SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ નિયંઠા ૨. વેદ દ્વાર – (૧) પુલાક પુરુષવેદી અને પુરુષ નપુંસક વેદી હોય. (૨-૩) બકુશ, પ્રતિસેવના ત્રણે ત્રણ વેદી. (૪) કષાયકુશીલ ત્રણ વેદી અથવા અવેદી (ઉપશાંત કે ક્ષીણ). (૫) નિગ્રંથ અવેદી (ઉપશાંત કે ક્ષીણ). (૬) સ્નાતક ક્ષીણ અવેદી હોય. ૩. રાગ દ્વાર – પ્રથમ ચાર નિયંઠા સુરાગી, પાંચમો નિગ્રંથ નિયંઠો વિતરાગી (ઉપશાંત કે ક્ષીણ), સ્નાતક ક્ષીણ વિતરાગી હોય. ૪. કલ્પ દ્વાર – કલ્પ એટલે નિયમ. તેના પાંચ પ્રકાર છે. ૧ સ્થિતકલ્પ, ૨ અસ્થિતકલ્પ, ૩ સ્થવિરકલ્પ, ૪ જિનકલ્પ અને પ કલ્પાતીત. તેમ જ બીજી રીતે કલ્પ દશ પ્રકારના છે. ૧. અચલ', ૨. ઉદ્દેશી, ૩. રાજપિંડ, ૪. સેજતર, ૫. માસકલ્પ, ૬. ચૌમાસી કલ્પ, ૭. વત, ૮. પ્રતિક્રમણ, ૯. કૃતિકર્મ (કીર્તિધર્મ):, ૧૦. પુરુષ જયેષ્ઠ. ૧. સ્થિતકલ્પ, ૨. અસ્થિતકલ્પ – ૨૪ તીર્થંકરનાં દરેકના શાસનમાં જેનું પાલન અવશ્ય કરવામાં આવે છે તે સ્થિતકલ્પ. ઉપરના ૧૦ કલ્પમાંથી ૪. સેક્ઝાંતર, ૭. વત, ૯. કૃતિકર્મ, ૧૦. પુરુષ યેષ્ઠ એ ચાર સ્થિતકલ્પ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં સાધુ સાધ્વીજીને ૧૦ કલ્પનું પાલન ફરજિયાત હોય છે. મધ્યના ૨૨ તીર્થકરના અને મહાવિદેહના સાધુઓને ૪, ૭, ૯, ૧૦ એ ચાર કલ્પ ફરજિયાત અને શેષ છ ની ભજન હોય છે. ૧–૨–૩–પ૬-૮ એ છ અસ્થિતકલ્પ છે. ૧. અચેલ – અલ્પ વસ્ત્ર અથવા અલ્પ કિંમતના વસ્ત્ર. ૨. માસિકલ્પ – સાધુને ર૯ દિવસ તથા સાધ્વીજીને પ૮ દિવસ. ૩. કૃતિકર્મ – નાની દીક્ષા પર્યાયવાળા મોટી દીક્ષા પર્યાયવાળાને વંદન કરે તે વ્યવહાર. 1-32 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy