯ આત્મરક્ષક, ૨૦ પરિષદા, ૨૧ અનીકા, ૨૨ દેવી, ર૩ ગતિ, ૨૪ ઋદ્ધિ, ૨૫ વૈક્રિય, ૨૬ અવધિ, ૨૭ પરિચારણા, ૨૮ સિદ્ધ, ૨૯ ભવ, ૩૦ અલ્પબદુત્વ, ૩૧ ઉત્પન્ન દ્વાર. ૧. નામ ધાર: ૧ ચંદ્ર, ૨ સૂર્ય, 3 ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા. ૨. વાસા દ્વાર : તિર્જી લોકમાં સમપૃથ્વીથી ૭૯૦ યોજના ઊંચે ૧૧૦ યો. માં અને ૪પ લાખ યો. ના વિસ્તારમાં જ્યો. દેવોના વિમાન છે. જેમ કે ૭૯૦ યો. ઊંચે તારાનાં વિમાન, ત્યાંથી ૧૦ ધો. ઊંચે સૂર્યના વિમાન, ત્યાંથી ૮૦ યો. ઊંચે ચંદ્રનાં વિમાન, ત્યાંથી ૪ યો. ઊંચે નક્ષત્રનાં વિમાન, ત્યાંથી ૪ યો. ઊંચે બુધનાં, ત્યાંથી ? યો. ઊંચે શુક્રનાં, ત્યાંથી ૩ યો. ઊંચ બૃહસ્પતિનાં, ત્યાંથી 3 યો. ઊંચે Page #574 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષી દેવ ૫૫૫ મંગળનાં વિમાન, ત્યાંથી ૩ યો. ઊંચે શનિશ્વરનાં વિમાન છે. સર્વસ્થાને તારાનાં વિમાન ૧૧૦ યોજનમાં છે. ૩. રાજધાની દ્વાર : તિńલોકમાં અસંખ્યાતી રાજધાનીઓ છે. ૪. સભા દ્વાર : જ્યોતિષીના ઇન્દ્રોને પણ પ-પ સભા છે તે ભવનપતિવત્. ૫. વર્ણ દ્વાર ઃ તારાનાં શરીર પંચવર્ણા શેષ ચા૨નો સુવર્ણ જેવો. ૬. વસ્ત્ર દ્વા૨ : સર્વ વર્ણનાં સુંદ૨, કોમળ વસ્ત્રો બધા દેવોના છે. ૭. ચિન્હ દ્વા૨ : ચંદ્ર ૫૨ ચંદ્ર માંડલ, સૂર્ય ૫૨ સૂર્ય માંડલ, એમ સર્વે દેવોના મુગટ ઉપર પોતપોતાના ચિન્હો છે. ૮. વિમાન પહોળાઈ, ૯. જાડાઈ દ્વા૨ : એક યોજનના ૬૧ ભાગ કરીએ તેમાંના ૫૬ ભાગ (૫૬/૬૧ યો.) ચંદ્ર વિમાનની પહોળાઈ, ૪૮ ભાગ (૪૮૬૧) સૂર્ય વિમાનની, બે ગાઉ ગ્રહ વિમાનની, ૧ ગાઉ નક્ષત્રના વિમાનની, અને II ગાઉ તારા વિમાનની પહોળાઈ છે. જાડાઈ એથી અડધી અડધી જાણવી. સર્વ વિમાન સ્ફટિક રત્નમય છે. ૧૦. વિમાન વાહક : જ્યોતિષી વિમાનો આકાશને આધારે રહી શકે છે. પણ માલિકના બહુમાન માટે જે દેવો વિમાન ઉપાડીને ફરે છે, તેની સંખ્યા – ચંદ્ર, સૂર્યના વિમાનને ૧૬-૧૬ હજાર દેવો, ગ્રહના વિમાન ને ૮–૮ હજાર દેવો, નક્ષત્રના વિમાનને ૪–૪ હજાર દેવો અને તારાના વિમાન ને ૨–૨ હજાર દેવો વાહક છે. તેઓ સરખે ભાગે ચારે દિશામાં મુખ રાખી પૂર્વમાં સિંહના રૂપે, પશ્ચિમમાં વૃષભ રૂપે, ઉત્તરમાં અસ્વરૂપે, અને દક્ષિણમાં હાથીરૂપે દેવો રહે છે. ૧૧. માંડલા દ્વાર : ચંદ્ર સૂર્ય આદિને ફ૨વાનો – દક્ષિણાયનથી ઉત્તરાયન જવાના માર્ગને માંડલા કહે છે. માંડલાનું ક્ષેત્ર ૫૧૦ યોજનનું છે. તેમાં ૩૩૦ યો. લવણસમુદ્રમાં અને ૧૮૦ યો. જંબુદ્વીપમાં છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ પદ|ી શ્રી બ્રહ૬ જૈન થોક સંગ્રહ ચંદ્રના ૧૫ માંડલા છે તેમાંના ૧૦ લવણસમુદ્રમાં, ૫ જંબુદ્વીપમાં છે. સૂર્યના ૧૮૪ માંડલામાંથી ૧૧૯ લવણસમુદ્રમાં અને ૬૫ જંબુદ્વીપમાં છે. ગ્રહના ૮ માંડલામાંથી ૬ લવણસમુદ્રમાં અને ર જંબુદ્વીપમાં છે. જંબુદ્વીપમાં જ્યોતિષીના જે માંડલા છે તે નિષિધ અને નીલવંત પર્વત ઉપર છે. ચંદ્રના માંડલાનું અંતર ૩૫ ૩૦૬૧ યો. છે. સૂર્યના માંડલા માંડલાનું અંતર બળે યો. નું છે. (આ માપ જંબુદ્વીપના છે.) ૧૨. ગતિ દ્વાર : સૂર્યની ગતિ કર્મસંક્રાંતે (અષાઢી પૂનમે) ૧ મુહૂર્તમાં પ૨૫૧ ૨૯૬૧ ક્ષેત્ર તથા મકર સંક્રાંતે (પોષ પૂનમે) ૧ મુહૂર્તમાં પ૩૦૫ ૨૯/૬૧ ક્ષેત્ર છે. ચંદ્રની ગતિ કર્મ સંક્રાંતે ૧ મુ. માં ૫૦૭૩ ૭૫૪/૧૩૭૨૫ અને મકર સંક્રાંતે ૫૧૨૫ દ૯૯૦/૧૩૭૨૫ ક્ષેત્ર છે. ૧૩. તાપ ક્ષેત્ર દ્વાર: કર્કસંક્રાંતે તાપક્ષેત્ર ૯૭,૨૫૬ ૨૨/૬૧ અને ઊગતો સૂર્ય ૪૭,૨૬૩ ૨૧/૬૧ યોજન દૂરથી દૃષ્ટિગોચર થાય છે. મકર સંક્રાંતે તાપક્ષેત્ર ૬૩,૬૬૩ ૧૬૬૧, ઊગતો સૂર્ય ૩૧,૮૩૧ ૩૮ ૬૧ી યો. દૂરથી દૃષ્ટિગોચર થાય છે. ૧૪. અંતર દ્વાર : અંતર બે પ્રકારે પડે. ૧. વ્યાઘાત તે કોઈ પદાર્થ વચ્ચે આવી જવાથી અને ૨. નિર્વાઘાત તે આડા આવ્યા વિના. વ્યાઘાત અપેક્ષા જ. ર૬૬ મો.નું અંતર કારણ – નિષિધ, નીલવંત પર્વતનું શિખર ૨૫૦યો છે અને ત્યાંથી ૮-૮ યો. દૂર જ્યોતિષચક્ર ચાલે છે. એટલે ૨૫૦+૮+૮ = ૨૬૬. ઉ. ૧૨૨૪ર યો. કારણ મેરૂ શિખર ૧૦ હજાર યો. નું છે અને તેનાથી ૧૧૨૧ યો. દૂર જ્યોતિષ વિમાનો ફરે છે. એટલે ૧૦000+૧ ૧૨ ૧+૧૧૨૧ = ૧૨,૨૪૨ યો. નું અંતર છે. અલોક અને જ્યોતિષ દેવોનું અંતર ૧,૧૧૧ યોનું, મંડલ અપેક્ષા અંતર મેરૂ પર્વતની ૪૪,૮૮૦ યો. અંદરના મંડળનું Page #576 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવ અને ૪૫,૩૩૦ મો. બહારના મંડળનું અંતર છે. ચંદ્ર ચંદ્રના મંડળને ૩૦૬૧ યો. નું અને સૂર્ય સૂર્યના મંડળને ર યો. નું અંતર છે. નિર્ભાધાત અપેક્ષા જ. ૫૦૦ ધનુષ્યનું અને ઉ. ૨ ગાઉનું અંતર છે. ૧૫. સંખ્યા દ્વાર : જંબુદ્વીપમાં ૨ ચંદ્ર, ર સૂર્ય છે. લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર, ૪ સૂર્ય છે. ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય છે. કાળોદધિ સમુદ્રમાં ૪ર ચંદ્ર, ૪૨ સૂર્ય છે. પુષ્કરાઈ દ્વીપમાં ૭૨ ચંદ્ર, ૭ર સૂર્ય છે. એમ મનુષ્યના ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર, ૧૩૨ સૂર્ય છે. આગળ પણ એ જ હિસાબે એટલે પહેલા દ્વીપ કે સમુદ્રમાં જેટલા ચંદ્ર કે સૂર્ય હોય તેને ત્રણે ગુણીને પાછલી સંખ્યા ઉમેરવી. દૃષ્ટાંત – કાળોદધિ સમુદ્રના ચંદ્ર, સૂર્ય જાણવા માટે તેથી પહેલા ધાતકી ખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય છે તેને ૧૨૪૩ = ૩૬માં પાછલી સંખ્યા (લવણ સમુદ્રના ૪ અને જંબુદ્વીપના ૨ એમ ૪+૨ = ૬) ઉમરતાં ૪ર થાય. ૧૬. પરિવાર દ્વાર : એકેક ચંદ્ર અને એકેક સૂર્યને ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬,૯૭૫ ક્રોડાક્રોડી તારાનો પરિવાર છે. ૧૭. ઈન્દ્ર દ્વારા અસંખ્ય ચંદ્ર સૂર્ય છે. તે બધા ઇન્દ્રો છે. પરંતુ ક્ષેત્ર અપેક્ષા ૧ ચંદ્ર ઇન્દ્ર અને ૧ સૂર્ય ઇન્દ્ર છે. ૧૮. સામાનિક દ્વાર : એકેક ઇન્દ્રને ૪-૪ હજાર સામાનિક દેવો છે. ૧૯. આત્મરક્ષક દ્વાર : એકેક ઇન્દ્રને ૧૬–૧૬ હજાર આત્મરક્ષક દેવો છે. ૨૦. પરિષદા દ્વાર : પરિષદા ત્રણ છે. આત્યંતર સભામાં (CC) દેવ, મધ્યમ સભામાં ૧૦ હજાર દેવ અને બાહ્ય સભામાં ૧૨ હજાર દવા છે. દેવીઓ ત્રણે સભાની ૧૦૦, ૧૦, ૧૦૦ છે. એમ Page #577 -------------------------------------------------------------------------- ________________ પપ૮)ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ દરેક ઇન્દ્રની સભાઓ છે. ' ૨૧. અનીકા દ્વાર : એકેક ઈન્દ્રને ૭–૭ અનીકા છે. પ્રત્યેક અનીકાના પ લાખ ૮૦ હજાર દેવતા છે. સાત અનીકા ભવનપતિવતું. ૨૨. દેવી દ્વાર : એકેક ઇન્દ્રની ૪-૪ અગમહિષી છે. એકેક પટ્ટરાણીને ચાર ચાર હજાર દેવીઓનો પરિવાર, એકેક દેવી ૪-૪ હજાર વૈક્રિયરૂપ કરે એટલે ૪૪૪૦૦૦ = ૧૬૦૦૦૪૪OOO = ૬,૪૦,00,000 દેવીરૂપ એકેક ઇન્દ્રને છે. ૨૩. ગતિ દ્વાર : સર્વથી મંદ ગતિ ચંદ્રની, તેથી સૂર્યની શીઘ, તેથી ગ્રહની શીઘ, તેથી નક્ષત્રની શીઘ, તેથી તારાની શી ગતિ છે. ૨૪. ઋદ્ધિ દ્વાર : સર્વથી થોડી દ્ધિ તારાની, તેથી ઉત્તરોત્તર નક્ષત્ર, ગ્રહ, સૂર્ય અને ચંદ્રની મહાદ્ધિ. - ૨૫. વૈક્રિય દ્વાર : વૈક્રિય રૂપથી સંપૂર્ણ જંબુદ્વીપ ભર્યો છે. સંખ્યાતા જંબુદ્વીપ ભરવાની શક્તિ ચંદ્ર, સૂર્ય, સામાનિક અને દેવીઓમાં પણ છે. ૨૬. અવધિ દ્વાર : તિચ્છ જ. ઉ. સંખ્યાત દ્વીપ સમુદ્ર, ઊંચે પોતાની ધ્વજા પતાકા સુધી અને નીચે પહેલી નરક સુધી જાણે દેખે. ૨૭. પરિચારણા દ્વારા પાંચેય પ્રકારે મનુષ્યવત્ ભોગ કરે. * ૨૮. સિદ્ધઃ જ્યોતિષી દેવથી નીકળીને મનુષ્ય થઈને ૧ સમયે ૧૦ જીવ અને તેની દેવીથી નીકળીને ૨૦ જીવ મોક્ષે જઈ શકે. ૨૯. ભવ દ્વાર : ભવ કરે તો જ. ૧-૨-૩ ઉ. અનંતા ભવ કરે. ૩૦. અલ્પબદુત્વ દ્વાર : સૌથી થોડા ચંદ્ર, સૂર્ય, તેથી નક્ષત્ર, તેથી ગ્રહ અને તેથી તારાના દેવો સંખ્યાત સંખ્યાત ગણા. ૩૧. ઉત્પન્ન દ્વારા જ્યોતિષી દેવ પણે આ જીવ અનંત અનંત વાર ઉપજ્યો પણ વીતરાગ આજ્ઞા આરાધ્યા વિના આત્મિક સુખ Page #578 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવા પામ્યો નહિ. ચંદ્ર, સૂર્ય ગ્રહણનો વિરહ પડે તો જ. ૬ માસનો અને ઉ. ચંદ્રગ્રહણને ૪ર માસનો તથા સૂર્યગ્રહણનો ૪૮ વર્ષનો પડે. ઇતિ જ્યોતિષી દેવ. Sી ટિ૦. વૈમાનિક દેવ છે શ્રી પન્નવણા સૂત્ર પદ ર તથા શ્રી જીવાભિગમ સૂત્ર વૈમાનિક દેવોના ર૭ દ્વાર : ૧ નામ, ૨ વાસા, ૩ સંસ્થાન, ૪ આધાર, ૫ પૃથ્વીપિંડ, ૬ વિમાન ઊંચાઇ, ૭ વિમાન સંખ્યા, ૮ વિમાન વર્ણ, ૯ વિમાન વિસ્તાર, ૧૦ ઇન્દ્ર નામ, ૧૧ ઇન્દ્ર વિમાન, ૧૨ ચિહ, ૧૩ સામાજિક, ૧૪ લોકપાલ, ૧૫ ત્રાયઅિંશક, ૧૬ આત્મરક્ષક, ૧૭ અનીકા, ૧૮ પરિષદા, ૧૯ દેવી, ૨૦ વૈક્રિય, ૨૧ અવધિ, ૨૨ પરિચારણા, ૨૩ પુન્ય, ૨૪ સિદ્ધ, ૨૫ ભવ, ૨૬ ઉત્પન્ન અને ૨૭ અલ્પબદુત્વ ધાર. ૧. નામ દ્વાર : ૧૨ દેવલોકનાં નામ : ૧ સુધર્મા, ૨ ઇશાન, ૩ સનતકુમાર, ૪ માહેંદ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, ૭ મહાશુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આણત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અય્યત. પાંચમા દેવલોકમાં ત્રીજા પ્રતરમાં રહેતાં ૯ લોકાંતિકનાં નામ: ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વહિ, ૪ વરૂણ, ૫ ગઈતીયા, ૬ તોષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગિચ્યા, ૯ રિઠા. ૩ કિલ્વિષીનાં નામ : ૧ ત્રણ પલીયા, ર ત્રણ સાગરીયા, ૩ તેર સાગરીયા. ૯ પૈવેયકનાં નામ : ૧ ભદ્દે, ૨ સુભદું, ૩ સુજાએ, ૪ સુમાણસે ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણે, ૭ આમોહે, Page #579 -------------------------------------------------------------------------- ________________ પદી . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૮ સુપડિબ, ૯ જશોધરે. ૫ અનુત્તર વિમાનનાં નામ : ૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, ૫ સર્વાર્થસિદ્ધ. ૨. વાસા દ્વાર જ્યોતિષી દેવાથી અસંખ્ય ક્રોડા ક્રોડી યોજના ઊંચે વૈમાનિક દેવોનો નિવાસ છે. રાજધાનીઓ અને પ–પ સભા પોતપોતાના દેવલોકમાં જ છે. શક્રેન્દ્ર, ઇશાનેન્દ્રના મહેલો, તેમના લોકપાલ અને દેવીઓની રાજધાનીઓ તિર્જીલોકમાં પણ છે. ૩. સંડાણ દ્વાર : ૧, ૨ ૩, ૪ અને ૯, ૧૦, ૧૧, ૧૨ એ ૮ દેવલોક અર્ધ ચંદ્રાકારે છે. ૫, ૬, ૭, ૮ એ જ દેવલોક અને ૯ રૈવેયક પૂર્ણ ચંદ્રાકારે છે. ચાર અનુત્તર વિમાન ત્રિકોણ ચારે તરફ છે. અને વચ્ચે સર્વાર્થસિદ્ધ ગોળ ચંદ્રાકાર છે. ૪. આધાર કાર : વિમાન અને પૃથ્વીપિંડ રત્નમય છે. ૧-૨ દેવલોક ઘનોદધિના આધારે છે. ૩–૪–૫ દેવલોક ઘનવાયુને આધારે છે. ૬-૭-૮ દેવલોક ઘનોદધિ, ઘનવાયુને આધાર. શેપ વિમાનો આકાશને આધારે છે. ૫. પૃથ્વીપિંડ, ૬. વિમાન ઊંચાઈ, ૭. વિમાન અને પરતર, ૮. વર્ણ દ્વાર : | વિમાન પૃથ્વીપિંડ વિ.ઊંચાઈ વિ.સંખ્યા પરતર વર્ણ || ર૭૦૦ યો. પSO યો. [ ૩૨ લાખ ૧3 | ૫ Uી ર900 યો. પ00 લો. | ૨૮ લાખ ર૬૦૦ થો. ૬૦૦ લો. | ૧૨ લાખ ! ૧૨ | ૨૬૦૦ યો. | ૬૦૦ યો. | ૮ લાખ ૨૫૦૦ થો. થો. | ૪ લાખ ૨૫OOયો. 900 યો. [ ૫૦ હજાર ૫ - ર૪OO યો. | 400 યો. | ૪૦ હજાર | ૪ Page #580 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવ ]િ પિ૬૧] ૮ ૨૪૦) યો. ૧૮૦૦ યો. | ૬ હજાર ૪ ૯ ર૩CO ધો. ૯OO યો. જOO Uર૩00 યો. ૯૦૦ ચો. ૧૧ ૨૩00 લો. ૯00 ચો.300 | ૪ | ૧૨ ર૩00 લો. ૯00 યોJ[. ૯ રૈવેયક ૨૨00 યો. ૧000 યો. ૩૧૮ ૫ અનુ. ર૧૦૦ યો. [૧૧૦૦ યો. ૫ | ૧ | ૧ ૯. વિમાન વિસ્તાર કેટલાક વિમાનનો વિસ્તાર ચારભાગના અસંખ્યાતા યોજનાનો અને કેટલાક એક ભાગના સંખ્યાત યોજનના વિસ્તારના છે. પણ સર્વાર્થસિદ્ધ વિમાન ૧ લાખ યો. વિસ્તાર છે. ૧૦. ઈન્દ્ર દ્વાર : ૧૨ દેવલોકના ૧૦ ઇન્દ્રો છે. આગળ બધા અહમેન્દ્ર છે. ૧૧. વિમાન દ્વાર : તીર્થકરોના કલ્યાણક વખતે મૃત્યુલોકમાં વૈમાનિક દેવો જે વિમાનમાં બેસીને આવે છે તેના નામ પાલક, પુષ્પ, સુમાણસ, શ્રીવત્સ, નંદીવર્તન, કામગમનામ, મણોગમ, પ્રિયગમ, વિમલ, સર્વતોભદ્ર. ૧૨. ચિહ, ૧૩. સામાજિક, ૧૪. લોકપાલ, ૧૫. ત્રાયઅિંશક, ૧૬. આત્મરક્ષક દ્વાર : દરેક ઇન્દ્રના પોતાના ૪ લોકપાલ (લો.) અને ૩૩ ત્રાયન્ટિંશક (ત્રા.) દેવો છે. [વિમાન-ઇન્દ્ર | ચિન્ડ સામાનિક આત્મરક્ષક લો.ત્રા. ૧–શક્રેન્દ્ર ! મૃગ ૮૪OOO૩,૩૬OOO] ૪] ર-ઇશાનેન્દ્ર | મહિષ ૮૦૦૦૦૩,૨૦૦૦૦ ૪૩૩ 3–સનતકુ. ઇન્દ્ર સૂવર (વરાહ)| ૭૨૦૦૨,૮૮000/૪૩૩ ૪-મહેન્દ્ર સિંહ | 90000૨,૮OOO| ૪ |33| -36 Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન થોક સંગ્રહ પ-બ્રહ્મન્દ્ર બકરો(છગલ) ૬૦OO૦ ૨,૪OOOO/૪ ૩૩ ૬--લાંત કેન્દ્ર દિડકો પ૦૦૦૦ ૨,૦૦OO૦૪ ૩૩ ૭-મહાશુકેન્દ્ર |અશ્વ ૪૦૦૦૦ ૧,૬OOOO[૪ ૩૩ ૮–સહસ્નેન્દ્ર હસ્તિ(હાથી) 30000 ૧,૨૦OO૦૪ ૯૧૦–પ્રાણતેન્દ્ર સર્પ ર0000 ૮૦,000/૪ ૩૩ ૧૧/૧૨-અચ્યતેન્દ્ર ગરૂડ(ખગ) |૧૦૦૦૦ ૪૦,૦૦૦૪ ૩૩ - ૯ રૈવેયકનું ચિન્હ વૃષભ અને પ અનુત્તર વિમાનનું ચિન્હ વિડિમ છે. તેઓ અહેમેન્દ્ર હોવાથી ત્યાં સામા, લો, આદિ હોતા નથી. ૧૭. અનીકા દ્વાર : દરેક ઈન્દ્રની અનીકા ૭–૭ પ્રકારની છે. પ્રત્યેક અનીકામાં દેવો તે તે ઈન્દ્રોના સામાનિકથી ૧૨૭ ગણા દેવો છે. ૧૮. પરિષદા દ્વાર : દરેક ઇન્દ્રોને ત્રણ ત્રણ પ્રકારની પરિષદો છે. તેનો કોઠો નીચે મુજબ છે. ઇન્દ્ર આત્યંતર મધ્યમ દેવ { બાહ્ય દેવ દેવીઓ આત્યંત | મધ્યમ ને બાહ્ય ૧૨ હજાર ૧૪ હજાર ! ૧૬ હજાર ૭૦૦૬૦૦પ૦૦ ૧૦ હજાર ૧૨ હજાર | ૧૪ હજાર ૯૦,૮૦૦૭00 ૮ હજાર ૧૦ હજાર ૧૨ હજાર ૬ હજાર ૮ હજાર ૧૦ હજાર નથી ૪ હજાર ૬ હજાર ૮ હજાર નથી [૨ હજાર ૪ હજાર ૬ હજાર નથી ૧ હજાર ૨ હજાર ૪ હજાર નથી પCO ૧ હજાર, ૨ હજાર નથી ૯ ]૨૫૦ પ૦૦ ૧ હજાર ૧૦ ૧૨૫ પ00 નથી ૦ ૦ છ નથી જ દ m 6 5 નથી Page #582 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવ ૧૯. દેવી દ્વાર : શક્રેન્દ્રને આઠ અગમહિષી દેવી છે. એકેક દેવીને ૧૬-૧૬ હજાર દેવીઓનો પરિવાર છે. પ્રત્યેક દેવી ૧૬-૧૬ હજાર વૈક્રિય કરે. એમ જ ઈશાનેન્દ્રની પણ ૮૪૧૬,૦૦૦ = ૧,૨૮,OOOx૧૬,૦૦૦ = ૨,૦૪,૮૦,00,000 જાણવી. શેપમાં દેવીઓ ન ઉપજે, માત્ર પહેલા, બીજા દેવલોકમાં રહે અને આઠમા દેવલોક સુધી જાય ખરી.. ૨૦. વૈક્રિય દ્વાર : શકેન્દ્ર વૈક્રિયના દેવ દેવીથી જંબુદ્વીપ ભરી શકે. ઇશાનેન્દ્ર બે જંબુ. ઝાઝેરા, સનતકુમાર ૪ જંબુ, મહેન્દ્ર ૪ જંબુ ઝાઝેરા, બ્રહ્મ ૮ જંબુ, લાંતકેન્દ્ર ૮ જંબુ ઝાઝેરા, મહાશુક્ર ૧૬ જંબુ, સહસ્સેદ્ર ૧૬ જંબુ. ઝાઝેરા, પ્રાણતેન્દ્ર ૩ર જંબુ, અચ્યતેન્દ્ર ૩૨ જંબુ. ઝાઝેરા ભરે. (લોકપાલ, ત્રાયશ્ચિંશ દેવીઓ વગેરે પણ પોતાના ઇન્દ્રવત) અસંખ્ય જંબુદ્વીપ ભરવા જેટલી શક્તિ છે પણ એટલા વૈક્રિય ન કરે. ૨૧. અવધિ દ્વાર : બધા દેવો જ. આંગળનો અસંખ્યાતમો ભાગ, ઉ. ઊંચે પોતાના વિમાનની ધ્વજાપતાકા સુધી, તિચ્છ પત્યના આયુષ્યવાળા દેવો સંખ્યાતા દ્વીપ સમુદ્ર અને સાગરના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર, જાણે દેખે. નીચે ૧–૨ દેવલોકવાળા પહેલી નર્ક સુધી, ૩–૪ દેવ. બીજી નર્ક સુધી, પ-૬ દેવ. ત્રીજી નર્ક સુધી, ૭–૮ દેવ. ચોથી નર્ક સુધી, ૯ થી ૧૨ દેવ. પાંચમી નર્ક સુધી, ૯ રૈવેયક છઠ્ઠી નર્ક સુધી, ૪ અનુત્તર વિમાન સાતમી નર્ક સુધી અને સર્વાર્થસિદ્ધવાળા ત્રસનાળી સંપૂર્ણ (ઉપર પોતાના વિમાન સુધી) જાણે દેખે. ૨૨. પરિચારણા દ્વાર : ૧-૨ દેવ. માં પાંચ (મન, શબ્દ, રૂપ, સ્પર્શ અને કાય) પરિચારણા. ૩-૪ દેશમાં પ્રથમ ચાર, ૫-૬ ટે.માં Page #583 -------------------------------------------------------------------------- ________________ પિ૬ સી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ્રથમ ત્રણા, ૭-૮ દેશમાં મન, શબ્દ એ બે તથા ૯ થી ૧૨ દે.માં મન પરિચારણા. આગળ પરિચારણા નથી. ૨૩. પુણ્ય દ્વાર જેટલાં પુણ્ય વ્યંતર દેવ હસી, કુતૂહલ કરી અનંત શુભ પ્રકૃતિરૂપ કર્મોન (પુણ્યને) ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે. તેટલા પુણ્ય નાગાદિ ૯ દેવો ૨૦૦ વર્ષમાં, અસુર. ૩00 વર્ષમાં, ગ્રહ-નક્ષત્ર-તારા ૪00 વર્ષમાં, ચંદ્ર-સૂર્ય ૫૦૦ વર્ષમાં, ૧-૨ દેવ. ૧૦00 વર્ષમાં, ૩-૪ દેવ. ૨૦૦૦ વર્ષમાં, ૫-૬ દેવ. 3000 વર્ષમાં, ૭-૮ દેવ. ૪000 વર્ષમાં, ૯ થી ૧૨ દેવ. ૫૦૦૦ વર્ષમાં, પહેલી ત્રિક ૧ લાખ વર્ષમાં, બીજી ત્રિક ર લાખ વર્ષમાં, ત્રીજી ત્રિક ૩ લાખ વર્ષમાં, ૪ અનુ. વિ. ૪ લાખ વર્ષમાં અને સર્વાર્થસિદ્ધના દેવતા પ લાખ વર્ષમાં એટલા પુણ્ય ક્ષય કરે. ૨૪. સિદ્ધ દ્વાર : વૈમાનિક દેવમાંથી નીકળેલા મનુષ્યમાં આવીને એક સમયમાં ૧૦૮ સિદ્ધ થઈ શકે. દેવીમાંથી ર૦ સિદ્ધ થઈ શકે. ૨૫. ભવ દ્વાર : વૈમાનિક દેવ થયા બાદ ભવ કરે તો જ. ૧-૨-૩ સંખ્યાત, અસંખ્યાત યાવત અનંત ભવ પણ કરે. ૨૬. ઉત્પન્ન દ્વાર : ૯ રૈવેયક સુધીના વૈમાનિક દેવપણે અનંતીવાર આ જીવ ઉપજ્યો. ૪ અનુત્તર વિમાનમાં ગયા બાદ સંખ્યાત (૧૩) ભવમાં અને સર્વાર્થસિદ્ધથી ૧ ભવમાં મોક્ષે જાય. ૨૭. અલ્પબદુત્વ દ્વાર : સૌથી થોડા ૫ અનુ. વિમાનના દેવ, તેથી ઊતરતા ક્રમે ૯મા દેવલોક સુધી સંખ્યાતગણા, ૮ માથી ઊતરતા બીજા દેવ. સુધી અસંખ્યાતગણા દેવ, તેથી બીજા દેવલોકની દેવી સંખ્યાતગણી, તેથી પહેલા દેવોના દેવ સંખ્યાતગણા, તેથી પહેલા દેવલોકની દેવી સંખ્યાગણી. - ઇતિ વૈમાનિક દેવ. જ ઈs D SS SS SS S % Page #584 -------------------------------------------------------------------------- ________________ ડાલાપાલા (૮૧. સંખ્યાદિ ૨૧ બોલ અર્થાતુ ડાલાપાલા શ્રી અનુયોગ દ્વાર સૂત્ર – પ્રમાણ પદ સંખ્યાના ૨૧ બોલ છે. ૧. જઘન્ય સંખ્યાતા, ૨ મધ્યમ સંખ્યાતા, ૩. ઉત્કૃષ્ટ સંખ્યાતા. અસંખ્યાતાના ૯ પ્રકાર છે. ૧ જ. પ્રત્યેક અસંખ્યાતા.૪ જ. યુક્તા અસંખ્યાતા,૭. અસં. અસંખ્યાતા ૨ મધ્ય." " ૫ મધ્ય. " " ૮ મધ્ય." " ૩૧. " " ૬ ૧. " " ૯ ઉ. " " અનંતના ૯ પ્રકાર છે. ૧ જ. પ્રત્યેક અનંતા, ૪ જ. યુક્તા અનંતા, ૭ જ. અનંતા અનંત ર મધ્ય." " પ મધ્ય." " ૮ મધ્ય." " ૩ ૧. " " ૬ ૧. " " ૯ ઉ. " " જ. સંખ્યાતામાં એક, બે સુધી ગણના. મધ્યમ સંખ્યાતામાં ત્રણથી આગળ યાવત્ ઉ. સંખ્યાતામાં એક ન્યૂન. ઉત્કૃષ્ટ સંખ્યાતા માટે માપ બતાવે છે. ચાર પાલા કલ્પવા (૧) શીલાક, (૨) પ્રતિશીલાક, (૩) મહાશીલાક, અને (૪) અનવસ્થિત. એ પ્રત્યેક પાલા ધાન્ય માપવાની પાલીના આકારે જાણવા. પણ પ્રમાણમાં ૧ લાખ યોજન લાંબા પહોળા. ૩,૧૬,૨૨૭ યો. અધિકની પરિધિવાળા, ૧ હજાર યો. ઊંડા. ૮ યો. * પ્રથમના ૩ અનંતા ખાલી છે. ચોથા અનંતામાં અભવી જીવો છે. ૫ મા અનંતામાં પડિવાઈ સમ્યક દ્રષ્ટિ તથા સિદ્ધ તથી અનંતગુણા છે. છઠ્ઠો. સાતમ અનંતો ખાલી છે. ૮ મા અનંતામાં નિગાદનાં જીવો, આકાશ શ્રેણી તથા કેવળ જ્ઞાન, કેવળદર્શનની પર્યાય અનુક્રમે અનંતગણી છે. ૯ મો અનંત ખલી છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ની જગતિ (કોટ) તે ઉપર વા યો. ની વેદિકા હોય તેવા ગોળાકારે કલ્પવા. એમાંના અનવસ્થિત પાલાને સરસવના દાણાથી સંપૂર્ણ ભરીને કોઈ દેવ ઉપાડે. જંબુદ્વીપથી માંડીને એકેક દાણો એકેક દ્વીપ અને સમુદ્રમાં નાખતો નાંખતો ચાલ્યો જાય. અંતે ૧ દાણો રહે તે દ્વીપ કે સમુદ્રમાં રોકાય. તે દાણો તે જ લીપ કે સમુદ્રમાં નાંખે અને નવો એક દાણો શીલાક પાલામાં નાખે. ફરીથી જે દ્વીપ યા સમુદ્ર સુધી પહોંચ્યો છે એવડો મોટો, લાંબો, પહોળો પાલો પણ એક હજાર યોજન ઊંડો, ૮ યો. જગતી, વા યો. ની વેદિકાવાળો બનાવે. તેને સરસવથી ભરી આગળના દ્વીપ અને સમુદ્રમાં એકેક દાણો નાંખતો જાય. એક દાણો છેલ્લો રહે ત્યાં રોકાય. તે ૧ દાણો તે જ દ્વીપ કે સમુદ્રમાં નાંખે અને નવો એક શીલાક પાલામાં નાખે. ફરીથી તે દ્વીપ કે સમુદ્રના વિસ્તાર જેવડો (ઊંડાઈ, જગતી, ઉપરવતુ) બનાવીને સરસવથી ભરી આગળ ને આગળ એકેક દ્વીપ એકેક સમુદ્રમાં એકેક દાણો નાખીને શીલાકને ભરે. જ્યારે શીલાક પૂરો ભરાય ત્યારે તેને ઉપાડીને અંતિમ (બાકી મૂકેલ) દ્વીપ કે સમુદ્રથી આગળ એકેક દાણો નાંખતા, નાખતા ખાલી કરે, અને એક દાણો પ્રતિશીલાક પાલામાં નાંખે. એમ આગળને આગળના દ્વીપસમુદ્રને અનવસ્થિત પાલો બનાવતાં એકેક દાણાથી શીલાકને ભરવો. પછી પ્રતિશીલાકને ખાલી કરતા એકેક દાણાથી મહાશીલાકને ભરવો. આવી રીતે મહાશીલાક ભરાઈ રહે, પછી પ્રતિશીલાકને ભરવો. પછી શીલાક અને અનવસ્થિત ભરી મૂકવો. આવી રીતે ચારે પાલા ભર્યા છે. છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં પડયો હતો ત્યાંથી પ્રથમ દ્વિીપ સુધી પડેલા બધા દાણાને એકઠા કરવા તમાં ચારેય પાલાના દાણા મેળવીને એક ઢગલો કરવો. તેમાંથી ૧ દાણી કાઢી લે તે ઉત્કૃષ્ટ સંખ્યાતા. કાઢેલો એક દાણો પાછો ઉમેરી દે Page #586 -------------------------------------------------------------------------- ________________ ડાલાપાલા તો જઘન્ય પ્રત્યેક અસંખ્યાતા કહેવા. એ દાણાની સંખ્યાને પરસ્પર ગુણે (અભ્યાસ કરે *) અને જે સંખ્યા થાય તેને જઘન્ય યુક્તા અસંખ્યાતા કહેવા. તેમાંથી ૧ દાણો ન્યૂન તે ઉત્કૃષ્ટ પ્રત્યેક અસંખ્યાતા, બે દાણા ન્યૂન તે મધ્યમ પ્રત્યેક અસંખ્યાતા (૧ આવલિકાના સમય જઘન્ય યુક્તા અસંખ્યાતા જાણવા.) જઘન્ય યુક્તા અસંખ્યાતાની રાશિ (ઢગલા) ને પરસ્પર ગુણતાં જે આવે તે જઘન્ય અસંખ્યાતા અસંખ્યાતા જાણવા. તેમાંથી ૧ જૂન તે ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતા. બે ઓછા તે મધ્યમ યુક્તા અસંખ્યાતા જાણવા. જઘન્ય અસં. અસંખ્યાતાની રાશિને પરસ્પર ગુણતાં આવે તેને જઘન્ય પ્રત્યેક અનંતા જાણવા. તેમાંથી ર ન્યૂન તે મધ્યમ અસંખ્યાતા અસંખ્યાતા અને ૧ ન્યૂન તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાતા જાણવા. જઘન્ય પ્રત્યેક અનંતાની રાશિને પરસ્પર ગુણતા આવે તે જઘન્ય યુક્તા અનંતા, તેમાંથી બે ન્યૂન તે મધ્યમ પ્રત્યેક અનંતા અને ૧ ન્યૂન તે ઉત્કૃષ્ટ પ્રત્યેક અનંતા જાણવા. જઘન્ય યુક્તા અનંતાને પરસ્પર ગુણે તો જ. અનંતાનંત થાય. તેમાંથી બે ન્યૂન તે મધ્યમ યુકતા અનંતા, ૧ ન્યૂન હોય તે ઉત્કૃષ્ટ યુક્તા અનંતા જાણવા. જઘન્ય અનંતાનંતને પરસ્પર ગુણી (વર્ગ કરી) ને જે આવે તેને મધ્યમ અનંતાનંત કહે છે. એને પરસ્પર ગુણતા (વર્ગ કરતાં) આવે તે ઉત્કૃષ્ટ અનંતાનંત જાણવા. પણ સંસારમાં ઉત્કૃષ્ટ અનંતાનંત જેટલો * તેને તે જ રકમને તેટલી વાર ગુણવી તેનું નામ અભ્યાસ. ગુણાકાર તે એક વખત કરે જેમ પ૪પ અને અભ્યાસ એટલે એક સંખ્યાને એ જ સંખ્યાથી એટલી વાર ગણવી જેમ કે પપપપપ. Page #587 -------------------------------------------------------------------------- ________________ પદ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ કોઈ પદાર્થ નથી. તત્ત્વ કેવળી ગમ્ય. ઈતિ સંખ્યાદિ ૨૧ બોલ (ડાલાપાલા). જ ઈ Sલ છ3 S SS S S % ગિર ૮૨. પ્રમાણ – નયSો શ્રી અનુયોગ દ્વાર સૂત્ર તથા અન્ય ગ્રંથો ૨૪ દ્વારના નામ : (૧) સાત નય, (૨) ચાર નિક્ષેપ, (૩) દ્રવ્ય, ગુણ, પર્યાય, (૪) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, (૫) દ્રવ્ય – ભાવ, (૬) કાર્ય- કા૨ણ, (૭) નિશ્ચય-વ્યવહાર, (૮) ઉપાદાન–નિમિત્ત, (૯) ચાર પ્રમાણ, (૧૦) સામાન્ય –વિશેષ, (૧૧) ગુણ-ગુણી, (૧૨) શેય, જ્ઞાન, જ્ઞાની, (૧૩) ઉપસેવા, વિગમે વા, ધુ વે વા, (૧૪) આધેય-આધાર, (૧૫) આવિર્ભાવ–તિરોભાવ, (૧૬) ગૌણતા–મુખ્યતા, (૧૭) ઉત્સર્ગ–અપવાદ, (૧૮) ત્રણ આત્મા, (૧૯) ચાર ધ્યાન, (૨૦) ચાર અનુયોગ, (૨૧) ત્રણ જાગૃતિ, (૨૨) નવ વ્યાખ્યા, (૨૩) આઠ પક્ષ, (૨૪) સપ્તભંગી. ૧. નય : (પદાર્થોના અંશને ગ્રહણ કરે તે.) પ્રત્યેક પદાર્થના અનેક ધર્મ છે અને એ દરેકને ગ્રહણ કરનાર એકેક નય ગણાય. એ રીતે અનંત નય થઈ શકે, પણ અત્રે સંક્ષેપથી ૭ નય વર્ણવાશે. | નયના મુખ્ય ર ભેદ છે. દ્રવ્યાસ્તિક (દ્રવ્યને ગ્રહણ કરે) અને પર્યાયાસ્તિક (જે પાયોને ગ્રહણ કરે). દ્રવ્યાતિક નયના ૧૦ ભેદ છે. ૧ નિત્ય, ૨ એક, 3 સત્, ૪ વક્તવ્ય, ૫ અશુદ્ધ, ૬ અન્વય, Page #588 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ નય ૫૬૯ ૭પ૨મ, ૮ શુદ્ધ, ૯ સત્તા, ૧૦ ૫૨મ ભાવ દ્રવ્યાસ્તિક નય. પર્યાયાસ્તિક નયના ૬ ભેદ છે. ૧ દ્રવ્ય, ૨ દ્રવ્ય વ્યંજન, ૩ ગુણ, ૪ ગુણવ્યંજન, ૫ સ્વભાવ, અને ૬ વિભાવ-પર્યાયાસ્તિક નય. આ બન્ને નયોના ૭૦૦ ભાંગા થઈ શકે. ૬ નય સાત ઃ ૧. નૈગમ, ૨. સંગ્રહ, 3. વ્યવહા૨, ૪. ઋજુસૂત્ર, પ. શબ્દ, ૬. સમભિરૂઢ, ૭. એવંભૂત નય. એમાંથી પહેલા ૪ નયોને દ્રવ્યાસ્તિક, અર્થ કે ક્રિયાનય કહે છે. અને પાછલા ત્રણને પર્યાયાસ્તિક, શબ્દ કે જ્ઞાન નય કહે છે. હવે તેનો વિસ્તાર કહે છે. (૧) નૈગમ નય – જેનો એક (ગમ) સ્વભાવ નથી, અનેક માન, ઉન્માન, પ્રમાણથી વસ્તુ માને. ત્રણે કાળ, ૪ નિક્ષેપા, સામાન્ય, વિશેષ આદિ માને. તેના ૩ ભેદ. (૧) અંશ – વસ્તુના અંશને ગ્રહીને વસ્તુ માને, જેમ નિગોદને સિદ્ધ સમાન માને. (૨) આ૨ોપ – ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણે કાળનો વર્તમાનમાં આરોપ કરે. (૩) વિકલ્પ – અધ્યવસાય ઉત્પન્ન થાય તે. એવા ૭૦૦ વિકલ્પ થઈ શકે છે. શુદ્ધ નૈગમ નય અને અશુદ્ધ નૈગમ નય એમ બે ભેદ પણ છે. (૨) સંગ્રહ નય – વસ્તુની મૂળ સત્તાને ગ્રહણ કરે. જેમ સર્વ જીવોને સિદ્ધ સમ જાણે. જેમ 'એગે આયા' આત્મા એક છે (એક સ૨ખા સ્વભાવ અપેક્ષા). ત્રણ કાળ, ચાર નિક્ષેપા અને સામાન્યને માને. વિશેષ ન માને. ન – (૩) વ્યવહા૨ નય –- અંતઃકરણ (આંતરિક દશા)ની દ૨કાર ન કરતાં, બાહ્ય વ્યવહાર માને, જેમ જીવને મનુષ્ય, તિર્યંચ, ના૨ક, દેવ માનવા, જનમ્યો, મર્યો વિ. પ્રત્યેક રૂપી પદાર્થોમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ૨૦ બોલ સત્તામાં છે પણ બાહ્ય દેખાય તે જ માને. જેમ હંસને ધોળો, ગુલાબને સુગંધી, સાકરને મીઠી માને. તેના પણ શુદ્ધ, Page #589 -------------------------------------------------------------------------- ________________ પિકિ ની શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અશુદ્ધ બે ભેદ, સામાન્ય સાથે વિશેષ માને. ૪નિક્ષેપા, ત્રણે કાળની વાત માને. (૪) જુસૂત્ર નય – ભૂત, ભવિષ્યની પર્યાયોને છોડી માત્ર વર્તમાન, સરળ, પર્યાયને માને. વર્તમાન કાળ, ભાવ નિક્ષેપ અને વિશેષને જ માને. જેમ સાધુ છતાં ભોગમાં ચિત્ત ગયું તેને ભોગી અને ગૃહસ્થ છતાં ત્યાગમાં ચિત્ત ગયું તેને સાધુ માને. એ ચાર દ્રવ્યાસ્તિક નય છે. એ ચારે નય સમકિત, દેશવત, સર્વ વત, ભવ્ય, અભવ્ય બન્નેમાં હોય પણ શુદ્ધોપયોગ રહિત હોવાથી જીવનું કલ્યાણ નથી થતું. (૫) શબ્દ નય – સરખા શબ્દનો એક જ અર્થ કરે. વિશેષ વર્તમાનકાળ અને ભાવનિક્ષેપને જ માને. લિંગભેદ ન માને. શુદ્ધ ઉપયોગને જ માને. જેમ કે શક્રેન્દ્ર, દેવેન્દ્ર, પુરેન્દ્ર, સુચિપતિ એ બધાને એક માને. (૬) સમભિરૂઢ નય – શબ્દના ભિન્ન ભિન્ન અર્થને માને, જેમ શક્રસિંહાસન પર બેઠેલાને જ શક્રેન્દ્ર માને. એક અંશ ન્યૂન હોય તેને પણ વસ્તુ માની લે. વિશેષ ભાવ નિક્ષેપ અને વર્તમાન કાળને જ માને. (૭) એવંભૂત નય – એક અંશ પણ ઓછો ન હોય એને વસ્તુ માને. શેષને અવસ્તુ માને. વિશેષ, વર્તમાનકાળ અને ભાવનિક્ષેપને જ માને. જેમ અસંખ્યાત પ્રદેશ યુક્ત ધર્માસ્તિકાય દ્રવ્ય હોય તો જ તેને ધર્માસ્તિકાય માને. પણ ર-૪ પ્રદેશને ધર્માસ્તિકાય ન માને. આ નયવાળાની દૃષ્ટિ ફક્ત ઉપયોગ તરફ જ રહે. જે નયથી જ એકાંત પક્ષ ગ્રહણ કરે તે નયાભાસ (મિથ્યાત્વી) કહેવાય છે. જેમ સાત આંધળાએ ૧ હાથીના અનુક્રમે દંતશૂળ, સૂંઢ, Page #590 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ – નય પિ૭૧) કાન, પેટ, પગ, પૂંછડું અને કુંભ સ્થળ પકડીને કહેવા લાગ્યા કે હાથી સાંબેલા જેવો, ગણેશ જેવો, સૂપડા જેવો, કાઠી જેવો, થાંભલા જેવો, ચામર જેવો, કે ઘડા જેવો છે. ત્યારે સમદૃષ્ટા તો બધાને એકાંતવાદી સમજી મિથ્યા માનશે, પણ બધા નયો મેળવવાથી સત્ય સ્વરૂપ થાય છે અને તે જ સમદૃષ્ટિ કહેવાય. ૨. નિક્ષેપ દ્વાર : તે ચાર છે. એકેક વસ્તુના જેમ અનંત નય હોઈ શકે તેમ નિક્ષેપ પણ અનંત હોઈ શકે. પણ અહીં મુખ્ય ચાર નિપા વર્ણવ્યા છે. નિક્ષેપો – સામાન્ય રૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે. વસ્તુ તત્ત્વગ્રહણમાં અતિ આવશ્યક છે. તેના ચાર ભેદ. (૧) નામ નિક્ષેપ – જીવ કે અજીવનું અર્થશૂન્ય, યથાર્થ કે અયથાર્થ નામ રાખવું તે. (૨) સ્થાપના નિક્ષેપ- જીવ કે અજીવની સદશ (સદભાવ) કે અસદશ (અસદભાવ) સ્થાપના (આકૃતિ કે ઓડું) કરવી તે સ્થાપના નિક્ષેપ. (૩) દ્રવ્ય નિક્ષેપ – ભૂત અને ભવિષ્યની દશાને વર્તમાનમાં ભાવશૂન્ય હોવા છતાં કહેવી, માનવી. જેમ યુવરાજને કે પદભ્રષ્ટ રાજાને રાજા માનવો. કોઈના કલેવર (મડદાં) ને એના નામે જાણવું. (૪) ભાવ નિક્ષેપ – સંપૂર્ણ ગુણ યુક્ત વસ્તુને જ વસ્તુરૂપે માનવી. દૃષ્ટાંત – મહાવીર નામ તે નામ નિક્ષેપ. તે ગમે તેનું નામ રાખ્યું હોય, મહાવીર લખ્યું હોય, ચિત્ર કર્યું હોય, મૂર્તિ હોય કે કોઈ ચીજ મૂકીને એને મહાવીર તરીકે કહીએ તે મહાવીરની સ્થાપના * નિક્ષેપ – વસ્તુની સવગણ વ્યાખ્યા કરવા માટે વસ્તુને નામાદિક ભેદોથી વ્યાખ્યાયિત કરવું તે નિક્ષેપ છે. Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ નિક્ષેપ. કેવળજ્ઞાન થયા પહેલાના સંસારી જીવનને કે નિર્વાણ પામ્યા બાદના શરીરને મહાવીર માનવા તે મહાવીરનો દ્રવ્ય નિક્ષેપ. મહાવીર પોતે કેવળજ્ઞાન, કેવળદર્શન સહિત બિરાજતા હોય તેમને જ મહાવીર કહેવા તે ભાવ નિક્ષેપ. એ રીતે જીવ, અજીવ આદિ સર્વ પદાર્થોનું ચાર નિક્ષેપા ઉતા૨ી જ્ઞાન થઈ શકે. ૩. દ્રવ્ય-ગુણ-પર્યાય દ્વા૨ : ધર્માસ્તિકાય આદિ જેમ છ દ્રવ્ય છે, ચલનસહાય આદિ સ્વભાવ તે દ૨ેકના જુદા ગુણ છે, અને દ્રવ્યોમાં ઉત્પાદ્, વ્યય, ધ્રુવ આદિ પરિવર્તન થવું તે પર્યાયો છે. દૃષ્ટાંત – જીવ તે દ્રવ્ય, જ્ઞાન-દર્શન આદિ તેના ગુણ, મનુષ્ય, તિર્યંચ, દેવ, સાધુ આદિ દશા તે પર્યાય સમજવી. ૪. દ્રવ્ય—ક્ષેત્ર-કાળ-ભાવ દ્વા૨ : દ્રવ્ય તે જીવ, અજીવ આદિ. ક્ષેત્ર તે આકાશ પ્રદેશ. કાળ તે સમય, ઘડી, જાવ કાળચક્ર. ભાવ તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ. જીવ, અજીવ બધા ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ ઉતારી શકાય. ૫. દ્રવ્ય – ભાવ દ્વાર : ભાવને પ્રગટ કરવામાં સહાયક તે દ્રવ્ય છે. જેમ દ્રવ્યથી જીવ અમર, શાશ્વત છે, ભાવથી અશાશ્વત છે. દ્રવ્યથી લોક શાશ્વત છે, ભાવથી અશાશ્વતો છે. એટલે કે દ્રવ્ય તે મૂળ વસ્તુ છે, સદૈવ – શાશ્વતી છે. ભાવ તે વસ્તુની પર્યાય છે, અશાશ્વતી છે. જેમ ભમરો લાકડું કોતરે છે તેમાં 'ક' જેવો આકાર બની ગયો તે દ્રવ્ય 'ક' અને કોઈ પંડિતે સમજીને 'ક' લખ્યો તે ભાવ 'ક' જાણવો. ૬. કારણ કાર્ય દ્વાર ઃ કાર્ય (સાધ્ય) ને પ્રગટ કરનાર પહોંચાડનાર તે કારણ છે. કારણ વિના કાર્ય ન થાય જેમ ઘડો બનાવવો તે કાર્ય છે, તો માટી, કુંભાર, ચાકડો આદિ કારણ અવશ્ય જોઈએ માટે કારણ મુખ્ય છે. - Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ – નય પિ૭૩ ૭. નિશ્ચય – વ્યવહાર દ્વાર : નિશ્ચયને પ્રગટ કરનાર તે વ્યવહાર છે. વ્યવહાર બળવાન છે. વ્યવહારથી જ નિશ્ચયને પહોંચી શકાય છે. જેમ નિશ્ચયમાં કર્મનો કર્તા કર્મ છે. વ્યવહારથી જીવ કર્મોનો કર્તા મનાય છે. જેમ નિશ્ચયથી આપણે ચાલીએ છીએ અને વ્યવહારથી કહીએ કે ગામ આવ્યું, પાણી ચૂર્વ તેને કહીએ કે નાળ ચૂર્વ છે ઇત્યાદિ. ૮. ઉપાદાન – નિમિત્ત દ્વાર : ઉપાદાન તે મૂળ કારણ જે સ્વયં કાર્ય રૂપ પરિણમે. જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી અને નિમિત્ત તે સહકારી કારણો તે કુંભાર, પાવડો, ચાકડા વગેરે. શુદ્ધ નિમિત્ત કારણ હોય તો ઉપાદાનને સાધક થાય અને અશુદ્ધ નિમિત્ત હોય તો ઉપાદાનને બાધક પણ થાય. ૯. પ્રમાણ દ્વાર* : તે ચાર છે. ૧. પ્રત્યક્ષ, ૨. આગમ, 3અનુમાન અને ૪. ઉપમા પ્રમાણ. ૧. પ્રત્યક્ષ પ્રમાણ – તેના પર ભેદ – ૧. ઇન્દ્રિય પ્રત્યક્ષ (પાંચ ઇન્દ્રિયોથી થતું પ્રત્યક્ષ જ્ઞાન) અને ૨. નોઇન્દ્રિય પ્રત્યક્ષ (ઇન્દ્રિયોની સહાય વિના માત્ર આત્મશુદ્ધતાથી પ્રત્યક્ષ જ્ઞાન થાય તે). તેના પણ બ ભેદ ૧. દેશથી તે અવધિ, મન:પર્યવ અને ૨. સર્વથી તે કેવળજ્ઞાન. ૨. આગમ પ્રમાણ – શાસ્ત્રવચન, આગમોની હકીકતાનું પ્રમાણ માનવી. તેના ૩ ભેદ સુરાગ, અથાગમે. તદુભાયાગમે. ૩. અનુમાન પ્રમાણ -- જે વસ્તુ અનુમાનથી જણાય તે. તના પ ભેદ. (૧) કારણથી – જેમ ઘડાનું કારણ માટી છે, માટીનું કારણ ઘડો નથી. (૨) ગુણથી – જેમ પુખમાં સુગંધ, સુવર્ણમાં કોમળતા, જીવમાં જ્ઞાન. (૩) આસરણ જેમ માડાથી અનિ. વીજળીથી * પ્રમાણ -. જેના વડે વસ્તુની વસ્તતા સિદ્ધ થાય અથવા જેનાથી અર્થ. પદાર્થ જાણી શકા' છે. Page #593 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ વાદળાં આદિ જાણવું તે. (૪) આવયવેણ - જેમ દંતશૂળથી હાથી, ચુડીઓથી સ્ત્રી, શાસન રૂચિથી સમકિતી જણાય. (૫) દિઢિસામન્નસામાન્યથી વિશેષને જાણે. જેમ ૧ રૂપિયાને જોઈ ઘણાને જાણે. ૧ માણસને જોવાથી આખા દેશના માણસોને જાણે. ભલા, બૂરા ચિહ્ન જોઈને ત્રણે કાળના જ્ઞાનની કલ્પના અનુમાનથી થઈ શકે છે. ૪. ઉપમા પ્રમાણ : ઉપમા આપવી, સરખામણીથી જ્ઞાન કરવું. તેના ૪ ભેદ (૧) યથાર્થ (સત) વસ્તુને યથાર્થ ઉપમા, (૨) યથાર્થ વસ્તુને અયથાર્થ (અસત) ઉપમા, (૩) અયથાર્થ વસ્તુને યથાર્થ ઉપમા, (૪) અયથાર્થ વસ્તુને અયથાર્થ ઉપમા. ૧૦. સામાન્ય વિશેષ : સામાન્યથી વિશેષ બળવાન છે. સમુદાયરૂપ જાણવું તે સામાન્ય વિવિધ ભેદાનભેદથી જાણવું તે વિશેષ. જેમ દ્રવ્ય સામાન્ય, જીવ, અજીવ એ વિશેષ. જીવ દ્રવ્ય સામાન્ય, સંસારી, સિદ્ધ વિશેષ ઇત્યાદિ. ૧૧. ગુણ ગુણી પદાર્થમાં ખાસ વસ્તુ (સ્વભાવ) છે તે ગુણ છે. અને એ ગુણ જેમાં છે તે વસ્તુ (ગુણધારક)ને ગુણી કહે છે. જેમ જ્ઞાન તે ગુણ અને જીવ ગુણી. સુગંધ ગુણ, પુષ્પ ગુણી, ગુણ અને ગુણી અભેદ (અભિન્ન) રૂપે રહે છે. ૧૨. શેય – શાન – શાની : જાણવા યોગ્ય (જ્ઞાનના વિષયભૂત) સર્વ દ્રવ્યો જોય છે, દ્રવ્યોનું જાણપણું તે જ્ઞાન છે અને પદાર્થોને જાણનાર તે જ્ઞાની છે. જેમ ધ્યેય, ધ્યાન, ધ્યાની વગેરે. ૧૩. ઉપસે વા, વિગમે વા, ધુવા : ઉપજવું, નાશ થવું અને નિશ્ચય રૂપે રહેવું. જેમ જન્મવું, મરવું અને જીવપણે કાયમ (અમર) રહેવું. ૧૪. આધેય – આધાર : ધારી રાખે તે આધાર. તેને આધારે Page #594 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ – નય પિ૭૫) રહે તે આધેય. જેમ પૃથ્વી આધાર, ઘટાદિ પદાર્થો આધેય. જીવ આધાર, જ્ઞાનાદિ આધય. ૧૫. આવિર્ભાવ તિરોભાવ : જે પદાર્થ દૂર છે તે તિરોભાવ અને જે પદાર્થ ગુણ નજીકમાં છે તે આવિર્ભાવ. જેમ દૂધમાં ઘીનો તિરોભાવ છે અને માખણમાં ઘીનો આવિર્ભાવ છે. ૧૬. ગણતા – મુખ્યતા : અન્ય વિષયો છોડીને આવશ્યક વસ્તુનું વ્યાખ્યાન કરાય તે મુખ્યતા અને જે વસ્તુ ગુપ્તપણે અવધાનપણે રહી હોય તે ગૌણતા છે. જેમ – જ્ઞાનથી મોક્ષ થાય છે, એમ કહેવામાં જ્ઞાનની મુખ્યતા રહી અને દર્શન, ચારિત્ર, તપ આદિની ગૌણતા રહી. ૧૭. ઉત્સર્ગ – અપવાદ : ઉત્સર્ગ તે ઉત્કૃષ્ટ માર્ગ છે અને અપવાદ તેનો રક્ષક છે. ઉત્સર્ગ માર્ગથી પતિત અપવાદનું અવલંબન લઈને ફરીથી ઉત્સર્ગ (ઉત્કૃષ્ટ) માર્ગે પહોંચી શકે છે. જેમ સદા ૩ ગુપ્તિથી રહેવું તે ઉત્સર્ગ માર્ગ અને પ સમિતિ તે ગુપ્તિના રક્ષક, સહાયક, અપવાદ માર્ગ છે. જિનકલ્પ ઉત્કૃષ્ટ માર્ગ છે, સ્થવિરકલ્પ અપવાદ માર્ગ છે. ઇત્યાદિ પદ્રવ્યમાં પણ જાણવા. ૧૮. ત્રણ આત્મા : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા શરીર, ધન, ધાન્યાદિ સમૃદ્ધિ, કુટુંબ, પરિવાર આદિમાં તલ્લીન થવું તે મિથ્યાત્વી. અંતરાત્મા – બાહ્ય વસ્તુને પર સમજીને તેને ત્યાગવા ચાહે ત્યાગે તે. ૪ થી ૧૨ ગુણસ્થાનવાળા. પરમાત્મા – સર્વ કાર્ય સિદ્ધ થયા. કર્મમુક્ત થઈ સ્વ-સ્વરૂપમાં લીન છે તે સિદ્ધ તથા કેવળજ્ઞાની ભગવંતો પરમાત્મા. Page #595 -------------------------------------------------------------------------- ________________ શ્રી बृहछ જૈન થોક સંગ્રહ ૧૯. ચા૨ ધ્યાન : ૧. પદસ્થ – પંચ પરમેષ્ઠિના ગુણોનું ધ્યાન કરવું તે. ૨. પિંડસ્થ -- શરીરમાં રહેલ અનંત ગુણયુક્ત ચૈતન્યનું અધ્યાત્મ ધ્યાન કરવું. ૫૭૬ ૩. રૂપસ્થ – અરૂપી છતાં કર્મયોગે આત્મા સંસારમાં અનેક રૂપ ધારણ કરે છે એ વિચિત્ર સંસાર અવસ્થાનું ધ્યાન ક૨વું, તેથી છૂટવાના ઉપાય ચિંતવવા તથા અરિહંતના ગુણોનો વિચા૨ ક૨વો. ૪. રૂપાતીત – સચ્ચિદાનંદ, અગમ્ય, નિરાકાર, નિરંજન, સિદ્ધ પ્રભુનું ધ્યાન કરવું. શુદ્ધ આત્માના ગુણોનો અનુભવ કરવો. ――― ૨૦. ચાર અનુયોગ ઃ ૧. દ્રવ્યાનુયોગ – જીવ, અજીવ, ચૈતન્ય, જડ (કર્મ) આદિ દ્રવ્યોનાં સ્વરૂપનું જેમાં વર્ણન હોય. ૨. ગણિતાનુયોગ – જેમાં ક્ષેત્ર, પહાડ, નદી, દેવલોક, નારકી, જ્યોતિષી આદિના ગણિતમાપનું વર્ણન હોય. ૩. ચ૨ણક૨ણાનુયોગ -- જેમાં સાધુ, શ્રાવકના આચાર, ક્રિયાનું વર્ણન હોય. ૪. ધર્મકથાનુયોગ – જેમાં સાધુ, શ્રાવક, રાજા, શંક આદિના વૈરાગ્યમય બોધદાયક જીવન પ્રસંગોનું વર્ણન હોય. ૨૧. જાગરણા ત્રણ : (૧) બુદ્ઘ જાત્રિકા -- તીર્થંકર અને કેવળીઓની દશા. (૨) અબુદ્ધે જાચિકા - છદ્મસ્થ મુનિઓની, (૩) સુદખુ જાચિકા - શ્રાવકોની. ૨૨. વ્યાખ્યા નવ ઃ એકેક વસ્તુની ઉપચાર નયથી ૯--૯ રીતે વ્યાખ્યા કરાય. (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર - જેમ કાષ્ટમાં વંશલોચન. (૨) દ્રવ્યમાં ગુણનો ઉપચાર -- જેમ જીવ જ્ઞાનવંત છે. (૩) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર - જેમ આ જીવ સ્વરૂપવાન છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ ર્ષિ વી પ૭૭ પ્રમાણ – નય (૪) ગુણમાં દ્રવ્યનો ઉપચાર -- જેમ અજ્ઞાની જીવ છે. (૫) ગુણમાં ગુણનો ઉપચાર – જેમ જ્ઞાની છતાં બહુ ક્ષમાવંત છે. (૬) ગુણમાં પર્યાયનો ઉપચાર – જેમ આ તપસ્વી ઘણા રૂપાળા છે. (૭) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર – જેમ આ પ્રાણી દેવતાનો જીવ છે. (૮) પર્યાયમાં ગુણનો ઉપચાર - જેમ આ મનુષ્ય બહુ જ્ઞાની છે. (૯) પર્યાયમાં પર્યાયનો ઉપચાર – જેમ આ મનુષ્ય શ્યામ વર્ણનો છે. ૨૩. પક્ષ આઠ : એક વસ્તુની અપેક્ષાએ અનેક વ્યાખ્યા થઈ શકે છે. એમાં મુખ્યતા આઠ પક્ષ લઈ શકાય. નિત્ય, અનિત્ય, એક, અનક, સતુ, અસતુ, વક્તવ્ય, અવક્તવ્ય. આ આઠ પક્ષ નિશ્ચય અને વ્યવહારથી જીવ પર ઊતારે છે. પક્ષ | વ્યવહાર નય અપેક્ષા નિશ્ચય નય અપેક્ષા નિત્ય | એક ગતિમાં ફરતા નિત્ય છે. જ્ઞાન, દર્શન અપેક્ષા નિત્ય છે. અનિત્ય | સમય સમય આયુષ્ય ક્ષય થતાં અગુરુલઘુ આદિ પર્યાયથી અનિત્ય છે. અનિત્ય છે. એક | ગતિમાં વર્તતા એ દશાએ એક ચિતન્ય અપેક્ષા જીવ એક છે. અનેક | પુત્ર, ભાઈ આદિ સગપણે અસંખ્ય પ્રદેશ અપેક્ષા અનેક છે, અનેક છે. સતુ | સ્વગતિ, સ્વક્ષેત્રપક્ષ સત છે. જ્ઞાનાદિ ગુણાપેક્ષા સત છે. ગતિ, બ4 અસતુ પરગતિ, પરક્ષેત્રાપેક્ષા અસત્ છે. પરગુણ અપેક્ષા અસત્ છે. વકતવ્ય | ગુણસ્થાન આદિની વ્યાખ્યા થઈ સિદ્ધના ગુણોની જે વ્યાખ્યા શકે તે. થઈ શકે છે. અવક્તવ્ય જે વ્યાખ્યા કેવળી પણ ન કરી સિદ્ધના સર્વ ગુણોની વ્યાખ્યા શકે તે અનુક્રમ વગર વ્યાખ્યા |ન થઈ શકે તે. ન થઈ શકે તે. ૨૪. સપ્તભંગી: ૧ ચાતું અસ્તિ, ૨ ચાતું નાસ્તિ, 3 સ્યા અસ્તિ-નાસ્તિ, ૪ ચાતુ અવક્તવ્ય, પ ચાતું અસ્તિ અવક્તવ્ય, -37 Page #597 -------------------------------------------------------------------------- ________________ પ૭૮) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ દ સ્વાતુ નાસ્તિ અવકૃત, ૭ સ્યાત અસ્તિ – નાસ્તિ અવક્તવ્ય. આ સપ્તભંગી દરેક પદાર્થ (દ્રવ્ય) પર ઊતારી શકાય છે. તેમાં જ સ્યાદવાદનું રહસ્ય રહેલું છે. એકેક પદાર્થને અનેક અપેક્ષાએ જોનાર સદા સમભાવી હોય. દૃષ્ટાંત માટે સિદ્ધ પરમાત્મા પર સપ્તભંગી ઉતારે છે. ૧ સ્યાહુ અતિ - સિદ્ધ સ્વગુણ અપેક્ષા છે. ૨ સ્યાત્ નાસ્તિ -- સિદ્ધો પર ગુણ અપેક્ષા નથી. પરગુણનો અભાવ છે.) ૩ સ્યાત અસ્તિ–નાસ્તિ – સિદ્ધોમાં સ્વગુણોની અસ્તિ અને પરગુણોની નાસ્તિ છે. ૪ સ્યાહુ અવકતવ્ય – અસ્તિ, નાસ્તિ યુગપત્ છે છતાં એક સમયમાં કહી શકાતી નથી. ૫ સ્યાત અતિ અવકતવ્ય – સ્વગુણોની અસ્તિ છે અને એક સમયમાં કહી શકાતા નથી. ૬ સ્યાત્ નાસ્તિ અવકતવ્ય – પરગુણોની નાસ્તિ છે અને એક સમયમાં કહી શકાતા નથી. ૭ સ્યાત અતિ – નાસ્તિ આવકતવ્ય – અસ્તિ, નાસ્તિ બન્ને છે પણ એક સમયમાં કહી શકાતા નથી. એ સ્યાદવાદ સ્વરૂપ સમજીને સદા સમભાવી બનીને રહેવું જેથી આત્મકલ્યાણ થાય. ઇતિ પ્રમાણ નય વિસ્તાર. Page #598 -------------------------------------------------------------------------- ________________ ભાષા પદ પિ૭ તો ૮૩. ભાષા પદ) : શ્રી પન્નવણા સૂત્ર પદ ૧૧ (૧) ભાષા જીવને જ હોય છે, અજીવને નથી હોતી, કોઈ પ્રયોગવશ અજીવમાંથી ભાષા નીકળતી સંભળાય છે તે પણ જીવની સત્તા છે. (૨) ભાષાની ઉત્પત્તિ – ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીર દ્વારા જ છે. (૩) ભાષાનું સંસ્થાન વજ જેવું છે. ભાષાના મુદ્દગલો વજ સંસ્થાનવાળા છે. (૪) ભાષાનાં પુદગલો ઉત્કૃષ્ટ, લોકના છેડા (લોકાંત) સુધી જાય છે. (૫) ભાષા બે પ્રકારની છે. પર્યાપ્ત ભાષા (સત્ય, અસત્ય) અને અપર્યાપ્ત ભાષા (મિશ્ર અને વ્યવહાર ભાષા). (૬) ભાષક – સમુચ્ચય જીવ અને ત્રસના ૧૯ દંડકમાં ભાષા બોલાય છે. ૫ સ્થાવર અને સિદ્ધ ભગવાન અભાષક છે. ભાષક થોડા છે. અભાષક એથી અનંતગુણા છે. (૭) ભાષા ૪ પ્રકારે છે – સત્ય, અસત્ય, વ્યવહાર અને મિશ્ર ભાષા. ૧૬ દંડકમાં ચારેય ભાષા. ત્રણ દંડક (વિકલેન્દ્રિય)માં વ્યવહાર ભાષા છે. ૫ સ્થાવરમાં ભાષા નથી. (૮) સ્થિર અસ્થિર – જીવ જે પુદગલો ભાષારૂપે ગ્રહે છે તે સ્થિર છે યા અસ્થિર ? આત્માની નજીક રહેલા સ્થિર પુદ્ગલોને જ ભાષાપણે રહે છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અપેક્ષા ચાર પ્રકારે ગ્રહણ કરે છે. ૧. દ્રવ્યથી અનંતપ્રદેશી દ્રવ્યને ભાડાપણે રહે છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨. ક્ષેત્રથી અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહે એવા અનંત પ્રદેશ દ્રવ્યને ભાડાપણે ગ્રહ છે. 3. કાળથી ૧--૨–૩–૪--૫-૬-૭-૮-૯-૧૦, સંખ્યાતા, અસંખ્યાતા સમયની એમ ૧૨ બોલની સ્થિતિવાળા પુદ્ગલોને ભાષાપણે ગ્રહ છે. ૪. ભાવથી પ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૪ સ્પર્શવાળા પગલો ભાડાપણે ગ્રહ, તે આ રીતે. એકેક વર્ણ, એકેક ગંધ, એકેક રસ, એકેક સ્પર્શના અનંતગુણ અધિક અધિકના ૧૩ ભેદ કરવા. એટલે વર્ણના પ૮૧૩ = ૬૫, ગંધના ૨૪૧૩ = ૨૬, રસના પ૪૧૩ = ૬૫, સ્પર્શના ૪૪૧૩ = પર બોલ થાય. તેમાં દ્રવ્યનો ૧ બોલ, ક્ષેત્રનો ૧, કાળના ૧૨ બોલ ઉમેરવાથી રરર બોલ થાય. એ ૨૨૨ બોલવાળા પુદ્ગલ દ્રવ્ય ભાષાપણે ગ્રહણ થાય છે તે (૧) સ્પર્શ કરેલા, (૨) આત્મ અવગાહન કરેલા, (૩) અનંતર અવગાહન કરેલા, (૪) અણુ સૂક્ષ્મ, (૫) બાદર સ્થૂલ, (૬) ઉર્વ દિશાના, (૭) અધોદિશાના, (૮) નિચ્છદિશાના, (૯) આદિના, (૧૦) અંતના, (૧૧) મધ્યના, (૧૨) સ્વવિષયના (ભાષા યોગ્ય), (૧૩) આનુપૂર્વા (ક્રમશઃ), (૧૪) ત્રસનાળીના છ દિશાના, (૧૫) જ. ૧ સમય, ઉ. અસંખ્યાત સમયના અં. મુ. ના સાન્તર પુદ્ગલ, (૧૬) નિરંતર જ. ર સમય, ઉ. અસં. સમયના અં. મુ. ના, (૧૭) પ્રથમ સમયના – પુદ્ગલ ગ્રહણ કરે. અંત સમય ત્યાગે, મધ્યમ ગ્રહ અને છોડતો રડે. એ ૧૬ બાલ અને ઉપરના ૨૨૨ મળી કુલ ૨૩૯ બોલ થયા. સમય જીવ અને ૧૯ દડક એમ વીશે ગણતાં ૨૩૯ ૪ ૨૦ = " 5', બાલ બાવા. Page #600 -------------------------------------------------------------------------- ________________ ભાષા પદ પિ૮૧ (૯) સત્ય ભાષાપણે પુદ્ગલ ગ્રહે તો સમુચ્ચય જીવ અને ૧૬ દંડક એ ૧૭ બોલ. ૨૩૯ પ્રકારે ઉપર મુજબ ગ્રહે. એટલે ૧૭૪૨૩૯ = ૪૦૬૩ બોલ. એવી રીતે અસત્ય ભાષાના ૪૦૬૩ બોલ અને મિશ્રભાપાના ૪૦૬૩ બોલ તથા વ્યવહાર ભાષાનો સમુચ્ચય જીવ અને ૧૯ દંડક એમ ૨૦૪૨૩૯ =૪૭૮૦બોલ. કુલ મળી ૨૧,૭૪૯ બોલ એકવચનાપેક્ષા અને ૨૧,૭૪૯ બહુવચનાપેક્ષા એમ કુલ ૪૩,૪૯૮ ભાંગા થાય. (૧૦) ભાષાનાં પગલો મોંમાંથી નીકળતાં જે તે ભરાતાં નીકળ તો રસ્તામાંથી અનંતગણી વૃદ્ધિ થતા લોકના અંતભાગ સુધી ચાલ્યા જાય છે. જો અભેદતાં પગલો નીકળે તો સંખ્યાતા યોજન જઈને લય (વિધ્વંસ) પામી જાય છે. (૧૧) ભાષાના ભેદાતાં પુલો નીકળે તે ૫ પ્રકારથી (૧) ખંડા ભેદ – પત્થર, લોઢા, કાષ્ટ આદિના ટુકડા થવા વત્. (૨) પરતર ભેદ – અબરખનાં પડ વત (૩) ચૂર્ણ ભેદ – ધાન્ય કઠોળવતું. (૪) અણુ તડિયા ભેદ - તળાવની સૂકી માટીવતું. (૫) ઉક્કરિયા ભેદ -- કઠોળ આદિની સીંગ ફાટે તેમ. એ પાંચનો અલ્પબદુત્વ ઃ સર્વથી થોડા ઉક્કરીયા, તેથી અણુતડિયા અનંતગુણા, તથી ચૂર્ણિય અનંતગણા, તેથી પરતર અનંતગણા, તેથી ખંડાભેદ ભૂદાતા પુદ્ગલો અનંતગણા. (૧૨) પુદ્ગલની સ્થિતિ જ. ૧ સમય ઉ. અંત. ની (૧૩) ભાષકનો આંતરો જ. અંત. ઉ. અનંતકાળનો (વનસ્પતિમાં જાય તો. (૧૪) ભાપા પુદ્ગલ કાયયોગથી ગ્રહણ કરાય છે. (૧૫) ભાષા ગલ વચનયોગથી છોડાય (મૂકાય) છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૧૬) કારણ – મોહનીય અને અંતરાય કર્મના ક્ષયોપશમ અને વચનયોગથી સત્ય અને વ્યવહાર ભાષા બોલાય છે. જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મના ઉદયથી અને વચન યોગથી અસત્ય અને મિશ્ર ભાષા બોલાય છે. કેવળી સત્ય અને વ્યવહાર ભાષા જ બોલે. તેમણે ૪ ઘાતી કર્મ ક્ષય થયા છે. વિકલેન્દ્રિય માત્ર વ્યવહાર ભાષા સંજ્ઞારૂપ જ બોલે છે. ચારેય પ્રકા૨ે ૧૬ દંડકના જીવો બોલે છે. (૧૭) જીવ જે પ્રકારની ભાષાપણે દ્રવ્ય ગ્રહણ કરે તે જ પ્રકા૨ની ભાષા બોલે. (૧૮) વચન દ્વા૨ : બોલનાર, વ્યાખ્યાનીએ નીચેનું વચન જ્ઞાન કરવું. એક વચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રી વચન, પુરૂષવચન, નપુંસક વચન, અધ્યવસાય વચન, વર્ણ (ગુણ કીર્તન), અવર્ણ (અવર્ણવાદ), વર્ણવર્ણ (પહેલા ગુણ કર્યા પછી અવર્ણવાદ), અવર્ણાવર્ણ (પહેલા અવગુણ કહી, પછી ગુણ કહેવા). ભૂત-ભવિષ્ય-વર્તમાન કાળ વચન, પ્રત્યક્ષ- પરોક્ષ વચન, એ ૧૬ પ્રકા૨. સિવાય વિભક્તિ, તદ્વિત, ધાતુ, પ્રત્યય આદિનો જ્ઞાતા હોય. (૧૯) શુભ ઈરાદાથી ચાર પ્રકારની ભાષા બોલનાર આરાધક થઈ શકે છે. (૨૦) ચાર ભાષાનાં ૪૨ પ્રકાર છે. સત્ય ભાષાના ૧૦ પ્રકારઃ (૧) લોકભાષા સત્ય, (૨) સ્થાપના સત્ય (જે ચિત્રાદિને નામે કહેવાતું હોય તે કહેવું), (૩) નામ સત્ય (ગુણ હોય કે ન હોય, જે નામ હોય તે કહેવું), (૪) રૂપ સત્ય (તાદશ રૂપ જેવું કહેવું, જેમ હનુમાનજી જેવા રૂપ પૂતળાને હનુમાન કહે), (૫) અપેક્ષા સત્ય, (૬) સંમત સત્ય, (૭) વ્યવહાર સત્ય, (૮) ભાવ સત્ય, (૯) યોગ સત્ય, (૧૦) ઉપમા સત્ય. અસત્ય વચનના ૧૦ પ્રકાર : ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. Page #602 -------------------------------------------------------------------------- ________________ | 0ષ૮૩) ભાષા પદ માયાથી, ૪ લોભથી, ૫. રાગથી, ૬. કંપથી, ૭. હાસ્યથી, ૮. ભયથી (એ કારણોથી ભાષા આત્મજ્ઞાન ભૂલીને) બોલાયેલ હોવાથી સત્ય છતાં અસત્ય છે. ૯. પરંપરિતાપવાળી, ૧૦. પ્રાણાતિપાત (હિંસક) ભાષા. એ ૧૦ પ્રકારની ભાષા અસત્ય છે. મિશ્ર ભાષા ૧૦ પ્રકાર : આ નગરમાં આટલા માણસનો જન્મ થયો, આટલા મૃત્યુ પામ્યા, આજે આટલા જન્મ-મરણ થયા, આ બધા જીવ છે, આ બધા અજીવ છે, આમાં અડધા જીવ છે, અડધા અજીવ છે, આ વનસ્પતિ બધી અનંતકાય છે, આ બધી પરિતકાય છે. પોરસી દિન આવી ગયો, આટલાં વર્ષ થઈ ગયાં, એટલે કે જે વાતનો નિશ્ચય ન હોય (ભલે કાર્ય થઈ ગયું હોય, ત્યાં સુધી મિશ્ર ભાષા. વ્યવહાર ભાષાના ૧૨ પ્રકાર : (૧) સંબોધિત ભાષા (હે વીર, હે દેવ ઇશ્વર.), (૨) આજ્ઞા દેવી, (૩) યાચના કરવી, (૪) પ્રહ્માદિ પૂછવા, (૫) વસ્તુ – તત્ત્વ પ્રરૂપણા કરવી, (૬) પ્રત્યાખ્યાન આદિ કરવા, (૭) આગલાની ઇચ્છાનુસાર બોલવું જહાસુ, (૮) ઉપયોગ શૂન્ય બોલવું, (૯) ઇરાદાપૂર્વક વ્યવહાર કરવો, (૧૦) શંકાયુક્ત બોલવું, (૧૧) અસ્પષ્ટ બોલવું, (૧૨) સ્પષ્ટતાથી બોલવું. જે ભાષામાં અસત્ય ન હોય અને સંપૂર્ણ યા નિશ્ચય સત્ય ન હોય તે વ્યવહાર ભાષા જાણવી. (૨૧) અલ્પબદુત્વ : સૌથી થોડા સત્ય ભાષક, તેથી મિશ્ર ભાપક અસંખ્યાતગણા, તેથી અસત્ય ભાષક અસંખ્યાતગણા, તેથી વ્યવહાર ભાપક અસંખ્યાતગણા, તેથી અભાપક (સિદ્ધ તથા એકેન્દ્રિય) અનંત ગણા. ઇતિ ભાષાપદ સંપૂર્ણ Page #603 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૮૪. આયુષ્યના ૧૮૦૦ ભાંગા) શ્રી પન્નવણા સૂત્ર પદ દ પાંચ સ્થાવરમાં જીવાં નિરંતર ઉપજે અને એમાંથી નિરંતર નીકળે. ૧૯ દંડકમાં જીવો સાતર અને નિરંતર ઉપજે અને સાંતર તથા નિરતર નીકળ. સિદ્ધ ભગવાન સાતર અને નિરંતર ઉપજે પણ સિદ્ધમાંથી નીકળે નહિ. ૪ સ્થાવર સમય સમય અસંખ્યાતા જીવો ઉપજે અને અસંખ્યાતા ચવે. વનસ્પતિમાં સમય સમય અનંતા જીવો ઉપજે અને અનંતા ચવે. ૧૯ દંડકમાં સમય સમય ૧-૨-૩ યાવત સંખ્યાતા, અસંખ્યાતા, જીવો ઉપજે અને ચવે. સિદ્ધ ભગવાન ૧ ૨-૩ જાવ ૧૦૮ ઉપજે પણ ચવે નહિ. આયુષ્ય બંધ ક્યારે થાય ? નારકી, દેવતા અને જુગલિયા આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. શેષ જીવો બે પ્રકારે બાંધે. સૌપક્રમી અને નિરૂપક્રમી. નિરૂપક્રમી તો નિયમ ત્રીજા ભાગનું આયુષ્ય શેપ ર હતાં આયુષ્ય બાંધે અને સૌપક્રમી આયુષ્યના ત્રીજા, નવમા, સત્યાવીસમાં. એક્યાસીમા, ૨૪૩ માં ભાગમાં કે છેવટના અંતર્મુહૂર્તમાં પરભવનું આયુષ્ય બા.બાય કર્મ સાથે જ છે બોલ (જાતિ, ગતિ, સ્થિતિ, અવઘણા, પ્રદેશ અને અનુમા ! } : બંધ થાય છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના એકેક જીવ ઉપરના છ બોલોને બંધ કરે. (૨પ૪૬ = ૧૫૦) અમ જ ઘણા જીવો બંધ કરે. ૧૫૦+૧૫૦ = ૩૦૦ 300 નિદ્રત અને 30 નિકાચિત બંધ થાય, અમ ૬૦૦ ભાગા (પકાર) નામ કમ સાથ, ૬૦૦ ગોત્ર સાથે અને ૬૦૦ નામ ગોબના સાથે લગાડવાથી નાયબ કમના ૧૮૦૦ ભાંગા થાય. Page #604 -------------------------------------------------------------------------- ________________ સોપક્રમ – નિરૂપક્રમ જીવ જાતિ નિદ્ધત આયુષ્ય બાંધે છે. જેમ ગાય પાણી પીતાં ભયથી પાછું જૂએ, વળી પીએ, તમ જીવ જાતિ નિદ્રતાદિ આયુષ્યને જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ આઠ આકર્ષણા કરી બાંધે. તેનો અલ્પબદુત્વ – સૌથી થોડા જીવ ૮ આકર્ષણા કરનારા, તેથી ૭ આકર્ષણા કરનારા જીવો સંખ્યાતગણી, તેથી ૬ આકર્ષણા કરનારા સંખ્યાતગણી, તેથી ૫-૪–૩–૨ અને ૧ આકર્ષનારાથી આયુ બાંધનારા ક્રમશઃ સંખ્યાત સંખ્યાતગણી. જેમ જાતિ નામ નિતનો સમુચ્ચય જીવ અપેક્ષા અલ્પબહુ બતાવ્યો છે, તેમજ ગતિ આદિ ૬ બોલનો અલ્પબદુત્વ ૨૪ દંડક પર થાય. એમ ૧૫૦ નો અલ્પબહુત્વ યાવન ઉપરના ૧૮૦૦ ભાંગાનો અલ્પબદુત્વ કરી લેવો. ઇતિ આયુષ્યના ૧૮૦૦ ભાંગા. કોપ. સોપક્રમ – નિરૂપક્રમોનો શ્રી ભગવતી સૂત્ર શતક ર૦, ઉ. ૧૦ સોપક્રમ આયુષ્ય સાત કારણથી તૂટી શકે છે. ૧ અધ્યવસાય - અતિ હર્ષ, શોક કે ભયથી, ર નિમિત્ત – શસ્ત્ર, દડ આદિથી, ૩ આહાર – વધારે કે પ્રતિકૂળ આહારથી, ૪ વેદના -- જ્વર, રોગ આદિની પ્રાણનાશક પીડાથી, ૫ પરાઘાત -- વીજળી પડવી, ખાડામાં પડવું, વૃક્ષ કે મકાન પરથી પડવાથી, ૬ સ્પર્શ – સર્પ વિ. ઝેરી પ્રાણી કરડવાથી, ૭ શ્વાસોચ્છવાસના રૂંધાવાથી મરે. Page #605 -------------------------------------------------------------------------- ________________ પિ૮૬)]િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ નિરૂપક્રમ આયુષ્ય બાંધેલ પૂરું આયુષ્ય ભોગવે વચ્ચે તૂટે નહિ. જીવ સોપક્રમ અને નિરૂપક્રમ એ બન્ને આયુષ્યવાળા હોય છે. (૧) નારકી, દેવતા, જુગલ તિર્યંચ, જુગલ મનુષ્ય, તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ એમના આયુષ્ય નિરૂપક્રમી હોય છે. શેષ સર્વ જીવોના બન્ને પ્રકારે છે. (૨) નારકી સાપક્રમ (સ્વહસ્તે શસ્ત્રાદિથી) ઉપજે, પર ઉપક્રમથી કે વિના ઉપક્રમથી? ત્રણે પ્રકારથી. એટલે કે મનુષ્ય, તિયચપણે જીવે નર્કનું આયુષ્ય બાંધ્યું હોય તે મરતી વખતે પોતાના હાથે, બીજાના હાથે અથવા આયુષ્ય પૂર્ણ થયે મરે. એમ ૨૪ દંડક જાણવા. (૩) નારકી, નર્કથી નીકળે તે સ્વીપક્રમથી, પરોપક્રમથી કે વિના ઉપક્રમથી ? વિના ઉપક્રમથી. એવે દેવતાના ૧૩ દંડકમાં પણ વિના ઉપક્રમથી ચવે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય એ ૧૦ દંડકના જીવો ત્રણે ઉપક્રમથી ચવે. (૪) નારકી સ્વાત્મઋદ્ધિ (નરકા, આદિ) થી ઉત્પન્ન થાય કે પર ઋદ્ધિથી ઉત્પન્ન થાય ? સ્વઋદ્ધિથી અને નીકળે (ચ) પણ સ્વઋદ્ધિથી એવં શેષ ૨૩ દંડકમાં જાણવું. (૫) ૨૪ દંડકના જીવો સ્વપ્રયોગ (મન, વચન, કાય) થી ઉપજે અને નીકળે, પરપ્રયોગથી નહિ. (૬) ૨૪ દંડકના જીવો સ્વકર્મથી ઉપજે અને નીકળે () પરકર્મથી નહિ. ઇતિ સોપક્રમ નિરૂપક્રમ. Page #606 -------------------------------------------------------------------------- ________________ પિ૮૭ હિયમાણ – વદૃમાણ ૮િ૬. હિયમાણ – વઢમાણો : શ્રી ભગવતી સૂત્ર શતક ૫, ઉં. ૮ (૧) જીવ હિયમાન (ઘટવું) છે કે વર્ધમાન (વધવું) ? હિયમાન નથી કે વર્ધમાન નથી પણ અવસ્થિત (વધ–ઘટ) વિના જેમના તેમ રહે છે. () નેરિયા હિયમાન, વર્ધમાન અને અવસ્થિત પણ છે. એવું ૨૪ દંડક. સિદ્ધ ભગવાન વર્ધમાન અને અવસ્થિત છે. (૩) સમુચ્ચય જીવ અવસ્થિત રહે તો શાશ્વતા. નેરિયા હિયમાન, વર્ધમાન રહે તો જઘન્ય ૧ સમય, ઉ. આવલિકાને અસં. ભાગ અને અવસ્થિત રહે તો વિરહકાળથી બમણા. (જુઓ વિરહપદનો થોકડો). એવું ૧૯ દંડકમાં – અવસ્થિત કાળ વિરહકાળથી બમણો પણ પાંચ સ્થાવરમાં અવસ્થિત કાળ હિયમાનવત જાણવો. સિદ્ધોમાં વર્ધમાન જ. ૧ સમય, ઉ. ૮ સમય અને અવસ્થિત કાળ જ. ૧ સમય, ઉ. છ માસ. ઇતિ હિયમાણ વકમાણ. ૮િ૭. સોવીય સાવચય) શ્રી ભગવતી સૂત્ર શતક ૫, ૩. ૮ ૧. સોવીય * વૃદ્ધિ), ૨. સાવચય (હાનિ), ૩. સોરચય સાવચયા (વૃદ્ધિ, હાનિ) અને ૪ નિરૂવચય – નિરવચયા (હાનિ * [૧. સોવચય (ઉત્પત્તિ), ૨. સાવચય (મરણ), 3. સોવીય સાવચયા (ઉત્પત્તિ, મરણ) અને ૪ નિરૂવચય -- નિરવચયા (ઉત્પત્તિ નહિ કે મરણ નહિ . આવો પણ એક અર્થ કરવામાં આવે છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ TI પ૮ િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ નહિ કે વૃદ્ધિ નહિ). એ ૪ ભાંગા પરના પ્રશ્નોત્તર :– સમુચ્ચય જીવોમાં ચોથો ભાગ છે, શેષ 3 નથી. ૨૪ દંડકમાં ચારે ભાંગા લાભ (હોય), સિદ્ધમાં ભાંગા ર (સાવચય અને નિરૂવીય– નિરવીયા). સમુચ્ચય જીવમાં નિરૂવીય– નિરવીયા છે તે સર્વધે છે અને નારકીમાં નિરૂવીય– નિરવચયા સિવાયના ત્રણ ભાંગાની સ્થિતિ જ. ૧ સમયની ઉં. આવલિકાના અસં. ભાગની તથા નિરૂવીય– નિરવચયાની સ્થિતિ વિરહ તારવતું. એમ ૧૯ દંડકમાં જાણવું. સ્થાવરમાં નિરૂવચય- નિરવચય પણ જ. ૧ સમય, ઉ. આવલિકાને અસંખ્યાતમે ભાગ. સિદ્ધમાં સોવીય જ. ૧ સમય, ઉ. ૮ સમયની અને નિરૂવચ – નિરવચયાની જ. ૧ સમયની, ઉ. ૬ માસની સ્થિતિ જાણવી. નોંધ – પાંચ સ્થાવરમાં અવસ્થિત કાળ તથા નિરૂવીયનિરવચય કાળ આવલિકાને અસંખ્યાતમે ભાગ કહેલ છે તે પરકાયપેક્ષા છે. સ્વકાયનો વિરહ પડતા નથી. ઇતિ સોરચય સાવચય. . (૮૮. ક્રત સંચય) SS શ્રી ભગવતી સૂત્ર શતક ૨૦, ઉ. ૧૦ (૧) ક્રત સંચય – જે બીજી ગતિમાંથી આવીને એક સમયમાં એક સાથે બે જીવોથી સંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. (૨) અક્રત સંચય - જે એક સમયમાં અસંખ્યાતા, અનંતા જીવ ઉત્પન્ન થાય છે. Page #608 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય (જીવાજીવ). (3) અવકતવ્ય સંચય – એક સમયમાં એક જીવ ઉત્પન્ન થાય છે. ૭ નારકીનો ૧, ૧૦ ભવનપતિ, ૩ વિકલેન્દ્રિય, ૧ તિર્યંચ પંચેન્દ્રિય, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યોતિષી અને ૧ વૈમાનિક, એમ ૧૯ દંડકમાં ત્રણ પ્રકારના સંચય. પૃથ્વીકાય આદિ ૫ સ્થાવરમાં અક્રત સંચય હોય. શેષ બે સંચય ન હોય. કારણ સમય સમય અસંખ્ય જીવો ઉપજે છે. જો કોઈ સ્થાન પર ૧-૨૩ આદિ સંખ્યાતા કહ્યા હોય તો તે પર કાય અપેક્ષા સમજવા. સિદ્ધ ક્રત સંચય તથા અવક્તવ્ય સંચય છે, અક્રત સંચય નથી. અલ્પબદુત્વ : નારકીમાં સૌથી થોડા અવક્તવ્ય સંચય. તેથી કત સંચય સંખ્યાતગણી તેથી અકતસંચય અસંખ્યાતગણા. એમ ૧૯ દંડકનો અલ્પબદુત્વ સમજવો. પ સ્થાવરમાં એક જ બોલ હોવાથી અલ્પબદુત્વ નથી. સિદ્ધમાં સૌથી થોડા કતસંચય, તેથી અવક્તવ્ય સંચય સંખ્યાતગણા. ઇતિ ક્રત સંચય. ગ SSી ૮૯. દ્રવ્ય (જીવાજીવ) :) શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ૩. ૨ દ્રવ્ય બે પ્રકારના છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? અનંતા છે, કારણ કે જીવ અનંતા છે. અજીવ દ્રવ્ય સંખ્યાતા, અરાખ્યાતા કે અનંતા છે ? અનંતા છે. Page #609 -------------------------------------------------------------------------- ________________ પિ૯૦ ) શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ કારણ કે અજીવ દ્રવ્ય પાંચ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે, આકાશ અને પુદ્ગલના અનંત પ્રદેશો છે, અને કાળ વર્તમાન એક સમય છે. ભૂતભવિષ્યપેક્ષા અનંત સમય છે માટે અજીવ દ્રવ્ય અનંતા છે. ૫. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યના કામમાં આવે છે કે અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યના કામમાં આવે છે ? ઉ. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યના કામમાં નથી આવતા પણ અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યના કામમાં આવે છે કેમકે જીવો અજીવ દ્રવ્યને ગ્રહણ કરીને ૧૪ બોલ ઉત્પન્ન કરે છે. યથા ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ, ૫ કાર્મણ શરીર, ૬-૧૦. ૫ ઇન્દ્રિયો, ૧૧ મન, ૧૨ વચન, ૧૩ કાયા અને ૧૪ શ્વાસોચ્છવાસ. ૫. અજીવ દ્રવ્યને નારકીના નેરીયા કામ આવે કે નેરીયાને અજીવ દ્રવ્ય કામ આવે ? ઉ. અજીવ દ્રવ્ય ને નેરીયા કામ ન આવે પણ નેરીયાને અજીવ દ્રવ્ય કામ આવે. અજીવ ગ્રહીને ૧૨ બોલ ઉત્પન્ન કરે. (૧ શરીર, પ ઇન્દ્રિય, મન, વચન, કાયા અને શ્વાસોચ્છુવાસ). દેવતાના ૧૩ દંડકના પ્રશ્નોત્તર પણ નારકીવત્ ૧૨ બોલ ઉપજાવે. ચાર સ્થાવરના જીવો ૬ બોલ (૩ શરીર, સ્પર્શેન્દ્રિય, કાય અને શ્વાસોચ્છવાસ) ઉપજાવે. વાયુકાયના જીવો ૭ બોલ (ઉપરના ૬ માં એક વૈક્રિય ઉમેરી) ઉપજાવે. બેઇન્દ્રિય જીવો ૮ બોલ ઉપજાવે (૩ શરીર, ૨ ઇન્દ્રિય, ર યોગ, ૧ શ્વાસોચ્છવાસ). ઇન્દ્રિય જીવો ૯ બોલ ઉપજાવે (૩ શરીર, ૩ ઇન્દ્રિય, ૨ યોગ, ૧ શ્વાસોચ્છવાસ). ચોરેન્દ્રિય જીવો ૧૦ બોલ Page #610 -------------------------------------------------------------------------- ________________ ખેતાણુ વાઈ ઉપજાવે (૩ શરીર, ૪ ઇન્દ્રિય, ર યોગ, ૧ શ્વાસોચ્છવાસ). તિર્યંચા પંચેન્દ્રિય જીવો ૧૩ બોલ ઉપજાવે (૪ શરીર, ૫ ઇન્દ્રિય, ૩ યોગ, ૧ શ્વાસોચ્છવાસ). મનુષ્ય પૂરેપૂરા ૧૪ બોલ ઉપજાવે. લોક અસંખ્યાત પ્રદેશી હોવા છતાં તેમાં અનંત જીવ અને અજીવ દ્રવ્ય કૂટાગારશાળા તથા પ્રકાશનાં દૃષ્ટાંતથી સમાયાં છે. * ઇતિ દ્રવ્ય – જીવાજીવ. જ છa E3 8 SS SS SS SS Sજ SS S (૯૦. સંસ્થાન (સંડાણ) દ્વાર) શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ઉ. ૩ સંસ્થાન એટલે આકૃતિ. તેના બે ભેદ : જીવ સંસ્થાન અને અજીવ સંસ્થાન. જીવ સંસ્થાનના ૬ ભેદ સમચરિંસ, સાદિ, નિગ્રોધ પરિમંડળ, વામન, કુ% અને હુંડ સંસ્થાન. અજીવ સંસ્થાનના ૬ ભેદ : પરિમંડળ (ચૂડી આકારે ગોળ), વટ્ટ (લાડવા જેવું ગોળ), ત્રેસ (ત્રિકોણ), ચૌરંસ (ચોરસ), આયત (લાકડી જેમ લાંબુ), અનવસ્થિત (એ પાંચથી ભિન્ન). પરિમંડળ આદિ છે એ સંઠાણોના દ્રવ્ય અનંતા છે. સંખ્યાતા કે અસંખ્યાતા નથી. એ છે એ સંડાણોના પ્રદેશ પણ અનંતા છે. સંખ્યાતા અસંખ્યાતા નથી. * છ સંડાણોનો વ્યાપેક્ષા અલ્પબદુત્વ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ સૌથી થોડા રિમંડળ સંઠાણના દ્રવ્ય, તેથી વટ્ટના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી ચૌરંસના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી વંસના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી આયતના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી અનવસ્થિતના દ્રવ્ય અસંખ્યાતગણા. પ્રદેશાપેક્ષા અલ્પબહુત્વ પણ દ્રવ્યાપેક્ષાવત્ જાણવો. દ્રવ્ય – પ્રદેશાપેક્ષા ભેળો અલ્પબહુત્વ સૌથી થોડા રિમંડળ દ્રવ્ય. તેથી વટ્ટ દ્રવ્ય સંખ્યાતગણા, તેથી ચૌરંસના દ્રવ્ય સંખ્યાતગણા, તથી ત્રંસના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી આયતના દ્રવ્ય સંખ્યાતગણા, તેથી અનવસ્થિતના દ્રવ્ય અસંખ્યાતગણા, તેથી પરિમંડળ પ્રદેશ અસં. ગણા, તેથી વઢ્ઢ પ્રદેશ સંખ્યાતગણા, તેથી ચૌરંસના પ્રદેશ સંખ્યાતગણા, તેથી વંસના પ્રદેશ સંખ્યાતગણા, તેથી આયત પ્રદેશ સંખ્યાતગણા, તેથી અનવસ્થિતના પ્રદેશ અસંખ્યાતગણા. ઇતિ સંસ્થાન (સંઠાણ) દ્વાર. 图图图图图图图图 ૯૧. સંસ્થાનના ભાંગા શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ૩. ૩ સંસ્થાન ૫ પ્રકારના છે : પરિમંડળ, વટ, વંસ, ચોરસ અને આયત. એ પાંચે સંઠાણ સંખ્યાતા, અસંખ્યાતા નહિ પણ અનંતા અનંતા છે. ” નારકી, ૧૨ દેવલોક, ૯ ચૈવેયક, ૫ અનુત્તર વિમાની ૧ સિદ્ધશિલા અને ૧ પૃથ્વી એ ૩૫ સ્થાનમાં પાંચ પ્રકારના અનંતા Page #612 -------------------------------------------------------------------------- ________________ ખેતાણુ વાઈ અનંતા સંસ્થાન છે. એમ ૩પ૪૫ = ૧૭પ ભાંગા થયા. - એક જવમણે પરિમંડળ સંસ્થાનમાં બીજા પરિમંડળ સંસ્થાન અનંતા છે. એવું યાવત્ આયત સંસ્થાન સુધી અનંત અનંત કહેવા. એવી જ રીતે એક યવ મધ્ય પરિમંડળની જેમ બીજા ૪ સંસ્થાનોની વ્યાખ્યા કરવી. એક સંસ્થાનમાં બીજા પાંચ સંસ્થાન અનંતા છે. માટે દરેકના પ૪૫ = ૨૫ બોલ એ ઉક્ત ૩પ સ્થાનોમાં હોય એટલે ૩૫૪૨૫ = ૮૭પ અને ૧૭૫ પહેલાના મળી કુલ ૧૦૫૦ ભાંગા થાય. ઇતિ સંસ્થાનના ભાગા. (૯૨. ખેતાણવાઈ] શ્રી પન્નવણા સૂત્ર પદ ૩ ત્રણ લોકના અહીં છ ભેદ કરીને દરેક ભાગમાં કોણ રહે છે તે બતાવે છે. (૧) ઉર્ધ્વલોકમાં (જ્યોતિષી દેવોના ઉપલા તળાથી ઉપર) ૧૨ દેવલોક, ૩ કિલ્વિષી, ૯ લોકાંતિક, ૯ વૈવેયક, ૫ અનુત્તર વિમાન, એ ૩૮ દેવના પર્યાપ્તા, અપર્યાપ્તા (૭૬ દેવ.) તથા મેરૂની વાવડી અપેક્ષા બાદ તેઉના પર્યાપ્તા, અપર્યાપ્તા સિવાય ૪૬ જાતના તિર્યંચ હોય, એમ ૭૬ + ૪૬ = ૧૨૨ ભેદના જીવો છે. (૨) અધોલોકમાં : (મેરૂની સમભૂમિથી ૯00 યોજન નીચે તિથ્ય લોક છે તેથી નીચે) જીવના ભેદ ૧૧૫ છે. ૭ નારકીના ૧૪ Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૯૪ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ભેદ, ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી એ ૨૫ના અપર્યાને પર્યા. ૫૦ દેવના ભેદ. સલીલાવતી વિજય અપેક્ષા (મહાવિદેહના અપર્યાને પર્યા. ને સંમ્. મનુ એમ) ૩ મનુષ્ય અને ૪૮ તિર્યંચના ભેદ મળી ૧૪+૫૦+૩+૪૮ = ૧૧૫ ભેદ છે. (૩) તિચ્છલોકમાં : (૧૮૮O યોજન) ૩૦૩ મનુષ્ય, ૪૮ તિર્યંચ, ૭૨ દેવ (૧૬ વ્યંતર, ૧૦ જૈભકા, ૧૦ જ્યોતિષી એ ૩૬ ના અપ. ને પર્યા.) કુલ ૪૨૩ જીવોના ભેદ છે. (૪) ઉર્ધ્વ – તિસ્કૃલોકમાં: (જ્યોતિષીના ઉપલા તળાના ૧ પ્રદેશ પ્રતરથી અને ઉર્ધ્વલોકની નીચેના ૧ પ્રદેશ પ્રતરની વચ્ચે) દેવો ગમનાગમન વખતે અને જીવો ચવીને ઉર્વલોકમાં કે તીર્જીલોકમાં જતાં ગમનાગમન વખતે સ્પર્શે છે. (૫) અધો – તિર્જીલોકમાં : બન્ને પ્રતરોને, ચવીને જતાં આવતાં જીવો સ્પર્શ છે. (૬) ત્રણે લોકને દેવતા, દેવી કે મારણાંતિક સમુદ્યાત કરતા જીવો એક સાથે સ્પર્શ કરે. ૨૪ દંડકના જીવો ઉપરોક્ત ૬ લોકમાં ક્યાં ન્યૂનાધિક છે ? તેનો અલ્પબદુત્વઃ ૨૦ બોલ (સમુચ્ચય એકેન્દ્રિય, પ સ્થાવર એ ૬ સમુચ્ચય, ૬ પર્યાપ્તા, ૬ અપર્યાપ્તા, ૧ સમુચ્ચય જીવ અને ૧ સમુચ્ચય તિર્યંચ) નો અલ્પબદુત્વ : સૌથી થોડા ઉર્ધ્વ – તિર્જીલોકમાં, તેથી અધોતિર્જીલોકમાં વિશેષ. તેથી તિષ્ણુ લોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણે લોકમાં અસંખ્યાતગણી, તેથી ઉર્વલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં વિશેષ. Page #614 -------------------------------------------------------------------------- ________________ ખેતાણુવાઈ ૫૯૫ ૩ બોલ ના૨કીના (સમુચ્ચય ના૨કી, પર્યાપ્તા અને અપર્યાપ્તા) અલ્પબહુ : સૌથી થોડા ત્રણે લોકમાં, અધો તિÁલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં અસંખ્યાતગણા. ૬ બોલ ભવનપતિના (સમુચ્ચય, પર્યાપ્તા અને અપર્યાપ્તા અને ૩ દેવીના) સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિń લોકમાં અસંખ્યાત ગણા, તેથી ત્રણે લોકમાં સંખ્યાતગણા, તેથી અધો તિń લોકમાં અસંખ્યાત ગણા, તેથી તિÁ લોકમાં અસંખ્યાત ગણા, તેથી અધો લોકમાં અસંખ્યાતગણા (દેવ અને દેવી બન્નેનો આ પ્રમાણે સમજવો). ૪ બોલ (તિર્યંચાણી, સમુચ્ચય દેવ, સમુ. દેવી, પંચેન્દ્રિયના પર્યા.) નો અલ્પબહુત્વઃ સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિńલોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણે લોકમાં સંખ્યાતગણા, તેથી અધો તિÁલોકમાં સંખ્યાત ગણા, તેથી અધોલોકમાં સંખ્યાતગણા, તેથી તિńલોકમાં ૩ બોલ સંખ્યાત ગણા અને પંચેન્દ્રિયના પર્યાપ્તા અસંખ્યાતગણા. ૬ બોલ મનુષ્યના (સમુ. મનુ, પર્યા., અપ., અને ૩ મનુષ્યાણીના) તેનો અલ્પબહુત્વ : સૌથી થોડા ત્રણે લોકમાં, તેથી ઉર્ધ્વ તિńલોકમાં મનુષ્ય અસંખ્યાતગણા, તેથી અધો તિńલોકમાં સંખ્યાતગણા, તેથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણા, તેથી અધોલોકમાં સંખ્યાતગણા, તેથી તિńલોકમાં સંખ્યાતગણા. મનુષ્યાણીનો અલ્પબહુત્વ ઃ મનુષ્ય પ્રમાણે જાણવો. ફ૨ક માત્ર ઉર્ધ્વ તિńલોકમાં મનુષ્યાણી સંખ્યાતગુણી જાણવી. ૬ બોલ અંત૨ના (સમુ. વ્યંતર દેવ, પર્યા., અપ., તથા ૩ દેવીના) તેનો અલ્પબહુત્વ : સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિń લોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગણા, તેથી અધો Page #615 -------------------------------------------------------------------------- ________________ પ૯૬0િ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ તિચ્છલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં સંખ્યાત ગણા, તેથી તિસ્કૃલોકમાં સંખ્યાતગણા. ૬ બોલ જ્યોતિષીના (૩ દેવના, ૩ દેવીના ઉપરવત) તેનો અલ્પબદુત્વઃ સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિલોકમાં અસં. ગણા, તેથી ત્રણે લોકમાં સંખ્યાતગણા, તેથી અધો તિસ્કૃલોકમાં અસં. ગણા, તેથી અધોલોકમાં સંખ્યાત ગણા, તેથી તિસ્તૃલોકમાં અસંખ્યાતગણા. ૬ બોલ વૈમાનિકના (૩ દેવના, ૩ દેવીના ઉપરવતુ) તેનો અલ્પબદુત્વ : સૌથી થોડા ઉર્ધ્વ તિર્જીલોકમાં, તેથી ત્રણેલોકમાં સંખ્યાતગણા, તેથી અધો ડિસ્કૃલોકમાં સંખ્યાતગણા, તેથી અધોલોકમાં સંખ્યાતગણા, તેથી તિસ્કૃલોકમાં સંખ્યાતગણા, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણા. - ૬ બોલ ત્રણ વિકલેન્દ્રિયના (૩ પર્યાપ્તા, ૩ અપર્યાપ્તા) તેનો અલ્પબદુત્વ : સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિર્થ્યલોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગણા, તેથી અધો તિચ્છ લોકમાં અસંખ્યાતગણી, તેથી અધોલોકમાં સંખ્યાતગણા, તેથી તિસ્કૃલોકમાં સંખ્યાતગણા. ૫ બોલ (સમુ. પંચે, સમુ. અપર્યા., સમુ. ત્રસ, ત્રસના પર્યા અને અપ.) તેનો અલ્પબહુત્વ સૌથી થોડા ત્રણે લોકમાં, તેથી ઉર્ધ્વ તિર્જીલોકમાં સંખ્યાલગણા, તેથી અધો તિøલોકમાં સંખ્યાતગણા, તેથી ઉર્વલોકમાં સંખ્યાતગણા, તેથી અધોલોકમાં સંખ્યાતગણી, તેથી તિષ્કૃલોકમાં અસંખ્યાતગણા. * પુગલના ક્ષેત્રાપેક્ષા અલ્પબદુત્વ સૌથી થોડા ત્રણે લોકમાં, તેથી ઉર્ધ્વ તિર્જીલોકમાં અનંતગણા, Page #616 -------------------------------------------------------------------------- ________________ ખેતાણ વાઈ તેથી અધો તિચ્છલોકમાં વિશેષ, તેથી તિસ્કૃલોકમાં અસંખ્યાતગણા, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં વિશેષ.. દ્રવ્યનો ક્ષેત્રાપેક્ષા અલ્પબદુત્વ સૌથી થોડા ત્રણ લોકમાં, તેથી ઉર્ધ્વ તિર્જીલોકમાં અનંતગણા, તેથી અધો તિÚલોકમાં વિશેષ, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં અનંતગણા, તેથી તિરસ્કૃલોકમાં સંખ્યાતગણ. પુગલનો દિશાપેક્ષા અલ્પબદુત્વ સૌથી થોડા ઉર્ધ્વ દિશામાં, તેથી અધો દિશામાં વિશેષ, તેથી ઇશાનનૈઋત્ય કોણમાં અસંખ્યાતગણી, તેથી અગ્નિવાયવ્યકોણમાં વિશેષ, તેથી પૂર્વ દિશામાં અસંખ્યાતગણા, તેથી પશ્ચિમ દિશામાં વિશેષ, તેથી દક્ષિણ દિશામાં વિશેષ, અને તેથી ઉત્તર દિશામાં વિશેષ પુદ્ગલ જાણવા. દ્રવ્યનો દિશાપેક્ષા અલ્પબદુત્વ સૌથી થોડા દ્રવ્ય અધોદિશામાં, તેથી ઉર્ધ્વ દિશામાં અનંતગણ, તેથી ઇશાનનૈઋત્ય કોણમાં અનંતગણા, તેથી અગ્નિવાયુ કોણમાં વિશેષ, તેથી પૂર્વ દિશામાં અસંખ્યાતગણા, તેથી પશ્ચિમ દિશામાં વિશેષ, તેથી દક્ષિણ દિશામાં વિશેષ, તેથી ઉત્તર દિશામાં વિશેષ. ઈતિ ખેતાણવાઈ. |ોંધ : - - - - - - Page #617 -------------------------------------------------------------------------- ________________ પ૯૮૩ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૯૩. અવઘણાનો અલ્પબદુત્વ : : : : : : : : : શ્રી ભગવતી સૂત્ર શતક ૧૯, ઉ. ૩ ૧ સૌથી થોડી સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની જઘન્ય અવઘણા તેથી, ૨ સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્તાની જઘન્ય અવઘણા અસંખ્યાતગણી તેથી, ૩ સૂક્ષ્મ તેઉકાયના " ૪ સૂક્ષ્મ અપકાયના " સૂક્ષ્મ પૃથ્વીકાયના " બાદર વાયુકાયના " ૭ બાદ તેઉકાયના " ૮ બાદર અપકાયના " ૯ બાદર પૃથ્વીકાયના " ૧૦ બાદર નિગોદના " ૧૧ પ્રત્યેક શરીરી બાદર વન. અપર્યા. " ૧૨ સૂક્ષ્મ નિગોદના પર્યાપ્તાની ૧૩ સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ વિશેષ ૧૪ સૂક્ષ્મ નિગોદના પર્યાપ્તાની " ૧૫ સૂક્ષ્મ વાયુકાયના " જઘન્ય " અસંખ્યાતગણી ૧૬ સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ " વિશેષ ૧૭ સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્તાની " ૧૮ સૂક્ષ્મ તેઉકાયના પર્યાપ્તાની જઘન્ય " અસંખ્યાતગણી ૧૯ સૂક્ષ્મ તેઉકાયના અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ " વિશેષ ૨૦ સૂક્ષ્મ તેઉકાયના પર્યાપ્તાની " . " , ૨૧ સૂક્ષ્મ અપકાયના પર્યાયાની જઘન્ય " અસંખ્યાતગણી ૨૨ સૂક્ષ્મ અપકાયના અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ " વિશેષ ૨૩ સૂક્ષ્મ અપકાયના પર્યાપ્તાની ઉત્કૃષ્ટ : : Page #618 -------------------------------------------------------------------------- ________________ અવઘણાનો અલ્પબદુત્વ ૨૪ સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાયાની જઘન્ય અવઘણા અસંખ્યાતગણી તેથી ૨૫ સૂક્ષ્મ પૃથ્વીકાયના અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ " વિશેષ ૨૬ સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાયાની ઉત્કૃષ્ટ " ૨૭ બાદર વાયુકાયના અપર્યાપ્તાની જઘન્ય " અસંખ્યાતગણી ૨૮ બાદર વાયુકાયના અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ " વિશેષ ૨૯ બાદર વાયુકાયના પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ૩૦ બાદર તેઉકાયના પર્યાપ્તાની જઘન્ય " અસંખ્યાગણી ૩૧ બાદ તેઉકાયના અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ ૩૨ બાદર તેઉકાયના પર્યાયાની ઉત્કૃષ્ટ ૩૩ બાદ ૨ અપકાયના પર્યાપ્તાની જઘન્ય " અસંખ્યાતગણી ૩૪ બાદર અપકાયના અપર્યાતાની ઉત્કૃષ્ટ " વિશેષ ૩પ બાદ૨ અપકાયના પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ૩૬ બાદર પૃથ્વીકાયના પર્યાપ્તાની જઘન્ય " અસંખ્યાતગણી ૩૭ બાદર પૃથ્વીકાયના અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ " વિશેષ ૩૮ બાદર પૃથ્વીકાયના પર્યાયાની ઉત્કૃષ્ટ ૩૯ બાદ૨ નિગોદના પર્યાપ્તાની જઘન્ય " અસંખ્યાતગણી ૪૦ બાદર નિગોદના અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ " વિશેષ ૪૧ બાદર નિગોદના પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ૪૨ પ્રત્યેક શરીરી બાદર વન, પર્યાપ્તાની જઘ. " અસંખ્યાતગણી ૪૩ પ્રત્યેક શરીરી બાદર વન. અપર્યાપ્તાની ઉ. " અસંખ્યાતગણી ૪૪ પ્રત્યેક શરીરી બાદર વન. પર્યાપ્તાની છે. " અસંખ્યાતગણી ઇતિ અવઘણાનો અલ્પબદુત્વ. નોંધ : Page #619 -------------------------------------------------------------------------- ________________ : ૬૦૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૯૪. ૨૨મ પદ શ્રી પક્ષવણા સૂત્ર પદ ૧૦ ૨૨મની અપેક્ષા અચ૨મ છે અને અચ૨મની અપેક્ષા ચ૨મ છે. આમાં ઓછામાં ઓછા બે પદાર્થ હોવા જોઈએ. નીચે રત્નપ્રભાદિ એકેક પદાર્થનો પ્રશ્ન છે. ઉત્તરમાં અપેક્ષાથી નાસ્તિ છે. બીજી અપેક્ષાથી અસ્તિ છે. એને જ સ્યાદ્વાદ ધર્મ કહે છે. પૃથ્વી ૮ પ્રકા૨ની છે. ૭ નારકી અને ઇશપ્રાગ્બારા (સિદ્ઘશિલા). પ્રશ્ન રત્નપ્રભા શું (૧) ચરમ છે ? (૨) અચરમ છે ? (૩) ઘણા ચ૨મ છે ? (૪) ઘણા અચ૨મ છે ? (૫) ચ૨મ પ્રદેશ છે ? (૬) અચ૨મ પ્રદેશ છે ? ઉત્ત૨ – રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાપેક્ષા એક છે. માટે ચ૨માદિ ૬ બોલ ન હોય. બીજી અપેક્ષા રત્નપ્રભાના મધ્યભાગ અને અંતભાગ એવા બે ભાગ ક૨ીને જવાબ આપીયે તો ૨૨મ પદનું અસ્તિત્વ છે. જેમ કે રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાપેક્ષા (૧) ચ૨મ છે, કેમકે, મધ્ય ભાગની અપેક્ષા બહા૨નો (અંત) ભાગ ૨૨મ છે. (૨) અચ૨મ છે, કેમકે, અંત ભાગની અપેક્ષા મધ્ય ભાગ અચ૨મ છે. ક્ષેત્રાપેક્ષા (૩) ૨૨મ પ્રદેશ છે. કેમકે મધ્ય પ્રદેશાપેક્ષા અંત પ્રદેશ ચ૨મ છે. અને (૪) અચ૨મ પ્રદેશ છે. કેમકે, અંત પ્રદેશાપેક્ષા મધ્યના પ્રદેશ અચ૨મ છે. રત્નપ્રભાની જેમ જ નીચેના ૩૬ બોલને ચાર ચાર બોલ લગાડી શકાય. ૭ નારકી, ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર વિમાન, ૧. સિદ્ધશિલા, ૧ લોક અને ૧ અલોક એમ ૩૬×૪ ૧૪૪ બોલ થાય છે. એ ૩૬ બોલાનો ચરમ પ્રદેશમાં તારતમ્યતા છે. તેનો અલ્પબહુત્વ. = Page #620 -------------------------------------------------------------------------- ________________ ીિ દo] ચરમ પદ રત્નપ્રભાના ચરાચરમ દ્રવ્યનો અલ્પબદુત્વ : સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્યાતગણી, તેથી ચામાચરમ દ્રવ્ય વિશેષ. રત્નપ્રભાના ચરમાગરમ પ્રદેશનો અલ્પબદુત્વ સૌથી થોડા ચરમ પ્રદેશ, તેથી અચરમ પ્રદેશ અસંખ્યાતગણા, તેથી ચરમાગરમ પ્રદેશ વિશેષ. દ્રવ્ય અને પ્રદેશોનો સાથે અલ્પબદુત્વ : સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્યગુણા, તેથી ચરમાગરમ દ્રવ્ય વિશેષ, તેથી ચરમ પ્રદેશ અનંતગણા, તેથી અચરમ પ્રદેશ અસંખ્ય ગણા, તેથી ચરમા ચરમ પ્રદેશ વિશેષ, એજ રીતે લોક સિવાયના ૩પ બોલોનો અલ્પબહુત્વ જાણવો. અલોકમાં દ્રવ્યનો અલ્પબદુત્વ : સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્ય ગણા, તેથી ગરમાગરમ દ્રવ્ય વિશેષ. પ્રદેશનો અલ્પબદુત્વ : સૌથી થોડા ચરમ પ્રદેશ, તેથી અચરમ પ્રદેશ અનંતગણા, તેથી ચરમાગરમ દ્રવ્ય વિશેષ. દ્રવ્ય પ્રદેશનો ભેગો અલ્પબદુત્વ: સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્ય ગણા, તેથી ચરાચરમ દ્રવ્ય વિશેષ, તેથી ચરમ પ્રદેશ અસંખ્યાત ગણા, તેથી અચરમ પ્રદેશ અનંતગણા, તેથી ચરમાગરમ પ્રદેશ વિશેષ. તે લોકાલોકમાં ચરાચરમ દ્રવ્યનો અલ્પબદુત્વ : સૌથી થોડા લોકાલોકના ચરમ દ્રવ્ય, તેથી લોકના ચરમ દ્રવ્ય અસં. ગણા, તેથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકાલોકના ચરમાગરમ દ્રવ્ય વિશેષ. લોકાલોકમાં ચરમાગરમ પ્રદેશનો અલ્પબદુત્વ : સૌથી થોડા લોકના ચરમ પ્રદેશ, તેથી અલોકના ચરમ પ્રદેશ વિશેષાધિક, તેથી Page #621 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ લોકના અચરમ પ્રદેશ અસંખ્યાતગણી, તેથી અલોકના અચરમ પ્રદેશ અનંતગણા, તેથી લોકાલોકના ચરાચરમ પ્રદેશ વિશેષ. લોકાલોકમાં દ્રવ્યપ્રદેશ ચામાચરમનો અલ્પબદુત્વ : સૌથી થોડા લોકાલોકના ચરમ દ્રવ્ય, તેથી લોકના ચરમ દ્રવ્ય અસંખ્યાતગણા, તેથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકાલોકના ચરમાગરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકના ચરમ પ્રદેશ અસંખ્યાતગણા, તેથી અલોકના ચરમ પ્રદેશ વિશેષ, તેથી લોકના અચરમ પ્રદેશ અસંખ્યાત ગણા, તેથી અલોકના અચરમ પ્રદેશ અનંતગણા, તેથી લોકાલોકના ચરમાગરમ પ્રદેશ વિશેષ. એ ૯ બોલ અને સર્વ દ્રવ્ય, પ્રદેશ અને પર્યાય, ૧૨ બોલનો અલ્પબદુત્વઃ સૌથી થોડા લોકાલોકના ચરમ દ્રવ્ય, તેથી લોકના ચરમ દ્રવ્ય અસં. ગણા, તેથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકાલોકના ચરમાગરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકના ચરમ પ્રદેશ અસંખ્યાત ગણા, તેથી અલોકના ચરમ પ્રદેશ વિશેષ, તેથી લોકના અચરમ પ્રદેશ અસંખ્યાતગણા, તેથી અલોકના અચરમ પ્રદેશ અનંતગણા, તેથી લોકાલોકના ચરમાગરમ પ્રદેશ વિશેષ, તેથી સર્વ દ્રવ્ય વિશેષ, તેથી સર્વ પ્રદેશ અનંતગણા, તેથી સર્વ પર્યાય અનંતગણી. ઇતિ ચરમ પદ. SS S « S S ૩ ૩ % Page #622 -------------------------------------------------------------------------- ________________ ચ૨માચ૨મ દિ ૯૫. ચરાચરમોદ શ્રી પન્નવણા સૂત્ર પદ ૧૦ દ્વાર ૧૧ઃ (૧) ગતિ, (૨) સ્થિતિ, (૩) ભવ, (૪) ભાષા, (૫) શ્વાસોથ્વાસ, (૬) આહાર, (૭) ભાવ, (૮) વર્ણ, (૯) ગંધ, (૧૦) રસ, (૧૧) સ્પર્શ દ્વાર. ૧. ગતિ દ્વાર : ગતિ અપેક્ષા જીવ ચરમ પણ છે અને અચરમ પણ છે. તે જ ભવે મોક્ષ જવું છે તે ગતિચરમ અને હજી ભવ બાકી છે તે અચરમ. એક જીવ અપેક્ષા અને ૨૪ દંડક અપેક્ષાએ ઉપર મુજબ જાણવું. ઘણા તથા ૨૪ દંડકના ઘણા જીવ અપેક્ષાએ પણ ચરમ અચરમ ઉપર મુજબ જાણવા. ૨. સ્થિતિ દ્વાર : સ્થિતિ અપેક્ષા એકેક જીવ, ઘણા જીવ, ૨૪ દંડકના એકેક જીવ અને ૨૪ દંડકના ઘણા જીવ સાત ચરમ સ્માત અચરમ છે. ૩. ભવ દ્વારઃ એજ રીતે એકેક અને ઘણા જીવ અપેક્ષા સમુચ્ચય જીવ અને ૨૪ દંડક ભવ અપેક્ષા સ્યાત્ ચરમ છે, સ્યાત અચરમ છે. ૪. ભાષા દ્વાર : ભાષા અપેક્ષા ૧૯ દંડક (પ સ્થાવર સિવાયના) એકેક અને ઘણા જીવ ચરમ પણ છે અને અચરમ પણ છે. ૫. શ્વાસોશ્વાસ દ્વાર : શ્વાસોશ્વાસ અપેક્ષા બધા ચરમ પણ છે અચરમ પણ છે. ૬. આહાર દ્વાર : આહાર અપેક્ષા યથાવત્ ૨૪ દંડકના જીવો ચરમ પણ છે અચરમ પણ છે. ૭. ભાવ દ્વાર : (ઔદયિક ભાવ આદિ) અપેક્ષા યાવત્ ૨૪ દંડકના જીવો ચરમ પણ છે અચરમ પણ છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ |૬૦૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૮ થી ૧૧ વર્ષ, ગંધ, ૨સ, સ્પર્શ : તેના ૨૦ બોલ અપેક્ષા યાવત્ ૨૪ દંડકના એકેક અને ઘણા જીવો ચ૨મ પણ છે અચરમ પણ છે. ઇતિ ૨૨માચ૨મ. 全國國小陶服的小内内务 ૯૬. જીવ પરિણામ પદ શ્રી પક્ષવણા સૂત્ર પદ ૧૩ જે પરિણતિપણે પરિણમે તે પરિણામ છે. જેમ જીવ સ્વભાવે નિર્મળ, સચ્ચિદાનંદ રૂપ છે. તથાપિ ૫૨ પ્રયોગથી કષાયમાં પરિણમીને કષાયી કહેવાય છે. ઇત્યાદિ પરિણામ બે પ્રકારના છે. જીવ પરિણામ, અજીવ પરિણામ. જીવ પરિણામ : ૧૦ પ્રકા૨ના છે. ગતિ, ઇંદ્રિય, કષાય, લેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેદ પરિણામ. તેનો વિસ્તા૨ઃ ગતિના ૪, ઇંદ્રિયના ૫, કષાયના ૪, લેશ્યાના ૬, યોગના ૩, ઉપયોગના ૨ (સાકા૨–જ્ઞાન, નિરાકાર-દર્શન), જ્ઞાનના ૮ (૫ જ્ઞાન, ૩ અજ્ઞાન), દર્શનના ૩ (સમ., મિથ્યા., મિશ્ર દૃષ્ટિ), ચારિત્રના ૭ (૫ ચારિત્ર, ૧ દેશ વ્રત અને ૧ અવ્રત), વેદ (સ્ત્રી, પુરૂષ, નપુંસક)ના ૩, એમ કુલ ૪૫ બોલ છે અને સમુચ્ચય જીવમાં (૧) અનિન્દ્રિય, (૨) અકષાય, (૩) અલેશી, (૪) અયોગી, (૫) અવેદી એ પાંચ બોલ મેળવવાથી ૫૦ બોલ થાય છે. Page #624 -------------------------------------------------------------------------- ________________ જીવ પરિણામ પદ ૯િ૦૫ સમુચ્ચય જીવ એ પ0 બોલપણે છે માટે એ અતિ ભાવપણે છે હવે તેને ૨૪ દંડક પર ઊતારે છે. (૭) સાત નારકીના દંડકમાં ૨૯ બોલ લાભ. ૧ નર્ક ગતિ, ૫ ઇંદ્રિય, ૪ કષાય, ૩ લેશ્યા, ૩ યોગ, ૨ ઉપયોગ, ૬ જ્ઞાન (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન), ૩ દર્શન, ૧ અસંયમ ચારિત્ર, ૧ વેદ (નપુંસક), એવં ૨૯ બોલ. (૧૧) ૧૦ ભવનપતિ, ૧ વ્યંતર એમ ૧૧ દંડકમાં બોલ ૩૧ લાભે. ઉપરના ૨૯ માં ૧ સ્ત્રીવેદ અને ૧ તેજુ વેશ્યા વધારવી (નપુંસક વેદની જગ્યાએ પુરૂષવેદ ગણવો). (૧૨) જ્યોતિષી અને ૧-૨ દેવલોકમાં ૨૮ બોલ. ઉપરમાંથી ૩ અશુભ લેશ્યા ઘટાડવી. (૩) ૩ જાથી પ મા દેવલોક સુધી ૨૭ બોલ. ઉપરમાંથી સ્ત્રીવેદ ઘટાડવો તથા વેશ્યા ૧ પદ્મ છઠ્ઠા દેવલોકથી નવ રૈવેયક સુધી ૨૭ બોલ. (ઉપર પ્રમાણે વેશ્યા ૧ શુક્લ ગણવી.) પાંચ અનુત્તર વિમાનમાં ૨૫ બોલ, ૨ દૃષ્ટિ ને ૩ અજ્ઞાન ઘટાડવા. (૩) પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ૧૮ બોલ. ૧ ગતિ, ૧ ઇંદ્રિય, ૪ કષાય, ૪ વેશ્યા, ૧ યોગ, ર ઉપયોગ, ર અજ્ઞાન, ૧દર્શન, ૧ ચારિત્ર, ૧ વેદ એવં ૧૮. (૨) તેઉ વાઉમાં ૧૮ બોલ. ઉપરમાંથી ૧ તેજો વેશ્યા ઘટાડવી. (૧) બેઇન્દ્રિયમાં ૨૩ બોલ. ઉપરના ૧૮ માં ૧ રસેંદ્રિય, ૧ વચનયોગ, ૨ જ્ઞાન, ૧ દૃષ્ટિ એમ પ ઉમેરવાથી ર૩ થાય. (૧) તે ઇન્દ્રિયમાં ર૪ બોલ. ઉપરના ૨૩માં ૧ ઘાણેન્દ્રિય ઉમેરવી. (૧) ચૌરેન્દ્રિયમાં ૨૫ બોલ. ઉપરના ૨૪માં ચક્ષુ ઇન્દ્રિય ઉમેરવી. (૧) તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩૫ બોલ. ૧ ગતિ, પ ઇદ્રિય, ૪ કષાય, Page #625 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૬ લેશ્યા, ૩ યોગ, ૨ ઉપયોગ, ૬ જ્ઞાન, ૩ દૃષ્ટિ, ૨ ચારિત્ર, ૩ વેદ. એવં ૩૫ બોલ. (૧) મનુષ્યમાં ૪૭ બોલ. ૫૦ માંથી ૩ ગતિ ઓછી ક૨વી. ઇતિ જીવ પરિણામ પદ. 園内的小内内 ૯૭. અજીવ પરિણામ પદ શ્રી પક્ષવણા સૂત્ર પદ ૧૩ અજીવ = પુદ્ગલનો સ્વભાવ પણ પરિણમનનો છે. તેના પરિણામના ૧૦ ભેદ છે. (૧) બંધન પરિણામ, (૨) ગતિ, (૩) સંસ્થાન, (૪) ભેદ, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) ૨સ, (૮) સ્પર્શ, (૯) અનુરૂલઘુ, (૧૦) શબ્દ પરિણામ. ૧. બંધન પરિણામ ઃ સમગુણ સ્નિગ્ધનું (ચીકણા) સમગુણ સ્નિગ્ધ સાથે બંધન ન થાય. (જેમ ઘી થી ઘી ન બંધાય.) સમગુણ રૂક્ષનું (રૂખા) સમગુણ રૂક્ષ સાથે બંધન ન થાય (જેમ ૨ાખથી ૨ાખ કે રેતીથી રેતી ન બંધાય). પણ સ્નિગ્ધ અને રૂક્ષ બે મેળવવાથી બંધ થાય છે. પણ અડધોઅડધ (સમ પ્રમાણ) હોય તો બંધ ન થાય. વિષમ (ન્યૂનાધિક) પ્રમાણમાં હોય તો બંધ થાય. તેમજ સ્નિગ્ધ સાથે બંધ થવા માટે બન્નેના ૫૨માણુ વચ્ચે બે ગુણનું અંતર હોવું જોઈએ. જેમ કે ૨ ગુણ સ્નિગ્ધ – ૪ ગુણ સ્નિગ્ધ, ૩ ગુણ રૂક્ષ – ૫ ગુણ રૂક્ષ. – ૨. ગતિ : પુદ્ગલોની ગતિ બે પ્રકારની છે. (૧) સ્પર્શ કરતાં ચાલે (જેમ પાણીનો રેલો) અને (૨) સ્પર્શ કર્યા વિના ચાલે (જેમ Page #626 -------------------------------------------------------------------------- ________________ અજીવ પરિણામ પદ આકાશમાં પક્ષી). ૩. સંસ્થાન (આકાર) ઓછામાં ઓછા બે પ્રદેશી જાવ અનંતા પરમાણુના સ્કંધને કોઈને કોઈ સંસ્થાન હોય છે. તેના ૫ ભેદ. પરિમંડલ, વટ્ટ, ત્રિકોણ, ચોરસ, આયતન. ૪. ભેદ : પુદ્ગલ ૫ પ્રકારે ભેદાય છે. (૧) ખંડાભેદ (લાકડા પત્થર આદિના કટકા જેમ), (૨) પ્રતર ભેદ (અબરખ જેમ પડ), (૩) ચૂર્ણ ભેદ (ધાન્યના લોટની જેમ), (૪) ઉકલિયા ભેદ (કઠોળની સીંગ સૂકાઈને ફાટે તેમ), (૫) અગતડીયા ભેદ (તળાવના તડીયા જેમ). ૫. વર્ણ : મૂળ રંગ પાંચ છે. કાળો, નીલો, લાલ, પીળો, ધોળો. એ રંગના સંયોગોથી અનેક જાતના રંગ બની શકે છે. જેમ બદામી, કેશરી, તપખીરી, ગુલાબી, ખાખી વગેરે. ૬. ગંધ સુગંધ અને દુર્ગધ. (એ બે ગંધવાળા પુદ્ગલો હોય છે.) ૭. રસ: મૂળ રસ પાંચ છે. તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો અને મીઠું (ખારાશ) ઉમેરવાથી ષટુ રસ કહેવાય છે. ૮. સ્પર્શ : આઠ પ્રકારના છે. કર્કશ, મૃદુ, ભારે, હલકો, શીત, ઉષ્ણ, રૂક્ષ અને સ્નિગ્ધ. ૯. અગુરુલઘુ : હલકો નહી કે ભારે પણ નહિ. જેમ પરમાણુ, પ્રદેશ, મન, ભાષા, કામણ શરીર આદિના પુદ્ગલ. ૧૦. શબ્દ બે પ્રકારના છે. સુસ્વર અને દુઃસ્વર. ઇતિ અજીવ પરિણામ પદ. %E3 S S SS SS SS Page #627 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૯૮. બાર પ્રકારનાં તપ શ્રી ઉવવાઈ સૂત્રનાં આધારે તપ બાર પ્રકારનાં છે. તેમાં ૬ બાહ્ય તપના નામ ૧. અનશન, ૨. ઉણોદ૨ી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. ૨સપરિત્યાગ, પ. કાયકલેશ, ૬. પ્રતિસંલીનતા. ૬ આત્યંતર તપના નામ. ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન, ૬. કાઉસ્સગ્ગ. બાહ્ય તપનો વિસ્તાર ૧. અનશન ૧૫ અનશનના બે ભેદ છે. અ. ઇત્વરિક – તે મર્યાદિત સમય માટે આહાર ત્યાગ. બ. અવકાલિક – તે જાવજીવ આહારનો ત્યાગ. – અ. ઇત્વરિક અનશન તપ – તેના ૧૪ ભેદ છે. (૧) એક ઉપવાસ, (૨) બે ઉપવાસ, (૩) ત્રણ ઉપવાસ, (૪) ચાર ઉપવાસ, (૫) પાંચ ઉપવાસ, (૬) છ ઉપવાસ, (૭) સાત ઉપવાસ, (૮) પંદ૨ ઉપવાસ, (૯) એક માસના ઉપવાસ, (૧૦) બે માસના ઉપવાસ, (૧૧) ત્રણ માસના ઉપવાસ, (૧૨) ચાર માસના ઉપવાસ, (૧૩) પાંચ માસના ઉપવાસ, (૧૪) છ માસના ઉપવાસ. પ્રથમ તીર્થંકરના શાસનમાં બાર માસના ઉપવાસ થઈ શકે. વચ્ચેના ૨૨ તીર્થંકરના શાસનમાં ૮ માસ અને અંતિમ તીર્થંકરના શાસનમાં છ માસ ઉપવાસ ક૨વાનું સામર્થ્ય હોય. બ. અવકાલિક અનશન તપના ત્રણ ભેદ છે. ૧. પાદોપગમન પ્રત્યાખ્યાન, ૨. ભક્ત પ્રત્યાખ્યાન. અને 3. ઇંગિત મરણ, ૧. પાદોપગમન પ્રત્યાખ્યાન :– વૃક્ષની કાપેલી ડાળી જેમ Page #628 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારનાં તપ ૬૦૯ હાલ્યા ચાલ્યા વિના પડી રહે તેમ સંથારો કરીને સ્થિર થઈ જવું. તેમાં શ૨ી૨ સંસ્કાર, હલન ચલન, પ્રતિક્રમણાદિ કરવાની જરૂર નથી. ચારે આહારનો ત્યાગ જરૂ૨થી કરે. વૈયાવચ્ચ ન કરાવે. તેના બે ભેદ. ૧. વ્યાઘાત ઃ– અગ્નિ, સિંહાદિનો ઉપદ્રવ આવ્યેથી અનશન ક૨વો. જેમ સુકોશલ તથા અતિસુકુમાલ મુનિએ કર્યો. ૨. નિર્વ્યાઘાત ઃનિરૂપદ્રવે, મૃત્યુ સમય પાસે જાણીને સ્વેચ્છાએ કરવો. ૨. ભક્ત પ્રત્યાખ્યાન :- જીવન પર્યંત ત્રણ કે ચાર આહા૨નો ત્યાગ કરીને સંથારો કરવો. તેમાં શરીર સંસ્કાર, હલન ચલન, પ્રતિક્રમણાદિ જરૂ૨થી કરે. વૈયાવચ્ચ પણ કરાવે. તેના બે ભેદ છે. ૧. વ્યાઘાત :– ઉપદ્રવ આવે ત્યારે અમુક હદ સુધી ત્રણ કે ચાર આહારના પચ્ચક્ખાણ ક૨ે. જેમ અર્જુનમાળીના ભયથી સુદર્શન શેઠે કરેલા. ૨. નિર્વ્યાઘાત :– ઉપદ્રવ ન આવે તો પણ જાવજીવ ત્રણ - કે ચાર આહારનો ત્યાગ કરે. ૩. ઇંગિતમ૨ણ :– જાવજીવ પર્યંત ચારે આહા૨નો ત્યાગ ક૨વો. શ૨ી૨ સંસ્કાર, હલન ચલન, પ્રતિક્રમણાદિ જરૂરથી કરે. દિશાની મર્યાદા કરે, વિહાર ન કરે. વૈયાવચ્ચ કરાવે અથવા ન કરાવે. તેના બે ભેદ છે. ૧. વ્યાઘાત. ૨. નિર્વ્યાઘાત. [આ રીતે અનશનના ઇત્વ૨ીકના ૧૪ + ૬ અવકાલિકના એમ ૨૦ભેદ થયા.] ૨. ઉણોદરી તપ તેના બે ભેદ :– ૧. દ્રવ્ય ઉણોદરી, ૨. ભાવ ઉણોદરી. ૧. દ્રવ્ય ઉણોદરી :- તેના બે ભેદ છે. ક. ઉ૫ક૨ણ દ્રવ્ય ઉણોદરી – તે વસ્ત્ર, પાત્ર અને દેહ ઉપયોગી સામગ્રી જરૂ૨થી ઓછાં રાખે, ભોગવે. ઉ૫ક૨ણ ઉણોદ૨ીના ૩ ભેદ. અ. એક વસ્ત્ર રાખવું. આ. એક પાત્ર રાખવું. ઈ. એક ઈષ્ટ વસ્તુ રાખવી. -39 Page #629 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ખ. ભક્તપાન ઉણોદરી :- તેના ૬ પ્રકાર છે. ૩૨ કવલે પુરો આહાર સમજવો. તેમાં (૧) પોણી ઉણોદરીવાળા ૮ કવલ (કોળિયા) આહા૨ ક૨, (૨) અર્ધ ઉણોદરીથી કાંઈક વધુવાળા ૧૨ કવલ આહાર કરે, (૩) અર્ધ ઉણોદરીવાળા ૧૬ કવલ આહાર ક૨, (૪) અર્ધ ઉણોદરીથી કાંઈક ઓછીવાળા ૨૦ કવલ આહાર કરે, (૫) પા ઉણોદ૨ી તે ૨૪ કવલ આહા૨ ક૨, (૬) ફક્ત એક કવલની ઉણોદરી ક૨ે તે ૩૧ કવલ લે. આમ જેટલો ઓછો આહાર લે તેટલી ઉણોદરી. ઉણોદરીથી ૨સેન્દ્રિય જીતાય, કામ જીતાય, નિરોગી થવાય. ૨. ભાવ ઉણોદ૨ી :– અલ્પ ક્રોધ, અલ્પ માન, અલ્પ માયા, અલ્પ લોભ, અલ્પ શબ્દ (કલહ), અલ્પ ઝંઝટ (કોપયુક્ત વચન) એ ૬ પ્રકારે ભાવ ઉણોદ૨ી થાય. [ આ રીતે ઉણોદરી તપના ૩ + ૬ + ૬ = ૧૫ ભેદ થાય] ૩. વૃત્તિસંક્ષેપ (ભિક્ષાચર્યા) તપ વૃત્તિસંક્ષેપના ૩૦ ભેદ છે. તે અનેક પ્રકારના અભિગ્રહ (પ્રતિજ્ઞા) ધારણ કરે. (૧) જેમ દ્રવ્યથી અમુક વસ્તુ જ લેવી અમુક ન લેવી. (૨) ક્ષેત્રથી અમુક ઘ૨માં જ લેવું અમુક ન લેવું. (૩) કાળ થી અમુક કલાકે, દિવસે કે મહિને લેવાનો અભિગ્રહ. (૪) ભાવથી અમુક રંગના વસ્ત્રવાળા દે તો ભિક્ષા લેવી કલ્પે એવા અનેક પ્રકારના અભિગ્રહ કરે. (૫) ભોજન પકવેલા વાસણમાંથી ગૃહસ્થે કાઢેલું હોય તો લે. (૬) ભોજન પકવેલા વાસણમાંથી ગૃહસ્થે કાઢેલું ન હોય તો લે. (૭) ભોજન પકવેલા વાસણમાંથી ગૃહસ્થે તે જ જગ્યાએ અથવા બીજી જગ્યાએ રાખેલો આહાર લે અથવા ભોજન પકવેલા વાસણમાંથી ગૃહસ્થે કાઢેલું હોય તો અથવા ન કાઢયું હોય તો લે. (૮) ―― Page #630 -------------------------------------------------------------------------- ________________ - - ૬િ૧૧ બાર પ્રકારનાં તપ વાસણમાંથી ગૃહસ્થ એકાદ ચમચો કાઢેલું હોય અને શેષ બાકી હોય તો લેવું. (૯) પીરસવામાં આવતો આહાર લેવો. (૧૦) કોઈ આહાર ઠંડો કરીને વળી પાછો વાસણમાં નાખતા હોય તે લે. (૧૧) કોઈ ગૃહસ્થીએ કોઈની માટે લાવેલો આહાર લે. (૧૨) એક સ્થાનથી બીજા સ્થાન પર રાખેલ આહાર લે. (૧૩) પ્રશંસા અથવા નિંદા કરેલો આહાર લે. (જેમ કે પાણી ઠંડું છે પણ ખારું છે.) (૧૪) કોઈને મોકલવા માટે અલગ રાખેલો હોય તે લે. (૧૫) અચેત શાક આદિથી હાથ ખરડાયેલાં હોય તો લે. (૧૬) અચેત શાક આદિથી હાથ ખરડાયેલાં ન હોય તો લે. (૧૭) વહોરાવવા યોગ્ય આહાર જ હાથમાં હોય અને તેવા હાથે જ લે. (૧૮) પોતાનો પરિચય આપ્યા વગર લે અથવા અજ્ઞાત કુળથી લે. (૧૯) મૌન રહીને અથવા મૌન દાતાથી આહાર લે. (૨૦) દેખાતો આહાર લે અથવા પ્રથમ જે દાતા દેખાય તેના હાથે લે. (૨૧) ન જોયેલો આહાર લે અથવા ન જોયેલા દાતા (પહેલા ન હોય પણ પછીથી આવેલા) ના હાથે લે. (૨૨) હે સાધુ આપને શું આપું? તેમ પૂછે તો આહાર લે. (૨૩) વગર કોઈ પક્ષે આહાર દે તો લે. (૨૪) તિરસ્કાર કરીને અવહેલના કરીને થોડો આહાર આપે તે આહાર લે. (૨૫) સાવ સાદો આહાર લે. (૨૬) રાતવાસી, ઠંડો આહાર લે. (૨૭) ભોજન કરવા બેઠેલાની પાસે પડેલા આહારમાંથી જ લે. (૨૮) પ્રમાણસહિત, ગણીને આહાર લે. (૨૯) શુદ્ધ – મસાલા આદિથી રહિત અથવા શંકાદિ દોષથી રહિત આહાર લે. (૩૦) ધાર તૂટયા વિના એકવારમાં જેટલો આહાર કે પાણી પાત્રામાં પડે તેટલું જ લે. * ૪. રસપરિત્યાગ ૫ * તેના ૯ પ્રકાર છે. (૧) વિગય (દૂધ, દહીં, ઘી, ગોળ, સાકર, Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૨)શિ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ તેલ આદિ) રહિત આહાર લે. (૨) પ્રણીત રસ (રસ ઝરતાં) આહારનો ત્યાગ કરે. (૩) આયંબિલ કરે (૪) ઓસામણ અને તેમાં પડેલા ભાત લે. (૫) વઘાર વિનાનો નીરસ આહાર લે. (૬) જે રસહીન, જુનો થઈ ગયો હોય તેવો આહાર કરે. (૭) હલકા પ્રકારના ચણા, વાલ આદિનો આહાર કરે. (૮) ભોજન કર્યા બાદ વધેલો હોય તે આહાર લે. (૯) રુક્ષ કે જીભને અપ્રિય લાગે તેવો આહાર કરે. ૫. કાય કલશ તપ તેના ૧૩ પ્રકાર છે. (૧) એક જ રીતે, એક આસને ઊભા રહેવું. (૨) એક જ આસને બેસવું. (૩) ઉકડું આસને બેસવું. (૪) પ્રતિમા અંગીકાર કરીને વિચારવું. (૫) વીરાસને બેસવું (જમીન પર પગ રાખીને, સિંહાસન પર બેઠેલા વ્યક્તિની જેમ બેસવું.) (૬) પીઠ ટેકવીને અથવા પલાંઠી વાળીને બેસવું. (૭) લાકડીની જેમ લાંબા થઈ સૂઈને સ્થિર રહેવું. (૮) આડી લાકડીની જેમ સૂવું. (પગ અને માથું જમીન પર અને બાકીનું શરીર જમીનથી અદ્ધર રાખવું) (૯) ઠંડીમાં અને ગરમીમાં આતાપના લે. (૧૦) શરીરને કપડાં આદિથી ન ઢાંકે. (૧૧) શરીરને ખંજવાળ નહિ. (૧૨) ઘૂંકવું નહિ. (૧૩) શરીરના કોઈ પણ અંગની વિભૂષા ન કરવી. ૬. પ્રતિસંલીનતા તપ આ તપના ૧૩ ભેદ છે. ૧–૫) ઈન્દ્રિય પ્રતિસલીનતા - તેના પાંચ ભેદ છે. તે પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં જતી રોકવી, પ્રાપ્ત વિષયમાં વિકાર (રાગ, દ્વેષ) ન કરવો. ૬-૯) કષાય પ્રતિસલીનતા તેના ચાર ભેદ છે. તે ક્રોધ, માન, માયા, લોભના ઉદયને નિષ્ફળ કરવો અને ક્ષમા, વિનીતતા, સરળતા, સંતોષ ધરવો. Page #632 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારનાં તપ 0૧૩) ૧૦-૧૨) યોગ પ્રતિસંલીનતા તેના ત્રણ ભેદ છે. મન, વચન અને કાયાના યોગોને ઉન્માર્ગમાંથી રોકી સન્માર્ગે પ્રવર્તાવવા. ૧૩) વિવિક્ત શવ્યાસન સેવન પ્રતિસંલીનતા- સ્ત્રી, પશુ, નપુંશક રહિત ઉદ્યાન, ચૈત્ય, દેવાલય, દુકાન, વખાર, સ્મશાન, ઉપાશ્રય આદિ સ્થાને રહીને પાટ, પાટલા, બાજોઠ, પાટીયાં, બિછાનાં, વસ્ત્ર - પાત્રાદિ પ્રાસુક, નિર્જીવ, એષણીય અંગીકાર કરી વિચરે. આમ ૧૩ ભેદ પ્રતિસંલીનતા તપના થાય. બાહ્ય તપના કુલ ૨૦ + ૧૫ + ૩૦ + ૯ + ૧૩ + ૧૩ = ૧૦૦ ભેદ થાય છે.. ) આત્યંતર તપનો વિસ્તાર ૧. પ્રાયશ્ચિત તપ વ્રત પાલનમાં થયેલા અતિચાર અથવા દોષોની વિશુદ્ધિ પ્રાયશ્ચિતથી થાય છે. તે તપના ૧૦ ભેદ છે. ૧. ગુરુ આદિ સન્મુખ પાપની આલોચના કરે. ૨. પાપ અથવા અશુભયોગથી પાછા ફરી ''મિચ્છામિ દુક્કડ" કહી પ્રતિક્રમણ કરે. ૩. આલોચના અને પ્રતિક્રમણ બંને કરે. ૪. જ્ઞાનપૂર્વક દોષિત વસ્તુનો ત્યાગ કરે. ૫. દશ, વીસ, ત્રીસ, ચાલીસ લોગસ્સનો કાઉસ્સગ કરે. ૬. એકાશન, આયંબીલ થાવત્ છમાસી તપ કરે. ૭. પાંચ દિવસથી લઈને છમાસ સુધીની દીક્ષા ઘટાડે. ૮. નવી દીક્ષા આપી સૌથી નાનો બનાવે. ૯. પ્રાયશ્ચિતમાં આપેલ વિશિષ્ટ તપ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી સાધુ સમુદાયની બહાર રાખે તથા નવી દીક્ષા ન આપે. ૧૦. સાધુ વેશ ઊતરાવી ગૃહસ્થ વેશે છમાસ સુધી સાથે ફેરવી ફરી નવી દીક્ષા દેવી. (વજઋષભનારાચ સંઘયણ અને ચૌદ પૂર્વના ધારકને જ. ૯ અને ૧૦ મું પ્રાયશ્ચિત અપાય છે.) Page #633 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ઉપર પ્રમાણે ૧૦ પ્રાયશ્ચિતના ભેદ, તેમાં ૧૦ પ્રતિસેવના (પ્રાયશ્ચિત લેવું પડે તેવા દોષોનું સેવન કરવું), ૧૦ પ્રાયશ્ચિત દેવાવાળાના ગુણ, ૧૦ પ્રાયશ્ચિત લેવાવાળાના ગુણ અને ૧૦ પ્રાયશ્ચિતના દોષ (પ્રાયશ્ચિત લેતી વખતે લાગતાં દોષ) એમ સઘળાં મળીને પ્રાયશ્ચિત તપનાં કુલ ૫૦ ભેદ થાય છે. ૨. વિનય તપ તેના ૭ ભેદ છે. ૧) જ્ઞાન વિનય, ૨) દર્શન વિનય, ૩) ચારિત્ર વિનય, ૪) મન વિનય, ૫) વચન, વિનય, ૬) કાય વિનય, ૭) વ્યવહાર વિનય. ૧) જ્ઞાન વિનય– તેના પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન તે પાંચ જ્ઞાનની કે જ્ઞાનીની આશાતના કરવી નહિ. એમનું બહુમાન, ગુણકીર્તન ક૨વા. વિનયપૂર્વક વિધિ સહિત જ્ઞાન ગ્રહણ કરવું. ૨) દર્શન વિનય – દર્શન અને દર્શનવાન પ્રતિ બહુમાન ભક્તિરાખવી તે દર્શનવિનય છે. તેના બે ભેદ છે. ૧. સુશ્રુષા વિનય, ૨. અનાશાતના વિનય. - ૧. સુશ્રુષા વિનય – તેના ૧૦ ભેદ છે. (૧) ગુરુજન અથવા રત્નાધિકને આવતાં જોઈને ઊભા થવું. (૨) જ્યાં તેમને બેસવાની ઈચ્છા હોય ત્યાં આસન લઈ જવું. (૩) તેમના માટે આસન પાથ૨વું. (૪) તેમનો સત્કાર કરવો. (૫) તેમને સન્માન દેવું. (૬) વિધિ સહિત વંદન નમસ્કા૨ ક૨વા. (૭) હાથ જોડીને સામે ઊભા રહેવું. (૮) ગુરુ આવતાં હોય તો સામે જવું. (૯) જ્યાં સુધી તે બેસે ત્યાં સુધી તેમની સેવા ક૨વી. (૧૦) ગુરુ પાછા જાય તો તેમને તેમના સ્થાન સુધી પહોંચાડવા પાછળ જવું. Page #634 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારનાં તપ ૬૧૫ ૨. અનાશાતના વિનય. તેના ૪૫ ભેદ છે. અરિહંત ભગવાન, અરિહંત પ્રરૂપિત ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, ક્રિયાવાન, સાંભોગિક, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવળજ્ઞાન એ ૧૫ ની આશાતના ન ક૨વી. (૧૫) એ ૧૫ ની ભક્તિ-બહુમાન કરવા. (૩૦) એ ૧૫ નાં ગુણોની સ્તુતિ કરવી. (આમ કુલ ૪૫ થયા). ૩) ચારિત્ર વિનય -- તેના પાંચ ભેદ છે. ૧. સામાયિક ચારિત્ર, ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર, ૩. પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, અને ૫. યથાખ્યાત ચારિત્ર એ પાંચ ચારિત્ર અને તે પાંચ ચારિત્રવાનનો વિનય કરવો. તેના બે ભેદ અ. પ્રશસ્ત મન વિનય, ૪) મન વિનય બ. અપ્રશસ્ત મન વિનય. 1 અ. પ્રશસ્ત મન વિનય તેના ૧૨ ભેદ છે. અસાવધ, નિષ્ક્રિય, અકર્કશ, મધુર, કોમળ, કરુણામય, અનાશ્રવી, અછેદકા૨ી, અભેદકારી, અપરિતાપકારી, દયાળુ, જીવો પ્રત્યે શાતાકા૨ી (અહિંસક ભાવ) મન પ્રવર્તન કરવું. બ. અપ્રશસ્ત મન વિનય. ઉપ૨ોક્ત ૧૨ બોલથી વિરૂદ્ધ સાવદ્ય, કર્કશ, કટુ, કઠોર વિ. આચરણ કરવું તે અપ્રશસ્ત મન વિનય છે. આમ કુલ ૨૪ ભેદ મન વિનયના થયા. ૫) વચન વિનય – તેના બે ભેદ અ. પ્રશસ્ત વચન વિનય, બ. અપ્રશસ્ત વચન વિનય. મન વિનયની જેમ ૨૪ ભેદ વચન વિનયના સમજવા. ૬) કાય વિનય – તેના બે ભેદ. અ. પ્રશસ્ત કાંય વિનય, બ. અપ્રશસ્ત કાય વિનય. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ અ. પ્રશસ્ત કાય વિનય – તેના ૭ ભેદ તે યત્નાથી ચાલે, ઊભો રહે, બેસે, શયન કરે, ઓળંગે, વારંવાર ઓળંગે, સર્વ ઇન્દ્રિયો અને કાયાની પ્રવૃત્તિ યત્નાથી કરે. બ. અપ્રશસ્ત કાય વિનય – તેના ૭ ભેદ અયત્નાથી ચાલે, ઊભો રહે, બેસે, શયન કરે, ઓળંગે, વારંવાર ઓળંગે, સર્વ ઇન્દ્રિયો અને કાયાની પ્રવૃત્તિ અયત્નાથી કરે. આમ કાય વિનયના કુલ ૧૪ ભેદ થયા. ૭) વ્યવહા૨ વિનય – તેના ૭ ભેદ છે. ૧. ગુરુજનો, સત્પુરુષો પાસે બેસે. ૨. ગુરુ આદિની આજ્ઞા પ્રમાણે વર્તે. ૩. ગુરુ આદિ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવા અથવા જેની પાસેથી વિદ્યા લીધી છે તેની સેવા કરે. ૪. ઉપકાર યાદ કરીને ગુરુજનોની કૃતજ્ઞતાપૂર્વક સેવા કરે. ૫. રોગી, વૃદ્ધ, ગુરુ આદિની ચિંતા, દુઃખ જાણીને તે દૂર કરે. ૬. દેશ, કાળ અનુસાર પ્રભુ આજ્ઞા પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરે. ૭. નિંધ પ્રવૃત્તિ ન કરે. સર્વને અનુકૂળ કાર્ય કરે. (આમ ૫ + ૫૫ + ૫ + ૨૪ + ૨૪ + ૧૪ + ૭ = ૧૩૪ ભેદ વિનય તપના થયા.) ૩. વૈયાવચ્ચ તપ આહાર, પાણી, ઔષધ આદિથી સેવા કરવી તે વૈયાવચ્ચ. તેના ૧૦ ભેદ. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. નવદીક્ષિત, ૪. રોગી, ૫. તપસ્વી, ૬. સ્થવિર, ૭. સ્વધર્મી, ૮. કુળ, ૯. ગણ, અને ૧૦ સંઘ એ ૧૦ ની વૈયાવચ્ચ (સેવાભક્તિ) કરે. ૪. સ્વાધ્યાય તપ આત્મ ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી મર્યાદાપૂર્વક શાસ્ત્રોનું પઠન પાઠન કરવું. તેના પાંચ ભેદ છે. ૧. વાયણા – સૂત્રાદિની વાંચના લેવી, દેવી. ૨. પુચ્છણા – શંકાના સમાધાન માટે Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬િ૧૭) બાર પ્રકારનાં તપ પ્રશ્ન આદિ પૂછીને નિર્ણય કરવો. ૩. પરિણા – ભણેલાં જ્ઞાનને ફેરવતાં રહેવું. ૪. અનુપ્રેક્ષા – સૂત્ર અને અર્થનું ચિંતન કરવું. પ. ધર્મકથા – પરિષદામાં ચાર પ્રકારની ધર્મકથા કહેવી. (૧) આપણી - મોક્ષની નજીક કરે. (૨) વિક્ષેપણી – સંસારથી દૂર કરાવે. (૩) સંવેગણી – વૈરાગ્યભાવને વધારનારી (૪) નિર્વેદણી – વિષય કિષાયની અભિલાષા દૂર કરાવી આત્માને વિકાર રહિત બનાવે. ૫, ધ્યાન સુપ કોઈપણ એક જ વિષય પર મનની એકાગ્રતા કરવી તેને ધ્યાન કહે છે. ચાર ધ્યાનના મળીને કુલ ૪૮ ભેદ છે. આર્તધ્યાનના ૪ પાયા, ૪ લક્ષણ, રૌદ્રધ્યાનના ૪ પાયા, ૪ લક્ષણ, ધર્મધ્યાનના ૪ પાયા, ૪ લક્ષણ, ૪ આલંબન, ૪ અનુપ્રેક્ષા, શુકલધ્યાનના ૪ પાયા, ૪ લક્ષણ, ૪ આલંબન, ૪ અનુપ્રેક્ષા. ૮+૮+૧૬+૧૬= ૪૮ ભેદ થાય છે. તેનું વિવેચન ૪ ધ્યાનના થોકડામાં આપેલ છે તેથી અત્રે વિવેચન આપેલ નથી. (થોકડા ને પ૭ પાનું ૪૭૪). ૬. કાઉસ્સગ્ગ (વ્યત્સર્ગ–કાયોત્સર્ગ) ૫ તેના બે ભેદ. ક. દ્રવ્ય કાયોત્સર્ગ. . ભાવ કાયોત્સર્ગ. ક. દ્રવ્ય કાયોત્સર્ગ – વ્યુત્સર્ગ એટલે આત્માથી અલગ પદાર્થોનો ત્યાગ. તેના ચાર ભેદ છે. ૧. શરીરના મમત્વનો ત્યાગ કરે. ૨. સંપ્રદાયના મમત્વનો ત્યાગ કરે. ૩. વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણનું મમત્વ ત્યાગે. ૪. આહાર પાણી આદિ પદાર્થોનું મમત્વ ત્યાગે. ખ. ભાવ કાયોત્સર્ગ – આત્મ ભાવોથી ભિન્ન ભાવોનો ત્યાગ કરવો. તેનાં ૩ ભેદ છે. ૧. કષાય કાયોત્સર્ગ – તે ચાર કષાયનો ત્યાગ કરવો. ૨. સંસાર કાયોત્સર્ગ – તે ચાર ગતિમાં જવાનાં Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮) િ0. શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ કારણો બંધ કરવાં તે. ૩. કર્મ કાયોત્સર્ગ – તે ૮ કર્મબંધના કારણો જાણી તેનો ત્યાગ કરવો. આમ કાઉસ્સગ્ગના કુલ ૭ ભેદ થયા. આત્યંત૨ તપના પ૦ + ૧૩૪ + ૧૦ + ૫ + ૪૮ + ૭ = ૨૫૪ ભેદ થાય છે. આ રીતે ૧૨ તપના ૨૦+૧૫+૩૦+૯+૧૩+૧૩+૫૦+ ૧૩૪+૧૦+૫+ ૪૮૭ = ૩૫૪ કુલ ભેદ થાય છે.. ઇતિ બાર પ્રકારનાં તપ (૯૯. રોહા મુનિના પ્રશ્નોત્તરી શ્રી ભગવતી સૂત્ર શતક ૧, ઉ. ૬ સરળ અને ભદ્રિક પ્રકૃતિવાળા, ઉપશાંત કષાયી રોહા મુનિ જ્ઞાન, ધ્યાનમાં રમણતા કરતા હતા. એકદા તેમણે પ્રભુ મહાવીરને નીચેના પ્રશ્નો કર્યા, પ્રભુએ તેના શા જવાબ આપ્યા ? એ પ્રશ્નોત્તર નીચે મુજબ : પ્ર. હે ભગવાન! પહેલાં લોક થયો કે અલોક ? ઉ. જે પદાર્થની આદિ કે અંત ન જ હોય તેને પહેલાં કે પછી થયાનું કેમ કહેવાય ? લોક અને અલોક બન્ને અનાદિ અનંત છે. કારણ કે આકાશ શાશ્વત છે અને આકાશ સાથે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ પાંચે દ્રવ્યો શાશ્વતા છે. એ દ્રવ્યો જેટલા આકાશમાં રહે છે તે લોક છે. બાકીના આકાશને અલક કહ્યો છે. દ્રવ્યાપેક્ષા એ બધા નિત્ય છે. પર્યાયપેક્ષા અનિત્ય છે માટે જ અનાદિ અનંત શાશ્વત, લોક અલોકનો Page #638 -------------------------------------------------------------------------- ________________ રોહા મુનિના પ્રશ્નોત્ત૨ બનાવનાર કોઈ નથી. ૫. હે ભગવાન ! જીવ પહેલાં થયા કે અજીવ ? ૬૧૯ ઉ. જીવ અને અજીવ બન્ને શાશ્વત પદાર્થ છે. બન્ને અનાદિ કાળથી છે. જો જીવ પહેલાં માનીએ તો આકાશ વિના તે રહે ક્યાં ? ધર્માસ્તિકાય વિના ચાલે કેમ ? અધર્માસ્તિકાય વિના સ્થિર કેમ થાય ? પુદ્ગલાસ્તિકાય વિના કર્મ કાર્ય કેમ ? જો અજીવ પહેલાં હોય તો જીવ વિના ઉપકાર કોનો ક૨ે ? કોના ઉપયોગમાં આવે ? માટે એમાં પહેલાં પછી પણું નથી. પ્ર. હે ભગવાન ! પહેલાં કૂકડી થઈ કે ઇંડુ ? ઉ. કૂકડી ને ઠંડુ બન્ને શાશ્વત છે અનાદિ કાળથી છે. ૫. હે પૂજ્ય ! પહેલાં લોકાંત કે અલોકાંત ? ઉ. બન્ને શાશ્વત છે અનાદિ કાળથી છે. એવી જ રીતે નીચેના પ્રશ્નોના ઉત્તરમાં પણ શાશ્વત અને અનાદિથી સમજવું. ૧ લોકાંત અને સાતમી ન૨કનો આકાશાંત. ૨ સાતમી ન૨કનો આકાશાંત અને સાતમી ન૨કનો તનવાયુ, ૩ સાતમી ન૨કનો તનવાયુ અને સાતમી ન૨કનો ઘનવાયુ, ૪ સાતમી ન૨કનો ઘનવાયુ અને સાતમી નરકનો ઘનોદધિ, ૫ સાતમી ન૨કનો ઘનોદધિ અને સાતમી ન૨કનો પૃથ્વીપિંડ, ૬ સાતમી નરકનો પૃથ્વીપિંડ અને છઠ્ઠી નરકનો આકાશાંત, એવી જ રીતે તનવાયુ, ઘનવાયુ, ઘનોદધિ અને પૃથ્વીપિંડના ૪ બોલ એમ ૧૦. એવં પાંચમી, ચોથી, ત્રીજી, બીજી અને પહેલી ન૨કના પાંચ પાંચ બોલ, એમ કુલ મળીને ૩૫ બોલ. એવં લોકાંત, દ્વીપાંત, જંબુદ્વીપ આદિ અસંખ્યાતા અને લવણાદિ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સમુદ્ર અસંખ્યાતા, એવં ભરતાદિ સર્વ ક્ષેત્ર, સર્વ અલાવા લોકાંત સાથે મેળવી દેવા. તથા નરકાદિ ૨૪ દંડક, ષટ્ દ્રવ્ય, છ લેશ્યા, આઠ કર્મ, ત્રણ દૃષ્ટિ, ૪ દર્શન, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, ૩ યોગ, ૨ ઉપયોગ, સર્વ દ્રવ્ય, સર્વ પ્રદેશ, સર્વ પર્યાય. એ બધા પ્રશ્નોના ઉત્ત૨ અનાદિ અનંત (શાશ્વતા) છે. હવે ચરમના પ્રશ્ન :– પૂ. હે પૂજ્ય ! લોકાંત પહેલાં કે કાળ પહેલાં ? ઉ. બન્ને શાશ્વત છે, અનાદિ અનંત છે. જેમ દ્વીપ સમુદ્રોથી કાળસુધી પ્રશ્ન લોકાંત સાથે કર્યા છે, તેમ અલોકાંત સાથે લગાડવા. જેમ લોકાંત અને અલોકાંત સાથે પ્રશ્નોત્તર છે, તેમ જ દ્વીપ સાથે નીચેના સર્વ સંયોગ લગાડવા, પછી દ્વીપને છોડીને સમુદ્ર સાથે, પછી સમુદ્રને છોડી ભ૨તાદિ ક્ષેત્ર સાથે, યાવત્ પર્યાયથી કાળની સાથે, સર્વ બોલોને લગાડવા. ઉ. અનાદિ અનંત. ઇશ્વર કર્તૃત્વ માનનારાનું આ પ્રશ્નોથી જ નિરાકરણ થાય છે. કા૨ણ ઇશ્વર કર્મરહિત, નિષ્ક્રિય, અમૂર્તિ, સચ્ચિદાનંદ, સ્વગુણ (જ્ઞાન, દર્શન) યુક્ત છે. જો ઇશ્વર કુંભાર માફક જગતને ઘડવા બેસે તો તેનું ઈશ્ર્વ૨ત્વ જ ન ૨હે. જગતમાં બે પ્રકારના પદાર્થો છે. શાશ્વતા અને કૃત્રિમ. શાશ્વતાના કોઈ કર્તા નથી અને કૃત્રિમ ચીજો કર્મ સહિત સંસા૨ી જીવો બનાવે છે. સંસારી જીવ કર્મ સહિત છે, તે કર્મજન્ય સુખ દુઃખ ભોગવે છે, તદાનુસા૨ ક્રિયા કરે છે, અને તે જીવ જ્યા૨ે તપ સંયમથી શુભાશુભ કર્મોનો નાશ ક૨શે ત્યા૨ે ઈશ્વ૨રૂપ થશે. રોહા મુનિ આ પ્રશ્નોત્તરોથી સંતુષ્ટ થઈ જ્ઞાન ધ્યાનમાં લીન થયા. એટલામાં ગૌતમ સ્વામીએ પ્રભુ સાથે નીચે મુજબ પ્રશ્નોત્ત૨ કર્યા. ૫. હે ભગવાન ! લોકસ્થિતિ કેટલા પ્રકારની છે ? Page #640 -------------------------------------------------------------------------- ________________ રોહ મુનિના પ્રશ્નોત્તર દિશાદરવો. ઉ. આઠ પ્રકારની છે. (૧) આકાશના આધારે તનવાયુ અને તનવાયુને આધારે ઘનવાયુ છે. (૨) વાયુના આધારે પાણી (ઘનોદધિ) છે. (૩) પાણીના આધારે પૃથ્વી (નર્કના પૃથ્વીપિંડ) છે. (૪) પૃથ્વીના આધારે ત્રણ સ્થાવર જીવી રહેલ છે. (૫) અજીવ – જીવોનો સંગ્રહ (ઉપચરિત નયાપેક્ષા શરીરાદિ અજીવ જીવોનો સંગ્રહ સમજવો). (૬) જીવે કર્મોનો સંગ્રહ કરી રાખ્યો છે. (૭) અજીવનો સંગ્રહ જીવ કરે છે અર્થાત્ જીવ ભાષા – મનપણે પુદ્ગલોનો સંગ્રહ કરે છે. (૮) જીવ કર્મોનો સંગ્રહ કરે છે. ૫. હે પ્રભુ! એ લોકસ્થિતિ કેવા પ્રકારે છે ? ઉં. હે ગૌતમ ! જેમ ચામડાની મસકમાં વાયુ ભરીને મોટું પાકા દોરાથી બાંધે પછી મધ્ય ભાગે પાકા દોરાથી બંધ લે પછી નીચલો ભાગ વાયુથી ભરેલો રહેવા દઈ ઉપરના વાયુને કાઢીને તેને બદલે પાણી ભરી મોટું પાકી રીતે બાંધી દે. પછી વચલો બંધ છોડી નાખે તો પાણી ઉપર હતું ત્યાં જ વાયુના આધારે અદ્ધર રહે એ રીતે વાયુના આધારથી પાણી (વનોદધિ) અને પાણીના આધારે પૃથ્વી રહી છે. યાવત્ જીવ કર્મોનો સંગ્રહ કરે છે. એમ સમજવું. ૫. હે ભગવાન ! સૂક્ષ્મ અપકાય હંમેશાં વરસે છે ? ઉ. હા. ગૌતમ, સૂક્ષ્મ અપકાય ઊંચી, નીચી, તિથ્વ દિશામાં હંમેશાં વરસે છે, પણ સ્થળ અપકાયની જેમ દીર્ધકાળ ટકતી નથી, દિવસે સૂર્યના તાપમાં જલ્દી નાશ પામે છે, રાત્રિના વખતે કંઈક ટકે છે. માટે સાધુ – સાધ્વી કે વ્રતધારી શ્રાવકો ખુલ્લી જગાએ રાત્રે રહેતા નથી. કારણવશ જવું પડે તો માથે ઓઢીને ચાલે છે. * ઇતિ રોહા મુનિના પ્રશ્નોત્તર. Page #641 -------------------------------------------------------------------------- ________________ દરરોીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ડિલિ૦૦. દશ પચ્ચકખાણ ઠાણાંગ સૂત્ર ૧૦ ૧. નમોક્કાર સહિ (નવકારશી, દિવસ ચઢ્યા પછી બે ઘડી સુધીનું) સુરે ઉગ્ગએ, નમોકારસહિં પચ્ચકખામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, વોસિરામિ. અર્થ સૂર્ય ઉગ્યાથી, નવકાર ગણીને પાળતાં સુધી પચ્ચક્ખાણ કરૂં છું. ચાર પ્રકારના આહાર એટલે અન્ન, પાણી, મેવા, મિઠાઈ, મુખવાસ તેમાં અન્ય આગાર, ઇચ્છા વિના મોઢામાં પડવાથી, અચાનક પડવાથી (એવા આગાર રાખીને ચારે આહારને) વસરાવું – તજું - ૨. પોરસિય (પહોર દિવસ ચયા સુધીનું) સૂરે ઉગએ, પોરસિયં પચ્ચકખામિ ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છમ કાલેણં, દિસામોહેણું, સહુ વયણેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. અર્થ : 'સહસાગારેણ' સુધીના અર્થ ઉપર મુજબ. પચ્છન્ન કાલેણે – વાદળાં આદિથી વખત ન જણાયેથી, દિસામોહેણું – દિશા ચઢવાથી, સાહુ વયણે ણે - સાધુના વચનથી, સવ્વસમાહિત્તિયાગારેણં – સર્વ પ્રકારે સમાધિ વર્તતા ઔષધાદિ - નો આગાર રાખીને, વોસિરામિ – (ચારે આહારને) તજું છું. Page #642 -------------------------------------------------------------------------- ________________ દશ પચ્ચક્રૃખાણ ૬૨૩ ૩. પુરિમંઢ (બે પહોર સુધીનું) સૂર ઉગ્ગએ, પુરિમંઢ પચ્ચક્ખાòમ ચવિહં પિ આહાર અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, પચ્છમ કાલે ણ, દિસામોહેણ, સાહ્વયણું છું, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિ૨ામિ. અર્થ : 'સાહવયણેણં' સુધીના અર્થ ઉ૫૨ મુજબ, વડેરાના વિનયથી, સર્વ સમાધિ વર્તવાનો આગાર રાખીને, ચારે આહારને તજું છું. ૪. એકાસણું એકાસણું પચ્ચક્ખામિ, તિવિહં પિ આહાર, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં સહસ્સાગારેણં, ૧ સાગારિ આગારેણં, ૨ આઉટ્ટણંપસારેણં, ૩ ગુરુ અબ્દુઠ્ઠાણેણં,* મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. અર્થ : : ૧ કારણવશ આસન બદલવું પડે તો, ૨ અંગોપાંગ સંકોચવા, પસા૨વાથી, ૩ ગુરુઆદિ પધાર્યે ઊભું થવું પડે તો, (એ આગારોથી). બીજા અર્થ ઉપર મુજબ. દુવિહારના પચ્ચક્ખાણ લેવા હોય તે એકાસણના પચ્ચક્ખાણમાં દુવિહં પિ આહાર, અસણં, ખાઈમં શબ્દ બોલેવું, બાકી યથાવત્. ૫. ઠામ ચૌવિહાર એક ટાણાનું એકઠાણું પચ્ચક્ખામિ, ચવિહં પિ આહાર અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, સાગારિ * સાધુ પચ્ચક્ખાણ લે ત્યારે અહીં 'પરિઠાવણિયાગારેણું' (પરઠવવું પડે તો) શબ્દ ઉમેરીને બોલવો. Page #643 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આગારેણં, ગુરુ અભુ કાણે , મહત્તરાગારે | સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. અર્થ ઉપર પ્રમાણે. ૬, આયંબિલ આયંબિલ પચ્ચકખામિ, તિવિહં પિ (ચઉવિહં પિ) આહાર અસણં, (પાણ) ખાઈમ, સાઈમ , અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, ૧ લેવાલેવેણં, ૨ ગિહત્યસંસઠેણં, ૩ ઉફિબત્ત વિવગેણં, મહત્તરાગારેણે સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરામિ. અર્થ : ૧ વાસણ ખરડાયેલા લેપાલેપથી, ૨ ગૃહસ્થના ઘી આદિવાળા હાથ અડવાથી, ૩ વાસણમાં ઘી ગોળ વગેરે મૂકેલા હોય તે ઉખેડયા બાદ ચોંટેલ હોય તે લાગવાથી. ૭. તિવિહાર ઉપવાસ (અભાઠ) સૂરે ઉગ્ગએ અભરઠ પચ્ચકખામિ, તિવિહં પિ આહાર અસણં, ખાઈમ, સાઈમ , અન્નત્થણાભોગેણે સહસ્સાગારેણં, મહત્તરાગારેણ સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરામિ. ચઉવિહારા અભgઠ (ઉપવાસ) સૂરે ઉગ્ગએ અભાઠે પચ્ચકખામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણે સહસ્સાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરામિ. ૮. દિવસ ચરિમં (સૂર્યાસ્ત સમયે ચઉવિહાર) દિવસ ચરિમં પચ્ચકખામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાણે, ખાઈમ, સાઈમ , અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, મહત્તરાગારેણે સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરામિ. Page #644 -------------------------------------------------------------------------- ________________ દશ પચ્ચક્ખાણ ૨૫ ૯. નિવિગહિય (વિગય રહિત લૂ ખું ૧ વાર જમવાનું) નિવિગહિયં પચ્ચક્ખામિ, ચવિહં પિ આહાર, અસણં, પાણ, ખાઈમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, લેવાલે વેણ, ગિહત્થસંસટ્ટેશ, ઉક્િષત વિવન્ગેણં, ૧ પડુચ્ચમપ્તેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. અર્થ : ૧ મોણ દીધેલું હોય તેનો આગા૨. ૧૦. અભિગ્રહ અભિન્ગ ં પચ્ચખામિ, ચવિહં પિ આહાર અસણં, પાણં, ખાઈમં, સાઈમ, અન્નત્થણાભોગેણં સહસ્સાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિ૨ામિ. પચ્ચક્ખાણ પારવાની વિધિ ઉપર બતાવેલમાંથી કોઈ પણ પચ્ચક્ખાણ લીધા હોય તો તેને નીચે મુજબ પા૨વા. જે પચ્ચક્ખાણ (તેનું નામ બોલવું) લીધા હતાં તે પૂરાં થતાં પાળું છું તેના વિષે સમાંં કાએણં, ન ફાસિયં ન પાલિયં, ન તીરિયં, ન કિટ્ટિયં, ન સોહિયં, ન આરાહિયં, આજ્ઞાએ, અણુપાલિયં ન ભવઇ, તસ્સ મિચ્છામિ દુક્કડં. ત્રણ નવકાર ગણવા. ઇતિ દશ પચ્ચક્ખાણ. 全国服务 參图图參關關關關參 图服务 Page #645 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧. કર્મ પકૃતિઓની સ્થિતિ તથા આબાધાકાળ) ૬િ ૨૬ દિ૨ ીિ શ્રી પન્નવણા સૂત્ર પદ ૨૩, ઉ. ૨ પ્રકૃતિ કર્મની પ્રકૃતિનું નામ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ આબાધાકાળ (૧૪) ૫ જ્ઞાનાવરણીય, ૪ દર્શનાવરણીય, ૫ અંતરાય એ ૧૪. (૧) સમુ. જીવ, સંજ્ઞી પંચેન્દ્રિય અંતર્મુહૂર્ત ૩૦ ક્રોડાકોડી સાગરોપમાં ૩૦૦૦ (૨) એકેન્દ્રિય ૩/૭ સાગરમાં પત્યનો અસં.મો ભાગ ઊણી ૩/૭ સાગરોપમની વર્ષ (૩) બેઇન્દ્રિય ૨૫ સાગરના ૩૭ ભાગમાં ૫. અ. ઊણી | ૨૫ સાગરના ૩૭ ભાગ, (૩) તે ઇન્દ્રિય ૫૦ સાગરના ૩/૭ ભાગમાં ૫. અ. ઊણી ૫૦ સાગરના ૩/૭ ભાગ, (૪) ચૌરેન્દ્રિય ૧૦૦ સાગરના ૩૭ ભાગમાં " સો સાગરના ૩૭ ભાગ (પ) અસંજ્ઞી પંચેન્દ્રિય ગૃહજાર સાગરના ૩૭ ભાગમાં " | હજા૨ સા.ના ૩/૭ ભાગ (૬) |પ નિદ્રા (દર્શનાવરણીયકર્મની), ૧ અશાતા વેદનીય એ ૬. (૧) સમુ. જીવ થી અસંજ્ઞી પં./૧ સાગરના ૩/૭ ભાગમાં પલ્યનો | ઉત્કૃષ્ટ ઉપરવત્ અલગ [૩OOO અસંખ્યાતમો ભાગ ઊણી અલગ જાણવી. વર્ષ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ જે કર્મની જેટલા ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ હોય છે તે કર્મનો તેટલા જ ૧૦૦ વર્ષનો આબાધાકાળ હોય છે. જે કર્મની સ્થિતિ ક્રોડાક્રોડી સાગરોપમની અંદર છે તેનો આબાધાકાળ અંતર્મુહૂર્ત હોય છે. આયુષ્ય કર્મનો આબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનો ત્રીજો ભાગ છે. (પન્નવણા સૂત્ર ટીકા ૪૭૮ – ૪૭૯) Page #646 -------------------------------------------------------------------------- ________________ |(૨) સંશી પંચેન્દ્રિય (૧) |ઇર્યાપથિક શાતાવેદનીયની |બે સમયની સાપં૨ાયિક શાતાાવેદનીયની (૧) સમુ. જીવ, સંજ્ઞી પંચેન્દ્રિય ૧૨ મુહૂર્ત (૨) એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિયની (૩) તેઇન્દ્રિય (૪) ચૌરેન્દ્રિય (૫) અસંશી પંચેન્દ્રિય (૧૨) અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, (૧) સમુ. જીવ, ૩૪ (૨) એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિયની (૩) તેઇન્દ્રિય (૪) ચૌરેન્દ્રિય (૫) અસંશી પંચેન્દ્રિય (૬) સંશી પંચેન્દ્રિય અંત:ક્રોડાક્રોડી સાગ૨ (અ.ક્રો.ક્રો.સા. - એક સાગ૨માં કંઈક ઊણી) ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમ |૩૦૦૦ વર્ષ બે સમયની ૧૫ ક્રોડાક્રોડી સાગર ૩/૧૪ સાગરની ૩૧૪ સાગરમાં ૫. નો અ. મો ભાગ ઊણી ૨૫ સાગ૨ના ૩/૧૪ ભાગમાં ૫. અ. ઊણી ૨૫ સાગ૨ના ૩/૧૪ ભાગ ૫૦ સાગ૨ના ૩/૧૪ ભાગમાં ૫. અ. ઊણી ૫૦ સાગ૨ના ૩/૧૪ ભાગ " ૧૦૦ સાગ૨ના ૩/૧૪ ભાગ ૧૦૦ સાગ૨ના ૩/૧૪ ભાગમાં હજાર સાગરના ૩/૧૪ ભાગમાં પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, ૪/૭ સાગ૨માં પલ્યનો અસં. ભાગ ઊણી ૪/૭ સાગરમાં ૫. નો અ. મો ભાગ ઊણી ૨૫ સાગ૨ના ૪/૭ ભાગમાં ૫. અ. ઊણી ૫૦ સાગરના ૪/૭ ભાગમાં ૫. અ. ઊણી ૧૦૦ સાગ૨ના ૪/૭ ભાગમાં હજાર સાગ૨ના ૪/૭ ભાગમાં અં. ક્રો. ક્રો. સા. 1. .. હજાર સાગરના ૩/૧૪ ભાગ લોભ એ ૧૨. ૪૦ ક્રો. ક્રો. સા. |૪/૭ સાગરની |૨૫ સાગરના ૪/૭ ભાગ |૫૦ સાગ૨ના ૪/૭ ભાગ ૧૫૦૦ ૧૫ |૪૦૦૦ વર્ષ ૧૦૦ સાગ૨ના ૪/૭ ભાગ હજાર સાગરના ૪/૭ ભાગ ૪૦ ક્રો. ક્રો. સા. ૪૦૦૦ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ/અબાધાકાળ ૬૨૭ Page #647 -------------------------------------------------------------------------- ________________ વર્ષ દ૨૮)ીિ ફટ ? ? ? ? ૪૦૦૦ | વર્ષ પ્રકૃતિ કર્મની પ્રકૃતિનું નામ . જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ આબાધાકાળ (૧) સંજવલનનો ક્રોધ | સમુ. જીવથી સંજ્ઞી પંચે. સુધી ૧૨ મહિના ૪૦ ક્રો. ક્રો. સા. ૪૦૦૦ | સંજવલનનું માન સમુ. જીવથી સંજ્ઞી પંચે. સુધી ૧ મહિના ૪૦ ક્રો. ક્ર. સા. સંજવલનની માયા સમુ. જીવથી સંજ્ઞી પંચે. સુધી ૧૫ દિવસ ૪૦ ક્રો. ક્રો. સા. ૪૦૦૦ સંજવલનનો લોભ વર્ષ સમુ. જીવથી સંજ્ઞી પંચે. સુધી અંતર્મુહૂર્ત ૪૦ ક્રો. ક્રો. સા. ૪૦૦૦ હાસ્ય, રતિ }(૧) સમુ જીવ, ૧૭ સાગર ૧૦ ક્રો. ક્રો. સા. [૧૦૦૦ પુરૂષવેદ }(૧) સમુ જીવ, ૮િ વર્ષ ૧૦ ક્રો. ક્રો. સા. ૧૦૦૦ (૨) એકેન્દ્રિય ૧૭ સાગરમાં ૫. નો અ. મો ભાગ ઊણી | ૧/૭ સાગરની વર્ષ (૩) બેઇન્દ્રિયની ૨૫ સાગરના ૧/૩ ભાગમાં ૫. અ. ઊણી | ૨૫ સાગરના ૧/૭ ભાગ (૪) તે ઇન્દ્રિય પ૦ સાગરના ૧૭ ભાગમાં પ. અ. ઊણી ૫૦ સાગરના ૧/૩ ભાગ (૫) ચૌરેન્દ્રિય ૧૦૦ સાગરના ૧૭ ભાગમાં " સો સાગરના ૧/૩ ભાગ (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય હજાર સાગરના ૧/૩ ભાગમાં " હજાર સા.ના ૧૭ ભાગ (૭) સંજ્ઞી પંચેન્દ્રિય (હા,રતિ) . ક્રો. ક્રો. સા. ૧૦ ક્રો. ક્ર. સા.. ૧૦૦૦ " " પુરૂષદ |૮ વર્ષ ૧૦ ક્રો. ક્ર. સા. ૧૦૦૦ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ Page #648 -------------------------------------------------------------------------- ________________ (૪૪ અરતિ, ભય, શોક, દુર્ગંછા, નપુંસકવેદ (મોહનીય કર્મની ૫), તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિય, પંચેન્દ્રિય, ઔદારિક શ૨ી૨ / અંગોપાંગ / બંધન / સંઘાતન, તેજસ શ૨ી૨ / બંધન / સંઘાતન, કાર્યણ શ૨ી૨ / બંધન / સંઘાતન, ૪ અશુભ સ્પર્શ (ખરખરો, ભા૨ે, ટાઢો, લૂખો), દુ૨ભિગંધ, સ્થાવ૨દશકની ૭ (સ્થાવરનામ, અસ્થિ૨નામ, અશભનામ, દુર્ભાગ્યનામ, દુઃસ્વ૨નામ, અનાદેયનામ, અયશોકીર્તિનામ,) પ્રત્યેક પ્રકૃતિ ૭ (૫૨ાથાતનામ, ઉચ્છ્વાસનામ, આતાપનામ, ઉદ્યોતનામ, અગુરૂલઘુનામ, નિર્માણનામ, ઉપઘાતનામ,) ત્રસદશકની ૪ (ત્રસનામ, બાદ૨નામ, પ્રત્યેકનામ, પર્યાપ્તનામ,) અશુભવિહાયગતિ (નામ કર્મની ૩૮), નીચગોત્ર, કુલ ૪૪ પ્રકૃતિ. (૧) સમુ. જીવ (૨) એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિયની (૪) તેઇન્દ્રિય ૨/૭ સાગ૨માં ૫. નો અ. મો ભાગ ઊણી ૨/૭ સાગ૨માં ૫. નો અ. મો ભાગ ઊણી ૨૫ સાગ૨ના ૨/૭ ભાગમાં ૫. અ. ઊણી ૫૦ સાગરના ૨/૭ ભાગમાં ૫. અ. ઊણી ૧૦૦ સાગરના ૨/૭ ભાગમાં હજાર સાગરના ૨/૭ ભાગમાં અં. ક્રો. ક્રો. સા. '' (૫) ચૌરેન્દ્રિય (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય (૭) સંશી પંચેન્દ્રિય (૩) સ્ત્રી વેદ (મોહનીય કર્મની), ૮૭ (૧) સમુ. જીવ, (૨) એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિયની મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી (નામ કર્મની) ૩/૧૪ સાગરમાં ૫. નો અ. મો ભાગ ઊણી ૧૫ ક્રોડાક્રોડી સાગર ૩/૧૪ સાગ૨માં ૫. નો અ. મો ભાગ ઊણી ૩/૧૪ સાગ૨ની ૨૫ સાગ૨ના ૩/૧૪ ભાગમાં ૫. અ. ઊણી ૨૫ સાગ૨ના ૩/૧૪ ભાગ " ૨૦ ક્રો. ક્રો. સા. |૨/૭ સાગરની ૨૫ સાગરના ૨૭ ભાગ ૫૦ સાગરના ૨/૭ ભાગ સો સાગ૨ના ૨/૭ ભાગ હજાર સાગ.ના ૨/૭ ભાગ ૨૦ ક્રો. ક્રો. સા. ૨૦૦૦ વર્ષ ૨૦૦૦ વર્ષ ૧૫૦૦ વર્ષ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ/અબાધાકાળ ૬૨૯ Page #649 -------------------------------------------------------------------------- ________________ વર્ષ પકૃતિ કર્મની પ્રકૃતિનું નામ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ આબાધાકાળ | (૪) તે ઇન્દ્રિય પ૦ સાગના ૩/૧૪ ભાગમાં પ. અ. ઊણી |પ૦ સાગરના ૩/૧૪ ભાગ (૫) ચૌરેન્દ્રિય ૧૦૦ સાગરના ૩/૧૪ ભાગમાં " સો સાગરના ૩/૧૪ ભાગ (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય હજા૨ સાગરના ૩/૧૪ ભાગમાં " હજાર સા.ના ૩૧૪ ભાગ (૭) સંજ્ઞી પંચેન્દ્રિય અં. ક્રો. ક્રો. સા. ૧૫ ક્રો. ક્રો. સા. ૧૫૦૦ મિથ્યાત્વ મોહનીય વર્ષ | (૧) સમુ. જીવ ૧ સાગરમાં પ.નો અસં. મો ભાગ ઊણી | ૭૦ ક્રો. ક્ર. સા. ૭૦૦૦ (૨) એકેન્દ્રિય ૧ સાગરમાં ૫. નો અસં. મો ભાગ ઊણી [ ૧ સાગરની (૩) બેઇન્દ્રિયની ૨૫ સાગરમાં ૫. નો અસં. મો ભાગ ઊણી ર૫ સાગરની (૪) ઇન્દ્રિય ૫૦ સાગરમાં ૫. નો અસં. મો ભાગ ઊણી ૫૦ સાગરની (૫) ચૌરેન્દ્રિય સો સાગરમાં પ. ના અસં. મો ભાગ ઊણી | ૧૦૦ સાગરની (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય હજાર સા.માં ૫. નો અસં. મો ભાગ ઊણી | હજાર સાગરની (૭) સંજ્ઞી પંચેન્દ્રિય એ. કે. ક્ર. સા. ૭૦ ક્રો. ક્રો. સા. મિશ્ર મોહનીય, સંજ્ઞી પંચે. | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સમકિત મોહ, સંજ્ઞી પંચે. | અંતર્મુહૂર્ત ૬િ૬ સાગર ઝાઝેરી નારકી / દેવતા (આયુષ્ય) | (નારકી, નારકીનું કે દેવનું તથા દેવ, નારકીનું કે દેવનું આયુષ્ય બાંધતા નથી) (૧) મનુનું આયુ. બાંધે તો | પ્રત્યેક માસ ને છ માસ અધિક ૧ ક્રોડપૂર્વને ૬ માસ અધિક (૨) તિર્ય.નું આયુ. બાંધે તો | ૬ માસ અંતર્મુહૂર્ત અધિક ૧ ક્રોડપૂર્વને ૬ માસ અધિક ક મિશ્રમોહ, અને સમકિત મોહ નો બંધ એકેન્દ્રિય થી પંચેન્દ્રિય કરતા નથી' અટક શ્રી બ્રહદ્દ જૈન થોક સંગ્રહ Page #650 -------------------------------------------------------------------------- ________________ (૧) |તિર્યંચ (આયુષ્ય કર્મની) (૧) નરકનું આયુ. બાંધે તો (૨) દેવનું આયુ. બાંધે તો (૩) તિ. મનુ.નું આ. બાંધે તો (૧) મનુષ્ય (આયુષ્ય કર્મની) (૧) ન૨ક/દેવ આયુ બાંધે તો (૨)તિ.મનુ.નું આ. બાંધે તો (૬) ન૨કગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિય (૧) સમુ. જીવ, અસં. પંચે. (૨) એકે., બેઇ., તેઇ., ચૌ૨ે., (૩) સંજ્ઞી પંચે. (૨) દેવગતિ, દેવાનુપૂર્વી (નામકર્મની) (૧) સમુ. જીવ, (૨) એકે., બેઇ., તેઇ., ચૌરે., (૩) અસં. પંચે. (૪) સંજ્ઞી પંચે. (૬) બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ૧૦૮ (૧) સમુચ્ચય જીવ, ૧૦,૦૦૦ વર્ષ, અંતર્મુહૂત અધિક ૧૦,૦૦૦ વર્ષ, અંતર્મુહૂર્ત અધિક અંતર્મુહૂર્ત ૩૩ સા., ક્રો.પૂ.નો ત્રીજો ભાગ અધિક ૧૮ સા., ક્રો.પૂ.નો ત્રીજો ભાગ અધિક ૩ પલ્ય, ક્રો.પૂ.નો ત્રીજો ભાગ અધિક ૧૦,૦૦૦ વર્ષ, પ્રત્યેક માસ અધિક અંતર્મુહૂર્ત શ૨ી૨, વૈક્રિય અંગોપાંગ બંધન/ ૧૦૦૦ સા.ના ૨/૭ ભાગમાં ૫. અ. ઊણી |૨૦ ક્રો. ક્રો. સા. નથી બાંધતા નથી બાંધતા અં. ક્રો. ક્રો. સા. ૨૦ ક્રો. ક્રો. સા. ૩૩ સા., ક્રો.પૂ.નો ત્રીજો ભાગ અધિક ૩ પલ્પ, ક્રો.પૂ.નો ત્રીજો ભાગ અધિક સંઘાતન (નામકર્મની) એ ૬. ૨૦૦૦ વર્ષ હૈ હૈ - હું છું વર્ષ ૧૦૦૦ સા.ના ૨/૭ ભાગમાં ૫. અ. ઊણી |૧૦ ક્રો. ક્રો. સા. નથી બાંધતા નથી બાંધતા ૧૦૦૦ સા.ના ૨૭ ભાગમાં ૫. અ. ઊણી ૧૦૦૦ સા.નો ૨૭ ભાગ અં. ક્રો. ક્રો. સા. ૧૦ ક્રો. ક્રો. સા. ચૌરેન્દ્રિય, સૂક્ષ્મ નામ, સાધારણ નામ, અપર્યાપ્ત નામ (નામકર્મની) એ ૬. વર્ષ ૧ સા.ના ૯/૩૫ ભાગમાં ૫. અ. ઊણી ૧૮ ક્રો. ક્રો. સા. કર્મ પ્રકૃતિઓની સ્થિતિ/અબાધાકાળ |૬૩૧ Page #651 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ કર્મની પ્રકૃતિનું નામ (૨) એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિયની (૪) તેઇન્દ્રિય (૫) ચૌરેન્દ્રિય (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય (૭) સંશી પંચે. (૫) ચાર શુભ સ્પર્શ (સુવાળો, (૧) સમુચ્ચય જીવ (૨.) એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિયની (૪) તેઇન્દ્રિય (૫) ચૌરેન્દ્રિય (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય (૭) સંશી પંચેન્દ્રિય (૫) |આહા૨ક શ૨ી૨ / અંગોપાંગ / બંધન / સંઘાતન, તીર્થંકર નામ (નામકર્મની) એ ૫. (૧) સમુ. જીવ, સંજ્ઞી પંચે અં. ક્રો. ક્રો. સા. (૨) |ધોળો વર્ણ, મીઠો રસ (નામકર્મની) એ ૨. અં. ક્રો. ક્રો. સા. જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ હજાર સા.ના ૯/૩૫ ભાગ ૧૮ ક્રો. ક્રો. સા. ૧૦ ક્રો. ક્રો. સા. |૧/૭ સાગ૨ની ૯/૩૫ સાગ.માં ૫. નો અ. મો ભાગ ઊણી |૯/૩૫ સાગ૨ની ૨૫ સાગ.ના ૯/૩૫ ભાગમાં ૫. અ. ઊણી |૨૫ સાગરના ૯/૩૫ ભાગ ૫૦ સાગ.ના ૯૩૫ ભાગમાં ૫. અ. ઊણી |૫૦ સાગરના ૯૩૫ ભાગ ૧૦૦ સાગ૨ના ૯/૩૫ ભાગમાં સો સાગ૨ના ૯/૩૫ ભાગ હજાર સાગરના ૯/૩૫ ભાગમાં અં. ક્રો. ક્રો. સા. હલકો, ઊનો, સ્નિગ્ધ), સુરભિગંધ (નામકર્મની) એ ૫. ૧/૭ સાગ૨માં ૫. નો અ. મો ભાગ ઊણી ૧/૭ સાગ૨માં ૫. નો અ. મો ભાગ ઊણી ૨૫ સાગરના ૧/૭ ભાગમાં ૫. અ. ઊણી ૫૦ સાગ૨ના ૧૭ ભાગમાં ૫. અ. ઊણી ૧૦૦ સાગ૨ના ૧/૭ ભાગમાં હજાર સાગરના ૧/૭ ભાગમાં અં. ક્રો. ક્રો. સા. |૨૫ સાગ૨ના ૧/૭ ભાગ |૫૦ સાગરના ૧/૭ ભાગ 11 આબાપાકાળ ૧૦૦ સાગરના ૧/૭ ભાગ હજા૨ સાગ૨ના ૧/૭ ભાગ ૧૦ ક્રો. ક્રો. સા. ૧૮૦૦ વર્ષ ૧૦૦૦ વર્ષ ૧૦૦૦ વર્ષ નથી ૬૩૨ શ્રી બર્ડ જૈન થોક સંગ્રહ Page #652 -------------------------------------------------------------------------- ________________ (૧) સમુચ્ચય જીવ | ૪/૨૮ સાગ.માં ૫. નો અ. મો ભાગ ઊણી ૧૦ ક્રો. ક્ર. સા. ૧૦૦૦ (૨) એકેન્દ્રિય ૪૨૮ સાગ.માં ૫. નો અ. મો ભાગ ઊણી ૪૨૮ સાગરની વર્ષ (૩) બેઇન્દ્રિયની ૨૫ સાગના ૪૨૮ ભાગમાં ૫. અ. ઊણી રિપ સાગરના ૪/૨૮ ભાગ) (૪) ઇન્દ્રિય ૫૦ સાગના ૪/૨૮ ભાગમાં ૫. અ. ઊણી પ૦ સાગરના ૪૨૮ ભાગ (૫) ચૌરેન્દ્રિય ૧૦૦ સાગરના ૪ો૨૮ ભાગમાં " સો સાગરના ૪/૨૮ ભાગ (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય | હજાર સાગરના ૪/૨૮ ભાગમાં " હજાર સા.ના ૪૨૮ ભાગ (૭) સંજ્ઞી પંચેન્દ્રિય | એ. ક્રો. ક્ર. સા. ૧૦ ક્રો. ક્રો. સા. ૧૦૦૦ (૨) પીળો વર્ણ, ખાટો રસ (નામકર્મની) એ ૨. વર્ષ (૧) સમુચ્ચય જીવ ૫/૨૮ સાગ.માં ૫. નો અ. મો ભાગ ઊણી સાડાબાર ક્રો. કો. સા. ૧૨૫૦ (૨) એકેન્દ્રિય ૫/૨૮ સાગ.માં ૫. ને અમો ભાગ ઊણી પ/૨૮ સાગરની વર્ષ (૩) બેઇન્દ્રિયની ૨૫ સાગ.ના પ૨૮ ભાગમાં ૫. અ. ઊણી ૨૫ સાગરના પ/૨૮ ભાગી (૪) ઇન્દ્રિય ૫૦ સાગના પ૨૮ ભાગમાં પૂ. અ. ઊણી પિ૦ સાગરના પ/૨૮ ભાગ (૫) ચૌરેન્દ્રિય ૧૦૦ સાગરના પ/૨૮ ભાગમાં " સો સાગરના ૫૨૮ ભાગ | (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય હજાર સાગરના પ/૨૮ ભાગમાં " હજાર સા.ના ૫૨૮ ભાગ (૭) સંજ્ઞી પંચેન્દ્રિય | એ. ક્રો. ક્રો. સા. સાડા બાર ક્રો. ક્રો. સા. ૧૨૫૦ (૨) લાલ વર્ણ, કસાયેલો રસ (નામકર્મની) એ ૨. ૧૨૪ (૧) સમુચ્ચય જીવન ૬/૨૮ સાગ.માં ૫. નો અ. મો ભાગ ઊણી ૧૫ ક્રો. ક્ર. સા. ૧૫૦૦ (૨) એકેન્દ્રિય ૬/૨૮ સાગ.માં ૫. નો અ. મો ભાગ ઊણી (૨૮ સાગરની કર્મ પ્રકૃતિની સ્થિતિ/અબાધાકાળ હિ૩૩ Page #653 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ | કર્મની પ્રકૃતિનું નામ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ આબાધાકાળ (૩) બેઇન્દ્રિયની ૨૫ સાગરના ૬/૨૮ ભાગમાં ૫. અ. ઊણી ર૫ સાગરના ૬ ૨૮ ભાગ (૪) ઇન્દ્રિય ૫૦ સાગરના ૬/૨૮ ભાગમાં પ. અ. ઊણીપ૦ સાગરના ૬ર૮ ભાગ (૫) ચૌરેન્દ્રિય ૧૦૦ સાગરના દ૨૮ ભાગમાં " સો સાગરના દ૨૮ ભાગ (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય હજાર સાગરના ૬/૨૮ ભાગમાં " હજાર સા.ના ૬/૨૮ ભાગ (૭) સંજ્ઞી પંચેન્દ્રિય અં. ક્રો. ક્ર. સા. ૧૫ ક્રો. ક્રો. સા. ૧૫૦૦ (૨) નીલો વર્ણ, કડવો રસ નામકર્મની) એ ૨. વર્ષ (૧) સમુચ્ચય જીવ ૭/૨૮ સાગ.માં પ. નો અ. મો ભાગ ઊણી સાડા સત્તર ક્રો. કો. સા. ૧૭૫૦ (૨) એકેન્દ્રિય ૭૨૮ સાગ.માં ૫. નો અ. મો ભાગ ઊણી ૭/૨૮ સાગરની વર્ષ (૩) બેઇન્દ્રિયની ૨૫ સાગ.ના ૭/૨૮ ભાગમાં પ. અ. ઊણી [૨૫ સાગરના ૭/૨૮ ભાગ (૪) તે ઇન્દ્રિય પ૦ સાગ ના ૭/૨૮ ભાગમાં પ. અ. ઊણી ૫૦ સાગરના ૭/૨૮ ભાગ (૫) ચૌરેન્દ્રિય ૧૦૦ સાગરના ૭/૨૮ ભાગમાં " સો સાગરના ૭ર૮ ભાગ (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય હજાર સાગરના ૨૮ ભાગમાં " હજાર સા.ના ૭/ર૮ ભાગ (૭) સંજ્ઞી પંચેન્દ્રિય એ. કો. ક્રો. સા. સાડા સત્તર ક્રો. ક્રો. સા. ૧૭૫૦ કાળો વર્ણ, તીખો રસ (નામકર્મની) એ ૨. વર્ષ (૧) સમુચ્ચય જીવ ૮/૨૮ સાગરમાં ૫. નો અ. મો ભાગ ઊણી ૨૦ ક્રો. ક્રો. સા. ૨૦૦૦ (૨) એકેન્દ્રિય |૮ ૨૮ સાગરમાં ૫. નો અ. મો ભાગ ઊણીતા૨૮ સાગરની જૈન થોક સંગ્રહ વર્ષ Page #654 -------------------------------------------------------------------------- ________________ (૩) બેઇન્દ્રિયની (૪) તેઇન્દ્રિય (૫) ચૌરેન્દ્રિય (૬) અસંશી પંચેન્દ્રિય (૭) સંશી પંચેન્દ્રિય (૮) ત્રસ દશકની છ (સ્થિર, શુભ, યશોકીર્તિ, ઉચ્ચગોત્ર-સમુ જીવ૮ મુહૂર્ત શેષ ૬ સમુ. જીવ (૨) એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિયની (૪) તેઇન્દ્રિય (૫) ચૌરેન્દ્રિય (૬) અસંશી પંચેન્દ્રિય (૭) સંશી પંચે. (યશો. ઉચ્ચ.)|૮ મુહૂર્ત સો સાગ૨ના ૮ ૨૮ ભાગ ૨૫ સાગરના ૮/૨૮ ભાગમાં ૫. અ. ઊણી |૨૫ સાગરના ૮૨૮ ભાગ ૫૦ સાગ.ના ૮.૨૮ ભાગમાં ૫. અ. ઊણી ૫૦ સાગરના ૮ ૨૮ ભાગ ૧૦૦ સાગ૨ના ૮/૨૮ ભાગમાં હજાર સાગ૨ના ૮/૨૮ ભાગમાં અં. ક્રો. ક્રો. સા. હજા૨ સા.ના ૮/૨૮ ભાગ ૨૦ ક્રો. ક્રો. સા. |૨૦૦૦ સૌભાગ્ય, સુસ્વર, આદેય, યશોકીર્તિનામ,) શુભ વિહાય ગતિ, ઉચ્ચગોત્ર એ ૮. ૧૦ ક્રો. ક્રો. સા. ૧૦૦૦ ૧૦ ક્રો. ક્રો. સા. |૧/૭ સાગ૨ની ૧/૭ સાગ૨માં ૫. નો અ. મો ભાગ ઊણી ૧/૭ સાગ૨માં ૫. નો અ. મો ભાગ ઊણી ૨૫ સાગ૨ના ૧/૭ ભાગમાં ૫. અ. ઊણી ૫૦ સાગ૨ના ૧૭ ભાગમાં ૫. અ. ઊણી ૧૦૦ સાગરના ૧/૭ ભાગમાં હજાર સાગરના ૧/૭ ભાગમાં " શેષ ૬ અં. ક્રો. ક્રો. સા. 11 '' |૨૫ સાગરના ૧/૭ ભાગ |૫૦ સાગરના ૧/૭ ભાગ સો સાગ૨ના ૧૭ ભાગ હજા૨ સા.ના ૧/૭ ભાગ ૧૦ ક્રો. ક્રો. સા. ૧૦૦૦ ૧૦ ક્રો. ક્રો. સા. ૧૦૦૦ (૧૨)છ સંઘયણ તથા છ સંઠાણ એ બાર પ્રકૃતિઓ સમુ. જીવ જઘન્ય અનુક્રમે (૧ સંઘયણ તથા ૧ સંઠાણ) ૧૪૮ ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮,૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ સાગરમાં પલ્યના અસંખ્યાતમા ભાગ ઊણી ૧૦૦૦ વર્ષ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ/અબાધાકાળ ૬૩૫ Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ તથા ઉત્કૃષ્ટ અનુક્રમે ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ ક્રો. ક્રો. સા. ની બાંધે છે. આબાધાકાળ ૧૦૦૦, ૧૨૦૦, ૧૪૦૦, ૧૬૦૦, ૧૮૦૦, ૨૦૦૦ વર્ષનો છે. એ ૧૨ પ્રકૃતિઓ એકેન્દ્રિય ઉત્કૃષ્ટ અનુક્રમે ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ સાગ૨ની, બેઇન્દ્રિય અનુક્રમે ૨૫ સાગ૨ના ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ ભાગની, તેઇન્દ્રિય અનુક્રમે ૫૦ સાગ૨ના ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩, ૯/૩૫ તથા ૧૦/૩૫ ભાગની, ચૌરેન્દ્રિય અનુક્રમે ૧૦૦ સાગ૨ના ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ ભાગની, અસંશી પંચે. અનુક્રમે ૧૦૦૦ સાગરના ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ ભાગની બાંધે છે. જઘન્ય પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પલ્યનો અસંખ્યાતમો ભાગ ઊણી બાંધે છે. સંશી પંચે. આ ૧૨ પ્રકૃતિઓ જય. અં. ક્રો. ક્રો. સા., ઉત્. અનુક્રમે ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ ક્રો. ક્રો. સા. ની બાંધે છે. આબાધાકાળ ૧૦૦૦, ૧૨૦૦, ૧૪૦૦, ૧૬૦૦, ૧૮૦૦, ૨૦૦૦ વર્ષનો છે. ઇતિ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ તથા આબાધાકાળ. 分蜜照照蜜蜜蜜 分蜜照分 ચૌભંગી શ્રી ઠાણાંગ સૂત્ર ચોથે ઠાણે ૧. ચાર પ્રકારના ઘડા – ૧. અમૃતનો ઘડો અમૃતનું ઢાંકણું. ૨. અમૃતનો ઘડો વિષનું ઢાંકણું. ૩. વિષનો ઘડો ને અમૃતનું ઢાંકણું. ૪. વિષનો ઘડો ને વિષનું ઢાંકણું. એ ઘડાના દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરૂષ છે, તે કહે છે – ૧. એક પુરૂષ મનમાં નિર્મળો ને મોઢે પણ મધુ૨ી ભાષા બોલે. ૨. એક પુરૂષ મનનો મેલો અને મોઢાનો મીઠો. ૩. એક - Page #656 -------------------------------------------------------------------------- ________________ - -- ચૌભંગી મોઢે કડવા બોલો અને મનમાં મીઠો. ૪. એક મોઢે કડવા બોલો અને મનમાં મેલો. ૨. ચાર જાતનાં ફૂલ – ૧ ફૂલ સુગંધ કરીને સહિત અને રૂપે કરીને પણ સહિત ચંપા, ગુલાબનું ફૂલ. ૨. એક ફૂલ સુગંધ સહિત છે પણ રૂપ નહીં તે બોરસલી, પોયણનું ફૂલ. ૩. એક ફૂલ રૂપ સહિત છે પણ સુગંધ નથી તે આવળનું ફૂલ. ૪. એક ફૂલને રૂપ નથી અને સુગંધ નથી તે આકડા ધતુરાનું ફૂલ. એ દૃષ્ટાંતે ચાર પકારના પુરૂષ છે, તે કહે છે – ૧. એક પુરૂષ રૂપ સહિત છે પણ શીલ સહિત નથી તે બ્રહ્મદત્ત ચક્રવર્તીની પેરે. ૨. એક પુરૂષ શીલ સહિત છે પણ રૂપ નથી તે હરીકેશી અણગારની પેરે. ૩. એક પુરૂષ રૂપવંત છે અને શીલવંત પણ છે તે ભરત રાજાની પેરે. ૪. એક પુરૂષને રૂપ નથી અને શીલ એટલે ભલો આચાર પણ નથી તે કાળસૂર્યા કસાઈની પેરે. ૩. ચાર પ્રકારના શ્રાવક – ૧. સાધુને, માતાપિતા સમાન, ર. ભાઈબંધ સમાન, ૩. ભાઈ સમાન, ૪. શોક્ય સમાન. ચાર પ્રકારના શ્રાવક ૧. અરીસા સરખા શ્રાવક તે સાધુ જેવું સિદ્ધાંત કહી સંભળાવે તેવું પાછું ફરી કહી બતાવે. ૨. બીજા ધ્વજા સરીખા, તે વિચિત્ર દેશના સાંભળી મન આઘુંપાછું થઈ જાય. ૩. ત્રીજા ટૂંઠ, થાંભલા સરખા, તે લીધી વાત ખોટી ઠરે છતાં પણ મૂકે નહીં. ૪. ચોથા કાંટા સરખા, શિખામણ દેનારને પણ સામાં વચન કહી દુઃખ દે. ૪. ચાર પ્રકારના કરંડીયા – ૧. રાજનો કરંડીયો તે સમાન તીર્થકર દેવ. ૨. વ્યવહારીઆનો કરંડીયો તે સમાન ગણધર દેવ. ૩. વેશ્યાનો કરંડીયો તે સમાન અન્યદર્શની. ૪. ચંડાલન કરંડીયો તે સમાન જંત્ર મંત્ર કરનાર સાધુ. * ૫. ચાર કષાય – કઈ કઈ જગ્યાએ લાભે તે કહે છે. ૧. નારકીમાં Page #657 -------------------------------------------------------------------------- ________________ |૬૩૮ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ક્રોધ ઘણો, ૨. મનુષ્યમાં માન ઘણુ, ૩. તિર્યંચમાં માયા ઘણી, ૪. દેવતામાં લોભ ઘણો. ૬. ચાર જાતના અજીર્ણ – ૧. તપશ્યાનું અજીર્ણ ક્રોધ, ૨. જ્ઞાનનું અજીર્ણ અભિમાન, ૩. કામનું અજીર્ણ નિંદાકૂથલી, ૪. પેટનું અજીર્ણ, અધિક અન્ન ખાય તે. ૭. ચાર પ્રકારના ઝાડ પરિવાર સહિત – ૧. એક શાલીનું ઝાડ અને શાલીનો પરિવાર તે આદિનાથ અને ભરત ચક્રવર્તીની પેરે. ૨. એક શાલીનું ઝાડ અને એરંડાનો પરિવાર તે ગર્ગાચાર્ય અને શિષ્યની પે૨ે. ૩. એરંડાનું ઝાડ અને શાલીનો પરિવાર તે ઇંગાલમર્દન આચાર્ય અને શિષ્યની પે૨ે. ૪. એક એરંડાનું ઝાડ અને એરંડાનો પરિવાર તે કાળસૂર્યા કસાઈ અને તેના પરિવારની પેરે. ૮. ચાર પ્રકારના મેઘ – ૧. એક મેઘ ગાજે પણ વ૨સે નહીં. ૨. એક મેઘ વ૨સે પણ ગાજે નહીં. ૩. એક મેઘ ગાજે અને વ૨સે. ૪. એક મેઘ ગાજે નહીં વ૨સે પણ નહીં તે ઠાલાં વાદળાં. એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરૂષ કહ્યા તે કહે છે. ૧. એક પુરૂષ અભિમાન ક૨ે પણ દાન કરે નહીં. ૨. એક પુરૂષ દાન આપે પણ અભિમાન કરે નહીં. ૩. એક પુરૂષ દાન પણ આપે અને અભિમાન પણ કરે. ૪. એક પુરૂષ દાન પણ આપે નહીં અને અભિમાન કરે નહીં. ૯. ચાર પ્રકારના મેઘ – ૧. એક મેઘ કાળે વ૨સે પણ અકાળે વરસે નહીં. ૨. એક મેઘ અકાળે વ૨સે પણ કાળે વ૨સે નહીં. ૩. એક કાળે પણ વરસે અને અકાળે પણ વ૨સે. ૪. એક કાળે પણ વ૨સે નહીં અને અકાળે પણ વ૨સે નહીં. એવી રીતે ચાર પ્રકારના પુરૂષ કહ્યા તે કહે છે. ૧. એક પુરૂષ જરૂરિયાતવાળાને દાન આપે પણ અજરૂરિયાતવાળાને દાન આપે નહીં. ૨. એક પુરૂષ જરૂરિયાત ન Page #658 -------------------------------------------------------------------------- ________________ દિ૩૭ ચૌભંગી હોય તેને દાન દે પણ જરૂરિયાત વાળાને દાન દે નહીં. ૩. એક જરૂરિયાતવાળાને દાન દે અને અજરૂરિયાતવાળાને પણ દાન દે. ૪. એક જરૂરિયાતવાળાને દાન દે નહીં અને અજરૂરિયાતવાળાને પણ દાન દે નહીં. ૧૦. ચાર પ્રકારના મેઘ – ૧. એક મેઘ ક્ષેત્રમાં વરસે પણ ખારમાં વરસે નહીં. ૨. એક ખારમાં વરસે પણ ક્ષેત્રમાં વરસે નહીં. ૩. એક ક્ષેત્રમાં વરસે અને ખારમાં વરસે. ૪. એક ક્ષેત્રમાં પણ વરસે નહીં અને ખારમાં પણ વરસે નહીં. એ રીતે ચાર પ્રકારના પુરૂષ જાણવા. ૧. એક પુરૂષ સુપાત્રને દાન દે પણ કુપાત્રને દાન દે નહીં. ૨. એક પુરૂષ કુપાત્રને દાન દે પણ સુપાત્રને દે નહીં. ૩. એક પુરૂષ સુપાત્રને દાન દે અને કુપાત્રને પણ દાન દે. ૪. એક પુરૂષ સુપાત્રને પણ દાન દે નહીં અને કુપાત્રને પણ દાન દે નહીં તે કૃપણ. ૧૧. ચાર પ્રકારના મેઘ – ૧. એક મેઘ એકવાર વરસે અને તેમાં દશ હજાર વર્ષ સુધી અન્ન નીપજે. ૨. એક મેઘ એકવાર વરસે અને હજાર વર્ષ સુધી અન્ન નીપજે. ૩. એક મેઘ એક વાર વરસે અને દશ વર્ષ સુધી અન્ન નીપજે. ૪. એક મેઘ ઘણીવાર વરસે અને એકવાર ધાન્ય નીપજે. તે પાંચમા આરાનો મેઘ. એ દૃષ્ટાંત પુરૂષ ઉપર ઉતારે છે. ૧. સંયતી રાજાએ તથા ગજસુકુમારે એકવાર દેશના સાંભળી રાજ્ય છોડી દીક્ષા લીધી. ૨. પરદેશી રાજા કેશીકુમારની એકવાર વાણી સાંભળી અને બાર વ્રતધારી શ્રાવક થયા. ૩. શ્રેણિક રાજા એકવાર વાણી સાંભળી સમકિતિ થયા. ૪. પાંચમા આરાના જીવ ઘણીવાર સાંભળે પણ દ્રઢતા રહેવી ઘણી કઠણ, કારણ કે સાંભળે ત્યાં સુધી દ્રઢતા તે ચોથા મેઘ સમાન જાણવા. * ૧૨. ચાર પ્રકારનાં બળ – ૧. એક એક જીવને તપશ્યાનું Page #659 -------------------------------------------------------------------------- ________________ ૪િ િ ી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ બળ છે પણ આહારનું બળ નહીં. ૨. એક એકને આહારનું બળ છે પણ તપશ્યાનું નહીં. ૩. એક એકને આહારનું બળ છે અને તપશ્યાનું પણ બળ છે. ૪. એક એકને આહારનું બળ પણ નથી અને તપશ્યાનું બળ પણ નથી તે માંદો. ૧૩. ચાર પ્રકારનાં ગોળા – ૧. એક માખણનો ગોળો તે તડકે તરત ઓગળી જાય. તેમ એક એક પુરૂષ કોઈનાં માઠાં વચન સાંભળી તરત ધર્મ છોડી દે. ૨. એક લાખનો ગોળો તે તડકે ઓગળે નહીં પણ અગ્નિ પાસે મૂકીએ તો તે ઓગળી જાય તેમ એક એક પુરૂષ વચન સાંભળી ધર્મ છોડે નહીં પણ ગાળ, મહેણાં સાંભળી ધર્મ છોડી દે. ૩. એક લાકડાનો ગોળો તે તડકે, અગ્નિની પાસે મૂકવાથી ઓગળે નહીં પણ અગ્નિમાં નાંખે બળે તેમ વચન સાંભળી ધર્મ મૂકે નહીં, મારકૂટ કરે તે વારે ધર્મ છોડે. ૪. એક માટીનો ગોળો, તે તાપમાં નાંખે તે વારે વિશેષ પાકો થાય, પણ ઓગળે નહીં, તેમ એક પુરુષને કોઈ દુ:ખ દે ત્યારે ધર્મમાં વધારે દૃઢતા થાય, પણ ધર્મ મૂકે નહીં, કામદેવ શ્રાવકવત. ૧૪. ચાર પ્રકારના પુરૂષ – ૧. એક પુરૂષને ધર્મ વહાલો છે પણ દૃઢતા નહીં. આપદા વખતે નાસી જાય. ૨. એકને ધર્મ વહાલો પણ છે અને દૃઢતા પણ છે. ૩. એકને ધર્મ ઉપર દૃઢતા છે પણ ધર્મ વહાલો નથી, એટલે દરરોજ ધર્મ બની શકતો નથી, અવસરે ધર્મનું કામ કરે છે. ૪. એકને ધર્મ વહાલો પણ નથી અને દૃઢતા પણ નથી, તે પર્યુષણનાં પારણા ખાનાર શ્રાવકો. ૧૫. ચાર પ્રકારના પુરૂષ – ૧. એક પુરૂષ બહારથી નાહી ધોઈ ઊજળો પણ માંહી કપટ, મેલે કરીને સહિત. ૨. એક પુરૂષ બહાર મેલો પણ માંહી નિર્મળો. ૩. એક પુરૂષ બહાર પણ ઊજળો અને માંહી Page #660 -------------------------------------------------------------------------- ________________ ચૌભંગી ૬૪૧ પણ ઊજળો. ૪. એક પુરૂષ બહાર પણ મેલો અને અંદ૨ પણ મેલો. ૧૬. ચાર પ્રકારના પુત્ર – ૧. એક પુત્ર પિતા થકી અધિક, તે ઋષભદેવના પુત્ર ભરતની પેરે. ૨. એક પુત્ર પિતાથી હીન, તે ભરતેશ્વરના પુત્રની પેરે. ૩. એક પુત્ર, પિતાતુલ્ય તે આદિત્ય જશાના પુત્રની પેરે. ૪. એક પુત્ર, પિતાને કલંકરૂપ. તે કુંડ૨ીકવત્. ૧૭. ચાર પ્રકારના રોગ ૧. એક, દેખાવમાં દુષ્ટ પણ વેદના થોડી છે, તે મેદનો રોગ. ૨. એક, દેખાવમાં દુષ્ટ નહીં પણ વેદના ઘણી તે કંઠમાળનો રોગ. ૩. એક દેખાવમાં દુષ્ટ અને વેદના પણ ઘણી, તે પેટશૂળનો રોગ. ૪. એક, દેખાવમાં દુષ્ટ નહીં અને વેદના પણ નહીં, તે શૂન્ય ચિત્તનો રોગ. --- ૧૮. ચાર પ્રકારની દીક્ષા – ૧, એક સિંહની પે૨ે વ્રત લે અને સિંહની પે૨ે પાળે, તે ભરતેશ્વર રાજાની પેરે. ૨. એક સિંહની પેરે વ્રત લે અને શિયાળ જેવો થઈ વ્રત મૂકે, તે કુંડરીકની પેરે. ૩. એક શિયાળની પેરે વ્રત લે અને સિંહની પેરે વ્રત પાળે, તે અંગારમર્દન આચાર્યના શિષ્યની પેરે. ૪. એક શિયાળની પે૨ે વ્રત લે અને શિયાળ પે૨ે પાળે, તે કાલકાચાર્યના શિષ્યની પેરે. ૧૯. ચાર પ્રકા૨ના સ્નેહ – ૧. એક, સુંઠના ત૨ણાનો તાર તે તૂટયો સંધાય નહીં, તેમ સ્નેહ તૂટ્યો સંધાય નહીં. ૨. એક વાંસની છાલ તૂટી કંઈક સંધાય તેમ સ્નેહ કાંઈક તૂટ્યો સંધાય. ૩. એક ઊનની દોરી તૂટી વિશેષ સંધાય, તેમ સ્નેહ તૂટ્યો સંધાય. ૪. એક ચામડાની તાંતનો તાર તૂટતાં ઘણી વાર લાગે અને સાંધો પણ લાગે. ૨૦. ચાર પ્રકા૨ના પુરૂષ – ૧. એક પોતાનો અવગુણ દેખે, પારકો ન દેખે. ૨. એક પારકો અવગુણ દેખે, પોતાનો ન દેખે. ૩. એક મા૨કા અવગુણ પણ દેખે અને પોતાનો પણ દેખે. ૪. એક પોતાનો Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ અવગુણ પણ ન દેખે, અને પારકો પણ ન દેખે. ૨૧. ચાર પ્રકારે દેવતાની ગતિનો આવેલો જાણીએ – ૧. ઉદારચિત્ત હોય. ૨. સુસ્વર કંઠ હોય. ૩. ધર્મનો ૨ાગી હોય. ૪. દેવગુરુનો ભક્ત હોય. ૨૨. ચાર પ્રકારે તિર્યંચ ગતિનો આવેલો જાણીએ – ૧. અનાડી હોય, ૨. અસંતોષી હોય, ૩. કપટી હોય, ૪. મૂર્ખની સેવા ક૨ે તથા ભૂખ ઘણી હોય. ૨૩. ચાર પ્રકારે મનુષ્ય ગતિનો આવેલો જાણીએ ૧. વિનીત હોય, ૨. નિર્લોભી હોય, ૩. દયા ધર્મ ૫૨ હિતભાવ રાખનાર હોય, ૪. ૫૨ને વહાલો લાગે. શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૨૪. ચાર પ્રકારે ના૨કીનો આવેલો જાણીએ -- ૧. ક્રોધી હોય, ૨. પંડિતાઈ રહિત હોય, ૩. દયા રહિત હોય, ૪. કંકાસી હોય. ૨૫. ચાર પ્રકારે કિલ્વિષી દેવતાનું આયુષ્ય બાંધે ૧. તીર્થંક૨ના અવગુણ બોલે, ૨. ધર્મના અવગુણ બોલે, ૩. આચાર્ય, ઉપાધ્યાયના અવગુણ બોલે, ૪. ચતુર્વિધ સંઘના અવગુણ બોલે. ૨૬. ચાર પ્રકારે જીવ ધર્મ પામે નહીં – ૧. અહંકારી, ૨. ક્રોધી, ૩. રોગી, ૪. પ્રમાદી, ધર્મ ન પામે. ૨૭. લોકમાં ચાર ચીજો સરખી કહી છે – ૧ ઊંડુ નામે વિમાન, ૨. શીમંતક નામે ન૨કાવાસો, ૩. મનુષ્ય ક્ષેત્ર, ૪. સિદ્ધશીલા. એ ચારે ૪૫ લાખ જોજનના છે. ૨૮. લોકમાં ચાર વાનાં એક લાખ જોજનનાં કહ્યાં છે – ૧. અપઈઠાણ ન૨કાવાસ, સાતમી ન૨કે. ૨. પાલક વિમાન, પહેલા દેવલોકે, ૩. જંબુદ્રીપ ત્રીછાલોકે, ૪. સર્વાર્થસિદ્ધ વિમાન, ઊંચે દેવલોકે. ૨૯. ચાર પ્રકારના ફળ કહ્યાં છે તે ૧. એક ફળ બહાર Page #662 -------------------------------------------------------------------------- ________________ ચૌભંગી ૬૪૩ કઠણ અને અંદર પોચું, તે નાળિએ૨. ૨. એક ફળ બહાર પોચું અને અંદ૨ કઠણ, તે બો૨. ૩. એક ફળ અંદર પોચું અને બહાર પોચું, તે દ્રાક્ષ. ૪. એક ફળ અંદ૨ કઠણ અને બહાર પણ કઠણ, તે સોપારી. ૩૦. એ રીતે ચાર પ્રકારના પુરૂષ જાણવા – ૧. એક પુરૂષ ઉપરથી કઠોર બોલે પણ મનમાં પરિણામ ઘણાં ન૨મ તે માતા પિતા અથવા ભણાવનાર. ૨. એક ઉ૫૨થી મીઠું બોલે પણ મનમાં ઘણું કઠણ તે કપટી દુશ્મન અથવા ઓ૨માન મા. ૩. એક પુરૂષ ઉપ૨થી મીઠું બોલે અને મનમાં ઘણું હિત ૨ાખે, તે સાધુમુનિ૨ાજ. ૪. એક પુરૂષ મોઢે કડવા બોલો અને પેટમાં પણ ખોટા વિચાર રાખે, તે પાપી જીવ. ૩૧. ચાર પ્રકારે ઉપમા – ૧. છતી વસ્તુને અછતી ઉપમા, તે નગ૨ી દેવલોક સ૨ખી. ૨. અછતી વસ્તુને છતી ઉપમા તે છાશ, દૂધ જેવી. ૩. અછતી વસ્તુને અછતી ઉપમા, તે ચાર ગાઉનો કૂવો વાળથી ભરીએ સો સો વર્ષે એક એક વાળ કાઢીએ અને કૂવો ખાલી થાય ત્યારે એક પલ્ય થાય તે. ૪. છતી વસ્તુને છતી ઉપમા આપે. તે ગોળ સાક૨ જેવો. ૩૨. ચાર પ્રકારે નિર્જરા – ૧. ઘણી વેદના અને થોડી નિર્જરા તે સાતમી ન૨કવાળાને. ૨. થોડી વેદના અને ઘણી નિર્જરા તે સામાન્ય સાધુને. ૩. ઘણી વેદના અને ઘણી નિર્જરા તે પિંડમાધારી તથા જિનકલ્પી સાધુને. ૪. થોડી વેદના અને થોડી નિર્જરા તે અનુત્ત૨ વિમાનના દેવતાને. ૩૩. ચાર ઠેકાણે કષાયનો વાસો – ૧. ક્રોધનો વાસો કપાળમાં, ૨. માનનો વાસો ગરદનમાં, ૩. માયાનો વાસો હૈયામાં, ૪. લોભનો વાસો સર્વાંગમાં. For Private & Personal Use.Only Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬િ૪૪) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩૪. ચાર જાતની અક્કલ – ૧. જાગે તો ચોર નાસે. ૨. ક્ષમા કરે તો કલેશ નાસે. ૩. ઉદ્યમ કરે તો દારિદ્ર નાસે. ૪. ભગવાનની વાત સાંભળે તો પાપ નાશે. ૩૫. ચાર પ્રકારના જીવ – ૧. એક સુખદુઃખ જાણે ને વેદે તે ચાર ગતિના જીવ જાણવા. ૨. એક જાણે પણ વેદે નહીં, તે સિદ્ધના જીવ. ૩. એક વેદે પણ જાણે નહીં, તે અસંજ્ઞીના જીવ. ૪. એક જાણે પણ નહીં અને વેદે પણ નહીં, તે બેશુદ્ધ અથવા અજીવ. ૩૬. ચાર પ્રકારના પુરૂષ – ૧. એક પોતાના કર્મનો અંત કરે અને બીજાના કર્મનો પણ અંત કરાવે, તે તીર્થકર આદિ. ૨. એક પોતાનાં કર્મનો અંત કરે પણ બીજાનાં કર્મનો અંત કરાવે નહિ, તે પ્રત્યેક બુદ્ધ આદિ. ૩. એક પોતાનાં કર્મનો અંત ન કરે પણ બીજાનાં કર્મનો અંત કરાવે, તે અચરમ શરીરી આચાર્ય આદિ. ૪. એક પોતાનાં કર્મનો અંત ન કરે અને બીજાનાં કર્મનો પણ અંત ન કરાવે તે કાલિકાચાર્ય આદિ. ૩૭. ચાર પ્રકારના આચાર્ય – ૧. એક અંદરનો પરિષહ જીતે અને બહારનો પરિષહ પણ જીતે તે દેશથી અને સર્વથી આરાધક. ૨. એક અંદરનો પરિષહ જીતે અને બહારનો પરિષહ ન જીતે તે દેશથકી વિરાધક અને સર્વથકી આરાધક. ૩. એક બહારનો પરિષહ જીતે અને અંદરનો પરિષહ ન જીતે તે દેશથકી આરાધક અને સર્વથકી વિરાધક. ૪. એક અંદરનો પરિષહ જીતે નહીં અને બહારનો પરિષહ પણ જીતે નહીં તે દેશથકી અને સર્વથકી વિરાધક. ૩૮. ચાર પ્રકારના ચપળ – ૧. સ્થાનક ચપળ, તે જ્યાં ત્યાં બેસતો ફરે. ૨. ગતિ ચપળ, તે ઊંટની માફક ચાલતો ફરે. 3. ભાષા ચપળ, તે જેમ તેમ બોલ બોલ કરે. ૪. ભાવ ચપળ, તે એક કામ કરતાં Page #664 -------------------------------------------------------------------------- ________________ ચૌભંગી ૬િ૪૫૩ અધુરૂં મૂકી બીજું કામ ઉપાડે. એ ચાર પ્રકારના ચપળ, જ્ઞાન ન પામે. . ૩૯. ચાર પ્રકારના થોડા પુરૂષ – ૧. પર દુઃખે દુઃખીયા થોડા, ૨. પર ઉપકારી થોડા, ૩. ગુણગ્રાહી થોડા, ૪. ગરીબ સાથે સ્નેહ રાખે તેવા થોડા. ૪૦. ચાર દિશાઓમાં ચાર પુરૂષ – ૧. પૂર્વ દિશામાં ભોગી ઘણા, ૨. પશ્ચિમ દિશામાં શોગી ઘણાં, ૩. ઉત્તર દિશામાં જોગી ઘણાં, ૪. દક્ષિણ દિશામાં રોગી ઘણાં. ૪૧. ચાર પ્રકારનાં ગળણાં – ૧. ધરતીનું ગળણું, ઇર્યા સમિતિ, ૨. મતિનું ગળણું, શુભ ધ્યાન, ૩. વચનનું ગળણું, નિર્વધ ભાષા, ૪. પાણીનું ગળણું, જાડું લૂગડું. ૪૨. ચાર પ્રકારના સાધુ – ૧. એક પોતાનું ભરણપોષણ કરે તે બીજાનું ન કરે, તે જિનકલ્પી. ૨. એક પોતાનું ન કરે અને પરનું કરે, તે પર ઉપકારી સાધુ. ૩. એક પોતાનું કરે અને પરનું કરે, તે સામાન્ય સાધુ. ૪. એક પોતાનું ન કરે અને બીજાનું પણ ન કરે, તે સંથારો કરેલ સાધુ (અથવા દરિદ્રી). ૪૩. ચાર પછેડી સાધ્વીને રાખવી તે – ૧. એક, બે હાથ પનાની સ્થાનકમાં ઓઢે, ૨. બીજી, બે હાથ પનાની ઠંડીલ જતાં ઓઢે, 3. ત્રીજી, ત્રણ હાથ પનાની ગોચરી જતાં ઓઢે. ૪. ચોથી, ચાર હાથ પનાની સમોસરણમાં જતી વખતે ઓઢે. ૪૪. ચાર પ્રકારના પુરૂષ – ૧. એક પુરૂષ સાધુ વેષ મૂકે પણ જિનાજ્ઞારૂપ ધર્મ ન મૂકે, કોઈક કારણ વિશેષ. ૨. એક પુરૂષ સાધુ વેષ ન મૂકે પણ જિનાજ્ઞા રૂપ ધર્મ મૂકે, જમાલીની પેરે. ૩. એક પુરૂષ વેષ તથા ધર્મ બન્ને ન મૂકે, તે ભલા સાધુની પેરે. ૪. એક પુરૂષ સાધુ વેષ મૂકે અને ધર્મ પણ મૂકે, તે કુંડરિકની પેરે. Page #665 -------------------------------------------------------------------------- ________________ - - ૬૪૬ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૪૫. ચાર પ્રકારે આહાર પરઠવવો – ૧. દ્રવ્યથકે આધાકર્માદિક, ૨. ક્ષેત્રથકી, બે ગાઉ ઉપરાંતનો, ૩. કાળથકી, ચોથ પહોરનો, ૪. ભાવથકી, અપથ્યકારી 'કડવા તુંબાની પેરે'. ૪૬. ચાર પ્રકારે આહાર પરઠવવો – ૧. પરવતી વખતે કોઈ મનુષ્ય દૂરથી આવે છે અને દેખે છે તે અશુદ્ધ. ૨. કોઈ દૂરથી આવે છે પણ દેખતો નથી તે પણ અશુદ્ધ. ૩. કોઈ આવતું નથી પણ દેખે છે તે પણ અશુદ્ધ. ૪. કોઈ આવતું નથી અને દેખતું પણ નથી, તે શુદ્ધ ભાંગે પાઠવવું. ૪૭. ચાર પ્રકારે અંતક્રિયા - (છેવટની) કહી તે – ૧. ભરત મહારાજે અંતક્રિયા કરી. ૨. મરૂદેવી માતા. ૩. ગજસુકુમાર. ૪. સનતકુમાર ચક્રવર્તી. એ ચાર અંતક્રિયા કરી મોક્ષે ગયા. ૪૮. ચાર પ્રકારની સ્ત્રીઓ કહી, તે કહે છે – ૧. એક સ્ત્રી, શીલ ગુણે કરી સહિત અને વસ્ત્ર કરીને પણ સહિત, સીતાવત્. ૨. એક શીલે કરીને સહિત અને વસ્ત્ર કરીને રહિત તે રાજમતી ગુફાવતું. ૩. એક શીલે કરીને રહિત અને વસ્ત્ર કરીને સહિત તે વ્યભિચારિણીવતું. ૪. એક શીલે કરીને રહિત અને વચ્ચે કરીને પણ રહિત તે ગણિકા, વસ્ત્ર રહિત છબી પડાવનાર. ૪૯. ચાર મોક્ષ પામવાનાં અંગ કહ્યાં – ૧. મનુષ્યનો ભવ, ૨. સિદ્ધાંત સાંભળવાની પ્રીતિ. ૩. ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા. ૪. ધર્મ કાર્યમાં બળ – વીર્યનું ફોરવવું. ૫૦. મોક્ષના ચાર દરવાજા કહ્યા – ૧. જ્ઞાન, ૨. દર્શન, ૩. ચારિત્ર, ૪. તપ. ઇતિ ચૌભંગી. ઇતિ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ. Page #666 -------------------------------------------------------------------------- ________________ 1 2 ઘોર પાપ આચરણવાળા અને ક્રુર પરિણામવાળા અસુર જાતિના દેવો જે ત્રીજી નરક સુધી નારકના જીવોને વિવિધ પ્રકારના દુઃખો આપે છે તેને પરમાધામી દેવો કહે છે. તેઓ મિથ્યાત્વી હોય છે. તેમના નામ અને કાર્ય (૧) અંબ – નારક જીવોને ઊંચે આકાશમાં લઈ જઈને એકદમ નીચે પછાડે છે. (૨) અંબરિષ – નારકી જીવોના છરી આદિથી નાનાનાના ટૂકડા કરીને ભઠ્ઠીમાં પકાવવા યોગ્ય બનાવે છે. (૩) સામ – દોરડાથી યા લાત આદિથી નારકી જીવોને પીટે છે અને ભયંકર સ્થાનમાં ફેંકી દે છે. (૪) સબલ – શરીરના આંતરડા, નસો અને કાળજું આદિને બહાર ખેંચી લે છે. (૫) રૂદ્ર – ભાલા આદિ શસ્ત્રોમાં નારકીના જીવોને પરોવે છે. (૬) વૈરૂદ્ર-નારીના અંગોપાંગને તોડી નાખે છે. (૭) કાળ - નારકી જીવોને કઢાઈ આદિમાં પકાવે છે. (૮) મહાકાળ – નારકી જીવોના માંસના ટૂકડે ટૂકડા કરી નાખે છે અને તેમને જ ખવડાવે છે. (૯) અસિપત્ર – વૈક્રિય શક્તિ દ્વારા તલવારના આકારના પાંદડાથી યુક્ત વનની વિકૃવણા કરીને તેમાં બેઠેલા નારકી જીવો ઉપર તલવાર જેવા પાંદડાને ઉપરથી ફેંકીને તલ-તલ જેવા નાના-નાના ટૂકડા કરી નાખે છે. (૧૦) ધનુષ્ય - વિકૃવણાથી બનાવેલ ધનુષ્યથી બાણ છોડીને નારકી જીવોના કાન આદિ કાપે છે. (૧૧) કુંભ – તલવાર આદિ દ્વારા કાપેલા નારકી જીવોને કુંભીઓમાં પકાવે છે. (૧૨) વાલુ - વૈક્રિય શક્તિ દ્વારા બનાવેલ કદમ્બ પુષ્પના આકારવાળી અથવા વજ સમાન વેળુ-રેતીમાં નારકી જીવોને ચણાની જેમ ભૂજે છે–શકે છે. (૧૩) વૈતરણી – વૈક્રિય શક્તિથી ગરમ કરેલા માંસ, રૂધિર, રસી, તાંબું, સીસું વગેરે પદાર્થોથી ઊકળતી નદીમાં નારકી જીવોને ફેંકીને તરવાને માટે કહે છે. (૧૪) ખરસ્વર – વજ સમાન કાંટાવાળા અવાજ કરતા થકા અથવા કરૂણ રૂદન કરતા થકા નારકી જીવોને ખેંચે છે. (૧૫). મહાઘોષ – ડરથી ભાગતા થકા નારકી જીવોને પશુઓની જેમ વાડામાં પૂરી દસ છે. અને જોરથી ખીજાતાં થકા તેઓને ત્યાંજ રોકી રાખે છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહ૬ જૈન થોક સંગ્રહ જાંભક દેવોને જાણો . જભક દેવો સદા ક્રિડામાં લીન રહે છે તથા દિવસ અને રાત્રિના ત્રણે કાળમાં ફરે છે તેથી તેને જાંભક કહે છે. (૧) આણ જમકા – ભોજનના પરિમાણને વધારવું-ઘટાડવું, સરસ–નિરસ કરવું આદિ શક્તિવાળા. (૨) પાણજભકા – પાણીને ઘટાડવા-વધારવાવાળા દેવ. (૩) લયણજભકા – ઘર આદિની રક્ષા કરવાવાળા દેવ. (૪) સયણ જાંભકા – શય્યા આદિની રક્ષા કરવાવાળા દેવ. (૫) વત્યજભકા – વસ્ત્રને વધારવા–ઘટાડવાની શક્તિવાળા દેવ. (૬) પુષ્પજભકા – ફૂલોની રક્ષા કરવાવાળા દેવ. (૭) ફળજાભકા – ફળોની રક્ષા કરવાવાળા દેવ. (૮) બીજાંભકા – ફૂલો અને ફળોની રક્ષા કરવાવાળા દેવ. (૯) વિદુભકા – વિદ્યાઓની રક્ષા કરવાવાળા દેવ. (૧૦) અવિયતજભકા – સામાન્ય રૂપથી બધા પદાર્થોની રક્ષા કરવાવાળા દેવ. | કિલ્વિષી દેવોને જાણો.... જિનેશ્વર દેવોની વાણીનાં ઉત્થાપક, તીર્થકર દેવોની આશાતના કરવાવાળા, જિનાજ્ઞાના વિરાધક, તપ – સંયમની ચોરી કરવાવાળા, આચાર્ય ઉપાધ્યાયનાં અવર્ણવાદ બોલવાવાળા જીવો કિલ્વિષી દેવો થાય છે. જેમ આપણા ક્ષેત્રમાં ભંગી – ચાંડાળ આદિના માન – સન્માન નથી તેમ તે દેવોના કોઈ માન સન્માન નથી. તેઓ નજીકના દેવોની સભામાં આમંત્રણ વિના જાય છે અને દૂર બેસે છે. તેની ભાષા કોઈને સારી લાગતી નથી અને છતાં પોતે વચ્ચે બોલે તે "મા ભાષ દેવા" એમ કહીને તમને બોલતાં અટકાવી દેવાય છે. શુભ થાઓ, કલ્યાણ થાઓ. Page #668 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરાય નમઃ જૈન દર્શન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત (ટ્રસ્ટ રજી. નં. ઈ. ૧૧૦૫૧ અમદાવાદ તા. ૨૮-૧૦-૯૬) સમગ્ર ભારતમાં સર્વ પ્રથમ સ્થાનકવાસી જૈન સમાજ માટે જરૂરી તમામ વસ્તુઓ એક જ સ્થળેથી મેળવવા માટે લખો યા મળો. ફોન : ૯૫૭૫૪૧૯ જૈન ઉપકરણ ભંડાર ૧૭, પ્રકાશ પાર્ક સોસાયટી, મેવાડા છાત્રાલય સામે, કોમર્સ કોલેજ છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯ નીચે મુજબની વસ્તુઓ તૈયાર મળશે તેમજ ઓર્ડરથી મોકલી આપીશું. નં. આઈટમનું નામ ૧. રજોહરણ દાંડી સાથે ૨. રજોહરણની માત્ર દાંડી ભાઈઓ માટે દાંડી સાથે ગુચ્છો ભાઈઓના ગુચ્છા માટે માત્ર દાંડી બહેનો માટે દાંડી સાથે ગુચ્છો ૬. બહેનોના ગુચ્છા માટે માત્ર દાંડી ૪. ૫. ૩. ૭. આસન ૮. સંથારીયું .. માળા ૧૦. મુહપત્તિ દોરા સાથે ૧૧. મુહપત્તિના દોરા માટે રીલ (દડા) ૧૨. લાકડાની ઠવણી (નાની-મોટી) ૧૩. પુંજણી ૧૪. ચલોટા માટે કાપડ ૧૫. પછેડી માટે કાપડ ૧૬. કોટન શાલ નં. આઈટમનું નામ ૧૯, તૈયાર ચોલપટ્ટા (સામયિકના ઉપકરણ) ૨૦. ગોલ્ડન બુચ કાપડ ૨૧. શ્વેતેહંસ, કેમબ્રીક્સ ૨૨. સામાયિકના ઉપકરણ રાખવાની ૨૩. થેલી (સફેદ) પહોળા મોંઢાના અચેત્ત પાણીના સ્પેશિયલ જગ ૨૪, સામાયિક (ગુજરાતીમાં) ૨૫. સામાયિક - ખેસ પ્રતિક્રમણ પ્રતિક્રમણ (ઈંગ્લીશમાં) ૨૬. બૃહદ જૈન થોક સંગ્રહ ૨૭. મચ્છરદાની ૨૮. આગમ-ગુટકા (દિક્ષાર્થી માટે ચોપડીનો સેટ) ૨૯. સફેદ કાગળની ડાયરી ૧૭. ગરમ શાલ ૧૮. લાકડાના પાતરા નાના-મોટા (તા.ક. દિક્ષાર્થી માટેના તમામ ઉપકરણ મળશે.) Page #669 -------------------------------------------------------------------------- ________________ સુધર્મ પ્રચાર મંડળ “સાહિત્ય : રૂ. પૈસા જે { ૩-૦૦ : v us s છે ITI ૧. શ્રી સામાયિક સૂત્ર ૨-૦૦ શ્રી સામાયિક પ્રતિક્રમણ સૂત્ર ૧૦-૦૦ (સામા.પ્રતિક્રમણ પ્રશ્નોત્તર સહિત, સુધર્મ શ્રેણી પરીક્ષાલક્ષી) શ્રી બૃહદ જેન થોક સંગ્રહ (૧૦૧ થોકડાનો સંગ્રહ) (શ્રેણી ૮ થી ૧૦ ના અભ્યાસક્રમ મુજબની બુક ૩૫-૦૦ સુધારા-વધારા સાથેની નવી આવૃતિ) શ્રી મોટી સાધુ વંદણા ૧૦-૦૦ સુધર્મ જૈન પાઠાવાલી ભાગ-૧ સુધર્મ જૈન પાઠાવાલી ભાગ-૨ ૩-૦૦ 1 સુધર્મ જૈન પાઠાવાલી ભાગ-૩ ૩-૦૦ : ૮. સુધર્મ જૈન પાઠાવાલી ભાગ-૪ (નવી આવૃત્તિ) -૦૦ ૯. સુધર્મ જૈન પાઠાવાલી ભાગ-૫ ૩-૫૦ ૧૦. સુધર્મ જૈન પાઠાવાલી ભાગ-૬ ૩-૫o : ૧૧. સુધર્મ જૈન પાઠાવાલી ભાગ-૭ ૩-૫o ૧૨. “કોણ છું ?' “હું આત્મા છું' ૪-૦૦ ૧૩. શ્રાવકની આલોયણા ૪-૦૦ ૧૪. હું શ્રાવક છું (જૈન દર્શન ટ્રસ્ટ) ૧૫. સામા. પ્રતિક્રમણ સૂત્ર (અંગ્રેજીમાં) બુક ૧૨-૦૦ સુધર્મ શ્રેણી (પરીક્ષાલક્ષી) ૧ થી ૪ ની પ્રશ્નોત્તર બુક ૧૦-૦૦ સુધર્મ શ્રેણી (પરીક્ષાલક્ષી) ૫ થી ૭ ની પ્રશ્નોત્તર બુક ૧૨-૦૦ સુધર્મ શ્રેણી (પરીક્ષાલક્ષી) ૮ થી ૧૦ ની પ્રશ્નોત્તર બુક ૧પ-૦૦ 1 સુધર્મ શ્રેણી (પરીક્ષાલક્ષી) ૧૧-૧૨ ની પ્રશ્નોત્તર બુક ૧૩-૦૦ : સુધર્મ શ્રેણી (પરીક્ષાલક્ષી) ૧૩-૧૪ ની પ્રશ્નોત્તર બુક ૩૫-૦૦ : સુધર્મ શ્રેણી (પરીક્ષાલક્ષી) ૧૫-૧૬ ની પ્રશ્નોત્તર બુક ૩૫-૦૦ " નોધ : પુસ્તકની કિંમત + બુક પોસ્ટેજ ચાર્જ અગાઉથી મનીઓર્ડર દ્વારા મંડળના સરનામે અમદાવાદ મોકલી આપવા નમ્ર વિનંતી છે. 0000000 T ૪-૦૦ TITLE Page #670 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના ત્રણ મનોરથો. પહેલા મનોરથમાં શ્રાવકજી એમ ચિંતવે છે કે અહો જિનેશ્વર દેવ ! આ બાહ્ય અને આત્યંતર પરિગ્રહ, વિષય અને કષાયને વધારનાર છે. રાગ-દ્વેષના મૂળ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો નાશ કરનારા છે. અઢાર પાપને વધારનાર, દુર્ગતિને દેનાર છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારા છે. તેથી ક્યારે હું આરંભ અને પરિગ્રહ થોડો કે વધુ ઘટાડીશ કે ઓછો કરીશ તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. " બીજા મનોરથમાં શ્રાવકજી એમ ચિંતવે છે કે અહો જિનેશ્વ૨ વ્ર ! ક્યારે હું ગૃહવાસનો ત્યાગ કર૪, સંસારનો ત્યાગ ' કરી, અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરી, દ્રવ્ય અને ભાવથી મુંડિત થઈને, દીક્ષા અંગીકાર કરીને, દશ પ્રકારનો સાધુધર્મ, સત્ત૨ પ્રકારનો સંયમ પાળતો થકો, વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર ચાલનારી બનું, તે દિવસ મારો ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. " શ્રી મનોરંથમાં શ્રાવૈકજી એમ ચિતવે છે કે અહો જિનેશ્વર દેવ ! ક્યારે હું ચારે આહારનો ત્યાગ કરી, અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરી, ભૂતકાળની ભૂલોની આલોચના કરી પડિક્કમિ, નિંદી, નિઃશલ્ય થઈ બધા જીવોનેખમ ની અતિ પ્રેમથી પાલન પોષણ કરેલા, આ શરીરના મમત્વને હટાવીને, ચાર શરણ લેતો થકો પંડિત મ૨ણે મરીશ, તે દિવસ મારી ધન્ય અને પરમ કલ્યાણકારી થશે. 2 ain Education international www.jainelibrary