SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાત ગુણી. ૮ તેથી વૈક્રિયની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાત ગુણી. ૯-૧૦ તેથી તૈજસ-કાર્પણની ઉત્કૃષ્ટ અવગાહના માંહોમાંહે સરખી ને ઉપરથી અસંખ્યાત ગુણી. ૧૩. પ્રયોજન દ્વાર : ૧ ઔદારિક શરીરનું પ્રયોજન મોક્ષને સાધ્ય કરવાનું. ર વૈક્રિય શરીરનું પ્રયોજન વિવિધ રૂપ કરવાનું ૩ આહારક શરીરનું પ્રયોજન સંશય ટાળવાનું ૪ તૈજસ શરીરનું પ્રયોજન પુદ્ગલને પાચન કરવાનું. ૫ કામણ શરીરનું પ્રયોજન આહાર અને કર્મને આકર્ષવાનું. ૧૪. વિષય (શક્તિ) દ્વાર : ૧ ઔદારિક શરીરનો વિષય પંદરમાં રૂચક દ્વીપ સુધી જવાનો. ૨ વૈક્રિય શરીરનો વિષય અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાનો. ૩ આહારક શરીરનો વિષય અઢીદ્વીપ સમુદ્ર સુધી જવાનો. ૪-૫ તૈજસ, કામણનો વિષય સર્વ લોકમાં જવાનો. ૧૫. સ્થિતિ દ્વાર : ૧ ઔદારિક શરીરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની. ર વૈક્રિય શરીરની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૩ સાગરની, ૩ આહારક શરીરની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્તની. ૪-૫ તૈજસ, કાર્મણ શરીરની સ્થિતિ બે પ્રકારે છે, તે અભવ્ય આશ્રી આદિ નથી ને અંત પણ નથી, ૨ મુક્તગામી આશ્રી, આદિ નથી પણ અંત છે. ૧૬. અંતર દ્વાર : ૧ ઔદારિક શરીરને મૂકી ફરીથી ઔદારિક શરીર લેતાં અંતર પડે (વખત જાય) તો જ. અંતર્મુહૂર્ત, ઉ. ૩૩ સાગર. ર વૈક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy