SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ધર્મધ્યાનનાં ૪ લક્ષણ – ૧. આશા રૂચિ – વીતરાગની આજ્ઞાની રૂચિ. ૨. નિસર્ગ રૂચિ – જ્ઞાનાદિ ઉપજવાથી થયેલી રૂચિ. ૩. ઉપદેશ રૂચિ – ધર્મ સાંભળવાની રૂચિ. ૪. સૂત્ર રૂચિ – સિદ્ધાંત | આગમ ભણવાની રૂચિ. ધર્મધ્યાનનાં ચાર આલંબન – ૧. વાંચના, ૨. પૃચ્છના, ૩. પરિપટ્ટણા અને ૪. ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા – ૧. એગચ્યાણુપેહા – જીવ એકલો આવ્યો છે ને એકલી જશે. તેનો વિચાર કરવો. ૨. અણિચ્ચાણુપેહા – સંસારની અનિત્યતાનો વિચાર કરવો. ૩. અસરણાણુપેહા – સંસારમાં કોઈ કોઈનું શરણ નથી તેનો વિચાર કરવો. ૪. સંસારાકુખેહા – સંસારની સ્થિતિ દશા નો વિચાર કરવો. શુક્લધ્યાન શુક્લધ્યાનનાં ચાર પાયા – ૧. પૃથકત્વ-વિતર્ક-સવિચાર : એક એક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન અનેક પર્યાય (ઉપવા, વિહેવા, ધુવા) ભાવનો વિચાર કરવો. ૨. એકત્વ-વિતર્ક-નિર્વિચાર : અનેક દ્રવ્યોમાં એક ભાવ (અગુરુલઘુ આદિ) નો વિચાર ચિંતવવો. ૩. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ: તેરમા ગુણસ્થાનકના અંતમાં આયુષ્ય અંતર્મુહૂર્ત રહે ત્યારે અચળ અવસ્થામાં ત્રણે યોગોનું નિરૂદ્ધપણું વિચારે. આ અવસ્થાથી પાછા ફરવું નથી. ૪. સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ – ચૌદમા ગુણસ્થાનની શ્વાસ ઉચ્છવાસ આદિ સૂક્ષ્મ ક્રિયાથી પણ નિવર્તવાનું ચિંતવવું. શુક્લધ્યાનનાં ચાર લક્ષણ – ૧. વિવેક - 'શરીર અને આત્મા ભિન્ન છે' એમ ચિંતવવું. ૨. વ્યુત્સર્ગ – શરીરને અનિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy