SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહા૨ સમકિતના ૬૭ બોલ Uિ૪૧૫) ૫) આસ્થા – ત્રિલોક પૂજનીય શ્રી વીતરાગ દેવનાં વચનો ઉપર દૃઢ શ્રદ્ધા રાખવી ને હિતાહિતનો વિચાર કરવો. ૬. ભૂષણ પાંચ – ૧) જૈનશાસનમાં ધર્યવાન હોય ને શાસનનાં દરેક કાર્યો ધર્યતાથી કરે. ૨) જૈનશાસનમાં ભક્તિવાન હોય. ૩) શાસનમાં ક્રિયાવાન હોય. ૪) શાસનમાં ચતુર હોય. શાસનના દરેક કાર્ય એવી ચતુરાઈથી બુદ્ધિબળથી) કરે કે જેથી નિર્વિઘ્નતાથી પાર પડી જાય. ૫) શાસનમાં ચતુર્વિધ સંઘની ભક્તિ તથા બહુમાન કરવાવાળો હોય. આ પાંચ ભૂષણોથી શાસનની શોભા વધે છે. ૭. દૂષણ પાંચ : ૧) શંકા – જિનવચનમાં શંકા કરે. ૨) કંપા – બીજા મતોના આડંબર દેખી તેની વાંછા કરે. ૩) વિતિગિચ્છા – ધર્મકરણીના ફળમાં સંદેહ રાખે કે આનું ફળ હશે કે નહિ? અત્યારે વર્તમાનમાં તો કાંઈ દેખાતું નથી. એવો સંદેહ કરે. ૪) પરપાખંડી ઓની પ્રશંસા કરે. ૫) પરપાખંડીનો હંમેશાં પરિચય કરે. આ પાંચ દૂષણો ટાળવા. ૮. પ્રભાવના આઠ: ૧) જે કાળમાં જેટલા સૂત્રાદિ હોય તેને ગુરુગમથી જાણે એ શાસનનો પ્રભાવક બને છે. ૨) મોટા આડંબરથી "ધર્મ-કથા વ્યાખ્યાન કરીને શાસનના જ્ઞાનની પ્રભાવના કરે. ૩) મહાન વિકટ તપશ્ચર્યા કરીને શાસનની પ્રભાવના કરે. ૪) ત્રણ કાળ અથવા ત્રણ મતનો જાણનાર હોય. ૫) તર્ક, વિતર્ક, હેતુ, વાદ, યુક્તિ, ન્યાય, તથા વિદ્યાદિ બળથી વાદિઓનો શાસ્ત્રાર્થથી પરાજય કરીને શાસનની પ્રભાવના કરે. ૬) પુરુષાર્થવાળો પુરુષ દીક્ષા લઈને શાસનની પ્રભાવના કરે. ૭) કવિતા કરવાની શક્તિ હોય તો કવિતા કરી શાસનની પ્રભાવના કરે. ૮) બ્રહ્મચર્ય આદિ મોટા વ્રત પ્રગટ રીતે ઘણા માણસોની ઉપસ્થિતિમાં છે, કારણ કે એથી લોકોને શાસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy