SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ રોહ મુનિના પ્રશ્નોત્તર દિશાદરવો. ઉ. આઠ પ્રકારની છે. (૧) આકાશના આધારે તનવાયુ અને તનવાયુને આધારે ઘનવાયુ છે. (૨) વાયુના આધારે પાણી (ઘનોદધિ) છે. (૩) પાણીના આધારે પૃથ્વી (નર્કના પૃથ્વીપિંડ) છે. (૪) પૃથ્વીના આધારે ત્રણ સ્થાવર જીવી રહેલ છે. (૫) અજીવ – જીવોનો સંગ્રહ (ઉપચરિત નયાપેક્ષા શરીરાદિ અજીવ જીવોનો સંગ્રહ સમજવો). (૬) જીવે કર્મોનો સંગ્રહ કરી રાખ્યો છે. (૭) અજીવનો સંગ્રહ જીવ કરે છે અર્થાત્ જીવ ભાષા – મનપણે પુદ્ગલોનો સંગ્રહ કરે છે. (૮) જીવ કર્મોનો સંગ્રહ કરે છે. ૫. હે પ્રભુ! એ લોકસ્થિતિ કેવા પ્રકારે છે ? ઉં. હે ગૌતમ ! જેમ ચામડાની મસકમાં વાયુ ભરીને મોટું પાકા દોરાથી બાંધે પછી મધ્ય ભાગે પાકા દોરાથી બંધ લે પછી નીચલો ભાગ વાયુથી ભરેલો રહેવા દઈ ઉપરના વાયુને કાઢીને તેને બદલે પાણી ભરી મોટું પાકી રીતે બાંધી દે. પછી વચલો બંધ છોડી નાખે તો પાણી ઉપર હતું ત્યાં જ વાયુના આધારે અદ્ધર રહે એ રીતે વાયુના આધારથી પાણી (વનોદધિ) અને પાણીના આધારે પૃથ્વી રહી છે. યાવત્ જીવ કર્મોનો સંગ્રહ કરે છે. એમ સમજવું. ૫. હે ભગવાન ! સૂક્ષ્મ અપકાય હંમેશાં વરસે છે ? ઉ. હા. ગૌતમ, સૂક્ષ્મ અપકાય ઊંચી, નીચી, તિથ્વ દિશામાં હંમેશાં વરસે છે, પણ સ્થળ અપકાયની જેમ દીર્ધકાળ ટકતી નથી, દિવસે સૂર્યના તાપમાં જલ્દી નાશ પામે છે, રાત્રિના વખતે કંઈક ટકે છે. માટે સાધુ – સાધ્વી કે વ્રતધારી શ્રાવકો ખુલ્લી જગાએ રાત્રે રહેતા નથી. કારણવશ જવું પડે તો માથે ઓઢીને ચાલે છે. * ઇતિ રોહા મુનિના પ્રશ્નોત્તર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy