SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૪િ િ ી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ બળ છે પણ આહારનું બળ નહીં. ૨. એક એકને આહારનું બળ છે પણ તપશ્યાનું નહીં. ૩. એક એકને આહારનું બળ છે અને તપશ્યાનું પણ બળ છે. ૪. એક એકને આહારનું બળ પણ નથી અને તપશ્યાનું બળ પણ નથી તે માંદો. ૧૩. ચાર પ્રકારનાં ગોળા – ૧. એક માખણનો ગોળો તે તડકે તરત ઓગળી જાય. તેમ એક એક પુરૂષ કોઈનાં માઠાં વચન સાંભળી તરત ધર્મ છોડી દે. ૨. એક લાખનો ગોળો તે તડકે ઓગળે નહીં પણ અગ્નિ પાસે મૂકીએ તો તે ઓગળી જાય તેમ એક એક પુરૂષ વચન સાંભળી ધર્મ છોડે નહીં પણ ગાળ, મહેણાં સાંભળી ધર્મ છોડી દે. ૩. એક લાકડાનો ગોળો તે તડકે, અગ્નિની પાસે મૂકવાથી ઓગળે નહીં પણ અગ્નિમાં નાંખે બળે તેમ વચન સાંભળી ધર્મ મૂકે નહીં, મારકૂટ કરે તે વારે ધર્મ છોડે. ૪. એક માટીનો ગોળો, તે તાપમાં નાંખે તે વારે વિશેષ પાકો થાય, પણ ઓગળે નહીં, તેમ એક પુરુષને કોઈ દુ:ખ દે ત્યારે ધર્મમાં વધારે દૃઢતા થાય, પણ ધર્મ મૂકે નહીં, કામદેવ શ્રાવકવત. ૧૪. ચાર પ્રકારના પુરૂષ – ૧. એક પુરૂષને ધર્મ વહાલો છે પણ દૃઢતા નહીં. આપદા વખતે નાસી જાય. ૨. એકને ધર્મ વહાલો પણ છે અને દૃઢતા પણ છે. ૩. એકને ધર્મ ઉપર દૃઢતા છે પણ ધર્મ વહાલો નથી, એટલે દરરોજ ધર્મ બની શકતો નથી, અવસરે ધર્મનું કામ કરે છે. ૪. એકને ધર્મ વહાલો પણ નથી અને દૃઢતા પણ નથી, તે પર્યુષણનાં પારણા ખાનાર શ્રાવકો. ૧૫. ચાર પ્રકારના પુરૂષ – ૧. એક પુરૂષ બહારથી નાહી ધોઈ ઊજળો પણ માંહી કપટ, મેલે કરીને સહિત. ૨. એક પુરૂષ બહાર મેલો પણ માંહી નિર્મળો. ૩. એક પુરૂષ બહાર પણ ઊજળો અને માંહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy