SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ થાય તેને સર્વ સાવધયોગ ત્યાગરૂપ અને નિરવદ્ય યોગ સેવનરૂપ સામાયિક કહીએ. તેને સમ્યફ ચારિત્ર પણ કહે છે. એ સામાયિક ચારિત્ર જીવને પ્રાપ્ત થયા વિના બીજા ચારિત્રોનો લાભ થાય નહિ માટે એને આદિમાં કહ્યું છે. ર છેદોપસ્થાપનીય ચારિત્ર – પૂર્વોક્ત સર્વવિરતિ સામાયિક ચારિત્રને જે છેદાદિ વિશેષપણે વિશેષીએ તે વારે છેદોપસ્થાપનીય ચારિત્ર થાય, છેદ એટલે પૂર્વ પર્યાયનો છેદ કરવો અને ઉપસ્થાપન એટલે ગણનાયકે આપેલું પંચમહાવતરૂપપણું જે મહાવ્રતને વિષે હોય તેને છેદોપસ્થાપનીય ચારિત્ર કહીએ. જ્યાં નવા પર્યાયોનું સ્થાપન કરવું તથા પાંચ મહાવ્રતનો ઉચ્ચાર કરાવવો. તેના બે ભેદ, ૧ સાતિચાર– તે મૂળ ઘાતિને પ્રાયશ્ચિતરૂપ અને ૨ નિરતિચાર – તે ઇવર સામાયિકવંત નવદીક્ષિત શિષ્યને છજીવણિયા (છકાય જીવનું વર્ણન તે દશવૈકાલિકસૂત્રનું અધ્યયન ચોથું) અધ્યયન ભણ્યા પછી હોય તથા બીજા તીર્થ આશ્રયી તે જેમ પાર્શ્વનાથના તીર્થથી વર્ધમાન સ્વામીના તીર્થે આવી ચાર મહાવતરૂપ ધર્મ ત્યાગીને પંચમહાવતરૂપ ધર્મ આદરે તેને હોય. - ૩ પરિહાર વિશુદ્ધ ચારિત્ર – તપ વિશેષ કરી વિશુદ્ધિ એટલે કર્મની નિર્જરા જે ચારિત્રને વિષે હોય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહીએ. તેના બે ભેદ છે. તેમાં પહેલું જે ચાર જણ વિવક્ષિત (અમુક કહેલ તે) ચારિત્રના આસેવક એ કલ્પમાં પ્રવર્તતા હોય તેનું ચારિત્ર તે નિર્વિશમાનક પરિહર વિશુદ્ધ ચારિત્ર. બીજું જે ચાર જણ તેના અનુચારી હોય તે નિર્વિષ્ટકાયિક પરિહાર વિશુદ્ધ ચારિત્ર. તે આ રીતે –- નવ જણાનો ગચ્છ જુદો નીકળે તે તીર્થંકર પાસે અથવા પૂર્વે જેણે તીર્થંકર પાસેથી એ ચારિત્ર પડિવન્યું હોય, તેની પાસે એ ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy