SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ધ્યાન આધ્યાન આર્તધ્યાનનાં ચાર પાયા – ૧. મનોજ્ઞ વસ્તુની અભિલાષા કરવી. ૨. અમનોજ્ઞ વસ્તુને દૂર કરવાની અભિલાષા કરવી. 3. રોગાદિ અનિષ્ટોનો વિયોગ ચિંતવવો. ૪. ભોગોમાં આસક્ત બની તેનો વિયોગ ન થાય તેમ ચિંતવવું. આર્તધ્યાનના ચાર લક્ષણો - ૧. ક્રન્દન – શબ્દ સાથે અશ્રપાત કરવો. ૨. શોચન – સતત ચિંતા | શોક કરવાં, દીનતા બતાવવી. ૩. તિપ્પન – અવાજ વિના અશ્રપાત કરવો. ૪. વિલપન – વિલાપ કરતાં કરતાં વારંવાર પૂર્વે કરેલાં કર્મોનું ચિંતવન કરી કલેશ યુક્ત બોલવું. રૌદ્રધ્યાન રૌદ્રધ્યાનના ચાર પાયા – ૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચોરી, ૪. પરિગ્રહ કે ભોગપભોગનું ચિંતન. આ ચારેમાં આનંદ માનવો. રૌદ્રધ્યાનના લક્ષણો – ૧. ઉસન્ન દોષ – હિંસાદિ કોઈ એક પાપમાં પ્રવૃત્ત રહેવું. ૨. બહુ દોષ – હિંસાદિ સર્વ પાપમાં પ્રવૃત્ત રહેવું. ૩. અજ્ઞાન દોષ – મિથ્યા શાસ્ત્રોનાં સંસ્કારોથી હિંસાદિ ધર્મ વિમુખ કાર્યમાં પ્રવૃત્ત રહેવું. ૪. આમરણાંત દોષ – મરણપથારીએ પણ પશ્ચાતાપ ન કરે. આખી જીંદગી પર્યત દ્વેષ રાખે. ધર્મધ્યાન ધર્મધ્યાનનાં ચાર પાયા – ૧. આણાવિજએ – વીતરાગદેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો. ૨. અવાયવિજએ – કર્મ દુઃખ આવવાના કારણને વિચારવા. ૩. વિવાગવિજએ – શુભાશુભ કર્મ વિપાકને (ફળ) વિચારવું. ૪. સંડાણવિજએ --- ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy