SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ઉપર પ્રમાણે ૧૦ પ્રાયશ્ચિતના ભેદ, તેમાં ૧૦ પ્રતિસેવના (પ્રાયશ્ચિત લેવું પડે તેવા દોષોનું સેવન કરવું), ૧૦ પ્રાયશ્ચિત દેવાવાળાના ગુણ, ૧૦ પ્રાયશ્ચિત લેવાવાળાના ગુણ અને ૧૦ પ્રાયશ્ચિતના દોષ (પ્રાયશ્ચિત લેતી વખતે લાગતાં દોષ) એમ સઘળાં મળીને પ્રાયશ્ચિત તપનાં કુલ ૫૦ ભેદ થાય છે. ૨. વિનય તપ તેના ૭ ભેદ છે. ૧) જ્ઞાન વિનય, ૨) દર્શન વિનય, ૩) ચારિત્ર વિનય, ૪) મન વિનય, ૫) વચન, વિનય, ૬) કાય વિનય, ૭) વ્યવહાર વિનય. ૧) જ્ઞાન વિનય– તેના પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન તે પાંચ જ્ઞાનની કે જ્ઞાનીની આશાતના કરવી નહિ. એમનું બહુમાન, ગુણકીર્તન ક૨વા. વિનયપૂર્વક વિધિ સહિત જ્ઞાન ગ્રહણ કરવું. ૨) દર્શન વિનય – દર્શન અને દર્શનવાન પ્રતિ બહુમાન ભક્તિરાખવી તે દર્શનવિનય છે. તેના બે ભેદ છે. ૧. સુશ્રુષા વિનય, ૨. અનાશાતના વિનય. - ૧. સુશ્રુષા વિનય – તેના ૧૦ ભેદ છે. (૧) ગુરુજન અથવા રત્નાધિકને આવતાં જોઈને ઊભા થવું. (૨) જ્યાં તેમને બેસવાની ઈચ્છા હોય ત્યાં આસન લઈ જવું. (૩) તેમના માટે આસન પાથ૨વું. (૪) તેમનો સત્કાર કરવો. (૫) તેમને સન્માન દેવું. (૬) વિધિ સહિત વંદન નમસ્કા૨ ક૨વા. (૭) હાથ જોડીને સામે ઊભા રહેવું. (૮) ગુરુ આવતાં હોય તો સામે જવું. (૯) જ્યાં સુધી તે બેસે ત્યાં સુધી તેમની સેવા ક૨વી. (૧૦) ગુરુ પાછા જાય તો તેમને તેમના સ્થાન સુધી પહોંચાડવા પાછળ જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy