SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯િ૬]Hી શ્રી બૃહદ જૈન શોક સંગ્રહ તેને કાશ્મણ શરીર કહીએ. તૈજસ અને કાર્પણ શરીર સર્વ સંસારી જીવોને હોય છે. ૨. અવગાહના (ઊંચાઈ) 4 દ્વાર : જીવનું શરીર જેટલા આકાશ પ્રદેશને અવગાહ (રોકે) તેને અવગાહના કહે છે. સમુચ્ચય જીવમાં અવગાહના જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર જોજન ઝાઝેરી. દારિક શરીરની અવગાહના, જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર જોજન ઝાઝેરી – વનસ્પતિ આશ્રી. વૈક્રિય શરીરની અવગાહના ભવધારણી વૈક્રિયની જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની. ઉત્તર વૈક્રિયની જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની (વાયુકાય આશ્રી), ઉત્કૃષ્ટ લાખ જોજન ઝાઝેરી. આહારક શરીરની અવગાહના જઘન્ય મૂંઢા હાથની, ઉત્કૃષ્ટ એક હાથની. તેજસ, કાર્મણ શરીરની અવગાહના જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ચૌદ રાજલોક પ્રમાણે તથા પોતપોતાના શરીર પ્રમાણે. ૩. સંઘયણ દ્વાર : (હાડકાંની વિશેષ રચના.) સંઘયણ છે છે. ૧. વજઋષભનારા સંઘયણ, ૨. ઋષભનારાચ સંઘયણ, ૩. નારા સંઘયણ, ૪. અર્ધનારાચ સંઘયણ, ૫. કીલક સંઘયણ, * ૧. ઉત્સધ આંગુલ - અવસર્પિણી કાળના પાંચમા આરાના ૧૦,૫૦૦ વર્ષ પછીના મનુષ્યનાં આંગુલનું માપ તે ઉત્સધ આંગલ. દ્રક શરીરની અવગાહના ઉત્સધ આંગુલથી સમજવી. અથવા ભગવાન મહાવીરના આત્મ ગુલથી અર્ધ ગુલ હોય તે ઉત્સધ આંગુલ. ૨. આત્મ ગુલ – ભરત વગેરે ક્ષેત્રના પ્રમાણયુક્ત મનુષ્યોનાં આંગુલને આત્મ આંગુલ કહે છે. ૩. પ્રમાણ આંગુલ - ઉત્સધ આંગુલથી હજારગુણ મોટો પ્રમાણ આંગુલ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy