SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ અમોહી, અવિકારી, મહાજ્ઞાની, મહાધ્યાની, વર્ધમાન પરિણામી, અપડિવાઈ થઈ અંતર્મુહૂર્ત રહે. એ ગુણઠાણે કાળ થતો નથી. પુનર્ભવ છે નહિ. બા૨માનાં છેલ્લે સમયે પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, પાંચ અંતરાય કર્મની પ્રકૃતિ ક્ષય કરી તે૨મા ગુણઠાણાના પ્રથમ સમયે કેવળ જ્યોત પ્રગટે. મોહ સર્વથા જે ગુણઠાણે ક્ષય કર્યો છે તેને ક્ષીણ મોહ ગુણસ્થાન કહીએ. 2 C તે૨મા સયોગી કેવળી ગુણઠાણાના લક્ષણ – તે ૧૦ બોલ સહિત તે૨મે ગુણઠાણે વિચરે. સજોગી, સશ૨ી૨ી, સલેશી, શુક્લલેશી, યથાખ્યાત ચારિત્રી, ક્ષાયક સમકિત, પંડિત વીર્ય, શુક્લધ્યાન, કેવળ જ્ઞાન, કેવળદર્શન એ ૧૦ બોલ સહિત જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત. દેશે ઊણા પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે. ઘણા જીવોને તારી, પ્રતિબોધિ નિહાલ ક૨ીને, બીજા ત્રીજા શુક્લધ્યાનના પાયાને ધ્યાઈને, ચૌદમે જાય. સજોગી એટલે શુભ મન, વચન, કાયાના જોગ સહિત છે. બાહ્ય ચલો૫ક૨ણ * છે. ગમનાગમનાદિક ચેષ્ટા શુભ સહિત છે. કેવળજ્ઞાન, કેવળદર્શન ઉપયોગ સમયાતર અવિચ્છિન્નપણે શુદ્ધ પરિણમે માટે સજોગી કેવળી ગુણસ્થાનક કહીએ. ચૌદમા અયોગી કેવળી ગુણઠાણાના લક્ષણ - શુક્લ ધ્યાનનો ચોથો પાયો, સમુચ્છિશક્રિયા, અનંતર અપ્રતિપાતિ, અનિવૃત્તિધ્યાતા, મન જોગ રૂંધી, વચન જોગ રૂંધી, કાય જોગ રૂંધી, આન પ્રાણૐ નિરોધ કરી, (૧૩મે ગુણસ્થાનકને છેડે આ ક્રિયા થાય છે) રૂપાતીત ૫૨મ શુક્લ ધ્યાન ધ્યાતા, ૭ બોલ સહિત વિચરે. * સાધુના જે ઉપકરણ લઈ, મૂકી શકાય તે વસ્ત્ર, પાત્રાદિ. ૧ સર્વ ક્રિયા રહિત. ૨ શુક્લધ્યાનનો ચોથો પાયો જેમાંથી પાછા ફ૨વાનું નથી તેવું ધ્યાન. ૩ શ્વાસોશ્વાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy