SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પિકિ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ વિષે પાંચસો ધનુષ્યનું શરીર અને ક્રોડ પૂર્વનું આયુષ્ય જાણવું. ઊતરતા આરે સાત હાથનું શરીર અને બસો વર્ષમાં ઊણું આયુષ્ય જાણવું. એ આરાને વિષે શરીરમાં રૂરૂ પાંસળીઓ અને ઊતરતા આરે ૧૬ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે છ સંઘયણ, છ સંસ્થાન જાણવા. એ આરાને વિષે દિન દિન પ્રત્યે આહારની ઇચ્છા થાય, ત્યારે પુરુષ ૩૨ કવલનો અને સ્ત્રી ૨૮ કવલનો આહાર કરે. જમીનની સરસાઈ સારી જાણવી. ઊતરતે આરે જમીનની સરસાઈ તેથી ઓછી જાણવી. છે ? તને -- =>> એ આરાને વિષે શેષ ૭૫ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે દેશમાં પ્રાણત દેવલોકે વીસ સાગરોપમનું આયુષ્ય ભોગવી, અવીને માહણકુંડ (બ્રાહ્મણકુંડ) નગરીને વિષે ઋષભદત્ત બ્રાહ્મણના ઘેર, દેવાનંદા બ્રાહ્મણીની કક્ષામાં શ્રી મહાવીર સ્વામી ઉપજ્યા, ત્યાં સ્વામી ૮૨ રાત્રી રહ્યાં. ૮૩ મી રાત્રીએ શક્રેન્દ્રનું આસન ચળ્યું. ત્યારે શકેન્દ્ર ઉપયોગ મૂકીને જોયું કે શ્રી મહાવીર સ્વામી ભિક્ષુકને કુળે ઉપજ્યા છે એમ જાણ્યું, એ અનંતકાળે આશ્ચર્ય થયું. તે વારે શકેન્દ્ર હરિણગમેથી દેવને બોલાવીને કહ્યું, "તમે જાઓ, જઈને શ્રી મહાવીર સ્વામીનો ગર્ભ ક્ષત્રિયકુંડ નગરને વિષે. સિદ્ધાર્થ રાજાને ઘેર, ત્રિશલાદેવી રાણીની કુક્ષીએ મૂકો. ત્રિશલાદેવી રાણીની કુક્ષીએ પત્રીપણે ગર્ભ છે, તે દેવાનંદી બ્રાહ્મણીની કુક્ષીમાં મૂકો." ત્યારે તે હરિણગમેલી દેવે ત્યાં તથંતિ (કહો છો તેમ કરીશ) એમ કહીને તે જ વખતે તે માહણ કુંડ આવ્યો ને ત્યાં ભગવંતને નમસ્કાર કરીને કહ્યું, "હે સ્વામી! તમે સારું જાણશો, હું તમારો ગર્ભ સાહરૂ છું." તે વખતે દેવાનંદા બ્રાહ્મણીને અવસ્થાપિની નિદ્રા મૂકીને ગર્ભ સાર્યો, તે લઈ ક્ષત્રિયકુંડ નગરને વિષે, સિદ્ધાર્થ રાજાને ઘેર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy