SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેત્રીસ બોલ ૨૦૯ કહેવું. ૮ તથ્યકાર – ગુરૂ કથન પ્રતિ કહે કે આપ કહો છો તેમ કરીશ. ૯ અભ્યુત્થાન -- ગુરૂ કે વડા આવતાં સાત આઠ ડગલાં સામા જવું તેવી જ રીતે જતાં ૭–૮ ડગલાં મૂકવા જવું. ૧૦ ઉપસંપદા -- ગુર્વાદિ પાસે સૂત્રાર્થ લક્ષ્મી પામવા હંમેશાં તત્પર રહેવું. ન ૧૧ અગિયાર પ્રકારે શ્રાવક પ્રતિમા : ૧ દર્શન પ્રતિમા – તે એક માસની. તેમાં શુદ્ધ, સત્ય, ધર્મરૂચિ હોય, નિર્મળ સમકિત પાળે, પણ નાના વ્રત ઉપવાસાદિ અવશ્ય કરવાનો તે શ્રાવકને નિયમ ન હોય. ૨ વ્રત પ્રતિમા – તે બે માસની. તેમાં સત્ય ધર્મની રૂચિ સાથે વિવિધ શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસાદિ ક૨ે પણ સામાયિક, દેસાવગાસિક વ્રત ક૨વાનો નિયમ ન હોય. ૩ સામાયિક પ્રતિમા તે ત્રણ માસની. તેમાં ઉપર પ્રમાણે ઉપરાંત સામાયિક આદિ ક૨ે પણ અષ્ટમી, ચતુર્દશી, અમાવસ્યા, પૂર્ણમાસી વગે૨ે પર્વમાં પૌષધોપવાસ ક૨વાનો નિયમ ન હોય. ૪ પૌષધ પ્રતિમા – તે ચાર માસની. તેમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસ અષ્ટમી આદિ સર્વ પર્વમાં કરે. ૫ નિયમ પ્રતિમા – તે પાંચ માસની. તેમાં પૂર્વોક્ત સર્વ કરે, વિશેષ એક રાત્રિમાં કાયોત્સર્ગ કરે. પાંચ પ્રકારના નિયમ પાળે ૧ સ્નાન ન કરે, ૨ રાત્રીભોજન ન કરે, ૩ કાછડી ન વાળે, ૪ દિવસે બ્રહ્મચર્ય સાચવે, ૫ ૨ાત્રીમાં બ્રહ્મચર્યનું પરિમાણ કરે. ૬ બ્રહ્મચર્ય પ્રતિમા – તે છ માસની. તેમાં પૂર્વોક્ત ઉપ૨ાંત સર્વ વખતે બ્રહ્મચર્ય સાચવે. ૭ સચિત્ત પરિત્યાગ પ્રતિમા – જઘન્ય એક દિવસથી ઉત્કૃષ્ટ સાત માસની. તેમાં સચિત્ત આહાર જમે નહિ પણ પોતાને આરંભ ત્યાગ કરવાનો નિયમ ન હોય. ૮ અણારંભ પ્રતિમા – જઘન્ય એક દિવસથી ઉત્કૃષ્ટ આઠ માસની. તેમાં છકાયનો સ્વયં આરંભ કરે નહિ. ૯ પ્રેષ્યારંભ પ્રતિમા – તે ઉત્કૃષ્ટ નવ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy