SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૧૮ અમૃતવેલ, ૧૯ થોહર, ૨૦ બીડ, ૨૧ અડવીના ગાંઠીયા, ૨૨ ગરમર, એ આદિ કંદમૂળના ઘણાં ભેદ છે. તેને સાધારણ વનસ્પતિ કહીએ. કંદમૂળ એક સોયની અગ્ર ઉપર રહે એટલામાં અસંખ્યાતા પ્રતર છે. એકેકા પ્રતરમાં અસંખ્યાતી શ્રેણી છે. એકેકી શ્રેણીમાં અસંખ્યાતા ગોળા છે. એકકા ગોળામાં અસંખ્યાતા શરીર છે. એકેકા શ૨ી૨માં અનંત અનંત જીવ છે એ સાધા૨ણ વનસ્પતિનું (નિગોદનું) આયુષ્ય જ. અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે. પ્રત્યેક વનસ્પતિનું આયુષ્ય જધન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષનું છે. વનસ્પતિકાયનાં કુળ ૨૮ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન વિવિધ પ્રકા૨નું છે. વર્ણ વિવિધ છે. તેની દયા પાળીએ તો મોક્ષના અનંતા સુખ પામીએ. ઇતિ વનસ્પતિકાયનો વિસ્તાર. છઠ્ઠો ત્રસકાયનો વિસ્તાર શકાયઃ— તે જે જીવ પોતાની મેળે હાલીચાલી શકે, તડકેથી છાંયે જાય ને છાંયેથી તડકે જાય તેને ત્રસકાય કહીએ. તેના ચાર ભેદ છે. ૧. બેઇન્દ્રિય, ૨. તેઇન્દ્રિય, ૩. ચૌરેન્દ્રિય, ૪. પંચેન્દ્રિય. ૧. બેઇન્દ્રિય ઃ તેના બે ભેદ – અપર્યાપ્તા અને પર્યાપ્તા. બેઇન્દ્રિય કોને કહીએ ? જેને સ્પર્શેન્દ્રિય (કાયા) અને ૨સેન્દ્રિય (જીભ) હોય શ્વેને બેઇન્દ્રિય કહીએ. તેના જીવ તે : ૧ શંખ, ૨ કોડી, ૩ છીપ, ૪ જળો, ૫ કીડા, ૬ પોરા, ૭ વાળા, ૮ અળસીયાં, ૯ કરમીયાં, ૧૦ ચરમિયાં, ૧૧ કાતરા, ૧૨ ચુડેલ, ૧૩ જળો, ૧૪ એળ, ૧૫ વાંતરા, ૧૬ લાળીયા, એ આદિ બેઇન્દ્રિયના ઘણા ભેદ છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ બાર વર્ષનું. તેનાં કુળ સાત લાખ ક્રોડ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy