SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારનાં તપ ૬૦૯ હાલ્યા ચાલ્યા વિના પડી રહે તેમ સંથારો કરીને સ્થિર થઈ જવું. તેમાં શ૨ી૨ સંસ્કાર, હલન ચલન, પ્રતિક્રમણાદિ કરવાની જરૂર નથી. ચારે આહારનો ત્યાગ જરૂ૨થી કરે. વૈયાવચ્ચ ન કરાવે. તેના બે ભેદ. ૧. વ્યાઘાત ઃ– અગ્નિ, સિંહાદિનો ઉપદ્રવ આવ્યેથી અનશન ક૨વો. જેમ સુકોશલ તથા અતિસુકુમાલ મુનિએ કર્યો. ૨. નિર્વ્યાઘાત ઃનિરૂપદ્રવે, મૃત્યુ સમય પાસે જાણીને સ્વેચ્છાએ કરવો. ૨. ભક્ત પ્રત્યાખ્યાન :- જીવન પર્યંત ત્રણ કે ચાર આહા૨નો ત્યાગ કરીને સંથારો કરવો. તેમાં શરીર સંસ્કાર, હલન ચલન, પ્રતિક્રમણાદિ જરૂ૨થી કરે. વૈયાવચ્ચ પણ કરાવે. તેના બે ભેદ છે. ૧. વ્યાઘાત :– ઉપદ્રવ આવે ત્યારે અમુક હદ સુધી ત્રણ કે ચાર આહારના પચ્ચક્ખાણ ક૨ે. જેમ અર્જુનમાળીના ભયથી સુદર્શન શેઠે કરેલા. ૨. નિર્વ્યાઘાત :– ઉપદ્રવ ન આવે તો પણ જાવજીવ ત્રણ - કે ચાર આહારનો ત્યાગ કરે. ૩. ઇંગિતમ૨ણ :– જાવજીવ પર્યંત ચારે આહા૨નો ત્યાગ ક૨વો. શ૨ી૨ સંસ્કાર, હલન ચલન, પ્રતિક્રમણાદિ જરૂરથી કરે. દિશાની મર્યાદા કરે, વિહાર ન કરે. વૈયાવચ્ચ કરાવે અથવા ન કરાવે. તેના બે ભેદ છે. ૧. વ્યાઘાત. ૨. નિર્વ્યાઘાત. [આ રીતે અનશનના ઇત્વ૨ીકના ૧૪ + ૬ અવકાલિકના એમ ૨૦ભેદ થયા.] ૨. ઉણોદરી તપ તેના બે ભેદ :– ૧. દ્રવ્ય ઉણોદરી, ૨. ભાવ ઉણોદરી. ૧. દ્રવ્ય ઉણોદરી :- તેના બે ભેદ છે. ક. ઉ૫ક૨ણ દ્રવ્ય ઉણોદરી – તે વસ્ત્ર, પાત્ર અને દેહ ઉપયોગી સામગ્રી જરૂ૨થી ઓછાં રાખે, ભોગવે. ઉ૫ક૨ણ ઉણોદ૨ીના ૩ ભેદ. અ. એક વસ્ત્ર રાખવું. આ. એક પાત્ર રાખવું. ઈ. એક ઈષ્ટ વસ્તુ રાખવી. -39 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy