SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૭િ૬)E ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ખપાવે તે. ૨ લાયિક નિષ્પક્ષ – તે આઠ કર્મ ખપાવ્યા પછી જે જે પદાર્થ નીપજે તે. ક્ષાયિક નિષ્પક્ષના આઠ ભેદ કહે છે. ૧ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે ત્યારે કેવળજ્ઞાન પામે. ૨ દર્શનાવરણીય કર્મ ખપાવે ત્યારે કેવળદર્શન પામે. ૩ વેદનીય કર્મ ખપાવે ત્યારે નિરાબાદપણું પામે. ૪ મોહનીય કર્મ ખપાવે તો ક્ષાયિક સમકિત પામે. પ આયુષ્ય કર્મ ખપાવે ત્યારે અક્ષયપણું પામે. ૬ નામ કર્મ ખપાવે ત્યારે અરૂપીપણું પામે. 9 ગોત્ર કર્મ ખપાવે ત્યારે અગુરુલઘુપણું પામે. ૮ અંતરાય કર્મ ખપાવે ત્યારે વીર્યપણું પામે. ૪. લાયોપથમિક ભાવના બે ભેદ – ૧ સાયોપથમિક – તે ઉદય આવ્યાં કર્મને ખપાવે ને ઉદય નથી આવ્યાં તેને ઉપશમાવે તે. ૨ સાયોપથમિક નિષ્પન્ન –- તે ક્ષયોપશમમાંથી જે જે પદાર્થ નીપજે તે. ક્ષાયોપથમિકથી શા શા પદાર્થ નીપજે તેની ગાથા તથા અર્થ દશ ઉવઉગ તિદિઢિ, ચઉ ચરિત, ચરિત્તાચરિતે ! દાણાઈ પંચ લહિ, વરિયતિ પંચ ઇંદિએ / ૧ / દુવાલસ અંગધરે, નવ પુત્રિ જાવ ચઉદશ પુલ્વેિએ ઉવસમ, ગણી પડિમાએ, ઇ ઈ ખઉસમ નીફભે || ૨ || અર્થ : ૧૦ ઉપયોગ છબસ્થના, ૩ દૃષ્ટિ (૧૩), ૪ પ્રથમના ચારિત્ર (૧૭), શ્રાવકપણું (૧૮), દાનાદિક પાંચલબ્ધિ (૨૩), ૩ વીર્ય (૨૬), ૫ ઇન્દ્રિય (૩૧), ૧૨ અંગનું ધરવું (૪૩), નવ પૂર્વનું યાવત ચૌદ પૂર્વનું ભણવું (૪૪), ઉપશમ (૪૫), આચાર્યની પ્રતિમા (૪૬), એ ૪૬ બોલ ક્ષાયોપથમિક નિષ્પન્નથી નીપજે. ૫. પારિણામિક ભાવના બે ભેદ : ૧ સાદિ પારિણામિક, ૨ અનાદિ પારિણામિક. તેમાં પ્રથમ અનાદિ પારિણામિકના દશ ભેદ, ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, 3 આકાશાસ્તિકાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy