SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ files of કૂહ #ન થોક સંગ્રહ ૩, વિનયના દશ ભેદ : ૧) અરિહંતનો વિનય કરે. ૨) સિદ્ધનો વિનય કરે. ૩) આચાર્યનો વિનય કરે. ૪) ઉપાધ્યાયનો વિનય કરે. ૫) સ્થવિરનો વિનય કરે. ૬) ગણ (એક આચાર્યના શિષ્યનો સમૂહ) નો વિનય કરે. ૭) મૂળ (બહુ આચાર્યોના શિષ્યનો સમૂહ નો વિનય કરે.૮) સ્વધર્મીનો વિનય કરે. ૯) સંઘનો વિનય કરે. ૧૦) સંભોગીનો વિનય કરે. એ દશનો બહુમાનપૂર્વક વિનય કરે. જૈનશાસનમાં વિનય ધર્મનું મૂળ કહેવાય છે. વિનય કરવાથી અનેક સગુણોની પ્રાપ્તિ થાય છે. ૪. શુદ્ધતા ત્રણ : ૧) મન શુદ્ધતા – મનથી અરિહંત દેવ કે જે ૩૪ અતિશય, ૩પ વાણી, ૮ મહાપ્રતિહાર્ય સહિત, ૧૮દૂષણ રહિત, ૧૨ ગુણ સહિત એવા જે દેવ છે તે જ સાચા દેવ છે. એના સિવાય હજારો કષ્ટ પડે તો પણ બીજા સરાગી દેવોનું મનથી પણ સ્મરણ ન કરે. ૨) વચન શુદ્ધતા - વચનથી અરિહંતના ગુણ કીર્તન કરે. બીજા સરાગી દેવાના ન કરે. ૩) કાય શુદ્ધતા - કાયાથી અરિહંત સિવાયના બીજા સરાગી દેવોને નમસ્કાર ન કરે. ૫. લક્ષણ પાંચ : ૧) સમ – શત્રુ મિત્ર ઉપર સમભાવ રાખવો. ૨) સંવેગ – વૈરાગ્ય ભાવ રાખવો. સંસાર અસાર છે, વિષય અને કષાયથી અનંતકાળ જીવ ભવભ્રમણ કરે છે. આ ભવમાં સારી સામગ્રી મળી છે તો ધર્મ આરાધવો. ઈત્યાદિ વિચાર કરવો. ૩) નિર્વેદ – શરીર અથવા સંસારના અનિત્યપણાનું ચિંતન કરવું. બને ત્યાં સુધી આ મોહમય જગતથી અલગ રહેવું અથવા જગતારક જિનરાજની દીક્ષા લઈ કર્મ શત્રુઓને જીતી લઈ સિદ્ધ પદને પ્રાપ્ત કરવાની અભિલાષા (ભાવના) રાખવી. ૪) અનુકંપા – પોતાની તથા પરના આત્માની અનુકંપા કરવી. દુઃખી જીવોને સુખી કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy