SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ વિ૮ટોનિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ધારા વર્ધનરૂપ શ્રેણી કરે તેને અપૂર્વકરણ ગુણઠાણું કહીએ આઠમાં ગુણસ્થાનકના છેડે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, એ છે પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય કરતા કુલ મોહનીયની ૨૧ પ્રકૃતિ જાય છે. નવમા અનિયદિબાકર ગુણઠાણાના લક્ષણ – તે ૨૧ ઉપર કહી તે અને સંવલનનો ક્રોધ, માન, માયા, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસક વેદ એમ ૨૭ પ્રકૃતિનો ક્ષય કરે અથવા ઉપશમ કરે. ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછયું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવતે કહ્યું, ગૌતમ ! તે જીવ જીવાદિક નવ તત્ત્વ તથા નૌકાદશી આદિ છમાસી તપ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાળથકી, ભાવથકી, નિર્વિકાર, અમાયી, વિષય નિવછાપણે (અનાશક્તપણે) જાણે, સર્દહ, પ્રરૂપે, સ્પર્શે તે જીવ તે જ ભવે મોક્ષે જાય, ઉ. ત્રીજે ભવે મોક્ષે જાય. તે સર્વથા પ્રકારે નિર્વત્યો નથી, અંશ માત્ર હજી બાદર સંપરાય ક્રિયા રહી છે માટે અનિયઢિબાદર ગુણ. કહીએ. આઠમ, નવમા ગુણઠાણાના શબ્દાર્થ ઘણા ગંભીર છે, તે અન્ય પંચસંગ્રહાદિક ગ્રંથ તથા સિદ્ધાંતથી સમજવા. દશમા સૂક્ષ્મસંપરાય ગુણઠાણાના લક્ષણ – તે ૨૭ પ્રકૃતિનો ક્ષય કરે અથવા ઉપશમ કરે અને ફક્ત એક સંજ્વલનના લોભનો ઉદય રહે છે. ગૌતમ સ્વામીએ હાથ જોડી, માન મોડી શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ!તે જીવ દ્રવ્યથકી, ક્ષેત્રથકી, કાળથકી, ભાવથકી, જીવાદિક નવ તત્ત્વ તથા નકારશી આદિ છમાસી તપ, નિરાભિલાષ, નિર્વછક, અવેદકતાપણે, નિરાશી, અવ્યામોહ, અવિભ્રમપણે, ૧ વેદ રહિતપણું. ૩ જેનો મોહ નાશ પામ્યો છે. ૨ આશારહિત. ૪ ભ્રમરહિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy