SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ વાણવ્યંતર દેવ ૫૫૧ ૯. ઇન્દ્ર, ૧૦. સામાનિક, ૧૧. આત્મરક્ષક, ૧૨. પરિષદા, ૧૩. દેવી, ૧૪. અનીકા, ૧૫. વૈક્રિય, ૧૬. અવધિ, ૧૭. પરિચા૨ણા, ૧૮. સુખ, ૧૯. સિદ્ધ, ૨૦. ભવ, અને ૨૧. ઉત્પન્ન દ્વાર. ૧. નામ દ્વા૨ : ૧૬ વાણવ્યંત૨નાં નામ :- ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિંપુરૂષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ, ૯ આણપન્ની, ૧૦ પાણપક્ષી, ૧૧ ઇસીવાઈ, ૧૨ ભુઈવાઈ, ૧૩ કંદીય, ૧૪ મહાકંદિય, ૧૫ કોદંડ, ૧૬ પયંગદેવ. ૧૦ ભકાના નામ :- ૧ આણભકા, ૨ પાણભકા, ૩ લયણાંભકા, ૪ સયણભકા, ૫ વત્થભકા, ૬ પુષ્પભ્રંભકા, ૭ ફળભકા, ૮ બીયભકા, ૯ વિજ્રજભકા, ૧૦ અવિયતશૃંભકા. ૨. વાસા દ્વાર : રત્નપ્રભા નર્કનો ઉપલો ૧ હજાર યોજનનો જે પિંડ છે તેમાં ૧૦૦ યો. ઉ૫૨, ૧૦૦ યો. નીચે છોડીને ૮૦૦ યો. માં ૮ જાતિના વ્યંતર દેવો રહે છે. અને ઉપરના ૧૦૦ યો. પિંડમાં ૧૦ યો. ઉપ૨, ૧૦ યો. નીચે છોડીને ૮૦ યો. માં ૯ થી ૧૬ જાતિના વાણવ્યંતર દેવો રહે છે. (એક માન્યતા એમ કહે છે કે ૮૦૦ યો. માં ૧૬ જાતિના વ્યંતર દેવો અને ૮૦ યો.માં ૧૮ જાતિના વૃંભક દેવો વસે છે.) ૩. નગર દ્વાર : ઉપ૨ના વાસામાં વાણવ્યંતર દેવોના અસંખ્યાતા નગર છે તે સંખ્યાતા સંખ્યાતા યોજનના વિસ્તારવાળા અને રત્નમય છે. ૪. રાજધાની દ્વા૨ : ભવનપતિથી થોડા વિસ્તારવાળી પ્રાયઃ ૧૨ હજાર યોજનની તિÁ લોકના દ્વીપસમુદ્રોમાં રત્નમય રાજધાની વાણવ્યંતર દેવોની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy