SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ – નય પિ૭૫) રહે તે આધેય. જેમ પૃથ્વી આધાર, ઘટાદિ પદાર્થો આધેય. જીવ આધાર, જ્ઞાનાદિ આધય. ૧૫. આવિર્ભાવ તિરોભાવ : જે પદાર્થ દૂર છે તે તિરોભાવ અને જે પદાર્થ ગુણ નજીકમાં છે તે આવિર્ભાવ. જેમ દૂધમાં ઘીનો તિરોભાવ છે અને માખણમાં ઘીનો આવિર્ભાવ છે. ૧૬. ગણતા – મુખ્યતા : અન્ય વિષયો છોડીને આવશ્યક વસ્તુનું વ્યાખ્યાન કરાય તે મુખ્યતા અને જે વસ્તુ ગુપ્તપણે અવધાનપણે રહી હોય તે ગૌણતા છે. જેમ – જ્ઞાનથી મોક્ષ થાય છે, એમ કહેવામાં જ્ઞાનની મુખ્યતા રહી અને દર્શન, ચારિત્ર, તપ આદિની ગૌણતા રહી. ૧૭. ઉત્સર્ગ – અપવાદ : ઉત્સર્ગ તે ઉત્કૃષ્ટ માર્ગ છે અને અપવાદ તેનો રક્ષક છે. ઉત્સર્ગ માર્ગથી પતિત અપવાદનું અવલંબન લઈને ફરીથી ઉત્સર્ગ (ઉત્કૃષ્ટ) માર્ગે પહોંચી શકે છે. જેમ સદા ૩ ગુપ્તિથી રહેવું તે ઉત્સર્ગ માર્ગ અને પ સમિતિ તે ગુપ્તિના રક્ષક, સહાયક, અપવાદ માર્ગ છે. જિનકલ્પ ઉત્કૃષ્ટ માર્ગ છે, સ્થવિરકલ્પ અપવાદ માર્ગ છે. ઇત્યાદિ પદ્રવ્યમાં પણ જાણવા. ૧૮. ત્રણ આત્મા : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા શરીર, ધન, ધાન્યાદિ સમૃદ્ધિ, કુટુંબ, પરિવાર આદિમાં તલ્લીન થવું તે મિથ્યાત્વી. અંતરાત્મા – બાહ્ય વસ્તુને પર સમજીને તેને ત્યાગવા ચાહે ત્યાગે તે. ૪ થી ૧૨ ગુણસ્થાનવાળા. પરમાત્મા – સર્વ કાર્ય સિદ્ધ થયા. કર્મમુક્ત થઈ સ્વ-સ્વરૂપમાં લીન છે તે સિદ્ધ તથા કેવળજ્ઞાની ભગવંતો પરમાત્મા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy