SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૭) મિચ્છાકાર – યત્કિંચિત્ અપરાધ માટે ગુરુ સમક્ષ આત્મનિંદા કરી "મિચ્છામિ દુક્કડ" દે. (૮) તહક્કાર – ગુરુના વચનને સદા તહત્ત' (પ્રમાણ) કહીને પ્રસન્નતાથી કાર્ય કરે. (૯) અભુટ્ટણા – ગુરુ, રોગી, તપસ્વી આદિની અગ્લાન પણે વૈયાવચ્ચ કરે. (૧૦) ઉપસંપયા – જીવન પર્યત ગુરુકૂળવાસ કરવો. (ગુરુ આજ્ઞા મુજબ વિચરે). દિનકૃત્ય : ચાર પહોર દિવસના અને ચાર પહોર રાત્રિના હોય છે. દિનના કે રાતના ચોથા ભાગને પ્રહર કહેવો (તની સમજણ આગળના યંત્રથી જાણવી.) (૧) દિવસ ઉગતાં જ પહેલા પહોરના પહેલા ચોથા ભાગમાં બધા ઉપકરણોનું પડિલેહણ કરવું. (૨) ત્યારબાદ ગુરુને પૂછે કે વૈયાવચ્ચ કરું કે સક્ઝાય? ગુરુ આજ્ઞા આપે તેમ ૧ પહોર પૂરો થાય ત્યાં સુધી કરે. (૩) બીજા પહોરમાં ધ્યાન (કરેલ સ્વાધ્યાયની ચિંતવના) કરે. (૪) ત્રીજા પહોરે ગોચરી કરે. પ્રાસુક આહાર લાવીને ગુરુને બતાવી, સંવિભાગ કરી, મોટેરાને આમંત્રીને આહાર કરે. (૫) ચોથા પ્રહરના ત્રણ ભાગ સુધી સ્વાધ્યાય કરે અને (૬) ચોથા પહોરના ચોથા ભાગમાં ઉપકરણોનું પડિલેહણ કરે તથા પરઠવાની ભૂમિ પણ પડિલેહે ત્યારબાદ, (૭) દેવસી પ્રતિક્રમણ કરે. (છ આવશ્યક કરે.) • રાત્રિત્યા દેવસિ પ્રતિક્રમણ કર્યા બાદ પહેલે પહોરે અસક્ઝાય ટાળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy