SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પિકિ ની શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અશુદ્ધ બે ભેદ, સામાન્ય સાથે વિશેષ માને. ૪નિક્ષેપા, ત્રણે કાળની વાત માને. (૪) જુસૂત્ર નય – ભૂત, ભવિષ્યની પર્યાયોને છોડી માત્ર વર્તમાન, સરળ, પર્યાયને માને. વર્તમાન કાળ, ભાવ નિક્ષેપ અને વિશેષને જ માને. જેમ સાધુ છતાં ભોગમાં ચિત્ત ગયું તેને ભોગી અને ગૃહસ્થ છતાં ત્યાગમાં ચિત્ત ગયું તેને સાધુ માને. એ ચાર દ્રવ્યાસ્તિક નય છે. એ ચારે નય સમકિત, દેશવત, સર્વ વત, ભવ્ય, અભવ્ય બન્નેમાં હોય પણ શુદ્ધોપયોગ રહિત હોવાથી જીવનું કલ્યાણ નથી થતું. (૫) શબ્દ નય – સરખા શબ્દનો એક જ અર્થ કરે. વિશેષ વર્તમાનકાળ અને ભાવનિક્ષેપને જ માને. લિંગભેદ ન માને. શુદ્ધ ઉપયોગને જ માને. જેમ કે શક્રેન્દ્ર, દેવેન્દ્ર, પુરેન્દ્ર, સુચિપતિ એ બધાને એક માને. (૬) સમભિરૂઢ નય – શબ્દના ભિન્ન ભિન્ન અર્થને માને, જેમ શક્રસિંહાસન પર બેઠેલાને જ શક્રેન્દ્ર માને. એક અંશ ન્યૂન હોય તેને પણ વસ્તુ માની લે. વિશેષ ભાવ નિક્ષેપ અને વર્તમાન કાળને જ માને. (૭) એવંભૂત નય – એક અંશ પણ ઓછો ન હોય એને વસ્તુ માને. શેષને અવસ્તુ માને. વિશેષ, વર્તમાનકાળ અને ભાવનિક્ષેપને જ માને. જેમ અસંખ્યાત પ્રદેશ યુક્ત ધર્માસ્તિકાય દ્રવ્ય હોય તો જ તેને ધર્માસ્તિકાય માને. પણ ર-૪ પ્રદેશને ધર્માસ્તિકાય ન માને. આ નયવાળાની દૃષ્ટિ ફક્ત ઉપયોગ તરફ જ રહે. જે નયથી જ એકાંત પક્ષ ગ્રહણ કરે તે નયાભાસ (મિથ્યાત્વી) કહેવાય છે. જેમ સાત આંધળાએ ૧ હાથીના અનુક્રમે દંતશૂળ, સૂંઢ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy