SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ એવં સર્વ થઈને બહોંતેર વર્ષનું આયુષ્ય ભોગવીને ચોથા આરાના શેષ જતાં ત્રણ વર્ષ ને સાડાઆઠ મહિના બાકી રહ્યા, ત્યારે આસો વદ અમાસને દિને (આગમિક ભાષામાં કાર્તિક વદી અમાસ) પાવાપુરી નગ૨ીને વિષે, એકાકીપણે સ્વામી નિર્વાણ (મોક્ષ) પધાર્યા. તે ભગવંતના પાંચ કલ્યાણીક ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયા. તે ૧ પહેલે કલ્યાણીકે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દશમા પ્રાણત દેવલોકથી આવીને દેવાનંદાની કૂક્ષીએ ઉત્પન્ન થયા. ૨ બીજે કલ્યાણીકે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગર્ભનું સાહરણ થયું. ૩ ત્રીજે કલ્યાણીકે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મ થયો. ૪ ચોથે કલ્યાણીકે, દીક્ષા લીધી. ૫ પાંચમે કલ્યાણીકે, કેવળજ્ઞાન પામ્યા. સ્વાતિ નક્ષત્રમાં ભગવંત મોક્ષ નિર્વાણ પામ્યા, એ આરાને વિષે ગતિ પાંચ જાણવી. શ્રી મહાવીર દેવ નિર્વાણ પધાર્યા, તે જ વખતે શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન ઉપજ્યું. તે શ્રી ગૌતમ સ્વામી ૧૨ વર્ષ કેવળ પ્રવજ્યા પાળી મોક્ષ પધાર્યા, તે જ વખતે શ્રી સુધર્મા સ્વામીને કેવળજ્ઞાન ઉપજ્યું. તે સુધર્મા સ્વામી ૮ વર્ષ કેવળ પ્રવજ્યા પાળી મોક્ષ પધાર્યા, તે જ વખતે શ્રી જંબૂ સ્વામીને કેવળજ્ઞાન ઉપજ્યું. તે જંબૂ સ્વામી ૪૪ વર્ષ કેવળ પ્રવજ્યા પાળી મોક્ષ પધાર્યા. એવં સર્વ થઈને શ્રી મહાવી૨ દેવ મોક્ષ પધાર્યા પછી ૬૪ વર્ષ સુધી કેવળજ્ઞાન રહ્યું, પછી વિચ્છેદ ગયું. (નષ્ટ થયું.) એ આરાને વિષે જન્મેલ હોય, તે પાંચમા આરામાં મોક્ષે જાય પરંતુ પાંચમા આરાનો જન્મેલ હોય તે પાંચમા આરામાં મોક્ષે જાય નહિ. જંબુસ્વામીજી મોક્ષ પધાર્યા પછી દશ બોલ વિચ્છેદ ગયા. ૧ ૫૨મ અવધિજ્ઞાન, ૨ મનઃપર્યવજ્ઞાન, ૩ કેવળજ્ઞાન, ૪ પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૫ સૂક્ષ્મ સંપ૨ાય ચારિત્ર, ૬ યથાખ્યાત ચારિત્ર, ૭ પુલાક લબ્ધિ, 'www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy