SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ - - ગર્ભ વિચાર પોતાના વજન પ્રમાણે રહે ત્યાં સુધી શરીર નિરોગી અને પ્રકાશવાળું રહે છે. તેમાં વધઘટ થવાથી શરીર, રોગને આધીન થાય છે. નાડીનું વિવેચન - તે શરીરમાં યોગશાસ્ત્રને ન્યાયે બોંતેર હજાર નાડી છે. તેમાંથી નવસૅ નાડી મોટી છે. તેમાંથી નવ નાડી ધમણી ને મોટી છે. તેના થડકારા ઉપરથી રોગની તથા સચેત શરીરની પરીક્ષા થાય છે. તે બે પગની ઘૂંટી નીચે બે, એક નાભીની, એક હૃદયની, એક તાળવાની, બે લમણાની અને બે હાથની એ નવ, એ સર્વ નાડીઓની મૂળ રાજ્યધાની નાભિ છે. તેની વિગત એ છે કે નાભિથી એકસોને સાઠ નાડી, પેટ તથા હૃદય ઉપર પથરાઈને ઠેઠ ઊંચે મસ્તક સુધી પહોંચી છે. તેના બંધનથી મસ્તક સ્થિર રહે છે. તે નાડીઓ મસ્તકને નિયમ મુજબ રસ પહોંચાડે છે, તેથી મસ્તક સતેજ આરોગ્ય ને તર રહે છે. તે નાડીઓમાં નુકશાન હોય ત્યારે આંખ, નાક, કાન અને જીભ એ સર્વ કમજોર થાય છે, રોગીષ્ટ બને છે, શૂળ, ઝામર વગેરે વ્યાધિઓનો પ્રકોપ થાય છે. નાભિથી બીજી એકસો ને સાઠ નાડી નીચી ચાલે છે, તે પગનાં તળીયાં સુધી પહોંચે છે. તેના આકર્ષણથી ગમનાગમન કરવાનું, ઊભુ રહેવાનું તથા બેસવાનું બને છે. તે નાડીઓ ત્યાં સુધી રસ પહોંચાડી આરોગ્ય રાખે છે અને નાડીમાં નુકશાન થવાથી સંધિવા, પક્ષઘાત, સાથળના ચસકા, કળતર, તોડ, ફાટ, માથાના ભેજાનો દુઃખાવો અને આધાશીશી વગેરે રોગનો પ્રકોપ થાય છે. નાભિથી ત્રીજી એકસો ને સાંઠ નાડી તિચ્છ ચાલીને બે હાથની આંગળીઓ સુધી પહોંચે છે. તેટલો ભાગ તેનાથી મજબૂત રહે છે. તેને નુકશાન થવાથી પાસાશૂળ, પેટનાં અનેક દર્દો, મુખપાકનાં, દાંતનાં દર્દો વગેરે અનેક રોગનો પ્રકોપ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy