SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભ એ ૮ નો ક્ષયોપશમ. ૧૩ નો ઉદય તે નોકષાયના ૯, સંજ્વલનનો ક્રોધ, માન, માયા, લોભ એ ૧૩ નો ઉદય. ૮ ના ક્ષયોપશમ માટે ત્રેવીસ સંપ૨ાય ક્રિયા ન લાગે. ૧૩ ના ઉદય માટે એક માયાવત્તિયા ક્રિયા લાગે. (પાંચ ક્રિયામાંથી). નવમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧૬ નો ઉપશમ અથવા ક્ષય, ૧૧ નો ક્ષયોપશમ, એક નો ઉદય. તેમાં ૧૬ નો ઉપશમ અથવા ક્ષય, તે અનંતાનુબંધીના ચાર, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, સમમિથ્યાત્વ મોહનીય, ત્રણ વેદ અને હાસ્યાદિ ૬ નો ઉપશમ અથવા ક્ષય. ૧૧ નો ક્ષયોપશમ તે અપ્રત્યાખ્યાની ચાર, પ્રત્યાખ્યાનાવ૨ણીય ચાર, સંજ્વલનનો ક્રોધ, માન, માયા એ ૧૧ નો ક્ષયોપશમ. નવમાના અંતે ૧ નો ઉદય તે સંજ્વલનનો લોભ. ૧૧ ના ક્ષયોપશમ માટે ૨૩ સંપરાય ક્રિયા ન લાગે, એકના ઉદય માટે એક માયાવત્તિયા ક્રિયા લાગે. (પાંચ ક્રિયામાંથી). દશમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૨૭ નો ઉપશમ અથવા ક્ષય, એક થોડા સંજ્વલનના લોભનો ઉદય. ૨૭ ના ઉપશમ અથવા ક્ષયે ક૨ી ૨૩સંપ૨ાય ક્રિયા ન લાગે. એક સંજ્વલનના લોભને ઉદયે ક૨ી, ૧ માયાવત્તિયા ક્રિયા લાગે. (પાંચ ક્રિયામાંથી). અગિયા૨મે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ તે સર્વે ઉપશમાવી છે. તેણે ક૨ીને ૨૪ સંપ૨ાય ક્રિયા ન લાગે પણ સાત કર્મનો ઉદય છે, તેણે ક૨ીને એક ઇરિયાવહિયા ક્રિયા લાગે. બારમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે તે સર્વે ખપાવી છે માટે ૨૪ સંપ૨ાય ક્રિયા ન લાગે પણ સાત કર્મનો ઉદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy