SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ D શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પર શ્રદ્ધા અથવા વ્રતાદિ લેવાની રૂચી વધે છે. અથવા દુર્બળ સ્વધર્મી ભાઈઓને સહાયતા કરવી એ પણ પ્રભાવના છે. ૯. આગાર છે : સમકિતની અંદર છ પ્રકારના આગાર છે. ૧) રાજાનો, ૨) દેવતાનો, ૩) ન્યાતનો, ૪) માતા પિતા અને ગુરુનો, ૫) બળાત્કારનો, ) દુષ્કાળમાં સુખથી આજીવિકા ન ચાલે તો. એ છ પ્રકારના આગારોથી સમકિતમાં કોઈ અનુચિત કાર્ય કરવું પડે તો સમકિતનો ભંગ થતો નથી. ૧૦. જયણા છ : ૧) આલાપ – સ્વધર્મી ભાઈઓની સાથે એકવાર બોલે, ૨) સંલાપ – સ્વધર્મી ભાઈઓની સાથે વારંવાર બોલે, ૩) મુનિને દાન દેવું અથવા સ્વધર્મી ભાઈઓની વાત્સલ્યતા કરવી, ૪) આવું વારંવાર પ્રતિદિન કરવું, ૫) ગુણીજનોના ગુણ પ્રગટ કરવા, ૬) તથા વંદન, નમસ્કાર, બહુમાન કરવું. ૧૧. સ્થાન છે: ૧) ધર્મરૂપી નગર તથા સમકિતરૂપી દરવાજો, ૨) ધર્મરૂપી વૃક્ષ તથા સમકિતરૂપી થડ, ૩) ધર્મરૂપી પ્રાસાદ તથા સમકિતરૂપી પાયો, ૪) ધર્મરૂપી ભોજન તથા સમકિતરૂપી થાળ, ૫) ધર્મરૂપી માલ તથા સમકિતરૂપી દુકાન, ૬) ધર્મરૂપી રત્ન તથા સમકિતરૂપી તિજોરી. / ૧૨. ભાવના છ : ૧) જીવ ચૈતન્ય લક્ષણયુક્ત, અસંખ્યાત પ્રદેશી, અમૂર્તિ છે. ૨) અનાદિકાળથી જીવ અને કર્મોને સંયોગ છે. જેમ દૂધમાં ધૃત, તલમાં તેલ, ધૂળમાં ધાતુ, ફૂલમાં સુગંધ, ચંદ્રની કાંતિમાં અમૃત, છે તે પ્રમાણે અનાદિ સંયોગ છે. ૩) જીવ સુખ દુખને કર્તા છે અને ભોક્તા છે. નિશ્ચય નયથી કર્મનો કર્તા સકર્મક જીવ છે અને વ્યવહાર નથી જીવ છે. ૪) જીવ, દ્રવ્ય, ગુણ, પર્યાય, પ્રાણ અને ગુણસ્થાનક સહિત છે. ૫) ભવ્ય જીવનો મોક્ષ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy