SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગુરુ – હે વત્સ ! મુહૂર્ત પૂરી બે ઘડીને કહે છે. તેનો એકજ ભેદ છે. પણ અંતર્મુહૂર્તમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ છે. તેમાં બે સમયથી લઈને નવ સમય સુધીનું જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય છે. (૧) તે પછીનું અંતર્મુહૂર્ત દશ સમયનું, અગિયાર સમયનું, એમ એકેક સમય ગણતાં મધ્યમ અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ થાય છે. (૨) બે ઘડીમાં એક સમય બાકી રહે તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય છે. (૩) આહાર પર્યાપ્તિ બાંધતાં ૧ સમય અને બાકીની પાંચ માટે દરેકને એક એક અંતર્મુહૂર્તનો સમય લાગે છે. તે જઘન્ય તથા મધ્યમ અંતર્મુહૂર્ત ગણવા અને છેવટે છ પર્યાપ્તિ એક અંતર્મુહૂર્તની કહેવામાં આવી છે, તે ઉત્કૃષ્ટ સમજવી. ઉપરની છ પર્યાપ્તિમાંથી એકેન્દ્રિયને પહેલી ચાર હોય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચે.ને પાંચ તથા સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યામિ પૂર્ણ હોય છે. એ પર્યાપ્તાનો અર્થ કહ્યો. હવે અપર્યાપ્તાનો અર્થ કહે છે. અપર્યાપ્તાના બે ભેદ છે. ૧.કરણ અપર્યાપો, ૨. લબ્ધિ અપર્યાપ્તો. ૧. કરણ અપર્યાપ્તો – તેના બે ભેદ છે. ૧. ત્રીજી ઇંદ્રિય પર્યામિ બાંધી ન રહે ત્યાં સુધી કરણ અપર્યાપ્યો. ૨. અને બંધાઈ રહે ત્યારે કરણ પર્યાપ્ત કહેવાય છે. ૨. લબ્ધિ અપર્યાપ્તો – તેના બે ભેદ છે. ૧. એકેન્દ્રિય વિગેરેથી પંચેન્દ્રિય સુધીમાં, જેને જેટલી પર્યામિ કહી છે તેને તેટલીમાંથી એકેકી અધૂરી રહે ત્યાં સુધી લબ્ધિ અપર્યાતો કહે છે. ૨. પોતાની જાતિની હદ સુધી પૂરી પર્યાતિ બંધાઈ રહે ત્યારે તેને લબ્ધિ પર્યાતો કહે છે. * શિષ્ય – હે ગુરુ ! જે જીવ મરણ પામે છે તે અપર્યાપ્તામાં કે પર્યાપ્તામાં ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy