SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૧૬) કારણ – મોહનીય અને અંતરાય કર્મના ક્ષયોપશમ અને વચનયોગથી સત્ય અને વ્યવહાર ભાષા બોલાય છે. જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મના ઉદયથી અને વચન યોગથી અસત્ય અને મિશ્ર ભાષા બોલાય છે. કેવળી સત્ય અને વ્યવહાર ભાષા જ બોલે. તેમણે ૪ ઘાતી કર્મ ક્ષય થયા છે. વિકલેન્દ્રિય માત્ર વ્યવહાર ભાષા સંજ્ઞારૂપ જ બોલે છે. ચારેય પ્રકા૨ે ૧૬ દંડકના જીવો બોલે છે. (૧૭) જીવ જે પ્રકારની ભાષાપણે દ્રવ્ય ગ્રહણ કરે તે જ પ્રકા૨ની ભાષા બોલે. (૧૮) વચન દ્વા૨ : બોલનાર, વ્યાખ્યાનીએ નીચેનું વચન જ્ઞાન કરવું. એક વચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રી વચન, પુરૂષવચન, નપુંસક વચન, અધ્યવસાય વચન, વર્ણ (ગુણ કીર્તન), અવર્ણ (અવર્ણવાદ), વર્ણવર્ણ (પહેલા ગુણ કર્યા પછી અવર્ણવાદ), અવર્ણાવર્ણ (પહેલા અવગુણ કહી, પછી ગુણ કહેવા). ભૂત-ભવિષ્ય-વર્તમાન કાળ વચન, પ્રત્યક્ષ- પરોક્ષ વચન, એ ૧૬ પ્રકા૨. સિવાય વિભક્તિ, તદ્વિત, ધાતુ, પ્રત્યય આદિનો જ્ઞાતા હોય. (૧૯) શુભ ઈરાદાથી ચાર પ્રકારની ભાષા બોલનાર આરાધક થઈ શકે છે. (૨૦) ચાર ભાષાનાં ૪૨ પ્રકાર છે. સત્ય ભાષાના ૧૦ પ્રકારઃ (૧) લોકભાષા સત્ય, (૨) સ્થાપના સત્ય (જે ચિત્રાદિને નામે કહેવાતું હોય તે કહેવું), (૩) નામ સત્ય (ગુણ હોય કે ન હોય, જે નામ હોય તે કહેવું), (૪) રૂપ સત્ય (તાદશ રૂપ જેવું કહેવું, જેમ હનુમાનજી જેવા રૂપ પૂતળાને હનુમાન કહે), (૫) અપેક્ષા સત્ય, (૬) સંમત સત્ય, (૭) વ્યવહાર સત્ય, (૮) ભાવ સત્ય, (૯) યોગ સત્ય, (૧૦) ઉપમા સત્ય. અસત્ય વચનના ૧૦ પ્રકાર : ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy