SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ પચાસ) થતાં ૩૫૧૫ ધનુષ્ય અને ૬૦ આંગળ ક્ષેત્ર વધે. (૩) વાસા દ્વાર : મનુષ્યને રહેવાના વાસ ૭ તથા ૧૦ છે. કર્મભૂમિના મનુષ્યોના ૩ ક્ષેત્ર – ભ૨ત, ઐ૨વત અને મહાવિદેહ. અકર્મભૂમિના મનુષ્યોના ૪ ક્ષેત્ર હેમવય, હિ૨ણવય, હરિવાસ, ૨મ્યાસ એમ ૭. જો દશ ગણવા હોય તો મહાવિદેહ ક્ષેત્રના ૪ ભાગ ક૨વાથી ૧૦થશે. (૧) પૂર્વ મહાવિદેહ, (૨) પશ્ચિમ મહાવિદેહ, (૩) દેવકુરૂ અને (૪) ઉત્તરકુરૂ. એમ ૧૦ થાય. જગતિ (કોટ) ૮ જોજન ઊંચો છે અને મૂળમાં ૧૨, મધ્યમાં ૮ અને ઉ૫૨ ૪ યોજનનો પહોળો છે. બધો વજ્ર રત્નમય છે. જગતિની એક બાજુ ઝરુખાની લાઈન છે. તે ૦।। યોજન ઊંચી, પ૦૦ ધનુષ્ય પહોળી છે. કોષીશા અને કાંગરા રત્નમય છે. શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ જગતિ ઉ૫૨ મધ્યમાં પદ્મવ૨ વેદિકા છે. તે ૦।। યોજન ઊંચી, ૫૦૦ ધનુષ્ય પહોળી છે. તેની બન્ને બાજુ નીલા, પન્નાના સ્તંભ અને તે ઉ૫૨ સુંદ૨ પુતળીઓ અને મોતીની માળાઓ છે. મધ્ય ભાગમાં પદ્મવર વેદિકાઓને લીધે બે વિભાગ થયેલ છે. (૧) અંદરના વિભાગમાં અનેક જાતના વૃક્ષવાળું વનખંડ છે. તેમાં પાંચ વર્ણનું રત્નમય તૃણ છે. વાયુના સંચારે તેમાં છ રાગ અને ૩૬ રાગિણી નીકળે છે. તેમાં બીજી વાવો અને પર્વતો છે. અનેક આસનો છે. ત્યાં વ્યંત૨ દેવદેવીઓ ક્રીડા કરે છે. (૨) બહારના વિભાગમાં તૃણ નથી. બાકીની રચના અંદરના વિભાગ જેવી છે. મેરૂ પર્વતથી ચારે દિશામાં ૪૫-૪૫ હજાર યોજન પર ચાર દરવાજા છે. પૂર્વે વિજય, દક્ષિણે વિજયંત, પશ્ચિમે જયંત અને ઉત્તરે અપરાજિત નામે છે. દરેક દ૨વાજો ૮ યોજન ઊંચો, ૪ યોજન પહોળો છે. દ૨વાજા ઉપર નવભૂમિ અને સફેદ ઘુમ્મટ, છત્ર, ચામર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy