SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એમ ચારે પ્રકા૨ે જીવે પુદ્ગલ પરાવર્ત્ત કર્યા છે, તે સ્પષ્ટ નીચે પ્રમાણે છે. પુદ્ગલ પ૨ાવર્ત્તના બે ભેદ : ૧ બાદ૨ ને ૨ સૂક્ષ્મ, તે બન્નેના ચાર ભેદ : ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી. ૧. દ્રવ્યથી બાદર પુદ્ગલ પ૨ાવર્ત્ત : તે જગતમાંના સર્વ પુદ્ગલો ઔદારિકપણે, વૈક્રિયપણે, એમ સાતે પ્રકારે પુદ્ગલો પૂરા ક૨ે પણ અનુક્રમે નહિ, એટલે કે ઔદારિકપણે પુદ્ગલો પૂરા કર્યા પહેલાં વૈક્રિયપણે લે, અથવા તૈજસપણે લે, ગમે તે પુદ્ગલ ૫૨ાવર્ત્તપણે વચમાં લઈ પછી ફ૨ી ઔદારિકપણાના લીધા પુદ્ગલો પૂરા કરે, એમ સાતે પ્રકારે અવળા સવળા જગતના સર્વ પુદ્ગલોને પૂર્ણ કરે, તેને દ્રવ્ય બાદ૨ પુદ્ગલ પ૨ાવર્ત્ત કહીએ. ૨. દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ ૫૨ાવર્ત્ત : તે જગતમાંના સર્વ પુદ્ગલોને ઔદારિકપણે પૂર્ણ કરે પછી વૈક્રિયપણે, પછી તૈજસપણે, એમ એક પછી એક અનુક્રમે ક૨ી સાતે પુદ્ગલ પરાવર્ત્તપણે પૂર્ણ ક૨ે તેને દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ ૫૨ાવર્ત્ત કહીએ. ૩. ક્ષેત્રથી બાદર પુદ્ગલ પરાવર્ત્ત : તે ચૌદ રાજલોકના જેટલા આકાશપ્રદેશ છે, તે સર્વ આકાશપ્રદેશને દરેક પ્રદેશે મરી મ૨ીને અનુક્રમ વિના ગમે તેમ કરી પૂર્ણ કરે. ૪. ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગલ પ૨ાવર્ત્ત : તે ચૌદ રાજલોકના આકાશપ્રદેશને અનુક્રમે એક પછી એક ૧-૨-૩-૪-૫ -૬-૭-૮-૯-૧૦ એમ દરેક પ્રદેશમાં મરીને પૂર્ણ કરે. તેમાં પહેલાં પ્રદેશે મ૨ીને ત્રીજા પ્રદેશે મરે અથવા પાંચમા, આઠમા ગમે તે પ્રદેશે મરું, તે પુદ્ગલ પરાવર્ત્ત ક૨વામાં ન ગણાય. અનુક્રમે દરેક પ્રદેશે મરી સમસ્ત લોક પૂર્ણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy