SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પચ્ચીસ બોલા અગિયાર બોલે જ્ઞાન વધે તે કહે છે. ૧ જ્ઞાન શીખવા માટે ઉદ્યમ કરવાથી જ્ઞાન વધે છે. ૨ ઊંઘ ઘટાડીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૩ ભૂખ કરતાં ઓછું ખાઈને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૪ મૌન રાખીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૫ જ્ઞાની પાસે અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૬ ગુરુનો વિનય કરીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૭ સંસારમાં વૈરાગ્ય સાથે જ્ઞાન શીખવાથી જ્ઞાન વધે છે. ૮ શીખેલું જ્ઞાન વારંવાર ફેરવવાથી જ્ઞાન વધે છે. ૯ પાંચ ઇન્દ્રિયોને વશ કરીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૧૦ બ્રહ્મચર્યનું પાલન કરીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. ૧૧ કપટરહિત તપ કરવાથી જ્ઞાન વધે છે. મૂળ નક્ષત્રના ૧૧ તારા છે. ' ૧૨ બારમે બોલે – બાર કારણે આત્માનું પરમ કલ્યાણ થાય તે કહે છે. ૧ સમકિત નિર્મળ પાળે તો આત્માનું પરમ કલ્યાણ થાય, શ્રેણિક મહારાજાની જેમ, ૨ નિયાણારહિત કરણી કરે તો પરમ કલ્યાણ થાય, તામલી તાપસની પેર, ૩ મન વચન કાયાના જોગ કબજે રાખે તો પરમ કલ્યાણ થાય, ગજસુકુમાર મુનિની પેરે. ૫ છતી શક્તિ એ ક્ષમા કરે તો પરમ કલ્યાણ થાય, પરદેશી રાજાની પેરે, ૫ પાંચ ઇન્દ્રિયનું દમન કરે તો પરમ કલ્યાણ થાય, ધર્મરૂચિ અણગારની પેરે, ૬ સાધુનો શુદ્ધ આચાર પાળે તો પરમ કલ્યાણ થાય, ધન્ના અણગારની પેરે, ૭ ધર્મ ઉપર શ્રદ્ધા પ્રતીતિ રાખે તો પરમ કલ્યાણ થાય, વરૂણ નાગ નટુઆના મિત્રની પરે, ૮ માયા કપટ છાંડે તો પરમ કલ્યાણ થાય, મલ્લિનાથના છ મિત્રની પરે, ૯ આશ્રવમાં સંવર નીપજાવે તો પરમ કલ્યાણ થાય, સંજતિ રાજાની પરે, ૧૦રોગ આવે હાયવોય ન કરે તો પરમ કલ્યાણ થાય, અનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy