SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્ત્વ (૬) (૨૯ ડિવર્ષે. હવે તે નવ સાધુમાં ચાર જણ પરિહારિક એટલે તપના કરનારા થાય તે નિર્વિશમાન જાણવા અને ચાર તેના વૈયાવચ્ચના ક૨ના૨ા થાય તે નિર્વિષ્ટકાયિક જાણવા તથા એકને વાચનાચાર્ય ગુરુસ્થાનકે ઠરાવે. પછી તે ચાર પરિહારક છ માસ સુધી તપ કરે, તેમાં ઉષ્ણકાળે જઘન્યથી એક ઉપવાસ, મધ્યમથી છઠ્ઠ અને ઉત્કૃષ્ટથી અઠ્ઠમ તપ કરે. શીતકાળે જઘન્યથી છઠ્ઠ ઉપવાસ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટથી ચા૨ તથા વર્ષાકાળે જઘન્યથી અક્રમ, મધ્યમથી ચાર અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ કરે. પારણે આયંબિલ કલ્પસ્થિતપણે નિત્ય કરે. એમ છ મહિના તપ કરે, તે પછી ફરી ચા૨ તપસ્યાના ક૨ના૨ તે વૈયાવચ્ચીયા થાય અને વૈયાવચ્ચ ક૨ના૨ તપસ્વી થાય. તે પણ છમાસ સુધી તપ કરે. ત્યાર પછી ગુરુ વાચનાચાર્ય છમાસ સુધી તપ કરે. આમ અઢાર મહિના સુધી તપ સંપૂર્ણ ક૨ી જિનકલ્પ આદ૨, ગચ્છમાં પાછા ફરે અથવા ફરી તે જ ચારિત્ર આદરે. આ તપ પ્રથમ સંઘયણી, પૂર્વધ૨ લબ્ધિવંત હોય તે પ્રચુ૨ કર્મની નિર્જરા અર્થે અંગીકાર કરે. એ ચારિત્ર પાંચ ભ૨ત, પાંચ ઐરવતમાં અને પહેલા તથા છેલ્લા તીર્થંક૨ના તીર્થમાં હોય. પરિહાર વિશુદ્ધ ચારિત્ર સંક્ષેપથી કહ્યું. ૪ સૂક્ષ્મસંપ૨ાય ચારિત્ર – સૂક્ષ્મ છે કષાય જ્યાં તેને સૂક્ષ્મ સંપ૨ાય ચારિત્ર કહીએ, તે ઉપશમશ્રેણીએ કર્મ ઉપશમાવતાં અથવા ક્ષપકશ્રેણીએ કર્મ ખપાવતાં હોય ત્યાં નવમે ગુણઠાણે લોભના સંખ્યાતા ખંડ કરી તેને જે ઉપશમશ્રેણીવાળો હોય તે ઉપશમાવે તથા જે ક્ષપકશ્રેણીવાળો હોય તે ખપાવે. તે સંખ્યાતા ખંડ માંહેલો જ્યારે છેલ્લો એક ખંડ રહે તેના અસંખ્યાતા સૂક્ષ્મ ખંડ કરીને દશમે ગુણઠાણે ઉપશમાવે અથવા ક્ષય કરે. તે દશમા ગુણઠાણાનું અને ચારિત્રનું બન્નેનું નામ સૂક્ષ્મસંપ૨ાય જાણવું. એ ચારિત્ર બે ભેદ છે. એક શ્રેણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy