SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભ વિચાર ૩૬૫ નાડી છે તે યોનિ નાડી કહેવાય છે. તેમાં યોનિ જામે છે, તે યોનિ જીવને ઉપજવાનું ઠેકાણું છે. તે ઠેકાણામાં પિતા તથા માતાના પુદ્ગલોનું મિશ્રણ થાય છે. તે યોનિરૂપ ફૂલની નીચે આંબાની માંજ૨ને આકારે એક માંસની પેશી હોય છે, તે પેશી દરેક મહિને પ્રવાહિત થવાથી સ્ત્રી ઋતુધર્મમાં આવે છે. તે રૂધીર ઉ૫૨ની યોનિ નાડીમાં જા આવ કરે છે, કેમકે તે નાડી ખૂલેલી જ હોય છે. ચોથે દિવસે ઋતુસ્ત્રાવ બંધ પડે છે પણ આપ્યંત૨માં સૂક્ષ્મ સ્ત્રાવ ચાલુ રહે છે. પાંચમે દિવસે યોનિ નાડીમાં સૂક્ષ્મ રૂધી૨નો જોગ હોય છે તે જ વખતે વીર્ય બિંદુની પ્રાપ્તિ થઈ હોય તો તેટલા વખતને મિશ્ર યોનિ કહેવાય છે, અને તે ફળ પ્રાપ્ત થવાને યોગ્ય ગણાય છે. મનુષ્ય અને તિર્યંચનું વીર્ય ૧ મુહૂર્ત સુધી યોનિભૂત ગણાય છે એટલે કે તે સચેત રહે છે. તેમાં એક, બે અને ત્રણ વગે૨ે નવ લાખ સુધી જીવ ઉપજે છે. તેઓનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધીનું હોય છે. તે જીવનો પિતા એક જ હોય છે પણ બીજી અપેક્ષાએ જોતાં છેવટ નવસો પિતા સુધી શાસ્ત્ર કહે છે. તે સંયોગથી નહિ પણ નદીના પ્રવાહ સામે બેસી સ્નાન ક૨વા વખતે ઉપરવાડેથી ખેંચાઈ આવતાં પુરૂષના બિંદુમાં સેંકડો રજકણો સ્ત્રીના શરીરમાં પિચકારીના આકર્ષણની રીતે આવી ભરાય છે. કર્મ જોગે તેનો કવચિત્ ગર્ભ જામી જાય છે. તેમાં જેટલા પુરૂષના રજકણો આવેલા હોય તે સર્વ તેના પિતા સ્વરૂપે ગણાય છે. એકી સાથે દશહજાર સુધી ગર્ભ પાકે છે, તે મચ્છી તથા સર્પની માતાને ન્યાયે છે. મનુષ્યને ત્રણ સુધી પાકે છે. બાકી મરણ પામે છે. એક જ વખત નવ લાખ ઉપજી મરણ પામ્યા હોય તો તે સ્ત્રી જન્મ વાંઝણી રહે છે. બીજી રીતે જે સ્ત્રી કામાંધ થઈને અનિયમિત રીતે વિષય સેવે અથવા વ્યભિચારિણી બનીને હદ ઉપરાંત પરપુરૂષ સેવે તે સ્ત્રી વાંઝણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy