SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ દિવસ સુધી પુષ્ક૨ વ૨સાદ પડે છે. પછી ૭ દિવસ વર્ષા બંધ રહે છે. એમ અનુક્રમે ૭–૭ દિવસ દૂધ, ઘી, અમૃત રસનો વરસાદ વ૨સે છે. જેનાથી ઉત્સર્પિણી કાળના પ્રથમ આરાનાં અશુભ ભાવ, રૂક્ષતા, ઉષ્ણતા, આદિ નષ્ટ થઈ શુભ વર્ણ આદિની ઉત્પત્તિ થાય છે. પૃથ્વીમાં ફળદ્રુપતા ઉત્પન્ન થાય છે. ફળફૂલ, વૃક્ષોથી પૃથ્વી છવાઈ જાય છે. ત્યારે બિલમાં રહેલાં માનવો બહાર નીકળી વનસ્પતિ જોઈ માંસાહાર ન જ ક૨વાનો નિયમ કરે છે. ઉત્સર્પિણીનાં ત્રીજા આરામાં ૩ વર્ષને ૮૫ (સાડાઆઠ) મહિના વીત્યા બાદ પહેલા તીર્થંક૨નો જન્મ થશે. તે પ્રથમ તીર્થંકરનું આયુષ્ય ૭૨ વર્ષનું (ભગવાન મહાવીર જેટલું) હશે. ત્યારબાદ ૨૨ તીર્થંકરો ક્રમથી થશે. ચોથા આરામાં ૩ વર્ષને ૮।। (સાડાઆઠ) મહિના વીત્યા બાદ ૨૪ મા તીર્થંક૨નો જન્મ થશે. તે તીર્થંક૨નું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું ( ભગવાન ઋષભદેવ જેટલું) હશે. ૨૪ મા તીર્થંકર શિલ્પકળા આદિ શિક્ષા આપશે નહિ કારણકે તે શિક્ષા આગળથી ચાલી આવતી હશે. તેમનાં મોક્ષ ગયા પછી રાજધર્મ અને ચારિત્રધર્મ વિચ્છેદ જશે. પછી અકર્મભૂમિ જેવો વ્યવહા૨ (જુગલીયા કાળ) રહેશે. અકર્મભૂમિનાં દેવકુરૂ, ઉત્તરકુરૂ એ બે ક્ષેત્રમાં અવસર્પિણી કાળના બેસતાં પહેલા આ૨ા જેવા ભાવો, હરિવાસ, ૨મ્યવાસમાં બેસતાં બીજા આરા જેવા ભાવો, હેમવય, હિ૨ણ્યવયમાં બેસતાં ત્રીજા આરાના જેવા ભાવો, ૫૬ અંતરદ્વીપમાં ઊતરતા ત્રીજા આરા જેવા (જુગલકાળ જેવા, કર્મભૂમિ જેવા નહિ) ભાવો, મહાવિદેહક્ષેત્ર માં ચોથા આ૨ા જેવા ભાવો સદાકાળ વર્તે છે. એટલે કે તે ક્ષેત્રોમાં છઆરા, કાળચક્ર નથી.] ઇતિ છ આરાના ભાવ. 外國照 分蜜蜜照分噩噩 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy