SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન થોક સંગ્રહ ૨૦ શ્રી બૃહદ્ (ગોત્ર કર્મના ઉદયે ૧ ભેદ) ૪૨ ઊંચ ગોત્ર. ઇતિ પુણ્યતત્ત્વ ૪ પાપતત્ત્વ અશુભ કરણીએ કરી, અશુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભોગવતાં કડવાં લાગે તેને પાપતત્ત્વ કહીએ. અઢાર (૧૮) પ્રકારે પાપ ઉપજે તે કહે છે. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ વૈશુન્ય, ૧૫ ૫૨પરિવાદ, ૧૬ રતિઅતિ, ૧૭ માયામોસો, ૧૮ મિચ્છા દંસણસન્ન. પાપના ફળ બ્યાસી (૮૨) પ્રકારે ભોગવે તે કહે છે. - (જ્ઞાનાવરણીયકર્મના ઉદયે ૫) ૧ મતિજ્ઞાનાવ૨ણીય – પાંચ ઇન્દ્રિય તથા મન દ્વારા જે નિયત વસ્તુનું જ્ઞાન થાય તેવા જ્ઞાનનું આચ્છાદન, એટલે બુદ્ધિ નિર્મળ ન હોય. ૨ શ્રુતજ્ઞાનાવ૨ણીય – શ્રુતજ્ઞાન પામે નહિ. ૩ અવધિજ્ઞાનાવ૨ણીય – ઇન્દ્રિયાદિકની અપેક્ષા વિના આત્મદ્રવ્ય દ્વારા સાક્ષાત્ રૂપી દ્રવ્યોને જણાવનારૂં જે જ્ઞાન તે પામે નહિ. ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય – સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવ જણાવનારૂં જ્ઞાન પામે નહિ. ૫ કેવળજ્ઞાનાવ૨ણીય – પૂર્વોક્ત ચાર જ્ઞાન રહિત જે એકલું નિ૨ાવ૨ણ જ્ઞાન હોય એવું કેવળજ્ઞાન પામે નહિ. (દર્શનાવરણીયકર્મના ઉદયે ૯) ૬ ચક્ષુદર્શનાવરણીય. ૭ અચક્ષુ દર્શનાવ૨ણીય.૮ અવધિદર્શનાવ૨ણીય. ૯ કેવળ દર્શનાવ૨ણીય. ૧૦ નિદ્રા – સુખેથી જાગૃત થાય તેવી ઉંઘ. ૧૧ નિદ્રાનિદ્રા- દુ:ખથી જાગૃત થાય તેવી ઉંઘ. ૧૨ પ્રચલા – ઊઠતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy