SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્ત્વ નું ક્ષપન કરવું અથવા છૂટા પાડવું તે ભાવ / સકામ નિર્જરા. આ બને નિર્જરામાં ભાવ સકામ નિર્જરા શ્રેષ્ઠ છે. આ નિર્જરાતત્ત્વ, બાર પ્રકારના તપના ભેદ કરી કહે છે. એટલે બાર પ્રકારના તપ કરવાથી અનાદિ સંબંધવાળા સર્વ કર્મો છૂટા પડે છે તેને નિર્જરાતત્ત્વ કહે છે. બાર પ્રકારના તપથી કર્મોની નિર્જરા થાય છે. તે તપના બે ભેદ છે. (૧) બાહ્ય તપ, (૨) આત્યંતર તપ. છ બાહ્ય તપ કહે છે. ૧ અનશન – આહારનો ત્યાગ. ૨ ઉણોદરી – ન્યૂનતા કરવી, ઉપકરણ અથવા આહાર પાણી જરૂરતથી ઓછાં વાપરવા. ૩ વૃત્તિ સંક્ષેપ – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આજીવિકાનો સંક્ષેપ કરવો એટલે અભિગ્રહ તથા નિયમ આદિ ધારવા. ૪ રસપરિત્યાગ – વિગય આદિ સારા સારા રસનો ત્યાગ કરવો. ૫ કાયકલેશ – તપ, લોચ આદિ શારીરિક કષ્ટનું સહન કરવું. ૬ પ્રતિસંલીનતા – યોગ, કષાય કે ઇન્દ્રિયો આદિનો નિગ્રહ કરે. આ ૬ પ્રકારના બાહ્ય તપ છે. જે તપમાં બાહ્ય કષ્ટો હોય તેને બાહ્ય તપ કહે છે. જે તપમાં બાહ્ય પરિષહો ગૌણરૂપે હોય તથા અંતરંગ શુદ્ધિથી થાય તેને આત્યંતર તપ કહે છે. છ આત્યંતર તપ કહે છે. ૧ પ્રાયશ્ચિત – કરેલા અપરાધની શુદ્ધિ કરવી, કપટરહિતપણે ૧ આત્મશુદ્ધિનાં લક્ષ્ય વિના, સમજ વિના, બાવા જોગી, બાલ તપસ્વી કે એકેન્દ્રિય આદિમાં, સમકિતની હાજરી વિના સહન કરવાથી થતી કર્મ નિર્જરા. ૨ આત્મશુદ્ધિનો આશય પૂર્વક તપ દ્વારા સમજ અને સમભાવ પૂર્વકની સમકિતની હાજરીમાં કષ્ટ સહન કરવાથી થતી કર્મ નિર્જરા સકામ નિર્જરા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy