SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ના૨કી. ૪િ૩ યોજન, ત્રીજીનો ૧,૨૮,૦૦૦ યોજન, ચોથીનો ૧,૨૦,000 યોજન, પાંચમીનો ૧,૧૮,૦૦૦ યોજન, છઠ્ઠીને ૧,૧૬,૦00 યોજન અને સાતમીનો ૧,૦૮,000 યોજનાનો પૃથ્વીપિંડ છે. ૬. કરંડ દ્વાર : પહેલી નરકમાં ૩ કરંડ છે. (૧) ખરકાંડ – ૧૬ જાતના રત્નમય ૧૬ હજાર યોજનનો. (૨) આયુલબહુ – પાણીમય ૮૦ હજાર યોજનનો, (૩) પંકબહુલ – કર્દમમય ૮૪ હજાર યોજનનો. કુલ ૧,૮૦,000 યોજન છે. શેષ ૬ નરકમાં કરંડ નથી. ૭–૮. પાથડા, આંતરદ્વાર: પૃથ્વી પિંડમાંથી ૧૦00 યોજન ઉપર અને ૧૦00 યોજન નીચે છોડીને બાકીની પોલારમાં આંતરા અને પાથડા છે. ફક્ત ૭મી નર્કમાં પ૨,૫00 યોજન ઉપર, પર,૫૦૦ યોજન નીચે છોડીને 3000 યોજનાનો ૧ પાથડે છે. પહેલી નર્કમાં ૧૩ પાથડા, ૧૨ આંતરા છે. બીજી નર્કમાં ૧૧ પાથડા, ૧૦ આંતરા છે. ત્રીજી નર્કમાં ૯ પાથડા, ૮ આંતરા છે. ચોથી નર્કમાં ૭ પાથડા, ૬ આંતરા છે. પાંચમી નર્કમાં ૫ પાથડા, ૪ આંતરા છે. છઠ્ઠી નરકમાં ૩ પાથડા, ૨ આંતરા છે. સાતમી નરકમાં ૧ પાથડો છે. આંતરો નથી. પહેલી નર્કના ૧૨ આંતરામાંથી ૨ ઉપરના છોડીને શેષ ૧૦ આંતરામાં દશ જાતના ભવનપતિ દેવો વસે છે. શેષ નરકોનાં આંતરામાં ભવનપતિ દેવોનો વાસ નથી. દરેક પાથડો 3000 યોજનનો છે. તેમાં 1000 યોજન ઉપર, ૧000 યોજન નીચે છોડીને, મધ્યના ૧000 યોજનમાં નારકીને ઉપજવાની કુંભીઓ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy