SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર ૩૬૩ ગુરુ – હે શિષ્ય ! જ્યારે ત્રીજી ઇંદ્રિય પર્યામિ બાંધીને જીવ કરણ પર્યાપ્તો થાય છે ત્યારે મરણ નીપજી શકે છે. એ ન્યાયથી ક૨ણ પર્યાપ્તો થઈ મરણ પામે છે. પણ ક૨ણ અપર્યાપ્તાપણે કોઈ જીવ મ૨ણ પામે નહિ. તેમજ બીજી રીતે અપર્યાપ્તાપણે મ૨ણ કહેવામાં આવે છે. તે લબ્ધિ અપર્યાપ્તાનું મરણ સમજવું. તે એમ કે ચારવાળો ત્રીજી, પાંચવાળો ત્રીજી, ચોથી, અને છ વાળો ત્રીજી, ચોથી ને પાંચમી પર્યાતિ પૂરી બાંધે પછી મરણ પામે છે. હવે બીજી રીતે અપર્યાપ્તો અને પર્યાપ્તો એને કહેવાય છે કે જેને જેટલી પર્યાપ્તિ પ્રાપ્ત થઈ અર્થાત્ બંધાઈ ગઈ હોય તેને તેટલીનો પર્યાપ્તો કહેવાય છે અને હવે પછી બાંધવાની છે તેનો અપર્યાપ્તો, એટલે તેવી પર્યાપ્તિની પ્રાપ્તિ થઈ શકી નથી એમ પણ કહેવાય છે. ઉપર બતાવેલા અપર્યામા તથા પર્યાપ્તાના ભેદનો અર્થ સમજી, ગર્ભજ, નોગર્ભજ અને એકેન્દ્રિય વગેરે અસંજ્ઞી પંચેન્દ્રિયવાળા જીવોને તે ભેદ લાગુ કરવાથી જીવ તત્ત્વના ૫૬૩ ભેદ વ્યવહાર નયથી ગણાય છે. અને તે સર્વ કર્મ વિપાકનાં ફળ છે. તેમાં ચોરાસી લાખ યોનિનો સમાવેશ થાય છે. તેવી યોનિમાં ફરી ફરીને ઉપજવું, જન્મવું, અને મરણને આધીન થવું, તેવા જન્મ મરણને સંસાર સમુદ્ર કહેવાય છે. અને તે સર્વ સમુદ્રથી અનંતગુણો મોટો છે, તેનો કિનારો પામવા માટે ધર્મરૂપી નૌકા છે, તે નૌકાના ચલાવનાર જ્ઞાની ગુરુ છે. તેનું શરણ લઈ આજ્ઞા મુજબ વિચ૨ી, પ્રવર્તન ક૨ના૨ો ભાવિક ભવ્ય, સલામતી સાથે, પ્રાપ્ત થયેલી જીંદગીનું સાર્થક હાંસલ ક૨ી શકે છે, તેમજ સર્વ કોઈએ તે ક૨વું યોગ્ય છે. ઇતિ અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર. 图图 Jain Education International 图图图图图图 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy