SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૫ હેમવય, પ હિરણવય, ૫ હરિયાસ, ૫ રમ્યફવાસ, ૫ દેવકુરૂ, ૫ ઉત્તરકુરૂ, એ ત્રીશ અકર્મભૂમિનાં નામ કહ્યાં. ૧ હેમવય, ૧ હિરણવય, ૧ હરિવાસ, ૧ રમ્યફવાસ, ૧ દેવકુરૂ, ૧ ઉત્તરકુરૂ, એ છ ક્ષેત્ર જંબુદ્વીપમાં, ૨ હેમવય, ૨ હિરણવય, ૨ હરિવાસ, ૨ રમ્યફવાસ, ર દેવકુરૂ, ૨ ઉત્તરકુરૂ, એ ૧૨ ક્ષેત્ર ધાતકીખંડ દ્વીપમાં અને ર હેમવય, ૨ હિરણવય, ૨ હરિવાસ, ૨ રમ્યફવાસ, ૨ દેવકુરૂ, ૨ ઉત્તરકુરૂ, એ ૧૨ ક્ષેત્ર અધપુષ્કર દ્વીપમાં છે. એ સઘળાં મળી કુલ ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય કહ્યાં. છપ્પન ભેદે અંતરદ્વીપનાં મનુષ્ય કહે છે. જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની મર્યાદાનો કરણહાર ચુલ હિમવંત નામે પર્વત છે. તે સોના જેવો પીળો છે, સો જોજનનો ઊંચો છે, સો ગાઉનો ઊંડો છે, એક હજાર બાવન જોજનને બાર કળાનો પહોળો છે, ચોવીસ હજાર નવસો બત્રીસ જોજનનો લાંબો છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે ચુલહિમવંત પર્વતની બન્ને બાજુએથી લવણસમુદ્રમાં આંતરે આંતરે ૭ દ્વીપો આવેલા છે. સાતમા અંતરદ્વીપનો છેડો ચલહિમવંત પર્વતના છેડાથી ૮,૪00 યોજન દૂર આવેલો છે. આ રીતે એક પર્વતના ચાર છેડે સાત સાત આંતરે આંતરે દ્વીપો છે. કુલ ૨૮ દ્વીપો છે. બધા દ્વીપ સ્વતંત્ર છે અને જોડાયેલા નથી. તે અંતરદ્વીપ ક્યાં છે? તે કહે છે. જગતના કોટથકી ૩૦૦ જોજન લવણસમુદ્રમાં જઈએ ત્યારે પહેલો અંતરદ્વીપ આવે; તે ૩00 જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૪૦૦ જોજન જઈએ ત્યારે બીજો અંતરદ્વીપ આવે; તે ૪૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૫૦૦ જોજન જઈએ ત્યારે ત્રીજો અંતરદ્વીપ આવે; તે પ00 જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૬૦૦ જોજન જઈએ ત્યારે ચોથો અંતરદ્વીપ આવે; તે ૬૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy