SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશ દ્વારના જીવસ્થાનક ૧૬૯ છઠ્ઠા જીવસ્થાનકની સ્થિતિ પરિણામ આશ્રી જ. એક સમય, ૩. ક્રોડ પૂર્વ વર્ષમાં દેશ ન્યૂન. પ્રવર્તન આશ્રી, જ. અંતર્મુહૂર્તની, ઉ. ક્રોડ પૂર્વ વર્ષમાં દેશ ન્યૂન. તે ધર્મદેવ આશ્રી, તેની શાખ સૂત્ર ભગવતી શતક ૧૨, ૩. ૯. સાતમા, આઠમા, નવમા, દશમા, અગિયારમા એ પાંચ જીવસ્થાનકની સ્થિતિ જ. એક સમય, ઉ. અંતર્મુહૂર્તની. શાખ સૂત્ર ભગવતી શતક ૧૨ ૩. ૯. બારમા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત. તે૨મા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. ક્રોડ પૂર્વ વર્ષમાં દેશ ન્યૂન. ચૌદમા જીવસ્થાનકની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત. તે અંતર્મુહૂર્ત કેવું ? પાંચ લઘુ અક્ષર (અ, ઇ, ઉ, ૠ, લૂ) ઉચ્ચારે, એટલા વખતનો જે કાળ થાય તેટલો કાળ. ઇતિ ત્રીજો સ્થિતિ દ્વાર ૪. ક્રિયા દ્વા૨ : ક્રિયા પચ્ચીસ છે તે કાઇયા આદિ (નવતત્ત્વમાં બતાવેલ છે). તેમાંની જે ક્રિયા જે જે જીવસ્થાનકે જેટલી જે જે કા૨ણે લાગે તેનો વિસ્તાર. કર્મ આઠ છે, તેમાં એક ચોથું મોહનીય કર્મ સ૨દા૨ છે. તે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે. તે ૨૮ પ્રકૃતિનો વિસ્તા૨ કર્મપ્રકૃતિના થોકડા મધ્યે લખેલ છે. તે મોહનીય કર્મની સત્તા, ઉદય, ક્ષયોપશમ, ક્ષયને લીધે જે જે ક્રિયા લાગે, અને જે જે ક્રિયા ન લાગે તે કહીએ છીએ. પહેલે મિથ્યાત્વ જીવસ્થાનકે, જે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ છે, તેમાંથી અભવ્યને છવ્વીસ પ્રકૃતિની સત્તા છે, તે ૧ સમકિત મોહનીય, ૨ સમમિથ્યાત્વ મોહનીય, એ બે વર્જીને. કેટલાક ભવ્ય જીવને ૨૮ પ્રકૃતિની સત્તા છે, તેમાં મિથ્યાત્વનું બળ વિશેષ છે, તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy