SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ - - - શ્રી ગુણસ્થાન દ્વાર િિ 0૧૮૯] જાણે, સર્દહ, પ્રરૂપે, સ્પર્શ. તે જીવ જઘ. તે જ ભવે મોક્ષે જાય, ઉ. ત્રીજે ભવે મોક્ષે જાય. સૂક્ષ્મ, થોડીક, પાતલીશી સંપરાય ક્રિયા રહી છે તેથી તેને સૂક્ષ્મ સપરાય ગુણ. કહીએ. અગિયારમા ઉપશાંત મોહ ગુણઠાણાના લક્ષણ - તે ૨૭ પ્રકૃતિ ઉપર કહી તે અને ૧ સંજ્વલનનો લોભ તે ૨૮ પ્રકૃતિનો ઉપશમ કરે. સર્વથા ઢાંકે, રાખથી ઢાંક્યા અગ્નિની જેમ. ગૌતમ સ્વામીએ હાથ જોડી, માન મોડી શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ ! તે જીવ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાળથકી, ભાવથકી, જીવાદિક નવ તત્ત્વ તથા નૌકારશી આદિ છમાસી તપ વીતરાગ ભાવે, યથાખ્યાત ચારિત્રપણે જાણે, સદહે, પ્રરૂપે, સ્પર્શે. ત્યારે જો કાળ કરે તો અનુત્તર વિમાને (ચોથા ગુણસ્થાનકે) જાય. પછી મનુષ્ય થઈ મોક્ષે જાય અથવા ૧૧ મા ગુણની સ્થિતિ પૂરી થતાં દશમે આવે ત્યાં પહેલા જ સમયે સૂક્ષ્મ લોભનો ઉદય થાય. દશમાંથી પડે તો ઠેઠ પહેલા ગુણ. સુધી પણ જઈ શકે. પણ અગિયારમેથી ચડવું તો નથી જ. ઉપશાંત એટલે? ઉપશમ્યો છે મોહ, જળ દ્વારા સંપૂર્ણ અગ્નિ બુઝાવ્યાની જેમ નહિ, પણ રાખ વડેઢાંકેલા અગ્નિની જેમ, માટે ઉપશાંત મેહ ગુણ કહીએ. બારમા ક્ષીણમોહ ગુણઠાણાના લક્ષણ – તે મોહનીયની સર્વ ૨૮ પ્રકૃતિનો સર્વથા ક્ષય કરે | ખપાવે. ક્ષપકશ્રેણી, લાયકભાવ, ક્ષાયક સમકિત, લાયક યથાખ્યાતચારિત્ર, કરણ સત્ય', જોંગ સત્ય, ભાવ સત્ય, અમાયી, અકષાયી, વીતરાગી, ભાવનિર્ચથ, સંપૂર્ણ સંવુડે, સંપૂર્ણ ભાવિતાત્મા, મહા તપસ્વી, મહાસુશીલ, ૧ ઉપદેશ અને આચરણ બંને સત્ય, ૨ મન, વચન, કાયાના જોગને સત્ય પરિણમા, ૩ ભાવની વિશુદ્ધિ કરે તે, ૪ સર્વ દોષરહિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy