SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેત્રીસ બોલ Dિર૧૧] ૩ પ્રતિમધારી સાધુને ત્રણ કાળ ગોચરીના કહ્યા છે. આદિમ, મધ્યમ, ચરિમ. એટલે એક દિવસના ત્રણ ભાગ કરે, પહેલામાં ગોચરી જાય તો બીજામાં ન જાય એમ ત્રણ ભાગમાં સમજવું. ૪ પ્રતિમાધારી સાધુને છ પ્રકારે ગોચરી કરવી કહી છે. ૧ પેટીને આકારે (ચૌખૂણી). ૨ અર્ધ પેટીને આકારે (બેખૂણી). ૩ બળદના મૂત્રના આકારે. ૪ પતંગ, ટીડ ઉડે તે માફક અંતરે અંતરે કરે. ૫ શંખના આવર્તનની પેરે ગોચરી કરે. ૬ જાતા તથા વળતાં ગોચરી કરે. ૫ પ્રતિમાધારી સાધુ જે ગામમાં જાય ત્યાં જાણે કે આ પ્રતિમાધારી સાધુ છે તો એક રાત્રિ રહે ને ન જાણે તો બે રાત્રિ રહે, તે ઉપરાંત રહે તો છેદ તથા પરિવાર તપ જેટલી રાત્રિ રહે તો તેટલા દિનનું પ્રાયશ્ચિત પામે.. ૬ પ્રતિમધારી સાધુ ચાર પ્રકારે બોલે. ૧ યાચના કરે ત્યારે, ૨ પંથ પ્રમુખ પૂછતાં, ૩ આજ્ઞા માંગતાં, ૪ પ્રશ્નાદિકનો ઉત્તર આપતાં. ૭ પ્રતિમાધારી સાધુને ત્રણ પ્રકારનાં સ્થાનક જોવાં, પ્રતિલખવા કલ્પ. ૧ આરામરૂપ ધર, ર છત્રીના આકારે, ૩ ઝાડ તળે. ૮ પ્રતિમધારી સાધુ એ ત્રણ સ્થાનકને યાચે, માંગે. ૯ એ ત્રણ પ્રકારના સ્થાનકને વિષે રહેવું કરે. ૧૦ પ્રતિમધારી સાધુને ત્રણ પ્રકારની શપ્યા જોવી કલ્પે. ૧ પૃથ્વીરૂપ, ૨ શિલારૂપ, ૩ કાષ્ટરૂપ. ૧૧ એ ત્રણ પ્રકારની શય્યા યાચના કરવી કલ્પ. ૧૨ એ ત્રણ પ્રકારની શય્યા ભોગવવી કહ્યું. ૧૩ પતિમાધારી સાધુ જે સ્થાનકમાં રહ્યા હોય ત્યાં કોઈ સ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy