SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રા. શ્રી ગુણસ્થાન દ્વાર સુલટો થયો, કાળા અડદ પરનું કાળાપણું હટાવીને મગની દાળ જેવો ઉજળો થયો, કૃષ્ણપક્ષી ટળીને શુક્લપક્ષી થયો. ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, જેમ કોઈ મનુષ્યને ૧ ક્રોડ રૂપિયાનું દેણું હતું તે ઘટીને અડધા રૂપિયા (પચાસ પૈસા)થી પણ ઓછું થઈ ગયું તેમ થોડો જ સંસાર પરિભ્રમણ કરવાનો બાકી રહ્યો. ઉત્કૃષ્ટો દેશ ઉણો અર્ધ પુલ પરાવર્તનમાં સંસારનો પાર પામશે. ચોથા અવિરતિ સમ્યગુદૃષ્ટિ ગુણઠાણાનાં લક્ષણ - ૭ પ્રકૃતિને ક્ષયોપશમાવે, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય એ ૭ પ્રકૃતિને કાંઈક ઉદય આવે તેને ક્ષય કરે અને સત્તામાં દલ છે તેને ઉપશમાવે તેને ક્ષયોપશમ સમકિત કહીએ. તે સમ્યત્વ અસંખ્યાતીવાર આવે. ૭ પ્રકૃતિના દલને સર્વથા ઉપશમાવે ઢાંકે તેને ઉપશમ સમકિત કહીએ. તે સમકિત પાંચવાર આવે. ૭ પ્રકૃતિના દલને સર્વથા ક્ષય કરે તેને લાયક સમકિત કહીએ. તે સમકિત ૧ વાર આવે. ચોથે ગુણઠાણે આવ્યો થકો જીવ, જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાલથકી, ભાવથકી, નોકારશી આદિ છમાસી તપ જાણે, સર્દહ, પ્રરૂપે પણ ફરસી શકે નહી, ત્યારે ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવતે કહ્યું, ગૌતમ ! તે જીવ સમકિત વ્યવહારપણે શુદ્ધ પ્રવર્તતો જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ પંદર ભવે મોક્ષે જાય (જો આ ગુણ. માં આયુષ્યનો બંધ કરે તે જ) અથવા દેશે ઊણું અર્ધ પુગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે જાય. વેદક સમકિત એક વાર આવે, તેની સ્થિતિ ન સમયની. પૂર્વે જો આયુષ્યનો બંધ પડ્યો ન હોય તો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy