SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ રિકા, ૬ મઘા, ૭ માઘવઇ. હવે તેના ગોત્ર કહે છે. ૧ રત્નપ્રભા, ૨. શર્કરા પ્રભા, ૩ વાલુપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમ્રપ્રભા, ૬ તમપ્રભા ૭ તમસ્તમwભા. એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૧૪ ભેદ નારકીના કહ્યાં. નરકનો વિસ્તાર કહે છે - પહેલી નરકનો પિંડ ૧,૮૦,000 જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૭૮,૦૦૦ જજનની પોલાણ છે. તે પોલાણમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. તે આંતરામાં ઉપરના બે છોડી નીચેના ૧૦ આંતરામાં ભવનપતિ દેવો રહે છે. ૧૩ પાથડા મધ્ય ૩૦ લાખ નરકાવાસા છે. અસંખ્યાતી નારકીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે ચાર બોલ છે. (૧) ૨૦,000 જોજનનો ઘનોદધિ છે, (૨) અસંખ્યાતા જોજનનો ઘનવા છે, (૩) અસંખ્યાતા જોજનનો તનવા છે. (૪) અસંખ્યાતા જોજનનો આકાશ છે. તેની નીચે બીજી નરક છે. બીજી નરકનો પિંડ ૧,૩૨,૦૦૦ જોજનનો છે. તેમાંથી એક હજાર જોજનો દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનનો દળ નીચે મૂકીએ તેની વચ્ચે ૧,૩૦,000 જોજનની પોલાણ છે. તે પોલાણમાં ૧૧ પાથડા અને ૧૦ આંતરા છે. તે પાથડા મળે ૨૫ લાખ નરકાવાસા છે. ૧૦ આંતરા ખાલી છે. અસંખ્યાતી નારકીને ઉપજવાની કુંભીઓ છે. અસંખ્યાતા નારકી છે. તેની નીચે પહેલી નરકમાં કહ્યા તે જ ચાર ૧ તે બીલ્ડીંગમાંના માળના પોલા સ્લેબ સમાન, ભાગ કરનારા. ૨ વચ્ચેની ખાલી જગ્યા. ૩ નક્કર પાણી, બરફ જેવું. ૪ નક્કર થઈ ગયેલો વાયુ. ૫ પાતળો થઈ ગયેલો વાયુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy