SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ડી (પ૯. સંજ્ઞા પદ :) શ્રી પન્નવણા સૂત્ર પદ ૮ સંશા – જીવોની ઇચ્છા. સંજ્ઞા ૧૦ પ્રકારની છે. ૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, પ. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯. લોક અને ૧૦. ઓઘ સંજ્ઞા. ૧. આહાર સંશા ૪ કારણથી ઉપજે: ૧. પેટ ખાલી થવાથી, ૨ સુધા વેદનીયના ઉદયથી, ૩. આહાર દેખવાથી, ૪. આહારની ચિંતવન કરવાથી. (આહાર સંજ્ઞા વેદનીય કર્મના ઉદયથી) ૨. ભય સંજ્ઞા ૪ કારણથી ઉપજે : ૧. અધર્ય રાખવાથી, ર. ભયમોહના ઉદયથી, ૩. ભય ઉપજાવનારા પદાર્થ જોવાથી, ૪. ભયની ચિંતવન કરવાથી. ૩. મૈથુન સંજ્ઞા ૪ કારણથી ઉપજે : ૧. શરીર પુષ્ટ બનાવવાથી, ૨. વેદમોહના કર્મોદયથી, ૩. સ્ત્રી આદિને દેખવાથી, ૪. કામભોગની ચિંતવના કરવાથી. ૪. પરિચય સંજ્ઞા ૪ કારણથી ઉપજે: ૧. મમત્વ વધારવાથી, ૨. લોભમોહના ઉદયથી, ૩. ધનમાલ જોવાથી, ૪. ધન પરિગ્રહની ચિંતવના કરવાથી. ૫–૮. ક્રોધ, માન, માયા, લોભ સંશા ૪ કારણથી ઉપજે: ૧. ક્ષેત્ર (ખુલ્લી જમીન) માટે, ૨. વધુ (ઢાંકેલા-મકાન આદિ) માટે, ૩. શરીર – ઉપધિ માટે, ૪. ધનધાન્ય આદિ ઔષધિ માટે. * વેદનીય અને મોહનીયના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થવાવાળી અનેક પ્રકારની આહારાદિની પ્રાપ્તિની ઇચ્છાને સંશા કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy