SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ડહોળાઉં છું. ૨સોઈ ક૨વા વખતે જાણે છે કે હું ઇંટની ભઠ્ઠીમાં ભરાઈ બળું છું. ઘંટીએ બેસતી વખતે જાણે છે કે હું કુંભારને ચાકડે ચડ્યો છું. માતા ચત્તી સૂવે ત્યા૨ે ગર્ભ જાણે છે કે મારી છાતી ઉપર સવા મણની શિલા પડી છે. કુશીલ સમયમાં ગર્ભને ઉખળ મુસળનો ન્યાય મળે છે. એવી રીતે માતાપિતાના કરેલા તથા ગર્ભસ્થાનથી મળેલા એવા બે જાતના દુઃખોથી પીડાયેલા, કુટાયેલા, ખંડાયેલા અને અશુચિથી તરબોળ થયેલા દુ:ખી જીવની દયા શીયળવંતી ધર્માત્મા માતાપિતા વિના કોણ રાખી શકે ? અર્થાત્ પાપી સ્ત્રી પુરૂષોમાંથી કોઈ નહિ. ગર્ભસ્થ જીવની ગતિનું વિવેચન : જેવા સ્વભાવવાળી માતા હોય તેવા સ્વભાવની છાયા ગર્ભમાં પડે છે. ગર્ભમાંથી બહાર આવ્યા પછી તે પુત્ર, પુત્રીના આચાર, વિચાર, આહાર, વ્યવહાર વગેરે સર્વ માતાના સ્વભાવ મુજબ નિવડે છે. તે ઉ૫૨થી માતા પિતાના ઊચ્ચ નીચ બિજકની તથા જશ, અપજશ વગેરેની પ૨ીક્ષા, પ્રજારૂપ ચિત્ર ઉપરથી વિવેકી સ્ત્રી પુરૂષો કરી શકે છે. કેમકે તે ચિત્ર માતાપિતાની પ્રકૃતિના આધારે ચિત્રાયેલું છે. શું ગર્ભમાં રહેલો જીવ મ૨ીને નરક, દેવ આદિ ગતિમાં જાય છે ? ગર્ભમાં રહેલો કોઈ જીવ રાજવંશ આદિથી ગર્ભમાં આવ્યો હોય અને સંજોગોવશાત્ તેનો કોઈ શત્રુ રાજા તેના રાજયને જીતી લેવા સૈન્ય લઈને ચડી આવે તો તે ગર્ભસ્થ જીવને પોતાના રાજયની રક્ષા કરવાની, તેના ધન, રાજય અને કામભોગોની લાલસાની તીવ્રતા ઉત્પન્ન થાય છે. ગર્ભમાં રહેલો સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પર્યાતિથી પર્યાપ્તો જીવ, વીર્ય લબ્ધિ દ્વારા, વૈક્રિય લબ્ધિ દ્વારા પોતાના આત્મ પ્રદેશોને ગર્ભમાંથી બહાર કાઢીને વૈક્રિય સમુદ્દાત કરે છે. તે વૈક્રિય સમુદ્દાત ક૨ીને હાથી, ઘોડા, ૨થ અને પાયદળરૂપી ચતુરંગિણી સેના બનાવીને શત્રુ સેના સાથે લડાઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy