SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ આ ધર્મધ્યાનનો સૂત્ર પાઠ કહ્યો, હવે તેનો અર્થ કહે છે. ધર્મધ્યાનના ૪ ભેદ છે. (૧) આણાવિજએ, (૨) અવાયવિજએ, (૩) વિવાગવિજએ, (૪) સંઠાણવિજએ. પહેલો ભેદ : આણાવિજએ : આણાવિજએ એટલે વીતરાગ દેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એ છે કે સમકિત સહિત શ્રાવકનાં ૧૨ વ્રત, ૧૧ પડિમા, સાધુજીના ૫ મહાવ્રત તથા ૧૨ ભિખ્ખુની પડિમા, શુભ ધ્યાન, શુભ યોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ને છકાય જીવની રક્ષા એ વીતરાગ દેવની આજ્ઞાને આ૨ાધવી. તેમાં સમય માત્રનો પ્રમાદ ન ક૨વો. ચતુર્વિધ સંઘનાં ગુણ કીર્તન કરવા. આ ધર્મધ્યાનનો પહેલો ભેદ કહ્યો. બીજો ભેદ : અવાયવિજએ : અવાયવિજએ કહેતાં – જીવ સંસારમાં દુઃખ શા થકી ભોગવે છે ? તેનો વિચા૨ ચિંતવવો. તેનો વિચાર એ છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, અઢાર પાપસ્થાનક અને છકાય જીવની હિંસા આનાથી જીવ દુઃખ પામે છે. માટે એવું દુઃખનું કારણ જાણી એવો આશ્રવ માર્ગ છોડી, સંવ૨ માર્ગ આદ૨વો જેથી જીવ દુઃખ ન પામે. આ ધર્મધ્યાનનો બીજો ભેદ ક્યો. ત્રીજો ભેદ : વિવાગવિજએ : વિવાવિજએ એટલે જીવ સંસારમાં સુખ અને દુ:ખ શા થકી ભોગવે છે, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે, જીવે જેવા ૨સથી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્જન કર્યા છે, તેવાં શુભાશુભ કર્મના ઉદયથી, જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતાં થકા કોઈ ઉ૫૨ રાગદ્વેષ ન આંણી, સમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત જૈન ધર્મમાં પ્રવર્તે તો નિરાબાધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy