SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભ વિચાર ૩૬૯ પરીક્ષા થાય છે. ચોથે માસે કણકના પીંડા જેવો થાય, તેથી માતાનું શરીર પુષ્ટિ પામે છે. પાંચમે માસે પાંચ અંકુરા ફૂટે છે. તેમાં બે હાથ, બે પગ, મસ્તક, છઠ્ઠ માસે રૂધીર તથા રોમ, નખ ને કેશની વૃદ્ધિ થાય છે. તેમાં સાડાત્રણ ક્રોડ રોમ છે. તેમાંથી બે ક્રોડને એકાવન લાખ ગળાં ઉ૫૨ અને નવ્વાણું લાખ ગળા નીચે છે. બીજે મતે તેટલી સંખ્યાનાં રોમ ગાડ૨નાં કહેવાય છે, તે વિચાર જોતાં વ્યાજબી લાગે છે. એકેકા રોમને ઊગવા જેટલી જગામાં પોણાબેથી કાંઈક વધારે રોગ ભરેલા છે. તેનો સરવાળો ગણતાં છ ક્રોડ બાર લાખ પચાસ હજાર રોગ થાય છે અને તે પુણ્યના ઉદયથી ઢંકાયેલા રહે છે. અહીંથી રોમ આહારની શરૂઆત થવાનો સંભવ છે. તત્ત્વ ત સર્વજ્ઞગમ્યું. સાતમે માસે સાતસો શી૨ા એટલે ૨સહરણી નાડીઓ બંધાય છે, તે દ્વારા શ૨ી૨નું પોષણ થાય છે. તેમાંથી સ્ત્રીને છસો ને સિત્તેર, નપુંસકને છસો ને એંશી, અને પુરૂષને સાતસો પૂરી હોય છે. પાંચસો માંસની પેશીઓ બંધાય છે તેમાંથી સ્ત્રીને ત્રીસ અને નપુંસકને વીસ ઓછી હોય છે. તે પેશી વડે હાડકાં ઢંકાયેલા હોય છે, તે હાડકામાં સર્વ મળીને ૩૬૦ સાંધા છે. એકેકા સાંધા ઉપર આઠ આઠ મર્મના ઠેકાણાં છે. તે મર્મસ્થાન ઉપર એક ટકોર વાગતાં મરણ પામે છે. બીજે મતે ૧૦૮ સંધિ અને ૧૭૦ મર્મના સ્થાનક કહેવાય છે. ઉપરાંત સર્વજ્ઞગમ્ય. ગર્ભસ્થ જીવના અંગાદિનુ વિવેચન : તે ગર્ભસ્થ જીવના શરીરમાં છ અંગ હોય છે. તેમાંથી માંસ, લોહી અને મસ્તકની મજ્જા (ભેજું) એ ત્રણ અંગ માતાનાં છે, તેમજ હાડ, હાડની મજ્જા અને નખ-કેશ-રોમ એ ત્રણ અંગ પિતાનાં છે. શેષ અંગો માતા અને પિતા બન્નેના પુદ્ગલથી બને છે. આઠમે માસે સર્વ અંગ ઉપાંગ પૂર્ણ નીપજી રહે છે. જયાં સુધી સંતાનનું ભવધા૨ણીય શ૨ી૨ રહે છે ત્યાં 1-24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy